________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
જ્ઞાનની ઓળખાણ થતાં જ્ઞાનીની ઓળખાણ થઈ જાય છે.
કારણ કે જ્ઞાન અને જ્ઞાનીમાં સર્વથા ભેદ વિદ્યમાન નથી. તેથી જ્ઞાનને જાણતાં વાસ્તવમાં જ્ઞાની જણાઈ જાય છે.
વ્યાખ્યા- જ્ઞાન અને જ્ઞાની એક બીજાથી સર્વથા ભિન્ન નથી. જ્ઞાનગુણ છે, જ્ઞાની ગુણી છે, ગુણગુણીમાં સર્વથા ભેદ હોતો નથી; બન્નેનો તાદાભ્ય સંબંધ હોય છે. અને તેથી વાસ્તવમાં જ્ઞાન જણાતાં, જ્ઞાની (આત્મા)નું હોવું જણાઈ જાય છે. અહીં સર્વથા ભેદ ના હોવાથી જે વાત કહેવામાં આવી છે તે એ વાતનું સૂચન કરે છે કે બન્નેમાં કથંચિત્ ભેદ છે, કે જે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ તથા પ્રયોજન આદિના ભેદની દૃષ્ટિએ રહ્યા કરે છે. / ૧૧૯ાા (શ્રી યોગસાર પ્રાભૃત, અમિતગતિ આચાર્ય, નિર્જરા અધિકાર
ગાથા-૩પ ) જેના દ્વારા પદાર્થ જણાય છે તેના દ્વારા જ્ઞાની ( જ્ઞાતા) કેમ ન જણાય? જેના દ્વારા ઉધોત (પ્રકાશ) દેખાય છે તેના દ્વારા શું દીપક નથી દેખાતો? –દેખાય જ છે.
વ્યાખ્યા- જેવી રીતે દીપકના પ્રકાશને દેખનાર દીપકને પણ દેખે છે તેવી જ રીતે જે શેયરૂપ પદાર્થને જાણે તે તેના જ્ઞાયક અથવા જ્ઞાનીને પણ જાણે છે, ન જાણવાની વાત કેવી?૧૨૦ (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, નિર્જરા અધિકાર ગાથા-૩૮)
ઇન્દ્રિયજ્ઞાનના વિષયથી ભિન્ન જે અંતરંગમાં અવભાસિત થાય
* હું પરને જાણું છું એમ માને તે દિગંબર જૈન નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com