________________ (31) - દ્વિતીય સર્ગ. પ્રકારની રાજાની વાણીથી જાણે વીંછીથી ડસા હોય તેમ પીડા પામેલે વસુસાર પુરોહિત અવસર જાણુને બોલ્યા કે–“હે સ્વામી ! આ ધૂર્ત વેતાંબરે પોતેજ કુશાસ્ત્રવડે ઠગાયા છે, તેથી તેઓ ઇંદ્રજાળ વિગેરેની કળાવડે આ મુશ્વજનને ઠગે છે. માત્ર ખોટા અભિમાનથી લોકોમાં પૂજાવા-મનાવાની ઈચ્છાવડે જ પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરાવે છે અને વિવિધ પ્રકારના તપ કરાવે છે. કારણ કે જ્યાં જીવજ નથી, ત્યાં પુણ્ય–પાપ તે ક્યાંથી જ હોય? વળી પરલોકનો અભાવ હોવાથી તે પુણ્ય-પાપનું શુભા શુભ ફળ ક્યાં મળે? તેથી કરીને પાપથી ઉત્પન્ન થતા ૫લોકના દુ:ખના ભયથી આ લોક ફેગટજ ભય પામે છે અને પુણ્યથી થતા પલકના સુખને મેળવવા માટે ફગટ કલેશ પામે છે. આ જગત જેટલું ઈન્દ્રિયને પ્રત્યક્ષ છે તેટલું જ છે. હે મનેહર નેત્રવાળી ! તું ખા અને પી. હે શ્રેષ્ઠ શરીરવાળી ! જે ગયું તે તારું નથી. હે બીકણ! ગએલું પાછું આવતું નથી. આ કલેવરશરીર માત્ર પંચ મહાભૂતના સમુદાય રૂપ જ છે. તેથી પરલોકના સુખની આશાવડે આ ભવમાં પ્રાપ્ત થયેલા સુખને ત્યાગ કરી તપ કરનાર મનુષ્ય શિયાળની જેમ બનેથી ભ્રષ્ટ થાય છે. કહ્યું છે કે—જેમ કોઈ શિયાળ પ્રાપ્ત થયેલા માંસને કાંઠે મૂકી માછલાને મેળવવા શીધ્રપણે દોડ્યો, તેમાં માછલાએ તત્કાળ જળમાં પ્રવેશ કર્યો અને માંસને ગીધ પક્ષી લઈ ગયે. તેજ પ્રમાણે આ ભવમાં પ્રાપ્ત થયેલા વિષયસુખને ત્યાગ કરી જેઓ પરલોકના સુખના લાભ માટે દોડે છે, તે મનુષ્યો બને લેકના સુખથી ભ્રષ્ટ થઈ તીવ્ર તપ અને વ્રતાદિકવડે કષ્ટ ભોગવી પિતાના આત્માને જ છેતરે છે એ આશ્ચર્ય છે.” આ પ્રમાણે કર્ણને વિષે સોયના જેવું પુરોહિતનું વચન સાંભળી ગંભીરતાથી ક્રોધને દબાવી રાજાએ મંત્રીને મુખ તરફ દષ્ટિ નાંખી. ત્યારે સર્વ વિદ્વાનોમાં અગ્રેસર એવા મંત્રીએ તે પુરોહિતને કહ્યું કે–“હે મૂઢ! પિતાના જ અનુભવથી સિદ્ધ થઈ શકે તેવા જીવને તું કેમ એળવે છે? જેમકે શરીર દુઃખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust