________________
'પ્રકાશક ૩–શ્લો. ૧૩૦ સ્વોપજ્ઞટીકા "नाऽहं न मम"सोऽहं स मम'
નમો' એ મમત્વના ત્યાગપૂર્વક સમત્વનો સ્વીકાર છે. સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ લાવવા માટે “નમો અરિહંતાઈ'નો જાપ કર્તવ્ય છે.
ચૈતન્યની ઉપાસના ચૈતન્યના એક અંશની પણ હીલના અનંત ચૈતન્યની આશાતના છે. ચૈતન્યના એક અંશનું પણ બહુમાન સર્વ ચૈતન્યની ભક્તિરૂપ છે. પરમેષ્ઠિઓનું બહુમાન પણ ચૈતન્યના બહુમાનના કારણે છે. કેમ કે પરમેષ્ઠિ ભગવંતોને પરમેષ્ઠિ પદની પ્રાપ્તિ ચૈતન્યની ભક્તિના પરિણામે છે. પરમેષ્ઠિઓની અભક્તિ, અબહુમાન, ઉપેક્ષા કે માધ્યચ્ય એ ચૈતન્યની જ અભક્તિ, અબહુમાન, અવજ્ઞા કે આશાતનારૂપ છે.
“મિ પૂરૂં સળે તે પૂરૂ દક્તિ ' . “મિ હીતિ, સળે તે રાત્રિ રોત્તિ '' આ ન્યાય તીર્થકરો, સિદ્ધો, સાધુઓ કે ધર્મના કોઈ પણ અંગને લાગુ પડે છે. એકની હલનાથી સર્વની હીલના અને એકની પૂજાથી સર્વની પૂજા તેની પાછળ પણ રહસ્ય તો ચૈતન્યના બહુમાનનું જ છે.
વિષયોને નમવાનું છોડીને પરમેષ્ઠિઓને નમવું તે જડને નમવાનું છોડીને ચૈિતન્યભાવને નમવાનું છે ચૈતન્ય તત્ત્વની ઉપાસના એ મુક્તિનું કારણ છે. જડ તત્ત્વની ઉપાસના જીવના બંધનનું કારણ છે. એકમાં વિવેક છે, બીજામાં અવિવેક છે. વિવેક એ પ્રકાશ છે, અવિવેક એ અંધકાર છે. વિવેકી આત્મા ચેતનને નમે છે. અવિવેકી આત્મા જડને નમે છે. વિવેક એ વિચારથી જન્મે છે અને વિચાર એ સત્યની શોધ છે. સત્ય તે છે કે જડ સુખ રહિત છે, ચેતન સુખનો આધાર છે. ચેતન તત્ત્વ સુખરૂપ છે, જડ અતત્ત્વ–સુખરહિત છે. ચેતનની ઉપાસનાથી હૃદયશુદ્ધિ થાય છે. હૃદયશુદ્ધિ એટલે જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ અને જડ પ્રત્યે આત્મભિન્ન ભાવ. ચૈતન્યની ભક્તિ, જડનીઅનાસક્તિ ઉપાદેય છે. ચૈતન્યની સ્પૃહા, જડની અસ્પૃહા એ કર્તવ્ય છે. ધર્મ તેનું નામ છે કે જેનાવડે ચૈતન્ય તત્ત્વનું ધારણ, પોષણ અને શોધન થાય, એ ધર્મ સૌને સુખકારી છે. કોઈ એકને પણ અસુખકારી નથી. ધર્મ એ સાર્વજનિક (સર્વ નેગો હિત રૂતિ સાર્વનિ:) વસ્તુ છે. જે સર્વને પણ સુખ કરે, તે ધર્મ છે. કોઈ એકને કરે અને એકને ન કરે તે ધર્મ નથી પણ પાપ છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૮૩