________________
સોપેલ રત્ન કાઢી આપ્યું અને પિતાના મિત્ર પેલા શેઠ પાસે જઈ વેચી દેવા જણાવ્યું.
શેઠે રત્ન હાથમાં લઈ, તે રત્ન છોકરાને પાછું આપ્યું અને કહ્યું કે હમણાં બજારમાં મંદી છે, નાણાંની બહુ તંગી હોય તો થોડા રૂપિયા હમણાં મારી પાસેથી લઈ જાઓ. બજાર સુધર્યા પછી રત્ન વેચીશું.
હવે છોકરો એ શેઠની દુકાને બેસે છે, અનુભવ લે છે. થોડા વખતમાં તો એ કાબેલ ઝવેરી બને છે. એક દિવસ શેઠે કહ્યું કે હવે પેલું રત્ન લાવજો. છોકરાએ મા પાસેથી રત્ન લીધું. પણ આ શું ! જુએ છે તો કાચનો ટુકડો ! .
છોકરાએ દુકાને જઈને શેઠને વાત કરી, શેઠ કહે મને તો તે દિવસે જ એ સમજાયું હતું. પરંતુ તે વખતે હું તને એ વાત કરત તો મારા ઉપર વિશ્વાસ ન બેસત. તને અને તારી માને શંકા થાય કે શેઠની દાનત બગડી લાગે છે, રત્નની પુરી કિંમત આપ્યા વિના એ પડાવી લેવું છે, બીજું, તે વખતે આવકનું કોઈ સાધન તમારી પાસે નહોતું, તે અવસ્થામાં આ ખરી વસ્તુસ્થિતિ સમજાત તો તમે નિરાશ થઈ જાત, તેથી ત્યારે મેં ફોડ ન પાડ્યો, અને તમને “આપણી પાસે આ રત્ન છે.” એ આશ્વાસનમાં રહેવા દીધા. “
• જ્ઞાનીઓની કરુણા તેમ, ધર્મરત્નને પારખનારા ઝવેરીઓ, જ્ઞાનીઓ, અનુભવીઓ કરુણાબુદ્ધિથી મૌન સેવે છે. જીવને તેની અજ્ઞાન-અવસ્થામાં, જો તેઓ કહે કે ભાઈ ! તું જેને સમક્તિરત્ન માની બેઠો છે તે તો દૃષ્ટિરાગરુચિરૂપ કાચ છે ! તો અજ્ઞાન જીવ ઝવેરીને જ ચોર ગણી કાઢે, અને સાચા ધર્મની હાંસી ઉડાવે. - “ર વેત્તિ યો ય ગુIBøર્ષમ, સતી સતતં રોતિ નિનામ્.
यथा किराती करिकुंभजाताम्, मुक्तां परित्यज्य बिभर्ति गुंजाम् ॥" ભીલડી ગજમૌતિકને નકામો પથરો સમજી ફેંકી દે છે અને ચણોઠીના આભૂષણો બનાવી તે પહેરીને રાજી થાય છે તેમ, અજ્ઞાન અવસ્થામાં જીવ પારમાર્થિક ધર્મની અવજ્ઞા કરી પાપમાં ન પડે, એ કરુણા બુદ્ધિથી જ્ઞાનીઓ ચૂપ રહી રાહ જુએ છે– યોગ્યકાળની.
પોતે કરી રહેલ આરાધનામાં કંઈ ખામી છે, એ વાત સાંભળવા જેટલી પણ મધ્યસ્થ બુદ્ધિ, અને એના ઉપર શાંત ચિત્તે વિચાર કરવાની વૃત્તિ, જીવમાં ન દેખાય ત્યાં સુધી જ્ઞાનીઓ–અનુભવીઓ ચૂપ રહેવામાં સાર જુએ છે.
ધર્મ અનપેક્ષા • ૨૮૫