________________
હિતની કામનામાંથી જેનો ઉદ્ગમ છે એ પ્રભુ આજ્ઞાના ઔદંપર્યનું જ્ઞાન થાય. એ પછી આરાધના કરવી એટલે માત્ર પોતાના “હિત માટે જ સાવધાન રહેવું. એવો સંકુચિત આભાસ પેદા ન થતા, આજ્ઞા સર્વનું હિત થાય તે રીતે વર્તવાની છે, એ મૂળભૂત વાત ચિત્તમાં સુસ્થિર બનશે, એ પછી જ શ્રીઅરિહંતપરમાત્માની આજ્ઞાની ભાવથી પ્રાપ્તિ થઈ ગણાય.
ઐદંપર્યશુદ્ધિ વિના, શ્રીજિનેશ્વરદેવના વચનનો કોઈ અંશ એ અન્યનું વચન બની જાય છે, કારણ કે તેમાં શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનો જે વિષય છે તેનો અવળો સ્વીકાર છે,” એ શ્રીયશોભદ્રસૂરિ મહારાજની વાણી ઉપર લક્ષ આપ્યા વિના, આપણી આરાધનાને આપણા શ્રીજિનેશ્વરદેવે બતાવેલ અનુષ્ઠાન તરીકે માની લઈએ તો પણ તે જેમાંથી કપૂર ઉડી ગયું છે તેવી “કપૂરની પેટી” તુલ્ય છે.
- આત્મનિરીક્ષણમાં તટસ્થતા અનિવાર્ય આત્મ નિરીક્ષણ વૃત્તિવાળો આરાધક વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક વીર જેવો હોય છે. પોતાનાં સાધનો બરાબર કામ આપે છે કે નહિ તેનું કોઈપણ વૈજ્ઞાનિક તટસ્થતાથી નિરીક્ષણ કરે છે અને તેમાં કાંઈ ત્રુટિ દેખાય તો સુધારે છે, જરૂર જણાય તો તેને બદલે પણ છે. એમાં સાધન પ્રત્યેના પોતાના મમત્વને તે આડે આવવા દેતો નથી. - ત્રણ વર્ષ પહેલાં, ૧૯૫૮ના ઓગસ્ટ મહિનાની ૧૦મી તારીખે, અમેરિકાએ ચંદ્ર ઉપર રોકેટ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. તે રોકેટ ઉપડ્યા પછી ૭૭ સેકંડે બેકાબૂ બન્યું. તરત કેનેવરલભૂસિર પર આવેલા રોકેટ મથકે બટન દાબીને રેડિયો મોજાં વડે રોકેટમાં ધડાકો કરીને તેને તોડી પાડવામાં આવ્યું. પછી સમુદ્રમાં તૂટી પડેલ એ રોકેટનો ભંગાર હાથ કરવા બર્જર્સ મરીન સાલ્વેજ કોન્ટેકટર્સને સંદેશો મોકલવામાં આવ્યો કે મળે તેટલો ભંગાર દરિયામાંથી કાઢો.
વર્ષોની ભારે જહેમત અને લાખોના ખર્ચે તૈયાર કરેલ, એક ઇંચે દોઢ લાખ રતલનો ધક્કો ધરાવતા તોતિંગ એન્જનવાળું એ રોકેટ ઉપડ્યું કે બીજી જ મિનિટે તેને તોડી પાડતાં એ વૈજ્ઞાનિકોનો જીવ કેમ ચાલ્યો હશે ? પણ...સાધ્યને નજર સામે રાખી પ્રયોગ કરનારને પોતાના સાધન પ્રત્યે આંધળું મમત્વ પરવડતું નથી.
એ કિંમતી રોકેટને તોડી પાડી, એનો ભંગાર હાથ કરી, એ બેકાબૂ કેમ બન્યું તેનું સંશોધન કરવા પાછળ બુદ્ધિ, શ્રમ અને ધન ત્રણે ખરચતા એ વૈજ્ઞાનિકો ન અચકાયા, આજે જે સફળ અવકાશી ઉડ્ડયનના સમાચાર આપણને મળે છે તે આવા
ધર્મ અનુપ્રેક્ષા • ૨૮૯