________________
વિભૂતિઓના અપરાધી ઠરીએ છીએ.
શ્રીપંચપરમેષ્ઠિઓને પ્રિય હોય તે કાર્યોમાં જ આપણા દેહની પ્રવૃત્તિ. શ્રીપંચપરમેષ્ઠિઓને અનુમત હોય તે માર્ગે જ આપણી વાણીનું પ્રવર્તન. શ્રીપંચપરમેષ્ઠિઓને માન્ય હોય તે સ્થળોએ જ આપણા મનનું સ્થાપન. ત્યારે દેહની પ્રવૃત્તિ કરતાં આ પ્રવૃત્તિ શ્રીપંચપરમેષ્ઠિઓને અભિમત છે કે નહિ ?' એ વિચારવું આપણું કર્તવ્ય બની જાય છે.
વાણીને ઉચ્ચારતાં “આ ઉચ્ચારણ શ્રીપંચપરમેષ્ઠિઓને માન્ય છે કે નહિ ?' આ ખ્યાલ રાખવો અનિવાર્ય બને છે.
મનથી વિચારતાં “આ વિચાર શ્રીપંચપરમેષ્ઠિઓને પ્રિય છે કે નહિ ?' આ સાવચેતી રાખવી આવશ્યક બને છે.
સમર્પણ માટેની આટલી વ્યાપક સમજ આવ્યા પછી એ દિશામાં આપણો પુરુષાર્થ પાણીદાર બનશે.
પછી દુ:ખો, આપત્તિઓ, અગવડો વગેરેમાં તે જરાય નહિ મુંઝાય. દુઃખો, આપત્તિઓ એની પાસે જતાં જ વિચાર કરશે ને !
ભક્તિનો ઉપાય
ભક્તિભાવ પ્રગટાવવાના બે ઉપાય છે : એક તો ગુણોનું ચિંતન અને બીજું આજ્ઞાનું પાલન ! એક ભક્તિભાવ અને બીજો સેવાભાવ ! સેવા કરવાથી ભક્તિ ટકે છે - વધે છે. ન હોય તો ઉત્પન્ન થાય છે.
ગુણોનું, વિશેષતાઓનું, ઉપકારતાદિનું ચિંતન કરવાથી ભક્તિનું અંતરંગ સાધન જે આંતરિક બહુમાન તે જાગ્રત થાય છે.
૩૫૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા