________________
ફરમાવે છે કે
મત્તલ મન્નિષ્ણ છબિ ' “છ જવનિકાયને પોતાના આત્માની સમાન સમજો.” પ્રાણી માત્રને આત્મતુલ્ય સમજો.
શાસ્ત્ર કહે છે કે “હે પુરુષ, તું જેને મારવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે સુખદુઃખનો અનુભવ કરનાર તે તારા જેવો જ જીવ છે. તું જેના ઉપર હકૂમત કરવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે. તું જેને દુઃખ આપવાનો વિચાર કરે છે, વિચાર કરે તે તારા જેવો જ જીવ છે. તું જેને પોતાના વશમાં રાખવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે. તું જેના પ્રાણ લેવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે.”
સપુરુષ આ પ્રમાણે વિવેક રાખીને જીવન વીતાવે છે. નિષેધક વ્યાખ્યા અને વિધાયક વ્યાખ્યા
સામાયિકનો વિચાર કરતાં સામાયિકના નિષેધક તેમ જ વિધાયક બંને સ્વરૂપો સમજવા પડશે.
આ બંને સ્વરૂપો સમજવાથી જ આરાધક આત્મા જીવનમાં સામાયિક ધર્મ આચરી શકશે.
અહિંસા એટલે હિંસા ન કરવી, પ્રાણોનો ઘાત ન કરવો (Non Violence) આ નિષેધક વ્યાખ્યા છે.
અહિંસા એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ, જીવત્વનું સન્માન કરવું (Reverence for Life) આ વિધાયક વ્યાખ્યા છે.
બ્રહ્મચર્ય એટલે મૈથુનનો ત્યાગ આ નિષેધક વ્યાખ્યા છે. બ્રહ્મચર્ય એટલે શુદ્ધ આત્મગુણોમાં રમણતા કરવી. આ વિધાયક વ્યાખ્યા છે. સામાયિકની નિષેધક તથા વિધાયક વ્યાખ્યાઓ સંબંધ સૂક્ષ્મ વિચાર કરવો પડશે. શાસ્ત્રમાં કહ્યું છે કે
“સમતા સર્વભૂતેષુ, સંયમ: ગુમ માવના |
માર્જરી પરિત્યાદ્ધિ સામાયિક વ્રતમ્ " સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો એટલે સમતા, પાંચ ઇન્દ્રિયોના વિકારોને વશ રાખવા એટલે સંયમ, શુભ ભાવના રાખવી અને આર્ત તથા રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો
૩૯૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા