Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 396
________________ વિશ્વના સર્વજીવોમાં જે જીવત્ત્વ છે, તે તુલ્ય (Similar) છે. આ જીવત્ત્વ, આત્મત્ત્વ કેવું છે ? તેમાં દેખાતી ભિન્નતા શાથી છે ? જીવ અને જડ આ બન્ને તત્ત્વોનું સ્વરૂપ શું છે ? તેમનો સંબંધ કેવો છે ? દેશ (Space) શું છે ? કાળ (Time) શું છે ? વિશ્વની વ્યવસ્થા શી રીતે ચાલે છે ? આ વિચારણાઓ વિજ્ઞાનનો વિષય છે. “વિશ્વના સર્વ જીવોમાં જીવત્ત્વ રહેલું છે. મને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. માટે જો હું દુ:ખથી બચવા ઇચ્છું તો કોઈને દુઃખ ન આપું. જો હું સુખ પ્રાપ્ત કરવા ઇચ્છું તો અન્યનું હિત કરું.” આવી ભાવનાઓ ધર્મનો વિષય છે. 'आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ।' જેવું વર્તન આપણને ન રુચે, તેવું વર્તન અન્ય સાથે ન કરવું. શિવમસ્તુ સર્વજ્ઞાત: । ‘જગતના સર્વ જીવો સુખી થાઓ.' આ ભાવના વડે ધર્મ છે. તુલસીદાસજીએ કહ્યું છે કે, પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ પરપીડા સમ નહિ અધમાઈ. પરહિત એ ધર્મ છે. પરપીડા એ અધર્મ છે. “સ્વ” સાથે “સર્વ”ના સંબંધનું વિજ્ઞાન સમજાતાં, આપણો સંબંધ જગતના સર્વ જીવો સાથે રહેલો છે આ સત્ય સમજાતા, આ ધર્મ સ્પષ્ટ થાય છે. આંતર્ શાંતિ અને નિર્મળસુખ આપનારા આત્મશુદ્ધિ ધર્મની શ્રદ્ધા જાગતા “સ્વ” અને “સર્વ”ના સંબંધનું વિજ્ઞાન સમજાય છે. માનવીના અંતરમાં અનેક વાસનાઓ હોય છે. આ વાસનાઓનો પરિચય વિજ્ઞાન આપે છે. આ વાસનાઓને શુદ્ધ કરવાના કાર્યમાં ધર્મ સહાય કરે છે. અર્વાચીન વિજ્ઞાનની વ્યાપક અસર : આધુનિક વિજ્ઞાનનાં સાધનો એટમયુગના માનવીના મનની વાસનાઓને વિશેષ વેગ આપે છે. આજના વિજ્ઞાનના કેટલાંક સાધનો આપણી અંદર રહેલી વાસનાઓને પ્રજવલિત કરે છે. પ્રાચીન કાળમાં વાસનાને વંટોળરૂપે વેગ આપનારા આટલા બધા બાહ્ય સાધનો નહોતા. જીવન સાદું અને સરળ હતું, બાહ્ય વાતાવરણ આંતર્ વૃત્તિઓને શાંત ધર્મ અનુપ્રેક્ષા • ૩૭૯

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442