________________
બાળી શકશે. બુઝાયેલું મોટું લાકડું રૂના પુમડાને પણ નહિ બાળી શકે.
એટમયુગના માનવીની બુદ્ધિ તીક્ષ્ણ ભલે હોય, સમ્યક્ નથી. આપણે માત્ર “સ્વ”નો વિચાર કરીએ છીએ. પોતે તથા જે પોતાના છે, તેમનું જ સુખ વિચારીએ છીએ.
આજનું વિજ્ઞાન શરીરસુખ માટે, શરીર સુખનાં સાધનો માટે મથે છે. મનનું નિર્મળ સુખ તથા આત્માનાં દિવ્ય સુખ સંબંધી આપણને કલ્પનાય નથી, ઇચ્છાય નથી. જે કાર્ય માટે આપણે મનુષ્ય થયા છીએ, એ કાર્યનું આપણને લક્ષ્ય પણ નથી.
એક ક્ષણભર થોભી જઈએ. વિચાર કરીએ. શું માનવજીવનનો કંઈ હેતુ છે ? મસ્તિષ્ક અને હૃદય બંનેને સમ્યગ્ રૂપે કેળવવાની કોઈ પદ્ધતિ છે ? ધર્મ જો આવી પદ્ધતિ હોય તો ધર્મનું સ્વરૂપ કેવું છે ? વિજ્ઞાન અને ધર્મનો સંબંધ શું છે ?
આ ધર્મ સર્વનું હિત કઈ રીતે સાધી શકે ? સર્વના હિત સાથે ‘સ્વ’ના હિતને શો
સંબંધ છે ?
આજનાં એટમયુગના માનવીને સામાયિક ધર્મ શી રીતે ઉગારી શકે ? એ હવે
અવસરે.
મહામાનવ
न तद्भासयते सूर्यो, न शशांको न पावकः । यद् गत्वा न निवर्तन्ते, तद् धाम परमं मम ॥
પરમાત્મા પ્રાપ્તવ્ય છે, તેનું સાધન યોગ છે, યોગ પરવૈરાગ્યને આધીન છે, પરવૈરાગ્ય અપર વૈરાગ્યને આધીન છે, અપર વૈરાગ્યનો પાયો મૈત્ર્યાદિ ભાવો છે.
એ ભાવોનો ઉત્કર્ષ એટલે મનુષ્યત્વ. આ અર્થમાં જે મનુષ્ય છે એ જ ચોથા પુરુષાર્થનો અધિકારી.
સદ્ગુણનો બેહદ વિકાસ સાધીને જ નિર્ગુણને પમાય છે. નિર્ગુણને મેળવી સદ્ગુણમાં આનંદ પામે છે.
મૈત્રી આદિ દ્વારા ઇર્ષ્યા, અસૂયાદિ અને પ્રતિપક્ષ ભાવના દ્વારા અવિદ્યા, અસ્મિતાદિ ક્લેશ અને ઉપક્લેશનો નાશ સાધે, તેને નામશેષ કરે તે સાધન સંપન્ન માનવ મહામાનવ બને છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૭૭