________________
એકાંગી બુદ્ધિ માત્ર તર્ક ઉપર ભાર મૂકે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના વિચારને, વર્તનને તર્ક વડે યોગ્ય સાબિત કરવા મથે છે. જેવો પોતાનો મત છે તે તરફ યુક્તિને ખેંચવાની ચેષ્ટા કરે છે. “જે સાચું તે મારું” એમ નહિ પણ “જે મારું તે સાચું” એવી વૃત્તિ વધતી જાય છે.
આજે દરેક વ્યક્તિ પોતાને બુદ્ધિમાન માને છે. વિનય અને શીલ ઘટતાં જાય છે. અહંકાર અને કૃતજ્ઞતા વધતાં જાય છે. આજે નમ્રતા સદ્ગણ નહિ પણ નબળાઈ ગણાય છે. ઔદાર્ય પ્રશંસનીય નહિ પણ મૂર્ખતા મનાય છે. ત્યાગ અને તપ આદરપાત્ર નહિ પણ હાસ્યસ્પદ બન્યાં છે. આજની યંત્ર સંસ્કૃતિ વડે વિનાશને માર્ગે
- આ યંત્રો દિનપ્રતિદિન વધતાં જશે. એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ અને તેની પછી કોબાલ્ટ બોમ્બ આવશે. રોકેટ પછી ફુટનિક અને તેની પછી લાઈટ એક્સપ્રેસ આવશે, જો માનવબુદ્ધિ સમ્યફ નહિ બને તો આ યંત્રો અકલ્પનીય વિનાશ લાવશે.
ડૉ. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને કોઈકે પૂછ્યું “ત્રીજા વિશ્વયુદ્ધમાં કેવા અણુશાસ્ત્રો
વપરાશે ?”
- તે સુપ્રસિદ્ધ અણુવૈજ્ઞાનિકે પ્રત્યુત્તર વાળ્યો “તે સંબંધી આજે હું કંઈ ન કહી શકું. પરંતુ જો ચોથું વિશ્વયુદ્ધ થશે તો પથ્થરયુગની જેમ માનવીઓ એકબીજા ઉપર પથ્થરના સાધનોનો ઉપયોગ કરશે.”
જો એકાંગી બુદ્ધિ નિર્મળ નહિ થાય તો આજની યંત્રસંસ્કૃતિ આપણને પથ્થરયુગ પ્રત્યે. લઈ જશે. જો બુદ્ધિ અને હૃદયનો સમન્વય નહિ થાય, જો વિજ્ઞાન અને ધર્મ એકબીજાના પૂરક નહિ બને તો માનવજાતિ પોતાનું પતન શીધ્ર બનાવશે.
- આધુનિક વિજ્ઞાન એટલું ફેલાતું જાય છે, વ્યાપક બની રહ્યું છે કે પોતાના ધર્મ સંસ્કારો ટકાવી રાખવા મથતો સામાન્ય માનવી તો અસ્થિર બની જાય છે. - સાચું વિજ્ઞાન અને સાચું તત્ત્વજ્ઞાન એકબીજાનાં વિરોધક નહિ પણ એકબીજાનાં 425.59 (Not Contradictory but Complimentary to each other). 241 2424 gu? સમજાશે ત્યારે પ્રત્યેક વૈજ્ઞાનિક માટે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તથા પ્રત્યેક વિચારક માટે વિજ્ઞાનનો અભ્યાસ સહાયક બનશે.
જેને સત્ય પામવું હશે, તેને એકેયની ઉપેક્ષા કરે નહિ પાલવે.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૮૧