Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 392
________________ અને વિચાર. એટમયુગનો માનવી મસ્તિષ્કને કેળવે છે. પણ હૃદયની ઉપેક્ષા કરે છે. બુદ્ધિને તીર્ણ બનાવે છે પણ લાગણીને જડ થવા દે છે. જેટલી કાળજી બુદ્ધિની લેવાય તેટલી જ જો હૃદયની લેવાય તો વિકાસ પ્રાપ્ત થાય. નહિ તો લાગણીવિહોણા હૃદયવાળાની તીક્ષ્ણ બુદ્ધિ ભારે હાનિકારક છે. પોતાને નુકશાન કરે છે, સર્વને નુકશાન કરે છે. માત્ર બુદ્ધિ કેળવાય અને લાગણી ન કેળવાય તો પરિણામ શું આવે ? અહંભાવ અને સ્વાર્થ વધે, પોતાના દૂષણો છુપાવવાનો દંભ જાગે. બુદ્ધિ અને લાગણી બંનેને કેળવ્યા વિના આપણે વિકાસ નહિ સાધી શકીએ. માત્ર બુદ્ધિ વડે તર્કથી પર ભાવનાનું જે વિશાળ વર્તુલ રહેલું છે, તેમાં પ્રવેશ થઈ શકતો નથી. . બુદ્ધિ અને લાગણી, મસ્તિષ્ક અને હૃદય બંનેને પવિત્ર બનાવવા પડશે. હૃદય સગુણોનું ઉદ્ભવસ્થાન છે. દૈવી પ્રેરણાઓ પવિત્ર હૃદયમાં પ્રગટે છે અને સમ્યગુ બુદ્ધિ વડે તેનો સદુપયોગ થાય છે. . અનુકંપા, કૃતજ્ઞતા, સમતા અને પ્રેમ હૃદયમાં પ્રગટે છે. જેમ સર્વજીવો પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ વિશેષ, તેમ સુખ-શાંતિ વિશેષ. હૃદયને કેળવ્યા વિના સદાચાર શક્ય નથી. સુખ શક્ય નથી. શાંતિ શક્ય નથી. આત્માની ઉપેક્ષા . એટમયુગનો માનવી માત્ર મસ્તિષ્કને કેળવી રહ્યો છે. બુદ્ધિ તીક્ષ્ણ ધારદાર બની રહી છે. લાગણી બિલકુલ બુઠ્ઠી બની રહી છે. નવી વૈજ્ઞાનિક શોધો વધી છે પણ સદાચાર ઘટ્યો છે. ઇંદ્રિયસુખનાં સાધનો વધ્યા છે, પણ સહાનુભૂતિ અને પ્રેમ ઘટ્યા છે, દુર્ગુણી વિદ્વાન કરતાં સદાચારી અભણ વધુ સારો છે. દુર્ભાવો ઓછા થયા નથી તો વિદ્વાન કદાચ પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો દુરુપયોગ કરશે. કવિએ કહ્યું છે કે : કામ, ક્રોધ, મદ, લોભકી, જબલગ ઘટમેં ખાણ, કહા પંડિત, મુરખ કહા, સબહી એક સમાન.” - ' જો હૈયામાં દુર્ગુણો ભરેલા છે તો પંડિત અને મૂર્ખ વચ્ચે શો ફેર ? ધર્મ અનુપ્રેક્ષા • ૩૭૫

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442