________________
આજે ભય, દ્વેષ અને ખેદ વધ્યા છે, શાંતિ અને સુખ ક્યાં દેખાય છે ? ,
પ્રત્યેક વ્યક્તિ પોતાના સ્વાર્થનો વિચાર કરે છે. પરાર્થ અને સહાનુભૂતિ ક્યાં દેખાય છે?
જીવનની સગવડો વધી લાગે છે પણ સાચી રીતે જીવનમાં ગૂંચો વધી છે. ધન વધું સમજાય છે પણ ભોગની લાલસા વધી છે. સાધનો વધ્યા દેખાય છે, પણ અસંતોષની આગ વધી છે.
આ પરિસ્થિતિનું કારણ માત્ર એક જ છે. એટમયુગના માનવીનું જડવાદનું કેન્સર થયું છે, ભૌતિકતાનો રોગ લાગ્યો છે.
જીવ પ્રત્યેનો દ્વેષ અને જડ પ્રત્યેનો રાગ
જ્ઞાન મેળવવાના અમારા પ્રયત્નો ભલે વધ્યા હોય, અમને માત્ર વેરવિખેર વિગત મળી છે. અમારી આજની કેળવણી જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવતી નથી માત્ર નિર્જીવ વિગતો (Collection of dead facts) રજૂ કરે છે. આજની કેળવણી સમગ્ર જીવનને કેળવવા અર્થે નથી પણ માત્ર બુદ્ધિને શણગારવા માટે છે.
જીવનનાં નૈતિક મૂલ્યો પ્રત્યે ઉપેક્ષા થતી જાય છે અને આધ્યાત્મિક મૂલ્યો તો બિલકુલ વિસરાયા છે.
આજે અમારો ઉછેર આંતરુ પ્રત્યે નહિ, બાહ્ય પ્રત્યે થઈ રહ્યો છે. હૃદયને પવિત્ર બનાવવા તથા આત્માને ઓળખવા માટે નહિ પણ શરીરને ભોગવિલાસ આપવા તથા બુદ્ધિને તે કાર્યમાં સહાયક બનાવવા થઈ રહ્યો છે.
એટમયુગના માનવીને જડનું મૂલ્ય છે તેટલું ચેતનનું નથી. ધન અને સત્તાની લાલસા છે, તેટલી ધર્મની નથી.
સ્વાર્થ વધ્યો છે અને પરાર્થ વિસરાયો છે. દાન, દયા, સહાનુભૂતિ અને પરોપકાર ભૂલાયા છે તથા સંગ્રહવૃત્તિ-પરિગ્રહની ભૂખ વધી છે. .
જડ પ્રત્યેનો રાગ અધ્યાત્મના પ્રકાશના પ્રકાશને પ્રગટવામાં વિનરૂપ છે. જ્ઞાનનો પ્રકાશ ત્યારે પ્રગટે છે જ્યારે જીવ પ્રત્યેનો દ્વેષ ઘટે છે, જડ પ્રત્યેનો રાગ ઘટે છે, અહંકાર ભાવ ઓગળે છે, નમસ્કાર ભાવ પ્રગટે છે. સ્વાર્થ ગૌણ બને છે અને પરાર્થ મુખ્ય બને છે. હૃદય અને મસ્તિષ્ક
માનવીના બે મુખ્ય અંગ છે - હૃદય અને મસ્તિષ્ક, લાગણી અને બુદ્ધિ, ભાવ
૩૭૪ • ધર્મ અનુપ્રેક્ષા