Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 384
________________ ગીત ગા પરમેષ્ઠિઓના - પ.પૂ. મુનિરાજ શ્રીજયન્તવિજયજી મહારાજ. માનવ ! તારા ઉપર કોઈ ઉપકાર કરે, તને દુઃખમાંથી છૂટો કરાવે તો તું પોતાની સભ્યતા ખાતર પણ શું શું નથી કરતો ? કોઈ દ્રવ્યથી મદદગાર થાય તો તેને વળતું સવામણું પાછું આપવા જાય. કોઈ નિઃસ્વાર્થી બનીને મદદનીશ બને તો તેની ગુણગાથા લોકો સામે જીવનભર ગાતો ફરે. અને વળી કંઈ કંઈ કરે. આટલામાત્રથી તું સભ્ય બન્યો છે એવું કેવી રીતે કહી શકાય? કારણ ? તારે તારી સભ્યતાને કેળવવી હજુ બાકી છે. તારા ચર્મચક્ષુઓથી દેખી શકાય તેની તું પ્રશંસા કરેજને ? પણ તને ખબર છે ? જ્ઞાન અને વિવેકની નયનાવલીથી ક્યારે નિરખું પણ છે? કે, બાહ્ય ઉપકારીઓ જ નહિ, આત્યંતર ઉપકારીઓ પણ વિશ્વમાં વિદ્યમાન છે. એક નહિ પાંચ છે. અનંત ઉપકારી છે, પરમેષ્ઠિ છે. પરમ શ્રેષ્ઠ અને પરમોચ્ચપદે બિરાજેલા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, બન્ને રીતે ઉપકારી છે. એવા પરમેષ્ઠિઓની પ્રશંસા કરવા તારી જિલ્લા કક્યારે પ્રવૃત્ત થઈ ? એમની નિઃસ્વાર્થી ઉપકારિતાને નિહાળવા તે ક્યારે પણ પ્રયત્ન કરી જોયો છે? એ ઋણમાંથી મુક્ત થવા તારી ઇન્દ્રિયો અને મનોબળ સાથે તે કેટલી જહેમત ઉઠાવી, કે ઉઠાવી રહ્યો છે? ભાઈ મારા ? વિચાર શુદ્ધ કરવા ક્યારે બેઠો છે ? અથવા વિચાર કર્યો છે કે એ ઉપકારીઓના સબળ સવિશુદ્ધ શરણની શરણાગતી સ્વીકારું ? - વ્હાલા સહૃદયી બંધુ? ધર્મ અનુપ્રેક્ષા • ૩૬૭

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442