SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ વિભૂતિઓના અપરાધી ઠરીએ છીએ. શ્રીપંચપરમેષ્ઠિઓને પ્રિય હોય તે કાર્યોમાં જ આપણા દેહની પ્રવૃત્તિ. શ્રીપંચપરમેષ્ઠિઓને અનુમત હોય તે માર્ગે જ આપણી વાણીનું પ્રવર્તન. શ્રીપંચપરમેષ્ઠિઓને માન્ય હોય તે સ્થળોએ જ આપણા મનનું સ્થાપન. ત્યારે દેહની પ્રવૃત્તિ કરતાં આ પ્રવૃત્તિ શ્રીપંચપરમેષ્ઠિઓને અભિમત છે કે નહિ ?' એ વિચારવું આપણું કર્તવ્ય બની જાય છે. વાણીને ઉચ્ચારતાં “આ ઉચ્ચારણ શ્રીપંચપરમેષ્ઠિઓને માન્ય છે કે નહિ ?' આ ખ્યાલ રાખવો અનિવાર્ય બને છે. મનથી વિચારતાં “આ વિચાર શ્રીપંચપરમેષ્ઠિઓને પ્રિય છે કે નહિ ?' આ સાવચેતી રાખવી આવશ્યક બને છે. સમર્પણ માટેની આટલી વ્યાપક સમજ આવ્યા પછી એ દિશામાં આપણો પુરુષાર્થ પાણીદાર બનશે. પછી દુ:ખો, આપત્તિઓ, અગવડો વગેરેમાં તે જરાય નહિ મુંઝાય. દુઃખો, આપત્તિઓ એની પાસે જતાં જ વિચાર કરશે ને ! ભક્તિનો ઉપાય ભક્તિભાવ પ્રગટાવવાના બે ઉપાય છે : એક તો ગુણોનું ચિંતન અને બીજું આજ્ઞાનું પાલન ! એક ભક્તિભાવ અને બીજો સેવાભાવ ! સેવા કરવાથી ભક્તિ ટકે છે - વધે છે. ન હોય તો ઉત્પન્ન થાય છે. ગુણોનું, વિશેષતાઓનું, ઉપકારતાદિનું ચિંતન કરવાથી ભક્તિનું અંતરંગ સાધન જે આંતરિક બહુમાન તે જાગ્રત થાય છે. ૩૫૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy