________________
ધર્મદ્યાનરૂપ ચિંતામણિ પ્રાપ્ય હોવા છતાં કાચના કટકાઓની પાછળ દોડવું તે કોઈ રીતે હિતાવહ નથી.
મન્ત્રાધિરાજ ‘અર્દ'ની વિવિધ રીતે વિચારણા
મન્ત્રાધિરાજ ‘જ્જૈ’નો કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યકૃત શબ્દાનુશાસન તથા તેની તત્ત્વપ્રકાશિકા ટીકા ને શબ્દાવર્ણનન્યાસમાં નીચેના દ્વારો વડે વિચાર કરવામાં આવ્યો છે.
૧. સ્વરૂપ, ૨. અભિધેય, ૩. તાત્પર્ય, ૪. ક્ષેમ, ૫. યોગ, ૬. પ્રણિધાન અને ૭. તાત્ત્વિક નમસ્કાર.
એ દ્વા૨ોને આપણે પણ અહીં ચિંતવીશું.
(૧) સ્વરૂપ :- ‘ગર્દ’એ અક્ષર છે. વ્યાકરણની દૃષ્ટિએ એ નિપાત-અવ્યય છે. અક્ષર એટલે બીજ.‘‘મર્દ’ એ સિદ્ધચક્રરૂપ તત્ત્વનું પ્રથમ બીજ છે. અથવા અક્ષર એટલે સ્વરૂપથી ચૂત ન થનાર એવું બ્રહ્મ. અર્ફે એ ફૂટ મંત્રાક્ષર છે મંત્રશાસ્ત્રમાં સંયુક્ત વર્ણીવાળા મંત્રને ‘ફૂટ’ સંજ્ઞા છે, એ મંત્રાક્ષરમાં ‘હૈં' તે મંત્રાક્ષર છે અને બાકીના ‘મ’ વગેરે વર્ણો તે તેનો પરિકર સમજવો. પરિકરવાળો મંત્ર કાર્યસાધક હોય છે. મુદ્રા વગેરે બાહ્યપરિકર છે, કલા, બિંદુ વગેરે આભ્યન્તર પરિકર સમજવો.
,
(૨) અભિધેય :- મન્ત્રાધિરાજ અર્જુના અભિધેય–વાચ્ય પ્રથમ પરમેષ્ઠિ શ્રીઅરિહંત પરમાત્મા છે. એ મંત્રાધિરાજ તેમનો વાચક અક્ષર છે. અર્હ એટલે સર્વ જગતને હિતકર, અનુપમ સૌંદર્યવાળા, અનેક અતિશયોથી શોભતા, આમર્ષોષધિ વગેરે અનેક લબ્ધિઓથી સંપન્ન, સમવસરણમાં દેવનિર્મિત છત્રત્રય અને કલ્પવૃક્ષનીચે ચતુર્મુખ સિંહાસન પર બિરાજમાન, સર્વ સત્ત્વોના હિત માટે દેશનામાં પ્રવૃત્ત, અત્યંત મનોહર, જીવોની શારીરિક અને માનસિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સંપત્તિઓનું અવંધ્ય બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યના પરમાણુઓથી બનેલા, રાગાદિ મલોથી સર્વથા રહિત, પૃથ્વી ૫૨ ભવ્યોને માટે નિર્વાણનું પરમ સાધન, અસાધારણ મહિમાવાળા, દેવેંદ્રો અને યોગીંદ્રોને પણ વંદનીય, આપ્તોમાં પરમ-આપ્ત, દેવોના પણ દેવ, ધાતિકર્મથી રહિત, અનંતચતુષ્ટયથી સહિત, સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી, સર્વ તેજોમાં ઉત્તમ તેજરૂપ, સર્વજ્ઞ, ભવ્યોના યોગ અને ક્ષેમને વહન કરનારા, સદા સુપ્રસન્ન અને આરાધ્ય તત્ત્વોમાં પ્રથમ સ્થાને બિરાજતા એવા શ્રીઅરિહંત પરમાત્મા.
(૩) તાત્પર્ય :- મંત્રાધિરાજ અર્જુ એ વિદ્યાપ્રવાદ પૂર્વના સારભૂત શ્રીસિદ્ધચક્રનું આદિ બીજ છે. જેમ બીજમાંથી અંકુર, શાખા, ફળ વગેરે થાય છે, તેમ આ અહં બીજમાંથી પુણ્યાનુબંધીપુણ્ય, ભક્તિ અને મુક્તિ ઉત્પન્ન થાય છે. ગર્દમાં જે ૐ બીજ છે, તે સર્વ બીજોમાં અગ્રણી અને વ્યાપક છે. હ્રાં હ્રીઁ વગેરે બીજોમાં પણ એ રહેલ છે. અન્ય ધર્મ અનુપ્રેક્ષા . ૩૦૯