________________
પછી પ્લત ઉચ્ચાર કરવો. તે પછી સૂક્ષ્મ ઉચ્ચાર કરવો અને તે પછી અતિસૂક્ષ્મ ઉચ્ચાર કરવો. •
. હવે અતિસૂક્ષ્મ ધ્વનિસહિત તે સુષુમ્ભાનાડી દ્વારા ઉપર જાય છે, એમ ચિંતવવું. ઉપર જતો તે ગર્લ્ડ વચ્ચે માર્ગમાં આવતા નાભિ, હૃદય, કંઠ, ઘંટિકા વગેરે ચક્રોને ભેદીને બ્રહ્મધ્યમાં આવે છે, એમ ચિંતવવું."
બ્રહ્મરંધ્રમાં મર્દ અક્ષરની વચ્ચે પોતાના આત્માને ચિંતવવો, તે પછી નીચે મુજબ ચિંતવવું :
- મના બિંદુ અને તપ્તકલામાંથી પોતાના આત્મા ઉપર દુગ્ધસદશશ્વેત અમૃતની ઊર્મિઓ વડે પોતાનો અભિષેક થઈ રહ્યો છે. એ અમૃતની એટલી બધી વર્ષા થાય છે કે તે સ્થાનમાં એક અમૃત સરોવર બની જાય છે. તેમાં પોતે ડૂબી જાય છે. પછી તેમાંથી એક સોળ પાંખડીવાળું સુંદર કમળ બહાર આવે છે. તેની કર્ણિકામાં પોતે વિરાજમાન છે. સોળ પાંખડીઓમાં સોળ વિદ્યાદેવીઓ છે. તે વિદ્યાદેવીઓના હાથમાં દુગ્ધસદશશ્વેત અમૃતથી ભરેલા દેદીપ્યમાન સ્ફટિક રત્નના કળશો છે. વિદ્યાદેવીઓ તે કળશો વડે પોતાના આત્મા પર અભિષેક કરી રહી છે.
તે પછી મંત્રાધિરાજ ના અભિધેય, શુદ્ધસ્ફટિક જેવા નિર્મળ પ્રથમ શ્રીપરમેષ્ઠિનું મસ્તકમાં (બ્રહ્મચ્છમાં) ધ્યાન કરવું. તે પછી ધ્યાનના જોશમાં “સોડમ, સોડમ્' એમ વારંવાર રટણ કરતાં પોતાની અને પરમાત્માની એકતા અનુભવવી. એ રીતે પોતાને રાગરહિત, દ્વેષરહિત, મોહરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવતાઓવડે પૂજનીય, સમવસરણમાં ધર્મદશનાને આવતા પરમાત્માથી અભિન્ન જુએ.
એ રીતે અભેદ ધ્યાનથી પાપરહિત થઈને ધ્યાની પરમાત્માને પરમાત્મસ્વરૂપને પામે છે.
મર્દ ના ધ્યાનની બીજી રીત
આ રીતમાં અનાહતથી (બે વલયથી) વેષ્ટિત એવા મંત્રાધિરાજ નું ધ્યાન નીચે મુજબના ચિંતનવડે કરવાનું છે :
૧. યોગગ્રંથોમાં કહ્યું છે કે પ્રાણવાયુની સીમાનો જે સ્થળે અંત થાય છે ત્યાંથી અપાનવાયુની સીમા શરૂ થાય છે. આ સ્થળે પ્રાણવાયુ અને અપાનવાયુનું ગમન જુદી-જુદી દિશામાં હોય છે, પરંતુ અક્ષરના નાદમય ઉચ્ચારણથી બન્નેનો પ્રવાહ એક તરફ વહે છે, તેથી ઉષ્ણતા થાય છે અને સુષુમ્ભાનાડીનું મુખ ખૂલી જાય છે. તેથી કુંડલિની જે સુષુણ્ણાનું મુખ અટકાવીને સુષુપ્ત દશામાં રહેલી છે તે જાગ્રત થઈ સુષુખ્ખામાં ઊર્ધ્વગતિ કરે છે. અઈનો અતિસૂક્ષ્મ ધ્વનિ ચક્રોને ભેદવામાં અત્યંત સમર્થ હોય છે.
ધર્મ અનુપેક્ષા • ૩૧૭