________________
લોકોત્તરગુણોની પ્રાપ્તિ માટે લૌકિકગુણ કેળવવા એ પાયાનો ધર્મ છે.
સુમન ! મીંડાની કોઈ કિંમત નથી પણ એકડા માટે તે અનિવાર્ય છે. મીંડા વિના એકડો થઈ શકે શી રીતે ! એકડાની દશ દશ ગુણી કિંમત વધારવાની શક્તિ પણ મીંડામાં છે.
એ રીતે સુમન ! લોકોત્તર ગુણો માટે લૌકિકગુણો અનિવાર્ય છે. તે ગુણો જ આગળ વધીને લોકોત્તરસ્વરૂપને ધારણ કરે છે. એટલું જ નહિ, લોકોત્તર ગુણોની મહત્તા વધારવામાં પણ લૌકિક ગુણો કારણ બને છે.
સુમન ! એ કારણે શાસ્ત્રકારોએ માર્ગાનુસારિતાને પ્રથમ આવશ્યક માની છે. તેના અભાવે આત્મિક ગુણો પ્રગટ થતા નથી, ટકતા નથી, વૃદ્ધિ પામતા નથી અને સફળ થતા નથી.
એ કારણે સુમન ! પ્રથમ તે ગુણોનું મહત્ત્વ સમજાવવું એ ધર્મકથકનું કર્તવ્ય છે.
સુમન ! ધર્મકથાનું સમ્ય-સ્વરૂપ સમજનારા અને વિધિપૂર્વક ધર્મકથા કરનારા ઉપકારીઓને પ્રવચનપ્રભાવક કહ્યા છે. | મોહાવૃત્તજીવોના અજ્ઞાનને દૂર કરી તેઓ સર્વત્ર પ્રશમભાવને પ્રગટાવતા રહે છે. ક્લેશ, કંકાસ, સંતાપ, શોક વગેરે મનના રોગો તેમના એક આશીર્વાદથી જ ભાગવા માંડે છે. તેઓ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં જીવોની વિષયતૃષ્ણાના તાપને દૂર કરી મૈત્રી અને પ્રશમભાવનો આલ્હાદ પ્રગટ કરે છે.
સુમન ! ભિન્ન ભિન્ન રુચિ અને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અનેક શ્રોતાઓને એક સમાન ધર્મકથાથી ધર્મ સમજાવવો તે ઘણું અઘરું છે. એ માટે ધર્મકથકને પોતાની યોગ્યતા, પુણ્યબળ અને બુદ્ધિબળ વગેરે પ્રગટાવવા વિશિષ્ટ સાધના કરવી પડે છે, અનુગ્રહબુદ્ધિ પ્રગટાવવી પડે છે. વચનવિલાસ અને ધર્મકથામાં મોટું અંતર છે.
સુમન ! આવા ધર્મકથકોનો ઉપકાર જગત ઉપર અમાપ છે. જગતના ઉત્પાતોને શિમાવવામાં તેઓનો ફાળો મુખ્ય છે. ધર્મકથાની યોગ્યતાને પામેલા ધર્મકથકના યોગે વૈર-વિરોધ થતા નથી, હોય તે પણ શમી જાય છે. વગેરે ધર્મકથા અને ધર્મકથકનો મહિમા ઘણો છે.
સુમન ! જે અનુપ્રેક્ષાથી આપણે ધર્મતત્ત્વને સમજવું છે, તે માટે અનુપ્રેક્ષાને સમજવી આવશ્યક હોવાથી પ્રસંગને પામીને સ્વાધ્યાયના પાંચ પ્રકાર અંગે આપણે થોડી વાતો કરી છે. હવે આપણે આત્માના વિકાસમાં પ્રથમ આવશ્યક માર્ગાનુસારિતાનું મહત્ત્વ કેવું છે તે વિચારીશું.
ધર્મમિત્ર શ્રેયસુ. ધર્મ અનપેક્ષા • ૧૧૩