________________
પ્રિયતા
૧૧૯. પ્રીતિભક્તિ આદિ અનુષ્ઠાનરક્તતા ૧૨૦. ખેદાદિદોષ પરિહારપરાયણતા ૧૨૧. અમૃતાનુષ્ઠાનસદનુષ્ઠાનતત્પરતા ૧૨૨. પ્રણિધાનાદિપૂર્વકશુદ્ધક્રિયાપક્ષપાતિતા ૧૨૩. અદ્વેષાદિ ગુણપ્રિયતા
૧૨૪. પિંડસ્થાદિ ધ્યાનપ્રવિણતા ૧૨૫. પરમતત્ત્વજિજ્ઞાસા
૧૨૬. પરમતત્ત્વચિંતન ૧૨૭. વૈરાગ્ય
૧૨૮. ત્યાગપ્રિયતા ૧૨૯, સમર્પણતા (પરમતત્ત્વોપ્રત્યે) ૧૩૦. અપ્રમત્તતા ૧૩૧. નિઃસ્પૃહતા
૧૩૨. નિર્લેપતા ૧૩૩. ઔદાસિન્યતા
૧૩૪. સમભાવિતા ૧૩૫. નિર્વિકલ્પતા
૧૩૬. સદામગનતા ૧૩૭. સર્વત્ર આત્મસમદર્શિત્વ ૧૩૮. પરમાત્મ સમદર્શિત્વ
અહીં સગુણો અને સદ્ગણોને ઉપકાર કરનારા તત્ત્વોનો પણ સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આમાં દર્શાવેલા કોઈ કોઈ સગુણો જો કે સમાન અર્થવાળા લાગે છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં દરેક શબ્દોનો કાંઈક સ્વતંત્ર અર્થ પણ હોય છે. સમભિરૂઢ નયનો એવો મત છે કે શબ્દ ફરે છે એટલે અર્થમાં પણ ફેરફાર થાય છે. એ અપેક્ષાએ દરેક શબ્દમાં કંઈક વિશેષતા પણ રહેલી હોય છે.
અહીં એટલી વાત યાદ રાખવાની ખાસ જરૂર છે કે સગુણોને સાનુબંધ બનાવનાર સદ્ગુણ અને સદ્દગુણવાન ઉપરનો પ્રેમ છે. પરમેષ્ઠિઓ સગુણના ભંડાર છે. તેમનામાં અનંત સદ્ગુણો ભર્યા છે : તેમનામાં રહેલા એ સદ્ગણોનું ચિંતન, મનન અને અનુભાવન સદ્ગુણો પ્રત્યે પ્રેમ જગાડવામાં અને સદ્દગુણોની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્તભૂત છે.
પ્રીતિપૂર્વકના નિયમિત અભ્યાસથી હૃદયમાં સગુણોના સંસ્કારો ઘણા ઊંડા ઉતરી શકે છે અને તેથી જન્માંતરમાં સગુણોની પ્રાપ્તિ, રુચિ, પાલન અને પાર પામવાપણું સુલભ બને છે.
ભિન્ન ભિન્ન રુચિવાળા જીવોને સગુણની સાધનામાં પણ ભિન્ન ભિન્ન રુચિ સ્વાભાવિક હોય છે. સાધક કોઈ પણ વાસ્તવિક સગુણ પ્રત્યે અરુચિભાવ રાખ્યા વિના પોતાને યથારુચિ સદ્ગુણની સાધના દ્વારા પોતાના આત્માનો વિકાસ સાધી શકે તેથી અહીં અનેક સદ્ગુણોના નામો દર્શાવવામાં આવ્યા છે.
સૌ કોઈ સગુણોના નિયમિત અભ્યાસ દ્વારા તેના પ્રત્યે પ્રીતિવાળા બની નિર્મળતા પ્રાપ્ત કરી સ્વ-પરનું કલ્યાણ સાધનારા બનો એ જ શુભેચ્છા.
૨૫૮ - ધર્મ અનપેક્ષા