________________
શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર પદ્ધતિ
મંત્રાધિરાજની ઉપાસના
(પ્રાચીનકાળથી શ્રીસંઘમાં પંચપરમેષ્ટિ ભગવંતના ધ્યાનની પ્રણાલિકા ચાલે છે, પૂર્વના મુનિવરોએ તથા સુશ્રાવકોએ પરમેષ્ટિ ભગવંતોના ધ્યાનને વિકસાવનારા સાહિત્યનું સારા પ્રમાણમાં સર્જન કર્યું છે, તેમાં કેટલાક ટબાઓ મળે છે. જે પૂર્વમુનિઓએ રોજ પરમેષ્ઠિ ભગવંતોના ધ્યાન અને ગુણાનુવાદ માટે બનાવેલી કૃતિઓ છે.
એ ટબાઓમાં પરમેષ્ટિ ભગવંતોના સ્વરૂપનું તથા વિશિષ્ટ કોટિના ગુણોનું તાત્ત્વિક દિગ્દર્શન કરાવ્યું છે. તેમ જ ધ્યાનયોગમાં પ્રવેશ માટે પ્રાથમિક માર્ગદર્શન આપ્યું છે.
જુની ગુજરાતી ભાષામાં લખાયેલા એ ટબાઓના આધારે આજની ગુર્જર ભાષામાં શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર પદ્ધતિનું અહીં આલેખન કરવામાં આવ્યું છે. શ્રીનમસ્કાર મહામંત્રના જાપ તથા પરમેષ્ટિ ભગવંતોના–ધ્યાનપૂર્વે આનું વાંચન સાત્ત્વિક સ્ફૂર્તિ આપશે અને જાપ તથા ધ્યાનમાં તન્મયતા લાવશે.)
“નમો અરિહંતાણં'
મારો નમસ્કાર શ્રીઅરિહંત ભગવંતોને થાઓ.
જે અરિહંત ભગવંતો (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય (૫) વીર્યંતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરિત (૯) ભય (૧૦) શોક (૧૧) જુગુપ્સા (૧૨) મિથ્યાત્વ (૧૩) અજ્ઞાન (૧૪) અવિરતિ (૧૫) નિદ્રા (૧૬) કામ (૧૭) રાગ (૧૮) દ્વેષ આ અઢારદોષોથી રહિત છે. ચોત્રીસ અતિશય સહિત છે. વાણીના પાંત્રીસ ગુણોથી પરિકલિત છે.
(૧) પોતપોતાના દેહથી બારગણું ઊંચુ અશોકવૃક્ષ (૨) કુસુમવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) રત્નજડિતસુવર્ણમય સિંહાસન (૬) સૂર્ય કરતાં અધિક તેજસ્વી ભામંડલ (૭) દેવદુંદુભિ (૮) છત્રત્રય આ આઠમહાપ્રાતિહાર્યથી વિભૂષિત છે. ચોસઠ ઇન્દ્રોથી પૂજિત છે. શાંત-પ્રશાંત અને ઉપશાંત છે.
કરુણાના સાગર છે. ગુણરત્નોના ભંડાર છે. પુણ્યના આકર છે. ત્રણે જગતની પીડાને હરવા માટે સમર્થ છે. ત્રણ જગતના નાથ છે. ત્રણ જગતના સ્વામી છે. ત્રણ જગતના ગુરુ છે. ત્રણ જગતના પિતામહ છે. વજ્રઋષભનારાચસંઘયણવાળા છે. સમચતુરસ્ર સંસ્થાનના ધારક અને એક હજાર આઠ લક્ષણોથી લક્ષિત છે. અનુપમરૂપ– ૨૬૦ • ધર્મ અનુપ્રેક્ષા