________________
વખતે બીજા (મણકા)ને ન લેતો, ક્રમે કરીને અંગુષ્ઠના અગ્રભાગથી મણકાઓ ફેરવતો, બગાસું છીંક વગેરે ન કરતો xxx”.
- ૧૩. આ જ પ્રમાણે મંત્રશાસ્ત્રના મૌલિક બંધારણોને ખૂબ ચીવટ-ઝીણવટથી જણાવતાં “મંત્રરત્નમંજૂષા” (પટલ-૩)માં પણ ભૈવરપદ્માવતીકાલ્પમાં પૂ. આ. શ્રીમલ્લિષેણસૂરિજીએ જણાવેલ મોક્ષામવાર ગાથા અક્ષરશઃ- શબ્દશઃ મળે છે.
૧૪ વૈદિક આદિ તમામ જૈનેતર દર્શનને માનનારાઓમાં અંગુઠાથી ગણવાની એકધારી રીત આજે જોવા મળે છે.
૧૫. શ્રદ્ધોપજીવી તર્કની દૃષ્ટિએ વિચારતાં આંગળીઓ નારીજાતિ અને અંગુષ્ઠ પુરુષરૂપ હોઈ સત્ત્વ-શક્તિનો વ્યવસ્થિત વિકાસ અંગુષ્ઠથી કરાતા જાપથી થાય તે બંધબેસતું લાગે છે.
૧૬. અનુભવની સરાણે અંગુઠજાપની વાતને ચકાસતાં તો આજે શ્રીનમસ્કાર મહામંત્રના ચિંતન-મનન અને નિદિધ્યાસનમાં આકંઠમગ્ન મહાપુરુષોના સંવેદનાત્મક આત્માહુંકારથી એ વાત સ્પષ્ટરૂપે નિષ્ઠકિત થાય છે કે
- “અંગુઠજાપ અત્યંત શક્તિપૂરક અને સાધકોને ઉપયોગી છે.”
૧૭. અહીં એક વાત વિચારવી ઘટે છે કે–ઉપર જણાવેલ ઉલ્લેખો સામે તપાગચ્છમાન્ય પ્રતિષ્ઠા પ્રાપ્ત કવિરાજ શ્રી ઋષભદાસ શ્રાવક રચિત “હિતશિક્ષાના સસનારહસ્ય” નામના પુસ્તકનો નીચેનો ઉલ્લેખ કંઈક બીજી વાત રજૂ કરે છે–
' “૪૪ હવે નવકારવાળી કઈ આંગળીએ અને કેવી રીતે ગણવી ? તે કહે છે, જે મુક્તિના અર્થી ભવ્ય જીવો હોય તો તે અંગુઠા ઉપર નવકારવાળી રાખીને તેની પાસેની તર્જની વડે ગણે છે તેને તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે, મધ્યમાવડે ગણે તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થાય છે, અનામિકાવડે ગણે તો ઘરમાં શાંતિ થાય છે અને કનિષ્ઠાવડે ગણે તો શત્રુ તેની પાસે આવીને નમે છે ***”.
અહીં અંગુઠથી જાપ કરવાની વાતને ટેકો નથી પણ ઘણા ઘણા પ્રયત્ન છતાં હિતશિક્ષાના ઉક્ત રાસની મૂળગાથા ન મળી–મૂળગાથા વિના અનુવાદ પરથી કંઈ ધોરણ ન બંધાય.
વર્તમાનકાળે અનુવાદકની સમજફેર કે ચાલુ વાતને વિચારવાની શૈલી પ્રમાણે મૂળગ્રંથકારના આશયથી વિપરીત વાત પણ ક્યારેક અજાણ્યે બીજી રીતે રજૂ થઈ–થતી હોવાનું ઘણાં ઘણાં પ્રમાણોથી અનુભવસિદ્ધ છે.
તે છતાં જે કવિએ હિતશિક્ષાના રાસમાં અનુવાદકના મત પ્રમાણે જો ઉપરની વાત કહી હોય તે જ કવિ પરમાત્ કુમારપાળ મહારાજાના રાસ (આનંદ કાવ્યમહોદધિ
ધર્મ અનુપ્રેક્ષા - ૧૯૭,