________________
એક પદથી બીજા પદ પર, બીજા પદથી ત્રીજા પદ ઉપર. એમ યાવતુ છેલ્લા પદથી ફરી પ્રથમ પદ પર મન લાગ્યું રહે, એટલું જ નહિ પરંતુ મનની સામે દરેક પદ લખેલા જેવું ઉપસ્થિત થાય અને આપણે વાંચતા હોઈએ અથવા તેના અર્થનું ચિત્ર તરવરે, જેમ કે અનંત અરિહંત દેવનું, અનંત સિદ્ધભગવંતોનું.
વળી સામાયિક-ચૈત્યવંદન-પ્રતિક્રમણમાં સૂત્રોચ્ચારણ કરતી વખતે દરેક સૂત્રની ગાથાઓ જાણે નજર સામે કૉલમબદ્ધ લખેલી આવે અર્થાત્ પહેલા એક ગાથા, પછી બીજી ગાથા...અથવા એના ભાવનું આબેહુબ ચિત્ર જાણે કે સાક્ષાત્ સામે હોય તેવું મનની સામે આવે. જેમ કે “ઈરિયાવહિયં સૂત્રની ગાથાઓ મનની સામે અલગ અલગ કૉલમ (કોઠા)માં લખેલી એક પછી એક આવતી જાય. અથવા સામે એક ચિત્ર એવું ખડું થાય કે જેમાં ગુરુદેવ ન્યાયાધીશના સ્થાનમાં બેઠા છે અને આપણે ગુનેગાર તરીકે જીવઘાતનો એકરાર કરતા સામે ઊભા છીએ અને તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાની વિનવણી કરી રહ્યા છીએ ! તેમાં પહેલા સામાન્યથી ગમનાગમન સંબંધી જીવની વિરાધના, પછી ક્રમસર ધાન્ય, વનસ્પતિ-ઓસ-કીડીનું-નગ-નિગોદ-માટી-પાણી કરોળીયાના જાળાની વિરાધના, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવની જુદી-જુદી રીતથી થયેલી વિરાધનાનું દેશ્ય ખડું થાય. એ પ્રમાણે આ સૂત્ર પૂરું થતાં માત્ર બીજા કોઈ વિચાર-વિક્ષેપ વગર ચિત્ર સામે તરત જ “તરૂ૩ત્તરી'. સૂત્રના પદો દેખાવા લાગે અને તે પૂર્ણ થતાં જ “અન્નત્થ.” સૂત્રના પદો.
એવી રીતે ચૈત્યવંદનની ક્રિયામાં ચિત્તનો ઉપયોગ સતત ધારાબદ્ધ વહેતો રાખવો. તેમાં પણ સૂત્ર-સ્તોત્ર-સ્તવન અને સ્તુતિના પદાર્થોના ચિત્ર ક્રમસર મનની સામે ખડા કરતા જવું જોઈએ. જેમ કે “સંકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેઘો બોલતાં જ મનમાં બધી શુભ વસ્તુઓને ઉત્પન્ન કરવા માટે ઉત્કૃષ્ટ મેઘસમાને પરમાત્માનું દશ્ય ખડું થાય. ત્યારપછી “દુરિતતિમિરભાનુ ” બોલતાં સર્વ દુર્ભાગ્ય અને પાપવૃત્તિનો અંધકાર દૂર કરાવવાળા પરમાત્મારૂપી સૂર્ય ઉપસ્થિત થાય, પછી એ સર્વ વાંછિતને આપનાર કલ્પવૃક્ષ સમાન દેખાય, બાદ સંસારસાગરથી પાર કરાવવા માટે જહાજ સમાન દેખાય.
એવી જ રીતે જંકિચિ‘સૂત્ર વખતે સ્વર્ગ પાતાલ અને મનુષ્ય ત્રણે લોકના તીર્થ અને શ્રીજિનેશ્વર ભગવંતની પ્રતિમા ચિત્તની સામે ઉપસ્થિત થાય અને “વંદામિ' બોલતા ભગવાનને નમસ્કાર થાય. ત્યાર પછી “નમુત્થણ' સૂત્ર માટે અરિહંત પરમાત્મા સમવસરણમાં બેઠેલા યા વિચરતા નજરે પડે અને “નમુત્યુë.” સૂત્રની શરૂઆત કરતા જ નમસ્કાર કરીને દરેક પદના ભાવવાળા અરિહંત પરમાત્માની વિશેષતાના ચિત્ર ક્રમસર ઉપસ્થિત થાય. આ ન આવડે ત્યાં સુધી આ સૂત્રની જુદી-જુદી સંપદા એક પછી એક
૨૧૮ • ધર્મ અનુપ્રેક્ષા