________________
ભલે ભિન્ન ભિન્ન હોય પણ તે દરેક ગુણોમાં જાતિ એક હોવાથી સર્વ ગુણોમાં અભેદપણું પણ રહેલું છે એટલે એક ગુણના અપલાપથી સર્વ ગુણનો અપલાપ થઈ જાય છે અને એટલા માટે જ એકની આરાધનાથી સર્વની આરાધના અને એકની વિરાધનાથી સર્વની વિરાધના થાય છે એમ સિદ્દાંતમાં કહેવાયું છે.
કોઈ પણ એક સાચા સદ્ગુણની આરાધના કરવાથી પરિણામે સર્વ સદ્ગુણોની આરાધના થઈ જાય છે. કારણ કે કોઈ પણ સદ્ગુણની સાધના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે બીજા તમામ ગુણો તેનામાં પોતાની મેળે પ્રગટી ઉઠે છે અને એ પ્રમાણે બને ત્યારે જ એક સદ્ગુણની સાધના સંપૂર્ણ બની છે એમ કહી શકાય. “જે એકને જાણે છે તે સર્વને જાણે છે.'' કારણ કે વાસ્તવિક રીતે જે સર્વને જાણે છે તે જ એકને પણ જાણી શકે છે” આ પણ સિદ્ધાંત છે અનેકાંત દષ્ટિએ આ રીતે ભેદમાં અભેદ અને અભેદમાં પણ ભેદ રહેલો છે.
સદ્ગુણોને સમજવા અને જીવનમાં ઉતારવા માટે તેનો અનેક રીતે વિચાર કરવો જરૂરી છે. દૃષ્ટાંત તરીકે ક્ષમાગુણનો વિચાર કરવો હોય ત્યારે તેના હેતુ-સ્વરૂપ અને અનુબંધ આદિ ભેદની વિચારણા નીચે મુજબ થઈ શકે છે.
ક્ષમાનો હેતુ
ક્રોધના ઉપશમને ક્ષમા કહેવાય છે. ક્ષમાનો પ્રતિપક્ષી ક્રોધ છે અને તે સર્વ પુરુષાર્થનો ઘાતક છે. ભૂતકાળમાં ઘણો કાળ પણ પાળેલું સંયમ ક્ષણવારના ક્રોધથી નાશ પામે છે. ક્રોધથી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને શરીર ઉપર ઘણી .ખરાબ અસર થાય છે. ઘણા કાળથી ચાલી આવતી પરસ્પરની પ્રીતિ ક્રોધથી નાશ પામે છે. ક્રોધી માણસને વ્યવહારમાં ડગલે ને પગલે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. આ રીતે વર્તમાનમાં પણ ક્રોધનો પરિણામ કટુ છે,અને તે અશુભ કર્મનો બંધ કરાવી પરિણામે પણ દુઃખદાયી છે, દુર્ગતિને આપનારો છે. જ્યારે ક્ષમાથી સર્વ પુરુષાર્થની અનાયાસે સિદ્ધિ થાય છે. ક્ષમા એ જીવનો સહજ ગુણ હોવાથી એમાં જીવને શ્રમ પડતો નથી, પણ ઉલ્ટો આનંદ થાય છે. ક્ષમાથી પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. ક્ષમામાં ખર્ચ કાંઈ પડતું નથી. અને
१. एगम्मि पूईण रसव्वे ते पुइया होंति ।
મ્મિ હીતિર્ સત્રે તે હીલિયા હાંતિ | શ્રીલલિતવિસ્તરા
૨૪૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા