________________
નિર્દયતા અને દુરાગ્રહ-વિગ્રહ-અહંકાર-મદ વગેરે સઘળાં પાપવાસનાનાં જ વિવિધરૂપો છે, તેને દૂર કરવા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય જેવી સ્વપર હિતકર ભાવનાઓ અને તેને અનુરૂપ પરોપકારવૃત્તિ વગેરે વસ્તુઓ જ સમર્થ છે. માટે જ્ઞાનીઓએ ધર્મ માટે તેની ઉપયોગિતા વર્ણવી છે.
સુમન ! મૈત્રી આદિ ભાવોને પામેલો જીવ અબ્રહ્મ આદિ સેવવામાં મહાકંપને અનુભવે છે. કારણ કે એકવાર અબ્રહ્મ સેવવાથી અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો. અસંખ્યાતા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો અને નવલાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવોની હિંસાનો સંભવ છે એમ શાસ્ત્રકારો કહે છે.એ શાસ્રવચન જાણ્યા પછી કોણ આત્મવૈરી જીવ ભોગના ક્ષણિક, કૃત્રિમ અને વિરસ એવા સુખને માટે આટલા જીવોની હિંસાનું કાર્ય આચરે ? અન્ય જીવોના હિતની થોડી પણ સંજ્ઞાને પામેલો જીવ પોતાના ક્ષણિક ભોગ-સુખ માટે થતી આ જાતની ઘોર હિંસારૂપ મૈથુનકર્મને તજવાનું જ પસંદ કરે અને એને માટે પોતાને એવા પાપમાંથી બચાવવા સમર્થ સહાયક સાધનોનો સાથ મેળવે.
સુમન ! એવા સહાયકોમાં પ્રથમ નંબર ઉત્તમ ધર્મગુરુઓનો છે. મૈથુનાદિ સર્વપાપોથી બચવાના ધ્યેયપૂર્વક તેઓની નિશ્રામાં જીવનને સંપૂર્ણ સમર્પિત કરનાર સદાને માટે પાપોથી બચી જાય છે. પણ સર્વ મનુષ્યો એટલું સત્ત્વ પામેલા હોતા નથી, તેથી અલ્પ સત્ત્વવાળા જીવો ગૃહસ્થ તરીકે જીવવા છતાં ઉત્તરોત્તર મૈથુનસંજ્ઞાના પાપથી બચી જાય એ ઉદ્દેશથી યોગ્ય સ્ત્રી-પુરુષના વિધિપૂર્વકના વિવાહની વ્યવસ્થાને અનુસરે છે તેથી આર્યદેશોમાં તે અનાદિકાળથી ચાલી આવી છે. તેને અનુસરનારા પુણ્યઆત્માઓ પાણીગ્રહણ કરવા છતાં મૈથુનવૃત્તિનો નાશ કરવાની અને બ્રહ્મચર્યગુણને પ્રગટ કરવાની ભાવનાવાળા હોવાથી ચીકણાં પાપકર્મોથી લેપાતા નથી, કિન્તુ ઉત્તરોત્ત૨ ભોગકર્મનો ક્ષય કરી સંપૂર્ણ બ્રહ્મચર્યનું સત્ત્વ પ્રગટ કરી શકે છે. જૈન-અજૈન શાસ્ત્રોમાં એવા સત્પુરુષોનાં અને મહાસતીઓનાં અગણિત દૃષ્ટાન્તો છે.
સુમન ! રોગી રોગ પ્રત્યે અણગમો ધરાવી આરોગ્ય મેળવવાના લક્ષ્યથી યોગ્ય ઔષધનું વિધિપૂર્વક સેવન કરે તો નિરોગી બને છે, તેમ કુલીન સદાચારનો પક્ષપાતી આત્મા, વિવાહવ્યવસ્થાના પાલનપૂર્વક લગ્ન કરી ઔષધની જેમ ગૃહવાસ સેવવા છતાં ક્રમશઃ આત્મવિશુદ્ધિ કરતો આત્માના આરોગ્યરૂપ સંપૂર્ણ બ્રહ્મચર્યનું સત્ત્વ પ્રગટ કરી શકે છે.
સુમન ! ગૃહસ્થજીવનમાં ધર્મ કરતાં અધર્મનું પલ્લું ભારે-નમતું હોય છે, જ્ઞાનીઓએ ઊંચામાં ઊંચા ગૃહસ્થધર્મને પણ સાધુધર્મની અપેક્ષાએ સવા વસો (રૂપિયામાં એક આના જેટલો) કહ્યો છે. પંદર આના પાપપ્રવૃત્તિ અને એક આનો નિષ્પાપપ્રવૃત્તિ કરી શકે છે, તો પણ તેનામાં પ્રગટ થયેલી માર્ગાનુસારિતા અને સમ્યગ્દષ્ટિરૂપ એવી
૧૭૪ • ધર્મ અનુપ્રેક્ષા