Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/002070/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ * કલિકાલસર્વજ્ઞ’ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરા ગ સ્તવ સવિવેચન : સકાવ્યાનુવાદ जा श्री कैलाशसागर सरि ज्ञानमंदिर श्री महावीर जैन आराधना केन्द्र, कावा. હિ. rfi જીનાર, શિન–382009. વિવેચનકર્તા (ટીકાકર્તા) : કાવ્યાનુવાદકર્તા ડો. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટ, પ્રમુખ –મેહનલાલ ચીમનલાલ શાહ અમદાવાદ, Page #2 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીત રા ગસ્તવ સવિવેચન : કાવ્યાનુવાદ વિવેચનકર્તા (ટીકાકર્તા)ઃ કાવ્યાનુવાદકર્તા ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ.બી.બી.એસ. Page #3 -------------------------------------------------------------------------- ________________ : મુદ્રક : અંબાલાલ હીરાલાલ પટેલ, એન. એમ. પ્રિન્ટિગ પ્રેસ, દરિયાપુર ડબગરવાડ અમદાવાદ પ્રથમ આવૃત્તિ : પ્રત ૧૦૦૦ ડિસેમ્બર ૧૯૬૫ સંવત ૨૦૨૨ (સર્વ હકક વિવેચનકર્તાને સ્વાધીન) મૂલ્ય : ત્રણ રૂપીઆ : પ્રાપ્તિસ્થાન શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા, ઠે. પંચભાઈની પિળ, અમદાવાદ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, વડવા, ખંભાત, Page #4 -------------------------------------------------------------------------- ________________ * કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વી ત ર ગ સ્ત વ સવિવેચન : સકાવ્યાનુવાદ વિવેચનકર્તા (ટીકાકર્તા)ઃ કાવ્યાનુવાદકર્તા ડ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ.બી. બી. એસ. : પ્રકાશક : શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટ, પ્રમુખ–મેહનલાલ ચીમનલાલ શાહ અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ औ केला सागर सूरि ज्ञानमदिर श्री महावीर जैन आराधना केन्द्र, काना, શ્રી કરચ દ્ર ચત્રભુજામહેતા જન્મ : મેારી સ. ૧૯૧૨ માગશર શુદ ૧૫ તા. ૨૩-૧૨-૧૮૫૬ દેહાત્સગ : મેારી સ’. ૧૯૭૫ ફાગણ વદ ૧૧ તા. ૨૯–૩–૧૯૧૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી રૂપબાઈ કિરચંદ્ર મહેતા જન્મ લેધિકા સ. ૧૯૧૪, દેહોત્સર્ગ : મોરબી સં. ૧૯૯૦ માહ વદ ૧૧ તા. ૧૦-૨-૧૯૩૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ મ્હારા પૂ. દાદા ઋમૂત્તિ શ્રી કર દ્રભાઈ તથા મ્હારા પૂ. દાદી વાત્સલ્યમૂત્તિ શ્રી રૂપખાઈના ચરણકમળમાં સ્મૃતિઅંજલિરૂપ સ્વલ્પ આ મ્હારા વિવેચન ગ્રંથ સમપ ણુ કરી કૃતકૃત્યતા અનુભવું છું. (દોહરા ) વીતરાગ ભગવાનનું, સ્તવ મહાન કીરતંત; હેમચંદ્રભક્તિ સુધા-રસ કિરત વેરતઃ • કિરભક્તિરસ ચ'દ્રિકા’, ટીકા નામ છે જાસ; અપુ` વિવેચનગ્રં’થ આ, આપ ચરણે સાલ્લાસ. -ભગવાનદાસ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળને શ્રી વીતરાગસ્તવ જનસમુદાયની સન્મુખ રજુ કરતાં ખૂબ આનંદ થાય છે. કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીની આ અદ્ભુત કૃતિ છે. મૂળ સંસ્કૃત ભાષાના લેકમાં વીતરાગ ભગવંતની પરમ સ્તુતિ તે મહત્ પુરુષે રચી છે. આ સ્તોત્રની ખાસ વિશિષ્ટતા એ છે કે જૈન ધર્મને ઉદ્ધાર કરનાર શ્રી કુમારપાળ મહારાજાને માટે શ્રી હેમચંદ્રાચાર્યે રચના કરી છે, અને તેને નિરંતર પાઠ તેઓશ્રી કરતા હતા. એવા આ સ્તંત્રને ગુજરાતી સરળ ભાષામાં ગદ્ય-પદ્યાનુવાદ કરી તે પર તલસ્પર્શી સુંદર વિવેચન લખી મુંબઈનિવાસી ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ મહા ઉપકાર કર્યો છે. ડો. ભગવાનદાસ અધ્યાત્મલક્ષી જ્ઞાનોપાસક, જ્ઞાનદાનની વૃત્તિવાળા અને જીવનને ઉલ્લાસ તે શ્રેયકાર્યમાં માનનારા પ્રખર અભ્યાસી પુરુષ છે. અત્યાર સુધીમાં તેઓશ્રીએ નીચે પ્રમાણેનાં ગ્રંથ લખ્યા ને પ્રગટ કર્યા છે—ગદષ્ટિસમુચ્ચય સવિવેચન ગ્રંથ (મહાટીકા), ગદષ્ટિકળશકાવ્ય, લલિતવિસ્તરા સવિવેચન ગ્રંથ, પ્રજ્ઞાવધ મેક્ષમાળા,શ્રીમદ્ રાજચંદ્રજીની સૂચિત સંકલનાનુસાર, આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા, ઈત્યાદિ. તેમજ તેઓશ્રીએ Page #12 -------------------------------------------------------------------------- ________________ લખેલે શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ ચરિત્રને મહાગ્રંથ હાલ છપાઈ રહ્યો છે. તેઓશ્રીએ (ડે. ભગવાનદાસે) કોઈ પણ પ્રકારની આર્થિક અભિલાષા રાખ્યા સિવાય આ ગ્રંથ આ સંસ્થાને પ્રગટ કરવા સુપ્રત કર્યો છે, એટલું જ નહિં પરંતુ તેનું પ્રકાશનકાર્ય પણ પિતે જ સંભાળ્યું છે અને તેમાં પિતાને અમૂલ્ય સમય ખર્ચો છે. આ સંસ્થા સાથે તેઓશ્રી, તેઓશ્રીના સ્વ. પિતાજી પૂ. શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાના કારણે સંકળાએલા છે. પૂ. શ્રી મનસુખભાઈને આ સંસ્થા ઉપર ઘણે પ્રેમ હતો. આ અદ્ભુત કૃતિ વીતરાગ સ્તવ (તેત્ર)નું જનસમુદાયના લાભાર્થે પ્રકાશન કરવા માટે તેઓશ્રીએ (ડૉ, ભગવાનદાસે) અમને સોંપણી કરી છે તે બદલ આ સંસ્થાનું ટ્રસ્ટી મંડળ અંતઃકરણપૂર્વક તેઓશ્રીને આભાર માને છે. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટ પ્રમુખ શ્રી. મેહનલાલ ચીમનલાલ શાહ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવંદ્ય વીતરાગ દેવ भवबीजाङ्कुरजनना रागादयः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ इमां समक्षं प्रतिपक्षसाक्षिणामुदारघोषा मुद्घोषणां ब्रुवे । न वीतरागात्परमस्ति दैवर्त, न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥ શ્રી હેમચ`દ્રાચાર્ય જી यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वदा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेव: स उच्यते ॥ থক —શ્રીહરિભદ્રાચાય જી बुद्धस्त्वमेव विबुधाचित बुद्धिबोधात् त्वं शङ्करोऽसि भुवनत्रयशंकरत्वात् । धाताऽसि धीर शिवमार्गविधेविधानात्, 7 व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ - श्री लम्ताभरस्तोत्र प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्त शस्त्रसंबंधबंध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ।। શ્રી મહાકવિ ધનપાલ जयंति यस्याऽवदतोऽपि भारती, विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे, जिनाय तस्मै सकलात्मने नमः ॥ —શ્રી પૂજ્યપાદસ્વામીજી ज्ञानलक्ष्मीधनाश्लेषप्रभवानंदनंदितम् । निष्ठितार्थमजं नौमि परमात्मानमव्ययं । - श्रीशुलय द्राचार्यल Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના भवबीजाङ्करजनना रागादयः क्षयमुगागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। –શ્રી, હેમચન્દ્રાચાર્ય કૃત મહાદેવ સ્તોત્ર, આ વીતરાગસ્તવ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીની અમર કૃતિ છે. જે વિતરનું રમત્તિ વૈવતમ્વિતરાગથી પર દૈવત–દેવતાપણું છે નહિં એમ ઉદ્ઘોષનારા હેમચન્દ્રાચાર્યજીએ અત્રે પૂર્ણ ભક્તિભાવથી વીતરાગ ભગવાનની સભૂત ગુણોથી અદ્ભુત સ્તુતિ કરી છે. આ સ્તવ એમ તે દેખાય છે સાવ સાદું, પણ તેમાં ઘણું ઊંડા ભાવ ભર્યા છે. તેમાં કંઈક ભાવે શોધવા આ વિવેચનકર્તાએ અત્ર યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે, તે પ્રત્યે દષ્ટિપાત કરતાં સુજ્ઞ વાચકને જણાઈ આવશે. આ વીતરાગસ્તવની રચના કલિકાલસર્વ ખાસ ગૂજરદેશાધિપતિ પરમહંત કુમારપાળ મહારાજ માટે–એમના સ્વાધ્યાય-ભક્તિ અર્થે કરી હતી, એ ઈતિહાસપ્રસિદ્ધ હકીકત છે, અને તે આ ગ્રંથના પ્રથમ પ્રકાશ અને અંત્ય પ્રકાશના અંતે આવતી કુમારપાળ મહારાજને મંગલાશિષરૂપ આ પુપિકા પરથી સ્વયં સૂચિત થાય છે – 'श्रीहेमचन्द्रप्रभवाद्वीतरागस्तवादितः । कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥' Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ ગ્રંથ વશ પ્રકાશમાં વિભક્ત થયેલ છે; પ્રત્યેક પ્રકાશમાં ૮-૯ કે કવચિત્ તેથી વધારે લેકે છે. પ્રત્યેક પ્રકાશમાં કર્યો વિષય આવે છે એને નામનિદેશ મૂળમાં નથી; તથાપિ અંતરસંશાધનથી તેમાં આવતે વિષય સંશધી વિષયની સુગમતાથે આ લેખકે તે તે પ્રકાશને તે વિષયનું મથાળું આપ્યું છે. આ વિશ પ્રકાશમાં આવતી વસ્તુનું સંક્ષેપે દિગ્ગદર્શન આ પ્રકારે– ' પ્રથમ પ્રકાશમાં સ્તવકારે મંગલ કરી સ્તન કરવાની પ્રતિજ્ઞા કરી છે. બીજા-ત્રીજા-ચોથા–પાંચમા એ ચાર. પ્રકાશમાં વીતરાગના ચોત્રીશ અતિશયનું વર્ણન કરી દેખાડયું છે કે બીજામાં વીતરાગના જન્મસહજ ચાર અતિશય, ત્રીજામાં કર્મક્ષયજન્ય અગીયાર અતિશય, ચોથામાં દેવકૃત અગીયાર અતિશય, પાંચમામાં અષ્ટ પ્રાતિહાર્ય (દેવકૃત અતિશય)-એમ અનુક્રમે ચેત્રીશ. અતિશય વર્ણવ્યા છે. આ અતિશય એટલે શું? જગમાં બીજા કેઈમાં પણ ન હોય એવો અતિશાયિ-ચઢીયાત (surpassing all) ગુણપ્રભાવ–મહિમાવિશેષ તે અતિશય. વીતરાગ ભગવાનના આ બધા અતિશયેના પણ મૂળ આધારભૂત આ ચાર અતિશય છેઃ અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય. આત્મગુણને અપાય-હાનિ કરનારા ઘાતિકર્મોને અપગમ (દૂર થવું તે) થયે હોવાથી, ભગવાનને અપાયાપરમ અતિશય જગમાં અન્ય કઈ પણ વ્યક્તિ કરતાં ચઢીયાતે એ અતિશયવંત ગુણ વત્ત છે. કેવલજ્ઞાન-કેવલદર્શનના પ્રગટ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧. પણાથી આ સર્વજ્ઞ સર્વદશીને જ્ઞાનાતિશય ગુણ સૌથી ચઢીયાતે અસાધારણ વત્તે છે. કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમપૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ હોવાથી એમને પૂજાતિશય જગતમાં સર્વશ્રેષ્ઠ વત્ત છે. અને દેહ. છતાં દેહાતીત દશાએ વિચરતા આ જીવન્મુક્ત ભગવાન, પરમ અમૃતવાણીથી પરમાર્થમેઘની વર્ષા વર્ષોવી જગતજીનું પરમ કલ્યાણ કરતા હોવાથી એમને વચનાતિશય. ગુણ સર્વોત્કૃષ્ટ વે છે. આવા પરમ મહત મહાતિશયસંપન્ન વીતરાગદેવને અખિલ જગતમાં કોઈ બાબરીઓ જ નથી, તે એને પ્રતિપક્ષ તે કેમ જ હોઈ શકે ? એ દર્શાવતાં છઠ્ઠા પ્રકાશમાં વીતરાગના પ્રતિપક્ષને નિરાસ કર્યો છે, અને કદાચ કઈ એમ કહે કે તેને પ્રતિપક્ષ નથી એમ તમે કેમ કહે. છે? આ જગકર્તા તો તેને પ્રતિપક્ષ છે,–તેના જવાબમાં જગતકર્તાને જ સડે ઊડાવી દઈ સાતમા પ્રકાશમાં જગકત્તત્વવાદને નિરાસ કર્યો છે. આવા મહાઅતિશયવંત. અતુલ વીતરાગને જગતમાં કેઈ બબરીઓ છે જ નહિં એમ સુપ્રતિષ્ઠાપિત કરી, આઠમા પ્રકાશમાં એકાંતનું. ઉત્થાપન અને અનેકાંતનું પ્રતિષ્ઠાપન કર્યું છે, અને આવું અનન્ય સસ્વરૂપ પ્રકાશનારું જેનું અપ્રતિહત અનેકાંત શાસન છે એવા આ પરમ વીતરાગ દેવને આ કલિકાળમાં પિતાને યોગ થયે તેના હર્ષાવેશમાં કલિકાલસર્વજ્ઞ મહાકવિ હેમચન્દ્રાચાર્યજીએ નવમા પ્રકાશમાં વ્યંગમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કલિકાલ-પ્રશંસા કરી (Praise in disguise) કરી છે. છે—કલિકાળની વ્યાજસ્તુતિ દીપ રાત્રિ વિષે દ્વીપ અબ્ધિ વિષે, મમાં તરુ, અગ્નિ ય હિમ વિષે; કલિમાં મળી દુર્લભ તેમ ઘણી, રજની કણ તુજ પદાખ્ત તણી. પછી ૧૦-૧૧-૧૨-૧૩-૧૪ એ પાંચ પ્રકાશમાં આ મહાકવિએ . વીતરાગ દેવની નાના પ્રકારની પરમ આશ્ચય કારી અદ્ભુતતાનું ઉત્તમ કવિત્વમય વર્ણન કર્યું. છેઃ દશમા પ્રકાશમાંસ અદ્ભુતિનિધ વીતરાગના વિરાધાભાસી ગુણની વિરાધાભાસ અલંકારથી અદ્ભુત સ્તુતિ કરી છે; અગીયારમા પ્રકાશમાં વીતરાગના અદ્ભુત વિલક્ષણ મહિમાતિશય પ્રકાશ્યા છે; ખારમા પ્રકાશમાં આજન્મ વૈરાગી વીતરાગના અદ્ભુત અલૌકિક વૈરાગ્ય વણુ જ્યેા છે; તેરમા પ્રકાશમાં વીતરાગનું અદ્ભુત વિપ કારિપણું' ઉદ્ઘાખ્યું છે; ચૌદમા પ્રકાશમાં આજન્મયાગી વીતરાગનુ અદ્ભુત અલૌકિક ચેાગમાહાત્મ્ય વિસ્તાર્યુ છે. 66 “રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રના, કાઈ ન પામે હા તા..... શ્રી. શ્રેયાંસ કૃપા કરો. ”—શ્રી યશેાવિજયજી આવા પરમ અદ્ભુત વીતરાગના અનન્ય અતુલ વીતરાગશાસનની પ્રાપ્તિથી શ્રી હેમચંદ્રાચાર્ય ૫દરમા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રકાશમાં પિતાની સ્વધન્યતા ચિંતવી સોળમા પ્રકાશમાં વીતરાગ પાસે પિતાના રાગાદિ દેષનું ખેદનિવેદન કર્યું છે અને સત્તરમા પ્રકાશમાં આત્મનિંદા અને વીતરાગશરણપત્તિ કરી છે–વીતરાગદેવનું અનન્ય શરણ સ્વીકાર્યું છે. આવા વીતરાગદેવનું બીજા બધા કહેવાતા દેથી વિલક્ષણ”—વિપરીત વિરુદ્ધ વિશિષ્ટ લક્ષણવાળું દેવપણું અઢારમા પ્રકાશમાં દર્શાવી, પરીક્ષક સુબુદ્ધિજનોને પરીક્ષાનું ખુલ્લું આહવાન કરી હેમચંદ્રાચાર્યજીએ જગન્ના. ચોકમાં વીતરાગદેવની મહાપ્રતિષ્ઠા કરી છે અને આવા વીતરાગદેવની આજ્ઞાઆરાધનભક્તિથી મુક્તિ થાય છે એમ ઓગણીશમાં પ્રકાશમાં ડિડિમનાદથી ઉૉષી, વીશમાં પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ વીતરાગચરણે આત્મસમર્પણ કર્યું છે, અને તેમાં અક્ષરે અક્ષરે અનન્ય ભક્તિરસથી નિર્ઝરતું અદ્ભુત કવિત્વ દાખવી મહાકવિ હેમચંદ્રાચાર્યજીએ. આ વીતરાગસ્તવને કળશ ચઢાવ્ય છે. આમ છે સંક્ષેપમાં આ ગ્રંથનું વસ્તુદિગ્ગદર્શન. અને આ વિવેચકે આ વિવેચનગ્રંથની આ પ્રકારે, ચતુર્વિધ ચેજના કરી છેઃ (૧) મૂળ લેક, (૨) તેને કાવ્યાનુવાદ –વિવિધ વૃત્તોમાં, (૩) અક્ષરે અક્ષર અર્થ, (૪) ટૂંકું વિવેચન –મૂળના ભાવને ને હાર્દને સ્પર્શતું અને વિવેચતું. આમ આ વિવેચનગ્રંથની આ ચતુવિધ યોજના છે. અત્ર વિવેચનમાં કયા કયા વિષયે ચર્ચિત છે તે આ ગ્રંથની અનુક્રમણિકા પ્રત્યે દષ્ટિપાત કરતાં સુજ્ઞ વાચકને સ્વયં જણાઈ આવશે, એટલે તેની વસ્તુનું અત્ર પિષ્ટપેષણ કરતા નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આ ગ્રંથના પરિશિષ્ટમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કૃત મહાદેવસ્તુત્ર આપવામાં આવ્યું છે. મૂળ, કાવ્યાનુવાદ અને અર્થ એમ ત્રણ વિભાગમાં તેની યોજના છે; ફૂટનેટમાં ટૂંકું ટિપ્પણ પણ આપ્યું છે. આ મહાદેવસ્તોત્ર હેમચંદ્રાચાર્યજીએ સોમનાથ મહાદેવ પાસે સંગીત કર્યું છે. બ્રાહ્મણોએ કુમારપાળ મહારાજને કહ્યું–આ હેમચંદ્રાચાર્ય મહાદેવને નમશે પણ નહિં, પણ હેમચંદ્રાચાર્યે તે સાચા મહાદેવની અપૂર્વ સ્તુતિ કરી–સાચા મહાદેવ વીતરાગદેવની મહાપ્રતિષ્ઠા કરતું સ્તોત્ર લલકારી સર્વ કેઈને આશ્ચર્યથી દિંગ કરી દીધા, અને છેવટે લલકાર્યું કે “મવવી ફરજ્ઞના” ઈ. (જુઓ, આ પ્રસ્તાવનાના મથાળે ઢાંકેલે લોક), અર્થાત્ ભવબીજના અંકુર ઉપજાવનારા રાગાદિ જેના ક્ષય પામી ગયા હોય, તે બ્રહ્મા વિષ્ણુ હર વા જિન–ગમે તે હે, તેને નમસ્કાર હે ! ભવબીજરૂપ થનારા, રાગાદિ ક્ષય થઈ ગયા જેને; બ્રહ્મા કે વિષ્ણુ કે, શિવ કે જિન હે નમન તેને ! આ વીતરાગસ્તવના નવ પ્રકાશને મ્હારે કાવ્યાનુવાદ વિપુલ ટિપ્પણ સાથે પૂર્વે આત્માનંદ પ્રકાશમાં છપાયેલ હત; વિશેષ લખાયેલ પણ છપાયેલ ન હતે. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટ સંસ્થા તરફથી શ્રી લાલભાઈ સેમચંદભાઈ દ્વારા આ ગ્રંથ સંસ્થા તરફથી પ્રકાશિત કરવાની ઈચ્છા દર્શાવવામાં આવી, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તે મેં સહર્ષ સ્વીકારી, અને આ ગ્રંથની ઉપરમાં સવિસ્તર જણાવ્યા પ્રમાણે ચતુર્વિધ યેજના સંપૂર્ણ સમગ્ર ગ્રંથ તૈયાર કર્યો, તે આજે સુજ્ઞ વાચકના કરકમળમાં આવે છે. વીતરાગદેવની અને વીતરાગ શાસનની પ્રભાવના કરનારા આવા ગ્રંથના પ્રકાશનને શ્રેયલાભ લેવામાં શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટ સંસ્થાએ અને તેના પ્રમુખશ્રી શ્રી મેહનલાલ ચીમનલાલ શાહ તથા શ્રી લાલભાઈ સોમચંદભાઈ શાહ શ્રી અરવિંદભાઈ ચિનુભાઈ શાહ આદિ સંસ્થાના ઉત્સાહી કાર્યકર્તાઓએ જે ઉલટ દર્શાવી છે–આવા ભક્તિગ્રંથના પ્રભાવનમાં જે ભક્તિ દાખવી છે, તે ધન્યવાદને પાત્ર છે! સશાસ્ત્રને લખી લખવીને ભક્તિ ભારી કહે છે, પૂજે અર્થે શ્રવણ બહણે અર્થ તેને કહે છે, ભવ્ય પાસે પ્રગટ કરતા તેહ સઝાય દાવે, ચિંતે ભાવે પરમકૃતને વિશ્વમાંહી પ્રભાવે. –ગદષ્ટિકળશ (સ્વરચિત) પ, ચપાટી રોડ, ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મુંબઈ–૭ મહેતા, જ્ઞાનપંચમી, એમ. બી. બી. એસ. ૨૦૨૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રાચાર્યને શ્રીમદ્ રાજચંદ્રની - ભવ્ય અંજલિ શ્રી હેમચંદ્રાચાર્યને આઠ વરસ થયાં. શ્રી આનંદઘનજીને બસ વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે કાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિતસાધન પ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જૂદે પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પિતાને સંપ્રદાય પ્રવર્તાવ્યો, તે દેઢ લાખ અનુયાયીઓને એક જૂદે સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું હતું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તે તીર્થકરની આજ્ઞાએ ચાલી Page #22 -------------------------------------------------------------------------- ________________ તેમના પરમાર્થમાર્ગનું પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગને પરમાર્થ પ્રકાશવાર પલકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્યમાર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગભણી લેકેને વાળવા, લેકે પકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, મહામ્યવાન, ક્ષપશમવાનું જ કરી શકે. જુદા જૂદા દર્શને યથાવત્ તેલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે એ નિર્ધાર કરી શકે તેવા પુરુષ કાનુગ્રહ, પરમાર્થ પ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છે વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતા જત હતો. –શ્રીમદ્ રાજચંદ્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ પિપપ પપપપ પપપ ધ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને ભક્તિ અંજાલ અનુપજે “કલિકાલસર્વજ્ઞ, જાણતા સર્વશાઅમે અર્થ શું અર્પવું એવા, અનર્થ જ્ઞાનપાત્રને. ૧ ભારતીના મહાભક્ત, ને જ્યોતિધર ભારતે; શ્રી હેમાચાર્ય જમ્યા જયાં, ધન્ય ગુજ૨ રાષ્ટ્ર તે! ૨ વસંતતિલકા સશબ્દશાસ્ત્રમય દેહ રૂડ બનાવી, આત્માસ્વરૂપ તહિં કાવ્યરસો લાવી; સાહિત્યસુંદરી અલંકરીને સુઈ દે, સર્વાંગસુંદર કરી સૂરિ હેમચ. ૩ અનુષ્ટ્રલેક કલ્યાણને અથે, સમ દેહ ઈસુએ; તે જ અર્થે ઘણા જન્મ, અર્યા શ્રી હેમસૂરિએ. ૪ શાર્દૂલવિક્રીડીતસ્પદ્ધ પાણિનિ વાણની ચ કરતી વાણી વહે હમને. સૌ પાંડિત્ય ગુમાનિતા ગળી ગઈ સૌ પંડિતંમ ની; બીડાયા વદનાન્જ વાદીજનના શ્રી હેમચંદ્ર સકું, સેવામય વિત્ર–પદ્મ વિકસ્યા વાગમમાં તે ઊંચે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અનુરાજપૂજ્ય છતાં જેણે, રાજપિંડ ગ્રહ્યો નહીં; | હેમચંદ્ર મહર્ષિ તે, ત્યાગી પરમ નિ:સ્પૃહી. ૬ જે છ વર્ષ વયે સાધુ, આચાર્ય વર્ષ સસરે વય મા તેજ હેતુ,” વિબુધ ન શું ઉચ્ચરે? ૭ ઈંદ્રવજ– “ક ધર્મ છે ઉત્તમ?” પૂછયું પ્રેમ, શ્રી સિદ્ધરાજે તહીં સૂરિ હેમે; દwત “સંજીવની ન્યાય આપ્યું, અદ્ભુત નિષ્પક્ષપણું બતાવ્યું. ૮ - વસ્થિ – શ્રી હેમની સર્વ વિપક્ષ સાક્ષીએ, - ઉદારવા ઉદઘાષણ જ એ; વાપમસ્તિ શૈવતમ્, 7 વાન્તરે નચસ્થિતિ છે ” નિરાગીથી કે પર દેવતા નથી, વિના અનેકાંત નથિતિ નથી.” ૯ 5 ભુજંગી–. મહાદેવનું બેધી સાચું સ્વરૂપ, મહાદેવનું સ્તોત્ર કીધું અનૂપ; Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાદેવ શ્રી વીતરાગે સુરાગી, નમું હેમસૂર એવા સુભાગી. ૧૦ - મહાદેવ બ્રહ્મા અને બુદ્ધ વિષ્ણુ, બધા દેવ પ્રત્યે અહે! તે સહિષ્ણુ સદા વીતરાગત્વ સર્વત્ર પૂજે, ગુણી દષ્ટિને તે ગુણે માત્ર સૂઝે. ૧૧ "भवबीजांकुरजनना, रागादयः क्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै । શ્રી મહાદેવ સ્તોત્ર સગુધરાપામી સદ્ધ જેને તૃપકુલતિલકે ભૂપ કુમારપાલે, આખા રાખ્યું અમારી પટહતણી કરી ઘોષણાઓ કૃપાળે, લાખ મુંગા જીવોને અભય દઈ લીધી મૂક આશિષ ભારી, શ્રી હેમાચાર્ય એવા કરુણનિધિ કરે નિત્ય રક્ષા અમારી! ૧૨ - અનુષ્ટ્રપ– અદ્યાપિ યે દીસે તેને, પ્રભાવ ગુજરાતમાં સામ્રાજ્ય જ્યાં અહિંસાનું,–જેવું ના અન્ય પ્રાંતમાં મદ્યાસુર હણાર્થી જે, કૃપામૂર્તિ સૂરીશ્વરે; અહિંસા દેવીનું રાજ્ય, વર્તાવ્યું જગતીતલે. ૧૪ - ઇંદ્રવંશાકો દક્ષ કાવ્ય પઠુ કેઈ નાટ્યમાં, કે શબ્દશાસે વળી કઈ ન્યાયમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કઈ અલંકારમહીં ય છંદમાં– સર્વત્ર નિષ્ણાતપણું જ હેમમાં. ૧૫ ઉપજાતિ– અગ્નિપરીક્ષામહિંથી સદાય, - ઉત્તીર્ણ સુવર્ણ જગે પૂજાય; પ્રસિદ્ધ જાણે કરતી જ એમ, ગજારૂઢા તત્કૃતિ “સિદ્ધહેમ'. અનુષ્ટપૂકષ છેદ અને તાપે, શુદ્ધિ સંસિદ્ધ હેમની વિશુદ્ધિ તેમ છે સિદ્ધ, હેમના “સિદ્ધહેમ'ની. ૧૭ ભૂજગી “ત્રિષષ્ટિ શલાકા ન” ને ચરિત્ર, રચ્યા હેમચંદ્રે રસાળા પવિત્ર સુણી જે સકણું કરે કર્ણ ધન્ય, રસાસ્વાદી આનંદ લૂટે અનન્ય. | વસંતતિલકાકાવ્યાનુશાસન જ ‘દ્વયાશ્રય” “ગશાસ્ત્ર, “છનુશાસન' રચી વીતરાગસ્તોત્ર ઊંડાં અગાધ કવિતા સરિતા જલેમાં, હેમે નિમજજન કરાવ્યું રૂડા રામાં. ૧૯૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રવા • અન્યયેાગવ્યવછેદ ' આમ્ર, રાખ્યા. શ્રી હેમે ગુણગ્રામ નમ્ર; ‘સ્યાદ્વાદ’ની ‘મંજરી’ ત્યાં ખીલી છે. તત્ત્વજ્ઞ કલિકુલે ઝીલી છે. ૨૦ સ્વાગતા સાધકોટિ ત્રણ શ્લાકપ્રમાણુ, જે ગયા શ્રથી સુગ્રંથ મહાન; તે અપૂર્વ પ્રતિભાધર ભાનુ, હેમસૂરીશ ચિર જીવ અનુષ્ટુ ગુરુના ગુરુ સાહિત્ય,-સ્વામી સમર્થ તે મહા; ગુજર ભૂમિને ભાગ્ય-સુચેાગે સાંપડ્યા અહા ! ૨૨ જયંતિ ઉજવી એવા, જ્યેાતિર મહાત્મની, ગુણજ્ઞ ગુજરી ભક્તો, અપે ાજલિ ભાવની. ૨૩ પૂર્ણિમા ચંદ્રવત્ આપે, આનંદ બુધવૃ દ્રને; દાસ ભગવાન તે વંદે, હેમચ' મુનીન્દ્રને ૨૪ ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. મી. શ્રી. એસ. alipalagayan sarapa માનુ. ૨૧ - t; Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત. દેવચંદ્ર પ્રભુની હો કે પુણે ભક્તિ સંધે, આતમ અનુભવની હો કે નિત નિત શકિત વધે.” શ્રી દેવચંદ્રજી આ જગમાં ખરેખરા અર્થમાં મહાદેવ કઈ હોય તે તે શ્રી વીતરાગદેવ જ છે, તેની મહાપ્રતિષ્ઠા અત્રે લિકાલસર્વ કરી દેખાડી છે. આ વીતરાગદેવનું સ્વરૂપ શું છે અને તેની ભક્તિનું પ્રયોજન શું છે? તેનું અવે સામાન્ય દિગૂદન કરી, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્લજીના જીવનવૃત્ત અંગે ટૂંકું વિવેચન કરશું. ૧. વીતરાગ દેવનું સ્વરૂપ વીતરાગ દેવ કહે કે જિનદેવ કહે, બને પર્યાયશબ્દ છે. “જિન” એ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્વવાચક શબ્દ છે. રાગાદિ સર્વ આંતરશત્રુઓને જીતી જે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે “જિન.” આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખરા શ્રીમદ્ આત્મવીર તે જ જિન; અને એવા જિન ભગવાન અનંત જ્ઞાન, અનંત દશન, અનંત સુખ અને અનંત વિર્ય એ દિવ્ય આત્મગુણેના સ્વામી થયા હોવાથી, એ જ ખરેખરા “દેવ” છે. વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂ૫ આવા આ જિતવ પરમ અત” અર્થાત્ વિશ્વની પૂજાના પરમ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાત્ર છે. સવ` દેવેન્દ્રો જેને વઢે છે, અને સવ` ચેાગીન્દ્રો જેને ધ્યાવે છે, એવા આ મહાદેવ સદાને માટે સ દ્વેષથી સથા રહિત થયા છે. કારણ કે જેમાં સવ દાષા સમાય છે, એવા રાગ દ્વેષ ને મેાહુ એ ત્રણ મહાદોષને આ મહાદેવે સવ થા નષ્ટ કર્યાં છે; અથવા પ્રકારાંતરે આ આ પરમ નિર્દેષમૂર્તિએ આ અઢાર દોષને નષ્ટ કર્યો છે.— અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અંનત કાળના અજ્ઞાનઆવરણના અનત થર ખાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે મહાર ખેં'ચી કાઢી પ્રકટ કર્યું, ને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યાં. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગ્રત એ ચાર દશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી; અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્માયાગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. મિથ્યામતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી સલગ્ન હતી, તેને અપરાધિની ને દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી; અને સપરિવાર સમકિત સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દોષને-દનમેાહને ક્ષીણ કર્યાં. અને રાગ દ્વેષ ને અવિરત પરિણામ કે જે ચારિત્રમાહના જબરજસ્ત ચાદ્ધા હતા, તે તેા જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તત્ક્ષણ ખાધા અની ઊઠીને નાઠા ! ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢયા ત્યારે–હાસ્ય, અરતિ, રતિ, શાક, દુગચ્છા, Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભય, દેય (કામ), એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દેષ તે બિચારા ક્યાંય ચગદાઈ ગયા! આમ ચારિત્રમેહને સર્વનાશ કરી નિષ્કારણકરુણરસના સાગર આ પરમકૃપાળદેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું. : આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિલેકબંધુ દાન સંબંધી વિનને–દાનાંતરાયને નિવારી, પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા. લાભ સંબંધી વિધ્ધને–લાભાંતરાયને નિવારી, પરમ લાભરસથી મસ્ત એવા આ પ્રભુ, જગતને આત્મલાભમાં વિન્ન કરનારા લાભ વિઘના નિવારક થયા. પંડિતનવીય વડે કરીને વીર્યવિઘને–વીયતરાયને નિવારી આ પ્રભુ પૂર્ણ પદવીના ચગી બન્યા. અને ભેગાંતરાયઉપભેગાંતરાય એ બન્ને વિઘ નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપમતારૂપ ભેગના સુભેગી થયા. - આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ, વીતરાગ પરમાત્મા છે,–જેના અનન્ય ગુણોનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે કે –“હા નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન થયેલું છે. ત્યારૂં મુખકમલ પ્રસન્ન છે. ત્યારે ઉત્સગ સ્ત્રીસંગથી રહિત છે. અને હારૂં કરયુગલ પણ શસના સંબંધ વિનાનું છે. તેથી કરીને જગતમાં કઈ ખરેખર વીતરાગ દેવ હોય તે તે તું જ છે.” આવા પરમ નિર્દોષ ગુણમૂર્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના Page #31 -------------------------------------------------------------------------- ________________ રૂણ જે ગામ છે, તે પણ આ “દિનબંધુની મહેર નજરથી જ કૃપાદ્રષ્ટિથી આનંદઘન પદને પામે છે. અર્થાત તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજઆત્મસ્વરૂપ પદને પામે છે. કારણ કે “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ” એટલે સિંહને દેખીને જેમ અજકુલગતા સિંહને નિજસ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનસ્વરૂપના દશને મુમુક્ષુ ભક્ત આત્માને પણ જિમ અવિકાર : પ્રભુના રૂપપણમાં નિજસ્વરૂપનું દર્શન થાય છે. * (અનુષ્ટ્રપ) શુદ્ધ ચિતન્યના સ્વામી, સહજાન્મસ્વરૂપ જે; મુમુમુજન એવા તે, ભગવાન જિનને ભજે; ૨. વીતરાગભક્તિ પ્રજનન “જિન પદ નિજ એકતા, ભેદભાવ નહિં કાંઈક લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.” –શ્રીમદ્ રાજચંદ્રજી અને આ ઉપર કહ્યું તે જ વીતરાગદેવની-જિનદેવની ભક્તિનું મુખ્ય પ્રયોજન છે. શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. કર્મરૂપ આવરણ ટળ્યું હોવાથી ભગવાનનું તે સ્વરૂપે સંપૂર્ણ વ્યક્તતાઆવિર્ભાવ પામ્યું છે; આવરણુ વત્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિરભાવ પામેલું હોઈ અવ્યક્ત-શક્તિપણે રહ્યું છે. આમ કર્મ આવરણરૂપ ઔપાધિક ભેદને લીધે ભગવાનમાં અને આ આત્મામાં અંતર પડયું છે, જવ અને શિવ ભેદ પડ છે. આનંદઘનજીના શોમાં કહીએ Page #32 -------------------------------------------------------------------------- ________________ તે કર્મવિપાકે છે કારણ જોઈને કેઈ કહે મતિમત. પણ મૂળ સ્વરૂપદષ્ટિશ્રી તે બંનેમાં કંઈ પણ લેવું નથી. જેવું અને સુખસ્વરૂપ તે જિનપદ છે, તેવું જ આ મૂળ શુદ્ધ તે આત્મપદ” છે. આ જિનપૂર અને નિજપદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસનું નિરૂપણ છે, અને એ જ આ ભક્તિનું પ્રજન છે. એટલે એવા અનંતસુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપાસે જે ઈચ્છે છે તે જોગીજને તે પ્રગટસ્વરૂપી સગી. જિનપદની અખંડ એકતિષ્ઠાથી આરાધના અવશ્ય કરવી જોઈએ. ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ; - મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ.” શ્રીમદ્ રાજચંદ્રજી કારણ કે તે જિન ભગવાને સ્વરૂપસિદ્ધિરૂપ નિજ કાર્ય સિદ્ધ કર્યું છે, એટલે તે સ્વરૂપસિદ્ધિરૂપ કાર્ય જે કરવા ઈચ્છતા હોય, શુદ્ધ સ્વસ્વભાવરૂપ મેક્ષફળની જે કામના રાખતા હોય એવા મુમુક્ષુ છે, તેના અમેઘ કારણરૂપ તે કૃતકૃત્ય સિદ્ધ સ્વરૂપનું અવલંબન લેવુંઉપકારી છે. કઈ પણ કાર્યની સિદ્ધિ એમ ને એમ તાબડતોબ થઈ જતી નથી; તે કાર્ય સિદ્ધિના કારણરૂપ બીજ પહેલાં વાવવાં પડે છે. પછી તેમાંથી અંકુર ફૂટી, છોડ બની, અનુક્રમે મોડું વૃક્ષ થઈ, સિદ્ધિરૂમ ફૂલલભારથી લચી ચડે છે, તેય મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ માટે તેના અમેઘ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કારણરૂપ ગબીજની ચિત્તભૂમિમાં વાવણી કરવી અતિ આવશ્યક છે, કે જે અમેઘ-અવધ ગબીજમાંથી ઉત્તમ ગભાવાંકુર પ્રગટી-ફૂટી નીકળી, અનુક્રમે મહાન મિક્ષવૃક્ષ ફૂલીફાલી ફલ-ફૂલભારથી લચી પડે છે, અને સાક્ષાત્ જિનસ્વરૂપ અથવા નિર્વાણરૂપ પરમ અમૃતફળની પ્રાપ્તિ થાય છે, એટલા માટે મોક્ષકાર્યની સિદ્ધિ માટે મુમુક્ષુ જીવે તેને અવંધ્ય કારણરૂપ મોક્ષસાધક ગબીજને ચિત્તભૂમિમાં પ્રક્ષેપ કરવા એગ્ય છે. અને તે યોગ-બીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ ગબીજ શ્રીજિનેશ્વરની ભક્તિ છે, કારણ કે વીતરાગ દશાને પામેલા શ્રી જિનેશ્વર ભગવાન રાગ-દ્વેષ-મહાદિ સમસ્ત અંતરંગ શત્રુઓને જીતી લઈ સકલ કર્મકટકનો પરાજય કરી, શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં બિરાજમાન થયેલા શુદ્ધ આત્મા છે; અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યથી ચુક્ત એવા મુક્ત સિદ્ધ પરમાત્મા છે. એવા પરમાગી સાક્ષાત શુદ્ધસ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી તે મુખ્ય–પ્રધાન–અનુત્તમ ગબીજ થઈ પડે એમાં જરાયે આશ્ચર્ય નથી. જિનેy રાત્રે તે તમારા પુત્ર ૨ જામહ સંશુદ્ધ થવીગમનુત્તમ ” - શ્રીહરિભદ્રાચાર્યજી કૃત ગદષ્ટિસમુચ્ચય ઘેટાના ટેળામાં ચિરકાળથી વસેલા સિંહશિશુનું દૃષ્ટાંત અત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯. ઘટે છે. કોઈ સિંહનું બચ્ચું જન્મથી માંડી ઘેટાના ટેળામાં વસ્યું છે, ઉછર્યું છે અને ચિર સંવાસથી તે પિતાને ઘેટું માની બેઠું છે. ત્યાં કેઈ સિંહ દેખાય છે. તેને દેખી તે સિંહશિશુ ધારી ધારી તેનું રૂપ જુએ છે, અને પાછું પિતાનું સ્વરૂપ નિહાળે છે તે બનેનું સ્વરૂપ સમાન દેખાય છે, અને તેને ભાન થાય છે કે હું ઘેટું નથી પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિ. કાળથી પરભાવના સંવાસમાં વસેલે છે, અને પિતાને પરરૂપ જ માની બેઠે છે. તેને સમાધિરસભર્યા સ્વરૂપસિદ્ધ પ્રભુના દર્શનથી ચિરવિસ્મૃત નિજસ્વરૂપનું ભાન થાય છે. અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ; તિમ પ્રભુ ભક્ત ભવિ લહેરે, આતમશક્તિ સંભાળ. અજીત જિન તાર દીનદયાળ”—શ્રી દેવચંદ્રજી અને આમ તે જિન સમ સ્વરૂપસત્તા ઓળખે છે, એટલે તેના પ્રાગભાવની–પ્રગટ આવિર્ભાવની ઈહાઇચ્છા તેને પ્રગટે છે કે આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આનંદઘન સ્વરૂપ મને પ્રગટે તો કેવું સારું? એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પરપરિણતિમાં નિરીહ-નિષ્કામ અંતરાત્મા બની આત્મપરિણતિ ભણી વળે છે. જિન સમ જિન સમ સત્તા ઓળખી હોજી, આ તસુ પ્રાગભાવની ઈહ અંતર અંતર આતમતા લહી , પર પરિણતિ નિરીહ...નમિપ્રભ”–શ્રી દેવચંદ્રજી Page #35 -------------------------------------------------------------------------- ________________ અને પછી એ તે અંતરમાં આદર્શ પરમાર સ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશળ શિલ્પી જેમ આદર્શ (model) નિરંતર દષ્ટિસન્મુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિબૃદસ્થાનીય–આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિસન્મુખ રાખી આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે, “દર્પણ જેમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજસ્વરૂપનું દર્શન કરે છે. પ્રતિઈદે પ્રતિઈદે જિનરાજના હેજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધ તમ પ્રાગુભાવ નમિપ્રભ.” શ્રી દેવચંદ્રજી એટલે સ્વરૂપદર્શનના કામી એવા મુમુક્ષુ જીવે તે ભગવાનનું આરાધન–સેવન કરવા તત્પર થવું તે પિતાના જ આત્મકલ્યાણની–આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માથી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તાવું જોઈએ. સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવા નની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જા છે. ક્ષીણમેહ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે.” શ્રીમદ્ રાજચંદ્ર અ. ૨૪ ૩. ગ્રંથકર્તા “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આવા પરમ નિર્દોષ અને પરમ ગુણધામ વીતરાગધની પરમ સ્તુતિરૂપ આ વીતરાગતવની અદ્ભુત Page #36 -------------------------------------------------------------------------- ________________ રચના કરી જેણે અપૂર્વ વીતરાગભક્તિ દાખવી છે એવા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યજીના જીવનવૃત્ત અંગે હવે બે શબ્દ કહીશું. - અહિંસાને મહામંત્ર કી જેણે જગતમાં “અમારિને કે વગડાવ્યો, તે “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યને દયામય વીતરાગધર્મની પ્રભાવનામાં અનન્ય ફાળો છે. આ મહા જ્યોતિર્ધરની અસાધારણ પ્રતિભાથી અંજાયેલા મહારાજા સિદ્ધરાજ જયસિંહ તેમને ગૂજરાતનું ગૌરવ ગણી બહુમાનથી સન્માનતા અને મહારાજા કુમારપાળ તે તેમના આજ્ઞાંકિત શિષ્ય બની, દયામય વીતરાગધર્મના કેવા પ્રભાવક પરમાર્હત થયા તે વાર્તા ઈતિહાસપ્રસિદ્ધ છે. આ મહા જ્યોતિર્ધરનો જન્મ ધંધુકામાં મોઢ વણિક ચાર્જિંગની ગૃહિણું પાહિણની કુક્ષિએ સં. ૧૧૪૫ ના કાર્તિકી પૂર્ણિમાના પુણ્ય દિને થયે. એમનું નામ ચાંગદેવ પાડવામાં આવ્યું. લઘુવયમાં જ અસાધારણ બુદ્ધિચાપલ્ય દાખવનારે આ તેજસ્વી બાલક શ્રી દેવચંદ્રસૂરિના દષ્ટિપથે પડતાં, તેનામાં તેમણે મહાન શાસનપ્રભાવક થાય એવા લક્ષણ દીઠા. એટલે લઘુવયમાં દીક્ષા પ્રાયઃ ઉચિત નહિં છતાં, આવા કેઈ વિરલા અસાધારણ પાત્રના અપવાદવિશેષે શાસનપ્રભાવનાને હેતુ જાણી, તેમણે પાહિણી પાસે તે બાલકની ભિક્ષા માગી અને પાહિણુએ તે ભક્તિથી આપી. આમ સં. ૧૧૫૪ ની સાલમાં નવ વર્ષની વયે ચાંગદેવ દીક્ષિત થઈ મુનિ સોમચંદ્ર થયા, અને સવપ સમયમાં સર્વ આગમસાહિત્યમાં પારંગત થઈ સત્તર Page #37 -------------------------------------------------------------------------- ________________ વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યા શાસનધુરાને ધારણ કરતા આ ધુરંધર અસાધારણ પ્રતિભાસંપન્ન યુવાન આચાર્યે અપૂર્વ પુરુષાર્થથી વીતરાગ શાસનની સેવામાં જીવન સમર્પણ કર્યું. અમારૂં તે ગમે તે થાઓ, અમે ભલે થોડા ભાવ વધારે હેરી લઈશું, પણ આ સત્ય અહિંસાધર્મપ્રવર્તક પરમ લકકલ્યાણકારી વીતરાગ શાસનની પ્રભાવના અવશ્ય થવી જ જોઈએ, એવી ઉદાત્ત ભાવનાથી તેમણે કાનુગ્રહમાં ઝંપલાવ્યું, અને લોકકલ્યાણાર્થે જીવન સમર્પણ કરી વીતરાગ શાસનના અનન્ય જિસસનું કાર્ય કર્યું. શ્રી હેમચંદ્રાચાર્ય વિદ્યાસિદ્ધ-મંત્રસિદ્ધ પુરુષ હતા. ગૂર્જરપતિ મહારાજા સિદ્ધરાજ આ મહાવિદ્યાસંપન્ન પુરુષના ગાઢ સંપર્કમાં આવ્યા. એક વખત સિદ્ધરાજે આ જગતમાં ક ધર્મ શ્રેષ્ઠ છે? એ સીધે પ્રશ્ન હેમચંદ્રાચાર્યને પૂછળ્યો. જવાબમાં હેમચંદ્રજીએ શંખપુરાણ મધ્યેનું ચારિસંજીવનીચાર ન્યાયનું દષ્ટાંત આપ્યું અને તે પરથી ગર્ભિતપણે માર્મિક સૂચન કર્યું કે-હે રાજન! હે પુરુષર્ષભ! જેમ તે વૃષભને ચરતાં ચરતાં સંજીવની ઔષધિ મળી ગઈ તેમ તમે પણું જે સત્યતત્વવેષકપણે તમારી વિવેકબુદ્ધિને કોઈ પણ પૂર્વગ્રહ વિના મુક્તપણે છૂટી ચરવા દઈ, સર્વ દર્શનના તત્વનું માગણ-સંશોધન કરશે, તે તમને પણ સત્ય ધર્મને માર્ગ મળી આવશે. હેમચંદ્રાચાર્યના આ અદ્ભુત મધ્યસ્થ ભાવના ઉત્તરથી સિદ્ધરાજ તે દિંગ થઈ જઈ ફીદા ફીદા થઈ ગયા. એક વખત Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ માળવા પર જીત મેળવી સિદ્ધરાજ પાછા ફર્યા, ત્યારે તેણે રાજસભામાં પૂછયું-હારા રાજ્યમાં એ કઈ પંડિત છે કે જે બીજા વ્યાકરણની જરૂર ન પડે એવું નવું વ્યાકરણ રચી શકે? સર્વની દષ્ટિ મહાપંડિતશિરોમણિ હેમચંદ્રચાર્ય પર પડી, અને તેમણે તે માટેનું બીડું ઝડપ્યું, અને પાણિનિ આદિ વ્યાકરણને ભૂલાવી દે એવું સંસ્કૃત-પ્રાકૃત આદિ છએ ભાષાનું એક લાખ શ્લોકપ્રમાણુ “સિદ્ધહેમ' નામનું મહાવ્યાકરણ સાંગોપાંગ રચ્યું. મહારાજા સિદ્ધરાજે આ ભવ્ય ગ્રંથને હાથીની અંબાડીએ આપી તેનું પરમ ગૌરવ બહુમાન કર્યું. પછી કાળક્રમે સિદ્ધરાજનું મૃત્યુ થયે કુમારપાળે રાજ્યસન લીધું, ત્યારે પિતાને અભયદાન આપનારા પિતાના પરમ ઉપકારી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરી તે તેમના ચરણપંકજના ભ્રમર બન્યા અને નિરંતર તેમના ઉપદેશામૃતનું પાન કરતાં અનુક્રમે વીતરાગધર્મના દઢ અનુયાયી અને વ્રતધારી ગૃહસ્થ થયા. સંપ્રતિ મહારાજની જેમ, આ ધર્માત્મા પરમાહંત કુમારપાળે અવનિને જિનમંદિરમંડિત કરી; પિતના રાજ્યમાં સર્વત્ર સર્વ જીવને અભય. દાન આપનારે અમારિ પટહ વગડામદ્ય અસુરને દેશવટે દીધે; અપુત્રીઆના ધનહરણને અન્યાય દૂર કર્યો, સર્વ ધર્મ પ્રત્યે સમભાવની દષ્ટિ દાખવી સર્વત્ર ન્યાયનીતિ ને સુખશાંતિનું સામ્રાજ્ય ફેલાવ્યું. કુમારપાળની વિજ્ઞપ્તિથી શ્રીહેમચંદ્રાચાર્યે તેના સ્વાધ્યાયાથે વીતરાગસ્તવ અને યેગશાસ્ત્રનું નિરૂપણ કર્યું; ત્રિષષ્ટિ શલાકા પુરુષ Page #39 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રનું રસમય મહાકાવ્ય ગૂંચ્યું. આવા રાજપૂજ્ય હેમચંદ્રાચાર્ય મહારાજે કદી પણ રાજપિંડ બ્રહ્યો નહિં, એ એમની પરમ નિઃપૃહિતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની મધ્યસ્થતા અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવ અદ્દભુત હતા. એક વખત તેઓ વિહાર કરતાં તેમનાથ પાટણ પધાર્યા. રાજેન્દ્ર કુમારપાળ પણ ત્યાં આવ્યા હતા. વિરોધી જનેએ રાજાના કાન ભંભેર્યા–આ હેમચંદ્ર મહાદેવને નમશે નહિં, પણ હેમચંદ્રાચાર્યે તેમની આ ધારણા બેટી પાડી. તેમણે તે મહાદેવનું સાચું સ્વરૂપ દર્શાવનારૂં મહાદેવ સ્તોત્ર લલકાયું અને છેવટે ગાયું કે“ भवबीजाङ्करजनना रागादयः क्षयमुपागता यस्य । ब्रह्मा वा વિUI દ વિનો વા નમસ્ત” અર્થાત્ ભવબીજાંકુર ઉત્પન્ન કરનારા રાગાદિ જેના ક્ષય પામી ગયા હોય, તે બ્રહ્મા હો, વિષણુ હો, હરહો, વા જિન હો, તેને નમસ્કાર હો! વિધીઓ ને રાજા કુમારપાળ આદિ તે દિંગ જ થઈ ગયા. હેમચંદ્રાચાર્ય આવા મહાન છતાં તેમની ગુણપ્રાહિતા, સરળતા ને નિર્માનિતા આશ્ચર્યકારક હતા. એક વખત તેઓ શત્રુંજયની યાત્રાથે ગયા હતા. ત્યાં ભગવાન ઋષભદેવજીની સન્મુખ આ નિરભિમાની મહાન આચાર્યો, એક ગૃહસ્થ કવિ-મહાકવિ ધનપાલકૃત ગઢષભ પંચાશિકા અપૂર્વ ભાવથી ગાઈ અને બાણ—કાદંબરીને આંટી છે એવી તિલકમંજરી મહાકથાના સર્જક આ મહાકવિ ધનપાલ પંડિતની આ કાવ્યકૃતિ તે પદે પદે કે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અદ્દભુત ભક્તિરસ નિઝરે છે, એમ ભક્તો સમક્ષ તેની ભારાભાર પ્રશંસા કરી, પેાતાનું અનુપમ ગુણગ્રાહિપણુ દાખવ્યું; અને ગૃહસ્થની સુકૃતિ પ્રત્યે ગુણપ્રમાદ દાખવવાને અદલે મત્સરથી મુખ મચકાડનારાઓને ભવિષ્યમાં ધડા લેવા ચેાગ્ય દાખલા પૂરા પાડો. શ્રી હેમચંદ્રાચાર્યે શાસનપ્રભાવનાથે અનેક ચમત્કાર કરી બતાવ્યા કહેવાય છે, પણ તેમના મેટામાં મેટા ચમત્કાર (Miracle) તા તેમનું અદ્ભુત સર્વાંગીપણુ ( All−round) સાહિત્યસર્જન છે. કાઈ કાવ્યમાં, કાઈ નાટ્યમાં, કઈ શબ્દશાસ્ત્રમાં, કાઈ ન્યાયમાં, કોઈ અલકારમાં, કોઈ છંદમાં દક્ષ હાય, પણ સપટુ (All-rounder) • કલિકાલસર્વજ્ઞ નું પાટવ તા સત્ર હતું. સાડા ત્રણ ક્રોડ શ્ર્લેાકપ્રમાણુ વિપુલ સાહિત્ય સર્જનારા આ સાહિત્યજગતના વિરાટ્ પુરુષે (Collosus) એવું કાઈ પણ વાઙમય ક્ષેત્ર નથી, કે જે પોતાના પદન્યાસથી ક્ષુણ્ણ ન કર્યુ. હાય. સાહિત્યસુંદરીને સવ અંગે અલંકૃત કરનારા આ અસાધારણ કેાટિના સાહિત્યસ્વામી ( Literary Giant) મહાકવિની એકએકથી સરસ ચિર’જીવ કૃતિઓ, આ મહાજ્યેાતિય રની યશ:પ્રભા અખિલ ભારતમાં પ્રસારી, પ્રાજ્ઞજનાને જ્ઞાનચ'દ્રિકામાં નિમજ્જન કરાવતી અનુપમ આનંદ વિતરી રહી છે. ( શાર્`લવિક્રીડિત ) સ્પ પાણિનિ વાણીનીય કરતી વાણી વઘે હેમની, સૌ પાંડિત્ય ઝુમાનિતા ગળી ગઈ સૌ પડિત'મન્યની; Page #41 -------------------------------------------------------------------------- ________________ બીડાયા વદનાજ્જ વાદી જનને શ્રી હેમચંદ્ર કું, સર્વે વાસ્મય વકત્રપદ્મ વિકસ્યા વાગવૅમમાં તે ઉગે. (સધરા) પામી સદ્દબોધ જેને કૃપકુલતિલકે ભૂપ કુમારપાલે આખા રાખું અમારિ પટહતણું કરી ઘોષણાઓ કૃપાળે; લાખ મુંગા ને અભય દઈ લીધી મૂક આશિષ ભારી, શ્રી હેમાચાર્ય એવા કરુણનિધિ કરે નિત્ય રક્ષા અમારી! આવા વીતરાગદેવના આવા અનન્ય ભક્ત–વીતરાગ શાસનના મહાપ્રભાવક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ આ વીતરાગસ્તવની રચના કરી જે ભક્તિ સુધારાસચંદ્રિકા વર્ષાવી છે, તેના કણ કણ ઝીલી પત્ર તત્ર વેરતી “કિરતભક્તિરસચંદ્રિકા ટીકા નામનું જે આ વિવેચન આ લેખક–વિવેચકે આલેખ્યું છે,ભક્તિસુધાસિંધુમાં વિવેચનની ડૂબકી મારી ચિંતારને શોધવાને જે યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે, તે અચિંત્યચિંતામણિ વીતરાગદેવની ભક્તિમાં આત્માથી મુમુક્ષને પ્રેરવા નિમિત્તભૂત થાઓ એ જ અભ્યર્થના! . ૫, પાટી રોડ, મુંબઈ છે. કાર્તિકી પૂર્ણિમા, ૨૦૨૨ ડો, ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ.બી.બી.એસ. Page #42 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ ભક્તિ સૂક્તો એહ અઢાર દૂષણ વરજિત તનુ, મુનિજનવૃ દે ગાયા; અવિરતિરૂપક દ્વેષ નિરૂપણું, નિષણુ મન ભાયા.... એક ૫ખી પ્રીતિ કેમ વરે પડે, ઉભય મિલ્યા હાય સંધિ; હું રાગી હું માહે ક્યા, તું નીરાગી નિરબંધ..... શ્રીઆનદઘનજી રાગ ભરે જન મન રહેા, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રના, કેાઈ ન પામે હા તાગ..... નીરાગી સેવે કાંઈ હાવે, ઇમ મનમેં નવ આણું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણુ. શ્રી યશેાવિજયજી વચનામૃત વીતરાગના પરમશાંતરસમૂળ; ઔષધ જે ભવરાગના, કાયરને પ્રતિકૂળ. પ્રાણી માત્રને રક્ષક ખંધવ અને હિતકારી એવા કાઈ ઉપાય હોય તે તે શ્રી વીતરાગના ધમ જ છે. શ્રીમદ્ રાજચંદ્રજી દ્વીઠા દરિશણ શ્રી પ્રભુજીના, સાચે રાગે મનશું ભીના; જસુ રાગે નિરાગી થાયે, તેહની ભક્તિ કેાને ન સહાયે ? તિમ પ્રભુથી શુચિરાગ, કરે વીતરાગતા હો લાલ; ગુણએકત્વે થાય, સ્વગુણ પ્રાભાવતા હો લાલ. શ્રીદેવચ ́દ્રજી રાગ દ્વેષકે નાસતે, પરમાતમ પરકાસ; રાગ દ્વેષકે ભાસતે, પરમાતમ પદનાસ. શ્રી ચિદાન દુજી Page #43 -------------------------------------------------------------------------- ________________ ભક્તિને ઉપદેશ તોટક છંદ. શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ રહે તરુ કલ્પ અહે, ભને ભગવંત ભવંત લહે. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહે. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ ગતિ જન્મ જશે શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભને ભગવંત ભવંત લહે. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમર; નહિ એહ સમાન સુમંત્ર કહે, ભજીને ભગવંત ભવંત લહે. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા, ધરશે શુભ તત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજેને ભગવંત ભવંત લહા. ૫ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મેક્ષમાળા બાલાવબેક) national Page #44 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ રત્નમાલા (આરતીને રાગ) જય જિનદેવા ! જય જિનદેવા! દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઇન્દ્રો સ્તવન કરે છે, વિરેન્દ્રો ધ્યાન ધરે છે. જય-૧ રાગાદિક સહુ શત્રુ જીત્યા, વરીં કેવલશ્રી રીઝી પ્રીત્યા; શ્રીમદ્દ* સાચા જિન તન્મે છે, દિવ્ય ગુણથી દેવ તમે છે. જય-૨ કર્મ જીત્યાથી જિન છો જિષ્ણુ, સર્વજ્ઞ જ્ઞાને વ્યાપક વિષ્ણુ સંકર સહુનું શ કરવાથી, હરિ પુરુષોત્તમ અધ હરવાથી. જય-૩ સહજ સ્વરૂપે સ્વયં પ્રગટયાથી, બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝયાથી; રામ તમે છો આતમરામી, સ્વામી તમે છે ચેતનસ્વામી. જય-૪ જગગુરુ જીવન્મુક્ત અનેહી, દેહ છતાંયે જેહ વિદેહી; મુક્તિ તણે મારગ જગબંધુ, બેધે અદૂષણ કરણસિલ્વ. જય-પ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણુ; એ જ સ તીર્થે નિત્ય નિમજજી, પાવન જન સૌ પા૫ વિવઈ. જય-૬ મા ઘાતિક્ષય પ્રગટયું વીર્ય અનતું, દર્શન જ્ઞાન ને સૌખ્ય અનંતું; તે નિજપદ પામે જિનરૂ૫ ભાળી, અજકુલવાસી સિંહ નિહાળી. જય-૭ જિન ઉપાસી જિન થાય જીવો, દીપ ઉપાસી વાટ ક્યું દી; જિન સહજાભસ્વરૂપી એવા, ભગવાન દાસના શરણ સુદેવા. જય-૮ પ્રજ્ઞાવબેક મેક્ષમાળા ડૉ. ભગવાનદાસ મ. મહેતા કૃત) 5. WWW.jainelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય વીતરાગસ્તવ મૂલ (સંસ્કૃત ) વીતરાગસ્તવ કાવ્યાનુવાદ ૧૫-૩૭૩ વીતરાગ સ્તવ : સવિવેચન સકાવ્યાનુવાદ પ્રથમ પ્રકાશ : મંગલ-પ્રતિજ્ઞાદિ ( ઉપાદ્ઘાત) ૧૫-૬૯ (અ'તગ ત અપાયાપગમ આદિ ચાર મૂળ અતિશય ) પરમાત્મા પર જ્યોતિ પરમેષ્ઠિ વીતરાગ વીતરાગના અપાયાપગમ-પૂજાતિશય વચનાતિશય–જ્ઞાનાતિશય વિજ્ઞાન–શ્રા–આનંદમય વીતરાગનું શરણુ વીતરાગ ભગવાનના દાસ થવાની ભાવના વીતરાગ સ્તાત્રથી સ્વવાણી પવિત્ર કરુ આત્મલઘુતા નિવેદન શ્રદ્દામુગ્ધતાથી સ્તવન • પરમાહત` ' કુમારપાલ મહારાજને મ’ગલ આશિલ્ સહજ રાગીપણું પ્રસ્વેદ રહિતપણ... વીતરાગનું રક્ત પણ ‘ રાગમુક્ત દ્વિતીય પ્રકાશ : વીતરાગના જન્મસહેજ ચારઅતિશય ૭૦-૮૦ વીતરાગના જન્મસહજ ચાર અતિશય સહજશુચિ સુવર્ણ અવાસિતસુગધી કાયા માંસ પણ શુભ્ર નિઃશ્વાસ સૌરભ આહારનીહાર અદૃશ્ય > પૃષ્ઠ ૩૨૦ ૧૧-૫૨ ૫૬ પુછ ૫૯ ૩ ૬૪ પ }} }છ }¢ ૭. ર ૭૩ ૭૪ et ७७ T ८० Page #46 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ : કર્મક્ષયજન્ય અગિયાર અતિશય ૮૧-૧૦૦ સર્વાભિમુખ્ય” અતિશય સમવસરણમાં સર્વને સમાવેશ ભગવદ્વાણ સર્વને સ્વસ્વભાષામાં સમજાય ભગવવિહાર-વાયુથી રેગ નાશ ઈતિ અનુભવ વરાગ્નિશમન મારી મરકી આદિને અસંભવ અતિવૃષ્ટિ-અવૃષ્ટિને અભાવ રસ્વચક્ર-પરચક્ર ઉપદ્રવ પલાયન જંગમ કલ્પવૃક્ષ વિહરે ત્યાં દુર્લિક્ષ ક્ષય ભામંડલ કર્મક્ષયજન્ય અદ્દભુત યોગસામ્રાજ્ય મહિમા શ્રીમદ્ વીતરાગની પરા “શ્રી” પ્રાપ્તિ અનંત કર્મકક્ષ ઉમૂલન ગાત્મા વીતરાગને નમસ્કાર ! ચતુર્થ પ્રકાશ : દેવકૃત અગીયાર અતિશય ૧૦૧–૧૧૮ તીર્થકરશ્રીના તિલક સમું ધર્મચક્ર ૧૦૧ જગતમાં આ એક સ્વામી” એમ સૂચવતો ઈંદ્રધ્વજ ૧૦૪ પ્રભુના પદન્યાસ માટે સુવર્ણકમળ રચના ચતુર્વિધ ધર્મ પ્રકાશવા જાણે ચતુર્મુખ રચના ! ૧૦૬ ત્રિદોષથી ત્રિભુવન રક્ષવા ત્રિગઢ રચના ! ભગવદ્વિહારભૂમિમાં કંટકનું અધોમુખપણું કેશ–નખાદિનું અવસ્થિતપણું તકિ કે જેમ પંચ ઈદ્રિયવિષયનું અપ્રતિકૂલપણું ૧૧૧ સર્વ ઋતુનું સમકાળે પ્રભુસેવામાં હાજરપણું ગંદક–પુષ્પવૃષ્ટિથી ભગવવિહારભૂમિનું પૂજન ૧૧૩ પક્ષીઓની પણ પ્રભુને પ્રદક્ષિણ ૧૧૫ ૧૦૫ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૦ ૧૧૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૧૨૮ એકેન્દ્રિય વાયુનું પણ અનુકૂલપણું ભગવાનને મસ્તક નમાવતા વૃક્ષો પણ કૃતાર્થ ૧૧૭ વીતરાગદેવસેવામાં કેટિ દેવેનું સદા તત્પરપણું પંથમ પ્રકાશ અષ્ટપ્રાતિહાર્ય(દેવકૃત અતિશય) ૧૧૯-૧૩૨ અશોક વૃક્ષ પ્રાતિહાર્ય–ઉપ્રેક્ષા ૧૧૯ સુરપુષ્પવૃષ્ટિ ૧૨૨ ભગવાનને દિવ્યવનિ ૧૨૩ ચામર પ્રાતિહાર્ય:ઉપેક્ષા ૧૨૫ સિંહાસન પ્રાતિહાર્ય:ઉપેક્ષા ૧૨૬ ભામંડલ પ્રાતિહાર્ય ૧૨૭ જગતમાં આતેમાં સામ્રાજ્ય ઉદ્દઘોષતો દેવદુંદુભિ ત્રિભુવને પ્રભુતાસૂચક છત્રત્રય ૧૨૯ વિતરાગની અદભુત પ્રાતિહાર્યશ્રી ૧૩૧ ષષ્ઠ પ્રકાશ : વીતરાગના પ્રતિપક્ષને નિરાસ ૧૩૩–૧૫૬ વીતરાગ પ્રત્યે માધ્યસ્થ પણ દુઃખદષની તો વાત શી? ૧૩૩ વીતરાગને પ્રતિપક્ષ દ્વેષવંત ન હોય ૧૩૬ વિતરાગને પ્રતિપક્ષ વિરાગ કે સરાગ ન હોય ૧૩૮ ગમુદ્રાદરિદ્વી પર પ્રતિપક્ષ હોઈ શકે નહિ. ૧૩૯ નિષ્પતિપક્ષ વીતરાગ જ શરય સ્તોતવ્ય ઉપાસ્ય ૧૪૧ પ્રતારણ પર પરેથી જગવંચના અંગે પિકાર જગતસર્જનાદિ કરનારા દેવ વંધ્યાસુત સમા કુદેથી કૃતાર્થોને વીતરાગને અપલાપ ૧૪૬ ઘરમાં ગાજનારા પરની કલ્પનાજાલ દષ્ટિરાગ છેદ સંતને પણ દુષ્કર ૧૪૯ તું વીતરાગ પ્રત્યે મૂઢાની ઉદાસીનતા ૧૫૨ રાગાદિસ્ત આ હેવા અનહ–અયોગ્ય ૧૫૪ ૧૪ ૧૪૪ ૧૪૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સપ્તમ પ્રકાશ: જગતકવવાદ નિરાસ ૧પ૭–૧૭૦ અદેહનું વક્તાપણું–શાસ્તાપણું ન ઘટે ૧૫૭ અહિનું જગતસર્જન ન ઘટે ૧૫૮ ક્રીડાથી કે કૃપાથી જગતસર્જન ન ઘટે ૧૬૧ દુઃખી જગત્ સર્જતાં કૃપાળુની કૃપાલતા શી ? ૧૬૨ કપેક્ષાથી સર્જે તે આ શોભાના પૂતળાનું કામ શું? ૧૬૪ “સ્વભાવ અતર્કગે ચર” કહે તે પરીક્ષાનિષેધ સમાન સર્વભાવનું જ્ઞાતૃપણું તે કર્તાપણું અમને પણ સંમત ૧૬૭ સૃષ્ટિવાદ દુર્વાદ અપ્રમાણુ ૧૬૯ હારું (વીતરાગ) શાસન પ્રમાણ ૧૭૦. અષ્ટમ પ્રકાશ એકાંતઉત્થાપન અનેકાંતપ્રતિષ્ઠાપનાહ૧-૧૯૫ સત એકાંતનિત્ય કે એકાંતઅનિત્યમાં બે દોષ ૧૭૧ એકાંતનિત્ય કે એકાંતઅનિત્યમાં સુખદુઃખ ન ઘટે ૧૭૫ એકાંતનિત્ય કે અનિત્યમાં પુણ્યપા૫–બંધમેક્ષ ન ઘટે ૧૭૬ એકાંતનિત્ય કે અનિત્યમાં અર્થ ક્રિયા ન ઘટે ૧૭૮ વિતરાગપ્રણીત નિત્યાનિત્ય વસ્તુમાં દોષઅભાવ અનેકાંત સિદ્ધાંતનું દષ્ટાંતથી સમર્થન ૧૮૩. બૌદ્ધ અનેકતિને પ્રતિક્ષેપી શકે નહિ ૧૮૬ તૈયાયિક-વૈશેષિક અનેકતને પ્રતિક્ષેપી શકે નહિ ૧૮૮ સખ્યાદિ અનેકતિને પ્રતિક્ષેપી શકે નહિ ૧૮૯ ચાર્વાકની વિમતિ-સંમતિ જોઈતી નથી વિતરાગપ્રણીત “સંત” તે જ સત દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી “ત્રિપદી” નવમ પ્રકાશ : કલિકાલપ્રશંસા ૧૯૬-૨૧૩, જ્યાં શીધ્ર ભક્તિફલ મળે તે કલિકાલ ભલે હે! ૧૯૬ સુષમ કરતાં દૂષમમાં પ્રભુકૃપા ફલવતી સતવક્તા-શ્રોતાના અંગે કલિમાં ય શાસન જય ૨૦૦ વામગતિ' કલિમાં ખલે પ્રત્યે કેપ વૃથા ૧૮. ૧૯૧ ૧૯૩ ૧૯૪ ૧૯૮ ૨૦૨. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૨૧૬ ૨૨૧ ४४ કલ્યાણ” સાધવા કલિજ કષપાષાણું ૨૦૪ કલિકાળમાં વીતરાગ ચરણરજકણુની દુર્લભતા ૨૦૬ જ્યાં વીતરાગદર્શન પામે તે કલિકાળને નમસ્કાર ૨૦૯ નિર્દોષ વીતરાગ થકી જ સંદેષ કલિની શોભા ૨૧૧ વિષહર રત્નથી વિષધરની શોભા. ૨૧૩ દશમપ્રકાશ : સર્વ અદભુતનિધિ વીતરાગના વિરોધાભાસી ગુણ ૨૧૪-૨૨૫ અન્યાશ્રયી પ્રસન્નતા રૂપ દેખવા ઇદ્ર અશક્ત, ગુણ વદવા શેષ અશક્ત અનુત્તરવાસીના સંશય હરનારે અભુત જ્ઞાનગુણ ૧૭ વીતરાગની આનંદસુખસક્તિ અને વિરક્તિ સમકાલે! ઉપેક્ષા ને ઉપકારિતા નિર્ચથતા ને ચક્રવર્તિતા! અદ્દભુત ચારિત્ર મહિમાતિશય ૨૨૩ અદભુતનિધિ વીતરાગને નમસ્કાર ૨૨૪ એકાદશ પ્રકાશ: અદભુત વિલક્ષણ મહિમાતિશય ૨૬-૨૩૬ પરીષહ-ઉપસર્ગને હણતાં છતાં અભુત શમ! ૨૨૬ અરક્ત વીતરાગ મુક્તિ ભગવે ! અદિષ્ટ દ્વિષ હશે! જિગીષા વિના પાપભીરુએ ત્રિજગત જીત્યું! ૨૨૮ કઈ દીધા–લીધા વિના પ્રભુત્વ! અદ્ભુત કળા ! અન્યને દેહદાનથી ય ન મળ્યું તે સુકૃત વીતરાગચરણે આળોટે! ર૩૧ ક્રૂર-કૃપાળુ ભીમ-કાંત ગુણથી વિતરાગની સામ્રાજ્યસિદ્ધિ! ૨૩૩ એમાં સર્વ દોષ : વીતરાગમાં સર્વ ગુણ! ૨૩૪ મહંતમાં મહંત વીતરાગ મહારા સ્તુતિગોચરમાં! ૨૩૫ દ્વાદશ પ્રકાશ : અદ્દભુત અલૌકિક વૈરાગ્ય ૨૩૭–૨૫૦ પૂર્વે પટુ અભ્યાસથી વીતરાગને આજન્મ વૈરાગ્ય. ૨૩૭ જે સુખહેતુમાં તેવો દુઃખહેતુમાં વૈરાગ્ય નહિં! ૨૩૮ વિવેક-રારાણે સજેલું તીક્ષ્ણ વૈરાગ્યશાસ્ત્ર ૨૩૯ દિવેન્દ્રાદિ શ્રી ભગવતા પણ વીતરાગનું વિરક્તપણું સંયમયોગ ગ્રહણવસરે તે પરમ વૈરાગ્ય. ૨૨૭ ૨૩૦ ૨૪૧ ૨૪૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ૨૫૮ ૪પ સુખ-દુઃખમાં ભવ-મોક્ષમાં ઔદાસીન્ય ત્યારે વૈરાગ્ય જ ૨૪૬ જ્ઞાનગર્ભ વૈરાગ્ય તે એક હારામાં–વીતરાગમાં જ ૨૪૭ ઔદાસીન્ય છતાં વિશ્વોપકારી વીતરાગને નમસ્કાર! ૨૪૮ ત્રયોદશ પ્રકાશ : અદૂભૂત વિશ્વોપકારિપણું ૨૫૧-૨૬૪ અનાહૂત (વગર બેલાવેલ) સહાય: અકારણુવત્સલ અનલ્પતિ સાધુ : અસંબંધ બાંધવ. ૨૫૨ અનભક્ત સ્નિગ્ધ, અમાર્જિત શુદ્ધ, અધૌત અમલ ૨૫૩ અચંડ વિરત્તિ શમીથી કર્મકંટકનું નિકંદન! ૨૫૫ વીતરાગનું વિલક્ષણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશરૂપપણું ૨૫૬ વિલક્ષણ કલ્પતરુ વીતરાગથકી ફલપ્રાપ્તિની ઈચ્છા અસંગ છતાં જનેશ તું વિલક્ષણ જગતત્રાતાને હું કિંકર. ૨૫૯ તું અચિંત્ય ચિન્તાનમાં મહારું આત્માર્પણ ૨૬૧ હું ફલેચ્છારહિત, તું ફલમય, મહારે કરવું શું ? ૨૬૩ ચતુર્દશ પ્રકાશ: અદ્દભુત અલૌકિક યોગામાહાભ્ય ૨૬૫-૨૫ કષ્ટ ચેષ્ટા વિના વીતરાગે કરેલું મનઃશલ્ય વિજન ૨૬૫ મધ્યમ પ્રતિપદાથી (ભાર્ગથી વીતરાગે કરેલે ઈદ્રિયજય ૨૬૭ અષ્ટાંગયોગ તો પ્રપંચઃ બાલ્યથી વીતરાગનું સામ્ય ૨૬૮ ચિરપરિચિત વિષયોમાં વિરાગ ને અદષ્ટ યોગમાં સામ્ય! ૨૬૯ અપકારી પ્રત્યે વીતરાગનું એર રંજન! ૨૭૧ હિંસકોને ઉપકારને આશ્રિત પ્રત્યે ઉપેક્ષા ! “અસંપ્રજ્ઞાત” પરમ સમાધિમાં અભુત લીનતા ર૭૩ વીતરાગનું અદ્ભુત યોગમાહાભ્યઃ ધ્યાતા–ધ્યેય-ધ્યાનની એકતા રજ પંચદશ પ્રકાશ : અનન્ય વીતરાગ શાસનપ્રાપ્તિથી ધન્યતા ૨૭૬-૨૮ શાંત વીતરાગ મુદ્રાથી જ ત્રિજગજજય! २७६ વીતરાગને અપવાદ કરનારાઓએ મેને તુર્ણ કર્યો. વીતરાગને શાસન લાભ ન લીધે તે ચિંતામણિ—અમૃત ચૂક્યો ૨૮ વીતરાગ પ્રત્યે ઈર્ષાગ્નિભરી દૃષ્ટિ ધરનારને અગ્નિ– ૨૮૩ વીતરાગના અનન્ય અમૃત શાસનની અન્ય સાથે તુલના શી ? ૨૮૪ ૨૭ ૨૭૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૬ Ker le ૨૯૧ વીતરાગ પર મત્સરી મૂ`ગા-હેરા થાઓ ! તેમાંજ તેનું શ્રેષ્ઠ ૨૮૦ વીતરાગના શાસનામૃત રસીઆએને નમસ્કાર ! વીતરાગના જ્યાં પદ પડે તે ભૂમિને નમસ્કાર ! વીતરાગના ગુણગ્રામની લપટતાથી. મ્હારૂં જન્મધપણુ ષોડશ પ્રકાશ : સ્વ રાગાદિ દાષનુ` બેટ્ટુ નિવેદન ૨૯૩-૩૦૫ એક બાજુ વીતરાગ શાસનામૃતરસથી પરમાનંદ એક બાજુ રાગ–ણિધરના વિષાવેગથી મૂર્ખા રાગ–વિષ વશે મે કરેલુ. પ્રચ્છન્ન પાપ મેાહાદિથી કરાવાયેલું મ્હારૂં કપિ-ચાપલ -એધિ પામીને ૫ મે શિરે જલાવેલા અગ્નિ તું ત્રાતા સતે મેહાદિથી હરાતું મ્હારૂ રત્નત્રય તારક ‘તી` ' તું એક જ, મને ચરણુલગ્નને તાર ! હાર! પ્રસાદે આટલે વ્હાંચાડ્યો, હવે ઉમેક્ષા મકર! તું ‘ પરમ કૃપાળુ દેવ '; હું. પરમ કૃપાપાત્ર સપ્તદેશ પુકારા : આત્મનિદા અને વીતરાગરારાપત્તિ ૨૯૩ ૨૯૪ ૨૯૬ ૨૯૮ ૨૯: ૩૦૧ ૩૦૨ ૩૦૩ ૩૦૪ આત્મનિદા કરતા હુ' હાર ચરણશરણુ ગ્રહું છું ૩૧૨ મ્હારૂ દુષ્કૃત મિથ્યા હા! મિન્છામિ તુરું' ' રત્નત્રય સંબંધી સ` સુકૃત હું અનુમોદુ છું સવ અંત, સિદ્ધ આદિ તે તે ગુણુ હું અનુંમેદુ છુ હારૂ, સિદ્ધનું, સાધુનું, શાસનનું શરણુ ગ્રહુક છું ૩૧૫ ૩૧૮ ૩૨૦ સર્વે જીવાને ક્ષમાપના હા ! સવ પ્રત્યે મ્હારી મૈત્રી હા! ભગવદ્ ચરણુશરણે અદીનપણુ ૩૨૨ પરાપછી પ્રાપ્તિ પર્યંત ચરણ્યપણુ મ મૂકજે ! ૩૨૪ અષ્ટાદશ પ્રકાશ : વીતરાગનું વિલક્ષણ દેવપણું ૩૨૫ ૩૪૧ સ્વાન્તઃશુદ્ધિ અર્થ' કંઈક કંઠાર વિજ્ઞાપના નથી વીતરાગને પક્ષી આદિ વાહન, નથી નેત્રાદિ વિકાર ૩૦૬૩૨૪ ૩૬ ૩૦૯ ૩૨૫ ૩૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૪ છ ૩ ૩૫ ૩૩૦ ૩૩૮ ૩૪૦ નથી શલાદિ શસ્ત્ર, નથી કામિની સંગ ૩૨૮ નથી નિંદ્ય ચરિત, નથી કેપ-પ્રસાદ ૩૯ નથી જગત સુષ્ટિ આદિ, નથી લાસ્ય-હાસ્યાદિ ૩૩૦ સર્વદેવોથી વિલક્ષણ વીતરાગને દેવપણે કેમ પ્રતિષ્ઠાપવો? ૩૩૧ વહેણ સાથે વહત ઘટે, વહેણ વિરુદ્ધ કેમ ઘટે? મંદબુદ્ધિ પરીક્ષકેના પરીક્ષણથી સયું! સર્વ સંસારીથી વિલક્ષણ વીતરાગ લક્ષણ પરીક્ષે ? અષ્ટાદશ દૂષણરહિત વીતરાગ દેવનું વિલક્ષણપણું જગવિલક્ષણ વીતરાગ મૃદુબુદ્ધિને ગેચર નથી એગણુશમે પ્રકાશ : આજ્ઞાઆરાધનભક્તિથી મુક્તિ ૩૪૨–૩૬૦ હે વીતરાગ મહારા ચિત્તમાં તું વ તો બસ! ૩૪૨ નિગ્રહ-અનુગ્રહથી પર ઠગારાઓથી મૃદુબુદ્ધિ ઠગાય ૩૪૫ અચિંત્ય ચિંતામણિ વીતરાગ કેમ ન ફળે ? ભગવઆલંબન ચિત્તવૃત્તિ થકી ફલપ્રાપ્તિ વીતરાગનું આજ્ઞાપાલન મોટામાં મોટી સેવા ૩૫૧ વીતરાગની શાશ્વત આજ્ઞા : આશ્રવ હેય, સંવર ઉપાદેય ૩૫૩ આહતી મુષ્ટિ : આશ્રવ ભવહેતુ, સંવર મોક્ષહેતુ ૩૫૫ ત્રણે કાળમાં આજ્ઞાઆરાધનથી જ મોક્ષ પ્રસાદનાદૈન્ય છોડી આજ્ઞાભક્તિથી જ મુક્તિ ૩૫૯ વિશ પ્રકાશ: વીતરાગ ચરણે આત્મસમર્પણ ૩૬૧-૩૭૩ વીતરાગ! હારી ચરણરેણુ મહારા મસ્તકે ચિર વસો! ૩૬૧ હારા દર્શનથી હારા હર્ષાશ્રુ અપ્રેક્ષ્ય દર્શનને મલ ધોઈ નાંખે! ૩૬૨ હારા કપાળના આંકા સેવ્ય પ્રણામનું પ્રાયશ્ચિત્ત કરો ! ૩૬૩ મહાર રોમાંચ અસદ્દર્શનવાસના દૂર કરે ! હારા મુખચંદ્રિકા–સુધાપાનથી મહારા નેત્રાંબુજે અનિમેષ હે ! ૩૬૬ મહારા નેત્ર હસ્ત ને શ્રોત્ર હારી સેવામાં સદા સમર્પણ! ૩૭ ૩૪૭ ૩૪ ૩૫૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ૪૮ હારા ગુણગ્રહણમાં સેકંઠ મહારી ભારતને “સ્વસ્તિ' છે! ૩૬૮ ત્યારે હું દાસ–કિંકર છું, “એમ” એમ સ્વીકાર કર ! ૩૭૦ કુમારપાલ મહારાજને અંત્ય મંગલ આશિષ વિવેચનકર્તા (ટીકાકર્તા)-કાવ્યાનુવાદકર્તાની પ્રશસ્તિ ૩૭૩ પરિશિષ્ટ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત મહાદેવસ્તોત્ર ૩૭૫-૩૭૮ મહાદેવસ્તોત્ર કાવ્યાનુવાદ (ભગવાનદાસકૃત) ૩૭૯-૩૮૫ મહાદેવસ્તોત્ર અર્થ (ભગવાનદાસકૃત) ૩૮૬–૩૯૧ શુદ્ધિપત્રક પ્રણ પંક્તિ અશુદ્ધ वक्त्र जानुदघ्नीः मृगरपि वक्त्रब्ज द्वय ચત્ર वक्त्रो ગાદની: मृगैरपि वक्त्राब्ज द्वयं ૧૨૦ ૧૨૭ ઘતિ કુતિ ૨૦૯ ૨૫૩ ૨૮૬ ૩૧૫ ૩૨૯ 6 : * * ง ง ; ; યુગાન્તરોમાં નિમમ अनेऽमूका प्रहवीभव हास्यगतादि અર્થાતર चिन्तामळयादयः त्वद्रुण યુગાન્તરામાં નિર્મલ अनेडमका प्रवीभव हास्यगीतादि અર્થાતર चिन्तामण्यादयः त्वद्गुण ૩૩૪ ૩૬૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વી ત રા ગસ્ત વ Page #55 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી ત મૂળ સંસ્કૃત શ્લેક અને તેના ભાવને ઝીલતે કાવ્યાનુવાદ સુજ્ઞ વાચકને સ્વાધ્યાય માટે સુગમ થાય એ અથે અને પ્રારંભમાં સળંગ આપેલ છે; મૂળ બ્લેક, કાવ્યાનુવાદ, અર્થ અને વિવેચન એ સમગ્ર એકી સાથે તો પાછળથી આપેલ છે, તે અવલેણ્યા પછી આ સળંગ સ્વાધ્યાય માટે વિશેષ ઉપયોગી થઈ પડશે. ભગવાનદાસ, Page #56 -------------------------------------------------------------------------- ________________ वीतराग स्तव यः परात्मा परज्योतिः परमः परमेष्ठिनाम् । आदित्यवर्णं तमसः, परस्तादामनन्ति यम् ॥१॥ सर्वे येनोदमूल्यन्त, समूलाः क्लेशपादपाः । मूर्ध्ना यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः ॥२॥ प्रावर्त्तन्त यतो विद्याः, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवद्भाविभूतभावावभासकृत् ॥३॥ यस्मिन् विज्ञानमानन्दं, ब्रह्म चैकात्मतां गतम् । स श्रद्धेयः स च ध्येयः, प्रपद्ये शरणं च तम् ॥४॥ तेन स्यां नाथवाँस्तस्मै, स्पृहयेयं समाहितः । ततः कृतार्थो भूयासं, भवेयं तस्य किङ्करः ||५|| तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां स्वां सरस्वतीम् । इदं हि भवकान्तारे, जन्मिनां जन्मनः फलम् ॥६॥ क्वाहं पशोरपि पशुर्वीतरागस्तवः क्व च ? ! उत्तितीर्षुररण्यानीं, पद्भयां पगुरिवास्म्यतः ॥७॥ तथापि श्रद्धामुग्धोऽहं नोपलभ्यः स्खलन्नपि । विशृंखलापि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते ॥८॥ श्री हेमचन्द्रप्रभवाद्वीतरागस्तवादितः । कुमारपाल भूपालः, प्राप्नोतु फलमीप्सितम् ॥॥ " ॥ इति प्रथम प्रकाशः ॥ 卐 Page #57 -------------------------------------------------------------------------- ________________ प्रियङ्गुस्फटिकस्वर्णपद्मरागाञ्जनप्रभः । प्रभो ! तवाधौतशुचिः कायः कमिव नाक्षिपेत् ? ॥१॥ मन्दारदामवन्नित्यमवासितसुगन्धिनि | तवाङ्गे भृङ्गतां यान्ति, नेत्राणि सुरयोषिताम् ॥२॥ दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव । समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगवजाः ॥३॥ त्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके । क्षरत्स्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः ? ||४|| न केवलं रागमुक्तं, वीतराग ! रक्तमपि, मनस्तव । क्षीरधारासहोदरम् ||५|| तवान्यद्वक्तुमीश्महे | वपुः स्थितं जगद्विलक्षणं कि बा, यदविस्रमवीभत्स, शुभ्रं मांसमपि प्रभो ! ॥॥ जलस्थलसमुद्भूताः, संत्यज्य सुमनःस्रजः । निःश्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः ॥७॥ लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः । नाहारनीहारौ, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥ ॥ इति द्वितीयप्रकाशः ॥ 卐 सर्वाभिमुख्यतो नाथ ! तीर्थकृन्नामकर्मजात् । सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः ॥ १ ॥ यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । तव यतो संमान्ति कोटिशस्तिर्यग्नृदेवाः सपरिच्छदाः ॥२॥ तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । अप्येकरूपं वचनं, यत्ते धर्मावबोधकृत् ||३|| Page #58 -------------------------------------------------------------------------- ________________ साऽग्रेपि योजनशते, पूर्वोत्पन्ना गदाम्बुदाः । यदञ्जसा विलीयन्ते, त्वद्विहारानिलोमिभिः ॥४॥ नाविर्भवन्ति यद्भूमौ, मूषकाः शलभाः शुकाः । क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ॥५॥ स्त्रीक्षेत्रपद्रादिभवो, यद्वैराग्निः प्रशाम्यति । त्वत्कृपापुष्करावर्तवर्षादिव भुवस्तले ॥६॥ त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेदडिण्डिमे । सम्भवन्ति न यनाथ! मारयो भुवनारयः ॥७॥ कामवर्षिणि लोकानां, त्वयि विश्वैकवत्सले । अतिवृष्टिरवृष्टिा , भवेद्यन्नोपतापकृत् ॥८॥ स्वराष्ट्रपरराष्ट्रेभ्यो, यत्क्षुद्रोपद्रवा द्रुतम् । विद्रवन्ति त्वत्प्रभावात्, सिंहनादादिव द्विपाः ॥९॥ यत्क्षीयते च दुर्भिक्षं, क्षितौ विहरति त्वयि । सर्वाद्भुतप्रभावाढये, जङ्गमे कल्पपादपे ॥१०॥ यन्मूर्ध्नः पश्चिमे भागे, जितमार्तण्डमण्डलम् । मा भूद्वपुर्दुरालोकमितीवोत्पिण्डितं महः ॥१२॥ स एष योगसाम्राज्यमहिमा विश्वविश्रुतः। कर्मक्षयोत्थो भगवन्कस्य नाश्चर्यकारणम् ? ॥१२॥ अनन्तकालप्रचितमनन्तमपि सर्वथा । त्वत्तो नान्यः कर्मकक्षमुन्मूलयति मूलतः ॥१३॥ तथोपाये प्रवृत्तस्त्वं, क्रियासमभिहारतः । यथानिच्छन्नुपेयस्य, परां श्रियमशिश्रियः ॥१४॥ मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥१५॥ ॥ इति तृतीयप्रकाशः ॥ 卐 Page #59 -------------------------------------------------------------------------- ________________ मिथ्यादृशां युगान्तार्कः, सुदृशाममृताञ्जनम् । तिलक तीर्थकल्लक्षम्याः , पुरश्चक्रं तवैधते ॥१॥ एकोऽयमेव जगति, स्वामीत्याख्यातुमुच्छ्रिता । उच्चैरिन्द्रध्वजव्याजात्तर्जनी भविद्विषा ॥२॥ यत्र पादौ पदं धत्तस्तव तत्र सुरासुराः। किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवालिनीम् ॥३॥ दानशीलतपोभावमेदाद्धर्म चतुर्विधम् ।। मन्ये युगपदाख्यातुं, चतुर्वक्त्रऽभवद्भवान् ॥४॥ त्वयि दोषत्रयात्त्रातुं, प्रवृत्ते भुवनत्रयीम् । प्राकारत्रितयं चक्रुस्त्रयोऽपि त्रिदिवौकसः ॥५॥ अधोमुखाः कण्टकाः स्युर्धात्र्यां विहरतस्तव । भवेयुः सम्मुखीनाः किं, तामसास्तिग्मरोचिषः ? ॥६॥ केशरोमनखश्मश्रृं, तवावस्थितमित्ययम् ।। बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरैः परैः ॥७॥ शब्दरूपरसस्पर्शगन्धाख्या पञ्च गोचराः । भजन्ति प्रातिकूल्यं न, त्वदने तार्किका इव ॥८॥ त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते । आकालकृतकन्दर्पसाहायकभयादिव ॥९॥ सुगन्ध्युदकवर्षेण दिव्यपुष्पोत्करेण च । भावित्वत्पादसंस्पर्शी, पूजयन्ति भुवं सुराः ॥१०॥ जगत्प्रतीक्ष्य ! त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् । का गतिर्महतां तेषां, त्वयि ये बामवृत्तयः ॥११॥ पञ्चेन्द्रियाणां दौःशील्यं, क्व भवेद्धबदन्तिके ? । एकेन्द्रियोऽपि यन्मुञ्चत्यनिलः प्रतिकूलताम् ॥१२॥ मूनां नमन्ति तरवस्त्वन्माहात्म्यचमत्कृताः । तत्कृतार्थ शिरस्तेषां, व्यर्थ मिथ्यादृशां पुनः ॥१३॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ जघन्यतः कोटिसङ्ख्यास्त्वां सेवन्ते सुरासुराः । भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते ॥१४॥ ॥ इति चतुर्थप्रकाशः ॥ 卐 गायन्निवालिविरुतान्नव चलैदलैः। त्वद्गुणैरिव रक्तोऽसौ, मोदतेऽशोकपादपः ॥१॥ आयोजनं सुमनसोऽधस्तानिक्षिप्तबन्धनाः । जानुदघ्नीः सुमनसो, देशनोया किरन्ति ते ॥२॥ मालवकैशिकीमुख्यग्रामरागपवित्रितः। तव दिव्यो ध्वनिः पीतो, हर्षाद्ग्रीवैगरपि ॥३॥ तवेन्दुधामधवला, चकास्ति चमरावली। हंसालिरिव वक्त्रजपरिचर्यापरायणा ॥४॥ मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् । श्रोतुं मृगास्समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् ॥५॥ भासां चयैः परिवृतो, ज्योत्स्नाभिरिव चन्द्रमाः। चकोराणामिव दृशां, ददासि परमां मुदम् ॥६॥ दुन्दुभिर्विश्वविश्वेश! पुरो व्योनि प्रतिध्वनन् । जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमिव शंसति ॥७॥ तवोर्ध्वमूर्ध्वं पुण्यद्धिक्रमसब्रह्मचारिणी। छत्रत्रयी त्रिभुवनप्रभुत्वप्रौढिश सिनी एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव । चित्रीयन्ते न के दृष्ट्वा, नाथ! मिथ्यादृशोऽपि हि ॥९॥ ॥ इति पंचमप्रकाश ॥ ॥८॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ ८ लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताञ्जने । माध्यस्थ्यमपि दौःस्थ्याय, किम्पुनद्वेष विप्लवः १ ॥१॥ तवापि प्रतिपक्षोऽस्ति, सोऽपि कोपादिविप्लुतः । अनया किंवदन्त्यापि किं जीवन्ति विवेकिनः ? ॥२॥ विपक्षस्ते विरक्तश्चेत्स त्वमेवाथ रागवान् । न बिपक्षो विपक्षः किं, खद्योतो द्युतिमालिनः ? ॥३॥ स्पृहयन्ति त्वद्योगाय यत्तेऽपि लवसत्तमा: । योगमुद्रादरिद्राणां परेषां तत्कथैव का ? ॥४॥ त्वां प्रपद्यामहे नाथं, त्वां स्तुमस्त्वामुपास्महे । त्वत्तो हि न परस्त्राता किम्ब्रूमः ? किमु कुर्महे ? ॥५॥ स्वयं मलीमसाचारैः प्रतारणपरैः परैः । वच्यते जगदप्येतत्कस्य पूत्कुर्महे पुरः ? ॥६॥ नित्यमुक्तान् जगजन्मक्षेमक्षयकृतोद्यमान् । वन्ध्यास्तनन्धयप्रायान् को देवांश्चेतनः श्रयेत् ? कृतार्था जटरोपस्थदुः स्थितैरपि दैवतैः । भवादृशा न्निनुवते, हा ! हा! देवास्तिकाः परे ॥८॥ खपुष्पप्रायमुत्प्रेक्ष्य, किञ्चिन्मान प्रकल्प्य च । संमान्ति देहे गेहे वा, न गेहेनर्दिनः परे ॥९॥ कामरागस्नेह रागावीषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि ॥१०॥ प्रसन्नमास्यं मध्यस्थे, दृशौ लोकम्पृणं वचः । ॥७॥ " इति प्रीतिपदे वाढ, मूढास्त्वय्यप्युदासते ॥ ११॥ तिष्ठेद्वायुर्द्र वेद द्विर्वलेज्जलमपि क्वचित् । तथापि ग्रस्तो रागाद्यैर्नाप्तो भवितुमहति ॥ १२ ॥ ॥ इति षष्ठप्रकाशः ॥ 卐 Page #62 -------------------------------------------------------------------------- ________________ धर्माधर्मो विना नाङ्ग, विनाङ्गेन मुखं कुतः १. मुखाद्विना न वक्तृत्वं तच्छास्तारः परे कथम् ? ॥१॥ " अदेहस्य जगत्सर्गे; प्रवृत्तिरपि नोचिता । न च प्रयोजनं किंचित्स्वातन्त्र्यान्न पराज्ञया ॥२॥ क्रीडया चेत्प्रवर्तेत, रागवान्स्यात्कुमारवत् । कृपयाऽथ सृजेत्तर्हि सुख्येव सकलं सृजेत् ॥३॥ दुःखदौर्गत्यदुये निजन्मादिक्केशविह्वलम् । जनं तु सृजतस्तस्य, कृपालोः का कृपालुता ? ॥४॥ कर्मापेक्षस्स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिमा ? ||५|| अथ स्वभावतो वृत्तिरवितर्क्या महेशितुः । परीक्षकाणां तोष:, परीक्षाक्षेपडिण्डिमः ॥६॥ सर्वभावेषु कर्तृत्वं ज्ञातृत्वं यदि सम्मतम् । मतं नः सन्ति सर्वशा, मुक्ताः कायभृतोऽपि च ||७|| सृष्टिवादकु हेवाकमुन्मुच्येत्यप्रमाणकम् । त्वच्छासने रमन्ते ते येषां नाथ ! प्रसीदसि ॥८॥ ॥ इति सप्तमप्रकाशः ॥ फ्र स- त्वस्यैकान्तनित्यत्वे, कृतनाशाकृतागमौ । स्यातामेकान्तनाशेऽपि, कृतनाशाकृतागमौ ॥१॥ आत्मन्येकान्तनित्ये स्यान्न भागः सुखदुःखयोः ! एकान्तानित्यरूपेऽपि, न भोगः सुखदुःखयोः पुण्यपापे बन्धमोक्षौ, न नित्यैकान्तदर्शने । पुण्यपापे बन्धमोक्षौ, 1.२|| नानित्यैकान्तदर्शने ॥३॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ क्रमाक्रमाभ्यां नित्यानां, युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि, युज्यतेऽर्थक्रिया न हि । यदा तु नित्यानित्यत्वरूपता वस्तुनो भवेत् । यथात्थ भगवन्नैव तदा दोषोऽस्ति कश्चन ॥५॥ गुडो हि कफहेतुः स्यानागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति गुडनागरमेषजे ॥६॥ द्वय विरुद्धं नैकत्राऽसत्प्रमाणप्रसिद्धितः । विरुद्धवर्णयोगो हि, दृष्टो मेचकवस्तुषु ॥७॥ विज्ञानस्यैकमाकारं, नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥८॥ चित्रमेकमने च, रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वापि, नानेकान्तं प्रतिक्षिपेत् ॥९॥ इच्छन्प्रधानं सत्त्वाद्यैर्विरुद्धैर्गुम्फितं गुणैः । साङ्ख्यः सङ्ख्यावतां मुख्यो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१०॥ विमतिस्सम्मतिर्वापि, चार्वाकस्य न मृग्यते । परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुषी ॥११॥ तेनोत्पादव्ययस्थेमम्भिन्नं गोरसादिवत् । क्दुपज्ञ कृतधियः, प्रपन्ना वस्तुतस्तु सत् ॥१२॥ || इत्यष्टमप्रकाशः ॥ यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ॥१॥ सुषमातो दुःषमायां, कृपा फलवती तव । - मेरुतो मरुभूमौ हि, श्लाघ्या कल्पतरोः स्थितिः ॥२॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૧ श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश ! तत् । त्वच्छासनस्य साम्राज्य मेकच्छत्रं कलावपि ॥३॥ युगान्तरेऽपि चेन्नाथ ! भवन्त्युच्छृङ्खला खलाः । वृथैव ति कुप्यामः, कलये वामकेलये ॥४॥ कल्याणसिद्धयै साधीयान्, कलिरेव कषोपलः । विनाग्निं गन्धमहिमा, काकतुण्डस्य नैधते ॥५॥ निशि दीपोऽम्बुधौ द्वीपो, मरौ शाखी हिमे शिखी । कलौ दुरापः प्राप्तोऽयं, त्वत्पादाब्जरजः कणः ॥६॥ युगान्तरेषु भ्रान्तोऽस्मि त्वद्दर्शनविनाकृतः । यत्र, त्वद्दर्शनमजायत ॥७॥ नमोऽस्तु कलये बहुदोषो दोषहीनास्त्वत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात्फणीन्द्र इव रत्नतः ॥ ॥ इति नवमप्रकाशः ॥ 卐 मत्प्रसत्तेस्त्वत्प्रसादस्त्वत्प्रसादादियं पुनः । इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् ! मयि ॥१॥ निरीक्षितुं रूपलक्ष्मीं, सहस्राक्षोऽपि न क्षमः । स्वामिन्! सहस्रजिह्वोऽपि शक्तो वक्तुं न ते गुणान् ॥२॥ 3 * संशयान् नाथ ! हरसेऽनुत्तरस्वर्गिणामपि । अतः परोऽपि किं कोऽपि, गुणः स्तुत्योऽस्ति वस्तुतः ? ||३|| इदं विरुद्धं श्रद्धत्तां, कथमश्रद्दधानकः ? आनन्दसुखसक्तिश्व, विरक्तिश्च समं त्वयि ॥४ | नाथेयं घटमानापि, दुर्घटा घटतां कथम् ? उपेक्षा सर्वसत्त्वेषु, परमा चोपकारिता ॥५॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨ द्वयं विरुद्धं भगवंस्तव नान्यस्य कस्यचित् । निर्ग्रन्थता परा या च, या चोश्चैश्चक्रवर्तिता ॥६॥ नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु । पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः १ ॥७॥ रामोऽद्भुतोऽद्भुतं रूप, सर्वात्मसु कृपाद्भुता । सर्वाद्भुतनिधीशाय तुभ्यं भगवते नमः ||८|| ॥ इति दशमप्रकाशः ॥ 5 निघ्नन्परीषहचमूमुपसर्गान्प्रतिक्षिपन् । प्राप्तोऽसि शमसौहित्यं, महतां कापि वैदुषी ॥१॥ अरक्को भुक्तवान्मुक्तिमद्विष्टो हतवान्द्विषः । अहो ! महात्मनां कोऽपि, महिमा लोकदुर्लभः ! ॥२॥ सर्वथा निर्जिगीषेण, भीतभीतेन चागसः । त्वया जगत्त्रयं जिग्ये, महतां कापि चातुरी ||३|| दत्तं न किञ्चित्कस्मैचिन्नात्तं किञ्चित्कुतश्चन । प्रभुत्वं ते तथाप्येतत्कला कापि विपश्चिताम् ॥४॥ यद्देहस्यापि दानेन, सुकृतं नार्जितं परैः । उदासीनस्य तनाथ ! पादपीठे तवालुठत् ॥५॥ रागादिषु नृशंसेन, सर्वात्मसु कृपालुना । भीमकान्तगुणेनोः, साम्राज्यं साधितं त्वया ॥६॥ सर्वे सर्वात्मनाऽन्येषु दोषास्त्वयि पुनर्गुणाः । स्तुतिस्तवेयं चेन्मिथ्या, तत्प्रमाणं सभासदाः ॥७॥ " Page #66 -------------------------------------------------------------------------- ________________ महीयसामपि महान्महनीयो महात्मनाम् । अहो ! मे स्तुवतः स्वामी, स्तुतेगोचरमागमः ॥८॥ ॥ इत्येकादशप्रकाशः ॥ 卐 पट्वभ्यासादरैः पूर्व. तथा वैराग्यमाहरः । यथेह जन्मन्याजन्म, तत्सात्मीभावमागमत् ॥१॥ दुःखहेतुषु वैराग्यं, न तथा नाथ ! निस्तुषम् । मोक्षोपायप्रवीणस्य, यथा ते सुखहेतुषु ॥२॥ विवेकशाणैर्वैराग्यशस्त्रं शातं त्वया तथा । यथा मोक्षेऽपि तत्साक्षादकुण्ठितपराक्रमम् ।।३।। यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥४॥ नित्यं बिरक्तः कामेभ्यो, यदा योग प्रपद्यसे । अलमेभिरिति प्राज्य, तदा वैराग्यमस्ति ते ॥५॥ सुखे दुःखे भवे मोक्षे, यदौदासीन्यमीशिषे । तदा वैराग्यमेवेति, कुत्र नासि विरागवान् ? ॥६॥ दुःखगर्भे मोहगर्भे, वैराग्ये निष्ठिताः परे । शानगर्भ तु वैराग्य, त्वय्येकायनतां गतम् ॥७॥ औदासीन्येऽपि सततं, विश्वविश्वोपकारिणे । नमो वैराग्य निनाय, तायिने परमात्मने ॥८॥ ॥ इति द्वादशप्रकाशः ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धगन्धवः ॥१॥ अनक्तस्निग्धमनसममृजोज्ज्वलवाक्पथम् । अधौतामलशीलं त्वां, शरण्यं शरणं श्रये ॥२॥ अचण्डवीरवृत्तिना, शमिना शमवर्तिना। त्वया काममकुटयन्त, कुटिलाः कर्मकण्टकाः ॥३॥ अभवाय महेशायागदाय नरकच्छिदे । अराजसाय ब्रह्मणे, कस्मैचिद्भवते नमः ॥४॥ अनुक्षितफलोदयादनिपातगरीयसः। असङ्कल्पितकल्पद्रोस्त्वत्तः फलमवाप्नुयाम् ॥५॥ असङ्गस्य जनेशस्य, निर्ममस्य कृपात्मनः । मध्यस्थस्य जगत्त्रातुरनङ्कस्तेऽस्मि किङ्करः ॥६॥ अगोपिते रत्ननिधाववृते कल्पपादपे।। अचिन्ये चिन्तारत्ने च, त्वय्यात्मायं मयार्पितः ॥७॥ फलानुध्यानवन्ध्योऽहं, फलमात्रतनुर्भवान् ।। प्रसीद यत्कृत्य विधौ, किङ्कर्तव्यजडे मयि ॥४॥ ॥ इति त्रयोदशप्रकाशः ॥ मनोवचःकायचेष्टाः, कष्टाः संहृत्य सर्वथा । लथत्वेनैव भवता, मनःशल्यं वियोजितम् ॥१॥ संयतानि न चाक्षाणि, नैवोच्छङ्खलितानि च।। इति सम्यक् प्रतिपदा, त्वयेन्द्रियजयः कृतः ॥२॥ योगस्याष्टाङ्गता नूनं, प्रपञ्चः कथमन्यथा । आबालभावतोप्येष, तव सात्म्यमुपेयिवान् ॥३॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૫ विषयेषु विरागस्ते, चिरं सहचरेष्वपि । योगे सात्म्यमदृष्टेऽपि, स्वामिनिमलौकिकम् ॥॥ तथा परे न रज्यन्त, उपकारपरे परे । यथाऽपकारिणी भवानहो सर्वमलौकिकम् ॥५॥ हिंसका अप्युपकृता, आश्रिता अप्युपेक्षिताः । इदं चित्रं चरित्रं ते, के वा पर्यनुयुञ्जताम् ? ॥६॥ तथा समाधौ परमे, त्वयात्मा विनिवेशितः । सुखी दुःख्यस्मि नास्मीति, यथा न प्रतिपन्नवान् ॥७॥ ध्याता ध्येयं तथा ध्यानं, त्रयमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्यं, कथं श्रद्धीयतां परैः ? ॥८॥ ॥ इति चतुर्दशप्रकाशः ॥ जगज्जैत्रा गुणास्त्रातरन्ये तावत्तवासताम् । उदात्तशान्तया जिग्ये, मुद्रयैव जगत्त्रयी ॥१॥ मेरुस्तृणीकृतो मोहात्पयोधिगेप्पिदीकृतः । गरिष्ठेभ्यो गरिष्ठो यैः, पाप्मभिस्त्वमपोहित: ॥२॥ च्युतश्चिन्तामणिः पाणेस्तेषां लब्धा सुधा मुधा । यैस्त्च्छासनसर्वस्वमज्ञान त्मसात्कृतम् ॥३॥ यस्त्वय्यपि दधौ दृष्टिमुल्मुकाकारधारिणीम् । तमाशुशुक्षणिः साक्षादालप्यालमिदं हि वा ॥४॥ स्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्तरैः । विषेण तुल्य पीयूष, तेषां हन्त ! हतात्मनाम् ॥५॥ अनेडभूका भूयासुस्ते येषां त्वयि मत्सरः । . शुभोदर्काय वेकल्यमपि पापेषु कर्मसु ॥६॥ ___. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૬ तेभ्यो नमोऽञ्जलिरयं, तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसैर्यैरात्मासि च्यतान्वहम् भुवे तस्ये नमो यस्यां तव पादनखांशवः । चिरं चूडामणीयन्ते, महे किमतः परम् ? ॥८॥ जन्मवानस्मि धन्योऽस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः 11811 ॥ इति पंचदशप्रकाशः ॥ ॥७॥ 卐 परमानन्द सम्पदम् ॥१॥ स्वन्मतामृतपानोत्था इतः शमरसोर्मयः । पराणयन्ति मां नाथ ! इतश्चानादिसंस्कारमूच्छितो मूर्च्छयत्यलम् । रागोरगविषावेगो, हताशः करवाणि किम् ? ॥२॥ रागाहिगरलाघतोऽकार्ष यत्कर्म वैशसम् । तद्वक्तुमप्यशक्तोऽस्मि, धिग्मे प्रच्छन्नप्रापताम् ||३|| क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । मोहाद्यैः क्रीडयैवाहं, कारितः कपिचापलम् ॥४॥ प्राप्यापि तव सम्बोधि, मनोवाक्कायकर्मजैः । दुश्चेष्टितैर्मया नाथ ! शिरसि ज्वालितोऽनलः ॥५॥ त्वय्यपि त्रतरित्रातर्यन्मोहादिमलिम्लुचैः । रत्नत्रयं मे हियते, हताशो हा! हतोऽस्मि तत् ॥६॥ भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं, मयैकस्तेषु तारकः । तत्तवाघ्रौ विलग्नोऽस्मि नाथ! तारय ! तारय ! ॥७॥ भवत्प्रसादेनैवाह मियतीं प्रापितो भुवम् । औदासीन्येन नेदानों, तव युक्तमुपेक्षितुम् ॥८॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ज्ञाता तात ! त्वमेवैकस्त्वत्तो नान्यः कृपापरः । नान्यो मत्तः कृपापात्रमेधि यत्कृत्यकर्मठः ॥९॥ ॥ इति षोडशप्रकाशः ॥ 5 स्वकृतं दुष्कृतं गर्हन्, सुकृतं चानुदयन् । नाथ ! त्वच्चरणौ यामि, शरणं शरणोज्झितः ॥१॥ मनोवाक्कायजे पापे, कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥२॥ यत्कृतं सुकृतं किंचिद्रत्नत्रितयगोचरम् । मार्गमात्रानुसार्यपि ॥३॥ तत्सर्वमनुमन्येऽहं, सर्वेषामहदादीनां यो योऽर्हत्त्वादिको गुणः । अनुमोदयामि तं तं सर्वं तेषां महात्मनाम् ||४|| त्वां त्वत्फलभूतान् सिद्धांस्तवच्छासनरतान्मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥५॥ क्षमयामि सर्वान्सत्त्वान्सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्रयस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥६॥ raise नास्ति मे कश्चिन्न चाहमपि कस्यचित् । त्वदङ्घ्रिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन ॥७॥ यावन्नाप्नोमि पदवीं, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं मा मुञ्चः शरणं श्रिते ॥ ८ ॥ ॥ इति सप्तदशप्रकाशः ॥ 5 Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૨ न परं नाम मृद्वेव कठोरमपि किञ्चन ॥ विशेषज्ञाय विज्ञप्य स्वामिने स्वान्तशुद्धये न पक्षिपशुसिंहादिवाहनासीन विग्रहः । न नेत्रगात्रवक्त्रादिविकार विकृताकृतिः न शूलचापचक्रादिशस्त्राङ्ककरपल्लवः । नाङ्गनाकमनीयाङ्गपरिष्वङ्गपरायणः ॥१॥ ॥२॥ न न गर्हणीयचरितप्रकम्पितमहाजनः । न प्रकोपप्रसादादिविडम्बितनरामरः न जगज्जननस्थेमविनाशविहितादरः || लास्यहास्यगीतादिविप्लवोपप्लुतस्थितिः तदेवं सर्वदेवेभ्यस्सर्वथा त्वं विलक्षण: । देवत्वेन प्रतिष्ठाप्यः कथं नाम परीक्षकैः १ ॥६॥ अनुश्रोतः सरत्पर्णतृणकाष्टादि युक्तिमत् । प्रतिश्रोतः श्रयद्वस्तु कया युक्त्या प्रतीयताम् ? ॥७॥ अथवाऽलं मन्दबुद्धिपरीक्षकपरीक्षणैः । ममापि कृतमेतेन वैयात्येन जगत्प्रभो ! यदेव सर्वसंसारिजन्तुरूपविलक्षणम् । परीक्षन्तां कृतधियस्तदेव तव तव लक्षणम् 18.11 क्रोधलोभभयाक्रान्तं जगदस्माद्विलक्षणः । न गोचरो मृदुधियां वीतराग ! कथश्चन ॥१०॥ ॥ इत्यष्टादशप्रकाशः ॥ 5 11311 11811 ॥५॥ तव चेतसि वर्त्ते ऽहमिति वार्त्तापि दुर्लभा । मश्चित्ते वर्तसे चेत्त्वमलमन्येन केनचित् ॥१॥ Hell Page #72 -------------------------------------------------------------------------- ________________ निगृह्य कोपतः कांश्चित् , कांश्चित्तुष्टयाऽनुगृह्य च । प्रतार्यन्ते मृदुधियः, प्रलम्भनपरैः परैः ॥२॥ अप्रसन्नात्कथं प्राप्य, फलमेतदसङ्गतम् । । चिन्तामण्यादयः किं न फलन्त्यपि विचेतनाः .. ॥३॥ वीतराग! सपर्यायास्तवाशापालन परम् । । आशाराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥॥ आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा। आश्रवः सर्वथा हेय उपादेयश्च संबरः ॥५॥ आश्रवो भवहेतुः स्यात्संवरो मोक्षकारणम् । . इतीयमाहतीमुष्टिरन्यदस्याः प्रपञ्चनम् इत्याज्ञाराधनपरा, अनन्ताः परिनिर्वताः । । निर्वान्ति चान्ये क्वचन निर्वास्यन्ति तथापरे ॥ हित्वा प्रसादनादैन्यमेकयैव त्वदाशया। सर्वथैव विमुच्यन्ते जन्मिनः कर्मपारात् ॥८॥ ॥ इत्येकोनविंशतितमप्रकाशः ॥ ॥६॥ पादपीठलुठनमूनि, मयि पादरजस्तव । चिरं निवसतां पुण्यपरमाणुकणोपमम् ॥१॥ मदृशौ त्वन्मुखासक्ते, हर्षबाष्पजलोमिभिः । अप्रेक्ष्यप्रेक्षणोद्भूत, क्षणात्क्षालयतां मलम् ॥२॥ त्वत्पुरो लुठनैर्भूयान्मद्भालस्य तपस्विनः । कृतासेव्यप्रणामस्य, प्रायश्चित्तं किणावलिः ॥३॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ मम स्वदर्शमोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालीत्थामसद्दर्शनवासनाम् ॥४॥ त्वद्वक्त्रकान्तिज्योत्स्नासु निपीतासु सुधास्विव । मदीथैर्लोचनाम्भोजैः, प्राप्यतां निर्निमेषता ॥५॥ त्वदास्यलासिनी नेत्रे, त्वदुपास्तिकरौ करौ । त्वद्गुणश्रोतृणी श्रोत्रे, भूयास्तां सर्वदा मम ॥६॥ कुण्ठापि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहण प्रति । ममैषा भारती तर्हि, स्वस्त्येतस्यै किमन्यया! ॥७॥ तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः। ओमिति प्रतिपद्यस्व, नाथ ! नातः परं ब्रुवे । श्रीहेमचन्द्रप्रभवाद्वीतरागस्तवादितः।। कुमारपालभूपालः, प्राप्नोतु फलमीप्सितम् ॥९॥ ॥ इति विंशतितमप्रकाशः ॥ ॥ इति श्रीवीतरागस्तोत्रम् समाप्तम् ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ કાવ્યાનુવાદ કાવ્યાનુવાકર્તાડૉ. ભગવાનદાસ મન:સુખભાઇ મહેતા એમ. બી. બી. એસ. Page #75 -------------------------------------------------------------------------- ________________ જય સહજસ્વરૂપી શુદ્ધ ચિતન્યમૂર્તિ, શ્રીમદ ભગવદીંત ચિત્ય તે શાંતમૂર્તિ કરતું ચિતસમાધિ અર્પતું આત્મશાંતિ, * * હરતું ભવઉપાધિ કાપતું મેહબ્રાંતિ. લલિતવિસ્તરા ટીકા” મંગલાચરણ (સ્વરચિત) Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧ વીતરાગસ્તવ કાવ્યાનુવાદ કાવ્યાનુવાદકત્તાનું મંગલાચરણ દેહરા પરમગુરુ જિનરાજને, નમન કરીને આજ; કલિકાલ સર્વજ્ઞ” નમું, હેમચંદ્ર સૂરિરાજ. હેમચન્દ્ર સૂરીશ્વરે, ભક્તિભરે ભરપૂર વીતરાગ સ્તવ જે કર્યું, કાવ્યરસે ચકચૂર પરમહંત પ્રસિદ્ધ તે, કુમારપાલ નૃપાલ; સ્વાધ્યાયાથે તેહના, સ્તવ જે રચ્યું રસાલ પદે પદે જ્યાં નિર્ઝરે, ભક્તિભાવના સ્ત્રોત અક્ષરે અક્ષર પાવના, કરે શ્રોતૃના શ્રોત્ર અલંકાર લાલિત્ય ને, અર્થગૌરવ પૂર્ણ સુધા સવે હેમચન્દ્ર જે, સોળે કળા પ્રપૂર્ણ ગુજરીમાં તેનું કંઈ કરાવવા રસપાન; કાવ્યાનુવાદ પ્રયાસ આ, કરે દાસ ભગવાન ૪ ૫ પ્રથમ પ્રકાશ મંગલ–પ્રતિજ્ઞાદિ (ઉપોદઘાત) દેહરા પરાત્મા પ તિ જે, પરમેષ્ઠી પરમ સાર; : “આદિત્યવર્ણ” જેને કહે, પ્રાપ્ત તમઃ પર પાર; ઉમૂલિત જેથી સઍલ, કલેશ વૃક્ષ નિઃશેષ ' મસ્તકથી જેને નમે, સુરાસુરેશ નરેશ ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પુરુષાર્થ વિધાતણું, જ્યાંથી સેલ ઉત્થાન ભાવ ભૂત ભાવિ ભવદુ, અવભાસે જસ જ્ઞાન, a બ્રહ્મ જ્ઞાન આનંદ જ્યાં, એક આત્મતારૂપ; તેહ ધ્યેય, શ્રદ્ધેય તે, હું તે શરણ સ્વરૂપ; ૪ સનાથ તેથી હું ધરૂં, તેહ અર્થ અભિલાષ; તેથી થાઉં કૃતાર્થ હું, થઉં તેને હું દાસ; ૫ તેહ વિષે કરી તેત્ર હું, કરૂં પવિત્ર સ્વવાણ; ભવારણ્યમાં જન્મીને, આ જ જન્મફલ જાણે ૬ કયાં હું પશુથી પણ પશુ? વીતરાગસ્તવ કયાંહિ? પદથી અટવી લંઘતા, પંગુ સમ હું અહિ ૭. શ્રદ્ધામુગ્ધ અલું છતાં, ઉપાલંભ નહિં એગ્ય; વાગરચના શ્રદ્ધાની, વિશૃંખલ પણ હેય. ૮ અનુષ્ટ્રમ્ ભગવાન્ હેમચંદ્ર આ, રચેલા સ્તવથી અહે! : કુમારપાલ ભૂપાલ, વાંચ્છિત ફલને લહે! ૯ દ્વિતીયપ્રકાશ વીતરાગના જન્મસહજ ચાર અતિશય ગીતિ પરાગ પ્રિયંગુ, અંજન સફટિક સ્વર્ણ વર્ણ ધરનારી; વિણ ધોયે શુચિ હારી, કાયા ન કેને આકર્ષનારી ? ૧ મંદાર સુમનમાલા, સમા અવાસિત સુગંધી જેહ સદા; એવા તુજ અંગમાં, સુરાંગનાના નયને ભંગ થતા. ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દાહરા દિવ્યામૃત રસસ્વાદથી, જાણે નટ એવા રાગ–ઉરગ તણે!, તુજ અંગે ન - ભુતલ પ્રતિબિંબને, પ્રતિરૂપ તું સ્વેદ આદ્રતા નાશની, તુજ દેહે કયાં મન કેવલ ભગવાન ! રાગમુક્ત વીતરાગ ! ના, રક્ત પણ તુજ દેહનું, છે ક્ષીરધાર સમાન. ૫ વિશ્વ વિલક્ષણ અન્ય શુ, માંસ પણ અષીભત્સ ને, જલસ્થલમાં ઉપજેલ સૌ, તુજ :િશ્વાસ સુગ’ધન, ચમત્કાર કરનાર; à:કેત્તર તુજ ભવસ્થિતિ, (કારણ) ચ ચક્ષુ ગેાચર નહિં, તુજ આહાર નીહાર. ૮ 5 તૃતીય પ્રકાશ : કર્મક્ષયજન્ય અગીયાર અતિશય શાર્દૂ લવિક્રીડિત શ્રી તીર્થંકર નામથી ઉપજતા સર્વાભિમુખ્યે કરી, તું જે સંમુખ સવથા જ જનને આન ંદથી કે ભરી; ને જે ચેાજનના સમેાસરણમાં કેટિ ગમે નાથ ! હે ! તિય ચા અમરા નરા પિરજના સાથે સમાઈ રહે; ૧-૨ અશેષ; પ્રવેશ. ૩ છાંડી અનુસરે નાથ; વાત? ૪ વદવાને હું શક્ત શુભ્ર સુગ ંધિ પ્રશસ્ત્ર. ૬ સુમનમાલ; મધુકાર. છ Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં નિજ નિજ તેહ સહુને હારી મહારિણી, વાણું એકરૃપી છતાં પરિણમે જે ધર્મસંબધિની પૂર્વોત્પન સમસ્ત રેગ-ઇન જે તેથી વધુ જને, મ્હારી નાથ! વિહાર–વાયુ લહરીથી વિખરાયે ક્ષણે ૩-૪ આવિર્ભીત ન થાય જે અવનિમાં તીડે શુકે મૂષકે, નાશે ઈતિ અનીતિ જેમ પળમાં ભૂપ પ્રભાવે પ્રભો ! જે વિરાગ્નિ શમી જતે ઉપજતે સ્ત્રી-ક્ષેત્ર આદિકથી, જાણે ભૂતલ વર્ષના તુજ કૃપાના પુષ્કરાવથી ૫-૬ થાતાં કિંડિમનાદ તુજ અશિશ્કેદી મહિમા તણા, મારીઓ ભુવનારિએ ભુવનમાં જે સંભવે નાથ! ના; ને જે કેવલ વિશ્વવત્સલ વિભુ ! તું કામવર્ષો સતે, લેકેને અતિવૃષ્ટિ તાપ ન કરે, નિવૃષ્ટિ ના દુઃખ દે, ૭-૮ સર્વે મુદ્ર ઉપદ્રો ઉપજતા અન્ય–સ્વ રાષ્ટ્રો થકી,. નાશે જે જ્યમ સિંહનાદથી ગજે હારા પ્રભાવે નદી, જે અદ્ભુત પ્રભાવી જંગમ તરુકલ્પ વિકીપતિ ! " તું જ્યારે વિહરે તહીં ક્ષિતિમહીં દુભિક્ષ પામે ક્ષતિ, ૯-૧૦ ના હે દુષ્કર દેખવું તુજ તનુ તે માટે ભામંડલ, શીર્ષે પશ્ચિમ ભાગ સંસ્થિત જ જે તે રવિમંડલ; એ જે તુજ ચગરાજ્ય મહિમા ઉદ્ભૂત કર્મક્ષયે, વિક વિશ્રુત તેહં મગ્ન ન કરે કોને મહા વિસ્મયે ૧૧-૧૨ (બાર લેકને સહસંબંધ) + ર, * ** * * * * + ન ન. 1 કર - વાલાયદો Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૭ નારાય પ્રવૃત્ત એમ તું ઉપાયમાં ક્રિયાનુશીલને, પરા શ્રી પ્રાપ્ત જેથી તે ન ઈચ્છતાં ઉપેયને ! અનંતકાલ સંચિતા અનંત કર્મકક્ષને, સમૂલ ઉન્મેલે ન અન્ય તું વિના ત્રિભુવને. ૧૩–૧૪ અનુષ્ય, પવિત્ર પાત્ર મૈત્રીના, મુદિતા-મુદિતાત્મ ને નમઃ કૃપાળુ મધ્યસ્થ, ગાત્મા ભગવાન્ ! તને. ૧૫ ચતુર્થ પ્રકાશ દેવક્ત અગીયાર અતિશય મંદાક્રાંતા મિથ્યાત્વને પ્રલય રવિ સદ્દષ્ટિ સુધાંજના છે, તીર્થ શ્રીના તિલકપ તે ચક અગ્રે વિરાજે; “સ્વામી એક ત્રિજગમહિં આ’ એમ ઉદ્ઘેષવાને, છે ઇંદ્રધ્વજ છલ કરી તજની ઊર્ધ્વ જાણે ! ૧-૨ જ્યાં જ્યાં હારા પદ પદ ધરે ત્યાં સુરાસુર વૃદ, વેરે લક્ષ્મી કમલછલથી પદ્મસઘા સુનીંદ ! એકી સાથે ચઉવિધ હે ! ધમ ઉદ્ધ વાને, માનું છું હું ચઉમુખ પ્રભો ! તું થયા હોય જાણે! ૩-૪ ત્રિથી તું ત્રિભુવન ત્રાણાથે પ્રવૃત્ત થાતાં, ત્રિપ્રાકારે ત્રિભુવનપતિ ! ત્રિદશથી રચાતા; પૃથ્વીમાં તું વિભુ ! વિહરતાં કંટક થાય ઉંધા, ભાનુ સામે ઘુડ તિમિર વા શું ધરે મુખ ઉંચા? ૫-૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કેશ મન્નુ નખ પ્રમુખ ત્હારા અવસ્થિત્ રહે છે, ના તીથિકા અપર મહિમા માહ્ય એવા લહે છે; શબ્દ સ્પશ પ્રમુખ વિષયા પાંચ હારી સમીપે, તાર્કિકાવત્ પ્રતિકૂલપણું ના ભજે છે જરીકે. ૭–૮ એકી સાથે ઋતુ સહુ કરે તાહરી પાદસેવા, જાણે મ્હીને સતત સ્મરને સ્પાય દીધાથી દેવા ! દેવા ગયાદક કુસુમની દિવ્ય વૃષ્ટિ કરીને, પૂજે ભાવી તુજ ચરણુ સંસ્પર્શે ચાગ્યા મહીને. ૯–૧૦ પક્ષીએ કે નિરખી જગને દે પ્રદક્ષિણ ત્હારી, તુમાં વામાચરણુ જનની રે ! ગતિ શી થનારી પંચદ્રી'નું તુજ સમીપમાં હાય દૌ:શીલ્ય શાને ? વાયુ એકે દ્રિય પણ મૂકી વંદે વૃક્ષેા તુજ સુમહિમાથી ચમત્કાર પામી, તેથી હેનું શિર કૃતી જ મિથ્યાત્વીનું બ્ય નામી; દે પ્રતિકૂલતાને. ૧૧-૧૨ કાટિ સંખ્યા સુર અસુર સેવે તને તેા જન્મે, મંદો ચે ના અલસ ભગવાન ! અર્થાંમાં પ્રાપ્ય પુણ્યે. ૧૩–૧૪ 卐 Page #82 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકાશ અષ્ટ પ્રાતિહાર્ય દેવત અતિશય) ' માલિની ભ્રમર રવથી જાણે ગાન ઉચે કરતે ! ચલ દલ થકી નાટારંભ જાણે રચંતે ! તુજ ગુણગણ દ્વારા રક્ત જાણે વિલક ! પ્રમુદિત અતિ થાત વૃક્ષ એ અશક. ૧ સમવસરણમાંહી જને જાનુ સૂધી, સુમન સુમન વેરે ડીંટડી જાસ ઉધી, ધ્વનિ ય પુનિત હારે માલકેશાદિ રાગે, મૃગથી પણ પવા ઊર્ધ્વ કઠે સુરાગે. ૨-૩ ધવલ શશિકર શી ચામર શ્રેણી ચારુ, મુખકમલ ઉપાસે હંસ પંક્તિ જ ધારું ! તું ધરમ કથતે સિંહાસનારૂઢ થાવે, તહિં મૃગ સુણવા શું સિંહ સેવાર્થે આવે ? ૪-૫ ઘુતિથી પરિવર્ષે તું ચંદ્ર જેનાથી જેમ, મુદ નયન–ચકોને દોએ અત્ર તેમ; નભમહિં ગરજતો દુંદુભિ ઉગ્ર નાદે, જગમહિં તુજ આપ્ત પ્રાજ્ય સામ્રાજ્ય ભાખે, ૬-૭ ઉપર ઉપર હારા પુણ્યદ્ધિ ક્રમે શા, ત્રિભુવન પ્રભુતા ત્રિ આતપત્ર પ્રકાશે; નિરખી ચમતકારી પ્રાતિહાર્ય શ્રી હારી, અચરજ ન જ પામે ક ય મિથ્યાત્વધારી ? ૮-૯ 1 . Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પષ્ટ પ્રકાશ વીતરાગના પ્રતિપક્ષને નિરાસ વંશસ્થ–ઇદ્રવંશા નેત્રો પ્રતિ સ્વામિ ! સુધાંજના સમા, લાવણ્ય-પુણ્યા તનુવંત આપમાં મધ્યસ્થતા યે દુઃખ અર્થ થાય છે; તે દ્વિષથી નિન્દનની શું વાત છે? ૧ ત્યારે ય હે નાથ ! વિપક્ષ વત્તતે, ને તે ય કે પાદિથી વિસ્તુતે થતું એ કિંવદન્તી પણ અત્ર સાંભળી, વિવેકીએ જીવન શું ધરે વળી ? ૨ વિરક્ત જે તે પ્રતિપક્ષ વત્તતે, તે તેહ તે તાત ! પ્રતીત તું તે; જે રાગ તે તે ન વિપક્ષ તૂજને, અદ્યત શું હાય વિપક્ષ સૂર્યને ? ૩ અનુત્તરે તે લવસત્તમે અહા ! મ્હારા પ્રત્યે ! ગતણું કરે સ્પૃહા, તે રોગમુદ્રાદરિદ્રી બીજા તણી, શી પૂછવી વાત જ તે સંબંધની ? ૪ તને અમે નાથ પ્રભે ! સ્વીકારીએ, તને સ્તવીએ તુજને ઉપાસીએ; ત્રાતા તહીથી પર કઈ છે નહિં, શું બલિયે ? શું કરિયે અમે અહીં? ૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મલિન આચાર સ્વયં ધરાવતા, પ્રતારણાતત્પર જેહ વર્તતા એવા પરથી જગ આ ઠગાય રે ! પિકાએ કેની સમીપમાં ? અરે ! ૬ છે સર્વદા મુક્ત છતાં ય વિશ્વના, કરી રહ્યા સજન-નાશ-પાલના ! એવા જ વધ્યાસુત તુલ્ય દેવને, આ છે કિયે ચેતનવંત ભવને ? ૭ કામાત્ત જે ને જઠરાગ્નિ આર્તા જે, એવા ય દેવોથી થતા કૃતાર્થ જે ! દેવાસ્તિકે તે પર દર્શને તણા, હા હા ! કરે નિદ્ભવ તું સમાનના ! ૮ ખપુષ્પ જેવું ઉતપ્રેક્ષને કંઈ અને અહીં માન પ્રકલ્પને કંઈ ગજત ગેહે પર વાદી એહવા, ન માય દેહે ત્યમ નિજ ગેહમાં !! ૯ રાદ્ધતા નેહરાગ દઢ કામરાગ શક્ય છે સહજમાં દષ્ટિરાગ પણ દુષ્ટ સંતને પણ સુદુષ્કરે વા, નિવારવા; છે, હો. ૧૦ mal Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દષ્ટિ તે સમ, મુખ પ્રસન્ન ને, જેહનું વચન પ્રિય લેકને; એહવા પ્રીતિપદા ય તું પ્રતિ, રે ઉદાસ જન મૂઢ દુર્મતિ. ૧૧ અનુષ્યપ થંભે વાયુ દવે અદ્રિ, જલ જવલે કવચિત્ યદિ; તેય આપ્ત થવા ગ્ય, રાગાદિસ્ત ના કદી. ૧૨ સપ્તમ પ્રકાશ જગકર્તુત્વવાદ નિરાસ રદ્ધતા પુણ્ય પાપ વિણ દેડ હેય ના, દેહ વિણ મુખ તેમ હેય ના; વકતૃતા મુખ વિના ઘટે નહિ, શાસનાર પર કેમ તે અહીં ? ને દેહતણ વિશ્વસને, એ પ્રવૃત્તિ પણ ગ્ય ન બને; કે પ્રજન જ તેહને નથી, (કારણ) તે સ્વતંત્ર પર આણમાં નથી. જે કૉડ થક પ્રવૃત્તિ આદર, તે ય બાલ જ્યમ રાગી તે કરે; ૧ ૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩ ૪ ૫ જે કૃપાથી જગ સજના કરે, તે સુખી જ સહુને સૂજે ખરે ! દુઃખ દુર્ગતિ અને દરિદ્રતા, મૃત્યુ જન્મ પ્રમુખે દુઃખી થતા; લેકને જગતમાંહિ સર્જાતાં, તે કૃપાલત શી કૃપાલા ? જે ય કર્મના કરે અપેક્ષણ, આપણી જ્યમ સ્વતંત્ર તેહ ના કર્મજન્ય જ વિચિત્રતા ગણે, તે શું શભપુતળે જ કામને ? આ મહેશની સ્વભાવવત્તા , જે વિતર્ક કરવા જ એગ્ય ના; તે પરીક્ષકતણા પરીક્ષણે, તેહ ડિડિમ નિષેધ બને. વોટક , પણ જે સહુ ભાવનું જ્ઞાતૃપણું, અહિં સંમત હાય જ કપરું, અમને પણ સંમત તે વરતે, (કારણ) સરવજ્ઞ વિમુક્ત શરીર સને. અપ્રમાણ જ આમ ગણી લઈને, જગસૃષ્ટિ કુવાદ મુકી દઈને; તુજ શાસનમાં જન તેહ રમે, ભગવાન ! પ્રસન્ન જિહાં જ તમે. E ૬ ૭ ૮. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અષ્ટમ પ્રકાશ; એકાંતઉત્થાપન, અનેકાંતપ્રતિષ્ઠાપન દાહરણ સત્ત્વ નિત્ય એકાંત તે, અકૃતાગમ કૃતનાશ; જો એકાંત અનિત્ય તા, અકૃતાગમ કૃતનાશ. આત્મા નિત્ય એકાંત તા, ના સુખ દુઃખના ભાગ; જો એકાંત અનિત્ય તા, ના સુખ દુઃખના લેગ. ન નિત્ય એકાંતિક મતે, અધમેાક્ષ પુણ્યપાપ; ન અનિત્ય એકાંતિક મતે, ધમાક્ષ પુણ્યપાપ. ક્રમ-અક્રમથી નિત્યની, અક્રિયા નહિઁ યુક્ત; ત્યમ એકાંતે ક્ષણિકમાં, અથ`ક્રિયા નહિં યુક્ત. નિત્ય અનિત્ય સ્વરૂપતા, જ્યારે વસ્તુના હોય; જેમ ભાખી ભગવાન ! તેં, ત્યારે દ્વેષ ન કાય. ગાળ ખરે! કહેતુ છે, ને સુ પિત્તનિમિત્ત; તેડુ ઉભયમય ઔષધે, છે નĆિ દોષ સ્વચિત. સત્ પ્રમાણુથી ઉભય તે, એક સ્થળે ન વિરુદ્ધ; મેચકાદિ વસ્તુ વિષે, દૃષ્ટ જ વધુ વિરુદ્ધ, ન અનુષ્ટુપ એક વિજ્ઞાન આકાર, નાના એવા તથાગત પ્રાન, ન આકાર જે ગણે; અનેકાંતને હુશે. ૧ . Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ચિત્ર અનેક ને એક-રૂપ પ્રમાણુ જે ભણે; તે વિશેષિક નિયાયી, ને અનેકાંતને હણે. ૯ સત્ત્વઆદિક વિરુદ્ધ, ગુણે યુક્ત પ્રધાનને; ઈચ્છતે સાંખ્ય વિદ્વાન, ન અનેકાંતને હણે. ૧૦ નથી ચાર્વાકની જેતી, વિમતિ તેમ સંમતિ, આત્મા–પરભવે મોક્ષે, જેની મુંઝાય છે મતિ. ૧૧ (તેથી) ઉત્પાદ વ્યય ને સ્વૈર્ય, યુક્ત સ ગેરસાવિત ભગવાન! તેં પ્રબોધેલું, સ્વીકારે જન બુદ્ધિમત્, ૧૨ નવમ પ્રકાશ કલિકાલપ્રશંસા દેહરા અલપકાળમાં તુજ જ્યાં, ભક્તિફલ મળતું જ; કલિકાલ જ તે હે ભલે ! કૃતયુગાદિથી શું જ? ૧ સુષમ થકી દુઃષમ વિષે, સફળ કૃપા તુજ થાય; મર્સમાં કલ્પતરુ સ્થિતિ, મેરું કરતાં શ્વાધ્ય. ૨ શ્રાદ્ધ શ્રોતા વક્તા સુધી, ઉભય ગ જે થાય; તુજ શાસન સામ્રાજ્ય તે, એકછત્ર કલિમાં ય. યુગાન્તરે પણ નાથ ! જે, ઉÚખલ ખલ લેક; તે કલિ વામગતિ પ્રતિ, વૃથા જ કરીએ કેપ. ૪ કલિ જે કષપાષાણુ છે, પ્રસાધવા કલ્યાણ અગ્નિ વિણ ના અગરુને, વધે ગંધ મહિમાન. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ત્રાટક દપ રાત્રિ વિષે, દ્વીપ અબ્ધિ વિષે, મમાં તરુ, અગ્નિ ય હિમ વિષે કલિમાં મળી દુર્લભ તેમ ઘણી, રજની કણ તુજ પદાજ તણી. ૬ પ્રભુ ! અન્ય યુગે પણ હું ભટકયે, તુજ દર્શન વિણ કૃતી ન થયે; કલિકાલ પ્રતિ નમને અમ હે! તુજ દર્શન જે મહિં પ્રાપ્ત અહે! ૭ ભગવાન ! તું દેષ વિહીન થકી, કલિ શેભાં રહ્યા બદલી નકી, વિષ ધારક જેમ ફણીન્દ્ર ખરે ! વિષહારક રત્નથી શુભ ધરે. ૮ . દશમ પ્રકાશઃ સર્વઅદભૂતનિધિ વીતરાગના વિરોધાભાસી ગુણ લલિત મુજ પ્રસન્નતાથી પ્રસન્ન તું, તુજ પ્રસન્નતાથી પ્રસન્ન હું ઉભયઆશ્રિ આ નાથ ! ભેદ ! તુજ પ્રસન્નતા મુજ પરે હ ! ૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ વાહ ૨ ૩ તુજ સુરૂપ લક્ષમી નિહાળવા, પ્રભુ ! સહસઅક્ષી ય શક્ત ના તુજ ગુણ ઘણુ નાથ ! વર્ણવા, વળી સહસજીહી ય શકત ના. સુર અનુત્તરે વાસિના ય રે ભુવનનાથ ! તું સંશયે હરે; ગુણ શું કે જે એહથી પરે, સ્તવન યોગ્ય છે વસ્તુતઃ ખરે? પુરુષ જે અશ્રદ્ધા ધરાવતે, કયમ વિરુદ્ધ આ તેહ શ્રદ્ધતે ? તુજ પ્રસક્તિ આનંદ સૌખ્યમાં, ત્યમ વિરક્તિ તે એક કાળમાં? પ્રભુ ! ઘટાવવા આવતી છતાં, ક્યમ ઘટે જ આ વાત દુર્ઘટા? સકલ સત્ત્વ પ્રત્યે ઉપેક્ષિતા, પરમ આ વળી ઉપકારિતા. દ્રય વિરુદ્ધ આ નાથ ! છે તને, નહિં જ એમ તે અન્ય કેઈને, પરમ જેહ નિર્ચથતા અને, પરમ ચક્રવર્તિત્વ જે તને. જસ અપૂર્વ કલ્યાણપર્વમાં, મુદિત નારકીઓ ય સર્વમાં ૪ . ૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ તસ પવિત્ર ચારિત્ર વધુવા, પુરુષ કાણુ થાયે સમથ દાહશ ૩૮ શમ અદ્ભુત અદ્ભુત દૈયા, અદ્ભુત રૂપ પ્રધાન; સવ અદ્ભુતિનિધ ઈશા, નમઃ તને ભગવાન ! 5 એકાદશ પ્રકાશ : અદ્દભુત વિલક્ષણ મહિમાતિશય સ્વાગતા વૃત્ત પરીષહની સેન હણુતા, પ્રતિક્ષેપ મુક્તિ ભાગવી મૈં હણ્યા તું ઉપસગ તાય પ્રાપ્ત શમ સુસ્થિતિને હું, કેાઈ ચાતુરી મહેત જને અરક્ત છતાં તે ! દ્વિષ અદ્રષ છતાં તે! લાકડુલભ જ કેાઈ મહિમા, છે મહાત્મજનના સવ થા ન જીતવા પાપથી ય વા ? છ છનારા, મહુ મહુ તેં કરી ōત ત્રણે ત્યંત ત્રણેભુત્રનાની, કાઈ ચાતુરી મહેત મહીમાં. કરતા; શુ । ૧ ડરનારા; જનેાની ! Page #92 -------------------------------------------------------------------------- ________________ તું કઈને કઈય. તેં કઈ પાસથી ન તે દેહદાનથી ઈ. તાય તુજ પ્રભુતા પ્રભુ ! આ છે ! એવી કે ભુજનાના કલા સમૃત રામ ય અન્યદશ નીય ઉદાસીનની સવ થા આવો સવ ભીમ-કાંત તુથી આદિ સવ થા હાય એ હા નાથ ! આત્મ ૩૯ પ્રતિ અતિ સાધિત સકલ ન જ દ્વીધું, અન્ય પાદપ સ્વયમેવ ના જે, ઉપાજે; તે, કર પ્રતિ એ 品 સકલ શુ સ્તુતિ જે તુજ સભાસદ લુઠે દાષ પરામાં, દયાળુ, પ્રમાણ પૂ ગુણવંત, સુરાજ્ય મહત. લીધું; મિથ્યા, છે ! તે. કૃપાળુ; તુ હીમાં; અહીં આ ! દાહા તું મહુનીય મહાત્મ ને, મહાનથી ય મહાન; આવ્યે મુજ સ્તુતિગેાચરે, સ્તવતાં હે ભગવાન! ૮ દ ७ Page #93 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પ્રકાશઃ અદ્દભુત અલૌકિક વૈરાગ્ય –અનુષ્યપટુ અભ્યાસથી પૂર્વે, એવે વૈરાગ્ય તે લદ્યો; કે તે આજન્મ આ જમે, સાત્મભાવ ધરી રહ્યો. ૧ નાથ ! નિખુષ વૈરાગ્ય, ના તે દુઃખહેતુમાં મોક્ષેપાયે પટુ હારે, છે જે સુખહેતુમાં. ૨ વૈરાગ્ય શસ્ત્ર તેં એવું, સજું વિવેક-શાણમાં કે મેક્ષે પણ તે સાક્ષાત્, અકુંઠિત પરાક્રમી. ૩ જ્યારે નરેંદ્ર દેવેંદ્ર, શ્રી ભગવાય તે થકી, ત્યારે ય રતિ જ્યાં ત્યાં તે, હારી વિરક્તતા નકી. ૪ નિત્ય વિરક્ત કામેથી, તું જ્યારે યુગ સંગ્રહે, સયું આથી!” ગણું ત્યારે, વરાગ્ય ઉગ્ર તું લહે. ૫ સુખે દુઃખે ભવે મોક્ષે, જ્યારે ઔદાસ્ય ધાર તું, વિરાગ્ય જ તને ત્યારે, ક્યાં ન વિરાગ્યવાન છે? ૬ દુઃખગભ મોહગર્ભ, વૈરાગ્યે નિષ્ઠ છે પર જ્ઞાનગર્ભ તેમાં પાપે, એકાશ્રીયપણું ખરે. ૭ સદા ઔદાસ્યતામાં યે, તું વિશ્વ વિશ્વોપકારિને; વૈરાગ્યનિન તું તાયી, હે નમઃ પરમાત્માને. ૮ ગયાદશ પ્રકાશઃ અદ્દભુત વિશ્વોપકારિપણું –શિખરિણી– વિના બેલાવેલા જગહિતકરા! હાયક તમે, વિના નિમિત્ત હે જગહિતકરા ! વત્સલ તમે; Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વિના અભ્યર્થેલા જગહિતકરા! સાધુ ય તમે, વિના સંબંધે હે જગહિતકરા! બાંધવ તમે. ૧ વિના વિલેપાયું મન જસ અહે! સ્નિગ્ધ વરતે, વિના માન્યું જેને વચનપથ વિશુદ્ધ વરતે; વિના ધાયું જેનું શલ અમલ વત્તે ભુવનમાં, જઉં હું એવા તું શરણરૃપ કેરા શરણમાં. ૨ અચંડા વીરા ને શમિ પ્રથમવત્તિ પ્રભુ થકી, કુટાયા કાંટાઓ કુટિલ કરમરૂપ નકી; મહેશા નિજમા અગદ નરકોછેદનકરા, અરાજસ બ્રહ્મા કે તુજ પ્રતિ નમઃ હે ભવહરા! ૩-૪ અસિચેલા ભારે ફલથી અનિપાતે ગુરુ બહુ, અસંકપેલા તું કલપતથી હું ફલ લહું; અસંગા લકેશા નિરમમ કૃપાત્મા તુજ તણે, મધ્યસ્થા વિશ્વત્રા કિંકર જ અનંકી મુજ ગણે. ૫-૬ નહિ ગોપાવેલા રતનનધિ તું હે મુનિવરા! ન વૃત્તિ વીટેલા કલપતરુ તું હે મુનિવરા! ન ચિત્તેલા ચિન્તામણિ રતન તું હે મુનિવરા! તું એવાને આત્મા અરપણ કર્યો મેં મુનિવર ! ૭ પ્ર! તે વતું નકી ફલ અનુધ્યાન રહિત, અને તું તે વત્ત તનુ ફલરૂપી માત્ર ધરતે; Page #95 -------------------------------------------------------------------------- ________________ અહીં કિંકર્તવ્ય મુજ જડે પ્રતિ હે મુનિવર ! * વિધિકૃત્યે મહારા અનુગ્રહ કરે હે મુનિવર ! ૮ ચતુર્દશ પ્રકાશઃ અદ્દભુત અલૌકિક યોગમાહાભ્ય –દોહરા– ચેષ્ટા મન-વચ-કાયની, કષ્ટ સંહરી સાવ; તે મનઃશલ્ય વિજિયું, શ્લથપણને પ્રભાવ. ઇંદ્રિય સંયત ના કરી, ન જ ઉછૂખલ કીધ; એમ સમ્યક્ પ્રતિપદ વડે, તેં ઇંદ્રિયજય કીધ. ૨ અરે ! ગઅષ્ટાંગતા, પ્રપંચ-નહિં તે કેમ; બાલ્યથી માંડી યોગ આ, સામ્ય પ્રાપ્ત તુજ એમ? ૩ ચિર સહચરા ય વિષયમાં, સ્વામી! તુજ વિરાગ; અદષ્ટ ચેમે ય સામ્ય એ, અલૌકિક વીતરાગ! ૪ ઉપકારપરા પર પ્રતિ, પરો ન જ્યા તેમ; જે તું અપકાર પ્રતિ, સર્વ અલૌકિક એમ. ૫. હિંસક પણ ઉપકૃત કર્યા, આશ્રિત ય ઉપેક્ષિત પૂંછી શકે એમ કેણ આ, હારૂં ચિત્ર ચરિત્ર? ૬ એવે નિવેશે આત્મ તે, પરમ સમાધિમાંહિ; " કે સુખી દુખી છું છું નહિં, ભાન રહ્યું ન આંહિ. ૭ Page #96 -------------------------------------------------------------------------- ________________ ધ્યાતા ધ્યેય ને ધ્યાન એ, એકાત્મતાગત ત્રણ્ય; એવું યાગમાહાત્મ્ય તુજ, કેમ જ શ્રદ્ધે અન્ય ? ૧૫. પ્રકાશઃ અનન્ય વીતરાગશાસન પ્રાપ્તિથી સ્વધન્યતા —શાલિની— વિશ્વત્રાતા ! ત્રિશંગે જીતનારા, દરે એવા હા ગુણા અન્ય હારા ! મુદ્રાથી ચેશાંત ઉદાત્ત માત્ર, જીતાયું છે ત્રિજગત્ પૂજ્યપાત્ર ! જે પાપીથી તુ ગરિષ્ઠે ગરિષ્ઠ, નિન્દાયે વા વા અડ્યા વિરે; માહે તેણે મેરુને તૃણુ કીધા, અભેધિને ગેાપદીમાત્ર કીધે. ચૂકયો ચિન્તારન તે હાથમાંથી, સુધા મુધા લખ્યું છે તેનાથી; જે અજ્ઞાને આત્મસાત્ ના જ કીધું, ત્હારા શાસન્ કેરૂ... સÖસ્ત્ર સી. દ્ઘારા પ્રત્યે દુષ્ટ જે પાપકારી, જે દૃષ્ટિ ધારે તેને અગ્નિ ઉલકાકારધારી; ના મામાના ડ સયુ`. આ ખેલવાથી ! સાક્ષાત્ કાંઈ વાધે ન આથી. વાણી ૧ ૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ ** દ્ઘારા શાસન્નું ખીજા શાસનેાથી, સામ્ય સ્વામી ! માન્ય છે જે જનથી; જાણે ! ૨! ૨! એવા તે હુતાત્મા જાને, વત્ત સુધા વિષની તુલ્ય મ્હેરા મૂંગા થૈ જો લેાક તેડુ, હારા પ્રત્યે મત્સરી હૈાય જે; પાપી કમે જે વૈકલ્પ નાથ ! થાયે તે તે શુભ અભ્યુદયા. તે પ્રત્યે હૈ નમઃ ! અંજલિ હા ! ઉપાસીએ આ અમે તેહને હા! જેણે ત્હારા શાસનામૃત્ રસાથી, સિગ્યે આત્મા નિત્ય આ ઉલ્લસેાથી. તે ભૂમિને હ। નમઃ જ્યાંહિ ત્હારા, પાદાજોના તે નખાંશુ પ્રસારા; શેભા ચૂડારત્નનીચિર ધારે, આથી ખીજુ એલિએ શુ વધારે ? હું છું સાચા જન્મવઃન્ ધન્ય હું છું, નિશ્ચે સાચા કૃતકૃત્યી જ હું છું વારવારે લપટા જે હું આમાં, હારા ગુણગ્રામની L રમ્યતામાં. ૫ ૐ . Page #98 -------------------------------------------------------------------------- ________________ ષડશ પ્રકાશ સ્વ રાગાદિદેષનું ખેદનિવેદન “દુખ દાહગ રે કન્યા –એ રાગ. તુજ મત અમૃત પાનથી રે, શમરસ ઊમિ ઉઠત; એક બાજુ મુજને એ રે, સંપદ પરમાનંદ... રે પ્રભુજી! શું કહું વીતક વાત?.. અનાદિ સંસ્કારે મૂરિ રે, - રાગ ઉરગ વિષાવેશ; એક બાજુ કરે મૂચ્છિત મને રે, કરૂં રે! હું હતાશરે પ્રભુજી! સ રાગ ઉરગ વિષ વેગ વશે રે, કર્યું કરમ જે આપ; તે વદવા ય અશક્ત છું રે, ધિક્ મુજ પ્રચ્છન્ન પાપ!...રે પ્રભુજી!. ૩ ક્ષણ સત ક્ષણ મુક્ત વળી રે, ક્ષણ કુદ્ધ ક્ષણ ક્ષમી જ; કપિચાપલ હું કરાવિયે રે, મહાદિથી કાડથી જ રે પ્રભુજી ! ' તુજ બોધિ પામીને ય મેં રે, મન-વચ-કાયના નાથ પચાપલ * Page #99 -------------------------------------------------------------------------- ________________ દુદ્ઘતિથી નિજ શિરે રે, અગ્નિ જલા હાથ... રે પ્રભુજી!. ૫ ત્રાતા ! તું ત્રાતા તે રે, રત્નત્રય મુજ ખાસ હરાય મેહાદિ ચારથી રે, હત છું હા! હું હતાશ...રે પ્રભુજી!. ૬ તીર્થો ભયે મેં તે દીઠે રે, તું એક તારણહાર, તેથી તુજ ચરણે લાગિયે રે, નાથ હે!તાર રે!તાર!...રે પ્રભુજી!. ૭ તુજ પ્રસાદે જ પહોંચાડિયે રે, આટલી ભૂમિ હું જ; હવે ઔદાસીન્યથી તને રે, યુક્ત ન ઉપક્ષવું જરે પ્રભુજી!. ૮ જ્ઞાતા તાત! તું જ એક છે રે, કૃપાપર તુંથા ન અન્ય કૃપાપાત્ર હુંથી અન્ય ના રે, કૃત્ય કર્મઠ કર ધન્ય..રે પ્રભુજી! ૯ સપ્તદશ પ્રકાશ આત્મનિંદા અને વીતરાગ શરણપત્તિ –વૈતાલીયનિજ દુષ્કત ગઈ તે અતિ, સુકૃતને અનુદતે અતિ; Page #100 -------------------------------------------------------------------------- ________________ શરણાથી રહિત શરણું આ મન વાકૂ તન પાપ અનુમાછુ વળી વળી પ્રભુ ! કઈ સરવે ૪૭ મિથિયા મુજ દુષ્કૃતા જે જે હો ! ધરી બુદ્ધિ ફરી તેહ ના થજે ! રત્નત્રય સબંધમાં, માર્ગાનુસર જે અવળુ ચરાયલન અરહું ત આદિના, ` ગુણુ જે જે અરહત્ત્વ આફ્રિકા; પ્રમાદથી ઘણા, સહુ તે તે ગુણ તે મહાત્મને. ગુણુ સુકૃત અનુમાદક નાથ ! તુજ ચનું ગહું. જે કર્યું, અનુમા તુજને, ફૂલ તુજ સિદ્ધને, કરાવિયું; પ્રખ ધમાં; ભલું. તુજ શાસનને ય શણ હું, ભગવાન ! ભાવથી પ્રપન્ન છું. જીવ સરવે સાસનરક્ત સાધુને; તુજ સરવે સરવે પ્રતિ મત્રી મુંજ છે, શરણુ એક જ જાસ તું જ છે. છું હું એક ન કાઈ માહુરા, ન જ છું હું પણું કાઈ ના ખરા; ખમાવતા, જીવ મને ખમાવો ! ૨ ४ Page #101 -------------------------------------------------------------------------- ________________ નથી દીનપણુ તુજ પ્રભુ ! તું ૪૮ કોઈ મને. ચણ પ્રભાવથી શરણે રહેલને. તંત્ર ખરા, પદવી પામું ન જ્યાંલગી પરા; શરણ્યપણુ મ મુકજે, મુજમાં — જે તુજ શને ભજે. SR અષ્ટાદશ પ્રકાશ : વીતરાગનું વિલક્ષણ દેવપણુ —ભૂજ ́ગી— મૃદુ માત્ર વિજ્ઞષ્ય ના તૂજ આગે, કરૂ` ય વિજ્ઞાપવુ વિજ્ઞાપવુ ચાગ્ય ભલે આકરા માણુ જેવું જ લાગે. સ્વઅન્તઃતણી શુદ્ધિ આ ચેાગ્ય લાગે; દાસ માગે; નથી તું બિરાજ્યા જા જેમ દેવા, પશુ પક્ષિવા સિંહના વાહને વા; નથી નેત્ર ગાત્રે ચ વત્રે વિકાર, વિકારી ય આકાર હારા લગાર; નથી ફૂલ કે ચાપ ચક્રાદિ શત્રુ, થયે તૂજ હસ્તાબ્દ અ ંકિત અત્ર; નથી અંગના અગ ગ આલિંગવાને, થયે। તત્પર તું ઉમંગા . આણે; ७ ૩. Page #102 -------------------------------------------------------------------------- ________________ x નથી કંપળ્યા તે મહાલેાક અત્રે, સ્વના ગહુવા ગ્ય કૂડા ચરિત્ર; નથી તે વિડખ્યા નરો વા સુરે વા, પ્રકાપે કરી કે પ્રસાદે કરી વા; ૪૯ નથી તે. જગજન્મ કે સ્થય નાશે, કઈ આદરી તા કરેલા જ ભાસે; નથી હાસ્ય ને લાસ્ય ગીતાદિ દ્વારે, સ્થિતિ વિષ્ણુતા તે કરી કા પ્રકારે; સહું દેવથી એમ સવ પ્રકારે, અહે ! છે તું વિલક્ષણા એ પ્રકારે; પરીક્ષાકરાએ તને નાથ ! પ્રીતે, પ્રતિષ્ઠાપવા દેવતાવે શી રીતે ? અનુશ્રાત તા વ્હેણુ સાથે વંતા, તૃથૈા પણું કાષ્ઠાદિક પ્રતિશ્રોત જે વ્હેણુની જાય સામે, ♦ યુક્તિમતા; સ શાઁ યુક્તિથી તે વસ્તુ પ્રતીત પામે ? મંદબુદ્ધિ પરીક્ષાકરાની, પરીક્ષાથી ! તું નાથ ગુણાકરાની; માહરા ચેલેંજાળુપણાથી, કથુ નાથ ! ખુલ્લેખુલ્લુ સાવ આથી, અહિં સસંસારિ પ્રાણી સ્વરૂપ, વિલક્ષણું તુજ રૂપ; સ થકી જે જ “ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ખરે! તે જ આ લક્ષણ સ્વામિ ! ત્હારૂં, પરીક્ષા ભલે કૃતષીએ જ ભય ક્રોધ ને લેાભ આક્રાંત એવા, જગથી તું વિલક્ષણા અડ્ડા વીતરાગી ! તું કોઈ નથી ' દેવદેવા ! પ્રકારે, વારું! ૯ E એગણીશમા પ્રકાશ : આજ્ઞાઆરાધન ભક્તિથી મુક્તિ • અભિનંદન જિનદરિશન તરસિય’- એ રાગ તુજ ચિત્ત હું વતુ નાથ રે! દુર્લભ એ વાર્તા ય; સયુ બીજા કાઈથી પણ જો ય તુ, વત્તુ મુજ ચિત્તમાં....... તુજ આજ્ઞાથી જ શિવપદ પામીએ. ૧ કેાને નિગ્રહી રાષથી, તેાષી, અનુગ્રહી કેાઈ ખીજા ચ; વચનતત્પર પરથી હે પ્રભુ ! મૃત્યુદ્ધિએ ઠગાય....તુજ૦ ૨ અપ્રસન્ન થકી ફલ કેમ સાંપડે ? એહુ અસંગત હાય; ચિન્તારત્નાદિક શું ના કળે, હાય વિચેતન તેા ય ?....તુજ૦ ૩ તુજ સેવાથી ય સારૂં તાહર્, આજ્ઞાપાલન આરાધ્યે જે શિવકુલ સાંપડે, વિરાવ્યે સંસાર....તુજ ૪ હૈય – ઉપાદેયના સબંધમાં, આ શાશ્ર્વત તુજ આણું; સાર; આશ્રવ સવ જ હૈય જ સવથા, સ ંવર આદેય જાણું ! ’..તુજ૦૫ આશ્રવ તેા ભહેતુ જ હાય છે, સવર મુક્તિનિદાન; આહુતી મુષ્ટિ એમ અને ખીજું, એનું પ્રપ ંચન માન !..તુજ ૬ એમ આજ્ઞા આરાધન તત્પુરા, પામ્યા અનત નિરવાણુ; ગાચા મૃદુધીને લગાર. ૧૦ ' Page #104 -------------------------------------------------------------------------- ________________ પામે છે ક્યાંક ને વળી પામશે, બીજા પણ ભગવાન! તુજ છે' પ્રસાદનાનું દીનપણું ત્યજી, તુજ આજ્ઞાથી જ એક કર્મપજરથી પ્રાણી મુકાય છે, સર્વથા જ અહિં છેકતુજ૦ ૮ વીશમો પ્રકાશ વીતરાગચરણે આત્મસમર્પણ –દેહરા – પાદપીઠે આળોટતા, મુજ શિર પદરજ તૂજ; ચિર વસજે! પુણ્યાતણા, પરમાણુ કણ શું જ. ૧ તુજ મુખ સક્તા દષ્ટિ મુજ, હર્ષ જલેમિંથી ધન્ય; ક્ષણમાંહિ મલ ક્ષાલજો, અપ્રેક્ષ્ય પ્રેક્ષણજન્ય. ૨ મુજ કપાળ આંકા પડ્યા, આળોટતાં તુજ પાસ; કીધા અસેવ્ય પ્રણામનું, હે પ્રાયશ્ચિત્ત ખાસ! ૩ તુજ દર્શનથી મુજ ઉડ્યા, માંચકંટક પૂરક ચિરકાલની અસદર્શન–વાસના કરો દૂર! ૪ તુજ મુખકાંતિ–ચંદ્રિકા, સુધાતણું કરો પાન; મુજ લોચનાબુજ પામજે, અનિમેષતા ભગવાન! ૫ તુજ મુખ વિલાસિ નેત્ર મુજ, ઉપાસનાકર હાથ; તુજ ગુણ શ્રોતા શ્રોત્ર હે, હાર સંદા જગનાથ! ૬ કુષ્ઠ છતાં ઉત્કંઠ જે, તુજ ગુણમાં મુજ વાણ; સ્વસ્તિ હજે આને!” અહે! અન્યથી શું? ભગવાન! ૭ તુજ પ્રેષ્ય છું છું સેવક, છું કિંકર છું દાસ; ઓમ” એમ કર સ્વીકાર તું, અધિક કહું ન તું પાસ. ૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ પર અનુષ્ટુપ ભગવાન ! હેમચંદ્રે આ, રચેલા સ્તવથી અહા ! કુમારપાલ ભૂપાલ, વાંચ્છિત ફુલને લહે ! 節 કાવ્યાનુવાદક ં–વિવેચનકર્તાની પ્રશસ્તિ વસતિલકા આ વીતરાગસ્તવ ભક્તિભરે ભરેલુ, શ્રી હેમચન્દ્રજી મહાકવિએ કરેલું; કાવ્યાનુવાદ તસ આ ભગવાન-દાસે, કીધા સ્વ-અન્ય ઉપકાર ગણી ઉલાસે. સાદુ' દીસે તર્ષિ આશયથી ગભીરું, આ વીતરાગસ્તવ સાગર શું ગભીરું; ત્યાં મારી ડૂબકી વિવેચનની ઉલાસે, ખાન્યા સદધ રતના ભગવાનદાસે. ૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન : સાવ્યાનુવાદ વિવેચનકર્તા: કાવ્યાનુવાદકર્તા- * ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. Page #107 -------------------------------------------------------------------------- ________________ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી, જિનભક્તિ પ્રહ તરુ કલ્પ અહો! ભજિને ભગવંત ભવંત લહે. –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા Page #108 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सिद्धम् વીતરાગસ્તવ સકાવ્યાનુવાદ: સવિવેચન * પ્રથમ પ્રકાશ મંગલ–પ્રતિજ્ઞાદિ (ઉપદ્રવાત) (અંતર્ગત અપાયાપગમ આદિ ચાર મૂળ અતિશય) પરાત્માદિ વિશિષ્ટ વિશેષણેથી વિતરાગસ્તવ પ્રારંભે છે– यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवर्ण तमसः, परस्तादामनन्ति यम्॥१॥ કાવ્યાનુવાદ : દેહરા પરામાં પ તિ જે, પરમેષ્ઠિ પરમ સાર; આદિત્યવર્ણ જેને કહે, પ્રાપ્ત તમઃ પર પાર; ૧ અર્થ – પરાત્મા પતિ પરમેષ્ઠીઓમાં પરમ છે, જેને તમસથી–અજ્ઞાનઅંધકારથી પર એવો આદિત્યવર્ણ –સૂર્યસમા વર્ણવાળો બુધજનો માને છે; * અત્રે “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચન્દ્રાચાર્યજીએ પિતાની લાક્ષણિક શૈલીમાં સપ્ત વિભક્તિના પ્રયોગપૂર્વક વર્ણન કર્યું છે :, યમ્, પેન, રમૈ ઇત્યાદિ તથા વળતી શ્રેણીમાં સઃ, તમ્, તેન, તમૈ ઇત્યાદિ; કાવ્યાનુવાદમાં તેમજ અર્થમાં પણ એ જ પ્રકાર અખંડપણે જાળવવામાં આવેલ સુજ્ઞ વાંચકે જોઈ શકશે. તે આ પ્રકારે – જે, જેને, જેથી ઇત્યાદિ; તે તેને, તેથી ઈત્યાદિ. સરખાવીરઃ સર્વસુરાસુરે વીરું યુવા: સંબિતા : ' ઈ. પ્રકારે સકલાહંત સ્તોત્રમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યજીએ આવો જ સપ્ત વિભક્તિને લાક્ષણિક પ્રગ કર્યો છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન ‘‘પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન: પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન...શ્રીસુપાસ -શ્રી આનંદઘનજી આ વીતરાગસ્તવના વીશ પ્રકાશ છે. તેને આ પ્રથમ પ્રકાશ ગ્રંથના મંગલ ઉપઘાતરૂપ છે. તેમાં વીતરાગ દેવના ગુણાનુવાદરૂપ સાભિપ્રાય સૂચક વિશેષણેથી –પરિકર ઉદાત્ત આદિ અલંકારથી સ્તુત્યાત્મક મંગલ કૃત્ય કરી કર્તા શ્રી હેમચન્દ્રાચાર્યજીએ પિતાની અત્યંત લઘુતા દર્શાવવાપૂર્વક શુદ્ધ ભક્તિપ્રજનાથે આ સ્તવ રચવાની પ્રતિજ્ઞા કરી છે અને તેના અંતિમ લેકમાં ખાસ જેના નિમિત્ત આ મંગલ રચના કરવામાં આવી છે, તે પરમહંત કુમારપાલ મહારાજને મંગલ આશિ અપી છે. તેમ જ આ પ્રકાશમાં અંતર્ગતપણે અપાયાગમ આદિ ચાર મૂળ અતિશયનું ગર્ભિત વર્ણન પણ કર્યું છે. આટલી સામાન્ય પ્રસ્તાવના કરી આ પ્રથમ પ્રકાશના પ્રથમ લેકને ભાવ વિચારીએ. જે “પરાત્મા”—જેનાથી કઈ પર નથી ને જે બીજા બધાથી પર એવા પરમાત્મા છે, સૂર્ય—ચંદ્ર આદિ સર્વ તિઓથી પર અને જેનાથી પર કઈ છે નહિં એવા પરંત્યેતિ છે, અખિલ વિશ્વમાં પરમપદસ્થિત “પરમેષ્ટિએમાં પરમ-સર્વોત્કૃષ્ટ છે, અને “તમસૂથી -અજ્ઞાનતમસુથી–અજ્ઞાન અંધકારથી પર એવા જેને “આદિત્યવર્ણ” Page #110 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા પરંપતિ પરમેષ્ઠિ વીતરાગ પ૭ - - - - સૂર્ય સમાન વર્ણવાળા કહે છે. પણ આ “આદિત્યવણ” છતાં “આદિત્ય’–સૂર્ય આદિ સમસ્ત તિ કરતાં આ ભગવાનની દિવ્ય આત્મતિ તે અનંતગુણવિશિષ્ટ મહાન– પરમ છે. કારણ કે સૂર્ય–ચંદ્ર આદિ તિ તે અમુક મર્યાદિત કાળે જ પ્રકાશે છે અને લેકમાં અમુક મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશે છે, પણ આ પરંપતિ તે સદાકાલ જ પ્રકાશે છે અને સમસ્ત કાલેકને પ્રકાશે છે. આમ અખિલ વિશ્વમાં આ પરંપતિ સમાન અન્ય તિ નથી. ગિરાજ આનંદઘનજી કહે છે તેમ આ તિસરૂપ અસમાન” છે. એટલે જ અત્રે “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ આને “ પતિ શબ્દથી બિરદાવેલ છે. પરંતિના સ્વરૂપથી મુગ્ધ થયેલા પરમતત્તવદષ્ટા શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ તે સ્થળે સ્થળે આ પરંપતિને પરમ મહિમા ઉત્કીર્તન કર્યો છે – જેમકેતન્નતિ પંડ્યોતિઃ " त्वामामनंति मुनयः परमं पुमांसમાહિત્યવર્ણમમમં તમH: પુસ્તતા" ભક્તામર સ્તોત્ર UR વીતરાગના અપાયાપગમ-પૂજાતિશય સૂચવે છે– सर्वे येनोदमूल्यन्त, समूलाः क्लेशपादपाः। मूर्ना यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः॥२॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વીતરાગસ્તવ સવિવેચન કાવ્યાનુવાદ : ઉજૂલિત જેથી સમ્લ, કલેશ વૃક્ષ નિઃશેષ; મસ્તકથી જેને નમે, સુરાસુરેશ નરેશ ૨ અર્થ -જેનાથી સર્વે કલેશ–વૃક્ષો સમૂલ ઉન્મેલન કરાયા છે જેનો પ્રત્યે સુરેશ્વરે – અસુરેશ્વર-નરેશ્વર મસ્તથી નમસ્કાર કરે છે. વિવેચન ૮ અષ્ટ કરમ વન દાહથી, પ્રગટી અન્વયે ઋદ્ધિ.દેવચંદ્રજી. ઉપશમ રસને કંદ સખી, સેવે સુરનર ઇંદ.”—આનંદઘનજી જેનાથી સર્વ કલેશરૂપ વૃક્ષે સમૂલ ઉમૂલવામાં આવ્યા છે –જડમૂળથી ઉખેડી નાંખવામાં આવ્યા છે, અનંતકાળથી ઊંડા મૂળ ઘાલેલા કમ કલેશ-વૃને સમૂલ ઉમૂલન કરવાનું મહા આત્મપરાક્રમ દાખવવામાં આવ્યું છે. આ પરથી રૂપક અલંકારથી ભગવાનને અપાયાપગમાતિશય સૂચવ્યું છે. જીવને કલેશનું કારણ હોવાથી કર્મ એ જ કલેશ છે; અથવા તે સકલ કર્મના મૂળ કારણરૂપ રાગ-દ્વય એ બે કલેશ છે, પરમતત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્ય છે તેમ-“જહાં રાગ અને વળી દ્વિષ તહાં સર્વદા માને કલેશ. આ રાગ-દ્વેષરૂપ સર્વ કલેશને અથવા ઘાતિકર્મરૂપ સર્વ કલેશને આ પરમ વીતરાગે નિર્મૂલ નાશ કર્યો છે. આત્મગુણને અપાય-હાનિ કરનારા આ ઘાનિકર્મોને અપગમ થયે હેવાથી, આ ભગવાનને અપાયા Page #112 -------------------------------------------------------------------------- ________________ અપાયાગમાતિશય, પૂજતિશય ૫૯ પગમતિશય જગતમાં અન્ય કોઈ પણ વ્યક્તિ કરતાં ચઢીયાતે એ અતિશયવંત ગુણ વતે છે. આમ અત્ર અપાયાપરામાતિશય વ્યંજિત કર્યો છે. અને જેને સુરેંદ્રો અસુરેંદ્રો અને નરેંદ્રો મસ્તક નમાવી મે છે,–આ પરથી ઉદાત્ત અલંકારથી ભગવાનને પૂજાતિશય સૂચવ્યું છે. કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટો હેવાથી ભગવાનને પૂજાતિશય જગતમાં સર્વાતિશાયિ સર્વશ્રેષ્ઠ વર્તે છે. વચનાતિશય – જ્ઞાનાતિશય વર્ણવે છે– प्रावर्त्तन्त यतो विद्याः, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवभाविभूतभावावभासकृत्॥३॥ પુરુષાર્થ વિદ્યા તણું, જ્યાંથી મૂવ ઉત્થાન; ભાવ ભૂત ભાવિ ભવ૬, અવલાસે જસ જ્ઞાન. ૩ અર્થ જેમાંથી પુરુષાર્થની પ્રસાધનારી વિદ્યાઓ પ્રવત્તી છેજેનું જ્ઞાન ભવ૬ (વર્તમાન)–ભાવિ-ભૂત ભાવોને અવભાસ – પ્રકાશ કરનારું છે. વિવેચન “અહો! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ. અહે! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વ દેવ. 2 શ્રીમદ્ રાજચંદ્રજી Page #113 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન Ave > - ' જેમાંથી – જે વીતરાગ ભગવાન થકી · પુરુષાર્થ – પ્રસાધિકા ’ – પુરુષાર્થાની પ્રસાધનારી – પ્રકૃષ્ટપણે સાધનારી સકલ વિદ્યાએ પ્રવત્તી છે; અથવા ‘ પુરિ શેતે કૃતિ પુરુષ :,ચૈતન્ય પુરમાં શયન કરે છે તે ‘ પુરુષ' – આત્મા, તેના 4 અને ” – પ્રયાજનને-તત્ત્વને એટલે કે આત્મા રૂપ પુરુષાર્થને પ્રસાધનારી વિદ્યાએ જે થકી પ્રવૃત્તી છે, – સરિતાએ પવ તમાંથી પ્રવત્ત તેમ સમસ્ત વિદ્યાસરિતાએ શ્રુતજ્ઞહિમાચલું ’શ્રુતગંગા—હિમાચલમાંથી પ્રવત્તી છે. અર્થાત્ જે ધર્મ-અર્થ-કામ-મેક્ષ એ ચાર પુરુષાર્થ – સાધક વિદ્યાએનું અથવા આત્મા -પુરુષાર્થ સાધક વિદ્યાએનું મૂલ ‘ પ્રભવ ’ સ્થાન – ઉત્પત્તિસ્થાન છે. જ્ઞાના વમાં શ્રી શુભચ`દ્રાચાય જીએ કહ્યું છે તેમ ‘ વિશ્વવિદ્યાામ્ ’– વિશ્વ–સવ વિદ્યાઓનું કુલગૃહ છે. આ પરથી ભગવાનને વચનાતિશય સૂચવ્યે. આ ભગવાન્ પરમ અમૃત વાણીથી પરમા મેઘની વર્ષો વર્ષાવી જગતજીવાને આત્મા – પુરૂષા સાધક વિદ્યાના મેધ કરતા હોવાથી એમના આ વચનાતિશય’ ગુણુ જગમાં બીજા કાઈ પણ કરતાં ‘ અતિશાયિ ’ચઢીયાતા સર્વોત્કૃષ્ટ વર્તે છે. ― " “ પ્રરાાન્તમતિ”મીર, विश्वविद्याकुलगृहम् । भव्यैकशरणं जीयात्, श्रीमत् सर्वज्ञशासनम् ॥ " શ્રી શુભચંદ્રાચાય જીકૃત જ્ઞાનાવ જેનું—જે વીતરાગ ભગવાનનું જ્ઞાન ભૂતકાળના ભવદ્—વત માનકાળના અને ભાવિ ભવિષ્યકાળના ભાવેાના Page #114 -------------------------------------------------------------------------- ________________ વચનાતિશય, જ્ઞાનાતિશય ૬ ૮ અવભાસ' કરનારૂ` છે, અવ ’--જેમ છે તેમ વસ્તુમદા પ્રમાણે યથાવસ્થિતપણે ‘ ભાસ ’–પ્રકાશ કરનારૂ' છે; અર્થાત્ જેનું કેવલજ્ઞાન ત્રિકાલવિષયક સર્વ દ્રવ્યપર્યાયને લેાકલાકને જાણનારૂ છે. આ પરથી સજ્ઞ-સદશી ભગવાનને જ્ઞાનાતિશય પ્રકાઢ્યો. કેવલજ્ઞાન-કેવલદેશનના પ્રગટપણાથી આ સર્વજ્ઞ-સદશી ના આ‘જ્ઞાનાતિશય ’ ગુણ જગમાં અન્ય કાઈ પણ કરતાં ‘અતિશાયિ’-ચઢીયાતા એવા અસાધારણ સર્વોત્કૃષ્ટ વત્તું છે. શ્રી અમૃતચંદ્રાચાજીએ પુરુષાર્થસિદ્યુપાયમાં કહ્યું છે તેમભગવાનની આ કેવલજ્ઞાન પર જ્યેાતિમાં દભુતલની જેમ સકલ પદાથ માલિકા સમસ્ત, અનંત પર્યાયે સાથે એકીસાથે પ્રતિબિંબિત થાય છે' એવા અદ્ભુત આ જ્ઞાનાતિશય છે. " " तज्जयति परंज्योतिः समं समस्तै रनन्तपर्यायैः । दर्पणतल इव सकला प्रतिफलति पदार्थमालिका यत्र ॥ ', શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પુરુષાર્થસિદ્ધયુપાયઃ આમ આ વીતરાગસ્તવના પ્રથમ પ્રકાશના બીજા— ત્રીજા ક્ષેકમાં ભગવાના મુખ્ય મૂળ ચાર અતિશયનું અપાયાપગમાતિશય, પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશયનું દિગ્દન કયું; અને આ ચાર અતિશય એ જ ભગવાનના સર્વ ગુણ્ણાના મૂળ આધારભૂત પાયારૂપ હોવાથી એનું ગતિ સૂચન અત્રે પ્રારંભમાં જ આ મંગલાદિ વાચક પ્રથમ પ્રકાશમાં કર્યુ છે. અત્રે સાવ સાદા શબ્દોમાં Page #115 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન પણ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કેવા ગંભીર ભા ભર્યા છે-કેવું અર્થગૌરવ સમાવ્યું છે, તે ઉપરોક્ત આશયના દિગ્દર્શન પરથી સુજ્ઞ વાચકે સમજી લઈ વિશેષ સ્વમતિથી વિચારશે. ક તે શ્રદ્ધયયેય વીતરાગનું શરણ ગ્રહે છે – यस्मिन्विज्ञानमानन्दं, ब्रह्म चैकात्मकतां गतम् । *स श्रद्धेयः स च ध्येयः, प्रपद्ये शरणं च तम् ॥४॥ બ્રહ્મ જ્ઞાન આનંદ જ્યાં, એક આત્મતારૂપ; તેહ દયેય શ્રદ્ધેય તે, ગ્રહું તે શરણ સ્વરૂપ; ૪ અર્થ –જેમાં વિજ્ઞાન આનંદ અને બ્રહ્મ એકાત્મતા –એકાત્મપણું પામી ગયું છે, તે શ્રદ્ધેય અને તે દયેય છે, અને તેને હું શરણપ્રપન્ન થઉં છું (શરણે જઉં છું; વિવેચન તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને ગૈલોક્યપ્રકાશક છે.”— શ્રીમદ્ રાજચંદ્રજી ૪ અત્રે : કમ્..રિમ–જે જેને...જેમાં એમ સાત વિભક્તિને પૂર્વોક્ત પ્રયોગ પૂરે થઈ તેના અનુસંધાનવાળે : તમ...તે તેને ઈ. સપ્ત વિભક્તિને પ્રાગ શરૂ થાય છે, એ સ્વયં સમજી લેવું. Page #116 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન-બ્રહ્મ-આનદમય વીતરાગ ૬૩ જેમાં—જે વીતરાગ ભગવાનમાં બ્રહ્મ-શુદ્ધ આત્મ સ્વરૂપ-સત્, જ્ઞાન-લેાકાલેાકપ્રકાશક, કૈવલ્ય-ચિત્, અને આનંદ ‘એકાત્મતા ’એકાત્મપણુ’–એકરૂપપણું પામી ગયેલ છે, અર્થાત્ જે સચ્ચિદાન દસ્વરૂપ છે;× તે ધ્યેય '4: ધ્યાન ધરવા ચેાગ્ય અને શ્રદ્ધેય-શ્રદ્ધા કરવા ચાગ્ય છે, અને તેને હું શરણુપ્રપન્ન થઉં છું-શરણુ અંગીકાર કરું છું. અર્થાત્ ‘ સત્’એવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપે સ્વયં પ્રગટ્યા હૈાવાથી આ ભગવાન્ ‘સ્વયંભૂ’ બ્રહ્મ છે, ‘ ચિત્’ એવા શુદ્ધ ચૈતન્ય-સ્વભાવના સ્વામી હાવાર્થી આ પૂર્ણ જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞ ભગવાન સાક્ષાત્ વિજ્ઞાનમૂત્તિ છે, અને પરમ આનંદમય ચિદાનંદ-જ્ઞાનાનંદ સ્વભાવ પરિપૂર્ણ પ્રગટ્યો હાવાથી આ આનંદઘન ભગવાન મૂર્તિમાન્ આનંદ છે. આમ સત્ ચિત્ ને આનંદ જ્યાં એકરૂપતાને પામે છે એવા આ સચ્ચિદાનંદૅ ભગવાન સ્વરૂપથી ‘સત્’હાઈ ખરેખર! શ્રદ્ધા કરવા ચેાગ્ય-શ્રદ્ધેય છે, ધ્યાન ધરવા ચેાગ્ય-ધ્યેય છે, અને શરણુ અહુવા ચેાગ્ય શરણ્ય છે, એટલે આ સચ્ચિદાનંદસ્વરૂપ વીતરાગને શ્રદ્ધેય-ધ્યેય જાણી હું તેનું શરણુ ગ્રહું છું. કારણ કે આવા પૂર્ણજ્ઞાન–આનંદમય પૂર્ણ બ્રહ્મનું જે તત્ત્વાવલંબન કરે છે તે અવશ્ય તેના દેવચંદ્ર પદને વરે છે. 1 " ' “તું પૂરણ બ્રહ્મ અરૂપી, તું પૂર્ણાનંદ ઇમ તત્ત્વાલંબન કરિયે, તે દેવચંદ્ર પદ્મ સ્વરૂપી; વિરચે. ' શ્રીદેવચંદ્રજી "" Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪ તે વીતરાગ ભગવાનના દાસ થવાની ભાવના કરે છે વિદઃ तेन स्यां नाथवाँस्तस्मै, स्पृहयेयं समाहितः । ततः कृतार्थो भूयासं, भवेयं तस्य किङ्करः ॥५॥ સનાથ તેથી હું ધરૂં, તેહ અથ અભિલાષ; તેથી થા” કૃતા હું, થ” તેના હું દાસ; ૫ અર્થ :-તેનાથી હું નાથવાન્સનાથ હાઉં, તેના અર્થ સમાહિત એવા હું સ્પૃહા કરૂં, તેના થકી હું કૃતાર્થ હા, તેના હું કિંકર હાઉ; વિવેચન વીતરાગસ્તવ સવિવેચન પ અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાઈન માંહ્ય હારો.” શ્રીમદ્ રાજચંદ્રજી તેનાથી—તે વીતરાગ ભગવાન વડે કરીને હું ‘ નાથવાન્ ’–નાથવાળા–સનાથ હૈં, અત્રે ‘ સ્વામ્ ’–ડાઉ’ એ પ્રયાગથી એમ સૂચવ્યું કે તે વિના તે હું નાથ વિનાને–અનાથ જ હાઉં, એટલે આ ભગવાન થકી જ હું નાથવાન્ હાઉ' એમ ભાવુ` છું. તે અર્થ સમાહિત સમાધિયુક્ત એકાગ્રચિત્ત-એવા હું ‘સ્પૃહા કરૂં, '–મને પણ આ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત હોય તેા કેવું સારું' એમ રુચિપૂર્વક પૃહા-અભિલાષ કરું, બાકી બીજું કંઈ સ્પૃહવા ચેાગ્ય નથી એમ સભાવું છું. તે થકી-તે વીતરાગ. ભગવાન થકી હું ‘કૃતાથ' હાઉં,—તે ભગવાન્ જો મને - Page #118 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તાત્રથી સ્વવાણી પવિત્ર કરૂ ૫ પ્રાપ્ત થયા તે મેં મ્હારા સ` અર્થ સાધી લીધા–મે મ્હારૂં આત્માનું કામ કરી લીધું ને હું કૃત્ય થઉં,—નહિ તેા બીજી કાઈ રીતે સંભાવના જ નથી. તેને-તે વીતરાગ • કિંકર ’–દાસ થઉં, જે કહે તે આના ઊઠાવનારા આજ્ઞાંકિત સેવક થ, એમ મ્હારી ભાવના છે. વીતરાગસ્તાત્રથી સ્વવાણી પવિત્ર કરું એમ ભાવે છે— तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां स्वां सरस्वतीम् । । इदं हि भवकान्तारे, जन्मिनां जन्मनः फलम् ॥६॥ તેહ વિષે કરી સ્નેાત્ર હું, કરૂ પવિત્ર સ્વ વાણુ; લવારણ્યમાં જન્મીને, આ જ જન્મફ્ત જાણુ ! અર્થ:–અને તે વિષે તેાત્રથી હું સ્વ સરસ્વતીને પવિત્ર કરૂં. આ જ ખરેખર ! ભવારણ્યમાં જન્મીઓના— જન્મધારીઓના જન્મનું લ છે. વિવેચન “તુમ ગુણગણ ગંગાજલે, ઝિલી હું નિર્મળ થાઉ” ”– શ્રી યાવિજયજી ત્યાં—તે વીતરાગ ભગવાનના વિષયમાં સ્તોત્ર વડે કરીને હું ‘સ્વ ’–પેાતાની સરસ્વતીને–ભારતીને-વાણીને પવિત્ર-પાવન કરૂ! એમ મ્હારી ભાવના છે. ખરેખર! પ કૃતાથ ’—કૃતકૃતાથ થવાની ભગવાનના હું Page #119 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન આ “ભવકાન્તારમાં”—ભવારણ્યમાં “જન્મીઓના”-જન્મધારી સંસારીઓના જન્મનું આ જ ફલ છે કે જેનું ચરિત્ર પવિત્ર છે એવા ભગવાનની ગુણગાથા ગાઈને–ભગવદુગુણગાનના નિર્મલ ગંગાજલમાં નિમજજન કરીને પિતાની વાણીને પવિત્ર કરવી,-ભગવદ્ગુણાનુવાદને રસાસ્વાદ લઈને પિતાની રસનાને ધન્ય કરવી. નહિં તે ભગવદુગુણગાન વિના બીજી કઈ રીતે વાણની પવિત્રતા સંભવતી નથી અને જન્મ નિષ્ફળ છે. આચાર્યજી હેમચન્દ્રજી આત્મલઘુતા નિવેદે છે– क्वाहं पशोरपि पशु तिरागस्तवः क्व च । उत्तितीर्घररण्यानी, पद्भ्यां पङगुखिास्म्यतः॥७॥ ક્યાં હું પશુથી પણ પશુ? વીતરાગસ્તવ ક્યાંહિ? પદથી અટવી લઘતા, પંગુ સમ હું આંહિ. ૭ અર્થ –ક્યાં હું પશુથી પણ પશુ ? અને ક્યાં વીતરાગસ્તવ ? એટલા માટે બે પદથી–પગથી મોટી અટવી પાર ઉતરવા ઇચ્છતા પંગુ–પાંગળા જે હું છું. વિવેચન રેસે ગિરિ ઉપર વિરખફલ તરિક, બાવનુ પુરુષ કે ઉમરૈ ઉતાવરો. -બનારસીદાસજી Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મલઘુતાનિવેદન: શ્રદ્ધામુગ્ધતાથી સ્તવન " - - કાં હું ‘ પશુ ’ – અબૂઝ ગમાર કરતાં પણ ‘ પશુ અબૂઝ ગમાર અને કાં આ વીતરાગસ્તવ ? આ બન્ને વચ્ચેનું એટલુ બધુ મહુદતર છે કે – પદથી ' ... પગે ચાલીને મહા અરણ્યને – માટી અટવીને ઉત્તિતીષુ ' – પાર ઉતરવા ઇચ્છતા – ઉલ્લંઘવા ઇચ્છતા ‘પશુ’– પાંગળા જેને હું છુ. અત્રે કયાં આ ? કયાં તે? ‘ત્ર સૂર્યપ્રમવા વંશ ? નવ ચાપવિષયા મતિ ?' એમ એ વસ્તુનું મહદ્ અંતર દર્શાવી, નિર્દેનાલ કાર્થી કવિએ પાતાની લઘુતા લાક્ષણિક રીતે નિવેદન કરી છે. અર્થાત્ આ ભગવાન્ તા ગુણસમુદ્ર છે, તેના મહિમાતિશયને કહેતાં પાર આવે એમ નથી અને હું તેા અબૂઝ છું. એટલે કાઇ પાંગળા જેમ મહા ગહન અટવીને ‘ એ પત્તુથી ’(શ્ર્લેષ)-પગે ચાલીને ઓળંગવા ઇચ્છે, તેની જેમ હું · બુદ્ધિવિકલ ’–પાંગળેા હારા ગુણુવર્ણનરૂપ મહાઅટવીને ‘એ પદથી’ ( એ વચનથી —ઉપલક્ષણથી થોડા શબ્દોમાં ) આળંગી જવાનું મહા વિકટ કાર્ય હાથ ધરવા હામ ભીડું છું, તે ખરેખર ! પશુચેષ્ટા જેવુ' જ કરૂ છું. ? : " H છતાં શ્રદ્ધામુગ્ધતાથી વીતરાગસ્તવ પ્રારંભે છે— तथापि श्रद्धामुग्धोsहं, नोपालभ्यः स्खलन्नपि । विशृङ्खलापि वाग्वृत्तिः, श्रद्दधानस्य शोभते ॥८॥ શ્રદ્દામુગ્ધ ખલુ છતાં, ઉપાલ'ભ નહિ ચાગ્ય, વાચના શ્રદ્ધાલુના, વિશૃંખલ પણ સ્હેય. ૮ ૬૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન અર્થ -તથાપિ શ્રદ્ધામુગ્ધ એ હું રખેલતાં છતાં ઉપાલંભ (ઠપકા) ગ્ય નથી, કારણ કે, શ્રદ્ધાવંતની વિશૃંખલ વાગવૃત્તિ પણ શેભે છે. વિવેચન “બુદ્ધિવિકળ પણ ભક્તિવશ, બેલું સુખકર બોલ; કાલું બોલે બાળ જે, કુણ આવે તસ તેલ? ?? –શ્રી ચિદાનંદજી એમ છે તે પછી આવું વિકટ કાર્ય કરવાને પ્રયાસ શા માટે કરે છે? તેને જાણે અત્રે ઉત્તર આપે છે તથાપિ”—તેમ છતાં આવા દુઃસાધ્ય વીતરાગસ્તવમાં અસમર્થ છતાં, “શ્રદ્ધા મુગ્ધ-શ્રદ્ધાથી મુગ્ધ બનેલે હું શ્રદ્ધાથી પ્રેરિત થઈ પ્રવર્તતાં ક્યાંક અલન કરૂં, તે પણ ઉપાલંભ ગ્ય”—ઠપકાને પાત્ર નથી, કારણ કે શ્રદ્ધાવંતની વિશંખલ–વૃંખલા-સંકલનારહિત વા બંધનરહિતનિબંધ–અસંબદ્ધ વચન રચના પણ શોભે છે. અર્થાત હું હારૂં સ્તવ કરવા અસમર્થ છતાં આ કરવાનું સાહસ કરું છું, તેમાં પ્રેરક બળ હારા પ્રત્યેની શ્રદ્ધા છે; હારા શુદ્ધ સહજાન્મસ્વરૂપ વીતરાગ સ્વરૂપ પ્રત્યે મને એટલી બધી દઢ શ્રદ્ધા ઉપજી છે કે તેથી મુગ્ધ બની હું આ દુર્ઘટ કાર્યમાં પ્રવર્તે છું; “મુગ્ધ” બાલક જેમ જેવું મનમાં આવે તેવું અસંબદ્ધ કાલું ઘેલું બોલે, તેમ હારા અનુપમ ગુણથી મેહ પામી “મુગ્ધ થયેલે હું “મુગ્ધ ભાવે–નિષ્કપટ ભેળા ભાવે જેવું હૃદયમાં આવે તેવું હારી સ્તુતિરૂપ વચન બોલું છું. H Page #122 -------------------------------------------------------------------------- ________________ પરમાત” કુમારપાલ મહારાજને આશિષે કુમારપાલ મહારાજને મંગલ આશિશ્ અપે છે. श्री हेमचन्द्रप्रभवाद्वीतरागस्तवादितः । कुमारपाल भूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥ ९ ॥ (અનુષ્ટુપુ) ભગવાન ! હેમચન્દ્રે આ ! રચેલ સ્તવથી અહા ! કુમારપાલ ભૂપાલ, વાંચ્છિત ફળને લહે ! ૯ અર્થ :-શ્રી હેમચંદ્ર થકી જેને પ્રભવ—–જન્મ થયા છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ ઈપ્સિત–ઇટ—મને વાંચ્છિત ફલ પ્રાપ્ત કરી ! વિવેચન અત્રે વીતરાગસ્તવના પ્રથમ પ્રકાશના અંતે સ્તવકર્તાએ જૈના ખાસ પરમાર્થ ઉપકાર નિમિત્ત આ પરમ લક્તિરસપૂર્ણ વીતરાગસ્તવની રચના કરવામાં આવી છે, તે ગુજરાધિપતિ ‘પરમાર્હત ' મહારાજા કુમારપાલને મગલ આશીર્વાદ આપ્યા છે કે-શ્રી હેમચન્દ્ર થકી જેના ‘પ્રભવ’–સમુદ્દ્ભવ થયેા છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ ‘ઈપ્સિત ’-ઇષ્ટ-મને વાંચ્છિત લ ૬૯ પ્રાપ્ત કરી ! ' " ॥ ઇતિ કલિકાલસર્વજ્ઞ ' શ્રીહેમચદ્રાચાય વિરચિત વીતરાગસ્તવમાં—ભગવાનદાસકૃત કિરભક્તિરસચદ્રિકા ’ ટીકાનામક વિવેચન અને કાવ્યાનુવાદ સમેતમાં—— મંગલ-પ્રતિજ્ઞાદે નિરૂપક પ્રથમ પ્રકાશ ॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશઃ વીતરાગના જન્મ-સહજ ચાર અતિશય વીતરાગની સહજ શુચિ સુવર્ણ કાયા વર્ણવે છે – પ્રિય-ટિસ્થ–પન્નરના નામ प्रभो! तवाधौतशुचिः, कायःकमिव नाक्षिपेत् ? ॥१॥ કાવ્યાનુવાદ : ગીતિ પદ્યરાગ પ્રિયંગુ, અંજન ટિક સ્વર્ણ વર્ણ ધરનારી; વણ છે શુચિ હારી, કાયાન કોને આકર્ષવારી? ૧ અર્થ_પ્રિયંગુફટિક–સુવર્ણ–પદ્મરાગ અને અંજન જેવી જેની પ્રભા (કાંતિ) છે એવી હે પ્રભુ! વગર ધેયે શુચિ–પવિત્ર એવી હારી કાયા કોને ન આકર્ષે વિવેચન અતિશય સહજના ચાર–શ્રી યશોવિજયજી પ્રથમ પ્રકાશમાં ભગવાનના અપાયાપગમાતિશય આદિ ચાર મૂળ અતિશનું ગર્ભિતપણે વર્ણન કર્યું; હવે Page #124 -------------------------------------------------------------------------- ________________ ઃ 'જમ ૭૧ પ્રકારાંતરે આ અતિશયાનું વન આ ખીજાથી માંડી પાંચમા પ્રકાશ સુધી કરે છે. અતિશય એટલે શું? • ઃ જગમાં અન્ય સવથી ‘ અતિશાયી ’—ચઢીયાતા અસાધારણ ગુણુ-અસાધારણ વિભૂતિ તે અતિશય,– Extraordinary quality surpassing all others. શ્રી તીથકર દેવને ઉક્ત જ્ઞાનાતિશય આદિ ચાર અથવા પ્રકારાંતરે ચાત્રીશ અતિશય વર્તે છે. તે આ પ્રકારે— " चउरो जम्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए । नवदसय देवजणिए, चउत्तीसं अइस ए वन्दे || " “ અતિશય સહુજના ચાર, કમ ખખ્યાથી અગિયાર; આજ હૈ। એગણીશે કીધા, સુર ભાસુરેજી....શ્રી સુપાસ.” શ્રી યાવિજયજી અર્થાત્−(૧) જન્મથી માંડીને ચાર, (૨) ક ક્ષય થયે અગીયાર અને (૩) દેવકૃત એગણીશ-એમ ચાત્રીશ અતિશયત ભગવંતને હું વન્યું છે. આ ત્રણ પ્રકારના અતિશય અત્રે અનુક્રમે બીજા, ત્રીજા, ચાથા તથા પાંચમા પ્રકાશમાં વણુ બ્યા છે. તેમાં આ ખીજા પ્રકાશમાં જન્મ-સહજ—જન્મથી માંડીને વત્તતા ચાર અતિશયનું વર્ણન છે. આટલી સામાન્ય પ્રસ્તાવના કરી હવે આ પ્રથમ શ્લાકના ભાવ વિચારીએ. કાઈ તીથ કર દેવના દેહવધુ પ્રિયંગુ જેવા લીલેા, કાઈના સ્ફટિક જેવા ધેાળા, કાઈ ના સુવણ જેવા પીળા, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વીતરાગસ્તવ વિવેચન કાઈ ના પદ્મરાગ જેવા રાતા, કાઈ ના અંજન જેવા શ્યામ-કાળા હોય છે. આમ આ પાંચ વણુ માંથી કોઈ પણ એક વણુ કાઈ પણ તીથ કરના હૈાય છે, એટલે જે વનું વણું ન ‘ સકલ અર્હત્ 'ને સ્પર્શે છે, એવા આ પંચ વર્ણના નિર્દેશપૂર્ણાંક અત્ર વર્ણીન છે. કહ્યુ` છે કે— “ वरकनकसंख विदुममरगयघणसन्निहं विगयमोहं । सत्तरियं जिणाणं સામપૂર્ણ વન્યું ॥ ” શ્રી તિજયપહુત્તસ્તત્ર આમ નીલ-શ્વેત-પીત–રક્ત-કૃષ્ણે વધુ વાળી જેની · પ્રભા ’–તેજસ્વી દેહકાંતિ છે એવા હે પ્રભુ! ‘લૌતષિ’ –વગર ધાયે ‘શુચિ ’–શુદ્ધ-પવિત્ર એવી ત્હારી કાયા, વારુ, કાને ન આક્ષેપે-કેને ન આકષે? અર્થાત્ દેદીપ્યમાન દેહકાંતિવાળી હારી પવિત્ર કાયા સર્વ કાઈ ને આકર્ષે એવી છે. 卐 સહજ અવાસિતસુગંધી કાયા પ્રશ ંસે છે— मन्दारदामवन्नित्यमवासितसुगन्धिनि । तवाङ्गे भृङ्गतां यान्ति, नेत्राणि सुरयोषिताम् ॥२॥ મ'દાર સુમનમાલા, સમા અવાસિત સુગધી જેહ સદા; એવા તુજ અંગામાં, સુરાંગનાના નયના ભંગ થતા. ૨ અર્થ :-મંદારમાલા જેમ નિત્ય અવાસિતસુગ ધી એવા ત્હારા અંગમાં સુરસ્રીએના નેત્રા ભૃગપણુ –ભ્રમરપશુ પામે છે ! Page #126 -------------------------------------------------------------------------- ________________ સહેજ શુચિ સુવર્ણ અવાસિતસુગંધી કાયા વિવેચન “ પ્રથમ જિનેસર પ્રણમિયે, જાસ સુગધી રે કાય ?” " મદાર ફુલની માલાં કદી કરમાતી નથી ને તેની સુગંધી કદી જતી નથી, એટલે તેને ી સુગ ંધથી વાસિત કરવી પડતી નથી એવી તે સહજ અવાસિતસુગ ધી હાય છે. આવી મંદાર પુષ્પમાલા જેવા જે નિત્ય અવાસિત– સુગધી' છે,− સુગંધી દ્રવ્યના સંસ્કારથી વાસિત થયા વિના સુગંધી–સહજ સુગંધી છે, એવા ત્હારા અંગમાં શરીરમાં હે પ્રભુ ! સુરસ્ત્રીઓના-દેવાંગનાએના નેત્રા ભંગપશુ–ભ્રમરપણું પામી જાય છે! અર્થાત્ અવાસિતસુગંધી હારા અંગની સુગંધ એટલી બધી આકર્ષક છે કે પુષ્પની સુગ ધથી ભમરાએ આકાંચ તેમ દેવાંગનાએના ચક્ષુએ તે પ્રત્યે આકર્ષાઈ જાણે ભરા ખની જાય છે! આમ તે દેવાગનાએ ત્હારા પરમ આ ક અનુપમ રૂપને અનિમેષ નયને નિહાળ્યા કરે છે, તેમ જેમ આ ત્હારૂ અંગ આવુ દેવાંગનાએના નેત્રા ભમરા બની જઈ ત્હારા અંગની 6 ૭૩ વળી સેાનામાં સુગંધ ’ની સુગંધમય છે એટલે તે આસપાસ ભમ્યા કરે છે! એમ કવિએ અત્ર પરમ સુંદર ઉત્પ્રેક્ષા કરી છે. 卐 કાયાનું સહજ અરોગીપણું સૂચવે છે— दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव । समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगव्रजाः ॥ ३ ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ Cઝ વીતરાગસ્તવ સવિવેચન દેહરા દિવ્યામૃત રસસ્વાદથી, જાણે નષ્ટ અશેષ; એવા રેગ–ઉરગત, તુજ અંગે ન પ્રવેશ ૩ અર્થ-દિવ્ય અમૃતરસના આસ્વાદના પિષથી જાણે પ્રતિહત હોય એમ હે નાથ! રેગ-ઉરમ સમૂહે ત્યાર અંગમાં સમાવેશ પામતા નથી. વિવેચન ભગવાનનું શરીર જન્મથી સર્વથા સહજ નીરોગી હોય છે એ સહજ નીરોગીપણારૂપ અતિશય છે. આ અંગે કવિ ઉભેક્ષા કરે છે કે–તું દેએ અમૃત સિંચેલ અંગુષ્ઠામૃતનું પાન કરે છે તે દિવ્ય અમૃતરસનો આસ્વાદ જન્ય પુષ્ટિથી જાણે “પ્રતિહત” થયા હોય–પાછા હણાઈ ગયા હાય, પાછા હઠી ગયા હેયવિષ ઉતરી ગયું હોય એવા ગરૂપ “ઉરગે”—ઉરથી ગમન કરનારા સર્પો હારા શરીરમાં “સમાવેશ”—અવકાશ (Accomodation) પામતા નથી-જરા પણ સમાઈ શકતા નથી, જરા પણ પ્રવેશ (Entry) પણ પામી શકતા નથી. અર્થાત્ ત્યારે દેહ જન્મથી સહજ સ્વભાવે સર્વથા નીરોગી–પરમ આરેગ્યસંપન્ન છે. અમલ કાયાનું પ્રદરહિતપણું કથે છે– त्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके । क्षरत्स्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः ? ॥४॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ સહજ અગિપણું, સ્વદરહિતપણું દર્પણતલ પ્રતિબિંબને, પ્રતિરૂપ તું નાથ; સ્વેદ આદ્રતા નાશની, તુજ દેહે કયાં વાત? ૪ અર્થ-આદર્શતલમાં–દર્પણમાં આલીન પ્રતિમાના. પ્રતિરૂપક-પ્રતિબિંબ એવા હારામાં શરીરની ક્ષરતા વેદના વિલીનપણાની સ્થા પણ ક્યાંથી ? વિવેચન પ્રભુને જન્મથી માંડીને કદી પણ પ્રસ્વેદ-પસીને થતું નથી, પ્રભુના શરીરને આ સહજ પ્રસ્વેદરહિતપણારૂપ અતિશય અત્ર વર્ણવ્યા છે. અત્રે પ્રભુને દર્પણતલે પડતા પ્રતિબિંબની ઉપમા આપી છે. તે આદર્શતલમાં-દર્પણ તલમ “આલીન”—લીન થઈ ગયેલી–લપાઈ ગયેલી પ્રતિમાને પ્રતિરૂપક”-પ્રતિબિંબરૂપ છે. એટલે હારા શરીરમાંથી ક્ષરતા”-સવતા પ્રસ્વેદના વિલીનપણની–વિલય પામી જવાપણાની કથા–વાર્તા પણ ક્યાંથી? ત્યારે શરીરમાંથી પ્રસ્વેદ-પસીને ક્ષર-ઝરતો પણ નથી તે પછી તેના વિલય પામી જવાની વાત જ શી? અર્થાત્ જેમ તે દર્પણતલમાં પડતી પ્રતિમાને બાહ્ય મલ આદિ સ્પશી શકતા નથી કે ભીનાશ લાગતી નથી, તેમ દર્પણ પડતી પ્રતિમાના “પ્રતિરૂપ” આબેહુબ નકલ જેવા તું પ્રભુને બાહ્યાભંતર મલ આદિ સ્પશી શકતા નથી, તે પછી પ્રસ્વેદની ભીનાશ સુકાવાની વાત તે ક્યાં રહી? એટલે કે પ્રભુને દેહ આજન્મ પ્રસ્વેદ રહિત છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ' વીતરાગસ્તવ સવિવેચન વીતરાગનું રકત પણ “રાગમુક્ત” ક્ષીર સમું છે!न केवलं रागमुक्तं, वीतराग! मनस्तव । वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् ॥५॥ રાગમુક્ત વીતરાગ! ના, મન કેવલ ભગવાન ! રક્ત પણ તજ દેહનું, છે ક્ષીરધાર સમાન. ૫ અર્થ હે વીતરાગ! કેવલ હારૂં મન જ રાગમુક્ત છે એમ નથી, પણ લ્હારા શરીરમાં રહેલું રક્ત પણ–રુધિર (લેહી) પણ ક્ષીરધારાનું સહેદર છે! (દૂધ જેવું ઘેલું છે !) વિવેચન " सान्निध्यतोऽपि यदि वा तव वीतराग, नीरागतां व्रजति को न सचेतनोऽपि ।" –શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર જન્મથી માંડીને પ્રભુનું રક્ત અને માંસ દૂધ જેવા “ઉજજવલ ધુતવર્ણ હોય છે, આ જન્મ-સહજ અતિશય વર્ણન આ પાંચમા તથા છઠ્ઠા કલેકમાં કર્યું છે. તેમાં અત્ર પાંચમા લેકમાં પ્રભુનું રક્ત ક્ષીર જેવું ધવલ હોય છે, એ અંગે શ્લેષાલંકારથી મહાત્મા સ્તોત્રકાર વર્ણવે છે: હે વીતરાગ! કેવળ–માત્ર તારૂં મન જ “રાગમુક્ત”રાગ-નેહ–આસક્તિ હિત છે એમ નથી, પણ હાર શરીરમાં રહેલું “રક્ત”—રુધિર-લેહી પણ “રાગમુક્ત' Page #130 -------------------------------------------------------------------------- ________________ વીતરાગનું રક્ત પણ “રાગમુક્ત ૭૭ રાતા રંગ રહિત એવું “ક્ષીરધારા સહેદર” છે– ક્ષીરધારા જેવું ધવલ–ઉજજવલ છે! અત્રે રાગમુક્ત લેષ– (૧) રાગ-સ્નેહ-આસક્તિ રહિત, (૨) રાગ-રંગ વિનાનું, રતાશ વિનાનું,-એમ દ્વિઅથી અર્થમાં પ્રજિત છે, અને એથી જ શબ્દચમત્કૃતિ સાથે અર્થચમત્કૃતિ નિષ્પન્ન થાય છે. અસંગ વીતરાગને સંગ જેને લાગે છે તે પણ વીતરાગ બની જાય છે! “રક્ત”—લેહી સામાન્યપણે તે રક્ત” રતું હોય છે, તે પણ શુકલ ઉજજવલ ભાવસંપન્ન વીતરાગના સંગથી “વિતરાગ”—રાગમુક્ત-રાતા રંગ વિનાનું દૂધ જેવું સમુજજવલ હોય છે! શ્રી કલ્યાણ મંદિર તેત્રમાં કહ્યું છે તેમ-તે વીતરાગ ! લ્હારા સાનિધ્યથી પણ કો સચેતન પણ નીરાગતાને નથી પામતે? વા નિરાગી ભગવન વળી! આપના સન્નિધાને, નીરાગતા નહિ અહિં કિયો ચેતનવંત પામે? –કલ્યાણ મંદિર અનુવાદ (સ્વરચિત) માંસ પણ શુભ્ર છે !– जगद्विलक्षण किं वा, तवान्यदक्तुमीश्महे ?। यदविस्रमबीभत्सं, शुभ्र मांसमपि प्रभो ! ॥६॥ વિશ્વવિલક્ષણ અન્ય શું, વદવાને હું શક્ત? માંસ પણ અબીભત્સ ને, શુભ્ર સુગંધિ પ્રશસ્ત. ૬ અર્થ અથવા તે જગતથી વિલક્ષણ એવું લ્હારૂં Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વીતરાગસ્તવ સવિવેચન -બીજું શું કહેવાને અમે શક્તિમાન થઈએ ? હે પ્રભુ? માંસ પણ અદુગધ અબીભત્સ એવું શુ–ઉજજવલ છે ! વિવેચન રચાયે તું જેહી પ્રશમ રસરંગી અણુ થકી, ખરે ! તેની સંખ્યા પણ મહી મહીં તેટલી જ છે. –ભક્તામરસ્તોત્ર અનુવાદ (સ્વરચિત) અથવા તે હે ભગવન! “જગદુ વિલક્ષણ”—જગતથી વિલક્ષણ –વિપરીત–વિરુદ્ધ–વિચિત્ર-વિશિષ્ટ લક્ષણવાળું Exceptional, Extraodinary, superhuman– ej alloy શું કહેવાને અમે સમર્થ થઈએ? હે પ્રભુ! લ્હારૂં માંસ પણ અદુર્ગધ “અબીભત્સ”–દુગચ્છા–સૂગ ન ઉપજાવે એવું અજુગુપસનીય અને શુભ્ર–ઉજજવલ–ધવલ છે! આમ હારૂં રક્ત અને માંસ શુભ્ર-ઉજજવલ છે એ એક હારે અદ્દભુત અતિશય છે! તાત્પર્ય કે વીતરાગમાં સત્વગુણ એટલી પરાકાષ્ઠાને પામ્યા હોય છે કે તેની પ્રતિછાયા તેમના દેહનિર્માણમાં પણ પડે છે. આ અંગે ભક્તામર તેંત્રમાં કહ્યું છે તેમ-જે શાંત રાગ રુચિવાળા પરમાણુ ઓથી તું નિર્માણ કરાવે છે, તે પરમાણુઓ આ પૃથ્વીમાં તેટલાં જ છે, કારણ કે હારી સમાન બીજુ રૂપ નથી.” અર્થાત્ આ જગતમાં જે ઉત્તમત્તમ પરમાણુઓ છે તે વડે કરીને જ આ અચિંત્ય પુણ્યપ્રભાવી ભગવાન તીર્થ કરના દેહનું નિર્માણ થયું છે. એટલે જેના અંતર્ભાવ Page #132 -------------------------------------------------------------------------- ________________ નિ:શ્વાસસૌરભ: આહારનીહાર અદૃશ્ય ge ( આટલા બધા શુક્લ ’–શુભ્ર-સમુજજવલ હૈાય છે, તેના રક્ત-માંસ પણ શુભ્ર-સમુવલ કેમ ન હેાય? 5 સહેજ સુગંધી નિ:શ્વાસસૌરભ વર્ણવે છે. जलस्थलसमुद्भूताः, सन्त्यज्य सुमनः खजः । तव निःश्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः ॥७॥ જલ-સ્થૂલમાં ઉપજેલ સૌ, છાંડી સુમનમાલ; તુજ નિ:શ્વાસ સુગંધને, અનુસરે મધુકાર. ૭ અઃ—જલમાં કે સ્થલમાં સમુદ્ભૂત ઉગેલ સુમન— માલાઓને ત્યજી દઈને મધુત્રતા–મધુકા ત્હારા નિઃશ્વાસના સૌરભ્યને—સુગંધિપણાને અનુગમન કરે છે ! વિવેચન ' ત્હારા નિઃશ્વાસની સુગ ંધ પણ એટલી બધી ઉદ્દામ છે કે-જલમાં કે સ્થલમાં ઉગેલા સુમનેની-પુષ્પાની માલાએને શ્રેણીઓને ત્યજી દઈ ને ‘મધુવ્રતા ’–મધુકરા-ભમરાએ ત્હારા નિ:શ્વાસના ‘ સૌરભ્યને ’–સુરભિપણાને સુગ ંધિપણાને–અનુગમન કરે છે—પાછળ પાછળ જાય છે! આ સર્વ અતિશય વર્ણન એમ સૂચવે છે કે આ ભગવાનનું માહ્ય વ્યક્તિત્વ પણ જગમાં સર્વોત્કૃષ્ટ છે. અને ભાવથી તા એમનું અંતરંગ વ્યક્તિત્વ એટલું બધું અદ્ભુત છે કે તે તેની શીલ-સૌરભથી સર્વ મુમુક્ષુજનના મન-મધુકરને ચેાતાના પ્રત્યે આકર્ષે જ છે. 5 Page #133 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન આહાર–નીહાર ચર્મચક્ષુ અગોચર છે– लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः। यतो नाहारनीहारौ, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥ લકત્તર તુજ ભાવસ્થિતિ, ચમત્કાર કરનાર (કારણ) ચર્મચક્ષુ ગેચર નહિ, તુજ આહાર-નીહાર.૮ અર્થ –હે વીતરાગ ! હારી ભાવસ્થિતિ લકત્તર ચમત્કાર કરનારી છે –કારણ કે લ્હારા આહાર–નીહાર ચર્મચક્ષુઓને ગોચર-વિષય હેતા નથી. વિવેચન પ્રભુના, આહાર–નીહાર પણ ચક્ષુગોચર નથી એ સહજપણે અદશ્ય આહાર–નીહારરૂપ અતિશયનું અત્ર સૂચન છે. હે વીતરાગ ! હારી “ભવસ્થિતિ’–સંસારસ્થિતિ “કેત્તર ચમત્કારકરી છે–લેકે તર–અલૌકિક ચમત્કાર -અભુત આશ્ચર્ય કરનારી છે, કારણ કે ત્વારા આહાર –નીહાર ચર્મચક્ષુઓને ગોચર’–વિષય હોતા નથી, અર્થાત્ તે ચર્મચક્ષુથી દેખી શકાતા નથી. આપણે ત્યારે એક જન્મસહજ અદૂભુત આશ્ચર્યકારી અતિશય છે. || ઇતિ શ્રીહેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં વિવેચન અને કાવ્યાનુવાદ સમેતમાં– જન્મસહજ ચાર અતિશય નિરૂપક દ્વિતીય પ્રકાશ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશઃ કમ ક્ષયજન્ય અગીયાર અતિશય તીથ કરના ‘સર્વાભિમુખ્ય' અતિશય વર્ણવે છે— सर्वाभिमुख्यतो नाथ ! तीर्थकृन्नामकर्मजात् । सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः ॥ १ ॥ કાવ્યાનુવાદ : શાર્દૂ લવિક્રીડિત શ્રી તીર્થંકર નામથી ઉપજતા સર્વાભિમુખ્ય કરી, તુ જે સંમુખ સવ થા જ જનને આનંદથી દે ભરી; ૧ અર્થઃ–ઢે નાથ! તીર્થંકર નામકર્મજન્ય સર્વાભિમુખ્ય થકી સથા સન્મુખ રહેલા તુ જે પ્રજાઆને આનંદાવે છે; વિવેચન દ્રુ અતિશય સહેજના ચાર, કર્મ ખય્યાથી અગિયાર —શ્રી ચરોાવિજયજી - આગલા પ્રકાશમાં સહજ અતિશય કહી આ ત્રીજા પ્રકાશમાં ઘાતિકમ ના ક્ષયથી ઉદ્દભવતા અતિશય વણુ વે છેઃ જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ઘાતિકમ કહેવાય છે, કારણ કે તે આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણના ઘાત કરે છે. આ ઘાતિક્રમને ક્ષય થયે ભગવાન્ તીથંકરને સંભવતા અગીયાર ‘અતિશય’ અસાધારણ પુણ્યપ્રભાવ અત્ર ૧૧ શ્લોકમાં એકેકમાં એક એમ અનુક્રમે વર્ણવ્યા છે. તે પછી છેલ્લા ચાર શ્લોક ૐ ક Page #135 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન ઉપસંહારરૂપ છે. અગીયાર અતિશય આ પ્રકારે–(૧) સર્વાભિમુખ્ય, (૨) જનપ્રમાણ સમવસરણમાં ક્રોડે મનુષ્ય-તિયચ-દેને સમાવેશ, (૩) તે સર્વ કેઈને સ્વ સ્વ ભાષામાં બેધ, (૪) ભગવવિહારક્ષેત્રની આસ(પાસ સાથી અધિક પેજનમાં પૂર્વોત્પન્ન રેગને નાશ, (૫) ઉંદર–તીડ આદિ ઈતિને અનુદ્દભવ, (૬) વૈરાગ્નિનું શમન, (૭) મારી-મરકી આદિને અસંભવ, (૮) અતિવૃષ્ટિઅવૃષ્ટિને અસંભવ, (૯) સ્વચક–પરચકના ઉપદ્રને નાશ, (૧૦) દુલિંક્ષ-દુષ્કાળની અનુત્પત્તિ, (૧૧) ભામંડલ. આ અગીયાર અતિશયે અત્રે એકેક એમ અગીયાર લેકમાં “જે આમ આમ થાય છે? ઈત્યાદિ પ્રકારે વર્ણવેલ છે, તેને સહસંબંધ છે, અને તેને ઉત્તર સંબંધ ૧૨ મા લેકમાં “તે આવે” ઈત્યાદિ પ્રકારે છે. આ સામાન્ય સૂચના લક્ષમાં રાખવી. હવે આ પ્રથમ લેકમાં વર્ણવેલા પ્રથમ અતિશયને ભાવાર્થ વિચારીએ. હે નાથ! અચિત્ય પુણ્યપ્રભાવી લ્હારા તીર્થકર નામકર્મ થકી “સર્વાભિમુખ્ય’–સર્વને અભિમુખપણારૂપ અતિશય ઉપજે છે જેથી કરીને તે સર્વ દિશાએ સર્વને સન્મુખ જણાય છે અથવા સર્વજને તને અભિમુખ વૃત્તિવાળા થાય છે. એટલે કે સર્વ દિશામાંથી સર્વ કેઈને તું પિતાની સન્મુખ જ–બરાબર સામે જ રહેલે ભાસે છે, અને તેથી સર્વ કેઈ હારા સન્મુખ દર્શનથી આનંદ આનંદ પામે છે. આમ સર્વને સર્વથા સન્મુખ Page #136 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં સર્વને સમાવેશ રહેલે તું “પ્રજાઓને ”—પ્રકાન્ત પ્રજ્ઞા –જન્મધારી જગજજીને “આનંદાવે છે”—આનંદ આનંદ કરાવે છે. સમવસરણમાં સર્વને સમાવેશ સુચવે છે— यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । सम्मान्ति कोटिशस्तिर्यग्नदेवाः सपरिच्छदाः॥२॥ ને જે એજનના સમોસરણમાં કેટિગમે નાથ હે! તિય અમરે ન પરિજને સાથે સમાઈ રહે; ૨ ' અર્થ– જનપ્રમાણ પણ ધર્મદેશનસત્રમાં– સમવસરણમાં જે કેટિગમે તિર્ય–મનુષ્ય–દેવો સપરિચ્છદ–સપરિવાર સમાય છે; વિવેચન હે ભગવાન! હારૂં “ધર્મ દેશનસઘ”—ધર્મ દેશના જ્યાં કરવામાં આવે છે તે મહા વિશાલ સભાગૃહ, વિશાળ સમવસરણ કે જ્યાં ક્રોડની સંખ્યામાં દે–મનુષ્ય –તિર્યંચે એકત્ર થાય છે, તે સમવસરણને-દેશનાભૂમિને વિસ્તાર એક એજનપ્રમાણ છે. આવા જનપ્રમાણ સમવસરણમાં પણ “કેટિગમે”—કડોની સંખ્યામાં દેવ -મનુષ્યતિય યથાસ્થાને સમાઈ જાય છે,–અને તે પણ “સપરિચ્છદ’–સપરિવાર–પોતપોતાના પરિવાર સહિત (Paraphernalia) સમાઈ જાય છે એ આશ્ચર્ય છે! આવડું સમોસરણ પણ આટલી બધી સંખ્યાને સમાવવા માટે Page #137 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચનઃ સાંકડું' છે, છતાં ત્હારા અચિંત્ય અતિશય પ્રભાવ થકી તે સવ" કાઈ તેમાં સુગમતાથી આસાનીથી સમાઈ જાય છે! આમ આ બીજા કમાં ચેજિનપ્રમાણ સમવસરણભૂમિમાં ક્રોડા દેવાદિના સમાવેશ થાય છે એ ખીજા અતિશયનું વર્ણન કર્યું. ૮૪ 品 ભગવાણી સર્વને સ્વસ્વભાષામાં સમજાય છે— तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । अप्येकरूपं वचनं, यत्ते धर्मावबोधकृत् ॥३॥ ભાષામાં નિજ નિજ તેહ સહુને હારી મનેાહારિણી, વાણી એકરૂપી છતાં પરિણમે જે ધમ સખેાધિની;૩ અર્થ :—તેને જ સ્વસ્વભાષામાં પરિણામથી મનેાહેર એવું ત્હારૂં એકરૂપ પણ વચન જે અવ્યાધ કરનારૂ થાય છે; વિવેચન ધ્વનિ દ્રિવ્ય હારા વિશઢ અથાથી ચુત પ્રભા ! બધી ભાષાઓમાં પરિણમનને યોગ્ય બનતા. —ભક્તામરસ્તેાત્ર અનુવાદ (સ્વરચિત) '། હું ભગવાન્ ! તું સમવસરણુમાં બિરાજી ધમ દેશના આપે છે તે ત્હારૂ વચન તે એકરૂપ નિકળે છે, છતાં તે જ ફોટા દેવા–મનુષ્યા-તિય ચૈાને તે સ્વસ્વ ભાષામાં પરિણમી Page #138 -------------------------------------------------------------------------- ________________ ભગવદુવાણુ સર્વને સ્વસ્વભાષામાં સમજાય બધકર થઈ પડે છે ! હારી એકરૂપ વાણી પણ હારા અચિત્ય અતિશય પ્રભાવથકી દેવેને દેવેની ભાષામાં, મનુષ્યને મનુષ્યની ભાષામાં,તિર્યને તિર્યચેની ભાષામાંપ્રત્યેકને પિતપોતાની ભાષામાં પરિણમી સમજાઈ જાય છે! તે સર્વ કઈ જાણે એમ જાણે છે કે ભગવાન તે મને ઉદ્દેશીને જ ઉપદેશી રહ્યા છે ! આમ હારૂં એકરૂપ વચન પણ સ્વસ્વભાષામાં પરિણામથી તે સર્વ કેઈનું મન હરનારૂં મનેહર” થઈ પડી તે સર્વને પોતપોતાની ગ્યતાની મર્યાદા પ્રમાણે ધર્મને “અવબોધ” કરે છે. આ પ્રકારે આ ત્રીજા લેકમાં સર્વને સ્વસ્વભાષામાં બેધ થાય એવા ત્રીજા અતિશયનું દિગ્દર્શન છે. આ અંગે શ્રી હરિભદ્રાચાર્યજીએ એગદષ્ટિસમુચ્ચયમાં ૧૩૬–૧૩૭ કહ્યું છે તેમ એની (સર્વજ્ઞોની) દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિન્ય પુણ્યસામર્થ્યને લીધે, તથા પ્રકારે ચિત્ર-જૂદી જૂદી અવભાસે છે. અને યથાભવ્ય સને તેનાથી ઉપકાર પણ ઉપજે છે. એટલે જ પશુ-પક્ષી મનુષ્યાદિ સર્વ કે પોતપોતાની ભાષામાં તેનો ભાવ સમજી જાય છે, તેને અર્થ ગ્રહણ કરી લે છે! આ પરમ અદ્ભુત સર્વજ્ઞને વચનાતિશય હોય છે. * “ एकापि देशनैतेषां यद्वा श्रोतविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्या तथा चित्रावभासते ।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः ।" (વિશેષ માટે જુઓ યોગદષ્ટિસમુચ્ચય મત્કૃત વિવેચન) Page #139 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચ ભગવવિહાર–વાયુથી રાગ–ઘન વિખરાય છે—— साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना गदाम्बुदाः । यदञ्जसा विलीयन्ते, त्वद्विहारानिलोर्मिभिः ॥ ४॥ પૂર્વોત્પન્ન સમસ્ત રાગ-ઘન જે સેાથી વધુ ચેાજને, હારી નાથ ! વિહાર–વાચુલહરીથી વિખરાયે ક્ષણે; ૪ અર્થ :-આગળમાં પણ સાચાજનમાં પૂર્વે ઉત્પન્ન થયેલા રાગરૂપ—જલદો જે ત્હારા વિહાર–પવનની ઊર્મિ – આથી સીધેસીધા જ વિલય પામી જાય છે; ૮૬ વિવેચન tr ૬ ભવ ઉપાધિ ગઢ ટાળવા, પ્રભુ છે. વૈદ્ય અમેાથ રે ૪ —શ્રી દેવચંદ્રજી ROOM ભગવહિારક્ષેત્રથી આગળ સે ચેાજનથી અધિક ક્ષેત્રમાં સર્વ રોગને નાશ થાય છે એ ચેાથા અતિશયનું આ ચોથા શ્લાકમાં રૂપક અલંકારથી વર્ણન કર્યુ છે: હું ભગવન્ ! દ્ઘારા વિહારક્ષેત્રથી આગળમાં સેા ચેાજનથી અધિક ક્ષેત્રમાં–આસપાસના સા ચેાજનથી અધિક વસ્તુ લમાં ‘પૂર્વોપન્ન’-પૂર્વ ઉત્પન્ન થયેલા જે રાગ–અબુદા’-રાગરૂપ જલધરા હાય, તે દ્ઘારા વિહાર-પવનની ઊમિ એથી ’– લહેરીએથી જ સીધેસીધા જ-પાધરા જ વિલય પામી જાય છે; વાયુલહરીએથી જેમ વાદળા વિખરાઈ જાય તેમ ત્હારી વિહારરૂપ વાયુની લહરીએથી પૂર્વ ઉપજેલા રંગરૂપ વાદળાએ એકદમ વિખરાઈ જાય છે ! એ તું પુણ્યમૂત્તિના અચિંત્ય પુણ્યપ્રભાવના અદ્ભુત અતિશય છે ! ' 5 " Page #140 -------------------------------------------------------------------------- ________________ રેગનાશ: ઈતિઅનુભવ વૈરાગ્નિશમન ઉંદર-તીડ આદિ ઈતિને અનુભવ હોય છે– नाविर्भवन्ति यद्भूमौ, मूषकाः शलभाः शुकाः। क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः॥५॥ આવિર્ભત ન થાય જે અવનિમાં તીડે શુકે મૂષકે, નાશે ઈતિ અનીતિ જેમ પળમાં ભૂપ પ્રભાવે પ્રાપ અર્થ–મૂષકો – ઉંદરે, શલભે –તીડે, શુક્રોએ ઈતિઓ, ક્ષણમાં રાજાથી ઊડાવી દેવાયેલ અનીતિઓની જેમ, ભૂમિમાં જે આવિર્ભાવ પામતી નથી; વિવેચન ઈતિ ભીતિ વ્યાપે નહિં ?' મૂષકને ઉપદ્રવ, તીડને ઉપદ્રવ, સૂડાને ઉપદ્રવ એ આદિ “ઈ તિ”—અરિષ્ટ, અનિષ્ટ કુદરતી ઉપદ્રરૂપ આફત કહેવાય છે. ભગવદુના વિહારક્ષેત્રની આસપાસમાં આ “ઈ તિઓ”—અનિષ્ટ આપત્તિઓ હોતી નથી, એ પાંચમે અતિશય આ પાંચમા લેકમાં પ્રતિવસ્તુપમા અલંકારથી વર્ણવ્યું છે : મૂષક–ઉંદરે, શલભ-તીડે, શુક–સૂડા એ “ઈતિઓ” ક્ષિતિપથી–પૃથ્વીપાલ રાજાથી ક્ષણમાત્રમાં ફગાવી દેવાયેલ અનીતિઓની જેમ, આ અવનિમાં આવિર્ભાવ–પ્રગટપણું પામતી નથી–પ્રગટ થતી નથી; અર્થાત્ ન્યાયપ્રિય રાજાના રાજ્યમાં કડક હાથે ડામી દેવાયેલી અનીતિઓ જેમ દેખા દે નહિં, તેમ હારા વિહારક્ષેત્રની આસપાસનાં એજનશતાધિક વત્તલમાં ઈતિઓ Page #141 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન દેખા દે નહિં –એ તું પરમ પુણ્યશ્લેકને આશ્ચર્યકારી અતિશય છે. ભગવકૃપા–મધથી વિરાગ્નિ-શમન થાય છે— स्त्रीक्षेत्रपदादिभवो, यदैरामिः प्रशाम्यति । त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ॥६॥ જે વૈરાગ્નિ શમી જાત ઉપજતો સ્ત્રી ક્ષેત્ર આદિથી, જાણે ભૂતલ વર્ષના તુજ કૃપાના પુષ્કરાવથી; ૬ અર્થ–સ્ત્રી–ક્ષેત્રદ્રવ્ય આદિથી જન્મેલે વૈરાગ્નિ જે જાણે કે હારી કૃપારૂપ પુષ્પરાવર્તની વર્ષા થકી પૃથ્વીતલમાં પ્રશમી જાય છે; વિવેચન જ્યાં જ્યાં આ અચિંત્યપુણ્યપ્રભાવી પ્રભુના પાવન પગલાં પડે છે ત્યાં ત્યાં વિરાગ્નિનું શમન થઈ જાય છે એ છઠ્ઠા અતિશયનું આ છઠ્ઠા ગ્લૅકમાં ઉક્ષાલંકારથી વર્ણન કર્યું છેઃ “જરે જમીન ને જેરૂ, એ કજિયાના ભેરૂ” એ લેક્તિ પ્રમાણે સ્ત્રી-ક્ષેત્ર-કવ્યાદિ થકી જેને ઉદ્દભવ થાય છે એ વૈરાગ્નિ, આ ભૂમિતલમાં જાણે હારી કૃપાના પુષ્કરાવત્તની વર્ષા થકી પ્રશમી જાય છે! અર્થાત્ લ્હારા. સાનિધ્ય થકી પ્રાણીઓને વિરાનલ પ્રશાંત થઈ જાય છે, તે જાણે હારી કૃપારૂપ પુષ્કરાવ મેઘધારાથી શાંત થયા હોયની! Page #142 -------------------------------------------------------------------------- ________________ મારી મરકી અતિવૃષ્ટિ આદિ અસંભવ એમ કવિ ઉસ્પેક્ષા કરે છે. ખરેખર! “અહિંસતિષ્ટાચાં તત્સન્નિધૌ વૈરનારા' (પાતંજલ યે મસૂત્ર)–અહિંસાની પ્રતિષ્ઠા સતે તેની સંનિધિમાં વિરનાશ હોય છે, પરમ અહિંસક વીતરાગ જ્ઞાની પુરુષની સમીપમાં પ્રાણીઓ પિતાના આજન્મવેર પણ ભૂલી જાય છે. આ અંગે મહર્ષિ શુભચંદ્રાચાર્યજીએ જ્ઞાનાવમાં પરમ સુંદર સુભાષિત પ્રકાશ્ય છે કે" सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतं, मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यांप गलितमदा जन्तवोऽ-ये त्यजन्ति, श्रित्वा साम्यकरूढं प्रशमितकलुषं योगिनं क्षीणमोहम् ॥" –શ્રી જ્ઞાનાવ અર્થાત્ –જેને કમલ પ્રશમી ગયું છે અને જે સામ્ય. વીતરાગ ભાવમાં આરૂઢ થયા છે એવા ક્ષીણમેહ ગીના સાન્નિધ્યમાં–સંનિધાનમાં હરિણી સિંહના બચ્ચાને પુત્રબુદ્ધિથી સ્પર્શે છે; એ જ પ્રકારે ગાય વાઘના બચ્ચાને, બિલાડી હંસબાલને અને મયૂરી સર્ષને નેહપરવશ થઈ સ્પશે છે–પંપાળે છે. એ જ પ્રકારે અન્ય જીવે પણ આજન્મવર ત્યજી દે છે. મારી-મરકી આદિનો અસંભવ કથે છે— त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेदडिण्डिमे । सम्भवन्ति न यन्नाथ ! मास्यो भुवनारयः ॥७॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વીતરાગસ્તવ સવિવેચન થાતાં ડિડિમનાદ તૂજ અવિચ્છેદી મહિમા તણું, મારીઓ ભુવનારિએ ભુવનમાં જે સંભવે નાથ !ના; ૭ અર્થ –હે નાથ! અશિને ઉછેદ કરનારે એવો હારે પ્રભાવરૂપ ડિંડિમ નાદ ભૂમિમાં ભમતે સતે, ભુવનારિ મારિઓ જે સંભવતી નથી; વિવેચન પ્રભુના પ્રભાવ થકી “મારી”-મરકી આદિ અશિને અસંભવ હોય છે, એ સાતમા અતિશયનું આ સાતમા લેકમાં કથન છે? હે ભગવન! “અશિને”—અમંગલેને-અરિષ્ટને ઉચછેદનાર’–સર્વનાશ કરનાર એ ત્યારે પ્રભાવરૂપ ડિડિમ નાદ જ્યારે ભૂમિમાં ભમે છે જ્યાં જ્યાં તે વિચરે છે ત્યાં વ્યાપે છે, ત્યારે “ભુવનારિ’–જગશત્રુ એવી - “મારીઓ”—અનિષ્ટ આપત્તિઓ સંભવતી નથી; મારી નાંખે તે “મારી,”-મરકી (Plague) આદિ જીવલેણ (Deadly evils) અનિષ્ટ-દુષ્ટ વ્યંતરાદિના ઉપદ્ર ઉદ્દભવતા નથી. એ પણ હે પ્રભુ! ત્યારે અદ્ભુત અતિશય છે. અતિવૃષ્ટિ-અવૃષ્ટિને અભાવ હોય છે – कामवर्षिणि लोकानां, त्वयि विश्वकवत्सले । अतिवृष्टि वृष्टिर्वा, भवेद्यन्नोपतापकृत् ॥८॥ ને જે કેવલ વિશ્વવત્સલ વિભુ! તું કામવણી સતે, લકને અતિવૃષ્ટિ તાપ ન કરે, નિવૃષ્ટિ ના દુઃખ દે, ૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્વચક-પરચક ઉપદ્રવ પલાયન અર્થ :-વિધૈવત્સલ તું લેકે કામવષ સતેઅતિવૃષ્ટિ વા અવૃષ્ટિ જે ઉપતાપ કરનાર થતી નથી; - વિવેચન ભગવવિહારક્ષેત્રની આસપાસના વલમાં અતિવૃષ્ટિ–અનાવૃષ્ટિ ન હોય, એ આઠમે અતિશય અત્રે વર્ણવ્યું છે, હે ભગવન્! “વિશ્વેકવત્સલ”—અખિલ જગતું પ્રત્યે એક”—અદ્વિતીય-અનન્ય વાત્સલ્ય ધરાવનારો તું લેકિન “કામવલી' સતે,–ષ્ટ “કામ”—ઈચ્છાનુસાર મનવાંચ્છિતેની વર્ષા વર્ષાવનારે સતે, અતિવૃષ્ટિ–જોઈએ તે કરતાં વધારે વરસાદ કે અવૃષ્ટિ-વરસાદને અભાવ ઉપતાપ ઉપજાવનાર હોતે નથી. સ્વચક-પરચક ઉપદ્રવે પલાયન કરે છે– स्वराष्ट्रपरराष्ट्रेभ्यो, यक्षुद्रोपद्रवा द्रुतम् । विद्रवन्ति त्वत्प्रभावात् सिंहनादादिव द्विपाः ॥९॥ સર્વે ક્ષુદ્ર ઉપદ્ર ઉપજતા અન્ય-સ્વ રાષ્ટ્રો થકી, નાશે જે જ્યમ સિંહનાદથી ગજે-હારા પ્રભાવે નકી ૯. અર્થ–સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્ર થકી ક્ષુદ્ર ઉપદ્ર જે તારા પ્રભાવ થકી, સિંહનાદથી દ્વિપ (ગજો) જેમ શીધ્ર વિદ્ર છે–પલાયન કરી જાય છે; વિવેચન "परचक्रदुर्भिक्षमारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगवद्विहारपवनगन्धादेव भज्यन्त ॥" –શ્રી હરિભદ્રાચાર્ય કૃત લલિતવિસ્તરા. Page #145 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન સ્વચક–પરચક ઉપદ્રને અભાવ એ નવમે અતિશય અહીં પ્રતિસ્તૂપમાથી વર્ણવ્યું છે. સ્વરાષ્ટ્રથી–પિતાના -રાષ્ટ્રથી–દેશથી અને પરરાષ્ટ્રથી–પારકા રાષ્ટ્રથી–દેશથી ઉપજતા “શુદ્ર” તુચ્છ ઉપદ્ર, સિંહનાદથી ગજેની જેમ, ત્વારા પ્રભાવથકી શીઘ વેગે “વિદ્રવે છે–પલાયન કરી જાય છે. સિંહનાદ સાંભળતાં જેમ હાથીઓ એકદમ - ભાગી જાય, તેમ સ્વરાષ્ટ્રમાં ઉપજતા આંતરિક અંધાધુંધી વિપ્લવાદિ ઉપદ્ર અને પરરાષ્ટ્ર થકી થતા આક્રમણાદિ ‘ઉપદ્રવે વેગે ભાગી જાય છે. આ અંગે લલિતવિસ્તરામાં શ્રી હરિભદ્રાચાર્યજીએ પણ કહ્યું છે કે-જેમ ગન્ધહસ્તીએના ગન્ધથી જ દેશવિહારી મુદ્ર શેષ ગજે ભાગી જાય છે, તેમ આ પણ પરચક, દુભિક્ષ, મારિ પ્રમુખ - સવ જ ઉપદ્રવ-ગજે અચિત્ય પુણ્યાનુભાવ થકી ભગવદ્વિહારના ગધેથી જ ભાગી જાય છે.” (સૂત્ર મથાળે ટાંકેલ છે). જંગમ કલ્પવૃક્ષ વિહરે ત્યાં દર્ભિક્ષ ક્ષય – यत्क्षीयते च दुर्भिक्षः, क्षितौ विहरति त्वयि । सर्वाद्भुतप्रभावाढये, जङ्गमे कल्पपादपे ॥१०॥ જે અદ્દભુત પ્રભાવ જગમ તરકલ્પ વિકીપતિ! તું જ્યારે વિહરે તહીં ક્ષિતિ મહીં દુર્મિક્ષ પામે ક્ષતિ; ૧૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ દુર્મિક્ષ ક્ષય: ભામંડલ અર્થ–સર્વ અદ્દભુત પ્રભાવથી પૂર્ણ એ તું જંગમ કલ્પવૃક્ષ ક્ષિતિ–પૃથ્વી પર વિહરતે સતે, દુર્મિક્ષ જે ક્ષય પામે છે; વિવેચન પ્રભુ દરશન મહામેઘ તણે પરેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા અમ દેશમેં રે- શ્રીનમિ.” –શ્રી દેવચંદ્રજી ભગવવિહારક્ષેત્રમાં દુભિક્ષને-દુષ્કાળને અભાવ હોય છે એ દશમે અતિશય અત્રે ભગવાનને જંગમ કલ્પવૃક્ષની ઉપમા આપીને વર્ણવ્યું છે : હે ભગવન ! તું સર્વ અદ્ભુત–પરમ આશ્ચર્યકારી પ્રભાવથી–આય”— પરિપૂર્ણ-સમૃદ્ધ એ “જંગમ કલ્પવૃક્ષ છે,–“જંગમ – ગતિમાન–હાલતે ચાલતે કલ્પવૃક્ષ છે. આ તે જંગમ કલ્પવૃક્ષ જ્યારે “ક્ષિતિ–પૃથ્વી પર વિહરે છે ત્યારે દુભિક્ષ” ક્ષય પામી જાય છે, સુકાળમાં તે ધનધાન્યાદિની વિપુલતાને લીધે ભિક્ષા મળવી સુલભ હોય છે, પણ. દુકાળમાં તે તપસ્વી ભિક્ષુને ભિક્ષા મળવી દુર્લભ હોય. છે, એટલા માટે “દુભિક્ષ” એવું જેનું યથાર્થ પર્યાય નામ પડયું છે તે દુકાળને સર્વથા અભાવ હોય છે. અર્થાત્ સર્વ મનવાંછિત પૂરનારે તું જંગમ કલ્પવૃક્ષ જ્યાં વિહરતે હોય ત્યાં સર્વત્ર લેકેને પરમાનંદ ઉપજાવનારે સુભિક્ષરૂપ સુકાળ જ હોય, એવે ત્યારે અદ્ભુત અતિશય છે. SE Page #147 -------------------------------------------------------------------------- ________________ વીતરાગતવ સવિવેચન પ્રભુના મસ્તકના પૃષ્ઠભાગે ભામંડલ વર્ણવે છે— यन्मूर्ध्नः पश्चिमे भागे, जितमार्तण्डमण्डलम् । माभूद्रपुदुरालोकमितीवोत्पिण्डितं महः ॥११॥ ના હે દુષ્કર દેખવું તુજ તનુ તે માટે ભામંડલ, શીર્ષે પશ્ચિમ ભાગ સંસ્થિત જ જે જીતે રવિમંડલ; ૧૧ અર્થહારૂં શરીર દુરાલેક–અવેલેકવું દુષ્કર મ હે! એટલા માટે જાણે ઉપિંડિત–એકપિંડરૂપ કરેલું હેયની! એવું માર્તડ મંડલને જીતી લેનારૂં મહેસ–મહાતેજ જે હારા મસ્તકના પશ્ચિમ ભાગમાં છે; વિવેચન અતિ હારા ભામંડલ તણી પ્રભા તો ચમકતી, ત્રણે લોકમાંહી શુતિયુત તણી શુતિ હરતી. –ભક્તામર સ્તોત્રાનુવાદ (સ્વરચિત) ભગવાનના મસ્તકના પૃષ્ઠ ભાગે ભામંડલ હોય છે એ અગીયારમા અતિશયનું આ અગીયારમા લેકમાં કથન છે, અને તે ઉપમાન કરતાં જ્યાં ઉપમેયનું આધિક્ય છે એવા વ્યતિરેક અલંકારથી તેમજ ઉક્ષાલંકારથી અત્ર વર્ણવ્યું છે : હે ભગવાન! હારૂં તે મૃત્તિ શરીર “દુરાલેક”—અવલેકવું દુષ્કર મ હે! એટલા માટે જાણે “ઉસ્પિંડિત'–એકત્ર એકપિંડરૂપ કરાયેલું હાયની ! એવું માર્તડ મંડલને–સૂર્યમંડલને જીતી લે એવું “મહસૂ– મહાતેજ-મહાતેજ:પુંજમય ભામંડલ હારા મસ્તકના Page #148 -------------------------------------------------------------------------- ________________ કર્મક્ષયજન્ય અદ્દભુત યોગસામ્રાજ્યમહિમા પાશ્ચમ” પાછલા ભાગમાં હોય છે! અર્થાત્ ત્યારે તેજસ્વી દેદીપ્યમાન દેહ દુરાલેક મ હે–તેની સામે જેવું દુષ્કર મ હે, એટલા માટે જાણે એક પિંડે બનાવેલ તેજ:પું જરૂપ “ભામંડલ –સૂર્યમંડલના તેજને જીતી લે એવું પ્રભામંડલ હારા મસ્તકના પૃષ્ઠ ભાગે હોય છે. આ ત્યારું સર્વાતિશાયિ ભામંડલ એ પણ ત્યારે અદ્ભુત અતિશય છે. આમ કર્મસંક્ષય થયે ઉપજતા આ અગીયાર અતિશય જગતમાં અન્યત્ર ક્યાંય પણ ન જોવામાં આવે એવા પરમ અભુત આશ્ચર્યકારી છે. કર્મક્ષયજન્ય અદ્ભુત યોગસામ્રાજ્ય મહિમાस एष योगसाम्राज्यमहिमा विश्वविश्रुतः । कर्मक्षयोत्थो भगवन् ! कस्य नाश्चर्यकारणम् ? ॥१२॥ એ જે તુજ ગરાજ્ય મહિમા ઉદ્દભૂત કર્મક્ષયે, વિવે વિકૃત તેહ મગ્ન ન કરે કોને મહા વિસ્મયે ૧૨ અર્થ એવો તે આ હે ભગવન ! કર્મક્ષયથી ઊઠે ત્યારે વિશ્વવિશ્રત સામ્રાજ્ય મહિમા કેને આશ્ચર્ય કારણું નથી ? વિવેચન ઉપરમાં જે અગીયાર લેકમાં અનુક્રમે અગીયાર અતિશયનું વર્ણન કર્યું, તેને સંબંધ જોડતા આ બારમા Page #149 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન. લેકમાં ઉક્ત વસ્તુને ઉપસંહાર કર્યો છે: હે ભગવન! એ તે આ કર્મક્ષયથી–ઘાતિકર્મના ક્ષયથી ઉપજેલે ત્યારે વિશ્વવિશ્રત”—વિશ્વવિખ્યાત-જગપ્રસિદ્ધ ગસામ્રાજ્યમહિમા કેને આશ્ચર્યકારી નથી? અપર્વ આનપરાક્રમથી કર્મશત્રુને પરાજય કરી તે યેગીશ્વરે જે શુદ્ધ સહજાત્મસ્વરૂપના ગરૂપ–ગચક્રવર્તાિપણારૂપ ગસામ્રાજ્ય પ્રાપ્ત કર્યું. સવગીઓમાં એકછત્રી રાજ્યરૂપ આધ્યાત્મિક આત્મસામ્રજ્ય સિદ્ધ કર્યું, તે આ હારા વિશ્વવિખ્યાત યોગસામ્રાજ્યને પરમ અભુત મહેમા કેને આશ્ચર્ય ઉપજાવે એ નથી ? શ્રીમદ્દ” વીતરાગને પરા “શ્રી” પ્રાપ્તિ– तथोपाये प्रवृत्तस्त्वं, क्रियासभिहास्तः । यथानिच्छन्नुपेयस्य, परां श्रियमशिश्रियः ॥१३॥ નારાચ * પ્રવૃત્ત એમ તું ઉપાયમાં ક્રિયાનુશીલને, પણ શ્રો પ્રાપ્ત જેથી તું ન ઈચ્છતાં ઉપેયને ! ૧૩ • અર્થ –ક્રિયાના સમભિહાર થકીતું ઉપાયમાં એ પ્રવ કે જેથી અનિચ્છતા તેં ઉપેયની પરાશ્રીને આશ્રય કર્યો. વિવેચન - આવું અદ્ભુત સામ્રાજ્ય તે કેવી રીતે પ્રાપ્ત કર્યું તે વિચારું છું તે જણાય છે કે–ક્રિયાના “સમલિહાર? Page #150 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શ્રીમદ્દ વીતરાગની પરા “શ્રી પ્રાપ્તિ થકી–મનવચન-કાયાના ગની ક્રિયાનું જ્યાં સંહરણ થાય છે એવા ક્રિયાસંહરણ થકી, એટલે કે શુદ્ધ આત્મપરિણતિરૂપ અધ્યાત્મ ક્રિયાના સર્વથા સમ્યક્ એકાગ્ર અનુશીલન થકી તું ઉપાયમાં”—મોક્ષગસાધક ઉપાયમાં–સાધનમાં એ તે પ્રવર્તે કે જેથી “અનિચ્છતા”—નહિ ઈચ્છતા તે “ઉપયની” –શુદ્ધ ગરૂપ સાધ્યની પરાશ્રીને-સર્વોત્કૃષ્ટ લકમીને આશ્રય કર્યો,–ગસામ્રાજ્યની પરમ શ્રી પ્રાપ્ત કરી. અર્થાત્ મનવચન-કાયાના સર્વ ગની ક્રિયા સંહરી લઈ સ્વસ્વરૂપરમણરૂપ ક્રિયા-યથાખ્યાત ચારિત્ર વડે કરીને તે ઉપાયમાં–સાધનમાં એ તે પ્રવૃત્ત થઈ ગયે, એ તે લીન થઈ ગયે કે સર્વ ઈચ્છાથી રહિત તું નહિ ઈચ્છતાં પણ પરમ પદરૂપ ઉપેયની–પરમગ સાધ્યની સિદ્ધિને પામી ગયે! પરમ જ્ઞાનલક્ષ્મીને–તીર્થનાથસંપદાને પ્રાપ્ત થયે! અત્રે પ્રભુની નિર્વિકલ્પ સમાધિ-કે જે યુગનું અંતિમ ઉત્કૃષ્ટ અંગ છે તે, જ્યાં સર્વ ઈચ્છાદિ વિકલ્પ સમાઈ જાય છે તે–અસંપ્રજ્ઞાત” સમાધિને નિર્દેશ કર્યો છે. તેના પ્રભાવે પરમપદ સાથે યુજનરૂપ પરમ યોગ સિદ્ધ થાય છે. વીતરાગનું અનંત કમકક્ષનું ઉન્મેલન– अनन्तकालप्रचितमनन्तमपि सर्वथा । वत्तो नान्यः कर्मकक्षमुन्मूलयति मूलतः॥१४॥ અનંત કાલ સંચિતા અનંત કર્મકક્ષને, સમેંલ ઉન્મેલે ન અન્ય તું વિના ત્રિભુવને, ૧૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન પ્રચિત—સંચેલા અનત અર્થ :-અનન્ત કાલથી પણ કમ કક્ષને સર્વથા ત્હારાથી અન્ય મૂલથી ઉન્મૂલતા નથી. વિવેચન ૯૮ ( ૮ અષ્ટ ક વનદાહથી, પ્રગટી અન્વય ઋદ્ધિ’–શ્રીદેવચંદ્રજી હૈ વીતરાગ ! આવી ઉત્કટ ચેાગસાધના થકી તે અનંતકાળના અનંત કનું ઉન્મૂલન કરી અનન્ય આત્મપરાક્રમ દાખવ્યું છે! અનંત કાળથી પ્રચિત’–પ્રકૃષ્ટપણે સંચેલા અનંત એવા પણ ‘ ક`કક્ષને '–કમરૂપ જંગલને દ્ઘારા વિના અન્ય કોઈ એક પરમાણુ પણ ન શેષ રહે એમ સ પ્રકારથી સર્વથા ' મૂલથી ઉન્મૂલતા નથી– · જડમૂળથી ઉખેડી નાખતા નથી. ખરેખર! અનંત કાળથી સંચેલા એવા અનંત કવનને આમ એક પરમાણુ પણ આકી ન રહે એમ જડમૂળથી ઉખેડી નાંખવાનું આવું પરમ અદ્ભુત આત્મપરાક્રમ દાખવવાને જગત્માં હારા વિના ખીને કાણુ સમર્થ છે? અત્રે વિચારવા જેવુ... એ છે કેમાત્ર થાડા વર્ષોની સ્થિતિવાળા એક ન્હાના સરખા ઝાડને પણ જડમૂળમાંથી ઉખેડવું મુશ્કેલ છે; તે પછી આ તે અનંત કાળથી જેણે અતિ અતિ ઊંડા મૂળ નાંખ્યા છે એવા અનંતા મહાવૃક્ષે જ્યાં આવી રહ્યા છે, એવા કમરૂપ અરણ્યને–મોટા જંગલને જડમૂળથી ઉખેડી નાંખવું તે કેટલું બધું વિક્ટ કા છે? તેમાં કેટલા બધા આત્મપુરુષાર્થ ની આવશ્યકતા છે? પરંતુ આવા કવનને પણ તું પરમ યાગીવીતરાગ ધ્રુવે પરમ ચેાગસામર્થ્ય થી Page #152 -------------------------------------------------------------------------- ________________ કર્મકક્ષ ઉમૂલન: યોગાત્મા વીતરાગ ૯૯ –“સામગથી” ઉન્મલિત કર્યું!—એ હે વીતરાગ ! ત્યારે જગતમાં મેટામાં મેટે અદ્ભુત “અતિશય” છે! મૈત્રીઆદિભાવિત ગાત્મા વિતરાગને નમસ્કાર मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥१५॥ અનુષ્ઠ પવિત્ર પાત્ર મરીના, મુદિતા-મુદિતાત્માને નમઃ કૃપાળુ મધ્યસ્થ, ગાત્મા ભગવાન્ ! તને. ૧૫ અર્થ–મૈત્રીના પવિત્ર પાત્ર, મુદિતાના મદશાલી, કપા–ઉપેક્ષાની પ્રતીક્ષા કરનારા –એવા તું ગાત્માને નમરકાર હે ! વિવેચન અત્રે ઉપસંહાર કરતાં મિત્રીઆદિ ભાવનાની પરાકાષ્ઠાને પામેલા “ગાત્મા” ભગવાનને નમસ્કાર કરે છે. તે વીતરાગ ! લ્હારામાં આ ચાર વિશ્વકલ્યાણુકારિણી ભાવના પરાકાષ્ઠાને પામેલી છેઃ સકલ જગજતુ પ્રત્યે મિત્રતારૂપ હારી “લાત્મવત્ સર્વભૂતેષુ' એવી પરમ મિત્રી છે; ગુણવંત પ્રત્યે પ્રમુદિત થવારૂપ તને પરમ પ્રમેદ છે; જન્મ–જરામરણાદિ દુખેથી આત્ત જગત પ્રત્યે તને “પરદુઃખ છેદનઈચ્છા કરુણરૂપ નિષ્કારણ કર્યું છે, ત્યારે પ્રત્યે વિપરીત Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વીતરાગસ્તવ સવિવેચન વૃત્તિ ધરનારા પ્રત્યે તને ઉપેક્ષા–ઉદાસીનતા મધ્યસ્થતા છે.. આમ ગ–અધ્યાત્મની જનની આ ચાર અધ્યાત્મ ભાવનાની પર સિદ્ધિ તે પ્રાપ્ત કરી છે, અત એવ તું સાક્ષાત યેગાત્મા ” થયે છે, પેગ જેને આત્મા છે એ ગમય સાક્ષાત્ ગમૂર્તિ બન્યા છે. આવા મિત્રીના પવિત્ર પાત્ર, મુદિતાના–પ્રમોદના મેદશાલી, કૃપા-ઉપેક્ષાની પ્રતીક્ષા. કરનારા તું ગાત્માને નમસ્કર હે ! “વિશ્વવંદ્ય મહાવીર ભગવંતે મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યશ્ય એ ચાર વિશ્વવત્સલ ભાવનાનું નિરૂપણ કર્યું છે. શાંતિના ફિરસ્તા જેવી આ ચાર ઉત્તમ ભાવના અધ્યાત્મની જનની, મોક્ષમાર્ગની પ્રવેશની, ચિત્તની પ્રસાદની અને ધર્મધ્યાનની રસાયની છે.” પ્રજ્ઞાવધ મોક્ષમાળા પાઠ-૮ (સ્વરચિત) | ઇતિ શ્રીહેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ–સવિવેચનમાં– કર્મક્ષયજન્ય અગીયાર અતિશય વર્ણનાત્મક તૃતીય પ્રકાશ પh Page #154 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ: દેવકૃત અગીયાર અતિશય તીર્થકરશ્રીના તિલક સમું ધર્મચક્ર વર્ણવે છે— मिथ्यादृशां युगान्तार्कः, सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकुल्लक्ष्म्याः , पुरश्चकं तवैधते ॥१॥ કાવ્યાનુવાદ : મંદાક્રાંતા– મિથ્યાત્વીને પ્રલયરવિ સદ્દષ્ટિ સુધાંજના જે, તીર્થશ્રીના તિલકરૂપ તે ચક્ર અગ્રે વિરાજે; ૧ અર્થ –મિથ્યાષ્ટિઓને જે યુગાન્તસૂર્ય છે, સમ્યગષ્ટિઓને જે અમૃતાંજન છે –એવું તીર્થકરલમીનું તિલકરૂપ ચક્ર હારી આગળમાં ચાલે છે. વિવેચન “ આજ હે ઓગણીશે કીધા સુર ભાસુરે છે.” શ્રી યશોવિજયજી ત્રીજા પ્રકાશમાં કર્મક્ષયથી પ્રગટતા અગીયાર અતિશયનું પરમ ભક્તિથી ઉત્કીર્તન કરી, હવે ક્રમ પ્રાપ્ત Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વીતરાગસ્તવ સવિવેચન દેવકૃત ૧૯ અતિશયેનું વર્ણન આ ચેથા પ્રકાશમાં અને પાંચમા પ્રકાશમાં વિભક્ત કરીને કરે છે, તેમાં આ પ્રકાશમાં પ્રથમ ૧૧ અતિશય વર્ણવે છે, તે આ પ્રકારે-(૧) ધર્મ ચક, (૨) ઈંદ્રધ્વજ, (૩) સુવર્ણકમળ રચના, (૪) પ્રતિરૂપ સ્થાપન, (૫) ત્રિગઢ રચના, (૬) કંટકનું અધોમુખપણું, (૭) કેશઆદિનું અવસ્થિતપણું, (૮) શબ્દાદિ પંચ વિષયેનું અનુકૂલપણું, (૯) સર્વઋતુ સમવતાર, (૧૦) ગંદક– પુષ્પવૃષ્ટિ, (૧૧) જઘન્યથી એક ક્રોડ દેવેનું સેવાતત્પરપણું આમાંથી પ્રથમ દશનું એકેકે વર્ણન પ્રથમ દશ લેકમાં કરી, તેના અનુસંધાનમાં સ્તુતિરૂપ ત્રણ લેક મૂકી, પછી છેલ્લા ચૌદમા લેકમાં ૧૧ મો અતિશય વર્ણવ્યું છે. આ પ્રત્યેક અતિશયનું વર્ણન અપૂર્વ કાવ્ય ચમત્કૃતિથી કરતાં મહાકવિ હેમચન્દ્રાચાર્યની કાવ્યકળા સોળે કળાએ ખીલી નીકળી છે, અને તેમાં પદે પદે આ કલિકાલસર્વજ્ઞ અને ભક્તિઅતિશય એર ઝળકી ઊઠયો છે. આટલી સામાન્ય ભૂમિકા કરી હવે આ પ્રથમ લેકને ભાવ વિચારીએ. ભગવાનની આગળમાં દેવનિર્મિત ધર્મચક્ર ચાલે છે, એ એમ સૂચવે છે કે આ ધર્મચકવર્તીનું ધર્મચક અપ્રતિત છે. આ ધર્મચક તીર્થંકરલક્ષ્મીનું તિલક છે; તીર્થંકરલક્ષ્મી ગુણથી રીઝી તીર્થકરને વરી, તેણે જણે તેના ભાલમાં આ ત્રિભુવનાધિપતિપણાનું તિલક કર્યું હાયની! આવું તીર્થંકરલક્ષમીના તિલકરૂપ આ ધર્મચક Page #156 -------------------------------------------------------------------------- ________________ તીકરીના તિલક સમુ ધ ચક્ર, ઇંજ ભગવાનના અગ્રભાગમાં શાલે છે, તે મિથ્યાષ્ટિઓને યુગાન્તસૂર્ય છે, – પ્રલયકાળના સૂર્ય જેવું ઉગ્ર-પ્રચંડ લાગે છે; અને સમ્યગ્દૃષ્ટિએને અમૃતાંજન છે,—અમૃતાંજન જેવું શીતલ શાંતિકારી લાગે છે. મિથ્યાષ્ટિએ આને દેખી ઈર્ષ્યાગ્નિથી ખળી જાય છે, અને સમ્યગૂઢષ્ટિએ આને દેખીને જાણે આંખમાં અમૃત આંજયું હે” એમ શીતલ શીતલ થઈ જાય છે. મિથ્યાષ્ટિઓને પેાતાની જષ્ટિના દોષથી આ પ્રચંડ ઉત્તાપકારી લાગે છે, સમ્યગ્રષ્ટિએને પેાતાની દૃષ્ટિના ગુણુથી આ શીતલ શાંતિકારી લાગે છે. આમ એક જ વસ્તુ બન્નેને પોતપેાતાના ભાવ પ્રમાણે ભાસે છે! આ ધમચક્ર ભગવાનના અપ્રતિહત ધમ ચક્રનુ' પ્રતીક છે. આ અંગે શ્રીહરિભદ્રસૂરિએ લલિતવિસ્તરામાં કહ્યું છે તેમ યથાટ્ઠિત ધમાઁ જ ચક્રવતી ચક્રઆદિ અપેક્ષાએ વર–પ્રધાન એવુ ચક્ર જેવું ચક્ર છે,’ ઇત્યાદિ. તેમજ અન્યદશનીથી પ્રણીત ધમાઁચક્રની અપેક્ષાએ પણ એ ઉભયલાકમાં પરમ ઉપકારીપણાએ કરીને વર-પ્રધાન છે. " ૧૦૩ X " यथोदितधर्म्म एव वरं प्रधानं चक्रवत्तिचक्रापेक्षया लोकद्वयोपकारित्वेन कपिलादिप्रणीतधर्म्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया, સમિવ ” (ત્યાદ્રિ) ' ( વિશેષ માટે જીએ। લલિતવિસ્તરા (સ. ૧૫૨, પૃ. ૨૯૮) મસ્કૃત સવિવેચન ગ્રંથ ) 卐 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વીતરાગસ્તવ સવિયન જગતમાં આ એક સ્વામી” એમ સૂચવતે ઇંદ્રધ્વજ एकोऽयमेव जगति, स्वामीत्याख्यातुमुच्छ्रिता । उच्चैरिन्द्रध्वजव्याजात्तर्जनी जम्भविद्विषा ॥२॥ સ્વામી એક ત્રિજગમહિં આ એમ ઉદઘષવાને, ઇકે ઈદ્રવ્રુ છલ કરી તર્જની ઊર્થ જાણે! ૨ અર્થ_એક આ જ જગતમાં સ્વામી છે” એમ આખ્યાત કરવાને જાણે ઇંદ્રધ્વજના છલથી ઈંદ્રથી તર્જની ઉંચી કરવામાં આવી છે ! વિવેચન દેવેના અધિપતિ ઇંદ્ર મહારાજ ઇંદ્રધ્વજ લઈને આગળ ચાલે છે. આ વસ્તુને સુંદર ઉમેશા-અપનુતિ અલંકારથી કવિ વર્ણવે છે – આ તીર્થકર એક જ જગમાં–ત્રિભુવનમાં સ્વામી છે, એમ આખ્યાત કરવાને– જાહેર કરવાને જાણે ઈંદ્ર ઇંદ્રધ્વજના બહાને પિતાની તર્જની અંગુલિ (Index finger) ઉંચી કરી હાયની પ્રભુના પદન્યાસ માટે દેવેની સુવર્ણકમળ રચના– यत्र पादौ पदं धत्तस्तव तत्र सुरासुराः। किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवासिनीम् ॥३॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણકમળ રચના : ચતુર્મુખ રચના ૧૦૫ જ્યાં જ્યાં ત્યાર પદ પદ ધરે ત્યાં સુરાસુર વૃદ, વેરે લક્ષમી કમલછલથી પઘસવા મુનીંદ! ૩ અર્થ-જ્યાં લ્હારા બન્ને પાદ પદ ધરે છે, ત્યાં સરાસરે પંકજના બહાને પંકજવાસિની શ્રી વેરે છે. વિવેચન “પનિ તત્ર વિવુથા: રપતિ ” – ભક્તામર સ્તોત્ર તીર્થકર જ્યાં જ્યાં ગમન કરે છે – પગલાં પાડે છે ત્યાં ત્યાં તેમના પદ મૂકવાને દેવે સુવર્ણકમળની રચના કરે છે. એક પગલું સુવર્ણ કમળ પર મૂકે ત્યાં બીજું સુવર્ણકમળ આગળ આગળ રચાતું આવે અને તે પર પદ મૂકી પ્રભુ આગળ આગળ ચાલતા જાય. આ વસ્તુ કવિ અપહુતિ અલંકારથી સુંદર રીતે વર્ણવે છે–જ્યાં -હારા બે પાદ–ચરણ પદ ધરે છે – પગલાં પાડે છે, ત્યાં સુરાસુરે “પંકજ વ્યાજથી” – પંકજ છલથી – પંકજના ન્હાને પંકજવાસિની શ્રીલક્ષમી વેરે છે! લક્ષમી “પંકજ વાસિની” – કમળવાસિની કમળા પદ્મસ%ા કહેવાય છે, અને આ પંકજે સુવર્ણઘટિત છે, એટલે આ પંકજના મ્હાને દેવે પંકજવાસિની “શ્રી” વેરે છે એમ કહ્યું તે યથાર્થ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વીતરાગસ્તવ સવિવેચન ચતુર્મુખરચના જાણે ચતુર્વિધ ધર્મ પ્રકાશવા !— दानशीलतपोभावभेदाद्धर्म चतुर्विधम् । मन्ये युगपदाख्यातुं, चतुर्वक्त्रोऽभवद् भवान् ॥४॥ એકી સાથે ચઉવિધ અહો ! ધર્મ ઉદબોધવાને, માનું છું હું ચઉમુખ પ્રત્યે ! તું થયો હેય જાણે! અર્થ-દાન, શીલ, તપ અને ભાવ એ ભેદથી ચતુંર્વિધ ધર્મ એકી સાથે આખ્યાત કરવાને, હું માનું છું, કે તું ચતુર્મુખ થયે ! વિવેચન “તુ ઘર્મવેબ્સારું ઘર્મનાથકુવાના”- સકલાતસ્તોત્ર સમવસરણમાં ભગવાનના ચતુર્મુખ–ચાર મુખ શેલે છે. એક તે ભગવાન સાક્ષાત્ પૂર્વાભિમુખે બિરાજે છે; બાકી ત્રણ દિશામાં – દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશામાં દેવ ભગવાનનું આબેહૂબ “પ્રતિરૂપ” – પ્રતિકૃતિ રચે છે, – પ્રતિબિંબ – પ્રતિમા સ્થાપે છે; એથી ચારે દિશામાં સર્વ કોઈને સાક્ષાત્ ભગવાન જ સન્મુખ દેખાય છે. આમ ભગવાન ચતુર્મુખ હોય છે, તે અંગે કવિ ઉભેક્ષા કરે છે–– દાન-શીલ-તપ-ભાવ એ ચાર ભેદથી “ચતુવિધ” – ચાર પ્રકારને ધર્મ છે, તે જાણે એકી સાથે આખ્યાત કરવાને Page #160 -------------------------------------------------------------------------- ________________ . ૧૦૭ વિગઢ રચના : કંટકોનું અધોમુખપણું તું “ચતુર્મુખ’– ચાર મુખવાળે થયે હેયની! એમ હું માનું છું. અર્થાત્ લ્હારા ચાર મુખ છે તે જાણે દાન – શીલ- તપ – ભાવરૂ૫ ચતુવિધ ધર્મ એકી સાથે પ્રકાશવા માટે હાયની! ત્રિદોષથી ત્રિભુવન રક્ષવા ત્રિગઢ રચના! वयि दोषत्रयात्त्रातुं, प्रवृत्ते भुवनत्रयीम् । प्राकारत्रितयं चक्रुस्त्रयोऽपि त्रिदिवौकसः ॥५॥ ઉદથી તું ત્રિભુવન વાણુથ પ્રવૃત્ત થાતાં, વિપ્રકારે વિભુવનપતિ ! વિદેશથી રચાતા; પ અર્થ-ત્રિદોષમાંથી ભુવનત્રયને ત્રાણ કરવાને તું પ્રવૃત્ત થયે ત્રણેય ત્રિદિવૌકસેએ દેવોએ) પ્રકારની રચના કરી. વિવેચન માણિક ને કનક રજતે ત્રિ રચેલા ગધેથી, વિભાસે છે ભગવાન અહે! તુંહી સર્વે દિશાથી – કલ્યાણ મંદિર અનુવાદ (સ્વરચિત) આ ત્રણ ભુવન રાગ – વૈષ – મેહ એ ત્રણ દેષથી પીડાઈ રહ્યું છે, અને ત્રણ નિકાયના દેવે – વિમાનેવાસી. જે તિષી ભુવનપતિ રત્નમય – સુવર્ણમય – રૌખ્યમય એમ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ . વીતરાગસ્તવ સવિવેબ -ત્રણ પ્રકારની – ત્રણ ગઢની રચના કરે છે. આ બધાય “ત્રણ”ને સુમેળ મેળવતાં કવિ અનુપ્રાસાનુવિદ્દ ઉક્ષા“લંકારથી અત્ર વદે છે –તું ભુવનત્રયને – ત્રિભુવનને દોષત્રયમાંથી–રાગ-દ્વેષ - મેહ એ ત્રિદેષમાંથી ત્રાણ–રક્ષણ કરવાને પ્રવૃત્ત થયે, ત્રિદિવૌકસ વયે – “ત્રિદિવ” સ્વર્ગ જેનું નિવાસસ્થાન છે એવા ત્રણ દેવનિકાએ એટલે કે વિમાનવાસી જ્યોતિષી ભુવનપતિ દેવોએ પ્રાકારત્રયની– રત્નને સેનાને અને રૂપાને એમ ત્રણ ગઢની રચના કરી. અર્થાત્ રાગ-દ્વેષ–મેહના “ત્રિદેષ’ – સનિપાતથી ત્રિભુવનનું ત્રાણ કરવાને – ત્રિભુવનને બચાવવાને તે પ્રવૃત્ત થયે છે, એમ જાણે સૂચવતા હોય એમ ત્રિદેવે ત્રિ ગઢ -રત્ન–સુવર્ણ–રજતમય રચે છે ! ત્રિદેશ એટલે રાગ, દ્વેષ અને મેહ અથવા મન – વચન – કાયાના દેષ અથવા સન્નિપાત” સનિષ્ણાતસત્ સ્વરૂપથી નીચે પડવું -તે, ત્રિજગને આ ત્રિદેષ સન્નિપાત લાગુ પડ્યો છે તેમાંથી તેને બચાવવા તું તત્પર થયે છે, તેનું આ ત્રિગઢ " જાણે સૂચન કરે છે ! હë,,, * Tvi• .. ૧ * * a 'જતા * કે ન કે મે - “ભગવદવિહારભૂમિમાં કંટકનું અધોમુખપણુંअधोमुखाः कण्टका स्युर्धात्र्यां विहरतस्तव । भवेयुः सम्मुखीनाः किं, तामसास्तिग्मरोचिषः॥६ Page #162 -------------------------------------------------------------------------- ________________ કેશનખાદિનું અવસ્થિતપણું: ૧૦૯ ૬ પૃથ્વીમાં તુ વિભુ ! વિહરતાં કટકો થાય ઉષા, શાનુ સામે ઘુડ તિમિર વા શુ' ધરે મુખ ચાં? ૬ અર્થ: તું પૃથ્વીમાં વિહેરતાં કટકા ધામુખ થાય છે; તામસા (વડા કે અધકારી) શું સૂર્યની સન્મુખ સુખ ધરતા હૈાય ખરા કે ? વિવેચન ' તીર્થંકર ધ્રુવ વિહાર કરે છે તે વિહારમાગમાં આવતા કાંટાએ દેવપ્રભાવથી અધેશમુખ ' – વાગે નહિ' ‘ એમ નીચા મુખવાળા – ઊંધા થઈ જાય છે. આ વસ્તુને અપ્રસ્તુતપ્રશંસાલંકારી સમિતિ કરતાં કવિ કથે છે—‘ તામસા ’–તમસમાં અંધકારમાં દેખનારા ઘૂવડ અથવા તમસ્પટલ-અધકારીશું ‘તિગ્મરાચિના ’–તીક્ષ્ણ ચંડ, કિરણ છે જેના એવા ભાસ્કરને ‘સંમુખીન’–સન્મુખ મુખ ધરનારા શું હાય ખરા કે ? ઘૂવડ કે અંધકાર સૂર્યની સામે. ઉભા રહી શકે ખરા કે ? 卐 કેશ—નખઆદિનું અવસ્થિતપણું— केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् । बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरैः परैः ॥ ७॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૦ વીતરાગસ્તવ સવિવેચન કેશ કમ નખ પ્રમુખ હાર અવસ્થિત રહે છે, ના તીથિકે અપાર મહિમા બાહ્ય એ લખે છે . અર્થહારા કેશ—રોમનખ-દાઢી અવસ્થિત (જેમ છે તેમ) રહે છે; આ આ બાહ્ય વેગમહિમા પણ પર તીર્થકરોથી પ્રાપ્ત કરી નથી. વિવેચન ભગવાન જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે કેશ–નખ વગેરે જે સ્થિતિમાં હોય છે, તેમજ જેમના તેમ રહે છે, વધતા ઘટતા નથી. આ અદ્ભુત વસ્તુ વ્યતિરેક અલંકારથી કવિ રજૂ કરે છે–હારા કેશ-રોમ-નખદાઢી “અવસ્થિત છે—જેમ છે તે જ સ્થિતિમાં રહે છે– વધતા ઘટતા નથી, એ જે આ બાહા ગમહિમા છે, તે “પણ” પર–બીજા–અન્યદર્શનીય તીર્થકરોથી–ધર્મતીર્થ– સ્થાપકેથી પ્રાપ્ત કરાયે નથી. આ બાહ્ય વેગમહિમા પણ” જે અન્ય તીર્થકરેથી પ્રાપ્ત કરાયું નથી, તે પછી એથી ઘણે ઘણે આગળ એ આંતરિક–આધ્યાત્મિક ગમહિમા તે એઓથી ક્યાંથી પ્રાપ્ત કરી હોય? આ સવ અન્ય તીર્થકરોથી ત્યારે વ્યતિરેક-અતિશયિપણું –ચઢિયાતાપણું દર્શાવે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ તાર્કિક જેમ પંચ ઇથિવિષયોનું અપ્રતિકૂલપણું: ૧૧૧ તાર્કિકે જેમાં પંચ ઇન્દ્રિયવિષયોનું અપ્રતિકુલપણું– शब्दरूपरसस्पर्शगन्धाख्याः पञ्च गोचराः। भजन्ति प्रातिकूल्यं न, त्वदने तार्किका इव ॥६॥ શબ્દ સ્પર્શ પ્રમુખ વિષયો પંચ હારી સમીપે, તાવિત પ્રતિકૂલપણું ને ભજે છે જરીકે. ૮ અર્થ-શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, અને ગંધ એ નામના પંચ વિષયે, તાર્કિકેની જેમ, હારી આગળમાં પ્રતિકૂળપણને ભજતા નથી. વિવેચન " यस्य पुरस्ताद् विगलितमाना न प्रतितीर्थ्या भुवि विवदन्ते ।" -શ્રી સમંતભદ્રાચાર્યજી શબ્દાદિ પંચ “બેચરો’ કહેવાય છે; “ગ”—ઇંદ્રિયને ‘ચર’–સંચાર ક્યાં છે તે અથવા “ચર’–ચરે જે છે તે ગોચર”—ઇંદ્રિયવિષય. આ શબ્દાદિ પંચ વિષયે પ્રભુને સદા અનુકૂળ વત્તે છે, કદી પ્રતિકૂળ વત્તતા નથી. આ વસ્તુ કવિએ અત્રે અજબ કુશળતાથી ઉપમાલંકારથી રજૂ કરી છે : શબ્દ-રૂપ-રસ–સ્પશ—ગન્ધ એ પંચ “ગેાચર – ઇંદ્રિયવિષયે, હારી આગળમાં “પ્રાતિકૂલ્ય”–પ્રતિકૂળપાશું ભજતા નથી, તાર્કિકેની જેમ. જેમ બૌદ્ધ, સાંખ્ય, નૈયાચિક, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વીતરાગસ્તવ સવિવેચન જેમિનીય અને ચાર્વાક એ પંચ તાર્કિક દર્શનવાદીઓ હારી આગળમાં પ્રતિકૂળ વત્તતા નથી, તેમ શબ્દાદિ પંચ. વિષયે પણ હારી આગળમાં પ્રતિકૂળ વત્તતા નથી. સર્વઋતુનું સમકાળે પ્રભુસેવામાં હાજરપણું– त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते । आकालकृतकन्दर्पसाहायकभयादिव ॥९॥ એકી સાથે ઋતુ સહુ કરે તાહરી પાદસેવા, જાણે હુને સતત સ્મરને હાય દીધાથી દેવા ! ૯ અર્થ –હારા ચરણેને સર્વે હતુઓ એકી સાથે પર્ય પાસે છે, તે જાણે કે આકાલથી-અનાદિથી કામદેવને સાહાયક થયાના ભયથી હાયની ! વિવેચન જગતમાં સામાન્યપણે કઈ પણ વખતે કેઈ એક ગતુ વતે છે, પણ ભગવાનને તે સર્વ ઋતુ એકી સાથે. સેવ છે–સર્વઋતુ એકી સાથે અનુગુણપણે વર્તે છે. આ અંગે કવિ સુંદર ઉઍક્ષા કરે છે–સર્વે ઋતુઓ “યુગપ” એકી સાથે હારા ચરણને પર્ય પાસે છે તે જાણે આકાલથી”—જ્યારથી આ કાળનું અસ્તિત્વ છે ત્યારથી Page #166 -------------------------------------------------------------------------- ________________ સર્વગડસમકાળે : ગંધદક પુષ્પવૃષ્ટિ ૧૧૩ એટલે કે અનાદિકાળથી કંદપને-કામદેવને સહાયક થયાના ભયથી તેમ કરતી હોયની ! અર્થાત્ આ ઋતુઓ. અનાદિથી કામના ઉદ્દીપન આદિથી કંદર્પને-કામને સાહાયક થતી આવી છે અને આમ કામને સાહાયક થયાનું દુષ્કર્મ કર્યાથી તે આત્માના “કામ”ને આત્માર્થકાર્યને વિરેધક થઈ પડી છે, એટલે આત્મવિરોધી કામને અમે પૂર્વે ખૂબ સહાય કરી છે તેથી તે “ગુન્હાના બદલામાં આ ભગવાને જેમ કામને મારી નાંખે છે તેમ રખેને અમને તે મારી નહિં નાંખેને ! એવા ભયથી જાણે એકી સાથે પ્રભુની સેવા કરવા આવી હોયની ! એમ કવિ કવિકલ્પનાથી ઉલ્ટેક્ષે છે. ગધદક-પુષ્પવૃષ્ટિથી ભગવવિહારભૂમિનું પૂજન— सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च । भावित्वत्पादसंस्पर्शा, पूजयन्ति भुवं सुराः ॥१०॥ દવે ગધેદક કુસુમની દિવ્ય વૃષ્ટિ કરીને, પૂજે ભાવી તુજ ચરણ સંસ્પર્શ યોગ્યા મહીને. ૧૦ અર્થહાર પાદસંસ્પર્શ જ્યાં ભાવિ થવાનું છે, તે ભૂમિને દેવતાઓ સુગંધી જલવર્ષોથી અને દિવ્ય પુષ્પ: ઉત્કથી (રાશિથી) પૂજે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન સુપારિજાતાદિ શુભ કુસુમની વૃષ્ટિ પડતી, પ્રભે ! દિવ્યા વા તે તુજ વચનની શ્રેણી ખરતી. –ભક્તામર અનુવાદ (સ્વરચિત) જ્યાં તીર્થંકર પ્રભુ વિચરવાના છે તે ભૂમિ પર દેવતાઓ ગધેદિક વર્ષાવે છે અને પુષ્પરાશિ વેરે છે, આ અતિશયનું અત્ર વર્ણન છે–ત્યારે “પાદસંસ્પર્શ –ચરણસ્પર્શ જ્યાં ભાવિ–થવાને છે તે ભૂમિને દેવતાઓ સુધી જલવર્ષાથી અને દિવ્ય પુષ્પરાશિથી પૂજે છે! અર્થાત જ્યાં હારો ચરણન્યાસ થવાને છે તે ભૂમિને પણ પૂજ્ય માની દેવ ગદકથી અને પુષ્પવૃષ્ટિથી “પૂજે છે” એ અપૂર્વ ભાવ ઉતારી અત્રે કવિએ પિતાના ભક્તિઅતિશય સાથે દેને ભક્તિઅતિશય વ્યંજિત કર્યો છે. UR પક્ષીઓની પણ પ્રભુને પ્રદક્ષિણजगत्प्रतीक्ष्य त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् । का गतिमहतां तेषां, त्वयि ये वामवृत्तयः ? ॥११ પક્ષીઓયે નિરખી જગને જે પ્રદક્ષિણ હારી, તુમાં વામાચરણ જનની રે! ગતિ શી થનારી ૧૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ પક્ષીઓની પણ પ્રદક્ષિણા : વાયુની અનુકૂલતા ૧૧૫ અર્થ :-જગને દેખીને પક્ષીઓ પણ તને પ્રદક્ષિણા ઢીએ છે; જેઓ ત્હારા પ્રત્યે વામવૃત્તિવાળા છે તે મઢુતાની શી ગતિ થશે ? વિવેચન 4 * • આમ ૧૦ અતિશયાનું વર્ણન કરી તેના અનુસંધાનમાં આનુષંગિકપણે પક્ષી આદિનું પણ ભગવાનને અનુકૂળપણું વણુ વે છેઃ—જગને ‘પ્રતીક્ષીને ’–દેખીને પક્ષીઓ પણ તને ‘પ્રદક્ષિણ’ જાય છે, તું ‘પ્રદક્ષિણ’–દક્ષિણ-જમણી બાજુએ રહે એમ તને પ્રદક્ષિણા ક્રે છે.-અને એમ તને ‘પ્રદક્ષિણ’ -પ્રકૃષ્ટપણે અનુકૂળ વત્તી પોતાના આદરાતિશય વ્યક્ત કરે છે. પણ તને ‘વામ’–ડાબી બાજુએ રાખી ફરે તે તે અનાદર કહેવ.ય. આ ‘પ્રદક્ષિણ'ના શ્લેષ પરથી કવિને શ્રીજી જ વાત સ્ફુરે છે અને તે માર્મિક કટાક્ષથી ‘વામ’ શબ્દના શ્લેષથી રજૂ કરે છે—જેએ હારા પ્રત્યે ‘વામ વૃત્તિવાળા ’ છે, ‘વામ’–ડાખી વૃત્તિવાળા અથવા વામ’– વજ્ર-વાંકી–ડી–પ્રતિકૂલ વૃત્તિવાળા છે તે મહતાની શી દશા થશે ? તને પ્રદક્ષિણ-અનુકૂળ થઈ પ્રદક્ષિણા કરનારા પક્ષીએથી પણ આ ‘વામવૃત્તિવાળા’–હારાથી વાંકા-આડા ચાલનારા પ્રતિકૂળવતી મહુતા’–કહેવાતા મહાજના હીન છે, તા પછી તેની શી ગતિ થશે-શા હાલ થશે? તે વિચારતાં અમને કરુણા આવે છે. ? 節 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વીતરાગસ્તવ સવિવેચન એકેન્દ્રિય વાયુનું પણ અનુકૂલપણું– पञ्चेन्द्रियाणां दौःशील्यं, क्व भवेद्भवदन्तिके ?। एकेन्द्रियोऽपि यन्मुञ्चत्यनिलः प्रतिकूलताम् ॥१२॥ પચેકીનું તુજ સમૉપમાં હેય દેશીલ્ય શાને? વાયું એકેન્દ્રિય પણ મૂકી દે પ્રતિકૂલતાને. ૧૨ અર્થ-ન્હારી સમીપમાં પંચેન્દ્રિયનું શીલ્યદુશીલપણું તો કયાંથી હોય ? કારણ કે એકેન્દ્રિય એવો પવન પણ પ્રતિકૂલતા મૂકી દીએ છે. વિવેચન ભગવત્ સાનિધ્યમાં એકેન્દ્રિય પવનનું પણ અનુકૂળપણું વર્ણવે છે–“હારી “સમીપમાં”—હારા સન્નિધાનમાં એકેન્દ્રિય એવો અનિલ પણ–વાયુ પણ પ્રતિકૂળપણું મૂકી દે છે, અનુકૂળપણે વહે છે; તે પછી હાર સંન્નિધાનમાં પંચેન્દ્રિય જીવોનું “દૌશલ્ય”—દુ શીલપણું વિપરીતચારિત્રપણું કયાંથી હોય? અર્થાત્ લ્હારા સન્નિધાનને મહાપ્રભાવઅતિશય જ એ છે કે સર્વ જીવોનું શીલપણું સહેજે છૂટી જાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષનું પણ નમન : કટિદેવનું વાત્પરપણું ૧૧૭ ભગવાનને મસ્તક નમાવતા વૃક્ષો પણ કૃતાથ– मूर्ना नमन्ति तखस्त्वन्माहात्म्यचमत्कृता । तत्कृतार्थ शिरस्तेषां, व्यथै मिथ्यादृशां पुनः॥१३॥ વંદે વૃક્ષો તુજ સુમહિમાથી ચમત્કાર પામી, તેથી હેનું શિર કૃતી જ મિથ્યાત્વનું વ્યર્થ નામી; ૧૩ અર્થ –હારા માહાસ્યથી ચમત્કાર પામેલા તેઓ તને મતકથી નમે છે, તેથી તેઓનું શિર કૃતાર્થ છે, પણ મિથ્યાષ્ટિઓનું (શિર) વ્યર્થ છે. વિવેચન “જિન ચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણુ – શ્રી દેવચંદ્રજી હારા અભુત માહાસ્યથી–મહાપ્રભાવથી ચમત્કાર પામેલા વૃક્ષે પણ મસ્તકથી નમે છે. ઉપલે ભાગ નમાવી નમસ્કાર કરે છે,–તેથી તેઓનું “શિર ”—માથું કૃતાર્થ – કૃતકૃત્ય છે, સફળ છે, પણ મિથ્યાદષ્ટિએ જે તને મસ્તક નમાવતા નથી, તેઓનું મસ્તક વ્યર્થ –નિરર્થક છે, નિષ્ફળ છે. S Page #171 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૧૧૮ * વીતરાગસ્તવ સવિવેચન વીતરાગદેવસેવામાં કોટિ દેવેનું સદાતત્પરપણું– जघन्यतः कोटिसङ्ख्यास्त्वां सेवन्ते सुरासुराः। भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते ॥१४॥ કેટિ સંખ્યા સુર અસુર સેવે તને તે જઘન્ય, મયે ના અલસ ભગવાન્ ! અર્થમાં પ્રાપ્ય પુણ્ય. ૧૪ અર્થ –જઘન્યથી (ઓછામાં ઓછા) કેકટિસંખ્ય સુરાસુરો તને સેવે છે; ભાગ્યસંભારથી લભ્ય–પ્રાપ્ત થવા યોગ્ય અર્થમાં મદે પણ ઉદાસ રહેતા નથી. વિવેચન “પ્રભુચરણને સેવે છે, કે સુરનરઅસુરપતિ” – શ્રી દેવચંદ્રજી જઘન્યથી–ઓછામાં ઓછા (minimum) કટિ. સંખ્યા એક કોડની સંખ્યામાં સુરાસુરે તને સેવે છે. આ વસ્તુને અર્થાતરન્યાસથી સમર્થિત કરતાં કવિ કહે છે– ભાગ્યસંભારથી”—મહાપુણ્યસમૂહના ગે “લભ્ય’–પ્રાપ્ત થવા ગ્ય એવી વસ્તુમાં “મદે”-મંદ જડબુદ્ધિ અને પણ ઉદાસ રહેતા નથી–ઉપેક્ષા કરતા નથી, આળસ કરતા નથી, તે પછી બીજાનું તે પૂછવું જ શું? || ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– - સકાવ્યાનુવાદ સવિવેચનમાં– દેવકૃત અગીયાર અતિશય વર્ણનાત્મક ચતુર્થ પ્રકાશ પર Page #172 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકાશ અષ્ટ પ્રાતિહાર્ય (દેવત અતિશય) અશોકવૃક્ષ પ્રાતિહાર્ય અંગે કવિ ઉસ્પેક્ષા કરે છે– गायन्निवालिविस्तै नृत्यन्निव चलै दलैः । त्वद्गुणैरिव रक्तोऽसौ, मोदते चैत्यपादपः॥१॥ કાવ્યાનુવાદ : . માલિની – ભ્રમર રવથીં જાણે ગાન ઉચે કરતે ! ચલ દલ થકી નાટારંભ જાણે રચતે ! તુજ ગુણ ગણદ્વારા રક્ત જાણે વિલોક ! પ્રમુદિત અતિ થાતે વૃક્ષ એ અશક. ૧ અર્થ–બ્રમના ગુંજારવોથી જાણે ગાતે હેયની ! ચલ દલેથી જાણે નાચતે હેયની ! લ્હારા ગુણોથી જાણે રક્ત હાયની ! એ તે ચિત્યપાદપ–અશોકવૃક્ષ મેદ પામે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન દિવ્ય વનિ સુર ફૂલ, ચામર ચત્ર અમૂલ; આજ હે રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. –શ્રી યશોવિજયજી. આગલા ચતુર્થ પ્રકાશમાં દેવકૃત ૧૯ અતિશયે મધ્યેથી ૧૧ અતિશયેનું વર્ણન કર્યું, અત્રે આ પાંચમા પ્રકાશમાં શેષ આઠ અતિશયેનું તેવું જ હૃદયંગમ વર્ણન કર્યું છે, આ અષ્ટ અતિશયે તે “અષ્ટ પ્રાતિહાર્ય' નામે પ્રસિદ્ધ છે. પ્રતિહારને ભાવ તે પ્રાતિહાર્ય. અર્થાતુ છત્રચામર-સિંહાસનાદિ રાજચિહ્ન ( Paraphermalia) જેમ અત્રે રાજસભામાં આ રાજા બિરાજમાન છે એમ રાજાના આવેદક પ્રતિહારી-છડીદાર જેવા છે, તેમ કેવલસામ્રાજ્યના ચિહ્નરૂપ આ અષ્ટ પ્રાતિહાર્ય અત્રે સમવસરણસભામાં આ ત્રિભુવનરાજરાજેશ્વર તીર્થકર દેવ બિરાજમાન છે એમ આ ચેગિસમ્રાટના પ્રખ્યાપક પ્રતીહારી સમાન છે. તે અષ્ટ પ્રાતિહાર્ય આ છે –(૧) ચિત્યવૃક્ષ અશોક, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દેવદુંદુભિ, (૮) છત્રત્રયી. તીર્થકર ભગવાનના કેવલસામ્રાજ્યની છડી પોકારનારા આ આઠ પ્રાતિહાર્યનું પરમ હૃદયંગમ વર્ણન અત્ર આઠ લેકમાં એકેકપણે કર્યું છે અને નવમાં છેલ્લા કલેકમાં તેને ઉપસંહાર કર્યો છે. આ અષ્ટ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં Page #174 -------------------------------------------------------------------------- ________________ અશાક વૃક્ષ : સુરપુષ્પ વૃષ્ટિ ૧૨૧ કવિઓ જાણે થાક્તા જ નથી ! આદિપુરાણમાં મહાકવિ જિનસેનાચાર્યની જેમ, કલ્યાણ મંદિરમાં મહાકવિ સિદ્ધસેન દિવાકરની જેમ, ભક્તામરમાં મહાકવિ માનતુંગાચાર્યની જેમ, અત્રે મહાકવિ હેમચંદ્રાચાર્યે પણ તેનું ઉત્તમ કવિત્વપૂર્ણ રોચક વર્ણન કર્યું છે, આ ગુણગાનમાં કવિતાસુંદરીને વારંગભૂ પર યથેચ્છ નૃત્ય કરાવતાં મહાકવિ હેમચંદ્રનું કવિહૃદય પણ જાણે ભક્તિઆનંદથી નૃત્ય કરી રહ્યું છે ! આટલી સામાન્ય પ્રસ્તાવના કરી હવે પ્રથમ કલેકને ભાવ વિચારીએ. અત્રે અશેક પ્રાતિહાર્યનું વર્ણન છે, તેને ચિત્યવૃક્ષ પણ કહે છે. અશેકવૃક્ષને વણ રક્ત-રાતે છે, તેના પુષ્પોની સુગંધથી આકર્ષાઈને ભમરા ત્યાં ગૂંજી રહ્યા છે. આ પરથી મહાકવિ-બ્રહ્મા હેમચંદ્રાચાર્યજી સુંદર ઉભેક્ષા કરે છે–ભ્રમરોના ઝૂજારથી આ અશોકવૃક્ષ જાણે ગાન કરતે હાયની “ચલ દલેથી”-ચલાયમાન થતા પાંદડાથી જાણે નૃત્ય કરતે હેયની ! હારા ગુણગણેથી “રક્તઅનુરાગી થઈને જાણે “રક્ત”—રાતે થયે હેયની! એમ તે મેદે છે–આનંદે છે. કવિ વિધાતા જડ સૃષ્ટિને પણ ચૈતન્યવંતી બનાવી દે છે, મડદામાં પણ પ્રાણ પૂરે છે એ ઉક્તિ અત્રે ચરિતાર્થ થતી જણાય છે ! Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વીતરાગસ્તવ સવિવેચન સુમને () “સુમન 'વૃષ્ટિ કરે છે– आयोजनं सुमनसोऽधस्तान्निक्षिप्तबन्धनाः । जानुदध्नीः सुमनसो, देशनोयां किरन्ति ते ॥२॥ સમવસરણમાંહી જને જાનુ સુધી, સુમન સુમન વેરે ડીટડી જાસ ઉધી; ૨ અર્થ-હારી દેશનાભૂમિમાં જન સુધી સુમને– દેવતાઓ નીચા ડીંટવાળા સુમને–પુ જાનુ પર્યત વેરે છે. વિવેચન રે! પાસે વિમુખ ડિંટડે માત્ર શાને પડે છે? વૃષ્ટિ ભારી સુરકુસુમની? હે વિભુ! ચિત્ર એ છે! કલ્યાણ મંદિર અનુવાદ (સ્વરચિત) અત્રે શ્લેષથી અને સૂચક વિશેષણરૂપ પરિકર અલંકારથી પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્યનું વર્ણન કર્યું છે. હે. ભગવન્! હારી “દેશનાભૂમિમાં’–સમવસરણમાં એજનપ્રમાણ ક્ષેત્રમાં “સુમને”–દેવતાઓ જેના ડીંટ નીચા નંખાયેલા છે એવા “સુમને”-પુ વેરે છે, અને તે પણ કેટલા? “ જાનુ ગોઠણ પહોંચે તેટલા. આમ જનપ્રમાણે ભૂમિમાં ગઠણ સુધી પહોંચે તેટલા પ્રમાણમાં “સુમને એ – દેવેએ “સુમને–પુષેિ વેર્યા છે, તે તે પુષ્પવૃષ્ટિ કેટલી Page #176 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના દિવ્ય ધ્વનિ ૧૨૩ બધી વિપુલ–અસાધારણુ અતિશયવત હશે તેનેા ખ્યાલ આવી શકશે. પણ અત્રે લેશ પણ હિંસાના ભય રાખવાનું. કારણ નથી, કારણ કે આ પુષ્પા− સચિત્ત ’–સજીવ નહિ પણ અચિત્ત ’–નિજીવ હાય છે. નહિં તે · પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિં આજ્ઞાય’ એવી આજ્ઞા કરનારા પરમ અહિંસક ભગવાનની આજ્ઞાને લાંછન લાગે ! 卐 ભગવાનને દિવ્ય ધ્વનિ વણુવે છે— मालवकैशिकी मुख्यग्रामरागपवित्रितः । તવ વિો ધ્વનિ પીતો, દોસ્ત્રીને મેને િ ધ્વનિય પુનિત હારા માલકોશાદિ રાગે, મૃગથી પણ પીવાયે ઊર્ધ્વકૐ સુરાગે. ૩ અઃ-માલવકૈશિક આફ્રિ–મુખ્ય ગ્રામ અને રાગથી પવિત્ર કરાયેલા એવા હારા દિવ્ય ધ્વનિ હેથી ઉંચી ગ્રીવા (ડાક) કરતા મંગેાથી પણ પીવાયા છે ! વિવેચન "दिव्येन ध्वनिना सुखं श्रवणयोः ॥૨॥ साक्षात् क्षरन्तोऽमृतम् । શ્રીઅમૃતચ`દ્રાચાર્યજી કૃત સમયસારકળા "" Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વીતરાગસ્તવ સવિવેચન અત્રે દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય અતિશય વર્ણવ્યું છે– હે ભગવન્! માલકેશ આદિ ગ્રામ અને રાગથી “પવિત્રિત – પવિત્ર કરાયેલે ત્યારે દિવ્ય વનિ હર્ષથી “ઉગ્રવ”જેલે ગ્રીવા–ડેક ઉંચી કરી છે એવા મૃગથી પણ પીવા” છે. અત્રે “ઉદુગ્રીવ” (ડેક ઉંચી કરતા) શબ્દથી કવિએ “સ્વભાક્તિથી આબેહૂબ જીવંત ચિત્ર ( Life-like picture ) રજૂ કર્યું છે. તેમજ – અત્રે પીવા” શબ્દ હેતુપૂર્વક મૂક્યો છે, કારણ કે તે પિપાસુની ઉત્કંઠા વ્યંજિત કરે છે. જેમ તૃષાતુર જલને રોગ થતાં ઉત્કંઠાથી પાન કરે છે, તેમ અપૂર્વ–અશ્રુતપૂર્વ એવી દિવ્ય વનિરૂપ અમૃતમય જિનવાણીને વેગ મળતાં પિપાસુ એવા મૃગલાં પણ તે ઉત્કંઠિતપણે પીએ છે, અર્થાત અત્યંત ઉત્સુકતાથી શ્રવણ કરે છે. વળી મૃગલાં સંગીતપ્રિય ગણાય છે તે પણ જે આમ ઉત્કંઠાથી શ્રવણ કરે છે, તે પછી માલકેશાદિ રાગથી ગવાતે ભગવાનને દિવ્ય ધ્વનિ કે દિવ્ય સંગીતમય કર્ણપ્રિય હશે તે સહેજે સમજી શકાય છે. તેમજ મૃગલાં જેવા તિર્યંચ પશુ “પણ” જે આટલી *ઉત્કંઠાથી શ્રવણ કરે છે તે મનુષ્ય-દેવઆદિ અન્ય પર્ષદાનું તે પૂછવું જ શું? એમ “પણ” શબ્દથી ધ્વનિત થાય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ચામર, સિંહાસન પ્રાતિહા ચામર પ્રાતિહાય અંગે ઉત્પ્રેક્ષા કરે છે— तवेन्दुधामधवला, चकास्ति चमरावली । हँसालिखि वक्त्राब्जपरिचर्यापरायणा ||४|| ધવલ શશિકરા શી ચામરશ્રેણી ચારુ, સુખમલ ઉપાસે હંસપક્તિ જ ધારૂ ! ૪ અ:-ચંદ્રતેજ જેવી ધવલ ત્હારી ચામરશ્રેણી મુખાંભેાજની પરિચર્યામાં—સેવામાં તત્પર એવી જાણે હુંસશ્રેણી હાય ! એમ શેાભે છે. વિવેચન રૂડા કુન્દ્રા જેવા ચલ ચમથી ચારૂ દીસતું; તનુ ત્હારૂ' રાજે કનક સરખું કાન્ત દીપતું. ૧૨૫૪ ભક્તામરઅનુવાદ (સ્વરચિત ) ભગવાનને અન્ને બાજુ ચામર વિંઝાય છે તે ચામર પ્રાતિહા નું વર્ણન રૂપક અને ઉત્પ્રેક્ષાથી કરતાં કવિ કહે એ---ચંદ્રકિરણ જેવી ધવલ ‘ચમરવલી'–ચમરશ્રેણી તને વીંઝાય છે, તે ત્હારા ‘ મુખાંભેાજની ’– મુખકમલની પરિચર્ચામાં–પ પાસનામાં પરાયણ–તત્પર થયેલી હુ સશ્રેણી જાણે હૈાયની ! એવી શૈાલે છે! Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સિહાસન પ્રાતિહાય અંગે ઉત્પ્રેક્ષા કરે છે मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् । श्रोतुं मृगाः समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् ॥५ તુ ધરમ થતા સિ'હાસનારૂઢ થાવે, તહિં મૃગ સુણવા શું સિહ સેવાથ` આવે? પ અથ:-મૃગેન્દ્રાસને આરૂઢ થયેલા તું દેશના વિસ્તારે છે, ત્યારે મૃગા જાણે મૃગેન્દ્રને સેવવાને શ્રવણ કરવા ત્હારી સમીપે આવે છે ! વીતરાગસ્તવ સવિવેચન વિવેચન “ સિંહાસન અશાક, ખેડા માહે લાક; M આજ હૈ। સ્વામી રે શિવગામી, વાચક યશ શુછ્યાજી,” — શ્રી યોાવિજયજી ભગવાન સિંહાસને બિરાજી ધર્મોપદેશ આપે છે તે સિહાસન પ્રાતિહાય અંગે ઉત્પ્રેક્ષા કરે છે--તું ઊંચા મૃગેન્દ્રાસને-સિંહાસને આરૂઢ થઈ ને-ચઢીને દેશના વિસ્તાર છે, ત્યારે મૃગા-પશુએ શ્રવણ કરવાને હારી પાસે આવે છે, તે જાણે મૃગેન્દ્રને સિંહને સેવવાને માટે હાયની ! અર્થાત્ મૃગલાએ કુદરતી રીતે તે મૃગેન્દ્રથી સિદ્ધથી ડરે છે અને તેને દેખતાં જ દૂરથી લાગે છે, પણ અત્રે તે મૃગેન્દ્રાસનારૂઢ તું દેશના દીએ છે ત્યારે તે તેએ શ્રવણુ Page #180 -------------------------------------------------------------------------- ________________ ભામડલ પ્રાતિહાર્ય ૧૨૭ કરવા હારી સમીપ આવે છે, એટલે કવિ ઉપ્રેક્ષે છે કે આ મૃગલાંઓ જાણે મૃગેન્દ્રાસનમાં રહેલા મૃગેન્દ્રની સેવા કરવા આવે છે ! કે જેથી સેવાથી પ્રસન્ન થયેલા મૃગેન્દ્રથી તેઓને પછી ડરવાપણું રહે નહિં, નહિં તે મૃગેન્દ્રને દેખતાં છતાં તેઓ આમ સમીપ કેમ આવે ? એમ ભાવ છે. ભામંડલ પ્રાતિહાર્ય ઉપમાથી પ્રકાશે છે– • भासां चयैः परिखतो, ज्योत्स्नाभिखि चन्द्रमाः। चकोराणामिव दृशां, ददासि परमां मुदम् ॥६॥ ઘતિથૌ પરિવયે તું ચંદ્ર સ્નાથ જેમ, સુદ નયન-ચકેરેને દાએ અત્ર તેમ; ૬ અર્થ-નૈનાઓથી ચન્દ્રમાની જેમ પ્રભાસમૂહથી પરિવરે તું, ચકેરોની જેમ દષ્ટિઓને પરમ મુદ–આનંદ આપે છે. વિવેચન પ્રતાપી ભાનુની સતત બહુ સંખ્યા પણ છે, અહે! દીપ્તિથી તે રજન શશિસૌમ્યા પણ ઝંતે. ભક્તામરઅનુવાદ (સ્વરચિત) પ્રભુનું તેજ એટલું બધું છે કે તેની સામું જોઈ શકાય નહિં એવું તે દુસલેક હોય છે, એટલે તે સંહરી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વીતરાગસ્તવ સવિવેચના. લઈને દેવે મસ્તકના પૃષ્ઠ ભાગે ભામંડલની રચના કરે છે, આ પ્રાતિહાર્યને અત્રે કવિ ઉપમાલંકારથી વર્ણવે છે– સ્નાઓથી–ચંદ્રિકાઓથી પરિવારે ચંદ્ર જેમ ચકોને પરમ મેદ–આનંદ આપે છે, તેમ પ્રભાઓના સમૂહાથી પરિવૃત–પરિવરે તું લેકોની દષ્ટિએ પરમ માદ–પરમ. આનંદ આપે છે. અર્થાત્ ચંદ્રિકાએથી પરિવરેલા ચંદ્રને દેખીને ચકોને જેમ આનંદ આનંદ થાય છે, તેમ પ્રભા—ચંદ્રિકાઓથી પરિવરેલા તું જિનચંદ્રને દેખી લોકોની દષ્ટિ-- એને આનંદ આનંદ થાય છે. ક દેવદુંદુભિ જાણે આમાં સામ્રાજ્ય ઉદ્દઘષે છે !— દુમિ ર્વિશ્વવિશ્વેશ! પુજે વ્યક્તિ પ્રતિષનના जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमिव शंसति ॥७॥ નભમહિં ગરજતે દુદુભિ ઉગ્ર નાદે, જગમહિં તુજ આતે પ્રાજ્ય સામ્રાજ્ય ભાખે. ૭ અર્થ-હે વિશ્વવિશ ! આગળમાં આકાશમાં પ્રતિવનિ કરતે દુંદુભિ જગતમાં આતને વિષે જાણે. લ્હારૂં પ્રાજ્ય-વિશાલ સામ્રાજ્ય પ્રકાશે છે ! વિવેચન ભે ભે ભવ્યો! અવધૂણી તમારા પ્રમાદો સહુને, આવી સે શિવપુરીતણું સાર્થવાહ પ્રભુને, – કલ્યાણુમંદિર અનુવાદ (સ્વરચિત - WWW.jainelibrary.org Page #182 -------------------------------------------------------------------------- ________________ જગતમાં આતેમાં સામ્રાજ્ય ઉધેાષ દેવદુંદુભિ ૧૨૯ દેવદુંદુભિ પ્રાતિહાર્ય અંગે કવિ ઉભેક્ષા કરે છે– હે વિશ્વવિAવેશ! “વિશ્વ’–સર્વ વિશ્વના ઈશ–ઈશ્વર ! હારી આગળમાં આકાશમાં દુંદુભિ પ્રતિધ્વનિ કરે છેગર્જના કરે છે, તે જગતમાં આસ્તે મધ્યે જાણે હારૂં પ્રાજ્ય-વિશાલ સામ્રાજ્ય જાહેર કરે છે; અર્થાત્ જગતને વિષે “આપ્ત’-પ્રતીતિ ચોગ્ય - વિશ્વસનીય –પ્રમાણભૂત પુરુષની મધ્યે પરમ આપ્તસમ્રાટું આ ભગવાન તીર્થકર દેવ જ છે એમ આ ગજના કરતે દેવદુંદુભિ – (મોટું દેવતાઈ નગારું) ઉદ્ઘેષી ઉષીને આપ્તમાં જાણે હારૂં પ્રાજ્ય-વિશાલ સામ્રાજ્ય પિકારે છે. આમ આપ્ત ગણાતા સર્વ દેવસમાજ મધ્યે કે ધર્મપ્રણેતા જગદ્ગુરુ સમાજ મળે બહિરંગ અને અંતરંગ લક્ષણથી તું વીતરાગ દેવ જ પરમ આપ્ત પુરુષ છે, અને તેથી જ સર્વ દેવસમૂહમાં અને જગદ્ગુરુસમૂહમાં તું પરમ જગદ્ગુરુ વીતરાગદેવનું જ વિશાલ સામ્રાજ્ય વત્ત છે, તું જ જગદ્ગુરુઓને જગદ્ગુરુ પરમ દેવાધિદેવ છે. છત્રય જાણે ત્રિભુવનપ્રભુતા સૂચવે છે– तवोर्ध्वमूर्ध्व पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवनप्रभुत्वपौरिशंसिनी ॥८॥ ઉપર ઉપર હારા પુણ્યરદ્ધિ કમે શા, ત્રિભુવન પ્રભુતા ત્રિ આતપત્ર પ્રકાશે. ૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેક અર્થ-હાર ઊર્ધ્વ ઊર્થ પુણ્યદ્ધિ ક્રમ સમાન હારી છત્રત્રયી ત્રિભુવનપ્રભુની પ્રૌઢિ–પ્રૌઢતા પ્રકાશનારી છે. વિવેચન તમારા ત્રિ છ શશિ સમ દોંસે કાંત અતિશે, ત્રણે લેકેનું જે પ્રભુપણું પ્રકાશે જિનપતિ! – ભક્તામર અનુવાદ (સ્વરચિત) છત્રય પ્રાતિહાર્યને કલેષયુક્ત ઉપમાથી વર્ણવે છે– હારી ઉપરમાં જે આ ત્રણ છત્ર ધરવામાં આવે છે, તે એક નાનું, તેના ઉપર તેથી મેટું, તેના ઉપર તેથી મેટું, એમ “ઊર્ધ્વ ઊર્ધ્વ”—ઉપર ઉપર કામ કરીને છે; તે ઊર્ધ્વ ઊર્ધ્વ”—ઉત્તરોત્તર હારી પુણ્યઋદ્ધિના “ક્રમ–પગલાં અથવા એણું સમાન છે; અર્થાત્ હારી પુણ્યઋદ્ધિ પણ ૮ ઉદ્ઘ ઊર્વ’_આગળ આગળ ઉત્તરોત્તર કિમે કરીને વધતી જ ચાલી છે, એટલે તેની સમાન આ “ઊર્ધ્વ ઊર્ધ્વ” –ઉપર ઉપર વધતા વિસ્તારવાળી છત્રત્રયી છે. આ છત્રત્રયી -ત્રણ છત્ર તું ત્રણ ભુવનને પ્રભુ છે એમ હારા ત્રિભુવનેપ્રભુત્વની પ્રૌઢ સ્થિતિ જોરશોરથી પિકારીને જાહેર કરી રહેલ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુવનપ્રભુતાસૂચક ત્રત્રય; અદ્ભુત પ્રાતિહાર્ય શ્રી ૧૩૧, વીતરાગની અદ્ભુત પ્રાતિહાય શ્રી— । एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव । વિત્રીયન્તે ન જેટ્લા, નાથ! મિથ્યાદશોઽવિિ પ્રાતિહાય શ્રી હારી, નિરખી ચમતકારી અચરજ ન જ પામે કયાય મિથ્યાત્વધારી ? ૯ અઃ–આ ત્હારી ચમત્કારકરી પ્રાતિહાર્ય શ્રી દેખીને હે નાથ ! કયા મિથ્યાદૃષ્ટિએ પણ ખરેખર ! ચિત્રરૂપ ન થઈ જાય ? વિવેચન “ પ્રાતિહારજ અતિશય શાભા, તે તેા કહીય ન જાયજી; ઘૂક બાલકથી વિકરભરનું, વર્ણન કેણી પેરે થાયજી !” -શ્રી દેવચ’દ્રજી આ-ઉપરોક્ત આઠ Àાકમાં અનુક્રમે વર્ણવી દેખાડેલી ત્હારી ચમત્કારકરી ’-ચમત્કાર ઉપજાવનારી પ્રાતિહાય શ્રી -પ્રાતિહા લક્ષ્મી દેખીને હું નાથ ! કયા મિથ્યાર્દષ્ટિએ પણ ચિત્રરૂપ ન થઈ જાય? અર્થાત્ ખીજા સભ્યષ્ટિ આદિની વાત તે દૂર રહેા, પણ મિથ્યાર્દષ્ટિએ પણ આ ત્હારી ચમત્કારી પ્રાતિહાય શ્રી દેખીને જાણે ચિત્રમાં આલેખાયેલા હાય એમ ચિત્રવત્ સ્થિર થઈ જાય છે, ‹ * ' કે ચું” ન ખેલી શકે એમ આશ્ચયથી સ્વિંગ થઈ જાય છે. ભક્તામરસ્તેાત્રમાં માનતુંગાચાજીએ કહ્યું છે તેસ સત્યમ દેશનાસમયે આવી જે ત્હારી વિભૂતિ થઈ " < 6 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨. વીતરાગસ્તવ સવિવેચન છે, તેવી બીજા કેઈની પણ થઈ નથી.” કેવલશ્રીની પ્રાપ્તિ થયે આવી અદ્ભુત પ્રાતિહાર્યશ્રી ભગવાન તીર્થકરને હોય છે; “શ્રી”ને કમલવાસિની કહે છે, તે કમલનિવાસ છેડીને જાણે શ્રીમદ્ કેવલી ભગવાનના ચરણકમળને આશ્રય કરે છેઆ અંગે શ્રી આનંદઘનજીએ સુંદર ઉલ્ઝક્ષા કરી છે કે-હે ભગવંત! આપ શ્રીમદ્ ચરણકમલમાં કમલા–શ્રી નિવાસ કરે છે, તે સમલ અને અસ્થિર પદરૂપ પંકજને પામર તુચ્છ લેખી ને તમારા ચરમકમલને નિર્મલ સ્થિર પદરૂપ દેખીને જાણે તેમ કરતી હોયની! આમ કમલા જેના ચરણકમલમાં વસે છે એવા હે શ્રીમદ્ ભગવંત! મહારે આ મન મધુકર તમારા શ્રીમદ્ ચરણકમલમાં એ મુગ્ધ બન્યું છે કે તે સુવર્ણમય મેરુને અને ઈંદ્ર-ચંદ્ર-નાગૅદ્રને પણ રંક ગણી, તમારા ગુણમકરંદના પાનમાં લીન થઈ ગયેલ છે. GK ચરણકમલ કમલા વસે રે, નિર્મલ ચિરપદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામરખ વિમલ, મુજ મન તુજ પદ પંકજે રે, લીન ગુણ મકરંદ; રંક ગણે અંદરધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગે.” – શ્રી આનંદઘનજી છે ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં કાવ્યાનુવાદ-સવિવેચનમાં– અષ્ટપ્રાતિહાર્ય વર્ણનાત્મક પંચમ પ્રકાશ Page #186 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રકાશ વિતરાગના પ્રતિપક્ષને નિરાસ વીતરાગ પ્રત્યે માધ્યસ્થ પણ દુઃખદ, તું તે પૂછવું જ – लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताञ्जने । माध्यस्थ्यमपि दौःस्थ्याय, किं पुनर्देषविप्लवः? ॥१॥ કાવ્યાનુવાદ: વંશસ્થ–ઇવશા ને પ્રતિ સ્વામિ ! સુધાંજના સમા, લાવણ્ય-પુણ્યા તનુવંત આપમાં; મધ્યસ્થતા કે દુખ અર્થ થાય છે, તે દ્વેષથી નિન્દનની શી વાત છે? ૧ અર્થ-લાવણ્ય-પુણ્ય વપુવાળા ને નેત્રને અમૃતાંજન એવા તું પ્રત્યે માથથ્ય પણ સ્થિતિને અર્થ થાય છે; તે પછી દ્રષવિપ્લવની તે વાત જ શી ? " Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન હું તો વારિ પ્રભુ! તુમ મુખની હું તે જિન બલિહારી તુમ સુખની; સમતા અમૃતમય સુપ્રસન્નની, ત્રેય નહીં રાગરૂખની. – શ્રી દેવચંદ્રજી આગલા પ્રથમ પંચ પ્રકાશમાં સર્વ અતિશયેનું યથાવત્ દર્શન કરાવી વીતરાગ દેવનું સર્વાતિશાયિપણુંજગમાં અન્ય સર્વ કરતાં ચઢીયાતાપણું અને પરમ આપ્તપણું પ્રતિષ્ઠાપિત કર્યું અને આમ વીતરાગ દેવની પ્રારંભમાં જ મહાપ્રતિષ્ઠા કરી શ્રી હેમચંદ્રાચાર્યજી આ છઠ્ઠા પ્રકાશમાં ઉષશું કરે છે કે–વીતરાગને આ જગતમાં કોઈ રાગી કે વિરાગી પ્રતિપક્ષી હોઈ શકે જ નહિં– છે જ નહિં; આ યુક્તિથી પ્રતિષ્ઠાપિત કર્યા છતાં, કઈ અસમંજસ ભાવે પ્રતિપક્ષીપણું માનતું હોય તે તે તેની સરાગપણજન્ય ભાંતિ જ છે એમ કહી, સરાગી દે અને તેના રાગી ભક્તો પ્રત્યે માર્મિક કટાક્ષથી ઉપહાસ કરે છે અને છેવટે દષ્ટિરાગ છેડો દુષ્કર છે એ દર્શાવી, સરાગીમાં કઈ કાળે આપ્તપણું ઘટે જ નહિં એમ વચનકાર કરે છે. આટલી સામાન્ય ભૂમિકા દર્શાવી હવે આ પ્રકાશના આ પ્રથમ કને આશય વિચારીએ. : 'હે વીતરાગ દેવ! તું લાવણ્યથી પુણ્ય–પવિત્ર વધુ વાળે – શરીરવાળે નારિ જીવન દર્શન કરતાં જ Page #188 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ પ્રત્યે માધ્યસ્થ પણ દુખદ: દ્વેષની વાત શી? ૧૩૫ પાવન એવે છે. જેવું હારૂં આંતરિક સ્વરૂપસૌંદર્ય છે તેવું જ તેને પ્રતિરૂપ હારૂ બાહ્ય સ્વરૂપસૌંદર્ય છે, આકૃતિઃ ગુણાનું કથતિ” એ ન્યાયે હારી પ્રશમરસ નિમગ્ન વીતરાગભાવપ્રદર્શક દેહાકૃતિનું લાવણ્ય – સ્વરૂપસૌંદર્ય જનમનને આકષી લે એવું પુણ્ય – પાવનકારી છે, અને એટલે જ તું નેત્ર પ્રત્યે અમૃતાંજન છે, – જાણે અમૃત આર્યું હોય એમ તને દેખતાં જ નેત્ર ઠરી જાય એ અમૃતના આંજણ સમાન છે. આ જે તું તે પ્રત્યે માધ્યસભ્ય પણ – મધ્યસ્થપણું રાખવું તે પણ દૌથ્ય” – દુરસ્થિતિપણું અર્થ થાય છે, તે પછી હારા પ્રત્યે “ષવિષ્ય વની” – દ્વિષરૂપ ચિત્તસંક્ષેભની તે શી વાત કરવી? અર્થાત હે ભગવાન! હારા સપક્ષમાં પણ નહિં ને વિપક્ષમાં પણ નહિં એવી લ્હારા પ્રત્યે “મધ્યસ્થતા” – તટસ્થતા – ઉદાસીનતા – ઉપેક્ષા રાખવી તે પણ “દુઃસ્થિતિનું” – દુઃખદાયક સ્થિતિનું કારણ થાય છે, (કારણ કે તું વીતરાગ સદેવના શરણ વિના ભવભ્રમણ દુઃખને અંત ન આવે), તે પછી દ્વેષપૂર્વક હારી નિન્દા આદિ કવાથી જેને કલુષતાથી ચિત્તસક્ષોભ ઉપજે છે તેના દુઃખનું તે પૂછવું જ શું? તાત્પર્ય કે દ્વેષથી હારી નિન્દા કરવા એગ્ય નથી એટલું જ નહિ પણ હારા પ્રત્યે માધ્યઓ પણ રાખવા એગ્ય નથી. –એકાંત ભક્તિ જ કર્તવ્ય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વીતરાગસ્તવ સવિવેચન વીતરાગને પ્રતિપક્ષ દેવવંત હોઈ શકે નહિં– तवापि प्रतिपक्षोऽस्ति, सोऽपि कोपादिविप्लुतः। अनया किंवदन्त्यापि, किं जीवन्ति विवेकिनः? ॥२॥ - હારે ય હે નાથ ! વિપક્ષ વતે, " ને તે એ કે પાદિથી વિસ્તુત થત એ કિંવદની પણ અત્ર સાંભળી, વિવેકીએ જીવન શું ધરે વળી ? ૨ અર્થ =હાર પણ પ્રતિપક્ષ છે, અને તે પણ કપાદિથી વિહુત એવો છે –એવી આ કિંવદન્તીથી પણ વિવેકીએ શું જીવે છે? વિવેચન માલતી ફલે મેહીઓ, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કેક તિમ પ્રભુ મુજ મન રમ્યું, બીજાશું હેનવિઆવે દાયકે.” –શ્રી યશોવિજયજી મધ્યસ્થપણું તે બે પક્ષની વચ્ચેનું હોઈ શકે, તે પ્રશ્ન ઊઠે છે કે હારે સપક્ષ અને વિપક્ષ એ બે પક્ષ છે શું? તેને ઉત્તર અન્ન પ્રતિપ્રશ્નથી “નામાં આપે છે—હે વીતરાગ ! ત્યારે પણ “પ્રતિપક્ષ’–સામે પક્ષ-વિપક્ષ છે અને તે પણ કપાદિથી “વિહુત”-ચિત્તની વિપ્લવરૂપ Page #190 -------------------------------------------------------------------------- ________________ વીતરાગને પ્રતિપક્ષ દ્વેષવંત, વિરાગકેસરાગ ન હોય ૧૩૭ અંધાધું ધીરૂપ ડામાડોળ સ્થિતિવાળે છે, એવી આ કિંવદન્તીથી”—લેકવાયકારૂપ દંતકથાથી પણ વિવેકીઓ શું છે ખરા કે? કારણ કે એવી દંતકથા જેવી નહિં માનવા ગ્ય અસંભાવ્ય વાત સાંભળીને તે વિવેકીને ડૂબી મરવા જેવું થાય. એટલે ત્યારે પ્રતિપક્ષ છે અને તે પણ ક્રોધાદિયુક્ત-દ્વષયુક્ત છે એવી વાત પણ વિવેકી કાને ધરે નહિં, તે પછી માને તે શી જ રીતે? અર્થાત અસ-ને વિવેક કરવાને જે સમર્થ છે એવા વિવેકીઓને તે દઢ નિશ્ચયથી ભાસે છે કે ત્યારે કોઈ શ્રેષયુક્ત પ્રતિપક્ષવિપક્ષ તે સંભવતે જ નથી. કારણ કે ક્યાં તું પરમ વીતરાગ? અને ક્યાં શ્રેષયુક્ત અન્ય એક પક્ષે-એક પલ્લામાં પરમ વીતરાગ તું અને સામા પક્ષે–બીજા પલામાં દ્વષયુક્ત અન્ય એમ એ બેની તુલના જ બની શકે એમ નથી. અર્થાત્ આ જગમાં પાદિથી–ષાદિથી જેએનું ચિત્ત “વિસ્તુત” થયેલું છે–ડામાડોળ કલુષિત બનેલું છે એવા પણ કઈ કહેવાતા દેવે છે, કે જેઓ શસ્ત્ર વડે બાહ્ય શત્રુને હણવા માટે ઉદ્યત થયેલા દેખાય છે, પણ તું - વીતરાગ તે રાગ-દ્વેષાદિ અંતર્શત્રુઓને હણવાને ઉધત થયેલે “અરિહંત” છે. એટલે તું અરિહંત દેવની આ દ્વિષયુક્ત અન્ય દેવની સાથે તુલના કરવી સર્વથા અસંભવિત જ છે, માટે કષયુક્ત એ કઈ પણ દેવ તું વીતરાગ દેવને પ્રતિપક્ષ છે જ નહિં. કયાં તું પણ લામાં પરમ બીજા દ્વિષયુક્ત એ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વિરાગ કે સરાગ પણ પ્રતિપક્ષ હોઈ શકે નહિ.— विपक्षस्ते विरक्तचेत्स त्वमेवाथ रागवान् । न विपक्षो विपक्षः किं, खद्योतो द्युतिमालिनः ? ॥३॥ વિરક્ત વીતરાગસ્તવ સવિવેચન જે તે પ્રતિપક્ષ વત્તતા, તા તેહ તા તાત ! પ્રતીત તું થતા; જો રાતે તે ન વિપક્ષ તૂજને, ખદ્યોત શુ હોય વિપક્ષ સૂર્યના ? અહ્વારા વિપક્ષ–પ્રતિપક્ષી જો વિરક્ત છે, તે તે તું જ છે; અને જો રાગવાન્ હૈાય, તે તે વિપક્ષ નથી; ખદ્યોત શુ વ્રુતિમાલીને—સૂર્યને વિપક્ષ હાય ખરા ? વિવેચન “તે હું ખળુ તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ હો. ૬ —શ્રી યાવિજયજી હવે જો કાઈ એમ કહે કે ભલે દ્વેષયુક્ત હારી વિપક્ષ મ હા, પણ રાંગયુક્ત તે હારી વિપક્ષ કેમ ન સભવે? તેના પણ અત્ર નિષ્ણુ યુક્તિયુક્ત ઉત્તર આપ્યા છે—હાર વિપક્ષ કાં તે સરાગ હોય, કાં તે વિરાગ હોય, એમ એ વિકલ્પ જ સંભવી શકે, જો તે ‘વિરક્ત’–રાગરહિત–વીતરાગ હોય તેા તે તું જ છે; અને જો તે રાગવાન છે તે તે ત્યારે વિપક્ષ હાઈ શકતા નથી. આ જ " Page #192 -------------------------------------------------------------------------- ________________ યોગમુદ્રાદરિદ્રી પર પ્રતિપક્ષ હોઈ શકે નહિં. ૧૩૯વસ્તુ અથcરન્યાસથી સમર્થિત કરે છે–ખદ્યોતઆગીઓ શું શુતિમાલીન-સૂર્યને વિપક્ષ લેઈ શકે? અર્થાત્ ધારો કે દલીલની ખાતર પ્રતિપક્ષ માનીએ તે. તેમાં આમ વિરોધ આવે છેઃ (૧) જે તું વીતરાગને પ્રતિપક્ષ વિરક્ત–વીતરાગ હોય, તે તે તે તું જ છે એમ પ્રતીત થાય છે. ( Both are identical ) એટલે પ્રતિ પક્ષનું અસ્તિત્વ જ રહેતું નથી. (૨) અને જે તે પ્રતિપક્ષ રાગી હોય, તે પણ તે ત્યારે પ્રતિપક્ષ હોઈ શકે નહિં. કારણ કે પ્રતિપક્ષપણું સમાનશીલાદિવાળા–સમેવડીઆમાં ઘટી શકે; પણ આ તે ક્યાં સૂર્ય અને ક્યાં આગીએ? આમ બીજા પ્રકારની યુક્તિથી પણ ત્યારે પ્રતિપક્ષસમોવડીઓ-વિરોધી ઘટતે નથી,–આખા વિશ્વમાં હારી સામા પક્ષે ઉભું રહી શકે એ ત્યારે કોઈ બરોબરીઓ નથી. એટલે આમ સર્વથા ત્યારે વિપક્ષ છે જ નહિં. ચોગમુદ્રાહીન પર પ્રતિપક્ષ હોઈ શકે નહિ– स्पृहयन्ति त्वद्योगाय, यत्तेऽपि लवसत्तमाः । योगमुद्रादरिद्राणां, परेषां तत्कथैव का ? ॥४॥ અનુત્તરે તે લવસર અહા ! હાસ પ્રત્યે ! ગ તણું કરે સ્પૃહા; તે ગમુદ્રાદરિદ્રી બીજા તણું, શી પૂછવી વાત જ તે સંબંધની ? ૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન અનુત્તરવાસી દેવા પણ અ:-તે લવસત્તમા પણ ત્હારા યાગની રપૃહા કરે છે, તા યોગમુદ્રાદરિદ્ર—ચોગમુદ્રારહિત પરની તેા ક્યા જ શી ? ૧૪૦ વિવેચન સુર નર ઇન્દ્રો સ્તવન કરે છે, યાગિવરેન્દ્રો ધ્યાન ધરે છે, પ્રજ્ઞાવળેાધ માક્ષમાળા (સ્વરચિત) હે વીતરાગ ! તુ વીતરાગમાં અને પર સરાગમાં સૂર્ય-આગીઆ જેટલું આટલું બધું મહદ્ અંતર કેમ છે તે વિચારતાં જણાય છે કે—અનુત્તવિમાનવાસી દેવા -‘ લવસત્તમા ’કહેવાય છે, કારણ કે પૂર્વ ભવમાં એમણે એવી ઉત્કૃષ્ટ ચેગસાધના કરી હતી કે સાત લવ પ્રમાણ વિશેષ આયુષ્ય હાત તે તે અનુત્તર વિમાને જવાને બદલે મેક્ષગતિને પામત; આવી ઉચ્ચ યોગદશાને પામેલા ૮ લવસત્તમે। ’-અનુત્તરવિમાનવાસી દેવે પણ ત્હારા યાગની સ્પૃહા કરે છે કે અમને આ વીતરાગ યાગીશ્વરની યાગદશા કચારે પ્રાપ્ત થાય,—એમ તેની ઝંખના કરે છે. આ પરથી સહેજે ફલિત થાય છે કે આવી ઉચ્ચ ચેાગદશાને પામેલા અનુત્તરવિમાનવાસી દેવા પણ ત્હારા ચાગને સ્પૃહણીય ગણતા હાવાથી ત્હારા ચાગ તા એએ કરતાં ઘણા ઘા ઊંચા છે, એટલે ઉચ્ચ ચેગદશાસંપન્ન અનુત્તરવિમાનવાસીઓ પણ તુ ચેાગીશ્વરના યાગની બરોબરી કરી શકે એમ નથી. તેા પછી જેનામાં ચેગમુદ્રા-યાગની છાપ '' Page #194 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ જ શરય સ્વૈતવ્ય ઉપાસ્ય ૧૪૧. પણ નથી, રોગને નામે મોટું મીંડું હેઈ ચેગનું દરિદ્રપણું છે એવા ગમુદ્રાદરિદ્ર પરની–અન્યદર્શનીઓની તે શી વાત કરવી? એટલે કે તે ગમુદ્રાદરિદ્રીઓ તે તું પરમ ગીશ્વરની બરાબરી કેમ જ કરી શકે? આમ હારામાં ને તેમાં જે મહદ્ અંતર કહ્યું તે બરાબર જ છે. એટલે કઈ પણ પ્રકારે હારો કઈ પણ પ્રતિપક્ષી સંભવતે જ નથી. નિષ્પતિપક્ષ વીતરાગ જ શરણય-સ્તતવ્ય-ઉપાસ્ય છે— त्वां प्रपद्यामहे नाथं, त्वां स्तुमस्त्वामुपास्महे । त्वत्तो हि न परस्त्राता, किं ब्रूमः ? किमु कुर्महे॥५॥ તને અમે નાથ પ્રભે ! સ્વીકારીએ, તને સ્તવીએ તુજને ઉપાસીએ; વાત તુંહીથી પર કઈ છે નહિં, શું બલિયે? શું કરિયે અમે અહીં? ૫ અર્થ: તને અમે નાથ સ્વીકારીએ છીએ, તને અમે સ્તવીએ છીએ, તને અમે ઉપાસીએ છીએ; ખરેખર! હારાથી પર ત્રાતા–રક્ષણકર્તાનથી, અમે શું બોલીએ? શું કરીએ ? Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન 866 પુદ્ગલ આશારાગી અનેરા, તસુ પાસે ણ ખાયે ફેરા ? જસુ ભગતે નિર્ભય પદ્મલહીએ, તેહુની સેવામાં થિર રહીએ.” —શ્રીદેવચંદ્રજી આમ ઉપરમાં નિષ્તષ યુક્તિથી સ્થાપિત કર્યુ” તેમ કાઈ પણ દ્વેષી કે રાગી, કે કોઈ પણ યાગશૂન્ય પર હારા પ્રતિપક્ષી સંભવતા નથી, એટલે અખિલ જગમાં અતુલ અનન્ય અને અદ્વિતીય એવા તુ વીતરાગ એ જ એક પરમ દેવ છે, માટે અમે પરમ શરણ્ય એવા તને ચાગક્ષેમ કરનારા નાથ તરીકે સ્વીકારીએ છીએ, પરમ સ્વૈતન્ય એવા તને સ્તવીએ છીએ, પરમ ઉપાસ્ય એવા તને ઉપાસીએ છીએ. ખરેખર ત્હારાથી પર ’બીજો અથવા અધિક * ‘ ત્રાતા ’–ભવભયથી ત્રાણ કરનારા–મચાવનારા કાઈ નથી; અન્ય કલ્પિત દેવા તે ‘પુદ્ગલ આશારાગી ’ છે તે ભવભયથી ત્રાણ કરવાને સર્વથા અસમર્થ છે, ભવભયથી ત્રાણુ કરવાને સમર્થ કાઈ હાય તા તે તુ જ છે. માટે જેની ભક્તિથી નિભય પદ પામીએ તે તું વીતરાગનું ચરણશરણુ અમે અહીએ છીએ, અને જેના રાગે નિરાગી થઈ એ તે તુ' વીતરાગની જ સેવા-ભક્તિમાં અમે સ્થિર થઈ એ છીએ. આથી અધિક અમે શુ કહિએ ? શું કરીએ ? ૬ દીઠા દરશન શ્રી પ્રભુજીના, સાચે રાગે જમ્મુ રાગે નિરાગી થાયે, તસુ ભક્તિ કાને ન 節 મનશુ ભીના; સહાયે ? ” શ્રી દેવચંદ્રજી Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રતારણપર પરથી જગવંચના અંગે પોકાર ૧૪૩ પ્રતારપરા પરથી જગદૂચના અંગે પોકાર– स्वयं मलीमसाचारैः, प्रतारणपरैः परैः । वञ्च्यते जगदप्येतत्कस्य पूत्कुर्महे पुरः ? ॥६॥ મલિન આચાર સ્વયં ધરાવતા, પ્રતારણા તત્પર જેહ વર્તાતા; એવા પરેથી જગ આ ઠગાય રે ! પિકાએ કેની સમીપમાં અરે ! ૬ અર્થ–સ્વયં પોતે મલિન આચારવાળા એવા પ્રતારણપરા પરથી આ જગત પણ વંચાય છે; અમે કોની પાસે પિકાર કરીએ ? વિવેચન રાગી સેવથી જે રાચે, બાહ્ય ભક્તિ દેખીને માચે; જસુ ગુણ દાઝે તૃષ્ણ આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે? 3 –શ્રી દેવચંદ્રજી આમ અખિલ જગમાં પ્રતિપક્ષરહિત તું વિતરાગ એ જ એક પરમ દેવ છે એમ નિશ્ચય કરી અમે તે હારૂં જ શરણ ગ્રહવાને અમારે નિર્ધાર પિકારીને જાહેર કર્યો. પણ આ જગતમાં દષ્ટિ કરીએ છીએ તે કઈ ઠગારા જનથી પ્રતિપક્ષને આભાસ ઊભું કરે એવા સરાગી મિથ્યા દેવની કલ્પના કરવામાં આવે છે. જેઓ “સ્વયં”—પિતે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વીતરાગસ્તવ સવિવેચન મલીમસ–મેલા-મલિન આચારવાળા છે એવા “પ્રતારણપરા – વંચનતત્પર–ઠગપણમાં–છેતરપીંડીમાં તત્પર “પરથી’– અન્યદર્શનીથી આ જગત્ પણ વંચાય છે–ઠગાય છે– છેતરાય છે. મિથ્યા ક૯૫નાઓથી જગને ઠગવાની આ ઠગબાજી ચલાવાઈ રહી છે તે માટે તેની પાસે પિકાર કરીએ? “આ જગતમાં પ્રજ્ઞાલવથી મદદ્ધત બનેલા એવા પણ કંઈક જ અસશાસ્ત્રપ્રણેતાઓ છે કે જે સ્વ-પરના વંચકે કુશાસ્ત્રને ખ્યાને લેકને બિચારાને વ્યાકુલ બનાવી,” વિષય-કષાયના પિષક અસત્ વિધાનથી કે કપિત દેવની કલપનાથી લેતાને અને પરને વંચે છે–ઠગે છે. આમ જ્યાં તવિપ્લવરૂપ અંધાધુંધી ( Chaos) ચાલી રહી છે એવું આ જગતુ હા હા ! અરાજક થયું છે, તેને પિકાર અમે કેની પાસે પાડીએ ? જગન્સજનાદિ કરનારા દેવે વંધ્યાસુત સમા– नित्यमुक्तान जगज्जन्मक्षेमक्षयकृतोद्यमान् । वन्ध्यास्तनन्धयप्रायान्, को देवांश्चेतनःश्रयेत् || * “ રામપ્રતાર, પ્રજ્ઞાતવમોદ્ધતા: संति केचिच्च भूपृष्ठे, कवयः स्वान्यवञ्चकाः ॥ स्वतत्त्वबिमुखै मूढः, कीतिमात्रानरंजितः । कुशास्त्रछाना लोको, वराको व्याकुलीकृतः ॥" –શ્રી શુભચંદ્રાચાર્યજી પ્રણીત જ્ઞાનાવ Page #198 -------------------------------------------------------------------------- ________________ જગતસર્જનાદિ કરનારા દેવ વંધ્યાસુત સમાં ૧૪૫ છે સર્વદા મુક્ત છતાં ય વિશ્વના, કરી રહ્યા સર્જન-નાશ-પાલના ! ! ! એવા જ વંધ્યાસુત તુલ્ય દેવને, આછે કિયો ચેતનવંત ભુવને? ૭ અર્થ-નિત્યમુક્ત એવા જે જગતના જન્મ–ક્ષેમક્ષયમાં ઉદ્યમ કરનારા છે, એવા વધ્યાપુત્રે જેવા દેને ક ચેતન આશ્રય કરે ? . વિવેચન તે પ્રતારણપરાયણ પરની મિથ્યા દેવકલ્પના અંગેની પ્રતારણાને નમુને આ રહ્ય–તેઓ “નિત્યમુક્ત” સદાય મુક્ત એવાઓને દેવપણે કલ્પી જગના જન્મ–સેમ–ક્ષયમાં એટલે કે ઉત્પત્તિ સ્થિતિ અને લયમાં “કૃતઘમ”—ઉદ્યમ કરી રહેલા માને છે! આ તે “વધ્યાસ્તનન્વય”—વધ્યાના સ્તનને ધાવનારા વધ્યાપુત્રે જેવા છે! આવા વધ્યાપુત્ર જેવા દેને કયે સચેતન આશ્રય કરે? નિત્યમુક્ત છતાં જે વિશ્વના સર્જન, પાલન અને સંહારમાં તત્પર છે એવા વંધ્યાપુત્ર જેવા કલ્પિત દેવેને કયે સચેતન–બુદ્ધિચેતનાવાળો મનુષ્ય સેવે? અર્થાત્ “વાંઝણીને પુત્ર” કહે એ જેમ વદતે વ્યાઘાત છે, તેમ એવા પ્રકારનું દેવસ્વરૂપ પણ વદતે વ્યાઘાત છે, સ્વયં જ ખંડિત થાય છે. અત્રે કવિએ પરદર્શનીઓએ કપેલા દેને વંધ્યાસુતની ઉપમા આપી તીવ્ર કટાક્ષ કર્યો છે. કા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વીતરાગસ્તવ સવિવેચન કુદેવાથી કૃતાર્થીના વીતરાગના અપલાપ कृतार्थाः जठरोपस्थदुः स्थितैरपि दैवतेः । भवादृशान्निवते, हा हा देवास्तिकाः परे ॥८॥ વા કામાત્ત જે ને જઠરાગ્નિ આત્ત જે, એવાય દેવાથી થતા કૃતાર્થ જે !! દેવાસ્તિકા તે પર દશના તણા, હા હા ! કરે નિવ તું સમાનના. અર્થ :-જઠરથી ( પેટથી) અને ઉપસ્થથી દુઃસ્થિત એવા પણ દૈવતાથી કૃતાર્થ થયેલા એવા પર દેવાસ્તિકા હા ! હા! આપ જેવાઓને નિહ્નવ–અપલાપ કરે છે ! વિવેચન “ અવર્ જેહને આદર્ અતિ દીએ, તેહુ તેં મૂલ નિવારી, ઝ —શ્રી આનંદ્રાનજી હવે ત્રીજી વાત. ભલે તેએએ આ વન્ધ્યાસુત જેવા મિથ્યા દેવાની કલ્પના કરી ! હશે, એ બિચારાની ભૂલ થઈ! એ વાત જવા દઈ એ. પણ એએએ આ કલ્પિત દેવાનું જે સ્વરૂપ વર્ણવ્યું છે, તે તેઓના જ વર્ણન પરથી તા તે કેવા બિચારા જઠરની–ઉદરની પીડાથી કે ઉપસ્થની પીડાથી દુઃસ્થિત '–દુ:ખી સ્થિતિમાં આવી પડેલા પ્રતીતાય છે. છતાં આવા જઠરથી ને ઉપસ્થથી * Page #200 -------------------------------------------------------------------------- ________________ કદેવાથી કૃતાર્થીના વીતરાગના અપલાપ ૧૪૭ < દુઃસ્થિત ’–દુઃખી દુઃખી સ્થિતિમાં આવી ગયેલા દેવતાઆથી આ પરા-ખીજાએ પાતાને કૃતાકૃતકૃત્ય માની રહ્યા છે, એટલુ જ નહિં પણ જેનામાં પરમ દિવ્યગુણુસંપન્ન ખરેખરું પરમા સત્ દેવપણુ છે એવા તું પરમ વીતરાગને તે નિદ્ભવે છે’-અપહ્નવ–અપલાપ કરે છે, છુપાવે છે–એળવે છે! તે ખાટા મિથ્યા કલ્પિત દેવાને માને છે, પણુ તું સાચા પરમા સત્ વીતરાગ દેવને નથી માનતા! છતાં હાય હાય ! આ પરા પેાતાને દેવમાં આસ્તિકત્ર–આસ્થા ધરાવનારા દેવા સ્તકા માને છે! ભલે એમણે માનેલા એવા દેવા પણ એમને સુખારક હે ! પશુ તુ વીતરાગના અપલાપ તે શીદને કરતા હશે? આમ અત્રે શ્રી કલિકાલસર્વાંગે ’માર્મિક ઉપહાસમિશ્રિત કટાક્ષ સાથે ખે* વ્યક્ત કર્યો છે કે-કામાગ્નિ અને જઠરાગ્નિ વડે પીડાઈ રહેલા કલ્પિત દેવા વડે પણ જેઓ પેાતાને કૃતાકૃતકૃત્ય માને છે એવા પરદેશની દેવાસ્તિકા—ચુસ્ત દેવભક્તો બિચારા અરે ૨! આપ વીતરાગ જેવાના નિદ્ભવ–આપલાપ કરે છે!! 6 6 ER < ' ઘરમાં ગાજનારા' પરોની કલ્પનાજાલ खपुष्पप्रायमुत्प्रेक्ष्य, किञ्चिन्मानं प्रकल्प्य च । સન્માન્તિ વેદે શેઠે વા, નગેન્દેનર્લિન જે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વીતરાગસ્તવ સવિવેચન ખપુષ્પ જેવું ઉત્તપેક્ષને કઈ અને અહીં માન પ્રકલ્પીને કઈ પ્રવાદી એવા ગરજત ગેહમાં, નથી સમાતા નિજ ગેહ દેહમાં !!! ૯ અર્થ–ખપુષ્પ-આકાશપુષ્પ જેવું કિંચિત્ ઉપેક્ષીને અને કિંચિત પ્રમાણે પ્રકપીને ગેહેનદી (ઘરમાં ગાજનારા) પર દેહમાં વા ગેહમાં સમાતા નથી !! વિવેચન આમ વધ્યાસુત જેવા કપોલકલ્પિત સરાગી દેવની જે પિતે કલ્પના કરે છે, તે કલ્પનાને સાચી ઠરાવવા માટે વળી આકાશપુષ્પ જેવું “ઉઍક્ષીને ”-કલ્પનારૂપ કલ્પીને અને તેને સ્થાપિત કરવાને માટે કંઈ કલકલ્પિત પ્રમાણ પ્રકલ્પીને ક૯૫નાજાલ વિસ્તારનારા આ હેનર્દી” ઘરમાં ગજનારા–ઘરશુરા “પર”—બીજાઓ નથી દેહમાં સમાતા, નથી ગેહમાં સમાતા! “નથી દેહમાં સમાતા” એટલે અમે અમારી કલ્પના જાલથી જગને કેવું મૂર્ખ બનાવીએ છીએ એમ સમજીને તેઓ ફૂલીને ફાળકા બનીપ્રફુલ્લિત બની શરીરમાં સમાતા નથી; “નથી ગેહમાં સમાતા” એટલે ઘરમાં જ ગર્જના કરવાથી સંતોષ માની છાનામાના ઘરમાં જ પડયા રહેવાને બદલે ઘરમાંથી બહાર નીકળીને પિતાની ભૂખ લિપત વાત જગમાં ફેલાવવાને નિકળી Page #202 -------------------------------------------------------------------------- ________________ | આકાશ ઘરમાં ગાજનારા પરેની કલપનાજાલ ૧૪૯ પડે છે! અને પિતાનું પિત પ્રકાશે છે! આમ આકાશપુષ્પ જેવું કંઈક ઉન્ઝક્ષીને અને તેનું સાધક કંઈ પ્રમાણુ કલ્પીને ઘરમાં ગાજતા એવા “ગૃહશુરા” પરે પોતાના દેહમાં કે ગેહમાં માતા નથી! ફૂલીને ફાળકા બને છે !! દુષ્ટ દષ્ટિરાગ છેસંતોને પણ દુષ્કર એમ દર્શાવે છે– कामरागस्नेहरागावीषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेदः सतामपि ॥१०॥ રથોદ્ધતાસ્નેહરાગ દઢ કામરાગ વા, શક્ય છે સહજમાં નિવારવા; દષ્ટિરાગ પણ દુષ્ટ છેદ, સંતને પણ સુદુષ્કરે હ. ૧૦ અર્થ-કામરાગ અને નેહરાગ એ બે તે સહજમાં જ નિવારવા શક્ય છે; પણ પાપીઓ દષ્ટિરાગ તે સંતને પણ છેદ–છેદ દુષ્કર છે. વિવેચન દષ્ટિરાગને પિષ તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજપણું. » –શ્રી દેવચંદ્રજી Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વીતરાગસ્તવ સવિવેચન - તે પછી પ્રશ્ન થશે કે આ પરદશનીએ આ કલ્પિત સરાગી દેવ પ્રત્યેને રાગ કેમ છેડતા નથી ? તેને ઉત્તર છે તેમને “દષ્ટિરાગ”—દષ્ટિનું રંગીનપણું. દષ્ટિ આડે રંગીન કાચ ધર્યાથી જેમ રંગીન જ દર્શન થાય છે, તેમ દષ્ટિરાગથી રંગાયેલી દષ્ટિથી રંગાયેલું જ દર્શન થાય છે. આ દેવ મારા કપેલા છે–“મારા છે માટે સાચા છે” એમ દષ્ટિને રાગને રંગ લાગ્યાથી તેઓ દષ્ટિરાગથી તે સરાગી દેવને જ સરાગપણે દેખ્યા કરે છે! જગતમાં ત્રણ પ્રકારના રાગ પ્રવર્તે છે—કામરાગ-સ્નેહરાગ-દષ્ઠિરાગ. તેમાં “કામરાગ” –વિષયેચ્છાજન્ય રાગ અને “સ્નેહરાગ’–સ્વજનાદિનેહસંબંધજન્ય રાગ તે તે સહજમાત્રમાં નિવારણ કરી શકાય એવા છે, પણ પાપીઓ દષ્ટિરાગ તે સંતને પણ દુછેદ”—ઉચ્છેદ દુષ્કર છે. દષ્ટિરાગ અને સમ્યગદષ્ટિપણું એ બન્ને કેવળ જુદી વસ્તુ છે. જેમ રંગીન કાચ આંખ આડે ધર્યો હોય તે બધુંય રંગાયેલું દેખાય છે, પણ તે કાચ આંખ આડે ન હોય તે સ્પષ્ટ બરાબર દેખાય છે, તેમ દષ્ટિરાગથી જે દર્શન થાય છે તે તેવા રાગભાવથી રંગાયેલું ને મલિન હેઈ અસભ્ય હાય છે; અને સમગ્ર દષ્ટિથી જે દર્શન થાય છે તે રાગભાવના અનુરંજન વિનાનું નિર્મલ ને સ્વચ્છ હોઈ સભ્ય હોય છે. પિતાના કુલ–સંપ્રદાયના આગ્રહથી અને તજજન્ય રાગથી દેવ-ગુરુ-ધર્મનું માન્યપણું કરવું તેમાં, અને તત્ત્વથી દેવ–ગુરુ-ધર્મનું શુદ્ધ સમ્યફ Page #204 -------------------------------------------------------------------------- ________________ 1, દુષ્ટ દૃષ્ટિરાગ જેવા સંતાનમાં દુષ્ઠન-382009 સ્વરૂપ જાણી માન્યપણું કરવું તેમાં આકાશ-પાતાલનું અતર છે. પ્રથમમાં દૃષ્ટિરાગના અંશ છે, ખીજામાં વ્યવહારસમ્યગ્દષ્ટિપણું છે. દાખલા તરિકે-પોતાના કુલધર્મના ગુરુ, સદ્ગુરુમાં અવશ્ય હાવા ચાગ્ય આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હાય, છતાં પેાતાના મતસંપ્રદાયના આગ્રહથી અને પેાતાના માની લીધેલા કુલધમ ના મમત્વ જન્ય રાગથી, તેને ગુરુ માનવા તે પ્રગટ દૃષ્ટિરાગપણું છે. અથવા જેના પ્રત્યે પેાતાને રાગ છે એવા અમુક પુરુષ· વિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખાટા છે ને તેમાં કાંઈ નથી, એમ માનવું તે પણ દૃષ્ટિરાગના પ્રકાર છે. ×× (પણ) સભ્યદૃષ્ટિપણામાં તેવે રાગ હાતા નથી. એટલે તેમાં તે વસ્તુનું વસ્તુસ્વરૂપે દર્શીન થાય છે; સદેવનું, સદ્ગુરુનું સમનું સમ્યક્ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હાય છે. તાત્પર્ય કે દૃષ્ટિરાગમાં ‘મત”નું માન્યપણું છે અને સમ્યગ્દૃષ્ટિમાં ‘સત્”નું માન્યપણું છે. ષ્ટિરાગી ‘મારુ તે સાચું’ માને છે અને સમ્યગ્દષ્ટિ ‘સાચુ તે મારું માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં ભ્રાંતિ પામે નહિ', ' — આનંદઘનજીનુ દિવ્ય જિનમા દર્શન (સ્વરચિત ) જગમાં જ્યાં જુએ ત્યાં પ્રાયે દૃષ્ટરાગનું જ સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. આ દૃષ્ટિરાગ છેડવા ઘણા મુશ્કેલ છે, એટલે જ અત્રે શ્રી હેમચ`દ્રાચાય જીએ વીતરાગ પાસે પાકાર પાડયો છે કે હે ભગવાન્ ! સ્નેહરાગ છેડવા સ્ટુલા ૧૫૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર વીતરાગસ્તવ સવિવેચન છે, કામરાગ છોડ હેલે છે, પણ આ દુષ્ટ દૃષ્ટિરાગ તે સંતને પણ છેડ દેહિલે છે, દુત્યજ છે. 1 તું વીતરાગ પ્રત્યે મૂઢની ઉઢાસીનતાप्रसन्नमास्यं मध्यस्थे, दृशौ लोकम्पृणं वचः। इति प्रीतिपदे बाढं, मूढास्त्वय्यप्युदासते ॥११॥ દષ્ટિ તે સમ મુખ પ્રસન્ન ને, જેહનું વચન પ્રિય લોકને; એહવા પ્રતિપદા ય તું પ્રતિ, રે ઉદાસ જન મૂઢ દુમતિ. ૧૧ અર્થહારૂં મુખ પ્રસન્ન છે, બે દૃષ્ટિ મધ્યસ્થ છે, વચન લોકપ્રિય છે,-એમ સારી પેઠે પ્રીતિપદ એવા તું પ્રત્યે પણ મૂઢ ઉદાસ રહે છે! વિવેચન રાગાદિક સહુ શત્રુ જીત્યા, વરી કેવલથી રીઝી પ્રીત્યા; શ્રીમદ્ સાચા જિન તમે છો, દિવ્ય ગુણોથી દેવ તમે છો. -પ્રજ્ઞાવધ મોક્ષમાળા (સ્વરચિત) Page #206 -------------------------------------------------------------------------- ________________ તું વીતરાગ પ્રત્યે મૂઢાની ઉદાસીનતા ૧૫૩ અને આ દુષ્ટ દૃષ્ટિરાગના પ્રભાવ તે જીએ! હું વીતરાગ ! હારૂં મુખ પ્રસન્ન-પ્રશમરસનિમગ્ન છે, ત્હારી દ્રષ્ટિ મધ્યસ્થ-રાગદ્વેષરહિત છે, ત્હારૂ વચન લેાકને પાવન કરનારૂં લેાકપ્રિય છે,-આમ તું સારી પેઠે ‘પ્રીતિપદ ’-~ પ્રીતિનું એક સ્થાનક છે, તને જોઈ ને કોઈ ને પણ સહજ પ્રીતિ ઉપજે એમ છે, છતાં આવા ત્હારા પ્રત્યે પણ મૂઢામાહમૂઢ જના ઉદાસ રહે છે-ઉપેક્ષા કરે છે! એ આ દુષ્ટ દૃષ્ટિરાગના જ પ્રભાવ છે. ખરેખર! આ દૃષ્ટિરાગથી અધ બનેલા તે મૂઢ જનાને સાચા દેવ કાણુ કહેવાય તેનું ભાન જ રહ્યું નથી, એટલે જ ‘રાગી સેવકથી જે રાચે છે ને બાહ્ય ભક્તિ દેખીને માચે છે તે જેને ગુણ તૃષ્ઠુાની આંચથી દાઝે છે' એવા સરાગી દેવને તેઓ દેવ માને છે; પણ ખરા દેવ તાજેનામાં દિવ્ય આત્મગુણની ‘વ્રુતિ' હાય તે જ છે ને તે જ ‘લબ્ધવષ્ણુ' જનોને સ્તુતિ યેાગ્ય છે; અને તેવા ખરા દેવ તે તું વીતરાગ જ છે; અનત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અ`ત વીય એ દિવ્ય આત્મગુણેના સ્વામી થયેા હેાવાથી તું વીતરાગ જ ખરેખરા અથ માં દેવ છે. "" પૂરણ બ્રહ્મ ને પૂર્ણાનંદ, દન જ્ઞાન ચરણ રસક દી; સફળ વિભાવ પ્રસંગ અફે'દી, તેહ દેવ સમર્સ મકર્દી, ” —શ્રી દેવચંદ્રજી 弱 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વીતરાગસ્તવ સવિવેચન રાગાદિગ્રસ્ત આપ્ત હવા અનહંઅગ્ય– तिष्ठेद्वायुवेदद्रिवलेज्जलमपि क्वचित् । तथापि ग्रस्तो रागाधैर्नाप्तो भवितुमर्हति ॥१२॥ અનુષ્ટ્રભે વાયુ દવે અતિ, જલ વલે કવચિત યદિ; તે ય આમ થવા ગ્ય, રાગાદિગ્રસ્ત ના કદી. ૧૨ અર્થ-વાયુ સ્થિર રહે, પર્વત દ્ર, જલ પણ કવચિત. જવલે, તે પણ રાગાદિથી ગ્રત આપ્ત હેવાને ગ્ય નથી. વિવેચન - “તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. ” મોક્ષમાળા (બાલાવબોધ) આ બધું ગમે તેમ હે, સરાગી દેવના સરાગી ભક્તો કે દષ્ટિ રાગીએ ગમે તેમ કહે, ફાવે તેવી કપોલ– કલ્પિત કલ્પનાઓ કરે, પણ આ તે અમારો અખંડ નિશ્ચય અમે અત્ર ડિડિમ નાદથી ઉદ્ઘેષીએ છીએ કે–કદી પણ સ્થિર ન રહે એ વાયુ કદાચ થંભી જાય, કદી પણ ચળે નહિં એ અચલ પર્વત પણ કદાચ ચલાયમાન થાય, કદી પણ જવલે નહિં એવું જલ પણ કદાચ જવલે— Page #208 -------------------------------------------------------------------------- ________________ રાગાદિસ્ત આપ્ત હેવા અનહંઅાગ્ય ૧૫૫ બળવા માંડે, તથાપિ રાગાદિથી ગ્રસ્ત થયેલે કઈ પણ આપ્ત”–પરમાથે વિશ્વસનીય પ્રમાણભૂત હોવા ગ્ય. નથી; કારણ કે રાગ દ્વેષ-મેહને એકાન્તિક અને આત્યંતિક ક્ષય તે “આપ્તિ” છે, તે “આપ્તિ” જેઓને હોય તે આપ્ત”-વિશ્વસનીય પુરુષ છે,–તેવા આપ્તપણને તેઓ “અહં નથી–ગ્ય નથી; પણ રાગ-દ્વેષ-મેહને જેણે આત્યંતિક ક્ષય કર્યો છે એ તું ખરેખ “મહાદેવ” વીતરાગ જ આપ્તપણાને “અહ” એ પરમ પૂજ્ય “અહં” છે. કારણ કે સમંતભદ્રાચાર્યજીએ આપ્તમીમાંસામાં કહ્યું છે તેમ “આપ્ત પણ તે જ કે જેના દેષ ને આવરણ કન્યા હોય.” જેના રાગ-દ્વેષ મહાદિ દોષ અને જ્ઞાન–દશન આવરણ કન્યા છે, તે જ પુરુષ “આપ્ત” હવા ચેગ્ય છે. કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન અસત્ય પણ હય, ને તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિં; અને રાગ-દ્વેષ મેહદિ હોય છે તેથી પણ અસત્ય વદવાને પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષ * " आप्तिर्हि रागद्वेषमोहानामेकान्तिक आत्यन्तिकश्च क्षयः । सा येषामस्ति ते खल्वाप्ताः ॥" –સ્યાદવાદમંજરી લો. ૧ વિવરણ x “दोषावरणयो हानि निःशेषास्त्यतिशायनात् । વિદ્યથા સ્વહેતુમ્યો વહિન્તર્મનક્ષય: ” શ્રી મંતભદ્રાચાર્યજીકૃત આપ્તમીમાંસા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વીતરાગસ્તવ સવિવેચન રહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હાઈ વિશ્વાસપાત્ર હાય-આખ્ત હોય. એટલે જે કેઈ સર્વજ્ઞ વીતરાગ હેય તે જ આપ્ત છે ને તેનું વચન જ આપ્ત છે–પરમ પ્રમાણભૂત હેાઈ પરમ વિશ્વાસપાત્ર છે, અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. એટલે આવા આપ્ત આગમન–શાસ્ત્રને આપ્ત પ્રણેતા-“શાસ્તા”—શાસન કરનારે તું વીતરાગ જ છે, ઈતર રાગાદિથી ગ્રસ્ત સરાગી તે આપ્ત પણ નથી ને શાસ્તા પણ નથી. | ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ-વિવેચનમાં– વીતરાગપ્રતિપક્ષનિરાસરૂપ ષષ્ઠ પ્રકાશ છે Page #210 -------------------------------------------------------------------------- ________________ જગત્કર્તૃત્વવાદ નિરાસ અદેહનું વક્તાપણું–શાસ્તાપણું ન ઘટે— धर्माधर्मौ विना नाङ्ग, विनाङ्गेन मुखं कुतः ? | मुखादिना न वक्तृत्वं तच्छास्तारः परे कथम् ? ॥ १ ॥ કાવ્યાનુવાદ— સપ્તમ પ્રકાશ: થાદ્ધતા વૃત્ત પુણ્ય પાપ વિષ્ણુ દેહ હાય ના, દેહ વિણ મુખ તેમ સ્હેય ના; વસ્તુતા સુખ વિના વિના ઘટે નહિ', શાસનાર પર કેમ તે અહી ? ૧ અઃ-ધર્મ-અધર્મ વિના દેહ ન હેાય, દેઢુ ન હોય તે મુખ કયાંથી હોય ? સુખ વિના વક્તાપણું ન હાય, તા પછી પરા શાતાઓ કેમ હાય ? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન " वान्ध्येयखरविषाणतुल्यं अपुरुषकृतं वचनं " –શ્રી હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરા આગલા પ્રકાશમાં વિતરાગ દેવના પ્રતિપક્ષને નિરાસ કર્યો. ત્યારે કેઈ કહેશે કે આ જગતને કર્તા કેઈ ઈશ્વર દેવ છે, તે પ્રતિપક્ષ કેમ નથી? તેનો ઉત્તર આપતા હોય એમ અત્રે જગતકતૃત્વવાદનું ઉત્થાપન કરી જગકર્તાને ઉથાપે છે. આ પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ અન્યદર્શનીઓએ કપેલા સૃષ્ટિવાદનું –જગકર્તુત્વવાદનું ઉત્થાપન કરતાં, ન્યાયશાસ્ત્રીની જેમ અજબ કુશળતાથી પ્રતિપક્ષનું સર્વથા નિર્મથન કરી યુક્તિપુરઃસર નિરસન કર્યું છે. જગકતૃત્વવાદીઓ કહે છે કે sfસ્ત #શ્ચિઃ નાતઃ ૪ , સ સર્વઃ સ સ્વા: સ નિરા: ” –શ્રી હેમચંદ્રાચાર્યકૃત અન્યાગવ્યવછેદ દ્વિત્રિશિકા લે. ૬ અર્થા–જગતને કેઈ કર્તા છે, અને તે એક છે, તે સર્વગામી છે, તે સ્વતંત્ર છે, તે નિત્ય છે. (વિસ્તાર માટે જુએ શ્રી મલ્લિષેણાચાર્યકૃત સ્યાદ્વાદમંજરીમાં ઉક્ત લેકનું વિવરણ) આટલી સામાન્ય સૂચના કરી હવે આ જગકર્તુત્વવાદનું જે યુક્તિથી અનુક્રમે નિરાકરણ કર્યું છે તે Page #212 -------------------------------------------------------------------------- ________________ અદેહનું વક્તાપણું–શાસ્તાપણું-જગતસર્જન ન ઘટે ૧૫૯ પ્રતિકે અવકીએ. તેમાં આ પ્રથમ લેકમાં પ્રથમ તે વાદીને જાણે પૂછે છે કે–વારુ, તમે કલ્પલે જગતુકર્તા ઈશ્વર શરીરધારી છે કે અશરીર છે? જે શરીરધારી છે તે તેને પુણ્ય-પાપરૂપ કમ છે કે નહિ? જે છે તે તેનું અપૂર્ણપણું અને અનીશ્વરપણું સિદ્ધ થાય છે, અને જે નથી એમ કહે તે ધર્માધર્મ–પુણ્યપાપ વિના દેહ કેમ હોય? દેહ ન હોય તે મુખ કેમ હોય? મુખ ન હોય તે વક્તાપણું કેમ હોય? અને વક્તાપણું ન હોય તે તમારે કલ્પિત ઈશ્વર “શાસ્તા” શાસનાર–શાસ્ત્રપ્રણયન કરનાર આપ્ત કેમ હોય? માટે અશરીર કે સશરીર એ જગકર્તા ઘટતે નથી.* અદેહની જગત્સર્જન પ્રવૃત્તિ ન ઘટે– अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरपि नोचिता। न च प्रयोजनं किञ्चित्स्वातन्त्र्यान पराज्ञया ॥२॥ ૪ આ અપૌરુષેયવાદનું તથા જગતકર્તવવાદનું યુક્તિયુક્ત નિરાકરણ શ્રીહરિભદ્રાચાર્યજીએ “લલિત વિસ્તરામાં વિસ્તારથી કર્યું છે. તે અર્થે જિજ્ઞાસુએ મસ્કૃત લલિતવિસ્તરા સવિવેચન ગ્રંથનું અવલોકન કરવું. (જુએ સૂત્ર ૩૦૩, ૫–૫૪૪, તથા સૂત્ર ૧૭૯ પૃ–૩૦૩) –ભગવાનદાસ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વીતરાગસ્તવ સવિવેચન ને અદેહ તણે વિશ્વસને, એ પ્રવૃત્તિ પણ ગ્ય ના બને; કે પ્રોજન જ તેહને નથી, (કારણ) તે સ્વતંત્ર, પર આણમાં નથી. ૨ અર્થ–અદેહની જગસર્ગમાં પ્રવૃત્તિ પણ ઉચિત નથી; અને સ્વતંત્રતાથી કે બીજાની આજ્ઞાથી તેને તેમ કરવાનું કંઈ પણ પ્રયજન નથી. વિવેચન “ તન તવાયો ” – લલિતવિસ્તરા, હવે જગકર્તા અશરીર છે એમ કહે તે અશરીરની જગન્સજનપ્રવૃત્તિ પણ કઈ રીતે ઘટતી નથી. તેને તેમ કરવાનું કાંઈ પ્રજન નથી, કારણ કે તમે કહે છે, કે તે કૃતકૃત્ય છે એટલે તેને કાંઈ કરવાપણું નથી; વળી બીજાની પ્રેરણાથી પણ તેમ કરે નહિં, કારણ કે સ્વતંત્ર છે અને બીજા કેઈની આજ્ઞાને આધીન નથી. " पारतन्त्र्ये तु तस्य परमुख पेक्षितया મુક્યત્વવ્યાધાતાવનગરવાર: ” –સ્યાદ્વાદ મંજરી અર્થાત્ – તેનું પરતંત્રપણું હોય તે કાર્ય પ્રવૃત્તિમાં પરના મુખ સામે જેવું પડે–પરની અપેક્ષા રાખવી પડે, એમ કરતાં તેના મુખ્ય કર્તુત્વને બાધ આવે અને તેથી Page #214 -------------------------------------------------------------------------- ________________ કીડાથી કે કૃપાથી જગત સર્જન ન ઘટે ૧૬૧ અનીશ્વરપણું પ્રાપ્ત થાય. આમ સ્વયં કે પરની પ્રેરણાથી જગકર્તુત્વ ઘટતું નથી. કીડાથી કે કૃપાથી સજન ન ઘટે એમ બતાવે છે– क्रीडया चेत्प्रवर्त्तत, रागवान्स्यात्कुमारवत् । कृपयाऽथ सृजेत्तर्हि, सुख्येव सकलं सृजेत् ॥३॥ જે કાંડા થકી પ્રવૃત્તિ આદરે, તે ય બાલ જ્યમ રાગી તે કરે; જે કૃપાથી જગસર્જના કરે, તે સુખી જ સહુને સૂજે ખરે : ૩ અર્થ-જે તે જગકર્તા ક્રીડાથી પ્રવર્તે તો તે - કુમારની જેમ રાગવાનું હોય અને જો તે કરુણાથી સજે, તે સકલને સુખી જ સ. વિવેચન ‘ષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા ષવિલાસ, –શ્રી આનંદઘનજી ને એમ કહે કે તે “કીડાથી”—લીલાથી–રમતથી જગત સજે છે, તે તે તેની કુમારની જેમ બાલચેષ્ટા થઈ. અને “દેષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ (આનંદઘનજી). જે કૃપાથી જગસુષ્ટિ કરે તે સર્વને સુખી જ સજે, કારણ કે “પહુલબાછા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વીતરાગસ્તવ સવિવેચન ચમ્ 'પરદુખને નાશ કરવાની ઈચ્છા તે કારુણ્યપરદુઃખ છેદન ઈચ્છા કરુણા”—(આનંદઘનજી) “જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય ? લીલાની પ્રવૃત્તિ તે સંદેષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઈચ્છે જ નહીં. ૪૪ લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તે જ્ઞાનસુખના અપરિપૂર્ણપણાથી જ થાય. xx એ લીલા તે દેષને વિલાસ છે; સરાગીને જ તેને સંભવ છે. જે સરાગી હોય તેને સઢષતા હોય, અને જેને એ બને હોય તેને ક્રોધ, માન, માયા, લેભ આદિ સર્વ દેષનું પણ સંભવિતપણું છે. જેથી યથાર્થ રીતે જોતાં તે લીલા દેષને જ વિલાસ છે; અને એ દેષવિલાસ તે અજ્ઞાની જ છે.”— શ્રીમદ્ રાજચંદ્રજીકૃત આનંદઘનજીકૃત પ્રથમ સ્તવનનું વિવેચન. દુઃખદારિવાદિથી દુઃખી જગત્ સજતાં કૃપાલતા શી?— दुःखदौर्गत्यदुर्योनिजन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य, कृपालोः का कृपालुता ? ॥४॥ દુખ દુર્ગતિ અને દરિદ્રતા, મૃત્યુ જન્મ પ્રમુખે દુઃખી થતા; લેકને જગતમાંહિ સજતાં, તે ઉપાલતણું શી કૃપાલતા? ૪ Page #216 -------------------------------------------------------------------------- ________________ = દુઃખી જગત સર્જતાં કૃપાલતા શી? ૧૬૩ અર્થ-દુઃખ, દત્ય-દરિદ્રતા, દુષ્ટ નિ, જન્મઆદિ લેશોથી વિવલ એવા જનને સર્જતાં તે કૃપાળુની કૃપાલુતા શી ? વિવેચન પરદુ:ખદન ઇચ્છા કસણા, તીક્ષણ પરદુ:ખ રીઝે રે. –શ્રી આનંદઘનજી, “ીનાહિર રેષિાહિક ” – લલિત વિસ્તરો પરંતુ દુઃખ, દૌર્ગત્ય–દાઘિ, કુનિ, જન્મ, મરણ, જરા, રેગ આદિથી દુઃખી એવા લેકને સજતાં તે કૃપાળુનું કૃપાળુપણું તે કઈ જાતનું સમજવું? આમ કરુણાથી પણ જગન્સજન યુક્ત નથી જણાતું. આ અંગે મહાદશનપ્રભાવક મેક્ષમાળા (બાલાવબેધ)માં પરમતત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટેકેલ્કી વચનામૃત છે કે – જગત્ રચવાની પરમેશ્વરને જરૂર શી હતી? રચ્યું તે સુખદુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મેત શા માટે મૂક્યું? એ લીલા કોને બતાવવી હતી? રચ્યું તે , કયા કમથી ર? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહતી? ઈશ્વર કે? જગા પદાર્થ કેશુ? અને ઈચ્છા કેણુ? રચ્યું તે જગમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું. આમ બ્રમણામાં નાંખવાની જરૂર શી હતી? કદાપિ એમ માને કે એ બિચારાની ભૂલ થઈ હશે! ક્ષમા કરીએ! પણ એવું દેઢડહાપણ ક્યાંથી સૂઝયું કે એને જ મૂળથી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વીતરાગસ્તવ સવિવેચન ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષને જન્મ આપે? એનાં કહેલાં દર્શનને જગમાં વિદ્યમાનતા કાં આપી? પિતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શું આવશ્યકતા હતી?” –મોક્ષમાળા (બાલાવબોધ) પાઠ, ૯૭ T કર્માપણાથી સજે તે આ શોભાના પૂતળાનું કામ શું?— कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना?॥५॥ જો ય કર્મની કરે અપેક્ષણ, - આપણી જ્યમ સ્વતંત્ર તેહ ના; કમજન્ય જ વિચિત્રતા ગણે, - તે શું શુંભ પુતળે જ કામને? ૫ અર્થ –ો તે (જગતુર્તા) કર્મની અપેક્ષા રાખતો હોય, તે અમ આદિની જેમ તે તત્વ નથી; અને કર્મ જનિત વૈચિત્ર્ય છે, તે આ શિખંડીથી-શોભાના પૂતળાથી શું ? વિવેચન " निमित्तकर्तृत्वाभ्युपगमे तत्त्वतोऽकर्तृत्वं, स्वातन्त्र्यासिद्धेः ।" શ્રીહરિભદ્રાચાર્ય કૃત લલિતવિસ્તરા સૂ. ૧૭૯ હવે જે કહે કે તે કર્મની અપેક્ષા રાખે છે, તે તે આમ આદિની જેમ સ્વતંત્ર-સ્વાધીન નથી. પણ તમે તે Page #218 -------------------------------------------------------------------------- ________________ કાઁપેક્ષાથી સજે તા આ શાભાના પૂતળાનું કામ શુ ? ૧૬૫ તેને સ્વતંત્ર માન્ય રાખ્યા છે. કારણ કે તમે કહે છે કે-ઇશ્વરથી પ્રેરિત અન્ય જંતુ સ્વગે વા નરકે જાય, પશુ આ જંતુ તે। પેાતાના સુખ-દુઃખમાં ‘અનીશ’→ અનીશ્વર-અસમર્થ છે. " ईश्वरप्रेरितो गच्छेत् स्वर्गं वा श्वभ्रमेव वा । अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयो : " ॥ અને આ વૈચિત્ર્ય ક્રમ જનિત છે—સુખદુઃખ આદિ વિચિત્રતા ક્રમ થકી ઉપજે છે એમ જો કહા, તે પછી આ ‘શિખ’ડીથી ’શું ? શાભાના પુતળા જેવા—Àાભાના ગાંઠીઆ જેવા આ જગત્કર્તા શું કામનેા છે ? તે માનવાની કઈ આવશ્યકતા જ રહેતી નથી. રાજા કહેવાય પણ રાજસત્તા ન હોય તેા શું કામના? 5 સ્વભાવ અત ગેચર' કહેવા તે પરીક્ષાનિષેધ સમાન अथ स्वभावतो वृत्तिरवितर्क्या महेशितुः । परीक्षकाणां तहॊष, परीक्षाक्षेपडिण्डिमः ॥ ६ ॥ તāષ, તા આ મહેશની સ્વભાવ વના, જો વિતક કરવા જ ચાગ્ય ના; પરીક્ષક તણા પરીક્ષણે, તેહ ડિડિમ નિષેધના અને. તા Page #219 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન અર્હવે જો એમ કહેવામાં આવે કે મહેશની સ્વભાવથી વૃત્તિ અવિત છે—વિતર્ક કરવા ચોગ્ય નથી, તા તે પરીક્ષકાની પરીક્ષાને આક્ષેપના–નિષેધને ડિંડિમ છે. ૧૬૬ વિવેચન “ પક્ષવાતો ન મે વીરે, ન દ્વેષઃ વિલાવિવુ । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ 17 " —શ્રી હરિભદ્રસૂરિ અત C હવે જો એમ કહે કે મહેશની આ જગત્સજનવૃત્તિ સ્વભાવ થકી છે તે છે; અર્થાત્ મહેશ જગને સજે એ એના સ્વભાવ છે, અને સ્વભાવ તેા ત ના ગોચર–વિષય નથી,- સ્વમાોડત શોષા', માટે તે સંબધી ત` ઊઠાવવા ચગ્ય નથી,-તા તે તે પરીક્ષકાની પરીક્ષાને નિષેધ કરવાના ડિડિમનાદ જેવું થયું ! ઈશ્વરની આ સ્વભાવપ્રવૃત્તિ અંગે વિકલ્પ કરવા ચેાગ્ય નથી એમ જો કહેા તા તે તત્ત્વપરીક્ષકને પરીક્ષાના નિષેધ કરવા જેવું થયું. તર્ક વિના પરીક્ષા-વસ્તુની ચકાસણી કેમ થઈ શકે ? તર્કની અગ્નિપરીક્ષામાં અણીશુદ્ધ પાર ઉતરે તે તર્કશુદ્ધ વચન જ ન્યાયની રીતિએ માન્ય કરવા યોગ્ય પ્રમાણ ગણાય. કારણ કે - લલિતવિસ્તરામાં કહ્યું છે. તેમ ‘વાહિક દિવારો-વક્તાએ વાકયલિંગી છે, અર્થાત્ વચન એ જ એના વક્તાને એળખવાનું લિંગ-ચિહ્ન છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ અતર્કોચર' કહેવોતે પરીક્ષાનિષેધ સમાન ૧૬૭ એટલે નિર્દોષ નિર્મલ શુદ્ધ વચન પરથી નિર્દોષ નિર્મલ શુદ્ધ વક્તાને વિચક્ષણ બુધ જને ઓળખી લે છે, અનુ. માની લે છે, અને “સહુવા રોપત્તિમ7”—સત્ વાક્યસવચન છે તે ઉપપત્તિમ–ઉપપત્તિવાળું–યુક્તિયુક્ત હોય જ. માટે શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ “યુક્તિમદ્ જેનું વચન હોય તે જ ગ્રહણ કરવા છે. એટલે સાચા પરીક્ષક તે “ત્રિવટિપરિદ્ધિ ત્રિકટિ પરિશુદ્ધતા વડે કરીને, આદિ મધ્ય ને અંત એ ત્રિકટિમાં પૂર્વાપર અવિરુદ્ધતારૂપ પરિશુદ્ધતા વડે કરીને અથવા કષ–છેદ-તાપ એ ત્રિવિધ પરીક્ષારૂપ ત્રિકટિગત પરિશુદ્ધતા વડે કરીને જે તત્ત્વપરીક્ષાની અગ્નિકસેટમાંથી શુદ્ધ સુવર્ણની જેમ અણીશુદ્ધ પાર ઉતરે તેને જ સ્વીકાર કરે છે; કઈ પણ મત-દર્શનના આગ્રહ કે પક્ષપાત વિના અત્યંત મધ્યસ્થતાથી પ્રમાણિક ન્યાયમૂર્તાિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને પરીક્ષા કરે છે; એટલે તે પરીક્ષાને નિષેધ કરે કેમ યુક્ત હેય? H સર્વભાવનું જ્ઞાતૃપણે તે કપણું અમને પણ સંમત सर्वभावेषु कर्तृत्व, ज्ञातृत्वं यदि सम्मतम् । मतं नः सन्ति सर्वज्ञा, मुक्ताः कायभृतोऽपि च ॥७॥ * આ કષછેદ-તાપ પરીક્ષા અંગે વિશેષ જિજ્ઞાસુએ લલિતવિસ્તરા મલ્કત વિવેચન (પૃ. ૩૦૦-૩૦૧) અવલેકવું. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ત્રોટક પણ જો સહુ ભાવનું જ્ઞાતૃપણું, અહિં સમત હાય જ કેતુ પણું; અમને પણ સ`મત તે વર્તે, (કાણુ) સર્વજ્ઞ વિમુક્ત શરીર સતે. અર્થ :–સભાવાને વિષે જ્ઞાતૃત્વ એ જ જો ક સંમત છે, તે તે અમને પણ મત છે; (કારણ કે) દેહધારી છતાં સર્વજ્ઞ મુક્ત છે. વિવેચન “ દેહ છતાં જેની દશા, તે જ્ઞાનીના ચરણમાં, હો વીતરાગસ્તવ સવિવેચન વર્તે દેહાતીત; વંદન અગણિત, ’ શ્રીમદ્ રાજચંદ્રજી. આમ કાઈ પણ યુક્તિથી તમે માનેલું જગત્કતૃત્વ ઘટતું નથી; પણ સર્વ ભાવેનું ‘• જ્ઞાતૃત્વ ’~~ જ્ઞાતાપણું એ જ ‘કતૃત્વ ’–કર્તાપણું તે જે તમને સમત છે, તે તે અમને પણ્ સંમત જ છે, કારણ કે સા દેહધારી છતાં—દેહ છતાં દેહાતીત દશાએ વત્તતા હાઈ મુક્તો જ છે, ‘ જીવન્મુક્ત ’—જીવતાં છતાં એટલે આ સજ્ઞપણાની અપેક્ષાએ કઈ રીતે પણું ઘટી શકે છે, એટલે અમને સંમત અમારા મતના જો તમે સ્વીકાર કરતા હૈા તેા અમને કાઈ વાંધેા નથી, પણ તમે કહેા છે તેવી કાઈ પણ યુક્તિએ તે જગત્કર્તાપણું ઘટતું મુક્ત જ છે; જગત્કાઁ- Page #222 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ દુર્વાદ અપ્રમાણ : હારૂ` શાસન પ્રમાણ ૧૬૯ નથી. વળી તમે કલ્પેલા જગત્કર્મોંમાં તે તેવું સર્વજ્ઞપણું પણ ઘટતું નથી. કારણ કે “ સર્વજ્ઞ: સન્નસૌ રાષમાં ચૈત્ર વિરતિ, તદ્દા નાનુपप्लवकरणवैरिणः पश्चादपि कर्त्तव्यनिग्रहान् सुरखैरिणः एतद्विक्षेपकारिणश्चास्मदानीन् किमर्थं सृजति इति, तन्नाय સર્વજ્ઞઃ । ′′—શ્રી મલ્લિષેણાચાય કૃત સ્યાદ્વાદમજરી, àા. ૬. વિવરણુ અર્થાત્—તે સન હેાઈ જો સચરાચર રચતા હાય તા જે જગતને ઉપદ્રવ કરનારા વરી છે અને જેના પછી પણ નિગ્રહ કરવા પડે એમ છે એવા સુરવરીએ ને-અસુરાને તથા એ જગસ્ત્યને જ ઉડાવનારા અમારા જેવાઓને શા માટે સર્જે છે, વારુ? તેથી આ સિદ્ધ થાય છે કે તમે માનેલા જગત્કર્તા સર્વજ્ઞ નથી. சு સૃષ્ટિવાદ દુર્વાદ ત્યાજ્ય છે એમ ઉદ્ઘોષે છે- सृष्टिवादकुहेवाकमुन्मुच्येत्यप्रमाणकम् । સાસને મતે તે, યેમાં નાથ ! સીમિ વ્યા અપ્રમાણ જ આમ ગણી લઈ ને, દઈ ને; જગસૃષ્ટિ કુવાદ કુવાદ સૂકી તુજ શાસનમાં જન તેહ રમે, ભગવાન ! પ્રસન્ન જિહાં જ તમે. ૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. વીતરાગસ્તવ સવિવેચન અર્થ–અપ્રમાણ એવા સૃષ્ટિવાદરૂપ કુવાદને સર્વથા મૂકી દઈને હે નાથ ! તેઓ હારા શાસનમાં રમે છે, કે. જેના પર તું પ્રસાદ કરે છે. વિવેચન ધન ધન શાસન શ્રી જિનવરતણું.”—શ્રી યશોવિજ્યજી આમ કઈ પણ યુક્તિથી વિચારતાં આ સૃષ્ટિવાદજગકર્તવવાદ એક ક્ષણભર પણ ટકો નથી, માટે સર્વથા અપ્રમાણ એવા આ “કુવાદને”—દુર્વાદને સર્વથા મૂકી દઈને હે નાથ ! તેઓ હાર શાસનમાં રમે છે, કે જેના પર તે પ્રસાદ–અનુગ્રહ કરે છે. તાત્પર્ય કે–આમ જગકર્તુત્વવાદનું સર્વથા ઉત્થાપન થતાં આપોઆપ જ ગકર્તાનું ઉત્થાપન થયું, એટલે તે વીતરાગ દેવને કઈ જગકર્તારૂપ પ્રતિપક્ષ પણ રહેવા. પાપે નહિં. | ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં સકાવ્યાનુવાદ-વિવેચનમાં– જગતકર્તવવાદનિરાસરૂપ સપ્તમ પ્રકાશ છે Page #224 -------------------------------------------------------------------------- ________________ અમ પ્રકાશ: એકાંત ઉત્થાપન, અનેકાંત પ્રતિષ્ઠાપન સત્ એકાંતનિત્ય કે અનિત્યમાં એ દોષ–– सत्त्वस्यैकान्तनित्यत्वे, कृतनाशाकृतागमौ । સ્યાતામેન્તિનારો, તનરાજંતાનમૌ ॥ કાવ્યાનુવાદ : દારા સત્ત્વ નિત્ય એકાંત તે, અકૃતાગમ કૃતનાશ; જો એકાંત અનિત્ય તા, અકૃતાગમ કૃતનાશ. ૧ અર્થઃ–સત્ત્વના (વસ્તુ તત્ત્વના) એકાન્ત નિત્યપણામાં કૃતનાશ અને અકૃતાગમ (એ બે દેષ આવે છે); એકાન્ત અનિત્યપણામાં પણ કૃતનાશ અને અકૃતાગમ (એ બે ઢાષ આવે છે.) વિવેચન એક કહે નિત્યજ આતમ તત્ત્વ, આતમ સિણ લીના; કૃતવિનાંશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીા, ” શ્રી આનદ્રથન Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર વીતરાગસ્તવ સવિવેચન આગલા પ્રકાશમાં વીતરાગ દેવ એ જ એક ખરેખર દેવ છે, એ જ એક ખરેખર આપ્ત છે ને એ જ એક ખરેખરે શાસ્તા છે, –નથી અન્ય કોઈ એને પ્રતિપક્ષ, નથી અન્ય કઈ આપ્ત, નથી અન્ય કેઈ શાસ્તા,–આમ સુયુક્તિથી અન્ય સર્વનું ઉત્થાપન કરી પરમ આપ્ત પરમ શાસ્તા વીતરાગ મહાદેવની મહાપ્રતિષ્ઠા કરી. હવે આ પ્રકાશમાં “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી આ પરમ આપ્ત પરમ શાતા વીતરાગ દેવના અપ્રતિહત અનેકાંત શાસનની ઉદ્દઘોષણ કરે છે, એકાંતનિત્ય એકાંત અનિત્યમાં કંઈ પણ વસ્તુવ્યવસ્થા ઘટતી નથી, પણ નિત્યાનિત્યાત્મક અનેકાંતમાં જ સકલ વરતુવ્યવસ્થા અવિકસપણે ઘટે છે, એમ નિgષ યુક્તિથી અનેકાંત સિદ્ધાંતનું પ્રતિષ્ઠાપન કરતાં સમસ્ત એકાંતવાદનું ઉત્થાપન કરે છે, અને આમ અનેકાંત સિદ્ધાંત અન્ય સર્વ એકાંતવાદનું નિરસન કરવા સમર્થ છે, પણ બૌદ્ધ-સાંખ્ય–ગ આદિ કોઈ પણ એકાંતવાદ અનેકાંત સિદ્ધાંતનું નિરસન કરવા સમર્થ નથી એમ સવિસ્તર દર્શાવી, ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યયુક્ત તે સત્ એવા વીતરાગપ્રણત અનેકાંત તત્ત્વને જ બુધજને સ્વીકાર કરે છે એમ વચનકાર કરે છે. આટલી સામાન્ય ભૂમિકા કરી હવે આ લેકને ભાવ વિચારીએ. વસ્તુ જે એકાંત નિત્ય હોય તે તેમાં કૃતનાશ અને અકૃતાગમ એ બે દેષ આવે છે, વસ્તુ એકાંતે નિત્ય હોય તે પણ તેમાં કૃતનાશ અને અકૃતાગમ એ બે દોષ આવે છે. પિતે કરેલા કર્મને નાશ–ફલ નહિં ભેગવવાપણું Page #226 -------------------------------------------------------------------------- ________________ સત એકાંતનિત્ય કે એકાંતઅનિત્યમાં એ દોષ ૧૭૩. તે કૃતનાશ ષ પિતે નહિં કરેલા એવા કર્મનું આગમનપ્રાપ્તિ-ઉલગ તે અકૃતાગમ દેષ. અત્રે આ લેકમાં તેમજ નીચેના લેકમાં ગમિક સૂત્રત્રીથી કલિકાલસર્વજ્ઞ અજબ વચનકૌશલ્યથી એકાંતવાદનું ઉત્થાપન કર્યું છે, અને અર્થોપત્તિથી નિત્યાનિત્ય “સ” માનનારા અનેકાન્તવાદનું સુપ્રતિષ્ટાપન કર્યું છે. “શ્રી સર્વરે પ્રત્યેક વસ્તુને “અનેકાંત”—અનેક અંતવાળી–ગુણધર્મવાળી દીઠી છે, એટલે અનેકાંત એ જ વસ્તુનું સ્વરૂપ છે; અને તેનું સમગ્રપણે સર્વદેશીય ગ્રહણ કરે એવું અનેકાન્ત જ્ઞાન જ પ્રમાણ છે. તત-અતુ, સત-અસ્ત, એક–અનેક, ભેદ-અભેદ, નિત્ય–અનિત્ય એમ એક વસ્તુના પરસ્પર બે વિરુદ્ધ ધર્મનું સાપેક્ષપણે પ્રકાશન કરે તે અનેકાંત. આ અનેકાત તે પરમાગમને જીવ–પ્રાણ છે, અને જન્માંધ પુરુષે હાથીના સ્વરૂપ વિષેને ઝઘડે કરે છે, તેની જેવા તત્વસ્વરૂપ વિષેના સર્વ દર્શનના ઝઘડાને મિટાવનારે એ સર્વગ્રાહી પરમ ઉદાર છે. તવના જીવનરૂપ આ અનેકાન્તના આવા પરમ અદ્ભુત ચમત્કારિક સર્વ સમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને પરમ તરવાએ ઉદારશેષા ઉલ્લેષણ કરી છે કે–અનેકાન્ત શિવાય તત્વવ્યવસ્થા નથી, તે અત્યંત સત્ય છે. આ અંગે શ્રી અમૃતચંદ્રાચાર્યજીનું સુભાષિત છે કે –Xરવૈયાના * “રૂમાં સમર્થ તપાસrાિળામા પોષામુ પોષણ સુવે છે. न वीतरागात्परमस्ति देवतं, न चाप्यनेकान्तमृते नयस्थितिः ।।" -લિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત અન્યગ વ્ય, દ્વા.. Page #227 -------------------------------------------------------------------------- ________________ - "૧૭૪ વીતરાગસ્તવ સવિવેચન નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજા અંતથી (છેડેથી) ઢીલું છેડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી (ધર્મથી) વસ્તુનું તત્વ આકર્ષતી અને બીજે શિથિલ (ગૌણ) કરતી એવી અનેકાન્ત નીતિ * તવનવનીત લેવી જયવંત વર્તે છે. “આ અનેકાન્ત, તત્વને અવિસંવાદી અસંદિગ્ધ વિનિશ્ચય દઢ કરાવનારી પરમ સુંદર યુતિ છે. દાખલા તરીકે તે આત્મા પર ઉતારીએ તે તે સ્વરૂપથી તત છે, પણ પરરૂપથી અતત્ છે; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી તે સન્હાવારૂપ અતિરૂપ છે, પણ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ– * ભાવથી અસ–નહિં હેવારૂપ નાસ્તિરૂપ છે; ધમી એવા દ્રવ્યની અપેક્ષાએ તે એક અખંડ પિંડરૂપ અભેદ છે, પણ ધમ—ગુણપર્યાયની અપેક્ષાએ અનેક ખંડખંડ ભેદરૂપ છે; ધવ એવા દ્રવ્યની દષ્ટિએ તે નિત્ય છે, પણ પર્યાયની દષ્ટિએ અનિત્ય છે. આમ પદ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી આત્મા ભિન્ન છે, એવું તત્વનિશ્ચયરૂપ ભેદજ્ઞાન આથી વજલેપ દઢ થાય છે, અને આમ અસ્તિનાસ્તિરૂપ એવી પ્રત્યેક ક અનેકાન્ત સિદ્ધાંતના અનન્ય પુરસ્કર્તા અને અનન્ય વ્યાખ્યાતા તરિકે સુપ્રસિદ્ધ અમૃતચન્દ્રાચાર્યજીના આ બે પ્રસિદ્ધ સુભાષિત છે— " परमागमस्य जीवं निषिद्धजात्यन्धसिन्धुरविधानम् । सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम् ॥ एकेनाकर्षन्ती लययंती वस्तुतत्त्वमितरेण । अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी ॥" I – શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પુરુષાર્થસિદ્ધયુપાય Page #228 -------------------------------------------------------------------------- ________________ એકાંતનિત્ય કે એકાંતઅનિત્યમાં સુખદુ:ખ ન ઘટે ૧૭૫ વસ્તુ એકાનેક, નિત્યાનિત્યને ભેદાદરૂપ સુપ્રતીત થાય છે.” -પ્રજ્ઞાવબોધક્ષમાળા (ડો. ભગવાનદાસકૃત) પાઠ ૨૩. એકાંતનિત્ય કે અનિત્યમાં સુખદુઃખ ન ઘટે– आत्मन्येकान्तनित्ये स्यान्न भोगः सुखदुःखयोः। एकान्तानित्यरूपेऽपि, न भोगः सुखदुःखयोः॥२॥ આત્મા નિત્ય એકાંત તે, ના સુખદુઃખને ભેગ; ; જે એકાંત અનિત્ય તે, ના સુખદુઃખને ભેગ. ૨ અર્થા–એકાન્તનિત્ય આત્મામાં સુખદુઃખને ભેગ ન હેય; એકાન્તઅનિત્યરૂપ આત્મામાં પણ સુખદુઃખને ભંગ ન હોય. વિવેચન “દુ:ખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જે પરિખે, '' – શ્રી આનંદઘનજી, વસ્તુ એકાન્ત નિત્ય માનીએ તે તેમાં સુખદુઃખને ભિગ નહિં ઘટે, વસ્તુ એકાન્ત અનિત્ય માનીએ તે તેમાં પણું સુખદુઃખને ભગ નહિં ઘટે. આ અંગે અન્યગવ્યવચ્છેદ કાત્રિશિકામાં હેમચંદ્રાચાર્યજી દે છે કે – “नेकान्तवादे सुखदुःखभोगो न पुण्यपापे न च बंधमोक्षो । दुर्नीतिवादव्यसनासिनैब, परैविलुप्तं जगदप्यशेषम् ॥" –અન્યાગવ્યવચ્છેદ ત્રિશિકા , ૨૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ ર * વીતરાગસ્તવ સવિવેચન આ àાકના વિવરણમાં ટીકાકાર મલ્ટિપેણાચાર્યજીએ આ અંગે વિશેષ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે“ (૧) એકાંતે નિત્ય આત્મામાં સુખદુઃખના ભેગ ઉપર્યુક્ત નથી, કારણુ કે ‘પ્રધ્યુતાનુત્પન્નસ્થિમૈપત્યું સર્ અપ્રદ્યુત, અનુત્પન્ન, સ્થિર એકરૂપપણું એ નિત્યનું લક્ષણુ છે (એકાંત નિત્યવાદીના મતે ); તેથી જ્યારે આત્મા સુખ અનુભવીને સ્વકારણવશે દુઃખ અનુભવે છે ત્યારે સ્વભાવભેદને લઈ અનિત્યત્વની આપત્તિ થતાં સ્થિર એકરૂપતાના હાનિપ્રસ`ગ સાંપડે છે. એમ દુઃખ અનુભવી સુખ ભાગવતાં પણ જાણવું (૨) એકાંતે અનિત્ય આત્મામાં પણ સુખદુ:ખના ભાગ ઉપયુક્ત નથી. કારણ કે અનિત્ય એટલે અત્યંત ઉચ્છેદધન વત; અને તેવા આત્મા હૈાતાં પુણ્યાપાદાનક્રિયા કરનારના નિરન્વય-નિઃસંતાન વિનષ્ટપણાને લઈ તેના ભૂત સુખ અનુભવ કાને થાય વારું ? એ જ પ્રકારે પાપાપાદાનક્રિયા કરનારના નિન્વય નાશ થયે દુ:ખસવેદન કેને થાય? અને આમ એક ક્રિયા કરે અને બીજો તેના લના ભક્તા થાય! એ તે અયુક્ત થયું, ” ,, આ પરથી ઉપરોક્ત કૃતનાશ અને અકૃતાગમ દોષ શી રીતે આવે છે તેને ખુલાસા મળી જાય છે. 品 ૧૭૬ એકાંતનિત્ય કે અનિત્યમાં પુણ્યપાપ-ખ ધમેાક્ષ ન ઘટે— पुण्यपापे बन्धमोक्ष, न नित्यैकान्तदर्शने । पुण्यपापे बन्धमोक्षौ, नानित्यैकान्तदर्शने ॥ ३ ॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ એકાંતનિત્ય કે અનિત્યમાં પુણ્ય પાપ-બંધમાક્ષ ન ઘટે ૧૭૭ ન નિત્ય એકાંતિક મતે, બંધ મક્ષ પુણ્ય પાપ; ન અનિત્ય એકાંતિક મતે, બંધ મક્ષ પુણ્ય પાપ. ૩ અર્થ_એકાન્તનિત્ય દર્શનમાં પુણ્ય પાપ અને બધેમોક્ષ ન ઘટે; એકાન્તઅનિત્ય દર્શનમાં પણ પુણ્યપાપ અને બંધક્ષ ન ઘટે. વિવેચન સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે; બંધ મેક્ષ સુખદુ:ખ ન ઘટે, એહ વિચાર મન આણે.” –શ્રી આનંદઘનજી નિત્યએકાંત દર્શનમાં નથી પુણ્યપાપ ઘટતા, નથી બંધમાક્ષ ઘટતા; અનિત્યએકાંત દર્શનમાં પણ નથી પુણ્ય પાપ ઘટતા, નથી બંધમોક્ષ ઘટતા. આ અંગે વિશદ મીમાંસા કરતાં સ્યાદવાદમંજરીમાં કહ્યું છે તેમ-(૧) એકાંતનિત્યમાં–(બ) પુણ્યપાપ ઘટે નહિ. કારણ કે સુખદુઃખભેગ પુણ્ય પાપથી સંપજે છે અને તેનું સંપાદન અર્થ ક્રિયા છે, પણ તે અર્થ ક્રિયા કૂટ–નિત્યમાં ક્રમથી વા અકમથી ઘટતી નથી. (૨) બંધમાક્ષ ઘટે નહિં. બંધ એટલે કર્મ પુદ્ગલે સાથે પ્રતિપ્રદેશે આત્માને અગ્નિ અને લેહપિંડ જેમ અન્ય સંલેષ; અને મોક્ષ એટલે સર્વ કર્મને ક્ષય ( નિવાર્પક્ષો મોક્ષા–તત્વાર્થસૂત્ર ); તે. બને એકાંતનિત્યમાં ઘટે નહિં. કારણ “પછાતાનાં બાદિતા” –અપ્રાપ્તની પ્રાપ્તિ એ બંધનું લક્ષણ છે. હવે પૂર્વકાલની ૧૨ Jan Education International Page #231 -------------------------------------------------------------------------- ________________ તેથી જગત ના અનુપપપપનવિષે ૧૭૮ વીતરાગસ્તવ સવિવેચન અપ્રાપ્તિ-અમિલન એ અન્ય અવસ્થા છે, અને ઉત્તર કાલની પ્રાપ્તિ એ અન્ય અવસ્થા છે. આમ અવસ્થાભેદરૂપ દેષથી નિત્યત્વને બાધ આવે છે. અને આમ બંધવિકલતાથી આત્મા ગગનવત્ નિત્યમુક્ત જ થાય, અને તેથી જગતમાં બંધમેક્ષવ્યવસ્થા પણ છિન્નભિન્ન થઈ જાય. વળી બંધની અનુપત્તિ-અઘટમાનતા થતાં મેક્ષની પણ અનુપપત્તિ થાય, કારણ કે બંધનવિચ્છેદના પર્યાયરૂપે જ “મુક્તિ” શબ્દ છે. તેમજ (૨) એકાંતઅનિત્યમાં પણ (અ) પુણ્યપાપ ઘટે નહિં, કારણ કે પુણ્યપાપની અક્રિયા સુખદુઃખને ભેગ છે અને તેનું અયુક્તપણે તે ઉપર કહ્યું, એટલે અર્થ કિયાકારીપણાના અભાવને લઈ પુણ્ય પાપ પણ ઘટતા નથી. (૨) બંધમાક્ષ પણ ઘટે નહિં. અનિત્ય એટલે ક્ષણમાત્રસ્થાયી. ક્ષણિકમાં બંધમાક્ષને પણ અસંભવ છે, કારણ કે લેકમાં પણ બંધાયેલો જ મૂકાય છે અને નિરન્વય-સંતાનરહિત નાશ માનવામાં આવ્યું, એક અધિકરણને અભાવ થાય છે, માટે બંધમાક્ષની સંભાવના માત્ર પણ અત્રે કયાંથી થાય? (જુઓ સ્વાદુવાદ મંજરી &લે. ૨૭) Us એકાંતનિત્ય કે અનિત્યમાં અર્થક્રિયા ન ઘટે– क्रमाक्रमाभ्यां नित्यानां, युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि, युज्यतेऽर्थक्रिया न हि ॥४॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ એકાંતનિત્ય કે અનિત્યમાં અર્થક્રિયા ન ઘટે ૧૭૯ કમ-અકમથી નિત્યની, અથાિ નહિ યુક્ત; ત્યમ એકાંતે ક્ષણિકમાં, અર્થકિયા નહિ યુક્ત. ૪ અર્થ-કમથી-અક્રમથી નિત્ય વસ્તુઓને અર્થક્રિયા યુક્ત નથી; તેમજ એકાન્ત ક્ષણિકપણામાં પણ અર્થક્રિયા યુક્ત નથી. વિવેચન “ક્રિયાતણું ફલ કહો કણ ભેગવે? ઇમ પૂછયું ચિત્ત રીસે –શ્રી આનંદઘનજી એકાંતનિત્ય વસ્તુઓને કમથી–એક પછી એક એમ અનુક્રમે કે અકેમે–એકીસાથે અર્થકિયા ઘટતી નથી, તેમજ એકાંત ક્ષણિકપણામાં પણ અર્થ કિયા ઘટતી નથી. અર્થ ક્રિયાકારીપણું એ વસ્તુનું લક્ષણ છે, અને તે એકાંત નિત્ય અથવા એકાંતઅનિત્ય પક્ષમાં કઈ પણ પ્રકારે ઘટતું નથી. વિસ્તાર માટે જુઓ સ્યાદવાદ મંજરી લે. એનું વિવરણ. આ અંગે ચેડા પણ પરમ અર્થગંભીર શબ્દમાં સમસ્ત એકાંતવાદનું ઉત્થાપન કરતા અને અનેકાંતની મહાપ્રતિષ્ઠા કરતા શ્રીમદ્ રાજચંદ્રજીના ટેકેલ્કીર્ણ વચનામૃત છે કે “એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે વાદીએ મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિએ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ' શબ્દને ઉપગ કરે છે. તેમ તમે પણ જ' એટલે નિશ્ચયતા, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વીતરાગસ્તવ સવિવેચન શિખાઉ જ્ઞાન વડે કહેા છે. મહારા મહાવીર એમ કાઈ કાળે કહે નહી'; એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬. આમ એકાંતનિત્યમાં કે એકાંતઅનિત્યમાં કૃતનાશ— અકૃતાગમ દૂષણ આવે છે, સુખદુ:ખને ભાગ ઘટો નથી, પુણ્યપાપ ને ધમેાક્ષ વ્યવસ્થા પણ ઘટતી નથી, અને કોઈ પણ અથČક્રિયા સંભવતી નથી, માટે એકાંતનિત્યવાદ કે એકાંતઅનિત્યવાદ અને અપ્રમાણ કરે છે, નિત્યાનિત્ય અર્થાત્ પરિણામીનિત્ય માનનાર અનેકાન્તવાદ જ સથા પ્રમાણ ઠરે છે અને તેમાં જ આ સમસ્ત વ્યવસ્થા સાંગેાપાંગ અવિકલપણે ઘટે છે. આમ અનેકાંત દષ્ટિએ આત્મા નિત્યાનિત્ય અર્થાત્ પરિણામીનિત્ય છે; અને તેવા પરિણામીનિત્ય આત્મામાં જ ખધમાક્ષ આદિ વ્યવસ્થા ઘટે છે. પણ જો સથા અપરિણામી–એકાંત કૂટસ્થનિત્ય જ આત્મા માનવામાં આવે તા, તેમાં 'ધમેાક્ષાદિ વ્યવસ્થા નહિ' ઘટે; કારણ કે તેમાં અવસ્થાંતરના અભાવે કાં તા ભવ ને કાં તે મેાક્ષ એ એમાંથી એક જ અવસ્થા રહેશે; અને ચેાગમાગ પણ નિષ્ફળ થઈ પડી, કૃતનાશ-અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. તેમજ એકાંતઅનિત્ય જ આત્મા માનવામાં આવે, તે તેમાં પણ ધમાક્ષ, સુખદુઃખ આદિ વ્યવસ્થા નહિં ઘટે. કારણ કે અખંડ એક વસ્તુ વિના પરિણમન કનું થશે ? અને તથારૂપ પિરણમન વિના આત્મગુણવિકાસરૂપ Page #234 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતની પ્રમાણતા ૧૮૧ આ ગમાર્ગ પણ કોને પ્રાપ્ત થશે? આમ નિત્ય કે અનિત્ય કેઈપણ એકાન્તવાદમાં બંધમાક્ષાદિ વ્યવસ્થા ઘટતી નથી, વસ્તુસ્વભાવ ઘટતું નથી અને લેકવ્યવહાર પણ ઘટતે નથી; કેવલ અનેકાન્ત સિદ્ધાન્તમાં જ સર્વ વ્યવહાર ઘટે છે, સમસ્ત વસ્તુસ્વભાવ ઘટે છે, અને અવિકલ એવી સકલ બંધમેક્ષ વ્યવસ્થા ઘટે છે. માટે અનેકાન્તની જ સર્વત્ર પ્રમાણતા છે. કારણ કે જ્ઞાનથી જ મેક્ષ છે, ક્રિયાથી જ કલ્યાણ છે, નિશ્ચય જ સાચે છે, વ્યવહાર જ કામને છે, એમ બીજી અપેક્ષાઓને અ૫લાપ કરી, આ આમ “જ” છે, એવા “જકારરૂપ દુનયને અનેકાન્ત દૂર કરે છે, અને તેના પ્રત્યે પિતાની જેમ સર્વ નયે પ્રત્યે સમદષ્ટિ ધરી, કોઈ પણ અપેક્ષાને અપલાપ નહિં કરતાં, આ આ અપેક્ષાએ આ આમ આમ છે, એમ મધ્યસ્થપણે વસ્તુતત્વનું સુનયરૂપ સમ્યક્ પ્રતિપાદન કરે છે અને એ જ અનેકાન્તવાદને સપ્રમાણ બનાવે છે."* –પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૨૩, (સ્વરચિત) વીતરાગપ્રણીત નિત્યાનિત્ય વસ્તુમાં દેષઅભાવ– यदा तु नित्यानित्यत्वरूपता वस्तुनो भवेत् । यथात्थ भगवन्नैव, तदा दोषोऽस्ति कश्चन ॥५॥ ૪ મત્કૃત પ્રજ્ઞાબોધ મોક્ષમાળામાંથી આ વસ્તુ પ્રકૃતોપયોગી હોવાથી અત્ર અવતારી છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વીતરાગસ્તવ સવિવેચન નિત્ય અનિત્ય સ્વરૂપતા, જ્યારે વસ્તુની હોય, જેમ ભાખી ભગવાન ! તું, ત્યારે દેશ ન કેય. ૫ અર્થ-પણ જ્યારે હે ભગવન ! જેમ તેં કહ્યું છે તેમ વસ્તુની નિત્યાનિત્યસ્વરૂપતા હય, ત્યારે કોઈ દોષ છે જ નહિ. વિવેચન આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. –શ્રીમદ્ રાજચંદ્રજી આમ એકાંતનિત્યમાં કે એકાંતઅનિત્યમાં ઉક્ત પ્રકારે કૃતનાશ-અકૃતાગમ દેષ આવે છે, સુખદુઃખને ભેગ ઘટતું નથી, પુણ્યપાપ કે બંધમેક્ષ ઘટતા નથી, અર્થ કિયા ઘટતી નથી,-આમ અનેક દેષ આવે છે. પણ હે વીતરાગ ભગવાન ! તે જેમ ભાખી છે તેમ અનેકાંતપણે જ્યારે વસ્તુની નિત્યાનિત્યરૂપતા માનવામાં આવે ત્યારે કઈ પણ દેષ છે નહિં. સકલ તત્વવ્યવસ્થા સાગપાંગ અવિકલપણે સુઘટમાન થાય છે. ' અર્થા –જેમ શ્રી વીતરાગદેવે પ્રકાશ્ય છે તેમ અનેકાંત સિદ્ધાંત પ્રમાણે જે વસ્તુનું નિત્ય-અનિત્ય સ્વરૂપ સ્વીકારીએ તો કેઈ પણ દેષ સંભવ નથી. કારણ કે તત્વાર્થસૂત્રમાં કહ્યું છે તેમ નિત્યની વ્યાખ્યા આ છે— તાવીજો નિત્યે', એટલે ઉત્પાદ-વિનાશને સદ્દભાવ Page #236 -------------------------------------------------------------------------- ________________ વીતરાગપ્રણીત નિત્યાનિત્ય વસ્તુમાં દોષઅભાવ ૧૮૩ છતાં અન્વયીરૂપ તે વસ્તુના ભાવથી જે હીન-રહિત ન થાય તે નિત્ય આગલા પર્યાયને નાશ થાય અને નવા પર્યાયને ઉદ્દભવ થાય છતાં મૂળ વસ્તુ-દ્રવ્ય તે સર્વત્ર કાયમ જ રહે. દાખલા તરીકે–મનુષ્યમાંથી દેવપણે ઉપજે ત્યારે મનુષ્યપર્યાયને નાશ થયે અને દેવપર્યાયને ઉત્પાદ થયે, પરંતુ આત્મારૂપ મૂળ દ્રવ્ય તે સર્વત્ર અનુગામી રહ્યું. આમ વસ્તુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે. આ જ પરમ ગંભીર તત્ત્વવસ્તુ પરમતત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ સાદી સરલ ભાષામાં આત્મસિદ્ધિમાં સચોટપણે પ્રકાશી છે. (જુઓ મથાળે ટાંકેલી ગાથા.) i અનેકાંત સિદ્ધાંતનું દષ્ટાંતથી સમર્થન– गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । दयात्मनि न दोषोऽस्ति, गुडनागरभेषजे ॥६॥ ગેળ ખરે ! કહેતુ છે, ને સુંઠ પિત્તનિમિત્ત; તેહ ઉભયમય ઔષધે, છે નહિ દોષ કવચિત. ૬ અર્થ-ગોળ કફનું કારણ હોય ને સુંઠ પિત્તનું કારણ હોય; પણ તે બન્ને રૂપ ગોળ–સૂંઠના ઔષધમાં દોષ છે નહિં. www. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન વસ્યાદ્વાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહીજે.” –શ્રી દેવચંદ્રજી આ અનેકાંત સિદ્ધાંતના સમર્થનમાં સાદું લેકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપે છે–ગોળ કફ કરે છે અને સુંઠ પિત્ત ઉપજાવે છે, પણ તે બનેના સંમિશ્રણરૂપ ઔષધમાં એ કઈ દેષ સંભવ નથી. તે જ પ્રકારે નિત્યાનિત્ય ધમવાળી વસ્તુમાં કઈ દેષ ઉદ્ભવતું નથી. કારણ કે તે નિત્યઅનિત્ય ધર્મ ભિન્ન ભિન્ન નયવિવક્ષાએ સપ્રમાણપૂર્વક ગ્રહવામાં આવ્યા છે, અર્થાત્ નિત્ય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કહેવામાં આવેલ છે, અનિત્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કહેવામાં આવેલ છે,-એમ સ્પષ્ટ નયભેદથી કહેલ છે, માટે એક સ્થળે નિત્ય-અનિત્ય તે વિધી ધમ– વિરુદ્ધ ધર્મ નથી. ET અનેકાંતનું “મેચક” દષ્ટાંતથી સમર્થન– द्वयं विरुद्धं नैकत्राऽसत्प्रमाणप्रसिद्धितः । विरुद्धवर्णयोगो हि, दृष्टो मेचकवस्तुषु ॥७॥ સત પ્રમાણથી ઉભય તે, એક સ્થળે ન વિરુદ્ધ, મેચકાદિ વસ્તુ વિષે, દષ્ટ જ વર્ણ વિરુદ્ધ છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત સિદ્ધાંતનું દૃષ્ટાંતથી સમન ૧૮૫ અર્થ :-અસત્પ્રમાણપ્રસિદ્ધિને લીધે તે ય ( એક અનેક, નિત્ય–અનિત્યાદિ) એક વસ્તુ વિષે વિરુદ્ધુ નથી; કારણ કે મેચક (રંગબેરંગી ) વસ્તુઓમાં વિરુદ્ધ ત્રણ ચોગ દૃષ્ટ જ છે. વિવેચન “ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતર્ગ મહિર ; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સગે રે... ષડ્ દરિસણ જિન અંગ ભણીજે, ” —શ્રી આનઘનજી અત્રે એ જ અનેકાંત સિદ્ધાંતના સમર્થનમાં બીજી દૃષ્ટાંત આપે છે: કેાઈ એમ કહે કે એકીસાથે નિત્યઅનિત્ય એ વિરુદ્ધ કેમ રહે? કારણ કે એવા કાઈ પ્રમાણુની પ્રસિદ્ધિ નથી,-‘ લસત્રમાળસિદ્ધિતઃ'; તેના અત્ર એ જ શબ્દોમાં શબ્દ અર્થ ચમત્કૃતિથી જવાખ આપ્યા છે કે— નિત્ય-અનિત્ય આ એ વિરુદ્ધ એકત્ર-એક સ્થળે અસત્ નથી, નૈત્ર અતૂ નહિ હાવારૂપ નથી, એટલે કે હાવારૂપ છે, શાથી ? પ્રમાણપ્રસિદ્ધિતઃ-પ્રમાણપ્રસિદ્ધિને લીધે, કારણ કે‘મેચક ’–ર’ગબેરંગી વસ્તુઓમાં વિરુદ્ધ વીના ચાગ દૃષ્ટ જ છે; મેચક એટલે પંચવર્ણાત્મક રત્નમાં વિરુદ્ધપરસ્પર વિધી વીના સયાગ દેખાય જ છે. ‘પદ્મ— વર્ણાત્મરત્ન મેમ્ ’—( સપ્તભંગીતરંગિણી. ) અત્રે ત્રીજી દૃષ્ટાંત નરસિંહનું પણ અપાય છે— “ માળે સિંહો નો માને, ચોથા માળચાત્મઃ । तमभागं विभागेन नरसिंहं प्रचक्षते ।। " 卐 Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વીતરાગસ્તવ સવિવેચન -બૌદ્ધ અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિં– विज्ञानस्यैकमाकारं, नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥८॥ અનુષ્ટ્રએક વિજ્ઞાન આકાર, નાના આકાર જે ગણે; એ તથાગત પ્રાજ્ઞ, ન અનેકાંતને હણે. ૮ અર્થ –નાના પ્રકારના આકારેથી કરંબિત–સંમિશ્રિત એ વિજ્ઞાનને એક આકાર ઈચ્છતે તથાગત (બૌદ્ધ) પ્રાજ્ઞ, અનેકાંતને પ્રતિક્ષેપે નહિં (ખંડે નહિં). વિવેચન ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દાય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારીરે.' –શ્રી આનંદઘનજી ઉપરમાં સાત કલેકમાં નિખુષ યુક્તિથી એકાંતવાદનું ખંડન ને અનેકાંતવાદનું મંડન કર્યું, પણ અનેકાંત સિદ્ધાંતનું ખંડન તે કઈ પણ અન્યદર્શનીથી થઈ શકે એમ નથી એ અત્ર અને પછીના લેકમાં પ્રતિપાદન કરે છે, કારણ કે અન્યદર્શનીઓને પણ એક વા બીજી રીતે અનેકાંતવાદને સ્વીકાર કરે જ પડયો છે. આ અંગે કહ્યું છે કે " वस्तुतस्तु अनेकांतप्रक्रियायां सर्वेषां प्रवादिनामपि प्रतिपत्तिरेव, एकानेकात्मकस्य वस्तुनः सर्वसम्मतत्वात् ।" વિમલદાસપણત સપ્તભંગીતરંગિણું. Page #240 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિં ૧૮૭ અર્થાત્ વસ્તુતઃ તે અનેકાંતપ્રક્રિયામાં સર્વેય પ્રવાદીઓની પણ પ્રતિષત્તિ જ છે, માન્યતા-સ્વીકૃતિ જ છે,કારણ કે એકાનેકાત્મક વસ્તુનું સર્વસંમતપણું છે માટે. એટલે જ આ લેકમાં પ્રાણ તથાગત–બૌદ્ધ દર્શની અનેકાંતને પ્રતિક્ષેપ કરે નહિં એમ કહ્યું છે. અર્થાત્ એક વિજ્ઞાન આકારને નાના પ્રકારના આકારથી સંમિશ્રિત એ. જે માન્ય કરે છે તે તથાગતાનુયાયી પ્રાશ બૌદ્ધ અનેકાંતને હિણે નહિં-ખંડિત કરી શકે નહિં, ને કરવા જાય તે પિતાના જ મતનું ખંડન કરે, કારણ કે ગમે તેટલી જટિલ યુક્તિઓની જાળ બીછાવવા છતાં બૌદ્ધને છેવટે એકાનેક સ્વરૂપ વસ્તુને સ્વીકાર કરે જ પડ્યો છે, X લલિતવિસ્તરામાં કહ્યું છે તેમ “મને શાવરમાવર્તના” –અનેકકાર્યકરણરૂપ એકસ્વભાવપણાની કલ્પના કરવી જ પડી છે અને આ તે શબ્દાન્તરથી એકાનેક વસ્તુ સ્વભાવના અભ્યપગમમાં અનુપાતિની જ છે –“રાદાત્તૌતષ્ણુપુરામનું રિન્ય', અર્થાત્ બીજા શબ્દોમાં એકાએકરૂપ અનેકાંત સિદ્ધાંતને સ્વીકાર જ છે, એટલે આમ જે અનેક આકારવાળું એક વિજ્ઞાન માને છે તે બૌદ્ધ એકાનેકરૂપ વસ્તુ માનનારા અનેકાંત સિદ્ધાંતને પ્રતિક્ષેપ–સામને કેમ કરી શકે? * આ અંગે સવિસ્તર વિવરણ મસ્કૃત લલિતવિસ્તરા સવિવેચન ગ્રંથનાં “અનેકાન્તપ્રતિષ્ઠા પ્રકરણમાં (પૃ. ૪૦૮) કર્યું છે, તે જિજ્ઞાસુએ અવલેકવું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વીતરાગસ્તવ સવિવેચન નિયાયિક-વૈશેષિક અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિ– चित्रमेकमनेक च, रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वापि, नानेकान्तं प्रतिक्षिपेत् ॥९॥ ચિત્ર અનેક ને એક, રૂપ પ્રમાણે જે ભણે; તે વૈશેષિક નિયાથી, ન અનેકાંતને હણે. ૯ અર્થ–એક અને અનેક એવા ચિત્ર રૂપને પ્રામાણિક વદતો યોગ વા વૈશેષિક અનેકાંતને પ્રતિક્ષેપે નહિં. વિવેચન “જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય ગ રોય ભેદરે આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુ:ખ અંગ અખેરે. –શ્રી આનંદઘનજી એક અને અનેક એમ ચિત્ર–નાના પ્રકારના રૂપને પ્રામાણિક–પ્રમાણુરૂપ જે કહે છે, એટલે કે વસ્તુના એકાનેકરૂ૫૫ણને જે પ્રમાણુ ગણે છે તે ગ–નિયાયિક કે વૈશેષિક દર્શનવાળે પણ અનેકાંતને પ્રતિક્ષેપ કરી શકે નહિં. અર્થાત્ સામાન્ય-વિશેષ-દ્રવ્ય-ગુણ આદિ માનનારા વૈશેષિક દર્શનમાં અને પ્રમાણ-પ્રમેય આદિ માનનારા નૈયાયિક દર્શનમાં પણ “ચિત્રરૂપ”-નાનાકારધારિણ વસ્તુને સ્વીકાર છે જ, એટલે તે પણ એકાનેકરૂપ વસ્તુ માન્ય કરતે હેઈ એકાનેકરૂપ વસ્તુ માનનારા અનેકાંતને પ્રતિક્ષેપ–સામને કરી શકે નહિ. Page #242 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિક-સાંખ્યાદિ અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિ ૧૮સાંખ્ય અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિં– इच्छन्प्रधान सत्त्वाद्यैर्विरुद्धं गुम्फितं गुणैः । साङ्ख्यः सङ्ख्यावतां मुख्यो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१०॥ સત્વ આદિક વિરુદ્ધ, ગુણે યુક્ત પ્રધાનને; ઈચ્છતે સાંખ્ય વિદ્વાન, ના અનેકાંતને હણે. ૧૦ અર્થ–સવ આદિ ગુણેથી ગુંફિત એવું વિરુદ્ધ પ્રધાન ઇચ્છતે સંખ્યાબંતામાં મુખ્ય સાંખ્ય અનેકાન્તને પ્રતિક્ષેપે નહિં. વિવેચન રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનુ કાલ; ઈનમેં સબ મત રહત હે, કરતે નિજ સંભાલ, –શ્રીમદ્ રાજચંદ્રજી સવ–રજસૂર્તમસૂ એ વિરુદ્ધ-પરસ્પર વિરોધી ગુણોથી “ગુંફિત”—ગૂંથાયેલું એવું પ્રધાન તત્વ જે ઈચછે છે–સ્વીકારે છે–માન્ય કરે છે, એ “સંખ્યાવંતમાં – વિદ્વાનેમાં મુખ્ય એ સાંખ્ય અનેકાંતને પ્રતિક્ષેપ કરે નહિં, અનેકાંતને ખંડી શકે નહિં. અર્થાત્ સાંખ્યપ્રક્રિયા પ્રમાણે “પ્રધાન”—પ્રકૃતિ છે તે ત્રયાત્મક છે–સત્વરજસૂતમસ એ પરસ્પર વિરુદ્ધ ગુણેથી ગૂંથાયેલી છે, એટલે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ * વીતરાગસ્તવ સવિવેચન સાંખ્ય પણ કોઈ પ્રકારે એકાનેકરૂપ વસ્તુને સ્વીકાર કરે જ છે, તેથી એ પણ અનેકાંતને પ્રતિક્ષેપ-સામને કરી શકે નહિં. આમ સર્વ એકાંતવાદી દશને અનેકાંતવાદી વીતરાગ દર્શનને પ્રતિક્ષેપ કરી શકે એમ છે નહિ, અને અનેકાંતવાદી વીતરાગ દર્શન તે કઈ પણ દર્શનને પ્રતિક્ષેપ કરતું જ નથી, પરંતુ “સ્યાત્ ” પદના ન્યાસથી એકાંતવાદનું દૂષણ દૂર કરી પ્રત્યેક દષ્ટિબિન્દુને સાપેક્ષપણે સ્વીકાર કરતું હેઈ સર્વદર્શનને પિતાના અંગમાં સમાવી લે એવું પરમ ઉદાર–પરમ વિશાલ છે; આ સ્વાદુવાદી જિનદર્શનનું –વીતરાગદર્શનનું સર્વદર્શનવ્યાપકપણે તેના સ્વાદુવાદદશીપણને લઈને છે. એટલે યથાયોગ્ય નવિભાગ પ્રમાણે તે તે દર્શન તિપિતાના નયની અપેક્ષાએ “કથંચિત”— કેઈ અપેક્ષાએ સાચા છે એમ “મ્યા' પદને ન્યાસ કરીને તે સમાધાન–સમન્વય (Reconciliation) કરે છે. આમ જિનદર્શન સર્વદર્શનમાં વ્યાપક (Al-pervaiding) થાય છે ને સર્વ દર્શને જિનદર્શનના અંગભૂત બને છે, પણ અન્ય દર્શને એકાંતવાદના આગ્રહરૂપ દૂષણથી દૂષિત હોવાથી એકદેશીય હાઈ સર્વદેશીય જિનદર્શનમાં વ્યાપક થઈ શકતા નથી. સાગરમાં સર્વ સરિતાઓ સમાય છે, પણ સરિતામાં સાગર સમા નથી, તેમ જિનદર્શન–સાગરમાં સર્વદર્શન-સરિતાએ સમાય છે, પણ સર્વદર્શન-સરિતામાં જિનદર્શન-સાગર સમાતું નથી. આમ સર્વ દર્શને Page #244 -------------------------------------------------------------------------- ________________ ચાવકની વિમતિ-સંમતિ જોઈતી નથી ૧૯૧ પિતાના વિશાલ પટમાં સમાવવાને જિનદર્શન સમર્થ છે, કારણ કે સર્વથા સર્વત્ર નિરાગ્રહી એવી સર્વસમન્વયકારી પરમ ઉદાર અનેકાન્ત દષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમેત્તમ છે કે તેમાં સર્વમતદર્શન હળીમળીને પિતપોતાની સંભાળ કરતા રહે છે. " उद्धाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि सर्व दृष्टयः । न च तासु भवानुदीक्ष्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥" શ્રી સિદ્ધસેનદિવાકરજી કૃત દ્વાત્રિશતદ્વા. ૪ “જિનવરમાં સઘળાં દરિસણ છે, દશન જિનવર ભજન રે, સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજન રે. ષદરિસણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, પર્ દરિસણ આરાધે રે. –શ્રી આનંદઘનજી ચાર્વાકની વિમતિ કે સંમતિ માગતા નથી विमतिः सम्मतिर्वापि, चार्वाकस्य न मृग्यते । परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुषी ॥११॥ નથી ચાવકની જેતી, વિમતિ તેમ સંમતિ; આત્મા-પરભવે મોક્ષે, જેની મુંઝાય છે મતિ. ૧૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વીતરાગસ્તવ સવિવેચન અર્થ–પરલેક આત્મા અને મોક્ષ વિષયમાં જેની મતિ મુંઝાઈ ગઈ છે એવા ચાર્વાકની વિમતિ વિરુદ્ધ મતિ) વા સંમતિ માગવામાં આવતી નથી. વિવેચન “લોકાયતિક સુખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે; તત્વવિચાર સુધારસધારા, ગુરૂગમ વિણ કિમ પીજે રે? ષડ દરિશણ.–શ્રી આનંદઘનજી અને ચાર્વાકની તે અમારે “વિમતિ”—વિરુદ્ધ મતિ પણ નથી જોઈતી કે સંમતિ-અનુમતિ પણ નથી જોઈતી ! કારણ કે આત્મા, પરક, પુણ્યપા૫, બંધમેક્ષ આદિ વિષયમાં એ બાપડાની મતિ જ મુંઝાઈ ગઈ છે–મોહ પામી ગઈ છે એટલે એની પાસેથી શી આશા રાખી શકાય? કારણ કે આ ભવ મીઠા પર કેણ દીઠા ?” એમ માત્ર વર્તમાનદશી ચાર્વાક તેના નામ પ્રમાણે “Eat Drink & be merry?—ખાવું પીવું ને ખેલવું એમ ચર્વણ કરવામાં જ માને છે, તે વીસે કલાક આ દેહની વેઠમાંથી ઊંચે આવતું નથી, એટલે પરલેક–આત્મા–મેક્ષ આદિ બાબતની તે બાપડાને કંઈ ગતાગમ નથી, પશુ જે અબૂઝ મૂઢ છે. માટે તેને મત અત્રે વિરુદ્ધ છે કે સંમત છે તેનું અમને કાંઈ પ્રયજન નથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ G વીતરાગપ્રણીત “સ” તે જ સત ૧૩ વીતરાગપ્રણીત ઉત્પાદવ્યયૌવ્યયુક્ત “સ” તે જ – तेनोत्पादव्ययस्थेमसम्भिन्नं गोरसादिवत् । त्वदुपझं कृतधियः, प्रपन्ना वस्तुतस्तु सत् ॥१२॥ (તેથી) ઉત્પાદ વ્યય ને સ્વૈર્ય, યુકત સત ગેરસાવિત; ભગવાન્ ! તે પ્રબોધેલું, સ્વીકારે જન બુદ્ધિમતું. ૧૨ ' અર્થતેથી હે ભગવાન! ગોરસાદિની જેમ ઉત્પાદ– વ્યય-વૈર્યથી સંભિન્ન–સંમિશ્ર એવું તેં પ્રણીત કરેલું સત્ કૃતબુદ્ધિઓ વસ્તુતઃ માન્ય કરે છે. વિવેચન “ઉત્પાદ વ્યયે પલટતી, ધ્રુવ શક્તિ ત્રિપદી સંતી લાલ. –શ્રી દેવચંદ્રજી આમ યુક્તિપૂર્વક એકાંતખંડન અને અનેકાંતમંડન કરી છેવટે અત્રે શ્રીમાન સ્તોત્રકાર ઉપસંહાર કરે છે કેજે “કૃતધી –કુતબુદ્ધિજને હોય તે તે હે ભગવન! તે ઉપદેશ્યા પ્રમાણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળું સસ્વરૂપ સ્વીકારે,–“પચવ્યયુદ્ધ સત્ત” (તત્વાર્થ સૂત્ર). અત્રે ગોરસ, સુવર્ણ, ઘટ, આત્મા આદિ દષ્ટાંત જાણવા. જેમકે–સોનાનું કડું ભાંગીને કુંડલ બનાવવામાં આવે, તે તેમાં કડાંરૂપ પર્યાયને વ્યય અર્થાત્ નાશ થયે, કુંડલરૂપ પર્યાયને ઉત્પાદ-જન્મ થયે, અને સુવર્ણ વસ્તુ તે બને ૧૩. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વીતરાગસ્તવ સવિવેચન સ્થળે ધ્રુવ-નિશ્ચલ રહી. અથવા સુવર્ણને ઘટ ભાંગી મુકુટ બનાવવામાં આવે તે ઘટને નાશ, મુકુટને ઉત્પાદ અને સુવર્ણ દ્રવ્યનું ધ્રૌવ્ય-પ્રવપણું જાણવું. આ અંગેના સુભાષિતો પ્રસિદ્ધ છે. એક જ પુરુષ બાલ-યુવા-વૃદ્ધ એ ત્રણે અવસ્થાને અનુભવ કરે છે, પણ પુરુષ તે તેને તે જ છે. સમુદ્રનાં મેજ પલટાય છે, પણ સમુદ્ર પલટાતે નથી; તેમ પૂર્વ પર્યાયને નાશ થઈ, ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે, પણ આત્મ દ્રવ્ય તે ધ્રુવ જ રહે છે. ઘડાને નાશ થઈ મુકુટ બનાવ્યું, પણ સેનું તે તેનું તે જ છે. આમ અનેકાંત એવી પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યયુક્ત એવું સત્ સ્વરૂપ છે. આવા એકાક્ષરી સત્ સ્વરૂપમાં જ આ વિશ્વનું તત્વજ્ઞાન સમાય છે. આ ઉત્પાદ–વ્યયધ્રૌવ્ય એ જ ગણધરને દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી સુપ્રસિદ્ધ * "कुम्भमौलिसुवर्णेषु, व्ययोत्पत्तिस्थिरात्मसु । दुःखहर्षोपयुक्तेषु, हेमत्वं निश्चलं त्रिषु ॥" શ્રી જકવિકૃત દ્રવ્યાનુયોગ તકણ, અ, ૯ , ૩ "घटमौलिसुवर्णार्थी, नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमाध्यस्थ्यं, जनो याति सहेतुकम् ॥ पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिवतः । अगोरसवतो नोभे, तस्माद् वस्तु त्रयात्मकम् ॥" શ્રી સમતભદ્રાચાર્યજીકૃત આપ્તમીમાંસા national Page #248 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી ત્રિપદી ૧૯૫ ત્રિપદી છે, અને એ જ અપેક્ષાવિશેષે રૂપકરૂપે ઘટાવીએ તે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ત્રિમૂર્તિ છે.” –પ્રજ્ઞાવધ મોક્ષમાળા પાઠ-૨૩ (સ્વરચિત) છે ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં સકાવ્યાનુવાદ-વિવેચનમાં- એકાંતઉત્થાપન–અનેકાંતપ્રતિષ્ઠાનરૂપ અષ્ટમ પ્રકાશ ! '' ઈ • , Page #249 -------------------------------------------------------------------------- ________________ ' ' ' . * * * * નવમ પ્રકાશ: કલિકાલ પ્રશંસા જ્યાં શીધ્ર ભક્તિફલ મળે તે કલિકાલ ભલે હે !– यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः॥१॥ કાવ્યાનુવાદ : દાહરા – અલ્પકાળમાં તુજ જ્યાં, ભક્તિલ મળતું જ કલિકાલ જ તે હે ભલે! કૃતયુગાદિથી શું જ? ૧ અર્થ-જ્યાં અલ્પકાળથી પણ હારી ભક્તિનું ફળ પમાય છે, તે કલિકાલ એક ભલે હે ! કૃતયુગાદિથી શું ? વિવેચન તુજ દરિશન પામે તે કલિકાલ ધન્ય, સુભગ પણ મને શું કામને કાળ અન્ય? ) – પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૮૭ (ડ. ભગવાનદાસ કૃત) આગલા પ્રકાશમાં અનેકાંત શાસન અપ્રતિહત છે એમ પ્રતિષ્ઠાપિત કર્યું, તે અનેકાંત શાસનના પરમશાસ્તા પરમ આત વીતરાગ દેવની ભક્તિ અમને આ કલિકાલમાં પ્રાપ્ત થઈ, તેથી Page #250 -------------------------------------------------------------------------- ________________ જ્યાં શીધ્ર ભક્તિફલ મળે તે કલિકાલ ભલે હે! ૧૯૭ આ કલિકાલ પણ ધન્ય છે, એવી ભાવનાથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીએ અત્રે આ પ્રકાશમાં કલિકાલની પ્રશંસા કરી છે, પણ પિતાના માટેનું તે કલિકાલનું ધન્યપણું પણ વીતરાગ દેવની પ્રાપ્તિને જ આભારી છે, એટલે “કલિકાલ સર્વ’ અત્રે કલિકાલની સ્તુતિને હાને ખરી રીતે તે વીતરાગ ભગવાનની જ સ્તુતિ કરી અદ્ભુત ભક્તિ પ્રદર્શિત કરી છે. અત્રે દેખીતી રીતે પ્રથમ દૃષ્ટિએ તે કલિકાલની પ્રશંસા કરી છે, પરંતુ સ્વભાવે દુષ્ટ બહુ દેલવંત આ કલિકાલને “ગુણ? આ ભગવાન થકી છે એટલે ગર્ભિત રીતે વ્યંગ્યપણે તેની નિન્દા કરી છે. આ વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે, કારણ કે દેખીતી પ્રશંસા નિન્દારૂપે પર્યવસાન પામે છે, પરિણમે છે. ઊંડા ઉતરી વિચારતાં એક અપેક્ષાએ આ સ્પષ્ટ થશે. આટલી સામાન્ય સૂચના કરી હવે આ પ્રકાશના આ પ્રથમ લેકને ભાવ વિચારીએ. જે કલિકાળમાં હારી ભક્તિનું ફળ અ૫ કાળમાં જ સાંપડે છે તે કલિકાલ જ–ગમે તે દુષ્ટ છતાં–અમને ભલે હે ! અમારે કૃતયુગ આદિ સારા કાળનું કાંઈ પ્રયેજન નથી. કારણ કે જગમાં સારભૂત પ્રાપ્તવ્ય તે હારી ભક્તિ છે, અને તે જે આ કલિકાળમાં અમને પ્રાપ્ત થઈ છે, તે અમારે કૃતયુગ આદિની અપેક્ષા નથી. અલ્પ કાળમાં ફળ મળવાનું કારણ એ છે કે-કલિકાલમાં એવા પ્રતિકૂળ સંગે વર્તે છે કે દઢતા વિના ભક્તિ પામવી દુર્લભ છે, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ વીતરાગસ્તવ સવિવેચન એટલે ભક્તિનું ફળ અલ્પ કાળમાં મળે એમાં આશ્ચર્ય નથી આ અંગે વર્તમાનયુગના સંતશિરોમણિ શ્રીમદ રાજચંદ્રજીના ટંકેત્કીર્ણ વચનામૃત છે કે- “મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો, એમ ઘણું મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે, એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ વિદેશ ગયાં છે, અર્થાત સંપ્રદાયમાં નથી રહ્યાં અને એ મળ્યાં વિના જીવને છૂટકે નથી. આ કાળમાં મળવાં દુષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. “પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શુન્ય જ છે. જે અટકયું છે તે યોગ્યતાની કચાશને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બેધસ્વરૂપ સમજી ભક્તિ ઈચછવી એ પરમ ફલ છે. ઈશ્વર કૃપા કરે તેને કલિયુગમાં તે પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૫૩, ૩૩૭. સુષમ કરતાં દુઃષમમાં પ્રભુકૃપા ફલવતી सुषमातो दुःषमायां, कृपा फलवती तव । मेस्तो मरुभूमौ हि, श्लाघ्या कल्पतरोः स्थितिः॥२ સુષમ થકી દુષમ વિષે, સફળ કૃપા તુજ થાય, અરમાં ક૯પત સ્થિતિ, મેરુ કરતાં લાવ્ય, ૨ Page #252 -------------------------------------------------------------------------- ________________ સુષમ કરતાં દુ:મમાં પ્રભુકૃપા ફલવતી ૧૯ અર્થ–સુષમા કરતાં દુષમામાં હારી કૃપા ફલવતી છે; ખરેખર ! મેરુ કરતાં મભૂમિમાં કલ્પતરુની સ્થિતિ સ્લા–પ્રશંસવા યોગ્ય છે. વિવેચન મધરમેં હો જિમ સુરતરૂ લુંબ કે, સાગરમેં પ્રવહણ સમા; ભવભમતાં હે ભવિજનઆધાર કે, પ્રભુ દરિસણસુખ અનુપમ –શ્રી દેવચંદ્રજી * સુષમ કાળ કરતાં દુઃષમ કાળમાં હારી કૃપા અધિક ફલાવતી છે, આ વસ્તુ અર્થાન્તરન્યાસથી સમર્થિત કરે છેમેરુ ઉપર કલ્પવૃક્ષ હોય તેના કરતાં મરભૂમિમાં હોય તે તે અધિક પ્રશંસાપાત્ર છે. મેરુ ઉપર તે કલ્પવૃક્ષની વિપુલતા છે, પણ મભૂમિમાં તે તેની વિરલતા-દુર્લભતા છે, એટલે ત્યાં તેની પ્રાપ્તિ થાય તે ઓર પ્રશંસા કરવા ગ્ય છે. જેમ વસ્તુની દુર્લભતા તેમ તેનું મૂલ્ય વધારે એ અર્થશાસ્ત્રને સામાન્ય વ્યાવહારિક નિયમ છે, પરમાર્થમાં પણ તેમજ. આ કલિકાળને દુઃષમ કહેવાનું પરમાર્થ કારણ પરમતવદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ રીતે પ્રકાશ્ય છે– જિનાગમમાં આ કાળને “દુષમ” એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમકે દુસમ શબ્દને અર્થ દુખે કરીને પ્રાપ્ત થવા એગ્ય એ થાય છે. તે દુખે કરીને પ્રાપ્ત થવા એગ્ય તે એ એક પરમાર્થમાર્ગ મુખ્યપણે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વીતરાગસ્તવ સવિવેચન કહી શકાય અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાથ માગ નું દુલ ભપણું તે। સવકાળને વિષે છે; પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને કાળ પશુ દુલ ભપણાનાં કારણરૂપ છે.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૮ (વિશેષ માટે જુએ ‘દુષમ કાળ' સબંધી આ પરમ મનનીય પત્ર.) શ્રાદ્ધ શ્રોતા ને સુધી વક્તાના સુચાગ તે શાસનજય श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश ! तत् । । त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ॥ ३ ॥ શ્રાદ્ધ શ્રોતા વક્તા સુધી, ઉભય ચાગ જો થાય; તુજ શાસન સામ્રાજ્ય તા, એકછત્ર કલિમાંય. ૩ અર્થ:–શ્રાદ્ધ શ્રેાતા અને સુધી વક્તા હૈ ઈશ ! જો યુક્ત થાય, તે કલિમાં પણ ત્હારા શાસનનું એકછત્ર સામ્રાજ્ય છે. વિવેચન tr સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૦૨ શ્રદ્ધાળુ શ્રોતા અને સુબુદ્ધિમાન વક્તા ઉપદેષ્ટા એ એને જો સુયોગ થાય તા હૈ વીતરાગ ! કલિકાલમાં પણ હારૂ શાસનસામ્રાજ્ય એકછત્ર વત્તે. અત્રે ધ્વનિરૂપ ગર્ભિત સૂચન એમ જણાય છે કે જ્યાં શ્રી કુમારપાળ Page #254 -------------------------------------------------------------------------- ________________ સતવક્તા-શ્રોતાના સુયોગે કલિમાં ય શાસન જય. ૨૦૧ મહારાજ જેવા પરમાહંત વીતરાગ શાસનના અનન્ય ભક્ત શ્રોતા હોય અને “કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજી? જેવા ઉત્તમ ઉપદેશક હોય ત્યાં વીતરાગ શાસનને જયઘોષ દિગંતમાં કેમ ન ગાજે? વર્તમાન કાળને અપેક્ષીને પણું બોધ લેવા ગ્ય છે કે જે ઉપદેશક વતાવર્ગ સુબુદ્ધિમાનસુવિચારશીલ–દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવજ્ઞ સમયજ્ઞ હોય, અને શ્રવણ કરનાર શ્રોતાવર્ગ સુશ્રદ્ધાવાન હય, અને તે બન્નેને જે સુંદર સહકાર શાસનસેવા અર્થે હોય તે જગમાં વીતરાગશાસનને જયશેષ જરૂર વાગે. ભગવદ્ વીતરાગ શાસન પ્રત્યેની અનન્ય અંતરુદાઝથી પરમતત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના–સહુના હૃદયને વીંધી નાખે એવા–પરમ વેધક સહજ અંતરેગાર નિકળી પડ્યા છે કે “હે જ્ઞાતપુત્ર ભગવન્! કાળની બલિહારી છે. આ ભારતના હિનપુર્ણી મનુષ્યને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન કયાંથી પ્રાપ્ત થાય? થવામાં આવાં વિદને ઉત્પન્ન થયાં તારાં બેધેલાં શાસે કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડયાં ૪૪ શાસનદેવિ ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણને માર્ગ હું બીજાને બધી શકું, દર્શાવી શકું, ખરા પુરુષે દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના બે ભણી વાળી આ આત્મવિરાધક પંથેથી પાછાં ખેંચવામાં સહાયતા આપ !! તારે ધર્મ છે કે સમાધિ અને બેધિમાં સહાયતા આપવી.” -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વીતરાગસ્તવ સવિવેચન વામગતિ' કલિમાં ખલે પ્રત્યે કેપ વૃથા– युगान्तरेऽपि चेन्नाथ ! भवन्त्युच्छृङ्खलाः खलाः । वृथैव तर्हि कुप्यामः, कलये वामकेलये ॥४॥ યુગાન્તરે પણ નાથ! જો, ઉશ્રૃંખલ ખલ કા તે કલિ વાનગતિ પ્રતિ, વૃથા જ કૉએ કેપ. ૪ અર્થ –હેનાથ! યુગાન્તરમાં પણ જો ખલે ઉશૃંખલા હોય છે, તે વામકેલિ(વક્ર ક્રીડાવંત) કલિ પ્રત્યે વૃથા જ કેપીએ છીએ. વિવેચન અત્યંત દુસમકાળ છે તેને લીધે અને હતપુણ્ય કોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમ સત્સંગ, સત્સંગ કે સરળપરિણામી છાને સમાગમ પણ દુર્લભ છે, એમ જાણું જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે ? –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૬ હે વીતરાગ ! કૃતયુગ વગેરે બીજા સારા યુગમાં પણ જે “ખ”-દુજને “ઉછુંખલ” અનિયંત્રિત–બેલગામ હોય છે, તે પછી આ કલિકાલ કે જે “વામકેલિ' છે–જેની કેલિ”–કીડા-લીલા “વામ”–આડી-વર્કમાગી છે, તેના પ્રત્યે અમે કેપ કરીએ તે વૃથા જ છે–ફેગટ જ છે. અર્થાત્ ખલ કવચિત્ લ્હારા શાસનથી ‘વામ’–આડા ચાલે અથવા હાર Page #256 -------------------------------------------------------------------------- ________________ વાભગતિ લિમાં ખલેા પ્રત્યે કાપ થા ૨૦ શાસનને નિન્દે એવી વામ ચેષ્ટા કરે તે! આ શું ? એમ સહેજે અમને ત્હારી શાસનદાઝથી પુણ્યપ્રકાપ થઈ આવે, પણ તે અમારે કેપ નિષ્ફળ જ−નિરથ ક જ છે. કારણ કે ‘જ્ઞાતિસ્ત્રમાવું ન મુશ્રુત્તિ'–એ ન્યાયે જાતિસ્વભાવને નહિ છેડતા ખલા—દુજના તા પોતાની પ્રકૃતિ પ્રમાણે પેાતાના ભાવ ભજવવાના જ છે, તે કોઈના રોકયા રોકાય એમ નથી એવા ‘ઉચ્છ્વ ખલ' છે; અને એવા ખલજનેનુ તે। આ કળિકાળમાં પ્રાબલ્ય સવિશેષ હાય એમાં નવાઈ નથી, કારણ કે એ તે કલિકાળના સ્વભાવ જ છે, પદ્મન'દિ આચાર્યજીએ પદ્મન'દિય’ચવિ'શતિકામાં એક માર્મિક શ્લોકમાં કહ્યું છે તેમ- કલિમાં આ ભવનમાં કેમે કરીને કાઈ એક સાધુ હાય છે, અને તે અકરુણ ક્ષુદ્રોથી આઘ્રાત સતા ચિરકાળ કેમ જીવે ? . અતિગ્રીષ્મમાં સૂકાઈ રહેલા સરમાં ચંચલતાથી વિચરતી ચંચલ માછલી મગલાઓની આગળમાં જઈ જઈને કેટલુંક જાય ? ' અર્થાત્ જેમ ગ્રીષ્મકાળમાં તળાવ સૂકાઈ જતાં માછલીએ એની મેળે એછી થઈ ગઈ હાય છે ને રહીસહી હૈાય તે પણ બગલાની ચાંચમાંથી છટકી શકે નહિ, અગલા તેને પીંખી ખાય, તેમ આ કલિકાળરૂપ ગ્રીષ્મમાં સાચા આત્માથી પરમારગી સત્પુરુષાના આવિર્ભાવ વિરલ ’ * कलावेकः साधुर्भवति कथमप्यत्र भवने, 48 सचाघ्रातः क्षुद्रैः कथमकरुणं जीवति चिरम् । अतिग्रीष्मे शुष्यत्सरसि विचरच्चञ्चुरतया, बकोटानामग्रे तरलशफरी गच्छति कियत् ? —પદ્મનદિ પંચવિ શતિકા 11 Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વીતરાગસ્તવ સવિવેયને છે, ને તેવા વિરલ સત્પરુષને પણ ખલજનેરૂપ બગલાઓની છિદ્રાન્વેષણરૂપ ચાંચમાંથી છટકવું મુશ્કેલ થઈ પડે છે. દાંભિક દુજનેરૂપ બક-ભક્તો તેને પીંખી નાંખવા સદા તત્પર રહે છે. આમ આ કલિકાળમાં ખલેને સુકાળ હોય છે! એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ–“રવિંતિ સંતાવિસ્ટસંચાર– સંતે સીદાય છે ને અસંતે વિલસે છે! આવા આ વિષમ દુષમ કલિકાલ અંગે તીવ્ર ખેદ વ્યક્ત કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અંતગાર છે કે ઘણાં પ્રત્યક્ષ વર્તમાને પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર સમ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આ દુષમ કાળ કોઈક જ વખત આવે છે. સ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતીપૂજા નામે આશ્ચર્યવાળ હુંડ–ધીટ એ આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગ. છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે, સાક્ષાત એમ જાણે ભાસે છે. શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૬. કલ્યાણ સાધવા કલિ જ કષપાષાણુ– कल्याणसिद्धयै साधीयान्, कलिरेव कषोपलः। विनामिं गन्धमहिमा, काकतुण्डस्य नैधते ॥५॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ “કલયાણુ સાધવા કલિ જ કષપાષાણુ કલિ જ કપાષાણુ છે, પ્રસાધવા કલ્યાણ, અગ્નિ વિણ ના અગરુને, વધે ગંધ મહિમાન. ૫. - અર્થ-કલ્યાણસિદ્ધિને અર્થે કલિ જ કપલ (સેટ પાષાણ) અત્યંત સાધક છે; અગ્નિ વિના અગુરુને મહિમા વધે નહિં. વિવેચન કરાળ કાળ હેવાથી જીવન જ્યાં વૃત્તિની સ્થિતિ, કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. સત ધર્મને ઘણું કરીને લેપજ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૧૧ આ કલિમાં જ સંતની કસોટી થાય છે એ વસ્ત શ્લેષથી અને અર્થાતરન્યાસથી સમર્થિત કરે છે– કલ્યાણ સિદ્ધિને અથે એટલે “કલ્યાણ” શુદ્ધ સુવર્ણ અથવા કલ્યાણ–આત્મશ્રેય તેની સિદ્ધિને અર્થે કલિ જ કપલ”—કટીને પત્થર છે. પુરુષરૂપ–સાચા સંતરૂપ સુવર્ણની કસોટી આ કલિકાલ જ છે, “સાણાથી–સાચી સાધુતાથી ચુત ન થતાં જે કલિકાલની કસોટીમાંથી ઉત્તીર્ણ થાય તે જ સત્પુરુષ–સાચા સંત. આ સત્પુરુષને મહિમા કલિકાલની કસોટીથી ઓર ઝળકી ઊઠે છે. અત્રે દષ્ટાંત અગ્નિ વિના અગરુને ગંધમહિમા વિસ્તરતું નથી. તેમ કલિકાલના અગ્નિથી તેના શીલ-સૌરભને ગંધ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વીતરાગત સાવિવેચન મહિમા જગતમાં ઓર મહેકી ઊઠે છે, કારણ કે આવા કરાળ કાળમાં પણ તેઓ પરમ દુર્લભ એવા પરમાઈ–કલ્યા- ણને સાધવા સમર્થ બને છે. આ કાળમાં આ પરમાર્થ– કલ્યાણની પરમ દુર્લભતા અંગે પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે-- શાને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણુ ગ્ય કહ્યો છેઅને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષણ પણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુલ્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુસમ કહેવા ગ્ય છે, જે કે સર્વ કાળને વિષે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષને જેગ દુલ્લભજ છે, તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુલ્લભ હોય છે. જેની પરમાર્થવૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણને પામે છે. એટલે પરમાર્થમાગ અનુક્રમે વ્યવછેદ થવા જોગ કાળ આવે છે.” --શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૪ કલિકાલમાં વીતરાગચરણરજની દુર્લભતા– निशि दीपोऽम्बुधौ दीपं, मरौ शाखी हिमे शिखी। कलौ दुरापः प्राप्तोऽयं, त्वत्पादाब्जरजः कणः ॥६॥ . Page #260 -------------------------------------------------------------------------- ________________ કલિકાળમાં વીતરાગ ચરણરજકણની દુર્લભતા ૨૦૭ વોટક– દપ રાવિ વિષે દાંપ અબ્ધિ વિષે, મરુમાં તઅગ્નિ ય હિમ વિષે કલિમાં મળી દુર્લભ તેમ ઘણું, રજની કણ તુજ પદાજ તણું. ૬ અર્થ-નિશામાં–રાત્રીમાં દીપ, જલધિમાં દ્વીપ, મમાં શાખી–વૃક્ષ, હિમમાં શિખી–અગ્નિ, તેમ) કલિમાં ફરાપ એ આ લ્હાર પાદાજ રજકણ પ્રાપ્ત થયે. વિવેચન દીવ હે પ્રભુ ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ ! સાખી થલે જલ નૌકા મલીજી, ” –શ્રી યશોવિજયજી આવા આ દુષમ “વસમા” કલિકાળમાં છે વીતરાગ! હારા ચરણકમળની રજકણ અમને મળી એ અમારા અહોભાગ્ય છે. કારણ કે જેમ રાત્રીમાં દીપક, સાગરમાં દ્વીપ, મભૂમિમાં શાખી–વૃક્ષ, હિમમાં શિખી-અગ્નિ મળ દુર્લભ છે, તેમ આ કલિકાળમાં હારા ચરણકમળની રજની કણ મળવી પરમ દુર્લભ છે. અત્રે કવિએ ગર્ભિતપણે માર્મિક રીતે કલિકાલની નિન્દા કરી છે કે-કલિકાલ રાત્રી જે અંધકારમય–તમસુમય છે; સાગર જે ખારે અને દુરંત છે, મરુદેશ જે ઉજજડ શુષ્ક છે, હિમ જે Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વીતરાગસ્તવ સવિવેચન જડતાકારક છે-થીજાવી દે એવે છે, કિંકર્તવ્યતાવિમૂઢ કરી દે એવે છે, અને સાથે સાથે વિતરાગદેવની ગર્ભિત સ્તુતિ કરી છે કે–આવી અંધકારમય કલિકાલ-રાત્રીમાં તું પ્રકાશ રેલાવનાર દીપ છે, ખારા કલિકાલ–લવણસમુદ્રમાં તું પરમ વિશ્રામસ્થાનરૂપ અમૃતદ્વીપ છે, ઉજજડ કલિકાલ-મભૂમિમાં તું કલ્પવૃક્ષ છે, “વક જડ” બનાવી દે એવા કલિકાલ–હિમમાં તું ભવશીત ઉડાડનારે પાવક અગ્નિ છે. આવા વીતરાગ ભગવાનની ભક્તિ આ કલિકાળમાં પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. આ કાળમાં જીવને તરવાનું મુખ્ય સાધન ભક્તિ છે. આ ભક્તિમાર્ગની પ્રધાનતા અંગે શ્રીમદ રાજચંદ્રજીના પરમ મનનીય વચન છે કે – તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તે તે ઘણું દેષથી નિવૃત્ત કરવાને ગ્ય એવી હોય છે. અ૫ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વછંદાદિ. દેષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ આ કાળને વિષે તે ઘણા કાળસુધી જીવન પર્યત પણ ભક્તિપ્રધાન દશા આરાધવા ગ્ય છે; એ નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.)” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ જ્યાં વીતરાગદશન પામ્યો, તે કળિકાળને નમસ્કાર ૨૦૯ જ્યાં વીતરાગદર્શન પ્રાપ્ત થયું તે કલિકાળને કલિકાલ સર્વજ્ઞ”ને નમસ્કારयुगान्तरेषु भ्रान्तोऽस्मि, त्वदर्शनविनाऽकृतः । नमोऽस्तु कलये यत्र, त्वदर्शनमजायत ॥७॥ પ્રભુ! અન્ય યુગે પણ હું ભટક્યો, તુજ દર્શન વિણુ કૃતી ન થયે; કલિકાલ પ્રતિ નમને અમ હે! તુજ દર્શન જે મહિં પ્રાપ્ત અહે ! ૭ અર્થ –યુગાન્તરોમાં લ્હારા દર્શન વિના અકૃતાર્થ એ હું ભમે છે; તે કલિને નમસ્કાર છે કે જ્યાં લ્હારું દર્શન ઉપર્યું છે. વિવેચન કલિયુગે હો પ્રભુ! કલિયુગે દુલહે તુજ, દરિશણ હે પ્રભુ! દરિશણ લહું આશા ફલીઝ –શ્રી યશોવિજયજી હે નાથ ! “યુગાન્તરમાં”—કૃતયુગ આદિ અન્ય યુગમાં હું ભટક્ય, પણ હારા દર્શન વિના હું “અકૃતાર્થ” રહ્યો, કૃતાર્થ હોતે થયે; આ કલિકાલને અમારા નમસ્કાર હો!-કે જે કલિકાળમાં પરમ ધન્ય એવું હારું દર્શન સાંપડ્યું! શ્રી હેમચંદ્રાચાર્યજીની જેમ શ્રીયશોવિજયજી પણ આ કલિયુગમાં પરમદુર્લભ વીતરાગદર્શનની પ્રાપ્તિથી પરમ હર્ષોલ્લાસથી પિતાની જીવનધન્યતા ગાઈ ગયા છે ૧૪ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ વીતરાગસ્તવ સવિવેચન કે-હે પ્રભુ! હારું દુર્લભ દર્શન મને આ કલિયુગમાં પ્રાપ્ત થયું ને હારી આશા ફળી; હે પ્રભુ! જે હું હારી સાથે મળે તે મહારે જન્મ કૃતાર્થ માનું છું, મહારા હાથમાં ચિંતામણિ મળે ને મારા આંગણે કલ્પતરુ ફન્ય જાણું છું. જાણું હે પ્રભુ! જાણું જન્મ કચ્છ, જે હું હે પ્રભુ! જે હું તમ સાથે મિલ્હોજી; સુરમણિ હે પ્રભુ! સુરમણિ પાયે હથે, આંગણ હે પ્રભુ! આગણ સુરતરુ ફળે છે.” - શ્રી યશોવિજયજી આવા આ દુઃષમ કલિકાલમાં વીતરાગના પરમાર્થદર્શનની પ્રાપ્તિની પરમ દુલભતા અંગે શ્રીમદ્ રાજચંદ્રજી. પ્રકાશે છે કે – આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુસમ કહ્યો છે, તેમ વિશેષ કરી પ્રત્યે અનાર્યપણા ગ્ય થયેલાં એવાં આવાં ક્ષેત્રે વિષે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકેની આત્મપ્રત્યયોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા ગ્ય થઈ છે, એવા સર્વ પ્રકારના દુસમયેગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે, અને પરમાર્થનું અવિસવું અત્યંત અત્યંત દુલ્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુસમપણું એટલી વિશેષતા છે.” શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૭૦, Page #264 -------------------------------------------------------------------------- ________________ નિષ વીતરાગ થકી જ સદેષ કલિની શોભા ૨૧૧ નિર્દોષ વીતરાગથકી જ સદેવ કલિની શોભા बहुदोषो दोषहीनात्त्वत्तः कलिशोभत । विषयुक्तो विषहरकणीन्द्रो इव रत्नतः ॥८॥ ભગવાન ! તું દેશવિહીન થકી, કલિ શોભી રહ્યો બદલી નકી; વિષધારક જેમ ફણીન્દ્ર ખરે ! વિષહારક રત્નથી શોભ ધરે. ૮ અર્થ-ડેષહીન એવા ન્હારા થકી બહુદોષવાળો કલિ શોભે છે,–જેમ વિષહર રત્ન થકી વિષયુક્ત ફણીન્દ્ર (ફણિધર નાગ) શેભે છે તેમ. વિવેચન * કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું એાળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને માહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. xx અને આ કળિયુગ તેમાં જે નથી મુંઝાતા તેને નમસ્કાર, –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૩૨ હે વીતરાગ ! ઉપર કહ્યું તેમ બહષવા છતાં આ કલિકાલ તું નિર્દોષમૂનિ થકી શોભી રહ્યો છે. તે માટે પ્રતિવસ્તૃપયા આ છે–જેમ વિષધર ફર્ણિપતિ વિષહર મણિથકી શોભે છે તેમ. અર્થાત્ આ કલિકાલ તે ઝેરીલે મહાનાગ (Deadly Cobra) છે, અને તેમાં તુ મેહરૂખ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વીતરાગસ્તવ સવિવેચન વિષને હરનારા રત્ન જેવા છે. ઉપર જે કાંઈ સારગ્રાહી સ્વઉપકાર દૃષ્ટિથી કહ્યું તે બધા ગુણ્ તા હૈ વીતરાગ ! તને આભારી છે, એને લઈને જ આ કલિકાલની શે`ભા છે; ખાકી આ દુષ્ટ કલિકાલ પાતે તા મહા ણિધર જેવા છે, સજ્જનાએ તેનાથી-ઝેરીલા મહા નાગથી સદાકાલ ચેતતા રહેવાનું છે; ‘શુ' કરીએ? કળજુગ છે' એવી નિરાશતા ન સેવતાં ઉલટી ખમણી જાગૃતિ-ખમણેા પુરુષા રાખવાના છે, અને આ કલિકાલ–વિષધર’ના વિષને હરનારા તું વીતરાગ દેવરૂપ ‘વિષહર' રત્નની નિરંતર એકનિષ્ઠાથી સેવા કરવા ચેાગ્ય છે. તાપ કે ત્હારા જેવા ધીંગ ધણી ’ વીતરાગની ભક્તિ જેને પ્રાપ્ત થઈ છે. તેણે કલિકાલના લેશ પણ ભય રાખવાના નથી. C tr “ દુ:ખ દેહગ ૢ ટળ્યા રે, સુખ સપત શુ' ભેટ; ધીંગ ધણી માથે ક્રિયા રે, કુણુ ગજે નર ખેટ ?....’ વિમલજિન ! —શ્રી આનંદઘનજી. ! * આમ આ કલિકાલનું આટલું દુઃષમપણું' અત્ર કહ્યું તે કાંઈ હીનપુરુષાથી થવા અર્થે નહિ, પણ વીતરાગ જેવા ધીંગ ધણી ” નું સમર્થ અવલંબન લઈ પરમ આત્મપુરુષાર્થની જાગૃતિને અર્થે છે. કારણ કે જ્ઞાની પુરુષને ઉપદેશ કદી પણ પુરુષાથહીનતા પ્રેરે જ નહિ, પુરુષા ની જાગૃતિ જ પ્રેરે. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ પુરુષાર્થ - પ્રેરક ઉદ્બાધન કરતું ટકાડ્કી વચનામૃત છે કે— Page #266 -------------------------------------------------------------------------- ________________ વિષહર રત્નથી વિષધરની શોભા ૨૧૩ આ દુસમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંગમાં તે જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તોપણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ ગ વત્તતા હોય, ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાન કાળ દુસમ કહ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૦ “જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ.” –શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રીઆત્મસિદ્ધિ | ઇતિ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં–સકાવ્યાનુવાદ-વિવેચનમાં કલિકાલપ્રશંસારૂપ નવમ પ્રકાશ છે Page #267 -------------------------------------------------------------------------- ________________ દશમ પ્રકાશ: સર્વ અદ્દભુતનિધિ વીતરાગના વિરોધાભાસી ગુણ મહારા પ્રત્યે પ્રસાદ કર !—એવી વીતરાગ પ્રત્યે પ્રાર્થન– मत्प्रसत्तेस्त्वत्प्रसाद स्त्वत्प्रसादादियं पुनः । इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् मयि॥१॥ કાવ્યાનુવાદ– લલિત મુજ પ્રસન્નતાથી પ્રસન્ન તું, તુજ પ્રસન્નતાથી પ્રસન હું; ઉભય આશ્રિ આ નાથ ! ભેદજો ! - તુજ પ્રસન્નતા મુજ પરે હજો ! ૧ અર્થ –હારી પ્રસન્નતા થકી લ્હારો પ્રસાદ અને હારા પ્રસાદ થકી (પ્રસન્નતા થકી) આ હારી પ્રસન્નતા એ અ ન્યાશ્રય ભેદી નાંખ! હે ભગવન્! મહારા પર પ્રસાદ કર ! વિવેચન ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું કે, પૂજ્ય અખંડિત એહ, શ્રી આનંદઘનજી અત્રે ભાવ એમ છે કે—હું પ્રસન્ન થાઉં તો તું પ્રસન્ન થાય ને તે પ્રસન્ન થાય તે હું પ્રસન્ન થાઉં, Page #268 -------------------------------------------------------------------------- ________________ અન્યાન્યાશ્રમી પ્રસન્નતા એમ જ્યાં એક બીજાના આશ્રય વત્ત છે એવા અન્યેાન્યાશ્રય સંબંધ હૈાય, તેા ત્યાં એકબીજા પર અવલંબિત અન્યન્યાશ્રય દોષ આવે છે. હું ખુશ થઈ ભક્તિથી ત્હારા ગુણ ગાઉ' એટલે પેાતાના રાગી ભક્ત જાણીતું મ્હારા પર ખુશ થાય, અને તું પણ મ્હારા પર ખુશ થાય એટલે હું ખુશ થઈ ત્હારા ગુણ ગાઉં, એમ જો એકખીજાના આશ્રયે અને, મ્હારી પ્રસન્નતા ત્હારી પ્રસન્નતાને આધીન તે હારી પ્રસન્નતા મ્હારી પ્રસન્નતાને આધીન હાય, તે તે પરસ્પર પ્રશન્નતિ એના જેવા ઘાટ થયા અને તેમાં વિરોધાભાસ પણ આવે. પણ જલમાં મલ હૅઠે બેસી જાય એમ જો મ્હારી ‘ પ્રસન્નતા ’ એટલે ચિત્તપ્રસન્નતા– ચિત્તપ્રસાદ–ચિત્તનિમ લતા હાય, તેા હારી ‘પ્રસન્નતા’– પ્રસાદ–અનુગ્રહ હોય; અને હારી પ્રસન્નતા ’–પ્રસાદ– અનુગ્રહ હોય તે મારી ‘ પ્રસન્નતા '–ચિત્તપ્રસન્નતા– ચિત્તપ્રસાદ–ચિત્તનિ લતા હૈાય, એમ બીજો અથ કરવામાં આવે તે વિરાધ આવતા નથી અને અન્યાન્યાશ્રય દોષ પણ આવતા નથી, કારણ કે બન્ને પ્રકારની પ્રસન્નતાની જાતિ જુદી છે. અને જ્યારે બીજા પ્રકારની ચિત્તનિમ લતારૂપ પ્રસન્નતા–ચિત્તપ્રસન્નતા થાય છે, ત્યારે જીવની તથારૂપ યોગ્યતાથી સહજ સ્વભાવે ભગવાનની પણ પ્રસન્નતા–કૃપાપ્રસાદ–અનુગ્રહ થાય છે એમ આરોપ કરાય છે તેમાં કેાઈ વિરાધ નથી, એમ મ્હારી ચેાગ્યતારૂપ ચિત્તપ્રસન્નતા વિના હારી પ્રસન્નતા (પ્રસાદ) સંભવતી C ' ૨૧૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વીતરાગસ્તવ સવિવેચન નથી, એટલે હું તે એટલું જ પ્રાથુ` છું કે હે ભગવન્ ! ત્હારા ‘પ્રસાદ’–કૃપાપ્રસાદ–અનુગ્રહ મ્હારા પર હા! આ દશમા પ્રકાશમાં ભગવાન્ સ અદ્ભુતાના નિધિ—નિધાન છે એમ નિરૂપણ કરતાં ભગવાની કેટલીક ચિત્તચમત્કારી આશ્ચય ભૂત અદ્ભુત વાતાને નિર્દેશ કર્યો છે; અને તેમાં કેટલાક વિરાધાભાસે દર્શાવી વિરાધાભાસ અલંકાર પણ પ્રાન્ત્યા છે. '' “તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાજ; પણ અવિરાધક જીવને રે, કારણ સક્ષ્ા થાય....ચંદ્રાનન.” શ્રી દેવચ’દ્રજી 卐 રૂપ દેખવા ઇંદ્ર અશક્ત, ગુણ વદવા શેષ અશક્તनिरीक्षितुं रूपलक्ष्मी, सहस्राक्षोऽपि न क्षमः । स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो वक्तुं न ते યુગાન્ તુજ સુરૂપ લક્ષ્મી નિહાળવા, પ્રભુ ! સહસ્રઅક્ષી ય શક્ત ના; તુજ ગુણા ઘણા નાથ ! વર્ણ’વા, વળા સહસ્રજીવી ય શક્ત અર્થ :-હે સ્વામી ! ત્હારી રૂપલક્ષ્મી નિરખવાને તુજાર આંખવાળા ઈંદ્ર પણ સમથ નથી થતા; ત્હારા ના. Page #270 -------------------------------------------------------------------------- ________________ અદર્શનીય રૂપ, અવર્ણનીય ગુણ ૨૧૭ ગુણે વર્ણવવાને હજાર જીભવાળો શેષનાગ પણ સમર્થ નથી થતું. વિવેચન રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ –શ્રી દેવચંદ્રજી જેને સહજત્મસ્વરૂપ સંપત્તિનું સ્વામીપણું પ્રાપ્ત થયું છે એવા હે “સ્વામી !' હારી “રૂપલક્ષ્મી’–સ્વરૂપસંપત્તિ-સ્વરૂપશાભા એવી અસાધારણ અતિશયવંત છે કે તે એક આંખથી જોઈ શકાવાની વાત તો દૂર રહે! પણ જેને “સહસાક્ષ–સહસ-હજાર આંખ છે એ સહસાક્ષ ઇંદ્ર પણ હારી અનુપમ રૂપલક્ષ્મી–સ્વરૂપશેભા નિરખવા સમર્થ થતો નથી ! અને ગણ્યા ગણાય નહિ ને વણ્યા વિણાય નહિ એવા હારા ગુણ એટલા બધા અસાધારણ અતિશયવંત છે કે તે એક જીભથી વર્ણવી શકાવાની વાત તે દૂર રહે! પણ જેને “સહજિહુવા–સહસ-હજાર જીભ છે એ સહસ્ત્રજીવી શેષનાગ પણ તે વર્ણવવાને સમર્થ થતો નથી ! આમ ભગવાનની અદ્દભુત સ્વરૂપ સંપત્તિ અને અદ્ભુત ગુણસંપત્તિ દર્શાવી ઉદાત્ત અલંકારથી અત્રે સ્વરૂપતિશય અને ગુણાતિશય દર્શાવ્યો છે. અનુત્તરવાસીના સંશય હરનાર અદ્દભુત જ્ઞાનગુણ – संशयान् नाथ हरसेऽनुत्तरस्वर्गिणामपि । अतः परोऽपि किं कोऽपि, गुणः स्तुत्योऽस्ति વસ્તુતઃ રૂપા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વીતરાગસ્તવ સવિવેચન મુર અનુત્તરે વાસિના ય રે ! ભુવનનાથ ! તું સંશ હરે ગુણ શું કે જે એહથી પરે, - સ્તવન યોગ્ય છે વસ્તુતઃ ખરે? ૩ અર્થ–હે નાથ તું અનુત્તરસ્વર્ગવાસી દેના પણ સંશયે હરે છે! તે પછી આનાથી પર–વધારે માટે પણ કોઈ પણ ગુણ શું વસ્તુતઃ સ્તુત્ય–સ્તવવા યોગ્ય છે ખરો ? વિવેચન ય સકલ જાણુગ તુમે, કેવલજ્ઞાન દિણંદ.” –શ્રી દેવચંદ્રજી અનુત્તર સ્વર્ગ સર્વ સ્વર્ગ લેકમાં ઉંચામાં ઉંચું સ્વર્ગ સ્થાન છે, એટલા માટે જ તે “અનુત્તર'—જેનાથી ઉત્તરપછી કઈ છે નહિ એવું કહેવાય છે. આવા અસંખ્યાતા, જન દૂર રહેલા અનુત્તર વિમાન દેવલોકમાં વસનારા દે જે કઈ સંશયો કરે છે, તે તે સંશને હે વીતરાગ દેવ! તેઓના મનોગત ભાવેને કેવલજ્ઞાન બેલે જાણો તું અત્ર મનુષ્ય લેકમાં બિરાજતો સત મનથી જ ઉત્તર આપી દૂર કરે છે ! આવા હારા પરમ આશ્ચર્યકારી અદ્દભુત જ્ઞાન– ગુણથી પર એ બીજે કઈ પણ ગુણ શું વસ્તુતઃખરેખર પરમાર્થ સત્ વસ્તપણે સ્તુત્ય-સ્તુતિ કરવા ચોગ્ય છે ખરો ? ખરેખર ! આ હારે કેવલજ્ઞાનાતિશય એ જ અદ્દભુતાભુત છે ! Page #272 -------------------------------------------------------------------------- ________________ સ શહર અદૂભુત જ્ઞાનગુણ: સુખસક્તિ અને વિરક્તિ ર૧૯ વીતરાગને આનંદસુખસક્તિ અને વિરક્તિ સમકાળે !– इदं विरुद्धं श्रद्धत्तां, कथमश्रद्दधानकः ?। आनन्दसुखसक्तिश्च, विरक्तिश्च समं त्वयि ॥४॥ પુરુષ જે અશ્રદ્ધા ધરાવતે, કયમ વિરુદ્ધ આ તેહ શ્રદ્ધતે ? તુજ પ્રસક્તિ આનંદ સૌખ્યમાં, જ ત્યમ વિરક્તિ તે એક કાળમાં. ૪ અર્થ –અશ્રદ્ધા ધરાવતો પુરુષ આ વિરુદ્ધ વાત કેમ સદહે– ? કે હારામાં આનસુખસક્તિ અને વિરક્તિ સમકાળે એક કાળે જ છે ! વિવેચન જગગુરુ જીવન્મુક્ત અસ્નેહી, દેહ છતાંયે જેહ વિદેહી. -પ્રજ્ઞાવધ ક્ષમાળા (સ્વરચિત) અત્રે વિરોધાભાસ અલંકારથી કવિ કચ્છે છે કે – અશ્રદ્ધા ધરાવતે પુરુષ આ “વિરુદ્ધ”—એક બીજાથી વિપરીત વાત કેમ શ્રધે ? કે તને એકીસાથે સમકાળે જ આનંદસુખસક્તિ અને વિરકિત છે! એકી સાથે આસક્તિ અને વિરક્તિ એ બે કેમ ઘટે? એ વિરોધ છે. તેને પરિહાર–આનંદસુખમાં–આત્મિક આનંદસુખમાં હારી સક્તિ’–સ્નેહ અથવા કદી ઉખડે નહિં એવું સદા ચેંચ્યા રહેવાપણું છે, નિરાકુલતારૂપ શાવત ચિઆનંદસુખમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ વીતરાગસ્તવ સવિવેચન હારૂં નિત્યનિમગ્નપણું છે; અને આકુલતારૂપ પૌદ્ગલિક ભાવાથી હારી ‘ વિરક્તિ ’—વિરક્તપણું—વિરાગતા–વૈરાગ્ય છે, અથવા વિરામ પામવાપણું છે. 卐 સવ' સત્ત્વા પ્રત્યે ઉપેક્ષા ને ઉપકારિતા કેમ ઘટે?— नाथेयं घट्यमानापि, दुर्घटा घटतां कथम् ? | उपेक्षा सर्वसत्त्वेषु, परमा चोपकारिता ॥५॥ પ્રભુ ! ઘટાવવા આવતી છતાં, યમ ઘટેજ આ વાત દુર્ઘટા ? સલ સત્ત્વ પ્રત્યે ઉપેક્ષિતા, ઉપકારિતા. ૫ મ આ વળી અર્થ :-ઢે નાથ ! ટાવવામાં આવતી છતાં આ દુટ વાત કેમ થટે ?-સર્વ સત્ત્તા (પ્રાણી) પ્રત્યે ત્હારી ઉપેક્ષા અને પરમ ઉપકારિતા ! વિવેચન “ સવ જંતુ હિતકરણી કરુણા, કર્યાં વિદ્યારણ તીક્ષણ રે, હાનાદાન રહિત પાિમી, ઉદાસીનતા વીક્ષણ રે. –શ્રી આનંદઘનજી અપ્રાપ્તના ચેાગ ને પ્રાપ્તનું ક્ષેમ કરનારા હે નાથ ! ઘટાવવામાં આવી રહેલી છતાં 'દુર્ઘટ’—ઘટાવવી દુષ્કર Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષા ને ઉપકારિતા: નિ થતા ને થક્રવત્તિ તા ૨૨૧ આ વાત કેમ ઘટે ? સ` સત્ત્વા-પ્રાણીએ પ્રત્યે હારી ‘ ઉપેક્ષા ’–ઉદાસીનતા છે અને સાથેસાથે પરમ ઉપકારિતાઉપકારીપણુ' છે! આ પણ એક હારૂ અદ્ભુત આશ્ચર્ય છે! જો ઉપેક્ષિતા છે તે ઉપકારિતા કેમ ઘટે ? ને જો ઉપકારતા છે તેા ઉપેક્ષા કેમ ઘટે? એમ વિરાધાભાસ આવે છે. તેને પરિહાર એમ છે કે–તું જગજીવાની પરિણતિ ઉપેક્ષાભાવે ’–ઉદાસીનભાવે–સાક્ષી ભાવે જોયા કરે છે; છતાં સકલ જગજીવા પ્રત્યે હારી નિષ્કારણ કરુણાના પ્રવાહ એટલેા ખધા પ્રવહે છે કે તું પરમ સદ્ધ ના સદુપદેશ દઈ તેએ પર અપાર પરમા ઉપકાર કરે છે. આમ ઉપેક્ષા છતાં હારી પરમ પરોપકારિતા ઘટે જ છે. એ પણ એક અદ્ભુત વાત છે ! E નિગ્ન થતા અને પરમ ચક્રવૃત્તિતા કેમ ઘટે?— द्वयं विरुद्ध भगवंस्तव, नान्यस्य कस्यचित् । निर्ग्रन्थता परा या च, या चोच्चैचक्रवर्त्तिता ॥ ६ ॥ હ્રય વિરુદ્ધ આ નાથ ! છે તને, નહિ જ એમ તા અન્ય કોઈને; પર્મ જેહ નિત્ર થતા અને, પરમ ચક્રવત્તિ જે તને. અર્થ :-ઢે ભગવન્ ! આ બે પરપર વિરુદ્ધ વાત તને છે, બીજા ક્રાઈ ને નથી, તે એ જે ત્હારી પરમ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ વીતરાગસ્તવ સવિવેચન નિ થતા છે અને જે ઉંચામાં ઉંચું પરમ ચક્રવર્તિપણું છે! વિવેચન Kશક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ચથતા સંગે રે ? -શ્રી આનંદઘનજી વળી હે ભગવન્આ “શ્રય”—બે પણ “વિરુદ્ધ –એકબીજાથી વિરુદ્ધ જતી વાત તને છે, બીજા કેઈને એમ નથી. તે બે વિરુદ્ધ વાત આ છે કે તને “પરા– સર્વોત્કૃષ્ટ નિર્બળતા-નિગ્રંથપણું છે, અને પરમ ચક્રવત્તિતા –ચકવત્તિ પણું છે. આ પણ એક આશ્ચર્ય છે! જે “ નિતા -ગ્રંથ”—ગ–અર્થ–લક્ષમીરહિતપણું છે તો “ચક્રવત્તિતા” –સકલ દ્રવ્યસંપત્તિનું પરમ એક સ્થાન કેમ? ને જે ચકવર્તિતા છે તે નિગ્રંથતા કેમ? આ વિરોધાભાસ અલંકાર છે. આ વિરોધને પરિવાર આ બીજો અર્થ લેવાથી થાય છે–ત્યારામાં પરા–સર્વોત્કૃષ્ટ “નિર્ગથતા”– ગ્રંથ –ગાંઠ–પરિગ્રહ–સંગથી સર્વથા રહિતપણું છે, અને એટલે જ સાથે ઉંચામાં ઉંચી “ચક્રવર્તિતા–પરમ ધર્મચક્રવત્તિ પણું છે,-ચક્રવત્તિને ચક્રની જેમ હારૂં અશેક ધર્મચક”—ધર્મશાસન સર્વત્ર અપ્રતિહત હોઈ ઉંચામાં ઉંચું ધર્મચક્રવત્તિપણું છે. આમ નિર્ગથતા સાથે ચકવત્તિતા વિરુદ્ધ છતાં અવિરુદ્ધ છે એ પણ એક અદૂભુત છે ! onai Page #276 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત ચારિત્ર મહિમાતિશય વીતરાગના અદ્ભુત ચારિત્ર મહિમાતિશય नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु । पवित्रं तस्य चारित्र, को वा वर्णयितुं क्षमः ? ॥७॥ જસ અપૂર્વ કલ્યાણ પમાં, મુદિત તસ નારીઓ ય સર્વ માં; પવિત્ર ચારિત્ર વર્ણવા, પુરુષ કાણુ થાયે સમથ વા? અર્થ :—–જેના સ કલ્યાણક પર્વ દિવસેામાં નારકીએ આનંદ પામે છે, તેનુ પવિત્ર ચારિત્ર વવવાને પણ કાણ સમ છે ? વિવેચન “ જેહુને હાય કલ્યાણક દિવસે, નરકે ૨૨૩ પણ અજવાળું ' —શ્રી યોાવિજયજી જ્યારે તું ગલમાં હે જગતકલ્યાણકર પ્રભુ ! આવે છે, જ્યારે તું જન્મ પામે છે, જ્યારે તું દીક્ષા ગ્રહે છે, જ્યારે તું કેવલજ્ઞાન પામે છે, અને જ્યારે તું નિર્વાણ પ્રાપ્ત કરે છે, તે તે મહાપ્રસંગેા જગત્નું કલ્યાણ કરનારા હાવાથી ‘ કલ્યાણક ' દિન તરીકે પ્રસિદ્ધ છે, અને ત્હારા જીવનમાં અંતરે અતરે આવતા પરમ પુણ્યત્તિના હૈાવાથી તે ધવ એવું ગૌરવાંકિત નામ પામ્યા છે. જેના પર્વમાં ’——મહા— 7 આવા કલ્યાણક Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વીતરાગસ્તવ સવિવેચન પુણ્યદિન પ્રસંગોમાં નિરંતર મહાદુઃખનિમગ્ન નારકીઓ પણ મુદિત થાય છે—ક્ષણભર આનંદનો અનુભવ કરે છે,– એ જેને અચિંત્ય મહાપ્રભાવ છે, એવું હારું પવિત્ર ચારિત્ર વર્ણવવાને કણ સમર્થ થાય? ન જ થાય. આમ અખિલ જગત્ પર અદ્દભુત પ્રભાવ પાડનારું હારું પવિત્ર ચારિત્ર પણ પરમ અદૂભુત જ છે. અદ્ભુતનિધિ વીતરાગને નમસ્કાર – शमोऽद्भुतोऽद्भुतं रूपं, सर्वात्मसु कृपाद्भुता। सर्वाद्भुतनिधीशाय, तुभ्यं भगवते नमः ॥८॥ [દેહરા ] શમ અદૂભુત, અદૂભુત દયા, અદૂભુત રૂપ પ્રધાન, સર્વ અદૂભુતનિધિ ઈશા, નમઃ તન ભગવાન ! ૮ અર્થ:-હારો શમ (શાંતિ) અદ્દભુત છે લ્હારૂં રૂપ અદ્ભુત છે ! સર્વ આત્માઓ પ્રત્યે હારી કૃપા અદ્દભુત છે ! સર્વ અદ્ભુતનિધિના ઈશ તું ભગવંતને નમસ્કાર છે ! વિવેચન ખી અદ્દભુત તાહરૂં રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરે જી.” –શ્રી યશોવિજયજી હે વીતરાગ ! ત્યારે “શમ”–શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં સમાઈ જવારૂપ પરમ આત્મશાંતિ અથવા રાહક અદભુવાન ! Page #278 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુતિનિધ વીતરાગને નમઢાર ૨૨૫ ' સમસ્ત કષાયાદિ વિભાવાની પ્રશાંતિરૂપ પરમ શાંતરસનિમગ્ન પરમ વીતરાગતા અદ્ભુત છે ! પરમ આશ્ચર્ય કારી છે! અનુત્તરવિમાનવાસી દેવથી પણ ‘અધિક ’–અનંતગણું સુંદર એવું ત્હારૂ' રૂપ અદ્ભુત છે-પરમ આશ્ચય કારી છે! નિષ્કારણકરુણારસસાગર હે પરમકૃપાળુ દેવ ! સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની પણ અહિંસા એ!ધનારી હારી કૃપા અદ્ભુત છે પરમ આશ્ચય કારી છે ! આમ સ અદ્ભુતિનધિના ‘ઈશ ’-ઈશ્વર-સમસ્ત આશ્ચયના નિધાનના સ્વામી તું ‘ભગવ’તને’ નમસ્કાર હા ! સમગ્ર ઐશ્વય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન ( આત્મપરાક્રમ) એ છ પ્રકારનું ‘ભગ’મહાભાગ્ય પરમેષ્કૃષ્ટ હાવાથી જે ખરેખરા યથાનામા ‘ભગવત’ છે એવા તને નમસ્કાર હા ! ॥ ઇતિ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવમાં સકાવ્યાનુવાદ–સવિવેચનમાં—સર્વ અદ્ભુતનિધિ વીતરાગના વિરાધાભાસી ગુણનિરૂપક દશમ પ્રકાશ! x ऐश्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः । धर्मस्याथ प्रयत्नस्य षण्णां भग इतीङ्गना ॥ શ્રી હરિભદ્રાચાર્ય કૃત લલિતવિસ્તરા (વિશેષ માટે જુએ મત્કૃત વિવેચન) ૧૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પ્રકાશ : અદભુત વિલક્ષણ મહિમાતિશય પરીષહ-ઉપસર્ગને હણતાં છતાં અદ્દભુત શમ!– निघ्नन्परीपहचमूमुपसर्गान्प्रतिक्षिपन् । प्राप्तासि शमसौहित्यं, महतां कापि वैदुषी!॥१॥ [કાવ્યાનુવાદ] સ્વાગતા વૃત્ત તું પરીષહની સેન હણું, ઉપસર્ગ પ્રતિક્ષેપ કરતે; તે ય પ્રાપ્ત શમ સુસ્થિતિને તું, કેઈ ચાતુરી મહંત ને શું! ૧ અર્થ - પરીષહાની સેનાને નિતાંતપણે સુણી નાંખતે અને ઉપસર્ગોને હઠાવી દે, એવો તું શમસૌહિત્યને–શમસુરિથતપણાને પ્રાપ્ત છોઅહો! મહંતની કઈ અદ્દભુત વિદ્વત્તા–ચતુરાઈ છે! - વિવેચન ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાને અંત જે, –શ્રીમદ્ રાજચંદ્રજી Page #280 -------------------------------------------------------------------------- ________________ અરક્ત મુક્તિ ભેગવે : અદ્વિષ્ટ દ્વિષ હણે! ૨૨૭ જે શમસુસ્થિત હોય તે બીજાને હણે કેમ? વા પ્રતિપક્ષીઓને ઉડાવે કેમ ? પણ હે ભગવાન! તું તે એકલા હાથે પરીષહાની મોટી સેનાને નિતાંત પણે સર્વથા હેણું નાંખે છે, અને દેવ-મનુષ્ય-તિયચકૃત ઉપસર્ગોને પ્રતિક્ષેપ-સામને કરી તેમને ઉડાવી દે છે, છતાં તું શમૌહિત્યને”-શમસૌષ્ઠવને પ્રાપ્ત છે, અર્થાત્ લ્હારૂં શમસૌહિત્ય”–શમસુસ્થિતિ પણું જેમનું તેમ અચલ અખંડ અબાધિત રહે છે! આ મ્હારી આત્મશાંતિરૂપ શમના રંગમાં કાંઈ ભંગ પડતો નથી! એ. મહાન આશ્ચર્ય છે! અહો! મહતજનોની આ “કઈ”—અવર્ણનીય અનિદેશ્ય વિદુષી ” વિદ્વત્તા–પંડિતાઈ-ચતુરાઈ છે ! અરક્ત તું મુક્તિ ભગવે ! અદ્વિષ્ટ દ્વિશત્રુ) હશે!अरक्तो भुक्तवान्मुक्तिमदिष्टो हतवान्विषः। अहो! महात्मनां कोऽपि, महिमा लोकदुर्लभः॥२॥ મુક્તિ ભેગવી અક્ત છતાં તે ! ને હણ્યા દ્વિષ અદ્વેષ છતાં તે ! લોક દુર્લભ જ કઈ મહિમા, છે મહાત્મજનને ય મહીમાં. ૨ અર્થ –અરક્ત એવા તે મુક્તિ ભોગવી ! અદ્વિષ્ટ (ટ્રેષરહિત) એવા તેં દ્વિ–શત્રુઓને હણી નાંખ્યા ! અહો ! મહાત્માઓનો કોઈ પણ (ન કહી શકાય એવો) લેક દુર્લભ મહિમા છે ! Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન રાગ વિના કિમ દાખવે રે, મુક્તિ સુંદરી માગ ? ” –શ્રી આનંદઘનજી રાગ વિના ભેગ કેમ હોય ? ને દ્વેષ વિના “દ્વિષ” –શત્રુને કેમ હશે? પણ હે વીતરાગ ! તે તે અરક્તરાગરહિત છતાં મુક્તિ ભેગી ! ને અદ્વિષ્ટ-દ્વેષરહિત છતાં દ્વિ–રાગદ્વેષાદિ આંતરશત્રુઓ હણી નાંખ્યા ! તું જે રાગી નથી તે મુક્તિ સુંદરીને રાગ કરી તે ભેગ કેમ કર્યો? અને જે ષી નથી, તે આંતરશત્રુઓને નાશ તે કેમ કર્યો? આ તે વિષમઅલંકારથી પ્રતીત થતું કેઈ વિષમ પ્રકાર છે! અહા મહાત્માઓને આ “કેઈ”—ન કહી શકાય એ “લોક દુર્લભ મહિમા છે, લેકમાં ક્યાંય મળવો દુષ્કર એ આશ્ચર્યકારી મહિમા છે ! જિગીષા વિના તું પાપભીરુએ ત્રિજગત્ જીત્યું ! सर्वथा निर्जिगीषेण, भीतभीतेन चागसः। त्वया जगत्त्रयं जिग्ये, महतां कापि चातुरी ॥३॥ સર્વથા ન જૈનવા ઈચ્છનારા, પાપથી બહુ બહું ડરનારા; તે કરી છંત ત્રણે ભુવનની, કેઈ ચાતુરી મહંત જનેની ! ૩ Page #282 -------------------------------------------------------------------------- ________________ જિગીષા વિના ત્રિગ જીત્યું ! દ્વીધા લીધા વિના પ્રભુ ! ર અર્થ :-સર્વથા જિગીષા–જીતવાની ઇચ્છાથી રહિત, અને પાપથી બહુ બહુ ભય પામેલા એવા ત્હારાથી જગતત્રય જીતાઈ ગયું! મહત્ જનાની ઢાઈ પણ અજમ ચાતુરી છે! વિવેચન જગદીશની તીક્ષ્ણ અતિ શૂરતા માહ જીત્યા.” —શ્રી દેવચ’દ્રજી 66 શૂર જિષ્ણુ ચિરકાળના જગમાં સામાન્ય નિયમ એવા છે કે જેને ‘જિગીષા’ -જીતવાની ઇચ્છા હાય અને પાપથી ‘અભીરુ ’–ન ડરનારા હાય, તે જીત મેળવવાના ઉપક્રમ કરી અનુક્રમે જીત મેળવે છે. પણ હું ભગવન્ ! ત્હારી બાબતમાં તે આથી ઉલટુ` છે, વિષમઅલ કારથી પ્રતીત થતી વિષમ સ્થિતિ છે. તું તેા સવથા નિજિગીષ’ છે, જેને ‘ જિગીષા ’– જીત મેળવવાની ઇચ્છા જ નથી એવા નિજિગીષુ છે, અને પાપથી ‘ભીતભીત’—અત્યંત અત્યંત ભીરુબહુ મહુ ડરનારા છે, છતાં ત્હારાથી ‘જગત્રય’–ત્રણે જગત્ જીતી લેવાયું છે ! એ પરમ આશ્ચય' છે ! અહા ! મહત્ પુરુષાની ‘કાઈ' પણ અવાગ્ય—ન કહી શકાય એવી ‘ચાતુરી’– ચતુરાઈ છે ! 5 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ વીતરાગસ્તવ સવિવેચન કંઈ દીધા-લીધા વિના હારું પ્રભુત્વ ! અદ્ભુત કળા!दत्तं न किञ्चित्कस्मैचिन्नात्तं किञ्चित्कुतश्चन । प्रभुत्वं ते तथाप्येतत्कला कापि विपश्चिताम् ॥४॥ કઈને કઈ ય તે ન જ દીધું, કઈ પાસથી ન તે કંઈ લીધું તેય તૂજ પ્રભુતા પ્રભુ ! આ છે! એવી કે બુધજનેની કલા છે! ૪ અર્થ - તેં કઈને કંઈ પણ દીધું નથી, અને કેાઈ પાસેથી તેં કાંઈ પણ લીધું નથી; તથાપિ હારું આ પ્રભુત્વ છે! હે વિદ્રજજનેની કેઈ પણ (અકલ) કલા છે! વિવેચન “શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહી ન જાય.” –શ્રી દેવચંદ્રજી જગમાં એવું સામાન્યપણે દેખાય છે કે રાજા વગેરે જે કઈ પ્રભુ-સ્વામી હોય તે કોઈ પ્રત્યે પ્રસન્ન થતાં દાન–બક્ષીસ વગેરે દીએ છે, અને પ્રજાજનાદિ પાસેથી નજરાણું –ભેટ-સોગાદ-કર આદિ લીએ છે. આમ દાન–આદાનમાં–દેવા–લેવામાં જેનું સમર્થપણું હોય અને કર્તા-હર્તાપણાથી સર્વ કાર્યમાં સ્વતંત્રપણું હોય તે “પ્રભુ” કહેવાય છે. પણ હે પ્રભુ! હારામાં તે આનાથી ઉલટી જ Page #284 -------------------------------------------------------------------------- ________________ અન્યને દેહદાનથીય ન મળ્યું તે સુકૃત હારા ચરણે! ૨૩૧ પરિસ્થિતિ જણાય છે! વિષમઅલંકારથી સમજાતી વિષમતા જ દેખાય છે! તેં કેઈને પણ કિંચિત્ પણ દીધું નથી ને કેઈની પણ પાસેથી કિંચિત્ પણ લીધું નથી– ગ્રહણ કર્યું નથી, તે પણ હારૂં “આ”–પ્રગટ દેખાતું પ્રભુત્વ”ત્રિભુવનપ્રભુપણું–ત્રિભુવન સ્વામિપણું છે! અહો ! આ તે “વિપશ્ચિની”—વિદગ્ધ વિદ્વજનની કેઈ “અકલ” -કળી ન શકાય એવી આશ્ચર્યકારક અદ્ભુત કલા છે! અન્યને દેહદાનથી ય ન મળ્યું, તે સુકૃત હારા ચરણે આવ્યું ! यदेहस्यापि दानेन, सुकृतं नार्जितं परैः। उदासीनस्य तन्नाथ! पादपोठे तवालुठत् ॥५॥ દેહ દાનથી ય સુકૃત ના જે, અન્યદર્શનીય અન્ય ઉપાજે; તું ઉદાસીનની પાદપડે તે, આવી નાથ ! સ્વયમેવ ઉઠે તે. ૫ અર્થ -પોતાના દેહના પણ દાનથી જે સુકૃત– (પુણ્યકર્મ) પરોથી–અન્યદર્શનીઓથી ઉપાર્જવામાં આવ્યું નથી, તે સુકૃત હે નાથ ! ઉદાસીન એવા લ્હારી ચરણપીઠે આવ્યું છે ! Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ વીતરાગસ્તવ સવિવેકાન વિવેચન અભયદાન તે મલક્ષય કસણું, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિકૃત ઉદાસીનતા, ઇમ વિરોધ મતિ નારે.” –શ્રી આનંદઘનજી અન્યદર્શનીઓમાં-દા. ત. બૌદ્ધોમાં એવા દષ્ટાંત પ્રસિદ્ધ છે કે બધિસત્વે કરુણાક્ થઈ પક્ષીના ભક્ષણાર્થે પિતાના દેહનું પણ દાન કર્યું. આવા પિતાના પ્રિયમાં પ્રિય સ્વદેહના પણ દાનથી જે “સુકૃત”—શુભ પુણ્યકર્મ “પરથી”—અન્યદર્શની બીજાઓથી ઉપાજવામાં આવ્યું નથી, તે સુકૃત તે હે નાથ ! સ્વયં સામેથી આવીને તું ઉદાસીનના પાદપીકે આળહ્યું છે ! રાગ-દ્વેષ–મેહ આદિથી અસ્પૃશ્ય એમ “ઉત્”—ઉંચે “આસીન –બિરાજમાન તું ઉદાસીનના-નિરપેક્ષ ઉપેક્ષાવંતના ચરણપીઠમાં આવીને આળોટયું છે ! જે સુકૃતને માટે બીજાઓ મથી મથીને મરી ગયા, તે સુકૃત હારી ચરણસેવા માટે સામેથી આવ્યું છે ! ત્યે સાહેબ ! અમારી સેવા સ્વીકારે ! ક્રૂર-કૃપાળુ “ભીમ-કાંત ” ગુણથી હારી સામ્રાજ્યસિદ્ધિ!रागादिषु नृशंसेन, सर्वात्मसु कृपालुना । भीमकान्तगुणेनोच्चैः, साम्राज्यं साधितं त्वया ॥६॥ રાગ આદિ પ્રતિ ક્રૂર દયાળુ ! | સર્વ આત્મ પ્રતિ પૂર્ણ કૃપાળુ ભીમ-કાંત અતિ એ ગુણવંત, તુથી સાધિત સુરાજ્ય મહંત. ૬ ' ' Page #286 -------------------------------------------------------------------------- ________________ ભીમ-ાંત ગુણથી સામ્રાજ્ય સિદ્ધિ ! ૨૩૩ 1 ' અર્થ –રાગ આદિ પ્રત્યે નૃશંસ ’–ધાતકી કંઠાર અને સર્વ આત્માએ પ્રત્યે કૃપાળુ,—એમ ‘ભીમ' ભય – કર ‘કાંત’–રમણીય ગુણવાળા હૈારાથી ઉંચું સામ્રાજ્ય સાધવામાં આવ્યુ. વિવેચન ( ' “ કરુણા કામળતા તીક્ષણતા, ઉદાસીનતા સાહે રે, ” શ્રી આનઘનજી સામ્રાજ્ય સાધનારમાં એ ગુણ મુખ્યપણે આવશ્યક મનાય છે—‘ભીમ’અને ‘કાંત’; ‘ભીમ' એટલે શત્રુએ પ્રત્યે ભીષણ–ભયંકર, અને ‘કાંત' એટલે મિત્રો પ્રત્યેપ્રજાપ્રત્યે કરુણા-કામળતા આદિથી કમનીય–સુંદર. આ અને વિરાધાભાસી ગુણેાના હારામાં સમન્વય થયેા છે. તું રાગઆદિ આંતર્શત્રુએ પ્રત્યે ‘નૃશ’સ ’–કઠાર–દયાહીન નિર્દય ધાતકી છે, ‘અરિહંત' છે; અને સર્વ જગજંતુ પ્રત્યે દયાના નિમલ પ્રવાહ વહાવ્યેા હૈાવાથી સવ આત્માએ પ્રત્યે ‘પરમ કૃપાળુ’-કરુણાળુ દેવ છે. આમ ભીમ-કાંત’– ભય'કર–કમનીય ગુણનું જ્યાં સુભગ સ’મીલન થયું છે એવા તે હે વીતરાગ ! મહાન્ સામ્રાજ્ય સાધ્યું છે! અને તે સામ્રાજ્ય ખીજુ કાઈ નહિં પણ આંતરિક શમસામ્રાજ્ય છે, સહજાત્મસ્વરૂપ આધ્યાત્મિક સામ્રાજ્ય છે, કે જ્યાં રાગાદિ આત્મશત્રુઓને લેશમાત્ર ઉપદ્રવ છે નહિં અને આત્માના જ્ઞાનાદિ ગુણુરૂપ પ્રજાની પૂર્ણ સુખશાંતિ–પરમ સમાધિ વત્ત છે. 凯 – Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વીતરાગસ્તવ સવિવેચન અન્યમાં સર્વ દેષ, હારામાં સર્વ ગુણ !– सर्व सर्वात्मनाऽन्येषु, दोषास्त्वयि पुनर्गुणाः । स्तुतिस्तवेयं चेन्मिथ्या, तत्प्रमाणं सभासदाः ॥७॥ સર્વથા સકલ દેશ પરેમાં, - સર્વથા સકલ ગુણ તુંહીમાં હોય એહ સ્તુતિ જે તુજ મિથ્યા, હે સભાસદ પ્રમાણ અહીંઆ ! ૭ અર્થ:-સર્વે સર્વાત્માથી–સર્વથા અન્યમાં દે છે; પુનઃ (સર્વે સર્વાત્માથી) ત્યારામાં ગુણે છે. આ હારી સ્તુતિ જે મિસ્યા હોય, તો અત્રે સભાસદે પ્રમાણ છે. વિવેચન ગુણુ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે.) –શ્રી યશોવિજયજી હે વિતરાગ દેવ! બીજાઓમાં–અન્ય દેવાદિમાં સર્વે સર્વાત્માથી–સર્વથા દે છે, અને ત્યારામાં સર્વે સર્વાત્માથી–સર્વથા ગુણો છે. બીજાઓ તે રાગી ભક્ત પ્રત્યે વા સ્ત્રી આદિ પ્રત્યે રાગ કરે છે, શત્રુ પ્રત્યે દ્વેષ ધરે છે, પ્રતિપક્ષીઓને હણવા કોધાદિ કરે છે. આમ મેહ-રાગ-દ્વેષ–કોધ-માન-માયા-લેભ આદિ સર્વ દે સર્વથા બીજાઓમાં પ્રગટ દેખાય છે. આથી ઉલટું હારામાં નથી મેહ, નથી રાગ, નથી શ્રેષ, નથી ક્રોધ, Page #288 -------------------------------------------------------------------------- ________________ અન્યમાં સર્વ દોષ: હારામાં સર્વ ગુણ! ૨૩૫ નથી માન, નથી માયા, નથી લભએમ સર્વથા દેષઅભાવરૂપ સર્વ અભાવાત્મક (Negative) ગુણો હારામાં છે એટલું જ નહિ, પણ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અનંત વીર્ય એ આદિ સર્વ સભાવાત્મક (Positive) ગુણો સર્વથા હારામાં પ્રગટ દેખાય છે. આ જે લ્હારી સ્તુતિ હું કરું છું તે મિથ્યા-ખાટી–ફોગટ હાય, તા અત્રે આ બાબતમાં “સભાસદે”—સન્યાયસભાના પ્રમાણિક પરીક્ષકો પ્રમાણ છે! સ્વ–પરના પક્ષપાતથી રહિતપણે મધ્યસ્થ દષ્ટિથી તેઓ આ જે મેં કહ્યું તેની પરીક્ષા કરી જે કહે તે ખરૂં! મહંતમાં મહંત તું પૂજ્ય મ્હારા સ્તુતિગોચરમાં! महीयसामपि महान्, महनीयो महात्मनाम् । अहो ! मे स्तुवतः स्वामी, स्तुतेर्गौचरमागमः॥८॥ દેહરા તું મહનીય મહાતમ ને, મહાનથી ય મહાન; આ મુજ સ્તુતિગોચરે, સ્તવતાં હે ભગવાન ! ૮ અર્થ –મહીયસેથી–મહાનમાં મહાનથી પણ મહાન, મહાત્માઓને મહનીય—પૂજનીય એ તું સ્વામી અહો ! સ્તવતાં મહારી સ્તુતિના ગોચરમાં (વિષયમાં) આ! વિવેચન લઘુ પણ તુમ દિલ નવિ માવું રે, જગગુરુ તમને દીલમેં લાવું રે... એમાં કુણને દીજે સાબાશી –શ્રી યશોવિજયજી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ વીતરાગસ્તવ સવિવેચન જગમાં જે “મહીયસ”-ઇંદ્ર-ચંદ્ર-ચક્રવતી આદિ લોકપાલાદિ અથવા જગગુરુગીન્દ્ર આદિ મહામાં મહાન ગણાય છે, તે સર્વ “મહીયસૂથી”—મહાનમાં મહાનથી પણ –મહત્તમથી પણ તું મહાન છે ! યેગીન્દ્ર જગદ્ગુરુઓને પણ પરમ જગગુરુ તું મહંતમાં મહંત છો ! બીજા સામાન્ય આત્માઓથી જે મહાન છે એવા મહાત્માઓથી પણ તું “મહનીય–પૂજનીય–પૂજવા ગ્ય છે ! અહો ! આશ્ચર્ય છે કે આ મહત્તમમાં મહત્તમ તું સ્વામી લઘુતમમાં લઘુતમ એવા હારી નાનકડી સ્તુતિને “ગોચરમાં” –વિષય ક્ષેત્રમાં આવી ગયો ! આવા મહામાં મહાને પણ મેં સ્તવન કરતાં મ્હારી સ્વલ્પ સ્તુતિમાં સમાવી દીધે! આમાં કોને સાબાશી દેવી ? તું ભગવાનને? કે તું ભગવાનના દાસ આ હેમચંદ્રને ? એમ અત્ર ધ્વનિ છે,–આ તે લઘુ પણ તુમ દિલ નવિ માવું રે, જગગુરુ તુમને દીલ મેં લાવું રે....એમાં કુણને દીજે સાબાશી રે' એમ શ્રી યશોવિજયજીએ માર્મિક રીતે કહેલા ભાવ જે અભુત ભાવ થયે ! | ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ– વિવેચનમાંઅદ્દભુત વિલક્ષણ મહિમાતિશયવર્ણનાત્મક એકાદશ પ્રકાશ Page #290 -------------------------------------------------------------------------- ________________ - - - - - દ્વાદશ પ્રકાશ: અદભુત અલૌકિક વૈરાગ્ય પૂર્વે પટુ અભ્યાસથી હારો આજન્મ વૈરાગ્ય– पट्वभ्यासादरैः पूर्व, तथा वैराग्यमाहरः । यथेह जन्मन्याजन्म, तत्सात्मीभावमागमत् ॥१॥ (કાવ્યાનુવાદ :) અનુષ્ય ૫૮ અભ્યાસથી પૂર્વે, એ વૈરાગ્ય તે લહ્યો; કે તે આજન્મ આ જન્મે, સાત્મભાવ ધરી રહ્યો.૧ અર્થ –પૂર્વે ૫-નિપુણ અભ્યાસઆદરથી તું એ વૈરાગ્ય લાગે કે જેથી આ જન્મને વિષે તે આજન્મ– જન્મથી માંડીને સાત્મભાવ પામી ગયો! વિવેચન “વીતરાગ શુચિ રાગ કરે વીતરાગતા હો લાલ –શ્રી દેવચંદ્રજી હે ભગવદ્ તું આજન્મ વૈરાગ્યસંપન્ન છે. તે હારી પૂર્વની પ્રબલ આરાધનાનું સહજ ફલ છે અને તેનું રહસ્યભૂત કારણ આ છે કે “પૂ–પૂર્વ જન્મમાં “પ”નિપુણ-કુશળ અભ્યાસના આદરે કરીને-પરમાદરપૂર્વક Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વીતરાગસ્તવ સવિવેચન આત્યંતિક અભ્યાસ કરીને તું એ તે અપૂર્વ વિરાગ્ય લઈને આવ્યો, કે “આ જન્મમાં—આ તીર્થકર જન્મમાં “આજન્મ-જન્મથી માંડીને તે વરાગ્ય ત્યારે સાલ્મીભાવ પામી ગયે-આત્મારૂપ ભાવ થઈ ગયે, હારા આત્માને સહજ સ્વભાવભૂત-સહજાન્મસ્વરૂપ ભાવ બની ગયો. આ પ્રકાશમાં વીતરાગ ભગવાનના અભુત અલૌકિક વૈરાગ્યનું દિગ્દર્શન કરાવ્યું છે, તેમાં આ પ્રથમ લેકમાં ભગવાનના આજન્મ પરમ વૈરાગ્યનું રહસ્યકારણ તે વૈરાગ્યની પૂર્વ જન્મમાં ઉત્કટ આરાધના છે એમ દર્શાવ્યું છે.' 1. જેવો સુખહેતુમાં તે દુઃખહેતુમાં વૈરાગ્ય નહિ ! दुःखहेतुषु वैराग्यं, न तथा नाथ ! निष्तुषम् । मोक्षोपायप्रवीणस्य, यथा ते सुखहेतुषु ॥२॥ નાથ! નિgષ વૈરાગ્ય, ના તે દુઃખહેતુમાં. મેલેપાયે પટુ હારે છે જે સુખહેતુમાં ૨ અર્થ –હે નાથ! મિક્ષઉપાયમાં પ્રવીણ–નિપુણ એવા હારે દુઃખહેતુઓમાં તે નિખુષ (શુદ્ધ) વૈરાગ્ય નથી કે જે સુખહેતુઓમાં છે! વિવેચન દુઃખમાં કાયાપણું કદાપિ બીજા નું પણ સંભવે છે. પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયાપણું, તે સુખનું અણગમવાપણું, નીરપણું પરમાર્થમાપુિરુષને હેાય છે. – શ્રી શ્રીમદ્ રાજચંદ્ર અં૩૭૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ જેવો સુખહેતુમાં તેવો દુ:ખહેતુમાં વૈરાગ્ય નહિ! ૨૩૯ હે નાથ! “દુખમેં પ્રભુકું સહુ ભજે, સુખમેં ભજે ન કય” એ લોકોક્તિ પ્રમાણે સાંસારિક દુઃખના કારણરૂપ એવા રોગ–ક-દુઃખ-દારિદ્ય આદિ પૌગલિક દુઃખહેતઓ આવી પડે તે સર્વ કેઈને વૈરાગ્ય સુલભ છે, પણ સાંસારિક સુખના કારણરૂપ પંચેંદ્રિય સાધનની વિપુલતારૂપ સંપૂર્ણ સુખસમૃદ્ધિ જ્યાં છે એવા પૌગલિક સુખહેતુઓ મધ્યે વિરાગ્ય ઉપજ કે રહે દુર્લભ છે. દુઃખહેતુઓમાં વૈરાગ્ય સર્વ કેઈ ને હોય, પણ સુખહતુઓમાં વૈરાગ્ય તો કેઈ હારા જેવા વિરલાને જ હોય. વળી હારી બાબતમાં તે એર વાત એ છે કે-દુઃખહેતઓમાં જે “નિgષ –ફેતર વિનાને ચોકખેચક શુદ્ધ વિરાગ્ય નથી તે વૈરાગ્ય તને સુખહેતુઓમાં છે! ખરેખર! તું સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર એ મોક્ષહેતુઓમાં પ્રવીણ”-નિષ્ણાત-નિપુણ છે, એટલે જ આમ બની શકે છે. કારણ કે સમ્યગ્ગદષ્ટિ જ્ઞાનીને મન તે “રજકણ કે ઋદ્ધિ વિમાનિક દેવની, સેવે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જે” એવી તત્વદષ્ટિ ઉજજાગૃત છે. એટલે સાંસારિક સુખહેતઓમાં પણ એને પરમ વૈરાગ્ય વર્તે છે અને ભાવે છે કે–આ “લપ” વળી કયાંથી આવી પડી ! અને હે ભગવાન! તું તે પરમ સમ્યગદષ્ટિ જ્ઞાની છે એટલે આમ સુખહેતુઓમાં પણ ત્યારે વૈરાગ્ય પરમ પરાકાષ્ઠાને પામ્યો હોય એમાં પૂછવું જ શું? વિક-શરાણે સજેલું તીક્ષ્ણ વૈરાગ્ય શસ્ત્ર – विवेकशाणे वैराग्यशस्त्रं शातं त्वया तथा । यथा मोक्षेऽपि तत्साक्षादकुण्ठितपराक्रमम् ॥३॥ mational Page #293 -------------------------------------------------------------------------- ________________ વિતરાગસ્તવ વિવેશન વૈરાગ્યશસ્ત્ર તે... એવુ, સખ્યુ. વિવેક શાણુમાં, કે મેાક્ષે પણ તે સાક્ષાત્, અકુતિ પરાક્રમી. ૩ ૨૪૦ અર્થ :વૈરાગ્યરૂપ શસ્ત્રને તે વિવેકરૂપ શરાણુ પર એવુ તા સર્જ્યું, કે તે મેક્ષમાં પણ સાક્ષાત્ અકુંઠિત (બુઠ્ઠું' નહિં એવું) પરાક્રમવાળુ રહ્યું ! વિવેચન “વીતરાગ શું રે રાગ તે એકપખા, કીજે કત્રણ પ્રકારેાજી ! '”—શ્રી યોવિજયજી શસ્ત્રને તીક્ષ્ણ-ધારદાર કરવા માટે શરાણુ પર સજવામાં આવે છે. તે પ્રસંગની અત્ર ભગવાનના વૈરાગ્યમાં રૂપકઘટના કરતાં કવિ કહે છે કે હે વીતરાગ ! તે વૈરાગ્યરૂપ શસ્ત્રને સત્–અસના ભેદરૂપ અથવા આત્માઅનાત્માના ભેદવિજ્ઞાનરૂપ વિવેકની શરાણા પર એવું તા સજ્યું–એવું તેા તીક્ષ્ણ ધારદાર બનાવ્યું કે તે મેક્ષમાં પણ સાક્ષાત્ · અકુ ંઠિત ’-બુઢ્ઢા નહિં એવા પરાક્રમવાળુ` રહ્યું. અર્થાત્ તેની ધાર જરા પણ ખુઠ્ઠી થઈ નહિં, તે વૈરાગ્યશસ્ત્ર તેવું ને તેવું જ તીક્ષ્ણ ધારવાળું કાયમ રહ્યું અને આંતર્ર્શત્રુઓના વિદ્યારણરૂપ પેાતાના કામમાં તેવું ને તેવું જ મહાપરાક્રમ દાખવી રહ્યું! આવું તીક્ષ્ણ વૈરાગ્ય શસ્ત્ર. ધરનારા આ વીતરાગ પુરુષસિંહ ' લલિતવિસ્તરા'માં કહ્યું છે તેમ ‘કમ શત્રુએ પ્રતિ ક્રૂરતાથી, તેના ઉચ્છેદન પ્રતિ ક્રૂરતાથી, ક્રોધાગ્નિ પ્રતિ અસહનતાથી, રાગાદિ પ્રતિ ' ' Page #294 -------------------------------------------------------------------------- ________________ વિવેક શરાણે સજેલું તીક્ષ્ણ વૈરાગ્ય શસ્ત્ર ૨૪૧ વીર્યગથી, તપ કર્મ પ્રતિ વીરતાથી ખ્યાત છે. ૪ અર્થાત્ કર્મશત્રુઓ સાથે આત્માના સનાતન યુદ્ધમાં તેઓ અદ્ભુત શૂરતા દાખવે છે, તે કર્મરિપુઓના ઉચ્છેદનમાં– નિમૅલ નાશમાં તીણ ક્રૂરતા બતાવે છે, ક્રોધ-માન આદિ કષાયની હાજરી ક્ષણ પણ ન સહી શકે એવી ઉત્કટ અસહનતા ધરાવે છે, રાગ-દ્વેષાદિ વિભાવોના ઉન્મેલનમાં અપૂર્વ વીર્યગ–આત્મસામર્થ્ય ફુરાવે છે, અને તપઅનુષ્ઠાનમાં અનુપમ વીરતા પ્રદર્શાવે છે. ક દેવેન્દ્રાદિ શ્રી ભોગવતાં પણ હારૂં વિરક્તપણું !यदा मरुनरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥४॥ જ્યારે નરેદ્ર દવે, શ્રી ભગવાય તું થકી ત્યારે ય રતિ જ્યાં ત્યાં તે, હારી વિરક્તતા નકી ૪ અર્થ-જ્યારે દેવેન્દ્રશ્રી (દેવલમી) કે નરેદ્રશ્રી– રાજલક્ષ્મી હે નાથ! લ્હારાથી ઉપભાગવામાં આવે છે, ત્યારે પણ જ્યાં ત્યાં રતિ તે તે ખરેખર! લ્હારું વિરક્તપણું છે! ___x “ ख्याताश्च कर्मशत्रून् प्रति श्रतया, तदुच्छदनं प्रति क्रौर्येण, क्रोधादीन् प्रति असहनतया, रागादीन् प्रति वीर्ययोगेन, तपःकर्म प्रति વીરતયા”–શ્રી હરિભદ્રાચાર્યજી કૃત લલિતવિસ્તરા સૂ-૬૭. ૧૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વિવેચન ' રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રના, પ્રભુ! કાઈ ન પામે હે। તાગ ” —શ્રી યશોવિજયજી અપ્રાપ્તના ચેાગ ને પ્રાપ્તનું' ક્ષેમ કરનારા એવા હે યથા નામા નાથ ! ’ દેવલેાકને વિષે દેવેન્દ્રલક્ષ્મીના અને મનુષ્યલેાકને વિષે નરેન્દ્રલક્ષ્મીના ઉપભાગ ત્હારાથી કરવામાં આવે છે, ત્યારે પણ જ્યાં ત્યાં−ગમે ત્યાં ‘રતિ’ તે તે વાસ્તવિક રીતે ખરેખર! ત્હારી ‘ વિરક્તિ જ ' છે છે-વિરક્તતા જ છે ! કારણ કે ત્હારી વિષયેા પ્રત્યેની વિરક્તિ-અનાસક્તિ એટલી બધી ઉત્કટ છે, કે અંતરંગ અનિચ્છા છતાં પૂર્વ પ્રારબ્ધ વશે ભેાગાવલીકના ઉદયથી હારે પરાણે ’સંસારસ્થિતિ-ગૃહાવાસસ્થિતિ કરવી પડે, ત્યારે પણ–ભાગપક મધ્યે પણ જ્યાં ત્યાં માહ્ય દૃષ્ટિજનને ખાહ્ય આચરણ દેખતી બાહ્ય દૃષ્ટિથી ‘રતિ’ દીસે છે; તે તે અંતર્દષ્ટિજનને અંતર્ચેષ્ટા દેખતી અંતર્દિષ્ટથી હારૂં ખરેખરૂં વિરક્તપણું જ જણાય છે! હારા વૈરાગ્યનું સામર્થ્ય એટલું બધું ઉત્કટ છે કે તું ભાગપક મધ્યે પણ ખરડાયા નથી ! આમ ભાગી છતાં ચેાગી એવી રીતે સંસારમાં ખરેખરા નિર્દંભ અનાસક્તવિરક્ત ભાવે તું જલકમલવત્ નિલે પ રહ્યો, એવી હારી સાગર જેવા ગભીર ચિત્તની ત્રણે કાળે પરમ વૈરાગ્યવાન્ પરમ ગંભીર વિરક્તદશાને તાગ પ્રાકૃતજના કેમ પામી શકે? ( વીતરાગસ્તવ સવિવેચન Page #296 -------------------------------------------------------------------------- ________________ દેવેન્દ્રાદિ શ્રી ભોગવતાં પણ વિરતપણું ૨૪૩ " तदज्ञानस्यैव सामर्थ्य वैराग्यस्य च वा किल । થોડા Íમ: કર્મ, મુનોડ ન વધ્યતે ” શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકળશ સમ્યગુદષ્ટિ એગી પુરુષે કવચિત્ પ્રારબ્ધદયથી સંસારપ્રસંગમાં વત્તે, તે પણ નિરંતર અસંગપણને જ ભજે છે. બહિદષ્ટિ જગજજીની દષ્ટિએ અવિરતિ દેખાવા છતાં અંતર્થી–ભાવથી તો તેઓ સાધુચરિત વિરતિ જ હોય છે. આ સમ્યગૃષ્ટિ મહાત્માઓનું શરીર સંસારમાં અને મન મોક્ષમાં હોય છે. “મોક્ષે વિત્ત મ તનુ ” એટલે તેને સર્વ જ ચોગ-ધર્મઅર્થાદિ સંબંધી વ્યાપાર પણ ગરૂપ જ હોય છે. મંત્રપૂતળીની જેમ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જેની સર્વ પ્રવૃત્તિ ચાલે છે, એવા નિરિછ સમ્યગદષ્ટિ યોગીપુરુષની સમસ્ત સંસારચેષ્ટા ભાવપ્રતિબંધ વિનાની, અનાસક્ત ભાવવાળી હોય છે. એટલે નેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે તે કરાધાકડ જ્ઞાનીને કર્મ રજ વળગતી નથી. જ્ઞાની ભોગવતાં છતાં બંધાતા નથી ને અજ્ઞાની નહિં ભેગવતાં છતાં બંધાય છે! એ વિલક્ષણ વાત જ્ઞાનીના અપૂર્વ જ્ઞાનનું કે અનન્ય વૈરાગ્યનું અદ્ભુત સામર્થ્ય સૂચવે છે. પતિવ્રતા સ્ત્રીનું મન જેમ ઘર સંબંધી બીજા બધાં કામ કરતાં છતાં સદા પ્રિયતમ એવા ભર્તારને વિષે લગ્ન હોય છે, ગાય વનમાં જઈ ચારો ચરે ને ચારે દિશામાં ફરે છે, પણ તેની દષ્ટિ તો સદાય તેના વહાલા વત્સમાં જ ટેલી હોય છે, તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વીતરાગસ્તવ સવિવેચન સંબંધી બીજાં કાર્ય કરતાં છતાં સદાય કૃતધર્મમાં જ લીન હોય છે. આમ શ્રત ધર્મ અર્થાત્ સત્પરુષ સમીપે શ્રવણ કરેલે આત્મધર્મ જેના ચિત્તને નિત્ય આક્ષેપે છે, લેહચુંબકની જેમ આકષી પિતા ભણી ખેંચી રાખે છે, તે જ્ઞાનાક્ષેપકવંત સમર્થ ચોગીને ભોગો પણ ભવહેતુ થતા નથી. મેહમયી માયા મધ્યે પણ સદા અમેહસ્વરૂપી એવા દુષ્કરદુષ્કરકારી જ્ઞાની તો ભેગપંક મધ્યે પણ જલમાં કમલની જેમ લેવાતા નથી, ખરડાતા નથી. એનું ઉત્તમ ઉદાહરણ શ્રી તીર્થકર ભગવાન છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા, ભગપંક મળે પણ જલકમલવત્ અલિપ્ત હતા. અને એવું જ ઉજજવલ જીવતું જાગતું ક્વલંત દષ્ટાંત વર્તમાનયુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ અસંગ જ્ઞાની પુરુષના અધ્યાત્મ–ચરિત્રમાં સુજ્ઞ જિજ્ઞાસુને પ્રાપ્ત થાય છે, ને તેની સાક્ષી તેમના વચનામૃત જ પૂરે છે.”—પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૨૧ (રવરચિત). સંયોગ પ્રહણાવસરે તે પરમ વૈરાગ્ય– नित्यं विरक्तः कामेभ्यो, यदा योग प्रपद्यसे। अलमेभिरिति प्राज्यं तदा वैराग्यमस्ति ते ॥५॥ નિત્ય વિરક્ત કાથી, તું જયારે ગ સંગ્રહ સર્યું આથી !” ગણી ત્યારે, વૈરાગ્ય ઉગ્ર તું લહે. ૫ Page #298 -------------------------------------------------------------------------- ________________ સંયમ રોગ ગ્રહણવસરે તે પરમ વૈરાગ્ય ૨૪૫ અર્થ –કામેથી નિત્ય વિરક્ત એ તું જ્યારે આ કામગથી સર્ય!” એમ ભાવીને વેગ અંગીકાર કરે છે, ત્યારે તે ત્યારે વૈરાગ્ય એર પ્રબળ હોય છે. વિવેચન સયેલ સંસારી ઢિયરામી, મુનિ ગુણ આતમરામી રે.” - શ્રી આનંદઘનજી આમ અવિરતિરૂપ ગૃહસ્થાવસ્થામાં પણ સદાય હારો પરમ વિરાગ્ય હતો જ; સર્વ પ્રકારના કામથી”—વિષયેછાઓથી વા કામગોથી તું નિત્ય વિરક્ત વર્તાતે હતે જ. આ નિત્ય વિરક્ત તું જ્યારે “આ કામગથી સયું !”—બસ થયું !—એમ ભાવીને વેગ અંગીકાર કરે છે, સર્વવિરતિરૂપ સંજમગને ધારણ કરે છે, ત્યારે તો ત્યારે વૈરાગ્ય અતિ અતિ વિશાળતાને પામી ઓર પ્રબળઉગ્ર બની જાય છે, નિરવધિ બની માઝા મૂકે છે. સંગરૂપ ભેગપંક મળે પણ જે નિત્ય વિરક્તને પરમ વિરાગ્ય વર્તતે હતો, તેને અસંગ ચગ-રંગ મધ્યે પરમ વૈરાગ્યનું પૂછવું જ શું ? એટલે જ બાહ્યાભ્યતર સંગરૂપ સર્વ પરભાવ વિભાવથી વિરામ પામી, “જ્ઞાનનું ફલ વિરતિ” એ વીતરાગવચનને તેઓ સત્ય કરે છે. ક્ષીર–નીર જેમ સ્વપરનો ભેદ, આત્મા–અનાત્માને વિવેક જેણે કર્યો છે, એવા આ પરમહંસે શુદ્ધ માનસ–સરોવરના નિર્મલ અનુભવ જલમાં ઝીલે છે. જીવન મુક્તપણની પાંખે ઊંચા ચિદાકાશને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વીતરાગસ્તવ સવિવેચન વિષે ઊડતા આ વિહગ જેવા અપ્રતિબદ્ધ સંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કયાંય પણ પ્રતિબંધ કરતા નથી.”—પ્રજ્ઞાવધ ક્ષમાળા પાઠ ૨૧ (સ્વરચિત) સુખ-દુઃખમાં ભવ–મેક્ષમાં ઔદાસભ્ય ત્યારે વૈરાગ્ય જ– सुखे दुःखे भवे मोक्षे, यदौदासीन्यमीशिषे । तदा वैराग्यमेवेति, कुत्र नासि विरागवान् ? ॥६॥ સુખે દુખે ભવે મોક્ષે, જ્યારે દાસ્ય ધાર તું; વૈરાગ્ય જ તને ત્યારે, કયાં ન વૈરાગ્યવાન તું ? ૬ અર્થ –સુખમાં-દુઃખમાં, ભવમાં–મેક્ષમાં જ્યારે તું “ઔદાસીન્ય”—ઉદાસીનપણું વેદે છે, ત્યારે તને વૈરાગ્ય જ વર્તે છે. હે વીતરાગ! તું ક્યાં વિરાગવાનું નથી? વિવેચન ભવ મેલે પણ વર્તે શુદ્ધ સમભાવ જે " –શ્રીમદ્ રાજચંદ્રજી સુખ છે કે દુઃખ હે, ભવ–સંસાર છે કે મેક્ષ હો,–તે સર્વમાં તે “ઔદાસીન્ય”—ઉદાસીનપણું–ઉપેક્ષાભાવ વેદે છે; રાગ-દ્વેષાદિ ઢંઢો સ્પર્શી શકે એમ “ઉ” –ઉંચે “આસીન'–બિરાજમાન એવું ઉદાસીનભાવરૂપ સર્વદ્વદ્વાતીતપણું તું અનુભવે છે. સુખમાં તું હર્ષ પામતો નથી કે દુઃખમાં તું ઉદ્વિગ્ન થતા નથી,-તુલાનુપ્રિમના સુપુ વિતરણુ! તેમજ ભવથી તું ભય Page #300 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વૈરાગ્ય તે એક હારામાં જ ૨૪૭ પામતો નથી કે મેક્ષની તું સ્પૃહા કરતો નથી. આ પ્રકારે સર્વત્ર તું સમચિત વતે છે,–આવું તું પરમ ઉદાસીનપણું થરે છે, ત્યારે તે પણ ત્યારે પરમ વૈરાગ્ય જ છે. આમ જ્યાં જ્યાં જે જે રીતે અને જે જે દૃષ્ટિએ જોઈએ ત્યાં ત્યાં તે તે રીતે અને તે તે દૃષ્ટિએ સર્વત્ર હારે વૈરાગ્ય વૈરાગ્ય ને વૈરાગ્ય જ દેખાય છે. ખરેખર ! એવું કયું સ્થળ છે કે જ્યાં તને વૈરાગ્ય નથી ? જ્ઞાન વૈરાગ્ય તો એક હારામાં જ– दुःखगर्भे मोहगर्भे, वैराग्ये निष्ठिताः परे । ज्ञानगर्भ तु वैराग्यं, त्वय्येकायनतां गतम् ॥७॥ ખગભ મેહગર્ભ, વૈરાગ્યે નિષ્ટ છે પરે; જ્ઞાનગર્ભ તુમાં પાયે, એકાશ્રયપણું ખરે. ૭ અર્થ–બીજાઓ–અન્યદર્શનીઓ દુ:ખગર્ભ કે મેહગર્ભ વૈરાગ્યમાં નિષ્ઠિત છે, પણ જ્ઞાનગર્ભ વૈરાગ્ય તે હારામાં જ એકાશ્રયપણને પામે છે. વિવેચન પ્રીતિ કરે તે રાગીઆ, જિનવરજી હો તુમે તે વીતરાગ; પ્રીતડી જે અરાગથી, ભેળવવી છે તે લોકોત્તર માર્ગ – શ્રી દેવચંદ્રજી મહાન શ્રીહરિભદ્રસૂરિએ અષ્ટકમાં સ્પષ્ટ વિવરી બતાવ્યું છે તેમ-જગતમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય પ્રવર્તે છે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વીતરાગસ્તવ સવિવેચન દુઃખગર્ભિત, મેહગર્ભિત, જ્ઞાનગર્ભિત. મરણ–રેગ-શેક દારિદ્યાદિ સાંસારિક દુઃખની આપત્તિથી જે ક્ષણિક આવેશરૂપ “મસાણીઓ વૈરાગ્ય ઉપજે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય; તત્વનું જ્યાં સમ્યફજ્ઞાન નથી પણ ઉલટું વિપર્યસ્ત મિથ્યાત્વમેહિજન્ય મેહરૂપ અજ્ઞાન છે ત્યાં જે ઉપજે તે મેહગર્ભિત વૈરાગ્ય અને તત્વના સમ્યક્ પરિજ્ઞાનપૂર્વક જે વસ્તુતત્ત્વસ્થિતિના યથાર્થ દર્શનથી ખરેખર સજ્ઞાનસંગત પરમાર્થ વૈરાગ્ય ઉપજે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. આ ત્રણ પ્રકારના વૈરાગ્ય હોય છે. તેમાં–પરે–બીજાઓ–અન્યદર્શનીઓ કાં તે સાંસારિક દુઃખ જેના ગર્ભમાં (અંતરમાં) રહ્યું છે એવા દુઃખગર્ભ વૈરાગ્યમાં, કાં તે તત્ત્વનું વિપર્યસ્ત જાણપણું–મિથ્યાહ–બ્રાંતિપણું જેના ગર્ભમાં રહ્યું છે એવા મેહગર્ભ વિરાગ્યમાં “નિષ્ઠિત હોય છે, નિતાંત સ્થિતિ ધરતા હોય છે. પણ તત્ત્વની યથાવસ્થિત સમ્યક્ સમજણરૂપ–યથાર્થતત્ત્વધરૂપ જ્ઞાન જેના ગર્ભમાં રહ્યું છે, એ જ્ઞાનગર્ભ વરાગ્ય તો હે વીતરાગ ! લ્હારામાં જ “એકાયનતા” -એકાશ્રયતા પામ્યો છે. અર્થાત્ અખિલ જગતમાં જ્ઞાનગર્ભ વિરાગ્યના એકનિવાસસ્થાનરૂપ એક આશ્રયભૂત તું જ છે. ઔદાસીન્ય છતાં વિશ્વોપકારે વીતરાગને નમસ્કાર... औदासीन्येऽपि सततं, विश्वविश्वोपकारिणे । नमो वैराग्यनिघ्नाय, तायिने परमात्मने ॥८॥ સદા ઔદાસ્યતામાં ચે, વિશ્વ વિપકારિને; વૈરાગ્યનિગ્ન તું તાયી, હે નમઃ પરમાત્માને ! ૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ દાસીન્ય છતાં વિપકારી ૨૪૯ અર્થ –ઔદાસીન્યમાં–ઉદાસીનપણામાં પણ સતત સમસ્ત વિશ્વના ઉપકારી, એવા તું “વૈરાગ્યનિધન –વૈરાગ્યને હણનારા “તાયી'—જગત્રાતા પરમાત્માને નમરકાર છે! વિવેચન મુક્તિતણે મારગ જગબંધુ, બધે અદૂષણ કરણસિંધુ પ્રજ્ઞાવધ મેક્ષમાળા (સ્વરચિત), હે વીતરાગ ! ત્યારામાં ઉક્ત સર્વ પ્રકારે પરમ વૈરાગ્ય-ઔદાસીન્ય વર્તે છે, પણ તેમાં પણ એક અપવાદરૂપ દૂષણ (કે ભૂષણ?) હારામાં છે ! ! તું સર્વત્ર ઉદાસીનપણું”—ઉપેક્ષાવૃત્તિપણું ધરે છે, છતાં જગતકલ્યાણની ઉપેક્ષા કરતા નથી. એ બા માં તું હારા ઔદાસીન્યનું ઔદાસીન્ય કરે છે ઉપેક્ષાવૃત્તિની ઉપેક્ષા કરે છે! હાર પિતાના વૈરાગ્યને વૈરાગ્ય ધરે છે! અર્થાત્ વિશ્વોપકારની બાબતમાં તું *વૈરાગ્યનિષ્પ–વૈરાગ્યને નિતાંત હણનારો બની જાય છે! એ આશ્ચર્ય છે. વારુ, પણ એમ ન હેત તો આ વિશ્વને ઉપકાર કેણ કરત? આ વિશ્વને ભવભયમાંથી ત્રાણ કણ કરત? માટે તે જગકલ્યાણાર્થે હારૂં ઉદાસીનપણું પણ છોડી દીધું એ અમારા માટે આ જગત માટે તે સારું જ થયું છે! અને તે હારૂં વૈરાગ્યઘાતિપણું દૂષણ નહીં પણ ભૂષણ બની ગયું છે ! અને એટલે જ હે ભગવન ! રાગ-દ્વેષઆદિ કંઠથી અસ્પૃશ્ય એવું લ્હારૂં “ઔદાસીન્ય”—ઉદાસીનપણું છે, “હાનાદાનરહિત પરિણામી ઉદાસીનતા વિક્ષણ રે” એવું સાક્ષી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વીતરાગતવ સવિવેચન ભાવરૂપ ઉપેક્ષાવૃત્તિપણું છે, છતાં તેને અર્થ તું કાંઈ જગજીના કલ્યાણમાર્ગ પ્રત્યે ઉપેક્ષા સેવે છે એમ નથી – પણ જગત્કલ્યાણાર્થે તું તે ઉપેક્ષાની–ઉદાસીનતાની જ ઉપેક્ષા કરે છે! વૈરાગ્યને જ હણી નાંખે છે ! અર્થાત્ આવા અનન્ય ઔદાસીન્યમાં પણ તું સતત-નિરંતર સકલ વિશ્વનો ઉપકારકારી છે, “નિષ્કારણ કરુણરસસાગર” તું પરમકૃપાળુદેવ જગજીને પરમ નિષ્કારણ કરુણાથી પરમ આત્મકલ્યાણના સન્માર્ગને સદુપદેશ આપી પરમ વિશ્વકલ્યાણ કરે છે,–જન્મ-જરા–મરણપરંપરાથી ત્રાણ-રક્ષણ કરનારૂં પરમ અભયદાન આપી પરમ વિપકાર કરનાર તાયી”—જગત્રાતા બને છે. આમ ઔદાસીન્ય છતાં પરમવિશ્વકલ્યાણકારી, વૈરાગ્યનિમગ્ન છતાં, વૈરાગ્યનિગ્ન તું “તાયી”-વિશ્વત્રાતા પરમાત્માને નમસ્કાર હો ! છે ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગ સ્તવમાં સકાવ્યાનુવાદ સવિવેચનમાંઅદ્દભુત અલૌકિક વૈરાગ્ય નિરૂપક દ્વાદશ પ્રકાશ છે ક - Page #304 -------------------------------------------------------------------------- ________________ - - ૧ ત્રયોદશ પ્રકાશ અદ્દભુત વિશ્વોપકારિપણું હવે આ પ્રકાશમાં વિશ્વબંધુ વીતરાગનું અદ્ભુત વિશ્વોપકારિપણું પ્રકાશે છે – अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धबान्धवः ॥१॥ (કાવ્યાનુવાદ) શિખરિણી વિના બોલાવેલા જગહિતકર ! સહાયક તમે, વિને નિમિત્ત હે જગહિતકરા ! વત્સલ તમે; વિના અભ્યર્થેલા જગહિતકરા ! સાધુ ય તમે, વિના સંબંધે હે જગહિતકરા ! બાંધવ તમે. ૧ અર્થ–તું અનાતઅણલાવેલે સહાય છે, તું અકારણવત્સલ છે, તું અનન્યર્થિત–અણપ્રાર્થેલે સાધુ છે, તું અસંબંધ બાંધવ છે. વિવેચન ત્રાણ શરણ આધાર છે રે, પ્રભુજી ભવ્ય સહાયરે દયાલરાય – શ્રી દેવચંદ્રજી હે વીતરાગ ! જગતમાં “આહૂત”—આહ્વાન કર્યું સાંસારિક સહાય કરનારા દે કંઇક હશે, પણ “અનાહત – Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વીતરાગસ્તવ સવિવેચન વિના આહાન ક–વગર આમંત્ર્ય વગર બેલાબે વણમાગ્યું સહાય” કરનાર–મેક્ષમાર્ગરૂપ પરમાર્થ સહાય કરનાર તો તું છે. જગતમાં આ મ્હાર રાગી ભક્ત છે એમ જાણી મેહ–રાગાદિ કારણે તે પ્રત્યે વત્સલતા ધરનારા સકારણ વત્સલ કંઈક હશે, પણ રાગાદિ કારણ વિના સર્વ આત્મબંધુ પ્રત્યે–વત્સ પ્રત્યે ગાયના વાત્સલ્ય જેવું–પરમાર્થ– પ્રેમરૂપ નિષ્કારણ વાત્સલ્ય ધરનારો અકારણુવત્સલ તે તું છે. જગતમાં “અલ્પર્ધિત”—અભ્યર્થના કરવામાં આવ્યું સાધુ”-કાર્યસાધી આપનારા એટલે કે પ્રાર્થના કયે ભલાઈ કરી બીજાનું કામ કરી આપનારા અભ્યર્થિત સાધુ કંઈક હશે, પણ “અનન્યર્થિત”વિના અભ્યર્થના ક–“સાધુ– કાર્ય સાધી આપનારો એટલે કે વણપ્રાગ્યે બીજાનું કાર્ય કરી આપનારો “અભ્યથિત સાધુ તે તું છે. જગતમાં પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે” (આનંદઘનજી) એ પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે સ્વજન-મિત્રાદિ સાંસારિક સ્વાર્થ સંબંધે બંધુપણું કરનારા સસંબંધ બાંધવા તે કંઈક હશે, પણ નિઃસ્વાર્થ કેવળ શુદ્ધ પરમાર્થ સંબંધે સાચું પરમાર્થબંધુપણું કરનારે અસંબંધબાંધવ તે તું છે. અત્રે કારણ વિના કાર્ય દર્શાવી કવિએ વિશેષક્તિ અલંકારના વિશિષ્ટ પ્રયોગથી જગહિતકર પ્રભુને વિશિષ્ટ મહિમાતિશય વ્યંજિત કર્યો છે, તેમજ અત્રે પ્રથમ લેકમાં પ્રથમ વિભક્તિના પ્રગથી વર્ણન કરી, બીજામાં બીજીના પ્રગથી, એમ અનુકેમે યાવત્ આઠમા લેકમાં આઠમી વિભક્તિના પ્રયોગથી વર્ણન કરી શબ્દશાસ્ત્રના પારદશ્વા Page #306 -------------------------------------------------------------------------- ________________ અકારણુવત્સલ અસંબંધ બાંધવ ૨૫૩. હેમચંદ્રાચાર્યજીએ શબ્દચમત્કૃતિ સાથે અભુત અર્થ– ચમત્કૃતિ દાખવી છે. મન-વચન-કાયે નિર્મમ શરણ્ય વીતરાગનું શરણ— अनक्तस्निग्धमनसममजोज्ज्वलवाक्पथम् । अधौतामलशीलं त्वां, शरण्यं शरणं श्रये ॥२॥ વિના વિલેપાયું મન જસ અહે! સ્નિગ્ધ વરતે, વિના માયે જેને વચનપથ વિશુદ્ધવરતે; વિના ધયું જેનું શીલ અમલ વ ભુવનમાં, જઉ હું એવા તું શરણરૂપ કેરા શરણમાં ૨ અર્થ—અણવિલેપેલા (વગર ચોપડયે) ચિનગ્ધ મનવાળા, અણુમાલા ઉજજવલ વાપથવાળા, અણધાયેલા અમલ શીલવાળા, એવા તું શરણ્યને-શરણ લેવા યોગ્યને હું શરણ આછું -ભજું છું. વિવેચન “તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવ રે.” -શ્રી દેવચંદ્રજી જગતમાં “અલ્યક્ત”—અત્યંગ કરેલ–તેલ ચેપડેલ વસ્તુ “નિગ્ધ – નેહવાળી-ચીકાશદાર દષ્ટ છે; અથવા તે લાક્ષણિક અર્થમાં “અભ્યક્ત”—મિથ્યા પ્રશંસારૂપ અત્યંગ કરેલ–“પપ૪ કાંતિ” રૂપ ખુશામતનું તેલ ચોપડેલ જન “સ્નિગ્ધ”—નેહાળ-તે પ્રશંસક પ્રત્યે Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વીતરાગસ્તવ સવિવેચન સ્નેહથી ચીકણું મન ધરનારા દષ્ટ છે; આમ “સ્નિગ્ધ'ના શ્લેષરૂપ બંને અર્થમાં “અભક્ત સ્નિગ્ધ” મનવાળા જગતમાં કંઈક પડ્યા છે. પણ “અભ્યક્ત”-વિના અભંગ કરેલ–વિના તેલ ચોપડેલ તું “નિષ્પ”નેહવાળાચીકાશદાર ચીકણું મનવાળો છે એ આશ્ચર્ય છે! એ વિશક્તિથી પ્રતીત થતે વિરોધાભાસ છે, તેને પરિહાર-અનભ્યક્ત'–મિથ્યા પ્રશંસારૂપ અભંગ નહિ, કરેલ– ખુશામતનું તેલ નહિં પડેલ છતાં “સ્નિગ્ધ”—નેહાળ આત્મવત્ સર્વ ભૂતેષુ” એવી ભાવનાથી સમસ્ત જગતુંજતુ પ્રત્યે નેહાદ્ર–પરમ પ્રેમાળ મનવાળો એ જગતમાં કઈ હોય તે તે તું છે. જગતમાં પંથ–માગ તે “માજિત” થયે–પ્રમાજ વામાં આવ્યું “શુદ્ધ’–સાફસૂફ હોય છે, પણ ત્યારે “વાકૂપથ ”-વચનમાર્ગ તે “અમાર્જિત”-પ્રભાજન કર્યા વિના જ સહજ સ્વભાવે જ “વિશુદ્ધ”—વિશેષે કરીને શુદ્ધ-સાફ જ છે. જગતમાં “ધૌત”-ધોયેલ વસ્તુ “અમલ” -મલ રહિત હોય છે, પણ તું તે “અધૌત”—વગર ધેયે અમલ” મલરહિત “શીલવાળ–શુદ્ધ સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્રવાળો છે. બીજાઓમાં તો શીલમાં મલિનતાના સંભવને લીધે પ્રાયશ્ચિત્તરૂપ જલથી દેવાની જરૂર પડે, પરંતુ સહજાન્મસ્વરૂપે શુદ્ધ લ્હારા શીલમાં મલિનતાને સર્વથા અસંભવ છે, એટલે પ્રાયશ્ચિત્તરૂપ જલથી મલશુદ્ધિની જરૂર જ પડતી નથી. આ પ્રકારે તું અધૌત અમલ શીલવાળે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ અનશ્યક્ત નિગ, અમાર્જિત શુદ્ધ, અધોત અમલ ૨૫૫ આમ જેનું મન અનભ્યો સ્નિગ્ધ છે, વચન અમાર્જિત શુદ્ધ છે, અને શીલ અધતઅમલ છે, એવા તું “શરણ્યનું-મુમુક્ષુઓએ શરણ લેવા ગ્યનું હું શરણ ભજું છું, શરણપ્રપન્ન થઉં છું. તું અચંડ વીરવૃત્તિ શમીથી કમકંટકોનું નિકંદન !— अचण्डवीरवृत्तिना, शमिना शमवर्तिना। त्वयाकामम कुटयन्त, कुटिलाः कर्मकण्टकाः॥३॥ અચંડા વીરા ને શમિ પ્રશમવત્તિ પ્રભુ થકી, કુટાયા કાંટાઓ કુટિલ કરરૂપ નકી. ૩ અર્થ—અચંઠ વીવૃત્તિવાળા, શમી શમવર્તિ એવા હારાથી કુટિલ કર્મ–કંટકે સારી પેઠે ફૂટવામાં આવ્યા ! વિવેચન “શુર જગદીશની તીક્ષ્ણ અતિ શૂરતા, જિણે ચિરકાળનો મેહ છો.–શ્રી દેવચંદ્રજી જગતમાં શત્રુઓના ભુક્કા કાઢી નાખે એવી “ચંડ -રૌદ્ર-ભયંકર વીરવૃત્તિવાળા “અશમવતી'-કોધાદિના અનુપશમમાં વત્તતા “અશમીથી– કોધાદિ અનુશાંત છે જેના એવાથી શત્રુ-કંટકે કૂટી નાંખવામાં આવે તે તે સમજી શકાય છે. પરંતુ હે ભગવન્! હારી વાત તો Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વીતરાગસ્તવ સવિવેચન કેઈ ન સમજી શકાય એવી જગવિલક્ષણ છે! તું અચંડ”—અરૌદ્ર-અભયંકર વીરવૃત્તિવાળે છે અને શમવતિ” -પ્રશમરસમાં નિમગ્ન વર્તાતે “શમી—ોધાદિ કષાય શમાવનારો છે, છતાં આમ અચંડ વીરવૃત્તિવાળા અને શમવત્તિ શમી એવા હારાથી “કુટિલ-વાંકા–વકગતિવાળા કર્મ-કંટકો–કર્મરૂપી કાંટાઓ સારી પેઠે–આત્યંતિકપણે કુટી નાંખવામાં આવ્યા! આત્માથી “વક’ –વાંકા ચાલનારા કુટિલ કર્મશત્રુઓરૂપ કાંટાઓ ફરી ઊભા ન થાય એમ સારી પેઠે ફૂટી નંખાયા–વીણી વીણીને મારી નંખાયા એ પરમ આશ્ચર્ય છે ! I તું વીતરાગનું વિલક્ષણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશરૂપપણું– अभवाय महेशायागदाय नरकच्छिदे । अराजसाय ब्रह्मणे, कस्मैचिद्भवते नमः ॥४॥ મહેશા નિર્જન્મા અગદ નરકેચ્છેદનકરા, અરાજસ્ બ્રહ્મા કે તુજ પ્રતિ નમ: હે ભવહરા! ૪ અર્થ—અભવ મહેશ, અગદ નરક છેદી, અરાજસ બ્રહ્મા-એવા કોઈ તને નામરકાર હો! * આ પ્રકાશમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યજીએ એમની લાક્ષણિક શૈલીમાં સપ્ત વિભક્તિનો એમને પ્રિય પ્રયોગ કરી પહેલા શ્લોકમાં પ્રભુ માટે પહેલી વિભક્તિ, બીજા શ્લોકમાં બીજી વિભક્તિ, ત્રીજા લેકમાં ત્રીજી વિભક્તિ ઈત્યાદિ પ્રયોજી વર્ણન કરતાં અપૂર્વ કાવ્યમત્કૃતિ દાખવી છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨પ૭ વીતરાગનું વિલક્ષણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ રૂપપણું વિવેચન કર્મ જીત્યાથી જિન છે જિષ્ણુ, સર્વજ્ઞ જ્ઞાને વ્યાપક વિષ્ણુ રાંકર સહુનું શું કરવાથી બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝવાથી, –શ્રી પ્રજ્ઞાબોધ મોક્ષમાળા (સ્વરચિત) લૌકિક મત પ્રમાણે “મહેશ–શિવ ભવ કહેવાય છે, ગદાધારી વિષ્ણુ “નરકચ્છદી –નરકાસુરને છેદનારહિણનાર કહેવાય છે, અને બ્રહ્મા રજોગુણસંપન–“રાજસ” કહેવાય છે. પણ લેકેત્તર દેવ ! તું તો આ બ્રહ્મા– વિષ્ણુ-મહેશથી કઈ વિલક્ષણ જ છે ! તું અભાવ છતાં મહેશ છે! “અગદ –અગદાધારી છતાં નરક છેદી છે ! અને અરાજસ છતાં બ્રહ્યા છે ! આ તે પ્રગટ વિરોધાભાસ દિસે છે ! પણ એમાં વિરોધ જેવું કાંઈ છે જ નહિં. કારણ કે મહેશ સંસારને સંભવ જ્યાં છે એ ભલે ભવ” કહેવાતું હોય, પણ તું તે “અભવ—જ્યાં સંસારને વા જન્મમરણને સંભવ જ નથી એ ખરેખર મહેશ”—મહાઇશ્વર છે. “સગદ’—ગદાધારી (અથવા સંસાર “ગદ–રોગ ધરનારે) વિષ્ણુ ભલે “નરક છેદી -નરકાસુરનો વધ કરનારે કહેવાતો હોય, પણ તું તે અગદ–રાપ્તિ ચચ અથવા નારિત ચશ્ય :ગદાધારી નહિં છતાં “અગદ–સંસાર–ગદ–રોગ જેને નથી એ નરક છેદી”-નરકાવાસને છેદ કરનારે-સવનાશ કરનારે ખરેખર વિષણુ છે. અને બ્રહ્મા ભલે “રાજસ– રજોગુણસંપન રાજસપ્રકૃતિ હાઈ સંસારની સૃષ્ટિ કરના કહેવાતું હોય, પણ તું તો “અરાજસ–રાજસ ૧૭ ain Education International Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વીતરાગસ્તવ સવિવેચન ગુણથી રહિત-કર્મરૂપ રજથી સર્વથા રહિત હાઈ મોક્ષમાગની સૃષ્ટિ સજનારો ખરેખરો બ્રહ્મા છો! આમ તું અભવ મહેશ, અગદ નરોદી વિષ્ણુ, અને અરાજસ બ્રહા હેવાથી, જેનામાં એકી સાથે પરમાર્થથી (નામ માત્રથી નહિં!) બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ ત્રિમૂર્તિ પણું પ્રાપ્ત થાય છે, એવા “કેઈ–અવાચ્ય પરમ આશ્ચર્યકારી તું લેક-વિલક્ષણ અલૌકિક ત્રિમૂર્તિને નમસ્કાર હે! તું વિલક્ષણ કલ્પતરુથકી ફલપ્રાપ્તિની ઈચ્છા– अनुक्षितफलोदग्रादनिपातगरीयसः। असङ्कल्पितकल्पद्रोस्त्वत्तः फलमवाप्नुयाम् ॥५॥ અસિંચેલા ભારે ફલથી અનિપાતે ગુરુ બહુ, અસંકલ્પલા તું કલપતરથી હું લ લહું. ૫ અર્થ—અણસિંચેલ જે ફલભારથી લચી રહેલ છે, અનિપાતથી જે ગરીયસ–મહાગુરુ છે, એવા તું અસંકલ્પિત કલ્પવૃક્ષ થકી હું ફલ પામું. વિવેચન “શુભ શીતળતામય છાંય રહી, ' મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહ તરુ ક૯પ અહે! ભજીને ભગવંત ભવંત લહે, –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મેક્ષમાળા Page #312 -------------------------------------------------------------------------- ________________ વિલક્ષણ કલ્પતરુથકી ફલપ્રાપ્તિની ઇચ્છા ૨૫૯ વૃક્ષ છે તે તે બીજ વાવ્ય-જલસિંચનથી અનુકમે વૃદ્ધિ પામ્ય ફલ આપે છે અને તે વૃક્ષ પણ–કલ્પવૃક્ષ પણ કાલાંતરે “નિપાત” પામે છે, પડી જાય છે, અને તે પણ “સંકલ્પિત’–સંક૯પેલું–લેવા ધારેલું ફલ આપે છે. પણું હે વીતરાગ ! તું તો આ લૌકિક કલ્પવૃક્ષથી વિલક્ષણ એ અચિંત્ય અલૌકિક કલ્પવૃક્ષ છે! “અણસિંએ – વિના જલસિંચન કર્યું જે મોક્ષ-સ્વર્ગાદિ સુગતિરૂપ સફલના મહાભારથી લચી રહેલ–અતિ નમ્ર બનેલ છે, કોઈ કાળે પણ-કાળાંતરે પણ જેને “નિપાત” (પડી જવું સંભવ નથી એવા “અનિપાતથી–સદા સ્થાયીપણારૂપ શાશ્વતપણુથી જે “ગરીયસૂ’–પરમ ગુરુમાં ગુરુ છે, અને “અસંકલિપત”—અણસંક૯પેલા ફલને જે દાતા છે, એવા તું અસંકલિપત કલ્પવૃક્ષ થકી હું ફલને–એક્ષરૂપ સતફલને પામું, એવી સંવેગરૂપ–માત્ર મેક્ષાભિલાષરૂપ સ્પૃહા કરું છું ! અર્થાત્ તું અચિંત્ય કલ્પવૃક્ષને સેવી હું મુમુક્ષુ માત્ર મેક્ષફલ જ ઈચ્છું છું. અસંગ છતાં જનેશ તું વિલક્ષણ જગત્રાતાને હું કિંકર— असङ्गस्य जनेशस्य, निर्ममस्य कृपात्मनः । मध्यस्थस्य जगत्त्रातुरनङ्कस्तेऽस्मि किंकरः ॥६॥ અસંગા લકેશા નિરમમ કૃપાત્મા તુજ તણે, મધ્યસ્થા વિશ્વવ્યા કિંકર જ અનકી મુજ ગણે ૬ Page #313 -------------------------------------------------------------------------- ________________ २६० વીતરાગસ્તવ સવિવેચન અર્થ—અસંગ જોશ, નિર્મમ કૃપાત્મા, મધ્યસ્થ જગત્રાતા એવા ત્યારે હું અનંક” કિકર છું. વિવેચન સેવા ગુણ રંજ્યા ભવિજનને, જે તુમ કરે વડભાગી; તે તમે સ્વામી કેમ કહા, નિર્મમ ને નિરાગી?” –શ્રી મેહનવિજયજી અત્રે વિરોધાભાસી વિશેષણોથી વીતરાગ ભગવાનની સ્તુતિ કરે છે. હે ભગવન ! તું “અસંગ”—સંગ રહિતપરિગ્રહાદિ ગ્રંથ રહિત છે, “જનેશ”—જનોને ઈશ-લેકે પર રાજ્ય ચલાવનાર છે. જે અસંગ છો જનેશ શી રીતે ? એમ વિરોધ આવે છે. તેને પરિહાર બીજા બેદ્રઢ વિશેષણથી કર્યો છે. તું નિર્મમ કૃપાત્મ છે. અર્થાત્ તું નિર્મમ-મમતા રહિત છે, એટલે “અસંગ”— આસક્તિ રહિત છે, અને કૃપાત્મક છે-કરુણામય છે, એટલે જનોના મન જીતી લીધા હોવાથી તું “જનેશ”_ લેકેશ છે. અને આમ નિર્મમ અને કૃપાત્મ છે, એટલે જ તું મધ્યસ્થ જગત્રાતા છે એ વિરોધી ઠંદ્રને પણ ખુલાસે મળી જાય છે. તે આ પ્રકારે –તું “મધ્યસ્થ– મધ્યમાં સ્થિત–રહેલો છે છતાં “જગત્રાતા”—જગને ત્રાતા-રક્ષણકર્તા છે, જગની મધ્યમાં છતાં જગત્રાતા શી રીતે એ વિરોધ આવે છે. તેને પરિહાર–તું “મધ્યસ્થ – રાગ-દ્વેષરહિત નિષ્પક્ષપાત છે અને જગને દુર્ગતિમાં પડતું અટકાવનાર-જગને ત્રાતા–રક્ષણહાર છે. અને તે Page #314 -------------------------------------------------------------------------- ________________ તું જગત્રાતાને હું અનંત કિંકર ૨૬૧ નિમમ છે એટલે જ તું મધ્યસ્થ છે અને તું કૃપાત્મક છે એટલે જ તું જગત્રાતા છે. આમ પ્રથમ દર્શને વિરોધી ભાસતા વિશેષણોને જ્યાં સુમેળ મળે છે એવા તું અસંગ જનેશ, નિર્મમ કૃપાત્મ, મધ્યસ્થ જગત્રાતાનો હું “અનંક” કિંકર છું, “અનંક”—જેને કોઈ વિશિષ્ટ અંક”—ખાસ નિશાની–ચિહ્ન-હે નથી એ અદનામાં અદને દાસ-દાસાનુદાસ છું. તું અચિન્ય ચિન્તારત્નમાં મહારું આત્માર્પણ– अगोपिते रत्ननिधाववृते कल्पपादपे। अचिन्त्ये चिन्तारत्नेच, त्वय्यात्मायं मयार्पितः॥७॥ નહિં ગોપાવેલા રતનનિધિ તું હે મુનિવર ! ન વૃત્તિ વીંટેલા કલપતરુ તું હે મુનિવર ! ન ચિત્તેલા ચિન્તામણિરતન તું હે મુનિવર ! તું એવાને આત્મા અરપણુ ર્યો મેં મુનિવર ! ૭ અર્થ—અગોપિતઅણગોપવેલા રનનિધિ, અવૃત– અણવૃત્તિ–વીંટેલા કલ્પવૃક્ષ, અને અચિન્ય ચિન્તારના એવા ત્યારામાં આ આત્મા મહારાથી અર્પિત છે–અર્પવામાં આવે છે. વિવેચન કામિત પૂરણ સુરત સખી, આનંદઘન પ્રભુ પાય.” –શ્રી આનંદઘનજી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ વીતરાગસ્તવ સવિવેચન હે ભગવાન! તું અગાપિત રત્નનિધિ છે. અગોપિત”—અણગોપવેલ–અગુપ્ત રાખેલ “રત્નનિધિ”— જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ અનંત ગુણરત્નને નિધાન છે, નહિં છુપાવેલો ખુલ્લેખુલ્લે રત્ન–ખજાનો છે. એટલે ગમે તે કેઈ ફાવે તેમ આ ખુલ્લંખુલ્લા ખજાનાને લૂંટી શકે એમ છે. વળી તું અવૃત કલ્પવૃક્ષ છે, “અવૃત”–વૃત્તિથીવાડથી નહિં વિંટાયેલે કલ્પવૃક્ષ છે. વૃક્ષના ફલને કઈ ચૂંટી કે લૂંટી ન જાય એ માટે એની આસપાસ સંરક્ષક વાડ કરવામાં આવે છે, પણ તેવી કેઈ પણ સંરક્ષક વૃત્તિ-વાડ આ તું કલ્પવૃક્ષની આસપાસ નથી. એટલે આ તું કલ્પવૃક્ષને સેવીને ગમે તે કઈ ફાવે તેમ ફલ ચૂંટી વા લૂટી શકે એમ છે. અને તું અચિત્ય ચિન્તામણિ છે, “અચિત્ય”—ચિંતવી ન શકાય એ ચિન્તામણિ છે. ચિન્તામણિ તો ચિંતિત-ચિંતવેલું ફલ આપે, પણ આ તું તે અચિંતિત-અણચિંતવેલું ફલ આપવા સમર્થ છે. આમ અગોપિત રત્નનિધિ, અવૃત કલ્પવૃક્ષ અને અચિત્ય ચિન્તારત્ન એવા હારામાં આ આત્મા મહારાથી અર્પણ કરાય છે, અર્થાત્ મેં આત્માર્પણ કર્યું છે. હું ફલેચ્છારહિત તું ફલમય, મહારે કરવું શું? फलानुध्यानवन्ध्योऽहं, फलमात्रतनुर्भवान् । प्रसीद यत्कृत्यविधौ, किङ्कर्त्तव्यजडे मयि ॥८॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ તું અચિત્ય ચિન્તારનમાં મહારૂં આત્માર્પણ ૨૬૩ પ્રત્યે ! હું તે વતું નકી ફલ અનુધ્યાન રહિત, અને તું તે વરે તનુ ફલરૂપી માત્ર ધરતે. અહીં કિંકર્તવ્ય મુજ જડ પ્રતિ હે મુનિવર ! વિધિ કૃત્યે મહાર અનુગ્રહ કરે હે મુનિવર ! ૮ અર્થ –હું ફલના “અનુધ્યાનથી”—અનુચિંતનથી વષ્ય'–શૂન્ય–રહિત છું, અને તું તે ફલ માત્ર તનુવાળો–શરીરવાળે છે તે અત્રે હું કિંકર્તવ્ય–જડ પ્રત્યે કવિધિ વિષે પ્રસાદ કરે! વિવેચન “ભક્તિ નહિં તે તો ભાડાયત, જે સેવાફળ નીચે; દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની પરે નાચે. –શ્રી દેવચંદ્રજી મને આ લેકમાં કે પહેલેકમાં આ ફળની પ્રાપ્તિ છે કે તે ફલની પ્રાપ્તિ હે, એમ ફલના “અનુધ્યાનથી” -અનુચિંતનથી હું “વંધ્ય છું –શૂન્ય છું; અર્થાત હું ફલનું અનુચિંતન કરતું નથી–ફલનું ધ્યાન ધરતો નથી, નિનિદાન–નિષ્કામ-ફલાભિસંધિ રહિત-ફલાકાંક્ષા વિનાની ભક્તિ કરું છું. અને તું તો ફલમાત્ર તનુવાળે-શરીરવાળે છે, અર્થાત્ મક્ષફલ એ જ જેની કાયા છે એ કેવલ મેક્ષફલમય-મૂર્તિમાન મોક્ષસ્વરૂપ છે. આમ મ્હારી નિષ્કામ ભક્તિ કરતાં મને કોઈ અહિક–પારલૌકક ફલ જોઈતું નથી, અને તે પોતે સાક્ષાત્ મેક્ષફલમય છે, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ વીતરાગસ્તવ સવિવેચન એટલે મ્હારી સેવાભક્તિથી મેક્ષફલ મળ્યા વિના રહેવાનું નથી. અને આમ જે ભક્તિમાં મને મુક્તિની–મોક્ષલની પણ પૃહા રહી નથી, તે ભક્તિથી મને મોક્ષફલ મળ્યા વિના રહેવાનું નથી, તો હવે આવી વિષમ પરિસ્થિતિમાં મહારે શું કરવું એ બાબતમાં મુંઝાઈ જઈ હું “કિંકજડ”—કિંકર્તવ્યમૂઢ બની ગયે છું, શું કરવું એની મને સૂઝ પડતી નથી. તે અત્રે “કૃત્ય વિધિમાં”-કરવા બા. માં-મહારે શું કરવું એગ્ય છે એના વિધાન વિષે તું મ્હારા પર પ્રસાદ-કૃપાપ્રસાદ કર ! અનુગ્રહ કરી હારે શું કરવું તે બતાવ! અત્રે મહાકવિ હેમચન્દ્રાચાર્યજીએ અલૌકિક આશયભર્યા પરમ ગૂઢ ભાવ ભર્યા છે, તે સંક્ષેપમાં અત્ર વિવેચ્યા છે, વિશેષ સ્વમતિથી વિચારણીય છે. || ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ વિવેચનમાં– અદ્ભુત વિથોપકારિત્વ નિરૂપક ત્રેદશ પ્રકાશ Page #318 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ પ્રકાશઃ અદ્દભુત અલૌકિક યાગમાહાત્મ્ય કષ્ટ ચેષ્ટા વિના તેં કરેલું મનઃશલ્ય વિયાજન— मनोवचःकायचेष्टाः, कष्टाः संहृत्य सर्वथा । થત્વનૈવ મવતા, મનઃશસ્ત્ય વિયોનિતમ્ ॥ ( કાવ્યાનુવાદ ) દાહરા ચેષ્ટા મન-વચ-કાયની, કષ્ટ સ’હરી સાવ; તે' મનઃશલ્ય વિજિયું, શ્લથપણાને પ્રભાવ. ૧ અઃ—મન-વચન—કાયાની કટ ચેષ્ટા સથા સંતુરી લઈને શ્લથપણા ’—શિથિલપણા–ઢીલાપણા વડે કરીને જ ત્હારાથી મનઃશલ્ય વિયેાજવામાં આવ્યું. ' વિવેચન મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ માહરૂ' આણે! જો, તે સાચું કરી જાણ્યું, ” -શ્રી આન’ઘનજી BYG આ પ્રકાશમાં ભગવાનનું અલૌકિક-લેાકેાત્તર ચાગમાહાત્મ્ય પ્રકાશ્યું છે. ઇતર ચેાગીએથી વિલક્ષણ પ્રકારે ચેાગીશ્વર વીતરાગે ચાગસિદ્ધિ કરી છે તે દર્શાવતાં અત્રે Page #319 -------------------------------------------------------------------------- ________________ २६६ વીતરાગસ્તવ સવિવેચન પ્રથમ મને જય બાબત વર્ણન કર્યું છે. ગસાધનામાં મનોજય પરમ આવશ્યક છે; જ્યાંલગી મનઃશલ્ય દૂર થાય નહિ, મનને કાંટે નીકળે નહીં ત્યાં લગી ગસિદ્ધિ પણ થાય નહીં. - શરીરમાં પેઠેલું “શલ્ય” (ક) કાઢવા માટે બે ઉપાય છે કે તે તેને જોરથી ખેંચી કાઢવું જોઈએ, કાં તો તે ભાગ ઢીલે થતાં તે આપોઆપ આસાનીથી નીકળી જવું જોઈએ. આમાં પ્રથમ પ્રકારમાં ઘણું ઘણું બળ વાપવું પડે છે-ઘણું ઘણું કષ્ટ ઉઠાવવું પડે છે, બીજા પ્રકારમાં વિના કષ્ટ આસાનીથી નીકળી જાય છે. તેમ યોગસાધનામાં પણ ભેગીએ મન શલ્ય દૂર કરવું આવશ્યક છે; તે મનશલ્ય દૂર કરવા માટે નાના પ્રકારની મન-વચન-કાયાની કે કિયાઓ કરવામાં આવે, તે પણ તે શલ્ય માંડમાંડ નીકળે છે વા નીકળતું નથી, પણ તે મનનું શિથિલપણું –ઢીલાપણું કરવામાં આવે તો તે મનઃશય સહેજે નીકળી જાય છે. આટલી ભૂમિકા પરથી આ લેકને ભાવ સ્પષ્ટ થશે. બીજાઓ મન-વચન-કાયાની અનેક પ્રકારની કષ્ટ ક્રિયા કરી મનઃશલ્ય દૂર કરવા માટે મરી મરીને માથે છે, છતાં જે મનઃશલ્ય દૂર કરવું દુષ્કર થઈ પડે છે, તે મનઃશય તે મન-વચન-કાયાની કટ ચેષ્ટા-કઠેર કિયા સર્વથા “સંહરી લઈ –ખેંચી લઈ-દૂર કરી, “લથપણુંથી જ શિથિલપણાથી જ–ઢીલાપણાથી જ વિયેજિત કર્યું, –આત્મામાંથી વિયુક્ત કર્યું-અલગ જૂદું પાડી દીધું ! Page #320 -------------------------------------------------------------------------- ________________ કછુ ચેષ્ટા વિના મન:શલ્ય વિયાજન ૨૬૭ મનને તે સહજ સ્વભાવે વત્તવા ઈ ૮ શિથિલ ’–ઢીલું (Loose, Relaxed) મૂકી ઈ એવુ' તેા શિથિલ-ઢીલુ ઢક્ કરી દીધુ` કે મનઃશલ્ય તેમાંથી આપેાઆપ જ નીકળી ગયું. ખીજાએ જે માયાશલ્ય-મિથ્યાત્વશલ્ય-નિદાનશલ્ય આદિરૂપ મનઃશલ્ય ગમે તેટલી કષ્ટ ક્રિયા ઉઠાવવા છતાં કાઢી શકતા નથી, તે તે કષ્ટ ક્રિયા વિના જ આમ આસાનીથી દૂર કરી નાંખ્યું એ પરમ આશ્ચય છે! 卐 મધ્યમ પ્રતિપદાથી ( માથી ) તે કરેલા ઇંદ્રિયજય— संयतानि न चाक्षाणि, नैवोच्छृङ्खलतानि च । રૂતિ સભ્ય ગતિપરા, વન્દ્રિયનયઃ તઃ ॥૨॥ ઇંદ્રિય સંયત ના કરી, ન જ ઉચ્છ્વ ખલ કીધ, એમ સમ્યક્ પ્રતિપદ વડે, તે ઈં દ્રિયજય કીધ. ૨ અઃ—ઇંદ્રિયા ન સંયત કરવામાં આવી, અને ન જ ઉચ્છ્વ ખલ થવા દેવામાં આવી,—એમ સમ્યકપણે મધ્યમ પ્રતિપદાથી ( વચલા માના ગ ુણથી ) ત્હારાથી ઇંદ્રિયજ્ય કરવામાં આવ્યા. વિવેચન (6 સ્થંભન ઇંદ્રિય ચાગનારે લાલ, રક્ત વર્ણ ગુણરાય.” —શ્રી દેવચંદ્રજી ચેાગસાધનામાં મનેાજય જેમ ઇંદ્રિયજય પણ તેટલે જ આવશ્યક છે. તે ઇંદ્રિયજય પણ તેં બીજા ચેાગીએથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વીતરાગસ્તવ સવિવેચન વિલક્ષણપણે સિદ્ધ કર્યો છે. તે ન ઈદ્રિયોને “સંત”— સંયમિત-નિયંત્રિત કરી, તેમજ તેને ન જ “ઉછંખલ”— શૃંખલા રહિત–અનિયંત્રિત થવા દીધી –આમ “સમ્યક્ પ્રતિપદાથી”-મધ્યમ માર્ગ ગ્રહણથી તે ઈંદ્રિયજય કર્યો! ઇંદ્રિયોને તે ન રયમમાં-દાબમાં રાખી, ન ખૂબ વધારે પડતી દબાવી, ન ફાવે તેમ સ્વચ્છેદે વર્તવા ઉછું ખલનિબંધ થવા દીધી; પણ નિયંત્રિત-અનિયંત્રિત એ બેની વચ્ચે વચલે માર્ગ (medium path) ગ્રહણ કરી તે ઈંદ્રિને જીતી લીધી. યોગસાધનામાં આવશ્યક ઈદ્રિયજય કરવા માટે સામાન્ય પ્રાકૃત યોગીને તે ઈદ્રિયને જરા પણ છૂટી ન મૂકતાં નાના પ્રકારના સંયમથી તેનું નિયંત્રણ કરવું પડે છે, ત્યારે ઘણા ઘણા પ્રયાસે માંડમાંડ ઇદ્રિયજય સધાય છે. પણ રોગીઓથી વિલક્ષણ એવા હે પરમ ગીશ્વર ! સહજત્મસ્વરૂપે સ્થિત તું તે ઉક્ત પ્રકારે સહજ સ્વભાવે આસાનીથી ઇંદ્રિયજય કરવા સમર્થ બને છે એ પરમ આશ્ચર્ય છે. સ્ટોત્તરશir રેતાં જો દિ विज्ञातुमर्हति ! અષ્ટાંગ યોગ તે પ્રપંચ, બાલ્યથી હારૂં ગસામ્ય – योगस्याष्टाङ्गता नूनं, प्रपञ्चः कथमन्यथा ?। आवालभावतोऽप्येष, तव सात्म्यमुपेयिवान् ॥३॥ ખરે ! યોગ અષ્ટાંગતા, પ્રપંચ-નહિં તે કેમ, બાલ્યથી માંડી વેગ આ, સામ્ય પ્રાપ્ત તુજ એમ? ૩ ona Page #322 -------------------------------------------------------------------------- ________________ મધ્યમ પ્રતિપદાથી કરેલ ઇધિયજય: વેગ પ્રપંચ ૨૬૯ અર્થ–ખરેખર! વેગનું અષ્ટાંગ પણું એ તો પ્રપંચ છે! નહિં તે બાલભાવથી માંડીને પણ આ યંગ હારું સામ્ય–આત્માકારપણું કેમ પ્રાપ્ત થયે? વિવેચન શેભે યોગી શશિ શું શીતલો સૌમ્ય ને શાંતિકારી. –શ્રી યોગદષ્ટિકળશ (સ્વરચિત) હે યોગીશ્વર ! આમ ઉપરોક્ત પ્રકારે તેં યોગસાધનામાં આવશ્યક મનેજય અને ઈદ્રિયજય સુગમ રીતે સિદ્ધ કરી લીધું છે, એટલું જ નહિં પણ તને ગસિદ્ધિ માટે પ્રસિદ્ધ અષ્ટાંગ યોગની પણ જરૂર રહી નથી! ખરેખર! યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણું -ધ્યાન-સમાધિ એમ યુગનું અષ્ટાંગપણું તે “પ્રપંચ” છે-વાગજાલરૂપ વાગવિસ્તાર છે. કારણ કે જે એમ ન હોય તે “બાલભાવથી”—બાલ્યાવસ્થાથી માંડીને આ યોગ હારૂં સામ્ય-આત્મરૂપપણું કેમ પામી ગયે? આ યોગ હારૂં આત્માપણું પામી આત્માકાર કેમ બની ગ? બીજા પ્રાકૃત યોગીઓને તે યમ-નિયમાદિ અષ્ટાંગ યોગની પ્રબળ સાધના કયે જ ગસિદ્ધિ થાય છે, પણ હે મૂત્તિમાન યોગસ્વરૂપ પરમ યોગીશ્વર ! તને તો પૂર્ણ યોગ સહજ સ્વભાવે સહજાન્મસ્વરૂપે સિદ્ધ છે. ચિરપરિચિત વિષયોમાં હારે વિરાગ ને અદષ્ટ ચોગમાં. સામ્ય!– Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વીતરાગસ્તવ સવિવેચન विषयेषु विरागस्ते, चिरं सहचरेष्वपि । योगे सात्म्यमदृष्टेऽपि, स्वामिन्निदमलौकिकम।।४। ચિર સહચરાય વિષયમાં, સ્વામિ! તુજ વિરાગ અદષ્ટ વેગે ય સામ્ય એ, અલૌકિક વીતરાગ ! ૪ અર્થ_ચિરકાળથી સહચર (સાથે વિચરનારા મિત્ર) એવા પણ વિષયમાં લ્હારે વિરાગ છે! અને અદષ્ટ–કદી નહિં દીઠેલા એવા યોગમાં લ્હારૂં સામ્ય–આત્મરૂપપણું છે! હે સ્વામી! આ અલૌકિક છે! વિવેચન મહાપાત્ર તે માર્ગના, પરમાગ જિતલોભ. –શ્રીમદ્ રાજચંદ્રજી હે વીતરાગ ! “ચિરકાળથી”ઘણું ઘણા લાંબા કાળથી -અનાદિથી જે “સહચર’–સાથે વિચરનારા ગઠિયા મિત્રો છે એવા પણ અનાદિના “ભાઈબંધ' વિષયમાં હારો “વિરાગ”—વિગતરાગપણું–રાગરહિતપણું છે, અને કદી દીઠે પણ નથી એવા “અદષ્ટ” એગમાં હારૂં સામ્ય” છે–અભિન આત્માપણું–તન્મય પરમ પ્રેમપણું છે! હે સ્વામી! આ લૌકિક નહિ એવી કઈ અલૌકિકલેકેત્તર વાત છે! કારણ કે લોકમાં તે જેને ચિર સહચાર–સહવાસ હોય તે પ્રત્યે ગાઢ આસક્તિરૂપ રાગ, અને જેને કદી પરિચય નથી થયે તે પ્રત્યે ભાવઅભાવ– પ્રેમઅભાવ જ જોવામાં આવે છે. એટલે લોકની રીતિથી વિપરીત-વિલક્ષણ એવી ત્યારી રીતિ પરમ આશ્ચર્યકારી લિંકોત્તર છે ! Page #324 -------------------------------------------------------------------------- ________________ વિષયામાં વિરાગ ને યાગમાં સાત્મ્ય ! અપકારી પ્રત્યે હારૂં એર રંજન!—— तथा परे न रज्यन्त, उपकारपरे परे । यथाऽपकारिणि भवानहो ! सर्वमलौकिकम् ॥ ५॥ ઉપકારપરા પર પ્રતિ, પરા ન ર્જ્યા તેમ, જેવો તુ અપકારી પ્રતિ, સ અલૌકિક એમ. પ અર્થ :ઉપકારમાં તત્પર એવા પર પ્રત્યે પરી એવા રજ્યા નથી, કે જેવા તું અપકારી પ્રત્યે રજ્યા છે! અહે।! આ સ અલૌકિક છે ! વિવેચન “લાક લાકાત્તર વાત, રીઝ છે ઢાય જૂઈ રી.” શ્રી યશેાવિજયજી ઉપકારપર-પેાતાના પ્રત્યે ઉપકાર કરવામાં તત્પર એવા ‘ પર ’–બીજા પ્રત્યે પરા ’-ખીજાએઅન્ય દશનીએ એવા ર્જ્યા નથી–એવા પ્રસન્ન–રાજી થયા નથી, કે જેવા તું પાતા પ્રત્યે ‘ અપકારી ’–અપકાર કરનાર પ્રત્યે રચે છે–પ્રસન્ન–રાજી થયા છે! અહા ! આ સવ ૮ અલૌકિક ’– લૌકિક નહિ એવી લેાકથી વિલક્ષણ કાઈ લેાકેાત્તર વાર્તા છે! લેાકેા તા પેાતાના ઉપકારી પ્રત્યે રીઝે એમાં શી મેાટી વાત છે? પણ પેાતાને મહાઉપસર્ગ કરનારા અપકારી પ્રત્યે પણ, આ તા મને મ્હારા કના નાશ કરાવનારા પરમ મિત્રના જોગ મન્યા- પરમ મિત્રના જાણે પામ્યા યાગ એ '–એમ જાણી રજવુ, એ તેા ઘણી ૨૦૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ વીતરાગનૈવ સવિવેચન ઘણી મોટી વાત છે. અને એવી પરમ આશ્ચર્યકારક વિલક્ષણ અલૌકિક-લે કેત્તર વાત હારા જે સિદ્ધહસ્ત પરમ ગીશ્વર જ કરી શકે છે. આમ હે ભગવન્! હારૂ “સર્વ”—હારી બધી વાત અલૌકિક પરમ અદ્ભુત આશ્ચર્યકારી વિલક્ષણ છે, તે માટે સહજ ઉદ્દગાર નિકળી પડે છે–અહો ! અહે! અહે! હિંસકોને ઉપકાર ને આશ્રિતો પ્રત્યે હારી ઉપેક્ષા !– हिंसका अप्युपकृता, आश्रिता अप्युपेक्षिताः। इदं चित्रं चरित्रं ते, के वा पर्यनुयुञ्जताम् ॥६॥ હિંસક પણ ઉપકૃત કર્યા, આશ્રિતે ય ઉપેક્ષિત; પૂછી શકે એમ કોણ આ, હારૂં ચિત્ર ચરિત્ર? ૬ અર્થ–હિંસકે પણ ઉપકૃત કર્યા, આશ્રિત પણ ઉપેક્ષિત કર્યા–એવું આ લ્હારૂં ચિત્ર ચરિત્ર કેણ પૂછી શકે એમ છે? - વિવેચન ઇત્યાદિક બહભંગ ત્રિભંગી, ચમતકાર ચિત્ત દેતી રે; અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે. –શ્રી આનંદઘનજી સામાન્ય પ્રાકૃત જને તે “હિંસક”–પિતાને હણનારા પ્રત્યે અપકાર કરે છે, અને “આશ્રિતો”—પિતાના Page #326 -------------------------------------------------------------------------- ________________ હિસકોને ઉપકાર ને આશ્રિતો પ્રત્યે ઉપેક્ષા: ૨૭૩ આશ્રયે રહેલાઓની ઉપેક્ષા નહિ કરતાં ઉપકાર કરે છે. પણ હે ભગવન્! હારી રીતિ તે આથી વિલક્ષણ છે. હિંસકે”-હિંસા કરનારા–પિતાને હણનારાને તેં ઉપકૃત કર્યા, તેઓ પ્રત્યે પણ તેં ઉપકાર કર્યો, અને “આશ્રિત – હારો આશ્રય કરનારા પણ તે ઉપેક્ષિત કર્યા–તેની પણ ઉપેક્ષા કરી ! એવું આ હારૂં લોકવિલક્ષણ “ચિત્ર”— અદ્ભુત આશ્ચર્યકારી ચરિત્ર છે, તે બા.માં કેણ પ્રશ્ન ઊઠાવી શકે એમ છે? દા. ત. ભગવાન મહાવીરે ડંશ દેનારા ચંડકૌશિક નાગને પણ પ્રશમઉપદેશથી ઉપકાર કરી ઉદ્ધા અને પિતાના આશ્રિત શિષ્ય પર દુષ્ટ ગશાળાએ તેજેશ્યા મૂકી ત્યારે તેઓની ઉપેક્ષા કરી ! આ વસ્તુ જગપ્રસિદ્ધ છે, એની કે ના પાડી શકે એમ છે? અર્થાત્ આ ઉપરથી હે વીતરાગ! ત્યારે સામ્યયોગ કેટલી પરાકાષ્ઠાએ પહોંચ્યું છે તે સહેજે સ્વયં સમજાય છે. UR “અસંપ્રજ્ઞાત” પરમ સમાધિમાં હારી અદ્ભુત લીનતાतथा समाधौ परमे, त्वयात्मा विनिवेशितः। सुखी दुःख्यस्मि नास्मीति, यथा नप्रतिपन्नवान्॥७॥ એ નિવેશે આત્મા તે, પરમ સમાધિમાંહિ, કે સુખી દુઃખી છું છું નહિ, ભાન રહ્યું ન આંહિ૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વીતરાગસ્તવ સવિવેચન અર્થ–પરમ સમાધિ વિષે આત્મા હૃારાથી એવો વિનિશિત કરાયે-બેસાડી દેવામાં આવ્યું કે હું સુખીદુઃખી છું, છું નહિં, એમ તે જાણ્યું નહિ! વિવેચન દેવ વિશાલ જિણુંદની, તમે ધ્યા તત્વ સમાધિ રે; ચિદાનંદરસ અનુભવી, સહજ અકૃત નિરુપાધિ રે.” –શ્રી દેવચંદ્રજી ગનું આઠમું અંગ સમાધિ, તેમાં પણ જે સર્વોત્કૃષ્ટ-પરાકાષ્ઠાને પામેલી પરમ સમાધિ, તે વિષે આત્મા હારાથી એ “વિનિશિત” કરા-વિશેષે નિશિત કરાયે, બેસાડી દેવા–સંસ્થાપિત કરાયો, કે હું સુખી છું કે દુઃખી છું, કે છું કે હું નહિં એ વિકલ્પ પણ તેં જાયે નહિં. અર્થાત્ જ્યાં આત્મભાન પણ ભૂલાઈ જાય છે અને કેઈ વિકલ્પનું ઉત્થાન થતું નથી એવી પરમ નિર્વિકલ્પ સમાધિ-જેને “અસંપ્રજ્ઞાત સમાધિ” કહે છે તે તે સહજ સિદ્ધ કરી; સહજાન્મસ્વરૂપમાં નિમગ્ન થઈ તું સહજ સમાધિમાં એટલે બધા વિલીન થઈ ગ –સમાધિમાં એટલે બધે તન્મય બની ગયે કે ત્યાં પછી કઈ પણ વિક૯૫ને ઊઠવાનું સ્થાન રહ્યું નહિં. હારૂં અદ્દભુત માહાત્મધ્યાતા-ધ્યેય-ધ્યાનની એકતા – ध्याता ध्येयं तथा ध्यानं, त्रयमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्य, कथं श्रद्धीयतां परैः? ॥८॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ અસંપ્રજ્ઞાત પરમસમાધિ: અદ્દભુત માહાસ્ય ૨૫ ધ્યાતા ધ્યેય ને ધ્યાન એ, એકાત્મતાગત ત્રય; એવું માહાતમ્ય તુજ, તેમજ શ્રદ્ધા અન્ય? ૮ અર્થ –ધ્યાતા દયેય તથા ધ્યાન એ ત્રય-ત્રિપુટી જ્યાં એકાત્મતાગત એક આત્મભૂત થઈ ગયેલ છે, એવું હારૂં ગમાહા પરથી–અન્યદર્શનીઓથી કેમ શ્રદ્ધાય? વિવેચન %ધાયક દયેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે –શ્રી યશોવિજયજી ધ્યાતા–ધ્યાન કરનાર, ધ્યેય–ધ્યાન કરવા યોગ્ય વસ્તુ અને ધ્યાન-ધ્યાનની ક્રિયા એ “ત્રય”—ત્રિપુટી જ્યાં એકાત્મતાગત” છે,-એકાત્મપણું–એકસ્વરૂપપણું પામી ગયેલ છે, અર્થાત્ આત્મા જ ધ્યાતા, આત્મા જ ધ્યેય અને આત્મા જ ધ્યાન એમ ધ્યાતા–ધ્યેય ધ્યાન એ ત્રિપુટી જ્યાં અભેદ એકરૂપ બની ગયેલ છે, એટલે એ સંબંધી વિકલ્પ પણ જ્યાં રહ્યો નથી, એવી પરમ નિવિકલ્પ પરમ સમાધિદશાને પામેલું આ લ્હારું યેગમાહાસ્ય–ગમહિમાપણું “ પરથી '–બીજાઓથી– અન્ય દર્શનીઓથી કેમ શ્રદ્ધાય વાર? છે ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ સવિવેચનમાંઅદ્દભુત અલૌકિક યોગમાહાસ્ય નિરૂપક ચતુર્દશ પ્રકાશ Page #329 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પ્રકાશઃ અનન્ય વીતરાગ શાસન પ્રાપ્તિથી સ્વધન્યતા શાંત વીતરાગ મુદ્રાથી જ કરેલ ત્રિજગજજય– जगज्जैत्रा गुणास्त्रातरन्ये तावत्तवासताम् । उदात्तशान्तया जिग्ये, मुद्रयैव जगत्त्रयी ॥१॥ [ કાવ્યાનુવાદ] શાલીની વિધવાતા ! ત્રિજગ જીતનારા, દૂરે એવા હે ગુણે અન્ય હારા ! મુદ્રાથી ચે શાંત ઉદાત્ત માત્ર, છતાયું છે વિજગતુ પૂજ્ય પાત્ર! અર્થ–હે ત્રાતા ! જગજેતા એવા હારા બીજા ગુણે તે દૂર રહે ! પણ હારી શાંત ઉદાત્ત મુદ્રાથી જ ત્રિજગત જીતાઈ ગયું છે. | વિવેચન “અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય: શાંત સુધારસ ઝીલતી રે, નિરખત પતિ ન હોય, –શ્રી આનંદઘનજી Page #330 -------------------------------------------------------------------------- ________________ શાંત વીતરાગમુદ્રાથી જ ત્રિજગજય ૨૭૭ જગતનું ત્રાણ–રક્ષણ કરનારા હે ત્રાતા !-જગના રક્ષણહાર! “જગજેતા”-જગને જીતી લેનારા એવા હારા બીજા ગુણોની તો શી વાત કરવી? પણ પ્રશમરસમાં નિમગ્ન એવી પરમ શાંત અને ગાંભીર્યપ્રસન્નતાદિ પરમ ઉચ્ચ–પરમ ભવ્ય ભાવ દર્શાવતી એવી પરમ ‘ઉદાત્ત” હારી મુદ્રાથી જ-વીતરાગ મુદ્રાથી જ આ ત્રિજગત્ જીતાઈ ગયું છે! અર્થાત્ લ્હારા બીજા ગુણે જગને જીતી લેનારા તો છે જ તેની વાત દૂર રહે ! પણ વીતરાગ ભાવની સૂચક આ હારી શાંત ઉદાત્ત મુદ્રા જ જગને જીતી લેવાને બસ છે! હે વીતરાગ ! હારી નિવિકાર વીતરાગમુદ્રાના દર્શન થતાં જ વિચક્ષણ વિવેકી જનના મુખમાંથી સહજ ઉદ્દગાર નીકળી પડે છે કે–અહો ! આની દષ્ટિ કેવા પ્રશમરસમાં નિમગ્ન થયેલી છે! આનું મુખકમલ કેવું પ્રસન્ન, શાંત, સૌમ્ય છે. નથી દેખાતી આના ખોળામાં કામિની કે નથી આના હાથમાં હથિયાર ! અહો ! સમભાવભરી એની દષ્ટિ જાણે સમ પરિણામે જગને દેખી રહી છે! એની પ્રસન્ન આ પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ આ વીતરાગ દેવના અનન્ય શાસનને મે–સમુદ્ર-ચિંતામણિ—અમૃતની ઉપમા આપી, આ વીતરાગ શાસનથી વિમુખ–પ્રતિકૂળ વર્તનારાઓ પ્રત્યે પુયપ્રકેપ દર્શાવવા સાથે તેની સન્મુખ વર્તનારાઓની મુક્તકંઠે સ્તુતિ કરી છે, અને આવા અનન્ય વીતરાગ શાસનની પ્રાપ્તિથી સ્વધન્યતા ચિંતવી છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ વીતરાગસ્તવ સવિવેચન * મુખમુદ્રા પરમ ચિત્તપ્રસન્નતા વ્યક્ત કરી રહી છે! એની અસંગતા જાણે સર્વ પરભાવની પરિવજના પ્રકાશી રહી છે. એના ખુલ્લા ખાલી હાથે જાણે એમ સૂચવી રહ્યા છે કે અમને હવે આ ચિત્રવિચિત્ર જગત્ સાથે કાંઈ લેવાદેવા નથી. અમે અમારું કામ કરી લીધું છે, હવે અમારે કંઈ પણ કરવાપણું રહ્યું નથી. અહો ! આવી અદ્ભુત નિર્વિકાર મુદ્રા મેં પૂર્વે કદી પણ દીઠી નહોતી. ખરેખર! જગતમાં કઈ પણ વીતરાગ દેવ હોય તે તે આવા જ ઘટે. હું ધન્ય છું ધન્ય છું કે આવી દિવ્ય મૂર્તિનાં મને દર્શન થયાં. ઉપશમરસ ભરી સર્વજનશંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, - તિણે ભવભ્રમણની ભીડ મેટી.”–શ્રીદેવચંદ્રજી બાહુ-કાદંબરીની સ્પર્ધા કરે એવી તિલકમંજરી મહાકથાના સષ્ઠા મહાકવિ ધનપાલને વીતરાગપ્રતિમાના દર્શન થતાં જ સહજ ઉગાર નીકળી પડ્યા કે "प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्य : । करयुगमपि यत्ते शस्त्रसंबंधन्ध्यं, તત ગતિ ફેવો વીતરાસ્વમેવ ” મહાકવિ ધનપાલ આ મહાકવિ ધનપાલ એ જ છે કે જેણે રચેલી અપૂર્વભક્તિરસપૂર્ણ “ઋષભ પંચાશિકા' નું “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્ય જીએ શત્રુંજય પર શ્રીમુખે ગાન કર્યું હતું અને તેની ભારોભાર , સ્તુતિ કરી હતી, એવો ઉલ્લેખ મળી આવે છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ હારે અપવાદ કરનારાઓએ મેને તૃણ કર્યો ૨૭૯ હારો અપવાદ કરનારાઓએ મેરુને તૃણ કર્યો मेरुस्तृणीकृतो मोहात्पयोधिष्पिदीकृतः । गरिष्ठेभ्यो गरिष्ठो यैः पाप्मभिस्त्वमपोदितः॥२॥ જે પાપીથી તું ગરિષ્ઠ ગરિષ્ઠ, - નિન્દા વા વા અવ વરિષ્ટ, મેહે તેણે મેરુને તૃણુ કીધે, અધિને ગેપદી માત્ર કીધે, ૨ અર્થ-ગરિષ્ઠોથી ગરિષ્ઠ એ તું જે પાપીઆમાંથી અવજ્ઞા કરાવે છે (વા અપવાદ-નિંદા કરાય છે), તેથી મેહને લીધે મેરુ તૃણ કરાવે છે, અને પધિ–સમુદ્ર ગોષદ (ગાયના પગલા પ્રમાણ) કરાવે છે. વિવેચન હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.” –શ્રી આનંદઘનજી “ગરિકોથી–ગુરૂઓમાં ગુરૂઓથી–મોટામાં મેટાઓથી પણ “ગરિષ્ઠ –ગુરુમાં ગુરુ-મોટામાં મેટે એ પરમગુરુઓને પરમગુરુ તું, જે પાપીઆઓથી “અપોદિત છે–અપવાદ–નિંદા કરાય છે વા હીણો કહાયો છે, અથવા (પાઠાંતર)૧ “અપોહિત” છે–અપેહ-નિરાકરણ કરાયો છે– ૧. પાઠાંતર–સાહિત: Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ વીતરાગસ્તવ સવિવેચન દૂર કરી એક બાજુ મૂકી અવજ્ઞા-અનાદર કરાય છે, તે પાપીઆઓથી મેરુ તૃણ કરી દેવાય છે અને પધિસમુદ્ર ગોષ્પદ–ગાયના પગલા પ્રમાણ કરી દેવાયા છે ! અર્થાત્ “ગુરુ ગુરુ” –જગગુરુઓને જગદ્ગુરુ તું મેરુ સમે મહાન છે, તેના મહામહિમાનું મૂલ્યાંકન કરવાની તે મૂઢ પાપીમાં શક્તિ નથી એટલે તે મૂખે મેરુને તૃણ બનાવી દે છે અને પરમ જ્ઞાનગુણગંભીર તું સાગરવરગંભીર છે, તેના ગાંભીર્યને–અગાધ ઊંડાણને તાગ લેવાની તે પાપીની તાકાત નથી, એટલે તે સાગરને “ગોપદ’—ગાયના પગલામાં આવી જાય તેટલા પ્રદેશ પ્રમાણ બનાવી ઘે છે ! બાકી તું તો મેરુ સમે મહાન ને સાગર જે ગંભીર પરમ જગગુરુઓનો પણ પરમ જગશુરુ છે જ એ વસ્તુને તે પાપીઓની મૂઢતાને લઈ લેશ પણ બાધા થતી નથી. જ્ઞાનીની અવજ્ઞા કરનારા મેહમૂહ જગજજી અંગે અત્યંત કરુણાથી ખેદ દર્શાવતા નિષ્કારણ કરુણરસસાગર શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકેત્કીર્ણ વચનામૃત છે કે – જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધાવાનું કારણ છે એમ તીર્થકર કહે છે. તે પુરુષને ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપગ દષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાથ કરનારૂં તીર્થકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણા જ તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને Page #334 -------------------------------------------------------------------------- ________________ હારા શાસનલાભ ન લીધા તે ચિંતામણિઅમૃત ચૂકયાર૮૧ સફળ કર્યુ. હેાય એવા જીવેા તા કવિચત્ જોવામાં આવે છે; પ્રથમ વાકયને સફળ અને બીજા વાકયને અફળ એમ જીવે અન`તવાર કયુ' છે. તેવા પિરણામમાં આવતાં તેને વખત લાગતા નથી, કારણ કે અનાદિકાળથી મેાહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યા છે. ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૩ 卐 ત્હારા શાસનલાભ ન લીધે તે ચિંતામણિ-અમૃત ચૂકયોच्युतश्चिन्तामणिः पाणेस्तेषां लब्धा सुधा मुधा । यैस्ते शासन सर्वस्वमज्ञाने नत्मसात्कृतम् ॥३॥ || ચૂર્ચા ચિન્તારત્ન તે હાથમાંથી, સુધા સુધા લબ્ધ છે. તેહનાથી; જે અજ્ઞાને આત્મસાત્ ના જ કીધું, હારા શાસનૢ કેરૂ સર્વસ્વ સીધું, ૩ અઃ—જે અજ્ઞાનીઓથી ત્હારૂં શાસનસ સ્વ આત્મસાત્–સાભીત કરાયું નથી, તેના હાથમાંથી ચિન્તામણિ ચ્યુત–ભ્રષ્ટ થયા, અને તેને લ—મળેલી સુધા (અમૃત) સુધા—ફેાગઢ-ચ ગઈ. વિવેચન “ ભાવ હૈ। પ્રભુ! ભાવ ચિંતામણિ એહુ, આતમ હે! પ્રભુ આતમ સંપત્તિ આપવાજી,” —શ્રી ધ્રુવચન્દ્રજી Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વીતરાગસ્તવ સવિવેચન જે અજ્ઞાનીઓથી હારું “શાસન સર્વસ્વ”—શાસનનું સર્વ સારભૂત તત્વ “આત્મસાત્ –સાત્મીભૂત આત્મારૂપ કરાયું નથી, આત્માર્થરૂપ પિતાનું કામ કાઢી લઈ આત્માનું–પિતાનું કરી લેવાયું નથી, તેઓના હાથમાંથી ચિંતામણિ ત થ છે ભ્રષ્ટ થયો છે; ને તેઓને “લખ્યા” –પ્રાપ્ત થયેલી સુધા (અમૃત) “મુધા–ફેગટ-વ્યર્થ ગયેલ છે. અર્થાત્ હે વીતરાગ ! વીતરાગતા બેધતું આ હારું શાસન સાક્ષાત્ ચિંતામણિરત્ન અને પરમ અમૃત છે. આ અપૂર્વ લાભ પામીને પણ જેણે આત્માર્થરૂપ કાર્ય સાધી લીધું નથી, તેણે પોતાના હાથમાં આવેલું અચિંત્ય ચિન્તામણિરત્ન હાથમાંથી ભ્રષ્ટ થવા દીધું છે, અને પ્રાપ્ત થયેલા સાક્ષાત્ અમૃતને આત્મલાભ ફોગટ જવા દીધે છે. અત્રે અપ્રસ્તુત પ્રશંસા અલંકારથી વીતરાગ શાસનને ચિંતામણિ અને અમૃત કહી તેની ભારેભાર સ્તૃતિ કરી છે. કારણ કે આત્મસંપત્તિ આપવા માટે આ વીતરાગ અર્હત્ ભગવદ્ પિતે અચિંત્ય ભાવચિંતામણિ છે અને પરમ “અમૃત પદને પામેલા પરમ ‘અમૃત છે, એટલે વીતરાગ શાસન પણ તેવું જ આત્મસંપત્તિ આપવા સમર્થ અચિંત ભાવચિતામણિ છે અને પરમ અમૃત” પદ પમાડવા સાક્ષાત્ પરમ “અમૃત” છે. F હારા પ્રત્યે ઈર્ષાગ્નિ ભરી દષ્ટિ ધરનારને અગ્નિ– यस्त्वय्यपि दधौ दृष्टिमुल्मुकाकारघारिणीम् । तमाशुशुक्षणिः साक्षादालप्यालमिदं हि वा ॥४॥ mational Page #336 -------------------------------------------------------------------------- ________________ હાર પ્રત્યે ઈર્ષ્યાગ્નિભરી દષ્ટિ ધરનારને અગ્નિ- ૨૮૩ હારા પ્રત્યે દુષ્ટ જે પાપકારી, દષ્ટિ ધારે ઉલકાકારધારી; તેને અગ્નિ––સર્યું આ બોલવાથી, વાણી સાક્ષાત્ કાંઈ વાધે ન આથી. ૪ અર્થ – (દુષ્ટ) લ્હારા પ્રત્યે પણ ઉભુકાકાર ધારી ( ઉલ્કાપાતના અગ્નિ જેવી રક્ત) દષ્ટિ ધારે છે, તેને અગ્નિ—–સાક્ષાત્ આ આટલું બોલીને બસ થયું ! વિવેચન પ્રકાશે છે લેકે જિનવચનરૂપી દિનપતિ, સ્કુરતો સતેજે કુમતિ ગ્રહને દુસહ અતિ. શ્રી પ્રજ્ઞાબાધ ક્ષમાળા (સ્વરચિત) પરમ નિર્દોષ પરમ વીતરાગ એવા હારા પ્રત્યે પણ જે દુષ્ટ “ઉભુકાકારધારી”—ઉલ્કાપાતના અગ્નિ જેવી અરુણ લાલ દષ્ટિ કરે છે, તેને અગ્નિ–સાક્ષાત્ આ આટલું બોલવાથી બસ થયું ! અર્થાત્ આને અગ્નિ સાક્ષાત્ ભસ્મીભૂત કરે એવું અનાર્ય વચન બોલતાં અમારી જીભ ઉપડતી નથી. એટલે હારા શાસન પ્રત્યેની દાઝથી પુણ્યપ્રકોપથી તેને અગ્નિ સાક્ષાત્ –એટલે વચન બોલાઈ જતાં પછી અમારી વાણી આગળ બોલતાં ખચકાય છે, આગળ વધી શકતી નથી. પણ એ વાત તો પ્રગટ છે કે તું પરમ નિર્દોષ પ્રત્યે પણ ઈર્ષ્યાગ્નિથી બળતો જે દુષ્ટ આવી કટાક્ષદષ્ટિ ધરે છે, તે ઘણું આકરા માઠાં કર્મ બાંધી પિતે પિતાના કર્મઅગ્નિથી જ ભસ્મ થશે ! એ વિચારતાં Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વીતરાગસ્તવ સવિવેચન અમને તેની દયા આવે છે, એટલે એવા વચન ઉચ્ચારતાં અમારી વાણું આંચકે ખાય છે. હારા અનન્ય અમૃત–શાસનની અન્ય સાથે તુલના શી?— त्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्तरैः। विषेण तुल्यं पीयूषं, तेषां हन्त ! हतात्मनाम् ॥५॥ હારા શાસનું બૌજા શાસનથી, સામ્ય સ્વામી ! માન્ય છે જે જનેથી રે ! રે! એવા તે હુતાત્મા જનાને, વત્તે સુધા વિષની તુલ્ય જાણે! ૫ અર્થ જેઓ હારા શાસનનું શાસનાંતરે બીજા બધા શાસને સાથે સામ્ય–સમાનપણું માને છે, તે હતાભાઓને મન અરેરે! પીયૂષ–અમૃત વિષથી-તુલ્ય સમાન છે! વિવેચન “એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જેની તુય બીજું દર્શન નથી. આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગહિૌષિતા. –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા હે વીતરાગ ! જેઓ હારા શાસનનું (ધર્મચકનું). શાસનાંતરે” બીજા બધા શાસને સાથે “સામ્ય”— Page #338 -------------------------------------------------------------------------- ________________ હારાઅનન્ય અમૃતશાસનની અન્ય સાથે તુલના શી? ૨૮૫ સમાનપણું–સરખાપણું માને છે, તે “હતાત્માઓને”– જેણે પિતાને આત્મા હણી નાંખે છે એવા દુષ્ટ આત્મઘાતીઓને મન પીયૂષ–અમૃત વિષથી તુલ્ય છે–સમાન છે, અર્થાત્ તે અમૃતને ઝેર સમાન માને છે ! પણ સર્વત્ર વિતરાગતાને નિર્મલ બોધ કરનારૂં હારૂં શાસન તો આત્માને સાક્ષાત્ અમૃત સમ પરિણમતું હોવાથી સાક્ષાત્ અમૃત છે; અને અન્ય શાસન તે સરાગતા પિષનારા વિષય-વિષષક વિધાનથી આત્માને વિષરૂપે પરિણમતા હોવાથી વિષ છે, એટલે હારા શાસનનું બીજા બધા શાસન સાથે “સામ્ય’–સરખાપણું માનવું તે અમૃતને વિષની તુલામાં આરોપવા બરાબર છે. અન્ય શાસને પ્રત્યે સામ્ય” એટલે સમદશિપણું રાખવું–રાગદ્વેષરહિત સહિષ્ણુ મધ્યસ્થ બુદ્ધિ રાખવી એ વાત જુદી છે, પણ સામ્ય” એટલે સમાનપણું એકસરખાપણું માનવું તે તે અમૃત ને ઝેર એકસરખા માનવારૂપ પ્રગટ અવિવેક છે. એટલે એમ જેઓ માને છે તે ખરેખર! “હતા. ત્માઓ” છે–અવિવેકથી જેણે પોતાના આત્માને હણી નાંખે છે એવા દુર્ભાગીઓ છે. ખરેખર! “લલિતવિસ્તર”માં કહ્યું છે તેમ મ્હારૂં અતુલ ધર્મશાસનરૂપ ધર્મચક તે કપિલાદિપ્રભુત ધર્મચક અપેક્ષાએ વિકેટિ. પરિશુદ્ધતાએ કરી વર–પ્રધાન છે.” એટલે સમન્વયને x “ यथोदित धर्म एव वरं-प्रधानं xxकपिलादिप्रणीतधर्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया xxचक्रमिव चक्र।" લલિતવિસ્તરા, સૂ૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ વીતરાગસ્તવ સવિવેચન નામે કે સમદશિતાના નામે કેઈ તેઓનું સમાનપણું– સરખાપણું માનતા હોય તો તે કેવલ બ્રાંતિ જ છે. આ ભ્રાંતિ ભાંગનાર અને સમદશિતા એટલે “ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિતપણું, ઈચ્છારહિતપણું મમત્વરહિતપણું રાગદ્વેષરહિતપણું એમ સમદશિતાના અર્થની સ્પષ્ટ કરતા સુપ્રસિદ્ધ પત્રમાં શ્રીમદ્ રાજચંદ્રજીના માર્મિક વચનામૃત છે કે –“સમદશિપણું એટલે લૌકિક ભાવને સમાન ભાવ, અભેદ ભાવ, એકસરખી બુદ્ધિ, નિવિશેષપણું નહીં, અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સદ્ભુત અને અસહ્યુતમાં સમપણું ગણવું, અથવા સદુધર્મ અને અસદુધર્મમાં અભેદ માન, અથવા સદ્ગુરુ અને અસગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદેવ અને અસવને વિષે નિવિશેષપણું દાખવવું અર્થાત્ બંનેને એક સરખા ગણવા, ઈત્યાદિ સમાનવૃત્તિ એ સમદશિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા.”–શ્રીમદ રાજચંદ્ર, અં ૭૫૩ R હાર પર મત્સરી “મૂંગા-બહેરા થાઓ!” તેમાં જ તેઓનું શ્રેય– अनेऽमूका भूयासुस्ते येषां त्वयि मत्सरः । शुभोदाय वैकल्यमपि पापेषु कर्मसु ॥६॥ બહેરા મૂંગા છે જો લોક જેહ, લ્હારા પ્રત્યે મત્સરી હેય તેહ; પાપી કમે જેહ વૈકલ્ય નાથ ! ન થાયે તે તે શુભ અભ્યદયાર્થ. ૬ Page #340 -------------------------------------------------------------------------- ________________ હારા પર મત્સરી મૂંગા-બહેરા થાઓ તેમાં જ શ્રેય ૨૮૭ ' અર્થ –તેઓ બહેરા–મૂંગા થશે કે જેઓને હારા પ્રત્યે મત્સર–ગુણષ છે; પાપકર્મોમાં વૈકલ્પ-વિકલપણું પણ શુભના ઉદય માટે છે. વિવેચન અપરાધી હો જે તુજથી દૂર કે, ભૂરિ ભ્રમણ દુ:ખના ધણી.”–શ્રી દેવચન્દ્રજી હે વીતરાગ ! હારા પ્રત્યે જેઓ “મત્સર’–ઈર્ષાથી ગુણઠેષ ધરે છે, તેઓ હેરા-મૂંગા થાઓ! ખરેખર! પાપકર્મોને વિષે જે ‘વૈકલ્ય”—વિકલપણું-ખોડખાંપણુપણું –અંગહીનપણું તે પણ શુભના ઉદય માટે થાય છે. અર્થાત્ મત્સરથી જેઓ હારા અવર્ણવાદ સાંભળે છે વા વદે છે, તેઓ સાંભળવાની શક્તિના વિકપણાથી હેરા અને બેલવાની શક્તિના વિકલપણાથી મૂંગા-બબડા થઈ જાય એમાં જ એમનું શ્રેય છે. કારણ કે કર્ણશક્તિ નહિં હોય તો પછી તેઓ વીતરાગના અવર્ણવાદ ક્યાંથી સાંભળશે? અને વાચાશક્તિ નહિં હોય તે પછી તેઓ વીતરાગના અવર્ણવાદ ક્યાંથી વદશે? એટલે અવર્ણવાદ નહિં સાંભળવાથી નહિં વદવાથી તેઓને શુભનો ઉદય જ થશે. આમ અવર્ણવાદાદિ પાપકર્મોમાં તેમનું વૈકલ્ય” -ઇંદ્રિયવિકલપણું એમના ભલા માટે જ થશે. એટલે " હારા પ્રત્યેને તેઓને મત્સર–ગુણષ દેખી હાર સશાસનની દાઝને લઈ પુણ્યપ્રકેપથી તેઓ “મૂંગા હેરા થઈ જજે” એમ અમારાથી બળતા હૃદયે બોલાઈ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ વીતરાગસ્તવ સવિવેચન જાય છે, તેમાં પણ ગર્ભિતપણે અમારો આ ઉક્ત કરુણું –ભાવ જ છે. કારણ કે લ્હારા અવર્ણવાદ જે વદે છે કે સાંભળે છે તે પિતાના પાપકર્મથી જ મૂંગા-બહેરા બને છે, માટે તેઓ હેરા-મૂંગા હોય તે અવર્ણવાદથી– શ્રવણથી પાપકર્મ તે ન બાંધે, એટલે કરૂણાથી પણ અમારાથી એમ બેલાઈ જવાય છે. હારા શાસનામૃત રસીઆઓને નમસ્કાર !— तेभ्यो नमोऽञ्जलिरयं, तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसै यरात्माऽसिच्यतान्वहम् ॥७॥ તેઓ પ્રત્યે હે નમઃ! અંજલિ હે ! ઉપાસીએ આ અમે તેને હો ! જેણે હારા શાસનામૃત રસથી, સિંએ આત્મા નિત્ય આ ઉલ્લોથી. ૭ અર્થ –તેઓને નમરકાર હેતેઓને આ અંજલિ છે! તેઓને અમે સમુપાસીએ છીએ–કે જેઓથી લ્હારા શાસનામૃતરસથી આત્મા પ્રતિદિન સિંચવામાં આવ્યો છે. વિવેચન ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પકવંદી હે જે દેશના સુણે: જ્ઞાનક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હે નિજ સાધકપણે –શ્રી દેવચંદ્રજી Page #342 -------------------------------------------------------------------------- ________________ હારા શાસનામૃત રસીઆઓને નમસ્કાર ૨૮૯ હે વીતરાગ ! તે પુણ્યશાળી મહાભાગ્યવંત જનેને અમારે નમસ્કાર હે ! તેઓને આ અમે બે હાથ જોડી અંજલિ કરીએ છીએ! તેઓને અમે સમુપાસીએ છીએસમ્યપણે સારી પેઠે ઉપાસીએ છીએ,-કે જેઓથી હે ભગવન્! હારા શાસનઅમૃતરસથી રેજ રેજ આત્મા સિંચવામાં આવ્યું છે. હે ભગવન્! હારું વીતરાગ શાસન તે સાક્ષાત્ અમૃત છે. તેના અમૃતરસોથી જેઓ પ્રતિદિન પિતાના આત્માને સિંચે છે –તેના અમૃતરસપાનોથી આત્માને સાક્ષાત્ “અમૃત” બનાવે છે, તે મહાભાગ્યવંતને અમારે નમસ્કાર હો ! તેઓને અમે અંજલિ જેડી પ્રણામ કરીએ છીએ અને તેઓની સેવામાં-ઉપાસનામાં અમે તત્પર થઈએ છીએ. વીતરાગ શાસનના પરમ પરમાર્થ પ્રેમથી અસ્થિમજજાની રંગાયેલા “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યાજીએ પોતાને ગુણપ્રદ આ સહજ ઉદ્ગાર દ્વારા અભિવ્યક્ત કર્યો છે. જગમ સુરતરૂ સારિખો રે, મન-મેહના રે લોલ, સેવે ધન્ય ધન્ય તેહ રે ભવિબોધના રે લોલ, –શ્રી દેવચંદ્રજી તું વીતરાગના જ્યાં પદ પડે તે ભૂમિને નમસ્કાર!– भुवे तस्यै नमो यस्यां, तव पादनखांशवः । चिरं चूडामणीयन्ते, ब्रूमहे किमतः परम् ? ॥८॥ ૧૯ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વીતરાગસ્તવ સવિવેચન તે ભૂમિને હો નમઃ જ્યાંહિ તારા, પાદાજોના તે તેનખાંશુ પ્રસારા; શાભા ચૂડારત્નની ચિર ધારે, આથી બીજી ખેલીએ શું વધારે ? < અઃ —તે ભૂમિને નમસ્કાર ઢા, કે જેમાં ત્હારા પાદનખાંશુ–ચરણનખના કિરણા ચિરકાળ સુધી ચૂડામણિરૂપ બને છે. આથી ખીજું વધારે અમે શું બેલીએ ? વિવેચન “ જે દેહધારી સ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પર્મ ભક્તિથી નમસ્કાર હેા, નમસ્કાર હેા. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માને, આસનાદિ સર્વને નમસ્કાર હો.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૮૭ વીતરાગશાસનના પરમ અમૃતરસથી સિંચાતી જીવંત વ્યક્તિની વાત તેા દૂર રહેા, પણ એથી પણ આગળ વધીને વીતરાગની ચરણરેણુથી પાવન થતી ભૂમિની પણ ધન્યતા ગાતાં હેમચ`દ્રાચાર્યજી પરમ ભાવેાલ્લાસથી વઢે છે કે-તે ભૂમિને નમસ્કાર હા!–કે જેમાં ત્હારા પાદનખાંશુ-ચરણનખના કિરણા ચિરકાળ ઘણા લાંખા વખત સુધી ચૂડામણરૂપ બની જાય છે! ચૂડામણ જેમ મસ્તકે–માથા પર શાલે છે, તેમ ભૂમિના માથે આ નખિકરણા ચૂડામણની શાભા ધરે છે. આથી આગળ જી વધારે અમે શુ' કહીએ ? Page #344 -------------------------------------------------------------------------- ________________ તે વીતરાગના જ્યાં પદ પડે તે ભૂમિને નમસ્કાર! ર૧ અર્થાત્ તીર્થકર જેવા પરમ પુરુષ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે વિચારે છે તે તે ભૂમિ ક્ષેત્ર ને તે તે કાળ પણ ધન્ય બને છે. આવા પરમ સંતની ચરણરેણુથી જે અવનિ પાવન બને છે, તે તે અવનિ પણ સાચા ગુણાનુરાગી ભક્તજનને મન “તીર્થ” બની જાય છે. એવા જગપાવનકર જ્યાં જ્યાં વિચર્યા છે તે ભૂમિને ધન્ય છે! તે કાળને ધન્ય છે ! આવી સાચી ગુણપ્રમોદ મય ભક્તિપ્રધાન દષ્ટિથી હેમચંદ્રાચાર્યજીના આ પરમ ભક્તિરસનિર્ભર સહજ ઉદ્ગાર નીકળી પડ્યા છે. હારા ગુણગ્રામની લંપટતાથી મહારૂં જન્મધન્યપણું– जन्मवानस्मि धन्योऽस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुः। जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥९॥ હું છું સાચે જન્મવાનું ધન્ય હું છું, નિશ્ચ સાચે કૃતકૃત્યી જ હું છું; વારંવારે લંપટ જે હું આમાં, હારા ગુણગ્રામની રમ્યતામાં. ૯ અર્થ –હું જન્મવાન છું, હું ધન્ય છું, હું કૃતકૃત્ય છું -કે જે હું વારંવાર લ્હારા ગુણગ્રામના રમણીયપણામાં લંપટ થઈ ગયે છું. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન “ આજ કૃતપુણ્ય ધન્ય દિહ માહેર થયો, આજ નો જન્મ મેં સફલ ભાળ્યો, દેવચંદ્ર સ્વામી ત્રેવીશમે વંદી, ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્યો –શ્રી દેવચંદ્રજી અત્રે છેવટે પરમ વીતરાગ શાસનપ્રભાવક હેમચંદ્રાચાર્યજી વીતરાગ શાસનપ્રાપ્તિથી પિતાની જીવનધન્યતા સંગીત કરે છે–હે વીતરાગ ! “જન્મવાનું' છું–ખરેખર જન્મ પામ્યું છે, હું ધન્ય છું, હું કૃતકૃત્યકૃતાર્થ છું કે જે હું પુનઃ પુનઃ હારા “ગુણગ્રામના’—ગુણસમૂહના “રામણયંકમાં–રમણીયપણામાં–પરમ સૌંદર્યાતિશયમાં “લંપટ’-- અત્યંત લુબ્ધ-લોલુપ બની ગયો છું. અર્થાત્ લ્હારા ગુણગ્રામને સૌંદર્યાતિશય એટલો બધો છે કે તેના ગુણગ્રામને રસ લૂંટતા હું થાકતો નથી, એટલે હારો ગુણરસીઓ હું આ લંપટ હોવાથી “નિશદિન તારા ગુણ ગાઉં રે એમ જ થયા કરે છે.—જેમ લંપટને તેના ઈષ્ટ વિષયને રસ નિરંતર લેવાનું મન થયા કરે છે, તેને રસ કદી છૂટ નથી. તેમ આમ હેમચંદ્રાચાર્યજીએ પિતાની જીવનધન્યતા ગાઈ છે. “વારંવાર જિનરાજ તુજ પદ સેવા હે હેજે નિર્મની તુજ શાસન અનુજાયિ, વાસન ભાસન હે તવરમણ વળી.” –શ્રી દેવચંદ્રજી ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં સકાવ્યાનુવાદ સવિવેચનમાં—અનન્ય વીતરાગ શાસન પ્રાપ્તિથી વધન્યતા પ્રદર્શક પંચદશ પ્રકાર છે Page #346 -------------------------------------------------------------------------- ________________ ષોડશ પ્રકાશ : સ્વ રાગાદિ દેષનું ખેદ નિવેદન એક બાજુ હારા શાસનામૃતરસથી મને પરમાનંદत्वन्मतामृतपानोत्था, इतः शमरसोर्मयः । पराणयन्ति मां नाथ ! परमानन्दसम्पदम् ॥१॥ (કાવ્યાનુવાદ) દુ:ખ દેહગ દૂરે જ્યારે—એ રાગ તુજ મત અમૃત પાનથી રે, શમરસ ઊમ ઉઠત; એક બાજુ મુજને દોએ રે, સંપદ પરમાનંદ..રે પ્રભુજી! શું કહું વીતક વાત? ૧ અર્થ – હે નાથ ! આ તરફ હારા મતના–શાસનના અમૃતપાનથી ઊઠેલી શમરસ ઊર્મિએ મને પરમાનંદસં૫ પ્રાપ્ત કરાવે છે; વિવેચન “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવના , કાયરને પ્રતિકૂળ –શ્રીમદ્ રાજચંદ્રજી આગલા પ્રકાશમાં અનન્ય વીતરાગ શાસનને અપૂર્વ મહિમા ઉદ્દઘેષિત કર્યો. આ વીતરાગતાબેધક વીતરાગ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વીતરાગસ્તવ સવિવેચન શાસનનું પરમ અમૃતપાન જેણે કર્યુ છે એવા સાચા મુમુક્ષુને આંતર્ નિરીક્ષણ ( Introspection ) કરતાં પેાતાની હજી રાગાદિયુક્ત દશા દેખીને તીવ્ર ખેદ થાય છે, એટલે તે સહજ સ્વભાવે પ્રભુ પાસે પાકાર પાડે છે કે હું વીતરાગ દેવ! આ તરફ-આ માજી હારા શાસનના અમૃતપાનથી ઊઠી રહેલી શમરસઊર્મિઓ-નિષ્કષાય શાંતભાવની લહરીએ મને પરમાન દસ પત્ની પ્રાપ્તિ કરાવે છે,પરમાન દમય સાક્ષાત્ મેાક્ષના-અમૃતત્વના રસાસ્વાદ કરાવે છે; 卐 એક બાજુ રાગ–ફણિધરના વિષાવેગથી મૂર્છાइतश्चानादिसंस्कारमूर्च्छितो मूर्च्छयत्यलम् । रागोरगविषावेगो, हताशः कखाणि किम् ? ॥२॥ . અનાદિ સ`સ્કારે મૂ િંચા રાગ ઉર્ગ વિષાવેશ એક બાજુ કરે સૃતિ મને રે. કરૂ રે ! શું હું હતાશ...રે પ્રભુજી! ૨ * " सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाह्नात् । મક્તિમાંગતી વીડ્યું, પરમાનંવસવામ્ ।”—શ્રી યશાવિજયજી અર્થાત્—શ્રુતસમુદ્રના અવગાહનથકી મને આ સાર મળ્યા છે ક્રે–ભગવ ́તની ભક્તિ એ જ પરમાનંદસ‘પદાઓનું ખીજ છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ એક બાજુ શાંતરસોર્મિઓ: એક બાજુ રાગવિષવેગ ર૯૫ અર્થ અને આ તરફ અનાદિ સંસ્કારથી મૂર્શિત (આવીને પટકાયેલા) એવા રાગ ઉન વિષાગ મને સારી પેઠે મૂછ પમાડે છે, આમ છે તે હતાશ એવો હું શું વિવેચન રાગ દ્વેષ ભર્યો મેહ વૈરી નથી, લેકની રીતમાં ઘણું ય રાતે.”—શ્રી દેવચંદ્રજી અને આ તરફ—બીજી બાજુ અનાદિ–સંસ્કારથી– અનાદિની અજ્ઞાનાદિ દુર્વાસનાથી મૂચ્છિત–આવીને પટકાઈ પડેલ “રાગઉરગના–રાગરૂપ નાગના વિષને આવેગ મને સારી પેઠે મૂચ્છ પમાડે છે–પૂરેપૂરો બેહોશ બનાવે છે, આત્મભાન ભૂલાવી દે છે. આમ એક બાજુ વીતરાગતાઅમૃત અને બીજી બાજુ સરાગતા-વિષ એમ દ્વિધાભાવમાં પડી ગયેલે હું હતાશ”—નિરાશ થઈ ગયો છું કે મહારે કરવું શું? હે નાથ ! આવી વિષમ પરિસ્થિતિમાં શું કરવું એ બાબતમાં હું મુંઝાઈ ગયે છે–કિંકર્તવ્યમૂઢ બની ગયો છું. “હે ભગવન્હું મહા ભવરોગથી આ છું. જન્મ –જરા-મરણાદિ દુખેથી હું ક્ષણેક્ષણે તીવ્ર વેદના અનુભવું છું. મેહ–સન્નિપાતથી હું આત્મભાન ભૂલ્યા છું. ઉગ્ર રાગ-જવર મને પરિતાપ પમાડી રહ્યો છે. તીણ દ્રષ-શલ્ય મ્હારા હૃદયમાં ભેંકાઈ રહ્યું છે. વિષયકષાયની વ્યાકુલતા મને મહા અશાંતિ ઉપજાવી રહી છે. કર્મજન્ય આ ભાવ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ વીતરાગસ્તવ સવિવેચન રોગથી મહારા આત્માની આવી અનારોગ્ય સ્થિતિ થઈ પડી છે. જેને સહજ આત્મસ્વરૂપ સ્થિતિમય પરમ સ્વાચ્ય વતે છે, એવા હે આરોગ્યમૂર્તિ સહજાન્મસ્વરૂપ પ્રભુ ! મને તમારા જેવું સ્વાચ્ય અને આત્મઆરોગ્ય પ્રાપ્ત હો ? –પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૧૨ (સ્વરચિત) 1 રાગ–વિષ વશે મેં કરેલું પ્રચ્છન્ન પાપरागाहिगरलाघातोऽकार्य यत्कर्मवैशसम् । तदक्तुमप्यशक्तोऽस्मि, धिग्मे प्रच्छन्नपापताम् ॥३॥ રાગ ઉરગ વિષ વેગ વશે રે, કર્યું કરમ જે આપ તે વદવા ચ અશક્ત છું રે, ધિક મુજ પ્રચ્છન્ન પાપી.રે પ્રભુજી! ૩ અર્થા–રાગરૂપે નાગના વિષથી ગ્રસ્ત થયેલા મેં જે અપ્રશસ્ત કર્મ કર્યું, તે કહેવાને પણ હું અશક્ત છું – મહારી પ્રચ્છન્ન (છાની) પાપતાને ધિક્કાર હે ! વિવેચન “હું રાગી હું મેહે ફંદિયે, તું નિરાગી નિરબંધ.” –શ્રી આનંદઘનજી હે વીતરાગ ! રાગરૂપ નાગના વિષથી હું પ્રસાઈ ગયો એટલે તે વિષના આવેગથી હું એટલે બધે મૂચ્છિત Page #350 -------------------------------------------------------------------------- ________________ રાગવિષવશે પ્રચ્છન્ન પાપ : માહાદ્રિથી પિચાપલ ૨૯૭ બની આત્મભાન ભૂલી ગયા કે તેની અસર હેઠે હું જે અશસ્ત-અપ્રશસ્ત-નિવ્ર કર્મ કરી બેઠે, તે ત્હારી સમક્ષ કહેવાને પણ હું અશક્ત-અસમર્થ છું; ત્હારી જેવા આગળ લજ્જાને લીધે તે કહેવાને પણ મ્હારી જીલ ઉપડતી નથી. આમ મ્હારી પ્રચ્છન્ન ’–છાની રહેલી પાપતાને ધિક્કાર હા ! ત્હારી સમક્ષ હું... મ્હારૂં દુષ્કૃત પ્રગટપણે આલેચી શકયો હાત તે મ્હારી અંતર્વ્યથા ' દૂર થાત અને મ્હારૂં પાપ છાનું—પ્રચ્છન્ન ન રહેત. જો કે તું સવ કાંઈ જાણે છે એટલે ત્હારાથી કંઈ પણ પ્રચ્છન્ન-છાનું છે જ નહિ', તે પણ ત્હારી સમક્ષ આલેચનાથી ખુલ્લેખુલ્લા એકરારરૂપે તે નહિ' કરી શકાવાથી તે ‘પ્રચ્છન્ન’–છાની રહેવા પામેલી પાપતાને ધિક્કાર હા ! ' “હે ભગવાન! હું બહુ ભૂલી ગયા. મેં તમારા અમૂલ્ય વચનાને લક્ષમાં લહ્યા નહિ. તમારા કહેલા અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યો નહિ. મેં તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહિ. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહિ. હે ભગવાન્ ! હું. ભૂલ્યા, આથડયો, રઝળ્યેા ને અન ંત સૌંસારની વિટંબણામાં પડયો છું. હું પાપી છું, હું બહુ મઢોન્મત્ત અને કમ`રજવડે મલિન છુ.” —શ્રીમદ્ રાજચ`દ્રપ્રણીત મોક્ષમાળા ક્ષમાપના પાઠ 卐 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વીતરાગસ્તવ સવિવેચન મહાદિથી કરાવાયેલું હારૂં કપિચાપલक्षणं सक्तः क्षणं मुक्तः क्षणं क्रुद्धः क्षणं क्षमी। मोहाद्यैः क्रीडयैवाह, कारितः कपिचापलम् ॥४॥ ક્ષણ સક્ત ક્ષણ મુક્ત વળાં રે, ક્ષણ કુદ્ધ ક્ષણ ક્ષમી જ કપિચાપલ હું કરાવિયે રે, મહાદિથી ક્રોંડથી જ...રે પ્રભુજી! ૪ અર્થ –ક્ષણવાર સક્ત, ક્ષણવાર મુક્ત, ક્ષણવાર કુદ્ધ-ક્રોધ પામેલ, ક્ષણવાર ક્ષમી-ક્ષમાવાન્ -એમ હું મહાદિથી કીડાથી જ કપિચાપલ–વાંદરા જેવું ચપલપણું કરાવાય છું. વિવેચન યદ્યપિ હું માહાદિકે ળિયે, પર પરિણતિ શું ભાળિયે; પણ હવે તુજ સમ સાહેબ મળિયો, તિણે ભવભય સવિ ટળિયા. *_શ્રીદેવચંદ્રજી ક્ષણભર હું “સક્ત–લોભાસક્ત-આસક્તિયુક્ત બની જઉં છું, ક્ષણભર હું “મુક્ત – ભવિયુક્ત–આસક્તિમુક્ત બની જઉં છું, ક્ષણભર હું “કુદ્ધ–ક્રોધાવેશયુક્ત કોળી બની જઉં છું, ક્ષણભર હું “ક્ષમી ”—ક્ષમાવાન ક્ષમાયુક્ત બની જઉં છું –આમ વિવિધ સ્વંદ્વોથી દ્વિધાભાવને પમાડાયેલે હું મોહાદિથી કીડાથી જ-રમતમાં જ “કપિચાપલ” –વાંદરા જેવું ચપલપણું કરાવાઈ રહ્યો છું. મારી જેમ Page #352 -------------------------------------------------------------------------- ________________ બોધિ પામીને પણ શિરે જલાવેલો અગ્નિ ! ૨૯૯ ચપલ વાંદરાને ક્ષણે ક્ષણે નવા નવા ખેલ કરાવી તેના ચપલપણાનું પ્રદર્શન કરે છે, આ મહાદિ મદારી મને નરને જાણે વાનર (વાનર–વા નર)-ચપલ વાંદરે બનાવી મહારી પાસે ક્ષણે ક્ષણે નવા નવા ભાવના ખેલ કરાવી હારા ચપલપણાનું પ્રદર્શન કરાવે છે–હારી પાસે “કપિચાપલ” કરાવે છે! હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું? દીનાનાથ દયાળ! હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ?” –શ્રીમદ્ રાજચંદ્રજી હારી બધિ પાનીનેય દુષ્ટિતાથી એ શિરે જલાવેલ અગ્નિप्राप्यापि तव सम्बोधिं, मनोवाककायकर्मजैः । दुश्चेष्टितैर्मया नाथ ! शिरसि ज्वालितोऽनलः ॥५॥ તુજ બોધિ પામીને ય મેં રે, મન-વચ-કાયના નાથ! શ્રેષ્ટિતથી નિજ શિરે રે, અગ્નિ જલા હાથ રે.પ્રભુજી! પ અર્થ –હે નાથ! મ્હારી સંબોધિ પ્રાપ્ત કરીને પણ મન-વચન-કાયાના કર્મોથી ઉપજતા શ્રેષ્ટિતે વડે કરીને મહારાથી શિર પર અનલ–અગ્નિ જલાવવામાં આવ્યું. મને Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન તુજ સમકિત રસ સ્વાદને જાણ, પાપ કુભક્ત બહુ દિન સેવિયુંજી –શ્રીયશોવિજયજી હે નાથ ! હારી “સંબધિ’–સમ્યક્ બેધ કરનારી બાધિ-રત્નત્રયી પ્રાપ્ત કરીને પણ, મેં મન-વચનકાયાના કર્મોથી જન્મેલા “દુષ્ટિત”—દુષ્ટ આચરણે વડે કરીને મ્હારા પિતાના મસ્તક પર અગ્નિ જ્વાલિત કર્યો છે–સળગાવ્યો છે. ખરેખર! સમ્યક્ સમજણરૂપ હારી બાધિ જેણે પ્રાપ્ત કરી હોય તે આવું કરે નહિં,મનવચન-કાયાની દુષ્ટ ચેષ્ટા છેડી જ છે. પણ હું તે તેવી દુભ્રષ્ટાઓ હજુ કરી રહ્યો છું તેથી જેમ કોઈ પોતાના પગ પર કુહાડો મારે, અથવા પોતે બેસવાની ડાળ કાપે તેમ હું મહામૂઢ મહારા પિતાના માથા પર અગ્નિ પેટાવી–જલાવી રહ્યો છું એમ જણાય છે. મનવચન-કાયાની દુષ્ટાથી હું મ્હારૂં પિતાનું જ-મહારા આત્માનું જ મહા અનિષ્ટ કરી રહ્યો છું, તેને મને તીવ્ર પશ્ચાત્તાપરૂપ ખેદ થાય છે એમ ધ્વનિ છે. મહારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હવે હું પ્રશ્ચાત્તાપ કરું છું. હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ જન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.” –શ્રીમદ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા (બાલાવબોધ) Page #354 -------------------------------------------------------------------------- ________________ -- તું ત્રાતા સતે મહાદિથી હરાતું મારું રત્નત્રય ૩૦૧ તું ત્રાતા સતે મહાદિથી હરાતું મહારૂં રત્નત્રય त्वय्यपि त्रातरि त्रातर्यन्मोहादिमलिम्लुचैः। रत्नत्रयं मे हियते, हताशो हा! हतोऽस्मि तत्॥६॥ વાતા! તું વાતા સતે રે, રત્નત્રય મુજ ખાસ; હરાય મેહાદિ ચેરથી રે, હત છું હા! હું હતાશરે પ્રભુજી! ૬ અર્થ –ઠે ત્રાતા ! તું ત્રાતા સતે પણહાદિ ધાડપાડુઓથી જે મહારૂં રત્નત્રય હરાય છે, તેથી હતાશ એ હું હાય રે! હત છું–હણાઈ ગયે છુ. વિવેચન “રન હો પ્રભુ! રત્નત્રયી ગુણમાલ, અધ્યાતમ હો પ્રભુ અધ્યાતમ સાધન સધેજી.–શ્રી દેવચંદ્રજી હે ત્રાતા ! હે રક્ષણહાર! લ્હારા જે “ત્રાતા – રક્ષણહાર હોવા છતાં પણ આમ મહાદિ ચોરટા ધાડપાડુઓથી મહારૂં રત્નત્રય હરાય છે.–સમ્યગદર્શન–જ્ઞાન, --ચારિત્ર એ હારૂં અમૂલ્ય રત્નત્રય લૂંટાય છે. આમ હાર જે સમર્થ ત્રાતા છતાં પણ જે આ મહારૂં રત્નત્રય લૂંટાય છે તે પછી રક્ષણ કરવા અન્ય કેણ સમર્થ છે, એમ વિચારતાં હું હતાશ–સર્વથા નિરાશ બની ગયું છું, કે હાય રે! હું હિત છું-હું અભાગીઓ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વીતરાગસ્તવ સવિવેચન હણાઈ ગયે છું. મહાદિ ચોરટાઓ હારું આ રત્નત્રયરૂપ આત્મધન સર્વસ્વ લુંટી લેશે અને હું નિધનીઓ સર્વનાશને પામીશ. એને આપની પાસે હું પિકાર કરું છું. “હે ભવરોગના ભિષગવર! તમે બતાવેલી રત્નત્રયીરૂપ બધિ ઔષધિના સેવન વિના મ્હારો આ ભવરગ મટે એમ નથી. ચિન્તામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળે આ બેધિ–રત્નદીપક મ્હારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ પ્રકાશિત રહો !” -પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૧૨, (સ્વરચિત) તારક “તીર્થ” તું એક જ, મને ચરણલગ્નને તાર !— भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं, मयैकस्तेषु तारकः । तत्तवाची विलमोऽस्मि, नाथ ! तारय तारय ॥७॥ તીથે ભમે, મેં તે દી રે, તું એક તારણહાર; તેથી તુજ ચરણે લાગિયે રે, નાથ હે! તાર રે તારા રે પ્રભુજી ૭ અર્થ – હું તીર્થો ભયે, તેઓમાં તારક તે તું એક ઠારા દીઠામાં આવ્યો, તેથી હું લ્હારા ચરણે વિલગ્ન છું– દઢતાથી લાગી ગયે છું, હે નાથ ! તાર! તાર! વિવેચન તાર હે તાર પ્રભુ ! મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે, 3 –શ્રી દેવચંદ્રજી Page #356 -------------------------------------------------------------------------- ________________ તાર તાર ! પ્રભુ! હવે ઉપેક્ષા મ કર ! ૩૦૩ તારે તે “તીર્થ” એમ કહેવાય છે. હું લેકમાં કહેવાતા અનેક તીર્થો ભયે, પણ તેઓમાં “તારક”— તારનાર તો તું એક જ મહારા જોવામાં આવ્યું. બીજા બધા તીર્થો તારનારા નહિં હોવાથી કહેવાતા નામ માત્ર તીર્થો છે; પણ “તીર્થ” શબ્દના ખરેખરા અર્થમાં તારક”—તારનાર જે કઈ હોય તો તું જ છે, એટલે તું જ ખરેખરો પરમાર્થ સત્ ભાવતીર્થ છે. એટલે જ હે ભાવતીર્થ વીતરાગ દેવ! હું હારા ચરણે વિલગ્ન છું– દઢતાથી લગ્ન છું, વળગ્ય છું. માટે હે નાથ ! મને આ ભવસાગરથી તાર ! તાર ! જે પ્રભુપદ વળગ્યા તે તાજા, બીજા અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે... શ્રી અરજિન ભવજલને તારુ.” –શ્રી યશોવિજયજી હાર પ્રસાદે આટલે પહોંચાડવો, હવે આ ઉપેક્ષ!— भवत्प्रसादेनैवाहमियती प्रापितो भुवम् । औदासीन्येन नेदानी, तव युक्तमुपेक्षितुम् ॥८॥ તુજ પ્રસાદે જ પહોંચાડિયે રે, આટલી ભૂમિ હુંજ; હવે દાસી થી તને રે, યુક્ત ન ઉપેક્ષવું જ રે પ્રભુજી! ૮ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ વીતરાગસ્તવ સવિવેચન અર્થ–હારા પ્રસાદથી જ હું આટલી ભૂમિએ પ્રાપિત –પ્રાપ્ત કરાવાયેલ–હોંચાડવામાં આવેલ છું; તે હવે ઔદાસીન્યથી–ઉપેક્ષાથી હારે ઉપેક્ષવું યુક્ત નથી. વિવેચન મુનિસુવ્રત! જે કૃપા કરે તો આનંદઘનપદ લહિયે.” –શ્રી આનંદઘનજી હે નાથ ! લ્હારા પ્રસાદ થકી જ–અનુગ્રહ થકી જ હું આટલી “ભૂમિ–આધ્યાત્મિક ભૂમિકા “પ્રાપિત” છું–પ્રાપ્ત કરાવાયેલ છું, પહોંચાડવામાં આવેલ છું. અત્યારસુધીમાં હું જે કાંઈ આધ્યાત્મિક ગુણદશારૂપ પદવી પામ્ય , તે હારા કૃપાપ્રસાદ થકી જ પમાડા છું. તો હવે “ઔદાસી થી”—ઉદાસીનપણથી–ઉપેક્ષાથી ત્યારે ઉપેક્ષવું–ઉપેક્ષા કરવી યુક્ત નથી; અર્થાત્ મહારા પ્રત્યે ઉપેક્ષા કરી મને અધે રસ્તે રખડાવી માર ઉચિત નથી. પણ ત્યારે કૃપાપ્રસાદ ચાલુ રાખી ઠેઠ હારી પદવી સુધી મને પહોંચડાવ એ જ તને યુક્ત છે-ઉચિત છે, એમ દવનિ છે. “તો પણ મુજને હે શિવપુર સાધતાં, હેજે સદા સુસહાય, – શ્રી દેવચંદ્રજી તું પરમ કૃપાળુ દેવ,” પરમ કૃપાપાત્ર– ज्ञाता तात ! त्वमेवैकस्त्वत्तो नान्यः कृपापरः । नान्यो मत्तः कृपापात्रमेधि यत्कृत्यकर्मठः ॥९॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ તું પરમ કૃપાળુ દેવ, હું પરમ કૃપાપાત્ર ૩૦૫ જ્ઞાતા તાત! તું જ એક છે રે, કૃપાપર તુંથી ન અન્ય; કૃપાપાત્ર હુંથી અન્ય ના રે, કૃત્યકર્મઠ કર ધન્ય..રે પ્રભુજી! ૯ અર્થ–હે તાત! જ્ઞાતા તું જ એક છે, હૃારાથી અન્ય કૃપાપર નથી, મહારાથી અન્ય કૃપાપાત્ર નથી, માટે કૃત્યર્મઠ તું જે કરવા ગ્યા હોય તે કર! - વિવેચન તું કણાવંત શિરોમણિ, હું કસણાપાત્ર વિખ્યાત છે. – શ્રી યશોવિજયજી હે તાત! હે જગના ધર્મપિતા ! જ્ઞાતા–જ્ઞાચક તું જ એક છે. ત્યારથી અન્ય-બીજે કઈ કૃપાપર – કૃપાપરાયણ-કૃપા કરવામાં તત્પર નથી અને મહારાથી અન્ય-બીજે કઈ કૃપાપાત્ર-ક્રયા કરવાનું ભાજન નથી. માટે “કૃત્યકર્મઠ –કરવા ચગ્ય કર્મમાં પરમ પુરુષોથી તે હારી સહાયે આવી જે કરવા ગ્ય હોય તે કર ! હું કરુણાપાત્ર પર કૃપા કરી મને ઠેઠ હારા પદ સુધી પહોંચાડવા ઉચિત સહાય કર ! ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– કાવ્યાનુવાદ સવિવેચનમાં– સ્વરાગાદિ દોષના ખેદ નિવેદનરૂપ ડિશ પ્રકાશ Page #359 -------------------------------------------------------------------------- ________________ સમદશ પ્રકાશ: આત્મનિંદા અને વિતરાગશરણપત્તિ આત્મનિંદા કરતા હું હારૂં ચરણશરણ મહું છું— स्वकृतं दुष्कृतं गहन्, सुकृतं चानुमोदयन् । नाथ ! त्वच्चरणी यामि, शरणं शरणोज्झितः॥१॥ (કાવ્યાનુવાદ) વૈતાલીય નિજ દુષ્કૃત ગહિત અતિ, મુકૃતેને-અનુદતે અતિ; શરણથી રહિત નાથ! હું, શરણે આ તુજ ચર્ણનું ગ્રહું. ૧ અર્થ –રવકૃત દુષ્કૃતને ગહંત અને સુકૃતને અનુમોદતો હું શરણ વિહણે હે નાથ ! લ્હારા ચરણને શરણે જઉં છું. વિવેચન “મિથ્યા અવિરતિ પ્રમુખને જાણું નિયમ છેષ; નિંદું ગરહું લળી લળી, પણ તે પામે સંતોષ.” –શ્રી દેવચંદ્રજી આગલા પ્રકાશમાં ભગવાન વીતરાગ પાસે પિતાના રાગાદિ દેષ પ્રત્યેને તીવ્ર ખેદ નિવેદન કર્યો. આમ જેને Page #360 -------------------------------------------------------------------------- ________________ મક્ષ આત્મનિંદા કરતો હું હારૂં ચરણશરણ ગ્રહું છું ૩૦૭ તીવ્ર ખેદ ઉપજે છે તે પરમગુરુ વીતરાગની સમક્ષ પિતાની નિંદા કરતો તે વીતરાગનું ચરણશરણ ગ્રહે છે. આ સંબંધથી આવેલા આ પ્રકાશમાં દુષ્કૃતનિંદા, સુકૃતઅનુમોદના અને ભગવતશરણપ્રતિપત્તિનું અનુક્રમે કથન છે, તેનું આ પ્રથમ લેકમાં સામાન્ય સૂચન કર્યું છે: “સ્વકૃત”—પિોતે કરેલા “દુષ્કૃતને-દુષ્ટ કૃત્યને ગહતો”—આપ પરમ ગુરુની સાક્ષીએ નિંદ અને સુકૃતને”-શુભ પ્રશસ્ત કૃત્યને અનુદત-અમેદન કરતો એ હું બીજું કઈ શરણું ન હોવાથી શરણવિહૂણે હે નાથ ! લ્હારા ચરણને શરણે જઉં છું. આ ભવ–પરભવમાં જે મેં લાખો ગમે પાપ કર્યા હોય તે હું નિંદું છું, તું પરમ ગુરુની સાક્ષીએ ગહું છું ––પ્રતિકકું છું. મિશ્યામતિથી મેં જે કાંઈ ઉસૂત્ર ભાખ્યા હોય કે કુમતિ–કદાગ્રહને વશે સૂત્ર ઉથાપ્યા હોય, એ આદિ દુષ્કૃત હું જિંદું છું; આ ભવ–પરભવમાં અનેક પ્રકારનાં અધિકરણ મેં કર્યા હોય તે હદયમાં વિવેક ધારીને ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. તથા–મેં જે કાંઈ “સુકૃત–શુદ્ધ કે શુભ પ્રશસ્ત પુણ્યકૃત્ય કર્યું હોય, તેમજ બીજા કેઈએ પણ જે કાંઈ “સુકૃત”— શુદ્ધ કે શુભ પ્રશસ્ત પુણ્યકૃત્ય કર્યું હોય, તે સર્વે હું અનુદું છું. આમ આત્મનિંદા કરતા અને સુકૃતને અનુદતે શરણુવિહૂણે હું હારા ચરણનું શરણ “આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તે; Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વીતરાગસ્તવ સવિવેચન આત્મસાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરુ સાખ તે. મિથ્યા મતિ વર્તાવિયાં છે, જે ભાખ્યા ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તે. આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તે; વિવિધે ત્રિવિધ સરાવીએ એ, આણું હૃદય વિવેક તે. દુકૃત નિંદા એમ કરી એ, પાપ કરો પરિહાર તે; જનમ જરા મરણ કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કમ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તે.” –શ્રી વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશ સ્તવન ખરેખર! આ જગને વિષે ભયાન્નને ત્રાણરૂપ શરણ દેનાર “શરણદ જે કોઈ પણ હોય તો તે તું જ છે, કારણ કે “તત્ત્વચિનારૂપ અધ્યવસાન એ જ ખરેખરૂં શરણ છે અને તે હારા થકી જ પ્રાપ્ત હોય છે, એટલે મ્હારા સ્વરૂપચિંતનથી પ્રાપ્ત થતું આ તત્ત્વચિન્તારૂપ અધ્યવસાન એ અતિપ્રબલ રાગાદિથી પીડાઈ રહેલા ભવારણ્યવતી જેને “સમાધાસન સ્થાન સમું છે, પરમ આત્મશાંતિ અપનારૂં સમાધાસનનું –દીલાસાનું ઠેકાણું છે, હૈયાધારણ દેનારૂં નિર્ભય આશ્રયસ્થાનરૂપ શરણ છે. ટક “ ટુ ફાર–મયાનંf uત સંતરાંતારતાનાં અતિવૃત્તरागादिपीडितानां दुःखपरम्परासङ्क्लेशविक्षोभतः समाश्वासनस्थानकल्पं तस्वचिन्तारूपमध्यवसानं बिबिदिषेत्यर्थः।" શ્રીહરિભદ્રાચાર્યજીકૃત લલિતવિસ્તરા સૂ. ૧૧૮ વિશેષ જિજ્ઞાસુએ પ્રસ્તુત સૂત્રનું મકૃત લલિતવિસ્તરા વિવેચન અવલકવું. પૃ. ૨૪-૨૪૧. Page #362 -------------------------------------------------------------------------- ________________ મ્હારૂં દુષ્કૃત મિથ્યા હા ! ‘મિચ્છામિ દુક’ ૩૦૯ કારણ કે આ જીવને અનંત ભવભ્રમણ્દુ.ખની પ્રાપ્તિ થઈ તે કેવળ નિજ સ્વરૂપના તત્ત્વચિંતન વિના જ થઈ છે, શ્રી આત્મસિદ્ધિમાં કહ્યુ છે તેમ ‘ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અન ત;' એટલે આ ભવભયદુ:ખ ટાળવું હાય તેા જેથી નિજ સ્વરૂપનું ભાન થાય એવું હારા જિનસ્વરૂપનું તત્ત્વચિંતન જ એક તેમાંથી ત્રાણુ કરનાર શરણ છે; માટે અનન્ય શરણના આપનાર ત્હારા ચરણશરણના હું આશ્રય કરૂ હ્યુ', BH મ્હારૂં દુષ્કૃત મિથ્યા હૈ !— मनोवाक्कायजे पापे, कृतानुमतिकारकैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥२॥ મૂયાપુનઃશ્ચિયાન્વિતમ્ ॥રી અને વાક્ તન પાપ જે કર્યુ, અનુમાથુ વળી જે કરાવિયુ; મિથિયા મુજ દુષ્કૃતે હો ! ધરી બુદ્ધિ ફરી તેહ ના થજે ! અઃ—કૃત—કારિત–અનુમાદિતવડે કરી મન—ચન —કાયજન્ય પાપ સંબંધમાં અપુનઃક્રિયાથી અન્વિત— સહિત (ફરી એવું પાપ નહિં કરૂં' એવા ભાવથી) એવું મ્હારૂં મિથ્યા દુષ્કૃત હૈ ! હા! ૨ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન હે ભગવન! હું ભૂલી ગયે, મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે, આગળ કરેલાં પાપોને હું હવે પશ્ચાત્તાપ કરું છું શ્રીમદ્ રાજચંદ્રકૃત મેક્ષમાળા (બાલાવબોધ) પાઠ ૫૬ મનવચન-કાયાના દુષ્ટ વેગથી જે કાંઈ પાપ મેં કર્યું હોય, બીજા પાસે કરાવ્યું હોય, અને બીજા કરતા પ્રત્યે અનુમતિ-અનુજ્ઞા–અનુમોદના કરી હોય, તે સર્વ હા પાપ સંબંધમાં મહારૂં મિયા દુષ્કૃત હે! અને તે પણ “અપુનઃકિયાથી અન્વિત’–સહિત એવું મિથ્યા દુષ્કૃત હે ! અર્થાત્ જે દુષ્કૃત થઈ ગયું છે તે દુષ્કૃત હવે પુનઃ ફરીથી નહિં જ કરૂં એવી દઢ ભાવનાથી યુક્ત એવું છે ! જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ–વીર્ય એ પંચ આચાર સંબંધી આ ભવ–પરભવના મહારા જે કાંઈ દોષ હોય તે હારી સમક્ષ આલેચીને હું પાપ–મેલ બેઈ નાંખું છું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકેદ્રિય જીવથી માંડીને પંચેંદ્રિય પર્યંત કઈ પણ જીવ મેં આ ભવને વિષે પરભવને વિષે હશે હેય, હણા હેય, હણતાં અનુમાદ્યો હોય, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા ! મિચ્છામિ દુક્કડં કો–લેજ–ભય-હાસ્યથી જે કાંઈ અસત્ય વચન હું બે હૈઉં, કૂડકપટથી પારકા ધન અદત્ત લીધાં હોય, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા છે” બરે જિનજી! મિચ્છા દુક્કડ આજ !” દેવ–મનુષ્ય-તિર્યંચના મિથુન જે મેં સેવ્યાં હોય, વિષયરસલંપટપણે દેહ ઘણે Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ચન-વચન-કાયજન્ય પાપનું મિથ્યા દુષ્કૃત વિડંખ્યું હોય, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા છેપરિગ્રહની મમતા કરી ભવભવ મેં મેળવેલી સંપત્તિ છે જ્યાંની તે ત્યાં રહી–કઈ સાથે આવી નહિં, તે પરિગ્રહને અંગે મહારૂં જે કાંઈ પાપ હય, તે હારૂં દુકૃત મિથ્યા ! એમ અઢાર પાપસ્થાનક સંબંધી મ્હારો જે કાંઈ દેષ હેય, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા છે! એમ એકેંદ્રી જીવ, હણ્યા હણાવીયા હણતાં જે અનુમદિયા એ; આ ભવ પરભવ જેહ વળીય ભવભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ; એમ પંચેદ્રી જીવ જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ક્રોધ લેભ ભય હાસ્યથીજી, બેલ્યાં વચન અસત્ય, કુડ કરી ધન પારકાંજી, લીધા જેહ અદત્ત.. રે જિનજી! મિચ્છામિ દુક્કડ આજ, તુમ સાખે મહારાજ; રે જિનજી! દેઈ સારૂં કાજ રે, જિનજી! મિચ્છામિ દુકકડ આજ. દેવ મનુજ તિર્યંચનાજી, મિથુન સેવ્યાં જેહ; વિષયાસ લંપટપણે જ, ઘણું વિડંખે દેહ રે....જિનાજી! પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી આથ; જે જીહાંની તે તીહાં રહીજી, કેઈ ન આવી સાથ રે, જિનાજી!” –શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશાસ્તવને, Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ વીતરાગસ્તવ સવિવેચન આમ આત્મસ્વરૂપની આરાધના ચૂકી મેં અનાચારથી, અવ્રતથી, વિષયથી આ ભવ–પરભવને વિષે જે કંઈ આત્મવિરાધના કરી હોય, તેને હવે હું પશ્ચાત્તાપ કરી મિથ્યા દુષ્કૃત માગું છું, મિચ્છામિ દુક્કા પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાન કે જે મેં આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થવારૂપ પ્રમાદદોષથી સેવ્યા હેય, સેવરાવ્યાં હય, સેવતાં પ્રત્યે અનુમોઘા હોય, તે સર્વે હું ત્રિવિધે ત્રિવિધ સરાવું છું; આત્મસાક્ષીએ નિર્દુ છું, સશુરુ સાક્ષીએ ગહું છું અને આત્મામાંથી વિસર્જન કરું છું. નિકિ પિષિ अप्पाणं वोसिरामि ।' (પ્રજ્ઞાવધ મોક્ષમાળા(સ્વરચિત) પાઠ પર) ક રત્નત્રયસંબંધી સર્વ સુકૃત હું અનુદું — यत्कृतं सुकृतं किञ्चिद्रत्नत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं मार्गमात्रानुसार्यपि ॥३॥ પ્રભુ ! રત્નત્રય સંબંધમાં, ગુણ માર્ગોનુસરિ પ્રબંધમાં કંઈ સુત જે કરાયલુ, અનુદું સઘળુંય તે ભલું. અર્થ:–રત્નત્રય સંબંધમાં જે કાંઈ સુકૃત કરાયું છે, તે સર્વ હું અનુમડું છું માર્ગમાત્રાનુસારિ પણ—માર્ગનુસારિ સુકૃત પણ હું અનુમોદું છું. Page #366 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય સંબંધી સર્વ સુકૃત ૩૧૩ વિવેચન તાહરૂં ધ્યાન તે સમકિતરૂપ, તેથી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છે .” શ્રીયશોવિજયજી સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર એ રત્નત્રયી સંબંધમાં જે કંઈ “સુકૃત–પ્રશસ્ત શુભ કૃત્ય કરવામાં આવ્યું છે, તે સર્વ હું અનુમતિ કરૂં છું–અનુદુ છું, એટલું જ નહિં પણ માર્ગમાત્રાનુસારિ–માર્ગાનુસારી એવું સુકૃત પણ હું અનુમેહું . જેમ કે–ભ્યારે તે દિવસ ધન્ય ધન્ય છે!—કે જ્યાં મેં દાન–શીલ–તપ આદરી ધર્મ કર્યો છે ને દુષ્કર્મ ટાળ્યાં છે; તીર્થયાત્રાદિ કરી જિનવરને પૂજ્યા છે; પાત્રને સત્કાર્યા છે; પુસ્તક–જ્ઞાન લખાવ્યાં ને જિનગૃહ-જિનચિત્ય (પ્રતિમા), ચતુર્વિધ સંઘ એ સાત ક્ષેત્ર સાચવ્યાં છે; પ્રતિકમણાદિક કિયા સભ્યપણે કરી અનુકંપા દાન દીધાં છે, આચાર્ય–ઉપાધ્યાય-સાધુને બહુમાન દીધાં છે; એમ વારંવાર ધર્મકાર્યરૂપ-પુણ્યરૂપ-સુકૃતને હું અનુદું છું, એટલું જ નહિં પણ મનમાં ભલે ભાવ આણું–ચિત્તને ઠેકાણે આણું આ આત્મારામને સમતા ભાવે ભાવવારૂપ ઉત્તમ સુકૃતને તે હું અત્યંત અનુમેટું છું, કારણ કે સમતા વિના જે પ્રાણું પુણ્ય કાર્ય, અનુસરે તે તો છાર પર લિંપણું” અને “ઝાંખર ચિત્રામ”—ચિત્રામણ છે, માટે સમતારૂપ-શુદ્ધ ભાવરૂપ સુકૃતને હું વિશેષ અનમેદું છું. “ધન્ય ધન્ય તે દિન માહરી, જહાં કી ધર્મ | દાન શિયળ તપ આદરી, ટાન્યાં દુષ્કર્મ. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ વીતરાગસ્તવ વિવેચન ભાવ ભલે। મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુન્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંઝર ચિત્રામ.” (ઇત્યાદિ) —શ્રી વિનયવિજયકૃત પુણ્યપ્રકાશ સ્તવન ઢાલ ૬ આમ મેં પેાતે કરેલ શુભ કે શુદ્ધભાવરૂપ સુકૃતને હું અનુમાદુ છું એટલું જ નહિ પણ અન્ય સુકૃતીઓના સુકૃતને પણ હુ અનુમાદુ છું, જેમ કે પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવા ગણી પાતાના હૃદયમાં પ્રફુલ્લિત થઈ હું ચેતન ! તું તેના પ્રત્યે ત્હારા સાચે પ્રમેાદભાવ દાખવ! અને તે તે ગુણવતની ધન્યતા ચિંતવ કે ધન્ય છે આને ! આનામાં વિદ્યા—વિનય-વિવેક-વિજ્ઞાનના કેવા વિકાસ છે! આ કેવા જ્ઞાનવાન, કેવા ચારિત્રવાન છે! ધન્ય છે આ આત્મારામી મુનીશ્વરાની પરમ નિગ્રંથ વીતરાગ વૃત્તિને! અહે। આ મહુ'તેનુ'મહા અસિધારાવ્રત! અહા આ બ્રહ્મનિષ્ઠ મહાત્માઓની બ્રાહ્મી સ્થિતિ ! આ સૌંપરાયણુ સગૃહસ્થા પણ ધન્ય છે! અને કુળને અજવાળનારી આ સતી સ્ત્રીઓને ધન્ય છે! આવા સ સુકૃતીઓના સુચરિત સ'ક્રીનને રસાસ્વાંદ લેવડાવી હૈ ચેતન ! તું હારી કરસનાને રસના' કર ! ગુણવંતની ગુણગાથા શ્રવણુ કરાવી ત્હારા શ્રવણને તું ‘શ્રવણ' કર ! અન્યના અશ્વયના પ્રસન્ન અવલેાકનથી દ્ઘારા લેાચનને તું ‘લેાચન’ (રાચન) કર! અને આમ સાચા નિભ તું Page #368 -------------------------------------------------------------------------- ________________ સ અ`ત, સિદ્ધ આદિના તે તે ગુણની અનુમાદના ૩૧૫ પ્રમેાદભાવથી અન્યના સુકૃતમાં મફતને ભાગ પડાવી હારી જીભના, ત્હારા કાનના ને ત્હારા નેત્રના નિર્માણને કૃતા' કર !( પ્રજ્ઞાવાધમેાક્ષમાળા સ્વરચિત પાઠ ૮.) “ ગુણ પ્રમેાદ અતિશય રહે, રહે અંતર્મુખ યાગ.” —શ્રીમદ્ રાજચ'દ્રજી ,, po 5 સ અત્ આદિના તે તે ગુણુ હું અનુમેાદુ' છું— सर्वेषामहदादीनां यो योऽत्त्वादिको गुणः । અનુમોયામિ સંત, સર્વ તેમાં મહામનામ્ ॥ સરવે અત આદિને, ગુણ જે જે અરહત્ત્વ આદિકા; અનુમેદુ પ્રમાદથી ઘણે, સહુ તે તે ગુણ તે મહાત્મને. અર્થ :—સર્વે અત્ આદિના જે જે અ આદિક ગુણ છે, તે મહાત્માના તે તે સર્વ ગુણ હું અનુમાદુ છું. x" जिह्ये प्रवीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकणों । वीक्ष्यान्यप्रोढलक्ष्मीं द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव || શ્રી વિનયવિજયજીકૃત શતસુધારસ "" Page #369 -------------------------------------------------------------------------- ________________ સર્વ સ્થાપન રસિદ્ધ પપ૬૫) વીતરાગસ્તવ સવિવેચન વિવેચન એવા સર્વ પુરુષ, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !? –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૭૬ (સુપ્રસિદ્ધ પદપત્ર) સર્વે અહંતુ આદિને એટલે કે સર્વે અહંતોને, સવે સિદ્ધોને, સર્વે આચાર્યોને, સર્વ ઉપાધ્યાયને, અને સર્વે સાધુઓનો જે અહંન્દુ-સિદ્ધત્વ–આચાર્ય સાધુત્વરૂપ ગુણ છે, તે તે સર્વ મહાત્માઓને તે તે સર્વ ગુણ હું અનુદું . જેમ કે – ધન્ય છે આ અહિંસક મહામુનિઓ! કે જેઓ ચેતનાથી છ કાયની રક્ષા કરે છે, સર્વ જગજજતુને સમ ગણું સૂમમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, લેશમાત્ર દુઃખ ઉપજાવતા નથી. રાગદ્વેષાદિ ભાવહિંસા કરતા નથી. ભાવદયારસના સાગર-નિષ્કારણ કરુણસિંધુ એવા આ સાધુ ભગવાને નિરંતર આત્મસ્વરૂપમાં સ્થિતિ કરી પરભાવના લેશને પણ સ્પર્શતા નથી! અહે! એમની કરુણા! અહે! એમની વીતરાગતા! અહો! એમની સ્વરૂપસ્થિતિ! અહો! આ સંતોની સત્યવાદિતા પણ કેવી આશ્ચર્યકારી છે! સ્વપ્નમાં પણ આ સાધુચરિત સપુરુષે અસત્ય વચન વદતા નથી! પરવસ્તુને પોતાની કદી કહેતા નથી. વ્યવહારથી ને પરમાર્થથી તે કેવળ સત્ય સત્ય ને સત્ય જ વદે છે. ધન્ય છે એમના સત્ય વ્રતને! અહો ! સ્વદેહમાં પણ નિરીહ એવા આ પરમ પ્રમાણિક મહાત્માએ સળી માત્ર પણ અદત્ત લેતા નથી, પરભાવનું પરમાણુ પણ Page #370 -------------------------------------------------------------------------- ________________ હારૂં, સિદ્ધનું, સાધુનું, શાસનનું શરણ ૩૧ આત્મભાવથી ઈચ્છતા નથી! અહો એમની નિસ્પૃહિતા ! આ સાચા ત્યાગી-સંન્યાસી જેગીજનેનું બ્રહ્મવ્રત પણ કેવું અદ્ભુત છે! દ્રવ્યથી ને ભાવથી તેઓ કેવું કઠેર બ્રહ્મચર્ય વ્રત પાળે છે ! સ્વપ્નાંતરે પણ એમના રમમાત્રમાં પણ વિષયવિકારની છાયા દેખાતી નથી ! નિરંતર તેઓ બ્રહ્મમાં–શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરી રહ્યા છે ! અહીં તેમનું આ મહાઅસિધારા વ્રત ! ધન્ય છે આ નિગ્રંથની પરમ નિગ્રંથ વૃત્તિને! દ્રવ્યભાવ સમસ્ત ગ્રંથને–પરિગ્રહબંધનનો તેમણે ઉછેદ કર્યો છે! પરવસ્તુના પરમાણુ માત્ર પ્રત્યે પણ તેઓ મમત્વભાવ–મૂર્છા ધરાવતા નથી! આ આખા જગમાં એક આત્મા શિવાય એમની પિતાની માલીકીનું બીજું કાંઈ નથી, એવા તે પરમ અકિંચનનિષ્પરિગ્રહી છે! અહે! એમની નિયતા !” ગદષ્ટિ સમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૭૧૯ ' આમ આચાર્ય–ઉપાધ્યાય-સાધુ ભગવાનને જે આ સાધુત્વ ગુણ છે તે હું અનુમડું છું, તે જ પ્રકારે અહંત ભગવાનને જે અહં૫ણારૂપ ગુણ છે ને સિદ્ધ ભગવાનનો જે સિદ્ધપણારૂપ ગુણ છે તેના પ્રત્યે પણ મ્હારે પરમ ગુણપ્રદ ઉલ્લસે છે; એટલે તે પંચ પરમેષ્ઠીઓ પ્રત્યેના મહારા અંતરંગ ગુણાનુરાગને લીધે હારા અંતરાત્મામાંથી સહજ સ્વયંભૂ ઉદ્ગાર નિકળી પડે છે કે–રમો સરિતા અરિહંતોને નમસ્કાર હે! નમો સિદ્ધા–સિદ્ધોને નમસ્કાર હિ! નમો આયરિયાણં–આચાર્યોને નમસ્કાર હે! તો કરવા–ઉપાધ્યાને નમસ્કાર હે! ના હg Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વીતરાગસ્તવ સવિવેચન સપનાહૂ–લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર હે! સર્વ સાધુઓને–સાચા સાધુગુણસંપન્ન સર્વ સાધુચરિત સપુરુષોને નમસ્કાર હે! હારૂં, સિદ્ધનું, સાધુનું શાસનનું શરણ રહું છું– त्वां त्वरूलभूतान् सिद्धांस्त्वच्छासनस्तान्मुनीन् । त्वच्छासन च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः॥५॥ તુજને ફલ તુજ સિદ્ધને, તુજ સશાસન રક્ત સાધુને; તુજ શાસનને ય શણું હું, ભગવાન્ ભાવ થકી પ્રપન્ન છું. ૫ અર્થ –તને, હારા કુલભૂત સિદ્ધોને, લ્હારા શાસનરત મુનિઓને અને લ્હારા શાસનને હું ભાવથી શરણપ્રતિપન્ન છું-શરણે ગયે છું. વિવેચન નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂં, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છઉં.” –શ્રી મોક્ષમાળા (બાલાવબેધ) ક્ષમાપના પાઠ હે વિતરાગ દેવ! હું ભાવથી તને શરણપ્રતિપન્ન છું, તું અહતના ફલભૂત જે સિદ્ધો થયા છે તે સિદ્ધોને શરણપ્રતિપન છું, હારા શાસનમાં રત–પ્રીતિવંત મુનિએને શરણપ્રતિપન્ન છું, અને હારા શાસનને શરણ Page #372 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવોને ક્ષમાપના : સર્વ પ્રત્યે હારી મૈત્રી ૩૧૯ પ્રતિપન્ન છું. અર્થાત મેં હારું, સિદ્ધોનું, હારા મુનિએનું અને હારા શાસનનું (એમ ચાર) શરણ અંગીકાર કર્યું છે. જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કમ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જૈનનો એ, સાધુ શરણ ગુણવંત તે. શ્રી વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશ સ્તવન “સર્વસને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય હશે.”–શ્રીમદ રાજચંદ્રજી મહાભય પામેલે કોઈ જેમ “દુગરસુરક્ષિત દુર્ગખ્ય નિર્ભય સ્થાનને આશ્રય કરે, તેમ આ ભયંકર ભવાટવીમાં ભ્રમણ કરતાં ભયભીત થયેલા મુમુક્ષુ જીવને આ ચઉશરણ જ એક શરણ છે, ભાવ અભય આપનારૂં પરમ નિર્ભય “સમા શ્વાસનસ્થાન”—આશ્રયસ્થાન છે. માટે–અનન્ય ભાવશરણને દાતાર અરિહંત ભગવંતનું હું શરણ ગ્રહું છું. શુદ્ધ આત્મસ્વરૂપી સિદ્ધ ભગવંતેનું હું શરણ ગ્રહું છું. મૂર્તિમાન સમાધિસ્વરૂપ સાધુ ભગવંતનું હું શરણ ગ્રહું છું. કેવલિ ભગવંતે ભાખેલા આત્મસ્વભાવ ધર્મનું હું શરણુ ગ્રહું છું. ચઉગતિનો ઉછેદ કરનારા આ ચઉશરણને મેં આશ્રય કર્યો છે, તે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વીતરાગસ્તવ સવિવેચન મને હવે ભય છે ? વિક્ષેપ છે? ચિંતા શી? “ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ? વિમલ જિન દીઠા લેયણ આજ.” “મોટાને ઉત્સગ બેઠાને શી ચિંતા પ્રભુને ચરણ પસાય, સેવક થયા નચિંતા.” સર્વે જીવોને ક્ષમાપના હે ! સર્વ પ્રત્યે હારી ત્રિી હો !— क्षमयामि सर्वान्सत्त्वान्, सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥६॥ સરવે જીવ હું ખમાવતે, સરવે જીવ મને ખમાવજો ! સરવે પ્રતિ મિત્રી મુજ છે, શરણું એક જ જાસ તું જ છે. અર્થ –હું સર્વે સને ક્ષમાવું છું, તે સર્વે મહાર પ્રત્યે ક્ષમા ! તું એક જેને શરણ છે એવા મને તે સર્વેમાં મૈત્રી હો ! વિવેચન “હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ કહું તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ જન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. –મોક્ષમાળા (બાલાવબોધ) હું સર્વે સને-પ્રાણીઓને ક્ષમાવું છું-ક્ષમા આપું છું, તે સર્વે સ મહારા પ્રત્યે ક્ષમા-ક્ષમા Page #374 -------------------------------------------------------------------------- ________________ - - હું એક છું, હારા ચરણુશરણે મને દૈન્ય નથી ૩૨૧ આપે ! હે વીતરાગ ! તું જ એક જેને શરણું છે એવા મને તે સર્વે સ–પ્રાણીઓ પ્રત્યે મિત્રી હો ! હે ભગવાન! મેં હારા શાસનનું શરણ બ્રહ્યું છે ને હારૂં શાસન તે આ છે કે સર્વ જીવને ખમાવવા ને સર્વની સાથે મિત્રી રાખવી. માટે હું સર્વ જીવને ખમાવું છું, સર્વ જીવો મને ક્ષમા આપ હારે સર્વ પ્રાણી સાથે મંત્રી છે, મ્હારો કોઈ પણ શત્રુ નથી ને મહારૂં કઈ સાથે કંઈ પણ વિર નથી,-મિત્તિ મે સદવમૂાસુ, વેર મકશું ન વેરા” જેવું હારા આત્માનું સ્વરૂપ છે, તેવું જ આ સર્વ આત્માઓનું સ્વરૂપ છે, તેથી એ સર્વ મહારા સાધમિક આત્મબંધુઓ જ છે, એમ નિશ્ચય રાખી હે ચેતન ! તું વિશ્વબંધુત્વ ભાવ! સમસ્ત જગજીવ પ્રત્યે વાત્સલ્ય ધરી, તેઓનું નિરંતર હિત ચિંતવ ! “સર્વાત્મમાં સમદષ્ટિ , આ વચનને હૃદયે લખે!” એમ તું મિત્રી ભાવનાનું ભાન કર. “જીવ સર્વે ખમાવીએ.સા. યોનિ ચોરાશી લાખ તે મન શુદ્ધ કરી ખામણાં....સા. કેઈ શું રોષ ન રાખ તે. સર્વ મિત્ર કરી ચિંત સા. કેઈ ન જાણે શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહરે સા. કીજે જન્મ પવિત્ર તે. સાહમ્પિ સંઘ ખમાવીએ, સા. જે ઉપની અપ્રીતિ તે; સજજન કુટુંબ કરો ખામણાં, સા. એ જિનશાસન રીતિ તો. ખમીએ અને ખમાવીએ, સા. એહ જ ધર્મનું સાર તે.” શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ રાવત હાલ ૪ E ૨૧. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ વીતરાગસ્તવ સવિવેચન હું એક છે, હાશ ચરણશરો રહેલ મને દન્ય નથીएकोऽहं नास्ति मे कश्चिन्न चाहमपि कस्यचित् । त्वदधिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन ॥७॥ છું હું એક ન કઈ મ હરો, ન જ છું હું પણ કોઈને ખરે; નથી દીનપણું કંઈ મને તુજ ચણે શરણે રહેલને. ૭ અર્થ–હું એક છું, મહારે કોઈ છે નહિં, અને હું પણ કેઈને છું નહિ; લ્હારા ચરણ શરણે રિત એવા મને કંઈ પણ દૈન્ય-દીનપણું નથી. વિવેચન ત્રાણ શરણ આધાર છો રે, પ્રભુજી ભવ્ય સહાયરે દયાલરાય. દેવચંદ્ર પદ નીપજે રે, જિનપદકજ સુપસાય રે દ.–શ્રી દેવચંદ્રજી હું એક છું, મહારે કઈ છે નહિં, અને હું પણ કેઈને છું નહિં; હારા જેવા પરમ સમર્થ સ્વામીને ચરણે શરણ રહેલા મને કંઈ પણ દૈન્ય–દીનપણું નથી. ધીંગ ધણી માથે કિયે રે, કુણ ગંજે નરપેટ ?” - “આ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન એ ઉપગવંત શુદ્ધ ચિતન્યસ્વરૂપી અવિનાશી અજર અમર આત્મા છું, આ નાશવંત દેહાદિ ભાવ તે હું નથી; હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ હાર નથી. આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહ પર્યાય ધારણ Page #376 -------------------------------------------------------------------------- ________________ પરાપદવી. ન પામું ત્યાં લગી શષ્યપણું મ મૂકજે! ૩૨૩ કર્યા, તેમાં કો દેહ આ જીવને ગણવે? જે દેહપર્યાયને આ જીવ મિસ્યા દેહાધ્યાસથી પિતાને માનવા જાય છે, તે દેહ તે ખલજનની માફક દગો દઈને તેને ત્યાગ કરીને ચાલ્યા જાય છે ! ને આ જીવ મેંઢાની જેમ જે જે (હારૂં મ્હારૂં') કરતે હાથ ઘસતો રહે છે ! આ લ્હાલામાં હાલ દેહ પણ જ્યાં જીવન થતું નથી, તે પછી આ દેહને આશ્રયે દેહ હાઈને રહેલી એવી અન્ય પરિગ્રહરૂપ વળગણ તે તેની કયાંથી થાય ? માટે આ સમસ્ત પરવસ્તુમાં પરમાણમાત્ર પણ હારૂં નથી, એની સાથે મારે કંઈ પણ લેવાદેવા નથી.૪૪હું તે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે હારી નથી ને હું તેને નથી. હું તે હું છું, તે તે તે છે; મહારૂં તે મહારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન! હારૂં તે હારી પાસે જ છે, બાકી બધું ય અનેરું છે. તે પછી આ પરવસ્તુમાં તું હુંકાર હુંકાર શું કરે છે ? હારૂં મ્હારૂં શું કરે છે ? આત્માનો હુંકાર કરી એ હુંકારને હુંકાર તું તોડી નાંખ! “મારું” ને મારું એમ નિશ્ચય કર ! એક સહજાન્મસ્વરૂપ શાશ્વત આત્મા જ હારે છે, બાકી બીજા બધા બાહ્ય ભાવે માત્ર સગારૂપ છે. એમ ભાવી હે જીવ ! તું સમસ્ત પરભાવ પ્રપંચને ત્યજી, આત્મભાવને જ ભાજ!” - -(પ્રજ્ઞાબોધ મોક્ષમાળા સ્વરચિત, પાઠ ક૬) પરા પદવી ન પામું ત્યાં લગી શરણ્યપણું મ મૂકજે!यावन्नामोमि पदवी, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं, मा मुञ्च शरणं श्रिते ॥८॥ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વીતરાગસ્તવ સવિવેચન પ્રભુ! તૂજ પ્રભાવથી ખરા, પદવી પામું ન જ્યાં લગી પરાક તું શરણ્યપણું મ મૂકજે, આ મુજમાં–જે તુજ શણુને ભજે. ૮ અર્થ-જ્યાં લગી હું હારા અનુભવજન્ય પરા પદવી પ્રાપ્ત કરૂં નહિં, ત્યાં લગી શરણશ્રિત એવા મહાર પ્રત્યે તું શરણ્યપણું મન મૂકજે! વિવેચન “કૃપા કરીને રાખજે, ચરણ તળે ગ્રહી હાથરે. * –શ્રી આનંદઘનજી - હે ભગવન્! લ્હારા અનુભાવ થકી–કૃપાપ્રભાવ થકી જ્યાં લગી હું હારા જેવી “પર” સર્વ થી પર ને જેનાથી પર કેઈ છે નહિં એવી પરમ ઉત્કૃષ્ટ પદવી પામું નહિં, ત્યાં લગી લ્હારા શરણને જેણે આશ્રય કર્યો છે એવા હું શરણાશ્રિત પ્રત્યે હે નાથ ! તું “શરણ્યપણું'-શરણ લેવા ગ્યપણું મૂકીશ મા! અર્થાત્ હું તે હારૂં શરણ મૂકીશ નહિં એમ હારૂં કર્તવ્ય તો હું બજાવીશ, પણ તું પણ શરણ ગ્રહણ યોગ્ય એવું હારૂં શરણ્યપણું ન મૂકી હારૂં કર્તવ્ય બજાવજે! ઇતિ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવમાંસકાવ્યાનુવાદ સવિવેચનમાં– આત્મનિંદા અને વીતરાગશરણપત્તિરૂપ સમદશ પ્રકાશ Page #378 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાદશ પ્રકાશ : વીતરાગનું વિલક્ષણ દેવપણું સ્વઅન્તશુદ્ધિ અર્થે તને કઠોર પણ કંઈક વિજ્ઞપ્ય છે– न परं नाम मृदेव, कठोरमपि किञ्चन । विशेषज्ञायं विज्ञप्यं, स्वामिने स्वान्तशुद्धये ॥१॥ કાવ્યાનુવાદ ભૂજંગીમદુ માત્ર વિજ્ઞાપ્ય ના તૂજ આગે, - કઠોરૂં ય વિજ્ઞાપવું એગ્ય લાગે ભલે આકરા બાણ જેવું જ લાગે, સ્વઅન્તાતણ શુદ્ધિ આ દાસ માગે. ૧ અર્થ –નહિં કે ખરેખર! માત્ર મૃદુ જ (કેમળ જ) પણ કંઈ કટાર પણ તું વિશેષજ્ઞ સ્વામી પ્રત્યે સ્વાન્ત શુદ્ધિ અર્થતાની મનઃશુદ્ધિ અર્થે વિજ્ઞપવું યોગ્ય છે. વિવેચન હે પ્રભુ! ઓલંભડે મત ખીજે. –શ્રી મોહનવિજયજી હે ભગવન્! અત્યાર સુધી તે અત્રે વીતરાગસ્તવના પૂર્વ પ્રકાશમાં હારી “મૃદુ –કેમળ શબ્દોથી “મૃદુ” કમળ નરમ પ્રકારની સ્તુતિ કરી; પણ માત્ર “મૃદુ જ’– Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ વીતરાગસ્તવ સવિવેચન કેમળ જ નહિં, પણ કંઈ “કઠોર”—આકરૂં-કર્કશ લાગે એવું કઠોર વચન પણ તું “વિશેષજ્ઞ’–સર્વ વિશેષને જાણનારા અથવા સત્-અસત્તા વિશેષને જાણનારા સ્વામી પ્રત્યે “વિષ્ય” છે-વિજ્ઞાપવું ચોગ્ય છે-વિજ્ઞાપન કરવું ચગ્ય છે; અને એ પણ સ્વાન્ત શુદ્ધિને માટે-હારા પિતાના અતઃકરણની શુદ્ધિને અર્થે વિજ્ઞાપવું છે. એમાં બીજો કોઈ હેતુ નથી. નથી તને પક્ષી આદિ વાહન, નથી નેત્રાદિ વિકાર– न पक्षिपशुसिंहादिवाहनासीनविग्रहः । न नेत्रगात्रवक्त्रादिविकारविकृताकृतिः ॥२॥ નથી તું બિરાજે બીજા જેમ દેવા, પણું પક્ષિ વા સિંહના વાહને વા, નથી નેત્ર ગાત્રે ય વકત્રે વિકારે, - વિકારી ય આકાર હારે લગારે; ૨ અર્થ નથી તું પક્ષી–પશુ–સિંહ આદિ વાહનમાં બિરાજમાન થયેલા દેહવાળો નથી તું નેત્ર–ગાત્ર આદિના વિકારોથી વિકૃત આકૃતિવાળો; - વિવેચન "न नेत्रे न गात्रे न वस्त्रे बिकार : a pક : પરમ રિ મેં ગિનેત્ર –શ્રી સિદ્ધસેન દિવાકરજી · Page #380 -------------------------------------------------------------------------- ________________ વીતરાગનું અન્યદેવથી વિલક્ષણ દેવપણું ૩૨૭ અત્રે મહાકવિ હેમચંદ્રાચાર્યજીએ પિતાની લાક્ષણિક શિલીથી વ્યાજસ્તુતિ અલંકારથી પ્રથમ દષ્ટિએ વીતરાગ ભગવાનની નિંદાનો આભાસ કરી, પર્યાવસાનમાં તેની પરમ સ્તુતિ કરી તેનું ઈનર દેવાથી વિલક્ષણપણું દર્શાવ્યું છે. તેમાં આ બીજા લોકથી માંડી છઠ્ઠા કલેક સુધીનો એક સાથે સહસંબંધ છે. ભગવાનનું અન્ય દેવે ગી વિલક્ષણપણું આ આ પ્રકારે છે– (૧) હે ભગવન્! બીજા દે તે કોઈ પક્ષીના વાહનમાં, કઈ પશુના વાહનમાં, કઈ સિંહ આદિના વાહનમાં બિરાજમાન થયેલા દેખાય છે, પણ ત્યારે દેહ તે નથી કે પક્ષી-પશુ કે સિંહ આદિ વાહનમાં બિરાજમાન થયેલ; (૨) બીજા દેવામાં તે નેત્રના આંખના ગાત્રના–અંગના કે વફત્રના–મુખના કે એ આદિ અન્યના વિકારથી વિકૃત-વિકાર પામેલી આકૃતિ-આકારતા દેખાઈ આવે છે, પણ ત્યારામાં તો નથી નેત્ર-ગાત્ર-વત્ર આદિના વિકારથી કઈ વિકૃત–વિકાર પામેલી આકૃતિ દેખાતી; નથી ધરતો તું શૂલાદિ શસ્ત્ર, નથી ભેટતો અંગના અંગ– न शूलचापचक्रादिशस्त्राङ्ककरपल्लवः । नाङ्गनाकमनीयाङ्गपरिष्वङ्गपरायणः ॥३॥ નથી શૂલ કે ચાપ ચકાદિ શસ્ત્ર, થયે તૂજ હસ્તાજ અંકિત અને નથી અંગના અંગ આલિંગવાને, થયે તત્પરો અંગ ઉમંગ આણે; ૩ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વીતરાગસ્તવ સવિવેચન અર્થ –નથી તું શૂલ–ચાપ–ચક્ર આદિ શસ્ત્રથી અંકિત કરપલ્લવવાળે, નથી તું અંગનાના કમનીય અંગના પરિન્કંગમાં પરાયણ–તત્પર; વિવેચન “ર ર ર ર ફત્તે, ૪ : પરામ તિ મેં નિને?” –શ્રી સિદ્ધસેન દિવાકરજી. (૩) બીજા દેવોમાં તો કેઈના હાથમાં શૂલ, કેઈના હાથમાં ચાપ–ધનુષ્ય, કેઈના હાથમાં ચક એ આદિ શત્રુઓને ભયંકર શાસ્ત્રનું દર્શન થાય છે, પણ હારો કરપલવ”_પલ્લવ જે કમળ કર નથી ફૂલ-ચાપ– ચક આદિ શસ્ત્રથી અંકિત થયેલો; (૪) બીજા દે તે કામિનીના કમનીય અંગના આલિંગનમાં તત્પર દીસે છે, પણ નથી તું તે અંગનાના-કામિનીના કમનીય-સ્પૃહણીય -સુંદર અંગના પરિવંગમાં-આલિંગનમાં તત્પર જણ; 1 નથી તું સિંઘ ચરિત ધરત, નથી કેપ-પ્રસાદ કરતन गर्हणीयचरितप्रकम्पितमहाजनः। न प्रकोपप्रसादादिविडम्बितनरामरः॥४॥ નથી કંપવ્યા તે મહાલેક અને, સવના ગઈવા ગ્ય ફંડા ચરિત્રે; નથી તે વિડંખ્યા ન વા સુર વા, પ્રકેપે કરી કે પ્રસાદે કરી વા; ૪ Page #382 -------------------------------------------------------------------------- ________________ નથી નિંદ્ય ચરિત, નથી કેપ-પ્રસાદ ૩૨૯ અર્થ –નથી તું ગર્હણીય ચરિતથી મહાજનેને પ્રકંપિત કરનાર; નથી તું પ્રદેપ–પ્રસાદ આદિથી નરઅમરને વિડંબિત કરનારે; વિવેચન તે કિમ પર સુર આદરૂ, જે પરનારી વશ રાચ્યા રે, –શ્રી યશોવિજયજી (૫) બીજા દેવે તે “ગર્હણીય—ગઈવા ગ્યનિંદનીય ચરિત વડે મહાજનોને પ્રકંપિત કરે છે–પ્રકંપ ઉપજાવે છે-ધ્રુજાવે છે, પણ તું તે નથી ગર્હણીય-નિવ ચરિતથી મહાજનને પ્રકંપિત કરત–પ્રકંપ ઉપજાવતેપ્રજાવતો; (૬) બીજા દેવ તો કઈ પ્રત્યે પ્રકોપ કરી કેઈ પ્રત્યે પ્રસાદ–અનુગ્રહ કરી કે એ આદિ એવું અન્ય કોઈ કરી નરને-મનુષ્યને અને અમને–દેવને વિડંબિત કરે છે–વિડંબના કરી ફાવે તેમ નચાવે છે; પણ તું તો નથી પ્રકપ–પ્રસાદ આદિથી નરો–અમરને વિડંબિત કરતવિડંબના પમાડતે; UR નથી તું જગન્સટિ આદિ કરતો, નથી લાસ્ય-હાસ્યાદિ ધરતો न जगज्जननस्थेमविनाशविहितादरः। न लास्यहास्यग तादिविप्लवोपप्लुतस्थितिः॥५॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન નથી તે જગજન્મ કે ધૈર્ય નાશે, કઈ આદરે તો કરે જ ભાસે! નથી હાસ્ય ને લાસ્ય ગીતાદિ દ્વારે, સ્થિતિ વિહુતા તે કરી કે પ્રકારે ૨ અર્થ –નથી તું જગતના જનન-વૈર્ય– વનાશમાં આદર કરનારો, નથી તું લાસ્ય-હાસ્ય–ગીત આદિ વિલોથી ઉપડુત સ્થિતિવાળો; વિવેચન " न लास्यं न हाम्यं न गीतादि यस्य, एकः परात्मा गतिमें जिनेन्द्रः ।" – શ્રી સિદ્ધસેન દિવાકર (૭) કેઈ દેવ તે જગનું જનન (જન્માવવું) કરી “જગતપિતા” બનવા જાય છે, કઈ જગતનું “સ્થમ –સ્થિરપણું જાળવી રાખવાનું કાર્ય કરી જગત્રાતા બનવા જાય છે, કે જગને વિનાશસંહાર કરવાનું કાર્ય કરી જગસંહર્તા બનવા જાય છે,આમ જગની ઉત્પતિ–સ્થિતિ–લયના કાર્યમાં “વિહિતાદર’–આદર કરી રહેલા જણાય છે, પણ તું તે નથી જગના જનનસ્થય—વિનાશમાં આદર કરત; (૮) કેઈ દેવ તે લાસ્યસુંદર નૃત્ય કરી રહેલા, કેઈ તે હાસ્ય કરી રહેલા, કેઈ ગીત આદિ ગાઈ રહેલા–એમ એ આદિ અનેક “વિલવથી”—ચિત્તક્ષોભકારી ઉપદ્રવોથી “ઉપડુત”—ઉપપ્લવ પામેલી ડામાડોળ ચિત્તસ્થિતિવાળા દષ્ટિગોચર થાય છે; પણ તું તો નથી લાસ્ય–હાસ્ય-ગીત આદિ વિપ્લવાથી ઉપવુત-સંક્ષુબ્ધ–ડામાડોળ સ્થિતિ ધરતે; * , ' માં Page #384 -------------------------------------------------------------------------- ________________ નથી જગા ઉત્પત્તિ-સ્થિતિ-લય કરતા ૩૩૧ એમ સં દેવાથી વિલક્ષણ તને દેવપણે કેમ સ્થાપવા तदेवं सर्वदेवेभ्यः, सर्वथा त्वं विलक्षणः । देवत्वेन प्रतिष्ठाप्यः, कथं नाम परीक्षकैः ? ॥ ६ ॥ સહુ દેવથી એમ સર્વ પ્રકારે, અહો ! છેતુ વિલક્ષણા એ પ્રકારે; પરીક્ષાકરાએ તને નાથ! પ્રીતે, પ્રતિષ્ઠાપવા દેવતાત્વે શૉ રીતે! અ:—તેથી એમ સર્વ દેવેથી તું સર્વથા વિલક્ષણ છે! તે પછી તુ પરીક્ષકેાથી વારુ દેવપણે ક્રમ પ્રતિષ્ઠાપ્ય છે? કેમ પ્રતિષ્ઠાપવા યોગ્ય છેઃ વિવેચન } "" प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देबो वीतरागस्त्वमेव ॥ --મહાકવિ ધનપાલ તેથી એમ-એ આદિ ઉપર વર્ણવી દેખાડેલા અનેક પ્રકારોથી તું સ` દેવાથી ‘સવ થા’-સર્વ પ્રકારે ‘વિલક્ષણ’ છા! ‘વિલક્ષણ’—વિપરીત–વિરુદ્ધ-વિચિત્ર-વિશિષ્ટ લક્ષણવાળેા છે! તેા પછી ‘પરીક્ષકેાથી'-દેવતત્ત્વની પરીક્ષા કરનારા જનાથી તું દેવપણે કેમ પ્રતિષ્ઠા' છે? કેમ પ્રતિષ્ઠાપવા ચેાગ્ય છે? ઉક્ત દેવાના પ્રસિદ્ધ લક્ષણેામાંનું કાઈ પણ લક્ષણ ત્હારામાં ગોત્યું જડતું નથી, તેા પછી તને દેવપણે કેવી રીતે પ્રતિષ્ઠાપન કરવા ? એવી વિમાસણુ દેવતત્ત્વપરીક્ષકેાના મનમાં થઈ આવે છે. 6 3 tr Page #385 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિયન અત્રે મદબુદ્ધિ પરીક્ષકા ભલે મુઝાઈ જતા હાય, પણ કૃતબુદ્ધિ સાચા પરીક્ષકાને મન તેા અન્ય દેવાથી આવું હારૂ ́ વિલક્ષણપણ' એ જ ત્હારૂં ખરેખરૂં અનન્ય દેવલક્ષણપણું પ્રતીત કરાવે છે. કારણ કે ત્હારી શાંત પ્રતિકૃતિના પણ દર્શન થતાં તેઓના મુખમાંથી સહજ સ્વયંભૂ ઉદ્ગાર નિકળી પડે છે કે—અહે! આની ષ્ટિ કેવા પ્રશમરસમાં નિમગ્ન થયેલી છે! આનુ' મુખકમલ કેવું પ્રસન્ન, શાંત, સૌમ્ય છે ! નથી દેખાતી આના ખેાળામાં કામિની કે નથી આના હાથમાં હથિયાર ! અહા ! સમભાવભરી એની દષ્ટ જાણે સમ પિરણામે જગને દેખી રહી છે! એની પ્રસન્ન મુખમુદ્રા પરમ ચિત્તપ્રસન્નતા વ્યક્ત કરી રહી છે ! એની અસ’ગતા જાણે સવ પરભાવની પરિવજના પ્રકાશી રહી છે! એના ખુલ્લા ખાલી હાથ જાણે એમ સૂચવી રહ્યા છે કે અમને હવે આ ચિત્રવિચિત્ર જગત્ સાથે કાંઈ લેવાદેવા નથી. અમે અમારૂં કામ કરી લીધું છે, હવે અમારે કઈ પણ કરવાપણું રહ્યું નથી. અહા! આવી અદ્ભુત નિવિકાર મુદ્રા અમે પૂર્વે કદી પણ દીઠી નહાતી. ખરેખર! જગમાં કાઈ વીતરાગ દેવ હાય તે તે આવા જ ઘટે. આવા અનંત જ્ઞાનાદિ દિવ્ય ગુણુ સપન્ન ખરેખરા વીતરાગ દેવથી વિપરીત-વિલક્ષણ લક્ષણવાળા કહેવાતા દેવામાં વાસ્તવિક દેવપણું ઘટતું જ નથી, કારણ કે— ૩૩૨ “ અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શાક, જુગુપ્સા, દાનાંતરાય, લાલાંતરાય, વીર્યાં તરાય, Page #386 -------------------------------------------------------------------------- ________________ વહેણ સાથે વહેતા ઘટે, વહેણ વિરુદ્ધ કેમ ઘટે? ૩૩૩ ભેગાંતરાય, ઉપભોગતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તે તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, “પરમેશ્વર છG એમ મિથ્યા રીતે મનાવનારા પુરુષો પોતે પિતાને ઠગે છે, કારણ પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષયી ઠરે છે, શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી દૈષી ઠરે છે; જપમાળા ધારણ કર્યાથી તેઓનું ચિત્ત વ્યવ્ર છે એમ સૂચવે છે, મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં' એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તે પછી બીજાને તેઓ કેમ તારી શકે? વળી કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તે ત્યાં તેઓને અમુક કર્મનું ભેગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.” શ્રીમદ રાજચંદ્રપ્રણીત મેક્ષમાળા (બાલાવબેધ) પાઠ ૧૩, વહેણ સાથે વહત ઘટે, વહેણ વિરુદ્ધ કેમ ઘટે? अनुश्रोतः सरत्पर्णतृणकाष्ठादि युक्तिमत् । प्रतिश्रोतःश्रयवस्तु, कया युक्त्या प्रतीयताम् ? ॥७॥ અનુશ્રોત તે વહેણ સાથે વહેતા, તૃણે પર્ણ કાષ્ઠાદિક યુક્તિમતા; પ્રતિશ્રોત જે રહેણની જાય સામે, શી યુક્તિથી તે વસ્તુ પ્રતીત પામે? ૭ જુઓ આ કના વિવેચનના મથાળે ટાંકેલે મહાકવિ ધનપાલને સુપ્રસિદ્ધ ક. Page #387 -------------------------------------------------------------------------- ________________ વીતરાગસ્તવ સવિવેચન અર્થ :અનુશ્રોતે (સ્રોતને—પ્રવાહને અનુકૂળપણે) સરતું પણ તૃણ-કાઠા દે યુક્તિમત્ છે; પણ પ્રતિશ્રોતને ( પ્રવાહથ પ્રતિકૂળપણાને) આશ્રય કરતી વસ્તુ કઈ યુક્તિથી પ્રતીતાય ? ૩૩૪ વિવેચન ,, ક્રતુમ પ્રભુ તુમ તારક વિભું રે, તુમ સમ અવર ન કાય, – શ્રી દેવચ’દ્રજી સ` દેવેથી વિલક્ષણ એવા તને દેવપણે કેમ સ્થાપવા એવી વિમાસણ મદબુદ્ધિ પરીક્ષકેાને થઈ પડે છે. કારણ કે તે મંદબુદ્ધિ પરીક્ષકા તે એમ વિચારે છે કે—અનુશ્રોતે’–શ્રોતને-પ્રવાહને અનુસારે એટલે કે પાણીના વહેણ પ્રમાણે સરતી--વહી જતી પણ (પાંદડા)તૃણુ-કાષ્ઠઆદિ વસ્તુ યુક્તિમત્–યુક્તિવાળી જણાય છે, તે તેા સમજી શકાય છે; પણ ‘પ્રતિશ્રોત’-શ્રાતથી-પ્રવાહથી પ્રતિકૂળ-સામે એટલે કે પાણીના વહેણની સામે જતી એવી પ્રતિશ્રોતના આશ્રય કરતી વસ્તુ કઈ યુક્તિથી પ્રતીત કરાય ? એ તે અમારાથી સમજી શકાતી નથી. અર્થાત્ અર્થાં ત્ર ન્યાસથી અત્રએમસૂચવ્યું કે ‘અનુશ્ર।તે’સામાન્ય દેવપ્રવાહને અનુસરતા હાય તેને અમે દેવ માનીએ, પણ પ્રતિશ્નોન’–તે પ્રવાહધી પ્રતિકૂળ હોય તેને અમે કેમ માનીએ ? મદબુદ્ધિએની આ સૂ`તાભરી દલીલ અત્ર મૂકી અર્થા તરન્યાસથી સ્તવકાર કવિએ વ્યંગમાં એમ સૂચવ્યુ` છે કે- અનુશ્રોતે' વહી જતા અનેક દેવા છે તે Page #388 -------------------------------------------------------------------------- ________________ મંદબુદ્ધિઓના પરીક્ષાથી સર્યું! ૩૩૫ તે સમજી શકાય છે, પણ પ્રતિશ્રોતે જ હારા જેવો વિરલો ખરેખર મહાદેવ મંદમતિ પરીક્ષકોથી સમજી શકાતો નથી–કળી શકાતું નથી–અકળ છે, એ આશ્ચર્ય છે! કારણ કે અનુશ્રોતે વહવું સહેલું અને સુલભ છે, પણ પ્રતિશ્રોતે જવું વિકટ અને દુર્લભ છે; અનુશ્રોતે વહનમાં કાંઈ બળ—પરાક્રમ નથી, પ્રતિશ્રોતે ગમનમાં જ મહાબળ-મહાપરાક્રમ છે, એની આ મંદબુદ્ધિ પરીક્ષકને ગતાગમ જણાતી નથી! ખરેખર ! આવું ત્યારું પ્રતિશ્રોત -ગામિપણું એ તે ખરેખરી રીતે સર્વ ઇતર દેથી લ્હારૂં એર વિલક્ષણપણું પ્રતીત કરાવે છે. મંદબુદ્ધિના પરીક્ષણેથી સયું – अथवाऽलं मन्दबुद्धिपरीक्षकपरीक्षणैः । ममापि कृतमेतेन, वैयात्येन जगत्प्रभो! ॥८॥ સયું મંદબુદ્ધિ પરીક્ષાકરાની, પરીક્ષાર્થી તું નાથ ગુણાકરાની; સર્ચ માહરા લજજાળુપણુથી. કર્થ નાથ ! ખુલ્લે ખુલું સાવ આથી. ૮ અર્થ :–અથવા મન્દબુદ્ધિ પરીક્ષાના પરીક્ષણોથી બસ થયું! હે જગતપ્રભો! હારા પણ તૈયાયથી– લજજાળપણથી બસ થયુ ! Page #389 -------------------------------------------------------------------------- ________________ -- ૩૩૬ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન નાથ ભક્તિરસ ભાવથી રે, તૃણ જાણું પરદેવ રે; ચિંતામણિ સુરતરુ થકી રે, અધિકી અરિહંત સેવ રે. શ્રી દેવચંદ્રજી અથવા તો આ જે ઉપરમાં મંદબુદ્ધિ પરીક્ષકોની વાત કરી, તે આ મંદબુદ્ધિ પરીક્ષકોના પરીક્ષણથી બસ થયું! એઓના પરીક્ષણમાં કાંઈ માલ નથી, એ તો એમની બુદ્ધિના પ્રદર્શનથી અમે બતાવી આપ્યું છે. એટલે એમના પરીક્ષણથી સયું! અને હે જગત્પ્રભુ! મહારા પણ “વૈયાત્ય—લજમાળપણુથી બસ થયું ! અર્થાત્ યથાર્થ દેવત્વ લક્ષણથી મેં માન્ય કરેલા હારા ઈષ્ટ દેવના હું હારા મોઢે શા વખાણ કરું એવી લજજા ધરવાથી પણ સયું! એટલે હવે હું તે લજજા છેડી ગોળ ગોળ ગોપવેલી વાત કરવાને બદલે જે કહેવાનું છે તે ખુલેખુલ્લું કહેવા માગું છું. i સર્વ સંસારીથી વિલક્ષણ હારું લક્ષણ કૃતધી પરીક્ષા!यदेव सर्वसंसारिजन्तुरूपविलक्षणम् । परीक्षन्तां कृतधियस्तदेव तव लक्षणम् ॥९॥ અહિં સર્વ સંસારિ પ્રાણું સ્વરૂપ, થકી જે જ વિલક્ષણું તુજ રૂપ; ખરે! તે જ આ લક્ષણ સ્વામિ! હા, પરીક્ષે ભલે કૃતધીઓ જ વાર૯ Page #390 -------------------------------------------------------------------------- ________________ સર્વસંસારીથી વિલક્ષણ હારું લક્ષણ કૃતધી પરીક્ષે ૩૩૭ અર્થ –જે જ સર્વ સંસારી જંતુઓના રૂપથી વિલક્ષણ એવું તે જ હારું લક્ષણ કૃતબુદ્ધિઓ ભલે પરીક્ષા વિવેચન “દેવ અનેરા થૈસે છોટા, થૈ જગમે અધિકેરા, યશ કહે ધર્મ જિનેધર થાશું, દિલ માન્યા હે મેરા.) –શ્રી યશોવિજયજી હે દેવ ! હારી સાચી પરીક્ષા અંગે હું જે ખુલે ખુલ્લું પડકાર કરીને કહેવા માગું છું તે આ છે–સર્વ સંસારી પ્રાણુ સામાન્યપણે મેહ-રાગ-દ્વેષ આદિને વશ છે; આવા સર્વ સંસારી જતુઓના રૂપથી “વિલક્ષણ”વિપરીત-વિરુદ્ધ-વિચિત્ર-વિશિષ્ટ લક્ષણવાળું જે હારું લક્ષણ છે, તે જ આ હારું વિલક્ષણ લક્ષણ “કૃતધી”— કૃતબુદ્ધિજને ભલે પરીક્ષ! મંદબુદ્ધિઓની બાહ્ય સ્થળ પરીક્ષા કરતાં યથાર્થ દેવપણાની જે આ આંતરિક પરીક્ષા તે જ ખરેખરી પરીક્ષા છે. એટલે વીતરાગપણું–વિતશ્રેષપણું–વિત મેહપણું એવું જે શુદ્ધ સહજાન્મસ્વરૂપપણું એ જ હે વીતરાગ દેવ! હારું દિવ્ય જ્ઞાનાદિગુણસંપન્ન ખરેખરું દેવપણું છે, તેની પરીક્ષા કરવાનું અમે કૃતબુદ્ધિજનને આહ્યાન કરીએ છીએ, અને કૃતબુદ્ધિ સાચા પરીક્ષકને મન તો નિર્દોષ વીતરાગ હોય તે જ અનંત જ્ઞાનાદિ દિવ્યગુણસંપન સાચે દેવ છે. એટલે જ— * વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂપ આવા આ વીતરાગ-જિનદેવ પરમ “અહંત ” અર્થાત્ વિશ્વની Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વીતરાગસ્તવ સવિવેચન પૂજાના પરમ પાત્ર છે; સર્વ દેવેન્દ્રો જેને વંદે છે અને સર્વ યોગીન્દ્રો જેને ધ્યાવે છે, એવા આ મહાદેવ” સર્વદાને માટે સર્વ દેષથી રહિત થયા છે. કારણ કે જેમાં સર્વ દોષ સમાયા છે, એવા રાગ દ્વેષને મેહ એ ત્રણ મહાદોષને આ મહાદેવે સર્વથા નષ્ટ કર્યા છે; અથવા પ્રકારતરે આ પરમ નિર્દોષ મૂર્તિએ આ અઢાર દેશને નષ્ટ કર્યા છે – અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે હાર એ ચી કાઢી પ્રકટ કર્યું, ને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યો. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગ્રત એ ચાર દશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મ પગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. મિથ્યા. મતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી સંલગ્ન હતી, તેને અપરાધિની ને દુરશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી હાર કાઢી મૂકી અને સપરિવાર સમકિત સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દેષને–દર્શનમેહને ક્ષીણ કર્યો. અને રાગ, દ્વેષ ને અવિરતિ પરિણામ કે જે ચારિત્રહના જબરજસ્ત યોદ્ધા હતા, તે તે જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તક્ષણ બાઘા બની ઊઠીને નાઠા ! ભગવાન જ્યારે ક્ષપકશ્રેણરૂપ ગજ Page #392 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાદશ દૂષણરહિત વીતરાગ દેવનું વિલક્ષણપણું ૩૩૯ રાજ પર ચઢયા ત્યારે,-હાસ્ય, અરતિ, રતિ, શાક, દુર્ગા , ભય, વેદેદય (કામ)-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફા જેવા દેષ તે બિચારા ક્યાંય ચગદાઈ ગયા ! આમ ચારિત્રહને સર્વનાશ કરી, નિષ્કારણ-કરુણારસના સાગર આ પરમ કૃપાળુ દેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું. આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિલોકબંધુ દાન સંબંધી વિદ્ધને–દાનાંતરાયને નિવારી પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા; લાભ સંબંધી વિનાને-લાભાંતરાયને નિવારી, પરમ લાભરસથી મસ્ત એવા આ પ્રભુ, જગને આત્મલાભમાં વિઘ કરનારા લાભવિઘના નિવારક થયા; પંડિત વીર્ય વડે. કરીને વીર્ય વિદ્મને–વીયતરાયને નિવારી આ પ્રભુ પૂર્ણ પદવીના યોગી બન્યા અને ગાંતરાય–ઉપભેગાંતરાય એ બંને વિદન નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપ –રમણતારૂપ ભેગના સુભગી થયા. આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ, વીતરાગ પરમાત્મા છે,જેના અનન્ય ગુણેનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે. આવા પરમ નિર્દોષ ગુણમૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપ * પ્રજ્ઞાવબોધ મેક્ષમાળાને આ પાઠને ઘણો ખરો ભાગ પ્રકતોપાગી હોવાથી અત્ર અવતાર્યો છે. આ પાઠમાં આનંદધનજી ન સુપ્રસિદ્ધ મહિલ જિન સ્તવનને ભાવ પૂરેપૂરી વણી લીધું છે. જુઓ આનંદઘનજીકૃત પ્રસ્તુત સ્તવન. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦ વીતરાગસ્તવ સવિવેચન પરીક્ષા કરી, આ મનોવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ “દીનબંધુની મહેર નજરથી”—કૃપાદૃષ્ટિથી આનંદઘન પદને પામે છે. અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ - પદને પામે છે. કારણ કે “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ, એટલે સિંહને દેખીને જેમ અજકુલગત સિંહને નિજ સ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનવરૂપના દર્શને મુમુક્ષુ ભક્ત આત્માને “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે.” -પ્રજ્ઞાવબેધ મેક્ષમાળા (સ્વરચિત) પાઠ ૩ જગવિલક્ષણ તું વીતરાગ મૃદુધીને ગોચર નથીक्रोधलोभभयाक्रान्तं, जगदस्मादिलक्षणः। न गोचरो मृदुधियां, वीतराग! कथञ्चन ॥१०॥ ભય ક્રોધ ને લોભ આકાંત એવા, જગતથી તું વિલક્ષણે દેવદેવા ! અહો ! વીતરાગી! તું કઈ પ્રકારે, નથી ગોચરે મૃદુધીને લગારે. ૧૦ અર્થ –ોધ–લેજ–ભયથી આક્રાન્ત જગત છે, એનાથી વિલક્ષણ એવો તું હે વીતરાગ' મુદ્દબુદ્ધિને ગોચર નથી. Page #394 -------------------------------------------------------------------------- ________________ જગવિલક્ષણ નું વિતરાગ મૃદુબુદ્ધિને ગોચર નથી ૩૪૧ વિવેચન નાથ! તમારી જોડી ન કે ત્રિઉં લોકમેં રે પ્રભુજી પરમ આધાર ભવિ થાકને રે, –શ્રી દેવચંદ્રજી આ જગત્ તો કોપ–લોભ-ભયથી આકાંત છે–દબાઈ ગયેલું–કચરાઈ ગયેલું છે, આ જગમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ક્રોધ-લોભ-ભયનું અને ઉપલક્ષણથી માન-માયારાગ-દ્વેષ–મેહ આદિનું આક્રમણ ચાલી રહ્યું છે, આ ક્રોધાદિથી આકાંત જગમાં ક્રોધાદિનું જ સામ્રાજ્ય પ્રવત્તી રહ્યું છે. આવા ક્રોધાદિથી આકાંત જગથી “વિલક્ષણ”—વિરુદ્ધ–વિપરીત–વિચિત્ર જૂદા જ તરી આવતા વિશિષ્ટલક્ષણસંપન્ન–અક્રોધ-લાભ-અભય.અમાન-અમાયઅરાગ–અષ–અમેહ એ તું હે વીતરાગ ! કઈ પ્રકારે “મૃદુધી”—મૃદબુદ્ધિ–“મૃદુ–કોમળ મંદ ઢીલી જાડી બુદ્ધિવાળા જનોને ગોચર—વિષય નથી. અર્થાત્ હે જગદુવિલક્ષણ વીતરાગ દેવ! મૃદુબુદ્ધિ જનો હારી યથાર્થ પરીક્ષામાં ક્ષમ નથી–સમર્થ નથી. એટલે તું કોઈ પણ પ્રકારે મૃદુબુદ્ધિ જનોની પરીક્ષાનો વિષય નથી. શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ જીવનસિદ્ધ ભગવાન તેમજ સર્વ દૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, વીતરાગ, સકળ ભય રહિત, સર્વજ્ઞ સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.” શ્રી રાજચંદ્રજી પ્રત મોક્ષમાળા (બાલાવબોધ) પા. ૧૩ : ઇતિ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવમાં સકાવ્યાનુવાદ સવિવેચનમાં– વીતરાગનું વિલક્ષણ દેવત્વ પ્રદર્શક અષ્ટાદશ પ્રકાશ છે Page #395 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે પ્રકાશ: આજ્ઞાઆરાધન ભક્તિથી મુક્તિ વીતરાગ ! મહારા ચિત્તમાં વ તે બસ!तव चेतसि वर्तेऽहमिति वार्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्तसे चेत्त्वमलमन्येन केनचित् ॥१॥ કાવ્યાનુવાદ– અભિનંદન જિન દરિશન તરસિયે?—એ રાગ તુજ ચિત્ત હું વરતું નાથ રે ! દુલ ભ એ વાર્તા ય; સર્યું બીજા કેઈથી પણ જો ય તું, વત્ત મુજ ચિત્તમાંય... તુજ આજ્ઞાથી જ શિવપદ પામીએ. ૧ અર્થ–હારા ચિત્તમાં હું વતુંએવી વાર્તા પણ દુર્લભ છે, (પણ) હારા ચિત્તમાં જે તું વર્તે છે, તે અન્ય કેઈથી સયું! વિવેચન સાહેલાં હે કંથે જિનેધર દેવ, રત્નદીપક અતિ દીપતો હે લાલ, સામુજ મન મંદિરમાંહી, આવે જે અરિબલજીતે . શ્રીયશોવિજયજી Page #396 -------------------------------------------------------------------------- ________________ હે વીતરાગ! મહારા ચિત્તમાં તું વત્તે તો બસ! ૩૪૩ હે વીતરાગ ભગવાન! હું હારા ચિત્તમાં વ7,હું ભક્ત તે ભગવાનના હૃદયમાં વસું એવી વાર્તા પણ વાત પણ દુર્લભ છે; પણ મહારા ચિત્તમાં જે તે વત્ત છે-હું ભક્તના ચિત્તમાં તે ભગવાન વસી રહ્યો છે, તે અન્ય કેઈથી સયું! બસ થયું! મ્હારે બીજા કેઈનું પણ કામ નથી, હારા સર્વ કાર્ય સિદ્ધ થયા એમ હું જાણું છું. અર્થાત્ ભક્ત ભગવાનના ચિત્તમાં વસે અથવા ભક્તને ભગવાન યાદ કરે તે વાત બનાવી દુષ્કર છે, પણ ભક્તના ચિત્તમાં ભગવાન વસે અથવા ભક્ત ભગવાનને યાદ કરે એ વાત તે બનવી સુકર છે. કારણ કે તે ભક્તના પિતાના હાથની વાત છે. એટલે હે ભગવાન! તું તે હારા ચિત્તમાં જે વત્તી જ રહ્યો છે, તે મહારે હવે બીજા કેઈનું કામ નથી. એમ ભાવ છે. અને ભગવાન પણ ભક્તના ચિત્તમાં ક્યારે ? જે ચિત્ત શુદ્ધ હોય તે અને ત્યારે; ચિત્ત “પ્રસન્ન” થયું હોય–પ્રસાદ પામ્યું હોય, ચિત્તનો મેલ હેઠે બેઠે હાયચિત્ત નિર્મલ થયું હોય, ત્યાં જ ભગવાનનો વાસ હોય. ભક્તિથી ચિત્ત ચોખ્ખું કરે તે ભગવાનને ભેટે – શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભકતે ચોખું ચિત્ત છે.” જે મંદિરમાં ભગવાન બિરાજે છે, તે મંદિર શુદ્ધ ચેખું હોય અને તેના ગર્ભગૃહમા (ગભારામાં) ભગવાન બિરાજે છે, એ એમ સૂચવે છે કે-આ મને મંદિર એવુ શુદ્ધચિખું હોવું જોઈએ કે તેના અંતરંગ ગર્ભગૃહમાંઅંતરાત્મામાં ભગવાન બિરાજમાન થાય. “તિણે મનમંદિરે Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વીતરાગસ્તવ સવિવેચન ધમ પ્રભુ ધ્યાઈ એ; પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈ ચે.’ શ્રી યશાવિજયજીએ તે એક સ્તવનમાં અદ્ભુત ભાવ ઉતાર્યા છે તેમ-હે સ્વામી! તમે અમારા પર કાંઈ ‘કામણુ ’-જાદૂ કર્યુ છે અને અમારૂ' મન ચારી લીધું છે, અમે પણ તમારી સાથે કામણ કરશું અને ભક્તિથી તમને 4 ગ્રહી’–પકડી ચિત્ત-ઘરમાં ધરશુ-પધરાવશું. હે ભગવાન્ ! મન-ઘરમાં ધરેલા તમે અમારા આ મન-ઘરની શેશભા દેખતાં જ તેમાં સ્થિર થાભી જશે તેમાં જ સ્થિર થાભી જવાનું તમને મન થશે! બીજાએ ભગવાનના વાસ વૈકુંઠમાં છે. એમ કહે છે, પણ અકુંઠિત ભક્તિથી શુદ્ધ એવું મન એ જ વૈકુંઠ છે એમ અનુભવયુક્તિથી જોગીજન ભાખે છે. લેશે વાસિત મન એ જ સસાર ને ફ્લેશ રહિત મન એ જ ભવપાર છે. આવા વિશુદ્ધ મન-ઘરમાં જો તમે પધાર્યા તા અમે નવે નિધિ અને સર્વ ઋદ્ધિ પામ્યા એમ અમે જાણીએ છીએ. સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું હમારૂ ચારી લીધું; અમે પણ કરશું, ઘરમાં ધરશું; પણ તુમશું કામણુ ભક્તે ગ્રહી મન મન ઘરમાં ધરિયા ધરશે।ભા, દેખત નિત્ય રહેશેા થિર થાભા; વૈકુંઠ અકુંઠિત ભકત, અનુભવ ભાખે યુક્તે; ઃઃ મન ચેાગી Page #398 -------------------------------------------------------------------------- ________________ નિગ્રહ-અનુગ્રહ કરનારા હંગાથી મૃદુબુદ્ધિ ગાય લેશે વાસિત મન સંસાર, ફ્લેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તુમે આવ્યા, તેા અમે નવિવિધ ઋદ્ધિ પામ્યા.” —શ્રી યાવિજયજીકૃત વાસુપૂજિત સ્તવન 卐 નિગ્રહ–અનુગ્રહથી પર ઠગારાથી મૃદુબુદ્ધિ ઠગાય निगृह्य कोपतः कांश्चित्, कांश्रितुष्ट्याऽनुगृह्य च । प्रतार्यन्ते मृदुधियः प्रलम्भनपरैः રૈઃ ૩૪૫ કાને નિગ્રહી રાખથી, તેાષથી, અનુગ્રહી ફાઈ ખીજાય; વચનતત્પર પરથી હે પ્રભુ ! મૃત્યુદ્ધિએ ગાય...તુજ આજ્ઞાથી. ૨ અર્થ :—કાઈને કાપી નિગ્રહીને, અને કાઈને તુષ્ટિથી—તુષમાનતાથી અનુમહીને, પ્રલંભનપરા–વચનપરાયણ પરાયી મૃત્યુદ્ધિ પ્રતારવામાં છેતરવામાં આવે છે. વિવેચન -- રાગી સેકથી જે રાચે માહ્ય ભક્તિ દેખીને મ ચે; જમ્મુ ગુણ દાઝે તૃષ્ણા આર્ચ, તેહના સુજશ ચતુર કિમ વાંચે?” - શ્રી ધ્રુવચંદ્રજી કોઈ લેાકેા એમ કહે છે કે અમારા દેવ પ્રસન્ન થાય તે વરદાનાદિ અનુગ્રહ કરે છે, અપ્રસન્ન થાય તે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વીતરાગસ્તવ સવિવેચન શાપાદિથી નિગ્રહ કરે છે. આ કહેવું એક “પ્રતારણા”છેતરપીંડી-ઠગાઈ છે, અને તેથી “મૃદુબુદ્ધિ”—કમળ નરમ ઢીલી બુદ્ધિવાળા મુગ્ધ જને છેતરાય છે. આ ભાવથી અત્રે કહ્યું છે કે—કોઈને કોપથી “નિગ્રહીને –.. નિગ્રહ કરીને અને કેઈને તુષમાનતાથી “અનુગ્રહીને” -અનુગ્રહ-કૃપાપ્રસાદ કરીને “પ્રલંભનપરા”—પ્રલંભનમાં– વંચનમાં–છેતરપીંડીમાં તત્પર એવા પરથી અન્ય દેથી મૃદુબુદ્ધિવાળા–નરમ કેમળ બુદ્ધિવ બા ઢીલા પિચા અને પ્રતારવામાં આવે છે-છેતરવામાં–ઠગવામાં આવે છે. આમ પ્રતારણપરા પરથી ભલે ઢીલા પિયા મૃદુબુદ્ધિ જને છેતરાય, પણ અમૃદુબુદ્ધિ-પાકા પરિણુતબુદ્ધિ કૃતધી જને ન જ છેતરાય–ન જ ઠગાય. કારણ કે તેઓ સારી પેઠે સમજે છે કે કોઈના પણ નિગ્રહ-અનુગ્રહથી કે શાપવરથી કોઈનું પણ ભલું–બૂરું થતું નથી, પણ પિતાના શુભાશુભ કર્મને લઈને થાય છે. એટલે કેઈનું સારૂં – નરસું–ભલું બૂરું કઈ પણ દેવની પ્રસન્નતા–અપ્રસન્નતાને આધીન નથી, પણ જીવના પોતાના બાંધેલા શુભઅશુભ ભાવને આધીન છે. અને વીતરાગ દેવ છે, તે તો કઈ પ્રત્યે પ્રસન્ન–અપ્રસન્ન થતા નથી, કે નિગ્રહ– અનુગ્રહ કરતા નથી, પણ સર્વ પ્રત્યે એકસરખો પરમ પ્રેમમય કરુણાભાવ જ ધારે છે; આવા વીતરાગના અવલંબને જીવના જે શુભાશુભ ભાવ ઉપજે છે તે જ જીવને શુભાશુભ ફલને આપનારા થાય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ અચિંત્યચિન્તામણિ વીતરાગ કેમ ન ફળે? ૩૪૭ એટલે વીતરાગ રાગાદિરહિતપણાને લીધે પ્રસાદ કરતા નથી કે સ્વયં ફલ આપતા નથી, છતા એમના સદ્ભૂત ગુણની સ્તુતિરૂપ સ્તવ કાંઈ નિષ્ફલ કે નિધ્વજન છે એમ નથી, પણ તેને (ભક્તજનના) સ્વભાવની અથવા સભાવની વિશુદ્ધિ૪ થકી કર્મવિગેમકર્મના દૂર થવારૂપ પ્રોજનની સિદ્ધિને લીધે અત્યંત સફળ છે. “દા સુતન મન્નતિઃ સિદ્ધિઃ—અચેતન એવા પણ મંત્રાદિના જપાદિ થકી સિદ્ધિ પ્રગટ દષ્ટ છે, તે પછી આ તે અચિંત્ય સામર્થ્યવાન શુદ્ધ ચૈતન્યમૂત્તિ ભગવાન, તે થકી સિદ્ધિ કેમ ન હોય? x" क्षीणक्लेशा एते, न हि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्स्वभाव (सद्भाव) विशुद्धः प्रयोजन कर्मविगम इति । स्तुत्या अपि भगवन्तः परमगुणोत्कर्षरूपतो ह्येते । दृष्टा ह्यचेतनादपि मन्त्रादिजपादितः सिद्धिः ।। शीतादितेषु हि यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाह्ययति वा तथापि च तमाश्रिताः स्वेष्टमश्नुवते ॥ तद्वत्तीर्थकरान्ये त्रिभुबनभावप्रभावकान् समुपाश्रिता जनास्ते, भवशीतमपास्य यान्ति शिवम् ।। एतदुक्तं भवति-यद्यपि ते रागादिभी रहितत्वान्न प्रपीदन्ति, तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पान् अन्त:करणजुद्धयाऽभीष्टं च कर्तुणां, तत्पूर्विकवाभिलषितफलावाप्ति મંતીતિ જ થાઃ ” શ્રી હરિભદ્દરિફત લલિતવિસ્તરા ( જુઓ માકૃત વિવેચન કરતુત સત્ર ૨૯૧) અત્યt T. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ વીતરાગસ્તવ સવિવેચન અત્રે દૃષ્ટાંતર શીતથી પીડિત જને પ્રત્યે અગ્નિ જેમ શ્રેષ વા રાગ પામતો નથી, વા તમે મને ભજે એમ તેઓને આહ્વાન કરતો નથી, બલાવતો નથી, તે પણ તેને આશ્રિત જને ટાઢ ઉડાડવારૂપ પિતાનું ઈષ્ટ ફળ અનુભવે જ છે. તેની જેમ જેઓ ત્રિભુવનભાવના પ્રભાવક એવા તીર્થકરોને ભક્તિથી સમ્યકપણે ઉપાશ્રિત છે–આવીને આશ્રય કરે છે, તે જ ભવ–શીત દૂર કરી, સંસારની ટાઢ ઉડાડી શિવને-મોક્ષને પામે છે,–“મશીનમાહ્ય ચાન્તિ શિવમ્ ” તાત્પર્ય કે-જે કે તે વીતરાગ રાગાદિથી રહિતપણને લીધે પ્રસાદ પામતા નથી, પ્રસન્ન થતા નથીરીઝતા નથી, તથાપિ અચિંત્ય ચિંતામણિ સમા તે ભગવંતોને ઉદ્દેશીને–આશ્રીને અન્તઃકરણ શુદ્ધિ વડે કરીને સ્તુતિ કરનારનું અભીષ્ટ-મનોવાંછિત હોય છે, કારણ કે “તપૂર્વિકા જ અભિલષિત ફળની પ્રાપ્તિ હોય છે,”– તે અન્તઃકરણશુદ્ધિપૂર્વક જ વાંછિત ફલની સિદ્ધિ હોય છે. અપ્રસન્ન થકી ફલ કેમ મળે? એ કહેવું અસંગત છે— अप्रसन्नात्कथं प्राप्यं, फलमेतदसङ्गतम् । चिन्तामळ्यादयःकिं न,फलन्त्यपि विचेतनाः?॥३॥ અપ્રસન્ન થકી ફલ કેમ સાંપડે? એહ અસંગત હેય; ચિન્તા રત્નાદિક શું ના ફળે, હોય વિચેતન તો ય...તુજ આજ્ઞાથી. ૩ Page #402 -------------------------------------------------------------------------- ________________ ભગવઆલંબન ચિત્તવૃત્તિ થકી ફલપ્રાપ્તિ ૩૪૯ અર્થ –અપ્રસન્ન થકી ફલ કેમ પ્રાપ્ત થવા ગ્ય છે? એ (કહેવું) અસંગત છે; વિચેતન–ચેતના રહિત એવા, ચિન્તામણિ આદિ પણ શું નથી ફળતા? વિવેચન નીરાગી સેવે કાંઈ હેવે, ઇમ મનમેં નવિ આણું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે –શ્રી યશોવિજયજી તે પછી કઈ કહેશે કે–અપ્રસન્ન” થકી જે પ્રસન્ન થયા નથી–રીઝીને જેણે કૃપાપ્રસાદ કર્યો નથી એવા આ વીતરાગ દેવ થકી ફલ કેમ પ્રાપ્ત થવા ગ્ય છે? તો એ કહેવું અસંગત છે–સંગત નથી, અઘટમાન –અણઘટતું છે. કારણ કે ‘વિચેતન”-વિગતચેતનચેતનારહિત-જડ એવા ચિન્તામણિ આદિ પણ શું નથી ફળતા? તે પછી શુદ્ધ ચૈતન્યમૂર્તિ અચિંત્ય ચૈતન્યચિંતામણિ એવા વીતરાગ દેવ શું નહિં ફળે? શું અચિંત્ય ફળ નહિં આપે ? કે પ્રત્યે પ્રસન–અપ્રસન્ન નહિં થતા તમારા વીતરાગ દેવને સેવ્યાથી ફલ કેમ પ્રાપ્ત થશે? તેને આ સીધે સાદે ઉત્તર છે. અપ્રસન્ન એવા વીતરાગ થકી ફલની પ્રાપ્તિ શી રીતે હોય ? એ શંકા જ અસ્થાને છે. કારણ કે “તદાલંબન ચિત્તવૃત્તિ થકી”—જ ભગવના આલંબનવાળી x" कथं तहि तत्कलमिति ? उच्यते-तदालम्बनचित्तवृत्तेः, तदाधिपत्यतः __ तत एव तद्भावात्, चिन्तामणिरत्नादौ तथादर्शनादिति वक्ष्यामः ।" –લલિતવિસ્તરા સૂત્ર ૨૦૯ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ વીતરાગસ્તવ સવિવેચન ચિત્તવૃત્તિ થકી તે નમસકારાદિ ભક્તિક્રિયાનું ફલ છે, અને તેમાં ભગવંતનું જ આધિપત્ય છે, કારણ કે તે ભગવંત થકી જ ચિત્તવૃત્તિને તદુભાવ છે, એટલે તેના થકી જ કિયાફલનું હોવાપણું છે,–ચિન્તામણિ રત્નાદિમાં પણ તેવા પ્રકારે દેખાય છે. અર્થાત્ અદ્ભુત છે મહિમા જેને એવા ચિન્તામણિરત્ન આદિમાં પ્રણિધાન આદિ થકી ઉપજતું ફલ જેમ તે ચિત્તામણિરત્નાદિ થકી થાય છે એમ લેકમાં પ્રતીતિદર્શન છે; તેમ તે ચિન્તામણિ– રત્ન કરતાં પણ અનંતગુણવિશિષ્ટ અચિંત્ય ચિંતામણિરત્ન સમા ભગવંતમાં ચિત્તન્યાસરૂપ પ્રણિધાન આદિથી–ચિત્તવૃત્તિના અનુસંધાન આદિ ભક્તિ-આરાધન થકી જે ફલ ઉપજે છે. તે પ્રશસ્ત ચિત્તવૃત્તિના તકલજનક હેતુઓમાં પ્રધાનપણાએ કરીને–સર્વોપરિપણુએ કરીને તે ભેગવંતે જ અધિપતિઓ છે. એટલે અધિષ્ઠાતા (Dominating) એવા તે ભગવંતોના આધિપત્યને લીધે તે ફલ ભગવંતે થકી હોય છે. “અતિશય મહિમા રે અતિ ઉપગારતા, નિર્મલ પ્રભુગુણ રાગ; સુરઘટ સુરમણિ સુરતરુ તુચ્છ તે, જિનરાગી મહાભાગ”–શ્રી દેવચંદ્રજી બાહ્ય સેવા કરતાં હા આજ્ઞાપાલન વધારે મોટું– वीतराग! सपर्यातस्तवाज्ञापालनं परम् । आज्ञाऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥४॥ Page #404 -------------------------------------------------------------------------- ________________ વીતરાગનું આજ્ઞાપાલન મેટામાં મેટી સેવા તુજ સેવાથી ય સારૂ' તાહરૂ, આજ્ઞાપાલન સાર; આરાધ્યે, જે શિવલ સાંપડે, વિરાભ્યે સંસાર...તુજ આજ્ઞાથી. અર્થ —હૈ વીતરાગ ! ‘સપર્યાંથી ’–સેવાથી હાર આજ્ઞાપાલન ‘ પર' છે—વધારે સારૂં છે; ત્હારી આજ્ઞા આરાધવામાં આવેલી તે શિવાથે-માક્ષાર્થે થાય છે, અને વિરાધવામાં આવેલી તે ભવાથે—સ સારાર્થે થાય છે. વિવેચન (( જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે.×× જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધષદના સર્વશ્રેષ્ઠ ઉપાય છે,” શ્રીમદ્ ાથદ્રજી ' હૈ વીતરાગ ! ‘ સપર્યાં ’થી-બાહ્ય સેવાપૂજા કરતાં ત્હારૂં આજ્ઞાપાલન ‘ પર ’ છે–વધારે માટુ-વધારે શ્રેયસ્કર છે. કારણ કે ત્હારી બાહ્ય સેવાપૂજા કરે ને ત્હારી આજ્ઞાનું પાલન ન કરે તે તે। · ચાકર તેરા, કહ્યા નહિં કરૂ!’ એના જેવા ઘાટ થયેા. I am your most obedient ..servant but I won't obey you ! એના જેવું હાસ્યાસ્પદ થયું. ત્હારી આજ્ઞા ‘આરાદ્ધા ’–આરાધવામાં આવેલી તે શિવા -મેાક્ષાર્થે થાય છે, અને વિરાદ્ધા 'વિરાધવામાં આવેલી તે લવાથે સંસારાર્થે થાય છે. અર્થાત્ ત્હારી આજ્ઞા જે આરાધવામાં આવી તે મેાક્ષપ્રાપ્તિ થાય છે અને જો વિરાધવામાં આવી તે ભવભ્રાંતિ ૩૫૧ " Page #405 -------------------------------------------------------------------------- ________________ ઉપર વીતરાગસ્તવ સવિવેચન થાય છે. માટે હારૂં આજ્ઞાપાલન એ જ મોટામાં મોટી સેવા છે અને એ જ મુમુક્ષુને મુખ્યપણે શ્રેયસ્કર છે. “સારી વિધિ સેવા સારંતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતી કરતાં, સહેજે નાથ નિવાજે.” –શ્રી દેવચંદ્રજી પ્રભુની આરાધનાનોઝ શ્રેષ્ઠ ઉપાય તે તેની આજ્ઞાનું આરાધન એ જ છે, એ જ એની મોટામાં મોટી પૂજા છે. પ્રભુની આજ્ઞા પાળવી એ જ એની ઉત્તમ સેવા છે. કોઈ નોકર હેાય તે શેઠની આજ્ઞા ન પાળે ને કહે કે હું તેને સેવક છું, એ કેમ બને? આ તો “ચાકર તેરા, ' કહ્યા નહિં કરું” એના જેવો ઘાટ થયે! સાચા સેવક હેય, તે તે ખડે પગે શેઠની સેવામાં–ખી જમતમાં હાજર રહી, તેની આજ્ઞા કદી ઉત્થાપે નહિં. તેમ સાચો ભક્ત સેવક પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે છે ને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સત્ પુષ્પોથી પ્રભુની પૂજા કરે છે. –ચે દષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) - પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવાં સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણ– પ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન અજ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે,–જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે.” -–શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૮૨૪ • જે જે સાધને બતાવ્યા, તે તે જ્ઞાનીની આજ્ઞા અનુસાર આત્માર્થના લક્ષપૂર્વક સેવવામાં આવે, તે Page #406 -------------------------------------------------------------------------- ________________ ' વીતરની સાત્યંત આજ્ઞા:આશ્રવ હેય,સવર્ ઉપાદેય ૩પ૩ અવશ્ય માક્ષસાધક થઈ પડે, પણ આત્મા ભૂલી ને સ્વચ્છ દે કરવામાં આવે તે તે સાધન પણ ધન મની ભવઉપાધિ વધારે. દાન તપ શીલ વ્રત નાથ આણુા વિના, થઈ ખાધક કરૈ ભવઉપાધિ. ' કારણ કે ઉત્સગ – રૂપ કે અપવાદરૂપ જે જે આજ્ઞા જ્ઞાનીએ કરી છે, તે કેવલ જીવના કલ્યાણ હેતુએ, જેમ આત્મા ઉત્પન્ન થઈ વમાન ને સુરક્ષિત અને એ પ્રકારે કરી છે.' (પ્રજ્ઞાવમેધ મેાક્ષમાળા સ્વરચિત પાઠ ૬૧) મ હારી શાશ્વત આજ્ઞા : આશ્રવ હેય, સ`વર ઉપાદેય~~ आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा । आश्रवः सर्वथा हेय उपादेयश्व संवरः ॥५॥ હૈય–ઉપાદેયના સબંધમાં, આ શાશ્વત તુજ આણુ; × 3333 આશ્રવ સ જ હૈય જ સથા, સવર્ આદેય જાણું !'...તુજ આનાથી. ૫ . यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास यथाशक्ति विधानेन, नियमात्स सत्यमस्तेयं. ब्रह्मचर्यं अहिंसा गुरुभक्तिस्तपो ज्ञानं, सत्पुष्पाणि ૧૩ વહિ । પ્રિલ મ मसङ्गता । નક્ષતે —શ્રીહરિભદ્રસૂરિષ્કૃત અણૂક "" Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વીતરાગસ્તવ સવિવેચન - અર્થ આકાલથી'-અનાદિકાળથી આ હારી હેપાયેગે ચરા–હેય–ઉપાદેયવિષયી આશા છે કે–આશ્રવ સર્વથા હેય–ત્યજવા યોગ્ય છે, અને સંવર ઉપાદેય–ગ્રહણ કરવા ગ્ય છે. વિવેચન “કારણ જગે હો બાંધે બંધને, કારણ મુક્તિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય.” – શ્રી આનંદઘનજી અને હે વીતરાગ ! હારી આજ્ઞા પણ શી છે? તેને વિચાર કરું છું તે જણાય છે કે–આકાલથી જ્યારથી કાળનું અસ્તિત્વ છે ત્યારથી–અને કાળનું અસ્તિત્વ તે અનાદિથી છે એટલે અનાદિકાળથી હેયત્યજવા ગ્ય અને ઉપાદેય–ગ્રહવા ગ્ય વિષયમાં હારી 241 21140l 241301 (Standing Commandmeut) i કે–“આશ્રવ” કર્મોનું આશ્રવવું સર્વથા “હેય –ત્યજવા છે અને “સંવર’–કમને આસવવાના ગરનાળા બંધ કરવા તે “ઉપાદેય’—ગ્રહણ કરવા ગ્ય છે. -- મિથ્યાત્વ–અવિરતિ–પ્રમાદ–કષાય–ગ એ પાંચ બંધહેતુ આશ્રવ છે તેના પ્રતિપક્ષ સમ્યક્ત્વાદિ સંવર છે, એટલે મિથ્યાત્વાદિ આશ્રવ સર્વથા હેય-ત્યજવા યોગ્ય છે, અને સમ્યકત્વાદિ સંવર સર્વથા ઉપાદેય–ભજવા યોગ્ય છે, અથવા આત્મા વિભાવમાં વતે તે આશ્રવ છે, અને પોતાના સ્વભાવમાં જ સંવૃત વર્તે તે સંવર છે, એટલે વિભાવરૂપ Page #408 -------------------------------------------------------------------------- ________________ આહતી પુષ્ટિ આશ્રવ ભવહેતુ, સંવર મેક્ષહેતુ ૫૫ આશ્રવ ત્યજવા ગ્ય છે અને સ્વભાવરૂપ સંવર ભજવા ગ્ય છે,-આમ આશ્રવ–સંવરના અનુક્રમે હે પાદેયપણા વિષયમાં હારી શાશ્વતી આજ્ઞા છે. માટે આત્મકલ્યાણને ઈચ્છનાર મુમુક્ષુએ આજ્ઞાપ્રધાન બની, જ્ઞાનીની મુખ્ય આજ્ઞારૂપ આ સદ્વર્તાનનું અર્થાત્ આત્મસ્વભાવરૂપ સશીલનું યથાશક્તિ સેવન કરવું જોઈએ; પરભાવ-વિભાવ પ્રત્યે ગામનરૂપ વ્યભિચારથી તે શીલને ભંગ ન થવા દેતાં, આત્મસ્વભાવમાં રહી અહિંસાદિ સદ્વર્તનમય શીલ પાળવું જોઈએ. આમ આશ્રવનું નિવારણું ને સંવરનું સેવન કરતે રહી, જે પ્રભુની આજ્ઞાભક્તિમાં લીન થાય છે, તે આત્માથી મુમુક્ષુ જીવ પરમ સમાધિમય પ્રભુનું પરમ પદ પામે છે. “પ્રભુ આણાં ભકતે લીનતિણે દેવચંદ્ર પદ કીન.” (પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા સ્વરચિત પાઠ ૫૧) આશ્રવ ભવહેતુ, સંવર મોક્ષહેતુ-આ ‘આહતી મુષ્ટિ’– आश्रवो भवहेतुः स्यात्संवरो मोक्षकारणम् । इतीयमार्हती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् ॥६॥ “આવ તે ભવહેતું જ હોય છે, સંવર મુક્તિ નિદાન; - આહત મુષ્ટિ એમ અને બીજું, બેનું પ્રપંચન માન! તુજ આજ્ઞાથી. Page #409 -------------------------------------------------------------------------- ________________ વીતરાગતવ સવિવેચન અર્થ –આશ્રવ ભવહેતુ–સંસારહેતુ હોય, સંવર પક્ષકારણ હેય,–એવી આ આહંતી મુષ્ટિ છે બીજું આનું પ્રપંચન–વિતરણ છે. - વિવેચન આશ્રવ સર્વ નિવારિ, જેહ સંવર ઘરે હે લાલ જે જિન આણુ લીન, પીન સેવન કરે છે લાલ, –શ્રી દેવચંદ્રજી અને જે આશ્રવ છે, તે “ભવહેતુ’–સંસારકારણ હોય અને સંવર છે તે સેક્ષકારણ હય,–એવી આ અહેવા મુષ્ટિ છે. અર્થાત્ આશ્રવથી બંધ છે અને સંવરથી મેશ છે એટલું કહીને અર્હત્ ભગવદ્ મુઠ્ઠી ખંખેરીને ચાલતા હવા, એ પરથી જે આ “આહુતી મુષ્ટિ–અર્વતની મુઠ્ઠી કહેવાય છે,-એટલે જ એ આ માગને સારસવા અહંતની મુઠ્ઠીમાં સમાય છે એ આ માર્ગ “આહંતી મુષ્ટિ' કહેવાય છે. અને આ કે ટચ ને ચેક ચટ માર્ગ ભગવાને આટલામાં જ સંક્ષેપમાં જ કહ્યો છે; બાકી બીજું બધું જે છે તે આ સંક્ષેપમાગનું “પ્રપંચન વિસ્તરીકરણ જ છે, વિસ્તાર કથન કરવારૂપ જ છે.. સમસ્ત પરભાવ-વિભાવથી આત્મા વ્યાવૃત્ત કરી સ્વભાવમાં આણુ, “સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જ જિન ભગવાનની મુખ્ય આજ્ઞા છે, એ જ શાસન સર્વસ્વ છે, એ જ પ્રવચનસાર છે, એ જ સૂત્રપરમાર્થ છે. વિભાવરૂપ અધર્મમાંથી નિવૃત્તિ કરાવી, સ્વભાવ Page #410 -------------------------------------------------------------------------- ________________ ત્રણે કાળમાં આજ્ઞાચ્યારાધનથી જ માક્ષ સપન ૩૫ જ . ધમ પમાડવા એ જ જિનપ્રવચનનું મુખ્ય પ્રયેાજન છે, એ જ ઉદ્દેશ છે, એ જ ઉપદેશ છે, એ જ આદેશ છે, અને એ જ વઘુલહાવો ધર્મો-વસ્તુના વસ્તુને સ્વભાવ તે ધમ એ મહાસૂત્ર પ્રમાણે આત્માના વાસ્તવિક ધમ છે. સમસ્ત દ્વાદશાંગી પણ આ મુખ્ય આજ્ઞા-ધમ પ્રવચનના વિવરણરૂપ છે; અને અન્ય સવ આજ્ઞા-સાધન પણ આ એક પરમાર્થ ની આજ્ઞાની યાગક્ષેમાથે છે.XX એમ જાણી સ્વચ્છ છેડી આત્માથી જીવે બાળાર્ધો ગળાપ તવો-આજ્ઞાએ ધમ મૈં આજ્ઞાએ તપ એ સૂત્ર હૃદયમાં ધારણ કરી, જ્ઞાનીની આજ્ઞાનુ` અખંડ એકનિષ્ઠ આરાધન કરવા ચૈાગ્ય છે. (પ્રજ્ઞાવમેધ મેાક્ષમાળા સ્વરચિત) “ જિનની જે જે આજ્ઞા છે, તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત્ આત્માના કલ્યાણને અર્થે જૈની કઈ ઈચ્છા છે તે સર્વે ને તે કલ્યાણુનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વહૂ માન થવુ થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાએ કરી છે.” શ્રીમદ્ રાજચંદ્ર અ’. ૪૧૪ 卐 ત્રણે કાળમાં આજ્ઞાઆરાધનથી નિર્વાણુ इत्याज्ञाराधनपुरा, अनन्ताः परिनिर्वृताः । निर्वान्ति चान्ये क्वचन, निर्वास्यन्ति तथाऽपरे ॥७॥ એમ. આજ્ઞા આરાધન તત્પરા, પામ્યા અન`ત નિર્વાણુ; પામે છે. ક્યાંક ને વળી પામશે, બીજા પણુ ભગવાન !...તુજ આજ્ઞાથી. છ Page #411 -------------------------------------------------------------------------- ________________ * . . છપટ વીતરાગસ્તવ સધિવેશન " અર્થ –એવા પ્રકારની આજ્ઞાને આરાધનમાં તત્પર એવા અનંતા જ પરિનિર્વાણમક્ષ પામ્યા, અને અને ક્યાંક નિર્વાણ પામે છે, તથા બીજાઓ નિર્વાણ પામશે. ' rગ કે .. વિવેચન પ્રભુ આણ ભક્ત લીન, તિણે દેવચંદ્ર પદ દીન.” – શ્રી દેવચંદ્રજી હે વીતરાગ !' એવા પ્રકારની જે આ હારી “આસવથી બંધ અને સંવરથી મોક્ષ એ આહુતી મુષ્ટિરૂપ આજ્ઞાના આરાધનમાં-ઉપાસનમાં તત્પર–તનિષ્ઠ–એકનિષ્ઠ એવા અનંતા જીવે ભૂતકાળમાં પરિનિવૃત થયેલા છે.પરિનિર્વાણ મિક્ષ પામેલા છે; અને બીજાઓ વર્તમાનકાળમાં ક્યાંક મહાવિદેહાદિ ક્ષેત્રે નિર્વાણ પામે છે અને બીજાઓ ભવિષ્યકાળમાં નિર્વાણ પામશે. આમ ત્રણે કાળમાં આ એકજ વીતરાગ માર્ગને આરાધના થકી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, એ અખંડ નિશ્ચય છે. આ અંગે પરમતત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના સંકેત્કીર્ણ વચનામૃત છે કે- * * “આ જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. +++ અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. માટે ક્ષીણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન હિતકારી છે.” શ્રીમદ્ રાજચંદ્ર Page #412 -------------------------------------------------------------------------- ________________ મસાદના દેવ છોડી આજ્ઞાભક્તિથી જ મુક્તિ ૩૫૯ પ્રસાદનાસૈન્ય છોડી આજ્ઞાભક્તિથી જ મુક્તિहित्वा प्रसादनादैन्यमेकयैव त्वदाज्ञया। सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपञ्जगत् ॥८॥ પ્રસાદનાનું દીનપણું ત્યજી, તુજ આજ્ઞાથી જ એક કર્મપંજરથી પ્રાણું મુકાય છે, સર્વથા જ અહી છેક તુજ આજ્ઞાથી. ૮ અર્થ – પ્રસાદનાનું'–પ્રસન્ન કરવાનું દૈન્ય-દીનપણું છોડી દઈ, એક જ લ્હી આજ્ઞાથી જન્મીઓસંસારીઓ કર્મપજમાંથી સર્વથા જ વિમુક્ત થાય છે. વિવેચન આણ રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પર શીઘ વરીજે” –શ્રી દેવચંદ્રજી આમ હે વીતરાગ દેવ! આજ્ઞાઆરાધનને સુગમ સુગોચર માર્ગ છે, એટલે “પ્રસાદનાનું’- કોઈ દેવને પ્રસન્ન કરવાનું-રીઝાવવાનું “દૈન્ય”—દીનપણું છેડી દઈને એક જ હારી આ આજ્ઞાથી , જન્મીઓ”—જન્મ ધરનારા સંસારીઓ કર્મ પંજરમાંથી–કર્મના પાંજરામાંથી સર્વથા જ વિમુક્ત થાય છે; પંખી જેમ પાંજરું તૂટતાં ગગનમાં યથેષ્ઠ સ્થળે ઊડી જાય છે, તેમ કમ્પંજરમાંથી મુક્ત થયેલા જીવો નિર્વાણરૂપ ઈષ્ટ સ્થાનને પામી જાય છે. આ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ નીતસમસ્તવ વિવેચન અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ નિશ્ચયાત્મક પરમ મનનીય વચનામૃત છે કે “સત્પુરુષની આજ્ઞામાં વત વાને જેને દૃઢ નિશ્ચય વર્ત છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ચેાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે. તેના સર્વ જ્ઞાનીપુરુષા સાક્ષી છે. ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૬૩ ॥ ઇતિ શ્રી હેમથદ્રાચાય વિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ સવિવેચનમાં આજ્ઞાઆરાધનક્તિથી મુક્તિ દર્શાવનારા આગણીશમા પ્રાસ Page #414 -------------------------------------------------------------------------- ________________ વીશ પ્રકાશ વીતરાગચરણે આત્મસમર્પણ વીતરાગ! હારી ચરણરેણુ મહારા મસ્તકે ચિર વસો!– पादपीठलुठन्मूनि, मयि पादरजस्तव । चिरं निवसतां पुण्यपरमाणुकणोपमम् ॥१॥ દેહરા પાદપીઠે આટતા, મુજ શિર પદરજ તૂજ; ચિર વસજો! પુણ્ય તણુ, પરમાણુ કણ શું જ. ૧ અર્થ –હે ભગવાન! હારી પાદપીઠે જેનું મસ્તક આળેટે છે એવા હારા પર હારી પુણ્ય પરમાણુકણની ઉપમા જેને ઘટે છે એવી પાદર–ચરણરેણુચિરકાળ નિવાસી નિવાસ કરો! વિવેચન તે નો પવિત્રયન્ત પરમાર લોથિત ઘરાવ:” –શ્રી ગુણભદ્રસ્વામીકૃત આત્માનુશાસન આ અંતિમ પ્રકાશમાં વીતરાગ પ્રભુ પ્રત્યેના પોતાના ચરમ ભક્તિઅતિશયની પરાકાષ્ઠા દાખવતાં “કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આ પ્રથમ લેકમાં પરમ ભાવોલ્લાસથી પ્રકાશે છે કે-હે વીતરાગદેવ! હાસ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ વીતરાગસ્તવ સવિવેચન ચરણ મૂકવાનું જે પાદપીઠ છે તે પર તને નમસ્કાર કરતાં હારું મસ્તક આળોટે છે; તેના પર પડતી હારી પાદરજ-ચરણરજ ચિરકાળ-ઘણા લાંબા વખત સુધી નિવસો ! નિવાસ કર્યા કરે!—કે જે હારી પાદરને પુણ્ય-પરમાણુના કણની ઉપમા ઘટે છે. અર્થાત્ તું પુણ્ય-કલેક પુણ્યમૂર્તિની ચરણરેણુ પણ પણ એટલી બધી પાવન છે કે તેની ચિરકાળ પર્યત મહારા મસ્તકે સ્થિતિ રહે! એમ ભાવું છું. ક - '"* મ્હારા દર્શનથી હારા હર્ષાશ્રુ અપ્રેક્ષ્ય દર્શનને મલ ધાઈ નાંખે!– मदृशौ वन्मुखासक्ते, हर्षबाष्पजलोमि मिः। अप्रेक्ष्य प्रेक्षणोद्भूतं क्षणात्सालयतां मलम् ॥२॥ તુજ મુખ સક્તા દષ્ટિ મુજ, હર્ષજલમિથી ધન્ય; ક્ષણમાંહિ મલ લાલજો, અપ્રેક્ષ્ય પ્રેક્ષણ જન્ય. ૨ * અર્થ –હારા મુખમાં આસક્ત મહારી બન્ને દષ્ટિ (ચક્ષુ), હર્ષ–બાપૂજલની (હર્ષાશ્રુની) ઊર્મિઓ વડે કરીને, અપ્રેક્ષ્યના-નહિં જોવા ગ્યના પ્રેક્ષણથી ઉદ્ભવેલા મલને ક્ષણમાં સાલી નાખો ! ધોઈ નાખો! ' વિવેચન - “નિરખત નયન ભવિક જલ બરખત, હરખત અમિત ભવિક જન સરસી.”—બનારસીદાસજી ' હે ભગવાન! હારી બને દષ્ટિ મ્હારા મુખમાં આસક્ત થઈ જાય છે–ત્યાંથી ઉખડી ઉખડે નહિ એમ અત્યંત Page #416 -------------------------------------------------------------------------- ________________ યાળના આંકો અસેવ્ય પ્રણામનું પ્રાયશ્ચિત્ત કરે! ૩૬૩ચેટી જાય છે, અને તેને નિરખતાં આ દૃષ્ટિમાં હર્ષબાષ્પ -જલની”—હર્ષાશ્રની–હર્ષને ઉન્હા જલની “ઊર્મિઓ લહરીઓ-તરંગાવલી ઊઠે છે, મહારી દૃષ્ટિ હર્ષાશ્રુથી. છલકાય છે. આ હર્ષાશ્રુની ઊર્મિઓ વડે કરીને મ્હારી દષ્ટિ-અટૅના”—નહિં દેખવા એગ્ય એવા કુદેવકુગુરુ આદિના કે સ્ત્રીઆદિના “પ્રેક્ષણથી”-દેખવાથી ઉદ્ભવેલે “મલ–કર્મરૂપ મેલ ક્ષણમાં ક્ષાલી નાંખ-ધંઈ નાંખે! અર્થાત્ પૂર્વે અદશનીય કુદેવાદિના દર્શનથી હારી દષ્ટિમાં જે મલ લાગ્યો હતો તે તું સદુદેવના નિરંતર દર્શનથી ઉપજતી હર્ષજલની ઊર્મિઓથી ક્ષણમાં ‘પૅવાઈ જાઓ! અત્રે કુદેવાદિની ભારોભાર નિંદા અને વીતરાગ સુદેવની ભારોભાર પ્રશંસા કરવા સાથે વીતરાગના નિરંતર દર્શનની કામના હેમચંદ્રાચાર્યજી મહાકવિએ કેવી અદ્ભુત કાવ્યકળાથી કરી છે! મનમોહન તુમ સનમુખ નિરખત, આંખન વતી અમચી; મહતિમિર રવિ હર્ષચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી. –શ્રી દેવચ દ્રજી મહારા કપાળના આંકા અસેવ્ય પ્રણામનું પ્રાયશ્ચિત્ત કરો– त्वत्पुरो लुठनै भूयान्मालस्य तपस्विनः । कृतासेव्यप्रणामस्य, प्रायश्चित्तं किणावलिः॥३॥ મુજ કપાળ આંકા પડયા, આળોટતાં તુજ પાસ કીધા અસેવ્ય પ્રણામનું, હે પ્રાયશ્ચિત્ત ખાસ! ૩ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ વીતરાગસ્તવ સવિવેચન ' અર્થ: --હારી આગળમાં લુનોથી-આળોટવાથી હાશ બિચારા કપાળની કિણાવલિ'–અંકાવલિ (કપાળમાં પડતા આકા) તે તેને અને કરેલા પ્રણામનું પ્રાયશ્ચિત્ત હે! છે . વિવેચન વિવેચન &(જે પ્રભુ પદ વળગ્યા તે તાજા, બીજા અંગ ન સાજ રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે, –શ્રી યશોવિજયજી અસેવ્ય–નહિં સેવવા ચગ્ય એવા કુદેવ-કુગુરુ આદિને પ્રણામ કર્યાનું મહાપાપ હાર ભાલે’–કપાળે કર્યું હતું પણ હવે હે ભગવાન! તને નમસ્કાર કરતાં હારી આગળ “હુઠને” વડે કરીને–આળોટવા વડે કરીને આ મ્હારા બાપડા કપાળ પર આંકા પડે છે. આમ હારી આગળમાં આટલા બધા નમસ્કાર કરવાથી પડી જતા આ આંકાઓની “આવલિ –શ્રેણી–પંક્તિ એ જ હારા બાપડા કપાળને પૂવે “અસેવ્ય”—નહિં સેવવા ચિગ્ય એવા કુદેવ-કુગુરુ આદિને પ્રણામ કર્યાનું પ્રાયશ્ચિત્ત હિ અત્રે ભાવ આ છે કે–કપાળમાં આંકા ક્યારે પડે? ભગવાનને એટલા બધા નમસ્કાર કર્યા હોય ત્યારે ઘસાઈ ઘસાઈને કપાળમાં આંકા પડે. એટલે અત્રે પણ કવિએ અજબ કાવ્યકળાથી ભકત્યતિશય દાખવી કુદેવાદિની ભારાભાર નિંદા અને સદુદેવની ભારે ભાર પ્રશંસા પ્રકાશી છે. =. Page #418 -------------------------------------------------------------------------- ________________ હણ દર્શનથી માંય અસદનવાસના દૂર કરે ! ૩૬ હારા માંચ અસદશનવાસના દૂર કરે – मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्थामसद्दर्शनवासनाम् ॥४॥ તુજ દર્શનથી મુજ ઉઠયા, રેશમાંચકંટક પૂર; - ચિરકાલની અસદર્શન,-વાસના કરે દૂર. ૪ અર્થ ––મને હારા દર્શનથી ઉદ્દભવેલા ચિર (લંબે વખત રહેતા) રોમાંચ-કંટકે ચિરકાલથી ઊઠેલી અસદુદર્શન વાસનાને દૂર કરે! વિવેચન જાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ છે પિતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી.' -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૩૫૮ હે ભગવાન! હારા દર્શનથી મને ચિરકાળ-લાંબા વખત સુધી રોમાંચ ઉલ્લસે છે–જાણે કાંટા કાંટા ઉગ્યા હિય એવા “રોમાંચકંટકે ” ઉલ્લસે છે. આ હારા દર્શનથી ઉદ્દભવેલા ચિરકાળ ટકતા મહારા રે માંચકંટકે ચિરકાળથી • ઊઠેલી અસદુદર્શનની વાસનાને દૂર કરે! અત્રે પણ અજબ કુશળતાથી ભસ્થતિશય વ્યંજિત કર્યો છે. અત્રે ભાવ એ છે કે અનાદિથી આ જીવે અસદર્શન–મિથ્યાદર્શન–આરાધ્યા કર્યું છે, એટલે અસદુદર્શનની દુર્વાસનાના ગાઢ સંસ્કાર આત્મામાં રમે મે–પ્રદેશે પ્રદેશ વ્યાપી ગયા છે. એટલે જેમ કાંટાને કાંટે ખેંચી કાઢે તેમ આ અસતું Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ વીતરાગસ્તવ સવિવેચન દર્શનના કાંટાને હારા સદુદર્શનથી ઊઠતા આ મહેરા રોમાંચકાંટાઓ” આત્મદેહના રોમે રોમમાંથી પ્રદેશ પ્રદેશમાંથી. બહાર ખેંચી કાઢે! આત્મામાંથી વિસર્જન કરે! મ્હારા મુખચંદ્રિકા સુધાપાનથી હારા નેત્રાંબુ જો અનિમેષ - त्वद्वक्त्रकान्तिज्योत्स्नासु, निपीतासु सुधास्विव । मदीय लोचनाम्भोजैः, प्राप्यतां निर्निमेषता ॥५॥ તુજ મુખકાંતિ-ચંદ્રિકા, સુધાતણું કર પાન મુજ લોચનાબુજ પામજો, અનિમેષતા ભગવાન્ ! ૫ અર્થ – જાણે સુધા (અમૃત) હોય એવી હારી મુખકાન્તિ પેન્ટનાઓ (ચંદ્રિકાઓ) નિતાંત પણે પીવામાં આવ્યે મહારા ચનાભેજથી નિર્નિમેષતા પ્રાપ્ત કરાઓ! અર્થાત્ લ્હારા કાંતિ–અમૃતનું પાન કરતા મહારા નેત્ર-કમળ તને અનિમેષપણે અવલોક્યા કરો! - વિવેચન “ચંદ્રપ્રભુ મુખચંદસખિ દેખણ દે, ઉપશમરસને કંદસ, સેવે સુર નર ઇંદસ, ગત કલિમલ દુ:ખ દંદ..સ –શ્રીઆનંદઘનજી અત્રે ભાવ એ છે કે-હારૂં મુખ અમૃતવર્ષી ચંદ્ર સમાન છે, તેમાંથી કાંતિરૂપ સ્નાઓ–ચંદ્રિકાઓ નિઝરે છે, તે જાણે સાક્ષાત્ સુધા-અમૃત છે આ સુધા Page #420 -------------------------------------------------------------------------- ________________ ፡ " અસ નેત્ર હસ્ત ને શ્રોત્ર ત્હારી સેવામાં સદા સમર્પણ ! ૩૬૭ અમૃતનું પાન મુખચંદ્રદર્શનથી પ્રફુલ્લિત ખનેલા મ્હારા લાચનાંમુજો-નેત્રકમળા કરે છે. એટલે સુધાપાન કરનારા ‘અમૃત ’–દેવને જેમ · નિનિમેષતા '–નિમેષરહિતપણું હાય છે, ચક્ષુનું ઉઘાડબંધ થવુ હેતુ નથી-મટકું મારવાનું હાતુ નથી; તેમ ત્હારી સુખકાંતિ–ચ ંદ્રિકાનું સુધાપાન કરનારા મ્હારા લેાચનકમળાને પણ નિનિમેષતા ' નિમેષરહિતપણુ. પ્રાપ્ત હા! અર્થાત્ ત્હારા મુખચંદ્રના દશ નથી પ્રફુલ્લ થયેલા મ્હારા લેાચન, દેવાની જેમ, તને અનિમેષપણે એકીટસે જોયા કરે, ત્હારી મુખચ'દ્રિકાનુ અમૃતપાન નિર'તર કર્યા કરે એમ ભાવું છું. આમ અત્રે પણ અદ્ભુત ભાવઉત્કષ દાખવી મહાકવિ હેમચંદ્રજીએ કાવ્યકળાની સેાળે કળા પ્રકાશી છે! 卐 વી મ્હારા નેત્ર હસ્ત ને શ્રોત્ર ત્હારી સેવામાં સદા સમપ ણુ હા !– त्वदास्यलासिनी नेत्रे, त्वदुपास्तिकरौ करौ । त्वदुणश्रोतृणी श्रोत्रे, भूयास्तां सर्वदा मम ॥ ६ ॥ તુજ સુખ વિલાસી નેત્ર મુજ, ઉપાસનાકર હાથ; તુજ ગુણ શ્રોતા શ્રોત્ર હા, મ્હારા સદા ! જગનાથ ૬ અર્થ :——મ્હારા બે નેત્ર ત્હારા મુખમાં વિલાસ કરનારા હા! મ્હારા એ કર હારી ઉપાસના કરનારા હૈ!! મ્હારા બે સ્ત્રોત્ર (કાન) ત્હારા ગુણશ્રત ( ગુણશ્રત્રણ કરનારા ) સર્વા ડે!! * Page #421 -------------------------------------------------------------------------- ________________ વીતસગરવ સવિને વિવેચન “જે પ્રસન્ન પ્રભુ મુખ રહે, તેહી જ નયન પ્રધાન; અરિહા પદ કજ અરચિયે, તે સુલપીજે હથ્થ.” – શ્રી દેવચંદ્રજી વીતરાગનું દર્શન કરે તે જ ખરેખર દૃષ્ટિ છે, વીતરાગની ઉપાસના કરે તે જ ખરેખરા કરે છે, વીતરાગના ગુણ શ્રવણ કરે તે જ ખરેખરા શ્રવણ છે; અને તે દષ્ટિ, તે કર અને તે શ્રવણું ખરેખર! ધન્ય બને છે. એટલે જ અત્રે નેત્ર આદિ ઇદ્રિને ભગવચરણે સમર્પણ કરતાં ભકત્યતિશયસંપન્ન સ્તવકર્તા ભાવે છે કે–હારા બે નેત્ર સર્વદા હારા મુખના વિલાસી હે ! હારા મુખમાં વિલાસ કર્યો કરે-ન્હારા મુખચંદ્રનું નિરંતર દર્શન કર્યા કરે! હારા બે કર સર્વદા હારી ઉપાસના કરનારા હે ! બે હાથ સર્વદા હારી ઉપાસના–સેવાભક્તિ કર્યા કરે! મહારા બે “શ્રોત્ર’–શ્રવણ (કાન) સર્વદા હારા ગુણતા હ!–હારા બે શ્રવણ નિરંતર હાર ગુણનું શ્રવણ કર્યા કરો આમ હારા નેત્ર-કર-શ્રોત્ર ધન્ય બનો ! મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તુમ જિનની; ઇદ્રિ તૃષા ગઈ જિનેસર સેવતાં, ગુણ ગાતાં વચનની.” –શ્રી દેવચંદ્રજી ત્યારે ગુણગ્રહણમાં સોત્કંઠ મ્હારી ભારતીને ‘સ્વસ્તિ હે!कुण्ठापि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति । ममैषा भारती तर्हि, स्वस्त्येतस्यै किमन्यया ॥७॥ Page #422 -------------------------------------------------------------------------- ________________ હારા ગુણગ્રહણમાં સેકંઠ હારી ભારતીને સ્વસ્તિ! ૩૬૯ કુઠ છતાં ઉત્કટ જે, તુજ ગુણમાં મુજ વાણુ સ્વસ્તિ હજો આને!” અહે! અન્યથી શું?ભગવાન ૭ અર્થ –કુઠ (બુઠ્ઠી–અતીશુ) છતાં હારી આ ભારતી–વાણુ જે લ્હારા ગુણગ્રહણ પ્રતિ સેઠા છે, તો તે આ ભારતીને “સ્વરિત’ હ! અન્ય વાણીથી શું ? વિવેચન ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધો રે; દેવચંદ્ર કહે મહારા મનને, સકલ મનોરથ સીધા રે.” –શ્રી દેવચંદ્રજી ' અત્રે વીતરાગસ્તવકર્તાએ વીતરાગસ્તવમાં પ્રવૃત્ત થયેલી પિતાની વાણીની ધન્યતા ચિંતવી છે “કુઠ”— બુઠ્ઠી–અતીર્ણ છતાં આ હારી “ભારતી’–સરસ્વતી વાણી જે હારા ગુણગ્રહણ પ્રતિ “સત્કંઠ” છે–ઉત્કંઠા –અત્યંત તીવ્ર ઉત્સુકતા ધરાવનારી છે, તો આ હારી ભારતીને-સરસ્વતીને ‘સ્વતિ”_“સ્વસ્તિ” હે ! તેનું ભલું હ!–તે જીવતી રહો ! એવી હારા ગુણગાનમાં ઉજમાળ થયેલી મહારી ધન્ય વાણુ સદા જીવંત રહો! અન્ય વાણીથી શું? લ્હારા ગુણગાનમાં જ વાણુને ભેજવી એ જ વાણીની ધન્યતા છે. અને અમે પણ અમારી જે કાંઈ ક્ષોપશમશક્તિ છે તે સમસ્ત હે વીતરાગ ! આ હારા સ્તવમાં સર્વાત્માથી પરમ ભક્તિથી પ્રજ, એ પણ અમારી વાણીની પરમ ધન્યતા છે! એમ અત્ર અવનિ છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ વીતરાગાસ્તવ સવિયન હારો હું દાસ-કિંકર છું, “એમ્” એમ સ્વીકાર કર!– तब प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः। ओमिति प्रतिपद्यस्व, नाथ! नातः परं ब्रुवे ॥८॥ તુજ પ્રેષ્ય છું છું સેવકે, શું કિંકર છું દાસ; એમ્!' એમ કર સ્વીકારતું, અધિક કહું નતું પાસ ૮ અર્થ – હું ત્યારે પ્રેબ્ધ (એપીઓ, કાસદ) છું, દાસ છું, સેવક છું, કિંકર છું, તું “એમ–ભલે એમ– બહુ સારૂં એમ પ્રતિપન્ન કર–રષીકાર! હે નાથ! આથી પર”—વધારે આગળ હું બેલ નથી. વિવેચન આ દેહાદ આજથી, વત્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન. –શ્રીમદ્ રાજચંદ્રજી આ વીતરાગસ્તવના આ અંતિમ લકમાં ભક્ષતિશયની પરાકાષ્ઠા દાખવતાં “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પિતાનું દાસાનુદાસપણું ચિંતવે છે—હે વીતરાગ ! હું હારો “પ્રેષ્ય ”—પ્રેષવા સંદેશવાહક ખેપીઓ કાસદ છું, હું ત્યારે ‘દાસ’—ગુલામ છું; હું હારો સેવક–સેવા કરનારે છું; હું ત્યારે “કિંકર ” છું— વિ મિ-સાહેબ શું કરું? એમ પૂછી જે કાંઈ કહે તે આજ્ઞા ઊઠાવનારો આજ્ઞાંકિત તાબેદાર નેકર છું. હે Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪ લ્હારો દાસ-કિંકર, તું સ્વીકાર ! ૩૭૧ વીતરાગ ! “બોમ્'–ભલે એમ હ–બહુ સારું એમ કહીને તું પ્રતિપન્ન કર? સામે સ્વીકાર કર ! હે નાથ ! આથી આગળ વધારે હું બેલ નથી, અર્થાત્ હે વીતરાગ ! હારૂં સ્તવ કરવા માટે જેટલું કહેવું હતું તે પેટ ભરીને કહી દીધું છે, એટલે હારું વક્તવ્ય સમાપ્ત કરી આ વીતરાગસ્તવની પણ સમાપ્તિ કરું છું. જય વીતરાગ ! કુમારપાલ મહારાજને અંત્ય મંગલ આશિષ– श्रीहेमचन्द्रप्रभवादीतरागस्तवादितः । कुमारपालभूपालः, प्राप्नोतु फलमीप्सितम् ॥९॥ અનુપ— ભગવાન! હેમચંદ્ર આ, રચેલા સ્તવથી અહો! કુમારપાલ ભૂપાલ, વાંછિત ફલને લહે! ૯ અર્થ: શ્રી હેમચન્દ્ર થકી જેને “પ્રભવ'—જન્મ છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ ઈસિત”—ઇટ ફલ પ્રાપ્ત કરો! વિવેચન “કામિત પૂરણ સુરત સખી, આનંદઘન પ્રભુ પાય, –શ્રી આનંદઘનજી વીતરાગસ્તવની પૂર્ણતા પછી સ્તવકર્તાએ આ ટૂંકી પ્રશસ્તિ કરી છે. અત્રે ખાસ જેન પરમાર્થ ઉપકાર Page #425 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ વીતરાગસ્તવ સંવિવેચન નિમિત્તે આ પરમ ભક્તિભરનિર્ભર ઉત્તમ વિતરાગસ્તવની રચના કરવામાં આવી, તે ગૂજરાધિપતિ પરમહંત કુમારપાલ મહારાજને આશીર્વાદ આપતાં, “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પ્રકાશે છે કે–શ્રી હેમચન્દ્ર થકી જેને “પ્રભવ”—ઉદ્ભવ–જન્મ થયો છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ “ઈસિત”-ઈષ્ટ --મનોવાંછિત ફલ પ્રાપ્ત કરો! દેહરા કિરતુ ચંદ્ર નિજ પિતામહ, કૉરત નામ સ્મારંત; હેમચંદ્ર ભક્તિસુધા–રસ કિરત વેરત. કિરત ભક્તિરસ ચંદ્રિકા, ટીકા નામ છે જાસ; એવું વિવેચન આ કર્યું, દાસ ભગવાન્ સોલાસ. ઇતિ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવમાં ભગવાનદાસકૃત “કિરત ભક્તિરસ ચંદ્રિકા ટીકાનામક વિવેચન અને કાવ્યાનુવાદ સમેતમાં– વીતરાગચરણે આત્મસમર્પણરૂપ વીશમે પ્રકાશ છે આ હારા વિવેચનનું નામાભિધાન મહારા પૂ. સદ્. પિતામહ શ્રી કિરચંદ્રભાઈની પુણ્ય સ્મૃતિમાં તેમ જ પરમાર્થ– અર્થમાં પણ “કિરત ભક્તિરસ ચંદ્રિકા ટીકા રાખવામાં આવ્યું છે; આ મહાકવિ હેમચંદ્રજીએ રેલાવેલી અપૂર્વ ભક્તિરસચંકિાના કણ ઝીલી યત્ર તત્ર “કિરતી' (કિર્ધાતુ પરથી) --વેરતી હેવાથી બને અર્થમાં ઉક્ત નામનું યથાર્થપણું જણાશે. –ભગવાનદાસ Page #426 -------------------------------------------------------------------------- ________________ ३७३ કુમારપાલ મહારાજને મંગલ આશિષ ૩૭૩ કાવ્યાનુવાદકર્તા-વિવેચનકર્તાની ટીકાકર્તાની) પ્રશસ્તિ વસંતતિલકાઆ વીતરાગસ્તવ ભક્તિભરે ભરેલું, શ્રી હેમચન્દ્રજી મહાકવિએ કરેલું; કાવ્યાનુવાદ તસ આ ભગવાનદાસે, કીધે સ્વ-અન્ય ઉપકાર ગણી ઉલાસે. ૧ સાદું દીસે તદપિ આશયથી ગભીરૂં, આ વીતરાગસ્તવ સાગર શું ગભીરૂં; ત્યાં મારી ડૂબકી વિવેચનની ઉલાસે, બેન્યા સદઈ રતને ભગવાનદાસે, ૫ Page #427 -------------------------------------------------------------------------- ________________ Page #428 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ • કલિકાલસર્વજ્ઞ' શ્રી હેમચંદ્રાચાય વિરચિત મહાદેવસ્તાત્ર प्रशान्तं दर्शनं यस्य, सर्वभूताभयप्रदम् । मांगल्यं च प्रशस्तं च शिवस्तेन विभाव्यते महत्वादीश्वरत्वाच्च, यो महेश्वरतां गतः । रागद्वेषविनिर्मुक्तं वंदेऽहं तं जिनेश्वरम् महाज्ञानं भवेद्यम्य लोकालोकप्रकाशकम् । महादया दमो ध्यानं, महादेवः स उच्यते महान्तस्तस्करा ये तु तिष्ठन्तः स्वशरीरके । निर्जितां येन देवेनं, महादेवः स उच्यते रागद्वेषी महामल्लौ, दुर्जयो येन निर्जितो । महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः शब्दमात्रो महादेवो, लौकिकानां मते मतः । शब्दतों गुणतश्चैवाऽर्थतोपि जिनशासने शक्तितो व्यक्तितश्चैव विज्ञानं लक्षणं तथा । मोहजालं हतं येन, महादेवः स उच्यते नमोस्तु ते महादेव ! महामदविवर्जित ! | महालोभविनिर्मुक्त ! महागुणसमन्वित ! महारागो महाद्वेषो, महामोहस्तथैव च । कषायश्च हतो येन, महादेवः स उच्यते महाकामो हतो येन, महाभयविवर्जितः । महाव्रतोपदेशी च, महादेवः स उच्यते ।। १ ।। ॥ २ ॥ ॥ ३ ॥ ॥। ४ ॥ 11 % 11 11 & 11 11011 ॥ ८ ॥ 11 & 11 ।। १० ।। Page #429 -------------------------------------------------------------------------- ________________ ३७६ પરિશિષ્ટ महाक्रोधो महामानो, महामाया महामदः ।। महालोभो हतो येन, महादेवः स उच्यते ॥११॥ महानन्दो दया यस्य, महाज्ञानी महातपाः । महायोगी महामौनी, महादेवः स उच्यते ॥१२॥ महावीर्यं महाधैर्य, महाशीलं महागुणः । महामंजुक्षमा यस्य, महादेवः स उच्यते ॥ १३ ॥ स्वयंभूतं यतो ज्ञानं, लोकालोकप्रकाशकम् । अनन्तवीर्यचारित्रं, स्वयंभूः सोऽभिधीयते ॥ १४ ॥ शिवो यस्माज्जिनः प्रोक्तः, शंकरश्च प्रकीर्तितः । कायोत्सर्गी च पर्यङ्की, स्त्रीशस्त्रादिविजितः ॥१५॥ साकारोऽपि ह्यनाकारो, मूर्तामूर्तस्तथैव च । परमात्मा च बाह्यात्मा, अन्तरात्मा तथैव च ॥ १६ ॥ दर्शनज्ञानयोगेन, परमात्माऽयमव्ययः । पराक्षान्तिरहिंसा च, परमात्मा स उच्यते ॥ १७ ॥ परमात्मा सिद्धिसंप्राप्ती, बाह्यात्मा तु भवांतरे । अन्तरात्मा भवेद्देह इत्येषस्त्रिविधः शिवः ॥१८॥ सकलो दोषसंपूर्णों, निष्कलो दोषवर्जितः । पंचदेहविनिर्मुक्तः, संप्राप्तः परमं पदम् ॥ १६ ॥ एकमूर्तिस्त्रयो भागा, ब्रह्म-विष्णु-महेश्वराः । तान्येव पुनरुक्तानि, ज्ञान-चारित्र-दर्शनात् ॥ २० ॥ एकमूर्तिस्त्रयो भागा, ब्रह्मविष्णुमहेश्वराः । परस्परं विभिन्नानामेकमूर्तिः कथं भवेत् ? ॥ २१ ॥ कार्य विष्णुः क्रिया ब्रह्मा, कारणं तु महेश्वरः । कार्यका' णसंपन्ना, एकत्तिः कथं भवेत् ? ॥ २२ ॥ प्रजापतिसुतो ब्रह्मा, माता पद्मावती स्मृता । अभिजिज्जन्मनक्षत्रमेकमूतिः कथं भवेत् ? ॥ २३ ॥ Page #430 -------------------------------------------------------------------------- ________________ મહાદેવસ્તોત્ર મૂળ ३७७ वसुदेवसुतो विष्णु, माता च देवकी स्मृता । रोहिणी जन्मनक्षत्रमेकमूतिः कथं मवेत् ? ।। २४ ।। पेढालस्य सुतो रुद्रो, माता च सत्यकी स्मृता । मूलं च जन्मनक्षत्रमेकमूतिः कथं भवेत् ? ।। २५ ।। रक्तवर्णो भवेद् ब्रह्मा, श्वेतवर्णों महेश्वरः । कृष्णवर्णों भवेद् विष्णुरेकमूर्तिः कथं भवेत् ? ॥ २६ ॥ अक्षसूत्री भवेद् ब्रह्मा, द्वितीयः शूलधारकः । तृतीयः शंखचक्रांक एकमूतिः कथं भवेत् ? ॥ २७ ॥ चतुर्मुखो भवेद् ब्रह्मा, त्रिनेत्रोऽथ महेश्वरः । चतुर्भुजो मवेद् विष्णुरेकमूतिः कथं भवेत् ? ।। २८ ।। मथुरायां जातो ब्रह्मा, राजगृहे महेश्वरः । द्वारामत्यामभूद् विष्णुरेकमूर्तिः कथं भवेत् ? ॥ २६ ॥ हंसयानो भवेद् ब्रह्मा, वृषयानो महेश्वरः । गरुडयानो भवेद् विष्णुरेकमूतिः कथं भवेत् ? ॥ ३० ॥ पद्महस्तो भवेद् ब्रह्मा, शूलपाणिमहेश्वरः । चक्रपाणिर्भवेद् विष्णुरेकमूत्ति कथं भवेत् ? ॥ ३१ ॥ कृते जातो भवेद् ब्रह्मा, त्रेतायां च महेश्वरः । द्वापरे जनितो विष्णुरेकमूत्तिः कथं भवेत् ? ॥ ३२ ॥ ज्ञानं विष्णुस्सदा प्रोक्तं, चारित्रं ब्रह्म उच्यते । सम्यक्त्वं तु शिधं प्रोक्तमहन्मूत्तिस्त्रयात्मिका ॥३३ ॥ क्षितिजलपवनहुताशनयजमानाकाशसोमसूर्याख्याः । इत्येष्टी भगवति, वीतरागे गुणा मताः ॥ ३४ ॥ क्षितिरित्थुच्यते क्षांतिर्जलं या च प्रसन्नता । निःसंगता भवेद्वायु हुँताशो योग उच्यते ॥ ३५ ॥ Page #431 -------------------------------------------------------------------------- ________________ ३७८ यजमानो भवेदात्मा, तपोदानदयादिभिः । अलेपकत्वादाकाशसंकाशः साsभिध यते सौम्यमत्तिरुचिश्चंद्र, वीतरागः समीक्ष्यते । ज्ञानप्रकाशकत्वेन, आदित्यः सोऽभिधीयते पुण्यपापविनिर्मुक्तो, रागद्वेषविवर्जितः 1: 1 श्रीअद्भ्यो नमस्कारः, कर्तव्यः शिवमिच्छता अकारेण भवेद् विष्णू, रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण हरः प्रोक्तस्तस्यान्ते परमं पदम् अकार आदिधर्मस्य, आदिमोक्षप्रदेशकः । स्वरूपे परमं ज्ञानमकारस्तेन उच्यते रूपिद्रव्यस्वरूपं वा दृष्ट्वा ज्ञानेन चक्षुषा । दृष्टं लोकमलोकं वा रकारस्तेन उच्यते हता रागाश्च द्वेषाश्च हता मोहपरीषहाः । हतानि येन कर्माणि, हकारस्तेन उच्यते संतोषेणाभिसंपूर्णः प्रातिहार्याष्टकेन ज्ञात्वा पुण्यं च पापं च नकारस्तेन उच्यते भवबीजाङ्कुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥ इति श्री महादेव स्तोत्रम् ॥ च । " ? પરિસિક ।। ३६ ।। ॥ ३७ ॥ ॥ ३८ ॥ ॥ ३६ ॥ ॥ ४० ॥ ।। ४१ ।। ।। ४२ ।। ॥ ४३ ॥ ।। ४४ ।। Page #432 -------------------------------------------------------------------------- ________________ મહાદેવસ્તાત્ર કાવ્યાનુવાદ કાવ્યાનુવાદ કર્તા– ઠો ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. રચું સ્તોત્ર મહાદેવનું, હેમચન્દ્ર સૂરિપાદ; દાસ ભગવાન્ તેને કરે, ગુર્જરીમાં અનુવાદ. મંગલાચરણ દેહરા અભયદાયી સૌ ભૂતને, પ્રશસ્ત મંગલરૂપ; પ્રશાંત દર્શન જાસ તે, તેથી “શિવ” સ્વરૂપ. ૧ મહત્ત્વથી ઈશિત્વથી, જે “મહેશતા પ્રાપ્ત; રાગદ્વેષ વિમુક્ત તે, વંદું હુ જિનનાથ. ૨ સાચા “મહાદેવ’ કેણુ? લોકાલોક પ્રકાશતું, મહાજ્ઞાન જેમાંય; મહાદયા દમ ધ્યાન જ્યાં, તે “મહાદેવ” કહાયે. ૩ અને સાચા શિવસ્વરૂપનું પ્રતિપાદન કરી આડકતરી રીતે ગર્ભિત અર્થથી (Implied meaning) સૂચવી દીધું કે લૌકિક મતમાં જે શિવ મનાય છે તે વાસ્તવિક શિવ નથી, કારણ કે સ્ત્રી-શસ્ત્રાદિથી અંક્તિ હોઈ તેનું બાહ્ય દર્શન પણ અપ્રશસ્ત, અમંગલ અને અશાંત જણાય છે. ૧. પ્રાણી. ૨. મહતપણુથી–મોટાપણાથી જે મહાન કાર્ય કરે તે મહાન. ૩. ઈશ્વરપણથી જેનામાં જ્ઞાનાદિ ઐશ્વર્યા હોય તે ઈશ્વર. ૪. રાગ-દ્વેષ-મહામે હાદિ ચોર જે આત્માનું અનંત જ્ઞાનધન લૂંટી રહ્યા છે. ૫. જીતવા મુશ્કેલ. ૬. બાકીના તો નામથી મહાદેવ છે, ભાવથી નહિ. ૭. આવિર્ભાવ, પ્રકટપણું. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પરિશિષ્ટ મહામાં તસ્કરો જે રહે, નિજ દેહની માંહ્ય; જીતાયા જે દેવથી, તે “મહાદેવ” કહાય. ૪ રાગદ્વેષ પદુજય મહા-મલ્લ જેહ જીતનાર; માનું તે “મહાદેવ” હું, શેષ નામ ધરનાર. ૫ શબ્દ માત્ર મહાદેવ તો, લૌકિક મતમાં માન્ય; શબ્દ ગુણ ને અર્થથી, જિનમતમાં સન્માન્ય ૬ વિજ્ઞાન લક્ષણ શક્તિ ને, વ્યક્તિથી ય જેમાંય; મેહજાળ જેણે હણી, તે “મહાદેવ” કહાય. ૭ નમન તને મહાદેવ! હે, મહાભ વિમુક્ત; હે મહામદ વિહીન હે ! મહાગુણ સંયુક્ત. ૮ મહારાગ મહાદ્વેષ ને, મેહ મહાન કષાય; હાયલા જે દેવથી, તે “મહાદેવ” કહાય. ૯ મહાભયહીન જેહથી, કામ મહાન હણાય; મહાવ્રત જે ઉપદિશે, તે “મહાદેવ” કહાય. ૧૦ મહાક્રોધ મહામાન ને, મહામદ મહામાય; મહાભ જેણે હણ્યા, તે “મહાદેવ” કહાય. ૧૧ મહાનંદ મહાતપ દયા, મહાજ્ઞાન જેમાંય; મહાગી મૌની મહા, તે “મહાદેવ” કહાય. ૧૨ મહાવીર્ય મહાધેય ને, મહાશીલ–ગુણ જ્યાંય; મહા મૃદુલ ક્ષાંતિ ૧૦ જિહાં, તે “મહાદેવ” કહાય. ૧૩ લોકાલોક પ્રકાશતું, જ્ઞાન સ્વયંભૂત જ્યાંય; અનંત વીર્ય ચરિત જ્યાં, તેહ “સ્વયંભૂ ” કહાય. ૧૪ માટે જિન તે શિવ તેથી જિન તે “શિવ” કહ્યા, તે “શંકર' કીર્તિત Page #434 -------------------------------------------------------------------------- ________________ મહાદેવસંતોત્ર કાવ્યાનુવાદ ૩૮૧ કાત્સગ ૧૨ પ કી તે, સ્ત્રી-શસ્ત્રાદિ રહિત. ૧૫ સાકાર નિરાકાર ને, ૧૩મૂર્નામૂર્ત જ સોય; પરમાત્મા બાહ્યાત્મ ને, અંતરાત્મ પણ હોય. ૧૬, દર્શન જ્ઞાન સુગથી, ૧૪ અવ્યય એહ પરાત્મક પરમ અહિંસા–ક્ષાંતિથી, કહાય તે પરમાત્મ”. ૧૭ પરમાત્મા સિદ્ધિ મળે, ભવાન્તરે બાહ્યાભ; અન્તરાત્મ દેહ રહ્યો, શિવ ત્રિવિધ આ આમ. ૧૮ સકલ દેષસંપૂર્ણ ને, નિષ્કલ દેશ વિયુક્ત; પ્રાપ્ત પરમ પદને વળી, ૧૫ પંચ દેહ વિમુક્ત, ૧૯ એક મૂત્તિ કેમ થાય? એક ત્રણ ભાગ ત્યાં, બ્રહ્મા વિષ્ણુ મહેશ; દર્શન જ્ઞાન ચરિતથી, તેહ જ યુક્ત અશેષ. ૨૦ એક મૂત્તિ ત્રણ ભાગ ત્યાં, શિવ વિષ્ણુ બ્રહ્માય; પરસ્પરે વિભિન્નની, એકમૂત્તિ ક્યમ થાય? ૨૧ વિષ્ણુ કાર્ય બ્રહ્મા કિયા, કારણુ શિવ ગણાય; કાર્ય કારણે યુક્ત તે, એકમૂત્તિ ક્યમ થાય ? ૨૨ | ૮. માયા. ૯. કોમળ. ૧૦. ક્ષમા. ૧૧. સ્વયં–પિતાની મેળે ઉદ્દભવેલું. ૧૨. પર્યકાસનવાળા. ૧૩. સાકાર-નિરાકાર. ૧૪. અક્ષય-અવિનાશી. ૧૫. ઔદારિક, વૈક્રિય, આહારક, કામણ અને તૈજસ એ પાંચ પ્રકારના શરીરથી રહિત. - + ઉપર કહ્યા તે “મહાદેવ’ના લક્ષણે તો શ્રી જિનેશ્વરમાં જ ઘટે છે, તેથી તે જ સાચા શિવ છે, તે જ સાચા શંકર છે, તે જ સાચા મહાદેવ છે, તે જ સાચા મહેશ છે, તે જ સાચા સ્વયંભૂ છે; બાકીના તે કેવળ નામધારી છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ માતા ય; પ્રજાપતિસુત બ્રહ્મ છે, પદ્માવતી અભિજિત્ જન્મ નક્ષત્ર તેા, એકમૂત્તિ કથમ થાય? ૨૩ વિષ્ણુ નદ વસુદેવના, ધ્રુવ માત કહાય; નક્ષત્ર રાહિણી, એકમૂત્તિ પેઢાલના, સત્યાઁ માત જન્મ કયમ થાય ? ૨૪ જણાય; રૂદ્ર પુત્ર મૂલ જન્મ નક્ષત્ર છે, એકસૂત્તિ કચમ રક્તવણી બ્રહ્મા અને, શ્વેત મહેશ કૃષ્ણવણી વિષ્ણુ વળી, એકમૂત્તિ કથમ થાય? ૨૬ અક્ષમાળ બ્રહ્મા ધરે, શૂલ શિવ કરમાંય; શખ ચક્ર વિષ્ણુધરે, એકમૂત્તિ કચમ થાય ? ૨૭ ૧૭ ચતુર્મુ` ખ’ બ્રહ્મા અને, શિવ ‘ ત્રિનેત્ર’૧૮ ભણાય; ૧૯‘ચતુર્ભુ જ' વિષ્ણુ અહે! એકમૂત્તિ કયમ થાય ? ૨૮ બ્રહ્મા મથુરામાં થયા, ३५ રાજગૃહમાંય; વિષ્ણુ દ્વારિકામાંહિતા, એકસૂત્તિ ક્યમ થાય ? ર બ્રહ્મા વાહન હંસ છે, શિવનું વૃષભ ગરૂડ વાહન વિષ્ણુનુ, એકમૂત્તિ ક્યમ પદ્મ ધરે બ્રહ્મા કરે, શૂલ શિવ કહાય; થાય? ૩૦ કરમાંય; પરિશિષ્ટ * બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રિપુટીની એકસૂત્ત અન્યની માને છે. તે યુક્તિયુક્ત નથી, એમ નીચેની પ્રશ્નપરપરા વડે (Posers) પેાતાની અસાધારણ પ્રતિભાશાલી લાક્ષણિક શૈલીથી શ્રીમાન હેમચન્દ્રાચાર્યે પ્રતિપાદન કરી બતાવ્યું છે, અને પછી તે ત્રણેની એકમૂર્ત્તિદન-જ્ઞાન-ચારિત્રથી વીતરાગ અર્હતમાં ઘટાવી શકાય છે એમ પણ સિદ્ધ કરી આપ્યું છે. કથાય; થાય? ૨૫ ૧૬. શિવ, મહાદેવ. ૧૭. ચાર મુખવાળા. ૧૮. શુ આંખવાળા. ૧૯. ચાર હાથવાળા. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૧ મહાદેવસ્તાત્ર કાવ્યાનુવાદ ચક્રપાણિ ૨૦ વિષ્ણુ કરે, એકમૂત્તિ ક્યમ થાય? ૩૧ કૃતયુગે૨૧ બ્રહ્મા થયા, મહેશ ત્રેતામાંય; વિષ્ણુ જમ્યા દ્વાપરે, એકમૂત્તિ ક્યમ થાય? ૩૨ અહન તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વિષ્ણુ જ્ઞાન સદા કહ્યું, ચરિત બ્રહ્મ સ્વરૂપ; કહ્યું શિવ સમ્યકત્વને, અહંન મૂત્તિ ત્રયરૂપ. ૩૩ વીતરાગમાં પૃથ્વી આદિ આઠે ગુણ આર્યા પૃથ્વી જલ અનિલ અગ્નિ, યજમાન આકાશ સેમ ૨૩ ને ભાનુ;૨૪ એ નામે ગુણ આઠે, ભગવાન વિતરાગમાં માનું. ૩૪ દેહરા– અક્ષાંતિ પૃથ્વી કથાય છે, પ્રસન્નતા જલ થાય; હેય વાયુ નિઃસંગતા, ગ અગ્નિ કહેવાય. ૩૫ દાન દયા તપ આદિથી, આત્મા તે યજમાન; અલેપતાથી કથાય છે, તે આકાશ સમાન. ૩૬ સૌમ્ય મૂર્તિથી ચંદ્ર તો, શ્રી વીતરાગ જણાય; જ્ઞાનપ્રકાશકતા થકી, ભાનુ તે જ ભણાય. ૩૭ ૨૦. જેના હાથમાં ચક્ર છે તે “ચક્રપાણિ.” ૨૧. યુગના નામ. ૨૨. વાયુ. ૨૩. ચંદ્ર. ૨૪. સૂર્ય. ૨૫. ક્ષમા. એ પૃથ્વીને મહાગુણ છે. એવો મહા ક્ષમાગુણ શ્રી વીતરાગ દેવમાં છે. અત્રે નિર્દિષ્ટ કરેલા આઠે ગુણ શ્રી અ“તમાં જ ઘટે છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અર્જુને નિષ્કામ નમસ્કાર વિહીન ને, રાગદ્વેષ નમસ્કાર અર્જુન 66 "" અર્જુન ” શબ્દનું રહસ્ય કારથી વિષ્ણુ લહે, કારથી હર તા જ્ઞાનનેત્રથી દીઠું અકાર આદિ ધમ ના, પરમ સામ સ્વરૂપમાં, પ્રતિ, સંતાયે પુણ્ય–પાપને લેાક-અલાકને, બ્રહ્મા રહે કહ્યો, પર પદ કહે ૨૬. સમૂહ. પુણ્ય પરિપૂર્ણ ને, જાણ્યને, પાપ વિમુક્ત; શિવવાંચ્છકને યુક્ત. ૩૮ આદિ કથાય તેથ્યુ પરિશિષ્ટ હ્રયા રાગ-દ્વેષા અને, હુણ્યા કમના ૨૬વાર; હણ્યા મેહ ને પરીસહેા, કથાય તેĂકાર. ૪૨ દેખીને, રૂપી અરૂપી સાર; કથાય તેથ્ય કાર. ૪૧ કાર; નકાર. ૩૯ મેાક્ષદાતાર; પ્રાતિહાય કથાય તેથી અકાર. ૪૦ ધરનાર; નકાર. ૪૩ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ મહાદેવસ્તાત્ર કાવ્યાનુવાદ આર્યા– ભવબીજરૂપ થનારા, રાગાદિ ક્ષય થઈ ગયા જેને બ્રહ્મા કે વિષ્ણુ કે શિવ, કે જિન હૈ નમન તેને ! ૪૪ * અત્રે પરીક્ષાપ્રધાની શ્રીમાન હેમચન્દ્રાચાર્યની પરમ અદ્ભુત નિપક્ષપાતતા પ્રશંસનીય છે. આ જ નિર્પેક્ષભાવ દર્શાવનારા એઓશ્રીના વચનો અન્યત્ર પણ દૃષ્ટિગોચર થાય છે. જેમકે– “ર કચૈવ ત્વયિ કક્ષાતો, ૩ માત્રાવઃ જ ! यथावदाप्तत्वपरीक्षया तु, વાય વીર મુનાબિતા: : ! ” અગવ્યવદિકા દ્રાવિંશિકા, ૨૯ ભાવાર્થ : હે વીર પ્રભુ! શ્રદ્ધાથી જ હારા પ્રત્યે અમારે પક્ષપાત નથી, તેમજ ઠેષમાત્રથી પરદનીઓ પ્રત્યે અમને અરુચિ– અભાવ નથી; પરંતુ યથાવત આપ્તપણાની પરીક્ષાથી અમે તું પ્રભુને જ આશ્રય કર્યો છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ મહાદેવસ્તાત્રને અ ઃ લેખક : ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. મંગલાચરણ જેવુ...દર્શોનસ ભૂતને અભય દેનારૂ' એવુ મ'ગલરૂપ અને પ્રશસ્ત છે, તેથી શિવ' વિભાવાય છે; મહત્ત્વથકી અને ઈશ્વરત્વથકી જે મહેશ્વરતાને પામેલ છે, તે રાગદ્વેષથી વિનિમુ`ક્ત-સવ થા મુક્ત થયેલા મહેશ્વરને હું વંદુ છું. ૧–૨. સાચા • મહાદેવ’ કોણ ? જેને લેાકાલેાકપ્રકાશક મહાજ્ઞાન હાય, મહાયાક્રમ-ધ્યાન હાય, તે મહાદેવ” કહેવાય છે. સ્વશરીરમાં સ્થિતિ કરતા મહાતસ્કરા (ચારા) જે દેવથી સથા જીતાયેલા છે, તે મહાદેવ' કહેવાય છે. રાગદ્વેષ એ એ ક્રુજય મહામલ જેનાથી સર્વથા જીતાયેલા છે, તેને જ હું ↓ મહાદેવ માનું છું, શેષ-ખાકીના તે ખરેખર ! નામધારક-નામ ધરનારા છે. લૌકિકાના મતમાં શબ્દમાત્ર મહાદેવઃ મત છે—માનવામાં આવ્યે છે, પણ જિનશાસનમાં તેા શબ્દથી, ગુણુથી અને અથથી પણ માનવામાં આવ્યેા છે. ૩-૬ શક્તિથી અને વ્યક્તિથી જેનુ વિજ્ઞાન લક્ષણ છે, તથા મેાહજાલ જેનાથી હણાયેલ છે, તે મહાદેવ ’ Page #440 -------------------------------------------------------------------------- ________________ મહાદેવસ્તાત્ર અ ૩૮૭ કહેવાય છે. હે મહામદથી વિવજિત-સવ થા રહિત ! હે મહાલેાભથી વિનિમુક્ત-સવ થા મૂકાયેલા ! હું મહાશુથી સમન્વિત ! હે મહાદેવ” તને નમસ્કાર હા ! ૭–૮ મહારાગ, મહાદ્વેષ, મહામા, તેમજ મહાકષાય જેનાથી હણાયેલ છે, તે । મહાદેવ' કહેવાય છે. મહાકામ જેનાથી હણાયેા છે, મહાભયથી જે વિવજિત ( સ થા રહિત ) અને મહાવ્રતને ઉપદેશનારા છે, તે • મહાદેવ ’ કહેવાય છે. મહાક્રોધ, મહામાન, મહામાયા, મહામદ, મહાલાભ જેનાથી હણાયેલ છે, તે । મહાદેવ ’ કહેવાય છે. મહાઆન મહાદયા જેને છે, મહાજ્ઞાની મહાતપા મહાચેાગી મહામોની જે છે, તે મહાદેવ · હેવાય છે. મહાધૈય, મહાશીલ, મહાગુણ, મહાકેામલ ક્ષમા જેને છે, તે “ મહાદેવ” કહેવાય છે. ૯-૧૩ સાટે જિન તે શિવ જ જેના થકી લેાકાલેાકપ્રકાશક જ્ઞાન ‘ સ્વયંભૂત ’– સ્વયં ઉત્પન્ન થયેલું છે, ‘ અન’તવીય’ ચારિત્ર જેનું છે, તે ‘સ્વયંભૂ’કહેવાય છે. જે કારણ થકી · જિન ? એ જ ‘શિવ’ કહેવાયેલ છે, શકર’ પ્રકીર્ત્તિત છે, અને સ્ત્રી-શસ્ત્ર આદિથી વિવજિત-સથા રહિત એવા કાયેાત્સગી –કાર્યાત્સગ મુદ્રાવત અને પંકી–પકાસનસ્થિત પ્રકીર્ત્તિત છે; સાકાર છતાં અનાકાર, તેમજ મૂર્તોમૂત્ત, તેમજ પરમાત્મા બાહ્યાત્મા અને અંતરાત્મા પ્રીત્તિ ત છે. ૧૩–૧૬ Page #441 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આ દર્શન-જ્ઞાનયાગે કરીને આ પરમાત્મા અવ્યય’ છે, પરા ક્ષાન્તિ-ક્ષમા અને અહિંસા જેની છે, તે પરમાત્મા કહેવાય છે. સિદ્ધિસ’પ્રાપ્તિસમયે પરમાત્મા, ભવાન્તરમાં ખાદ્યાત્મા, દેહમાં અંતરાત્મા હાય,-એમ આ ત્રિવિધ શિવ છે. દેષસંપૂર્ણ તે સકલ, દોષવર્જિત તે નિષ્કલ એવા પાંચદેહથી વિનિમુક્ત (સવથા મુક્ત થયેલ) આ પરમ પદને સંપ્રાપ્ત છે. ૧૭-૧૯ ૩૮૮ એકસૂત્તિ કેમ થાય ? એકસૂત્તિ તેના ત્રણ ભાગ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર, તે જ પુન : જ્ઞાન ચારિત્ર-દર્શન થકી કહેવાયા છે. એકમૂત્તિ તેના ત્રણ ભાગ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર, તે પરસ્પર વિભિન્નાની-અત્યંત ભિન્નાની એકસૂત્તિ કેમ થાય ? કાય વિષ્ણુ, ક્રિયા બ્રહ્મા, અને કારણુ મહેશ્વર, તેા પછી કાય કારણસંપન્ન એવી એકસૂત્તિ કેમ હાય ? બ્રહ્મા પ્રજાપતિના પુત્ર, તેની માતા પદ્માવતી કહી છે, તેનુ જન્મ નક્ષત્ર અભિજિત્ છે,-તે એકસૂત્તિ કેમ થાય ? વિષ્ણુ વસુદેવને સુત, અને તેની માતા દેવકી કહી છે, તેનું જન્મનક્ષત્ર રાહિણી છે, તે એકમૃત્તિ કેમ થાય ? રુદ્ર ( શિવ ) પેઢાલના પુત્ર, અને તેની માતા સત્યકી કહી છે, અને તેનું જન્મનક્ષત્ર મૂલ છે, તેા એકમૂત્તિ કેમ થાય ? બ્રહ્મા રક્તવણુ વાળા, મહેશ્વર શ્વેતવણુ વાળા, વિષ્ણુ કૃષ્ણવ વાળા હાય, તેા એકમૂત્તિ કેમ થાય? " Page #442 -------------------------------------------------------------------------- ________________ મહાદેવdાત્ર અ ૩૮૯ બ્રહ્મા અક્ષસૂત્રવાળે, બીજો શૂલ ધારનારા, ત્રીજે શંખચક્ર અંકવાળા ( ચિહ્નવાળા) હાય, તે એકમૂત્તિ કેમ થાય ? અન્ તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ બ્રહ્મા ‘ચતુમુ ખ ’–ચાર મુખવાળા હાય, મહેશ્વર ત્રિનેત્ર- ત્ર્યંબક ’–ત્રણ નેત્રવાળે અને વિષ્ણુ ચતુર્ભુજા– ચાર ભુજાવાળા હોય, તેા એકમૂત્તિ કેમ થાય? બ્રહ્મા મથુરામાં જન્મ્યા, મહેશ્વર રાજગૃહમાં જન્મ્યા, વિષ્ણુ દ્વારામતીમાં-દ્વારિકામાં જન્મ્યા, તે એકમૂત્તિ કેમ થાય ? બ્રહ્મા હું...સવાહન, મહેશ્વર વૃષભવાહન, વિષ્ણુ ગરુડવાહન હાય, તેા એકમૂત્તિ કેમ થાય ? બ્રહ્મા પદ્મહસ્ત (હાથમાં પદ્મ ધરનાર), મહેશ્વર શૂલપાણિ (હાથમાં શૂલ ધરનાર), વિષ્ણુ ચક્રપાણિ (હાથમાં ચક્ર ધરનાર) હાય, તેા એકમૂત્તિ કેમ થાય ? બ્રહ્મા કૃતયુગમાં, મહેશ્વર ત્રેતાયુગમાં અને વિષ્ણુ દ્વાપરયુગમાં જન્મેલ હાય, તેા એકમૂત્તિ કેમ થાય ? જ્ઞાન સદા વિષ્ણુ કહ્યું છે, ચારિત્ર બ્રહ્મ કહેવાય છે અને સમ્યક્ત્વ શિવ કહ્યું છે,-(માટે એ ત્રણે જ્ઞાન-દર્શન-ચારિત્ર ધરનાર) અર્જુન્મૂત્તિ તે યાત્મિકા તે ત્રયરૂપ છે. ૨૦૩૩ વીતરાગમાં પૃથ્વી આદિ આઠે ગુણ પૃથ્વી, જલ, પવન, અગ્નિ, યજમાન, આકાશ, સામ (ચંદ્ર), અને સૂય નામના એમ આ આઠ ગુણા Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પરિશિષ્ટ ભગવત્ વીતરાગમાં માનવામાં આવ્યા છે. ક્ષાન્તિ (ક્ષમા) તે ક્ષિતિ–પૃથ્વી એમ કહેવાય છે, જે પ્રસન્નતા તે જલ, નિઃસંગતા તે વાયુ, ગ તે હતાશ–અગ્નિ કહેવાય છે; તપ-દાન–દયા આદિથી યજમાન તે આત્મા હોય, અલેપકપણાને લીધે તે આકાશ સદશ કહેવાય છે, સૌમ્ય મૂર્તિ -રુચિવાળો વીતરાગ તે ચન્દ્ર નિરખાય છે, જ્ઞાન પ્રકાશકપણ કરીને તે આદિત્ય-સૂર્ય કહેવાય છે. ૩૪–૩૭ અહંને નિષ્કામ નમસ્કાર - પુણ્ય-પાપથી વિનિમુક્ત (સર્વથા મુક્ત), રાગદ્વેષથી વિવજિત (સર્વથા રહિત) એ શ્રી અર્હતે પ્રત્યે નમસ્કાર શિવ ઈચ્છતાએ કર્તવ્ય છે. ૩૮. અહંન' શબ્દનું રહસ્ય ગકારથી વિષ્ણુ હોય, રેફમાં બ્રહ્મા વ્યવસ્થિત છે, હકારથી હર કહ્યો છે,–તેના અને પરમ પદ છે. કાર ધર્મને આદિ છે, આદિ મોક્ષ ઉપદેશક છે, સ્વરૂપમાં પરમ જ્ઞાન છે, તેથી વાર કહેવાય છે, જ્ઞાન ચક્ષુ વડે રૂપી–અરૂપી દ્રવ્ય સ્વરૂપ દેખીને લેક વા એલોક દૃષ્ટ છે, તેથી કાર કહેવાય છે. રાગ અને દ્વેષે જેનાથી હતા છે–હણાયા છે, મેહ-પરીષહ હત છે, કર્મો હત છે, તેથી કાર કહેવાય છે. પુણ્યને અને પાપને જાણીને સંતોષથી અભિસંપૂર્ણ છે અને પ્રાતિહાર્ય અષ્ટકથી (અષ્ટ પ્રાતિ હાર્યથી) અભિસંપૂર્ણ છે, તેથી નકાર કહેવાય છે. ૩૯-૪૩ Page #444 -------------------------------------------------------------------------- ________________ મહાદેવસ્તાત્ર અર્થ ૩૯૧ ગમે તે નામ હે ! વીતરાગને નમસ્કાર! ભવબીજના અંકુર જન્માવનારા એવા રાગાદિ જેના ક્ષય પામી ગયા છે, તે બ્રહ્મા વા વિષ્ણુ વા હર વા જિન ગમે તે હે, તેને નમસ્કાર હે! ૪૪. ઇતિ “કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત મહાદેવ સ્તોત્ર-ભગવાનદાસકૃત કાવ્યાનુવાદ સાથે સમાપ્તા Page #445 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક 'शुद्ध અશુદ્ધ वक्त्र जानुदघ्नीः मगरपि वक्त्रब्ज वक्त्रो जानुदध्नीः मृगैरपि वक्त्राब्ज द्वय द्वयं ચત્ર Page #446 -------------------------------------------------------------------------- ________________ Jatn Educatius imemaliona For Private & Personalise jainelibrary.org DU