SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ વીતરાગસ્તવ સવિવેચન સ્નેહથી ચીકણું મન ધરનારા દષ્ટ છે; આમ “સ્નિગ્ધ'ના શ્લેષરૂપ બંને અર્થમાં “અભક્ત સ્નિગ્ધ” મનવાળા જગતમાં કંઈક પડ્યા છે. પણ “અભ્યક્ત”-વિના અભંગ કરેલ–વિના તેલ ચોપડેલ તું “નિષ્પ”નેહવાળાચીકાશદાર ચીકણું મનવાળો છે એ આશ્ચર્ય છે! એ વિશક્તિથી પ્રતીત થતે વિરોધાભાસ છે, તેને પરિહાર-અનભ્યક્ત'–મિથ્યા પ્રશંસારૂપ અભંગ નહિ, કરેલ– ખુશામતનું તેલ નહિં પડેલ છતાં “સ્નિગ્ધ”—નેહાળ આત્મવત્ સર્વ ભૂતેષુ” એવી ભાવનાથી સમસ્ત જગતુંજતુ પ્રત્યે નેહાદ્ર–પરમ પ્રેમાળ મનવાળો એ જગતમાં કઈ હોય તે તે તું છે. જગતમાં પંથ–માગ તે “માજિત” થયે–પ્રમાજ વામાં આવ્યું “શુદ્ધ’–સાફસૂફ હોય છે, પણ ત્યારે “વાકૂપથ ”-વચનમાર્ગ તે “અમાર્જિત”-પ્રભાજન કર્યા વિના જ સહજ સ્વભાવે જ “વિશુદ્ધ”—વિશેષે કરીને શુદ્ધ-સાફ જ છે. જગતમાં “ધૌત”-ધોયેલ વસ્તુ “અમલ” -મલ રહિત હોય છે, પણ તું તે “અધૌત”—વગર ધેયે અમલ” મલરહિત “શીલવાળ–શુદ્ધ સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્રવાળો છે. બીજાઓમાં તો શીલમાં મલિનતાના સંભવને લીધે પ્રાયશ્ચિત્તરૂપ જલથી દેવાની જરૂર પડે, પરંતુ સહજાન્મસ્વરૂપે શુદ્ધ લ્હારા શીલમાં મલિનતાને સર્વથા અસંભવ છે, એટલે પ્રાયશ્ચિત્તરૂપ જલથી મલશુદ્ધિની જરૂર જ પડતી નથી. આ પ્રકારે તું અધૌત અમલ શીલવાળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy