________________
હે વીતરાગ! મહારા ચિત્તમાં તું વત્તે તો બસ! ૩૪૩
હે વીતરાગ ભગવાન! હું હારા ચિત્તમાં વ7,હું ભક્ત તે ભગવાનના હૃદયમાં વસું એવી વાર્તા પણ વાત પણ દુર્લભ છે; પણ મહારા ચિત્તમાં જે તે વત્ત છે-હું ભક્તના ચિત્તમાં તે ભગવાન વસી રહ્યો છે, તે અન્ય કેઈથી સયું! બસ થયું! મ્હારે બીજા કેઈનું પણ કામ નથી, હારા સર્વ કાર્ય સિદ્ધ થયા એમ હું જાણું છું. અર્થાત્ ભક્ત ભગવાનના ચિત્તમાં વસે અથવા ભક્તને ભગવાન યાદ કરે તે વાત બનાવી દુષ્કર છે, પણ ભક્તના ચિત્તમાં ભગવાન વસે અથવા ભક્ત ભગવાનને યાદ કરે એ વાત તે બનવી સુકર છે. કારણ કે તે ભક્તના પિતાના હાથની વાત છે. એટલે હે ભગવાન! તું તે હારા ચિત્તમાં જે વત્તી જ રહ્યો છે, તે મહારે હવે બીજા કેઈનું કામ નથી. એમ ભાવ છે.
અને ભગવાન પણ ભક્તના ચિત્તમાં ક્યારે ? જે ચિત્ત શુદ્ધ હોય તે અને ત્યારે; ચિત્ત “પ્રસન્ન” થયું હોય–પ્રસાદ પામ્યું હોય, ચિત્તનો મેલ હેઠે બેઠે હાયચિત્ત નિર્મલ થયું હોય, ત્યાં જ ભગવાનનો વાસ હોય. ભક્તિથી ચિત્ત ચોખ્ખું કરે તે ભગવાનને ભેટે – શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભકતે ચોખું ચિત્ત છે.” જે મંદિરમાં ભગવાન બિરાજે છે, તે મંદિર શુદ્ધ ચેખું હોય અને તેના ગર્ભગૃહમા (ગભારામાં) ભગવાન બિરાજે
છે, એ એમ સૂચવે છે કે-આ મને મંદિર એવુ શુદ્ધચિખું હોવું જોઈએ કે તેના અંતરંગ ગર્ભગૃહમાંઅંતરાત્મામાં ભગવાન બિરાજમાન થાય. “તિણે મનમંદિરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org