SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન ‘‘પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન: પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન...શ્રીસુપાસ -શ્રી આનંદઘનજી આ વીતરાગસ્તવના વીશ પ્રકાશ છે. તેને આ પ્રથમ પ્રકાશ ગ્રંથના મંગલ ઉપઘાતરૂપ છે. તેમાં વીતરાગ દેવના ગુણાનુવાદરૂપ સાભિપ્રાય સૂચક વિશેષણેથી –પરિકર ઉદાત્ત આદિ અલંકારથી સ્તુત્યાત્મક મંગલ કૃત્ય કરી કર્તા શ્રી હેમચન્દ્રાચાર્યજીએ પિતાની અત્યંત લઘુતા દર્શાવવાપૂર્વક શુદ્ધ ભક્તિપ્રજનાથે આ સ્તવ રચવાની પ્રતિજ્ઞા કરી છે અને તેના અંતિમ લેકમાં ખાસ જેના નિમિત્ત આ મંગલ રચના કરવામાં આવી છે, તે પરમહંત કુમારપાલ મહારાજને મંગલ આશિ અપી છે. તેમ જ આ પ્રકાશમાં અંતર્ગતપણે અપાયાગમ આદિ ચાર મૂળ અતિશયનું ગર્ભિત વર્ણન પણ કર્યું છે. આટલી સામાન્ય પ્રસ્તાવના કરી આ પ્રથમ પ્રકાશના પ્રથમ લેકને ભાવ વિચારીએ. જે “પરાત્મા”—જેનાથી કઈ પર નથી ને જે બીજા બધાથી પર એવા પરમાત્મા છે, સૂર્ય—ચંદ્ર આદિ સર્વ તિઓથી પર અને જેનાથી પર કઈ છે નહિં એવા પરંત્યેતિ છે, અખિલ વિશ્વમાં પરમપદસ્થિત “પરમેષ્ટિએમાં પરમ-સર્વોત્કૃષ્ટ છે, અને “તમસૂથી -અજ્ઞાનતમસુથી–અજ્ઞાન અંધકારથી પર એવા જેને “આદિત્યવર્ણ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy