Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004966/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ રચિતા શ્રી યશોવિજયઉપાધ્યાય વિવૃતા योगविशिभ વિવેચન પંન્યાસ અભયશેખર વિજય ગણી (હાલ આચાર્ય વિજય અભયશેખર સૂરિ) www.jainellbrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ મોત્યુ ણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ટ સકળસંઘહિતેષી, ૧૦૮ વર્ધમાનતપ ઓળીના આરાધક, હજારો યુવાનોના પ્રતિબોધક ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ની જન્મશતાબ્દી (વિ.સં. ૧૯૬૭ થી ૨૦૬૬-૬૭) પ્રસંગે તેઓશ્રીના અનંત ઉપકારોના ઋણની સ્મૃતિમાં આ ગ્રન્થની બીજી આવૃત્તિનું પ્રકાશન સકળ વિશ્વનું મંગળ કરો. સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિ ગ્રથિતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજીગણિવર વિરચિત વૃત્તિયુક્તા યોગવિંશિકા ગુજરાતી વિવેચન શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત-જયશેખરસૂરિશિષ્ય આચાર્ય વિજય અભયશેખર સૂરિ સંશોધન સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૫૫ મૂલ્ય રૂા. ૧૫૦/દ્વિતીય આવૃત્તિ : વિ. સં. ૨૦૬ ૬ પ્રકાશક દિવ્ય દર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭ ૮૧૦ અર્થ સૌજન્ય શ્રી હીરસૂરિ જગદ્ગથે. મૂ. ત. જેન સંઘ દ્રસ્ટ - જ્ઞાનખાતું મલાડ (ઇસ્ટ) Page #3 -------------------------------------------------------------------------- ________________ હૃદયોદ્ગાર શ્રી યોગવિંશિકાપ્રન્થની પ્રસ્તુત વિવેચના તથા પ્રસ્તુત ગ્રન્થના પ્રારંભિક ભાગનું વિસ્તૃત વિવેચન કરતું પુસ્તક સિદ્ધિનાં સોપાન.... એટલે. છ ગ્રન્થનું અતિશય ખેડાણ કરીને, મરજીવા બનીને યોગસાગરના ઊંડાણમાં પેસીને પ્રાપ્ત થયેલા યોગરહસ્યોનું જગત્ સમક્ષ પ્રકાશ.... છ જૈનસંઘને એક અવિસ્મરણીય મહામૂલી ભેટ... દર્દી માર્ગનો જબરજસ્ત બોધ, દરેક વિષયમાં ઊંડા ઉતરવાની રુચિ, સુંદર કોટિનું ચારિત્રપાલન, જિનવચનનો અવિહડ રાગ અને ગુરુકૃપા.... આ બધાના સરવાળાથી થયેલું સર્જન.... ટ મહાપુરુષોના ગ્રન્થોને આંખ સામે રાખીને, તેના અક્ષરે અક્ષર ખોલીને, તેનાં રહસ્યો જાન્ સમક્ષ પહોંચાડવાનું અત્યન્ત વિરલ કાર્ય. છે કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના માધ્યય્દષ્ટિ અને હૃદયને સાથે રાખીને એક એક વાક્યોને વારંવાર ઘુંટવા યોગ્ય સર્જન, જેનો લાભ માત્ર અનુભવામ્ય જ હોય.... છ જેના વિના ધર્મક્રિયા યોગમાં રૂપાંતરિત થતી નથી તે પ્રણિધાનાદિ પાંચ આયોની દાખલા-દલીલોથી ભરપુર વિસ્તૃત છણાવટ.... છ દરેક આત્માર્થીએ અવશ્ય વાંચવા યોગ્ય પુસ્તક જેના વિના યોગવિષયકબોધ અધૂરો રહેવાની શકયતા.... . યોગમાર્ગમાં નવી જ રીસર્ચ કરીને શ્રી જૈન સંઘને ચરણે ભેટ ધરેલું મહામૂલું - બહોળું તત્ત્વજ્ઞાન.... ઃ એક એવું અદ્ભુત વિવેચન કે જેવું આજ સુધીમાં કોઇએ ક્યાંય કર્યું હોય એવું જોવા-જાણવા કે વાંચવા મળ્યું નથી.... -આધ્યાત્મિક પ્રવચનકાર પંન્યાસપ્રવરશ્રી મુક્તિદર્શનવિજય ગણિવર II Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય યાકિની મહત્તાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ઉત્તરોત્તર વિશાળ કદ ધરાવતાં ચાર ગ્રન્થો એટલે યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિ-સમુચ્ચય અને યોગબિન્દુ. આમાંના પ્રથમ ગ્રન્થ યોગવિંશિકામાં માત્ર ૨૦ ગાથામાં તેઓશ્રીએ યોગના રહસ્યો ભંડારી દીધા છે જેના પર પ્રકાશ ફેંક્યો છે મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે. સટીક યોગવિંશિકા ગ્રન્થનું આ વિવેચન પ્રકાશિત કરતાં અમો અત્યન્ત હર્ષ અનુભવી રહ્યા છીએ. ગ્રન્થના એક એક શબ્દના શબ્દાર્થ (યથાશ્રુતઅર્થ) સાથે આ ગ્રન્થની પૂર્વાપર પંક્તિઓ, અન્ય ગ્રન્થોના અધિકારો... એ બધાનો વિરોધ ન થાય એ રીતે અનુસંધાન કરી યથાશ્રુતાર્થને સંસ્કારિત કરીને રહસ્યાર્થોનું આ વિવેચનમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. યોગના ગ્રન્થોનું અનેકશ અધ્યયનને અધ્યાપન કરી ચૂકેલા વિદ્વાનોને પણ પ્રાયઃ ક્યાંય પણ ક્યારેય પણ સાંભળવા કે જાણવા ન મળી હોય કે સ્વયં પણ વિચારી ન હોય એવી સાવ નવી જ લાગતી રહસ્યભૂત વાતોનો પ્રકાશ ડગલે ને પગલે આ વિવેચનમાં લાધશે. અને છતાં એની ઉપાદેયતા પ્રત્યે કોઈને શંકાની સોય તાણવાનું મન નહીં થાય એવી પૂર્ણ શ્રદ્ધા છે, કારણકે વિવેચનકાર મહાત્માએ ખૂબ જ સર્જાતા રાખીને તથા અનેક ગ્રન્થોમાં કહેલી વાતો દ્વારા તેમજ અવિરુદ્ધ પ્રબળ યુક્તિઓ-તર્કો દ્વારા સ્વકથિત વાતોનો તાળો મેળવી આપવાની કાળજી રાખીને પ્રસ્તુત વિવેચન ક્યું છે. સોનામાં સુગંધ ભળે એમ, સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. સાહેબે આ વિવેચનનું સાદ્યન્ત અત્યન્ત સૂક્ષ્મદષ્ટિથી સંશોધન કર્યું છે. એટલે આ વિવેચનની નિઃશંક ઉપાદેયતામાં જબરજસ્ત વધારો થયો છે. શ્રી સંઘના ચરણે આવું અદ્ભુત વિવેચન ભેટ ધરવા બદલ વિવેચનકાર મહાત્મા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી અભયશેખર વિજય ગણિવર (હાલ પૂ. આચાર્ય શ્રી વિજય અભયશેખર સૂરિ મ.) ના ચરણોમાં વંદન આ ગ્રન્થ પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ પોતાના જ્ઞાનખાતામાંથી મલાડ (ઇસ્ટ) ના શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વે.મૂર્તિ. તપા. જૈન સંઘ દ્રસ્ટે લીધો છે, એ બદલ તેઓને ધન્યવાદ. આ પુસ્તકનું સુંદર મુદ્રણ કાર્ય ચીવટ પૂર્વક કરી આપવા બદલ હીંકાર પ્રીન્ટર્સવાળા શ્રી હેમલ શાહને પણ ધન્યવાદ. Page #5 -------------------------------------------------------------------------- ________________ ‘ઓ હો હો...પ્રણિધાન વગેરે આશયોનું સ્વરૂપ આ છે ?’ આવી અપૂર્વ લાગણી જેમ ‘સિદ્ધિનાં સોપાન’ પુસ્તકના અધ્યેતાઓને થઇ છે, એવી જ અપૂર્વ લાગણી પ્રસ્તુત વિવેચનના અધ્યેતાઓને પણ થશે, એવી આશા સાથે.... દિવ્ય દર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ બીજી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે - યોગ અંગેના ગહન રહસ્યોથી ભરેલા એવા પણ આ ગ્રન્થની નકલો પૂરી થઇ જવા છતાં ઘણી માગ હોવાથી આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં હૈયું આનંદ અનુભવે છે. જિજ્ઞાસુઓની આવી માગ એ જ આ પ્રકાશનને મળેલા આવકારનું પ્રબળ પ્રમાણ છે. મોક્ષમાર્ગ એ જ યોગસાધના છે સિદ્ધાન્તદિવાકર પૂ. આ. શ્રી જયઘોષ સૂ. મ.સા. શ્રી જૈનશાસનમાં મોક્ષમાર્ગ એ યોગસાધનાનું બીજું નામ છે. મોક્ષમાર્ગ એટલે દેવ-ગુરુ રૂપ યોગીની ઉપાસના અને ધર્મરૂપ યોગની સાધના. દેવ-ગુરુની ઉપાસના એટલે એમના સ્વરૂપનું જ્ઞાન, એમના પર નિષ્પન્ન યોગી તરીકેની અને વિશિષ્ટ સાધક યોગી તરીકેની શ્રદ્ધા, એમના ઉપર વિનય ભક્તિ-બહુમાન, એમના દર્શન-વંદન-પૂજન, એમના ગુણાનુવાદ, એમના કાર્યનું સંપાદન, એમના પ્રત્યે મનનો ઝુકાવ વગેરે વગેરે... સાધક યોગીઓ પ્રત્યે પણ આ બધી વાતો જાણવી... આ આંતરિક ભાવો સાથે બાહ્ય રીતે દેવ-ગુરુ અને સાધર્મિક રૂપ યોગીઓ પ્રત્યે ઝુકાવ ભરેલું વર્તન-વલણ એ યોગની સિદ્ધિનો સાર્વત્રિક મુખ્ય ઉપાય છે. આના વિના ધર્મક્રિયાઓ યોગસાધનારૂપ બની શક્તી નથી. અને યોગીઓની આવી ઉપાસના હોય તો યોગની સાધના સહજ રીતે શીઘ્ર ખીલી ઊઠે છે. દેવ-ગુરુ-સાધર્મિકની જે ઉપરોક્ત ઉપાસના અને એમના પરનો જે ઉછળતો ભક્તિભાવ-અહોભાવ.... એ જ યોગીઓ દ્વારા થતો શક્તિપાત છે. IV Page #6 -------------------------------------------------------------------------- ________________ આ દેવ વગેરે રૂપ ઉપાસ્ય વ્યક્તિ હાજર હોય કે ન હોય, પણ તેમના પરનો આ શ્રદ્ધા-સમર્પણભાવ અને એની તીવ્રતા એ તેમના તરફથી શક્તિપાત કરે છે. અર્થાત આવો વિશેષ પ્રકારનો શક્તિપાત આત્મા સ્વયં બહુમાન દ્વારા મેળવે છે. આ શક્તિપાત એટલે પુણ્યના અને ધર્મના (પુષ્ટિ અને શુદ્ધિના) અસંખ્ય પ્રકારો. આ શક્તિપાતથી યોગસાધનાના અંતરાયો તૂટે છે અને તેથી સાધક સાધનામાં આગળ વધે છે. આ શક્તિપાત સાનુબન્ધ અને નિરનુબન્ધ બન્ને પ્રકારે હોય છે તે જાણવું. ધર્મરૂપ યોગની સાધના એટલે આંતરિક રીતે ગુણો અને બાહ્ય રીતે આચારપાલન. આ બન્નેના તરતમભાવે અનેક ભેદો છે. કેટલાક સાધકોની સાધના અલ્પકાળમાં પરાકાષ્ઠાએ પહોંચે છે, અન્યની સાધના મહાપ્રયત્ને પરાકાષ્ઠા પામે છે. આમ શક્તિપાતના કારણે સાધનામાં ભેદ પડે છે. ધર્મસાધના એ યોગસાધનાનું બીજું નામ છે. જ્ઞાનાદિ પાંચ આચારો, દાનાદિ ચાર ધર્મ, મૂળગુણો, ઉત્તરગુણો, ભાવનાઓ, જ્ઞાનાભ્યાસ વગેરે સાધનાના અનેક ભેદો છે. ધ્યાન એ પણ સાધના છે ને દરેક કર્તવ્યમાં ઉપયોગરમણતા એ પણ સાધના છે. આ બધી ધર્મસાધનાઓ ‘યોગ સાધના’ છે, માટે આવશ્યકસૂત્રોની વૃત્તિમાં યોગસંગ્રહના ૩૨ ભેદ બતાવ્યા છે. ટૂંકમાં દર્શન-જ્ઞાન એ પ્રારંભિક યોગસાધના છે. પછી દેવ-ગુરુની ઉપાસના સાથે ધર્મોની આંશિક ઉપાસના આવે છે. પછી ધર્મોની-ગુણોનીઆચારોની-ભાવનાની પ્રધાન ઉપાસના આવે છે. આ બધું યોગસાધના છે. શ્રી સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલો યોગ જૈનેતર યોગ કરતાં સર્વઅંશોમાં ચઢિયાતો છે, પરિપૂર્ણ છે અને પરાકાષ્ઠાવાળો છે. અન્યોના યોગ અપૂર્ણ છે. માટે બીજાઓમાં જે યોગસાધના છે તેના દ્વારા વધુમાં વધુ અધિજ્ઞાન પામી શકાય છે. પછી એ પ્રાણજ્ઞાન દ્વારા સાધક, ભાવથી જૈનયોગ પામે છે જેના પ્રભાવે એ પરાકાષ્ઠાએ પહોંચે છે. જૈન ભાવયોગ વિના નથી પરાકાષ્ઠાએ પહોંચી શકાતું, નથી સિદ્ધ થઇ શકાતું કે નથી અરિહંત-શાસનના સ્થાપક બની શકાતું એ જાણવું. V Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ (પ્રથમ આવૃત્તિની) પ્રસ્તાવના વિંશતિવિંશિકપ્રકરણ ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત એક અવ્વલ ગ્રન્થ... વિવિધ વીશ વિષયો પર વીશ-વીશ શ્લોકમાં કરેલું અદ્ભુત નિરૂપણ.... યોગવિંશિકા : વિંશતિવિંશિકા પ્રકરણ ગ્રન્થનું યોગવિષયક એક પ્રકરણ. ‘ગાગરમાં સાગર’ ઉક્તિને સાર્થક કરતું પ્રકરણ. ગાગરમાં છૂપાયેલા સાગરને વ્યક્ત છે મહોપાધ્યાય લઘુહરિભદ્ર શ્રી યશોવિજયજી મહારાજે. તેઓશ્રીએ જો આવી વૃત્તિન રચી હોત તો આ રહસ્યો પ્રકાશમાં આવત કે કેમ? એ શંકાસ્પદ રહે છે. વિ.સં. ૨૦૫૩ દરમ્યાન સુરતમાં ‘યોગવિંશિકા' ગ્રન્થપર વાચના આપવાનો પ્રસંગ આવ્યો. દેવ-ગુરુકૃપાએ સારું એવું વિવેચન થયું. એટલે અધ્યેતાઓનો તથા અન્યોનો પણ એનું વિવેચન પ્રકાશિત થાય એવો આગ્રહ થયો. અલબત્ આ ગ્રન્થનો એક ભાવાનુવાદ તો જોવામાં આવેલો. ને લખવાનું ચાલુ કર્યા બાદ અન્ય બે વિવેચનો જોવામાં આવ્યા.... છતાં આ વધુ ઉપકારક બનશે એવો ઘણાનો અભિપ્રાય હોવાથી તેમજ પ્રકાશિત થઈ ચૂકેલા આ અન્ય વિવેચનોમાં અનેક ગંભીર ક્ષતિઓ દષ્ટિગોચર થવાથી વિવેચન પ્રકાશિત કરવું એ જ ઉચિત બન્યું. ગ્રન્થના પ્રારંભે જ પ્રણિધાન વગેરે પાંચ આશયોનું જે નિરૂપણ છે તેનો લોકભોગ્ય થોડો વિસ્તાર ઘણાને ઉપકારક નીવડશે એવી ધારણાથી એટલું વિવેચન વધારે વિસ્તૃત કર્યું અને એનું સ્વતંત્ર પુસ્તક સિદ્ધિનાં સોપાન” નામે પ્રકાશિત કર્યું. એ પુસ્તકમાં ઘણો વિસ્તાર કર્યો હોવાથી પાચ આશયોનું નિરૂપણ આ વિવેચનમાં થોડું ટૂંકાવ્યું છે. વિશેષ જિજ્ઞાસુને એ વિસ્તાર માટે સિદ્ધિનાં સોપન’ પુસ્તક અધ્યયન કરવાની ભલામણ. VI Page #8 -------------------------------------------------------------------------- ________________ યોગવિંશિકાના પ્રસ્તુત વિવેચનના અધ્યેતાને એવી પ્રતીતિ અશક્ય નથી કે આ વિવેચનમાં જેમ પંક્તિઓનો સારો એવો વિસ્તાર થયો છે તેમ પૂર્વપ્રકાશિત અન્ય વિવેચનની સમીક્ષા પણ સારા પ્રમાણમાં થઈ છે. ધાર્મિક જીવોનો યોગમાર્ગમાં પ્રવેશ થાય - પ્રગતિ થાય એવા આશયથી જ્યારે આ વિવેચન પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે એના વિવેચક તરીકે હું પોતે જ યોગમાર્ગથી વંચિત રહી જાઉંએ મને શી રીતે પાલવે? એ અન્ય વિવેચક કે અન્ય કોઈપણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ કે અન્યના વિવેચન અંગે બંધાઈ ગયેલો પૂર્વગ્રહ.. આ વિવેચનમાં ઠેર ઠેર કરવામાં આવેલી અન્ય કૃતવિવેચનની સમીક્ષા પાછળ આવો ઠેષ કે પૂર્વગ્રહ... બેમાંથી એક પણ પરિબળનથી એવું મેં મારી વિચારધારાનું નિરીક્ષણ કરતાં સ્પષ્ટ પ્રતીત ક્યું છે. પણ જો આ સમીક્ષા કરવામાં ન આવે તો વર્તમાન જિજ્ઞાસુઓને અને ભાવી જિજ્ઞાસુઓને ઘણું મોટું નુકશાન સંભવિત લાગ્યું. આ નુકશાનને વારવાની એક માત્ર ભાવના જ આવી સમીક્ષાની કડવી ફરજ બજાવવા પાછળનું પરિબળ છે. એ નિઃશંકપણે માનવા બધાને વિનંતી છે. યોગવિંશિકાના એક ભાવાનુવાદની ક્ષતિગ્રસ્તતા તો ઉપદેશપદપ્રસિદ્ધ પદાર્થ-વાક્યર્થ વગેરેનો એમાં જે પદનો અર્થ-વાક્યનો અર્થ... વગેરે અર્થકરાયો છે એના પરથી જણાઈ જાય છે. અન્ય એક પરિશીલન જે પ્રકાશિત થયું છે એના લેખક તો યોગવિંશિકા ગ્રન્થના અધ્યયનના પણ અધિકારી છે કે કેમ? એ એમના એક વાક્ય પરથી જ વિચારણીય બની જાય છે. પ્રણિધાન શૂન્ય ધર્મક્ષિાઓ અંગે તેઓ લખે છે કે “આવી ધર્મક્સિાઓથી રાજી થઈને પાપ બાંધવાની ખરેખર જ જરૂર નથી.”મથુરામાં લોકો ઉપદ્રવની શાંતિ માટે ઘરની ઉપર પાર્શ્વપ્રભુની પ્રતિમા (મંગળચૈત્ય) પધરાવતા. શું આ બધા જ લોકો પ્રણિધાનઆશય ધરાવતા હતા? છતાં, પ્રવચન-સારોદ્ધાર વગેરેમાં આ પ્રવૃત્તિની પ્રશંસા કરી છે. તો ગ્રન્થકારને ખૂબ પાપ બંધાયું હશે, નહીં? અસ્તુ..... પણ આ પરિશીલનને – એના પર વિચાર કરવા જેટલું પણ મહત્ત્વ આપવા જેવું નથી - એ સહુ કોઈ સમજી શકશે. આ પુસ્તકમાં વિવેચનની સાથે આવશ્યકતાનુસાર, યોગવિંશિકાનું જે VIL Page #9 -------------------------------------------------------------------------- ________________ શબ્દશઃ વિવેચન પ્રકાશિત થયું છે તેમાં ભાસેલી મુખ્યમુખ્ય ક્ષતિઓની સમીક્ષા કરવામાં આવી છે. એ વિવેચનની પ્રકાશક સંસ્થા અને એના વિવેચક વિદ્વાન.. એ બન્ને આ સમીક્ષા પર આગ્રહમુક્ત બની વિચાર કરશે તો સ્વ-પરના ઘણા અહિતમાંથી બચી શકશે એવી શ્રદ્ધા છે. આ વિવેચક વિદ્વાન ખૂબસૂક્ષ્મ વિચારક છે... ઘણા ગંભીર અને ગહન રહસ્યોનું ઉદ્ઘાટન કરવામાં કુશળ છે. કોઈ પણ જિજ્ઞાસુ એમને સાંભળે તો એમની શાસ્ત્રપંક્તિઓના એક-એક શબ્દની વિવેચનકલા પર ઓવારી જાય.. આવી બધી હવા ફેલાયેલી હોવાથી ઘણા આત્મહિતેચ્છુઓ.. ‘આ વિવેચકે જે કહ્યું હોય તે પ્રમાણભૂત જ હોય...' આવી ભ્રાન્ત માન્યતા ધરાવનારા બનેલા છે. બેશક, એ વિવેચકની એક એક શબ્દ પર ખૂબ વિચાર કરવો... ઊંડા રહસ્યો સુધી પહોંચવા પ્રયાસ કરવો... આવી બધી ધગશ અનેકશઃ પ્રતીત થઈ છે. તેમજ પોતાની કોઈ ગલત માન્યતાના સમર્થન માટે હાથે કરીને ખોટું નિરૂપણ કરવું...” એવી ભાવનાથી ગલત વિવેચન તેઓ કરી રહ્યા છે એવું માનવાને કોઈ કારણ પ્રતીત થતું નથી. ને તેમ છતાં એમના વિવેચનમાં ઢગલાબંધ ભૂલો છે એ સ્પષ્ટ પ્રતીત થયું છે. ગહન પંક્તિઓના રહસ્ય સુધી પહોંચવા માટે ધેર્યયુક્ત પ્રયત્નના પરિણામે એમણે કેટલાક સ્થળે જે રહસ્યોદ્દઘાટન ક્ય છે એ, એમના ક્ષયોપશમ પ્રત્યે આદર પેદા કરે છે. જ્યારે બીજી બાજુ મધ્યમ ક્ષયોપશમવાળો વિદ્વાન પણ જે ક્ષતિઓ ન કરે એવી ક્ષતિઓ જોઈને સખેદ આશ્ચર્ય અનુભવાય છે. આ ક્ષતિઓ થવા પાછળનું કારણ એમણે સ્વયં વિચારવું જોઈએ. (અહીં એક ખુલાસો કરી દઉં – મારું લગભગ અડધું વિવેચનલખાઈ ગયેલું ત્યારે મારા હાથમાં એમનું પુસ્તક આવ્યું. ક્યાંક ક્યાંક મારું અને એમનું વિવેચન અલગ પડતું જણાયું... મેં પુખ્ત વિચાર ર્યો. એવા ચાર સ્થળો એમને લખી મોકલ્યા. પણ એના પર તેઓનો જે જવાબ આવ્યો એમાં મને કોઈ પણ રીતે પોતાના નિરૂપણનો બચાવ કરવો એવી એમની લાગણીની પ્રતીતિ થઈ, એટલે પછી એ નિરર્થક વ્યાયામ આગળ ન ચલાવ્યો. પછી આગળ પણ એમના વિવેચનમાં અનેક ગંભીર ક્ષતિઓ જોઈ. એટલે મારા વિવેચનમાં ભેગી સમીક્ષા કરવાનો નિર્ણય ર્યો. અસ્તુ.) પણ, VIII Page #10 -------------------------------------------------------------------------- ________________ વિચાર એ આવે છે કે આવા ગંભીર ગ્રન્થના વિવેચનનું અન્ય અધિક્ત વિદ્વાન પાસે સંશોધન કરાવવાની આવશ્યક્તા એમને કેમ ભાસી નહીં હોય? શું ‘મારા કરેલા વિવેચનમાં ક્ષતિ હોય જ નહીં...' એવી અથવા ‘મારા વિવેચનનું સંશોધન કરી શકે એવા કોઈ વિદ્વાન વર્તમાનમાં છે જ નહીં.' આવી કોઈ માન્યતા હશે? એ જે હોય તે પણ જો આવી જ કોઈ માન્યતા હોય તો એ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમની આવારક બને જ, ને તેથી અનેક ક્ષતિઓની પ્રયોજક પણ બને જ એ સ્પષ્ટ છે. મારા વિવેચનની સાથે સાથે, જ્યાં જ્યાં એમની ગંભીર ક્ષતિઓ જણાયેલી છે ત્યાં ત્યાં એની સમીક્ષા કરી છે. કેટલીક સામાન્ય ક્ષતિઓને હું સ્પર્યો નથી. ‘આપણને જે ઉચિત અર્થ લાગે તેનું આપણે નિરૂપણ કરવું... પણ બીજાના વિવેચનની સમીક્ષામાં ન પડવું.' આવી માન્યતા પણ કેટલાક ભાવુકો ધરાવતા હોય છે. તેમ છતાં મેં અનેક સ્થળોએ એમના વિવેચનની સમીક્ષા કરી છે એની પાછળ શ્રીસંઘને, એ વિવેચનની પ્રકાશિકા સંસ્થાને અને એ વિવેચનના વિવેચકને કંઈક સાવધાની આપવાની ઇચ્છા છે. એ પ્રકાશક સંસ્થાએ પ્રકાશકીયમાં, શાસ્ત્રીય પદાર્થોનાં રહસ્યોનું આશરે ૧૦૦૦ જેટલા ગ્રન્થોને આધારે નય-નિક્ષેપ, નિશ્ચય-વ્યવહાર સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્વક વિશ્લેષણ કરવાનો પોતાનો મનોરથ વ્યક્ત કર્યો છે. એટલે જો આ વિવેચક પંડિત પર જ મુખ્ય મદાર રાખીને એ વિશ્લેષણ કરવાનું હોય તો એ વિશ્લેષણ વર્તમાન પેઢીને અને ભાવી પેઢીને ઘણું નુકશાનકારક બનવાની સંભાવના છે એવો એ પ્રકાશક સંસ્થાને ખ્યાલ આવે, તથા, આવા વિશ્લેષણોને માન્ય કરવા કે કેમ? એનો શ્રીસંઘને પણ વિચાર કરવાનો ખ્યાલ આવે, તથા, એ વિવેચક વિદ્વાનને પણ આવું વિશ્લેષણ કરવાનો પોતાનો અધિકાર કેટલો? પોતાનો ક્ષયોપશમ કેટલો? વગેરે વિચાર કરવાનું મન થાય. જેઓનો એવો વિશેષ ક્ષયોપશમ નથી એવા અધ્યેતાઓને આ સમીક્ષા વિક્ષેપ રૂપન બને માટે એ ટીપ્પણ તરીકે લીધી છે. અસ્તુ. યોગના સ્થાન-ઊર્ણ વગેરે પાંચ ભેદો, ઇચ્છા-પ્રવૃત્તિ વગેરે ચાર ભેદો, IX Page #11 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-ભાવના વગેરે પાંચ ભેદો, પ્રીતિ-ભક્તિ વગેરે ચાર ભેદો, અન્ય ગ્રન્થમાં કહેલઇચ્છા-શાસ્ત્ર-સામર્થ્યયોગ.. એમ ત્રણ ભેદો, તથા પ્રણિધાનપ્રવૃત્તિ.... વગેરે પાંચ આશયો... જુદી જુદી વિવેક્ષાઓથી થયેલું વિવિધ નિરૂપણ.. એ બધાનો પરસ્પર અન્તર્ભાવ, ગણ-મુખ્યભાવ... વગેરે કારણે આ વિષય ખૂબ ગહન બન્યો છે. એટલે, એના વિવેચનમાં ઘણી સજ્જતા રાખી હોવા છતાં, મારાથી પણ ક્ષતિઓ થઈ હોવાની શક્યતાને કોઇપણ રીતે નકારી શકાય નહીં. ગીતાર્થ મહાત્માઓને એનું પરિમાર્જન કરવા અને એ અંગે મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. ગહન પદાર્થોને વધુ ને વધુ સ્પષ્ટ કરવાનો તથા ગ્રન્થકારને અભિપ્રેત પદાર્થોના ઊંડા રહસ્યોને વ્યક્ત કરવાનો મેં કંઈક પ્રયાસ કર્યો છે. દેવ-ગુરુની કોઈક અચિત્ય કૃપા સાથે પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. પાસે જાણેલી ઘણી વાતોએ તથા સંશોધન દરમ્યાન તેઓશ્રીએ સૂચવેલા કેટલાક સૂચનોએ પણ આ વિવેચનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શાસ્ત્રપંક્તિઓના ઔદંપર્યાર્થિને અવગાહનારી પ્રજ્ઞાના સ્વામી ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજે સ્વપર આરાધનાના અનેક કાર્યોની ભારે વ્યસ્તતા વચ્ચે પણ અત્યન્ત સૂક્ષ્મદષ્ટિથી આ વિવેચનનું સંશોધન કરી આપ્યું છે, એટલે તેઓશ્રીનો તો હું અત્યન્ત ઋણી છું જ, સાથે સાથે.. સિદ્ધાન્ત મહોદધિ સુવિશાળગચ્છનિર્માતા સ્વ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., વર્ધમાનતપોનિધિ પંચાચારપ્રવીણ સ્વ. પૂ. આ. શ્રી વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સહજાનંદી કર્મસાહિત્યમર્મજ્ઞ સ્વ. પૂ. આચાર્યશ્રી વિજય ધર્મજિસૂરીશ્વરજી મ.સા, શ્રી સૂરિમ–સમારાધક દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂ. આ. શ્રી વિજ્ય જયશેખર સૂરીશ્વરજી મ.સા. આ સુવિહિત ગુરુપરંપરાની સતત વરસી રહેલી કૃપાદષ્ટિ અચિત્ય સહાય કરે છે.. એટલે પૂજ્ય ગુરુદેવોનો પણ હું ઋણી છું. ગાથા-ગાથાર્થ... વૃત્તિ-વૃત્તિઅર્થ... આપ્યા પછી જે પદોનું વિશેષ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિવેચન આવશ્યક લાગ્યું છે તેને નંબર આપી વૃત્તિઅર્થમાં પણ તે જ નંબર આપ્યા છે. ને પછી વિવેચનમાં એ નંબર જણાવી આવશ્યક વિવેચન કર્યું છે. એટલે દરેક અધ્યેતાને એ રીતે વાંચવા ભલામણ છે. પરમ પવિત્ર જિનાજ્ઞા વિરુદ્ધકાંઈ પણ લખાયું હોય તો એનું મિચ્છામિદુક્કડ, સંવિગ્નગીતાર્થો એને સુધારે એવી અને નવા યોગ્ય જીવો આ ગ્રન્થનું અધ્યયન કરી યોગમાર્ગે હરણફાળ ભરી મારા પરિશ્રમને સફળતા બક્ષે એવી વિનંતી સાથે, -પંન્યાસ અભયશેખર વિજય... સિદ્ધાન્ત મહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સુવિશાળ ગચ્છનિર્માતા સ્વ. આ દેવ શ્રીમદ્વિજય પ્રેમ સૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર સવણ સાધનાનો તેજપુંજ... સ્વ. પૂજ્યપાદ આ.દેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા..... જુદા જુદા વિદ્વાનોની કલમે... * જીવનભર પ્રચંડ સાથનાનો મહાયજ્ઞમાંડીને લખલૂગુણસમૃદ્ધિના સ્વામી બનેલા એક મહાન ગુણશ્રીમંત એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા. તેઓશ્રી પાસે ગુણનું પાકીટ નહોતું, પાઉચ નહોતું, પેટી નહોતી, પટારો નહોતો... પણ મોટો ભંડાર હતો. જીવનની ૮૨ વર્ષ તેઓશ્રીએ મુક્તિ ભણી દોટ જ લગાવી છે. અથાગપારો દોડશે જ ગયા છે અને કલ્પનાતીત વિટિ અંતરે આ નાનકડી જિંદગીમાં કાપી નાખ્યું હશે. * પ્રમાર્જનાની નાનકડા લાગતા યોગથી લઇને સંઘકૌશલ્યના વિટ ફલક ભુથી વિસ્તરેલું વિરાટ વ્યક્તિત્વ એટલે પૂજ્યપાદશ્રી... પૂજયપાદશ્રીના જીવનની એક એક પળ પ્રેરણાનો અમૃતકુંભ હતી, તેઓશ્રીના જીવનનો એક એક પ્રસંગ પ્રેરણાનો મહાઘોઘ હતો, તેઓશ્રીનું જીવન માથક આત્માઓ માટે એક ઉત્કૃષ્ટ આલંબન હતું, તેથી તેઓશ્રી XI Page #13 -------------------------------------------------------------------------- ________________ માત્ર સ્મૃતિનો વિષય નહિ પણ આલંબન અને પ્રેરણાનો વિષય હતા. તેઓશ્રીની સ્મૃતિઓ માત્ર સ્મારક નથી પણ પ્રેરક છે. * પંચમ કાળનો અને છટ્ઠા સંઘયાણનો એક માનવી સાથનીની પંથ ઉપર કેવી હરણફાળ ભરી શકે છે, કેવું પ્રચંડ સર્વ ફોરવી શકે છે, કેવી મહાન ગુણમિદ્ધિઓને આંબી શકે છે અને કેવી મહાન વિસ્મયો સર્જી શકે છે... એનું વાસ્તવિક દર્શન એટલે પૂજ્યપાદશ્રીનું જીવન... * વિરાગને વહાવતી વાણીના ઉદ્ગાતા તરીકે પૂજ્યશ્રી જૈન સંઘમાં ખૂબ જ જાણીતા-માનીતા છે. સંયમ, સરસ્વતી ને સહનશીલતાની ત્રિવેણીએ ઊભતાં તેઓશ્રીની જીવન-કવન અનેકને માટે પ્રેરણાનાં પાથેય પૂરું પાડે એવાં વિશિષ્ટ છે. * નીતરતી સંવેગ અને વિરાગનો જીવતો-જાગતો પિંડ એટલે પૂજ્યપાદ ગુરુદેવશ્રી. * કથાનો પ્રસંગોનું વિવેચન કરતી પૂજ્યશ્રીની શૈલી વાંચકની આત્માને મોહનિદ્રામાંથી, પ્રમાદમાંથી તેમજ ઉલટી ગણતરીઓમાંથી જગાડવાનું ઉત્તમ કાર્ય કરે છે. તર્કની ઘણી પર રચાયેલા હોવાના કારણો શ્રોતાઓના દિમાગને તરબતર કરી દેનારી ને વૈરાગ્યમથી રસાયેલા હોવાના કારણે શ્રોતાઓના દિલને વૈરાગ્યથી તરબતર કરી દેનારા શબ્દોના સ્વામી, જ્ઞાન-ક્રિયામાં મતમતી મનની માલિક, અપ્રમત્તમાથક, વૈરાગ્યવાસિઘિ ન્યાયવિશારદ પૂજ્યપાદશ્રીનાં પાવન ચરણોમાં કોટિશ વન્દના. પૂજ્યપાદ શ્રી એટલે પવિત્ર પ્રયાગભૂમિ જ્યાં જ્ઞાનની ગંગા અને ક્રિયાની યમુનાનો સુભગ સંગમ થતો હતો. તેઓશ્રીનું જીવન એટલે સોહામણી ક્ષિતિજ જ્યાં નિશ્ચયનું આકાશવ્યવહારની ઘરતીને અડેલું હતું. તેઓશ્રીનું જીવન એટલે એવું અભયારેય જ્યાં સ્વાધ્યાય અને તમને કોઈ આવે નહોતું. * પૂજ્યશ્રી માટે ધ્રુવપદ વાપવું હોય તો પ્રવ્રુતાધિપતેરખ્રિસમસ્કૃતમ્ | - ભુવનભાનુના અજવાળામાંથી સાભાર XII Page #14 -------------------------------------------------------------------------- ________________ જી هم ه જી ه જી م . ما ૩૭ ૩ ૪૧ ૧૩ ४४ વિષયાનુક્રમ ભૂમિકા ૧ | જઘન્યવિજય યોગનું લક્ષણ શીત-ઉષ્ણની ૩ વ્યાખ્યા ક્વિાની આવશ્યકતા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિઘ્ન લક્ષણનો વિચાર મધ્યમવદનજય દ્રવ્યક્રિયાની તુચ્છતા વરવિનયની ૩ રીતો દ્રવ્ય પણ શુભક્યિાની અત્યાજ્યતા ઉત્કૃષ્ટ વિધ્વજય આશય એટલે શું? દિગ્બોહજયના બે હેતુઓ પાંચ આશયો ત્રણે વિજ્ઞજ્ય જોઈએ પ્રણિધાન આશય વિધ્વજય એ વિશિષ્ટ પ્રવૃત્તિહેતુ જાણકારી – સંવેદના પ્રવૃત્તિ- વિજય ક્રમ વિમર્શ પ્રણિધાનરૂપ બનતા સંકલ્પો સિદ્ધિ આશય સંકલ્પમાં નિરુપાધિતા ગુણાધિક પ્રત્યે વિનયાદિ પ્રણિધાન-ધારણાનો સંસ્કારભેદ ૧૬ કઈ અપેક્ષાએ ગુણાધિક્ય અને સાધના સંભવ દયા-દાનાદિનો અર્થ પ્રણિધાનનો પ્રભાવ મધ્યમગુણીપર ઉપકાર ૪૫ પ્રણિધાન – પ્રવૃત્તિવિમર્શ ૧૮ સિદ્ધિનું સ્વરૂપ પલિમન્થની ત્રણ રીતે નિષ્ફળતા વિનિયોગઆશય હનગુણઠેષાભાવ યોગ-નિયોગ-વિનિયોગ પરોપકારવાસનાવિશિષ્ટ પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્તિનાં કારણો અવિચલિતસ્વભાવ પ્રણિધાનાદિ આશયોની સંભવિત મર્યાદા નિરવઘવસ્તુવિષયક યોગલક્ષણનું હૃદય પ્રવૃત્તિઆશય | પુષ્ટિ-શુદ્ધિ ઇતિકર્તવ્યતાશુદ્ધ નિરનુબન્ધમાં અશુદ્ધિફલત્વ સૂક્યાદિ રહિત નિશ્ચય-વ્યવહારથી યોગ પ્રયત્નાતિશય સ્થાનાદિ પયોગો પ૭ અન્યાભિલાષ-વિક્ષેપની ત્યાજ્યતા ૨૬ સ્થાનાદિના કમનું રહસ્ય શુભ-સાર ઉપાય તે વેવારો મેવા: શા માટે? વિધ્વજય આશય | દરેક ધર્મવ્યાપારમાં સ્થાનાદિ ઉપાધિ-વ્યાધિ-આધિ સ્થાનાદિમાં યોગત્વ ઉપચરિત છે? ૬૧ પરિકર્મસંપન્નતા-શ્રદ્ધા-સત્ત્વાતિરેક ૩૨ || કર્મયોગ – જ્ઞાનયોગ ४७ ૫૧ ૫૨ XIII Page #15 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગ એટલે ? યોગના સ્વામી ‘નિયમા ચારિત્રીને’ શા માટે? ઉભયાવધારણાભાવ દેશવિરતને સર્વદા યોગ શી રીતે? અધ્યાત્મયોગ મૈત્ર્યાદિગર્ભિત ચિન્તન ભાવનાયોગ આધ્યાનયોગ સમતાયોગ વૃત્તિસંક્ષયયોગ અધ્યાત્માદિનો સ્થાનાદિમાં અન્તર્ભાવ અધ્યાત્મનો પ્રથમ ત્રણમાં ભાવનાનો પ્રથમ ત્રણમાં ધ્યાનનો આલંબનયોગમાં ધ્યાનનો સ્થાનાદિમાં પણ અન્તર્ભાવ વર્ણ-અર્થસંચાર, છતાં સ્થિરપ્રદીપતુલ્યત્વ બીજી રીતે સ્થાનાદિમાં અન્તર્ભાવ સમતા-વૃત્તિસંક્ષયનો તદન્યમાં ઇતરને યોગબીજ ચારિત્ર-તત્ત્વસંવેદન સમૃદ્બન્ધકાદિને યોગાભાસ ઇચ્છા વગેરે પેટાભેદો ઇચ્છાયોગ યોગીથામાં પ્રીતિ યથાઉલ્લાસ-શક્તિ-વિહિત પ્રવૃત્તિયોગ બે પ્રકારના ઇચ્છાયોગ સ્થિરયોગ બાધકચિન્તા પ્રતિઘાત-અનુસ્થાન પ્રવૃત્તિયોગમાં સાતિચારત્વ શી રીતે? સિદ્ધિયોગ ૬૨ ૬ ૩ પરગતસ્વસદશળસંપાદકત્વ ૬૫ | ઇચ્છા-પ્રવૃત્તિવગેરેમાં ક્રિયાપ્રાધાન્ય ઇચ્છાદિના હેતુઓ ૬૫ E ક્ષયોપશમનો વિકાસ ५७ ઇચ્છાદિનું પરસ્પર વૈજાત્ય ૬૯ || શ્રદ્ધાદિનું સ્વરૂપ ૬ ૯ લલિતવિસ્તરામાં શ્રદ્ધાદિ ૭૧ | માર્ગાનુસારિતાનો અનુપઘાત ૭૨ | અનુકંપાદિનું સ્વરૂપ ઇચ્છાદિ-અનુકંપાદિ કા.કા.ભાવ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૭૩ ૧૦૭ ૧૧૦ ૭૪ | પશ્ચાનુપૂર્વીથી લાભક્રમ યોગના ૮૦(૨૦)ભેદો ઉપ ૧૧૧ ७५ ૧૧૨ ૮૦ ભેદોની સંગતિ શી રીતે? ચૈત્યવન્દન દ્વારા યોજના 9 F ૧૧૪ ७५ ૧૧૬ ७७ સ્થાન-ઊર્ણ ઉપયોગાત્મક નથી ૧૧૫ ૬૭ | શ્રદ્ધાયુક્તને યથાર્થ પદજ્ઞાન ઉપલક્ષણથી મુદ્રાજ્ઞાન પદજ્ઞાનની પ્રાયઃ અમોઘતા ઉપદેશપદગત પદાર્થોડિ ૧૧૭ ૭૯ ૧૧૮ ૮૦ ૧૧૯ ૮૧ || પઠાર્યાદિનું યૌગપદ્ય શી રીતે? ૧૨૧ ૮૨ ચાર આલંબન ૧૨૨ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૪ ૮૪ | પ્રાયોગ્રહણનું પ્રયોજન કર્મોના બે પ્રકાર ૯૫ ૮૬ || જ્વાવિત્ રાખ્વાર્થ વિમર્શ ८७ કર્મોના ત્રણ પ્રકાર ફળવિલંબ વિચાર ૮૮ ૮૯ || યોગબિન્દુ સાથે વિચાર સાપાય નિરપાયયોગી સ્થાનાદિયત્નશીલને શ્રેયસ્કર ૯૦ ૯૦ ૯૨ દ્રવ્ય ચૈત્ય. છતાં શ્રેયોરૂપ છુ, ” છુ XIV Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૫. ૧૪૪ ૧૭૬ ૧૪૫ ૧૦૮ ૧૪૫ ૧.૪૦ ૧૪૮ અયોગ્યતાજ્ઞાનાભાવ એ કારણ ૧૩૫ દેશવિરત એ મધ્યમાધિકારી ૧૬૬ વ્યવસ્થિતવિભાષા ૧૩૬ સર્વવિરત પણ તત્ત્વતઃ અધિકારી ૧૬૭ પ્રસંગ અવિકલ્પ તથાકારનો અર્થ ૧૩૬ ] સર્વવિરતને અનનુષ્ઠાનાપસંભવ ૧૬૭ ‘લેશતઃ' શબ્દથી વ્ય. વિભાષાનું સૂચન ૧૩૮ વ્યવહારથી અધિકારી-ફળસંભવ ૧૬૯ સ્થાનાદિયત્નશૂન્યને નિષ્ફળતા ૧૩૯ | શકેન્દ્ર શાસ્તવનો નિશ્ચયથી અધિકારી ? ૧૭૦ સ્થાનાદિ યત્નશૂન્યને વિપરીત ફળકતા ૧૪૦ | સર્વથા અયોગ્યજીવો મહામૃષાવાદત્વની સિદ્ધિ ૧૪૦ સૂત્રપ્રદાન એ પણ એક વ્યવહાર ૧૭૩ અપવાદમાં મહામૃષાવાદ–ાભાવ ૧૪૨ અવિધિસમર્થન માટે તીર્થોરછેદ પણ અનાલંબન ૧૭૪ વિષ-ગરમાં મહામૃષાવાદાનુબન્ધિત્વ ૧૪૩ | ન્હાયા એટલું પુણ્ય? વિષાદિ પાંચ અનુષ્ઠાન તીર્થ કોને કહેવાય? વિષાનુષ્ઠાન શ્રી સંઘના શત્રુઓ સચ્ચિત્ત એટલે? સૂત્રક્રિયાવિનાશની અહિતાવહતા ૧૭૯ સચ્ચિત્ત મારણ ૧૪૫ મૃત-મારિતમાં સમાનતા નથી ૧૮૧ ગીતાર્થની ફરજ ફળતઃ અવિધિ ઉપદેશકત્વ ૧૮૨ યોગગ્રન્થો-દ્વાદશાંગી |ધર્માચાર્યનું કર્તવ્ય ૧૮૪ નિશ્ચયાભાસ-વ્યવહારાભાસ ૧૫૦ વિધિવ્યવસ્થાપનથી તીર્થોન્નતિ ૧૮૫ બાધ્ય-અબાધ્ય ફળાપેક્ષા અસંગી ધર્મશ્રવણને અયોગ્ય ૧૮૭ લઘુત્રાપાદન ૧૫૨ અયોગ્યને દાન કરનારને અધિકદોષ ૧૮૮ ત્યાજ્ય અનુષ્ઠાન બહુલોકને અનુસરવું – શંકા ૧૮૮ ગરાનુષ્ઠાન લોકસંજ્ઞા ત્યાજ્ય છે ૧૮૯ અનનુષ્ઠાન ૧૫૫ સાધુસમયસર્ભાવ ૧૯૦ તદ્દેતુઅનુષ્ઠાન ૧૫૬ મહાજન કોણ? ૧૯૧ મુક્તિઅષ બહુમતી અંગે સાવધાની ૧૯ ૨ ફળાભિલાષા-અનુષ્ઠાન ૧૫૯ |જીતવ્યવહાર પણ શુદ્ધિકારક ૧૯૩ અમૃતાનુષ્ઠાન ૧૫૯ ગીતાર્થવચનોમાં તથાકાર આવશ્યક ૧૯૪ અમૃતાનુષ્ઠાનની બીજી વ્યાખ્યા ૧૬૦ | ‘જીત’ અંગે શાસ્ત્રપાઠન મગાય ૧૯૫ ફળપ્રદાનમાં વૈવિધ્ય ૧૬૨ જિજ્ઞાસુનો અધિકાર સૂત્રપ્રધાનની યોગ્યતાનો આધાર ૧૬૩ શ્રુત પણ વ્યવહારક છે સૂત્રવિન્યાસ કોને? ૧૬૩ | અવિહિયા...વચન ૧૯૮ પ્રતિજ્ઞાપાલન અંગે નિશ્ચય-વ્યવહાર ૧૬૪ | એ વચનનું રહસ્ય દેશવિરતને જ વિધિયત્નસંભવ ૧૬૫ ||અનુષ્ઠાનમાં ફળતઃ વિધિરૂપતા ૨૦૦ ૧ ૫૧ ૧૫૩ ૧૫૪ ૧૫૭ ૧૯૬ ૧૯ 9. ૧૯૮ XV Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ વિધિભિન્ન આચરણના ૬ પ્રકારો ૨૦૨ પરમઃ એટલે પરમાત્મા ૨૦૪ | અલ્પાર્થક નગ્ કેવો અર્તા સારો ? ૨૪૦ મહામૃષાવાદાદિનિરૂપણ કોના માટે ? ૨૦૫ અરૂપીની બે રીતે અનાલંબનતા २४२ ૨૪૨ ૨૦૬ ||ષોડશક-વિંશિકામાં અવિરોધ અનાલંબનમાં અભાવાર્થક નગ્ ૨૪૩ કુલયોગી અધિકારી વિષાનુષ્ઠાન અંગે વિચારણા એની પ્રરૂપણાનું રહસ્ય અવિધિ-અપેક્ષાની તુલ્યતા અનધિકારીને અવળી પ્રતીતિ ૨૦૮ ૨૦૮ સામર્થ્યયોગ ૨૪૫ ૨૪૬ ૨૧૦ ક્ષાયિકક્ષમા વગેરે વ્યવહાર ન હોય દિક્ષામાં સંગરહિતતા શી રીતે ? સંગરહિતતા દિદક્ષામાં કે પ્રવૃત્તિમાં? ૨૪૮ ૨૧૧ २४७ ૨૪૯ અવિધિકૃતની સફળતા કેમ દર્શાવી? વર્તમાન અનુષ્ઠાનો અકર્તવ્ય? જયણાની નિર્જરાકલકતા વિધિનિરૂપણમાં કલ્યાણસંપાદક્તા ૨૧૬ ૨૧૪ ઇષુપાત દૃષ્ટાન્ત | ધ્યાનાન્તરિકા ૨૫૦ ૫૧ વિધિઅભિમાનીઓ બીજોચ્છેદક ૨૧૭ ૨૫ર ૨૧૯ ૨૫૩ ૨૨૦ ૨૫૪ ૨૨૧ ૫૫ ૨૨૩ ૫૫ ૨૨૪ ૫ २२४ ૨૫૦ ૨૨૫ ૨૫૯ ૨૨૫ ૨૫૯ ૨૨૬ २५० २२७ ૨૬૧ २२८ ૨૬૨ ૨૩૦ ૨૬૩ ૨૩૧ २५४ ૨૩૧ નિરાલંબનધ્યાનની ફળપરંપરા સંપ્રજ્ઞાત-અસંપ્રજ્ઞાત સમાધિ ૨૬૪ ૨૩૩ અધ્યાત્માદિયોગ એ જ સંપ્રજ્ઞાત ૨૬ ૬ ૨૩૪ ૨૬૭ ૨૩૫ વૃત્તિસંક્ષય એ જ અસંપ્રજ્ઞાત ૨૩૬ અયોગયોગના ભિન્ન નામો ૨૩૮ | ગ્રન્થસમાપ્તિ ૨૬૮ २७० વિધિવ્યવસ્થાપક પણ સુંદર ચૈત્યવન્દનમાં મોક્ષપ્રયોજકતા ચૈત્યવન્દનમાં મોક્ષકારણતા નયભેદે અવિરોધ સદનુષ્ઠાનના ભેદો અસંગને અલગ કેમ પાડ્યું? પ્રીતિ અનુષ્ઠાન નિરૂપણ આદર્શનું હોય ભક્તિ અનુષ્ઠાન પ્રીતિ-ભક્તિમાં ભેદ વચનાનુષ્ઠાન દેશવિરતને પણ વચના. સંભવે અસંગાનુષ્ઠાન વચના. –અસંગા. નો ભેદ યોગશતની ૧૭મી ગાથા ધર્મસંગ્રહ ટીપ્પણાધિકાર પ્રીતિ-ભક્તિ-અસંગમાં વચનપ્રયોજ્યત્વ અસંગાનુષ્ઠાન અનાલંબન બને દ્વિવિધ આલંબન ૨૧૨ ૨૧૩ ‘અનુજઃ’ રાખ્યવિચાર ‘તત્ = પ્રસિદ્ધં’ શા માટે? કેવલીને સાલંબનયોગ હોય? ધ્યાનના બે સ્વરૂપ જિનકલ્પિકાદિને અનાલંબન હોય ? અપ્રમત્તતાના બે પ્રકાર છઠ્ઠે પણ અનાસંગની સંભવિતતા જિનકલ્પિકાદિના વિશેષણો જિનકલ્પિકાદિને ઉપચરિત અનાલંબન ઉપચારમાં બે હેતુ સહજાત્મગુણ વિભાવન એ અનાલંબન નિશ્ચય-વ્યવહારે આત્મસ્વરૂપ આત્મજ્ઞાનમાં મોહનાશકત્વ ચોવીશીની પંક્તિઓ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી અર્જુ નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ- ધર્મજિ-જયોખર સૂરીશેભ્યો નમઃ મેં નમઃ યોગવિંશિકા ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જુદા-જુદા ૨ ૦ વિષયો પર ૨ ૦ - ૨૦ શ્લોક પ્રમાણ એક-એક વિંશિકા... એવી ૨૦ વિશિકાઓનું વિંશતિવિંશિકા નામે પ્રકરણ લખ્યું છે. એમાંની યોગવિષયક વિંશિકા એટલે યોગવિંશિકા. માત્ર ૨૦ ગાથાના આ પ્રકરણમાં તેઓશ્રીએ યોગમાર્ગનો નિચોડ ઠાલવી દીધો છે જેનો હૃદયંગમ ને સ્પષ્ટબોધપ્રદ ઉઘાડ કર્યો છે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે. તેઓશ્રીની વૃત્તિના વચનોને-શબ્દોને આધારે આપણે પણ યોગમાર્ગને પિછાણવાની ને એને આરાધવાની યાત્રાનો પ્રારંભ કરીએ. ऐं नमः । अथ योगविंशिका व्याख्यायते मुक्खेण जोयणाओ जोगो सव्वोवि धम्मवावारो । परिसुद्धो वित्रेओ ठाणाइगओ विसेसेण ॥ १ ॥ વૃત્તિઅર્થ : એ નમઃ। હવે યોગવિંશિકાની વ્યાખ્યા કરવામાં આવે છે. ગાથાર્થ : પરિશુદ્ધ બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષની સાથે જોડી આપનારો હોવાથી ‘યોગ’ છે. સ્થાનાદિગત ધર્મવ્યાપાર વિશેષ રીતે ‘યોગ’કહેવાય છે. વિવેચન : એં એ સરસ્વતીમંત્ર બીજાક્ષર છે. વૃત્તિકાર શ્રી યશોવિજયજી મહારાજે મા સરસ્વતીની કૃપા મેળવી હતી આ મંત્રાક્ષરના જાપ દ્વારા. તેથી તેઓશ્રી પોતાના પ્રત્યેક ગ્રન્થના પ્રારંભે એનું સ્મરણ કરે છે. ‘અથ’ શબ્દ મંગળ સ્વરૂપ છે. તેમજ પૂર્વની વિંશિકાની વ્યાખ્યાના અનુસંધાન માટે છે. ઉપાધ્યાયજી મહારાજે મંગળબ્લોક મૂક્યો નથી. તેમજ આ ભૂમિકા Page #19 -------------------------------------------------------------------------- ________________ અથ શબ્દ મૂક્યો છે. તેનાથી તેમજ અંતે વિશિષ્ઠાપ્રજાર વ્યારણ્યાયાં એવું જે કહ્યું છે એનાથી જણાય છે કે તેઓશ્રીએ અન્ય વિશિકાઓની પણ વ્યાખ્યા કરી હશે જે આપણા દુર્ભાગ્યે હાલ ઉપલબ્ધ નથી. (પૃ.) મુàત્તિ 'મોક્ષેા = મહાનન્દેન યોગનાત્ સર્વાષિ ધર્મવ્યાપાર:'साधोरालयविहारभाषाविनयभिक्षाटनादिक्रियारूपो योगो विज्ञेयः, 'योजनाद्योग:' इति व्युत्पत्त्यर्थानुगृहीतमोक्षकारणीभूतात्मव्यापारत्वरूपयोगलक्षणस्य सर्वत्र घटमानत्वात् । વૃત્તિઅર્થ : 'મોક્ષ એટલે મહાઆનન્દ. એની સાથે (જીવને) જોડી આપનાર હોવાથી, સાધુની આલય-વિહાર-ભાષા-વિનય-ભિક્ષાટન વગેરે ક્રિયા રૂપ બધો જ ધર્મવ્યાપાર એ ‘યોગ’ છે, એમ જાણવું. કારણકે સર્વત્ર (=આલય-વિહારાદિ બધી ક્રિયામાં) ‘યોગ’ શબ્દનો ‘જે યોજી (=જોડી) આપે તે યોગ’ એવો જે વ્યુત્પત્તિઅર્થ છે તેનાથી અનુગૃહીત એવું જે યોગનું લક્ષણ તે ઘટી જાય છે. અહીં, ‘મોક્ષનું કારણ બનનાર આત્મવ્યાપારમાં રહેલ આત્મવ્યાપારત્વ’ એ યોગનું લક્ષણ જાણવું. વિવેચન : આલય-વિહાર વગેરે બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનાર હોવાથી ‘યોગ’ છે. આમાં (૧) મોક્ષ શબ્દ ‘મુ’ ધાતુ પરથી બન્યો હોવાથી એનો અર્થ થાય છે ઃ ‘છૂટકારો’. આત્મા પર ચોટેલા પુદ્ગલસ્વરૂપ દ્રવ્યકર્મથી અને રાગ-દ્વેષાદિ સ્વરૂપ ભાવકર્મથી આત્માનો છૂટકારો થવો એ મોક્ષ છે. તેમ છતાં, વૃત્તિકારે ‘મોક્ષ’ શબ્દનો અર્થ ‘છૂટકારો’ એવો ન કરતાં ‘મહાઆનન્દ’ એવો કર્યો છે. એની પાછળ બે કારણો જણાય છે. (અ) છૂટકારો એ વિયોગસ્વરૂપ છે. તેથી વિયોગ સાથે યોગ શું ? એવો પ્રશ્ન થાય. મહાઆનન્દ તો ભાવાત્મક હોવાથી એની સાથે યોગ અસંગત નથી. (બ) કેટલાક દર્શનકારો નિર્ગુણમુક્તિ માનતા હોવાથી મોક્ષમાં સુ પણ માનતા નથી. એમનું નિરાકરણ કરવા માટે મોક્ષને મહાઆનન્દમય જણાવ્યો છે. નહીંતર તો, મોક્ષમાં સુખ જ ન હોવાથી, ન એનું આકર્ષણ જાગે કે ન એના ઉપાયભૂત ‘યોગ’ નું આકર્ષણ જાગે... અને તો તો આ ગ્રન્થ સર્જનનો બધો પ્રયાસ નિષ્ફળ બની જાય. સુખથી શૂન્ય એવા મોક્ષની તો કેટલાક દ્વારા હાંસી પણ ઉડાડવામાં આવી છે. મોક્ષ ‘મહાઆનંદ’ રૂપ હોવામાં આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. (૨) પ્રણિધાન વગેરે આશય પૂર્વકની આલય-વિહારાદિ ક્રિયા યોગ અને યોગવિંશિકા...૧ 2 = Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગમાંથી કાષાયિક પરિણતિઓને અને વિકલ્પોને ક્રમશઃ દૂર કરતી જાય છે. એના પ્રભાવે આગળ વધતાં જીવ ક્ષપકશ્રેણિ માંડવા દ્વારા વીતરાગતા પામે છે જે વીતરાગતા કેવલજ્ઞાનની ભેટ આપે છે. આ કેવલજ્ઞાન દ્વારા જીવ સંપૂર્ણ યોગનિરોધ કરી સર્વસંવરચારિત્રરૂપ શેલેશી અવસ્થા પામે છે જે સંપૂર્ણ કર્મક્ષય દ્વારા જીવને મોક્ષમાં લઈ જાય છે. આમ આલય-વિહારાદિ ક્રિયાઓ જીવને ઠેઠ મોક્ષ સુધી લઈ જાય છે. સાધુની આલય-વિહારાદિકિયાને અહીં યોગ તરીકે જે કહી છે તે વિશેષ પ્રકારનો પ્રધાનયોગ સાધુઓને જ હોય છે એને નજરમાં રાખીને. બાકી દેશવિરતની ચૈત્યવન્દનાદિ ક્રિયા પણ યોગ છે જ, કારણકે ખુદ ગ્રન્થકાર એને યોગ તરીકે આગળ જણાવવાના છે. માટે એ બધી ધર્મક્રિયાઓનો અહીં ઉપલક્ષણથી સમાવેશ જાણવો* આ આલયવિહારાદિમાં... આલય મુકામ. એમાં નિસિહી કહીને પ્રવેશ કરીને જે કાંઈ આચારો પાળવાના હોય તે આલયકિયા કહેવાય. એમ વિહાર કરતી વેળા ઈર્યાસમિતિનું પાલન વગેરે... એ વિહારકિયા. ભાષાસમિતિ એ ભાષાક્યિા. ગુરુ વગેરેનો વિનયએ વિનયઝિયા. ૪૨ દોષરહિત ભિક્ષાની વેષણાભિક્ષાટનક્યિા... આવી બધી ક્યિા સ્વરૂપ ધર્મવ્યાપાર એ યોગ છે. અહીં એક મહત્ત્વની બાબત પર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પ્રકાશ ફેંકી રહ્યા છે. તેઓ ધર્મક્યિામાં રહેલો પ્રણિધાનાદિ આશયાત્મક ભાવ એ યોગ’ છે એમ નથી કહેતાં પણ પ્રણિધાનાદિ ભાવવાળી ધર્મક્યિા એ યોગ છે એમ કહી રહ્યા છે. અને એના દ્વારા ક્રિયાનું પણ મહત્ત્વ આંકી રહ્યા છે. આની પાછળ અનેક કારણો છે * વિવક્ષિત વ્યક્તિનો એ યોગવાનું છે કે નહીં? એનો વ્યવહાર *એટલે, “સાધુનો ધર્મવ્યાપાર જ અહીં યોગ તરીકે લેવાનો છે, બીજાઓના મન-વચન-કાયાના યોગો તો અન્યથા પણ પ્રવર્તતા હોવાથી તેમનો ધર્મવ્યાપાર યોગસ્વરૂપ નથી.'આવું માનવાની જરૂર નથી. તે પણ એટલા માટે કે દેશવિરત જીવના મન વગેરે યોગો સંસારક્રિયા દરમ્યાન અન્યથા પ્રવર્તતા હોય જ છે, ને તેમ છતાં એના ચૈત્યવન્દનાદિ ધર્મવ્યાપારને ગ્રન્થકાર ખુદ યોગ તરીકે કહેવાના જ છે. અપુનર્બન્ધકને અવિરતસમ્યગ્દષ્ટિમાં પણ મૈત્રાદિ યોગ હોવા અન્યત્ર જણાવેલા જ છે. આ ગ્રન્થમાં એને આગળ જે વ્યવહારથી યોગરૂપે કહેવાના છે તે એક સંકેતવિશેષની વિવક્ષાથી જ. બાકી પ્રસ્તુતમાં આપેલા લક્ષણ મુજબ, એમના પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર છેવટે મોક્ષ સુધી પહોંચાડનાર હોવાથી યોગ સ્વરૂપ હોવામાં કશો વાંધો જણાતો નથી. યોગ = ધર્મવ્યાપાર) Page #21 -------------------------------------------------------------------------- ________________ આલયવિહારાદિ ધર્મક્રિયાને જોઇને થઇ શકે છે, આંતરિક ભાવો અતીન્દ્રિય હોવાથી એને જોઇને નહીં. અર્થાત્ વ્યવહાર ક્રિયાને-આચારને આધીન છે. વળી, નિશ્ચય(=ભાવ=પરિણામ) પણ બહુધા આચારથી જ ઉત્પન્ન થાય છે, ટકે છે, ને વધે છે. કર્મ વગેરે કારણવશાત્ યોગથી ભ્રષ્ટ થનારને ભવાંતરમાં પુનઃ યોગમાર્ગે ચઢાવનાર જાતિસ્મરણજ્ઞાન ક્રિયાજન્ય સંસ્કારથી ઉત્પન્ન થયું હોય એવું વલ્કલચીરી વગેરે અનેક દૃષ્ટાન્તમાં જોવા મળે છે. આગળ વિનિયોગ આશય જે કહેવાનો છે તેમાં પણ વિનિયોગ બાહ્યદષ્ટિએ આચારનો જ હોય છે. ભાવને તો પછી એ આચાર જ પેદા કરે છે. કારણકે વિનિયોગ પામેલો આ આચાર, વિનિયોક્તાના વિનિયોગ આરાયના પ્રભાવે, ભાવને પેદા કરવામાં અવસ્થ્ય બન્યો હોય છે. ‘કોઇ પણ સંયોગોમાં શરાબ પીવાય જ નહીં.' આવી પરિણતિ એ શરાખત્યાગ અંગેનો નિશ્ચય છે. શરાબ પીવો નહીં એ વ્યવહાર છે. ‘શરાબ ત્યાજ્ય છે.’ એમ કહ્યા કરે ને પાછો શરાબ પીધા કરે એ આરોગ્યની પાયમાલી સર્જવાનો જ છે. એમ ક્રિયા તો બાહ્યભાવ છે-તુચ્છ છે એમ કહી કોરા નિશ્ચયની વાતો કરનારો પાપક્રિયાના પ્રભાવે દુર્ગતિમાં રુલવાનો છે. સામે પક્ષે, શરાબને ત્યાજ્ય માનવાની પરિણતિ કદાચ ન હોવા છતાં શરાબ ન પીનારો આરોગ્ય જાળવી રાખવાનો છે. એમ કદાચ નિશ્ચય ન કેળવાયો હોય, છતાં જે ધર્મક્રિયાઓને પકડી રાખે છે, એને દેવલોક અવશ્ય મળવાનો છે, એ દુર્ગતિમાં નહીં જાય. (અહીં એ સમજવા જેવું છે કે વ્યવહારઆચાર-નિશ્ચયને-પરિણામને ખેંચી લાવવામાં સર્વત્ર કે બહુધા સફળ થાય જ એવી વાસ્તવિકતા ન હોવા છતાં, નિશ્ચય વ્યવહારને ખેંચી લાવ્યા વગર લગભગ રહેતો નથી. એવો કોઇ પ્રતિબન્ધક વિદ્યમાન હોય તો જ એવું બની શકે કે વાસ્તવિક નિશ્ચય હોવા છતાં વ્યવહાર ન હોય. એટલે, એવો કોઇ વિશેષ પ્રતિબન્ધક ન હોવા છતાં જો વ્યવહાર ન આવતો હોય તો સમજવું પડે કે ક્યાં તો નિશ્ચય પ્રગટ્યો જ નથી ને ક્યાં તો એ પ્રગટ્યો હોય તો પણ એટલો દઢ નથી ને લાંબું ટકવાની સંભાવના નથી. સીધી વાત છે. એવું કોઇ વિશેષ કારણ ન હોવા છતાં જો કરતો કશું ન હોય તો ‘આ કર્તવ્ય છે’ એવી બુદ્ધિને આત્મસાત્ થયેલી શી રીતે માની શકાય ? તથા આ પણ સમજવા યોગવિંશિક...૧ 4 Page #22 -------------------------------------------------------------------------- ________________ જેવું છે કે, વ્યવહાર નિશ્ચયને લાવવામાં સફળ થાય જ એવો નિયમ ન હોવા છતાં, જ્યારે ક્યારે પણ નિશ્ચય આવવાનો હશે ત્યારે એ વ્યવહાર દ્વારા જ આવવાની શક્યતા બહુધા હોય છે, એ વિના નહીં. માટે, ધર્મક્લિાઓને પકડી રાખવી, ને એના દ્વારા ભાવ-પરિણતિઓને ઘડતા રહેવું એ આત્મહિતેચ્છનું કર્તવ્ય છે. અને ક્યારેક શક્તિસંયોગ વગેરેના કારણે બાહ્યક્યિા પકડી ન શકાય ત્યારે પણ ભાવનાધારા કિયા પ્રત્યે ખેંચાણ ઊભું કરવું... જાળવી રાખવું... વધારવું.. એ પણ ભાવપરિણતિરૂપ છે. અને એ કાળાન્તરે ધર્મક્રિયાને ખેંચી લાવે છે, તેમજ વિપુલ કર્મક્ષય પણ કરાવે છે. માટે એવા અવસરે એ જ કર્તવ્ય બની રહે છે.) આ બધા કારણોસર, આયાદિ ક્વિાનિઝ પ્રણિધાનાદિ આયાત્મક ભાવને યોગ’ તરીકેન કહેતાં, તાદશભાવયુક્ત આલયાદિ ક્યિાને યોગ’ તરીકે કહી છે એ જાણવુ.* આલય-વિહારાદિ બધા ધર્મવ્યાપારને યોગ તરીકે એટલા માટે માન્ય કરાય છે કે એમાં યોગનું લક્ષણ ઘટી જાય છે. (૩) હવે, યોજનાદ્યોગ.. વગેરે પંક્તિનો અર્થ વિચારીએ મંડલ વગેરે કેટલાક શબ્દો એવા છે જેના વ્યુત્પત્તિઅર્થને (મહું તાતિ તિ મખ્વતં) અને વાચ્યાર્થને કશું લાગતું વળગતું નથી. ‘ગો વગેરે કેટલાક શબ્દો એવા છે કે (Tચ્છતીતિ ) એનો ગમનકિયા એવો જે વ્યુત્પત્તિઅર્થ છે તે એના વાચ્યાર્થ ગાયમાં સંભવિત છે. તેમ છતાં, અશ્વાદિમાં પણ એ અતિપ્રસક્ત હોવાના કારણે એ ગાયના લક્ષણરૂપ બની શકતો નથી. ‘યોગ શબ્દની ‘મોક્ષની સાથે યોજી આપે તે યોગ’ આવી જો વ્યુત્પત્તિ કરવામાં આવે તો એનો આ વ્યુત્પત્તિઅર્થ એના વાચ્યાર્થ (લક્ષ્યાર્થ) યોગને છોડીને અન્યત્ર ક્યાંય અતિપ્રસક્ત થતો નથી. માટે આ વ્યુત્પત્તિઅર્થને જ લક્ષણ તરીકે કહી શકાય છે. કાત્રિદ્ધાત્રિશિકામાં ઉપાધ્યાયજી મહારાજે (મોક્ષે યોગનાદ્યો:) આવી જ વ્યુત્પત્તિ કરીને વ્યુત્પત્તિઅર્થને જ લક્ષણ તરીકે કહ્યો જ છે. પણ પ્રસ્તુતમાં મોક્ષે શબ્દના સમાવેશ વગર માત્ર યોગનીદ્યો: (જોડી આપે તે યોગ) એટલી જ વ્યુત્પત્તિ કહી છે. એટલે મોક્ષ સિવાય અન્યત્ર *એટલે ‘ક્યિાથી થતો પાંચ પ્રકારનો આશય એ ભાવયોગ છે, ક્રિયા નહીં. કિયા તો માત્ર મન-વચનકાયાના યોગરૂપ છે. આવી ભ્રમણામાં ન પડવું આ વાત ભ્રમણારૂપ એટલા માટે પણ છે કે કિયાથી આશય નથી થતો, પણ આશયપૂર્વક ક્રિયા થાય છે. (કિયાપ્રાધાન્ય) 5) Page #23 -------------------------------------------------------------------------- ________________ દેવાદિગતિમાં જે પ્રણિધાનાદિશૂન્ય ધર્મવ્યાપાર જીવને જોડી આપે છે તે પણ વ્યુત્પત્તિઅર્થથી યોગ’ બને, જે પ્રસ્તુત લક્ષ્યાર્થ નથી. તેથી વ્યુત્પત્તિઅર્થ અતિપ્રસન્ન થતો હોવાથી સ્વયં લક્ષણ બની શક્તો નથી. માટે એને લક્ષણ તરીકે ન કહેતાં પરિશુદ્ધ ધર્મવ્યાપારમાં રહેલા આત્મવ્યાપારત્વને લક્ષણ તરીકે કહેલ છે. તેમ છતાં, આવું લક્ષણ જ્યાં રહ્યું હોય ત્યાં સર્વત્ર, યોજન કરવારૂપ વ્યુત્પત્તિઅર્થ રહ્યો તો હોયજ છે, બેસેલી ગાયમાંગો શબ્દનો ગમન ક્રિયારૂપ વ્યુત્પત્તિઅર્થ જેમ અવ્યાપ્ત છે તેમ યોગ શબ્દની વ્યુત્પત્તિઅર્થ એના કોઈ લક્ષ્યાર્થમાં અવ્યાપ્ત નથી. માટે, પ્રસ્તુતમાં ઉક્ત આત્મવ્યાપારત્વરૂપ લક્ષણ વ્યુત્પત્તિઅર્થથી અનુગૃહીત છે, એમ કહેવાયું છે. (.) શો ધર્મવ્યાપાર યોગ:? ત્યાહ - પરિશુદ્ધ = પ્રણિધાનીધાશયविशुद्धिमान्, अनीदृशस्य द्रव्यक्रियारूपत्वेन तुच्छत्वात्। उक्तश्च - आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः। भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥ (षोडशक ३-१२) વૃત્તિઅર્થ કેવો ધર્મવ્યાપાર એ યોગ છે? એ જણાવવા પરિશુદ્ધો... વગેરે ઉત્તરાર્ધ છે. પ્રણિધાન વગેરે આશયસ્વરૂપ વિશુદ્ધિવાળો ધર્મવ્યાપાર એ પરિશુદ્ધ ધર્મવ્યાપાર છે. આવો પરિશુદ્ધધર્મવ્યાપાર યોગ છે. જે ધર્મવ્યાપાર આવો પરિશુદ્ધ નથી તે દ્રવ્યકિયાસ્વરૂપ હોવાથી તુચ્છ હોય છે. ત્રીજા ષોડશકના ૧૨ મા શ્લોકમાં કહ્યું છે કે શ્લોકાર્ધ ) આ બધા જ તત્ત્વતઃ આશયભેદો છે એમ જાણવું. આ ભાવ છે. એના વિનાની ચેષ્ટા દ્રવ્યકિયા છે અને તેથી તુચ્છ છે. વિવેચનઃ અભવ્યાદિ જીવો પણ દીક્ષા લઈ આલય-વિહારાદિ ક્રિયાઓ નિરતિચારપણે પાળે છે... અને છતાં એનો આ ધર્મવ્યાપાર યોગરૂપ તો હોતો નથી, કેમકે એ એને મોક્ષમાર્ગ પર એક કદમ પણ આગળ લઈ જતો નથી. એટલે સર્વ ધર્મવ્યાપારયોગ છે એવા વિધાન વાક્યમાંથી અભવ્યાદિના ધર્મવ્યાપારની બાદબાકી કરવા માટે ધર્મવ્યાપારનું પરિશુદ્ધ એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. અભવ્યાદિનો ધર્મવ્યાપાર પ્રણિધાનાદિ આશયો ન હોવાના કારણે પરિશુદ્ધ હોતો નથી. માટે યોગ નથી. 6િ ] યોગવિંશિકા....૧) Page #24 -------------------------------------------------------------------------- ________________ एते-प्रणिधानादयः सर्वेऽपि कथञ्चित्क्रियारूपत्वेऽपि तदुपलक्ष्या आशयभेदाः। अयञ्चपञ्चप्रकारोऽप्याशयो भावः, अनेन विना चेष्टा कायवाङ्मनोव्यापाररूपा द्रव्यक्रिया तुच्छा=असारा, अभिलषितफलासाधकत्वादित्येतदर्थः। વૃત્તિઅર્થ: (ષોડશકની ગાથાના વિવેચનનો આ પ્રમાણે અર્થ જાણવો.) આ=પ્રણિધાન વગેરે બધા જ કથંચિત્ ક્યિારૂપ હોવા છતાં, પ્રસ્તુતમાં તે ક્યિાથી ઉપલક્ષિત થતા આશયભેદો જાણવા. આ પ્રણિધાનાદિ પાંચ પ્રકારનો આશય એ ‘ભાવ છે. આવા ભાવ વિનાની મન-વચન-કાયાના વ્યાપારરૂપ ચેષ્ટા દ્રવ્યકિયારૂપ છે, અને તેથી તુચ્છ અસાર હોય છે, કારણ કે એ અભિલષિત ફળની અસાધક હોય વિવેચનઃ પ્રણિધાન વગેરે બહારથી કંઇક અંશે ક્યારૂપ જણાતા હોવા છતાં વસ્તુતઃ એ આશયના ભેદો પ્રકારો છે. અર્થાત્ એ ચિત્તની જુદી જુદી અવસ્થાસ્વરૂપ છે, જે બાહ્ય ક્યિાથી સૂચિત થતી હોય છે. પાતંજલ યોગસૂત્રમાં ‘ચિત્તવૃત્તિનિરોધો યોઃ” એવું જે યોગલક્ષણ આપ્યું છે એનો ઉપાધ્યાયજી મહારાજે ‘ક્લિષ્ટ્રચિત્તવૃત્તિનો નિરોધ એયોગ એવો પરિષ્કાર કર્યો છે. વિષય-કષાયનું પ્રણિધાન વગેરે ક્લિચિત્તવૃત્તિઓ છે. એને ખસેડીને જીવ શુદ્ધઆત્મસ્વરૂપનું (મોક્ષનું) પ્રણિધાન વગેરે ઊભા કરે એટલે યોગ’ આવે જ. એટલે આ પ્રણિધાન વગેરે ચિત્તની અક્લિષ્ટ વિશિષ્ટ શુભ અવસ્થાઓ છે એ જાણવું. સામાન્યથી પ્રતિબન્ધક ન હોય તો ભાવ, ક્રિયાને પ્રવર્તાવ્યા વિના રહેતો નથી. એટલે આ પ્રણિધાનાદિ આંતરિક ભાવોની સાથે બહાર એને અનુકૂળ ક્લિાઓ પણ પ્રાયઃ ગૂંથાયેલી હોય છે. વળી અતીન્દ્રિય ભાવો કરતાં બાહ્ય ક્યિાનું વર્ણન સુલભ હોય છે. માટે પ્રણિધાનાદિના વર્ણનમાં ક્રિયાનું વર્ણન આવે એ સહજ છે. પણ એટલા માત્રથી એને ક્યારૂપ જ ન માની લેવા જોઇએ. એ કિયાસ્વરૂપ તો કથંચિત્ જ છે, પ્રધાનરૂપેતો એ, તેતે ક્રિયાથી ઉપલક્ષ્ય આંતરિકભાવરૂપ જ છે. એટલે જ પ્રણિધાનથી વિનિયોગ સુધીની જે પ્રગતિ છે એમાં આંતરિક ભાવોના વિકાસની જ મુખ્યતા છે. આ જ કારણ છે કે ક્યારેક સામગ્રીની વિકલતા વગેરે કારણે યિામાં વિકલતા હોય તો પણ વિનિયોગ સુધીના આશયો પ્રગટ થઈ શકે છે ને પ્રકૃeગુણો પણ પ્રાપ્ત થઈ શકે છે. માટે પ્રણિધાનાદિ આશયો મુખ્યતયા ભાવરૂપ છે એ જાણવું | આશયમહત્ત્વ Page #25 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના આશયને અહીં ભાવ તરીકે કહેલ છે. ‘પાંચે પ્રકારના આશયોનો સમુદાય ભાવ છે’ એમ નથી કહ્યું. એટલે ‘એસો પંચ નમુક્કારો સવ્વપાવ સણો માં જેમ એક એકને કરેલો નમસ્કાર પણ સર્વપાપપ્રણાશક છે એમ પ્રસ્તુતમાં જાણવું. અર્થાત્ માત્ર એક પ્રણિધાન આશય જ કેળવાયેલો હોય તો પણ ધર્મવ્યાપાર યોગરૂપ છે જ. છતાં અહીં એટલી વિશેષતા જાણવી કે ઉત્તર ઉત્તરનો આશય પૂર્વપૂર્વનો આશય આવ્યા વગર આવતો ન હોવાથી ‘વિનિયોગ’ આશયવાળાને પૂર્વના ચાર આશયો અવશ્ય હોય જ છે. આ પ્રણિધાનાદિ આશયાત્મક ભાવવિનાની આલયાદિ ક્રિયા એ દ્રવ્યક્રિયા છે, એ જીવને મોક્ષ તરફ એક કદમ પણ લઈ જનારી ન હોવાથી તલના કોતરાંની જેમ તુચ્છ છે-સાર વિનાની છે. તલના ફોતરાં પશુખાદ્ય વગેરે માટે સફળ હોવા છતાં તેલપ્રાપ્તિની અપેક્ષાએ તુચ્છ જ છે. એમ, દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખવા રૂપ સ્વકાર્ય, પ્રણિધાનાદિશૂન્ય ધર્મક્રિયા પણ કરી શકતી હોવાથી એ અપેક્ષાએ એ સફળ પણ હોય છે. તેમ છતાં, મોક્ષપ્રાપ્તિની અપેક્ષાએ તો એ નિષ્ફળ જ હોય છે, ને તેથી એને તુચ્છ કહી છે. વળી, ‘કોઇ જીવ મરી ન જાય’ વગેરે શુભોપયોગ હોવા છતાં જો પ્રણિધાન વગેરે એક પણ આરાય પ્રગટ થયો ન હોય, તો પૂંજવા-પ્રમાર્જવા વગેરેની ક્રિયા ‘દ્રવ્યક્રિયા’ રૂપ જ બની રહે છે એ જાણવું. કારણકે અહીં ‘ભાવ’ તરીકે આવા શુભોપયોગને પણ નહીં કહેતા પ્રણિધાનાદિને જ કહ્યા છે. *શ્રી મહાનિશીથસૂત્રમાં ભાવસ્તવને જ પ્રશસ્ત કહેવા દ્વારા દ્રવ્યસ્તવને અપ્રશસ્ત હોવો જે સૂચિત કર્યો છે તે ભાવસ્તવની અપેક્ષાએ જ, પાપક્રિયાઓની અપેક્ષાએ નહીં. એમ કમ્મપયડીમાં દેશોપરામનાને જે અપ્રશસ્તોપશમના કહી છે તે પ્રશસ્તોપામનારૂપ સર્વોપરામનાની અપેક્ષાએ જ, અનુપામનાની અપેક્ષાએ નહીં. વળી આ રીતે, પ્રાસ્તની વાત કરીને એને સાપેક્ષ રીતે જણાતો અપ્રરાસ્ત શબ્દ ‘એ વસ્તુ નુક્શાનકારક છે ને માટે ત્યાજ્ય છે’ એવી પ્રતીતિ નથી કરાવતો, પણ જે પ્રાસ્ત છે તે વધારે ઉપાદેય છે એમ પ્રતીતિ કરાવે છે. એમ પ્રસ્તુતમાં શુભોપયોગવાળી પ્રમાર્જનાદિક્રિયાને તુચ્છદ્રવ્યક્રિયા જે કહેવી છે તે એ મોક્ષસાધક નથી બનતી એ *भावच्चणमुग्गविहारया य दव्वच्चणं तु जिणपूया । पढमा जईण दोन्निवि गिहीण पढमच्चिय पसत्था ॥ महा. ३ / ३६ ॥ 8 યોગવિંશિકા...૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ જ. બાકી એ પણ શુભોપયોગપૂર્વકની શુભક્યિારૂપ હોવાથી પુણ્યબંધ જરૂર કરાવે છે. અને ભવિતવ્યતા વગેરે જે પાકી ગયા હોય તો એ શુભક્રિયા આ પુણ્ય દ્વારા યોગની સામગ્રી પૂરી પાડવા રૂપે સફળ પણ બની શકે છે. વળી આ શુભક્યિા તથા શુભોપયોગ પ્રણિધાનાદિના બાધક તો નથી જ. પણ ઉપરથી વહેલામોડા જ્યારે પણ આ આશયોકેળવાવાના હશે ત્યારે આ શુભક્યિા અને શુભઉપયોગ જ એમાં સહાયક બનવાની સંભાવના પુષ્કળ છે. એટલે, પ્રણિધાનાદિ આશય ન કેળવાયા હોય તો પણ શુભક્યિાકે શુભઉપયોગ છોડી દેવાની તો કોઈ વાત જ નથી, ઉપરથી એનો અભ્યાસ તો વધારતા જ રહેવાનું છે. માત્ર ઉપર કહ્યા મુજબ, એ મોક્ષનું, નથી શીઘકારણ બનતાં કે નથી નિશ્ચિત કારણ બનતાં. અને તેથી શીધ્રઆત્મહિતના ઇચ્છુડે પ્રણિધાનાદિ આશયો કેળવવા એ અત્યંત આવશ્યક છે એવો અહીં ઉપદેશ જાણવો. અહીં આશય વિનાની કાય-વાફ-મનોવ્યાપારરૂપ ચેષ્ટાને દ્રવ્યક્યિા કહી છે. અર્થાત આ દ્રવ્યક્યિામાં મનોવ્યાપારનો (મનના પરિણામોનો) પણ સમાવેશ છે. એટલે જણાય છે કે આશય એ મનોવ્યાપારરૂપ પણ નથી. એનાથી ભિન્ન છે. તો આશય શું છે? આશય શું છે? એ સમજતાં પહેલાં ચિત્તવૃત્તિઓ શું છે? એ વિચારી લઇએ. મનના ભીતરીરમાં અનાદિકાળથી જે પડ્યું છે તે (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે.જેમકે હિંસા =પ્રમાદ), ક્રોધ, વિષયોની પરવશતા... વગેરે. અનુપયોગદશામાં પણ મન-વચન-કાયાને સહજ રીતે પોતાને અનુકૂળરીતે પ્રવર્તાવવા, ઉપયોગદશામાં વધારે પ્રબળ રીતે પ્રવર્તાવવા... મન-વચન-કાયાનો વિપરીત વ્યાપાર સહજ રીતે તો ન જ થવા દેવો... વિપરીત વ્યાપારની સંભાવના ઊભી થાય ત્યારથી જ ખૂબ સંઘર્ષ કરવો પડે એ રીતે એમાં અટકાયતો ઊભી કરવી. આ બધું (ક્ષિણ) ચિત્તવૃત્તિઓનું કાર્ય છે. વિશેષ ઉપયોગ ન હોય તો પણ પ્રમાદનો ચાન્સ મળે તો પ્રમાદ સેવાઈ જ જાય ને પ્રમાદનો જ ઉપયોગ હોય ત્યારે તો એ તીવમાત્રામાં સેવાય. એમાં કશો સંઘર્ષ કરવો જ ન પડે... પણ અપ્રમાદનો વિચાર સહજ રીતે ક્યારેય નથી આવતો... અપ્રમાદ હિતકર છે એવું મનમાં સહજ રીતે ક્યારેય નથી બેસતું... જિનવચનના ( આશય એટલે શું ? ) Page #27 -------------------------------------------------------------------------- ________________ જ બળે એને બેસાડવામાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે... એ રીતે એને મનમાં બેસાડ્યા પછી આચરણમાં ઉતારવામાં પણ સંઘર્ષ કરવો જ પડે છે... એ દરમ્યાન જરા પણ ગફલતમાં રહ્યા તો પાછો પ્રમાદ આવી જ જાય... આવું જ ક્રોધાદિ અંગે છે. ભીતરી મનનો પ્રમાઠાદિ તરફનો આ ઢાળ એ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે. અહીં મનના ભીતરના સ્તરો... ભીતરીમન... આવા જે શબ્દો પ્રયોજ્યા છે તે લોકપ્રસિદ્ધ વ્યવહારને અનુસારે જાણવા... શાસ્ત્રીયભાષામાં આને ‘સંજ્ઞા’ કહે છે. અને એ, વસ્તુતઃ મનના કોઇ પરિણામસ્વરૂપ નથી, પણ જીવે અનાદિકાળથી જે પ્રવૃત્તિઓ અને વિચારણાઓ વારંવાર કરેલી છે એના કારણે આત્મામાં પડેલા સંસ્કારસ્વરૂપ છે. જેમ લોખંડના સળિયાને દીર્ઘકાળ સુધી ડાબી તરફ વાળી રાખવામાં આવ્યો હોય તો પછી ડાબી તરફ ઝુકતા રહેવાના સંસ્કાર એમાં પેદા થઈ જાય છે, એટલે પછી એને જમણી તરફ વાળવાનો કે સીધો રાખવાનો વિશેષ પ્રયત્ન ન હોય ત્યારે એ ડાબી તરફ જ ઝુકેલો રહે છે. એમ આત્મદ્રવ્ય અનાદિકાળથી પ્રમાદ વગેરે, ક્રોધ વગેરે તરફ ઝુકાવવાળું બનેલું છે... આ ઝુકાવ એ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે. આ આત્મદ્રવ્યના જ પરિણામ સ્વરૂપ છે, મનના નહીં, માટે મન ન હોય એવા અસંજ્ઞીપણાના ભવોમાં પણ આ પરિણામો વિદ્યમાન હોય છે, અર્થાત્ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ વિદ્યમાન હોય છે. આ ચિત્તવૃત્તિઓને-આ ઝુકાવને જે ખતમ કરી શકે... ખતમ કરવાને જે અનુકૂળ હોય... એવી આ ક્લિચિત્તવૃત્તિઓથી વિપરીત વૃત્તિઓ (અક્લિષ્ટચિત્તવૃત્તિઓ) એ આશય છે. બધા દુઃખોનું મૂળ સંસાર છે. ને સંસારનું મૂળ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે એવું જિનવચન વગેરેના બળે જીવ જાણે છે એટલે આ (લિટ) ચિત્તવૃત્તિઓને નાબુદ કરવાની વિચારણા-ઇચ્છા જાગે છે... મનના ઉપલા સ્તરમાં રહેલી આ વિચારણા-ઇચ્છા એ આશય નથી... પણ એને વારંવાર ઘુંટવાથી... સંકલ્પરૂપ બનાવવાથી એ ભીતરીસ્તરમાં ઉતરે છે... પ્રમાદ તરફના ઝુકાવને કાઢી અપ્રમાદ કેળવવાનો ભીતરીસ્તરમાં રમતો થયેલો આ સંકલ્પ એ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓને ખતમ કરવાને અનુકૂળ એવી પ્રથમ વિપરીત વૃત્તિ છે. એ પ્રથમ આશય છે... એ પ્રણિધાન છે. . એ પણ વસ્તુતઃ આત્મદ્રવ્યના જ એક સંસ્કારરૂપ... એક પરિણામરૂપ છે એ જાણવું. બધા જ આરાયો આત્મપરિણામરૂપ છે. આ પ્રણિધાનને સફળ કરવા 10 યોગવિંશિકા....૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ માટેના જે ઉપાયો હોય તેને પૂરા પ્રયત્નથી અજમાવી લેવાનો અને જે અપાયોબાધકો હોય તેનાથી દૂર રહેવાનો પૂરો પ્રયાસ જે કરાવે એવી ભીતરીસ્તરમાં પેઠા થયેલી વિપરીતવૃત્તિ એ બીજો પ્રવૃત્તિઆરાય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં આવતા વિઘ્નોને ગણકાર્યા વગર પ્રવૃત્તિ-નિવૃત્તિને અસ્ખલિત બનાવી રાખે એવા પરિણામો એ ત્રીજો વિઘ્નજય આશય છે. એના કારણે કોઇપણ પરિસ્થિતિમાં ઉક્ત-પ્રવૃત્તિનિવૃત્તિ મન-વચન-કાયાના બાહ્ય વ્યાપારમાં જે થયા કરે છે એનાથી અનાદિકાલીન પ્રમાદ વગેરે તરફના ઝુકાવ-(સંસ્કાર) નાશ પામવા માંડે છે અને અપ્રમાદ વગેરે તરફનો ઝુકાવ પેદા થવા માંડે છે. આ કેળવાયેલો આંશિક ઝુકાવ પણ સિદ્ધિ નામનો ચોથો આશય છે. બીજા યોગ્ય જીવોને તેઓ ચિત્તવૃત્તિઓ ખસેડી વિપરીતવૃત્તિરૂપ (શુભચિત્તવૃત્તિરૂપ) આશય પ્રગટાવવાને પ્રયત્નશીલ બને એ રીતે બાહ્ય ધર્મવ્યાપારોમાં જોડવાનો પ્રયાસ કરાવે એવી વિપરીતવૃત્તિ એ વિનિયોગઆશય... પ્રમાઠવગરે ચિત્તવૃત્તિઓ સંપૂર્ણતયા નાશ પામે એ સર્વોત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે. अथ के ते प्रणिधानाद्याशया: ? उच्यते - प्रणिधानं प्रवृत्तिर्विघ्नजयः सिद्धिर्विनियोगश्चेति पञ्च । आह च પ્રિિધ-પ્રવૃત્તિ-વિનય-સિદ્ધિ-વિનિયોગમેત: પ્રાય: । धर्मज्ञैराख्यातः शुभाशयः पञ्चधाऽत्र विधौ ॥ ( षोडशक ३-६) વૃત્તિઅર્થ : પદ્મ - તે પ્રણિધાન વગેરે આશયો કયા છે ? ઉત્તર – પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ એમ પાંચ આરાયો જાણવા. ષોડશક (૩૬) માં કહ્યું છે કે – પ્રણિધિ, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગભેદે પ્રાયઃ કરીને (=બહુલતાએ) પાંચ પ્રકારનો શુભારાય પ્રસ્તુતમાં (-પુષ્ટિ-શુદ્ધિના અનુબન્ધનો જે અધિકાર ષોડશકમાં ચાલી રહ્યો છે તેમાં) વિધી-વિધિવિષય= વિહિતઆચાર અંગે ધર્મના જાણકારો વડે કહેવાયેલો છે. (પ્રણિધાન આશય) तत्र हीनगुणद्वेषाभाव - परोपकारवासनाविशिष्टोऽधिकृतधर्मस्थानस्य તંત્ર્યતોપયો: પ્રવિધાનમ્। ઉત્તÃ - પાંચ આશયો 11 Page #29 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઅર્થ તેમાં પાંચ આશયોમાં, હનગુણી જીવ પર દ્વેષાભાવ, અને પરોપકારની ભાવનાથી વિશિષ્ટ એવો અધિકૃતધર્મસ્થાનનો કર્તવ્ય તરીકેનો ઉપયોગ એ પ્રણિધાન આરાય છે. ષોડશકમાં કહ્યું છે કે - વિવેચનઃ પાંચ આશયોમાં પ્રથમ પ્રણિધાન આશય છે. માટે સૌ પ્રથમ એનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રણિધાન શબ્દના બે અર્થો પ્રચલિત છે. દઢસંકલ્પ અને ચિત્તની એકાગ્રતા. બીજો અર્થ પ્રવૃત્તિઆશયમાં આવશે. પ્રસ્તુતમાં પ્રથમ અર્થ લેવાનો છે. જે ધર્મસ્થાન-ગુણ-અવસ્થા મેળવવા ચાહી છે એને મેળવવાનો દઢસંકલ્પ બન્યો રહે એ રીતે કેળવાયેલું ચિત્ત એ પ્રણિધાન આશય છે. આ મેળવવા યોગ્ય ધર્મસ્થાન વગેરે (ઉદ્દેશ્ય) તરીકે શું શું આવી શકે? એ પ્રથમ વિચારી લઇએ. બધે વેળા-વિધિ વગેરે સાચવવા પૂર્વક નિરતિચાર સંયમ પાળવાછતાં અભવ્યાદિને યોગ જે હોતો નથી એના મૂળમાં એને ક્યારેય પ્રણિધાન આશય જે હોતો નથી, એ છે. અભવ્યાદિ જીવો પણ શાસ્ત્રો દ્વારા મોક્ષ, એનું સ્વરૂપ, આધિ-વ્યાધિ-ઉપાધિનો અભાવ, પુદ્ગલાતીત શાશ્વત સુખ.. આ બધાની જાણકારી મેળવી શકે છે, મેળવે છે. છતાં આ મુદ્દગલાતીત સુખની એની જાણકારી માત્ર જાણકારીના સ્તર પર જ રહે છે, સંવેદનાના સ્તર પર આવી શકતી નથી. પુગલાતીત સુખ હોય શકે આ વાતને એનું દિલ ક્યારેય સ્વીકારી શક્યું નથી. “સુખ હોય તો પૌદ્ગલિક જ હોય’ આ વાત એટલી જડબેસલાક એના દિલમાં બેઠી હોય છે કે જેથી પુલાતીત સુખની વાત એના દિલને સ્પર્શી જ શક્તી નથી, તેથી એ મેળવવાની ઇચ્છા જ એને નથી જાગતી તો એનો સંકલ્પ થવાની વાત જ ક્યાં? ચરમાવર્તવર્તીજીવોને પુલાતીતસુખની જાણકારી જ્યારે સંવેદનાના સ્તર પર પહોંચે છે ત્યારે એ મેળવવાની પ્રબળ ઇચ્છા-સંકલ્પ પ્રગટવા સુલભ બને છે. કોઈ પણ વસ્તુની શ્રવણજન્ય ઈચ્છા કરતાં અનુભવજન્ય ઇચ્છા પ્રબળ હોય છે. કેરીનું વર્ણન સાંભળીને થયેલી ઈચ્છા કરતાં એનો કંઇક પણ આસ્વાદ થવાથી થયેલી ઇચ્છા પ્રબળ હોય જ. મોક્ષનું પ્રણિધાન કેળવવા માટે મોક્ષને (આત્માના શુદ્ધસ્વરૂપને) જાણકારીના સ્તર પરથી પ્રતીતિના સ્તર પર લઈ જવો જોઇએ. એ માટે હું... હું... તરીકે ને મારું.. મારું... તરીકે જે કાંઈ સંવેઠાય છે તે બધાને નકારતા જવું જોઇએ.. ને હું તો શુદ્ધાત્મદ્રવ્ય છું.’ ‘શુદ્ધશાન એ જ મારો ગુણ છે. આ યોગવિંશિકા...૧) Page #30 -------------------------------------------------------------------------- ________________ વાતોને વારંવાર ઘુંટવી જોઇએ. આમ કરવાથી, ‘હું મનુષ્ય... હું શ્રીમંત’... હું રૂપવાનું વગેરે જે કાંઇ તાદાભ્ય કેળવાયેલા છે એ બધા ખરી પડે છે, ને, બહારથી સાંભળેલ કે ગોખેલ જ નહીં, પણ અંદરથી એક અવાજ ઊઠે છે કે હું આમાંનું કશું નથી. હું તો આ બધી ઉપાધિઓથી મુક્ત શુદ્ધ આત્મદ્રવ્ય છું. આ આત્મસ્વરૂપની સંવેદના છે. અનિત્યાદિ ભાવના દ્વારા સંસારની નિર્ગુણતા વગેરે ભાવવાથી આ સંવેકાયેલા સ્વરૂપની અનન્ય પ્રીતિ ને એને મેળવવાની પ્રબળ ઇચ્છા જાગે છે. આ પ્રણિધાન છે. અપુનર્બન્ધક અવસ્થા પૂર્વે એ પ્રગટવું શક્ય જ હોતું નથી. પ્રથમ વગેરે દષ્ટિમાં આ પ્રણિધાન હોય પણ ખરું.. ન પણ હોય... હોય તો પણ વિશિષ્ટ કાર્યક્ષમ હોતું નથી. પાંચમી દષ્ટિથી આ પ્રણિધાન હોય જ છે. આત્માના આ સંપૂર્ણ શુદ્ધસ્વરૂપને મેળવવાના ઉદ્દેશ્યપૂર્વક કરાતી આલયવિહારાદિ કિયા એ પ્રણિધાનપૂર્વકની ક્રિયા બનવાથી યોગરૂપ બને છે. ‘મારે ઘડો બનાવવો છે આવો કુંભારે સંકલ્પનર્યો હોય તો ઘડો શી રીતે બને? માટે, અંતિમ લક્ષ્યના સંકલ્પરૂપ પ્રણિધાનની આવશ્યકતા જણાય છે. વળી આવો સંકલ્પ કરી લેવા માત્રથી કામ સરી જતું નથી. કારણકે માટીને ઘડા સુધી પહોંચાડવા માટે વચ્ચે પણ ઘણી અવાંતર પ્રક્યિાઓ હોય છે. એટલે આ દરેક પ્રક્રિયાઓ અંગેનું પણ, પહેલાં આનુઆ કરવાનું... પછી આટલું-આટલું કરવાનું.. વગેરે પ્રણિધાન આવશ્યક હોય છે. એમ, માટીથી ઘડા સુધીની યાત્રામાં કેટલાક પ્રતિબન્ધક બળો હોય છે. એટલે એ પ્રતિબંધકોના પરિહારનો પણ સંકલ્પ આવશ્યક હોય છે. બસ, આ જ રીતે અપુનર્બન્ધક અવસ્થાથી મોક્ષસુધીની યાત્રામાં અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધક છે અને પ્રમાદવગેરે પ્રતિબન્ધકો બાધક છે. એટલે પ્રણિધાન આશયમાં ઉદ્દેશ્યરૂપે મોક્ષપ્રાપ્તિનો સંકલ્પ, એના ઉપાયભૂત અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધવાનો સંકલ્પ અને એમાં પ્રતિબંધકીભૂત પ્રમાદાદિના પરિહારનો સંકલ્પ.. આ ત્રણે આવશ્યક છે. વળી ઘડામાં અને શુદ્ધઆત્મસ્વરૂપમાં (મોક્ષમાં) પ્રાપ્તવ્યરૂપે એક મહત્ત્વનો તફાવત પણ છે. ઘડો તો પ્રથમથી પ્રત્યક્ષ છે, તથા પૂર્વે અનેકશઃ પોતે બનાવ્યો હોય એ પણ સંભવિત છે. જ્યારે, પ્રાથમિક કક્ષામાં આત્મસ્વરૂપની ઝાંખી ન જ થઈ હોય કે એનું એવું પ્રણિધાન ઊભું ન થયું હોય એ પણ નકારી ન શકાય. તેમ છતાં, પ્રણિધાન આશય) Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તવ્યરૂપે અહિંસા વગેરેનો નિરપાધિક સંકલ્પ જાગ્યો હોય તો એ પણ પ્રણિધાનઆશયરૂપ બને જ છે એ જાણવું. ‘અહિંસા કેળવીશ તો સ્વર્ગાદિ મળશે આવું વ્યક્તપણે કે સંસ્કારરૂપે બેસેલું હોય એ ઉપાધિ છે. આવી કોઇ પૌગલિક ઇચ્છા બેસેલી ન હોય, માત્ર અહિંસા ગમી ગઈ છે... હિતકર લાગી ગઈ છે... ને તેથી સાધવી છે. આવો અહિંસા-ક્ષમા વગેરેનો સંકલ્પ એ નિરુપાધિક સંકલ્પ કહેવાય. એ પણ પ્રણિધાન આયરૂપ બને છે. એ જ રીતે પ્રમાદ-કોધ... વગેરે દોષ રૂપે પ્રતીત થઈ ગયા છે. પરિહાર્ય ભાસ્યા છે અને તેથી એના પરિહારનો નિરુપાધિક સંકલ્પ થયો હોય તો એ પણ પ્રણિધાન આશયરૂપ બને જ છે એ જાણવું આજ રીતે અહિંસાના કારણભૂત આચારો-ભાવનાઓ વગેરેનોનેક્રોધાદિના કારણભૂત પ્રવૃત્તિઓના ને વિચારણાઓના ત્યાગ વગેરેનો નિરુપાધિક સંકલ્પ, એ પણ પ્રણિધાન આશય બને છે. ટૂંકમાં, મોક્ષ, ક્ષાયિકભાવો, ક્ષાયોપથમિકભાવો, એ લાયોપથમિકભાવોના કારણભૂત સદ્ આચારો ને સભાવનાઓ, (ક્રોધાદિ) ઔદયિકભાવોનો નિરોધ, ઔદયિકભાવોના કારણભૂત અસઆચારોનો ને અસહ્ન ભાવનાઓનો ત્યાગ... આ બધાનો નિરુપાધિક સંકલ્પ પ્રણિધાનઆશય રૂપ બને છે. અર્થાત્ મારે મોક્ષ જોઇએ જ એવા સંકલ્પની જેમ ‘મારે આત્મસ્વભાવભૂત ક્ષમાં જોઇએ જ'... “મારે સમ્યગ્રજ્ઞાનોપાર્જન કરવું જ છે...” “મારે ચાઉક્કાલ સ્વાધ્યાય કરવાનો જ..” “મારે સઝાયસમો તવો હત્યિ...' વગેરે ભાવનાઓ ભાવવાની જ... “મારે ક્રોધાદિને અટકાવવાના જ..” “મારે ક્રોધાદિના નિમિત્તોથી દૂર રહેવાનું જ..” “મારે ક્રોધાદિનનુક્શાનોની ભાવનાઓથી ભાવિત થવાનું જ.. આવા બધા સંકલ્પો પણ પ્રણિધાનનું કામ કરે જ છે. અહિંસાદિનો આ કોઇ પણ નિરપાધિક સંકલ્પ પ્રણિધાનનું કામ એટલા માટે કરે છે કે એ પણ ફળતઃ મોક્ષસંકલ્પરૂપ છે. તે પણ એટલા માટે કે, “અહિંસા ક્ષમા વગેરે શા માટે કેળવવા છે? તો કે મોક્ષ માટે.’ આવા મોક્ષસંકલ્પમૂલક અહિંસાદિનો સંકલ્પ જેમ મોક્ષાત્મક ફળ સુધી પહોંચાડે છે તેમ અહિંસાદિનો નિરુપાધિક સંકલ્પ પણ ત્યાં સુધી પહોંચાડે જ છે. ‘ઉપલાધોરણમાં જવા માટે આ નીચલા ધોરણમાં ભણું છું એવો ખ્યાલ ન હોય તો પણ, ‘મારે બરાબર ભણવું છે. હોંશિયાર બનવું છે. આવા સંકલ્પથી ભણનારો ઉપલાધોરણમાં જાય જ છે, એમ આ જાણવું. ( 14 ) યોગવિંશિકા...૧) Page #32 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદિ ધર્મસ્થાનની જેમ કોઇક મધ્યમ જીવવગેરેને સમિતિપાલન વગેરે આચાર સ્વરૂપત ગમી જાય અને તેથી તેનું પાલન કરવાનો નિરુપાધિક સંકલ્પ કરે તો એમાં પણ ફળતઃ મોક્ષનું ને અહિંસાદિનું પ્રણિધાન માનવું આવશ્યક છે, કારણકે એ પણ ક્રમશઃ અહિંસાની સિદ્ધિને મોક્ષપ્રાપ્તિ સુધી પહોંચાડે જ છે. આ જ રીતે ક્રોધાદિના પરિહારનો સંકલ્પ, ક્રોધાદિના નિમિત્તના પરિહારનો સંકલ્પ વગેરે અંગે પણ જાણવું. ટૂંકમાં, જે અપ્રશસ્ત ઔદયિકભાવથી પ્રેરિતન હોય એવો ક્ષયોપશમભાવનો કે એના કારણભૂત સમિતિપાલનાદિનો, ઔદયિકભાવોને રૂંધવાનો કે એને રુંધવાના કારણોનો.. આવો બધા પ્રકારનો સંકલ્પ એ ફળતઃ મોક્ષના કે ક્ષાયિકભાવના સંકલ્પરૂપ બને છે. એટલે કોઈને હજુ મોક્ષનું પ્રણિધાનનબન્યું હોય, તો પણ જો અહિંસાસિદ્ધિ વગેરેનું નિરુપાધિક પ્રણિધાન કેળવ્યું હોય, તો એની ધર્મક્રિયા એ તુચ્છ દ્રવ્યક્રિયારૂપ બનતી નથી, પણ યોગરૂપ બને જ છે. અભવ્યાદિ અચરમાવર્તવજીવને મોક્ષના પ્રણિધાનની જેમ આવું નિરુપાધિક પ્રાણિધાન પણ ક્યારેય સંભવતું નથી, કારણકે એને વ્યક્તરૂપે કે સંસ્કારરૂપે ભૌતિક અપેક્ષા બેસેલી જ હોય છે, આ અપેક્ષાથી એ ક્યારેય મુક્ત થઈ શકતો નથી. એટલે જ દુર્ગતિવારણની ઇચ્છા-પાપભીરુતા વગેરે અપુનર્બન્ધકાદિને આત્મહિતકર બની શકતા હોવા છતાં, અભવ્યાદિને તેવા બની શકતા નથી. તથા આત્માના શુદ્ધસ્વરૂપની ઝાંખી અને એનું પ્રણિધાન એ કાંઈ સહેલી વસ્તુ નથી, એની અપેક્ષાએ અહિંસાદિના પ્રણિધાન કંઇક સુલભ છે. બીજી રીતે કહીએ તો મોક્ષ સર્વગુણમય છે. અહિંસા-ક્ષમા વગેરે ગુણો એના જ અંશભૂત છે. સર્વગુણમય અવસ્થાની ઝાંખી ને એને મેળવવાની લગન ભલે કંઇક કઠણ હોય.. પરંતુ, કોઈને પણ મન-વચન-કાયાથી પીડા પહોંચાડાય જ શી રીતે? આવી કોઈ પીડા કોઈને પણ પહોંચાડનારો ન બનું.. આવો સંકલ્પ કંઇક સુલભ છે અને એ મોક્ષના અંશભૂત હોવાથી કાલાન્તરે મોક્ષસંકલ્પને ખેંચી લાવનાર છે. માટે અહિંસાદિ કેળવવાનો સંકલ્પ કરવાનો અને કોઈ ભૌતિક ઈચ્છારૂપ ઉપાધિ ચોંટીને એને સોપાધિક ન બનાવી દે એની કાળજી રાખવાની. આટલું કરવામાં આવે એટલે પ્રણિધાન આશય આશય મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ) (15) Page #33 -------------------------------------------------------------------------- ________________ કેળવાવાનો શરુ થઇ જાય, જે કેળવાતા કેળવાતા દઢતાને ને પ્રકૃષ્ટતાને પામે છે. આ જ કારણે પ્રસ્તુત શ્રી યોગવિંશિકા-ષોડશક વગેરે પ્રકરણોમાં પ્રણિધાન આશયની જે વ્યાખ્યા આપી છે તેમાં મોક્ષના પ્રણિધાનનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો નથી. ને સાક્ષાત્ તો માત્ર અહિંસા વગેરે ધર્મસ્થાનનો કર્તવ્યતાઉપયોગ (દઢસંકલ્પ) જ જણાવ્યો છે ને એના દ્વારા એને કેળવવા પર સાધકે જોર આપવું એમ સૂચન કર્યું છે. (નિરતિચાર સંયમપાલન કરનાર અભવ્યાદિને પણ અહિંસાદિનો-ક્ષમા વગેરે યતિધર્મોનો-સમિતિપાલનાદિનો દૃઢસંકલ્પ હોય છે, પણ એ નવમગ્રેવેયકાદિ કોઇક ને કોઇક ભૌતિક અવસ્થાની પ્રાપ્તિના કારણ તરીકે જ હોય છે. અર્થાત ભૌતિક સંકલ્પમૂલક જ હોય છે. અને તેથી, એ ‘પ્રણિધાન’ આશયરૂપ બની ધર્મક્રિયાને યોગમાં રૂપાંતરિત કરી શકતો નથી.) માટે સાધકે અહિંસાદિના સંકલ્પને મોક્ષસંકલ્પમૂલક બનાવવા કે નિરુપાધિક બનાવવા પર પણ ધ્યાન આપવું આવશ્યક છે. મોક્ષ વગેરેનો દસંકલ્પ સહુ પ્રથમવાર થાય ત્યારે એ મતિજ્ઞાનના મનોજન્ય અપાય (નિર્ણય) નામના ભેઠમાં સમાવિષ્ટ થાય છે. પછી એ જ વખતે... ‘બસ હવે તો મારે આ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું જ છે’ એ રીતે એને તત્કાળ ઘુંટવામાં આવે એ મનોજન્ય ધારણાનો અવિચ્યુતિ નામે ભેદ છે... વળી કાળાન્તરે ઉપયોગ મૂકે ત્યારે આ સંકલ્પ યાદ આવે એ ધારણાનો સ્મૃતિ નામે ભેદ છે. આ બધો સંકલ્પ ઉપયોગાત્મક છે, પણ એ ક્વચિત્ ક્વચિત્ હોય છે (કારણ કે ઉપયોગ તો પરિસ્થિતિ વગેરે વશાત્ બદલાયા કરતો હોય છે. ) મુખ્યતયા તો આ અવિચ્યુતિથી ઉત્પન્ન થયેલો ને સ્મૃતિના કારણભૂત એવો ધારણાનો સંસ્કાર (વાસના) નામનો ભેદ એ ‘પ્રણિધાન’ છે એ જાણવું. અર્થાત્ એ મતિજ્ઞાનાવરણના ક્ષયોપરામ સ્વરૂપ છે. (પણ, આ ઉપયોગ કે સંસ્કારરૂપે રહેતા સંકલ્પમાં પૌદ્ગલિક ઉપાધિ ઘુસી ન જાય એ માટે દર્શનમોહનીયનો ક્ષયોપરામ પણ આવશ્યક છે એ જાણવું. કારણ કે દર્શનમોહનીયના ઉદયથી થયેલી ‘સુખ તો પૌદ્ગલિક જ હોય’ આવી ગાઢ માન્યતા જીવના કોઇપણ સંકલ્પને–અનુષ્ઠાનને ચોંટી જ જાય છે. અને એને સોપાધિક બનાવી જ દે છે. એને નિરુપાધિક બનાવવા આ ગાઢ માન્યતા ખસવી જોઇએ જે દર્શનમોહનીય મંદ પડ્યા વિના સંભવિત નથી.) સંસ્કારરૂપે રહેલા આ પ્રણિધાનનો જ પ્રભાવ છે કે જ્યારે અન્યત્ર ઉપયોગ યોગવિંશિકા...૧ 16 Page #34 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યારે પણ વિવક્ષિત ધર્મસ્થાનની બાધક પરિસ્થિતિ જો નિર્માણ થાય તો એ જીવને તરત ચેતવે છે. આશય એ છે કે સ્વાધ્યાયના અવસરે ‘મારે અહિંસા કેળવવાની છે’ એ માટે પૂંજવા પ્રમાર્જવાનું ચૂકવું ન જોઇએ...’ વગેરે કે ‘મારે ક્ષમા સાધવાની છે’ ‘એ માટે ક્રોધ કરાય નહીં...' વગેરે ઉપયોગ તો હોતો નથી (કારણ કે ઉપયોગ સ્વાધ્યાયમાં છે). તો કોઇ ચીજ લેવા-મૂકવાનો પ્રસંગ આવે ત્યારે પૂંજવા-પ્રમાર્જવાની યાદ કે ક્રોધનું નિમિત્ત મળે ત્યારે ક્રોધનિરોધ કરવાની યાદ કોણ આપે ? ને જો એ યાદ ન આવે તો તો અનાદિસંસ્કારવશાત્ વગર પૂંજ્યું-પ્રમાર્થે વસ્તુની લે–મૂક કે ક્રોધાદિ જ થઈ જાય. ને તો તો અહિંસા-ક્ષમા વગેરેમાં આગેકૂચને બદલે પીછેહઠ જ થઈ જાય. પણ આવું બનતું નથી. ઉપયોગ ભલે અન્યત્ર હોય, પ્રણિધાન સાધકને યાદ આપી જ દે છે કે “જો જે પૂંજ્યા વિના લે-મૂક ન કરીશ’... ‘જો જે ક્રોધ ન થઈ જાય...’ અને તેથી અહિંસા-ક્ષમા વગેરેની સાધના વણથંભી આગળ વધતી રહે છે. આમ આ પ્રણિધાનના પ્રભાવે જ એક સાથે અનેક સાધના સાધક માટે શક્ય બને છે. ન જયણા વગેરે રૂપ અહિંસાની પ્રવૃત્તિકાળે તો ઉપયોગ હોવાથી અલ્પક્ષયોપશમે પણ અહિંસાની પ્રવૃત્તિ(=અહિંસાની સાધક હોય એવી પ્રવૃત્તિ ને બાધક હોય એનાથી નિવૃત્તિ) થાય છે. પણ જ્યારે અન્યત્ર ઉપયોગ હોય ત્યારે, વિપરીત પરિસ્થિતિ નિર્માણ થવા પર તરત સાવધાની આપનાર વિશિષ્ટક્ષયોપશમને આ પ્રણિધાન જ કેળવી આપે છે. પેંડાની બાધા લીધા પછી, બે-ચાર મહિના બાદ અચાનક ખાવાનો પ્રસંગ આવવા પર ‘મારે બાધા છે’ આ યાદ, વિશિષ્ટ ક્ષયોપશમ વિના આવે નહીં, ને પેંડો ખવાઈ જાય એવું બની શકે છે. આવો વિશિષ્ટ ક્ષયોપશમ, બાધા લેતી વખતે કરેલા દઢસંકલ્પથી કે બાધા લીધા બાદ વારંવાર એને યાદ કરવાથીટૂંકમાં દઢપ્રણિધાન ઊભું કરવાથી-થાય છે. માટે સાધકે, પોતે જે જે સાધના કરવી છે એને વારંવાર યાદ કરવી જોઇએ. સાધુઓને રોજ નવવાર કરેમિ ભંતે! ને પાક્ષિક પ્રતિક્રમણમાં મહાવ્રતોનું ઉચ્ચારણ જે કરવાનું હોય છે તેની પાછળ આ પણ એક મહત્ત્વનું કારણ છે. માટે પચ્ચકખાણ-અભિગ્રહ-વ્રત-નિયમને વારંવાર યાદ કરવાનું શાસ્ત્રમાં ‘પાલિયં’ શબ્દથી જણાવ્યું છે. પ્રણિધાનનો પ્રભાવ - (૧) ઉપરોક્ત વિશિષ્ટ ક્ષયોપામ પેદા થવો ને એના પ્રભાવે એક સાથે પ્રણિધાનનો પ્રભાવ 17 Page #35 -------------------------------------------------------------------------- ________________ અનેક સાધનાઓ શક્ય બનવી. (૨) જે મેળવવું હોય-જે સાધવું હોય તે ‘ઉપય’ કહેવાય. ઉપેયની સિદ્ધિનાં જે કારણ (સાધન) હોય તે ‘ઉપાય’ કહેવાય છે ને જે બાધક હોય તે ‘અપાય’ કહેવાય છે. પ્રણિધાન આ સાધક તત્ત્વોને ને બાધક તત્ત્વોને જાણવાની પ્રબળ જિજ્ઞાસા પેદા કરે છે. આ જિજ્ઞાસા, ઉપાય-અપાયની જાણકારી મેળવી આપનાર સામગ્રી-જ્ઞાન વગેરેની શોધ કરાવે છે. ક્યારેક એવા સંયોગ-સામગ્રી - ન મળે તો પણ સ્વયં એવો ક્ષયો પરામ થાય છે ને ઉપાય-અપાયને પરખી શકાય છે. Neccessity is mother of invention (આવશ્યકતા એ શોધખોળની માતા છે.) (૩)ઉપેયની પ્રાપ્તિ માટે ઉપાયોને અજમાવવા (ઉપાયમાં પ્રવૃત્તિ કરવી અને અપાયોથી દૂર રહેવું (અપાયથી નિવૃત્તિ કરવી) એ આવશ્યક હોય છે. પ્રણિધાનથી આ બન્નેમાં નિયમિતતા-ચોકસાઇ આવે છે. અન્યથા ક્યારેક આ પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય... ક્યારેક ન થાય એવું અનિયમિતપણું પેદા થાય... ને ક્યારેક એ બન્ને સાવ છૂટી જાય... એવું પણ બને. (૪) પ્રણિધાન આ ઉપાયપ્રવૃત્તિ ને અપાયનિવૃત્તિમાં યત્નાતિશય લાવે છે. અર્થાત્ એ પ્રવૃત્તિ-નિવૃત્તિનો વધુ દૃઢ-ખંતીલો-ચોકસાઇવાળો પ્રયત્ન કરાવે છે. આ બાબતમાં પ્રણિધાન એ ખરેખર ચમત્કારસર્જક પરિબળ છે. આરોગ્યપ્રાપ્તિના સં૫વાળા દર્દીને અપથ્યત્યાગ- પથ્યપાલનની કેવી કાળજી હોય છે. નાચગાન વગેરે અન્ય પ્રવૃત્તિમાં તલ્લીન બની ગયેલા પણ ડાયાબિટીસના દર્દીને કોઇ મિઠાઇ ધરે તો તરત ‘એ નથી ખાવાની’ એ કેવું યાદ આવી જાય છે... ને કોઇ ગમે તેટલો આગ્રહ કરે તો પણ કેવો મક્કમતાપૂર્વક એ એનો નિષેધ કરે છે... આ પ્રણિધાનનો પ્રભાવ છે. સંયમજીવન લીધા પછી પણ સંયમપાલનને અનુકૂળ ને પ્રતિકૂળ બાબતોની ઝીણી ઝીણી કાળજી જાણવાની જિજ્ઞાસા જાગતી ન હોય, કે એ જાણવા મળ્યા પછી પણ અનુકૂળ બાબતોની પ્રવૃત્તિમાં સહજ હોંશ અનુભવાતી ન હોય, પ્રતિકૂળ બાબતોની નિવૃત્તિમાં સ્વારસિક આગ્રહ બન્યો રહેતો ન હોય, તો સમજવું જોઇએ કે પ્રણિધાનની ક્યાશ છે. પ્રણિધાનની આ કચાશ ફળાકાંક્ષાની તીવ્રતાથી તોડી શકાય છે. ફળની અકાંક્ષા જેવી તીવ્ર એવું પ્રણિધાન તીવ્ર . . અને પ્રણિધાન જેવું તીવ્ર એવો યત્નાતિશય દઢ... પ્રવૃત્તિ પાવરફુલ... 18 યોગવિંશિકા...૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ નિર્વેદ જેમ પ્રબળ એમ પાપભય વધારે ને તેથી પાપનિવૃત્તિ વધારે. સંવેગ જેમ ઝળહળતો એમ શુભકાર્યનો આદર વધારે.. ને એ આદર જેમ વધારે તેમ શુભ પ્રવૃત્તિ, એની ચોકસાઇ, એનું વૈશિષ્ટય... બધું જ વધારે. (આ બધું યત્નાતિશય છે.) પ્રણિધાન જો મંઠ હોય તો તીવ્રપ્રવૃત્તિ પણ ક્યારે ઢીલી પડી જાય... ક્યારે અટકી જાય... કે ક્યારે વિપરીત થઇ જાય. .. કશું કહેવાય નહીં. આની સામે પ્રણિધાન જો તીવ્ર હોય તો મંઠપ્રવૃત્તિ પણ ધીમે-ધીમે તીવ્ર બનતી જાય, તેમજ તીવ્રપ્રવૃત્તિ ક્યારેય મંદ ન પડે કે અટકી ન જાય... પરિસ્થિતિવશાત્ ક્યારેક પ્રવૃત્તિ અટકે તો પણ એ ધર્મસ્થાનના હ્રાસરૂપ કે ભ્રંશરૂપ ન બને... એટલે કે અત્યાર સુધીમાં પ્રવૃત્તિ દ્વારા જે પ્રગતિ સાધી છે એમાંથી પીછેહઠ ન થાય કે પ્રગતિ સંપૂર્ણતયા ખતમ થઈ જાય એવું ન બને. પ્રણિધાનપૂર્વક તપશ્ચર્યા કરનારો રોગ કે વૃદ્ધ અવસ્થામાં તપ ન કરી શકે તો પણ ક્યારે ચાન્સ મળે ને તપ કરી લઉં એવા વિચારમાં રમ્યા જ કરતો હોય. ને તેથી એ તપનું વિશ્રામસ્થાન કહેવાય, ભ્રંશ નહીં. વૈરાગ્ય એ બીજા શબ્દોમાં સંયમનું ઉપાદેયત્વ પ્રણિધાન છે. મંઢવૈરાગ્યવાળા સાધુને દેવલોકમાં સમ્યક્ત્વ જાળવવું કઠિન હોય છે. પ્રબળ વૈરાગ્યવાળા સાધુને દેવલોકમાં ચારિત્રમોહનીયનો ઉદય હોય છે, પણ એ દર્શનમોહનીયના ક્ષયોપશમથી અનુવિદ્ધ હોય છે. ને તેથી સમ્યક્ત્વ જળવાઈ રહે છે. માટે ત્યાં એને સંયમનો ભ્રંશ નથી કહ્યો, પણ વિશ્રામસ્થાન કહ્યું છે. આમ પ્રણિધાન જો અક્ષત હોય, તો પ્રવૃત્તિ અટકી જવા છતાં ધર્મસ્થાનથી ભ્રષ્ટ થવાનું નુક્શાન થતું નથી. આવું જ ઔડિયભાવ માટે પણ છે. પૃથ્વીકાય વગેરે જીવોને હિંસા વગેરેની કે ક્રોધ વગેરેની વ્યક્ત બધી જ પ્રવૃત્તિઓ અટકી ગઈ હોવા છતાં હિંસાદિનું ને ક્રોધાદિનું પ્રણિધાન અક્ષત હોવાથી હિંસા વગેરેપાપસ્થાનથી ભ્રષ્ટ થવાનો (=હિંસાની વિરતિ પ્રાપ્ત થવાનો) લાભ થતો નથી. પ્રણિધાન હોય ને પ્રવૃત્તિ ન હોય એ પરિસ્થિતિ વિચારી લીધી. હવે, પ્રવૃત્તિ હોવા છતાં જો પ્રણિધાન ન હોય, ઉપરથી વિપરીત પ્રણિધાન હોય, તો શું થાય ? એ વિચારી લઇએ. પ્રણિધાનની અસરો 19 Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કરતાં વિરુદ્ધ પ્રણિધાન પ્રવૃત્તિમાં અરુચિ ઊભી કરે છે, ધીમે ધીમે પ્રવૃત્તિને છોડાવે છેને એ રીતે પ્રવૃત્તિનું બાધકને નાશક બને છે. આ વાત પણ ઔદયિક નેક્ષાયોપથમિક બન્ને ભાવો માટે છે. જ્ઞાનોપાર્જન વગેરે ક્ષાયોપથમિક ભાવની પ્રવૃત્તિ છે. પણ એશઆરામ વગેરેનું પ્રણિધાન ઊભું થઈ જાય તો એમાં ખામી આવવા માંડે જ. ને ક્ષાયોપથમિકભાવ ધીમે ધીમે ઔદયિકભાવમાં પરિણમવા માંડે. અવિરતસમ્યક્તીને અવિરતિની પ્રવૃત્તિ ઔદયિકભાવ છે. છતાં, રત્નત્રયીના પ્રણિધાનરૂપ ભાવસભ્યત્વ અવિરતિને કમશઃ ખસેડી ક્ષાયોપથમિકભાવાત્મક ચારિત્રને ખેંચી લાવે છે. ક્યારેક પ્રમાદાદિવશાત્ પ્રણિધાનથી વિપરીત પ્રવૃત્તિ થાય તો પણ એટલા માત્રથી પ્રણિધાન ચાલ્યું જ જાય એવું નથી. જેમ ક્ષમાના સાધકે ક્રોધને નિષ્ફળ કરવાની ઉદયનિરોધ, ઉદયવિકલીકરણ કે ઉદયાનન્તર પશ્ચાત્તાપ એમ ત્રણ રીત છે. એમ પ્રણિધાન અંગે જાણવું. સ્વાધ્યાયનો અવસર છે, પણ વાચાળ વ્યક્તિ વાતોનો પ્રારંભ કરવાની ભૂમિકા કરી રહી છે. (૧) પોતાના મનમાં વાતોએ વળગવાની ઇચ્છા જ ન જાગે. આ પલિમન્થનો અનુદય (ઉદયનિરોધ) છે. (૨) આકર્ષક વાતો સાંભળવાની ઈચ્છા પેદા થઈ જાય-રસ જાગ્રત થાય... પણ “સ્વાધ્યાય ઘવાશે આ નજરમાં રમાડવા દ્વારા ઇચ્છાને વશ ન થાય... ને સ્વાધ્યાય અખંડ રાખે... આ ઉદયપ્રાપ્ત પલિમથને નિષ્ફળ ર્યો કહેવાય. (૩) વાતોના રસને વશ થઈ થોડી વાતો કરી લીધી. સ્વાધ્યાયની હાનિ થઈ... છતાં પાછળથી પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત કરવામાં આવે, વાતોમાં ગયેલા સમય જેટલો અધિક સ્વાધ્યાય વાળી આપવામાં આવે તો એ ઉદયાનન્તર પશ્ચાત્તાપ કહેવાય. આ પણ પલિમન્થને નિષ્ફળ કરે છે. કારણકે પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપના કારણે સ્વાધ્યાયના રસની હાનિ થતી નથી. પણ વારંવાર જો પ્રણિધાનથી વિપરીત પ્રવૃત્તિ કર્યા કરવામાં આવે તો પાછળનો પશ્ચાત્તાપ કુંભારના મિચ્છામિદુક્કડે જેવો થવાની સંભાવના હોવાથી પ્રણિધાન પણ ઘસાવા માંડે એ જાણવું. (૫) પ્રણિધાનનો એક વિશિષ્ટ પ્રભાવ એ છે કે સાધનામાં આવતા વિનો પર વિજય મેળવવાનું ને એના દ્વારા સાધનાને અસ્મલિત રાખવાનું બળ મળ્યા કરે [20] યોગવિંશિકા...૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ આ બધા કારણસર સાધના પર જોર આપવા સાથે પ્રણિધાન પર પણ વિશેષ જોર આપવું જોઇએ. હવે ગ્રન્થપંક્તિઓને અનુસરીએ.... હીનગુણજીવો પર દ્વેષ વિનાનો, પરોપકારની વાસનાથી યુક્ત એવો અધિકૃત અહિંસાદિ ધર્મસ્થાનનો ‘આ મારે વ્ય છે’ એવો કર્તવ્યતા ઉપયોગ એ પ્રણિધાન છે. અર્થાત “મારે અહિંસા સિદ્ધ કરવાની છે’ આવા સંકલ્પથી રંગાયેલું ચિત્ત... સાથે સાથે હીનગુણદ્વેષાભાવવાળું ને પરોપકારવાસનાવિશિષ્ટ હોય તો એ ‘પ્રણિધાન આશય’ છે એમ સમજવું. હીનગુણદ્વેષાભાવ - અહિંસા વગેરે અંગે પોતે જેટલી પ્રગતિ સાધેલી હોય તેના કરતાં ઓછી પ્રગતિવાળા જીવો એ હીનગુણજીવો. એમ જેઓએ હજુ કી પ્રગતિ સાધેલી નથી એવા જીવો એ ગુણહીનજીવો. આ બધાને અહીં હીનગુણજીવો તરીકે કહ્યા છે. આ બધાને અધસ્તનગુણસ્થાનવર્તી જીવો પણ કહેવાય ‘આનામાં જયણા બહુ ઓછી....’ ‘આ તો નિર્દય છે.’ વગેરે તિરસ્કારયુક્ત વિચારો ધરાવતું ને એવા વચનો બોલાવતું ચિત્ત એ દ્વેષયુક્તચિત્ત છે. ‘ પ્રણિધાન’ માટે આવું ચિત્ત ન જોઇએ. પણ ‘તેઓ અહિંસામાં – જયણામાં આગળ કેમ વધે?’ એવી કરુણા વહાવતું ચિત્ત જોઇએ. દુર્ભાવના બદલે વહાવાતી આ કરુણા પોતાને વિઘ્નજય કરાવે છે. વળી એ ગર્વના પરિહારરૂપ છે, માટે સિદ્ધિ સુધી પહોંચાડે છે. એના બદલે દ્વેષ / તિરસ્કાર એ સ્વપ્રાપ્તગુણના ગર્વ-અહંકારરૂપ છે, જે પ્રાપ્તગુણથી જીવને ભ્રષ્ટ કરવા સમર્થ છે. માટે દુર્ભાવ જાગવા માંડે તો પણ એને અટકાવી કરુણા વહાવવા તરફ ઢળતું ચિત્ત કેળવવું જોઇએ. આવા ચિત્તને ષોડશકજીમાં અધઃકૃપાનુગં કહ્યું છે. આ અધઃકૃપામાં બે અંશ આવે છે – ઉપબૃહણા અને પ્રેરણા (પ્રોત્સાહન). હીનગુણજીવો જે થોડુંઘણું પણ પાલન કરતાં હોય એની ઉપબૃહણા. એ જીવો અધિક પાલન કરે એ માટે ને ગુણહીનજીવો કંઇક પણ પ્રારંભ કરે એ માટે એને પ્રેરણા-પ્રોત્સાહન આપવા આ બન્ને હોય તો કૃપા છે એમ કહેવાય જે ક્ષયો પરામને વિશિષ્ટતા બક્ષવા દ્વારા પ્રગતિ કરાવે છે. પરોપકારવાસનાવિશિષ્ટ - સ્વાર્થપ્રધાનચિત્ત સાધનાને અયોગ્ય છે. ‘મારું કામ વિલંબમાં પડશે... અટકી જશે... મારે જરૂર હતી ત્યારે એણે મને સહાય કરી નહોતી... એ મારાથી આગળ વધી જશે...’ આવો કોઇ વિચાર પરોપકારની અટકાયત હીનગુણદ્વેષાભાવ 21 Page #39 -------------------------------------------------------------------------- ________________ ન કરે એવું ચિત્ત ઘડવું જોઇએ. ક્યારેક સંસ્કારવશાત્ સ્વાર્થ ધસી આવે તો પણ એના પશ્ચાત્તાપ – પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા પરોપકારની વાસનાનું ઘડતર અક્ષત રાખવું જોઇએ. ‘પર’ વ્યક્તિઓ ત્રણ કક્ષાની હોય છે. પોતાના કરતાં નિમ્ન, સમાન અને અધિક. ભક્તિ ઐચ્છિક છે... પણ આ ત્રણે પ્રત્યે સહાયકતા તો જોઇએ જ. એટલે વિહાર કરીને આવેલા મહાત્માના મુખ પર થાક સ્પષ્ટ વરતાતો હોય... ને છતાં સહાયક ન બનીએ... એમને ગોચરી ન લાવી આપીએ... અથવા યોગ્ય ઘર વગેરે ન બતાવીએ... તો ચારિત્રમોહનીય બંધાય... સંયમસ્થાનમાં નીચે ઉતરવાનું થાય. વળી એમાં દર્શનાચારનું પણ પાલન ન થવાથી એનો પણ અતિચાર - ભંગ લાગે. એટલે પરોપકારવાસિતચિત્ત ન કહેવાય. આમાં વિવક્ષિત ધર્મસ્થાનનો પરોપકાર મુખ્ય સમજવાનો છે. અન્ય બાબતોનો પરોપકાર પણ સામાન્ય તો હોય જ. प्रणिधानं तत्समये स्थितिमत्तदधः कृपानुगं चैव । निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ॥ ( षोड. ३-७) तत्समये = प्रतिपन्नधर्मस्थानमर्यादायां स्थितिमत् = अविचलितस्वभावं तदधः = स्वप्रतिपन्नधर्म स्थानादधस्तनगुणस्थानवर्तिषु कृपानुगं करुणापरं, न तु हीनगुणत्वात्तेषु द्वेषान्वितम्, વુમમ્ ॥ शेषं = વૃત્તિઅર્થ : પોડાક (૩-૭) માં કહ્યું છે કે સ્વીકૃતધર્મસ્થાનની મર્યાદામાં સ્થિરતાવાળું, તધોવર્તી જીવો પર કરુણાસભર અને પરાર્થનિષ્પત્તિપ્રધાન એવું નિરવદ્યવસ્તુવિષયક ચિત્ત એ ‘પ્રણિધાન’ છે. (અ શ્લોકના કેટલાક રાબ્દોનો વિશેષાર્થ) તત્સમયે=સ્વીકૃતધર્મસ્થાનની મર્યાદામાં સ્થિતિમત્-અવિચલિતસ્વભાવવાળું. તધઃ = પોતે સ્વીકારેલા અહિંસાદિ ધર્મસ્થાનથી નીચલા ગુણસ્થાનમાં રહેલા જીવો પ્રત્યે કૃપાનુગ-કરુણાતત્પર (ચિત્ત જોઇએ), નહીં કે તેઓ હીનગુણી હોવાથી તેઓ પરના દ્વેષવાળું. બાકીના પદો સુગમ છે. વિવેચનઃ અવિચલિતસ્વભાવ - વિવક્ષિત ધર્મસ્થાનને સાધવાનો જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી જ્યાં સુધી સિદ્ધિ ન થાય ત્યાં સુધી એ સંકલ્પ ઉપયોગરૂપે કે સંસ્કારરૂપે ચિત્તમાં રમતો રહેવો એ અવિચલિતસ્વભાવ કહેવાય. જ્યારે ધર્મસ્થાનના ઉપાયની પ્રવૃત્તિ હોય ત્યારે તો ઉપયોગરૂપે પણ હોય, પણ એ સિવાય પણ 22 યોગવિંશિકા...૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારરૂપે તો એ અંદર પડેલો જ હોય. આનાત્રણ લાભ છે - (૧) જ્યારે પહેલેથી કોઈ સંભાવના ન હોય એવો પણ અચાનક વિવક્ષિત ગુણના ઉપાયનો કોઈ અવસર લાધી જાય તો એ ઉપાયને વધાવી લેવાનું શક્ય બને છે. (૨) જ્યારે અન્ય પ્રવૃત્તિનો અવસર હોવાથી ઉપયોગ એમાં હોય ત્યારે પણ આવી પડતો બાધક સાધનાને ઠેસન પહોંચાડી જાય એ માટે સાવચેતી મળે છે. તથા (૩) પ્રતિપક્ષી પ્રવૃત્તિકાળે પ્રતિપક્ષના આકર્ષણને એવું પ્રબળ બનવાદે કે જેથી વિવક્ષિત પ્રવૃત્તિનો રસ મોળો પડી જાય. જેમકે વેપારના અવસરે વેપારનો એવો રસ ન પેદા થવા દે કે જેથી પૂજાના અવસરે પણ વેપારનો રસ જ રહ્યા કરે... ને પૂજાનો રસ મરી જાય. કંઇક વિચિત્ર પરિસ્થિતિ સર્જાવા પર સંકલ્પ ખસી જાય તો અવિચલિત સ્વભાવવાળોનકહેવાય. જેમકેનીતિ જાળવવાનો નિર્ણય કર્યો. પણ બીજાની અનીતિ ને યોગાનુયોગ થયેલી જાહોજલાલી જોઈને કે પોતાને નીતિપાલનમાં પ્રારંભે થોડી વિકટ સ્થિતિ નિર્માણ થવા પર નીતિ જાળવવાના સંકલ્પમાંથી મન વિચલિત થઈ જાય તો પૂર્વે કરેલો નીતિનો નિર્ણય પણ અવિચલિતસ્વભાવવાળોન હોઇ પ્રણિધાન આશયરૂપ નહોતો એ જાણવું. આમાં, કામચલાઉ પ્રવૃત્તિ અટકે, પણ નિર્ણય ન ખસે તો વિપ્નથી પ્રવૃત્તિનો પ્રતિબન્ધ છે, પણ પ્રણિધાન ઊભું છે. પણ નિર્ણય જ જો ખસી જાય, તો અવિચલિતસ્વભાવ ન હોવાના કારણે પ્રણિધાન જ નથી એમ માનવું પડે. * “ક્વચિત તે નિમિત્તોના સેવનકાળમાં ( વિવક્ષિત ધર્મસ્થાનના ઉપાયોના સેવનકાળમાં) માનસ અલના થતી હોય તો પણ વાસનારૂપે અવિચલિત સ્વભાવવાળું હોય. 'વિનિતસ્વમાd પદનો આવો રહસ્યાર્થ યોગ્ય જણાતો નથી, કારણકે આવો જ જો અર્થ લેવાનો હોય તો નિમિત્તોના અસેવનકાળે પણ વાસનારૂપે (સંસ્કારરૂપે) એ જે અવિચલિતસ્વભાવવાળું હોય છે એ અર્થ મળી શક્તો નથી. અને, અસેવનકાળે જો ચિત્ત અવિચલિતસ્વભાવવાળું ન હોય તો એ વખતે વિવક્ષિતધર્મસ્થાનનો બાધક ઉપસ્થિત થવા પર સાવચેતી મળે નહીં, ને તેથી સાધનાને ઠેસ લાગી જાય. પૂર્વે જણાવ્યા મુજબ એકી સાથે અનેક સાધના સંભવિત ન રહે. વળી, જ્યાં સુધી વિવક્ષિતધર્મસ્થાનની સિદ્ધિ થઈ નથી ત્યાં સુધી નિમિત્તોનું સેવન કાંઇ સતત ચાલ્યા જ કરે છે એવું હોતું નથી. વચ્ચે વચ્ચે અન્ય સાધનાદિકાળે વિવક્ષિતસાધનાના નિમિત્તોનો અસેવનકાળ પણ આવ્યા કરે છે. પણ એ વખતે પણ ચિત્ત અવિચલિતસ્વભાવવાળું જોઈએ જ એવું ષોડશજીની વૃત્તિમાં તત્સિદ્ધિ યાવતું' એવા શબ્દો દ્વારા સ્પષ્ટ રીતે જણાવ્યું જ છે. અિવિચલિત સ્વભાવ (23) Page #41 -------------------------------------------------------------------------- ________________ નિરવઘવસ્તુવિષયક - અધિકૃતધર્મસ્થાન અંગેના ચિત્તની વાત ચાલે છે. એટલે એ નિરવઘવસ્તુવિષયક હોય જ. (કારણકે ધર્મસ્થાન એ સાવઘવસ્તુ નથી.) આવા અભિપ્રાયથી શ્રી ઉપાધ્યાયજી મહારાજે યોગવિંશિકાની પ્રસ્તુત વૃત્તિમાં આ વિશેષણ મૂક્યું નથી. તેમ છતાં ષોડશકચ્છમાં આવતું આ વિશેષણ તેઓશ્રીએ પણ યોગલક્ષણાત્રિશિકામાં ચિત્ત પાપવિવર્ણિતમ્ એ રીતે મૂક્યું તો છે જ. વેપાર વગેરેનો દઢર્તવ્યતા ઉપયોગ સાવદ્ય હોવાથી જેમ પ્રણિધાન આશયમાંથી બાદ થઈ જાય છે, એમ સામાયિકમાં પૂજાવિષયક કે પૂજામાં સામાયિકવિષયક ચિત્ત પણ અપ્રસ્તુતવિષયક હોવાથી પ્રસ્તુતકાર્યનું સાધક ન બનતાં બાધક બને છે. માટે ઉપલક્ષણથી ‘અપ્રસ્તુતાવિષયક ચિત્ત પણ સમજવું એમ અનાદર, અવિધિ, અકાળ ઉતાવળવિલંબ-અન્યમુદ્દવગેરે દોષોથી પણ રહિત ચિત્ત સમજવું. ટૂંકમાં સ્વદૂષક કેસ્વનાશક જે કાંઇ હોય તેનાથી રહિત ચિત્ત પ્રણિધાનઆશયમાં આવશ્યક છે. (પ્રણિધાન વગેરે પાંચે આશયોના વિસ્તૃત વિવેચન માટે મારું સિદ્ધિનાં સોપાન” પુસ્તક જોવા માટે ભલામણ છે.) __ अधिकृतधर्मस्थानोद्देशेन तदुपायविषय इतिकर्तव्यताशुद्धः शीघ्रक्रियासमाप्तीच्छादिलक्षणौत्सुक्यविरहित': प्रयत्नातिशय: प्रवृत्तिः। आह च વૃત્તિઅર્થ : અધિકૃત ધર્મસ્થાનના ઉદ્દેશપૂર્વક તેના ઉપાય અંગે ઇતિકર્તવ્યતાથી શુદ્ધ અને શીધ્ર કિયા સમાપ્તિ થાય એવી ઇચ્છા વગેરે સ્વરૂપ સુક્યથી રહિત એવો પ્રયત્નાતિશય એ પ્રવૃત્તિ આશય છે. પોડકજીમાં કહ્યું વિવેચનઃ હવે પ્રવૃત્તિઆશયનું નિરૂપણ કરવામાં આવે છે. (૧) ઇતિકર્તવ્યતાશુદ્ધ - ઇતિએ પ્રમાણે... એટલે કે શાસ્ત્રમાં જે રીતે વિહિત હોય એ પ્રમાણે... બધી કર્તવ્યતાઓ વિધિઓ જળવાઈ રહે એ રીતે કરાતો પ્રયત્ન એ ઈતિર્તવ્યતાશુદ્ધ પ્રયત્ન કહેવાય. આનો ભાવાર્થ આવો છે અહિંસા વગેરે અધિકૃત ધર્મસ્થાનના જે ઉપાયને જ્યારે અજમાવવાનો હોય ત્યારે “અત્યારે મારે આ ઉપાય અંગે જ પ્રયત્ન કર્તવ્ય છે, ને જે પ્રમાણે શાસ્ત્રમાં એના વેળા-વિધિ વગેરે કહ્યા હોય) એ પ્રમાણે જ (ઉપાયવિષયક આ) પ્રયત્ન (24) યોગવિંશિકા...૧૩ 24 Page #42 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય છે આવા અસન્દિષ્પનિર્ણયપૂર્વક જે પ્રયત્ન કરાયતે ઇતિર્તવ્યતાશુદ્ધ પ્રયત્ન કહેવાય છે. શક્તિને ગોપવ્યા વિના પ્રયત્ન થાય તો સિદ્ધિ સિદ્ધ થાય છે. જ્યાં સુધી અનેક વિકલ્પિત ઉપાયો વચ્ચે મન ઝોલા ખાતું હોય ત્યાં સુધી યોગ્ય ઉપાયને પણ પૂરી તાકાતથી અજમાવી શકાતો નથી. વળી વેળા-વિધિ વગેરે ન સચવાય તો પણ એ પ્રયત્ન પરિપૂર્ણ બની શકતો નથી. માટે ઉક્ત અસન્દિગ્ધ નિર્ણય આવશ્યક છે. પ્રણિધાન આશયમાં કહેલો અવિચલિત સ્વભાવ ઉપાયવિધિ અંગેની જિજ્ઞાસા જગાડે છે, જેના પ્રભાવે સ્વયં કે અન્ય યોગ્ય વ્યક્તિ દ્વારા એનો અસન્દિગ્ધ નિર્ણય થાય છે. ક્યારેક બાહ્ય ઉપાયાદિનું જ્ઞાન નથાય તો પણ કશો વાંધો આવતો નથી, ને અભ્રાન્તપ્રવૃત્તિ થયા કરે છે. (૨) ઔસુક્યાદિરહિત - “ઉપાયની પ્રવૃત્તિ અંગે ‘આ શીધ્રપૂર્ણ થાય એવી ઇચ્છા એ સુક્ય છે. એ જ રીતે ‘આદિ પદથી વિવતિ કાર્ય સિવાયના અન્ય કાર્યની ઇચ્છા તેમજ અકાળફળેચ્છા.... વગેરે પણ ઔસ્ક્ય દોષરૂપ છે એ જાણવું. વિવક્ષિત ઉપાયના અવસરે બીજા-ત્રીજો ઉપાય કે બીજી-ત્રીજી સાધના સાધી લેવાની ઈચ્છા ચાલુ ક્યિા શીધ્ર પૂર્ણ થાય એવી ઇચ્છા જગાડે છે. એટલે ઝડપથી ક્યિા કરવાનો અભિપ્રાય ઊભો થાય છે. જે વિધિ-વેળા વગેરેમાં ગરબડ ઊભી કરે છે. એ જ રીતે સાધનાનું અકાળે (વહેલું) ફળ મેળવી લેવાની ઇચ્છા તથા અન્ય સાધના કરવાની ઇચ્છા, સાધકના વિવક્ષિત ક્રિયાના ઉપયોગને શિથિલ બનાવી ગરબડ ઊભી કરે છે. માટે આવું કોઈ ઔસુક્ય ન હોય તો જ યથાર્થ પ્રયત્ન થઈ શકે છે. માટે અહીં ઔસુક્યાદિદોષોથી રહિત પ્રયત્ન હોવો જોઈએ એમ કહ્યું છે. (૩) પ્રયત્નાતિશય - વિક્ષિત ઉપાય અંગે પૂર્વે જે પ્રયત્ન હોય એના કરતાં અધિક પ્રયત્ન કરવો એ પ્રયત્નાતિશય છે. વધુ વીર્યસ્કુરણ, વધુ ચોકસાઈ, વધુ એકાગ્રતા, વધુ ઉલ્લાસ... વગેરે બધું જ અધિક પ્રયત્નરૂપ કહેવાય. બ્રહ્મચર્યગુણની સિદ્ધિ માટે શ્રાવક પાંચતિથિના બ્રહ્મચર્ય પરથી સતિથિના બ્રહ્મચર્યપાલન પર આવે.. પછી બારતિથિમાં આવે... આ બધું યત્નાતિશય કહેવાય. એમ પાલનના દિવસે સ્પર્શ વગેરે પણ વર્જવા... મનમાં પણ વિકાર ન ઊઠે એ રીતે ભાવિત થતા જવું.. આ બધું પણ યત્નાતિશય કહેવાય. પ્રવૃત્તિના પ્રારંભે મનને... “મારે મારું વીર્ય ગોપવવું નથી. બીજા-ત્રીજા ( પ્રવૃત્તિમાય છે (25 Page #43 -------------------------------------------------------------------------- ________________ વિચારોમાં જવાનું નથી.' વગેરે રીતે સજ્જ કરી દેવાથી યત્નાતિશય લાવી શકાય છે. વિવક્ષિત ક્રિયાથી થનાર આત્મહિતની કમાણીને વારંવાર યાદ કરવાથી પણ એ પ્રત્યેનો આદર વધવા દ્વારા યત્નાતિશય આવે છે. ઇતિકર્તવ્યતાશુદ્ધિ ન હોય કે ઔત્સુક્યાદિ દોષ હોય તો પ્રયત્નમાં અતિશય આવી શકતો નથી. ને તેથી યત્નાતિશયના કારણે ચિત્તની જેસ્થિરપરિણતિ – એકાગ્રતા પ્રગટવી જોઇએ એ પ્રગટતી નથી. દ્વાત્રિંરાદ્ દ્વાત્રિંશિકા ગ્રન્થમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો પ્રકૃતસ્થાનમાં યત્નાતિશયથી ઉત્પન્ન થયેલી અને અધિક યત્નાતિશયને ઉત્પન્ન કરનારી, અન્યાભિલાષ રહિત એવી ચિત્તની સ્થિર પરિણતિને જ પ્રવૃત્તિઆરાય તરીકે જણાવેલી છે. યત્નાતિરાયથી એકાગ્રતા આવે છે ને એકાગ્રતાથી યત્નાતિશય વધે છે. એમ ઉત્તરોત્તર બન્ને વધતા જાય છે. સામાન્યથી પ્રયત્નપૂર્વક થયેલી પ્રશસ્તપ્રવૃત્તિ આદર-એકાગ્રતાદ્વારા ક્ષયોપામ વધારે છે ને પછી એ ક્ષયોપરામ વધારે ઊંચી પ્રવૃત્તિ કરાવે છે જે વધારે ઊંચો ક્ષયોપશમ પ્રગટાવે છે. આમ ઉત્તરોત્તર ચાલે છે. એનાથી વિપરીત, ઇચ્છાપૂર્વક કરાયેલી અપ્રશસ્તપ્રવૃત્તિ, પૂર્વે થયેલા ક્ષયોપરામને આવરે છે, ને ઔયિકભાવને વધારે છે. ને વધેલો એ ઔદિયકભાવ પાછો અપ્રશસ્તપ્રવૃત્તિ વધારે છે. એમ ઉત્તરોત્તર બન્ને વધતા જાય છે, ને ક્ષયોપામ તો ક્યાંય આવરાઇ જાય છે. જેમકે ચંડકૌશિક સર્પના જીવનો ક્રોધ... જેમ ઔત્સુક્સ વગેરે દોષ યત્નાતિશયના અને એકાગ્રતાના બાધક છે એમ અન્યાભિલાષ પણ બાધક છે. વિરુદ્ધ અભિલાષ અને સ્વપક્ષીય અન્યાભિલાષ આ બન્ને અહીં ‘અન્યાભિલાષ’ તરીકે અભિપ્રેત છે. માટે અન્યાભિલાષ ટાળવો. વળી, અન્યાભિલાષની જેમ વિક્ષેપને ટાળવો પણ આવશ્યક હોય છે, કારણકે એ પણ યત્નાતિશય તથા એકાગ્રતાનો બાધક બનવા દ્વારા ક્ષયોપશમનો નારાક બની શકે છે. એક કલાક નિરંતર સ્વાધ્યાય કરનારો વચ્ચે કોઇ આવ્યુંને નિષ્કારણ પાંચ મિનીટ ગપ્પાં મારી દે તો સ્વાધ્યાયના પ્રવૃત્તિ આરાયમાં આગળ ન વધી શકે. વિક્ષેપ ટળે તથા યત્નાતિશય ને એકાગ્રતા કેળવાય એ માટે દસત્રિકમાં નિસિહી ત્રિક. દિશાત્યાગત્રિક વગેરે છે. 26 યોગવિંશિકા...૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ સાતત્ય યત્નાતિશયને લાવનાર છે. વિક્ષેપ સાતત્યને ખંડિત કરવા દ્વારા યત્નાતિશયનો બાધ કરે છે. આ બધી વાતો પ્રશસ્તની જેમ અપ્રશસ્ત પ્રવૃત્તિને પણ લાગુ પડે છે. એટલે આહારસંશા-મૈથુનસંજ્ઞા વગેરે ગાઢ ન બની જાય એવી ઇચ્છા ધરાવનારે છેવટે પર્વતિથિએ પણ તપ-બ્રહ્મચર્યપાલન વગેરે દ્વારા ઔદયિકભાવની અપ્રશસ્ત પ્રવૃત્તિઓના સાતત્યને તોડવું જોઈએ. સિદ્ધિ માટે ઉપાયની પ્રવૃત્તિ જેમ આવશ્યક છે એમ અપાયનિવૃત્તિ પણ આવશ્યક હોવાથી અહીં ઉપાયના ઉપલક્ષણથી અપાયને પણ જાણી લેવાનો છે. અર્થાત્ ઉપાયની પ્રવૃત્તિની જેમ અપાયથી નિવૃત્તિના પણ યત્નાતિશય વગેરે જોઇએ જ. બ્રહ્મચર્યના ખપીએ સ્ત્રી-પશુ-પંડજ્યુક્ત વસતિનું વર્જન વગેરેમાં કાળજીવાળા બનવું જ જોઈએ. સ્વાધ્યાયના ઇચ્છુક વાતોડીયા વગેરેથી દૂર રહેવાની દરકાર રાખવી જ જોઇએ. સ્વયં આચાર્ય હોવા છતાં, તથા શિષ્યોની સાથે જ રહેવા છતાં, કોઈના સંપર્કમાં આવવું ને એકાંતવાસ લેવામાં રહેવું - આ શ્રી ચંડરુદ્રાચાર્યનો ક્રોધવિય માટે, કોઇના નિમિત્તથી દૂર રહેવાનો પ્રબળ યત્નાતિશય હતો. એવો જ યત્નાતિશય પ્રતિબોધ પામ્યા બાદ બિલમાંથી મુખ બહાર ન કાઢવા દ્વારા ચંડકૌશિકે અપનાવ્યો નેએ અલ્પકાળમાં કોંધવિજેતા બન્યો. પ્રવૃત્તિઆશય માટે ષોડશકજીમાં નીચે મુજબ કહ્યું છે - तत्रैव तु प्रवृत्तिः शुभसारोपायसंगतात्यन्तम्। ધિતયાતિશયોતિૌત્સુવિવનિતા વૈવ // (પોડ. ૩-૮) તત્રેવ = अधिकृतधर्मस्थान एव, 'शुभ:=प्रकृष्टः सार:=नैपुण्यान्वितो य उपायस्तेन संगता। વૃત્તિઅર્થ ષોડશકજીના ૩/૮માં શ્લોકમાં કહ્યું છે કે – અધિકૃત પ્રયત્નના અતિશય પૂર્વક થતી અને ઉત્સુકતારહિતપણે થતી તથા, શુભ અને સારભૂત ઉપાયથી અત્યંત સંગત એવી તે અધિકૃતધર્મસ્થાન અંગેની પ્રવૃત્તિ એ જ પ્રવૃત્તિ આશય છે. (આ શ્લોકના કેટલાક શબ્દોના અર્થ –) ત્રેવ=તે અધિકૃત ધર્મસ્થાન અંગે જ. શુભ-પ્રકૃષ્ટ, સાર-નિપુણતાવાળો જે ઉપાય તેનાથી સંગત. વિવેચનઃ (૧) પ્રવૃત્તિઆશયમાં યત્નાતિશય અપેક્ષિત છે. ઉપાય જ જો અપાયનિવૃત્તિ જરૂરી છે Page #45 -------------------------------------------------------------------------- ________________ અપહૃષ્ટ હોય તો એના દ્વારા પ્રવૃત્તિ પણ ઢીલી-પોચી જ થાય. ને તેથી પ્રવૃત્તિઆશય કેળવવાનું-દઢ કરવાનું પ્રયોજન સરે નહીં. માટે એ ઉપાય લાભકર્તા ન નીવડવાથી ‘શુભ’ ન કહેવાય. તેથી અહીં ‘શુભ’ નો અર્થ પ્રશસ્ત ન કરતાં પ્રકૃષ્ટ કર્યો છે. વળી, સત્પ્રવૃત્તિનો ઉપાય તો પ્રશસ્ત જ હોય એ સ્પષ્ટ છે. એટલે, શુભ ઉપાયથી (પ્રાસ્ત ઉપાયથી) અત્યન્તસંગતા એવું વિધાન વ્યર્થ ઠરી જાય. માટે પણ અહીં શુભ=પ્રશસ્ત ન કહેતાં પ્રકૃષ્ટ કહ્યું છે એ જાણવું. આમાં પ્રકૃષ્ટ-પ્રકર્ષવાળો. આ પ્રકર્ષ પોતપોતાની ભૂમિકાને અનુરૂપ સમજવાનો. એટલે જેને વજ્રલબ્ધિ-કરપાત્રલબ્ધિ પ્રાપ્ત થઈ નથી એવા પણ સાધુ ‘‘નિષ્પરિગ્રહતાની સિદ્ધિ માટે વસ્ત્ર-પાત્ર બધું છોડી દઉં.’’ આવો ચાળો કરવા જાય તો પ્રગતિ નહીં, પણ પીછેહઠ થાય. ખૂબ રાક્તિપ્રદ એવું પણ ઘી, જેની હોજરી એને પચાવવા સમર્થ નથી એને ઝાડા કરવા દ્વારા અશક્તિ જ વધારે. પોતાની ભૂમિકાને અનુસરીને કયા અવસરે કયો ઉપાય વધુ લાભપ્રદ બનશે.... કયા ઉપાયમાં પોતે વધુ રત - એકમેક બની શકરો... એના વેળા-વિધાન... આ બધા અંગેનો ઊહાપોહ એ નિપુણતા છે. આવી નિપુણતાથી યુક્ત ઉપાય એ ‘સાર’ ઉપાય તરીકે અભિપ્રેત છે. ઉપસંહાર :- જેનું પ્રણિધાન બાંધ્યું છે તેના શુભ-સાર ઉપાયની જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે પ્રવૃત્તિ કરે. વળી એ પ્રવૃત્તિમાં પ્રયત્ન પૂર્વક યત્નાતિશય લાવે શીઘ્રક્રિયાસમાપ્તિની ઇચ્છા, અકાળફળૌત્સુક્ય, અન્યાભિલાષ, વિક્ષેપ વગેરે સ્વરૂપ દોષોનો પ્રયત્નપૂર્વક પરિહાર કરે... એમ અપાયનિવૃત્તિનો પર્યાપ્ત પુરુષાર્થ આદરે... આ બધું કરતાં કરતાં એવું માનસિક વલણ ઘડાઈ જાય... એવા સહજ સંસ્કાર ઊભા થઈ જાય... કે જેથી હવે શુભ-સાર ઉપાયના અવસરે એને અજમાવી લેવાનું દિલ સહજ બન્યું રહે, એ અજમાયશ પણ પોતાના પૂરા સામર્થ્યથી થાય (ઢીલો-પોંચો પ્રયાસ કરે નહીં, એવું નહીં, થાય જ નહીં...) ઔત્સુક્ય વગેરે દોષો મનમાં ઉદ્ભવે જ નહીં (અત્યાર સુધી ઉદ્ભવતા હતા, પણ એનો પ્રયત્નપૂર્વક પરિહાર હતો, હવે ઉદ્ભવતા જ નથી...) બાધક અપાયના અવસરે એનાથી દૂર રહેવાનું અંદરથી દિલ જ ચિંધ્યા કરે... (અત્યાર સુધી છતે સ્વાધ્યાયપ્રણિધાને, વાતોનો રસ હોવાથી વાતો ગમતી હતી... છતાં મનને મારીને એનાથી દૂર રહેવાનું ચાલુ હતું... એના પ્રભાવે હવે પહેલેથી મન જ વાતોને નુકશાનકર્તા જોવા માંડે છે ને એનાથી દૂર રહેવાનું સૂચવ્યા યોગવિંશિકા...૧ 28 Page #46 -------------------------------------------------------------------------- ________________ કરે છે. હવે મનને મારવું પડતું નથી...) પ્રવૃત્તિઆશયમાં કહેલી શરતોના સતત અભ્યાસથી ઘડાયેલી ચિત્તની આવી અવસ્થા (=આત્માની ક્ષયોપશમયુક્તસંસ્કારયુક્ત અવસ્થા) એ પ્રવૃત્તિઆશય છે. વિદન આશય विघ्नजयो नाम 'विघ्नस्य जयोऽस्मादि'ति व्युत्पत्त्या धर्मान्तरायनिवर्तकः परिणामः । स च जेतव्यविघ्नत्रैविध्यात् त्रिविधः । तथाहि-यथा कस्यचित्कण्टकाकीर्णमार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुर्भवति, तदपनयनं तु पथि प्रस्थितस्य निराकुलगमनसम्पादकं, तथा मोक्षमार्गप्रवृत्तस्य कण्टकस्थानीयशीतोष्णादिपरीषहैरुपद्रुतस्य न निराकुलप्रवृत्तिः, तत्तितिक्षाभावनया तदपाकरणे त्वनाकुलप्रवृत्तिसिद्धिरिति कण्टकविघ्नजयसमः प्रथमो हीनो विघ्नजयः। વૃત્તિઅર્થ “ વિઘ્નનો ય જેનાથી થાય તે વિઘ્ન’ આવી વ્યુત્પત્તિથી એવો અર્થ મળે છે કે ધર્માન્તરાયનિવર્તક આત્મપરિણામ એ વિધ્વજય છે. જે વિનો જય મેળવવા યોગ્ય છે તે ત્રણ પ્રકારના હોવાથી વિનય પણ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે - (પ્રથમ જઘન્ય વિજ્ઞજ્ય-) જેમ કાંટાળા માર્ગે આવી ચડેલા પથિકને કાંટાનું વિઘ્ન વિશિષ્ટગમનનો વિઘાત કરનારું નીવડે છે, ને કાંટાઓને દૂર કરવા એ માર્ગે ચઢલા મુસાફરને નિરાકુલ ગમન કરાવનારું બને છે. તેમ મોક્ષમાર્ગે પ્રવૃત્ત થયેલા સાધકને કાંટા જેવા શીત-ઉષ્ણ વગેરે પરીષહોનો ઉપદ્રવ થાય ત્યારે નિરાકુલપણે સાધના થઈ શકતી નથી. આ પરીષહોની તિતિક્ષાભાવના દ્વારા એને દૂર કરવાથી આકુલતા રહિતની પ્રવૃત્તિ થાય છે... આમ કંટકવિબપરનાજ્ય સમાન પ્રથમ હીન (જઘન્ય) વિજય જાણવો. વિવેચનઃ પ્રણિધાન આશય તથા પ્રવૃત્તિઆશયના પ્રભાવે અધિકૃતધર્મસ્થાન અંગે ઉપાય પ્રવૃત્તિનોને અપાયનિવૃત્તિનો ચિત્તોત્સાહ બન્યો રહેતો હોય છે. એ મંદ પડી જાય અને વિવક્ષિત પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) “ન કરું એવો નિષેધભાવ અથવા કરું કેન કરું?’ એવો દ્વિધાભાવ આવે એ ચિત્તનો અનુત્સાહ છે, એ ચિત્તનું વૈક્તવ્ય છે. એ જેના કારણે થાય એને “વિન’ કહેવાય છે. આવી વિનભૂત પરિસ્થિતિ સર્જવા છતાં ચિત્તનું વક્તવ્યનથવાદે એવો ચિત્તપરિણામ એ વિદન જય છે. આવો વિધ્વજય આશય કેળવવામાં ન આવે તો ઉપસ્થિત થતું વિઘ્ન ચિત્તવિકલવ્ય દ્વારા પ્રવૃત્તિને ( વિલ્કય આશય) (29) Page #47 -------------------------------------------------------------------------- ________________ અટકાવે છે અને તેથી સિદ્ધિ તરફની ગતિમાં અલના થાય છે. પ્રવૃત્તિની વારંવાર થતી આવી અલના પ્રવૃત્તિઆશયનો નાશ કરે છે. પ્રવૃત્તિ આશયનો નાશ થયા પછી પ્રણિધાન આશયને જાળવી રાખવો એ ખૂબ કપરું કામ બની જાય છે. એટલે જ સંયમ પાળીને દેવલોકમાં ગયેલા પણ કેટલાય ભવ્યાત્માઓ સર્વવિરતિના પ્રણિધાસ્વરૂપ સમ્યક્તને જાળવી રાખવામાં સફળ બનતા નથી. ચિત્તનું વક્તવ્ય કરનારી બાબતો ત્રણ છે. ઉપાધિ, વ્યાધિ અને માનસિકભ્રમણાઓ સ્વરૂપ આધિ. કોઈ પણ ક્ષેત્રમાં, પ્રવૃત્તિમાં સ્કૂલનાલાવનારા પરિબળો આ ત્રણ છે. આને સમજાવવા માટે જ્ઞાનીઓ પથિકનું દષ્ટાન્ત આપે છે. ગન્તવ્યસ્થળે પહોંચવા માટે પ્રસ્થિત થયેલા પથિકને માર્ગમાં કાંટા-કાંકરા વગેરે આવે, શરીર જવરાત્રિરોગથી ગ્રસ્ત થાયકે પોતાને દિગ્મોહ થાય (અર્થાત્ દિશાનો નિર્ણય કરવામાં ભ્રાન્તિ થાય કે સંદેહ પડે) તો એની ગતિમાં અલના આવે છે. માટે કાંટા, રોગ અને દિગ્મોહ આમ ત્રણ પ્રકારના વિઘ્નો વિશિષ્ટગતિના બાધક બને છે. કાંટા વગેરેને દૂર કરવા દ્વારા; રોગ થાય જ નહીં એવી સાવધાની રાખવાથી કે રોગ થવા પર ચિકિત્સા-ભાવના વડે એની અસરથી મુક્ત રહેવા દ્વારા; તથા દિગ્મોહ થયો હોય તો સ્વયં સમ્યગૃનિર્ણય કરીને કે શ્રદ્ધેય માર્ગદર્શકનું માર્ગદર્શન લઈને ભ્રાન્તિ-સન્ડેહને દૂર કરવા દ્વારા ગતિ પૂર્વવત્ અસ્મલિત થઈ શકે છે. ગતિને અખલિત રાખવા માટે આ જે જે કરવું પડે છે, તે તે વિઘ્ન પરનો વિજય છે. આમાંથી દિમોહ એચિત્તમાં નિર્માણ થયેલી વિષમતા છે, માટે એને આધિ રૂપ કહી શકાય. જવરાદિરોગ એ શરીરમાં પેદા થયેલી પ્રતિકૂળતા છે, માટે વ્યાધિ છે. કાંટા-કાંકરા વગેરે, શારીરિક કે માનસિક પરિબળો નથી, પણ બાહ્ય પરિબળ છે, માટે ‘ઉપાધિ છે. સાધનાના ક્ષેત્રમાં પણ ઉપાધિ, વ્યાધિ અને આધિ ચિત્તના ઉત્સાહને ખંડિત કરે છે, માટે વિઘ્નરૂપ છે. ઉપાધિવગેરેરૂપ આવિન ઉપસ્થિત થવા છતાં ચિત્તવિક્તવ્ય ન થવા દેનાર ચિત્તપરિણતિઓ ક્રમશઃ જઘન્યવિજય, મધ્યમવિધ્વજય અને ઉત્કૃષ્ટવિબજ્ય આશય છે. વિધ્વજય આશયના આ ત્રણ ભેદો માત્રાની અપેક્ષાએ નથી, પણ પ્રકારની અપેક્ષાઓ છે, જેમ શ્રુતજ્ઞાનના અક્ષરધૃત-અનક્ષશ્રુત વગેરે ભેદો પ્રકારની અપેક્ષાએ છે તેમ. એટલેજ ઉત્કૃષ્ટ કે મધ્યમવિનય આશય કેળવાયો [30] યોગવિંશિકા...૧) Page #48 -------------------------------------------------------------------------- ________________ હોયને હજુ મધ્યમકે જઘન્ય વિધ્વજય આશય કેળવાયો ન હોય એવું પણ શક્ય છે. તેમ છતાં, આ ત્રણના નામો આવા છે એનું કારણ એ છે કે એના પ્રતિયોગી એવા વિનો અનેક અપેક્ષાએ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ છે. ઉપાધિ બાહ્ય હોવાથી એની અસર કરતાં શરીર સ્પર્શ એવા વ્યાધિની અસર ચિત્ત પર જલ્દી થવાની શક્યતા છે. ને વ્યાધિ કરતાં આધિની (દિગ્બોહની) અસર વધારે જલ્દી થાય છે, કારણકે એ સીધો મનઃસ્પર્શી છે. ઉપાધિ બાહ્ય છે. તેથી પ્રતિકૂળવાતાવરણમાંથી ખસી જઈ અનુકૂળવાતાવરણમાં ગોઠવાઈ જવાની આશા રહે છે. રોગો તો શરીરાશ્રયી હોવાથી એ મટે નહીં ત્યાં સુધી એનાથી સ્વયં દૂર થઈ શકવાની શક્યતા હોતી નથી. માટે પણ એ ઉપાધિ કરતાં બળવત્તર વિધ્ધ કહેવાય છે. એટલે જ ઉપાધિ કાલાન્તરે (પ્રવૃત્તિ) આશયનો નાશક છે, વ્યાધિ શીધ્રઆશયનાશક છે અને આધિ શીધ્રતરઆશયનાશક છે. ઉપાધિ અને વ્યાધિમાં માર્ગ અંગે ભ્રાન્તિ નથી. “માર્ગ તો આ જ છે. પણ આવી પ્રતિકૂળતામાં હું શી રીતે આરાધું?’ એમ પોતાના અસામર્થ્યની કલ્પના છે... જ્યારે દિગ્બોહમાં તો માર્ગ અંગે જ ભ્રાન્તિ છે. માટે પણ એ ઉત્કૃષ્ટ વિઘ્ન છે. વળી, ઉપાધિ કે વ્યાધિ પેદા થાય એટલા માત્રથી એ ચિત્તવૈક્તવ્ય કરી વિઘ્નરૂપ બને જ એવો નિયમ નથી. જ્યારે આધિ (દિગ્બોહ) તો અસ્તિત્વમાં આવે એટલે અસરકર્તા બની જ જાય. માટે પણ એ ઉત્કૃષ્ટ વિઘ્ન છે. આમ વિનો જઘન્ય વગેરે કહેવાતા હોવાથી વિનજય’ પણ જઘન્ય વગેરે પ્રકારનો કહેવાય છે. વળી, પ્રવૃત્તિની અટકાયત થાય એટલા માત્રથી વિધ્વજય આશય નથી એમ ન કહેવાય ઉપાધિ વગેરે આવવા છતાં ચિત્તોત્સાહ મોળોન પડેને શક્ય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે તો ‘ વિજય’ છે જ. માટે દેવલોકને વિશ્રામસ્થાન કહ્યું. ત્યાં આગેકૂચ અટકે છે, પણ પીછેહઠ થતી નથી, માટે ભંશ નહીં. પણ જો પ્રવૃત્તિ કે પ્રગતિની અટકાયતને જ સ્કેલનારૂપે લેવાની વિવેક્ષા હોય તો એને પણ વિન રૂપ માનવો જ પડે. આધિ-વ્યાધિ-ઉપાધિ Page #49 -------------------------------------------------------------------------- ________________ વિઘ્નજય આશય કેળવવા માટે પરિકર્મસંપન્નતા, શ્રદ્ધાતિરેક અને સત્ત્વાતિરેક આવશ્યક હોય છે. અભ્યાસ દ્વારા શરીર અને મનને ખડતલ બનાવવા કે જેથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શરીર ખમી શકે-ને મન સ્વસ્થ રહી શકે... આરાધના ચાલુ રાખી શકાય. નહીંતર ક્યાં તો આરાધના છોડવી પડે ને ક્યાં તો શરીર છોડવું પડે એવી નોબત આવે છે. આ જ કારણથી શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પરીષહો સહેવાના પ્રયોજન તરીકે કર્મનિર્જરા પણ પછી મૂકી, પહેલું પ્રયોજન માર્ગાચ્યવન મૂક્યું. (માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિસોઢવ્યાઃ પરીષહાઃ) આ પરિકર્મસંપન્નતા છે. ‘પ્રતિક્રમણ ઊભા ઊભા જ કરવું જોઇએ.’ આવી શ્રદ્ધા પ્રબળ હોય તો જ થોડી થોડી વિષમપરિસ્થિતિમાં પણ આરાધના ચાલુ રાખી ઉત્તરોત્તર વધારે વિષમ પરિસ્થિતિ પર પણ વિજય મેળવવો શક્ય બને છે. માટે શ્રદ્ધાતિરેક પણ આવશ્યક છે. શ્રદ્ધાતિરેક હોય, પણ સત્ત્વાતિરેક ન હોય તો પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થતાં જ મનમાં ઘણી ઇચ્છા હોવા છતાં, નિઃસત્ત્વતાના કારણે આરાધના છૂટી જાય છે. જ્યારે સત્ત્વશીલ વ્યક્તિ તો સહન કરીને પણ આરાધના ચાલુ રાખો જે એની સહનશક્તિને ઉત્તરોત્તર વધારી વિઘ્નજય વધારતી જાય છે. તેથી, વિઘ્નજય માટે સત્ત્વ પણ આવશ્યક છે. હવે જઘન્યવિઘ્નજયઆશયની વાત કરીએ. મોક્ષમાર્ગમાં પ્રસ્થિત થયેલા સાધકને શીત-ઉષ્ણ વગેરે જે પરીષહો આવે છે તે કંટક સમાન જઘન્યવિઘ્ન છે, ને સાધકની સાધનાની ગતિને સ્ખલિત કરે છે. આ વિઘ્નોને દૂર કરવામાં આવે તો પૂર્વવત્ અસ્ખલિત ગતિ થઇ શકે છે. માર્ગમાં આવતા કાંટા એ / ચાર હોય તો દૂર કરી શકાય. પણ પુષ્કળ કાંટા જ્યાં ત્યાં વેરાયેલા હોય તો એને વીણી વીણીને દૂર કરવા બેસવું એ જ ગતિમાં મોટી સ્ખલના કરનારું બની જાય. એને દૂર કરવા શક્ય નથી હોતા. પણ એ વખતે મુસાફર મજબૂત જોડાં પહેરી લે... (અર્થાત્ પોતે એવો બની જાય કે જેથી કાંટાની પોતાને કે પોતાની ગતિને કશી અસર ન રહે) તો અસ્ખલિત ગતિ થવા માડે છે. એટલે કે વિઘ્નને (કાંટાને) તો દૂર ન કરી શકાયા... પણ એનું વિઘ્નપણું (=વિઘ્નત્વ) દૂર કરી દેવામાં આવ્યું. 32 યોગવિંશિકા.૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ એમ પ્રસ્તુતમાં ઠંડી પડે... ગરમી પડે... કોઇ આક્રોરા કરતું આવે... આવા બધા પરીષહોને કાંઇ દૂર કરી શકાતા નથી... કર્મ વગેરે કારણવશાત્ જાતજાતની પરિસ્થિતિઓ તો નિર્માણ થતી જ રહેવાની, એને અટકાવી શકાતી નથી... પણ પોતે જાતને એવી રીતે ઘડી લીધી હોય કે જેથી આ વિવિધ પરિસ્થિતિઓની, પોતાની સાધનામાં સ્ખલના આવે એવી કોઇ અસર જ ન રહે. અર્થાત્ વિઘ્નાભાવ ન થયો, પણ વિઘ્નત્વાભાવ થયો. જાતને આવી રીતે ઘડવી એ તિતિક્ષાભાવના કહેવાય છે. ‘બાહ્ય પરિસ્થિતિઓની અસર મારે શા માટે લેવી જોઇએ ?’ વગેરે ભાવના પણ આમાં સહાયક બને છે. જેમ ધનપ્રાપ્તિનું પ્રણિધાન તીવ્ર હોવાથી ને એ અંગે ચિત્તને એવું કેળવ્યું હોવાથી વિવિધ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ વેપાર છૂટતો નથી... આ વેપારઅંગેનો વિઘ્નજય છે. સાંસારિક બાબતોમાં લગભગ આવું ચિત્ત કેળવાયેલું જ હોય છે ને તેથી જ અશ્રેયમિ પ્રવૃત્તાનાં દ્યાપિ યાન્તિ વિનાયા: કહેવાયું છે. આત્મહિતકર બાબતોમાં આવું ચિત્ત સામાન્યથી કેળવાયેલું હોતું નથી, માટે ‘શ્રેયાંત્તિ વવિઘ્નાનિ’ કહેવાય છે. અહીં, જઘન્ય વિઘ્ન તરીકે જે શીતપરીષહ-ઉષ્ણપરીષહ વગેરે કહેવાયા છે એના ત્રણ અર્થ શાસ્ત્રમાં કરાયા છે. (૧) કાતિલઠંડી એ શીત પરીષહ ને ભીષણગરમી એ ઉષ્ણ પરીષહ. (૨) મહાસત્ત્વ પુરુષને તીવ્રપરીષહુ પણ માનસિક આકુલતા કરતો નથી. તેથી એના માટે એ શીત પરીષહ ને સત્ત્વહીનને એ અસર કરી જાય છે. માટે ઉષ્ણપરીષહ. (૩) અનુકૂળ પરીષહ એ શીત પરીષહ, અને પ્રતિકૂળ પરીષહ એ ઉષ્ણપરીષહ. બીજી અને ત્રીજી વ્યાખ્યામાં બધા પરીષહોની ગણતરી આવી જાય છે. એટલે એની જ વિચારણા કરીએ... બીજી વ્યાખ્યામાં ઉષ્ણપરીષહ એટલે જ વિઘ્ન, કારણકે સ્ખલના થાય છે. શીતપરીષહ એટલે જ વિઘ્નજય, કારણકે સ્ખલના થતી નથી. અથવા સ્ખલના નથી થતી એ દષ્ટિએ ભલે વિઘ્નજય કહેવાય, પણ ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાને સ્ખલના જે નથી થતી એનોને પોતાના સત્ત્વ-ક્ષમા વગેરેનો જો ગર્વ આવે તો પરીષહથી પરાજિત, ને પોતાના સ્વભાવ વગેરેને વિચારીને ગર્વપરિહાર કરે તો શીતપરીષહવિઘ્નજય, આ પ્રમાણે અર્થ સમજવો. ત્રીજી વ્યાખ્યામાં અનુકૂળ પરિસ્થિતિઓને પણ પરીષહુ તરીકે કહેવી છે, 33 શીત-ઉષ્ણની ૩ વ્યાખ્યા Page #51 -------------------------------------------------------------------------- ________________ અને એ ઉચિત પણ છે. વધારે પડતી અનુકૂળતાઓ-સુખદ પરિસ્થિતિઓ સાધનામાં અલના પેદા કરે જ છે. એટલે જ યુગલિકકાળમાં અને દેવલોકમાં આરાધના હોતી નથી. ભારે વૈભવની વચમાં રહેલો શ્રીમંત પણ આરાધના કરે એવી શક્યતા ઓછી હોય છે. વિઘ્નરૂપ બનનાર આ બાહ્ય પરિસ્થિતિઓનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચાર પ્રકારોમાં વર્ગીકરણ કરી શકાય છે એ જાણવું. કડવી તુંબડીરૂપ પ્રતિકૂળદ્રવ્યાત્મક વિઘ્ન સામે ધર્મરુચિ અણગારનો જ્યને રત્નકંબલરૂપ અનુકૂળદ્રવ્ય સામે શિવભૂતિ પરાજિત. ક્ષેત્રાત્મક જઘન્યવિપ્ન સામે મેઘકુમારમુનિ પહેલાં પરાજિત, પછી વિજ્ય. કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, ૧૪ પૂર્વધર વગેરેના અભાવવાળો અને અધર્મીને ત્યાં જાહોજલાલી-ધર્મને ત્યાં તકલીફ આવી વિષમતાવાળો. આ પંચમકાળ એ કાળાત્મક જઘન્યવિપ્ન સમાન છે. આમાં પણ શ્રદ્ધા ટકાવી રાખે તે વિજેતા...નેશંકાશીલ બની શ્રદ્ધા ગુમાવી દેતે પરાજિત.ભાવાત્મક વિપ્ન (સખત ગરમી) સામે અરણિક મુનિ પરાજિત, ચંડરુદ્રાચાર્યના શિષ્ય વિજેતા. કાંટા આવે કંકર આવે ધોમધખતી રેતી આવે, અંતરને અજવાળે વીરા પંથ તારો કાઢે જા... આમાં અંતરનું અજવાળું એટલે પ્રણિધાન-વિજ્ઞજય આશય કેળવેલું ચિત્ત. तथा तस्यैव ज्वरेण भृशमभिभूतस्य निराकुलगमनेच्छोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादधिको यथा ज्वरविघ्नस्तजयश्च विशिष्टगमनप्रवृत्तिहेतुस्तथेहापि ज्वरकल्पा शारीरा एव रोगा *विशिष्टधर्मस्थानाराधनप्रतिबन्धकत्वाद् विघ्नाः, तदपाकरणञ्च 'हियाहारा मियाहारा... (पिण्डनियुक्ति-६४८) इत्यादिसूत्रोक्तरीत्या तत्कारणानासेवनेन, 'न मत्स्वरूपस्यैते परीषहा लेशतोऽपि बाधकाः, किन्तु देहमात्रस्यैव' इति भावनाविशेषण वा *सम्यग्धर्माराधनाय समर्थमिति ज्वरविघ्नजयसमो मध्यमो द्वितीयो विघ्नजयः। વૃત્તિઅર્થ તથા નિરાકુલ ગમન કરવાની ઇચ્છાવાળો હોવા છતાં, અત્યન્ત વરપીડિત હોવાના કારણે તેને નિરાકુલગમનને ન કરી શકનારા તે પથિકને જ કંટકવિબ કરતાં પણ વધારે મોટું જવરવિપ્ન આવે છે, ને એ વિM પર વિજયે એ *આ વિશિષ્ટ’ અને ‘સમ્યગુ શબ્દધર્મસ્થાનકે ધર્મના વિશેષણ નથી, પણ આરાધનાના વિશેષણ છે. અર્થાત્ ધર્મસ્થાનની વિશિષ્ટ આરાધના, ધર્મની સમ્યગુ આરાધના એવો અર્થ છે, વિશિષ્ટ ધર્મસ્થાનની કે સમ્યગુધર્મની આરાધના એવો નહીં. (34) યોગવિંશિકા....૧) 34 Page #52 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ ગમન પ્રવૃત્તિનું કારણ બને છે. એ જ રીતે અહીં પણ = મોક્ષમાર્ગ પર પ્રસ્થિત થયેલા સાધક વિરો પણ શારીરિક રોગો એ જ વરવિઘ્ન સમાન વિઘ્નભૂત જાણવા, કારણકે એ જ ધર્મસ્થાનની વિશિષ્ટ આરાધનામાં પ્રતિબન્ધક છે. આ વિઘ્નોનું અપાકરણ = દૂરીકરણ, પિંડનિર્યુક્તિસૂત્રમાં ‘હિતાહાર - પરિમિત આહાર' વગેરે કહેલી રીતે રોગનાં કારણોને વર્જવાથી કે ‘આ પરીષહો મારા સ્વરૂપને અંશતઃ પણ બાધા પહોંચાડનારા નથી, માત્ર શરીરને જ બાધા પહોંચાડનારા છે’ એવી વિશેષ પ્રકારની ભાવનાથી થાય છે. એટલે (=વિઘ્નોનું અપાકરણ થવાથી, સાધક સમ્યગ્ ધર્મઆરાધના માટે સમર્થ બને છે. વિવેચન : કંટક વિઘ્ન કરતાં જ્વરવિઘ્ન કેમ મોટું છે એ પૂર્વે જોઈ ગયા છીએ. જો કે મનની કેળવણી એ એક અલગ બાબત છે. રોગોને સહન કરતાં કરતાં એની સહિષ્ણુતા કેળવી લીધી હોય ને અન્યના ટુવચનોને – (આક્રોશ પરીષહ) ને સહન કરવાનો અભ્યાસ પાળ્યો ન હોય... તો મધ્યમવિઘ્નજય મેળવાયો છે, જઘન્યવિઘ્નજય મેળવાયો નથી. ને રોગાત્મક આ મધ્યમવિઘ્ન પર જય ત્રણ રીતે મેળવી શકાય છે. (1) રોગ થાય ને પછી ચિકિત્સા કરાવવી એના કરતાં રોગ જ ન થાય એ રીતે હિતાહાર – પરિમિત આહાર વગેરે રૂપે ખોરાકનું આયોજન કરવું એ વધારે ગુણકર છે. પિંડનિર્યુક્તિની ગાથા આ પ્રમાણે છે - हियाहारा मियाहारा अप्पाहारा य जे नरा । न ते विज्जा तिगिच्छंति अप्पाणं ते तिगिच्छगा ॥ ६४८ ॥ અર્થ : જે પુરુષો હિતકર (=અવિરુદ્ધ) આહાર કરે છે, પરિમિત આહાર કરે છે, અલ્પ (ઊણોદરી પૂર્વક) આહાર કરે છે તેઓની ચિકિત્સા વૈદ્યો નથી કરતા... પણ તેઓ જ પોતાની ચિકિત્સા કરે છે. તેમ છતાં, કર્મોદયવશાત્ રોગ થાય તો શું કરવું ? (2) ચિકિત્સા દ્વારા રોગને દૂર કરી પ્રવૃત્તિ અસ્ખલિત રાખવી. જો આવશ્યક સંયમયોગને સીકાવ્યાવિના રોગને સમભાવપૂર્વક સહન કરવાની કેળવણી હોય, રોગ ક્રમશઃ વગર દવાએ મટી જાય એવો હોય, જ્યાં સુધી એ રીતે ન મટે ત્યાં સુધીમાં પણ મધ્યમવિઘ્નજયની ૩ રીત 35 Page #53 -------------------------------------------------------------------------- ________________ લાંબાગાળાનું વિશેષ નુક્શાન કરી જનાર ન હોય, કે રોગ અસાધ્યકક્ષાનો બની ગયો હોય... તો તો ચિકિત્સા ન કરાવવી ... પણ સમભાવપૂર્વક સહન જ કરવો. માત્ર રોગ વધે નહીં એ માટે અપથ્યપરિહારની કાળજી લેવી. પણ જે રોગને આ શરતો લાગુ પડતી ન હોય એની ચિકિત્સા કરી આરાધનાને પૂર્વવત્ અખલિત બનાવવી. (3) અસાધ્યરોગની દવાન કરાવવાની હોય ત્યારે, અથવા દવા કરવા છતાં રોગ ન મટે ત્યારે, કે દવાથી રોગ મટવાનો હોય પણ મટતાં વાર લાગવાની હોય ત્યારે રોગ, એની વેદના વગેરે તો ચાલુ જ રહે છે. એ ચાલુ રહેવા છતાં, સાથે સાથે આરાધના પણ ચાલુ રહે એ માટે આ રોગ વગેરે પરિષહો મારા સ્વરૂપના બાધક નથી, માત્ર દેહને જ અસર કરનારા છે તથા પૂર્વકૃત કર્મોના કારણે રોગ આવ્યો છે, એને સમભાવે સહન કરીશ તે કર્મની વિપુલ નિર્જરા થશે. ને સાથે આરાધના પણ ચાલુ રાખીશ તો તો ખૂબ જ વિશિષ્ટ પ્રકારે નિર્જરા થશે... વગેરે ભાવનાથી આત્માને ભાવિત કરતાં રહેવું. એ રીતે ભાવિત થવાથી રોગની વેદના વચ્ચે પણ સાધના અખલિતપણે ચાલુ રહેવાથી મધ્યમવિધ્વજય થાય છે. વૃત્તિગ્રન્થમાં મધ્યમવિદનજ્યના આ ત્રણ ઉપાયોમાંથી પ્રથમ અને તૃતીય ઉપાયનો ઉલ્લેખ છે, ને ચન્તયોને મધ્યમચાપિ પ્રહામ્ ન્યાયે બીજા ઉપાયનું ગ્રહણ જાણવું. આમાંના કોઈ પણ ઉપાય દ્વારા વિપ્નનું કરેલું અપાકરણ ધર્મની સમ્યઆરાધના માટે સમર્થ છે. વસ્તુતઃ ધર્મઆરાધના માટે વિદ્ધના નિરાકરણવાળો સાધક સમર્થ બને છે, વિપ્નનું નિરાકરણ પોતે નહીં. છતાં, અભાવ અને અભાવવાનું (=અભાવના અધિકરણ) નો અભેદ માનનારા નયે (અર્થાત્ અભાવને અધિકરણસ્વરૂપ માનનારા નયે) બન્નેનો અભેદ કરી અહીં નિરાકરણને જ સમર્થ કહ્યું છે તે જાણવું. यथा च तस्यैवाध्वनि जिगमिषोर्दिमोहविघ्नोपस्थितौ भूयोभूयः प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः स्यात्, तद्विजये तु स्वयमेव सम्यग्ज्ञानात् परैश्चाभिधीयमानमार्गश्रद्धानात् मन्दोत्साहतात्यागेन विशिष्टगमनसम्भवस्तथेहापि मोक्षमार्गे दिग्मोहकल्पो मिथ्यात्वादिजनितो मनोविभ्रमो विघ्नः, तज्जयस्तु गुरुपारतन्त्र्येण मिथ्यात्वादिप्रतिपक्षभावनया (?वा) मनोविभ्रमापनयनादनवच्छिन्नप्रयाणसम्पादक इत्ययं (दिग्)मोहविघ्नजयसम उत्तमस्तृतीयो विघ्नजयः। [36] યિોગવિંશિકા ...) Page #54 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઅર્થ: માર્ગમાં ગમન કરવાની ઇચ્છાવાળા તે પથિકને જ જો દિગ્મોહ વિન ઉપસ્થિત થઈ જાય તો (અર્થાત્ પૂર્વદિશામાં જવાનું હોય પણ પૂર્વદિશામાં પશ્ચિમદિશાનો ભ્રમ થઈ જાય તો) બીજા પથિકો વારંવાર પ્રેરણા કરે કે ચાલ ભાઈ! ચાલ, કેમ અટકી જાય છે?’ તો પણ ચાલવાનો ઉત્સાહ જાગતો નથી. (એટલે કે આ દિગ્મોહ એના ગમનમાં વિઘ્નરૂપ બન્યો.) પણ જો આ વિM પર વિજય મેળવવામાં આવે (અર્થાત્ બ્રાન્તિ દૂર કરવામાં આવે તો પોતાને જ (આ પૂર્વ દિશા જ છે...કે આ માર્ગ જ મારા ગન્તવ્ય સ્થળે મને લઈ જશે. આવું) સમ્યગ્રાન થવાથી તેમજ બીજા પથિકો વડે કહેવાતા આ માર્ગની જ શ્રદ્ધા થવાથી મન્ટોત્સાહતાનો = ઉત્સાહની મંદતાનો ત્યાગ થવાના કારણે વિશિષ્ટ ગમન સંભવિત બને છે. તે જ રીતે પ્રસ્તુતમાં મોક્ષમાર્ગ પર મિથ્યાત્વાદિજનિત મનોવિભ્રમ એ દિગ્મોહ સમાન વિદન છે. આ વિદ્ગ પરનો વિજય, ગુરુપારતન્યદ્વારા કે મિથ્યાત્વાદિની પ્રતિપક્ષભાવનાથી મનનો ભ્રમ દૂર થવાના કારણે અનાવચ્છિન્ન = અખ્ખલિત પ્રયાણ કરાવનારો બને છે. માટે એ દિગ્બોહવિષ્મ પરના જયને તુલ્ય એવો ત્રીજો ઉત્તમ વિનય છે. વિવેચનઃ પરિસ્થિતિવશાત્ કોઇના ઉંધા ભરમાવવાથી મનમાં આરાધના અંગે ઊઠતી ભ્રાન્તિઓ એ આ દિગ્બોહવિષ્મ છે. મનમાં ભ્રમણાઓ ઘુસે એટલે આરાધનામાં સ્કૂલનાઓ આવે જ. એટલે એ ભ્રમણાઓ દૂર કરવી-મનને ભ્રાન્તિશૂન્ય બનાવવું એ દિગ્મોહ વિનય છે. *ગુરુપાતત્ય અને મિથ્યાત્વાદિપ્રતિપક્ષભાવના દ્વારા આ દિગ્ગો પર વિજય મેળવવો જોઇએ. સંસારનો ક્યારેય પ્રારંભ નહીં? જીવો મોક્ષે જવાના તો ચાલુ છે. તો ક્યારેક તો બધા ભવ્યોનો મોક્ષ થઈ જ જાય ને!.. ભગવાને નિગોદમાં અનંતા જીવો કહ્યા *અહીં ગુરુપારતત્ર્ય અને મિથ્યાત્વાદિપ્રતિપક્ષ ભાવના.. આ બન્ને વિધ્વજ્યના સ્વત–હેતુઓ છે. એટલે ગુરુપરતન્નતાદ્વારા પ્રતિપક્ષભાવના... અને એનાથી મનોવિભ્રમનો અપગમ... આવો અર્થન લેવો. કારણકે પોતાના મનમાં ભ્રાન્તિ થવા છતાં, અને પોતે કોઇ પ્રતિપક્ષભાવના ભાવી ન હોવા છતાં, ગુરુપારતવ્ય હોય, એટલે ગુરુમહારાજ સાચી વાત જણાવે ત્યારે કોઈ દલીલ ન કરતાં, : ‘ગુરુમહારાજ (ગીતાર્થ મહાત્મા) કહે છે તે સાચું..' એમ સ્વીકારી લેવાથી ભ્રાન્તિ દૂર થઈ જાય છે, ને આરાધના અખ્ખલિત ચાલુ રહે છે, માટે સીધો ગુરુપારતત્ર્ય દ્વારા વિનજ્ય સંભવિત છે. એમ ગુરુની વિદ્યમાનતા ન હોય વગેરે અવસરે માત્ર પ્રતિપક્ષભાવનાથી પણ મનોવિભ્રમ દૂર થઈ જ શકે છે. ગુરુની અવિદ્યમાનતામાં મનોવિભ્રમો ઊભા જ રહે એવું માની શકાય નહીં. વળી દષ્ટાન્તમાં (ઉત્કૃષ્ટવિનય (37) Page #55 -------------------------------------------------------------------------- ________________ છે. સોયના અગ્રભાગ જેટલા ક્ષેત્રમાં પણ અનંતા જીવો શી રીતે રહે?’ આવા બધા મિથ્યાત્વાદિજન્ય ભ્રમ એ દિગ્ગોવિદન છે. એની સામે રાગ-દ્વેષ અને મોહ (અજ્ઞાન) થી પર થઈ ગયેલા ભગવાને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. એટલે તે જ નિઃશંક સત્ય છે જે મારા પ્રભુએ કહ્યું છે. મારો ક્ષયોપશમ મંદ છે, માટે મને પણ. (પ્રતિપક્ષભાવનાના દષ્ટાન્ત તરીકે) સ્વયં સમ્યજ્ઞાન અને (ગુરુપારતત્ર્યના દષ્ટાન તરીકે) પરોક્તમાર્ગની શ્રદ્ધા એ બન્નેને મનોવિભ્રમના નિરાકરણના સ્વતંત્ર કારણો તરીકે કહ્યા છે. તેથી દાર્શન્તિકમાં પણ બે સ્વતન્ત્રકારણો તરીકે લેવા જોઇએ. અને એ માટે વૃત્તિમાં મિથ્યાત્વાતિપ્રતિપક્ષવિનય એટલો જ અંશ છે તેના પછી વા (કેવ) ઉમેરવો આવશ્યક છે. # અહીં ‘મિથ્યાત્વાદિજન્ય કહ્યું છે. માત્ર મિથ્યાત્વજ” એમ નહીં. આદિ શબ્દથી જ્ઞાનાવરણાધિજન્ય ભ્રાન્તિઓ પણ લેવી. તેથી, જીવ છેવટે આકર્ષથી પણ મિથ્યાત્વે જાય તો જ આ વિઘ્ન ઉપસ્થિત થાય એવું માનવાની કશી જરૂર નથી. સ્વાધ્યાયની પ્રધાનતાના કાળમાં, કોઈકને જ્ઞાનાવરણના ઉદયે તપની પ્રધાનતા ભાસી જાય તો એટલા માત્રથી કાંઇ મિથ્યાત્વનો ઉદય થઈ જ જાય એવું નથી. ને છતાં સ્વાધ્યાય અંગે દિગ્યોહ તો છે જ. આનો જે ત્રીજા વિપ્નમાં સમાવેશ નહીં કરીએ તો ક્યા વિપ્નમાં સમાવેશ કરશું? સમાવેશ કરવો તો પડે જ, કારણકે સ્વાધ્યાયમાં સ્કૂલના થાય જ છે. પછી સ્વયં આય-વ્યયનો વિચાર કરીને કે ગુરુપારતત્ર્ય દ્વારા ('ગુરુમહારાજ સ્વાધ્યાય પર જોર આપવાનું કહે છે, તો મારે હવેથી એ જ કરવું...') સમ્યગૃનિર્ણય પર આવે કે હાલ મારે સ્વાધ્યાય જ કર્તવ્ય છે... એટલે વિધ્વજ્ય, એ જ સ્વાધ્યાયને અખલિત બનાવી શકે. વળી, માનસિક ભ્રમણારૂપ દિગ્બોહવિબમિથ્યાત્વજન્ય હોવાથી મિથ્યાત્વીને જ હોય શકે, સમ્યક્વીને નહીં. આવુંજોમાનવાનું હોય તો પાત વગરનાક્ષાયોપથમિકસમ્યવીને કે ક્ષાયિકસમ્યક્વીને દીક્ષા પછી ગીતાર્થ ગુરુના પારતવ્યની આવશ્યક્તા જ નહીં રહે, તેમજ આચારપ્રતિપાદક ગ્રન્થોનું અધ્યયન કરવાની પણ આવશ્યકતા જ નહીં રહે, કારણકે ક્યારે કઈ આરાધના કરવી વગેરે અંગે એને ક્યારેય કશો ભ્રમ થવાની શક્યતા જ નથી. એ સમ્યગૃનિર્ણયપૂર્વક સ્વયં જ આરાધના કરતો રહેવાનો છે. અને ખરેખર જો આવું હોય તો, શ્રી આચારાંગજીમાં ‘દેસી પાસપાસ સ્થિ’ આવું જે વચન આવે છે, એમાં પાસગસ્સનો અર્થ કેવલજ્ઞાની ન કરત, પણ ‘ક્ષાયિકસમ્યકત્વી કરત. આ સૂત્રનો અર્થ એવો છે કે તે તે પ્રકરણમાં જે કાંઈ વિધિ-નિષેધ બતાવેલા છે તે સર્વજ્ઞ માટે નથી.’ આનો સીધો અર્થ છે કે અસર્વશ જે કોઈ હોય ક્ષાયિક સમ્યકત્વી કે અક્ષાયિકસમ્યક્વી.. બધા માટે આ શાસ્ત્રવચનો છે જ. અને તેથી બધાએ એનું અધ્યયન કરવું જ પડે. વળી આ પંક્તિઓનો રહસ્યાર્થ એવો નથી કે એ પામવા માટે જાતજાતની કલ્પનાઓ કરવી પડે. ને બહુ સૂક્ષ્મવાતો છે. સૂર્મપ્રજ્ઞા વિનાનજ પદ્ધી શકાય.. એવું પણ માનવાની કોઈ જરૂર નથી. એ નિરર્થક ક્લિષ્ટકલ્પનાઓમાં તાણી જાય છે. ને ગ્રન્થકારના અભિપ્રેત અર્થથી દૂર તાણી જાય છે. (38) યિોગવિંશિકા.....૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ ન સમજાય એ પણ બને..” વગેરે ભાવના એ પ્રતિપક્ષભાવના છે. એનાથી ભ્રમ દૂર થઈને વિનજય થાય છે. ઇન્દ્રમહારાજાએ નમિરાજર્ષિને આ મિથિલાને દાહ લાગ્યો છે વગેરે કહીને કસોટી કરી. પણ મિદિતા ૩ન્સમાળી જ છે ડેન્ડ્રફ વિના વગેરે ભાવના દ્વારા નમિરાજર્ષિ સંયમમાંથી ડગ્યા નહીં. આ દિગ્બોહવિષ્મજ્ય. પચ્ચકખાણમાં દિસામોહેણ આગાર મૂક્યો હોવાથી, જ્યાં સુધી આગારરૂપતાને જાળવી રાખે ત્યાં સુધી દિગ્મોહ એ વિદનરૂપ બનતો નથી. વસ્તુતઃ પચ્ચકખાણમાં જે દિગ્મોહ છે એ “પચ્ચકખાણ આવ્યું કે નહીં?’ એ અંશમાં જ ભ્રમણા કરાવનાર છે, પચ્ચકખાણ કરવું કે નહીં?’ એ અંશમાં – અર્થાત્ સાધનાની કર્તવ્યતાના અંશમાં, સાધનાના સ્વીકાર અંશમાં – ભ્રમણા કરાવનાર નથી. માટે એ વિઘ્નરૂપ નથી. एते च त्रयोऽपि विघ्नजया आशयरूपाः समुदिताः प्रवृत्तिहेतवः, अन्यतरवैकल्येऽपि तदसिद्धेरित्यवसेयम् । उक्तश्च - विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः। મા 8 ટેન્દ્રમોહનયમ: પ્રવૃત્તિwત્ત: // (ષોડ. ૨-૨) વૃત્તિઅર્થઃ આશયરૂપ આ ત્રણેય વિદનજ્યો સમુદિત થાય તો પ્રવૃત્તિના કારણ બને છે. કારણકે ત્રણમાંથી એકેયની વિકલતા=અવિદ્યમાનતા હોય તો તે પ્રવૃત્તિ અસિદ્ધ રહે છે. ષોડશકજી (૩-૯) માં કહ્યું છે કે – જેમ માર્ગમાં દક, જવર અને દિગ્મોહ એ ત્રણ વિદ્ગો પરનો જય ગમનપ્રવૃત્તિફલક બને છે એમ હ=મોક્ષમાર્ગમાં હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો વિનજ્ય પ્રવૃત્તિફલક છે. વિવેચનઃ અહીં ત્રણે વિધ્વજય સમુદિત થાય તો પ્રવૃત્તિફલક બને છે, એમ જણાવ્યું છે. માત્ર, ઉત્કૃષ્ટ વિનજયને પ્રવૃત્તિલક નથી કહ્યો. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણામાં આ જ કમે આ ચાર થાય છે. એટલે ધારણા પ્રત્યે અવગ્રહાદિ ત્રણના સમુદાયને કારણ ન કહેતાં માત્ર અપાયને કારણ કહેવાય છે. અહીં પણ જો ત્રણે વિબજ્ય ક્રમશઃ જ થતા હોત તો માત્ર ત્રીજા વિબજ્યને પ્રવૃત્તિના કારણ તરીકે કહી ત્રિણે વિનય જરૂરી) Page #57 -------------------------------------------------------------------------- ________________ શકાત. પણ સમુદાયને જ કારણ તરીકે કહ્યો છે એ જણાવે છે કે ત્રણે પૂર્વોત્તર ક્રમે જ પ્રગટ થાય એવો નિયમ નથી. અને એટલે જ ‘ચરમવૈકલ્યેઽપિ’ ન જણાવતાં ‘અન્યતરવૈકલ્પેઽપિ’ જણાવ્યું છે. પ્રવૃત્તિને સ્ખલના પામવા માટે ત્રણે પ્રકારના વિઘ્નો ઉપસ્થિત થવા જોઇએ એ આવશ્યક નથી. જે વિઘ્નજય આરાય કેળવાયો ન હોય તેનું વિઘ્ન ઉપસ્થિત થાય એટલે પ્રવૃત્તિ અટકી જ જવાની. વિઘ્નપ્નયાઃ... પ્રવૃત્તિòતવ: આવો જે અન્વય છે એનો અર્થ તત્પુરુષ સમાસ કરી વિઘ્નજયો પ્રવૃત્તિના કારણ છે એ પ્રમાણે કરવો. પણ, બહુવ્રીહિ સમાસ કરીને પ્રવૃત્તિ છે કારણ જેનું એવા વિઘ્નજયો આવો અર્થ ન કરવો. કારણ કે તો પછી ‘અન્યતરવૈકલ્પેઽપિ તદસિદ્ધે ’ આવું જે જણાવ્યું છે તે અસંગત ઠરે. તે પણ એટલા માટે કે ‘અન્યતરકારણના અભાવમાં કાર્ય અસિદ્ધ રહેતું હોવાથી’ આવો એનો અર્થ છે. અર્થાત્ જે કારણભૂત છે તે અનેક છે એવું એ સૂચિત કરે છે. પ્રસ્તુતમાં પ્રવૃત્તિના અનેક પ્રકાર બતાવ્યા નથી કે જેથી એને ‘કારણ’ તરીકે લઈ શકાય. વિઘ્નજયના જ અનેક પ્રકાર બતાવ્યા છે, માટે એને જ કારણ તરીકે લઈ શકાય છે, પ્રવૃત્તિને કાર્ય તરીકે. એ જ રીતે બહુવ્રીહિ સમાસ કરવામાં, ‘પ્રવૃત્તિ ત્રણે વિઘ્નજયના સમુદાયનું કારણ છે’ એવો અયોગ્ય અર્થ આપનાર ‘સમુવિતા:’ શબ્દ, ‘તસિદ્ધે’ શબ્દ અને પુલિંગ હોવાથી બહુવ્રીહિ સમાસાન્ત તરીકે સૂચિત થતો ષોડશજીનો પ્રવૃત્તિત: શબ્દ... આ ત્રણ પણ અસંગત રહે છે. પ્રશ્ન : પણ જો આ રીતે વિઘ્નજય એ હેતુ છે ને પ્રવૃત્તિ એનું કાર્ય છે, તો પ્રણિધાન, વિઘ્નજય, પ્રવૃત્તિ... એ ક્રમ કેમ ન કહ્યો ? ઉત્તર : વિઘ્નજયને જે પ્રવૃત્તિનું કારણ કહેવો છે એ પ્રવૃત્તિ, વિઘ્નજય થયા પછીની વિશિષ્ટ પ્રવૃત્તિ છે. પણ, વિઘ્નજય કેળવવા માટે પૂર્વે સામાન્યપ્રવૃત્તિ પણ આવશ્યક તો હોય જ છે. જેમ ઈહાથી અપાય ઉત્પન્ન થાય છે. પછી એ અપાય (વ્યાવહારિક અર્થાવગ્રહનું કામ કરીને) ઈહાને ઉત્પન્ન કરે છે. વળી એ ઈહા વધારે વિશેષબોધક અપાયને ઉત્પન્ન કરે છે. અર્થાત્ ઈહા-અપાય-ઈહા-અપાય... આ 40 (યોગવિંશિકા...૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ કેમ ચાલે છે. એમ પ્રસ્તુતમાં પ્રવૃત્તિ-વિબજ્ય-પ્રવૃત્તિ-વિધ્વજય.. આ ક્રમ ચાલે છે. વિદનજ્ય આશય કેળવાયો ન હોય તો પણ, વિદન હોય જ નહીં એવી અવસ્થામાં પ્રવૃત્તિ થયા કરે છે... ને આ રીતે થયા કરતી પ્રવૃત્તિથી પરિકર્મસંપન્નતા દ્વારા ‘ વિજય આશય પ્રગટ થાય છે. ધારોકે આ ૧૦ માત્રાના વિપ્ન પર જય થયો. આ જ્ય થયા પૂર્વે જે પ્રવૃત્તિ હતી તે ભલે વિન ન હોવાના કારણે અખલિત ચાલી... પણ જો ૧૦ માત્રા સુધીનું વિન પણ આવત તો સ્કૂલના પામવાની યોગ્યતાવાળી હતી, પણ હવે આટલો વિનય થયા પછી એવી ખલના પામવાની યોગ્યતા વિનાની બની... માટે એ પૂર્વની પ્રવૃત્તિ કરતાં વિશિષ્ટ બની... છતાં આ પ્રવૃત્તિ, હજુ ૧૧ વગેરે માત્રાનું વિઘ્ન આવે તો સ્કૂલના પામે એવી છે. એટલે એ અપેક્ષાએ હજુ સામાન્ય પ્રવૃત્તિ કહેવાય.... પણ એ કરતાં રહેવાથી વધારે વિનય થાય, જેથી હવે ૨૦ માત્રા સુધીનું વિઘ્ન પણ ખુલના કરી શક્યું નથી. માટે આ ઓર વિશિષ્ટ પ્રવૃત્તિ કહેવાય.. આમ ઉત્તરોત્તર જાણવું. આમ પ્રારંભ પ્રવૃત્તિથી થાય છે. માટે ઈહાની જેમ પ્રવૃત્તિને પ્રથમ કહી છે, ને વિનયને પછી.. अतिचाररहिताऽधिकगुणे गुर्वादौ विनयवैयावृत्त्यबहुमानाद्यन्विता हीनगुणे निर्गुणे वा दयादानव्यसनपतितदुःखापहारादिगुणप्रधाना मध्यमगुणे चोपकारफलवत्यधिकृतધર્મસ્થાન હિંસક પ્રાણઃ સિદ્ધિઃ ૩Z सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया। ધ વિનયાવિયતા રીને ત્યાવિશુળRT II (પોડ. ૩/૨૦) વૃત્તિઅર્થઃ અધિકૃત અહિંસા વગેરે ધર્મસ્થાનની એવી પ્રાપ્તિ એ સિદ્ધિ છે કે જે (૧) અતિચાર રહિત હોય (૨) ગુણાધિક એવા ગુરુવગેરે પ્રત્યે વિનય વૈયાવચ્ચબહુમાન આદિથી યુક્ત હોય (૩) હનગુણી કે નિર્ગુણ જીવો પ્રત્યે દયા, દાન, વ્યસનપતિત કષ્ટમાં આવી પડેલાના દુઃખ દૂર કરવા વગેરે ગુણના પ્રાધાન્યવાળી હોય અને (૪) મધ્યમગુણવાળા=સ્વસમાન ગુણવાળા જીવો પ્રત્યે ઉપકાર કરવાના ફળવાળી હોય. (અહિંસાદિની આવી પ્રાપ્તિ એ સિદ્ધિ છે.) ષોડશક (૩-૧૦) માં કહ્યું છે કે ગુણાધિક જીવો પ્રત્યે વિનયાદિથી યુક્ત, હીન ગુણી જીવો પ્રત્યે ધ્યાઠિગુણપ્રધાન (અને “ચ” શબ્દથી, સમાનગુણવાળા જીવો પ્રત્યે ઉપકારવાળી) તે તે ધર્મસ્થાનની પ્રાપ્તિ એ ઈ=આશયપંચકના આ પ્રસ્તાવમાં તાત્ત્વિક સિદ્ધિ જાણવી. સિદ્ધિ આશય (41) Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : તે તે ધર્મસ્થાન (ગુણ) ચન્દ્રનગન્ધન્યાયે આત્માની પ્રકૃતિરૂપ બની જાય એ સિદ્ધિ છે. ચંદનને છેદો-છોલો કે ખાળો... એ સુગંધ જ આપે. એમ ગમે તેવી પ્રતિકૂળ-વિઘ્નભૂત પરિસ્થિતિમાં પણ વિવક્ષિત અહિંસાદિ ગુણ જળવાયેલો જ રહે એવી પ્રાપ્તિ એ સિદ્ધિ છે. ત્રણે પ્રકારના વિઘ્નો પર જય મેળવ્યા પછી જ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. વળી, વિઘ્નજય માટે પ્રણિધાન અને પ્રવૃત્તિઓરાય પણ પર્યાપ્તપણે કેળવાયેલા હોવા જ જોઇએ. એટલે પ્રમાદાદિજન્ય અતિચારની સંભાવના રહેતી નથી. ક્યારેક જે ઓછું વત્તું આચરણ હોય છે તે પરિસ્થિતિવશાત્ કર્યું હોવાથી અપવાદરૂપ હોય છે, પણ અતિચારરૂપ હોતું નથી. માટે અહીં ધર્મસ્થાનની પ્રાપ્તિને અતિચારરહિત કહી છે. (પ્રમાઠાદિવરાત ક્યારેય પણ અતિચાર લાગે નહીં એ રીતે ધર્મસ્થાન કેળવવામાં આવે તો ‘સિદ્ધિ’ થાય એવો સૂચિતાર્થ અહીં સમજવો. ) અધિમુખે... વિવક્ષિત અહિંસાદિધર્મસ્થાનમાં જેઓ પોતાના કરતાં આગળ નીકળી ગયા છે એવા *ગુણાધિક ગુરુ વગેરે અંગે વિનય-બહુમાનાદિ ભાવ જાગે જ. ‘આ તો અન્યપક્ષીય છે કે મારો હરીફ છે’ આવા કોઇ પણ કારણે જો ઈર્ષ્યા, દ્વેષ કે ઉપેક્ષા વગેરે ભાવ જાગે તો સમજવું જોઇએ કે પોતાને સિદ્ધિ થઈ નથી. અવિરત માટે દેશવિરત ને દેશવિરત માટે સર્વવિરત સાધુ એ ગુણાધિક છે. ગુણાધિક વ્યક્તિ આવે એટલે ઊભા થવું-આસનપ્રદાન કરવું... આ બધું વિનય છે. આહાર-પાણી-ઔષધિ વગેરે લાવી આપી સેવા કરવી એ વૈયાવચ્ચ છે. ગુણાધિક પ્રત્યે દિલમાં પ્રીતિ-આદર હોવો એ બહુમાન છે. * ‘‘અધિશુળે... એનું તાત્પર્ય એ છે કે ક્વચિત્ પોતે જે ગુણમાં સિદ્ધિ આરાય પ્રાપ્ત કર્યો હોય તેનાથી અન્ય ગુણો ગુરુ આદિમાં અધિક હોય અને ગુરુ પણ ક્વચિત્ સિદ્ધિ આરાયવાળા હોય કે વિનિયોગ આશયવાળા પણ હોય અને કવચિત્ સામાન્ય સર્વ ગુણોની અપેક્ષાએ ગુરુ કરતાં પોતે અધિક ગુણવાળો પણ હોય, તો પણ ઉપકારકતાની અપેક્ષાએ ગુણ સંપન્ન ગુરુ અધિકગુણવાળાં જ છે. ’’આવું બધું વિવેચન ગલત જાણવું કારણ કે પોતે જે ગુણમાં સિદ્ધિ આશય કેળવ્યો છે એ જ ગુણમાં જેઓ આગળ હોય એની અહીં વિવક્ષા છે, અન્યગુણમાં કે ઉપકારક્તામાં તેઓ આગળ છે કે નહીં એની અહીં કોઇ અપેક્ષા નથી. શંકા - વિવક્ષિત અહિંસા-ક્ષમાદિ ગુણ ક્ષાયિકક્ષાનો-પ્રત્કૃષ્ટક્ષાનો (૧૦૦%) પ્રાપ્ત થાય ત્યારે જ સિદ્ધિ કહેવાય અને તેથી એ ગુણ અંગે તો કોઇ પોતાનાથી ગુણાધિક હોય એ સંભવતું જ નથી. માટે અહીં ગુણાધિક તરીકે અહિંસા ક્ષમાદિથી ભિન્ન અન્યગુણોમાં જે પોતાનાથી યોગવિંશિકા...૧ 42 Page #60 -------------------------------------------------------------------------- ________________ રીનrm... પોતાના કરતાં અલ્પપ્રમાણમાં અહિંસાદિ ધર્મસ્થાન પામેલા જીવો એ હીનગુણજીવો... અને અલ્પાંશે પણ વિવક્ષિત અહિંસાદિ ધર્મસ્થાન નહીં પામેલા જીવો એ નિર્ગુણજીવો. આ બન્ને પ્રકારના જીવો હંમેશા માટે હીન હોવાના કારણે હંમેશા સહાયની અપેક્ષાવાળા હોય છે. લગભગ સ્વસમાનગુણવાળા જીવો એ મધ્યમજીવો છે. એમને અવસરવિશેષમાં સહાયક બનવાનું હોય છે. અધિક હોય કે ઉપકારની દષ્ટિએ જે અધિક હોય તે લેવાના છે. સમાધાન - આવી બધી શંકા નિરર્થક છે. કારણકે જ્યારે વિશેષ કશો ઉલ્લેખ ન હોય ત્યારે, ગુણાધિક’ કે ‘ગુણહીન’ શબ્દો વિવક્ષિત ગુણ અંગે જે અધિક કે હીન હોય એને જ જણાવી શકે, અન્ય ગુણની અપેક્ષાએ અધિક હોય કે હીન હોય એને નહીં. વળી મૂળમાં, ‘૧૦૦% ગુણ કેળવાય ત્યારે જ સિદ્ધિ કહેવાય’ એ કલ્પના જ ગલત છે. તે પણ એટલા માટે કે સિદ્ધિ આશયમાં જ જો પ્રકૃBગુણ પ્રાપ્ત થઈ ગયો હોય તો વિનિયોગ-તથા પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ સુધીની સાનુબધતા-વગેરે જે વાતો ગ્રન્થમાં કરેલી છે તે નકામી થઈ જાય. આશય એ છે કે સિદ્ધિ પછી વિનિયોગ થાય, આ વિનિયોગથી ક્ષયોપશમ સાનુબન્ધ થાય... પછી તેના પ્રભાવે વધારે ગુણ સિદ્ધ થાય... વળી ઓર વિનિયોગ થાય, તેના કારણે વધારે ક્ષયોપશમ સાનુબન્ધ થાય... આ કમે જીવ પ્રકૃષ્ટગુણને પામે છે. વળી પ્રકૃધર્મસ્થાન એટલે તો ક્ષાયિક ધર્મસ્થાન..ક્ષાયિક અહિંસાક્ષમા વગેરે પામનારો તો એ જ ભવમાં મોક્ષે જાય. એટલે અનેક જન્માન્તરની પરંપરા દ્વારા પ્રકૃષ્ટ ગુણને પામવાની વાત પણ અસંગત કરે... એટલે પૂર્વે જે સિદ્ધિ થયેલી છે એમાં પ્રકૃષ્ટ ગુણ નથી એ તો સ્પષ્ટ જ છે. અને તેથી ધારોકે પોતે વિવક્ષિત ગુણને ૫૦% સુધી આત્મસાત્ કર્યો હોય તો પ૦% ગુણની સિદ્ધિ છે. એ વખતે ૬૦-૭૦.... વગેરે % જેટલા ગુણની સિદ્ધિવાળા જીવો એ અધિક ગુણી ને ૪૦-૩૦ ટકા વગેરે વાળા જીવો એ હીનગુણ... તેમજ હજુ ગુણ કેળવ્યો જ ન હોય એવા બધા જીવો નિર્ગુણ. “પોતાનામાં જેટલો ગુણસિદ્ધ થયો છે એના કરતાં સામી વ્યક્તિમાં ૧૦-૨૦% વધારે ગુણ પ્રગટ થયો છે એ છદ્મસ્થ શી રીતે જાણી શકે?''આવો પ્રશ્ન ન કરવો, જેમ સુવિહિતસાધુપણાનો નિર્ણય આલયવિહારાદિ પરથી કરી યથાયોગ્ય વિનય-બહુમાનાદિ કરવાના હોય છે એમ પ્રસ્તુતમાં સામી વ્યક્તિના વાણી-વર્તાવ વગેરે પરથી એનું ગુણાધિક્ય જાણી શકાય છે. એક વિશેષ પ્રસંગે ગુણાધિક્ય જાણી શકાય છે. આ ગુણાધિક્યના નિર્ણયમાં જ્ઞાનાવરણના અપરાધ તરીકે ક્યારેક ભ્રમણા થવાથી બહુમાનાદિ અંગે વૈતથ્ય થાય તો પણ એ દોષરૂપ નીવડતું નથી. આશય એ છે કે ગુણાધિકજીવનું ગુણાધિક્ય પ્રગટ થયું ન હોવાના કારણે જાણી ન શકાયું હોય અને તેથી બહુમાન-વિનયાદિ કરવામાં ન આવે તો પણ એટલા માત્રથી ‘સિદ્ધિ દૂષિત થઈ જતી નથી. જેમકે કેવલજ્ઞાની તરીકે પ્રગટ ન થયા હોય તેવા કેવલી પ્રત્યે બહુમાનાદિન જાગવા માત્રથી અન્ય મહાત્માઓના અહિંસાદિ ધર્મસ્થાનો દૂષિત થતા નથી. એમ, (ગુણાધિક્ય કોની અપેક્ષાઓ (43) 43. Page #61 -------------------------------------------------------------------------- ________________ નિત્યસહાયકતા એ ‘કૃપા-કરુણા’ છે અને ક્વચિત્ સહાયકતા એ ‘ઉપકાર’ કહેવાય છે. અધિક પ્રત્યે વિનયાદિ, મધ્યમ પ્રત્યે ઉપકાર અને હીન પ્રત્યે કૃપા... આ ત્રણ ઉત્તરોત્તર ક્ષયોપરામના કારક છે. તેથી સિદ્ધિ માટે આ ત્રણે આવશ્યક છે. એટલે જ ગુણ સિદ્ધ થયો છે કે નહીં ? એની પરીક્ષા પણ આનાથી થઇ શકે છે. ક્રોધી પ્રત્યે દ્વેષ-દુર્ભાવના બદલે કરુણા જ ઉભરાયા કરે (તે પણ ઉભરાયા કરે. ઉભરાવવી ન પડે) તો સમજવું કે ક્ષમા સિદ્ધ થઈ છે. હીન પ્રત્યે અંદર જે કરુણા જ અનુભવાયા કરે એ ‘દયા’ છે... હીન જીવો આગળ વધે એ માટેના યથાશક્ય સંયોગ-સામગ્રી વગેરે એને પૂરા પાડવા- પડાવવા એ ‘દાન’ છે. સંયમસ્થાનમાં વસ્તુતઃ નિમ્નકક્ષાએ રહેલા એવા પણ રત્નાધિક પ્રત્યે ઉપલા સંયમસ્થાનમાં રહેલા અવમરાત્મિક વિનય-બહુમાનાદિ કરે તો એમનું સંયમ વધુ નિર્મળ જ થાય છે. કૃષિત નથી થતું. એટલે ઉપકાર-સંયમ પર્યાય વગેરે દષ્ટિએ જ ગુણાધિક લેવાના છે એવી માન્યતા પણ ગલત છે. ગુણાધિક હોવા છતાં પર્યાયમાં નાના હોય તેના પ્રત્યે પણ બહુમાન તો હોય જ. વિનયવૈયાવચ્ચ વગેરે માટે બાહ્ય વ્યવહાર જોવાનો હોય છે. એટલે બાહ્ય વ્યવહારને અનુરૂપ આસનપ્રદાનાદિરૂપ વિનય વગેરે ગુણાધિક અવમરાત્વિક પ્રત્યે કરવાના ન હોય એટલા માત્રથી સિદ્ધિ અસિદ્ધ બની જતી નથી. નહીંતર તો સંયમપર્યાયમાં નાના એવા ગુણાધિક પ્રત્યે રત્નાધિકોએ બહુમાનાદિ રાખવાની આવશ્યકતા જ ન રહે, ને તો પછી વાચના લેતી વખતે, વાચનાદાતા નાના હોય તો પણ એને વન્દન કરવાની જે સામાચારી શાસ્ત્રોમાં દર્શાવેલી છે તે અસંગત ઠરી જાય. વળી, હીનગુણ તરીકે જો પૂર્વે સ્વપ્રાપ્ત ધર્મસ્થાનની અપેક્ષાએ અધસ્તન રહેલા જીવોને કહ્યા છે, તો ગુણાધિક તરીકે પણ એની અપેક્ષાએ ઊંચે રહેલા જીવો જ વિવક્ષિત હોય એ, તથા જે ગુણમાં આગળ વધવું છે એ ગુણમાં આગળ વધેલાઓ પ્રત્યે બહુમાનાદિ જોઇએ જ (પછી ભલે સંયમ વગેરે અન્યગુણમાં એ કદાચ પાછળ પણ હોય) આ બે ને બે ચાર જેવી વાત છે. વિવક્ષિત ગુણમાં ગુરુ વગેરે કદાચ આગળ ન હોય તો પણ એટલા માત્રથી કાંઇ એમની પ્રત્યેના વિનયાદિ અસંગત બની જતા નથી, કારણકે સંયમ-ઉપકાર વગેરેની દષ્ટિએ તેઓ આગળ છે જ. અને વન્દન – ભક્તિ વગેરે બાહ્ય પ્રતિપત્તિ માટે તો વ્યવહાર સામે જોવાનું હોવાથી વ્યવહારથી જે અવિરુદ્ધ હોય તે કરવાનું હોય. માટે પ્રસ્તુત ગુણમાં જે અધિક હોય તેને જ અહીં મુખ્યતયા ગુણાધિક તરીકે વિવસ્યા છે એ વાત નિઃશંક જાણવી. 44 યોગવિંશિકા...૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ *હીનજીવો કંઇક સંકટમાં મૂકાઈ જાય (અને વિદનજ્ય આશય તો હજુ તેઓએ કેળવ્યો હોય નહીં, તેથી એ ગુણની સાધનામાં સ્કૂલના આવી જાય) તો એ વખતે એનું એ સંકટ દૂર કરી પાછો એને અખ્ખલિત સાધના માર્ગે ચઢાવવો એ વ્યસનપતિત દુઃખાપહાર છે. મધ્યમ ... પોતાને લગભગ સમાન ગુણસિદ્ધિ પામેલા જીવો મધ્યમ છે. એટલે એ જીવોને પણ પ્રણિધાન, પ્રવૃત્તિ, અને વિજય આશયો પણ લગભગ સ્વસમાનકક્ષાના કેળવાયેલા હોય જ છે. ને તેથી તેઓ સ્વયં પોતાની આરાધના કરતાં જ હોય છે. પણ ક્યારેક એવી વિશેષ પરિસ્થિતિમાં એમને સહાય કરવી આવશ્યક બની હોય છે. એવા અવસરે કોઇ ઈષ્યવગેરે ભાવ આગળનઆવી સહજ સહાયતા જ કરવાનું થાય... તો સમજવું કે સિદ્ધિ આશય કેળવાયો છે. એમ તો પ્રણિધાન આશયમાં પણ પરોપકાર-વાસનાવાસિત ચિત્ત જે કહ્યું છે એમાં કૃપા-ઉપકાર અંશ ભળેલો જ હોય છે. તો એમાં ને આમાં ફેર શું? ફેર આ કે – પ્રણિધાન આશયની * અહીં પણ સમજવા જેવું છે કે હીનગુણજીવોનો કે નિણજીવોનો આમાં જ સમાવેશ છે, ને અહીં જે દયા-દાનાદિ કહ્યા છે તે એમના જ પ્રત્યે કહ્યા છે. જીવો ઘણા અલ્પગુણોવાળા હોય તો પણ ઉપકારને યોગ્ય હોય તો મધ્યમગુણમાં જ તેની ગણના છે ને તેઓ પર ઉપકાર કરવાનો છે. ને જે ઉપકારને યોગ્ય નથી તેઓ બધા હીતગુણ-નિર્ગુણ તરીકે ઉલ્લેખ પામ્યા છે, ને તેમની પ્રત્યે જે દયા વગેરે કહ્યા છે તે માત્રદ્રવ્યદ્યા વગેરે જાણવા... 'આવી બધી કલ્પનાઓ ન કરવી, કારણકે જ્યારે ગ્રન્થકાર હીન ગુણ, મધ્યમગુણ અને અધિકગુણ એમ ત્રણ વિભાગ સ્વયં બતાવે છે, ત્યારે હીન ગુણનો મધ્યમગુણમાં સમાવેશ કરી શકાય નહીં, વળી, પ્રણિધાનઆશયમાં તેઓનો અધસ્તનગુણસ્થાનવર્સી તરીકે જ ઉલ્લેખ છે ને એમના પ્રત્યેકૃપાનુગત્વ (અધઃ કૃપાનુગત્વ) દર્શાવેલું જ છે, તો સિદ્ધિઆશયમાં તેન હોવાનું ન કહેવાય. નવાઇની વાત તો એ છે કે આવી કલ્પના કરનાર પંડિતે જ પ્રણિધાન આશયમાં અધઃકૃપાનુગ' ના વિવેચનમાં ચંડરુદ્રાચાર્યના શિષ્યોમાં યોગ્યતાની વાત કરી છે ને છતાં એમનો નંબર “હીનગુણ માં જ રાખી એના પ્રત્યે કૃપાની (ભાવયાની) વાત કરી જ છે. તે અહીં એમનો નંબર હનગુણમાં ન ગણતાં મધ્યમગુણમાં ગણવાની વાત શી રીતે સ્વીકૃત બને? તથા નિર્ગુણ જીવનમાં કેટલાક યોગ્ય હોયને કેટલાક અયોગ્ય હોય એ સંભવે છે. ને તેથી અયોગ્ય પ્રત્યે દ્રવ્યયા વગેરે હોય તેમજ એની સાધના અંગે ઉપેક્ષા હોય આ ઉપેક્ષા પણ (શ્રેષાભાવરૂપે “કરુણા રૂપ કહેવાય જ, ને તેથી આને જ) તેઓની ભાવ કરુણારૂપે કહેવામાં આવે તો કોઈ હરકત નથી. પણ હનગુણજીવો તો કંઈક પણ સાધનામાં આગળ વધેલા છે, ભલે પોતાનાથી અલ્પ, પણ કંઇક ગુણ તેઓએ પણ મેળવ્યો જ છે. પછી તેઓને ( જ્ઞાનદર્શનચારિત્રેકમૂર્તિક] (45) Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રારમ્ભિક કક્ષામાં પરોપકાર કરવા ચિત્તને તૈયાર કરવું પડતું હોય એવું પણ બને... પછી પરોપકાર કરવાનું ચિત્ત સહજ બની જાય. એ પછી પણ ક્યારેક પ્રમાદાદિવશાત્ પરોપકાર ન કરે એવું પણ શક્ય બને. સિદ્ધિઆશયમાં આવું નથી હોતું. પરોપકારનું ચિત્ત સહજ બન્યું રહેતું હોય છે. ને શક્ય હોય તે પરોપકાર, વિના પ્રમાદે અચૂક થાય જ છે. પ્રવૃત્તિઆશયવાળાને પણ આ યાદિ હોય જ છે. પણ વિઘ્નજયઆશય હજુ કેળવાયો ન હોય એટલે અન્યકૃતઉપસર્ગ જઘન્યવિઘ્નનું કાર્ય કરી અહિંસાની સાધનાને ખોરંભે પાડી દે... ને સાધક કરુણા ચૂકીને દ્વેષાદિ હિંસકભાવમાં તણાઈ જાય આવું પણ અસંભવિત નથી. સિદ્ધિઆરાયવાળાને આવી થોડી પણ સંભાવના રહેતી નથી, એ જાણવું. અહિંસા, ક્ષમા વગેરે ધર્મસ્થાનનો પોતાના આત્મામાં સાક્ષાદ્ અનુભવ એ સિદ્ધિ આશય છે. ‘હિંસા કરવી નહીં’ એમ નહીં, ‘હિંસા મારા સ્વભાવમાં જ નહીં...’ આવી સ્વયં અનુભૂતિ એ સિદ્ધિ છે. ફક્ત બીજાના માપયંત્રો પર નહીં ચાલવાનું, તદનુસાર પોતાની પણ સંવેદના જોઇએ. શ્રી દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાં ઉપાધ્યાયજી અયોગ્ય કહી ન શકાય, અને તેથી તેઓ પ્રત્યે માત્ર દ્રવ્યઠયા વગેરેની વાત એ તત્ત્વની અનભિજ્ઞતા છે. તેઓ પ્રત્યે તો તેઓ આગળ કેમ વધતા રહે એ માટે ભાવકરુણા જ સતત સ્ફુર્યા કરતી હોવી જોઇએ. એટલે જ શ્રીયોગરાતમાં અપુનર્બન્ધને સમ્યક્ત્વસંબંધી દેશના, ને અવિરતસમ્યક્ત્વીને દેશવિરતની દેશના આપવી. વગેરે વિભાગ દર્શાવ્યો છે. પણ ‘અપુનર્બન્ધક હોવા છતાં અયોગ્ય હોય ને તેથી એને આગળ વધવાની દેશના આપવા રૂપ ભાવકરુણા એના પ્રત્યે ન હોય. .. ’આવું ક્યાંય જણાવ્યું નથી. યોગ્ય જીવ પણ કદાચ કોઇક સહેલાઇથી આગળ વધે એમ ન જણાતું હોય તો વધારે ભાવકરુણા વહાવી વધારે પ્રયત્ન કરવાની વાત હોય, એના બદલે એની ભાવદયા છોડી દઈ અને એના ભાગ્યના ભરોસે છોડી દેવાનો ? આ શી રીતે ઉચિત ઠરે ? વળી, પરસ્પર સમાનકક્ષાએ પહોંચેલા અને તેથી સમાન આરાધના કરતા બે હીનગુણજીવોમાંથી, આ યોગ્ય છે, માટે એને મધ્યમગુણમાં ગણી એના પર ભાવકરુણા-ઉપકાર કરવાના ને આ અયોગ્ય છે, માટે એને હીનગુણમાં જ ગણી એના માત્ર દ્રવ્યદયા વગેરે કરવાના-આવો વિભાગ છદ્મસ્થ શી રીતે કરી શકે? ન વળી, જે લગભગ પોતાને સમાનગુણવાળા હોવાથી મધ્યમગુણી છે એના પર ‘નિમ્નકક્ષાવિષયક એવી ભાવકરુણા’ શી રીતે કહેવાય ? એ અહંકારનો ચાળો ન બની જાય ? એને તો અવસરે ક્વચિત સહકાર આપવાનો હોય... માટે હીનગુણ પર દ્રવ્યદયા... વગેરેની આ વાતો અસંગત જાણવી. 46 યોગવિંશિકા...૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ મહારાજે આને જણાવવા માટે આત્મિનઃ માત્મના સંવિત્તિ: શબ્દો વાપર્યા છે. વળી આ સંવેદનાને જ્ઞાનવર્શનવામૂિર્તિા કહી છે. ઉશ્કેરાટ એ મારો સ્વભાવ નહીં, મારો મૂળ તો શાંત સ્વભાવ છે આવી જાણકારી એ જ્ઞાન છે. આવા સ્વભાવની પ્રાપ્તવ્ય તરીકેની સંવેદના એ શ્રદ્ધા-દર્શન છે... આત્માની આવી શાન્ત પરિણતિ એ ચારિત્ર છે. તે તે ક્ષમાદિ ગુણનું જ્ઞાન, શ્રદ્ધા અને પરિણતિરૂપ બને એટલે જ્ઞાનદર્શનચારિત્રકમૂર્તિકા કહેવાય. પરપીડાપરિહારાદિ એ સિદ્ધિનું બાહ્યસ્વરૂપ છે. બાધક કર્મોનો વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ એ અહિંસાદિ સિદ્ધિનું આંતરિકસ્વરૂપ છે. ચારિત્ર અંગેનો કોઈપણ વિશિષ્ટ ક્ષયોપશમ જ્ઞાન દર્શનથી સહકૃત જ હોય છે. અને તેથી સિદ્ધિ ત્રણેના અનુભવાત્મક જ હોય છે. આ અનુભવ મુખ્યતયા સંસ્કારરૂપે, ક્વચિત્ ઉપયોગ રૂપે હોય છે. સંસ્કારરૂપે સતત હોવાના કારણે જ એ નિદ્રાદિકાળે પણ વૈપરીત્યવારક હોય છે. એટલે જ તપસિદ્ધ એવા ભાઈ મહારાજને ખાવા છતાં ‘ઉપવાસી’ તરીકેની જ સંવેદના હતી. પૂર્વાવસ્થામાં ક્રૂર ઉપહાસ કરનાર ગુણસને અગ્નિશર્માનું ત્રણ-ત્રણ વાર માસક્ષમણનું પારણુંચૂકાવ્યું. આવી હરક્ત પણ ક્ષમાની સિદ્ધિવાળા યોગીને ક્રોધના કારણ તરીકે દેખાતી હોતી નથી. અર્થાત્ આટલો બધો ત્રાસ આપનાર પ્રત્યે પણ ક્રોધ તો ન જ કરી શકાય... એ કોધ પણ દોષરૂપ જ છે... આવી જ એમની પ્રતીતિ હોય છે. યોગલક્ષણકાત્રિશિકામાં ઉપાધ્યાયજી મહારાજે અભ્યાસશુદ્ધ ધર્મ એ તાત્ત્વિકધર્મ છે, ને આવા તાત્ત્વિકધર્મની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. એમ જણાવ્યું છે. આનો આશય એ છે કે આંતરિક પરિણામથી થયેલો હોવાથી પરિણામકૃત એવો ધર્મ વાસ્તવિક હોય તો પણ જો અભ્યાસશુદ્ધ ન હોય તો તાત્ત્વિક નથી. અને તેથી એની પ્રાપ્તિ એ સિદ્ધિ નથી. ક્ષયોપશમ પ્રગટયો હોવાના કારણે ધર્મ પરિણામકૃત હોવા છતાં ક્ષયોપશમ જો દઢન હોય તો થોડી પણ વિષમ પરિસ્થિતિ એને આવરી શકે છે. માટે એ તાત્ત્વિક નથી. જ્યારે અભ્યાસશુદ્ધ ક્ષયોપશમ દઢ હોવાના કારણે વિષમ પરિસ્થિતિમાં પણ આવરાતો નથી. માટે તાત્ત્વિક છે. આવા કથનની પાછળ એ આશય છે કે ધર્મની યોગ્યતા, ઉત્પત્તિ, શુદ્ધિ, વૃદ્ધિ અને પ્રકૃeતા.. આ બધું અભ્યાસથી થાય છે. અને તેથી જ સંખ્યાત બહુભાગ જીવો અભ્યાસશુદ્ધિથી જ ધર્મમાં આગળ વધે છે, ગુણો કેળવે છે, ગુણોની પરાકાષ્ઠાએ પહોંચે છે ને છેવટે મોક્ષ મેળવે છે. વગર અભ્યાસે, માત્ર પરિણામથી આ બધું પામનારા સેંકડો-હજારોમાં વિનિયોગ આશય) Page #65 -------------------------------------------------------------------------- ________________ એકાદ હોય છે. એટલે અભ્યાસ વિનાના એકલા પરિણામના ભરોસે રહેવાય નહીં. માટે રાજમાર્ગ-વ્યવહારમાર્ગ કેવળ પરિણામને મુખ્ય ન કરતાં અભ્યાસને મુખ્ય કરે છે. અભ્યાસથી શુદ્ધિ પ્રગટે છે, એનાથી વળી વધારે શુદ્ધ અભ્યાસ થાય છે. આમ ઉત્તરોત્તર જાણવું. ___ स्वप्राप्तधर्मस्थानस्य यथोपायं परस्मिन्नपि सम्पादकत्वं विनियोगः । अयञ्चानेकजन्मान्तरसन्तानक्रमेण प्रकृष्टधर्मस्थानावाप्तेरवन्ध्यो हेतुः । उक्तञ्च - सिद्धेश्चोत्तरकार्य विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसंपत्त्या सुन्दरमिति तत्परं यावत् ।। (षोडशक ३-११) अवन्ध्यं-न कदाचिनिष्फलं, एतत् धर्मस्थानमहिंसादि एतस्मिन् विनियोगे सति अन्वयसंपत्त्या अविच्छेदभावेन तत्=विनियोगसाध्यं धर्मस्थानं सुन्दरम्, इति:' भिन्नक्रम: समाप्त्यर्थश्च, यावत्परमित्येवं योगः, यावत् परं=प्रकृष्टं धर्मस्थानं समाप्यत इत्यर्थः। - વૃત્તિઅર્થ પોતાને સિદ્ધિરૂપે પ્રાપ્ત થયેલા અહિંસા વગેરે ધર્મસ્થાનનું જે પ્રમાણે ઉપાયો શક્ય હોય એને અનુસરીને અન્યમાં પણ સંપાદન કરવું એ વિનિયોગ છે. આવો વિનિયોગ કરાવનાર આશય એ વિનિયોગ આશય નામે પાંચમો આશય છે. આ વિનિયોગ ભાવી અનેક જન્મોમાં ઉત્તરોત્તર ઊંચી કક્ષાના તે તે ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવે છે. આ રીતે ઊંચા ઊંચા ધર્મસ્થાનની પરંપરા દ્વારા એ પોતાને પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવે છે. માટે આ વિનિયોગ ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનો અવધ્ય હેતુ છે. ષોડશક (૩-૧૧) માં કહ્યું છે કે – સિદ્ધિનું ઉત્તરકાર્ય વિનિયોગ છે. આ વિનિયોગ થવા પર આ અહિંસાદિ ધર્મસ્થાન અવિચ્છેદપણે પરંપરા ચાલવાના કારણે અવધ્ય હોય છે. તેથી આ વિનિયોગસાધ્ય ધર્મસ્થાન સુંદર છે. એટલે કે પોતાને પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવી આપે ત્યાં સુધીના સામર્થ્યવાળું છે. ષોડશકની આ ગાળામાં આવેલા કેટલાક શબ્દોનો અર્થ : - અવધ્ય = ક્યારેય પણ નિષ્ફળનજનાર. એતત્ = અહિંસાવગેરે ધર્મસ્થાન.. એતસ્મિનું = વિનિયોગ થયે છતે. અન્વયસંપજ્યા = અવિચ્છેદપણે... તત્ = વિનિયોગસાધ્યધર્મસ્થાન. ગાથામાં રહેલો ઇતિ શબ્દ ભિન્નકમવાળો છે અને સમાપ્તિ [48] યોગવિંશિકા...૧) Page #66 -------------------------------------------------------------------------- ________________ અર્થને જણાવનારો છે. તેથી ‘યાવત્પરમિતિ’ એ પ્રમાણે અન્વય જાણવો. એટલે એનો અર્થ આવો થશે - પર = પ્રકૃષ્ટ ધર્મસ્થાન સંપ્રાપ્ત થાય ત્યાં સુધી. વિવેચનઃ હવે પાંચમાં વિનિયોગ આશયનું નિરૂપણ કરવામાં આવે છે. સામાન્ય જોડાણ એ યોગ છે, અત્યંત જોડાણ એ નિયોગ છે અને વિશિષ્ટ પ્રકારનું અત્યન્ત જોડાણ એ વિનિયોગ છે. એવામાહાન્સવાળી વ્યક્તિના સાન્નિધ્યમાં આવવાથી કે એવા વાતાવરણમાં આવવાથી હિંસક વગેરે જીવો પણ તત્કાળ પૂરતા અહિંસક વગેરે બને તો તેમાં અહિંસા વગેરેનો યોગ થયો કહેવાય. આ વિનિયોગ નથી, કારણકે સાન્નિધ્ય ખસી ગયા બાદ આ અહિંસકપણું વગેરે ટકવાની શક્યતા નથી. પણ જો એ સાન્નિધ્ય – એ વાતાવરણ છૂટી ગયા બાદ પણ અહિંસકપણું વગેરે ચાલુ રહે એ રીતે જોડાણ થયું હોય તો એ નિયોગ કહેવાય. અહિંસા – તપ વગેરે બાહ્યધર્મમાં થયેલું આ અત્યન્ત જોડાણ (નિયોગ) જો ભાવધર્મનું ઉત્પાદક કારણ બને... જોડાનાર સામાજીવને એવો વિશિષ્ટ ક્ષયોપશમ કરાવી આપે... તો એ જોડાણ વિનિયોગ કહેવાય છે. વિનિયોજક જીવ સિદ્ધિ અને વિનિયોગ આશય પામેલા છે. અને વિનિયોજ્ય જીવયોગાવંચક છે. એટલે વિનિયુક્ત થયેલો ધર્મ અવશ્ય વિશિષ્ટ ક્ષયોપશમનો જનક બને જ છે... આટલા અંશે એ વિનિયોજ્ય જીવમાં પણ અવધ્ય છે. સમવસરણમાં વાઘ – સાપ વગેરે જે અહિંસક બને છે, તે અહિંસાનો વિનિયોગ નથી, પણ માત્ર ધર્મનું માહાભ્ય-પ્રભાવ છે. સિદ્ધિ આશયમાં રહેલ કૃપા, ઉપકાર અને વિનય વિનિયોગ કરાવે છે અને આ વિનિયોગ વધારે પ્રબળ ક્ષયોપશમને પ્રકટ કરે છે. | વિનિયોગ કરનારમાં મુખ્યતયા દ્રવ્ય-ભાવ ઉભય ધર્મ હોય છે. એમાંથી ભાવધર્મના (ક્ષયોપશમના) કારણભૂતદ્રવ્યધર્મમાં અન્યને એ જોડે (કે જે દ્રવ્યધર્મના પ્રભાવે એ સામી વ્યક્તિને પણ ભવિષ્યમાં ભાવધર્મની પ્રાપ્તિ થાય) અને વિનિયોગ કહેવાય છે. પ્રિકૃષ્ટધર્મપ્રાપ્તિનાં કારણો (49) Page #67 -------------------------------------------------------------------------- ________________ આ વિનિયોગ થવાથી પોતાને (વિનિયોજકને) ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે, સત્ત્વની વૃદ્ધિ થાય છે, ઉત્તરોત્તર પ્રબળ સંયોગ-સામગ્રી મેળવી આપનાર પુણ્યની વૃદ્ધિ થાય છે તથા અંતરાય કરનારા કર્મોનો હ્રાસ થાય છે. આ બધા પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્તિના આભ્યન્તર કારણો છે. સામાન્યથી એક જ ભવમાં સાધના કરીને શેલેશી સ્વરૂપ પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્ત થઈ જાય એવું બનતું નથી. અનેક ભવોની વર્ધમાન સાધના બાદ તે પ્રાપ્ત થાય છે. પણ એક ભવમાંથી બીજા ભવમાં જાય એટલે તત્કાળ કાંઇ સંયમ વગેરે પ્રાપ્ત થઈ જતાં નથી. અર્થાત્ સંયમાદિ ધર્મનો અભાવ થઈ જાય છે. તેમ છતાં સુવર્ણઘટન્યાયે* ફળનો સર્વથા અભાવ થઈ જતો નથી. (માટીનો ઘડો ફૂટી જાય, તો પછી કશું ઉપજતું નથી... સુવર્ણનો ઘડો ભાંગી જાય, તો માત્ર મજુરીની કિંમત જાય. સોનાની તો બધી જ કિંમત પૂરે પૂરી ઉપજે છે. એટલે સર્વથા નુકશાન થતું નથી. આ સુવર્ણઘટવાય છે.) વિનિયોગના પ્રભાવે બંધાયેલ વિશિષ્ટ પુણ્યવગેરેના કારણે વિશિષ્ટ સાધનાના કારણભૂત પ્રથમ સંઘયણ વગેરેની તથા સંસ્કારને જાગ્રત કરી પુનઃ સાધનામાં જોડીદે એવા ઉબોધક વગેરેની સહજ પ્રાપ્તિ થાય છે. એના કારણે વધારે પ્રબળ બાહ્ય સાધનામાં જીવ જોડાય છે. આવું ઉત્તરોત્તર આગળ વધતાં છેવટે પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્ત થાય છે. આ પ્રકૃષ્ટધર્મસ્થાનની પ્રાપ્તિનું બાહ્ય કારણ છે. આમ વિનિયોગ, આ આત્યંતર અને બાહ્ય બન્ને કારણો દ્વારા પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું અવધ્ય કારણ બને છે. વળી જેનો વિનિયોગ કરવામાં આવે એ વધારે પ્રબળ માત્રામાં પોતાને પ્રાપ્ત થાય છે. એટલે સામા જીવમાં ધર્મસ્થાનની સાથે એના કારણ તરીકે પ્રણિધાનનો વિનિયોગ કરવામાં આવે તો પોતાને પ્રબળકક્ષાનું ઉત્તર પ્રણિધાન પ્રાપ્ત થાય છે. આ જ રીતે પ્રવૃત્તિ વગેરે માટે જાણવું. ધર્મમાં જોડાયેલા *પ્રતમાં વિનિયોગ આશય એ સુવર્ણ છે. અને તજૂન્ય બાહ્ય પ્રવૃત્તિ એ ઘટ છે. ભવાંતરમાં બાહ્યપ્રવૃત્તિ અટકવા રૂપે ઘટનાશ થઈ જાય તો પણ વિનિયોગઆશય ( વિશિષ્ટ ક્ષયોપશમાત્મક સંસ્કાર) રૂપ સુવર્ણ તો ઊભું જ રહે છે. જે પુનઃ સંયોગ-સામગ્રી મળતાં પ્રવૃત્તિસ્વરૂપ ઘટને પેદા કરે છે. એટલે-જન્માન્તરમાં વિનિયોગ આશયન હોય- વગેરે વાતો અનુચિત જાણવી. વિનિયોગ આશય જો નાશ પામી ગયો તો સુવર્ણ શું ઊભું રહ્યું? (50) 50 યોગવિંશિકા....૧) Page #68 -------------------------------------------------------------------------- ________________ જીવને શુદ્ધ આત્મસ્વરૂપનું ને એ માટે અહિંસાદિનું પ્રણિધાન, અધકૃપાનુગત્વ.. વગેરેની પ્રેરણા કરી એ માટે પ્રયત્નશીલ બનાવવો એ પ્રણિધાનનો વિનિયોગ છે. એમ ઉપાયમાં પ્રવૃત્તિના ને અપાયમાં નિવૃત્તિના અતિશયિત પ્રયત્નવાળો એ બને એ માટે પ્રેરણા કરવાથી પ્રવૃત્તિનો વિનિયોગ થાય છે. એટલે પોતાની પ્રવૃત્તિ પણ પૂર્વકરતાં વધારે પ્રબળ ઉત્સાહ-આદર-યત્નાતિશયથી થાય છે. નાના મોટા વિનોની સામે પણ ટકી રહેવાની ધેર્ય-સત્ત્વ કેળવવાની પ્રેરણા દ્વારા સામાજીવને વિનયમાં આગળ વધારનારને કર્મક્ષય થવાથી પ્રાયઃ તો વિના જ આવતા નથી. તથા, પોતાનું સત્ત્વ- વૈર્ય પણ પ્રબળ થવાથી વિપ્નજ્ય સાહજિક થાય છે. આમ સર્વત્ર જાણવું. કદાચજેનો સિદ્ધિ આશય પ્રગટન થયો હોય એવી પણ સહાય-પરોપકારના આશયથી જે કાંઈ શુભ પ્રવૃત્તિ થાય એ સ્વમાં પૂર્વ કરતાં પ્રબળ બને છે, માટે એટલા અંશે એ વિનિયોગરૂપ બની એમ કહી શકાય છે. અન્નદાન કરનારને ભાવમાં અન્ન સારું મળે-પૂરું મળે-પચે. આરોગ્ય મળે. સેવા કરનારને સારા સેવકો મળે... વગેરે જાણવું પણ સિદ્ધિ આશય પૂર્વે વિનિયોગ આશય ન હોય એ જાણવું. (૧) “ઇતિ’ શબ્દ અંગે વૃત્તિકારે બે વાત કહી છે - એ ભિન્નકમ છે અને સમાન્યર્થ છે. એનો આશય આવો છે - ષોડશકની અધિકૃત ગાથામાં ‘સુન્દરમિતિ તત્પરંયાવતું આ રીતે શબ્દોનો ક્રમ છે. એમાં ‘ઇતિ’ શબ્દનો જે કમ છે તેના કરતાં અન્વય કરવામાં ભિન્નકમ જાણવો. એટલે સુન્દર યાત્પરમિતિ” એવો અન્વય જાણવો. તથા આ ઇતિ’ શબ્દનો અર્થ સમાપ્તિ = સમ્યફ પ્રાપ્તિ એવો લેવાનો છે. એટલે ‘યાવત્ પ્રકૃષ્ટ ધર્મસ્થાન સંપ્રાપ્ત થાય ત્યાં સુધી સુંદર છે ત્યાં સુધીના સામર્થ્યવાળું છે) એવો અર્થ થાય છે, એ જાણવું *ષોડશકજીના લોકની વૃત્તિમાં સમર્થ આવો જે શબ્દ છે એનો કેટલાક વિદ્વાનો સમાપ્તિ પૂર્ણાહૂતિ એવો અર્થ કલ્પી ઇતિ શબ્દ વક્તવ્યની સમાપ્તિને જણાવનારો છે એવો અર્થ કરે છે. પણ અહીં એનો વાસ્તવિક અર્થ પૂર્ણતા નથી. કિન્તુ સમઆમિ=સંપ્રાપ્તિ છે. કારણકે સ્વયં વૃત્તિકારે આગળ જણાવ્યું છે કે યાત્પર = પ્રણં ધર્મસ્થાન સમાપ્યતે ત્યર્થ તથા શ્રીયશોભદ્રસૂરિ મ. કૃત વૃત્તિમાં પણ તદ્ધધર્મસ્થાનં પરં = પ્રયત્સંપન્ન... એમ સંપન્ન શબ્દ દ્વારા સંપ્રાપ્તિ અર્થ જ સૂચિત કર્યો છે. થોડાકજીની ઉપાધ્યાયજી મહારાજની વૃત્તિમાં તિ શબ્દ હેતુ અર્થમાં છે એમ જણાવ્યું છે એ જાણવું. પ્રિણિધાનાદિની સંભવિત મર્યાદા (51) Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનાદિ આશયોની સંભવિત મર્યાદા.... આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટેનો કે અહિંસાદિ ધર્મસ્થાનની પ્રાપ્તિનો નિરુપાધિક સંકલ્પ થયો છે. પણ એ માટેના ઉપાયોને અજમાવવાનાને અપાયોમાંથી નિવૃત્ત થવાના જેટલા જેટલા અવસર આવે એ દરેક વખતે તે તે પ્રવૃત્તિ કે નિવૃત્તિનો પ્રયત્ન થાય જ એવો નિયમ નહીં, જ્યારે પ્રયત્ન થાય ત્યારે પણ, તે અતિશયિત જ હોય એવો પણ નિયમ નહીં... આવું ચિત્તનું અવસ્થાન એ પ્રણિધાન આશય છે. વિશેષ વિઘ્ન ઉપસ્થિત ન થયું હોય તો ઉપાય-અપાયના દરેક અવસરે પ્રવૃત્તિ-નિવૃત્તિનું દિલ બન્યું જ રહે ને એ મુજબ પ્રયત્ન પણ થાય જ) એવી ચિત્તની અવસ્થા કેળવાઈ જાય એટલે પ્રવૃત્તિઓશયનો પ્રારંભ થયો. (પ્રવૃત્તિ આશય કેળવાયો). પણ હજુ, વિઘ્ન આવે તો ગાડી પાટા પરથી ઉતરી જાય. આવી હાલત હોય... તેથી વિધ્વઆશય નથી. વિપ્ન ખડું થવા છતાં પણ વિચલિત થયા વિના પ્રવૃત્તિ-નિવૃત્તિનો અતિશયિત પ્રયત્ન ચાલુ જ રખાવે એવું ચિત્તનું અવસ્થાન કેળવાય ત્યારથી વિધ્વજ્ય આશયનો પ્રારંભ જાણવો. (વિનજય આશય કેળવાયો.) પણ હજુ કોધ મારા સ્વભાવમાં જ નથી વગેરે સંવેદનાત્મક અનુભવ નથી હોતો. ‘મારા ભગવાને ક્રોધનો નિષેધ ક્ય છે. માટે ક્રોધ કરાય નહીં...' ‘મારે ક્ષમા કેળવવી છે, માટે ગુસ્સો કરાય નહીં વગેરે સંવેદન હોય શકે. જ્યારથી કોધ એ મારો સ્વભાવ જ નથી – મારું સ્વરૂપ જ નથી' વગેરે અનુભવ સ્વયં કરે અને સહજ રીતે યથાસ્થાન કૃપા – ઉપકાર-વિનય પ્રવર્યા કરે.. આવી ચિત્તની અવસ્થાનો પ્રારંભ એ સિદ્ધિ આશયનો પ્રારંભ છે. જો કે પ્રણિધાન આશયમાં પણ ક્રોધ એ મારો સ્વભાવ નહીં હું એ ક્રોધી નથી વગેરે સંવેદના હોય છે ને અહીં પણ એવી સંવેદના છે, તો બે માંફેર શું? બેમાં ઘણો ફેર છે. પ્રણિધાનમાં ક્ષમા સ્વભાવ સાધ્યત્વેન સદાય છે, અર્થાત્ (મારે ક્રોધમુક્ત થવું છે’) એ રીતે કોધના અભાવને સાધવાની સંવેદના છે જ્યારે સિદ્ધિ આશયમાં તે સિદ્ધત્વન સદાય છે. પોતાના આત્મામાં, ગમે તેવા નિમિત્તે પણ ક્રોધ ઊઠતો નથી, ને ક્ષમા જ વહ્યા કરે છે આવો સ્વયં અનુભવ સિદ્ધિ આશયમાં છે. આ જ રીતે અધકૃપા વગેરે પણ પ્રણિધાનઆશયથી જ હોય છે. પણ ત્યાં એ પ્રયત્નપૂર્વકની હોય છે. મારે ક્ષમા (52) યોગવિંશિકા...૧) 52 Page #70 -------------------------------------------------------------------------- ________________ કેળવવી છે, તો ક્રોધી પર તિરસ્કાર ન જ કરાય... કરુણા જ કરવાની આવા પ્રયત્નની આવશ્યક્તા જ ન રહે, ને કોધીને જોઈને સહજ કરૂણા જ ર્યા કરે... આવી અવસ્થા સિદ્ધિઆશય માટે આવશ્યક છે. સિદ્ધિ અવસ્થામાં ક્ષમાદિ ધર્મસ્થાન એવું ધુંટાતું જાય છે જેથી ઉપદેશાદિ દ્વારા એનો પડઘો સામા યોગ્ય જીવોમાં પડે ને તેમાં એનો વિનિયોગ થાય.. આવી અવસ્થા એ વિનિયોગ આશય છે. એટલે જ ષોડશકની વૃત્તિમાં ઉપાધ્યાયજી મહારાજે સ્વાત્મકુન્યપરનર્તુત્વ ને વિનિયોગના લક્ષણ તરીકે કહ્યું છે. 'इदमत्र हृदयं-धर्मस्तावद्रागादिमलविगमेन पुष्टिशुद्धिमच्चित्तमेव, पुष्टिश्च पुण्योपचयः, शुद्धिश्च घातिकर्मणां पापानां क्षये या काचिन्निर्मलता, तदुभयञ्च प्रणिधानादिलक्षणेन भावेनानुबन्धवद्भवति, तदनुबन्धाच्च शुद्धिप्रकर्षः सम्भवति, निरनुबन्धञ्च तदशुद्धिफलमेवेति न धर्मलक्षणम् । ततो युक्तमुक्तं “प्रणिधानादिभावेन परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारः सानुबन्धत्वाद् योगः" इति। વૃત્તિઅર્થ: અહીં આ રહસ્ય છે - રાગાદિમલ દૂર થવાથી પુષ્ટિવાળું અને શુદ્ધિવાળું બનેલું ચિત્ત એ જ વસ્તુતઃ ધર્મ છે. આમાં પુષ્ટિ એટલે પુણ્યોપચય અને શુદ્ધિ એટલે ઘાતકર્મ સ્વરૂપ પાપનો ક્ષય ( દાસ) થવાથી થયેલી જે કાંઇ નિર્મળતા. પુષ્ટિ અને શુદ્ધિ... આ બન્ને પ્રણિધાનાદિ સ્વરૂપભાવથી સાનુબધ બને છે. અનુબંધ પડવાના કારણે શુદ્ધિનો પ્રકર્ષ સંભવિત બને છે. નિરનુબન્ધ ચિત્ત તો અશુદ્ધિફલક જ હોવાના કારણે ધર્મ સ્વરૂપ બની શક્યું નથી. તેથી પ્રણિધાનાદિ આશયાત્મક ભાવથી પરિશુદ્ધ એવો સર્વધર્મવ્યાપાર સાનુબંધ હોવાથી યોગ છે. આવું જ કહ્યું છે તે એકદમ યોગ્ય છે. વિવેચનઃ (૧) આમ, ષોડશકજીની ગાથાઓનો આધાર લઈ પાંચ આશયોનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવ્યું. હવે, “ પ્રણિધાનાદિ આશયવાળો ધર્મ પરિશુદ્ધ હોય છે અને તેથી એ યોગ છે - અર્થાત્ જીવને મોક્ષ સુધી પહોંચાડનારો બને છે; જ્યારે પ્રણિધાનાદિ આશયોથી શૂન્ય ધર્મદ્રવ્યક્યિારૂપ હોવાથી તુચ્છ હોય છે અને તે જીવને મોક્ષ સુધી જોડનારો બનતો નથી” આવું શા માટે? એ સ્પષ્ટ કરવા વૃત્તિકાર મત્ર હૃવય વગેરે કહ્યું છે. પુષ્ટિ - શુદ્ધિ) Page #71 -------------------------------------------------------------------------- ________________ (૨) પુષ્ટિ એટલે પુણ્યોપચય... વગેરેનો નીચે મુજબ ભાવાર્થ જાણવો . રાગ, દ્વેષ, મોહ વગેરે અન્તઃ કરણને મલિન કરનારા – સંક્ષિણ કરનારા મળે છે. ચિત્ત, અનાદિકાળથી આવા રાગાદિમલથી મલિન છે અને એના કારણે પાપબંધને અશુદ્ધિ રહ્યા કરે છે. આ રાગાદિમલમાં વધઘટ થયા કરે છે. જ્યારે આ રાગાદિમલ ઘટે છે ત્યારે ચિત્ત પુષ્ટિવાળું અને શુદ્ધિવાળું બને છે. આવું પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે. એમાં પુષ્ટિ એટલે પુણ્યોપચય અને શુદ્ધિ એટલે પાપપ્રકૃતિ એવા ઘાતકર્મો દૂર થવાથી થતી નિર્મળતા. આ પુષ્ટિ અને શુદ્ધિ પ્રણિધાન વગેરે આશય સ્વરૂપ ભાવના કારણે સાનુબન્ધ બને છે, અને તેથી શુદ્ધિનો પ્રકર્ષ સંભવિત બને છે. આશય એ છે કે પ્રથમસંઘયણ, સગરનો યોગ વગેરેની પ્રાપ્તિ માટે પુણ્યોપચય આવશ્યક છે. એટલે, ક્ષાયિક સમ્યક્ત પામનાર જીવ છેવટે ત્રીજા કે ચોથાભવે તો મોક્ષ પામીજ જાય એવો સામાન્યથી નિયમ હોવા છતાં, શ્રીદુષ્પસહસૂરિ મહારાજને પ્રથમ સંઘયણ અપાવનાર પુણ્યનો ઉદય ન થવાથી ત્રીજા ભવે મુક્તિ ન થતાં પાંચમા ભવે થશે. વળી અન્તઃ કરણના મલ સ્વરૂપ રાગાદિનો હ્રાસ થવાથી શુદ્ધિ વધતી જાય છે. પ્રથમ સંઘયણ વગેરે પુણ્યોદય હોવા છતાં, રાગ-દ્વેષાદિના તથાવિધ દ્વારા સ્વરૂપ શુદ્ધિ ન આવવાથી ઉપશામક જીવો લવસત્તમસુર બને છે, પણ મુક્તિ પામી શકતા નથી. માટે શુદ્ધિ પણ આવશ્યક છે. આમ પુષ્ટિ અને શુદ્ધિ બન્ને જરૂરી છે. આમાં શુદ્ધિ તો અન્તઃ કરણમાં જ રહે છે. તેથી સાક્ષાત્ સંબંધથી શુદ્ધિમત્ ચિત્ત હોય છે. પુણ્યોપચય આત્મામાં રહે છે, ને ચિત્ત એનું કારણ છે. તેથી સ્વનિરૂપિત કારણતા સંબંધથી પુષ્ટિમચ્ચિત્ત જાણવું પુષ્ટિથી=પુણ્ય વધવાથી વધારે સારા સંયોગસામગ્રી મળે છે જેના કારણે જીવ વધારે પુરુષાર્થ દ્વારા વધારે શુદ્ધિ (રાગાદિમલદ્દાસ) કેળવી શકે છે. એ વળી વધારે પુણ્યોપચય કરાવે છે જે વધારે ઊંચી સામગ્રી મેળવી આપે છે... ને એના સહ્યોગથી જીવ ઓર વધારે શુદ્ધિ કેળવે છે. આમ આગળ વધતાં વધતાં શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. પણ આ પુષ્ટિ અને શુદ્ધિ ઉત્તરોત્તર વધતા જ જાય. વચ્ચે ઘટવાનમાંડે કેનાલન પામી જાય. એ માટે એ સાનુબંધથવા જોઈએ. પ્રણિધાનાદિ આશયથી (મુખ્યતયા પ્રણિધાનાદિ પાંચ આશયોમાંના વિનિયોગ આશયથી) એ સાનુબન્ધ થાય છે. (54) યોગવિંશિકા...૧) Page #72 -------------------------------------------------------------------------- ________________ એમ તો અભવ્યાદિ પણ નિરતિચાર સંયમ પાલન વગેરે દ્વારા રાગ-દ્વેષનો હ્રાસ કરે છે અને પુણ્યોપચય કરે છે જેના પ્રભાવે ઠેઠ નવમા ગ્રેવયકમાં જાય છે. અને ત્યાં માનસિક પ્રવિચારણાથી પણ મુક્ત રહે છે. પણ પ્રણિધાનાદિ ન હોવાથી આ શુદ્ધિ કે પુષ્ટિ એય સાનુબન્ધ ન હોવાના કારણે મુક્તિસુખ સુધી પહોંચાડતા નથી. દંડ કાઢી લીધા પછી પણ સંસ્કારવશાત્ ચક્રભ્રમણ કેટલોક કાળ ચાલુ રહેતું હોવા છતાં એ ક્રમશઃ શિથિલ બનતું જ જાય છે ને છેવટે અટકી જાય છે. એમ અભવ્યાદિ જીવે નિરતિચાર સંયમ પાલનાદિ દ્વારા કષાયાદિનો હ્રાસ કર્યો હોવાથી ત્રૈવેયકના ભવમાં તેમજ પછીના બે ચાર ભવોમાં પણ કષાયમંદતા વગેરે ચાલે તો પણ એ ક્રમશઃ ઘટતી જતી હોય છે ને છેવટે નારા પામે છે. (ક્યારેક વિપરીત નિમિત્ત મળે તો એ કષાયોની મંદતા શીઘ્ર પણ નાશ પામી જાય છે.) એટલે સંપૂર્ણકષાયનાશ સ્વરૂપ શુધ્ધિપ્રકર્ષ તો સંભવિત બને જ શી રીતે ? વળી જેવી કષાયમંદતા નાશ પામે, એટલે કષાયોની તીવ્રતા, અભવ્યાદિના ક્ષુદ્રતાદિ દોષો વગેરે જોર પકડે જ. એટલે સાનુબન્ધ પુષ્ટિ-શુદ્ધિ છેવટે મુક્તિમાં પરિણમવાના કારણે જેમ મુક્તિફલક કહેવાય છે, એમ પ્રણિધાનાદિ ન હોવાના કારણે જેમાં અનુબન્ધ નથી પડ્યો એવી નિરનુબન્ધ પુષ્ટિશુદ્ધિ આ રીતે, છેવટે તીવ્રકષાયાદિ દોષોમાં પરિણમે છે, માટે એ અશુદ્વિફલક કહેવાય છે. અભવ્યાદિને મૂળમાં તો અશુદ્ધિ જ બેઠેલી હોય છે. માત્ર એ કામચલાઉ યોગ-ઉપયોગને સુધારે છે-શુદ્ધ કરે છે. એટલે, એ સુધરેલા યોગ-ઉપયોગ જેવા ખસે કે તરત પાછી અશુદ્ધિ વ્યક્ત થઈ જાય છે. એટલે અશુદ્ધિ અંદર પડેલી જ હતી ને એ જ વ્યક્ત થાય છે. નિરનુબંધ શુદ્ધિ-પુષ્ટિથી એ પેદા થાય છે એવું નથી, (કારણકે નિરનુબંધતા અશુદ્ધિનું કારણ ન બની શકે...) પણ વ્યક્તરૂપે જોવામાં આવે તો પહેલાં પુષ્ટિ-શુદ્ધિ હતી ને પછી અશુદ્ધિ જોવા મળે છે. એટલે પૂર્વાપર ભાવ હોવાથી નિરનુબંધ પુષ્ટિ-શુદ્ધિને અહીં અશુદ્ધિકલક કહી છે એ જાણવું. જ્યારે પ્રણિધાનાદિ આશય સ્વરૂપ ભાવ હોય તો ગુણસેનથી સમરાદિત્ય સુધીના ભવોમાં જોવા મળે છે તેમ પુષ્ટિ-શુદ્ધિ ઉત્તરોત્તર વધતી જતી હોય છે અર્થાત્ સાનુબન્ધ હોય છે... ને તેથી એ ધર્મવ્યાપાર શુધ્ધિપ્રકર્ષ દ્વારા જીવને મોક્ષ સાથે જોડી આપનારો બને છે. નિશ્ચય-વ્યવહારથી શુદ્ધયોગ 55 Page #73 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રણિધાનાદિ આશયોથી યુક્ત ધર્મવ્યાપાર એ યોગ’ છે એ પ્રમાણે કહેલી વાત સંગત કરે છે, અને જે મોક્ષની અભિલાષી છે એને ધર્મક્રિયા કરવા સાથે પ્રણિધાનાદિ કેળવવા માટે વિશેષ પ્રયત્નશીલ બનવું જોઇએ એવી સબ્રેરણા કરે (બત્રીશીમાં ઉપાધ્યાયજી મહારાજે પુષ્ટિ: પુષ્કોપર:’ એમ ન કહેતાં પુષ્ટિય: એમ કહ્યું છે. એમાં પુષ્ટિ' નો અર્થ તે તે કાર્યની સ્થિરતા-વૃદ્ધિ એવો પણ કરી શકાય. એ વખતે શુદ્ધિ એટલે કાર્યનું વૈશિષ્ટચે એવો અર્થ મળી શકે. અર્થાત્ તે તે ધર્મસ્થાનના આસેવનના પ્રમાણમાં વધારો એ પુષ્ટિ અને ગુણવત્તામાં વધારો એ શુદ્ધિ એવો અર્થ મળે.) यद्यप्येवं निश्चयतः परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारो योगः, तथापि विशेषेण = तान्त्रिकसङ्केतव्यवहारकृतेनासाधारण्येन स्थानादिगत एव धर्मव्यापारो योगः, स्थानाधन्यतम एव योगपदप्रवृत्तेः सम्मतत्वादिति भावः ॥ १॥ વૃત્તિઅર્થ જો કે આ રીતે નિશ્ચયથી પરિશુદ્ધ બધો જ ધર્મવ્યાપાર એ યોગ છે. તો પણ વિશેષરૂપેeતાન્ત્રિકોએ કરેલા સંકેતવ્યવહારથી થયેલા અસાધારણ વિશેષરૂપે સ્થાનાદિમાં વણાયેલો ધર્મવ્યાપાર જ યોગ છે, કારણકે સ્થાનાદિ અન્યતમમાં જ યોગ પદનો પ્રયોગ કરવો એવું તાત્રિકોને સંમત છે. (યોગવિંશિકાની પ્રથમ કારિકાના ઉત્તરાર્ધનો) આ પ્રમાણે ભાવ જાણવો. / ૧ વિવેચનઃ (૧) શબ્દ પ્રયોગ કરવામાં નિશ્ચય અને વ્યવહાર અલગ પડે છે. દવા આપી રોગ મટાડે એ બધા નિશ્ચયનયે ડૉક્ટર છે. પણ વ્યવહાર નય તો ડીગ્રીધારી જે હોય એને જ ડૉકટર કહે છે. તથા પાપ થવા પર તીવ્ર પશ્ચાત્તાપ થાય, અને એના દ્વારા આત્માને અશુભભાવમાંથી પુનઃ શુભભાવમાં જોડી દેવાય, તો નિશ્ચયનય એને પ્રતિક્રમણ તરીકે માન્ય કરે છે. પણ વ્યવહારનય તો ષડાવશ્યક બનાવ્યા હોય તો જ એનો પ્રતિક્રમણ તરીકે ઉલ્લેખ કરે છે, અન્યથા નહીં, કારણકે વ્યવહારે પ્રતિક્રમણ એટલે ૬ આવશ્યક એવો સંકેત કર્યો છે. એમ પ્રસ્તુતમાં, પરિશુદ્ધ એવો આલય-વિહારાદિ કોઈ પણ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપતો હોવાથી નિશ્ચયનયને યોગ તરીકે સ્વીકૃત છે. પણ ( 56) યોગવિંશિકા....૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રના જાણકારોએ (તાન્ત્રિકોએ) એક અસાધારણ (=વિશેષ પ્રકારનો) સંકેત કર્યો છે. (જે ધર્મ વ્યાપાર મોક્ષની સાથે જોડી આપે એનો ‘યોગ’ તરીકે વ્યવહાર કરવો – આ સાધારણ સંકેત છે, એની અપેક્ષાએ તાન્ત્રિકોનો સંકેતવ્યવહાર વિલક્ષણ છે – અસાધારણ છે – વિશેષ છે.) (‘ સ્થાન ઊર્ણ વગેરેનો જ ‘યોગ’ તરીકે વ્યવહાર કરવો’ – એવો યોગતાન્ત્રિકોએ સંકેત કરેલો છે. આ વિશેષ પ્રકારના સંકેતને અનુસરીને) સ્થાનાદિમાં રહેલો પરિશુદ્ધ ધર્મવ્યાપાર જ યોગ છે, કારણ કે તાન્ત્રિકોને, સ્થાનાદિ પાંચમાંથી જ કોઇને પણ જણાવવા માટે ‘યોગ’ શબ્દની પ્રવૃત્તિ-ઉલ્લેખ કરી શકાય એવું માન્ય છે.* ટૂંકમાં મોક્ષ સાથે જોડી આપનાર કોઇ પણ ધર્મવ્યાપાર એ યોગ છે, એવું નિશ્ચયને માન્ય છે. ને ‘સ્થાનાદિ જ યોગ છે’ એવું એક ચોક્કસ વ્યવહારને માન્ય છે, એમ રહસ્ય જાણવું. ।। ૧|| જ स्थानादिगतो धर्मव्यापारो विशेषेण योग इत्युक्तम्, तत्र के ते स्थानादय: ? कतिभेदं च तत्र योगत्वम् ? इत्याह - ठाणुन्नत्थालंबणरहिओ तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगो उ ॥ २ ॥ અવતરણિકાર્થ : સ્થાનાદિમાં સંકળાયેલો ધર્મવ્યાપાર એ વિશેષપ્રકારના સંકેતને અનુસરીને યોગ છે એ પ્રમાણે કહ્યું... તેમાં, તે સ્થાનાદિ શું છે ? અને તે સ્થાનાદિમાં યોગત્વ કેટલા પ્રકારનું છે ? એવી જિજ્ઞાસાને સંતોષવા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને આલંબનરહિત એમ પાંચ પ્રકારના આ યોગ શાસ્ત્રમાં કહેવાયેલા છે. એમાં પ્રથમ બે કર્મયોગ છે, તથા બાકીના ત્રણ જ્ઞાન યોગ છે. ठाणुन्नत्थेत्यादि । स्थीयतेऽनेनेति स्थानं आसनविशेषरूपं कायोत्सर्गपर्यङ्कबन्धपद्मासनादि सकलशास्त्रप्रसिद्धम् । ऊर्णः शब्द:, स च क्रियादावुच्चार्यमाणसूत्र = - *એટલે નિશ્ચયનય તો પરિણામને જુએ છે, એ વ્યાપારને ‘યોગ’ રૂપે કહે નહીં. વગેરે કલ્પના અનાવશ્યક રહે છે, કારણકે ગ્રન્થકારે સ્વયં વૅ નિશ્ચયત: વગેરે કહીને ધર્મવ્યાપારને નિશ્ચયથી યોગરૂપે કહેલ જ છે. માત્ર તાંત્રિકોએ કરેલા સંકેત અનુસારે એ ‘યોગ’ રૂપ નથી. એ જાણવું. સ્થાનાદિયોગો 57 Page #75 -------------------------------------------------------------------------- ________________ वर्णलक्षणः । अर्थ:- शब्दाभिधेयव्यवसाय: । आलम्बनं = बाह्यप्रतिमादिविषयध्यानम् । एते चत्वारो भेदाः, रहितः = रूपिद्रव्यालम्बनरहितो निर्विकल्पचिन्मात्रसमाधिरूप इत्येवं C:-યોગ: પદ્યવિધ: તન્ત્ર-યોપ્રધાનશાસ્ત્રે પ્રતિપાવિત કૃતિ શેષ:। ૩ Ø स्थानोर्णार्थालम्बनतदन्ययोगपरिभावने सम्यक् । परतत्त्वयोजनमलं योगाभ्यास इति 'समयविदः // ( षोड. १३-४२) વૃત્તિઅર્થ : ‘જેના વડે સ્થિર થવાય તે સ્થાન’ સકલ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કાયોત્સર્ગ, પર્યાંકબન્ધ, પદ્માસન વગેરે ચોક્કસ પ્રકારના આસન એ સ્થાનયોગ છે. ઊર્ણ-શબ્દ. તે તે ક્રિયા દરમ્યાન બોલાતા સૂત્રોના વર્ણ એ ઊર્ણયોગ (શબ્દયોગ) છે. તે તે શબ્દોથી અભિધેય પદાર્થોનો નિશ્ચયાત્મક-જ્ઞાનમય ઉપયોગ એ અર્થયોગ છે. બાહ્ય પ્રતિમા વગેરે વિષયક ધ્યાન એ આલંબનયોગ છે. આ યોગના ચાર ભેદો છે. (તથા) રહિત=રૂપી દ્રવ્યને આલંબન તરીકે રાખ્યા વિના પ્રવર્તતો નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ યોગ એ આલંબનરહિત - અનાલંબનયોગ છે. આમ આ યોગ પાંચ પ્રકારનો હોવો યોગપ્રધાનશાસ્ત્રોમાં પ્રતિપાદિત છે. પોડાકજી (૧૩૪)માં કહ્યું છે કે - સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને તદન્ય (=આલંબનભિન્ન=) અનાલંબન યોગ... એમ પાંચ પ્રકારના યોગનું સમ્યક્ પરિભાવન' એ પર (-પરમશ્રેષ્ઠ) તત્ત્વ જે મોક્ષ તેનો યોગ કરાવી આપનાર છે. અને એ યોગાભ્યાસસ્વરૂપ છે એમ 'યોગશાસ્ત્રના જાણકાર વિદ્વાનો કહે છે. ૪ વિવેચન : મન, વચન અને કાયામાં સામાન્યથી કાયાનું નિયત્રણ સરળ છે. એટલે સૌ પ્રથમ સ્થાનયોગ કહ્યો. એ પછી વચનનું નિયત્રણ સહેલું છે. માટે ઊર્ણયોગ. છેવટે મનને સીધી અસર કરનારા અર્થયોગ વગેરે. એમાં પણ સૂત્ર બોલાતું હોય, એટલે એના અર્થમાં ચિત્તને પરોવી રાખવું કંઇક સરળ હોવાથી પહેલાં અર્થયોગ... બાહ્ય પ્રતિમાવગેરે આલંબન સૂત્ર સાથે સંલગ્ન ન હોવાથી એમાં ઉપયોગ કંઈક કઠિન હોવા છતાં રૂપી દ્રવ્યના આલંબનવાળો હોઇ કંઇક સરળ પણ છે જ. જ્યારે અનાલંબન યોગમાં રૂપીદ્રવ્યનું પણ આલંબન ન હોઇ એ વધારે સાધનાસાધ્ય છે, તેથી એને સૌથી છેલ્લે કહ્યો છે. જીવને મોક્ષમાર્ગ પર આગળ વધારવા માટે પણ આ પાંચની સામાન્યતયા આ જ ક્રમે વર્ધમાન અસરકારકતા છે, માટે પણ આ ક્રમ જાણવો. 58 યોગવિંશિકા...૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ વગેરે નિશ્ચિત મુદ્રાઓ જાળવવામાં આવે એટલે કાયાની ચંચળતા અટકે છે, જે સ્વયં એક પ્રકારનું ધ્યાન હોવાથી ‘યોગ’ રૂપ છે જ. વળી તે તે મુદ્રાપૂર્વક સૂત્ર બોલવાથી અર્થ-આલંબન વગેરે પણ સરળ બને છે. આ જ રીતે ઊર્ણ યોગથી વચનયોગની ચંચળતા અટકે છે વગેરે જાણવું. ચૈત્યવન્દનાદિ ક્રિયાકાળે મુદ્રાપૂર્વક સૂત્રો ખોલતી વખતે સૂત્રોના અર્થમાં જે ઉપયોગ રમતો રહે એ અર્થયોગ છે. બાહ્યપ્રતિમા આદિ અંગે ઉપયોગની એકાગ્રતારૂપ ધ્યાન એ આલંબન છે. આમાં ‘આદિ’ શબ્દથી સમવસરણમાં રહેલા પરમાત્મા, અષ્ટ પ્રાતિહાર્ય વગેરે રૂપી પદાર્થોનો સમાવેશ જાણવો. આ બધાનું ધ્યાન એ આલંબનયોગ છે. આ પરમાત્માના કેવલજ્ઞાન વગેરે અરૂપી ગુણોનું જેમાં આલંબન છે, પણ શરીરરૂપ વગેરે કોઇ રૂપી દ્રવ્યનું જેમાં આલંબન નથી એ અનાલંબનયોગ છે. યોગ દરમ્યાન વિષય-કષાયોના વિકલ્પો હોતા નથી, માટે એ નિર્વિકલ્પ છે. અનાલંબનયોગ કાળે બાહ્ય ક્રિયાનું કે રૂપી દ્રવ્યનું આલંબન નથી. કેવલજ્ઞાનાદિ ગુણવિષયક જ્ઞાનમાત્ર-ઉપયોગમાત્ર-હોય છે. માટે ‘ચિન્માત્ર’ કહ્યું છે. વિકલ્પો ન હોવાના કારણે જ ઉપયોગની સ્થિરતા હોય છે. માટે એ સમાધિરૂપ છે. તેથી અનાલંબનયોગને અહીં ‘નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ ’ કહ્યો છે. (૧) પરિભાવન=સર્વતઃ અભ્યાસ=બધી રીતે સ્થાનાદિયોગોનો અભ્યાસ કરવો. (૨) સ્થાનાદિયોગોનું પરિભાવન એ ધ્યાનાત્મક યોગના અભ્યાસ સ્વરૂપ હોવાથી યોગના જાણકારો એને યોગાભ્યાસ કહે છે. ‘નિવિજ્ઞાનંતિવિદેવિ નોમિ’ (આવ. નિ. ૧૪૬૭) વચનાનુસારે વચન-કાયયોગસંબંધી ધ્યાન પણ આપણને માન્ય છે. તેથી સ્થાન અને ઊર્ણ પણ ધ્યાનાત્મક છે જ. ⭑ * ‘‘ચૈત્યવન્દનાદિકાળે આ સ્થાન અને ઊર્ણમાં ઓઘ ઉપયોગ તો હોય જ છે. પણ, ચિત્તનો ઉપયોગ જ્યારે કાયિક ક્રિયામાં દઢ હોય ત્યારે સ્થાનયોગ, ને સૂત્રોચ્ચારમાં દૃઢ હોય ત્યારે ઊર્ણયોગ’’ – આવું કાંઇ માનવાની જરૂર નથી. ઊલટું એ દઢતા ધ્યાનની ભૂમિકાને સ્પર્શે એવી થાય તો તો એ સૂત્રના આલંબને થયેલો આલંબનયોગ છે એ વાત આગળ સ્પષ્ટ કરીશું. નહીંતર તો, ઉપયોગ પરાવર્તન પામે એટલે સ્થાનયોગ ખસી જાય ને ઊર્ણ વગેરેમાંનો કોઇ યોગ આવે. એટલે એટલો કાળ અનુષ્ઠાન ચાલુ રહેવા છતાં સ્થાનયોગ જળવાયો નહીં. ને તેથી સ્થાનયોગ સ્થાનાદિયોગો 59 Page #77 -------------------------------------------------------------------------- ________________ (૩) અર્થ, આલંબન અને અનાલંબન આ ત્રણ યોગો ઉપયોગાત્મક છે, ને તેથી ત્રણે એક સાથે સંભવિત બને નહીં એ સ્પષ્ટ છે. પણ, જો મુદ્રા જાળવેલી હોય, યથા વિહિત નિયત્રિત સૂત્રોચ્ચાર હોય, અર્થનો ઉપયોગ હોય તેમજ અર્થના આલંબને ઉપયોગની એકાગ્રતા રૂપ આલંબન યોગ પણ પ્રવર્તતો હોય તો પ્રથમ ચાર યોગો સંભવિત બને છે. તેમ છતાં એ વખતે અનાલંબન યોગ તો હોતો નથી જ. આવું કંઇક સૂચિત કરવા માટે તે વત્વારો મેદ્રા:” એમ કહ્યું હોય એવું લાગે છે. (પણ, જ્યારે ફક્ત પ્રતિમાદિના આલંબને આલંબનયોગ પ્રવર્યો હોય ત્યારે જો સૂત્રોચ્ચાર ન હોય તો ઊર્ણયોગ ન હોય તથા અર્ધયોગ પણ ન હોય એમ લાગે છે.) (૪) સમયવિદ = સિદ્ધાન્તના = યોગ શાસ્ત્રના જાણકારો... આવો અર્થ જાણવો. ‘સમયના જાણકારો એવો નહીં. પોડશકજીની પ્રતમાં સમવિ. ના સ્થાને તત્ત્વવિદ શબ્દ છે તે જાણવું. સ્થાનાદિયોગ અંગે નિશ્ચયનયે આવી વિશેષતા વિચારી શકાય. સ્વાધ્યાય, ભક્તિ, પડિલેહણ, વિહાર વગેરે દરેકમાં પાપનિવૃત્તિવાળી જયણાપૂર્વકની તેમજ યથાયોગ્ય આસનમુદ્રાની જાળવણીવાળી કાયિક પ્રવૃત્તિ. એ સ્થાનયોગ છે. આ પ્રવૃત્તિ દરમ્યાન સૂત્ર વગેરે જે કાંઇ બોલવાનું હોય તે અખલિતાદિ ગુણયુક્ત રીતે ચોકકસ રીતે બોલવું એ ઊર્ણયોગ છે. બોલાતા સૂત્રાદિના અર્થમાં ઉપયોગ રાખવો આ અર્થયોગ છે. પ્રતિમાદિ વગેરે રૂપ જ્યારે જે આલંબન હોય તેમાં ઉપયોગની સ્થિરતા કરવી એ આલંબનયોગ છે. જેમકે વિહાર વખતે સાડા ત્રણ હાથ દૂર દષ્ટિને સ્થિર રાખીને ચાલવું... ને ઉપયોગ પણ કોઈ જીવન આવી જાય એમાં-સ્થિર રાખવો એ આલંબનયોગ. અપ્રમત્તમુનિને ચન્દ્રનગધન્યાયે આત્મસાત થયા હોવાથી વચનને પણ અનુસર્યા વિના જે ભિક્ષાટનાદિ થાય એ સમત્વના કારણે અનાલંબન યોગ છે. આમાં આલંબન તરીકે વસ્ત્ર, પાત્ર, આહારવગેરે વસ્તુઓ, દષ્ટિ પડિલેહણપ્રમાર્જન વગેરે ક્રિયાઓ, ગુણવા વ્યક્તિ.. વગેરે, જે ધર્મવ્યાપાર દરમ્યાન જે ઉચિત પ્રવૃત્તિયોગની કક્ષાનો કે તેની ઉપરની કક્ષાનો કયારેય બની શકશે જ નહીં. કારણકે પ્રવૃત્તિયોગની કક્ષાએ પહોંચવા માટે તો હંમેશા અંગસાકલ્ય પ્રયુક્ત સ્થાનાદિયોગનું સાતત્ય આવશ્યક હોય છે. અનુષ્ઠાન દરમ્યાન ક્યારેક સ્થાનયોગ જળવાયો હોયને ક્યારેક ન જળવાયો હોય એવું ઇચ્છાયોગમાં ચાલી શકે, પ્રવૃત્તિયોગમાં નહીં. [60] યોગવિંશિકા ...) 60 Page #78 -------------------------------------------------------------------------- ________________ હોય તે બધું આવી શકે છે. આ બધું બાહ્ય છે. જ્યારે અનાલંબનયોગમાં સમત્વ, અન્તર્મુખતા, વૈરાગ્ય, અસંગતા, આત્મા, આત્મગુણો આ બધું ઇષ આલંબનરૂપે હોય છે. જે ધર્મવ્યાપારદરમ્યાન વાચિક પ્રવૃત્તિ હોય નહીં, તે ધર્મવ્યાપારમાં ઊયોગ અને અર્ધયોગ સંભવતા નથી. આમ નિશ્ચયનયે દરેક ધર્મવ્યાપારમાં યથાયોગ્ય સ્થાનાદિયોગ સંકળાયેલા હોય છે. માટે દરેક ધર્મવ્યાપાર ‘યોગ' તરીકે એને માન્ય છે. પણ તાન્ત્રિકોએ તો ચોક્કસ પ્રકારના આસનમુદ્રા વગેરેમાં જ સ્થાનાદિનો સંકેતર્યો હોવાથી એવા ચોક્કસ આસન-મુદ્રાદિ જેમાં જળવાતા હોય તેવા ચૈત્યવન્દનાદિમાં જ સ્થાનાદિ માનેલા છે, ને તેથી એવા સ્થાનાદિને જ એ યોગ તરીકે સ્વીકારે છે એ જાણવું स्थानादिषु योगत्वञ्च मोक्षकारणीभूतात्मव्यापारत्वं' इति योगलक्षणयोगादनुपचरितमेव । यत्तु यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्य' (पातञ्जल योगसूत्र-२-२९) इति योगाङ्गत्वेन योगरूपता स्थानादिषु हेतुफलभावेनोपचारादभिधीयत इति षोडशकवृत्तावुक्तं तत् 'चित्तवृत्तिनिरोधो योगः इति योगलक्षणाभिप्रायेणेति 'ध्येयम्। अत्र स्थानादिषु द्वयं स्थानोर्णलक्षणं कर्मयोग एव, स्थानस्य साक्षाद्, ऊर्णस्याप्युच्चार्यमाणस्यैव ग्रहणादुच्चारणांशे क्रियारूपत्वात्। तथा त्रयं अर्थालम्बननिरालम्बनलक्षणं ज्ञानयोगः, तुः एवकारार्थः, इति ज्ञानयोग एव, अर्थादीनां साक्षात् જ્ઞાનસ્વરૂપત્નીત્ |. વૃત્તિઅર્થ “મોક્ષકારણભૂત આત્મવ્યાપાર એ યોગ” આવું યોગનું જે લક્ષણ છે તે સ્થાન-ઊર્ણ વગેરેમાં પણ અક્ષત છે જ, એટલે સ્થાન વગેરે અનુપચરિતપણે જયોગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ આઠ યોગનાં અંગ-કારણ છે આ પ્રમાણે યોગસૂત્રમાં કહ્યું છે. ‘સ્થાન' વગેરેનો પણ આમાંના આસન વગેરેમાં સમાવેશ થતો હોવાથીસ્થાનાદિ પણ યોગાંગ છે. નહીં કે યોગ. આમ સ્થાનાદિયોગાંગ હોવા છતાં જે યોગરૂપે કહેવાય છે તે સ્થાનાદિ અને ચોગ વચ્ચે કાર્ય-કારણ ભાવ હોવાથી (સ્થાનાદિરૂપ કારણમાં યોગાત્મક કાર્યનો) ઉપચાર કરીને કહેવાય છે. આ પ્રમાણે ષોડશકજીની વૃત્તિમાં જે કહ્યું છે તે વિત્તવૃત્તિનિરોધો યોગ:' એવા પાતંજલસૂત્રમાં કહેલા યોગલક્ષણના કર્મ-જ્ઞાનયોગ) ( 61 ) Page #79 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયથી કહ્યું છે એ ધ્યાનમાં રાખવું. આ પાંચમાં સ્થાન અને ઊર્ણ રૂપ બે યોગો કર્મયોગ જ છે, કારણ કે સ્થાન તો સાક્ષાત્ ક્રિયારૂપ છે જ. અને ઊર્ણ તરીકે પણ ઉચ્ચારાતા વર્ણનું જ ગ્રહણ છે, જે પણ ઉચ્ચારણ અંશમાં ક્રિયારૂપ છે જ. તથા અર્થયોગ, આલંબનયોગ અને નિરાલંબનયોગ સ્વરૂપ પાછળની યોગત્રિક જ્ઞાનયોગ જ છે, કારણકે અર્થ વગેરે સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ છે. ગાથામાં જે ‘તુ’ શબ્દ છે તે ‘એવ’ કારના (જકારના) અર્થમાં છે. તેથી (આ યોગત્રિક) જ્ઞાનયોગ જ છે એવો અર્થ પ્રાપ્ત થાય છે. વિવેચન : (૧) પોડરાજીની પૂ.આ. શ્રી યશોભદ્રસૂરિ મહારાજ વિરચિત વૃત્તિમાં એમ કહ્યું છે કે, ષોડશજી મૂળમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે સ્થાનાદિને યોગરૂપે જે કહ્યા છે તે ઉપચારથી કહ્યા છે, કારણકે સ્થાનાદિ સ્વયં ‘યોગ’ નથી. પણ યોગાંગ છે. મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે પોડશજીની વૃત્તિમાં અને પ્રસ્તુત વિંશિકાની વૃત્તિમાં પણ એમ જણાવ્યું છે કે – શ્રી હરિભદ્રસૂરિ મહારાજે સ્થાનાદિને અનુપચરિતપણે ‘યોગ’ તરીકે કહ્યા છે, કારણકે એ સ્વયં ‘યોગ’ રૂપ છે જ. આ બેના વિરોધનો પરિહાર ઉપાધ્યાયજી મહારાજ બતાવી રહ્યા છે. તે આ પ્રમાણે – શ્રી યશોભદ્રસૂરિ મહારાજે ‘ચિત્તવૃત્તિનિરોધ એ યોગ’ આવી વ્યાખ્યાને નજરમાં રાખી છે. સ્થાનાદિ સ્વયં તો ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપ નથી, માટે ‘યોગ’ નથી જ. છતાં એનું કારણ તો છે જ, માટે, એનો ‘યોગ’ તરીકેનો ઉલ્લેખ ‘ઉપચરિત’ હોય શકે, ‘અનુપચરિત’ નહીં. ઉપાધ્યાયજી મહારાજે ‘મોક્ષકારણીભૂત આત્મવ્યાપાર એ યોગ’ એવી વ્યાખ્યાને નજરમાં રાખી છે. સ્થાનાદિ પણ મોક્ષકારણીભૂત આત્મવ્યાપાર સ્વરૂપ તો છે જ. માટે સ્વયં યોગ હોવાથી અનુપચરિતપણે ‘યોગ’ છે. (૨) ઉચ્ચાર્યમાણ વર્ણ (=શબ્દ) પૌદ્ગલિક હોવાથી ‘દ્રવ્ય’રૂપ છે, ક્રિયા રૂપ નથી. ઉપયોગપૂર્વક સૂત્ર બોલાય છે... પણ એમાં ઉપયોગ જ્ઞાનાત્મક હોવાથી એ પણ ક્રિયારૂપ નથી... પણ સૂત્રનો ઉચ્ચાર કરવા રૂપ ઉચ્ચારણક્રિયા તો ક્રિયારૂપ છે જ. એટલે ઉચ્ચાર્યમાણ વર્તાત્મક ઊર્ણયોગના ‘ઉચ્ચારણ’ અંશને નજરમાં લઇને એને ક્રિયાયોગ તરીકે કહ્યો છે એ જાણવું. (૩) યોગદષ્ટિ સમુચ્ચયના ૧૦ મા શ્લોકની વૃત્તિમાં ધર્મસંન્યાસ અંગે આ યોગવિંશિક....૨ 62 Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે જણાવ્યું છે – અવિવસ્તુ પ્રવ્રવાર્તડપ મવતિ, પ્રવૃત્તિતક્ષણધર્મસંન્યાસીયા: પ્રવ્રચીયા જ્ઞાનયો પ્રતિપત્તિરૂપત્નીતા અર્થ? અતાત્ત્વિક ધર્મસંન્યાસ તો પ્રવ્રજ્યાકાળે પણ હોય છે, કારણકે પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મના (કિયાયોગરૂપધર્મના) સંન્યાસ આત્મક પ્રવ્રજ્યા જ્ઞાનયોગના સ્વીકાર સ્વરૂપ છે. આમાં આશય એ છે કે ધર્મ ત્રણ પ્રકારે છે. ક્વિાયોગરૂપ, જ્ઞાનયોગરૂપ અને સ્વભાવરૂપ. જ્ઞાનશૂન્ય કે જ્ઞાનના અપ્રાધાન્યવાળી ધર્મક્ષિાઓ હોય એ ક્રિયાયોગરૂપ ધર્મ છે. જ્ઞાનના પ્રાધાન્યવાળી કિયાઓ જ્ઞાનયોગરૂપ ધર્મ છે. આત્મસ્વભાવરૂપે સિદ્ધ થયેલા ક્ષમાદિ ધર્મો સ્વભાવરૂપ ધર્મ છે. પ્રવ્રયાકાળે પ્રથમ ક્વિાયોગાત્મક ધર્મનો સંચાર થાય છે. કારણકે હવે જે કાંઇ ધર્મો છે તે બધા જ્ઞાન પ્રાધાન્યપૂર્વકના છે. તે પણ એટલા માટે કે ભાવસાધુપણું પરિણતજ્ઞાન કે જ્ઞાનની નિશ્રા વગર હોતું નથી. દેશવિરતિ ગુણઠાણા સુધી પહોંચેલા ગૃહસ્થને પણ, સંપૂર્ણ આજ્ઞાપારતવ્ય-ગીતાર્થપારતવ્ય હોતું નથી. પ્રવ્રજ્યા સ્વીકારવાળે આ ક્વિાયોગરૂપ ધર્મનો સંન્યાસ ( ત્યાગ) થાય છે. અને આશાપારતવ્ય આવવાથી જ્ઞાનયોગ આવે છે. માટે અહીં પ્રવ્રજ્યાને કિયાલક્ષણ ધર્મસંન્યાસરૂપ અને જ્ઞાનયોગપ્રતિપત્તિરૂપ કહી છે. છતાં તાત્વિક ધર્મ સંન્યાસમાં તો જ્ઞાનયોગાત્મક ધર્મનો પણ સંન્યાસ થાય ને સ્વભાવરૂપ ક્ષમાદિ સિદ્ધ થાય એ વિવક્ષિત હોવાથી પ્રવ્રજ્યાકાળે તાત્ત્વિકધર્મસંન્યાસ ન કહેતાં અતાત્ત્વિક ધર્મ સંન્યાસ કહ્યો છે. પણ પ્રસ્તુત વિંશિકાગ્રન્થમાં તો દેશવિરતિધરમાં પણ અર્થયાગવગેરે સ્વરૂપ શાનયોગ માનવાનો છે ને સર્વવિરતિધરમાં પણ સ્થાનયોગ વગેરે સ્વરૂપ ક્વિાયોગ માનવાનો છે. માટે યોગદષ્ટિસમુચ્ચયમાં જે જ્ઞાનયોગ-ક્રિયાયોગની વાત છે એના કરતાં અહીંના ફાનયોગ – ક્રિયાયોગ અલગ છે એમ જાણવું. અહીં તો જ્ઞાનાત્મક હોય તે જ્ઞાનયોગ ને ક્રિયારૂપ હોય તે કર્મયોગ એટલી જ વ્યાખ્યા અભિપ્રેત છે. एष कर्मयोगो ज्ञानयोगो वा कस्य भवतीति स्वामिचिन्तायामाह देसे सव्वे य तहा नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं इत्तुच्चिय केइ इच्छन्ति ॥३॥ યોગના સ્વામી) Page #81 -------------------------------------------------------------------------- ________________ અવતરણિકાર્થ : આકર્મયોગ અને જ્ઞાનયોગ કયા જીવને હોય ? એ પ્રમાણે (કર્મયોગ-જ્ઞાનયોગના) સ્વામીની વિચારણા અંગે ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ : આ (સ્થાનાદિ પાંચ પ્રકારનો યોગ) નિયમા દેશચારિત્રી અને સર્વચારિત્રીને જ હોય છે. એ સિવાયના જીવોને (અપુનર્બન્ધક-તથા અવિરત સમ્યગ્દષ્ટિજીવોને) આ કારણથી જ (-દેશ-સર્વવિરતિ ન હોવાથી જ) (યોગ હોતો નથી, પણ યોગનું) બીજ માત્ર જ હોય છે. કેટલાક (=વ્યવહારનયપ્રધાન દષ્ટિવાળા) આ બીજમાત્રને ‘યોગ’ તરીકે ઇચ્છે છે = સ્વીકારે છે. देसे सव्वे यत्ति । सप्तम्याः पञ्चम्यर्थत्वाद् देशतस्तथा सर्वतश्च चारित्रिण एव 'एषः ' प्रागुक्तः स्थानादिरूपो योगः नियमेन=इतरव्यवच्छेदलक्षणेन निश्चयेन भवति, क्रियारूपस्य (ज्ञानरूपस्य) 'वाऽस्य चारित्रमोहक्षयोपशमनान्तरीयकत्वात्' । अत एवाध्यात्मादियोगप्रवृत्तिरपि चारित्रप्राप्तिमारभ्यैव ग्रन्थकृता योगबिन्दौ प्ररूपिता । तथाहि देशादिभेदतश्चित्रमिदं चोक्तं महात्मभिः । अत्र पूर्वोदितो योगोऽध्यात्मादि संप्रवर्तते ॥ ३५७ ॥ इति । વૈશાવિમેવતઃ = વેશ-સર્વવિશેષાત્ વ = ચરિત્રમ્ અધ્યાત્માવિઃ = અધ્યાત્મ, ભાવના, આધ્યાનં, સમતા, વૃત્તિસંક્ષયગ્ર। વૃત્તિઅર્થ : (કારિકામાં દેશે અને સબ્વે આ બે શબ્દોમાં રહેલી) સપ્તમી વિભક્તિ પંચમી વિભક્તિના અર્થવાળી હોવાથી ‘દેશથી’ અને ‘સર્વથી’ એવો અર્થ પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત સ્થાનાદિયોગ નિયમા દેશથી ચારિત્રી (=દેશવિરત-શ્રાવક) અને સર્વથી ચારિત્રી (સર્વવિરત-સાધુ) ને જ હોય છે. અહીં નિયમ એટલે ઇતરવ્યવચ્છેદસ્વરૂપ નિશ્ચય. અર્થાત્ ઇતરને દેશવિરતથી અને સર્વવિરતથી ભિન્નજીવને સ્થાનાદિ યોગ ન જ હોય એવો નિશ્ચય. અપુનર્બન્ધક વગેરે રૂપ ઇતરને યોગ જે હોતો જ નથી એમાં કારણ એ છે કે ક્રિયારૂપ (સ્થાન-ઊર્ણયોગ) કે જ્ઞાનરૂપ (અર્થ વગેરે ત્રણ) યોગ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપરામને નાન્તરીયક હોય છે. એટલે જ અધ્યાત્માદિ યોગપ્રવૃત્તિ પણ ચારિત્રપ્રાપ્તિથી જ આરંભાય છે એ પ્રમાણે ગ્રન્થકારે શ્રીયોગબિન્દુમાં કહ્યું છે. તે આ પ્રમાણે - આ-ચારિત્ર કેશાદિભેકે ચિત્ર=અનેક ભેદવાળું છે એ પ્રમાણે મહાત્માઓએ કહ્યું છે. આ ચારિત્ર પ્રાપ્ત થયે પૂર્વે કહેવાઇ ગયેલો અધ્યાત્માદિ યોગ સંપ્રવૃત્ત થાય છે. (યોગબિન્દુના આ શ્લોક્ના કેટલાક 9. 64 યોગવિંશિકા....૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ શબ્દોના અર્થ - ) દેશાદિભેદતઃ દેશચારિત્ર અને સર્વચારિત્ર એવા ભેદે ઈદં=ચારિત્ર (ચિત્ર વિવિધ પ્રકારવાળું છે.) અધ્યાત્માદિ અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય (એમ પંચવિધ યોગ ચારિત્રની હાજરીમાં પ્રવર્તે છે.) વિવેચનઃ (૧) વૃત્તિમાં રહેલો વા શબ્દબીજા વિકલ્પને સૂચવે છે. એટલે, અહીં જો એકલા કર્મયોગની વાત હોય તો એ વા શબ્દ અસંગત રહે. વળી અહીં સ્થાનાદિ પાંચે યોગોની વાત છે, જેમાં અર્ધયોગ વગેરે જ્ઞાનયોગ છે, ને એ પણ ચારિત્રીને જ હોય છે. તથા અવતરણિકામાં પણ બન્ને પ્રકારના યોગના સ્વામીની ચિન્તાનો ઉલ્લેખ ર્યો છે. માટે અહીં 'જ્ઞાનરૂપસ્ય’ એવો શબ્દ લહિયા વગેરેની ભૂલથી રહી ગયો હોય એમ લાગે છે. ને તેથી એ ઉમેર્યો છે. (२) चारित्रमोहनीयक्षयोपशमनान्तरीयकत्वात् - अन्तरा न भवति इति નાન્તરીયમ... આ રીતે નાન્તરીયક શબ્દ બન્યો છે. તેથી આવો અર્થ મળે છે કે – ક્યિારૂપકે જ્ઞાનરૂપ આયોગ ચારિત્રમોહનીયના ક્ષયોપશમ વિના હોતો નથી. આમાં કારણ એવું લાગે છે કે જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષશ્રુત અને શીલ બન્ને ભેગા થાય ત્યારે મોક્ષ માર્ગ પરિપૂર્ણ થાય છે. એટલે યોગ માટે એ બન્ને આવશ્યક હોય છે. ચારિત્ર મોહનો ક્ષયોપશમ દર્શનમોહનાને જ્ઞાનાવરણના ક્ષયોપશમ વિના હોતો નથી. એટલે ચારિત્રમોહનીયનાક્ષયોપશમમાં એબેનો અન્તર્ભાવતો હોય જ. માટે ઉલ્લેખ એકલા ચારિત્રમોહનીયના ક્ષયોપશમનો ર્યો છે. આ ક્ષયોપશમ દેશવિરત કે સર્વવિરતને જ હોય છે, માટે સ્થાનાદિયોગ પણ આ બેને જ હોય છે, અન્યને નહીં. માત્ર શીલ હોય તો દેશઆરાધકપણું છે, માત્ર શ્રત હોયતો દેશવિરાધકપણું (=અલ્પ વિરાધના, ઘણી આરાધના) હોય છે... છતાં સર્વઆરાધનાબેમાંથી એકેયનેનથી... માટેયોગનથી.. તેથી અપુનર્બન્ધક અને અવિરતસમ્યક્તીને ઉપચારથી યોગ કહ્યો છે. પણ વાસ્તવિક યોગ કહ્યો નથી, એ જાણવું * અહીં વૃત્તિમાં “સર્વત વારિત્રિા વ... નિયમેન રૂતર વ્યવર્જીવનક્ષને નિશ્ચયેન મવતિ” એવા શબ્દો છે. એટલે કેટલાક વિદ્વાનો ઉભયાવધારણની કલ્પનામાં ચડી જાય છે. પણ એ બરાબર નથી. અર્થાત્ દશથીને સર્વથી ચારિત્રીને જ આસ્થાનાદિયોગ હોય છે. આવું અવધારણ તેઓ જે કરે છે એ તો બરાબર જ છે. પણ, શિ-સર્વચારિત્રીને યોગ થાય કે ન થાય આવા બે સંભવિત વિકલ્પમાંથી ન થવારૂપ ઈતર વિકલ્પનો વ્યવચ્છેદ એ પ્રસ્તુતમાં નિયમ=નિશ્ચય છે. અને તેથી, ચારિત્રમોહનીયના ક્ષયોપશમવાળાને સ્થાનાદિયોગ નિયમથી હોય છે (=સ્થાનાદિ યોગ હોય જ) (યોગ ચારિત્રીને જ હોય) (65) Page #83 -------------------------------------------------------------------------- ________________ तत्राध्यात्मं उचितप्रवृत्तेतभृतो मैत्र्यादिभावगर्भ शास्त्राज्जीवादितत्त्वचिंतनम्। भावना अध्यात्मस्यैव प्रतिदिनं प्रवर्धमानश्चित्तवृत्तिनिरोधयुक्तोऽभ्यासः। आध्यानं प्रशस्तैकार्थविषयं स्थिरप्रदीपसदृशमुत्पाता(?दा)दिविषयसूक्ष्मोपयोगयुतं चित्तम् । समता अविद्याकल्पिते(ष्टत्वानि)ष्टत्वसंज्ञापरिहारेण शुभाशुभानां विषयाणां तुल्यताभावनम्। वृत्तिसंक्षयश्च मनोद्वारा विकल्परूपाणां शरीरद्वारा परिस्पन्दरूपाणामन्यसंयोगात्मकवृत्तीनामपुनर्भावेन निरोधः। આવું જે અવધારણ તેઓ કરે છે તે અયોગ્ય છે. નહીંતર તો, પ્રમાદવમુદ્રાદિનહીં જાળવનાર સંયતને કે સંસારઠ્યિામાં વ્યસ્ત દેશવિરતને પણ સ્થાનાદિયોગ માનવા પડશે. કારણકે એ વખતે પણ તેઓને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ તો છે જ. વસ્તુતઃ, જેમ ધૂમમાં જ વહ્નિનો અવિનાભાવ છે, પણ વહ્નિમાં કાંઈ ધૂમનો અવિનાભાવ નથી, એમ પ્રસ્તુતમાં, સ્થાનાદિયોગમાં જ ચારિત્રમોહનીયના ક્ષયોપશમનો અવિનાભાવ છે (અર્થાત્ સ્થાનાદિયોગ હોય તો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય જ – એવો નિયમ છે. એનો અર્થ જ ચારિત્ર મોહનીયના ક્ષયોપશમવાળાને જ સ્થાનાદિ યોગ હોય) પણ, ચારિત્રમોહનીયના ક્ષયોપશમમાં કાંઈ સ્થાનાદિયોગનો અવિનાભાવ નથી (અર્થાતું ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય તો સ્થાનાદિયોગ હોય જ એવો નિયમ નથી.) હકીકત એ છે કે, ગાથામાં એવકાર છે નહીં, પણ નિયમણ’ શબ્દ રહેલો છે. અને એનો અન્વય “આ (યોગ), ચારિત્રીને નિયમો હોય છે. આ રીતે નથી, પણ “આ (યોગ) નિયમા ચારિત્રીને હોય છે. આ પ્રમાણે છે. આ અર્થ કાઢવા જ વૃત્તિકારે વારિત્રિ પર્વ” એમ એવકાર (નિયમેણ શબ્દના અર્થ તરીકે) જણાવ્યો છે. પછી ‘નિયમેન રૂતર...' ઇત્યાદિ જે કહ્યું છે તે માત્ર નિયમેન’ શબ્દનું વિવેચન છે. એને પુનઃ અન્વયમાં લેવાય નહીં, કારણકે સંતુતિઃ ન્દ્રિઃ સંવેવાઈ ત્તિ ન્યાયે એક શબ્દનો અર્થ એકવાર જ કરી શકાય. અને છતાં નિયમો ચારિત્રીને હોય છે ને ચારિત્રીને નિયમો હોય છે. આમ બન્ને અર્થ અભિપ્રેત હોત તો વૃત્તિકાર - નિયમ પદનો અન્વય વત્તિનો પદની આગળ – પાછળ એમ બે વાર કરવો-વગેરે કશોક ઉલ્લેખ કરત. વળી ગાથાના ઉત્તરાર્ધમાં પણ ‘ઇતર તરીકે અપુનર્બન્ધક વગેરે લીધા છે, પણ ‘ન થવા રૂપ ઇતર વિકલ્પ નથી લીધો. અર્થાત્ નિયમા ચારિત્રીને હોય એવા અવધારણના ફળનો નિર્દેશ ર્યો છે, પણ ચારિત્રીને નિયમો હોય એવા અવધારણના ફળનો નહીં. વૃત્તિકારે પણ “ચારિત્રીને જ હોય એવા જ કાર વાળા અર્થનું જ ‘કત વાધ્યાત્મઃ '... વગેરે દ્વારા સમર્થન અને છેલ્લે ‘તતો શતઃ સર્વતશ વારિત્રિા પ્રવસ્થાનારિયો પ્રવૃત્તિ સમવતીતિ સિદ્ધમ્' એ રીતે ઉપસંહાર કર્યો છે, પણ ચારિત્રીને હોય જ એવા જ કારથી પ્રાપ્ત અર્થનું સમર્થન કે ઉપસંહાર કશું આખી વૃત્તિમાં ક્યાંય ક્યું નથી. માટે ઉભયાધારણ નથી એ વાત નિઃશંક છે. વળી, “ચારિત્રમોહનીયનો યોપશમ હોય તો સ્થાનાદિયોગ નિયમા હોય જ આવું (66) યોગવિંશિકા....૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઅર્થઃ ઉચિત પ્રવૃત્તિવાળો વ્રતધારી સાધક શાસ્ત્રવચનોને અનુસરીને જીવાદિતત્ત્વોનું જે મૈત્રી વગેરે ભાવોથી ગર્ભિત ચિન્તન કરે એ અધ્યાત્મયોગ છે. અધ્યાત્મમાં જે ચિન્તન કહ્યું એનો જ ચિત્તવૃત્તિઓના નિરોધવાળો પ્રતિદિન વધતો જતો અભ્યાસ એ ભાવનાયોગ છે, કોઈ એક પદાર્થના વિષયવાળું, ઉત્પાદાદિ વિષયક સૂક્ષ્મ ઉપયોગયુક્ત સ્થિરપ્રદીપ જેવી સ્થિરતાવાળું પ્રશસ્ત ચિત્ત એ આધ્યાનયોગ છે. (અવિદ્યાના કારણે વિષયોમાં ‘આ ઇષ્ટ (=ગમતો) વિષય છે’ ‘આ અનિષ્ટ (=અણગમતો) વિષય છે. આવા લેબલ લાગે છે.) અવિદ્યા કલ્પિત આવી ઈછત્વ માન્યું. અર્થાતુક્ષયોપશમ ઊભો હોવા છતાં સ્થાનાદિયોગ ક્યારેક ન પણ હોય - આવા અનિયમનો વ્યવચ્છેદ માન્યો. એટલે કેવું પૂર્વાપરવિરુદ્ધ લખવું પડે છે એ પણ જોઇએ-દેશવિરતને સંસારની પ્રવૃત્તિ દરમ્યાન એની વિચારણા સાક્ષાત્ સંસારની જ હોય તો પણ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ તો ઊભો જ હોવાથી સ્થાનાદિ માનવા જ પડે. વળી, અધ્યાત્મયોગની વિદ્યમાનતા સાબિત થાય તો સ્થાનાદિની વિદ્યમાનતા પણ સાબિત થઈ જાય. એટલે મારી - ઠોકીને ત્યારે પણ શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતનનો પરિણામ વર્તે છે. એટલે ત્યાં અધ્યાત્મ હોઈ શકે છે એમ અધ્યાત્મયોગની સિદ્ધિ કરી. ને પછી આગળ ભાવનાયોગના વિવેચનમાં – યદ્યપિ અધ્યાત્મમાં પણ ચિત્ત વિષયોથી નિવૃત્ત હોય છેપરંતુ તે વિષયોના સંપર્કથી દૂર રહીને અને સલ્કિયાના આલંબનોમાં વ્યાપ્ત રહેવાથી વિષયોથી પરાગમુખ રહે છે. – એમ જણાવ્યું. જે પરસ્પર વિરુદ્ધ હોવું સ્પષ્ટ છે. કારણકે પહેલાંસંસારક્રિયા દરમ્યાન પણ અધ્યાત્મયોગની વિદ્યમાનતા બતાવી, એટલે વિષયોની પરાગમુખતા સ્વીકારી જ. અને પછી વિષયસંપર્કથી દૂર – સંસારયાથી દૂર – સક્યિામાં વ્યાપ્ત હોય ત્યારે જ વિષયોની પરાગમુખતા સ્વીકારી. આ બધી અસંગતિઓ ન થાય એ માટે, ચારિત્રમોહનીયન ક્ષયોપશમ હોય તો સ્થાનાદિ યોગ હોય જ આવું અવધારણ ગલત છે એ સ્વીકારવું જોઇએ. અલબત્ યોગતિમાં એક જ આત્મામાં સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રનો સંબંધ એ યોગ છે એ પ્રમાણે જે કહ્યું તેને અનુસરીને તો જ્યાં સુધી દેશવિરતિ – સર્વવિરતિ વિદ્યમાન છે ત્યાં સુધી નિયમા યોગ માનવો જ પડે. પણ એ, પૂર્વે, ‘નિશ્ચયથી બધો ધર્મવ્યાપાર એ યોગ છે, અને વિશેષ પ્રકારના સંકેતને અનુસાર સ્થાનાદિ જ યોગ છે એવો વિભાગ જે દર્શાવેલો તેને અનુસરીને યથાસંભવ સંગત કરવો. અર્થાત, દેશ-સર્વવિરતનો બધો ધર્મવ્યાપાર નિશ્ચયથી યોગરૂપ છે જ, ને તેથી નિયમા યોગ હોય જ એવા અવધારણને પણ કશો વાંધો નથી, પણ, ‘વિરતિધરને નિયમો યોગ હોય જ એવા અવધારણનો પ્રસ્તુતમાં જે નિષેધ કરાઈ રહ્યો છે, તે તાન્ત્રિકોના વિશેષ પ્રકારના સકતાનુસાર સ્થાનાદિયોગની અપેક્ષા છે. એટલે કે ‘વિરતિધરને કાયમ આ સ્થાનાદિ યોગ હોય જ એવા અવધારણનો જ આ નિષેધ છે. શંકા- દેશવિરતિ છે ત્યાં સુધી યોગ હોયજ (ભલે સ્થાનાદિયોગનહીં, પણ યોગસામાન્ય અિધ્યાત્મયોગ) Page #85 -------------------------------------------------------------------------- ________________ અનિષ્ટત્વની સંજ્ઞાનો પરિહાર કરવા પૂર્વક શુભ-અશુભ વિષયોમાં તુલ્યતા ભાવવી એ સમતાયોગ છે. મન દ્વારા વિકલ્પરૂપ જે અન્યસંયોગાત્મક વૃત્તિઓ પ્રવર્તતી હોય છે અને શરીર દ્વારા (આત્મપ્રદેશોના) પરિસ્પન્દનરૂપ જે અન્યસંયોગાત્મક વૃત્તિઓ પ્રવર્તતી હોય છે. એ બન્ને વૃત્તિઓનો ફરીથી પ્રાદુર્ભાવન થાય એ રીતે નિરોધ કરવો એ વૃત્તિસંક્ષયયોગ છે. વિવેચનઃ (૧) અધ્યાત્મયોગ – ઉચિતપ્રવૃત્તિવાળો અને વ્રતધારી એ બે સાધક જીવના વિશેષણ છે. તથા શાસ્ત્રવચનાનુસારી અને મૈચાદિભાવગર્ભિત એ બે તત્ત્વચિન્તનના વિશેષણ છે. ઉચિતઆચારનું પાલન અધ્યાત્મના પ્રતિબંધક તત્ત્વોને દૂર રાખનાર છે. સામાન્યથી, અનુચિત પ્રવૃત્તિ કરાવનાર કોઈ હોય તો એ કંઇક પણ પ્રબળ રાગ-દ્વેષ છે, અને એ જ અધ્યાત્મના મોટા શત્રુ છે. એટલે, પ્રવૃત્તિમાં અનૌચિત્યને ટાળનારો પ્રતિબન્ધકોને વર્જી શકે છે.* તો હોય જો આવું અવધારણ માનશો તો દેશવિરતને તો સંસારક્રિયા દરમ્યાન પણ દેશવિરતિ તો ઊભી જ રહેવાથી યોગની વિદ્યમાનતા સિદ્ધ કરવી પડશે, જે થઈ શકતી નથી, કારણકે તમે ઉપર નિશ્ચયથી જે સંગતિ કરી છે તે પણ શક્ય નથી, તે પણ એટલા માટે કે સંસારક્યિા દરમ્યાન પાપવ્યાપાર છે, ધર્મવ્યાપાર નહીં. સમાધાન-યોગનું એક લક્ષણ છે – ‘ક્લિષ્ટ ચિત્તવૃત્તિનિરોધો યોગઃ દેશવિરત જીવ, સંસારયિા દરમ્યાન પણ પોતાની રાગાદિ ક્લિષ્ટ્રચિત્તવૃત્તિઓને એ વૃત્તિઓ અપ્રત્યાખ્યાનકક્ષાની ન થઈ જાય એ રીતે તો રુંધેલી રાખે જ છે, ને તેથી ધર્મવ્યાપાર સ્વરૂપ કે સ્થાનાદિ સ્વરૂપ યોગ ન હોવા છતાં, આ ક્લિષ્ટ્રચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ વિદ્યમાન હોવાથી કોઈ અસંગતિ રહેતી નથી. *વૃત્તિમાં વિતપ્રવૃત્ત આવો જે શબ્દ રહેલો છે તેને કેટલાક વિદ્વાનો પંચમ્યન્ત માની ઉચિત પ્રવૃત્તિપૂર્વક વ્રતને ધારણકરનાર જીવનું તત્ત્વચિન્તન એ અધ્યાત્મયોગ છે બાવો અર્થ કરે છે. આવો અર્થ કરવાની શી જરૂર છે એ સમજાતું નથી. વસ્તુતઃ આ ષડ્યન્ત શબ્દ છે ને સાધકનું વિડો " . વ્રતગ્રહણ કદાચ ઉચિતપ્રવૃત્તિ પૂર્વક ન હોય તો પણ, જો વ્રતગ્રહણ બાદ ઉચિતપ્રવૃત્તિવાળો બની જાય, તો અધ્યાત્મ હોવામાં કશો વાંધો નથી. ને ઉચિત પ્રવૃત્તિપૂર્વક વ્રતગ્રહણ હોવા છતાં જો પાછળથી અનુચિત પ્રવૃત્તિ કરે (વૈયાવચ્ચના અવસરે શાસ્ત્રસ્વાધ્યાય કર્યા કરે - વગેરે) તો કાંઈ અધ્યાત્મયોગ સંભવતો નથી. બેશક, ‘વ્રતગ્રહણ ઉચિત પ્રવૃત્તિપૂર્વક હોવું એ ઇચ્છનીય છે જ, પણ અધ્યાત્મ માટે એ આવશ્યક શરત બની શક્તી નથી. જ્યારે ‘ઉચિતપ્રવૃત્તિવાળા હોવું એ તો આવશ્યક શરત છે. માટે આ શબ્દને ષષ્યન્ત માનવો ઉચિત છે. અલબતુ યોગબિન્દુમાં વિત્યવૃત્તયુચ એવો પાઠ છે. છતાં ત્યાં પણ ઔચિત્યના કારણે વ્રતયુક્ત (68) યોગવિંશિકા....૩) Page #86 -------------------------------------------------------------------------- ________________ અલબત્ તીવ્રભવાભિમ્પંગ સ્વરૂપ અત્યન્ત પ્રબળ રાગ-દ્વેષ ખસવા પર જ અપુનર્બલ્પકપણું પ્રાપ્ત થતું હોવાથી ત્યારથી જ ઔચિત્યપાલન હોય છે. પણ એ ભૂમિકામાં જે પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ ઔચિત્ય હોય છે તેના કરતાં ઉપર ઉપરની અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ભૂમિકામાં પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ... ઔચિત્ય અલગ-અલગ પ્રકારનું અને વિશેષ શુભ હોય છે. પ્રસ્તુતમાં દેશવિરતિ-સર્વવિરતિને ઉચિત એવા ઔચિત્યની વાત જાણવી, જે પ્રધાન (મૌલિક) અધ્યાત્મયોગનું સંપાદન કરે છે. અપુનર્બન્ધક તથા અવિરતસમ્યક્વીનું ઔચિત્ય ઉપચરિતયોગનું સંપાદન કરે છે એ જાણવું. વ્રતધારી એવા વિશેષણનું કારણ પૂર્વ કહી ગયા છીએ. શાસ્ત્રવચનાનુસારી – સ્વમતિ કલ્પનાનુસારી ચિન્તન એ તત્ત્વભૂત ન પણ હોય, પણ તત્ત્વાભાસ પણ હોય. તત્ત્વસ્વરૂપ વ્યવહાર શાસ્ત્રવચનના આધારે છે, કારણકે આત્માઅતીન્દ્રિય હોવાથી એના અંગે શાસ્ત્રજદીપક સમાન છે. શાસ્ત્રવચનોનું પણ માત્ર પુનરાવર્તન નથી કરવાનું, કેમકે એ તો શ્રુતજ્ઞાન છે. પણ એના પર ચિન્તન કરવાનું છે. આ ચિન્તન કરવાથી હેય-ઉપાદેયનો વિવેક વિશદ બનતો જાય છે. મિત્રી વગેરે ભાવોથી ગર્ભિત ચિન્તન - જીવાદિ તત્ત્વોનું ચિન્તન જે કરવાનું છે તે મૈત્રી વગેરેયથાયોગ્ય ભાવોથી ગર્ભિત હોવું જોઇએ. “પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨૦૦૦ વર્ષ છે વગેરે ચિન્તન મનને સંકલ્પ-વિકલ્પોથી જરૂર બચાવે છે, પણ પરિણતિને એટલું સ્પર્શનારું હોતું નથી. પણ એ જો મૈત્રીભાવગર્ભિત બનાવાય તો પરિણતિસ્પર્શી જરૂર બને, એમ ધર્માસ્તિકાયાદિ વિષયક ચિન્તન અંગે પણ જાણવું. ગુણાધિકકે પુણ્યાધિક જીવોને જોઈને, શાસ્ત્રો કહે છે એ મુજબ, ઈર્ષાભાવ ન લાવતા, ‘અહો! જબરો પુરુષાર્થ ફોરવ્યો ને ગુણ કેળવ્યો’ ‘ભાગ્યશાળી છે.. થયેલા એવો અર્થ કરવા કરતાં ઔચિત્યના કારણે વ્રતયુક્ત રહેલા’ એવો અર્થ કરવો વધારે ઉચિત છે, કારણકે ઉપર જણાવ્યા મુજબ ઔચિત્યની આવશ્યક્તા વ્રતયુક્ત થવા માટે જેટલી છે એના કરતાં વ્રતયુક્ત રહેવા માટે અનેકગણી વધારે છે. વળી અધ્યાત્માદિ યોગ વિરતિધરને છે. ચૈત્યવન્દનના અધિકારી પણ વિરતિધર છે. અને આ અધિકારી તરીકે લલિતવિસ્તરામાં વિતવૃત્તચ8 એવું જે કહ્યું છે, તેનો અર્થ પણ ઉચિતજીવનવૃત્તિ ધરાવનારા' જ છે. ‘ઉચિતજીવનવૃત્તિથી વ્રત પામેલા એવો નથી. ભિાવનાયોગ (69) Page #87 -------------------------------------------------------------------------- ________________ પુણ્યના ઉદયે ઘણું પામ્યા છે.' વગેરે પ્રમોદગર્ભિત ચિન્તન ચાલે એ અધ્યાત્મ છે... એમ હીનગુણ કે અનારાધકને જોઈ તિરસ્કારપ્રયુક્ત વિચારો ન આવે. પણ કરુણાગર્ભિત ચિન્તન ચાલે એ અધ્યાત્મ... અસાધ્યદોષગ્રસ્તને જોઈ ‘જેવી જેવી ભવિતવ્યતા હોય એમ થાય...’ વગેરે શાસ્ત્રનુસારી ઉપેક્ષાગર્ભિત ચિન્તન એ અધ્યાત્મ... સામાન્ય જીવ સૃષ્ટિને જોઇને હિતચિન્તા સ્ફુરે... આ મૈત્રીગર્ભિત ચિન્તન એ અધ્યાત્મ... ટૂંકમાં, સંપર્કમાં આવેલા કે નહીં આવેલા કોઇ પણ જીવ અંગે વિચારણા ચાલે તો આ ચારમાંથી જ કોઇ એક યોગ્યભાવનામાં સમાવિષ્ટ થાય. ‘જીવાદિતત્ત્વચિન્તન’ માં આદિ શબ્દથી અજીવાદિ પણ લેવાના છે. અજીવપુદ્ગલદ્રવ્યો અંગે ‘રૂપ-રસ-ગંધ... વગેરે પરિવર્તનશીલ છે, એમાં શું મોહ પામવો ?’ વગેરે રૂપ અનિત્યાદિભાવનાગર્ભિત ચિન્તન એ પણ અધ્યાત્મ છે. તથા ભાવનામાં અધ્યાત્મનો અભ્યાસ ચિત્તવૃત્તિનિરોધયુક્ત હોય છે એવું જે જણાવ્યું છે તેનાથી એ જણાય છે કે અધ્યાત્મમાં જીવાદિ તત્ત્વચિંતન જેમ મૈત્ર્યાદિભાવગર્ભિત હોય છે તેમ ચિત્તવૃત્તિનિરોધના પ્રયત્નથી પણ ગર્ભિત હોવું જોઇએ. (૨) ભાવનાયોગ - અધ્યાત્મયોગનો અભ્યાસ વધારતાં વધારતાં જીવ ભાવનાયોગ પામે છે. અધ્યાત્મયોગમાં તત્ત્વચિન્તનકાળે રાગ-દ્વેષ ખસતા હતા... તત્ત્વચિન્તન ખસે એટલે પાછા રાગ-દ્વેષ થાય... ક્ષળ સજ્જ ક્ષળ મુત્ત્ત: આ ભૂમિકા હતી... છતાં તત્ત્વચિન્તનકાળે ચિત્તવૃત્તિઓનો રાગ-દ્વેષગ્રસ્ત વૃત્તિઓનો થોડો થોડો પણ નિરોધ થતાં રહેતાં ભાવનાયોગમાં આ નિરોધ નોંધપાત્ર બને છે. વળી ભાવનાયોગમાં તત્ત્વચિન્તનનો પ્રવર્ધમાન અભ્યાસ છે. અર્થાત અધ્યાત્મયોગી એક દિવસમાં જેટલી વાર તત્ત્વચિન્તન કરે છે એના કરતાં ભાવનાયોગી અનેકગણી વધારેવાર તત્ત્વચિન્તન કરે છે. આશય એ છે કે કોઇ પણ જીવ અંગે વિચારણા ચાલે ત્યારે એ મૈત્રીપ્રમોદ વગેરે ચારમાંની જ કોઇ યોગ્ય ભાવનાથીગર્ભિત વિચારણા કરવાનો સાધકને અધિકાર છે. એમ પુદ્ગલ અંગે વિચારણા ચાલે તો અનિત્યાદિ ભાવનાથી ગર્ભિત વિચારણા કરવાનો સાધકને અધિકાર છે. આવી વિચારણાઓ તત્ત્વચિન્તન છે. છતાં, જ્યારે જ્યારે વિચારણા ચાલે ત્યારે ત્યારે એ મૈગ્યાદિગર્ભિત હોવાથી તત્ત્વચિન્તનરૂપ જ હોય, એવી અવસ્થા હજુ કેળવાયેલી નથી. ક્યારેક દ્વેષાદિગર્ભિત ચિન્તન પણ 70 યોગવિંશિકા..૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ ચાલે છે. આ અતત્ત્વચિન્તન છે. સંખ્યા અને કાળની અપેક્ષાએ ટકાવારી મૂકીએ તો અધ્યાત્મયોગ કરતાં ભાવનાયોગમાં તત્ત્વચિન્તનની ટકાવારી વધે છે ને અતત્ત્વચિન્તનની ટકાવારી ઘટે છે. વળી ભાવનાયોગમાં જ્યારે જ્યારે તત્ત્વચિન્તન કરે છે ત્યારે ભેગો ચિત્તવૃત્તિનિરોધ હોવાથી એમાં એકાગ્રતા વધુ ગાઢ હોય છે, જે ધ્યાનની ભૂમિકા સર્જે છે. અહીં ચિત્તવૃત્તિનિરોધ જે કહ્યો છે એ મોહનીય કર્મના ઉદયથી (રાગદ્વેષથી) રંગાયેલી ચિત્તવૃત્તિઓનો નિરોધ જાણવો. સામાન્યથી જીવ અંગે પણ રાગ-દ્વેષ થાય છે અને પુદ્ગલ અંગે પણ.... છતાં, જીવના શુદ્ધ સ્વરૂપ અંગે તો રાગ-દ્વેષ થવાનો સંભવ ઓછો છે. જીવ અંગેના રાગ-દ્વેષપણ મુખ્યતયા એના પૌદ્ગલિક વ્યક્તિત્વને લઈને જ થતા હોય છે. એટલે, પુલને જ્યાં સુધી પ્રાધાન્ય આપવાનું થાય ત્યાં સુધી અનુકૂળ પુદ્ગલ પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પુદ્ગલ પ્રત્યે દ્વેષ.. આ વૃત્તિઓ થયાજ કરવાની... શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થાય.. અંદર હિળોલાલેતા આનંદના સાગરને પ્રાપ્ત કરવાનું પ્રણિધાન બંધાય.. એટલે પુગલ ગૌણ બની જાય છે. પુગલ પ્રત્યેની પ્રાધાન્યદષ્ટિ ખસી અપ્રાધાન્યદષ્ટિ આવે છે. પુદ્ગલ અનુકૂળ આવે કે પ્રતિકૂળ, એને પ્રાધાન્ય આપવાનું બંધ થયું, એના પરિણામે રાગ-દ્વેષમય વૃત્તિઓ ખસવા માંડે છે, ને એના સ્થાને મોહનીયના ક્ષયોપશમથી રંગાયેલી ચિત્તવૃત્તિઓ વિકસવા માંડે છે, જે યોગ રૂપ છે. અધ્યાત્મયોગમાં ચિત્તવૃત્તિનિરોધ એટલો ગણનાપાત્ર નહોતો. પણ એનો પ્રયત્ન હોવાના કારણે જે થોડે ઘણે અંશે હતો તે, તથા તત્ત્વચિંતન.... આ બન્ને પ્રવર્ધમાન જ હોય એવો પણ નિયમ નહોતો. ક્યારેક પ્રવર્ધમાન, ક્યારેક હાયમાન. ક્યારેક અવસ્થિત... જ્યારે ભાવનાયોગમાં ચિત્તવૃત્તિનિરોધ અને તત્ત્વચિંતન આ બન્ને પ્રવર્ધમાન હોય છે. (૩) આધ્યાનયોગ - પુલ પરિવર્તનશીલ છે... એટલે એમાં ફેરફાર થયા જ કરે, વળી જીવ પુગલને જ અનાદિકાળથી પ્રધાનતા આપતો આવ્યો છે. એટલે પુદ્રગલમાં મનપસંદ ફેરફાર થયો હોય તો રાગ, નેનાપસંદ ફેરફાર થયો હોય તો દ્વેષ. આમ પદ્ગલિક ફેરફારને આધીન ચિત્તવૃત્તિઓ પણ રાગ-દ્વેષ વચ્ચે ઝોલા ખાયા કરે છે. સ્થિર થઈ શક્તી નથી. પણ મારે ને પુગલને શું લાગે વળગે?' આધ્યાનયોગ (71) Page #89 -------------------------------------------------------------------------- ________________ વગેરે રૂપે પુદ્ગલ પ્રત્યેની અપ્રાધાન્યદષ્ટિને અધ્યાત્મ-ભાવનાયોગ દ્વારા વધુને વધુ ગાઢ બનાવ્યાકરાયતો એક એવી અવસ્થા આવે છે કે પુદ્ગલમાં આસમાની-સુલતાની થઈ જાય તો પણ જીવ એને ગણકારતો નથી, અને તેથી એ પૌલિક ફેરફારો ચિત્તને કશી અસર કરી શકતા નથી, રાગ કે દ્વેષ વચ્ચે ઝોલા ખવડાવી શકતા નથી. તેથી ચિત્તની પ્રદીપની સ્થિર જ્યોત જેવી સ્થિર અવસ્થા પેદા થાય છે. એટલે, એ વખતે ચિત્ત, કોઈ એક પદાર્થ અંગે પ્રશસ્ત કહી શકાય એવું ઉત્પાદાદિવિષયક સૂક્ષ્મ ઉપયોગવાળું બને છે, ને એ જ ઉપયોગમાં સ્થિર રહે છે. આ “આધ્યાન યોગ છે. આયોગકાળે વિકલ્પોજન ઊઠે એવી અવસ્થા નથી, પણ જેમ અબજોપતિ માણસ એક રૂપિયાના ફેરફારને પ્રાધાન્ય ન આપે એમ વિકલ્પોને પ્રાધાન્ય આપવાનું હોતું નથી. માટે એ વિકલ્પો સ્થિર ચિત્તને અસર (વિક્ષેપ) કરી શકતા નથી. પ્રસન્નચન્દ્રરાજર્ષિએ પુત્ર-રાજ્ય વગેરેને પ્રાધાન્ય આપ્યું એટલે ચિત્તમાં તોફાનો ચાલુ થઈ ગયાને શુભધ્યાનમાંથી દુર્ગાનમાં ચઢી ગયા... પણ પછી પાછી અપ્રાધાન્યદષ્ટિ આવી એટલે તોફાનો શમવા લાગ્યા. ચિત્ત સ્થિર થવા લાગ્યું. નેક્ષપદ્મણિ સુધી પહોંચી ગયા. અહીં પ્રતૈિાર્થવિષયમ્ આવું વિશેષણ છે. પ્રશસ્ત એવો એક (જિન પ્રતિમા વગેરે) પદાર્થ, તદ્વિષયક સૂક્ષ્મોપયોગયુક્ત સ્થિરચિત્ત આવો અર્થ તો સીધે સીધો મળી જાય છે. પણ જે પ્રશસ્ત નથી એવા તણખલા જેવા તુચ્છ પદાર્થ અંગે પણ એના ઉત્પાદાદિના સૂક્ષ્મ ઉપયોગવાળું સ્થિરચિત્ત કેળવાય તો એ પણ ચિત્તવૃત્તિનિરોધ કરનારું પ્રશસ્તધ્યાન બની શકે છે. એટલે એનો પણ જો સમાવેશ કરવો હોય તો, પાર્થ વિષયઃ ય તત્ પ્રાર્થવિષયમ્ (વિત્તમ) અને પછી પ્રાપ્ત ૨ તત્ પાર્થવિષયં ચ રૂતિ પ્રાર્તાવિષમ આવો સમાસવિગ્રહ કરવો. અર્થાત્ કોઈ પણ એક પદાર્થ અંગે ઉત્પાદાદિવિષયક ઉપયોગવાળું પ્રશસ્ત સ્થિરચિત્ત એ આધ્યાન આવો અર્થ મળે. તે તે પદાર્થના બાહ્ય રૂપ-રસ-ગંધ... વગેરેના ઉપયોગની અપેક્ષાએ એના ઉત્પાદાદિ અંગેનો ઉપયોગ સૂક્ષ્મ છે, માટે સૂક્ષ્મપયોગયુતમ્ એમ અહીં કહ્યું છે. યોગબિન્દુમાં આધ્યાનના સ્થાને ધ્યાન શબ્દ છે તે જાણવું. (૪) સમતાયોગ - અનાદિકાળથી જીવને વળગેલી મિથ્યાવાસના એ (72) યોગવિંશિકા...૧) Page #90 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યા છે. આ અવિદ્યા, ઉપસ્થિત થતા પદાર્થમાં – ‘આ મને ઇષ્ટ છે...' કે આ મને અનિષ્ટ છે આવી ઇષ્ટત્વ-અનિષ્ટત્વની કલ્પના કરાવે છે. શ્રી પ્રશમરતિગ્રન્થમાં જે કહ્યું છે કે તે જ પદાર્થોનો વેષ કરનાર, અને (કલ્પના બદલાવાથી) તે જ પદાર્થોમાં લીન બનનાર (રાગ-આસક્તિ કરનાર) આ જીવનું નિશ્ચયથી તો કશું અનિષ્ટ કે ઈષ્ટ નથી તેની વારંવાર ભાવના કરવી એ વિવેક છે. અવિદ્યા જન્ય ઇષ્ટત્વ-અનિષ્ટત્વ કલ્પનાઓનો આવી ભાવનારૂપ વિવેકથી પરિહાર કરી શુભ-અશુભ પદાર્થો અંગે તુલ્યતા ચિત્તની સમાનવૃત્તિ સમતા ભાવવી એ સમતા યોગ છે. આમાં સારું કે નરસું. નિન્દા કે પ્રશંસા, અનુકૂળતા કે પ્રતિકૂળતા બધું સરખું જ લાગે છે. એટલે માધ્યચ્યભાવ-ઉપેક્ષા કેળવાય છે. આમ તો અધ્યાત્મયોગથી જ સમતાનો પ્રારંભ થઈ ગયો હોય છે, કારણકે તત્ત્વ ચિન્તનાદિ કાળે રાગદ્વેષનો કંઇક પણ પરિહાર હોય છે. છતાં સાર્વદિક-સાર્વત્રિક નોંધપાત્ર સમતા અહીં જ કેળવાયેલી હોય છે. આમાં અવિદ્યા કલ્પિત ઇષ્ટત્વ-અનિષ્ટત્વનો જ પરિહાર જાણવો. શાસ્ત્રવચનાનુસારે ઊભા થતાં ઇષ્ટ-અનિષ્ટત્વનો પરિહાર નથી સમજવાનો. એટલે, મધુર પેડો કે લૂખો રોટલો એ બન્નેમાં સ્વાદના કારણે ઇષ્ટત્વ-અનિષ્ટત્વરૂપે કોઈ ભેદ ન ભાસે. પણ ગોચરી સંબંધી દોષોની અપેક્ષાએ એક નિર્દોષ હોય, અન્ય દોષિત હોય તો ઇષ્ટત્વ-અનિષ્ટત્વ જરૂર ભાસે. તથા, ગુમાસુમાના વિષયા તુન્યતામાવન.... આવું જે અહીં કહ્યું છે તે અંગે આ વિશેષતા જાણવી. ‘ભાવન’ એ તો ભાવના કહેવાય. સમતા તો ભાવિતતાને કહેવાય, એટલે ઈષ્ટત્વ-અનિષ્ટત્વ સંજ્ઞાનો પરિહાર કરી તુલ્યતાની ભાવના કરાતી હોય ત્યાં સુધી પ્રારંભિક સમતાયોગ જાણવો. પછીની ભૂમિકામાં તો તુલ્યતાનો જ અનુભવ હોય... (ઇeત્વ-અનિષ્ટત્વની સંજ્ઞા ઊઠતી જ નથી. સીધું તુલ્યતાનું જ દર્શન થાય છે, અર્થાત્ તુત્યતા અનુભવનમ્ છે.) (૫) વૃત્તિસંક્ષય - વૃત્તિઓનો સમ્યફ = અપુનર્ભવેન ક્ષય એ વૃત્તિસંક્ષય. આ વૃત્તિઓ બે રીતે હોય છે. મન દ્વારા વિકલ્પરૂપ વૃત્તિઓ અને શરીર દ્વારા આત્મપ્રદેશોના પરિસ્પન્દરૂપ વૃત્તિઓ. મન અને શરીર બન્ને પૌલિક હોવાથી આત્મા માટે અન્ય છે, ને તેથી આ વૃત્તિઓ અન્યસંયોગાત્મક વૃત્તિઓ કહેવાય છે. આમાં પણ, મનની વૃત્તિઓ વળી બે પ્રકારે હોય છે (A) રાગ-દ્વેષજન્ય વિકલ્પોવૃિત્તિસંક્ષયયોગ 7િ3 ] Page #91 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમત્તગુણસ્થાનક સુધી હોય છે, અપ્રમત્તજીવોને હોતા નથી.* (B) શ્રુતજ્ઞાનજન્ય વિકલ્પો-શાસ્ત્રવચનાનુસારે કરાતું ચિંતન-મનન રાગદ્વેષ જન્ય હોતું નથી, પણ શ્રુતજ્ઞાનજન્ય હોય છે. એ બારમા ગુણઠાણા સુધી હોય છે. તેરમે ગુણઠાણે મનોયોગ હોય છે. પણ એ વિચારાત્મક (વિકલ્પાત્મક) હોતો નથી, માત્ર મનોવર્ગણાના દ્રવ્યોને તે તે રૂપે ગોઠવવા રૂપ હોય છે, માટે ત્યાં મનના વિકલ્પો હોતા નથી સાતમે ગુણઠાણવૃત્તિસંક્ષય ઉપચારથી કહેવાય... કારણકે આભોગિક રાગદ્વેષજન્ય વિકલ્પો ન હોવા રૂપે વૃત્તિસંક્ષય છે, છતાં અતિશ્રુતજન્ય વિકલ્પો તો હોય જ છે, માટે વાસ્તવિક વૃત્તિસંક્ષય નથી. વળી આ વૃત્તિસંક્ષય ક્ષયોપશમભાવથી થયો હોય છે ને તેથી પુનર્ભવવાળો પણ હોય છે. પ્રમાદ આવે એટલે વૃત્તિનો પુનર્ભવ થાય. માટે પણ એ ઉપચારથી છે. મનોજન્ય વિકલ્પાત્મક વૃત્તિઓનો અપુનર્ભવેન વાસ્તવિક વૃત્તિસંક્ષય તેરમે હોય છે. વળી તેરમે પણ યોગ હોવાથી આત્મપ્રદેશોનું પરિસ્પન્દન તો હોય જ છે. એટલે આત્મપ્રદેશોના પરિસ્પન્દનરૂપવૃત્તિઓનો સંક્ષય તેરમે પણ હોતો નથી. તેરમાને અંતે સંપૂર્ણ યોગ નિરોધ થવાથી ચૌદમે આત્મપ્રદેશોનું પરિસ્પન્દન પણ હોતું નથી. એટલે એ વૃત્તિઓનો પણ ત્યાં સંક્ષય થઈ જાય છે. अथैतेषामध्यात्मादीनां स्थानादिषु कुत्र कस्यान्तर्भाव इति चेद् ? 'उच्यतेअध्यात्मस्य चित्रभेदस्य देवसेवा-जप-तत्त्वचिन्तनादिरूपस्य यथाक्रमं स्थाने ऊर्णेऽर्थे च। भावनाया अपि भाव्यसमानविषयत्वात्तत्रैव। ध्यानस्यालम्बने। 'समतावृत्तिसंक्षय *ઈષ્ટ-અનિષ્ટ વિષયનો સંપર્ક થવા પર અપ્રમત્તને ગમા-અણગમા રૂપ રાગ-દ્વેષ થતા નથી. પ્રમત્તને એ રાગ-દ્વેષ થાય છે. પણ યથાક્ષયોપશમ એ શીધ્ર સાવધાન થાય છે કે મારે આ રાગ-દ્વેષ કરાય નહીં, ને તેથી, શક્ય હોય તો એ પ્રવૃત્તિથી અટકે છે. પ્રવૃત્તિ અશક્ય પરિહારવાળી હોય તો રાગ-દ્વેષથી અટકે છે. જો આ રીતે પ્રવૃત્તિથી કે રાગ-દ્વેષથી ન અટકે, ખ્યાલ આવવા છતાં ચાલુ રાખે તો સર્વવિરતિ ઊભી રહી શકતી નથી. દેશવિરતે જાયકે અવિરતે જાય. અને આ રાગ-દ્વેષ જો ખટકે પણ નહીં. ઉપરથી ગમે તો મિથ્યાત્વે પણ જાય. સંયતને છદ્મસ્થતાના કારણે સાવધાની લાંબી ટકતી ન હોવાથી ઉક્ત રાગ-દ્વેષ થાય છે ને તેથી એ છઠે જાય છે, ને પછી સાવધાની આવવાથી એ રાગ-દ્વેષાત્મક પ્રમાદથી અટકે એટલે પાછો સાતમે આવી જાય છે. છદ્મસ્થતા હોવાથી પાછી સાવધાની ગુમાવે છે, કંઇક રાગ-દ્વેષની પરિણતિ થાય છે ને પાછો છઠે આવે છે. અન્તર્મુહૂર્તમાં જ પાછો સાવધાન બની રાગ-દ્વેષને રુંધી સાતમે આવે છે. આમ છઠે-સાતમે પરાવૃત્તિ થયા કરે છે. યોગવિંશિકા....૩ 14 Page #92 -------------------------------------------------------------------------- ________________ योश्च तदन्ययोग इति भावनीयम्। ततो देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादियोगप्रवृत्तिः सम्भवतीति सिद्धम्। વૃત્તિઅર્થ: પ્રશ્ન- આ અધ્યાત્મ વગેરે યોગોનો સ્થાનાદિયોગોમાં શેમાં કોનો અન્તર્ભાવ થાય છે? ઉત્તર - દેવસેવા, જપ, તત્ત્વચિન્તનાદિ સ્વરૂપ અનેક ભેટવાળાઅધ્યાત્મ યોગનો યથાક્રમ સ્થાનમાં, ઊર્ણમાં અને અર્થમાં અન્તર્ભાવ થાય છે. ભાવનાનો પણ તે ભાવ્યને સમાનવિષયવાળી હોવાથી તેમાં જ (સ્થાનાદિમાં જ) અન્તર્ભાવ જાણવો. ધ્યાનનો આલમ્બનયોગમાં અન્તર્ભાવ થાય છે. સમતા અને વૃત્તિસંક્ષયનો તદન્યયોગમાં (અનાલંબનયોગમાં) અન્તર્ભાવ થાય છે એ વિચારવું. તેથી દેશથી અને સર્વથી જે ચારિત્રી હોય તેને જ સ્થાનાદિયોગ પ્રવૃત્તિ સંભવે છે એ વાત સિદ્ધ થઈ. વિવેચનઃ (૧) પૂર્વે ગ્રન્થકાર જણાવી ગયા છે કે સ્થાનાદિયોગ દેશવિરત સર્વવિરતને જ હોય છે. અહીં અધ્યાત્મ વગેરે પાંચ યોગો પણ દેશવિરતિ-સર્વવિરતિ કાળમાં જ શરુ થાય છે એમ કહ્યું. એટલે આ પ્રશ્ન ઉદ્વવ્યો છે કે જો આ બન્નેના સ્વામી એક જ છે તો શું આ અધ્યાત્માદિયોગો અને સ્થાનાદિયોગો વચ્ચે કોઈ સંબંધ છે? શું આ બન્ને પ્રકારના યોગો એકબીજામાં અન્તર્ભાવ પામનારા છે? અને એનો જવાબ હા માં છે. હવે પછીના અધિકારમાં એ અન્તર્ભાવ જ વિચારાઈ રહ્યો છે (૨) અભ્યાસ વગેરે દ્વારા ક્ષયોપશમ વધે એટલે અધ્યાત્મયોગ ભાવનાયોગમાં પરિણમે છે. ક્ષયોપશમ ઓર વધતાં વધતાં અમુક માત્રા કરતાં વધી જાય એટલે, હવે ભાવનાયોગ આધ્યાનયોગમાં રૂપાન્તરિત થઇ જાય છે. આ બાબતો જણાવે છે કે યોગના અધ્યાત્મવગેરે ભેદકૃતના પર્યાયશ્રત વગેરે ભેદની જેમ મુખ્યતયા માત્રાની અપેક્ષાએ છે. અર્થાત્ સાધકના જ્ઞાન-ઉપયોગની માત્રા વગેરેથી આ ભેદો પાડેલા છે. એટલે ઉપયોગની માત્રાવૃદ્ધિથી અધ્યાત્માદિયોગ ભાવનાદિ યોગમાં પરિણમે છે. પણ આવું સ્થાનાદિયોગમાં સંભવતું નથી. સ્થાનયોગ ગમે એટલો વધે તો પણ એ ઊર્ણયોગ કે અર્ધયોગ વગરેરૂપ બની શકતો નથી. માટે જણાય છે કે યોગના સ્થાનાદિ ભેદો મૃતના અક્ષરધૃત વગેરે ભેદોની જેમ મુખ્યતયા માત્રાની અપેક્ષાએ નથી, પણ પ્રકારની અપેક્ષાએ છે. અર્થાત્ આ ભેદો વિષયભેદે પાડવામાં આવેલા છે. આ જ કારણ છે કે માત્રાની અપેક્ષાએ જે અધ્યાત્મ યોગ છે એ જ યોગોનો અન્તર્ભાવ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની અપેક્ષાએ સ્થાનયોગરૂપ પણ હોય શકે છે, કે ઊર્ણ યોગરૂપ પણ સંભવી શકે છે કે અર્થયોગરૂપ હોવો પણ રાક્ય છે. આને જ બીજી રીતે કહીએ તો સ્થાનયોગ અમુક માત્રા સુધી વિકસ્યો હોય તો અધ્યાત્મયોગરૂપ છે, એનાથી વધારે માત્રા થાય ત્યારે ભાવનાયોગરૂપ છે. આ જ પ્રમાણે ઊર્ણ અને અર્થ માટે પણ જાણવું. (૩) અધ્યાત્મયોગ દેવસેવા, જપ, તત્ત્વચિન્તન વગેરે અનેક પ્રકારે સંભવે છે. દેવસેવા (દેવપૂજા) મુખ્યતયા કાયિકી પ્રવૃત્તિ છે, માટે એનો સ્થાનયોગમાં સમાવેશ થાય છે. જાપ મુખ્યતયા વાચિક છે. માટે એનો ઊર્ણયોગમાં સમાવેશ છે. તત્ત્વચિન્તન માનસિક પ્રવૃત્તિરૂપ છે, અર્થ પણ સૂત્રોના અર્થ વિચારતા જવારૂપ હોવાથી માનસિક છે. તેથી તત્ત્વચિન્તનનો અર્થયોગમાં સમાવેશ થાય છે. આમ અહીં કાયિક વગેરેના દેવસેવા વગેરે એક-એક આચારનો ઉલ્લેખ કર્યો છે. આદિ શબ્દથી સાધુ-શ્રાવકનો અન્ય ધર્મઆચાર પણ સમજી લેવો. એટલે કે એ પ્રારંભિકકક્ષામાં હોય ત્યારે અધ્યાત્મયોગરૂપ જાણવો... એમાં અમુકમાત્રાથી વધારે પ્રગતિ થાય, અને એ વિશેષ પ્રકારે ચિત્તવૃત્તિનિરોધ સહિત ઉત્તરોત્તર વર્ધમાન બનતો જાય એવી અવસ્થામાં પહોંચે ત્યારથી ભાવનાયોગરૂપ જાણવો. બીજી રીતે, જેમાં મુદ્રા વગેરે કાયિકી ધર્મપ્રવૃત્તિની મુખ્યતા હોય તે સ્થાનયોગરૂપ જાણવો. એમ વાચિકી ને માનસિક પ્રવૃત્તિની મુખ્યતા જેમાં હોય તે ક્રમરાઃ ઊર્ણયોગને અર્થયોગરૂપ જાણવા. આ દેવસેવા વગેરેમાં પ્રણિધાન વગેરે આશયો તો ભળેલા હોવા જ જોઇએ. તો જ એ અધ્યાત્મ વગેરે યોગસ્વરૂપ બને, અન્યથા નહીં – આ વાત સર્વત્ર જાણવી. (૪) જેનો વારંવાર અભ્યાસ (ભાવના) કરવાનો હોય તે ભાવ્ય કહેવાય. અર્થાત્ અહીં દેવસેવા વગેરે ભાવ્ય છે, માટે ભાવનાયોગનો પણ સ્થાનાદિમાં જ અન્તર્ભાવ છે. આમાં એ પણ સમજવા જેવું છે કે પહેલાં દેવસેવા શરુ કરી... અભ્યાસ વધતાં એ અધ્યાત્મયોગમાંથી ભાવના યોગમાં આવી ગઈ, ને એ દરમ્યાન જાપ નવો શરુ કર્યો. તેથી એ હજુ અધ્યાત્મયોગની કક્ષામાં જ હોય એવું સંભવિત છે. અર્થાત્ એક અનુષ્ઠાન ભાવનાયોગની કક્ષાનું થઈ જાય તો અન્ય અનુષ્ઠાનો પણ ભાવનાયોગની કક્ષાવાળા જ હોય એવો નિયમ નથી. એટલું ખરું કે એક સાધનાના અભ્યાસક્રારા સાધેલો વિકાસ અન્યસાધનામાં અલ્પપ્રયાસે પણ વિકાસ થઈ જાય એવી ભૂમિકા ઘડી આપવાની ખૂબ શક્યતા ધરાવે છે. 76 Jal Education International યોગવિંશિકા....૩) annembrary-org Page #94 -------------------------------------------------------------------------- ________________ (૫) ત્રીજો ધ્યાનયોગ આલંબનયોગમાં અન્તભૂત થાય છે. સામાન્યથી સૂત્ર, અર્થ અને પ્રતિમાદિ. આ ત્રણે આલંબન તરીકે પ્રસિદ્ધ છે. એટલે સૂત્રોચ્ચારના આલંબને ચિત્તવૃત્તિના વધારે વિશિષ્ટ નિરોધપૂર્વક ચિત્તની એવી એકાગ્રતા કેળવાય કે જે “ધ્યાન સ્વરૂપ બને, અર્થાત્ ઉચ્ચારાતા સૂત્રને જ ધ્યેય તરીકે રાખીને એવો સ્થિર ઉપયોગ પ્રવર્તે કે જે ધ્યાન’ સ્વરૂપ બને, તે સ્ત્રાલંબને પ્રવર્તેલો ધ્યાનયોગ છે. એટલે કે અસ્મલિત-યથાયોગ્ય સૂત્રોચ્ચાર એ ઊર્ણયોગ છે અને એમાં થયેલી, ધ્યાનની ઊંચાઈને આંબતી ઉપયોગની સ્થિરતા એ ધ્યાનયોગ છે અને એ જ આલંબનયોગ પણ છે. આ જ રીતે અર્થ અને પ્રતિમાના આલંબને થતો ધ્યાનયોગ પણ જાણવો. શંકા- પ્રતિમા તો એક છેને સ્થિર છે. એના આલંબને ઉપયોગની સ્થિરતા થવાથી સ્થિરપ્રદીપ સદશતા આવે. પણ સૂત્રોચ્ચારમાં તો ઉચ્ચારાતા શબ્દો બદલાયા કરવાથી ઉપયોગ પણ બદલાયા કરે છે. તો સ્થિરપ્રદીપસદશતા શી રીતે? સમાધાન પ્રદીપમાં પણ તેલ બદલાતું રહેવાના કારણે જ્યોત બદલાતી રહે છે. છતાં જ્યોત તરીકે જ્યોત એક સરખી રહે છે. માટે પ્રદીપ સ્થિર કહેવાય છે. એમ ઉચ્ચારાતાવર્ણો બદલાતા હોવા છતાં શબ્દ ઉપયોગ તરીકે શબ્દઉપયોગ એક રહે છે. અખ્ખલિતપણે થતા સૂત્રોચ્ચાર દરમ્યાન લયબદ્ધ રીતે વર્ણોની ધારા ચાલે છે. અને એની સાથે એ જ રીતે લયબદ્ધરીતે ઉપયોગની પણ ધારા ચાલે છે. વચમાં ક્યાંય ઉચ્ચાર્યમાણવર્ણ સિવાયના અન્ય કોઇ વિષયનો ઉપયોગ આવીને આલયબદ્ધ ધારાને વિક્ષિત કરતો નથી. એટલે પ્રતિક્ષણ ભિન્ન ભિન્ન જ્યોત હોવા છતાં પવનની કોઇ ઝપટન લાગવાથી જ્યોતની ધારા એક સરખી વહે – ક્યાંય વિક્ષિપ્તન થાય તો સ્થિરપ્રદીપ કહેવાય છે તેમ પ્રસ્તુતમાં પણ ઉપયોગાન્તરરૂપ પવનની ઝપટ લાગતી ન હોવાથી ઉપયોગધારા સ્થિરપ્રદીપતુલ્ય રહે જ છે. આ જ રીતે, ઉચ્ચારાતા શબ્દો બદલાતા રહેતા હોવાથી એનો અર્થ પણ બદલાતો રહેવા છતાં અર્થવિષયક ઉપયોગની લયબદ્ધધારા જો ઉપયોગાન્તરથી વિક્ષિપ્ત થતી નથી તો એ સ્થિરપ્રદીપતુલ્ય છે જ. ઠેઠ શુક્લધ્યાનના પ્રથમપાયા સુધી સંચરણ બતાવ્યું છે તો અહીં ધ્યેયરૂપવર્ણ કે અર્થ પર ઉપયોગનું (ચિંતનનું) સંચરણ થતું હોવા માત્રથી ધ્યાનરૂપતા બાધિત થઈ જતી નથી. બેિ પ્રકારે ધ્યાન [17] Page #95 -------------------------------------------------------------------------- ________________ અથવા સુદ્રઢપયેત્તાવાર નિરોદો વ વિજ્ઞાન __ झाणं करणाण मयं ण हु चित्तणिरोहमित्तागं / वि.आ.भा. 3071 // શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં આ જે જણાવ્યું છે કે - ચિત્તનો નિરોધ એ જ માત્ર ધ્યાન છે એવું નથી. પણ, મન-વચન-કાયા.... આ ત્રણે કરણોનો અત્યન્ત દઢ પ્રયત્ન પૂર્વકનો વ્યાપાર (અર્થાત્ અત્યન્ત નિયત્રિત ઈષ્ટ વ્યાપાર) એ પણ ધ્યાન છે, ને (તેરમાં ગુણઠાણાના અંતે) વિદ્યમાન એવા મન-વચન-કાયા (નાયોગો) નો જે નિરોધ કરવામાં આવે છે તે પણ ધ્યાન છે. આને અનુસરીને વિચારીએ તો આવો અર્થ પણ મળી શકે છે - ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન અનેકશઃ કરાતું હોય છે. એમાંથી જેટલી વાર મુદ્રા જાળવવાથીને એ મુદ્રા જાળવવામાં જેટલી સૂક્ષ્મ ચોકસાઇ રાખવાથી આ મુદ્રા જાળવવારૂપ સ્થાનયોગ અધ્યાત્મયોગ રૂપ બને છે એના કરતાં વધારેવાર મુદ્રાજાળવવાથીને વધારે સ્મતાપૂર્વક મુદ્રાજાળવવાથી એ ભાવનાયોગરૂપ બને છે. મુદ્રા જાળવવાની આ જ સૂક્ષ્મતા જ્યારે વધારે આગળ વધે છે ને તેથી એ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલ સુદઢપ્રયત્નપૂર્વકના વ્યાપારરૂપ બને છે ત્યારે આ અત્યન્તચોકસાઈ પૂર્વકની મુદ્રા સ્વરૂપ સ્થાનયોગ ધ્યાનયોગરૂપતાને પામે છે. આ જ પ્રમાણે સૂત્રોચ્ચારમાં ઉદાત્તાદિનો ખ્યાલ, સંપદા વગેરેનો ખ્યાલ... હીનાક્ષરાદિ ન થાય એનો ખ્યાલ... આ બધો ખ્યાલ જેમ વધુને વધુવાર રખાતો જાય તથા વધુ ને વધુ સૂક્ષ્મતાપૂર્વકનો રખાતો જાય એમ ઊર્ણયોગ કમશઃ અધ્યાત્મ-ભાવનાયોગરૂપતાને ઓળંગી ધ્યાનયોગરૂપતાને પામે છે. આ જ પ્રમાણે અર્ધયોગ માટે પણ જાણવું શંકા - જો આ રીતે સ્થાનાદિ પણ ધ્યાનરૂપ બની શકે છે, તો વૃત્તિકારે અધ્યાત્મ અને ભાવનાની જેમ ધ્યાનનો પણ સ્થાનાદિમાં પણ અન્તર્ભાવ બતાવવો હતો ને, માત્ર આલંબનમાં કેમ બતાવ્યો? સમાધાન - વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે ચિત્તની એકાગ્રતા (ચિત્ત નિરોધ) એ ધ્યાન એવો જે પ્રચલિત અર્થ છે એને નજરમાં લઈને આ પ્રમાણે કહ્યું છે. એટલે જ આધ્યાનયોગની વ્યાખ્યામાં પણ તેઓએ પ્રશસ્તેકાર્થવિષયક સૂક્ષ્મઉપયોગયુક્ત સ્થિરચિત્ત એ આધ્યાન એમ જણાવ્યું છે. પણ એટલા માત્રથી, તેઓશ્રીને એનો સ્થાનાદિમાં અન્તર્ભાવ માન્ય નથી, એવું માનવાની જરૂર નથી. કારણકે (78) યોગવિંશિકા ... 3 Page #96 -------------------------------------------------------------------------- ________________ આગળ ૧૯મી ગાથાની વૃત્તિમાં ‘કૈવલી ભગવતને સાલંબનયોગ હોતો નથી’ આ બાબતની સિદ્ધિ કરવા માટે તેઓશ્રીએ કરણોનો સુદઢ વ્યાપાર ને નિરોધ... આ બન્ને પ્રકારના ધ્યાનનો નિષેધ જણાવ્યો છે. આશય એ છે કે પ્રસ્તુતમાં અન્તર્ભાવના અધિકારમાં તેઓશ્રીના જે શબ્દો છે તેના પરથી ધ્યાનનો આલંબન યોગમાં સમાવેશ જેમ જણાય છે તેમ સાલંબનયોગનો માત્ર ધ્યાનયોગમાં જ સમાવેશ જણાય છે, કારણકે અધ્યાત્મ અને ભાવનાયોગનો સ્થાન, ઊર્ણ અને અર્થમાં સમાવેશ કર્યો છે, પણ આલંબનમાં નથી કર્યો. એટલે સ્પષ્ટ છે કે આલંબનયોગ માત્ર ધ્યાનયોગમાં સમાવિષ્ટ છે. એટલે વૃત્તિકારે સયોગી કેવલી ભગવંતમાં સાલંબનયોગનો નિષેધ કરવા માટે માત્ર ધ્યાનયોગનો નિષેધ કરવો જ આવશ્યક છે. અર્થાત્ પ્રશસ્નેકાર્થવિષયક સૂક્ષ્મોપયોગયુક્ત ચિત્તનો જ નિષેધ કરવો આવશ્યક છે. ને કેવલીમાં એવું ચિત્ત (ભાવમન) હોતું નથી એ તો સ્પષ્ટ છે જ. છતાં વૃત્તિકારે આ સરળ નિષેધ ન કરતાં સુદઢપ્રયત્નવાળો વ્યાપાર અને યોગનિરોધ એ બન્નેના નિષેધ દ્વારા ધ્યાનયોગનો – સાલંબનયોગનો નિષેધ કર્યો છે. એટલે જણાય છે કે સુદૃઢપ્રયત્નવ્યાપાર પણ તેઓશ્રીને ધ્યાનયોગ તરીકે માન્ય છે. એટલે પ્રથમ જે અર્થ કર્યો એને અનુસરીએ તો સૂત્રના આલંબને સૂક્ષ્મોપયોગવાળું સ્થિરચિત્ત એ ધ્યાનયોગ ને એ જ સાલંબનયોગ.... પણ, અથવા કહીને બીજો અર્થ આ વિવેચનમાં જે ક્યો છે તેને અનુસરીએ તો દૃઢપ્રયત્નપૂર્વક જે સુનિયંત્રિત સૂત્રોચ્ચાર કરાય એ સૂત્રોચ્ચાર જ ધ્યાનયોગને ઊર્ણયોગ. એમ શરીરની સુનિયત્રિત મુદ્રા વગેરે ધ્યાનયોગ ને સ્થાનયોગ.... (એ ધ્યાન રાખવું કે અહીં વર્ણ કે મુદ્રા અંગે ઉપયોગની સ્થિરતાની વાત નથી, માટે આ આલંબનયોગરૂપ નથી.) સૂત્રના અર્થના ઉપયોગમાં ચિત્તની સ્થિરતા એ ધ્યાનયોગ ને અર્થયોગ (અર્થને આલંબન તરીકે લઇએ ત્યારે આ આલંબનયોગ પણ બની શકે.) પ્રતિમાદિ આલંબનને અનુસરીને થયેલી સૂક્ષ્મોપયોગવાળા ચિત્તની સ્થિરતા એ ધ્યાનયોગ ને આલંબનયોગ. (૬) સમતાયોગ અને વૃત્તિસંક્ષય આ બેનો તદન્યયોગમાં અન્તર્ભાવ છે, તે આ રીતે – સમતાયોગમાં ઇષ્ટત્વ-અનિષ્ટત્વસંજ્ઞાનો પરિહાર હોય છે. છદ્મસ્થજીવ પણ જેને રાગ-દ્વેષ તરીકે સંવેદી શકે એવા વ્યક્ત રાગ-દ્વેષ પ્રમત્તગુણઠાણા સુધી હોય શકે છે ને એ જ ઉપસ્થિત પદાર્થમાં ઇષ્ટત્વ-અનિષ્ટત્વની કલ્પના કરાવે છે. યોગોનો અન્તર્ભાવ 79 Page #97 -------------------------------------------------------------------------- ________________ અપ્રમત્તગુણઠાણે એવા રાગ-દ્વેષ ન હોવાથી ઇષ્ટત્વ-અનિષ્ટત્વની કલ્પના પણ હોતી નથી. માટે સમતાયોગ અપ્રમત્તજીવોને જ હોય છે. અપ્રમત્તતા સાતમે ગુણઠાણે તથા શ્રેણિમાં આઠમે વગેરે ગુણઠાણે હોય છે. ‘ક્ષપડશ્રેણિમાં સામર્થ્યયોગ જે હોય છે એ તત્ત્વતઃ અનાલંબનયોગ છે, તથા રાગ-દ્વેષજન્ય વિકલ્પો જેમના વિરામ પામ્યા છે એવા જિનકલ્પિક વગેરે અપ્રમત્ત જીવોને પણ અંશતઃ (ઉપચારથી) અનાલંબનયોગ હોય છે. તથા, જે તત્ત્વતઃ અનાલંબનયોગ છે તેની મોહસાગરતરણ, ક્ષેપકશ્રેણિની પૂર્ણાહૂતિ, કેવલજ્ઞાન, અયોગીઅવસ્થા અને નિર્વાણ આ ફળ પરંપરા છે.’ આવું બધું જે નિરૂપણ આ જ ગ્રન્થમાં આગળ આવવાનું છે તેનાથી જણાય છે કે પ્રારંભિક (સાતમે ગુણઠાણે) જે સમતાયોગ હોય છે તેનો ઉપચરિત અનાલંબનયોગમાં અન્તર્ભાવ છે. આગળ વધેલો સમતાયોગ (શ્રેણિમાં જે હોય છે તે) તત્ત્વતઃ અનાલંબન યોગ છે. બીજી રીતે કહીએ તો સહજ સમતા યોગની સાતમી દૃષ્ટિમાં હોય છે ને ત્યાં અનાસંગયોગ હોવો યોગદષ્ટિસમુચ્ચયની ૧૭૫મી ગાથામાં કહ્યો છે. આ અનાસંગયોગ એ જ ચરમ અનાલંબન યોગ છે એમ પ્રસ્તુત યોગવિશિકાની જ ૧૮મી ગાથામાં કહ્યું છે. માટે જણાય છે કે સમતાયોગનો અનાલંબનયોગમાં અન્તર્ભાવ છે. તથા કેવલજ્ઞાન તેમજ યોગનિરોધકાળે જે વૃત્તિસંક્ષય છે તેનું અનાલંબનયોગ એ કારણ છે. એટલે વૃત્તિસંક્ષયાત્મક કાર્યમાં અનાલંબન યોગાત્મક કારણનો ઉપચાર કરીને એને પણ ‘અનાલંબનયોગ’ તરીકે કહી શકાય છે. એટલે આ રીતે એનો અન્તર્ભાવ પણ અનાલંબનયોગમાં થાય છે. આમ અધ્યાત્મયોગ વગેરેનો અન્તર્ભાવ સ્થાનાદિયોગમાં થાય છે. અને અધ્યાત્મયોગ વગેરે તો દેશ-સર્વવિરતને જ હોય છે. માટે સિદ્ધ થાય છે કે સ્થાનાદિયોગ પણ તત્ત્વતઃ દેશ-સર્વ ચારિત્રીને જ હોય છે. ननु यदि देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादिर्योगः, तदा देशविरत्यादिगुणस्थानहीनस्य व्यवहारेण श्राद्धधर्मादौ प्रवर्तमानस्य स्थानादिक्रियायाः सर्वथा नैष्फल्यं स्याद् इत्याशङ्क्याह-इतरस्य = देश- सर्वचारित्रिव्यतिरिक्तस्य स्थानादिकं इत एव = देशसर्वचारित्रं विना योगसम्भवाभावादेव 'बीजमात्रं = योगबीजमात्रं केचिद् = व्यवहारनयप्रधाना इच्छन्ति। ‘मोक्षकारणीभूतचारित्र - `तत्त्वसंवेदनान्तर्भूतत्वेन स्थानादिकं चारित्रिण एव योगः, अपुनर्बन्धक-सम्यग्दृशोस्तु तद्योगबीजम्' इति निश्चयनयाभिमतः पन्थाः । 80 યોગવિંશિકા....૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ व्यवहारनयस्तु योगबीजमप्युपचारेण योगमेवेच्छति, इति व्यवहारनयेनापुनर्बन्धकादयः स्थानादियोगस्वामिनः, निश्चयनयेन तु चारित्रिण एवेति विवेकः। વૃત્તિઅર્થ શંકા- જો દેશથી અને સર્વથી જે ચારિત્રી હોય તેને જ સ્થાનાદિ યોગ હોય તો દેશવિરતિ વગેરે ગુણઠાણું નહીં પામેલા અને છતાં વ્યવહારથી જેઓ શ્રાવકધર્મ વગેરેમાં પ્રવર્તે છે તેઓની ચૈત્યવન્દનાદિમાં મુદ્રા જાળવવારૂપ સ્થાન, સૂત્રોચ્ચારરૂપ ઊર્ણ વગેરે ક્યિા નિષ્ફળ જશે, (કારણકે યોગાત્મક ન હોવાથી મોક્ષસાધક નથી.) આવી શંકાને નજરમાં રાખીને એના સમાધાન તરીકે ગ્રન્થકારે ઇયરસ.. વગેરે ઉત્તરાર્ધ કહ્યો છે. (ઇત એવો દેશ કે સર્વ ચારિત્ર વિના યોગ સંભવતો નથી આવી જે વાસ્તવિકતા છે એ કારણે જ (ઇતરસ્ય5) દેશ-સર્વચારિત્રી સિવાયના અન્યજીવોના (અપુનર્બન્ધકાદિના) સ્થાનાદિને (બીજમાત્રન) યોગના બીજમાત્ર રૂપે ઉચિ) વ્યવહાર નયને પ્રધાન કરનારા વાદીઓ સ્વીકારે છે. “ચારિત્રીજીવોના જ સ્થાનાદિ મોક્ષકારણભૂત ચારિત્ર અને તત્ત્વસંવેદનમાં અન્તભૂત થતા હોવાથી યોગરૂપ છે. અપુનર્બન્ધક અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવોના (ત) તે સ્થાનાદિ તોયોગનું બીજ છે એમ નિશ્ચયનયમાન્ય મત છે. વ્યવહારનય તો યોગનું બીજ પણ ઉપચારથી યોગ જ છે એવું માને છે. એટલે વ્યવહારનયે અપુનર્બન્ધક વગેરે બધા સ્થાનાદિયોગના સ્વામી છે, જ્યારે નિશ્ચયનયે તો ચારિત્રી જીવો જ એના સ્વામી છે, આ પ્રમાણે વિવેક વિશેષતા જાણવી. વિવેચન - (૧) વીનમાā – અપુનર્બન્ધકાદિના સ્થાનાદિને યોગબીજ તરીકે તો નિશ્ચયનય પણ સ્વીકારે છે. એટલે વ્યવહાર પણ જો એને યોગબીજમાત્રરૂપે જ માને તો એની માન્યતામાં કશો ભેદ ન રહે. તેથી માન્યતાભેદ માટે અહીં વીનમાá= ચોવીઝમાત્રમપિયો આવો પાઠ હોવો ઉચિત લાગે છે જેથી “બીજમાત્રને યોગના બીજમાત્રને પણ યોગ તરીકે કેચિવ્યવહારનયવાદીઓ સ્વીકારે છે” આવો માન્યતાભેટવાળો યોગ્ય અર્થ મળે. (૨) મોક્ષારનીમૂત... ગ્રન્થકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજે જ્ઞાનના વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતું અને તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. એમાંથી પદાર્થના રૂપ રસ વગેરે વિષયનો જ જેમાં પ્રતિભાસ થાય પણ હેયવાદિન અપુનર્બન્ધકાદિને યોગબીજો (81) Page #99 -------------------------------------------------------------------------- ________________ ભાસે એ વિષય પ્રતિભાસજ્ઞાન છે. આમિથ્યાદષ્ટિજીવોને હોય છે. ઉપસ્થિત પદાર્થના હેયત્વાદિ પણ ભાસે ખરા. છતાં, એ મુજબના ત્યાગ વગેરે ન થાય એ આત્મપરિણતિમતુ જ્ઞાન છે. આ અવિરત સમ્યગ્દષ્ટિજીવોને હોય છે. જ્યારે હયત્વેન બોધ થાય ને એનો ત્યાગ પણ થાય... આવો બોધ તત્ત્વસંવેદન કહેવાય છે. એ ચારિત્રીજીવોને હોય છે. આશય એ છે કે વિષય-કષાયાદિ અંગે આ વજર્ય છે એવું સંવેદન એ વર્ધતા પરિણામ છે. એનું હું આ વિષયાદિ વજું એવું સંવેદન એ વર્જના પરિણામ છે. વર્ષના પરિણામ એ તત્ત્વસંવેદન છે. ને આ પરિણામ જેને છે એ વિષયાદિને વર્જવાનો જ છે. આ વર્જવાની ક્રિયા એ ચારિત્ર છે. માટે આ પરિણામ ચારિત્રીને જ હોય છે. વર્ષના પરિણામ ન હોય, પણ માત્ર વર્ધતા પરિણામ હોય એ આત્મપરિણતિમતું જ્ઞાન છે. અને વર્યતાપરિણામ પણ ન હોય એવો બોધ એ વિષયપ્રતિભાસરાન છે. સમ્યન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમાર્ગ અર્થાત્ (દર્શન-) જ્ઞાન અને ચારિત્ર સમુદિત હોય તો મોક્ષમાર્ગ રૂપ છે, મોક્ષના કારણભૂત છે.... વળી ચારિત્રની હાજરીમાં જે જ્ઞાન હોય તે ઉપર જણાવ્યા મુજબ તત્ત્વસંવેદન છે. માટે અહીં મોક્ષના કારણ તરીકે ચારિત્ર અને તત્ત્વસંવેદનકહ્યા છે. વળી, ચારિત્રએ મોક્ષનું અનંતર કારણ હોવાથી જ્ઞાન કરતાં અભ્યહિંત છે. તેથી અહીં ‘તત્ત્વસંવેદનચારિત્ર' એમ દ્વન્દ્રસમાસનો ઉલ્લેખ ન કરતાં ચારિત્રતત્ત્વસંવેદન’ એમ ઉલ્લેખ છે. ચારિત્રીના સ્થાનાદિ જ મોક્ષકારણભૂત ચારિત્ર-તત્ત્વસંવેદનમાં અન્તભૂત થાય છે, અપુનર્બન્ધ-કાદિને તો ચારિત્રકે તત્ત્વસંવેદન એ બેમાંથી એકેય સંભવિત ન હોવાથી એનો ધર્મવ્યાપાર (એના સ્થાનાદિ, ચારિત્ર-તત્ત્વસંવેદનસ્વરૂપબનતા નથી. અર્થાત્ આ બેમાં અન્તભૂત થતા નથી. માટે ચારિત્રીના સ્થાનાદિ જ યોગ” છે, અન્યના નહીં, એમ નિશ્ચયનય કહે છે. અપુનર્બન્ધક તથા અવિરત સમ્યત્વીના સ્થાનાદિ આ ચારિત્ર-તત્ત્વસંવેદનના બીજરૂપ હોવાથી યોગબીજ છે, એમ નિશ્ચયનય કહે છે. વ્યવહારનય તો આ યોગબીજને પણ ઉપચારથી યોગ રૂપે સ્વીકારે છે. માટે એના મતે અપુનર્બન્ધક વગેરે બધા યોગના સ્વામી છે. तदिदमुक्तं - अपुनर्बन्धकस्यायं व्यवहारेण तात्त्विकः । अध्यात्मभावनारूपो निश्चयेनोत्तरस्य तु ॥ योगबिन्दु - ३६९ ॥ अपुनर्बन्धकस्य उपलक्षणात्सम्यग्दृष्टेश्च व्यवहारेण कारणे कार्यत्वोपचारेण तात्त्विकः, कारणस्यापि कथञ्चित्कार्यत्वात्। निश्चयेन उपचारपरिहारेण उत्तरस्य तु= યોગવિંશિકા.૩) Page #100 -------------------------------------------------------------------------- ________________ चारित्रिण एव । सकृद्बन्धकादीनां तु स्थानादिकमशुद्धपरिणामत्वाद् निश्चयतो व्यवहारतश्च ન યોગઃ, વિન્ટુ યોમાસ કૃત્યવધેયમ્। 3A सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः । प्रत्यपायफल' प्रायस्तथा वेषादिमात्रतः ॥ योगबिन्दु ३७० ॥ सकृद्= एकवार - मावर्तन्ते=उत्कृष्टां स्थितिं बध्नन्ति ये ते सकृद्बन्धकाः, आदिशब्दाद् द्विरावर्तनादिग्रहः, अतात्त्विकः=व्यवहारतो निश्चयतश्चातत्त्वरूपः ॥ ३ ॥ વૃત્તિઅર્થ : નિશ્ચય-વ્યવહારમાન્ય તે આ વાત યોગબિન્દુમાં આ પ્રમાણે કહી છે – યોગબિન્દુના એ ૩૬ ૯મા શ્લોકનો અર્થ - અપુનર્બન્ધકને આ અધ્યાત્મ ને ભાવનારૂપયોગ વ્યવહારથી તાત્ત્વિક હોય છે. નિશ્ચયનયે (આ અધ્યાત્મ ને ભાવનાયોગ) ઉત્તરના જીવોને = ઉપરના ગુણઠાણે રહેલાને = ચારિત્રીને તાત્ત્વિક હોય છે. ( આ શ્લોકગત કેટલાક વિશેષ શબ્દોના અર્થઃ) અપુનર્બન્ધકના ઉપલક્ષણથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો લેવાના છે. તેઓને પણ વ્યવહારથી તાત્ત્વિક યોગ હોય છે. આમાં કારણમાં કાર્યત્વનો ઉપચાર એ વ્યવહાર જાણવો. કારણ પણ ચિત્ કાર્યસ્વરૂપ હોવાથી આ યોગ તાત્ત્વિક છે. ઉપચારનો પરિહાર એ નિશ્ચય છે. એને આશ્રીને ઉત્તરગુણસ્થાનવર્તી ચારિત્રીને જ તાત્ત્વિક યોગ છે. ( યોગબિન્દુનો શ્લોકાર્થ પૂરો). સમૃદ્ધન્ધક વગેરે જીવોના સ્થાનાદિ, તેઓના પરિણામ અશુદ્ધ હોવાથી, નિશ્ચયથી કે વ્યવહારથી (કોઇ પણ રીતે) ‘યોગ’ રૂપ નથી. પણ યોગાભાસ છે, એ જાણવું. આ વાત, યોગબિન્દુમાં આ રીતે કહી જ છે - (યોગબિન્દુના ૩૭૦ મા શ્લોકનો અર્થ-) સફ઼ઠાવર્તનાદિ જીવોમાં માત્ર વેષાદિ હોવાથી (-બાહ્ય પ્રવૃત્તિદેખાવ) હોવાથી તેઓના સ્થાનાદિ અતાત્ત્વિક કહેવાયા છે ને પ્રાયઃ પ્રત્યપાયફલક હોય છે. (યોગબિન્દુના આ શ્લોકના કેટલાક શબ્દોના વિશેષાર્થઃ) સમૃદ્ = એકવાર જેઓ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે તે સમૃદ્ભવર્તન = સમૃદ્બન્ધક જીવો. અહીં આદિ શબ્દથી દ્વિરાવર્તન વગેરે જીવો લેવાના છે. (જેઓ ભવિષ્યમા હવે માત્ર બે જ વાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે તે દ્વિરાવર્તન = દ્વિર્બન્ધજીવો. એ જ રીતે ત્રિરાવર્તન વગેરે જીવો જાણવા.) આ બધા જીવોના સ્થાનાદિ વ્યવહારથી અને નિશ્ચયથી બન્ને રીતે અતાત્ત્વિક હોય છે. વિવેચન - (૧) જારળસ્થાપિ - અપુનર્બન્ધકાદિના સ્થાનાદિ, યોગના 83 સફ઼બંધકાદિને યોગાભાસ Page #101 -------------------------------------------------------------------------- ________________ કારણભૂત છે, માટે કાર્યભૂત યોગનો એમાં ઉપચાર કરીને જો એને ‘યોગ’ કહેવાય છે, તો પછી એ ‘તાત્ત્વિક યોગ શી રીતે કહેવાય? આવી સંભવિત શંકાને નિર્મળ કરવા માટે કારણ પણ કથંચિત્ કાર્યરૂપ હોય છે એ વાત હેતુ તરીકે જણાવી છે. ઉપાદાન કારણને કથંચિત્ કાર્યરૂપે કહેવામાં કશો વાંધો હોતો નથી. તંતુથંચિત્ “પટ' રૂપ છે જ, મૃપિંડ કથંચિત્ ઘટ’ રૂપ છે જ, કારણ કે તંતુ અને મૃપિંડ જ પટ-અને ઘટ રૂપે પરિણમતા હોય છે. તંતુને “પટ' રૂપે કહેવા એ કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી ઉપચરિત હોવા છતાં, દ્રવ્યાર્થિકનયે તો એ વસ્તુતઃ “પટ” છે જ. માટે એ નયે એ ‘તાત્ત્વિક પટ પણ છે જ. આ જ રીતે પ્રસ્તુતમાં જાણવું. પણ સટ્ટર્બન્ધકાદિના સ્થાનાદિ આવા પણ હોતા નથી, કારણકે વેષ, ચેષ્ટા, ભાષા વગેરે હોવા છતાં કંઇક શ્રદ્ધાળુતા વગેરે ભાવલેશ પણ ન હોવાના કારણે યોગમાં પરિણમતા નથી. માટે, સ્થાનાદિનો બાહ્ય દેખાવ હોવા માત્રના કારણે અશુદ્ધ વ્યવહારથી ઉપચાર કરી એને કોઈ યોગ” રૂપે કહે તો પણ એ અતાત્ત્વિક છે. એ યોગાભાસ છે. અર્થાત્ માત્ર યોગનો આભાસ = દેખાવ છે, વાસ્તવિક યોગત્વકે યોગકારણત્વ.. કશું નથી. આવા અતાત્ત્વિક યોગથી અપુનર્બન્ધકાદિના યોગને જુદા પાડવા અહીં ‘તાત્ત્વિક' એમ કહ્યું છે. (૨) પ્રત્યાયત્તપ્રાયમ્ - ક્યારેક સકૃબંધકાદિનો ધર્મવ્યાપાર એમના કુગ્રહનો નાશક બની શકે છે, ને તેથી એ વખતે પ્રત્યપાયફલક બનતો નથી, માટે એનો વ્યવચ્છેદ કરવા અહીં પ્રાયઃ શબ્દ લીધો છે. આમ, પાંચમા વગેરે ગુણઠાણાને નહીં પામેલા શ્રાવકાદિ પણ જો અપુનર્બન્ધકાદિ અવસ્થા પામેલા હોય તો એમના સ્થાનાદિ યોગનું કારણ બનતા હોવાના કારણે નિષ્ફળ નથી, એ રહસ્ય જાણવું . ૩ तदेवं स्थानादियोगस्वामित्वं विवेचितम्, अर्थतेष्वेव प्रतिभेदानाह इक्किको य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो। इच्छा-पवित्ति-थिर-सिद्धिभेयओ समयनीईए॥४॥ इक्किक्को यत्ति। अत्र स्थानादौ पुनः=कर्म-ज्ञानवि(द्वि)भेदाभिधानापेक्षया भूयः एकैकश्चतुर्धा, तत्त्वतः सामान्येन दृष्टावपि परमार्थतः समयनीत्या योगशास्त्रप्रतिपादित (84) 84 યોગવિંશિકા... ૩) Page #102 -------------------------------------------------------------------------- ________________ परिपाट्या इच्छा-प्रवृत्ति-स्थिर-सिद्धिभेदतः = इच्छा-प्रवृत्ति-स्थिर-सिद्धिभेदानाश्रित्य मुणेयव्वोत्ति ज्ञातव्यः॥ ४॥ અવતરણિકાથે આ પ્રમાણે સ્થાનાદિયોગના સ્વામી કોણ હોય એનું વિવેચન ક્યું. હવે એ સ્થાનાઠિયોગના જ પેટાભેદો ગ્રન્થકાર જણાવે છે ગાથાર્થ વળી સ્થાનાદિમાં તે પ્રત્યેક્યોગ શાસ્ત્રીયમર્યાદા મુજબ તત્ત્વતઃ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિભેદે ચાર ચાર પ્રકારનો જાણવો. વૃત્તિઅર્થ સ્થાનાદિ અંગે પહેલાં કર્મયોગ અને જ્ઞાનયોગ એમ બે ભેદ કહ્યા હતા. એની અપેક્ષાએ આ વળી અન્ય રીતે તે સ્થાનાદિ દરેક યોગ ચાર - ચાર પ્રકારે છે. સામાન્યદષ્ટિએ સ્થાનયોગ તરીકે સ્થાનયોગ એક જ પ્રકારનો હોવા છતાં સમયની નીતિથી = સિદ્ધાન્તની નીતિથી યોગશાસ્ત્રમાં કહેલી મર્યાદાને અનુસરીને, પરમાર્થથી સ્થાનાદિ દરેક યોગ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ નામના ભેદોની અપેક્ષાએ ચાર-ચાર પ્રકારનો જાણવો. વિવેચનઃ આવરણકર્મના ક્ષયોપશમના અસંખ્યભેદો હોવાથી સ્થાનાદિ દરેક યોગના અસંખ્ય-અસંખ્ય ભેદો થઈ શકે છે. પણ યોગગ્રન્થોમાં સ્પષ્ટ તફાવતને નજરમાં રાખીને આ અસંખ્યભેદોનું ઇચ્છા વગેરે કુલ ચાર ભેદોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એને અનુસરીને અહીં પણ એનાચારભેદ જાણવા. પ્રારંભિક ક્ષયોપશમમાં સ્થાનાદિનો ઇચ્છાભેદ હોય છે. ને પછી ક્ષયોપશમ વધતાં વધતાં કમશઃ પ્રવૃત્તિ વગેરે ભેદો આવે છે, યાવત્ છેલ્લે સિદ્ધિ ભેદ આવે છે. तानेव भेदान् विवरीषुराह तज्जुत्तकहापीईइ संगया विपरिणामिणी इच्छा। सव्वत्थुवसमसारं तप्पालणमो पवत्ती उ॥५॥ तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धित्ति ॥६॥ અવતરણિકાથઃ ઇચ્છા વગેરે તે ભેદોનું વિવરણ કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર કહે છે – યોગના ઇચ્છાદિભેદો) (85) Page #103 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ તે = સ્થાનાદિયોગથી યુક્ત યોગીઓની કથામાં અનુભવાતી પ્રીતિથી જે યુક્ત હોય એવી અને વિશેષ પરિણામ ઊભો કરે એવી અવસ્થા એ યોગનો ઈચ્છાભેદ છે. સર્વત્ર ઉપશમપ્રધાન એવું સ્થાનાદિયોગનું પાલન થાય એ સ્થાનાદિયોગનો બીજો પ્રવૃત્તિભેદ છે. તથા સ્થાનાદિયોગના બાધક વિઘ્નોની ચિંતા રહિત એવું સ્થાનાદિયોગનું પાલન એ ત્રીજો સ્થિરભેદ જાણવો. પોતાને જે સ્થાનાદિ પ્રાપ્ત થયા છે તે સર્વ અન્યને પણ પ્રાપ્ત થાય આવી પરસાધક અવસ્થા સુધી પહોંચેલા સ્થાનાદિ એ સિદ્ધિ નામે ચોથો ભેદ છે. तजुत्तकहा इत्यादि । तद्युक्तानां स्थानादियोगयुक्तानां कथायां प्रीत्या अर्थबुभुत्सयाऽर्थबोधेन वा जनितो यो हर्षस्तल्लक्षणया। संगता = सहिता विपरिणामिनी विधिकर्तृबहुमानादिगर्भ स्वोल्लासमात्राद्यत्किञ्चिदभ्यासादिरूपं विचित्रं परिणाममादधाना इच्छा भवति, द्रव्यक्षेत्राद्यसामग्र्येणाङ्गसाकल्याभावेऽपि यथाविहितस्थानादियोगेच्छया यथाशक्ति क्रियमाणं स्थानादि इच्छारूपमित्यर्थः। વૃત્તિઅર્થ સ્થાનાદિ યોગને પામેલા યોગીઓની કથા સાંભળવામાં જે પ્રીતિવાળી હોય તથા, વિધિનું પાલન કરનારા પ્રત્યે બહુમાનાદિ ગર્ભિત પરિણામને તથા પોતાના ઉલ્લાસ પ્રમાણે થોડોઘણો પણ અભ્યાસ (પ્રયત્ન) કરાવે એવા વિચિત્ર પરિણામને જે ધારણ કરનારી હોય આવી વિપરિણામિની ઇચ્છા એ ઈચ્છાયોગ છે. (અહીં) અર્થને જાણવાની ઇચ્છાથી કે અર્થનો બોધ થવાથી યોગીની કથામાં જે હર્ષ અનુભવાય એ કથા અંગેની પ્રીતિ છે. દ્રવ્ય-ક્ષેત્ર વગેરે સામગ્રીની અપરિપૂર્ણતાના કારણે બધા કારણોના સમુદાયનો અભાવ હોવા છતાં પણ, જે પ્રમાણે સ્થાનાદિવિહિત હોય એ પ્રમાણે સ્થાનાદિયોગ સેવવાની ઇચ્છાપૂર્વક યથાશક્તિ જે સ્થાનાદિ યોગનું પાલન થાય તે સ્થાનાદિયોગનો ‘ઇચ્છા' ભેદ છે એમ અર્થ જાણવો. વિવેચનઃ (૧) પ્રીત્યા - માનવમનની એક ખાસિયત છે. જે ક્ષેત્રમાં આગળ વધેલી હસ્તીઓની વાતો-ચર્ચા વગેરે રસપૂર્વક-આનંદપૂર્વક સાંભળવામાં-કરવામાં આવે એ ક્ષેત્રમાં જોડાવાની પોતાને પણ ઇચ્છા થાય. રાજનેતાઓની વાતો સહજ રાજકારણનું આકર્ષણ જગાડે...વેપારીઓની-ઉદ્યોગપતિઓની વાતો વેપારનો રસ પેદા કરે. ક્રિકેટરોની બોલબાલા ક્રિકેટર બનવાની ઇચ્છા જગાડે. એટલે જ ઠાણાંગજીમાં ભક્તકથાને ભોજનેચ્છાનું એક કારણ કહ્યું છે. આ જ કારણ છે કે પોતાને ધર્મમાર્ગે 8િ6] યોગવિંશિકા... ૫-૬) Page #104 -------------------------------------------------------------------------- ________________ નવા નવા પરાક્રમ કરવાની ઇચ્છા જાગ્યા કરે ને પછી એનો પ્રયાસ પણ થાય) એ માટે શ્રાવકની ભાવના હોય છે કે – વશ્વિનિવિધિમારૂ વોલંતુ મે વિરહ.. ર૪ શ્રી જિનેશ્વરોના મુખકમલમાંથી નીકળેલી પૂર્વના આત્મ-પરાક્રમી મહાપુરુષોની કથાઓમાં મારા દિવસો પસાર થાઓ... આ જ હકીકત પ્રસ્તુતમાં પણ ભાગ ભજવે છે. સ્થાનાદિયોગમાં પ્રવેશ માટે સૌ પ્રથમ એની ઈચ્છા જોઇએ. એ ઇચ્છા સ્થાનાદિયોગવાળા યોગીઓની કથામાં આકર્ષણ અનુભવવા દ્વારા જાગે છે. એકવાર આ ઇચ્છા જાગે એટલે હવે તે તેયોગ વગેરે સાધવાનો શું વિધિ છે? પૂર્વના યોગીઓએ કઈ રીતે યોગસાધ્યોને સફળતા મેળવી? વગેરેની જિજ્ઞાસા પેદા થાય જ. યોગીઓની કથાઓમાંથી આ વિધિ, યોગમાર્ગમાં કેવા કેવા વિબો સંભવે? એ વિદ્ગો પર વિજય કેવી રીતે મેળવી શકાય ? આ બધો યોગ અંગેનો અર્થ જાણવા મળતો હોય છે. એટલે આ અર્થનો બોધ મેળવવાની ઇચ્છાવાળાને એ ઇચ્છા સંતોષાવાની કલ્પનાથી યોગી કથામાં આનંદ આવે જ. એમ એ અર્થનો બોધ મળવાથી પણ આનંદ ઉભરાય જ. આમ કથાશ્રવણની પૂર્વ અને ઉત્તર બન્ને કાળમાં આનંદનો અનુભવ હોય. એટલે આવા આનંદરૂપ પ્રીતિ યોગીની કથામાં જો ન આવે, (ગોચરીમાં નિર્દોષતાની ઝીણી ઝીણી કાળજીઓ વગેરે વાતો જાણીને હર્ષ થવાના બદલે જો વેદિયાપણું લાગે) તો સમજવું કે તે તે યોગમાર્ગમાં હજુ પ્રવેશ થયો નથી, કારણકે હજુ એની નિરુપાધિક વાસ્તવિક ઇચ્છા જ જાગી નથી, અને આવી ઇચ્છા જ તો યોગની પ્રારંભિક અવસ્થા (૨) વિપરિણામની = વિચિત્ર પરિણામને પેદા કરનારી. આ વિચિત્ર પરિણામમાં બે અંશ રહેલા છે. તે તે અનુષ્ઠાનની બધી વિધિ જાળવનાર પ્રત્યે સહજ બહુમાન-આદર વગેરે ભાવ જાગે. તથા પોતાના ઉલ્લાસને અનુસરીને સ્થાનાદિનો થોડો ઘણો પણ અભ્યાસ પ્રયત્ન કરાવે. આમાં વિધિકર્તૃબહુમાનાદિમાં આદિ શબ્દથી, ભક્તિ વૈયાવચ્ચ વગેરે લેવા. (૩) વ્યક્ષેત્રાતિ - શાસ્ત્રમાં જે પ્રમાણે વિધાન હોય એ પ્રમાણે સ્થાનાદિ યોગ સેવવા માટે આવશ્યક પ્રથમસંઘયણ વગેરે રૂપ યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની પ્રાપ્તિ થઈનહોવાના કારણે કારણોની વિકલતા હોવા છતાં શાસ્ત્રીયવિધાન મુજબ સ્થાનાદિયોગ સેવવાની ઇચ્છા બની રહે અને એવી ઇચ્છાપૂર્વક યથાશક્તિ સ્થાનાદિનું સેવન (ઇચ્છાયોગ (87) 87 Page #105 -------------------------------------------------------------------------- ________________ કરે તો એ સ્થાનાદિયોગ ઇચ્છા કક્ષાનો જાણવો. વૃત્તિમાં વોટ્ટાયમાત્રવુિં વગેરે જે નિરૂપણ છે એ ઇચ્છાયોગના પ્રારંભનું છે. એ વખતેયથાવિહિત સંપૂર્ણ વિધિપાલનનો પરિણામ નથી. પણ યત્કિંચિત્ પાલનનો ઉલ્લાસ પ્રગટ્યો છે. ને વૃત્તિમાં દ્રવ્યક્ષેત્રદ્ય... વગેરે જે નિરૂપણ છે એ ઇચ્છાયોગના પ્રકર્ષનું છે, એ વખતે ઇચ્છા સંપૂર્ણ વિધિની છે, પણ પાલન યથાશક્તિ છે. પ્રીતિપૂર્વક યોગીઓની કથાના શ્રવણથી સ્થાનાદિયોગની ઇચ્છા પ્રગટ થાય છે. આ પ્રારંભ છે. પરંતુ યોગ’ ધર્મવ્યાપારને કહેવાનો છે, માત્ર ઇચ્છાને નહીં. એટલે જ્યાં સુધી થોડી પણ પ્રવૃત્તિન થાય ત્યાં સુધીની ઇચ્છા એ માત્ર ઇચ્છા રૂપ બની રહે છે, યોગ નથી કહેવાતી. પણ આ ઇચ્છાના પ્રભાવે પછી થોડો ઘણો પણ પ્રયાસ શરૂ થાય છે. ત્યારથી ઇચ્છાયોગનો પ્રારંભ જાણવો. પ્રારંભે એ યથાશક્તિ પણ હોતો નથી, પણ, યથાઉલ્લાસ હોય છે, (અર્થાત્ જેટલી શક્તિ પહોંચે એટલું - શક્તિ ગોપવ્યા વિના-બધું કરે એવું નથી. પણ જેટલો પોતાનો ઉલ્લાસ પહોંચે એટલું કરે છે.) આ પ્રારંભિક ઇચ્છાયોગમાં પણ પ્રણિધાન તો ભળેલું જ હોય છે. એના iણે આ પ્રારંભિક પ્રયાસથી પણ જે થોડોઘણો ક્ષયોપશમ થાય છે તે સાનુબંધ હોવાથી ઉત્તરોત્તર વધતો જાય છે. વળી વિધિનું પાલન કરનાર પર જે બહુમાનાદિ હોય છે એના કારણે પણ ક્ષયોપશમ વધતો જતો હોય છે. આના પ્રભાવે ઉલ્લાસ વધતો જાય છે ને તેથી પ્રયત્ન પણ વધતો જાય છે. તે ત્યાં સુધી કે જ્યાં સુધીમાં યથાશક્તિ પાલન આવે. અહીં સુધીનોબધો સ્થાનાદિયોગઇચ્છાયોગ જાણવો. પણ હજુ કારણસામગ્રીની વિકલતા હોવાથી યથાવિહિત પાલન હોતું નથી. અહીં કારણસામગ્રીની જે વિકલતા કહી છે તે સંખ્યાની અપેક્ષાએ નહીં, પણ ગુણવત્તાની અપેક્ષાઓ જાણવી. અર્થાત્ જેટલાં કારણો જોઈએ એમાંના એકાદ-બે છે નહીં, ને તેથી વિકલતા છે આવું નથી, કારણકે તો તો યોગસેવન રૂપ કાર્ય જ ન થઈ શકે. પણ, કારણો તો બધા જ પ્રાપ્ત થયા છે, પણ તે હીનક્ષાના પ્રાપ્ત થયા છે, પર્યાપ્તકક્ષાના નહીં, ને તેથી યથાવિહિત પાલન ન થતાં કંઈક ન્યૂનકક્ષાનું એવું યથાશક્તિ પાલન થાય છે. (આમાં પણ પેલી મૂળ વાત તો જાણવી જ કે યથાઉલ્લાસ, યથાશક્તિ કે યથાવિહિત જે કાંઈ પાલન થાય એ બધું જ આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ વગેરેના સંકલ્પ રૂપ પ્રણિધાન વગેરેથી યુક્ત જ જોઈએ. તો જ એ ઇચ્છાયોગ વગેરરૂપ બને. પણ જો કોઈ ભૌતિકઅપેક્ષા, દેખાદેખી... વગેરે રહેલા હોય તો એ ઇચ્છાયોગ વગેરે યોગવિંશિકા..૫ 88. ...૫ – ૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ રૂપ બને નહીં.) प्रवृत्तिस्तु सर्वत्र = सर्वावस्थायां 'उपशमसारं = उपशमप्रधानं यथास्यात्तथा, तत्पालनं = यथाविहितस्थानादियोगपालनं ओत्ति प्राकृतत्वात् । वीर्यातिशयाद् यथाशास्त्रमङ्गसाकल्येन विधीयमानं स्थानादि प्रवृत्तिरूपमित्यर्थः ॥ ५ ॥ વૃત્તિઅર્થ : બધી અવસ્થાઓમાં, `ઉપરામની પ્રધાનતા જે રીતે જળવાઈ રહે એ રીતે, યથાવિહિત = શાસ્ત્રવિધાનનું ઉલ્લંઘન ન થાય એવું જે સ્થાનાઠિયોગનું પાલન એ પ્રવૃત્તિયોગ છે. ગાથામાં ‘મો’ જે છે તેનો શો અર્થનથી, માત્ર વાક્યાલંકાર માટે વપરાયો છે. પ્રાકૃતભાષા હોવાથી એવો પ્રયોગ થઈ શકે છે. ટૂંકમાં, વીર્યાતિશય હોવાથી ને અંગસાકલ્પ (કારણોની પરિપૂર્ણતા) હોવાથી શાસ્ત્રાનુસારીપણે સેવાતા સ્થાનાદિ એ પ્રવૃત્તિયોગ છે. આ પ્રમાણે અર્થ છે. વિવેચન : (૧) ઉપશમસાર... રાગ-દ્વેષની તીવ્રતા આચરણમાં પોતાની અસર બતાવ્યા વિના રહી શકે નહીં, ને તેથી યથાવિહિત પાલન ન થઈ શકે. તેથી, રાગ-દ્વેષની મંદતા કરવારૂપ ઉપશમની પ્રધાનતા આવે તો જ સ્થાનાદિ યોગનું યથાવિહિત સેવન થઇ શકે. એટલે ‘ઉપશમસારં’ એવું યોગપાલનનું વિશેષણ મૂક્યું છે. વળી, વીર્યનો અતિશય છે, એટલે પ્રમાદ પણ નથી. આમ રાગ-દ્વેષ કે પ્રમાદ... મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં વૈતથ્ય-અનૌચિત્ય લાવનારા આ ત્રણ પરિબળો હવે રહ્યા નથી. તથા પ્રથમ સંઘયણ વગેરે અંગસાકલ્ય હાજર છે. તેથી યથાવિહિત પાલન થાય છે. પહેલાં સ્થાનાદિ યોગની ઇચ્છા જાગે છે. એનાથી કંઇક પણ ક્ષયોપશમ થાય છે જે યથાઉલ્લાસ પ્રવૃત્તિ કરાવે છે. એટલે ઇચ્છાયોગમાં પણ, પ્રતિબન્ધક કર્મોનો ઉપરામ ( ક્ષયોપશમ) હોય તો છે જ. પણ એ એટલો પ્રબળ નથી હોતો કે જે યથાવિહિત પાલન કરાવે. માટે ત્યાં ઉપશમપ્રધાનતા નથી હોતી. છતાં આ ઇચ્છાયોગમાં પ્રણિધાન વગેરે આશયો યથાયોગ્ય માત્રામાં ભળેલા હોવાથી પુષ્ટિ અને શુદ્ધિ થાય છે. પુષ્ટિ = પુણ્યોપચય... એકાલાન્તરે વધુને વધુ સારી કારણસામગ્રી લાવી આપે છે. અનુષ્ઠાનમાં અતિચાર-મલિનતા લાવનાર છે રાગ-દ્વેષ અને વીર્યમંદતા... શુદ્ધિ દ્વારા ઉત્તરોત્તર આ રાગાદિ ઘસાતા જાય છે, ઉપશમ વધતો જાય છે. આમ પુષ્ટિ-શુદ્ધિના પ્રભાવે યથાવિહિત પાલનની ભૂમિકા ઊભી થાય છે. પ્રવૃત્તિયોગ 89 Page #107 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિર અને સિદ્ધિ આ ચારમાંનો ઇચ્છાયોગ અને ઇચ્છાશાસ્ત્ર અને સામર્થ્ય આ ત્રણમાંનો ઇચ્છાયોગ... આ બંને સર્વથા એક છે કે ક્યાંક ફેર પડે છે એ નિર્ણય કરવા યોગ્ય બાબત છે. પ્રસ્તુતમાં ચારમાંના ઇચ્છાયોગમાં, યથાશક્તિ કરાતું હોવા છતાં અંગવિકલતાવશાત્ અનુષ્ઠાનમાં ન્યૂનતા આવે, તો એનો પણ, સમાવેશ છે. જ્યારે ત્રણમાંના ઇચ્છાયોગમાં તો પ્રમાદવશાત્ જેમાં વિકલતા આવે એનો જ સમાવેશ છે. પ્રમાદને ટાળીને યથાશક્તિ કરાતું અનુષ્ઠાન તો શાસ્ત્રયોગ છે. એટલે પ્રારંભથી લઇને યથાશક્તિ નહીં, પણ યથાઉલ્લાસ થતું અનુષ્ઠાન બન્ને પ્રકારના ઇચ્છાયોગમાં સમાવેશ પામે છે... ને પછી આગળ વધતાં વધતાં, ઉલ્લાસ વધતો જાય, પ્રમાદ ટળતો જાય... યાવત્ સર્વ પ્રમાદ ટળી જ્યારે એ યથાશક્તિ થવા માંડ છે ત્યારે એ શાસ્ત્રયોગ સ્વરૂપ બનવાથી ત્રણમાંના ઇચ્છાયોગ રૂપ રહેતો નથી, પણ છતાં અંગવિકલતાવશાત્ વિકલતા હોય ત્યાં સુધી એ ચારમાંના ઇચ્છાયોગ રૂપ તો છે જ. છતાં, આમાં પણ આ વિશેષતા જાણવી કે ક્યારેક કે કેટલુંક અનુષ્ઠાન ઉલ્લાસ વધી જાય ને તેથી પ્રમાદ ટાળી યથાશક્તિ કરે, પણ બહુધા કે આખું મુખ્ય અનુષ્ઠાન પ્રમાદવશાત્ વિકલ કરતો હોય, તો ક્યારેક યથાશક્તિ કરેલું અનુષ્ઠાન.... અથવા અનુષ્ઠાનનો યથાશક્તિ કરેલો થોડો હિસ્સો પણ ઇચ્છાયોગ જ બની રહે છે, શાસ્ત્રયોગરૂપ બનતો નથી, માટે એ વખતે બન્ને પ્રકારના ઇચ્છાયોગ રૂપ એ બને છે. એમ જેને અંગસાકલ્ય પ્રાપ્ત થયું છે ને તેથી એ ક્વચિત્ શક્તિ ફોરવીને યથાવિહિત અનુષ્ઠાન કરે છે, છતાં ઘણી વખત તો ઉલ્લાસને અનુસરીને ઓછું-વધતું કરતો હોય, તો ક્વચિત્ કરેલું એ યથાવિહિત અનુષ્ઠાન પણ બન્ને પ્રકારના ઇચ્છાયોગમાં જ સમાવિષ્ટ જાણવું. કારણકે પ્રવૃત્તિયોગ માટે તો સર્વત્ર-સર્વ અવસ્થામાં તથા સંપૂર્ણ અનુષ્ઠાન દરમ્યાન બધું જ યથાવિહિત અનુષ્ઠાન જોઇએ છે, ક્વચિત્ (ઉલ્લાસવાળી) અવસ્થામાં કે દીર્ઘ અનુષ્ઠાનના માત્ર કોઇક અંશમાં જ નહીં. तह चेवत्ति । तथैव = प्रवृत्तिवदेव सर्वत्रोपशमसारं स्थानादिपालनमेतस्य पाल्यमानस्य स्थानादेर्बाधकचिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् । प्रवृत्तिस्थिरयोगयोरेतावान् विशेष: यदुत प्रवृत्तिरूपं स्थानादियोगविधानं 'सातिचारत्वाद् बाधकचिन्तासहितं भवति, स्थिररूपं त्वभ्याससौष्ठवेन 'निर्बाधकमेव जायमानं तज्जातीयत्वेन बाधकचिन्ता - प्रतिघाताच्छुद्धिविशेषेण तदनुत्थानाच्च तद्रहितमेव भवतीति । 90 = યોગવિંશિકા....૫-૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઅર્થ: પ્રવૃત્તિની જેમ જ સર્વત્ર ઉપશમપ્રધાન થતું સ્થાનાદિપાલન જો એ સ્થાનાદિના બાધકની ચિન્તાથી રહિતપણે થાય તો એ સ્થિરતાયોગ જાણવો. પ્રવૃત્તિયોગ અને સ્થિરયોગનો આ તફાવત છે. પ્રવૃત્તિરૂપ સ્થાનાદિયોગનું સેવન સાતિચાર હોવાથી બાધક ચિન્તાસહિત હોય છે, જ્યારે સ્થિરરૂપ સેવન અભ્યાસની પટુતાના પ્રભાવે નિબંધક જ ઉત્પન્ન થતું – તજાતીય હોવાથી–બાધક ચિન્તાનો પ્રતિઘાત થવાથી કે વિશેષ પ્રકારની શુદ્ધિવશાત્ બાધક ચિન્તાનું ઉત્થાન જ થતું ન હોવાથી - ચિન્તારહિત હોય છે. વિવેચનઃ (૧) નિર્વાધમેવ - જઘન્ય-મધ્યમને ઉત્કૃષ્ટ આ ત્રણ વિધ્યો એ જ અહીં બાધક તરીકે અભિપ્રેત છે. આગળ વિધ્વજય આશયમાં આપણે જોઈ ગયા કે અભ્યાસ વધતાં વધતાં એવી અવસ્થા આવે છે - ચિત્ત એવું કેળવાય છે કે – વિદનને ગણકારે જ નહીં, ને અનુષ્ઠાનને અખંડિત આચરે જ. અર્થાત્ પૂર્વે જે પરિસ્થિતિઓ વિનરૂપ બનતી હતી તે હવે વિનરૂપ બનતી નથી, એટલે કે એમાંથી વિદ્ધત્વ ચાલ્યું ગયું હોય છે. આવી રીતે વિપ્નને ગણકાર્યા વિના જે અનુષ્ઠાન થાય એને નિબંધક જ થઈ રહ્યું છે એમ કહેવાય છે. અહીં આવું તાત્પર્ય જાણવું. પ્રીતિપૂર્વક યોગીકથાશ્રવણથી પોતાને પણ યોગ સાધવાની ઇચ્છા પ્રગટ થાય છે, જે સબળ બનતાં પ્રણિધાન આશય કેળવાય છે. છતાં, જ્યાં સુધી ઓછી-વત્તી પણ ક્રિયા કરવામાં નથી આવતી ત્યાં સુધી યોગ’ નથી કહેવાતો. પછી જ્યારથી યથાઉલ્લાસ ક્રિયા શરુ થાય છે ત્યારથી ઇચ્છયોગ શરુ થાય છે. પણ પછી ઉત્તરોત્તર આ ક્રિયા કરતા રહેવાથી તથા પ્રણિધાનને દઢ કરતા રહેવાથી (વિપરિણામિની ઇચ્છાને પ્રબળકરતા રહેવાથી) જીવપ્રવૃત્તિઆશયકેળવવા તરફ તેમજ ઈચ્છાયોગમાંથી પ્રવૃત્તિયોગ તરફ આગળ વધતો રહે છે. એમ કરતાં કરતાં પ્રવૃત્તિઆશય કેળવાય ને તેથી યત્નાતિશય આવે... દરેક વખતે આ યત્નાતિશયથી પ્રમાદરહિતપણે યથાશક્તિ પ્રવૃત્ત થાય તો શાસ્ત્રયોગ આવે છે. પછી અંગસાકલ્ય ભળતાં (યનાતિશય વીર્યાતિશય તો ભળેલો જ છે) એ સર્વત્ર યથાવિહિત થવા માંડે એટલે પ્રવૃત્તિયોગ આવે છે. પણ હજુ વિદનજય આશય કેળવાયેલો નથી. એટલે વિઘ્ન ઉપસ્થિત થવા પર યથાવિહિતપણામાં કંઈક ગરબડ થવાની શક્યતા રહે છે. માટે પ્રવૃત્તિયોગ સાતિચાર કહેવાય છે. છતાં, નિર્વિઘ્નદશામાં સ્થિરયોગ) Page #109 -------------------------------------------------------------------------- ________________ યથાવિહિત પાલન કરે છે. નાના-નાના વિનોને સત્ત્વથી જીતવા પ્રયત્નશીલ બને છે, ને એ રીતે એવે વખતે પણ ક્યારેક યથાવિહિત પાલન કરે છે. ક્યારેક પાછો અતિચારલાગી જાય છે. છતાં આમ પ્રવૃત્તિ ચાલુ રહેવાથી ક્રમશઃ વિજ્ઞજ્ય આશય કેળવાતો જાય છે. પછી નાનામાંથી મોટા વિપ્ન આવે તો પણ યથાવિહિત પાલન કરી શકે છે. એટલે વિધ્વજય આશય કેળવાયો કહેવાય. તેથી હવે વિઘ્નો બાધક બની શક્તા નથી. તેથી અનુષ્ઠાન નિબંધક થાય છે. અર્થાત્ હવે સ્થિસ્યોગ આવ્યો. આમતો પુણ્યોદયવધવાથી વિપ્ન આવે જ નહીં એવું પણ બને છે. છતાં, પૂર્વકર્મવશાતું વિદન આવે તો, અત્યારસુધી સ્થિરયોગ આવ્યો ન હતો ત્યાં સુધી વિબો જે બાધક રૂપ થતા હતા... એના કારણે હજુ પણ ( સ્થિરયોગની પ્રારંભિક અવસ્થામાં પણ) વિMઉપસ્થિત થવા પર એ વિન” રૂપે ભાસે છે ને તેથી ક્યાંક એ બાધાન પહોંચાડી દે.... એવી ચિન્તા ઊભી થાય છે... પણ સત્ત્વના-વિધ્વજયઆશયના પ્રભાવે એ ચિન્તાને દૂર કરી અનુષ્ઠાન તો યથાવિહિત જ કરે છે. અર્થાત્ સાધક બાધકચિન્તાનો પ્રતિઘાત કરે છે ને તેથી અનુષ્ઠાન નિબંધક થાય છે. આ રીતે અભ્યાસ આગળ ચાલુ રહેતાં, ‘અનેક વિઘ્ન આવ્યા, પણ કશું કરી ન શક્યા...’ આવો જાત અનુભવ થતાં, હવે ( સ્થિરયોગની અભ્યસ્તદશામાં-ઉત્તરાવસ્થામાં) વિદન ઉપસ્થિત થવા પર પણ એને ‘વિન રૂપે જોવાનું જ થતું નથી. ને તેથી એની કોઈ જ ચિન્તા પણ પેદા થતી નથી, આ કહેવાય - ‘શુદ્ધિવિશેષથી બાધક ચિન્તાનું અનુત્થાન...” અને તેથી અનુષ્ઠાન ચિન્તારહિત પણે નિબંધક થાય છે. આમ, પહેલાં બાધક ચિન્તાના પ્રતિઘાતથીને પછી ચિન્તાના જ અનુત્યાનથી... આમ બન્ને રીતે નિબંધકપણે થતું અનુષ્ઠાન એ સ્થિરયોગ કહેવાય છે. આ સ્થિરયોગમાં થતું અનુષ્ઠાન અને નિર્વિન અવસ્થામાં યથાવિહિત થતું પ્રવૃત્તિયોગનું અનુષ્ઠાન આ બન્ને દેખાવે સરખા હોય છે. બે કાષ્ટસ્તંભ છે. એકને જમીનમાં ખાડો કરી ફીટ કરેલો છે. બીજાને માત્ર સામાન્ય આધાર આપી-બેલેન્સ કરી-ઊભો રાખ્યો છે. જ્યાં સુધી પવનનો ઝપાટો કે એવું અન્ય કશું અડ્યું નથી, ત્યાં સુધી બન્ને એક સરખા સીધા ઊભેલા જણાશે... છતાં, જેને સ્થિર કરવામાં નથી આવ્યો એના માટે, એને કશું અડી ન જાય ને એ પડી ન જાય એની ચિન્તા રહ્યા કરશે એવી પરિસ્થિતિ ટાળવી ઇષ્ટ રહેશે. સ્થિરસ્થંભમાટે એવી કશી આવશ્યકતા નથી. બસ આવો જ તફાવત પ્રવૃત્તિયોગને સ્થિરયોગ વચ્ચે જાણવો. (92) યોગવિંશિકા....પ-૬] Page #110 -------------------------------------------------------------------------- ________________ (૨) સતિવારત્વય્િ - પ્રવૃત્તિ યોગમાં પણ યથાવિહિત પાલન હોવાથી અતિચાર હોતા નથી. છતાં, એને અહીં સાતિચાર જે કહ્યો છે એનું રહસ્ય એ છે કે જેમ વિવક્ષિત કાળે, કર્મઉદયમાં આવીને અપાયરૂપ બન્યું ન હોવા છતાં, ભવિષ્યમાં અપાયરૂપ બને એવું સત્તામાં હોવાથી, વિવક્ષિતકાળે વાસ્તવિક અપાય વિનાના પણ યોગને ગ્રન્થકાર સાપાયે કહેવાના છે, એમ પ્રસ્તુતમાં, વિનોપસ્થિતિકાળે અતિચાર લાગવાની વર્તમાનમાં ભૂમિકા છે, માટે એને ‘સાતિચાર કહ્યો છે. વિધ્વજય આશય કેળવાયો ન હોવાથી વિપ્નની અનુપસ્થિતિમાં પણ ચિન્તા રહ્યા કરે છે. ગોચરી નિર્દોષ વાપરવાની ઇચ્છા છે. પણ માંદો પડીશ તો? આ ચિન્તા રહ્યા કરે છે, ને એ ચિન્તા, માંદો પડીશ તો કંઇક દોષ સેવી લઇશું... એવી અવ્યક્તપણે પણ... ઊંડે ઊંડે અપેક્ષા ઊભી રખાવે છે, માટે પણ એ સાતિચાર કહેવાય છે. સ્થિરયોગવાળા તો વસ્તુતઃ માંદગી આવી જાય તો પણ સત્ત્વથી યથાવિહિત પાલન જ કરે છે, દોષસેવનની ઊંડે ઊંડે પણ કલ્પના હોતી નથી. માટે નિરતિચાર છે. કોષ્ટબુદ્ધિવાળાને જેમ પુનરાવર્તન ન કરે તો પણ યાદ જ રહે. એમ એવો ક્ષયોપશમ સ્થિરયોગમાં પ્રગટ્યો હોય છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ યથાવિહિત પાલન જ થાય. सर्व-स्थानादि 'स्वस्मिन्नुपशमविशेषादिफलं जनयदेव परार्थसाधकं स्वसन्निहितानां स्थानादियोगशुद्ध्यभाववतामपि तत्सिद्धिविधानद्वारा परगतस्वसदृशफलसंपादक पुनः सिद्धिर्भवति। अत एव सिद्धाहिंसानां समीपे हिंसाशीला अपि हिंसां कर्तुं नालम्। सिद्धसत्यानाञ्च समीपेऽसत्यप्रिया अप्यसत्यमभिधातुं नालम् । एवं सर्वत्रापि ज्ञेयम् । इतिः इच्छादिभेदपरिसमाप्तिसूचकः । अत्रायं मत्कृतः सङ्ग्रहश्लोकः इच्छा तद्वत्कथाप्रीतिः पालनं शमसंयुतम्।। पालनं (प्रवृत्तिः) दोषभीहानिः स्थैर्य सिद्धिः परार्थता ।। इति ॥ ६॥ વૃત્તિઅર્થ સ્થાન-ઊર્ણ વગેરે પોતાનામાં વિશેષ પ્રકારના ઉપશમ વગેરે ફળને ઉત્પન્ન કરે અને એની સાથે જ, જેઓસ્થાનાદિયોગશુદ્ધિથી શૂન્ય છે એવા પણ સ્વસંનિહિતજીવોમાં તે સ્થાનાદિની સિદ્ધિ કરવા દ્વારા પરગત સ્વસદશફળસંપાદક બને (અને એ રીતે પરાર્થસાધક બને) આ કક્ષાએ પહોંચેલું સ્થાનાદિનું સેવન એ સિદ્ધિયોગ છે. એટલે જ જેઓએ અહિંસાને સિદ્ધ કરી છે એવા યોગીઓની સમીપે હિંસાશીલ પ્રાણીઓ પણ હિંસા કરવા માટે સમર્થ રહેતા નથી. એમ જેમણે સત્ય [સિદ્ધિયોગ) (93) Page #111 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કર્યું છે તેઓના સાન્નિધ્યમાં અસત્યપ્રિય જીવો અસત્ય બોલી શક્તા નથી. આ જ પ્રમાણે બધા ધર્મસ્થાનો અંગે જાણવું. ગાથામાં ‘ઇતિ’ શબ્દ જે રહેલો છે તે ઇચ્છા વગેરે ચાર ભેદનું નિરૂપણ પૂર્ણ થયું એમ પરિસમાપ્તિ જણાવનાર છે. આ અંગે મારો (વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજનો) બનાવેલો આવો શ્લોક છે - (શ્લોકાર્થ :) તે સ્થાનાદિયોગવાળા યોગીઓની સ્થામાં પ્રીતિ એ ઈચ્છા છે, ઉપશમયુક્ત પાલન એ પાલન (પ્રવૃત્તિ) છે. દોષનો ભય ખસી જવો (એવી અવસ્થા) એ ઐર્યયોગ છે, ને પરાર્થતા આવે એ સિદ્ધિયોગ છે. વિવેચનઃ (૧) સ્વસ્મિન્ - પુષ્ટિની જેમ શુદ્ધિ પણ સાનુબન્ધ હોવાથી ઉત્તરોત્તર વધતી જાય છે. વધુ શુદ્ધિપૂર્વક થયેલું અનુષ્ઠાન ઓર વધુ શુદ્ધિને મોહનીય કર્મના ક્ષયોપશમને પ્રગટ કરે છે. માટે વિશેષ પ્રકારના ઉપદમાદિફળનું જનક બને છે. આશય એ છે કે સિદ્ધિયોગના પણ અસંખ્ય પેટભેદ છે. એટલે, પ્રતિબન્ધક કર્મના, અપેક્ષાએ કંઇક અલ્પ એવા ક્ષયોપશમ (ઉપશમ) થી થયેલું યોગસેવન અધિક માત્રાવાળા ક્ષયોપશમને ઉત્પન્ન કરે છે. પછી એવા અધિકમાત્રાવાળા ક્ષયોપશમપૂર્વક થયેલુંયોગસેવન ઓર અધિકમાત્રાવાળાક્ષયોપશમને પ્રગટ કરે છે.. આમ ઉત્તરોત્તર ચાલે છે. યાવતું એક એવું સિદ્ધિભેદનું યોગસેવન થાય છે જે ક્ષાયિકભાવને પ્રગટ કરે છે. ઉપશમવિશેષાદિઉં...” જે કહ્યું છે તેમાં આદિ શબ્દથી આ ક્ષાયિક ભાવાત્મક ફળ વગેરેનો સમાવેશ જાણવો. (ક્યારેક જેમણે સ્વયં તપ સિદ્ધર્યો નથી. બાહ્યદષ્ટિએ પણ પોતે તપસ્વીન હોય.. ને છતાં એમની નિશ્રામાં, બીજા તપસ્વીની નિશ્રા કરતાં પણ ઠેકગણી તપશ્ચર્યા થાય એવું પણ જોવા મળે છે. એમાં એમના પ્રબળ પુણ્યોદયને કારણ માનવાનું રહે છે. એટલે જણાય છે કે બીજાને ધર્મમાં જોડવા માટે પુણ્યોદય પણ આવશ્યક હોય છે.) સાનુબન્ધ પુષ્ટિથી પુણ્યોપચય વધતાં વધતાં એવો વધે છે કે જેથી પછી, ઉપદેશ આપ્યા વગર પણ, એમના સાન્નિધ્ય માત્રથી ભાવુકો તે તે ધર્મસ્થાનમાં જોડાઈ જાય છે. આ પરાર્થસંપાદકતા છે. પોતાને સિદ્ધિ ને પછી વિનિયોગ આશય પણ પ્રગટ થયો હોય, ને સામા જીવની ભૂમિકા યોગ્યતા હોય તો, સામા જીવનું દ્રવ્યધર્મમાં થયેલું આ જોડાણ એના આત્મામાં ભાવધર્મ પેદા કરવાનું પણ અવધ્ય કારણ બને છે, ને એ ન હોય તો પણ એમના સાન્નિધ્યમાં દ્રવ્યધર્મમાં તો જોડાણ થાય જ છે, એ જાણવું. (પણ, એ વિનિયોગ ન (94) યોગવિંશિકા....૫-૧) Page #112 -------------------------------------------------------------------------- ________________ કહેવાય – એ પૂર્વે આવી ગયું છે.) એટલે અહિંસાની સિદ્ધિ પામેલા યોગીઓના સાન્નિધ્યમાં સિંહ-વાઘ-સાપ વગેરે પણ હિંસકભાવને ભૂલી અહિંસક બની જાય છે. માટે જ સમવસરણમાં બકરી વાઘની બાજુમાં પણ નિરુપદ્રવપણે બેસી શકે છે. અહીં આવી વિશેષતા જાણવી, જીવોના કર્મ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવની અસર હોય છે. જેવા જેવા દ્રવ્યાદિ મળે એને અનુસરીને કર્મોના ઉદયની મંદતા (ક્ષયોપશમ) કે તીવ્રતા થાય છે. અહિંસાની સિદ્ધિ પામેલા યોગી એ એક એવું દ્રવ્ય છે કે જે, સમીપવર્તી જીવને હિંસામાં પ્રેરે એવા જે કર્મો ઉદયમાં હોય એને મોળા પાડી દે છે ને તેથી એ હિંસક જીવ પણ એમના સાન્નિધ્યમાં હિંસા આચરતો નથી. શ્રી હરિભદ્રઅષ્ટકમાં પ્રભુના સંવત્સરીદાનની વાત આવે છે. એ અંગે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કાત્રિ દ્ધાત્રિંશિકા ગ્રન્થમાં જણાવ્યું છે કે પરમાત્મા નિષ્પરિગ્રહતાની સિદ્ધિને વરેલા છે. એટલે યાચના માટે આવેલા યાચકોનું સોપકમ લોભમોહનીયકર્મ લોભ પેદા કરાવવા માટે અસમર્થ બની જવાના કારણે યાચકોને સંતોષગુણ પ્રગટ થાય છે ને તેઓ યાચના જ કરતા નથી. પણ જે યાચકોનું લોભમોહનીયકર્મ નિરુપક્રમ હોય છે તેના પર સિદ્ધયોગી સ્વરૂપ પરમાત્મા દ્રવ્યની અસર થઈ શકતી નથી, ને તેથી તેઓ યાચના કરે છે. એટલે દાનનો નથી સર્વથા અભાવ થતો કે નથી અપરિમિત દાન થતું.. પણ પરિમિત દાન થાય છે. આવું જ પ્રસ્તુતમાં જાણવું. સ્થાનાદિના સિદ્ધયોગીના સાન્નિધ્યમાં આવેલા જીવનું કર્મ સોપકમ હોય તો એ સ્થાનાદિ જાળવનારો બને જ છે. પણ જો કોઈકનું એ કર્મ નિરુપકમ હોય તો એ સિદ્ધયોગીના સાન્નિધ્યમાં પણ સ્થાનાદિ ન જાળવે એવું શક્ય છે. સોપકમકર્મવાળા જીવો પણ જોયોગ્યન હોય, તો, સ્થાનાદિનો માત્ર યોગ થાય છે, પણ વિનિયોગનથી થતો. જો એ જીવો યોગ્ય હોય, પણ સ્થાનાદિ માટે હજુ ઇચ્છાવાળાનહોયકે પ્રયત્નશીલન હોય, તો આ સિદ્ધયોગીના પ્રભાવે એમના કર્મનો થોડો ઘણો પણ ક્ષયોપશમ થવાથી તેઓને સ્થાનાદિની નિરુપાધિક ઇચ્છા પ્રગટ થાય પછી એ માટે પ્રયત્નશીલ બને (અર્થાત સ્થાનાદિયોગમાં જોડાય) ને મશઃ સિદ્ધિ સુધી પહોંચે છે. ને કેટલાક યોગ્ય જીવો સ્થાનાદિ માટે પ્રયત્નશીલ પણ હોય, પણ છતાં હજુ તેવા વિશિષ્ટ ક્ષયોપશમ રૂપ શુદ્ધિ પામ્યા ન હોય, તો તેવા જીવોને પિરગતસ્વસદશફળ સંપાદક્તા) 9િ5 ] Page #113 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધયોગીના પ્રભાવે વિશિષ્ટ ક્ષયોપશમ પ્રગટ થઈ શકે છે. આ બધું જ સિદ્ધયોગીનું પરગતસ્વસદશફળસંપાદકત્વ છે. ઇચ્છા વગેરે આ ચાર ભેદોને જણાવવા માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રી અધ્યાત્મસારમાં નીચે પ્રમાણે બે શ્લોક કહેલા છે – ઇચ્છા તદ્ધત્કથાપ્રીતિયુક્તાકવિપરિણામિની . પ્રવૃત્તિ પાલન સમ્યફ સર્વત્રોપશમાન્વિતમ્ II ૩-૮૭ સજ્જયોપશમોત્કર્ષાદતિચારાદિચિન્તયા રહિત તુ સ્થિરં સિદ્ધિઃ પરેષામર્થસાધકમાં ૩-૮૮ અર્થ: સ્થાન વગેરે યોગવાળા યોગીઓની કથામાં પ્રીતિવાળી અને અવિપરિણામિની એવી પરિણતિ એ ઇચ્છાયોગ છે. (આવી કક્ષાવાળી પરિણતિ પૂર્વક થતો સ્થાનાદિ ધર્મવ્યાપાર એ ઇચ્છાયોગ છે. આમાં અવગ્રહ મૂકીને અવિપરિણામિની એવો શબ્દ લઈએ તો- સ્થાનાદિયોગને યથાઉલ્લાસ સેવવાની ઇચ્છાનો વિપરિણામ = વિમુખ પરિણામન થઈ જાય એવી પરિણતિ - આવો અર્થ જાણવો. અને જો અવગ્રહનો પ્રક્ષેપન કરવાનો હોય તો વિપરિણામિની શબ્દ મળે જેનો પૂર્વવતુવિશેષ પરિણામની આધાયક પરિણતિ - એવો અર્થ જાણવો.) સર્વત્ર ઉપશમયુક્ત સમ્યક્ષાલન એ પ્રવૃત્તિયોગ છે. સયોપશમનો ઉત્કર્ષ થવાથી અતિચારાદિની ચિન્તા રહિતપણે થતું પાલન એ સ્થિરયોગ છે. અન્યમાં પણ અહિંસાદિ અર્થનું સાધક બને એવું યોગસેવન એ સિદ્ધિ યોગ છે. પ્રણિધાન વગેરે પાંચ આશયોમાં પ્રણિધાનથી પ્રારંભ છે ને વિનિયોગમાં સમાપ્તિ છે. અર્થાતુ પ્રણિધાનાદિ પાંચ કમિક છે. એ જ રીતે ઇચ્છાયોગથી પ્રારંભ થાય છે ને આગળ વધતાં વધતાં છેવટે સિદ્ધિયોગ આવે છે. માટે ઇચ્છાદિ ચાર ભેદો પણ કમિક છે. પણ સ્થાન-ઊર્ણ વગેરે પાંચ યોગો માટે એવું નથી. તેથી જણાય છે કે સ્થાન-ઊર્ણ વગેરેમાં પ્રણિધાન – પ્રવૃત્તિ વગેરે આશયો પણ હોય છે ને ઇચ્છા - પ્રવૃત્તિ વગેરે યોગો પણ હોય છે. અલબત્ પ્રણિધાન વગેરે પણ કથંચિત્ ક્યિારૂપ છે જ, છતાં ગ્રન્થકારે સ્વયં કહ્યા મુજબ એમાં આશયની જ પ્રધાનતા છે. એમઇચ્છાયોગ વગેરેમાં પણ અંદરની નિરુપાધિક ઇચ્છા વગેરે રૂપ પરિણામ ભળેલા હોય જ છે, (96) યોગવિંશિકા.. ૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ ન પણ ઇચ્છાયોગની કક્ષા છે કે પ્રવૃત્તિયોગની કક્ષા છે વગેરેનો નિર્ણય કરવામાં બાહ્ય ક્રિયાનું પ્રાધાન્ય હોવું જણાય છે. એટલે જ આરાયની દૃષ્ટિએ આગળ-આગળના આશય કેળવાતા જતા હોય ને છતાં અંગસાકલ્ય ન હોય તો જીવ ઇચ્છાયોગમાંથી પ્રવૃત્તિયોગમાં પણ જઈ ન શકે એવું શક્ય છે. એટલે જ પ્રવૃત્તિ આશય કેળવાયો હોય પણ પ્રવૃત્તિયોગ ન આવ્યો હોય, વિઘ્નજય આશય કેળવાયો હોય ને છતાં પ્રવૃત્તિયોગ કે સ્વૈર્યયોગ એકે ન આવ્યા હોય, એમ સિદ્ધિઆરાય કેળવાયો હોય ને છતાં પ્રવૃત્તિ-સ્વૈર્ય કે સિદ્ધિયોગ આવ્યો ન હોય એવું સંભવિત છે. હાથ-પગની એવી કોઇ ખોડખાંપણ હોય તો પણ ક્ષપશ્રેણિ અને કેવલજ્ઞાનનો નિષેધ નથી. એટલે જણાય છે કે એ પ્રકૃષ્ટ ધર્મસ્થાન સુધી પહોંચી શકતો હોવાથી સિદ્ધિ-વિનિયોગ આશય સુધી પહોંચી શકે છે, ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી આગળ વધી સામર્થ્યયોગ સુધી પહોંચી શકે છે, સ્થાન-ઊર્ણ વગેરે યોગોમાંનાઠેઠ અનાલંબન યોગ સુધી પહોંચી શકે છે, અધ્યાત્મ-ભાવના... વગેરે યોગોમાંના વૃત્તિસંક્ષય સુધી પહોંચી શકે છે અને છતાં ઇચ્છા-પ્રવૃત્તિ વગેરે ચારમાંના બીજા પ્રવૃત્તિયોગ સુધી પણ પહોંચી શકતો નથી, કારણકે અંગસાલ્ય ન હોવાથી યથાવિહિત સ્થાનાદિનું સેવન એના માટે શક્ય નથી. શંકા - પણ જો એ યથાવિહિત પાલન નથી કરતો તો એ અતિચાર રૂપ હોવાથી સિદ્ધિ આરાય પણ શી રીતે આવે ? કારણકે સિદ્ધિ આશયમાં તો ધર્મસ્થાનની અતિચાર રહિત પ્રાપ્તિ હોય છે. જ સમાધાન - પાલનમાં પ્રમાઠાદિવશાત્ ન્યૂનતા આવે એ જ અતિચાર રૂપ હોય છે. ખોડખાંપણવાળાને પ્રમાદાદિ ન હોય તો, જે ન્યૂનતા આવે છે તે અંગવૈકલ્યવશાત્ છે, પણ પ્રમાદાદિવશાત્ નથી, ને તેથી એ અતિચારરૂપ હોતી નથી. એવા જીવો માટે એવું આચરણ એ ‘અપવાદ’ રૂપ હોય છે. અને ‘અપવાદ’ પણ શાસ્ત્રોક્ત માર્ગ જ હોવાથી એને અતિચાર શી રીતે કહી શકાય? એટલે જ એનું એવું આચારણ શાસ્ત્રયોગરૂપ બનવામાં ને આગળ ઉપર સામર્થ્યયોગ લાવી આપવામાં જરા પણ ઊભું ઉતરતું નથી, માટે એ અતિચારશૂન્ય હોવાથી સિદ્ધિ આશય આવવામાં કશો વાંધો નથી. ‘‘યથાશક્તિ ક્રિયમાણં સ્થાનાદિ ઇચ્છારૂપમિત્યર્થ ... યથાશાસ્ત્રમઙ્ગસાકલ્ચન વિધીયમાનં સ્થાનાદિ પ્રવૃત્તિરૂપમિત્યર્થ...’’ આવી વૃત્તિગત પંક્તિઓ 97 ઇચ્છાદિયોગના હેતુઓ Page #115 -------------------------------------------------------------------------- ________________ પર વિચારતાં તત્ત્વ અમને આવું ભાસે છે, વાસ્તવિક્તા આ જ છે કે અન્ય ? એ કેવળીભગવંતો જાણે છે. પણ બહુશ્રુતોએ પૂર્વાપર અવિરોધપણે ઊંડાણથી વિચારવા વિનંતી. उक्ता इच्छादयो भेदाः, अथैतेषां हेतूनाह - एए य चित्तरूवा तहा खओवसमजोगओ हुंति। तस्स उ सद्धापीयाइ जोगओ भव्वसत्ताणं ॥७॥ અવતરણિકાર્ય સ્થાનાદિયોગની ઇચ્છા વગેરે ભેદો કહ્યા. હવે આ ઇચ્છા વગેરે યોગનાં કારણો કહે છે. ગાથાર્થ સ્થાનાદિની શ્રદ્ધા-પ્રીતિ વગેરેનો યોગ થવાથી ભવ્યજીવોને વિચિત્રપ્રકારનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. તરતમતાવાળા આ ક્ષયોપશમના કારણે આ ઇચ્છા વગેરે ભેદો પણ અનેક પ્રકારના થાય છે. ____ एए यत्ति । एते च = इच्छादयः चित्ररूपाः = 'परस्परं विजातीयाः स्वस्थाने चासङ्ख्यभेदभाजः, तस्य तु = अधिकृतस्य स्थानादियोगस्यैव श्रद्धा = इदमित्थमेवेति 'प्रतिपत्तिः, प्रीतिः = तत्करणादौ हर्षः, आदिना धृतिधारणादिपरिग्रहः, तद्योगतः भव्यसत्त्वानां = मोक्षगमनयोग्यानामपुनर्बन्धकादिजन्तूनां तथाक्षयोपशमयोगतः = तत्तत्कार्यजननानुकूलविचित्रक्षयोपशमसंपत्त्या भवन्ति, इच्छायोगादिविशेषे आशयभेदाभिव्यङ्ग्यः क्षयोपशमभेदो हेतुरिति परमार्थः । अत एव यस्य यावन्मात्रः क्षयोपशमस्तस्य तावन्मात्रेच्छादिसम्पत्त्या मार्गे प्रवर्तमानस्य सूक्ष्मबोधाभावेऽपि मार्गानुसारिता न व्याहन्यत इति सम्प्रदायः॥ ७॥ વૃત્તિઅર્થ આઇચ્છા વગેરેયોગો ચિત્ર સ્વરૂપવાળા છે, એટલે કે પરસ્પર વિજાતીય છે (અર્થાત્ એકબીજામાં અન્તર્ભાવ પામી જાય એવા નથી) અને સ્વસ્થાનમાં અસંખ્યભેદવાળા છે (અર્થાત્ દરેકના અસંખ્ય પેટભેદો છે.) તેની જ = અધિકૃત એવા સ્થાનાદિયોગની જ, “આ આ જ પ્રમાણે છે એવી પ્રતિપત્તિ એ શ્રદ્ધા છે. સ્થાનાદિ સેવવામાં હર્ષ અનુભવવો એ એની પ્રીતિ છે. આદિ શબ્દથી વૃતિધારણા વગેરેનો સમાવેશ જાણવો. સ્થાનાદિ અધિકૃત યોગની શ્રદ્ધા-પ્રીતિ વગેરેના યોગે ભવ્યજીવોને = મોક્ષગમનયોગ્ય અપુનર્બન્ધકાઠિજીવોને તથાવિધક્ષયોપમનું (98) યોગવિંશિકા....ઉ) Page #116 -------------------------------------------------------------------------- ________________ તે તે કાર્યજનનને અનુકૂળ વિચિત્ર ક્ષયોપશમનું સંપાદન થાય છે. આ વિચિત્ર ક્ષયોપશમના યોગે (ઇચ્છા વગેરે યોગો પણ ચિત્રસ્વરૂપવાળા) થાય છે. આમ, વિશેષ પ્રકારના ઇચ્છાયો વગેરે પ્રત્યે ભિન્ન-ભિન્ન આશયથી અભિવ્યક્ત થતો ભિન્ન ભિન્ન પ્રકારનો ક્ષયોપશમ એ કારણ છે એમ પરમાર્થ જાણવો. એટલે જ જેને જેટલી માત્રામાં ક્ષયોપશમ હોય તેને તેટલી માત્રામાં ઈચ્છાદિ યોગો સંપન્ન થાય છે. ને એ સંપન્ન થવાથી, માર્ગમાં પ્રવર્તમાન સાધકને સૂક્ષ્મબોધન હોય તો પણ માર્ગાનુસારિતા હણાતી નથી, એવો સંપ્રદાય છે. વિવેચનઃ (૧) ચારિત્રમોહનીયકર્મ અને વીર્યન્તરાયકર્મ... આ બેના ક્ષયોપશમથી સહુ પ્રથમ ઇચ્છાયોગ આવે છે. આ ક્ષયોપશમ સ્થાનાદિયોગ પ્રત્યેની શ્રદ્ધા વગેરેથી અપુનર્બન્ધક વગેરે જીવોને ખીલે છે. જોકે ઈચ્છાદિ ભેદસ્થાનાદિયોગના છે. ને સ્થાનાદિયોગો દેશવિરત સર્વવિરતને હોય છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે અપુનર્બન્ધકજીવને ઇચ્છાયોગ માની ન શકાય. છતાં, અપુનર્બન્ધક વગેરે જીવના સ્થાનાદિ યોગબીજરૂપ તો છે જ. ને એ યોગબીજમાં યોગનો ઉપચાર કરી એને વ્યવહારથી યોગ કહી શકાય છે એ આગળ આવી ગયું છે. એટલે અપુનર્બન્ધકને આ વ્યવહારથી ઇચ્છાયોગ હોય છે એમ માનવું ઉચિત લાગે છે. શંકા- તો પછી એને ક્ષયોપશમ પણ વાસ્તવિક હોતો નથી. ઉપચારથીવ્યવહારથી હોય છે એમ માનવું પડશે. સમાધાન - ના, ક્ષયોપશમ તો વાસ્તવિક હોય છે. શંકા- ક્ષયોપશમ વાસ્તવિક હોય ને છતાં, એ ક્ષયોપશમથી પ્રગટ થનાર ગુણ વગેરે વાસ્તવિક પ્રગટ ન થયા હોય એવું બની શકે? સમાધાન- હા, વાસ્તવિક ગુણપ્રાપ્તિ જે કક્ષાથી કહેવાય એના કરતાં ઘણી અલ્પમાત્રાનો ક્ષયોપશમ હોય ત્યારે આવું બની શકે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરમહારાજે દષ્ટિ પામેલા અપુનર્બન્ધકાદિ જીવોને પણ મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ હોવો કહ્યો છે, ને છતાં, એમને સમ્યત્વગુણ તો પ્રગટ થયો હોતો નથી. એમ પ્રસ્તુતમાં પણ, વાસ્તવિક યોગ પ્રગટ્યો ન હોવા છતાં અલ્પ ક્ષયોપશમ પ્રગટયો હોવામાં કશો વાંધો નથી. ને છતાં, ‘ગુણને પ્રગટ કરે એટલી ઇચ્છાઠિયોગના હેતુઓ (99) Page #117 -------------------------------------------------------------------------- ________________ માત્રામાં પ્રગટ થયો હોય તે જ વાસ્તવિક ક્ષયોપરામ કહેવાય' આવો અભિપ્રાય જ રાખવો હોય તો અપુનર્બન્ધકાદિને ક્ષયોપામ પણ ઉપચરિત માનવો આવશ્યક બને એ જાણવું. અથવા સામાન્યથી અહિંસા વગેરે ધર્મસ્થાનો-ગુણો સાધ્ય હોય છે ને એની અપેક્ષાએ યોગનો પ્રારંભ ભલે દેશવિરતિ ગુણઠાણેથી કહ્યો. પણ સાધ્ય તરીકે જો સમ્યક્ત્વ ગુણ હોય તો એની સિદ્ધિ ચોથે ગુણઠાણે હોવાથી, સિદ્ધિ પૂર્વેના ઇચ્છા, પ્રવૃત્તિ ને સ્થિરયોગ પ્રથમ ગુણઠાણે અપુનર્જન્ધકને નિર્બાધપણે માની શકાય છે. (જો કે સમ્યક્ત્વ પ્રાપ્તિ અંગેના આ ઇચ્છાયોગાદિ પણ વ્યવહારથી છે એમ આઠમી ગાથાની વૃત્તિમાં કહેલું જ છે એ જાણવું.) અપુનર્જન્ધકને શ્રદ્ધા વગેરે દ્વારા પ્રગટ થયેલો આ ક્ષયોપરામ વધતાં વધતાં એવી માત્રાએ પહોંચે છે જે વાસ્તવિક ઇચ્છાયોગને જન્માવે છે. ત્યાર પછી પણ ક્ષયોપરામ વધતાં વધતાં એટલી માત્રામાં વધી જાય છે કે જેથી હવે પ્રવૃત્તિયોગ આવે છે. પણ અત્યાર સુધીમાં ક્ષયોપરામની માત્રાની તરતમતાના અસંખ્ય પ્રકારો હોય છે. જુદી જુદી માત્રાવાળો દરેક ક્ષયોપરામ જુદી જુદી માત્રાવાળા એક - એક ઇચ્છાયોગને પેદા કરે છે. માટે ઇચ્છાયોગના અસંખ્ય પેટાભેદ પડે છે. આ જ રીતે ક્ષયોપશમની માત્રા વધતાં વધતાં પ્રવૃત્તિયોગના પણ અસંખ્ય પેટાભેદ પસાર થાય... પછી સ્થિરયોગ આવે છે. ને એ જ રીતે છેવટે સિદ્ધિયોગ માટે જાણવું. તાત્પર્ય એ થયું કે અપુનર્જન્ધકના પ્રારંભિક ક્ષયોપશમથી લઇને ક્ષાયિકભાવની પૂર્વના પ્રશ્નયોપશમ સુધીમાં ક્ષયોપશમની તરતમતાના યોગે અસંખ્યભેદ છે. આ અસંખ્યભેઠવાળા આખા યોગમાર્ગનું યોગગ્રન્થોમાં ઇચ્છા – પ્રવૃત્તિ વગેરે ચાર મુખ્યભેદોમાં વર્ગીકરણ કર્યું છે. ને તેથી એ દરેકમાં પણ અસંખ્ય-અસંખ્ય પેટાભેદો હોય છે. - વળી ચારે યોગોને પરસ્પર વિજાતીય કહ્યા છે. એનો અર્થ એ થાય છે કેકોઇ એક ચોક્કસ માત્રાવાળો ક્ષયો પરામ ઇચ્છા વગેરે ચારમાંથી કોઇ બેમાં સમાવેશ પામતો હોય એવું શક્ય નથી. લેયાપરિણામોનું વર્ગીકરણ કૃષ્ણલેશ્યા, નીલલેયા વગેરે ૬ લેયાઓમાં કરાયું હોવા છતાં, એના અધ્યવસાયો આક્રાન્ત હોવાનું પણ ગ્રન્થાન્તરમાં જણાવાયું છે. અર્થાત્ નીલલેયામાં ઉત્કૃષ્ટ તરફ રહેલો અધ્યવસાય 100 યોગવિંશિકા....૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણલેશ્યામાં પણ (જઘન્યતરફ) સમાવિષ્ટ હોવો જણાવાયો છે. એમ, સામાયિક, છેદોપસ્થાપનીય તથા પરિહારવિશુદ્ધિને ચારિત્રના અલગ-અલગ પ્રકારતરીકે વર્ણવ્યા હોવા છતાં, (પરસ્પર વિજાતીય દર્શાવ્યા હોવા છતાં) ત્રણે છ-સાતમે ગુણઠાણે હોય છે. તેમજ આ ત્રણનાં ક્ષયોપશમો (સંયમસ્થાનો) સામાયિક વગેરે કોઇ એક ચારિત્રમાં જ સમાવેશ પામે છે એમ ન જણાવતાં અનેકમાં સમાવેશ પામે છે એમ કહેવાયું છે. અર્થાત્ સ્વરૂપની દષ્ટિએ (વ્યવહારથી) આ ત્રણ પરસ્પર વિજાતીય હોવા છતાં ક્ષયોપશમની દષ્ટિએ પરસ્પર અમુક રીતે આક્રાંત પણ છે. આવું જો ઇચ્છાયોગ વગેરેમાં પણ સંભવિત હોય તો, ‘‘બાહ્ય સ્વરૂપની દષ્ટિએ (વ્યવહારથી) ઇચ્છાયોગ વગેરે પરસ્પર વિજાતીય છે, અને ક્ષયોપરામની દૃષ્ટિએ અમુક કક્ષાએ પરસ્પર આક્રાન્ત હોય છે.’’ એમ જાણવું. અર્થાત્ ઇચ્છાયોગના ઉત્કૃષ્ટ તરફના કેટલાક ક્ષયોપશમો પ્રવૃત્તિયોગના જઘન્ય તરફના સ્થાનોમાં પણ સમાવિષ્ટ જાણવા. એમ જ આગળ પણ જાણવું. તત્ત્વ કેવલિગમ્યમ્. પૂર્વે આપણે જોઈ ગયા કે ક્ષપકશ્રેણિ માંડનારને પણ અંગવેલ્ય હોય તો પ્રવૃત્તિયોગ વગેરે આવી શક્તા નથી. એટલે એવું પણ માનવું પડે કે પ્રવૃત્તિ, સ્થિર ને સિદ્ધિ યોગમાં ક્ષયોપશમના જે અસંખ્યભેદો સમાવિષ્ટ છે એમાંના એકેયને જીવ સ્પર્શે નહીં, ને ક્ષાયિકભાવ પામી જાય આવું બનવું અશક્ય નથી. અલબત્, જેમ માત્ર ત્રસકાયની વિરતિના પરિણામ રૂપ દેશવિરતિના પરિણામનો સ્પર્શ ન હોવા છતાં, એનું જે કાર્ય છે ત્રસકાયની અહિંસા, એ સર્વવિરતિમાં સમાવિષ્ટ જ હોય છે... અથવા જેમ મનઃ પર્યવજ્ઞાનને પામ્યા વિના કેવલજ્ઞાન પામનારને પણ, મનઃ પર્યવજ્ઞાનના શેયનું પણ જ્ઞાન તો હોય જ છે, એમ પ્રસ્તુતમાં પણ સંભવિત છે. તત્ત્વ કેવલિગમ્યમ્. (૨) ‘આ આ જ પ્રમાણે છે’ આવી પ્રતિપત્તિને અહીં શ્રદ્ધા તરીકે જણાવી છે. આ પ્રતિપત્તિના બે અંશ છે. ‘‘ઉપેયભૂત મોક્ષને (અહિંસાદિ ધર્મસ્થાનને) સાધવા માટે અત્યારે (=સ્થાનાદિના અવસરે) આ સ્થાનાદિ યોગ જ ઉપાય છે’’ આવી શ્રદ્ધા, અને ‘આ સ્થાનાદિ આ રીતે જ (=શાસ્ત્રમાં જે રીતે કહેલ હોય તે રીતે જ) થાય’ આવી શ્રદ્ધા. વળી, આ શ્રદ્ધાને ‘પ્રતિપત્તિ’ કહી છે. અર્થાત્ આવી પોતાની આંતરિક પ્રતીતિ જોઇએ... અંદરનો અવાજ... અંદરથી આત્મા જ એ બોલતો શ્રદ્ધાદિનું સ્વરૂપ 101 Page #119 -------------------------------------------------------------------------- ________________ હોય કે “કાઉસ્સગ્ગ આ રીતે જ થાય...' “ખમાસમણ દેવું હોય તો સંડાસાપૂર્વક જ દેવાય...' વગેરે. આવી સંવેદના એ પ્રતિપત્તિ છે. એ શ્રદ્ધા છે... અંદરથી દિલ જ આવું બોલતું હોય એટલે એ પ્રમાણે સ્થાનાદિના સેવનમાં હર્ષ અનુભવાય જ. આ પ્રીતિ છે. (૩) આદિ શબ્દથી ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા અને ધ્યાન આચારનો સમાવેશ છે, આમાં ધૃતિ એટલેધર્યવૈર્ય બે અંશે કાર્ય કરે છે... શીધ્ર પરિણામનદેખાતું હોય તો પણ ધીરતા પૂર્વક સ્થાનાદિનું સેવન ચાલુ રખાવે છે. (સ્થાનાદિના સેવનમાં જ આનંદનો અનુભવ છે, એટલે ધેર્ય પેદા થાય છે. પરિણામ પ્રાપ્ત થાય તો જ આનંદનો અનુભવ થાય આવી પરિસ્થિતિ, ક્યારે પરિણામ મળે? ક્યારે પરિણામ પ્રાપ્ત થશે? આવું અકાળ સુક્યલાવવા દ્વારાધેર્યનો નાશ કરે છે. પણ પ્રસ્તુતમાંતો, મંઝિલની વાત દૂર, માર્ગમાં જ પ્રીતિ-આનંદ છે, એટલે ધૃતિ પણ કેળવાય છે. વળી, આ પ્રીતિ છે, એટલે જો ગમે તેવા વિદ્ગો આવે તો પણ એની સામેડગીન જતાં સ્થાનાદિસેવન ચાલુ રાખવાનું ધર્મ પણ બન્યું રહે છે. પોતે યથાઉલ્લાસ સ્થાનાદિનું સેવન ચાલુ કર્યું છે. તેમાંથી આગળ વધતાં વધતાં યથાશક્તિને છેવટે બિલકુલ ક્ષતિરહિતપણે યથાવિહિત સેવન સુધી પહોંચવાનું છે. ધૈર્ય પૂર્વક સ્થાનાદિનું સેવન ચાલુ રાખે. પણ એમાં ક્રમ, વિધિ વગેરે અંગે કેટલી ક્ષતિઓ રહે છે, ઉત્તરોત્તર કેટલી કેટલી ક્ષતિઓ દૂર થઈ રહી છે? આવી બધી ધારણા જો ન રાખવામાં આવે તો સંપૂર્ણ ક્ષતિરહિત સેવનના લક્ષ્ય સુધી શી રીતે પહોંચાય? માટે ધારણા પણ આવશ્યક બને છે. ક્ષતિઓને દૂર કરવાનો પ્રયત્ન તો ખરો જ, પણ, કેટલી ક્ષતિ દૂર થઈ? કેટલી દૂર કરવાની બાકી છે ? આવી બધી સંકલના કરતા રહેવા રૂપ આ ધારણા પણ ક્ષયોપશમ પેદા કરે છે (વધારે છે) આવું જે કહ્યું છે એનાથી સૂચન થાય છે કે ક્રોધાદિ કોઈપણ દોષને દૂર કરવો હોય તો કેવોકિંનિમિત્તક-કેટલો ક્રોધ દૂર થયો? કેટલો નથી થયો?’ વગેરેની સંકલના કરતા રહેવું એ પણ દોષવિજ્યમાં સહાયક છે. ને આ વાત સાચી છે, કારણકે તીવ્ર આતુરતા વિના આવી સંકલના શક્ય નથી હોતી... ને આતુરતા પોતે જ ક્ષયોપશમનું એક મુખ્ય કારણ છે જ. પોતાની બાહ્યપ્રવૃત્તિઓ અને આંતરિક પરિણતિઓ પરથી ક્ષતિ વગેરેની (102) યોગવિંશિકા....) Page #120 -------------------------------------------------------------------------- ________________ તરતમતા.. એને દૂર કરવાના ઉપાયોનો નિર્ણય. એ ઉપાયોની અજમાયશ... આ બધા માટે અનુપ્રેક્ષા પણ આવશ્યક છે...ને એ અનુપ્રેક્ષા દરમ્યાન એકાગ્રતાકેળવાય એ ધ્યાન રૂપ બને. માટે એ પણ આવશ્યક છે... આમ શ્રદ્ધા, પ્રીતિ.... વગેરે કારણો છે. ને એનાથી ક્ષયોપશમ પ્રગટે છે જે ઈચ્છાદિ યોગોનું સંપાદન કરી આપે શ્રદ્ધા વગેરેને અનુસરીને ક્ષયોપશમ પ્રગટે છે. અને એક્ષયોપશમને અનુસરીને તરતમતાવાળા ઇચ્છાયોગાદિ સંપન્ન થાય છે... એવું તથા જેને જેટલો ક્ષયોપશમ હોય તેટલા પ્રમાણમાં ઇચ્છાયોગ પ્રવર્તવાથી તેની માર્ગમાં પ્રવૃત્તિ થાય છે અને સૂક્ષ્મબોધન હોય તો પણ માર્ગાનુસારિત હણાતી નથી. આવું અહીં જે કહ્યું છે કે, લલિતવિસ્તરામાં અરિહંતચેઇઆણું સૂત્રના શ્રદ્ધા-મેધા વગેરે પદોની જે વિવેચના છે તેને સંલગ્ન આ શ્રદ્ધા વગેરે છે એવું સૂચન કરે છે. અલબત્ અહીં શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ વગેરે છે. જ્યારે ત્યાં શ્રદ્ધા, મેધા, વૃતિ વગેરે છે. છતાં સંલગ્નતા પ્રતીત થતી હોવાથી ત્યાંની થોડી વાતો વિચારી લઇએ. શ્રદ્ધાઃ મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમ વગેરેથી જન્ય ચિત્તપ્રસાદ ( ચિત્તની નિર્મળતા) સ્વરૂપ પોતાનો અભિલાષ એ શ્રદ્ધા છે. આ ચિત્તપ્રસાદ એ એવો ચિત્તધર્મ છે જે જીવાદિ તત્ત્વભૂત પદાર્થને અનુસરનારો હોય છે, ભ્રાન્તિનો નાશક હોય છે, કર્મ અને ફળના સંબન્ધના અસ્તિત્વ વગેરેમાં વિશ્વાસરૂપ હોય છે તથા ચિત્તની કલુષિતતાને દૂર કરનારો હોય છે. આના કારણે જિનોક્ત માર્ગ સારી રીતે ભાવિત થાય છે. મેધા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જન્મ કુશળ બુદ્ધિપરિણામ એ મેધા છે. આ પણ એક એવો ચિત્તધર્મ છે જે સભ્યશાસ્ત્રોને ઉપાય તરીકે પકડી એમાં પ્રવૃત્તિ કરાવનારો છે ને પાપશાસ્ત્રોની અવગણના કરાવનારો છે. ગુરુવિનયવિધિ પાલન વગેરેથી ઉક્ત ક્ષયોપશમ થવા દ્વારા આ ચિત્તધર્મ પ્રાપ્ત થાય છે. વૃતિઃ મોહનીયકર્મના ક્ષયોપશમ વગેરેથી ઉત્પન્ન થયેલી વિશિષ્ટ પ્રીતિ સ્વરૂપમનનું પ્રણિધાન એ ધૃતિ છે. આ એવો ચિત્તધર્મ છે જેમાં, અચૂક કલ્યાણસાધક વસ્તુની પ્રાપ્તિ થવા પર જેમ દીનતા વગેરે રહેતા નથી તેમચિન્તામણિતુલ્ય જૈનધર્મની પ્રાપ્તિ થવા પર એનો મહિમા જાણવાથી) દીનતા અને ઉત્સુકતા રહ્યા હોતા નથી... (શ્રદ્ધાદિનું સ્વરૂપ (103) Page #121 -------------------------------------------------------------------------- ________________ તેમજ આ ચિત્તધર્મ ધીરતા-ગંભીરતાવાળો હોય છે. દીનતા-ઉત્સુક્તાની રહિતતાના કારણે અને ધીરતા-ગંભીરતાની સહિતતાના કારણે ચિત્તની આવી અવસ્થામાં રાગાદિની આકુલતા હોતી નથી અને તેથી ધૃતિ (વિશિષ્ટ પ્રીતિ-મનનું પ્રણિધાન) કેળવાય છે. ધારણા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલી અવિસ્મૃતિ વગેરે ભેટવાળી અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ એ ધારણા છે. જાતિમાન મોતીઓની માળા પરોવનારો પરોણીગર ચિત્તવિક્ષેપન હોવાના કારણેયથાક્રમ નાના-મોટામોતી પરોવે છે એમ સ્થાન-ઊર્ણ વગેરે યોગમાં પ્રવર્તેલા સાધકની એવી ચિત્તપરિણતિ કે જે પ્રસ્તુત વસ્તુના ક્રમને પકડીને એ મુજબ જ યોગગુણમાળાને નિષ્પન્ન કરે છે, આવી ચિત્તપરિણતિ એ ધારણા છે. અનુપ્રેક્ષા તત્ત્વભૂત પદાર્થનું વારંવાર ચિંતન એ અનુપ્રેક્ષા છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલો આ એવો ચિત્તધર્મ છે જે અનુભૂત પદાર્થના અભ્યાસરૂપ છે, પરમસંગજનક છે, પરમસંવેગને દઢ કરનારો છે, ઉત્તરોત્તર અધિક પ્રતીતિવાળો છે અને કેવળજ્ઞાનને સન્મુખ છે. આ શ્રદ્ધા વગેરેથી મલિનવાસના - સંસ્કાર વગેરે ઘસાતા જાય છે અને એ રીતે એ અપૂર્વકરણનામની મહાસમાધિના બીજરૂપ બને છે, કારણકે શ્રદ્ધા વગેરેની પરિપક્વતા થવાથી અપૂર્વકરણ સિદ્ધ થાય છે. આમ, જેમ જેમ શ્રદ્ધા વગેરેનો અભ્યાસ થાય તેમ તેમ જીવ અપૂર્વકરણ તરફ આગળ વધે છે - અર્થાત્ મોક્ષમાર્ગ પર પ્રગતિ કરે છે એવું અહીં લલિતવિસ્તરામાં કહ્યું. યોગવિંશિકામાં પણ શ્રદ્ધા વગેરેના કારણે જેટલો જેટલો ક્ષયોપશમ થાય તે મુજબ ઈચ્છાદિયોગ સંપન્ન થતો હોવાના કારણે માર્ગાનુસારિતા હણાતી નથી – અર્થાત્ માર્ગ પર પ્રગતિ ચાલુ રહે છે - એમ જણાવ્યું છે. માટે લલિતવિસ્તરામાં અને યોગવિંશિકામાં કહેલ શ્રદ્ધાદિ પરસ્પર સંલગ્ન છે અને કાયોત્સર્ગ -ચૈત્યવન્દન વગેરેની જેમ બધા અનુષ્ઠાનોમાં યથાસંભવ લાગુ પડનારા છે એ જણાય છે. તથા શ્રદ્ધાદિથી જન્ય અને ઇચ્છાયોગાદિનો જનક એવો આ ક્ષયોપશમ સંપન્ન થવામાં અનેક ઘટકો ભાગ ભજવે છે. મોહનીયનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણનો 104 યોગવિંશિકા...૭) Page #122 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ, વીર્યાન્તરાયનો ક્ષયોપશમ... આ બધાની અનેકવિધ તરતમતાવાળી અલગ-અલગ પરિણતિઓના સંવેધથી તે-તે ક્ષયોપરામનું ઘડતર થાય છે એ જાણવું. આમ, શ્રદ્ધાવગેરેનો યોગ થવાથી અપુનર્બન્ધક વગેરે ભવ્ય જીવોને ઇચ્છા પ્રવૃત્તિ વગેરે રૂપ તે તે કાર્યોનાં કારણભૂત વિવિધ ક્ષયોપશમ પ્રગટે છે ને તેના કારણે ઇચ્છા વગેરે યોગો પ્રાપ્ત થાય છે. એટલે, ઇચ્છયોગ વગેરે તે તે વિશેષ પ્રકારના યોગ પ્રત્યે ઓછી-વત્તી શ્રદ્ધા-પ્રીતિ... વગેરે સ્વરૂપ જુદા જુદા પ્રકારના આશયોથી સૂચિત થતો જુદા-જુદા પ્રકારનો ક્ષયોપશમ એ હેતુ છે એવો પરમાર્થ નિશ્ચિત થયો. અત વ્ = આમ ઇચ્છા વગેરે યોગ પ્રત્યે મુખ્ય કારણ આ ક્ષયોપરામ જ હોવાથી, જે સાધકને જેટલો ક્ષયોપરામ પ્રગડ્યો હોય તેટલા પ્રમાણમાં ઇચ્છા વગેરે યોગ પ્રાપ્ત થાય છે. ને એના કારણે એની મોક્ષમાર્ગ પર પ્રવૃત્તિ ચાલુ રહે છે. એટલે ક્યારેક કોઇકને (સૂક્ષ્મબોધસંપન્ન ગુરુની નિશ્રા ન મળી હોવાના કારણે) સૂક્ષ્મબોધ ન હોય તો પણ એની માર્ગાનુસારિતા હણાતી નથી એવો સંપ્રદાય છે. અપુનર્જન્ધક જીવને એવો વિશેષ ઉપયોગ-બોધ ન હોય તો પણ, આંતરિક ક્ષયોપશમ જ એવો હોય છે કે જેથી એના દ્વારા એવી અનુચિત પ્રવૃત્તિ ક્યાંય થતી નથી, ને સર્વત્ર સદન્ધન્યાયે પણ ઉચિત પ્રવૃત્તિ જ થાય છે, એવું પ્રસ્તુતમાં જાણવું. શ્રદ્ધા વગેરેથી ઉત્પન્ન થયેલો ક્ષયોપશમ, વિશેષ જાણકારીના અભાવમાં પણ, એવી પ્રવૃત્તિ થવા દેતો નથી જે ઇચ્છાયોગાદિરૂપ માર્ગ પરની ગતિમાં સ્ખલના ઊભી કરે. (પણ સૂક્ષ્મબોધ સંપન્ન ગુરુની નિશ્રા વગેરે કારણે સૂક્ષ્મબોધનું પીઠબળ જો મળે તો ગતિ શીઘ્ર થવાનો વિશેષ લાભ થાય એ જાણવું. આશય એ છે કે જ્ઞાનાવરણીય કર્મના સમાન ક્ષયોપરામવાળા બે વિદ્યાર્થીમાંથી એને વધારે કુશળ શિક્ષક, સારાં પુસ્તકો વગેરે સામગ્રી મળે અને બીજાને એ ન મળે તો પ્રથમ વિદ્યાર્થી ઘણો આગળ વધી જાય છે, બીજો એટલો આગળ વધી શકતો નથી. આમ અવાંતરસામગ્રીની વિવિધતાથી એકના એક ક્ષયોપરામજન્ય કાર્યમાં પણ વૈવિધ્ય આવે છે.) ।। ૭।। इच्छादीनामेव हेतुभेदमभिधाय कार्यभेदमभिधत्ते अणुकंपा निव्वेओ संवेगो होइ तह य पसमुत्ति । एएसिं अणुभावा इच्छाईणं जहासंखं ॥ ८ ॥ ઇચ્છા-અનુકંપાદિ કા. કા. ભાવ 105 Page #123 -------------------------------------------------------------------------- ________________ અવતરણિકાર્ય : ઇચ્છા વગેરેના કારણભેદને (જુદા જુદા કારણોને) કહીને હવે કાર્યભેદને (જુદા-જુદા કાર્યને) આઠમી ગાથામાં કહે છે - ગાથાર્થ : આ ઇચ્છા, પ્રવૃત્તિ વગેરેના અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ (=ઉપશમ) એ યથાસંખ્ય (=ક્રમશઃ) અનુભાવ = કાર્ય છે. = અનુપત્તિ । 'અનુમ્મા = દ્રવ્યતો માવતશ્ચ યથાશત્તિ દુ:વિતવ્:વરિહારેછા, निर्वेदः = नैर्गुण्यपरिज्ञानेन भवचारकाद्विरक्तता, संवेगः = मोक्षाभिलाष:, तथा प्रशमश्च क्रोधकण्डूविषयतृष्णोपशमः, इत्येते एतेषां = इच्छादीनां योगानां यथासङ्ख्यं 'अनु पश्चाद्भावा: अनुभावाः = कार्याणि भवन्ति । 'यद्यपि सम्यकत्वस्यैवैते कार्यभूतानि लिङ्गानि प्रवचने प्रसिद्धानि, तथापि योगानुभवसिद्धानां विशिष्टानामेतेषामिहेच्छायोगादिकार्यत्वमभिधीयमानं न विरुध्यत इति द्रष्टव्यम् । વૃત્તિઅર્થ : 'અનુકંપા = દ્રવ્યથી અને ભાવથી યથાશક્તિ દુઃખિયાના દુઃખ દૂર કરવાની ઇચ્છા. નિર્વેદ = સંસારની નિર્ગુણતાનું જ્ઞાન થવાથી ભવરૂપ કેદખાનાથી વિરક્તતા. સંવેગ=મોક્ષનો અભિલાષ. તથા પ્રામ-ક્રોધરૂપ ખણજનો અને વિષયતૃષ્ણાનો ઉપશમ. આ અનુકંપા વગેરે આ ઇચ્છા વગેરે યોગના યથાસંખ્ય= ક્રમશઃ અનુભાવો છે. (અનુ=પ્રશ્ચાદ્... અર્થાત્ ઇચ્છા વગેરેની પછી થનારા ભાવો... એટલે કે) કાર્યો છે. જો કે આ અનુકંપા વગેરે સમ્યક્ત્વનાં જ કાર્યભૂત લિંગ તરીકે પ્રવચનમાં પ્રસિદ્ધ છે. તો પણ યોગના અનુભવથી સિદ્ધ એવા વિશિષ્ટ પ્રકારના અનુકંપા વગેરેને અહીં ઇચ્છાયોગ વગેરેના કાર્ય તરીકે કહેવા એ વિરુદ્ધ નથી, એ જાણવું. = દૂર વિવેચન : (૧) દુઃખ દૂર કરવાની ઇચ્છા એ દ્રવ્યઅનુકંપા... ને દોષ કરવાની ઇચ્છા એ ભાવઅનુકંપા જાણવી. ‘સંસાર નિર્ગુણ છે’ આવું પ્રતીત થવાથી પૌદ્ગલિક જાહોજલાલીવાળી અવસ્થાઓથી પણ ઉદ્વેગ થાય એ વાસ્તવિક નિર્વેદ છે. નિર્ગુણ સંસારથી કંટાળો જાગ્યો છે. એનો વિકલ્પ સર્વગુણમય મોક્ષ છે. એ મેળવવાની પ્રબળ ઇચ્છા એ સંવેગ છે. (1) પણજમાં જેમ ખણવાની તલપ હોય છે એમ ક્રોધાદિ કષાયોને પણ વ્યક્ત (=સફળ) કરી દેવાની તલપ હોય છે. તથા (2)ખણવાથી જેમ ખણજ વધતી જાય છે, એમ કષાયોને સફળ કરતા રહેવાથી એ વધતા જાય છે. (3) ખણ્યા પછી બળતરા વધવા પર ખણ્યાનો પાછળથી પશ્ચાત્તાપ થાય છે એમ ક્રોધ કર્યા પછી પશ્ચાત્તાપ થાય છે. (4) એ પશ્ચાત્તાપના કારણે હવે યોગવિંશિકા....૮ 106 Page #124 -------------------------------------------------------------------------- ________________ ફરીથી ખણજ ઊઠે તો પણ ખણવું નહીં એવા મનોરથ સેવવા છતાં વિશિષ્ટ રીતે જાગૃતિ ન ધરાવનાર ને સત્ત્વ ન ધરાવનાર ખણવાનું રોકી શકતો નથી. આવું જ ક્રોધ કષાય માટે છે. માટે ક્રોધને કંડૂ = ખણજની ઉપમા આપી છે. ક્રોધના ઉપલક્ષણથી બધા કષાયો અહીં જાણી લેવા વિષયોની તૃષ્ણા પણ વિષયભોગથી શમવાના બદલે વધતી જ જાય છે. માટે ક્રોધકંડૂ અને વિષયતૃષ્ણા બન્નેનો ઉપશમ જોઇએ. (૨) હંમેશા કારણ પૂર્વવર્તી હોય છે ને કાર્ય પશ્ચાદ્વર્તી હોય છે. એટલે અનુભાવ = પશ્ચાદ્ભાવી = કાર્ય એવો અર્થ મળે છે. તેથી, અનુકંપા વગેરે ઇચ્છાયોગ વગેરેના કાર્યભૂત છે એ પ્રમાણે અહીં અર્થ જાણવો. (૩) જેમ, ધૂમ એ વહ્નિનું લિંગ=જ્ઞાપકહેતુ છે, કારણકે વહ્નિનું કાર્ય છે એમ અનુકંપા વગેરે સમ્યત્વના લિંગ છે, માટે સમ્યત્વના કાર્યભૂત છે. તેમ છતાં, સમ્યક્તથી ઉત્પન્ન થતાં જે અનુકંપાદિ હોય છે તે, અપેક્ષાએ સામાન્યકક્ષાના હોય છે, ને ઇચ્છાયોગ વગેરેથી જે અનુકંપાદિ પ્રગટે છે તે વિશિષ્ટ કક્ષાના હોય છે. એટલે, આવા વિશિષ્ટ કક્ષાના અનુકંપાદિને ઇચ્છાયોગાદિના કાર્ય તરીકે કહેવામાં, અનુકંપા * °:Sા .. * નિમાં મુખ્યરૂપે દોષો પ્રત્યે દ્વેષ વર્તતો હોય છે અને સંવેગમાં મુખ્યરૂપે ગુણોનો રાગ વર્તતો હોય છે જ્યારે પ્રથમ (ઉપશમ) પરિણામવાળાં જીવને સર્વત્ર ઉદાસીન ચિત્ત વૃદ્ધિમતુ થાય તેવો પરિણામ મુખ્ય રૂપે હોય છે...'' આવી બધી કલ્પના વાસ્તવિકતાથી વેગળી જણાય છે. કારણકે (૧) સમ્યત્વના લિંગભૂત ઉપશમની અહીં વાત છે. મોક્ષે મ ર સર્વત્ર નિ:સ્પૃહો મુનિસત્તમ: આ તો બહુ જ ઊંચી કક્ષાના મહાત્માની વાત છે. અલબત્ સમ્યત્વીના સામાન્ય ઉપશમ કરતાં ભિન્ન વિશિષ્ટ પ્રકારના ઉપશમની અહીં વાત છે જ, પણ આવા પ્રશસ્ત રાગ-દ્વેષના પણ અભાવરૂપ ઉપશમને જ અહીં વિશિષ્ટઉપશમ તરીકે લેવો નથી, નહીંતર તો ઉપશમવિશેષ’ એવો સામાન્ય ઉલ્લેખ ન કરતાં એવો સ્પષ્ટ ઉલ્લેખ જ કર્યો હોત. તથા દેશવિરતના ઉપશમને પણ અહીં ઉપશમવિશેષ તો કહેવાનો જ છે. એને તો પ્રશસ્તરાગશ્રેષના પણ અભાવરૂપ ઉપશમ સામાન્યતયા હોતો નથી. (૨) નિર્વેદથી સંસાર પ્રત્યે ઉગ અને સંવેગથી જે મોક્ષપ્રાપ્તિની ઝંખના જાગી છે એને સફળ કરવા માટે ક્રોધાદિનો ઉપશમ આવશ્યક છે, એટલે ક્રોધની ત્યાજ્યતાની બુદ્ધિ તો ઉપરથી આ અવસ્થામાં જરૂરી છે. (૩) વળી, જે ખણજ સ્વરૂપ છે એવા ક્રોધાદિના ઉપશમની અહીં વાત છે. તથા, વિષયતૃષ્ણાસ્વરૂપ રાગના ઉપશમની અહીં વાત છે. એ તો વૃત્તિકારે સ્પષ્ટ જણાવ્યું છે. પ્રાસ્તદ્વેષ (=દોષો પ્રત્યેનોષ) કાંઇ ‘ખણજ સ્વરૂપ નથી કે પ્રશસ્તરાગ ( ગુણો પ્રત્યેનો રાગ) કાંઇ વિષયતૃષ્ણાસ્વરૂપ નથી. તે પણ એટલા માટે કે અમુક અવસ્થા પછી એ સ્વયં નિવૃત્ત થઈ જનારો હોય છે, ખણજની જેમ ઉત્તરોત્તર વધ્યા જ કરનારો હોતો નથી. તેથી, પ્રશસ્ત રાગ-દ્વેષના પણ અભાવવાળા ઉદાસીન ચિત્ત રૂપ ઉપશમની અહીં વાત છે એ વાત બરાબર નથી. (ઇચ્છા-અનુકંપાદિ કા. કા. ભાવ 167) Page #125 -------------------------------------------------------------------------- ________________ વગેરે સમ્યક્ત્વના કાર્યભૂત છે’ આવી પ્રવચનપ્રસિદ્ધ વાતનો કોઇ વિરોધ થતો નથી એ જાણવું. वस्तुतः केवलसम्यक्त्वलाभेऽपि व्यवहारेणेच्छादियोगप्रवृत्तेरेवानुकम्पादिभावसिद्धेः अनुकम्पादिसामान्ये इच्छायोगादिसामान्यस्य तद्विशेषे च तद्विशेषस्य हेतुत्वमित्येव न्यायसिद्धम्। વૃત્તિઅર્થ : વસ્તુતઃ કેવલ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તો પણ વ્યવહારથી ઇચ્છાયોગ વગેરેની પ્રવૃત્તિથી જ અનુકંપા વગેરે ભાવો પેદા થતા હોવાથી સામાન્ય પ્રકારના અનુકંપાદિભાવો પ્રત્યે સામાન્યપ્રકારના ઇચ્છાયોગાદિ કારણ છે ને વિશેષ પ્રકારના તે-અનુકંપાદિભાવો પ્રત્યે વિશેષપ્રકારના તે = ઇચ્છાયોગાદિ કારણ છે, આવું માનવું એ ન્યાયસિદ્ધ = યુક્તિસંગત છે. વિવેચન : પૂર્વે જે કહ્યું એનો અર્થ એવો થયો કે સામાન્ય પ્રકારના અનુકંપા વગેરે પ્રત્યે સમ્યક્ત્વ કારણ છે ને વિશેષપ્રકારના અનુકંપા વગેરે પ્રત્યે ઇચ્છાયોગાદિ કારણ છે. અર્થાત્ બન્ને પ્રત્યેના કારણો અલગ-અલગ થયા... એટલે આવું ન થાય એ માટે વૃત્તિકારે વસ્તુત: વગેરે કહ્યું છે. સમ્યક્ત્વના લિંગ તરીકે આસ્તિક્ય, અનુકંપા વગેરે પાંચ પ્રસિદ્ધ છે. એમાંથી આસ્તિક્ય તો સમ્યક્ત્વની પ્રાપ્તિની સાથે જ પેદા થઈ જાય છે. કારણકે એ પણ જો ન હોય તો સમ્યક્ત્વ શું ? આ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય. તે પણ એટલા માટે કે અહીં આસ્તિક્ય એટલે માત્ર આત્મા-પુણ્ય-પાપ-પરલોકની શ્રદ્ધા જ નથી, કારણકે એ તો અભવ્યાદિને પણ સંભવિત છે, પણ, મોક્ષ છે - મોક્ષના ઉપાયો છે... અહીં સુધીના છએ સ્થાનોની અસ્થિમજ્જા જેવી શ્રદ્ધા એ આસ્તિક્ય છે.... ને આવી શ્રદ્ધા વિના તો સમ્યક્ત્વ સંભવિત જ નથી. માટે સમ્યક્ત્વપ્રાપ્તિથી જ આસ્તિક્ય તો હોય જ છે. અહીં કેવલસમ્યક્ત્વલાભેઽપિ...જે જણાવ્યું છે એમાં કેવલ દેશિવરતિસર્વવિરતિથી રહિત, માત્ર સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય ત્યારે પણ... એટલે એ વખતે નિશ્ચયથી ઇચ્છાદિ યોગો તો હોતા નથી. છતાં વ્યવહારથી ઇચ્છાયોગ વગેરે હોય છે ને એનાથી જ સમ્યક્ત્વીને પણ અનુકંપાદિ પ્રાપ્ત થઈ જાય છે. અર્થાત્ વ્યવહારથી ઇચ્છાયોગ એ અવિરતસમ્યગ્દષ્ટિમાં જે અનુકંપા જોવા મળે તેવી સામાન્યપ્રકારની 108 (યોગવિંશિકા....૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ અનુકંપાનું કારણ છે. એમ, વ્યવહારથી પ્રવૃત્તિયોગ એ સામાન્યનિર્વેદનું, વ્યવહારથી સ્થિરયોગ એ સામાન્યસંવેગનુંને વ્યવહારથી સિદ્ધિયોગ એ સામાન્ય ઉપશમનું કારણ છે. તથા દેશવિરત–સર્વવિરતમાં જે અનુકંપાદિ હોય તે વિશેષ પ્રકારના અનુકંપાદિ છે. આ વિશેષ પ્રકારના અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપરામ પ્રત્યે ક્રમશઃ નિશ્ચયથી ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરયોગ ને સિદ્ધિયોગ એ હેતુ છે. અવિરતસમ્યક્ત્વી જીવને એ હજુ ઇચ્છાયોગાદિ પામ્યો ન હોય ત્યારે પણ કંઇક અનુકંપા વગેરે લિંગો તો હોય જ, આવું જો માનવાનું હોય તો, એ અનુકંપાદિ વ્યવહારથી ઇચ્છાયોગાદિ જન્ય જે સામાન્ય અનુકંપાદિ અહીં કહ્યા છે એના કરતાં પણ વધુ સામાન્યકક્ષાના હોય એમ માનવું પડેને એના પ્રત્યે તો સમ્યક્ત્વ જ કારણભૂત છે એમ માનવું પડે. પણ એનો અહીં ‘અનુકંપાસામાન્ય’ વગેરે તરીકે પણ ઉલ્લેખ નથી એ જાણવું. અલબત્ત, સદ્ધર્મવિંશિકાની સાક્ષીપૂર્વક આગળ જે કહ્યું છે કે ‘શમસંવેગ... વગેરે સમ્યક્ત્વગુણો પદ્માનુપૂર્વીથી જ પ્રાપ્ત થાય છે’તે તો શમ-સંવેગ વગેરેની પ્રાપ્તિના પૂર્વાનુપૂર્વી ક્રમનો જેમ નિષેધ કરે છે તેમ તે પ્રાપ્તિના યૌગપદ્યનો પણ નિષેધ કરે છે, ને તેથી સમ્યક્ત્વની સાથે જ શમ-સંવેગાદિ પાંચે ય એકસાથે ઉત્પન્ન થઈ જાય છે, એ વાત ઊભી રહી શકે નહીં. સમ્યક્ત્વની સાથે આસ્તિક્ય ઉત્પન્ન થઈ જાય. ને અનુકંપા વગેરે તો ઇચ્છાયોગાદિ આવે ત્યારે ઉત્પન્ન થાય. અલબત્ સમ્યક્ત્વી જીવને અનંતાનુબંધી કષાયો હોતા નથી. ને તેથી એના અભાવરૂપ ઉપરામનો નિષેધ તો કરી ન જ શકાય. પણ અપ્રત્યાખ્યાનાવરણ વગેરે જે કષાયો એને ઉદયમાં હોય છે તે પણ અનંતાનુબંધી જેવા, અપ્રત્યાખ્યાનાવરણ જેવા, પ્રત્યાખ્યાનાવરણ જેવા કે સંજ્વલન જેવા... એમ ચાર પ્રકારે હોય છે. એટલે એ કષાયો, અનંતાનુબંધી વગેરે જેવા હોય ત્યાં સુધી વિષયતૃષ્ણા-ક્રોધ વિદ્યમાન હોવાથી શ્રેણિકાદિની જેમ ‘શમ’ ન હોય... અને જ્યારે એ સંજ્વલન જેવા અત્યન્ત મંદ થઈ જાય ત્યારે જ ‘શમ’ આવ્યો કહેવાય. આવો ‘શમ’ભાવ સિદ્ધિયોગથી જ આવે છે એવો અહીં અભિપ્રાય હોય શકે. પ્રશ્ન - પણ ઇચ્છાયોગાદિ ન આવ્યા હોય, ત્યાં સુધી સમ્યક્ત્વ હોય ને છતાં અનુકંપા-નિર્વેદ વગેરે ન હોય આવું બને ? ઉત્તર - શમ-સંવેગ વગેરે સમ્યક્ત્વનાં લિંગો છે. ને લિંગ વિના પણ લિંગી ઇચ્છા-અનુકંપાદિ કા. કા. ભાવ 109 Page #127 -------------------------------------------------------------------------- ________________ રહેવામાં શો વાંધો હોતો નથી. જેમકે ધૂમ વિના પણ અગ્નિ રહી શકે છે. પ્રભુદર્શન વગેરે નિમિત્તે શુભ અધ્યવસાય વધતાં સમ્યક્ત્વ પામી જાય ને હજુ સંવેગ-નિર્વેદ વગેરે ન પ્રગટ્યા હોય એવું બની શકે.... ન ને છતાં, ઠેઠ સિદ્ધિયોગ ન આવે ત્યાં સુધી, સમ્યક્ત્વીને પણ ઉપશમ ન આવે, સ્થિરયોગ ન આવે ત્યાં સુધી સંવેગ ન આવે... આવું બધું માનવા ડિલ તૈયાર થતું ન હોય તો સમ્યક્ત્વની સાથે જ અનુકંપા વગેરેની પણ ઉત્પત્તિ માનવી... પણ એ, પૂર્વે જણાવ્યા મુજબ અત્યન્ત સામાન્યકક્ષાના માનવા અથવા લબ્ધિરૂપ માનવા... ને પશ્ચાનુપૂર્વીથી જે લાભમ કહ્યો છે તે ઇચ્છાયોગાદિજન્ય કંઇક વિશેષ પ્રકારના અનુકંપાદિનો છે કે વ્યક્ત અનુકંપાદિનો છે એમ માનવું આવશ્યક બને છે. એક વિચારણા આવી પણ છે – સમ્યક્ત્વ અને ઇચ્છાયોગ ભેગા મળે તોજ અનુકંપાદિ કાર્યો થાય છે. આસ્તિસ્ય વિનાના જીવના - અર્થાત્ સમ્યક્ત્વ વિનાના જીવના – અર્થાત્ માર્ગાનુસારી જીવના-અનુકંપાદિ પ્રત્યે માત્ર ઇચ્છાદિયોગો એ કારણ છે, અને આસ્તિક્યવાળા જીવના અનુકંપાદિ પ્રત્યે સમ્યક્ત્વ+ઇચ્છાદિયોગો એ કારણ છે. અપુનર્જન્યજીવોને પણ આંશિક આસ્તિક્ય તો હોય જ છે. તેમજ તેઓમાં પણ વ્યવહારથી ઇચ્છાદિયોગો માનેલા છે. એટલે તેઓમાં પણ અનુકંપાદિ માનવા જોઇએ. છેવટે યોગ્યતારૂપે તો એનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. આ બધામાં તત્ત્વ બહુશ્રુતગમ્ય છે. 'अत एव शमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यलक्षणानां सम्यकत्वगुणानां पश्चानुपूर्यैव लाभक्रमः, `प्राधान्याच्चेत्थमुपन्यासः इति सद्धर्मविंशिकायां प्रतिपादितम् ॥ ८ ॥ વૃત્તિઅર્થ : `આ જ કારણે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય સ્વરૂપ સમ્યકત્વના ગુણોનો (લિંગોનો) પશ્ચાનુપૂર્વીથી જ લાભ થવાનો ક્રમ છે. (છતાં) પ્રધાનતાના કારણે ઇë = આ ક્રમે ઉલ્લેખ કરવામાં આવે છે, એ પ્રમાણે સદ્ધર્મવિશિકામાં કહ્યું છે. વિવેચન : (૧) ‘આ જ કારણે’ નો અર્થ આવો જાણવો - અનુકંપા ઇચ્છાયોગનું કાર્ય છે, નિર્વેદ પ્રવૃત્તિયોગનું કાર્ય છે, એમ સંવેગ ને શમ ક્રમશઃ સ્થિરસિદ્ધિયોગનાં કાર્ય છે. વળી, પ્રથમ ઇચ્છાયોગ પ્રાપ્ત થાય છે, પછી પ્રવૃત્તિયોગ.... પછી સ્થિરયોગ ને છેવટે સિદ્ધિયોગ... એટલે અનુકંપા પહેલાં પ્રગટ થાય છે... ને 110 (યોગવિંશિકા....૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ પછી ક્રમશઃ નિર્વેદ-સંવેગ-શમ... આસ્તિક્ય તો સમ્યકત્વની સાથે જ પ્રગટ થઈ ગયું હોય છે. માટે શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય આ પાંચની પ્રાપ્તિ પશ્ચાનુપૂર્વીથી જ = ઉધા ક્રમે જ થાય છે. પ્રશ્ન - તો પછી ઉધાક્રમે જ એનો ઉલ્લેખ પણ કરવો હતો ને... (૨) ઉત્તર - આ પાંચમાં સૌથી વધારે પ્રધાન – મહત્ત્વનો ગુણ શમ છે,ને ઉત્તરોત્તર એની અપેક્ષાએ અલ્પ-અલ્પતર મહત્ત્વના છે. જ્ઞાનધ્યાનતપઃશીલસમ્યકત્વસહિતોઽપ્યહો । તં નાપ્નોતિ ગુણ સાધુર્યમાપ્નોતિ શમાન્વિતઃ। જ્ઞાનસારના આ શ્લોકમાં શમનું મહત્ત્વ દર્શાવ્યું છે. એટલે શમ સૌથી વધારે પ્રધાન છે. ને તેથી પ્રાધાન્યના ક્રમે આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. સદ્ધર્મવિંશિકામાં આ વાત નીચે મુજબ કરી છે – પચ્છાણુપુત્વિઓ પુણ ગુણાણમેએસિ હોઇ લાભકમો પાહસઓ ઉ એવં વિશેઓ સિં ઉવન્નાસો ।। ૬-૧૮૫ ૮૫ तदेवं हेतुभेदेनानुभावभेदेन चेच्छादिभेदविवेचनं कृतम् । तथा च स्थानादावेकैकस्मिन्निच्छादिभेदचतुष्टयसमावेशादेतद्विषया अशीतिर्भेदा: संपन्ना, एतन्निवेदनपूर्वमिच्छादिभेदभिन्नानां स्थानादीनां सामान्येन योजनां शिक्षयन्नाह અવતરણિકાર્થ : આ પ્રમાણે હેતુભેદે અને કાર્યભેદે ઇચ્છાદિના ભેદનું વિવેચન કર્યું અને તેથી સ્થાનાઠિ એક એક યોગમાં ઇચ્છાદિ ચાર ભેદોનો સમાવેશ થવાથી આ યોગવિષયના ૮૦ ભેદો થયા આનું નિવેદન કરવા પૂર્વક ઇચ્છાવગેરે ભેદવાળા સ્થાનાદિ યોગોની સામાન્યથી યોજના દર્શાવતા ગ્રન્થકાર કહે છે - વિવેચન : • શ્રદ્ધા – પ્રીતિ વગેરેની તરતમતાથી અસંખ્યપ્રકારનો ક્ષયોપામ થાય છે. આ ક્ષયો પશમભેઠે ઇચ્છાયોગ – પ્રવૃત્તિયોગ વગેરે ચાર મુખ્ય ભેદ પડે છે ને દરેકના અસંખ્ય પેટાભેદ થાય છે. આ હેતુભેકે ઇચ્છાભેદ કહ્યા. વળી ઇચ્છાદિ ભેદના અનુકંપા વગેરે ચાર કાર્યો છે. એટલે કાર્યભેદે પણ ઇચ્છાદિના ભેદ થાય છે એ જાણવું. તેથી સ્થાનયોગ, ઊર્ણયોગ વગેરે દરેકમાં ઇચ્છા વગેરે ચાર ચાર ભેદનો સમાવેશ થવાથી યોગના કુલ ૮૦ ભેદ થાય છે. (અલબત્ સ્થાન વગેરે પાંચેયના ઇચ્છા - પશ્ચાનુપૂર્વીથી લાભ 111 Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ વગેરે ચાર-ચાર ભેદ ગણતાં કુલ ૨૦ ભેદ થાય છે. એટલે અહીં ‘અશાતિર્મેવા:’ ના સ્થાને ‘વિંશતિર્મેવાઃ' એવો શબ્દ હોવો ઉચિત લાગે છે. કારણકે યોગના ૮૦ ભેદ શી રીતે ઘટાવવા એ એક પ્રશ્ન રહે છે. અનુકંપા વગેરે ચાર તો યોગના કાર્યભૂત છે, સ્વયં યોગરૂપ નથી. એટલે સ્થાનાદિ ૫ × ઇચ્છાદિ ૪ × અનુકંપાદિ ૪ = ૮૦ આમ કહી શકાય નહીં. વળી જ્ઞાનસારના યોગાષ્ટકના સ્વોપજ્ઞટખામાં ઉપાધ્યાયજી મહારાજે સ્વયં સ્થાનાદિ પાંચને ઇચ્છાદિ ચાર વડે ગુણતાં યોગના ૨૦ ભેદો થાય એમ જણાવ્યું છે. જો કે ત્યાં જ આગળ આ વીશે પ્રકારનો યોગ પ્રીતિ આદિ ચાર પ્રકારે છે એમ જણાવ્યું છે. ને તેથી ૨૦× આ પ્રીત્યાદિ ૪ = ૮૦ ભેદ થાય, આવી સંગતિ કરવાનું મન થઈ જાય એ સહજ છે. પણ એમાંય પ્રશ્ન તો ઊભો રહે છે કે આ યોગવિંશિકાની ૧૮ મી ગાથામાં ગ્રન્થકારે સ્વયં ચરમભેદમાં ચરમ યોગનો અન્તર્ભાવ જણાવ્યો છે. એટલે કે સ્થાનાદિ પાંચમાંના છેલ્લા અનાલંબન યોગનો પ્રીત્યાદિ ચારમાંના માત્ર છેલ્લા અનાસંગયોગમાં જ સમાવેશ કર્યો છે, પણ પ્રીત્યાદિ ચારેમાં નહીં, તેથી જ્ઞાનસારના ટખામાં જે વીરો પ્રકારના યોગને પ્રીત્યાદિ ચાર પ્રકારનો કહ્યો છે એનો અર્થ વીશે પ્રકારના યોગના પ્રીત્યાદિ ચાર ચાર પ્રકારો છે એવો કરી શકાય નહીં. માટે એનો અર્થ એવો જ કરવો પડે કે વીશે પ્રકારના યોગનો જુદી રીતે પ્રીત્યાદિ ચાર પ્રકારમાં સમાવેશ થાય છે ને આવો અર્થ કરીએ તો ૨૦ × ૪ = ૮૦ આ રીતે સંગતિ કરી શકાય નહીં. માટે અહીં વિંશતિર્મેવા: એવો પાઠ હોવો સમુચિત ભાસે છે. અલબત્ આગળ નવમી ગાથાની વૃત્તિમાં પણ અશીતિમેવો યોઽ: એવો જ પાઠ છે. એટલે ત્યાં પણ વિંશતિમેવો યોગ: એવો પાઠ માનવો પડે. ‘બન્ને સ્થળે કાંઇ લહિયાની ભૂલ ન થાય, ને તેથી યોગના ૮૦ ભેદ માનવા જોઇએ....’ આવો જો અભિપ્રાય રહેતો હોય તો આ અવતરણકામાં અનુમાવષેવેન વેચ્છાવિમેવિવેચન તમ્ આવી જે પંક્તિ છે એના પર પુનઃ વિચાર કરવો જોઇએ. આમાં કાર્યભેદે ઇચ્છાદિના ભેદની વાત કરી છે. ઇચ્છાયોગથી અનુકંપા, પ્રવૃત્તિયોગથી નિર્વેદ... વગેરે જ જો માનવાનું હોય તો અનુકંપા, નિર્વેદ...વગેરે કાર્ય ભિન્ન ભિન્ન હોવાથી ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ... વગેરે જુદા જુદા છે આવું કહેવાનો વિશેષ મતલબ ન રહે, કારણકે ઇચ્છા-પ્રવૃત્તિ વગેરેનો ભેઠ તો સ્વરૂપભેદે પણ છે જ, પછી એનો કાર્યભેઠે ભેદ કહેવાની શી આવશ્યકતા ? માટે એમ માનવું જોઇએ કે ઇચ્છાયોગથી પણ અનુકંપા વગેરે ચારે ઉત્પન્ન થાય છે, પ્રવૃત્તિયોગથી પણ અનુકંપા વગેરે ચારે ઉત્પન્ન થાય છે, એમ સ્થિર ને સિદ્ધિયોગથી (યોગવિંશિકા....૮) 112 Page #130 -------------------------------------------------------------------------- ________________ પણ ચારે ઉત્પન્ન થાય છે. પણ ઇચ્છાયોગથી જેવી અનુકંપાજેવો નિર્વેદવગેરે ઉત્પન્ન થાય તેના કરતાં પ્રવૃત્તિયોગથી ઉત્પન્ન થનાર અનુકંપા નિર્વેદ વગેરે વિશિષ્ટ કક્ષાના હોય.. ને સ્થિર - સિદ્ધિયોગથી ઉત્પન્ન થનાર તે ઓર-ઓર વિશિષ્ટ કક્ષાના હોય. આવું માનવાથી, “સમ્યક્ત હોવા છતાં જ્યાં સુધી કમશઃ પ્રવૃત્તિ-સ્થિરને સિદ્ધિયોગ ન આવે ત્યાં સુધી ક્રમશઃ નિર્વેદ, સંવેગને શમન હોય આવું માનવાની જે જરૂર પડતી હતી તે હવે રહેતી નથી, કારણકે સામાન્યકક્ષાના નિર્વેદ વગેરે તો ઇચ્છાયોગથી પણ પેદા થઈ જ જાય છે. એટલે હવે ઇચ્છાયોગના પણ કાર્યભેદે ચાર ભેદથશે. અનુકંપાજનક ઇચ્છાયોગ અલગ ને નિર્વેદજનક ઇચ્છયોગ અલગ... એમ સમજનક ને સમજનક ઇચ્છાયોગ અલગ-અલગ... આ જ રીતે પ્રવૃત્તિયોગ વગેરે ત્રણેના અનુકંપાજનક પ્રવૃત્તિયોગ... વગેરે ચાર-ચાર ભેદ જાણવા. એટલે સ્થાનાદિ પાંચ * ઇચ્છાયોગાદિ ક x અનુકંપાજનક વગેરે ૪ = ૮૦ ભેદ થઈ જશે. તથા આવો અર્થ કરવામાં, આઠમી ગાથાની વૃત્તિમાં વ્યવહારને છારિયો પ્રવૃત્તેિરેવાનુપાત્રિમાસિદ્ધ अनुकम्पादिसामान्य इच्छायोगादिसामान्यस्य तद्विशेषे च तद्विशेषस्य हेतुत्वमित्येव ન્યાદ્ધિનું આવી જે પંક્તિ છે એનો અર્થ આ રીતે કરવો. વ્યવહારથી ઇચ્છા વગેરે (કોઈપણ) યોગની પ્રવૃત્તિથી અનુકંપા વગેરે ભાવો ઉત્પન્ન થાય છે. ને તેથી, સમ્યકત્વના ગુણ (લિંગ) તરીકે અનુકંપાદિ ચારે સમાન છે, ને એમ યોગ તરીકે ઇચ્છાવગેરે ચારે સમાન છે. એટલે સમ્યકત્વના ગુણ પ્રત્યે (અનુકંપાદિ સામાન્ય પ્રત્યે) યોગ (ઇચ્છાયોગાદિ સામાન્ય) કારણ છે આવો અર્થ થાય. વળી, અનુકંપા પ્રત્યે મુખ્યતયા ઇચ્છાયોગ હેતુ છે, પછી પ્રવૃત્તિ વગેરે યોગ આવતા એ ઉત્તરોત્તર વિશદ થતી જાય, પણ મુખ્યતયા ઇચ્છાયોગથી જ પ્રગટ થાય. માટે અનુકંપાવિશેષ પ્રત્યે ઇચ્છાયોગ સ્વરૂપ યોગવિશેષ હેતુ છે એમ કહેવાય. ઇચ્છાયોગથી નિર્વેદ સામાન્યક્ષાનો પ્રગટ થાય. પણ પછી પ્રવૃત્તિયોગ આવે એટલે મુખ્યતયા નિર્વેદ ઉત્પન્ન થઈ જ જાય. પછી સ્થિર ને સિદ્ધિ યોગ આવતા એ દઢ-દઢતર બને, પણ મુખ્યતયા એ પ્રવૃત્તિયોગથી પેદા થઈ ગયો હોય, એટલે નિર્વેદ પ્રત્યે પ્રવૃત્તિયોગ સ્વરૂપ યોગવિશેષ હેતુ કહેવાય. આ જ રીતે સંવેગ અને શમ પ્રત્યે ક્રમશઃ સ્થિર ને સિદ્ધિ સ્વરૂપ યોગવિશેષ હેતુ છે, ઇચ્છાદિયોગ સામાન્યરૂપે હેતુ છે. આમ, ક્રમશઃ ઇચ્છાયોગાદિ આવે છે ને કમશઃ મુખ્યરૂપે અનુકંપાદિ ઉત્પન્ન થાય છે, એને નજરમાં લઇને પશ્ચાનુપૂર્ચેવે તામઝમ: એમ કહ્યું છે, એવું પણ સમજવું પડે. ચૈિત્યવંદનમાં યોજના) (13) Page #131 -------------------------------------------------------------------------- ________________ આ ૮૦ ભેદુંની સંગતિ કરવા માટે એક વિચારણા બતાવી. બાકી તત્ત્વ તો બહુશ્રુતો જાણે છે. આમ, પાંચમી-છઠ્ઠી ગાથામાં ઇચ્છાદિનું સ્વરૂપ દર્શાવીને, સાતમી ગાથામાં ઇચ્છાદિના કારણભૂત શ્રદ્ધા વગેરે જન્ય ક્ષયોપરામભેદોને જણાવીને અને આઠમી ગાથામાં ઇચ્છાદિના કાર્યભૂત અનુકંપાદિ જણાવીને ઇચ્છાદિભેદોનું વિવેચન કર્યું. હવે, ઇચ્છાદિભે ભલે સ્થાનાદિ ભિન્ન ભિન્ન છે, પણ એ ભેદને નજરમાં લીધા વગર સામાન્ય રીતે સ્થાનાદિ યોગની યોજના ચૈત્યવંદનના દૃષ્ટાન્તથી કરવી જોઇએ એવી ગ્રન્થકાર નવમી ગાથામાં સલાહ આપે છે एवं ठियम्मि तत्ते नाएण उ जोयणा इमा पयडा चिइवंदणेण नेया, नवरं तत्तण्णुणा सम्मं ॥ ९ ॥ ગાથાર્થ : તત્ત્વ આ પ્રમાણે હોવું નિશ્ચિત થયે, તત્ત્વના જાણકારે ચૈત્યવંદન રૂપ દષ્ટાન્ત સાથે આવી સમ્યક્ રીતે આ પ્રમાણે પ્રગટ યોજના જાણવી. एवं इत्यादि । एवं = अमुना प्रकारेणेच्छादिप्रतिभेदैरशीतिभेदो योगः, सामान्यतस्तु स्थानादिपञ्चभेद इति तत्त्वे = योगतत्त्वे स्थिते = व्यवस्थिते ज्ञातेन तु = दृष्टान्तेन तु चैत्यवन्दनेन इयं प्रकटा=क्रियाभ्यासपरजनप्रत्यक्षविषया योजना = प्रतिनियतविषयव्यवस्थापना नवरं = केवलं तत्त्वज्ञेन सम्यग् = अवैपरीत्येन ज्ञेया ॥ ९॥ વૃત્તિઅર્થ : આ પ્રમાણે ઇચ્છા વગેરે પ્રતિભેદોની અપેક્ષાએ યોગ ૮૦ પ્રકારનો છે અને સામાન્ય ભેદોની અપેક્ષાએ સ્થાનાદિ પાંચ પ્રકારનો છે એ પ્રમાણે યોગતત્ત્વ નિશ્ચિત થયે ચૈત્યવન્દનરૂપ દષ્ટાન્ત દ્વારા તત્ત્વના જાણકારે યોગને સેવવાના અભ્યાસમાં તત્પર સાધકોને જે પ્રત્યક્ષ છે એવી આ યોજના = પ્રતિનિયત વિષયની વ્યવસ્થાપના સમ્યગ્ = અવિપરીત પણે જાણવી. વિવેચન : જોયોગના ૨૦ ભેઠો જ ગણવાના હોય તો અહીં પણ અતિમેવો યોગ: ના સ્થાને ‘વિંશતિમેવો યોગઃ’ એમ પાઠ હોવો જોઇએ. ચૈત્યવન્દન એ અહીં ધર્મવ્યાપારના દષ્ટાન્ત તરીકે લેવામાં આવ્યું છે. આશય એ છે કે યોગના અધિકારી જીવો કોણ અને અનધિકારી કોણ ? એ રીતે યોગના વિષયભૂત જીવોની ચોક્કસ વ્યવસ્થારૂપ યોજના તત્ત્વજ્ઞે સમ્યગ્ રીતે જાણવી જોઇએ. (જેથી ચૈત્યવન્દન અને 114 યોગવિંશિક....૯) Page #132 -------------------------------------------------------------------------- ________________ એ દ્વારા સ્થાનાદિ) કોઈ અયોગ્ય જીવને આપી દેવા રૂપ વૈપરીત્ય થાય નહીં. વળી યોગ્ય જીવને પણ સ્થાનાદિ આપવામાં આવે ત્યારે પ્રથમયા એ પ્રાયઃ કરીને ઇચ્છાયોગભેદે જ પ્રાપ્ત થાય છે. ક્વચિત્ કોઇકને પ્રવૃજ્યાદિભેદે પ્રાપ્ત થાય તો પણ સ્થાનાદિ આપવાની પ્રક્રિયામાં કશો તફાવત હોતો નથી. માટે અહીં સામાન્યથી સ્થાનાદિ યોગની યોજના બનાવી છે. એના ઇચ્છાદિ પ્રતિભેદોની નહીં.) જો કે ચૈત્યવન્દનમાં યોગ્ય મુદ્રાપાલન એ સ્થાનયોગ છે, વિશુદ્ધરીતે સૂત્રોચ્ચાર એ ઊર્ણયોગ છે.* વગેરે રીતે વિષયવિભાગ દર્શાવવો એને પણ અહીં યોજના તરીકે કહી શકાય છે. પણ આગળ ૧૦મી વગેરે ગાથામાં કે જ્યાં આ યોજના દર્શાવવાની છે, એમાં આવું કોઇ વિષયવિભાજન ન દર્શાવતા “આવા જીવને સ્થાનાદિયોગનો આ લાભ થાય, માટે એ અધિકારી છે. આવા જીવને આ રીતે લાભ શક્ય છે, માટે એ પણ અધિકારી છે.. વળી અમુક પ્રકારના જીવને કશો લાભ થતો નથી. માટે એ અનધિકારી છે. આવું વિષયવિભાજનદર્શાવ્યું છે, માટે પ્રસ્તુતમાં, * ફરીથી, આ જાણી લેવું કે કાયાનું શાસ્ત્રનિયંત્રિત પ્રવર્તન એ જ સ્થાનયોગ છે, વાણીનું શાસ્ત્રનિયંત્રિત પ્રવર્તન એ જ ઊર્ણયોગ છે. એટલે પોતાનો ઉપયોગ ક્યારેક સ્થાનમાં વર્તે છે. ક્યારેક ઊર્ણમાં વર્તે છે.. વગેરે રૂપે સ્થાનમાં વર્તતો ઉપયોગ એ સ્થાનયોગ... વગેરે અર્થ ઉપસાવવાની જરૂર નથી. કારણકે ઉપયોગને જ જો સ્થાનાદિયોગ તરીકે માનવાનો હોય તો સ્થાનાદિ પણ જ્ઞાનયોગ બની જાય. ક્રિયાયોગરૂપ રહે નહીં. અલબત્ અધ્યાત્મસારમાં પવિશુદ્ધસ્થ શ્રદ્ધાપરિયોતિ: / અક્ષત તિત્વજ્ઞાનયોગ નતિમતા એવા શ્લોકદ્વારા સ્થાનાદિ ક્રિયાયોગને પણ જ્ઞાનયોગ તરીકે કહ્યો છે. પણ એ જુદી વિવેક્ષા છે. એ જ વિવક્ષાથી અહીં પણ સ્થાનાદિને જો જ્ઞાનયોગ તરીકે લઈ લેવાના હોય તો અહીં યોગના જે કર્મયોગ અને જ્ઞાનયોગ એમ બે વિભાગ દર્શાવ્યા છે તે ઊભા ન રહી શકે, કારણ કે સ્થાનાદિ પણ જ્ઞાનયોગમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. માટે અહીં તો ક્રિયાત્મક હોય તે કર્મયોગ” એટલી જ વિવક્ષા હોવાથી સ્થાનઊણને ક્રિયાત્મક જ લેવાના છે, ઉપયોગાત્મક નહીં એ સ્પષ્ટ છે. તથા સ્થાનાદિમાં છિન્નજ્વાલા દષ્ટાન્ત ઉપયોગ જાય એનો નિષેધ કરવાનો પણ અહીં અભિપ્રાય નથી. અમારો અભિપ્રાય એટલો જ છે કે સ્થાનયોગ તરીકે કાયાનું શાસ્ત્રનિયત્રિત પ્રવર્તન જ મુખ્યતયા અભિપ્રેત છે, એનો ઉપયોગ નહીં. જેમ આલબનભૂત પ્રતિમા પર દષ્ટિ સ્થિર કરવા-રાખવા રૂપ કિયા હોવા છતાં (અને આ કારણે “આ સાધક પ્રતિમાના કેવા દઢ આલંબનવાળો છે” એવી અન્યને પ્રતીતિ થતી હોવા છતાં) નો ઉપયોગ બીજે ક્યાંક ભટકતો હોય તો આલંબન યોગ કહેવાતો નથી, ઉપયોગ પ્રતિમામાં સ્થિર હોય તો જ આલંબનયોગ કહેવાય છે. અર્થાત્ એમાં યિા ગૌણ છે, ઉપયોગ જ પ્રધાન છે. માટે એ જ્ઞાનયોગ છે. એમ સ્થાન અને ઊર્ણમાં (છિન્ન જ્વાલા દષ્ટાંતે ઉપયોગ જતો હોવા છતાં અને) મુખ્ય સતત ઉપયોગ ન હોવા છતાં જો પરપ્રત્યય જનક અને બાહ્ય કિયા રૂપ એવું કાયા/વાણીનું શાસ્ત્ર નિયંત્રિત પ્રવર્તન છે તો સ્થાન/ઊર્ણયોગ કહેવાય જ છે. અર્થાતુ એમાં ઉપયોગ ગૌણ છે ને ક્યિા મુખ્ય છે. માટે એ ક્વિાયોગરૂપ જ છે. ચિત્યવંદનમાં સ્થાનાઠિયોગ (115) Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત વિષયવ્યવસ્થા... એ યોજના તરીકે અભિપ્રેત જણાય છે એ જાણવું. વળી, જેઓ ક્રિયાઅભ્યાસમાં તત્પર છે એવા સાધકો, વિવક્ષિત જીવ સ્થાનાદિ સાચવશે કે નહીં ? (અને તેથી એ સ્થાનાદિના વિષયભૂત છે કે નહીં ?) એ સહજ જાણી શકે છે. માટે અહીં, આ વ્યવસ્થા પ્રક્ટ હોવી કહી છે, અર્થાત્ ક્રિયાભ્યાસમાં તત્પરજનને આ વ્યવસ્થા પ્રત્યક્ષ હોવી કહી છે. ॥ ૯॥ तामेवाह अरिहंतचेइयाणं करेमि उस्सग्ग एवमाइयं । सद्धाजुत्तस्स तहा होड़ जहत्थं पयन्नाणं ॥ १० ॥ एयं चऽत्थालंबणजोगवओ पायमविवरीयं तु । इयरेसिं ठाणाइसु जत्तपराणं परं सेयं ॥ ११ ॥ અવતરણિકાર્થ : નવમી ગાથામાં જે યોજના કરવાનું કહ્યું તે યોજના જ ગ્રન્થકાર દર્શાવે છે ગાથાર્થ : ‘અરિહંત ચેઇયાણં કરેમિ કાઉસ્સગ્ગ’ વગેરે રૂપે સૂત્રમાં જે પ્રકારે પઠ હોય તે પ્રકારે, શ્રદ્ધાયુક્તને (શ્રદ્ધાયુક્ત શ્રોતાને) યથાર્થ પદજ્ઞાન થાય છે. આ પરિશુદ્ધ પદજ્ઞાન અર્થ અને આલંબનયોગવાળાને પ્રાયઃ અવિપરીત જ નીવડે છે. અને ઇતર = અર્થ-આલંબનયોગશૂન્ય પણ જે જીવો સ્થાનાદિના સેવનમાં યત્નપર= પ્રયત્નશીલ હોય તેઓને પણ પરમશ્રેયોભૂત નીવડે છે. अरिहंत इत्यादि । 'अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं' एवमादि चैत्यवन्दनदण्डकविषयं 'श्रद्धायुक्तस्य = क्रियाऽऽस्तिक्यवतः तथा = तेन प्रकारेणोच्चार्यमाणस्वरसंपन्मात्राविशुद्धस्फुटवर्णानुपूर्वीलक्षणेन यथार्थं = अभ्रान्तं पदज्ञानं भवति । परिशुद्धपदोच्चारे 'दोषाभावे सति 'परिशुद्धपदज्ञानस्य श्रावणसामग्रीमात्राधीनत्वादिति भावः ॥१०॥ વૃત્તિઅર્થ : ‘અરિહંતચેઇયાણં કરેમિ કાઉસ્સગ્ગ’ ઇત્યાદિ ચૈત્યવન્દનદંડકનું શ્રદ્ધાયુક્તજીવને = ક્રિયાનું આસ્તિક્ય ધરાવનાર જીવને તથા = તે પ્રકારે = જે પ્રમાણે શાસ્ત્રોક્ત હોય તે પ્રમાણે અર્થાત ઉચ્ચારાતા સ્વર, સંપદા, માત્રા વગેરેની શુદ્ધિવાળા સ્પષ્ટ વર્ણોની આનુપૂર્વીથી યથાર્થ = અભ્રાન્ત પદજ્ઞાન થાય છે, કારણકે યોગવિંશિકા....૧૦-૧૧ 116 Page #134 -------------------------------------------------------------------------- ________________ પરિશુદ્ધપદોચ્ચાર હોતે છતે જો કોઇ દોષ હોય નહીં તો પરિશુદ્ધપદજ્ઞાન થવું એ માત્ર શ્રાવણપ્રત્યક્ષની સામગ્રીને આધીન હોય છે. વિવેચનઃ સ્થાનાદિયોગના વિષયભૂત (=અધિકારી) જીવને સ્થાનાદિ આપવાનો અધિકાર ચાલે છે... સ્થાનાદિયોગ સ્વતન્ત્ર આપી શકાતા નથી. એટલે સ્થાનાદિ જેમાં સંવલિત થઈને યોગ્ય જીવને પ્રાપ્ત થાય એવા ચૈત્યવન્દનાદિ ધર્મવ્યાપારને દષ્ટાન્ત તરીકે લઈને એ આપવાની વાત ગ્રન્થમાં આવી છે. ગુરુ યોગ્ય જીવને ચૈત્યવન્દનના સૂત્ર આપે ત્યારે યોગ્ય મુદ્રા જાળવવા દ્વારા જ આપે છે. એ જોઈને ક્રિયાના આસ્તિક્યવાળા જીવને તેતેસૂત્ર-ફ્લિાવખતે કઇ કઇ મુદ્રા જાળવવી એનું અભ્રાન્તજ્ઞાન થઈ જાય છે, જેથી પછી એ પણ એવી મુદ્રા જાળવતો થાય છે જે સ્થાનયોગ છે. આમ સૂત્રોચ્ચારની સાથે સાથે જ ગુરુ મુદ્રાજ્ઞાન પણ આપી દેતા હોવાથી અહીં મુદ્રા અંગેનો સ્વતન્ત્ર ઉલ્લેખ કર્યો નથી. પણ યથાર્થ પદજ્ઞાન થાય છે આવું જે જણાવ્યું છે એના જ ઉપલક્ષણથી “યથાર્થ સ્થાનજ્ઞાન થાય છે એ પણ જાણી લેવું. વળી, યથાર્થ પદજ્ઞાન થવા માટે જેમ અહીં, ‘પરિશુદ્ધ પદોચ્ચાર હોય અને દોષાભાવ હોય તો શ્રાવણપ્રત્યક્ષની સામગ્રીમાત્રથી યથાર્થ પદજ્ઞાન થઈ જાય છે એવું જણાવ્યું છે એમ એના ઉપલક્ષણથી પરિશુદ્ધ મુદ્રાની જાળવણી હોય અને દોષાભાવ હોય તો ચાક્ષુષપ્રત્યક્ષની સામગ્રીમાત્રથી યથાર્થ મુદ્રા (સ્થાન) જ્ઞાન થઈ જાય છે એ પણ જાણી લેવું. (ઉપલક્ષણથી આ રીતે સ્થાનનું જ્ઞાન થવું પણ માનવું આવશ્યક છે જ, અન્યથા આગળ જે સ્થાનાદિમાં પ્રયત્નશીલ.... વગેરે કહેવાના છે એ અસંગત કરી જાય... તે પણ એટલા માટે કે સ્થાનનું જ્ઞાન જ ન હોય તો એમાં પ્રયત્ન પણ શું થાય?) (૧) યિા વિના પણ ઉદ્ધાર નથી. આવી શ્રદ્ધા જેટલી દઢ એટલી યિાની આતુરતા તીવ્ર... ને એ આતુરતા જેટલી તીવ્ર બને એટલો ક્ષયોપશમ પણ તીવ્ર બને જે પરિશુદ્ધ પદજ્ઞાન કરાવે છે. માટે અહીં, યથાર્થપદજ્ઞાન શ્રદ્ધાયુક્ત જીવને થાય છે એમ કહ્યું છે. આર્યરક્ષિત બ્રાહ્મણને તીવ્ર આતુરતા હતી એટલે ઢફ્ફરશ્રાવકને એક વાર વંદન કરતો જોયોને વંદનનું સૂત્ર બોલતો સાંભળ્યો એનાથી વંદનક્યિા(=વંદન દરમ્યાન કમશઃ પ્રવર્તાવવાની શારીરિક ચેષ્ટારૂપસ્થાન) નેવંદનસૂત્રબન્નેનું જ્ઞાન થઈ ગયું. (એટલે જ, સ્થાનનું પણ અભ્રાન્તજ્ઞાન થવાની જે વાત ઉપલક્ષણથી લીધી, તેમાં થિયાર્થપદ - મુદ્રાાન) [17] Page #135 -------------------------------------------------------------------------- ________________ પણ જીવનું શ્રદ્ધાયુક્ત એવું વિશેષણ આવશ્યક જાણવું.) (૨) તથા = તે પ્રકારે યથાર્થજ્ઞાન થાય છે. તે પ્રકારે એટલે જે પ્રકારે સૂત્રના વર્ણો સાંભળવા મળે તે પ્રકારે. અને સાંભળવા તો તે જ પ્રકારે મળે જે પ્રકારે ઉચ્ચારાતા હોય. એટલે છેવટે એ અર્થ મળ્યો કે વર્ષો જે પ્રકારે ઉચ્ચારાતા હોય તે પ્રકારે = તે કમ = (તે આનુપૂર્વીએ) પદજ્ઞાન થાય છે. માટે અહીં વર્ણાનુપૂર્વીને જ પ્રકાર તરીકે કહી છે. વળી ઊર્ણયોગ આપનાર ગુરુ સ્વયં ઊર્ણયોગમાં સિદ્ધ થયેલા છે. માટે તેઓ સ્વર, સંપદા, માત્રા વગેરેથી શુદ્ધ રીતે અને વર્ષો પરસ્પર ભેગા ન થઈ જાય-દબાઈ ન જાય એ રીતે સ્પષ્ટપણે જ વર્ગોનો ઉચ્ચાર કરે છે. તેથી શ્રોતાને જે પદજ્ઞાન થાય છે તેયથાર્થ થાય છે. (એ જ રીતે ગુરુ સ્થાનયોગમાં પણ સિદ્ધ હોવાથી યથાર્થ મુદ્રા જાળવતા જ હોવાના કારણે શિષ્યને સ્થાનનું પણ યથાર્થશાન થાય છે.) (૩) પરિશુદ્ધપદોચ્ચાર હોવા માત્રથી શ્રોતાને યથાર્થપદજ્ઞાન શી રીતે થઈ જાય? આવી શંકાને નિર્મૂળ કરવા માટે પરિશુદ્ધપદશાન, આવી સામગ્રીમાત્રથી જન્ય છે એ હેતુ તરીકે જણાવવું છે. એટલે એ જણાવવા માટે પરિશુદ્ધપદોચ્ચારે.' વગેરે વાક્ય છે. મૂળમાં યથાર્થપદજ્ઞાન થાય છે એમ જણાવ્યું છે, એટલે વૃત્તિકારે એ થવાનું કારણ દર્શાવી એ થવાની સંગતિ કરી દેખાડી છે. (૪) દોષાભાવે.. ગુરુ તો પરિશુદ્ધ રીતે પદોચ્ચાર કરતા હોય પણ શિષ્યની કર્મેન્દ્રિયમાં કંઈક ખામી હોય તો વ્યવસ્થિતન સંભળાવાના કારણે પદજ્ઞાન અયથાર્થ થવાની શક્યતા રહે છે. તેથી, પરિશુદ્ધપદજ્ઞાન માટે દોષાભાવ* પણ આવશ્યક છે. *પરિશુદ્ધોદ્ગારે તોષામાવે સતિ... આવી જે પંક્તિ છે એમાં વસ્તુતઃ બે સતી સપ્તમીના પ્રયોગ છે. અર્થાતુપદ્ધિવોવારે (ત્તિ) રોષમાવેતિ... આમ પંક્તિ જાણવી જોઇએ. એટલે કે પરિશુદ્ધપદોચ્ચાર પદને જે સાતમી વિભક્તિ લગાડવામાં આવી છે તે સતી સપ્તમીનો અર્થ મેળવવા માટે છે, પણ આધાર અર્થ મેળવવા માટે નથી. ને તેથી, “દોષાભાવ તો કાનમાં રહે છે. એ પરિશુદ્ધ પદોચ્ચારમાં શી રીતે રહે ? વગેરે પ્રશ્ન ઊઠાવી. કાનમાં રહેલા દોષાભાવનો પરિશુદ્ધ પદોચ્ચારમાં ઉપચાર કરવો. વગેરે અયુક્ત કલ્પના કરવી આવશ્યક નથી. વળી ઉપચાર પણ આડેધડ મનફાવે તેમ થઈ શકતો નથી. કાર્યમાં કારણનો, આધેયમાં આધારનો, કોઇ એક વસ્તુમાં એને બહુ સમાન ધર્મવાળી અન્ય વસ્તુનો... આવા બધા થઈ શકે છે. પ્રસ્તુતમાં આમાંનું શું છે કે જેથી દોષાભાવનો ઉપચાર પરિશુદ્ધ પદોચ્ચારમાં થઈ શકે? વળી આયુષ્કૃતમ્ વગેરે સ્થળે ઘીમાં આયુષ્યનો ઉપચાર છે તો ઘી પોતે જ આયુષ્ય કહેવાય છે. ઘીમાં આયુષ્ય' એમ નથી કહેવાતું એમ પ્રસ્તુતમાં જો પરિશુદ્ધપદોચ્ચારમાં દોષાભાવનો ઉપચાર હોય તો પરિશુદ્ધ(118) યોગવિંશિકા...૧૦-૧૧) Page #136 -------------------------------------------------------------------------- ________________ (૫) પરિશુદ્ધપદજ્ઞાન એ શ્રાવણ પ્રત્યક્ષ છે, માટે શ્રાવણપ્રત્યક્ષની જે સામગ્રી હોય એનાથી એ જન્ય હોય એ સ્પષ્ટ છે. વક્તા દ્વારા બોલાતા શબ્દોને કાન દ્વારા સાંભળવા એ શ્રાવણપ્રત્યક્ષ છે, આ જ પદજ્ઞાન છે. શ્રોતા વક્તાથી ખૂબ દૂર હોય તો ઉચ્ચાર્યમાણશબ્દોને સાંભળી શકે નહીં. માટે શ્રોતાનું યોગ્યદેશાવસ્થાન જોઇએ. શબ્દોનો શ્રોતાની કર્મેન્દ્રિય સાથે પર્યાપ્ત સમ્બન્ધ થવારૂપ વ્યંજનાવગ્રહ પણ જોઇએ. (નૈયાયિકની ભાષામાં વિષય-ઇન્દ્રિય સંનિકર્ષજોઇએ.) તથા શ્રોતાના કાનમાં શબ્દો તો ઘણા જાય. પણ પોતાનો ઉપયોગ ન હોય તો પણ શ્રાવણપ્રત્યક્ષ ન થાય. માટે શ્રોતાનો ઉપયોગ પણ શ્રાવણસામગ્રીમાં સમાવિષ્ટ છે. (નૈયાયિકની ભાષામાં આત્મ-મનઃસંયોગનેમન ઇન્દ્રિયસંયોગજોઇએ.) એટલે શ્રાવણ સામગ્રીમાં યોગ્યદેશાવસ્થાન, વ્યંજનાવગ્રહ, ઉપયોગ વગેરે સમાવિષ્ટ છે એ જાણવું. (સ્થાનયોગ માટે પણ ઉપલક્ષણથી બધું જાણી લેવું.... અર્થાત્ પરિશુદ્ધમુદ્રાની જાળવણી હોતે છતે શિષ્યની ચક્ષુમાં ખામી રૂપ દોષનો અભાવ હોય તો સ્થાન (મુદ્રા)નું યથાર્થ જ્ઞાન (=અભ્રાન્તચાક્ષુષપ્રત્યક્ષ) ચાક્ષુષપ્રત્યક્ષની સામગ્રીમાત્રથી જન્ય છે. ચાક્ષુષની સામગ્રીમાં યોગ્યદેશાવસ્થાન, આલોકસંયોગ, ઉપયોગ વગેરેનો સમાવેશ જાણવો.) મે ૧૦ एयं च त्ति । एतच्च परिशुद्धं चैत्यवन्दनदण्डकपदपरिज्ञानम्, 'अर्थ: उपदेशपदप्रसिद्धपद-वाक्य-महावाक्य-ऐदंपर्यार्थपरिशुद्धज्ञानम्, आलम्बनश्च-प्रथमे दण्डके પદોચ્ચાર પોતે દોષભાવ કહેવાય... પણ પરિશુદ્ધપદોચ્ચારમાં દોષાભાવ' આવો અર્થ તો ન મળે. વસ્તુતઃ ‘પરિશુદ્ધપદોચ્ચાર હોતે છતે જો દોષાભાવ હોય તો (અર્થાત્ વક્તાપક્ષે પદનો પરિશુદ્ધ ઉચ્ચાર હોય અને શ્રોતાપક્ષે દોષાભાવ હોય તો) યથાર્થ પદજ્ઞાન માત્ર શ્રાવણપ્રત્યક્ષની સામગ્રીથી જન્ય હોય છે? આવો અહીં અર્થ જાણવો. 0 “અહીં શ્રાવણ સામગ્રીમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. (૧) ઇન્દ્રિયોની ક્ષતિનો અભાવ (૨) શ્રવણકાળમાં ઉપયોગ (૩) પઠનું પરિશુદ્ધ ઉચ્ચારણ (૪) કિયાનું આસ્તિક્ય (૫) યથાર્થ પઠજ્ઞાન...” આવું વિવેચન ગલત જાણવું. કારણકે ‘ઇન્દ્રિયની ક્ષતિનો અભાવ તથા પરિશુદ્ધપઠોચ્ચારણ પણ શ્રાવણસામગ્રીમાં જ સમાવિષ્ટ છે. આવી જ વૃત્તિકારની વિવેક્ષા હોત તો તેઓ એનો પરિશુદ્ધપોરે તોષામાવે સતિ’ એમ સ્વત–ઉલ્લેખ ન કરત. માસ્તપૂજૅ એવો સ્વતંત્ર ઉલ્લેખ ક્ય હોય ત્યારે વેવ શબ્દ હવાથી ભરાયેલાં છિદ્રોવાળો વેણું એવો અર્થન જણાવતાં માત્ર વેણુ એટલો જ અર્થ જણાવે છે. એમ પ્રસ્તુતમાં પરિશુદ્ધપદોચ્ચાર વગેરેનો સ્વતંત્ર ઉલ્લેખ છે, તો શ્રાવણ સામગ્રી પદ એ સિવાયની સામગ્રીને જ જણાવવાના તાત્પર્યવાળો હોય શકે. તથા યથાર્થ પદજ્ઞાન તો સ્વયં કાર્ય છે, એનો કારણસામગ્રીમાં સમાવેશ શી રીતે હોય શકે? [ પદાર્થ – વાક્યર્થાદિ (119) Page #137 -------------------------------------------------------------------------- ________________ ऽधिकृततीर्थकृद्, द्वितीये सर्वे तीर्थकृतः, तृतीये प्रवचनम्, चतुर्थे सम्यग्दृष्टि: शासनाधिष्ठायक इत्यादि, `तद्योगवतः = तत्प्रणिधानवत: प्राय: = बाहुल्येन 'अविपरीतं तु = अभीप्सितपरमफलसम्पादकमेव, अर्थालम्बनयोगयोर्ज्ञानयोगतयोपयोगरूपत्वात् तत्सहितस्य चैत्यवन्दनस्य भावचैत्यवन्दनत्वसिद्धेः, भावचैत्यवन्दनस्य चामृतानुष्ठानरूपत्वेनावश्यं निर्वाणफलत्वादिति भावः । વૃત્તિઅર્થ : આ = ચૈત્યવન્દનદંડકના પદનું પરિશુદ્ધ પદજ્ઞાન, અર્થ = ઉપદેશપદ ગ્રન્થમાં પ્રસિદ્ધ એવા પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યાર્થ અને ઐકંપર્યાર્થ થી પરિશુદ્ધ એવું જ્ઞાન, આલંબન = પ્રથમ ઠંડકમાં અધિકૃત તીર્થંકરદેવ, બીજા ઠંડકમાં બધા તીર્થંકર ભગવંતો, ત્રીજામાં પ્રવચન, ચોથામાં સમ્યગ્દષ્ટિ શાસનદેવ.... વગેરે (આલંબન છે). તેના યોગવાળા જીવને = અર્થ અને આલંબનના પ્રણિધાનવાળા સાધકને (આ પરિશુદ્ધ પદજ્ઞાન) પ્રાયઃ કરીને = બહુલતાએ ‘અવિપરીત નીવડે છે, અર્થાત્ અભીપ્સિત એવા પરમફળનું એ સંપાદક બને જ છે. કારણ કે અર્થયોગ અને આલંબનયોગ જ્ઞાનયોગરૂપ હોવાથી તેનાથી (અર્થ-આલંબનયોગથી) યુક્ત એવું ચૈત્યવન્દન ભાવ ચૈત્યવન્દન તરીકે સિદ્ધ થાય છે. અને ભાવચૈત્યવન્દન તો અમૃતાનુષ્ઠાનરૂપ હોવાથી અવશ્ય નિર્વાણફલક હોય છે. આ પ્રમાણે અહીં ભાવ જાણવો. વિવેચન : યોગનો અધિકારી જીવ ક્રિયાના આસ્તિક્યવાળો છે (અર્થાત્ ઉચિત પ્રબળ શ્રદ્ધાવાળો છે). એટલે એને સ્થાનયોગ ને ઊર્ણયોગની જાણકારી મળવા પર સ્વયં એ કેળવવાની ઇચ્છા જાગે જ. ને તેથી એ માટે એ ક્રમશઃ યથાઉલ્લાસ, યથાશક્તિ ને યથાવિહિત સાધવા માટે પ્રયત્નશીલ બને જ. આવો પુનઃ પુનઃ પ્રયત્ન કરવાથી એનો પણ ક્ષયોપશમ ખીલે છે, ને એ પણ યથોચિત મુદ્રા જાળવતો થાય છે. તેમજ ઉદાત્ત-અનુદાત્ત વગેરે સ્વરની જાળવણી-સંપદાની જાળવણી.... વગેરે પૂર્વક પરિશુદ્ધ પદોચ્ચાર સ્વયં કરતો થાય છે. આ બન્ને યથાઉલ્લાસ કે યથાશક્તિ હોય ત્યાં સુધી ઇચ્છાભેદના સ્થાન-ઊર્ણયોગને તે પામે છે. ને અંગસાકલ્ય ભળતાં યથાવિહિત કરવા માંડે ત્યારથી પ્રવૃત્તિ ભેઠના આ બન્ને યોગને પણ એ પામે છે. (૧) અર્થ :- વળી, સૂત્રપોરિસી પછી અર્થપોરિસી... એ ન્યાયે ગુરુ યોગ્ય શિષ્યને સૂત્ર આપ્યા બાદ એના અર્થ પણ આપે છે. એમાં તે તે પદનો જે સીધેસીધો યોગવિંશિકા...૧૦-૧૧ 120 Page #138 -------------------------------------------------------------------------- ________________ અર્થ હોય (યથાશ્રુત અર્થ હોય) તે પદાર્થ કહેવાય છે. આવા અનેક પદના પદાર્થ મળવા પર એનું પરસ્પર અનુસન્ધાન થાય – એના પર ઊહાપોહ થાય-ત્યારે કંઇક શંકાઓ ઉભી થાય છે. આ શંકાઓને જિજ્ઞાસુભાવે વ્યક્ત કરતું વાક્ય એ વાક્યાર્થ (ચાલના) કહેવાય છે. શંકા સંપૂર્ણતયા નિર્મૂળ થઈ જાય એ રીતે ગુરુ એનું સમાધાન આપે છે. આ સમાધાનવાક્ય એ મહાવાક્યાર્થ (પ્રત્યવસ્થાન) છે. આવું સમાધાન વાસ્તવિક સમાધાનરૂપ જે બને છે એમાં ખરું રહસ્ય ‘જિનાજ્ઞા એ જ ધર્મમાં રહેલું સારભૂત તત્ત્વ છે’ આ નિર્ણય છે. આવા તાત્પર્યનો નિર્ણય કરવો એ એકમ્પર્યાર્થ છે. ‘ન હિંસ્યાત્ સર્વભૂતાનિ’ વગેરે સૂત્રવાક્યો લઇને આ પદાર્થ-વાક્યાર્થ વગેરેની છણાવટ શ્રી ઉપદેશપદ ગ્રન્થમાં કરી છે [અહીં વૃત્તિની પંક્તિમાં પદ-વાક્ય-મહાવાક્ય અને ઐકંપર્ય આ ચાર પદોનો દ્વન્દ્વ સમાસ ફરી એને ‘અર્થ’ પદ જોડેલ છે. તેથી દ્વન્દ્વની આદિમાં કે અન્તે શ્રૃયમાણ પદ (જો તેવી વિવક્ષા હોય તો) દ્વન્દ્વસમાસગત પ્રત્યેક પદને લાગુ પડે છે એ ન્યાયે ‘અર્થ’ શબ્દ ‘પદ’ વગેરે દરેકને લગાડવો... તેથી પદાર્થવાક્યાર્થ... વગેરે શબ્દો મળશે.] ક્રિયાના આસ્તિક્યવાળો સાધક સદા પ્રયત્નતત્પર હોય છે. એટલે સ્વર-સંપદા-માત્રા વગેરેની શુદ્ધિ જળવાઈ રહે એ પ્રમાણે સૂત્રનો ઉચ્ચાર થતો રહે એમ જીભને કેળવે છે, એવી રીતે જેમ જેમ સૂત્રોચ્ચાર થતો જાય તેમ તેમ આવશ્યક પદાર્થ - વાક્યાર્થ વગેરે ઉપસ્થિત થયા કરે ને સર્વત્ર ચૈકં પર્યાર્થ તરીકે જિનાજ્ઞા ભાસ્યા કરે એ રીતે પોતાના મનને (ઉપયોગને) કેળવતો જાય છે. વારંવાર અભ્યાસના કારણે પોતાની એવી કેળવણી કરે છે કે હવે સૂત્ર બોલાતું જાય ને સાથે ઐકંપર્યાર્થ સુધીનો અર્થ પણ મનમાં ચાલતો જાય... ઐઠંપર્યાર્થ સુધીનો આ જ્ઞાનોપયોગ એ અર્થયોગ છે. - શંકા - જેમ જેમ સૂત્રોચ્ચાર થતો જાય તેમ તેમ મનમાં પડે- પદે એક સાથે પદાર્થ-વાક્યાર્થ વગેરે બધું જ ચાલતું જાય આવું શી રીતે માની શકાય ? સમાધાન - તો પછી એવું માનવું જોઇએ કે પદાર્થ તો પડે- પદે વ્યક્તરૂપેઉપયોગરૂપે ચાલે.. વાક્યાર્થ-મહાવાક્યાર્થજિજ્ઞાસાદિને અનુસરીને જ્યાં આવશ્યક્તા હોય ત્યાં વ્યક્તરૂપે ઉપસ્થિત થાય. જ્યાં આવશ્યક્તા ન હોય ત્યાં વ્યક્તરૂપે ભલે એ ઉપસ્થિત ન થાય, પણ યોગ્યતારૂપે-સંસ્કારરૂપે તો એ રહેલ હોય જ. શંકા - ઉપયોગરૂપે જો વાક્યાર્થ વગેરે ઉપસ્થિત ન થતા હોય તો એ પદાર્થોદિની વિદ્યમાનતા 121 Page #139 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારરૂપે રહ્યા છે કે નહીં ? એ શી રીતે જણાય ? સમાધાન - જ્યારે કોઇ શ્રોતા વગેરે ચાલના કરે તો ત્યારે તરત જ એનું પ્રત્યવસ્થાન ઉપસ્થિત થઈ જાય... એમ શિષ્યની બુદ્ધિનો વિકાસ વગેરે પ્રયોજન હોય ત્યારે આવશ્યક્તાનુસાર ‘જો અહીં આવી શંકા ઊઠાવી શકાય અને એનું આવું સમાધાન કરી શકાય’ વગેરે તરત ઉપસ્થિત થઈ જાય... તો સમજવું કે વાક્યાર્થ વગેરે સંસ્કારરૂપે ચાલુ જ છે. (અહીં પણ સમજવું કે આ રીતે અર્થના અનુસન્માનપૂર્વક સૂત્રોચ્ચાર કરવાની ઇચ્છા જાગે ને એ માટે કંઇક પણ પ્રયત્ન થાય ત્યારથી ઇચ્છાભેઠે અર્થયોગ શરુ થઈ જાય છે. પછી આગળ-આગળ પ્રવૃત્તિ વગેરે ભેદે અર્થયોગ યથાયોગ્ય આવે છે. આવું જ આલંબનયોગ માટે પણ જાણવું.) સર્વત્ર, ‘જિનાજ્ઞા ધર્મે સારઃ’ આવો એપર્યાર્થ ભાસતો રહેવાથી સાધક સૂત્રોક્ત સ્થાન-ઊર્ણ વગેરેને જાળવવામાં સૂક્ષ્મ-સુક્ષ્મતર કાળજીવાળો બનતો રહે છે, દરેક વખતે એની ઝીણી ઝીણી કાળજી જાળવવામાં પણ એને ક્યારેય કંટાળો આવતો નથી, શ્રી જિનવચનો પર ને એના દ્વારા શ્રી જિનેશ્વરો પર બહુમાન વધતું રહેવાથી ક્ષયોપશમ વધતો રહેવાના કારણે પણ આ બધું સહજ-સરળ બનતું જાય છે, તેમજ વિવક્ષિત તીર્થંકર, સર્વે તીર્થંકરો વગેરે આલંબનો પ્રત્યે વધારે આવર્જિત થવાથી આલંબનયોગ પણ સહજશક્ય બને છે. અહીં આ ધ્યાનમાં રાખવું કે, પ્રારંભકાળે મુદ્રા જાળવવામાં (સ્થાનયોગમાં) ક્યાં ખામી ન આવી જાય... તેનો તેમજ સ્વર-માત્રા વગેરેની શુદ્ધિ જાળવવામાં (ઊર્ણયોગમાં) ક્યાંય ચાશ ન રહી જાય... તેનો સતત ખ્યાલ રાખવા રૂપ ઉપયોગ સૂત્રદરમ્યાન રહેતો હોય છે. પણ આ ‘અર્થયોગ’ તરીકે અભિપ્રેત નથી. (અભ્યસ્તદશામાં કાયા ને વચન એવા કેળવાઈ ગયા હોય છે કે આ બે માટે વિશેષ ઉપયોગની જરૂર પણ હોતી નથી.) એમ ‘નમો અરિહંતાણં’ ખોલતી વખતે ‘હું અરિહંતોને નમસ્કાર કરું છું” આવો શબ્દાર્થ જે મનમાં આવે એને સામાન્ય અર્થયોગ કહી શકાય. પણ એ અહીં ‘અર્થયોગ’ તરીકે મુખ્ય રીતે અભિપ્રેત નથી, કારણકે આ તો માત્ર ભાષાન્તર છે. પણ એ ખોલતી વખતે શ્રી અરિહંતો ઉપસ્થિત થાય ને દિલ એમના પ્રત્યે પ્રશ્નીભાવ અનુભવે. ‘મિચ્છામિ દુક્કડં’ બોલતી વખતે, ‘મારી ભૂલ છે નહીં, તો હું શાનો મિચ્છામિ દુક્કડં કહું ?’ આવો વિચાર ન આવતાં, ‘ભૂલ હોય કે ન હોય, યોગવિંશિકા....૧૦-૧૧ 122 Page #140 -------------------------------------------------------------------------- ________________ થોડો પણ કષાય થયો એના મિચ્છામિ દુક્કડ કરવાના... આવી જિનાજ્ઞા છે...' આ રીતે જિનાજ્ઞા મનમાં રમતી હોય.. ને તેથી મિચ્છામિ દુક્કડું બોલતી વખતે પદાર્થ વગેરેનો ઉપયોગ તો ખરો જ, પણ દિલ પણ ખેદ-પશ્ચાત્તાપ-ક્ષમાયાચનાના ભાવો અનુભવે... આ અર્થયોગ છે. આ પ્રમાણે સર્વત્ર યથાયોગ્ય જાણવું. (૨) આતqનશ - તે તે ઠંડકમાં જેનો અધિકાર ચાલતો હોય એનું પણ અનુસધાન રહ્યા કરવું, એનું પણ આલંબન લઈને ચિત્તની-ઉપયોગની એકાગ્રતા જાળવવી. આ આલંબનયોગ છે. ચૈત્યવન્દનમાં પ્રથમદંડકમાં વિવક્ષિત ( જેમના સાન્નિધ્યમાં આરાધના ચાલી રહી છે તે) તીર્થંકરદેવ, બીજા દંડકમાં સર્વ (eત્રણે લોકમાં રહેલા જિનબિંબો) તીર્થંકરદેવો, ત્રીજા દંડકમાં દ્વાદશાંગીમય પ્રવચન અને ચોથા દંડક દરમ્યાન સમ્યગ્દષ્ટિ એવા શાસનના અધિષ્ઠાયક દેવો આલંબન તરીકે હોય છે. શંકા - પ્રણિપાતદંડક સૂત્ર (શકસ્તવ), ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ.. આમ દંડક પાંચ છે. તો અહીં કેમ ચાર જ દંડકની વાત કરી છે? સમાધાન - આ ગ્રન્થમાં આગળ તેરમી ગાથામાં દેશવિરત અને સર્વવિરત જીવો જ શા માટે ચૈત્યવન્દનના અધિકારી છે? એ જણાવવા માટે “અખાણું વોસિરામિ’ એવી કાઉસ્સગ્નની પ્રતિજ્ઞા આ વિરતિધર જીવોને જ સંભવે છે વગેરે જણાવ્યું છે. એમદસમી ગાથામાં પણ અરિહંત ચેઇઆણ કરેમિકાઉસ્સગ્ગ' વગેરેને ચૈત્યવન્દનદંડક તરીકે જણાવેલ છે. એટલે જણાય છે કે અહીં કાઉસ્સગ્નની મુખ્યતા અભિપ્રેત છે. અને કાઉસ્સગ્મચાર આવે છે, માટે અહીંચાર ઠંડક કહ્યા હોવા જોઇએ. આ કલ્પના ઉચિત પણ એટલા માટે લાગે છે કે પાંચ દંડકમાં છેલ્લું સિદ્ધસ્તવ હોવા છતાં અહીં છેલ્લા દંડકમાં સિદ્ધભગવંતોને આલંબન તરીકે ન કહેતાં, છેલ્લો કાઉસગ્ગ વૈયાવૃત્ય કરનાર દેવોના સ્મરણ માટે હોવાના કારણે શાસનાધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિદેવોને જ આલંબન તરીકે કહ્યા છે. (૩) તદ્યોતિ:... આમ તો, ‘અર્થ અને આલંબન યોગવાળા જીવને પદપરિજ્ઞાન અવિપરીત નીવડે છે. આ જ તોગવતઃ પદથી મળતો સીધો અર્થ છે, ને ગ્રન્થકારને અભિપ્રેત પણ છે. કારણકે આગળ ‘ઇતર તરીકે = તોગવાથી ભિન્ન તરીકે “અર્થ-આલંબનયોગના અભાવવાળા જીવો જ લીધા છે. છતાં વૃત્તિકારે ચાર આલંબનો (123) Page #141 -------------------------------------------------------------------------- ________________ ‘‘SIક ‘તદ્યોગવત” નો અર્થ ‘ત—ણિધાનવતઃ' કર્યો છે. આમાં આશય એ હોય શકે કે – અહીં, પ્રણિધાન = દઢસંકલ્પ. જેને તેનું પ્રણિધાન = અર્થ અને આલંબનનોદઢ સંકલ્પ ર્યો છે તેને તેના ઉપલક્ષણથી, એ માટેના કંઈક પણ પ્રયત્નવાળો જે બન્યો છે આવો પણ અર્થ લઈ લેવો, કારણકે આવા પ્રયત્નશૂન્ય અર્થ-આલંબનની માત્ર તીવ્રસ્પૃહાવાળા જીવોને તો આગળ ‘ઇતર’ તરીકે કહ્યા છે.) આવા જીવો તોગવાનું = તણિધાનવાનું છે. આવું (કંઇક પણ પ્રયત્નવાળું) પ્રણિધાન એ જ તો યોગ છે. માટે વૃત્તિકારે પણ, પ્રણિધાન’ શબ્દ મૂકીને અર્થ-આલંબનયોગવાળા જીવને જ જણાવ્યો છે, એ જાણવું. (૪) વિપરીત તુ... અર્થ અને આલંબનયોગવાળાને સૂત્રના પદોનું પરિશુદ્ધજ્ઞાન (ઉપલક્ષણથી મુદ્રાનું જ્ઞાન પણ) પ્રાયઃ = ઘણું કરીને અવિપરીત નીવડે છે. અર્થાત્ જે અભીપ્સિત છે તે પરમફળનું એ સંપાદક બને જ છે. તે પણ એટલા માટે કે અર્ધયોગ અને આલંબનયોગ જ્ઞાનયોગરૂપ હોવાથી ઉપયોગાત્મક હોવાના કારણે તેનાથી સહિત (=અર્ધયોગ-આલંબનયોગથી = જ્ઞાનયોગથી = ઉપયોગથી સહિત) એવું ચૈત્યવન્દન ભાવચેત્યવન્દન રૂપઠરે છે. [પ્રણિધાનાદિ આશયોથી શૂન્ય હોય તે તો તુચ્છ દ્રવ્યક્યિા છે એ પ્રારંભે જ આવી ગયું છે. એટલે, આ તો ભાવચૈત્યવન્દન સ્વરૂપ હોવાથી એમાં પ્રણિધાન વગેરે આશયો હોય જ એ નિશ્ચિત થઈ જાય છે. અને પ્રણિધાન આશય છે એ જ જણાવે છે કે આ ચૈત્યવન્દન (અને સ્થાનાદિયોગો) મોક્ષ-અહિંસા વગેરેના સંકલ્પપૂર્વક છે. એમાં ભૌતિક કોઇ પ્રણિધાન બેસેલું નથી.] ભાવચૈત્યવન્દન અમૃતઅનુષ્ઠાનસ્વરૂપ હોવાથી અવશ્ય નિર્વાણફલક બને છે, એ સ્પષ્ટ છે. અમૃતઅનુષ્ઠાનનું સ્વરૂપ આગળ બતાવવામાં આવશે. प्रायोग्रहणं सापाययोगवद्व्यावृत्त्यर्थम्। द्विविधो हि योग:- सापायो निरपायश्च, तत्र निरुपक्रम( ?म)मोक्षपथप्रतिकूलचित्तवृद्धि(?वृत्ति)कारणं प्राक्कालार्जितं कर्म अपायः, तत्सहितो योगः सापायः, तद्रहितस्तु निरपाय इति। વૃત્તિઅર્થ ‘પ્રાયઃ' શબ્દનું ગ્રહણ સાપાયયોગવાળા જીવની બાદબાકી માટે છે. યોગ બે પ્રકારનો છે – સાપાય અને નિરપાય. તેમાં, મોક્ષમાર્ગને પ્રતિકૂળ ચિત્તની વૃદ્ધિનું (ચિત્તવૃત્તિનું) નિરુપમકારણ એવું પૂર્વકાલબદ્ધ કર્મ એ અપાય છે. આવા કર્મવાળો યોગ તે સાપાયયોગને આવા કર્મરહિતનો યોગ એ નિરપાય યોગ. (124) યોગવિંશિકા...૧૦-૧૧) Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ ‘પરિશુદ્ધ પદજ્ઞાન પ્રાયઃ કરીને અભીસિતફળ સંપાદક બને જ છે આવું જ કહ્યું છે એમાં પ્રાયઃ કરીને એવું શા માટે કહ્યું? એ કારણ જણાવવા પ્રસ્તુત વર્ણન છે. અહીં ટીકામાં ચિત્તવૃદ્ધિ એવો જે શબ્દ છે એના સ્થાને ચિત્તવૃત્તિ એવો શબ્દ વધારે ઉચિત ભાસે છે. કારણકે ‘ચિત્તવૃદ્ધિ એવો શબ્દ લઇએ તો “મોક્ષપથને પ્રતિકૂળ એવા ચિત્તની વૃદ્ધિ...' આવો અર્થ કરવો પડે છે. એમાં, પ્રશ્ન એ થાય કે ચિત્તમાં મોક્ષપથની પ્રતિકૂળતા શું? વસ્તુતઃ ચિત્ત પોતે મોક્ષપથને પ્રતિકૂળ પણ નથી કે અનુકૂળ પણ નથી. પણ એની વૃત્તિઓ એવી છે. વળી ચિત્તની વૃદ્ધિ પણ શું? વૃદ્ધિ પણ અનુકૂળ કે પ્રતિકૂળ વૃત્તિઓની સંભવે છે, ચિત્તની નહીં. તથા યોગબિન્દુની ૩૭૩મી ગાથાની વૃત્તિમાં મોક્ષપથપ્રતિકૂર્તાવિત્તવૃત્તિદેતુ: એવો જ પાઠ છે. ત્યાં ચિત્તવૃદ્ધિ શબ્દ નથી તેથી ચિત્તવૃત્તિ એવો શબ્દ વધારે યોગ્ય લાગે છે.* અને તેથી એવો અર્થ મળે કે - મોક્ષમાર્ગને પ્રતિકૂળ હોય એવી ચિત્તવૃત્તિઓ. આવી ચિત્તવૃત્તિનું કારણ કોઈ હોય તો એ પૂર્વકાળબદ્ધ તથાવિધ કર્મ છે. આ કર્મ બે પ્રકારે હોય છે. સોપકમ અને નિરુપમ.... તથાવિધ નિમિત્ત મળવાથી, પોતાની અસર દેખાડ્યા વિના જે કર્મ ખસી *ચિત્તમાં મોક્ષપદની પ્રતિકૂળતા શું? પ્રતિકૂળચિત્તની વૃદ્ધિ શું? આનો અને યોગબિન્દુની વૃત્તિનો વિચાર કરવામાં આવે, તો અહીં લહિયા વગેરે કોઇકની ભૂલથી ચિત્તવૃત્તિ’ ના સ્થાને ચિત્તવૃદ્ધિ' શબ્દ આવી ગયો છે એ સમજાયા વગર રહે નહીં. આવો કોઈ વિચાર કરવો નહીં. ને “મોક્ષપથને પ્રતિકૂલ એવી ચિત્તવૃત્તિનું કારણ ન કહેતાં ચિત્તવૃદ્ધિનું કારણ કહ્યું છે. તેનો ભાવ એ ભાસે છે કે... વગેરે કહી કોઈ અભૂતપૂર્વ રહસ્યોદ્ઘાટન કરવાનો પ્રયાસ કરવો એ વિદ્વત્તાયા ક્ષતિકર જાણવું. વળી આવા રહસ્યોદ્દઘાટનના પ્રદર્શનમાં પણ તે વિદ્વાને, મોક્ષપથને અનુકૂળ કે પ્રતિકૂળ તરીકે ચિત્તવૃત્તિ જ કહેવી પડી છે, માટે અહીં ‘ચિત્તવૃત્તિ’ શબ્દ જ ઉચિત જાણવો. તથા પ્રતિકૂળ ચિત્તવૃત્તિના કારણ તરીકે આ અપાયભૂત કર્મને યોગબિન્દુમાં સ્પષ્ટ રીતે કહેલ છે જ. સામાન્યથી કોઈ પણ કર્મ ઉદયમાં આવે ત્યારે જ સ્વકાર્ય કરે છે, સત્તામાં હોવા માત્રથી નહીં. એટલે અપાયભૂત આ કર્મ પણ જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યું. ત્યાં સુધી પ્રતિકૂલચિત્તવૃત્તિઓ પ્રવર્તાવી શકતું નથી. એટલે, એ વિદ્વાને અપાયભૂત કર્મ હજુ ઉદયમાં નથી આવ્યું ત્યારે પણ દેશવિરતિધરને સંસારની પ્રવૃત્તિરૂપ, સાતિચાર સર્વવિરતિધરને અતિચારરૂપ અને નિરતિચાર સર્વવિરતિધરને અનાદિકાલીન સંસ્કારરૂપ પ્રતિકૂળ ચિત્તવૃત્તિ હોવી જે જણાવી છે તે અજ્ઞાનનો વિલાસ જાણવો. ‘પ્રતિકૂળચિત્તવૃત્તિ તો માર્ગભ્રષ્ટ કરનાર છે. તો એની વિદ્યમાનતામાં દેશવિરતિધર વગેરે જીવો માર્ગની આરાધનારૂપ ભાવ ચૈત્યવન્દનાદિ કરી જ શી રીતે શકે?” આટલો પણ વિચાર ન આવે એ આશ્ચર્યજનક છે. (પ્રાયોગ્રહણનું પ્રયોજનો (125) Page #143 -------------------------------------------------------------------------- ________________ જાય એ સોપક્રમ (=ઉપક્રમને યોગ્ય) કહેવાય છે. ને પોતાની અસર દેખાડ્યા વિના જે ન જ નિર્જરે એ નિરુપક્રમકર્મ કહેવાય છે. આ બન્ને પ્રકારનું કર્મ વિવક્ષિત ચૈત્યવન્દનાદિના અનુષ્ઠાનની પૂર્વે અજ્ઞાનાદિવશાત્ બાંધેલું હોય છે. મુખ્યતયા એ દર્શનમોહનીય કે ચારિત્રમોહનીય રૂપે હોય છે. ચૈત્યવન્દનાદિકાળે આવું કર્મ આત્મા પર વિદ્યમાન હોય છે (સત્તામાં હોય છે) પણ ઉદયમાં હોતું નથી. (કારણકે જો ઉદયમાં હોય તો એ મોક્ષપથને પ્રતિકૂળ એવી ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ પ્રવર્તાવી ચૈત્યવન્દનાદિ સાધના થવા જ ન દે.) ચૈત્યવન્દનાદિમાં સંકળાયેલા પ્રણિધાનાદિ આરાયો અને સ્થાનાદિયોગની ઇચ્છા વગેરે શુભભાવો પણ આ કર્મ માટે ઉપક્રમનું નિમિત્ત બની શકે છે. એટલે જો એ સત્તાગત કર્મ સોપક્રમ હોય તો તો એને ઉપક્રમ લાગી જવાથી ભવિષ્યમાં પણ, મોક્ષમાર્ગને પ્રતિકૂળ એવી ચિત્તવૃત્તિઓ પ્રવર્તાવી જીવને માર્ગભ્રષ્ટ કરવા સ્વરૂપ સ્વકાર્ય કરી શકતું નથી. માટે એવા કર્મને અહીં અપાય તરીકે કહ્યું નથી. પણ જો સત્તાગત આ કર્મ નિરુપક્રમ હોય, તો આ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પણ એને પ્રભાવહીન કરી શકતા નથી. અને તેથી ભવિષ્યમાં જ્યારે એ ઉદયમાં આવશે ત્યારે જીવને માર્ગભ્રષ્ટ કરશે જ. માટે આવું નિરુપક્રમ કર્મ એ અપાય કહેવાય છે. વૃત્તિમાં નિરુપમમોક્ષપથ... આ રીતે પાઠ મુદ્રિત થયો છે. અર્થાત્ નિરુપમ શબ્દને પણ સમાસમાં સમાવિષ્ટ કર્યો છે. પણ એના સ્થાને નિરુપમ એવો અસમસ્ત શબ્દ હોવો વધુ ઉચિત ભાસે છે, કારણકે એ, અસમસ્ત એવા ર્મ નું વિશેષણ છે. છતાં જો એને સમસ્ત જ માનવો હોય તો નિરુપમ = તલ્ મોક્ષપથપ્રતિભૂતચિત્તવૃત્તિષ્ઠાળ = આ રીતે કારણનું વિશેષણ બનાવી કર્મધારય સમાસ કરવો. तथा च सापायार्थालम्बनयोगवतः कदाचित्फलविलम्बसम्भवेऽपि निरपायतद्वतोऽविलम्बेन फलोत्पत्तौ न व्यभिचार इति प्रायोग्रहणार्थ: । વૃત્તિઅર્થ : તથા 7 = આમ યોગ સાપાય અને નિરપાય એમ બે પ્રકારે છે. એટલે, સાપાય અર્થાલમ્બનયોગવાળા જીવને ક્યારેક ફળવિલમ્બ સંભવતો હોવા છતાં પણ નિરપાય તદ્વાનને = નિરપાય અર્થાલંબનયોગવાળા જીવને વિના વિલંબે ફળ પ્રાપ્ત થવામાં કોઇ વ્યભિચાર (=બાધક) નથી. મૂળમાં ‘પ્રાયઃ’ શબ્દનો જે ઉલ્લેખ કરાયો છે તેનો આ પ્રમાણે અર્થ જાણવો. 126 યોગવિંશિકા....૧૦-૧૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ અર્થાલંબનયોગવાળા જીવને આ યથાર્થ પઠજ્ઞાન પ્રાયઃ કરીને અવિપરીત = અભીપ્સિત પરમફળ સંપાદક બને જ છે આવું કહ્યું હતું એમાં ‘પ્રાયઃ' શબ્દ, સાપાયયોગવાળા જીવોની બાદબાકી કરવા માટે મૂક્યો છે એમ વૃત્તિકારે જણાવ્યું. આનો સીધો અર્થ આવો થાય છે કે સાપાયયોગવાળાને અપાય આવે અને એ માર્ગભ્રષ્ટ થાય એટલે પરમપદ સ્વરૂપફળ એને મળતું નથી. તેથી એની બાદબાકી કરવા માટે આ પ્રાય શબ્દ મૂક્યો છે. અલબત્ સાપાય જીવના પણ આ ચૈત્યવન્દનાદિ ભાવચેત્યવન્દનસ્વરૂપ છે. તેથી, યોગાત્મક પણ છે જ... અને તેથી જ એ ચૈત્યવન્દનાદિ જીવને પરમપદ સાથે જોડી આપનાર પણ છે જ. તો પછી એની બાદબાકી કરવી પણ આવશ્યક ન રહેવાથી પ્રાય' શબ્દ નિરર્થક ઠરી જાય. આવું ન થાય એ માટે વૃત્તિકારે અહીં ફળની પ્રાપ્તિ-અપ્રાપ્તિના આધારે નિરૂપણ ન કરતાં ફળની પ્રાપ્તિમાં વિલમ્બઅવિલમ્બના આધારે નિરૂપણ કર્યું છે. સાપાયયોગવાળાને પણ મોક્ષ મળવાનો છે, પણ વિલએ, અવિલમ્બ નહીં. માટે એની બાદબાકી કરવા પ્રાયઃ” શબ્દ છે. (૧) હવે, અહીં ઉપસંહાર તરીકે તથા ર વગેરે જે વાક્ય કહ્યું છે એમાં રહેલા ચિત્ શબ્દનો વિચાર કરીએ. આવાક્યમાં સાપાયયોગવાળાને કદાચિત ફળવિલંબ સંભવતો હોવા છતાં પણ.... વગેરે કહ્યું છે. અર્થાત્ અહીં સાપાયાયોગીને કદાચિત્ ફળ વિલંબનો સંભવ દર્શાવ્યો છે. આમાં આ કદાચિત્ શબ્દને વ્યાવર્તક તરીકે લેવોકે સ્વરૂપદર્શક તરીકે લેવો? અર્થાત્ સાપાયયોગવાળામાંથી પણ કેટલાકને જ ફળવિલંબ થાય છે અને કેટલાકને ફળવિલંબ થતો નથી... એટલે જેમને ફળવિલંબ થતો નથી... એવા સાપાયયોગીજીવોની વ્યાવૃત્તિ કરવા માટે આ વિસ્ શબ્દ છે. (સાપાયયોગીને ક્યારેક-કોઈકને ફળવિલંબ થાય છે. કોઈકને થતો નથી. એ રીતે અર્થકરવો.) આવો એક વિકલ્પ મળે છે. અને જો વિત્ શબ્દ કોઈ સાપાયયોગીની બાદબાકી કરવા માટે નથી - અર્થાત્ એવ્યાવર્તક નથી. પણ બધાજસાપાયયોગીને ફળવિલંબ થાય જ છે – એવું સ્વરૂપ જ દર્શાવનાર છે અર્થાત્ સ્વરૂપદર્શક છે. આ બીજો વિકલ્પ મળ્યો. એ વખતે અર્થ આ પ્રમાણે જાણવો-સાપાયયોગીને (દરેકને) ક્યારેક ફળપ્રાપ્તિ પૂર્વે ગમે ત્યારે જ્યારે અપાયભૂત કર્મનો ઉદય થાય ત્યારે ફળવિલંબ થાય જ છે. ફળવિલંબની સંગતિ (127) Page #145 -------------------------------------------------------------------------- ________________ આમાંના પ્રથમ વિકલ્પનો પહેલાં વિચાર કરીએ – આ વિકલ્પની સિદ્ધિ માટે, કેટલાક સાપાયયોગીને પણ ફળવિલંબ થતો નથી એમ સાબિત કરવું પડે. એ માટે અપાયભૂત કર્મોનો સૌ પ્રથમ વિચાર કરીએ. કર્મો ત્રણ પ્રકારના હોય છે. અનિકાચિત, અલ્પનિકાચિત અને ગાઢનિકાચિત. જેઓનું સત્તાગત પ્રતિબન્ધક કર્મ અનિકાચિત છે તેઓ નિરપાયયોગી છે. આવા જીવોને એ અનિકાચિતકર્મનો ઉપક્રમ જેનાથી થઈ જાય એવા સંયોગ-પ્રયત્ન વગેરે સાહજિક હોય છે. અલ્પનિકાચિત કર્મો એ છે જેનો ઉપક્રમ સહજ રીતે થવો શક્ય નથી હોતો પણ ઉપાયસાધ્ય-પ્રયત્નસાધ્ય હોય છે. શ્રાવકપ્રજ્ઞપ્તિ-પંચાલકજી* વગેરેમાં કર્મનો ઉપક્રમ કરવાના સાત ઉપાયો દર્શાવ્યા છે. આ ઉપાયોને ખંતપૂર્વક અજમાવનારો સાધક અલ્પનિકાચિત કર્મનો ઉપક્રમ કરે છે. અને તેથી પછી એને અપાય આવતા નથી. ગાઢનિકાચિત કર્મો એ છે કે જેનો ભોગવ્યા વિના પ્રાયઃ નાશ થતો નથી. માત્ર ક્યારેક આસન્નભવ્યતા-ભવિતવ્યતાથી, ક્ષપકશ્રેણિથી કે ક્ષાયિકસભ્યત્વની પ્રાપ્તિ માટેની ખંશ્રેણિથી જે દર્શનમોહનીય કે ચારિત્રમોહનીય નાશ પામે.... પણ એ સિવાયતોનાશન જ પામે... ભોગવવું જ પડે. આવુંગાઢ નિકાચિતકર્મએ નિરુપમકર્મ છે. અને તેથી જેને એ સત્તામાં હોય એવા યોગીનો યોગ એ સાપાયયોગ છે. આમાંથી અલ્પનિકાચિત કર્મની સત્તાવાળા યોગીને પણ જો સાપાયયોગી તરીકે લઇએ, તો જેઓ પ્રયત્નપૂર્વક એ કર્મનો ઉપકમ કરી દે તેઓને અપાય આવે નહીં, તેથી માર્ગભ્રષ્ટતા થાય નહીં અને તેથી ફળપ્રાપ્તિમાં વિલંબ ન થાય. જેઓ એ રીતે કર્મનો ઉપકમ કરવામાં સફળ ન બને તેઓને તો માર્ગભ્રષ્ટતા થવાથી ફળવિલંબ પણ થાય જ. આમ સાપાયયોગીને ફળવિલંબ થવો-ન થવો એ બન્ને વિકલ્પો સંભવિત બનવાથી, જેને વિલંબ ન થાય એવા સાપાયયોગીની વ્યાવૃત્તિ કરવા રૂપે વિત્ શબ્દ વ્યાવર્તક તરીકે સંગત કરે છે. *तम्हा णिच्चसतीए, बहमाणेणं च अहिगयगुणम्मि। पडिवक्खदुगंछाए परिणइआलोयणेणं च ॥ १-३६॥ तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य। उत्तरगुणसद्धाए य एत्थ सया होइ जइयव्वं ।। १-३७ ।। પ્રથમ પંચાશકમાં આ ૭ ઉપાયો કહ્યા છે – સદા વ્રતસ્મરણ, વ્રત પર બહુમાન, વ્રતવિરોધી એવા મિથ્યાત્વાદિ પર જુગુપ્સા, ગુણલાભ-દોષનુકશાનની વિચારણા, પ્રભુભક્તિ, સુસાધુસેવા અને અધિકગુણની ઇચ્છા. 128 યોગવિંશિકા.....૧૦-૧૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ પણ, “જેના કર્મોનો પ્રયત્નોથી ઉપક્રમ થઈ જાય એનાં કર્મો સોપક્રમ જ કહેવાય. નિરુપમ નહીં. અને તેથી એવા કર્મોવાળા યોગી તો “સાપાયયોગી છે જ નહીં. નિરપાયયોગી જ છે. અને એ સિવાયનાયોગીને તો કર્મનો ઉપમન થવાથી અપાયપ્રયુક્ત વિલંબ થાય જ છે, એટલે વ્યાવૃત્તિ સંગત કરતી નથી.” આવો જો અભિપ્રાય હોય.... તો પછીજેગાઢનિકાચિત કર્મવાળાસાપાયયોગીને પણ ભવિતવ્યતાદિવશાત્ કર્મનો ઉપક્રમ થઈ જવાથી ફળવિલંબ ન થાય એની બાદબાકી કરવા રૂપે વિત્ શબ્દની વ્યાવર્તતા માનવી જોઇએ. “આવાજીવનું પણ કર્મઉપકમ પામતું હોવાથી સોપકમ જ કહેવાય. ને તેથી એ સાપાયયોગીનજ કહેવાય - અથવા આવા અત્યન્ત વિરલ કિસ્સાની વિવક્ષાન કરાય, ને તેથી એની વ્યાવૃત્તિ એ વ્યાવૃત્તિન કહેવાય....” આવો જો અભિપ્રાય રહેતો હોય તો... અર્થાત્ સાપાયયોગી તો એ જ જેને અપાય આવે જ ને જે માર્ગભ્રષ્ટ થાય જ. જો આવી વિવક્ષા કરીએ તો વ્યાવૃત્તિની સંગતિ આ રીતે કરવી - જે સાપાયયોગી અપાયના કારણે માર્ગભ્રષ્ટ થયા પછી પુનઃ એ જ ભવમાં (કભવાન્તરમાં પણ અલ્પકાળમાં જ) માર્ગ પામી પરમપદરૂપ ફળ પ્રાપ્ત કરી લે એને ફળવિલંબ થયેલો ન કહેવો. ને તેથી એની બાદબાકી કરવા રૂપે ચિત્ શબ્દ સફળ જાણવો. પ્રશ્ન કેટલા કાળમાં પુનઃ માર્ગ પામી મોક્ષે ચાલ્યા જાય તો એ અલ્પકાળ કહેવાય અને ફળવિલંબ ન કહેવાય? ઉત્તરઃ જે નિરપાયયોગીને અનેક જન્માન્તરે મોક્ષપ્રાપ્તિ થાય..... એમાં જેટલો ઉત્કૃષ્ટ કાળ (સાધિક ૬૬ સાગરોપમ) પસાર થાય. એ ઉત્કૃષ્ટકાળ કરતાં અધિક ન હોય એ બધો અહીં અલ્પકાળ તરીકે જાણવો. એટલા કાળમાં મોક્ષપામનારને અવિલબેજ ફળપ્રાપ્તિ માનવી, ને એમની વ્યાવૃત્તિકરવારૂપવિત્, શબ્દને સફળ માનવો. હવે, વાવિત્ શબ્દને સ્વરૂપદર્શક માનવાનો બીજો વિકલ્પ વિચારીએ - નિરુપમ કર્મ સત્તામાં હોય તે જીવો સાપાયયોગી છે. આ નિરુપક્રમશબ્દ ફળોપધાયક જાણવો, માત્ર સ્વરૂપયોગ્ય નહીં. અર્થાત્ સત્તાગત કર્મમાં ઉપક્રમની વિત્ શબ્દ વિચાર) (129) Page #147 -------------------------------------------------------------------------- ________________ યોગ્યતા હોય કે ન હોય, પણ જો ઉપક્રમ લાગવાનો ન હોય ને તેથી એ અવશ્ય પોતાનું ફળ દેખાડવાનું હોય તો જ એ નિરુપમ કહેવાય. જો આવો અર્થન લઇએ, તો, અલ્પનિકાચિત કર્મ (ઉપાયથી) ઉપમયોગ્ય હોવાના કારણે એને સોપમ માનવું પડે. અને આવા સોપક્રમકર્મની સત્તાવાળો નિરપાયયોગી પણ જો ઉપાયોને અજમાવે નહીં, તો કર્મનો ઉપકમન થવાથી અપાય આવે જ, નિરપાયયોગિતા હણાઈ જાય. પણ, ફળોપધાર્યક્તાની અપેક્ષાએ આ આપત્તિ આવતી નથી, કારણ કે એ અપેક્ષાએ તો એનું કર્મ નિરુપકમ જ હોવાથી એ સાપાયયોગી જ છે. આમ, ફળોપધાયકતા લીધી એટલે, જેને અપાય આવવાના જ છે, એવા જીવોજ સાપાયયોગી કહેવાશે. માટે દરેક સાપાયયોગીને અપાય આવે જ, એ માર્ગભ્રષ્ટ થાય જ. અને એ દરેકને ફળવિલંબ પણ થાય જ આવું માનવાનું રહેવાથી વાવિત્ શબ્દ કોઈ સાપાયયોગીની બાદબાકી કરનાર છે એવું કહી શકાશે નહીં. અને તેથી એ સ્વરૂપદર્શક બની ગયો. પ્રશ્નઃ આ રીતે માનવામાં તો એ જ ભવમાં પુનઃ માર્ગે ચઢી મોક્ષ પામી જનારને પણ ફળવિલંબ માનવો આવશ્યક રહેશે. અને એવું માનવા માટે તો આટલા અલ્પ કાળક્ષેપને પણ ‘વિલંબરૂપે માનવો પડવાથી જે નિરપાયયોગી એના કરતાં અધિક કાળે મોક્ષાત્મક ફળ પામશે એને પણ વિલંબે ફળપ્રાપ્તિ કહેવી નહીં પડે? ઉત્તર? એ કહેવી ન પડે એ માટે માત્ર કાળક્ષેપને અહીં વિલંબ તરીકે ન લેતાં માર્ગભ્રષ્ટતાપ્રયુક્ત કાળક્ષેપ એ વિલંબ એ રીતે અર્થ લેવો. અનેક જન્મ બાદ મોક્ષ પામનાર નિરપાયયોગીને કાળક્ષેપદીર્ઘ હોવા છતાં માર્ગભ્રષ્ટતાપ્રયુક્તન હોવાના કારણે વિલંબ રૂપ નથી. અને તેથી ફળપ્રાપ્તિ અવિલબે જ છે. આમ વિત શબ્દને બન્ને રીતે લઈ શકાય છે એ જાણવું. યોગબિન્દુના ૩૭રમા શ્લોકમાં ‘સાપાયયોગ નિરનુબબ્ધ હોય છે અને નિરપાયયોગ સાનુબન્ધ હોય છે એમ જણાવ્યું છે. તથા એના ૩૭૩-૩૭૪ માં શ્લોક પરથી એ જાણવા મળે છે કે આંતરિક રીતે નિરૂપકમ કર્મ એ અપાય છે અને બાહ્ય રીતે એના ઉદયે આવતા ટક-જ્વર કે દિગ્મોહ વિઘ્ન એ અપાય છે. (એમાં પણ મુખ્યતયા દિગ્બોહવિષ્મ એ અપાય છે.) (130) યોગવિંશિકા...૧૦-૧૧) Page #148 -------------------------------------------------------------------------- ________________ આના પર વિચાર કરીએ તો જણાય છે કે જેણે પ્રણિધાન અને પ્રવૃત્તિઆરાય કેળવ્યા હોવા છતાં હજુ વિઘ્નજય આશય કેળવ્યો નથી અને તેથી જે સાપાયયોગવાળો છે તેના ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન નિરનુબન્ધ હોય છે. બીજી બાજુ યોગવિંશિકા ગ્રન્થની પ્રથમ ગાથાની વૃત્તિમાં ‘પ્રણિધાનાદિ આશયથી પુષ્ટિ-શુદ્ધિમત્ ચિત્ત સાનુબન્ધ થાય છે’ એમ જણાવી સાનુબન્ધતાનો ઉલ્લેખ કર્યો છે. તો વાસ્તવિકતા શું ? ‘વિનિયોગ થયે જે અન્વય = અવિચ્છેદભાવરૂપ સાનુબન્ધતા જણાવી છે એ જ મુખ્ય સાનુબન્ધતા છે, પ્રણિધાન – પ્રવૃત્તિ આશયવાળાને એવી વિશિષ્ટ સાનુબન્ધતા ન હોવાથી નિરનુબન્ધતા કહેવામાં વિરોધ રહેતો નથી’’ આ રીતે જો સંગતિ કરવામાં આવે તો વિધ્વજય અને સિદ્ધિ આશય પામેલાને પણ નિરનુબન્ધતા જે માનવી પડે તેનો વિરોધ થશે. કારણ કે વિઘ્નજય આશય કેળવાઈ ગયો છે, એટલે કોઇ ‘અપાય’ ‘અપાયભૂત’ ન રહેવાથી અનપાયયોગ થવાના કારણે સાનુબન્ધતા પણ માનવી પડે છે. આવા પ્રશ્નો ઊભા ન થાય એ માટે આવી સંગતિ કલ્પી શકાય છે – વિઘ્નજયઆશય કેળવ્યો ન હોવાના કારણે જે સાપાયયોગી છે એવા જીવને પણ પ્રણિધાન-પ્રવૃત્તિ આશય કેળવ્યા હોવાથી યોગવિંશિકાનુસારે સાનુબન્ધતા છે. અને તેથી જ્યાં સુધી વિધ્ન ન આવે ત્યાં સુધી ઉત્તરોત્તર પરંપરા ચાલે છે. અર્થાત્ ઉત્તરોત્તર અનુષ્ઠાન આસેવન થયા કરે છે.... તથા ઉપર ઉપરના આરાયની પ્રાપ્તિ તેમજ પ્રાપ્ત આશયની ઉત્તરોત્તર પ્રબળતા-નિર્મળતા થયા કરે છે. પણ વિઘ્ન ઉપસ્થિત થવા પર, એના અનુબંધો પણ નાશ પણ પામે છે અને યોગમાર્ગથી ભ્રષ્ટતા પણ થાય છે, કારણકે વિઘ્નજયઆશય કેળવાયો નથી. આમ એના અનુબંધો જે નાય છે, એના કારણે એના અનુષ્ઠાન (યોગબિન્દુ અનુસારે) નિરનુબન્ધ પણ કહી શકાય છે. કેટલીક વિરોષ વિચારણા - જેટલી માત્રામાં વિઘ્નજય આશય કેળવાયો હોય એના કરતાં અધિક તીવ્ર વિઘ્નને ઉપસ્થિત કરી આપે એવું નિરુપક્રમ કર્મ સત્તામાં હોય તો જ એ જીવ સાપાયયોગી ઠરે. સાપાય-નિરપાયયોગી 131 Page #149 -------------------------------------------------------------------------- ________________ વિધ્વજય આશય કેળવાયો ન હોય એવા પણ બધા જ જીવો સાપાયયોગી હોય એવો નિયમ નથી, કારણ કે એમાંના પણ જે જીવોને સહજ રીતે જ સત્તામાં નિરુપમ કર્મન હોય તો એ નિરપાયયોગી જ છે. સિદ્ધિઆશય પછી પણ વિનિયોગઆશયદર્શાવ્યો છે. અને ઉત્કૃષ્ટધર્મસ્થાન સુધીની અવધ્યતા વિનિયોગ થયે કહી છે, સિદ્ધિ થયે નહીં. એટલે જણાય છે કે સિદ્ધિ આશય કેળવાયા બાદ પણ, જો હજુ વિનિયોગઆશય ન કેળવાયો હોય તો વધ્યતા પણ સંભવિત છે, અર્થાત્ માર્ગભ્રંશ સંભવિત છે, એટલે કે સિદ્ધિઆશય પામેલા સાધકો પણ સાપાયયોગી હોવા સંભવિત છે. પણ વિનિયોગઆશય પામનાર તો નિરપાયયોગી જ હોય એમ સમજાય છે. ગીતાર્થબહુશ્રુતોને આ અંગે પૂર્વાપર અવિરુદ્ધ પુખ્ત વિચારણા કરવા વિનંતી. 'इतरेषां अर्थालम्बनयोगाभाववतामेतत् चैत्यवन्दनसूत्रपदपरिज्ञानं स्थानादिषु यत्नवतां = गुरूपदेशानुसारेण विशुद्धस्थानवर्णोद्यमपरायणानामालम्बनयोगयोश्च तीव्रस्पृहावतां परं = केवलं श्रेयः, अर्थालम्बनयोगाभावे वाचनायां पृच्छनायां परावर्तनायां वा तत्पदपरिज्ञानस्यानुप्रेक्षाऽसंवलितत्वेन ‘अनुपयोगो द्रव्यम्' इति कृत्वा द्रव्यचैत्यवन्दनरूपत्वेऽपि स्थानोर्णयोगयत्नातिशयादर्थालम्बनस्पृहयालुतया च तद्धत्वनुष्ठानरूपतया भावचैत्यवन्दनद्वारा परम्परया स्वफलसाधकत्वादिति भावः ॥ ११॥ વૃત્તિઅર્થઃ ઇતરજીવોને = અર્થ-આલંબનયોગના અભાવવાળા જીવોને આ ચૈત્યવન્દનસૂત્રોના પદનું પરિજ્ઞાન (જો તેઓ) સ્થાનાદિમાં પ્રયત્નશીલ હોય તો, અર્થાત્ ગુરુના ઉપદેશને અનુસરીને વિશુદ્ધસ્થાન-વર્ણમાં ઉદ્યમતત્પર હોય અને અર્થયોગ-આલમ્બનયોગની તીવ્રસ્પૃહાવાળા હોય તો માત્ર શ્રેયસ્કર જ બને છે. કારણકે અર્ધયોગ અને આલમ્બનયોગના અભાવમાં, વાચના-પૃચ્છનાકે પરાવર્તના દરમ્યાનતત્પદનું ચૈત્યવન્દસૂત્રના પદોનું જે પરિજ્ઞાન હોય છે તે (અર્થ- આલંબનયોગ ન હોવાથી) અનુપ્રેક્ષાથી સંકળાયેલું ન હોવાના કારણે અનુપયાગો દ્રવ્યમ્ એ ન્યાયે એ દ્રવ્યચેત્યવન્દન રૂપ હોવા છતાં સ્થાનયોગ અને ઊર્ણયોગમાં પ્રવર્તતા યત્નાતિશયના કારણે તેમજ અર્ધયોગ અને આલંબન યોગની સ્પૃહાલુતાના કારણે આ ચેત્યવન્દન તકૅતુ અનુષ્ઠાનરૂપ બને છે અને તેથી એ પરંપરાએ ભાવચૈત્યવન્દન દ્વારા સ્વફળસાધક બને છે, (માટે શ્રેયસ્કર છે.) (132) યોગવિંશિકા.....૧૦-૧૧) Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : (૧) ફતરેષાં - અર્થયોગ અને આલંબનયોગવાળા જીવોની વાત આવી ગઈ કે તેઓને સૂત્રપદપરિજ્ઞાન (અવિલંબે કે વિલંબે) અભીપ્સિતફળસંપાદક બને છે. એટલે અહીં ઇતર શબ્દનો ‘આ બન્ને યોગના અભાવવાળા જીવો’ એવો વૃત્તિકારે અર્થ કર્યો છે. સ્થાન (૨) સ્થાનાવિવુ - અર્થ - આલંબનયોગના અભાવવાળા આ ઇતરજીવો પણ બે પ્રકારના હોય છે. સ્થાનયોગ-વર્ણયોગમાં પ્રયત્નવાળા અને એના પ્રયત્નવગરના. એમાંથી ગ્રન્થકાર સૌ પ્રથમ પ્રયત્નવાળા જીવોની વાત કરે છે. (=મુદ્રા) અને વર્ણ આ બન્નેની જાણકારી ગુરુઆમ્નાયથી મળે છે. માટે અહીં ‘ગુરુઉપદેશાનુસારેણ’ કહ્યું છે. ગુરુ પાસેથી પોતાને જેવો સંપ્રદાય મળે એ મુજબ સ્થાન-વર્ણ જાળવવામાં, અન્ય ગચ્છની સામાચારીભેદે ભેદ હોય તો પણ, પોતે ગુરુઉપદેશાનુસારે કરે છે માટે એ સ્થાન-વર્ણ ‘વિશુદ્ધ’ જ કહેવાય છે. આમ અહીં સ્વચ્છંદતા અને આપમતિનો નિષેધ કરી ગુર્વાન્નાપારતત્ર્ય પર ભાર મૂક્યો. = = કલ્યાણકર એક બાજુ, વિશુદ્ધસ્થાનાદિનો પ્રયત્ન છે, વળી અર્થ- આલંબનયોગની તીવ્ર સ્પૃહા છે, તો આવા જીવોને ચૈત્યવન્દનસૂત્રનું જ્ઞાન પરં = માત્ર શ્રેયઃ બને છે. અન્યજીવોને પદપરિજ્ઞાન નિષ્ફળ કે વિપરીતફળવાળું પણ બને છે એ વાત આગળ જણાવશે. આવી નિષ્ફળતા કે વિપરીતફલતા રૂપ અશ્રેયસ્કરતા આમાં બિલકુલ નથી, એ હિસાબે પરં-કેવલં=માત્ર શ્રેયસ્કર છે એમ અહીં જણાવ્યું છે. એટલે આવો અર્થ મળ્યો કે ઇતરો = અર્થ-આલંબનયોગના અભાવવાળા પણ જે જીવો સ્થાનાદિમાં પ્રયત્નશીલ છે* ને અર્થ-આલંબનની તીવ્રસ્પૃહાવાળા છે તેઓને = *તરેષાં એ પછીબહુવચનાન્ત પદ છે, સ્થાનાવિવુ યત્નવતાં માં પણ પછી બહુવચન છે, વળી સમુચ્ચય કરનાર = વગરે કોઇ શબ્દ વપરાયો નથી, તો સ્થાનાવિğ યત્નવતાં એ તારેવાં નું વિશેષણ જ છે એ સ્પષ્ટ છે. તેમ છતાં, યોગવિંશિકાના વિવેચક વિદ્વાને ‘તેથી સ્થાનાકિયત્નપરાયણ એ ઇતરોનું વિશેષણ નથી એ અર્થ પ્રાપ્ત થાય છે’ઇત્યાદિ જે જણાવ્યું છે તે તેમના ક્ષયોપરામ અંગે ઘણા પ્રશ્નો ખડા કરે છે. વસ્તુતઃ, ઇતરો અર્થ-અલંબનયોગાભાવવાળાજીવો. એ બે પ્રકારના છે. સ્થાનાદિમાં પ્રયત્નશીલ અને સ્થાનાદિમાં પ્રયત્નવિનાના. પદપરિજ્ઞાન આમાંના માત્ર પ્રયત્નશીલજીવોને જ શ્રેયસ્કર છે, પ્રયત્નશૂન્યજીવોને નહીં. એટલે પ્રયત્નશૂન્યજીવોની બાદબાકી કરવા માટે તરેષાં નું સ્થાનાવિવુ યત્નવતાં એવું વ્યાવર્તક વિશેષણ મૂક્યું છે એ જાણવું. એ વિદ્વાને પણ, વ્યાવર્તક વિશેષણથી જે મળી શકે એવો સ્થાનાદિ પ્રયત્નશૂન્યજીવોને પદપરિજ્ઞાન શ્રેયોભૂત નથી એવો જ તાત્પર્યાર્થ તો પાછો સ્વીકાર્યો જ છે. તો એનો ‘વિશેષણ’ તરીકે નિષેધ કરવાની એમને શું જરૂર પડી ? તે સમજાતું નથી. સ્થાનાદિની શ્રેયોરૂપતા 133 Page #151 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવન્દનપદપરિજ્ઞાન કેવલ શ્રેયરૂપ છે. સંસારથી વૈરાગ્ય પામેલો જીવ સંસારથી છૂટવા જ્યારે પ્રયત્નશીલ બન્યો છે. ત્યારે કદાચ હજુ અર્થ-આલંબનયોગ સેવવાની ભૂમિકા પામ્યો ન હોવાથી એ બે યોગ પામ્યો ભલે નથી. છતાં, એ બન્ને યોગ પામવાની પણ તીવ્રસ્પૃહાવાળો તો બની જ શકે છે. આવી તીવ્ર સ્પૃહાવાળા જીવને પદપરિજ્ઞાન કેવલ શ્રેયોરૂપ જ બને છે, એ ક્યારેય અશ્રેયસ્કર નીવડતું નથી. અથવા પર = વત શ્રેયઃ નો અર્થ આ રીતે પણ કરી શકાય કે – અર્થઆલંબનયોગવાળા જીવોને યથાર્થ પાપરિક્ષા જેમ અવિલંબે કે વિલંબે પણ પરમપદફળપ્રાપક બને છે એમ એના અભાવવાળા જીવોને એ પરમપદફળપ્રાપક બનતું નથી, પણ માત્ર અમૃતઅનુષ્ઠાનનું કારણ બનવા રૂપે શ્રેયસ્કર નીવડે છે. (૩) શંકા-મર્થનરૂન - જો એ જીવને અર્થયોગ અને આલંબનયોગ છે નહીં તો એનો અર્થ એ થયો કે એ જીવ વ્યવસ્થિત મુદ્રા ભલે જાળવે છે ને અન્યૂનાધિકપણે સૂત્રોચ્ચાર પણ ભલે કરે છે, છતાં આ બન્ને તો કર્મયોગ છે... સૂત્રના અર્થમાં ઉપયોગ રૂપ અર્થયોગ વગેરે જ્ઞાનયોગ તો એને છે નહીં. એટલે, એ ચૈિત્યવન્દનના સૂત્રોની વાચના લેતો હોય, પૃચ્છના કરતો હોય કે પરાવર્તન કરતો હોય, તો પણ એમાં અર્થનો ઉપયોગ ભળતો ન હોવાના કારણે અર્થની અનુપ્રેક્ષા તો સંભવિત જ ન બને. એટલે અનુપ્રેક્ષા સંકળાયેલી ન હોવાના કારણે ઉપયોગશૂન્યતા છે. તેથી જેમાં ઉપયોગ ભળેલો ન હોય તે બધું દ્રવ્ય કહેવાય એવા અનુપયોગો દ્રવ્ય એ ન્યાયે બધું દ્રવ્યત્યવન્દન રૂપ જ થવાનું.. તો પછી એને શ્રેયોરૂપ શી રીતે કહી શકાય? સમાધાન - આ રીતે એ દ્રવ્યત્યવન્દનરૂપ છે એ વાત સાચી. તેમ છતાં એનો સ્થાનયોગમાં અને ઊર્ણયોગમાં જે અતિશયિત પ્રયત્ન છે, તેમજ અર્થયોગ અને આલંબન યોગમાં એની જે સ્પૃહાળતા છે એના કારણે એનું આ ચૈત્યવન્દન ત,અનુષ્ઠાનરૂપ બને છે. આશય એ છે કે સ્થાન અને ઊર્ણયોગમાં અતિશયિત પ્રયત્ન તેમજ અર્થ-આલંબનની તીવ્રસ્પૃહા ચૈત્યવન્દનાદિરૂપ સદનુષ્ઠાનના અનુરાગ વિના અસંભવિત છે. વળી આ જીવ કંઇક પણ સંસારથી પરગમુખ થયેલો છે. એટલે કે તીવ્ર ભવાભિળંગરૂપ મુક્તિષ પણ એને છે નહીં. સદનુષ્ઠાનનો રાગ અને (134) યિોગવિંશિક...૧૦-૧૧) 134 Page #152 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ અદ્વેષ એના અનુષ્ઠાનને તકેતુઅનુષ્ઠાનરૂપ બનાવે છે. વળી તછેઅનુષ્ઠાન તો ભાવઅનુષ્ઠાનનો હેતુ છે જ. એટલે, ત,અનુષ્ઠાનરૂપબનેલું એનું આ દ્રવ્યત્યવન્દન ભાવ ચૈત્યવન્દનને ખેંચી લાવે છે જે ભાવચેત્યવન્દન અમૃતાનુષ્ઠાનરૂપ હોવાથી પરમફળનું સંપાદક બને છે. આમ, દ્રવ્યચૈત્યવન્દનરૂપ હોવા છતાં પરંપરાએ એ અભીષ્ટફળદાયક બનતું હોવાથી શ્રેયસ્કર છે જ એ નિર્વિવાદ છે. આગળ આવી ગયું એ મુજબચવન્દનાદિના અધિકારીની વિચારણા ચાલી રહી છે. એમાં સ્થાનાદિમાં યત્નવાળા ને અર્પાદિની સ્પૃહાવાળા જીવને પણ પદપરિજ્ઞાન શ્રેયસ્કર છે એમ જણાવવા દ્વારા એને પણ અધિકારી તરીકે જણાવ્યો. અર્થાત્ આવા જીવને પણ ચૈત્યવન્દનસૂત્રો આપવાના હોય છે. ગુરુ પાસે સહુ પ્રથમ વાર સૂત્ર લેવામાં આવે . દાચના કહેવાય છે. કેટલાક શિષ્યોનો ક્ષયોપશમ એવો હોય છે કે આ પ્રથમવારમાં જ એને યથાર્થ પદજ્ઞાન થઈ જાય છે. એટલો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોય તો એટલું સ્પષ્ટ યથાર્થપદજ્ઞાન થતું નથી. એટલે એ અંગે ગુરુને ફરીથી પૂછવામાં આવે તે પૃચ્છના... વળી એ પદજ્ઞાનને રૂઢ કરવા માટે એનું પુનરાવર્તન કરવામાં આવે તે પરાવર્તન. [આજ રીતે સ્થાન મુદ્રા માટે પણ જાણવું. પ્રથમવારમાં શીખી ન જાય એ બીજી-ત્રીજીવાર પણ ગુરુને પૂછે... વળી એ મુદ્રાઓને રૂઢ કરવા માટે સ્વયં એનો અભ્યાસ (પ્રેક્ટીશ) પણ કરે.]. શંકા - હજુ તો સામાજીવને ચૈત્યવન્દનના સૂત્રો અપાઈ રહ્યા છે. તો એ જીવ સ્થાનાદિમાં યત્નવાળો ને અર્થાદિની સ્પૃહાવાળો બનશે જ એવું છદ્મસ્થ ગુરુ પહેલેથી શી રીતે જાણી શકે? કે જેથી એ જાણકારી પર એને અધિકારી માનીસૂત્રપ્રધાન કરે? સમાધાન – પૂર્વે નવકારમંત્ર વગેરે જે આપેલા હોય એ પ્રત્યેના એના અભિગમ પરથી આનું અનુમાન કરીને ગુરુ આપી શકે છે. વસ્તુતઃ જેમ શાબ્દબોધમાં યોગ્યતાજ્ઞાનને જે કારણ કહ્યું છે એનો વાસ્તવિક અર્થઅયોગ્યતાજ્ઞાનનો અભાવ એ કારણ છે એમ કરવામાં આવે છે. એમ સામાન્યથી જ્યાં જ્યાં યોગ્યતા જોવાની વાત હોય ત્યાં ત્યાં કોઈ અયોગ્યતા દેખાઈ જાય તો તે સૂત્રદાનાદિ ન કરવા આવો અર્થ લગભગ સમજવાનો હોય છે. જેમકે ઉપદેશદાન માટે અપુનર્બન્ધક વગેરે જીવોને યોગ્ય કહ્યા છે. પણ ઉપદેશદાતા ગીતાર્થ ગુરુ પ્રથમ | અયોગ્યતાજ્ઞાનનો અભાવ છે 135) Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિચયમાં આવેલા શ્રોતા માટે તીવ્રભાવે પાપઅકરણ વગેરે લક્ષણો ને એના દ્વારા અપુનર્બન્ધકાદિપણું એનામાં તપાસવા નથી બેસતા. માત્ર એવી કોઇ અયોગ્યતા જણાય તો એને ઉપદેશ આપતા નથી. જો એવી કોઇ અયોગ્યતા ન જણાય તો એને ઉપદેશ આપે જ છે. એ જ રીતે પ્રસ્તુતમાં, સામા જીવમાં એવા કોઇ અપલક્ષણ જણાય કે જેથી ‘આ સ્થાનાદિ અંગે ભારે ઉપેક્ષા કે સૂગવાળો બનરો’ એવી સંભાવના પ્રતીત થાય, તો એને સૂત્ર વગેરે આપે નહીં. પણ જો આવું કાંઇ અયોગ્યત્વ ન જણાય તો, ‘યોગ્ય કેળવણી આપવા પર એ પણ સ્થાનાદિના યત્નવાળો બનશે' એવી સંભાવના – શ્રદ્ધા રાખી એને સૂત્રપ્રદાન કરે જ છે. આ વાત આગળ પણ સ્પષ્ટ થશે. તથા આ પણ સમજવા જેવું છે કે ‘ઇષ્ટપ્રાપ્તિનો નિર્ણય પ્રવર્તક બને અને અનિષ્ટપ્રાપ્તિનો નિર્ણય નિવર્તક અને' એવો નિયમ નથી, પણ ‘ઇષ્ટપ્રાપ્તિની સંભાવના એ પ્રવર્તક ને અનિષ્ટપ્રાપ્તિની સંભાવના એ નિવર્તક' એવો નિયમ છે. એટલે ‘વિવક્ષિત જીવ સ્થાનાદિમાં યત્નવાળો બનશે જ’ એવો નિર્ણય નહીં, પણ એવી સંભાવના માત્રથી ગુરુ સૂત્રપ્રદાન કરી શકે છે. એમ સામો જીવ સ્થાનાદિમાં યત્ન નહીં જ કરી એવો યથાર્થ નિર્ણય પણ છદ્મસ્થ ગુરુ પહેલેથી શી રીતે કરે ? પણ એવી કોઇ અયોગ્યતા નજરે ચઢે તો ‘આ સ્થાનાદિમાં પ્રયત્ન કરે એવી સંભાવના જણાતી નથી....’ એ રીતે સંભાવના કરીને જ એને સૂત્રપ્રઠાન કરતાં અટકે છે એ જાણવું. “સ્થાનાદિમાં પ્રયત્નશીલ જીવોને પદ્મપરિજ્ઞાન ડેવલ શ્રેયરૂપ જ બને છે આવું જે કહ્યું એમાં પણ વ્યવસ્થિત વિભાષા જાણવી. આશય એ છે કે ‘સંવિગ્નગીતાર્થના વચનમાં અવિકલ્પેન તથાકાર કરવો..’ આવા વચન પરથી એવો અર્થ નથી કરાતો કે *‘સંવિગ્નગીતાર્થના વચનને વિના વિકલ્પે તહત્તિ કરવું. અને તહિત્રના *અહીં ‘સંવિગ્નગીતાર્થના વચનને વિના વિકલ્પે તહત્તિ કરવું’ એટલે શું ? એ પણ સપ્રસંગ વિચારી લઇએ. વિના વિલ્પે તહુત્તિ કરવું એટલે તેને પ્રમાણ માનીને સ્વીકારવાનું તો છે જ... પણ પોતાનો વિશેષ ક્ષયોપામ હોય તો એ વચનને યથાર્થ ઠેરવે એવી યુક્તિઓ પણ તપાસવી. જો એવી યુક્તિઓ મળે તો એ યુક્તિઓથી પણ એ વાતને દૃઢ કરવી. ક્યારેક વિરુદ્ધ યુક્તિઓ મળે તો, પુરુષવિશ્વાસે વચનવિશ્વાસના બળે, ‘જ્ઞાનાવરણકર્મના ઉદયના કારણે મને આવી યુક્તિઓ ભાસે છે... વસ્તુતઃ આ યુક્તિ નથી પણ યુક્તિઆભાસ છે’ વગેરે વિચારી યુક્તિને પ્રાધાન્ય ન આપવું, પણ આજ્ઞાને જ પ્રાધાન્ય આપવું. આ જ રીતે સ્વાનુભવ અંગે પણ જાણવું. અર્થાત્ સંવિગ્ન ગીતાર્થના વચન અંગે સ્વાનુભવ પણ તપાસવો. સ્વાનુભવસ્વસંવેદન જો વચનાનુસાર હોય તો એ અનુભવને પ્રમાણ માનવો અને એના દ્વારા ગીતાર્થના વચનની દઢતા કરવી. પણ સ્વાનુભવ જો વચન કરતાં વિરુદ્ધ જતો હોય તો પણ વચનને જ પ્રમાણ તરીકે સ્વીકારી 136 યોગવિંશિકા...૧૦-૧૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ વચનને વિના વિકલ્પ અતત્તિ કરવું પણ એવો અર્થ કરાય છે કે સંવિગ્નગીતાર્થના (તથા, સંવિઝપાક્ષિકગીતાર્થના પણ) વચનને વિના વિકલ્પ તત્તિ કરવું અને તભિન્નના વચનને વિકલ્પ તહત્તિ કરવું. અર્થાત્ એ યુક્તિસંગત હોય તો તહત્તિ કરવું, ને યુક્તસંગત ન હોય તો તહત્તિ ન કરવું.’ આ વ્યવસ્થિતવિભાષા કહેવાય છે. પ્રસ્તુતમાં પણ આવી વ્યવસ્થિત વિભાષા છે. ‘સ્થાનાદિમાં યત્નપરાયણ ઈતરજીવોને પદારિજ્ઞાન કેવલ શ્રેયઃ છેઆનો અર્થ ‘આવા જીવોને એ માત્ર (ક્યારેક અશ્રેયસ્કર બને એવા વિકલ્પ વિના) શ્રેયઃ રૂપ જ છે. અને તદ્વિત્ર જીવોને અશ્રેય રૂપ જ છે આવો નથી કરવાનો, પણ “યત્નપરાયણજીવોને માત્ર શ્રેયરૂપ છે, અને જેઓ સ્થાનાદિમાં યત્નપરાયણ નથી કે જેઓ અર્થ-આલંબનની તીવ્રસ્પૃહાવાળા નથી કે જેઓ બન્ને નથી એવા જીવોને આ પદપરિજ્ઞાન વિકલ્પ શ્રેય રૂપ છે, અર્થાત્ એવા જીવોમાંથી કેટલાકને એ શ્રેયોરૂપ નીવડે છે અને કેટલાકને એ શ્રેયોરૂપ નથી પણ નીવડતું...” આવી વ્યવસ્થિતવિભાષા માનવી આવશ્યક છે, કારણકે પ્રારંભિક અવસ્થામાં અતિશયિત પ્રયત્નથી શૂન્ય એવું ઓછા-વત્તા પ્રયત્નવાળું અનુષ્ઠાન ચાલુ રાખવામાં આવે તો એ જ કમશઃ યત્નાતિશય વગેરેને ખેંચી લાવનારું બને છે અને તેથી પરંપરાએ શ્રેયસ્કર નીવડે છે. નહીંતર તોયોગમાર્ગ જ બહુધા અસંભવિત બની જાય... કારણકે પ્રારંભકાળે મોટાભાગના જીવો સ્થાનાદિમાં અત્યંત પ્રયત્નને અર્થઆલંબનની તીવ્રસ્પૃહા... આ બન્ને વગરના જ હોવાથી તેઓનું પ્રારંભિક ચૈત્યવન્દન જ પ્રયત્નાતિશયનોને તીવ્રસ્પૃહાનો અભાવ હોવાના કારણે અશ્રેયસ્કર નીવડી જાય, અને તેથી તેઓ આગળ વધી શકે નહીં. તથા, જેઓ ઇચ્છા કક્ષાનો સ્થાનયોગ સેવે છે એમને યથાવિહિત તો શું? યથાશક્તિ પણ હજુ મુદ્રાદિપાલનનો પ્રયત્ન નથી... એમ એમને યથાવિહિત સ્થાનસેવનની ઇચ્છા હોવાનો નિયમ છે, પણ આગળના અર્થ-આલમ્બન યોગની તીવ્રસ્પૃહાનો કાંઈ નિયમ નથી (અર્થાત્ અર્થ-આલંબનની તીવ્રસ્પૃહા હોય તો જ ઇચ્છાકક્ષાનો સ્થાનયોગ હોય એવો કાંઇ નિયમ નથી.) એટલે સ્થાનના ઈચ્છયોગીને સ્વાનુભવને, ‘મોહ-અજ્ઞાન વગેરે કારણે પોતાને આવું અનુભવાય છે. એમ અપ્રમાણ માનવો. જ્યાં ક્ષયોપશમનો અભાવ વગેરે કારણે યુક્તિ કે અનુભવ ઉપલબ્ધ ન હોય ત્યાં પણ આપ્તપુરુષના વચનને વિના વિકલ્પ તહત્તિ કરવું, પણ વિરુદ્ધ યુક્તિની આશંકા ન કરવી. આ બધું વિના વિકલ્પ તહત્તિ કર્યું કહેવાય. િવ્યવસ્થિત વિભાષા] (137) Page #155 -------------------------------------------------------------------------- ________________ યત્નાતિશયતીવ્રસ્પૃહાનો અભાવસંભવિત છે, અને તેમ છતાં તેમનો આઇચ્છાયોગ શ્રેયસ્કર તો છે જ. એટલે “સ્થાનાદિમાં પ્રયત્નપરાયણ અને અર્થ-આલંબનની તીવ્રપૃહાવાળા જીવોને પદપરિજ્ઞાન અવશ્ય શ્રેયસ્કર બને છે અને તદ્ધિનને વિકલ્પ શ્રેયસ્કર બને છે” એવી વ્યવસ્થિત વિભાષા અહીં જાણવી. ૧૧ स्थानादियत्नाभावे च तच्चैत्यवन्दनानुष्ठानमप्राधान्यरूपद्रव्यतामास्कन्दन्निष्फलं (विपरीतफलं) वा स्याद्-इति 'लेशतोऽपि स्थानादियोगाभाववन्तो नैतत्प्रदानयोग्या इत्युपदिशन्नाह - અવતરણિકાર્ય સ્થાનાદિ જાળવવાનો પ્રયત્ન ન હોય તો તે ચૈત્યવન્દન અપ્રાધાન્યરૂપ દ્રવ્યતાને પામતું નિષ્ફળ નીવડે છે કે વિપરીતફળવાળું બને છે. માટે અંશતઃ પણ સ્થાનાદિયોગ ન જાળવનારા જીવો આ ચૈત્યવન્દનાદિસૂત્ર આપવા માટે યોગ્ય નથી એવો ઉપદેશ આપતા ગ્રન્થકાર કહે છે. વિવેચનઃ અનુપયોગો દ્રવ્યમ્ ન્યાયે દ્રવ્યરૂપતાને પામનારું અનુષ્ઠાન પણ બે પ્રકારે હોય છે. જે ભાવનું કારણ બને તે પ્રધાનદ્રવ્ય... અને ભાવનું કારણ ન બને તે અપ્રધાનદ્રવ્ય. અર્થ અને આલંબનયોગનહોવાના કારણે અનુપયોગ હોવાથી દ્રવ્યરૂપ બનતુંત્યવન્દન પણ જો સ્થાનાદિનો પ્રયત્ન હોય તો એતતુઅનુષ્ઠાન બનતું હોવાથી તતેનું અમૃતઅનુષ્ઠાનનું ભાવ અનુષ્ઠાનનું કારણ બને છે એ વાત આવી ગઈ એટલે એ પ્રધાન દ્રવ્યઅનુષ્ઠાન છે. પણ જો એમાં થોડો પણ સ્થાનાદિયોગને જાળવવાનો પ્રયત્ન ન હોય તો એ ભાવનું કારણ બની શકતું નથી. માટે એ અપ્રધાન દ્રવ્યઅનુષ્ઠાન છે. આવું અપ્રધાન દ્રવ્યઅનુષ્ઠાન કરનારા જીવો ચૈત્યવન્દનાદિસૂત્રોના પ્રદાનને અયોગ્ય છે. (૧) સેશતોડપિ - આ લેશતઃ' શબ્દ, પૂર્વે જે વ્યવસ્થિતવિભાષા દર્શાવી એનો સૂચક છે. શારીરિક પ્રતિકૂળતાના કારણે જે સ્થાનાદિન જાળવી શકે કે વાચિક પ્રતિકૂળતાના કારણે જે ઊર્ણન જાળવી શકે. અરે... પ્રતિકૂળતા એટલી વિષમ હોય કે જેથી ઇચ્છા હોવા છતાં આંશિક પણ સ્થાન-મુદ્રા જાળવી ન શકે, તો એટલા માત્રથી કાંઈ આ જીવો અયોગ્યરી જતા નથી. સ્થાનાદિ જાળવવાની નિર્દન્મ ઇચ્છા 138 યોગવિશિકા...૧૦-૧૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ એ પણ અહીંયોગલેશ છે જ. ને તેથી તેઓ પણ સૂત્રપ્રદાનયોગ્ય છે જ. એમ શક્તિસંયોગ હોવા છતાં યથાઉલ્લાસ ઓછું-વનું પાલન કરનારને પણ ઇચ્છાયોગ સંભવિત હોવાથી સર્વથા યોગાભાવે નથી. માટે એ પણ સૂત્રપ્રધાન યોગ્ય છે જ.* આમ, અર્થ-આલંબનના અભાવવાળા જીવો, સ્થાનાદિમાં પણ અત્યન્ત પ્રયત્નતત્પર ન હોય કે અર્થ-આલંબનની તીવ્રસ્પૃહાવાળા ન હોય તો પણ જેઓને યોગલેશ સંભવિત છે તેઓને પણ પદપરિજ્ઞાન શ્રેયસ્કર છે, અને જેઓને યોગલેશ પણ સંભવિતનથી તેઓને જ પદપરિજ્ઞાન શ્રેયસ્કર નથી, એવી પૂર્વે કહેલી વ્યવસ્થિત વિભાષા આ લેશતઃ શબ્દથી પ્રાપ્ત થાય છે. અવતરણિકામાં નિષ્ણ7 શબ્દ પછી વિપરીતwત્ત એવો શબ્દ હોવો જોઇએ. કારણ કે આગળ નિષ્ફળતા અને વિપરીતફલતા બન્નેની વાત છે, તેમજ નિષ્પન્ન પછી જેવા શબ્દ છે તે વિપરીતwત્ત શબ્દ વિના અસંગત રહે છે. इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ। ता अणुरूवाणं चिय कायव्वो एयविन्नासो॥१२॥ ગાથાર્થઃ ઇતરથા = સ્થાનાદિ જાળવવાના પ્રયત્નનો અભાવ હોય તો (આ ચૈત્યવન્દન અનુષ્ઠાન) કાયવાસિતપ્રાય છે અથવા મહામૃષાવાદસ્વરૂપ છે. તેથી અનુરૂપ = યોગ્ય જીવોને જ આનો = ચત્યવન્દનસૂત્રનો વિન્યાસ કરવો જોઇએ. इहरा उत्ति । इतरथा तु = अर्थालम्बनयोगाभाववतां स्थानादियत्नाभावे तु तत् = चैत्यवन्दनानुष्ठानं कायवासितप्रायं-सम्मूर्च्छनजप्रवृत्तितुल्यकायचेष्टितप्रायं, मानसोपयोगशून्यत्वात्, उपलक्षणाद्वाग्वासितप्रायमपि द्रष्टव्यं, तथा चाननुष्ठानरूपत्वान्निष्फलमेतदिति માવ:| વૃત્તિઅર્થ ઇતરથા = અર્થ-આલંબનયોગશૂન્ય જીવોને સ્થાનાદિનો યત્ન પણ જોન હોય તો તે = ચૈત્યવન્દન અનુષ્ઠાન કાયવાસિત પ્રાયઃ = સંમૂર્છાિમજીવોની *અભવ્યાદિને જેવી ભૌતિક ઇચ્છા હોય એવી ભૌતિક ઇચ્છાથી જો ચૈત્યવન્દનાદિ કરાતા હોય તો પ્રણિધાનાદિ જનહોવાથી અર્થઉપયોગ વગેરે હોય તો પણ એ તુચ્છ દ્રવ્યક્રિયારૂપ જ છે, એ વાત પહેલેથી ગ્રન્થપર્યન્ત સર્વત્ર સમજવાની જ છે. એટલે સર્વત્ર જે સંસારના સ્વરૂપને પિછાણે છે. મોક્ષનીતીવરચિવાળો થયો છે... વગેરે પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. ચિત્યવંદનની નિષ્ફળતા 139) Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ જેવી માત્ર કાયચેષ્ટારૂપ બને છે, કારણકે એમાં માનસઉપયોગ છે નહીં. કાયવાસિત પ્રાય” ના ઉપલક્ષણથી વાગ્વાસિતપ્રાય પણ જાણવું. એટલે આવું ચૈત્યવન્દન અનુષ્ઠાનરૂપ હોવાથી નિષ્ફળ છે એ પ્રમાણે રહસ્યાર્થ જાણવો. વિવેચનઃ સમ્મર્છાિમ જીવો મન વગરના હોય છે. એટલે એમની કોઇપણ કિયા માત્ર કાયચેષ્ટારૂપ હોય છે ને કોઈ પણ ભાષાપ્રયોગ માત્ર વચનયોગરૂપ હોય છે, ક્યાંય માનસ ઉપયોગ ભળવાની શક્યતા તો હોતી જ નથી. એ જ રીતે અનુષ્ઠાન કરવા છતાં સ્થાનાદિનો લેશ પણ પ્રયત્ન ન થાય... આવું તો જ બને જો એ અનુષ્ઠાન ગતાનુગતિક રીતે શૂન્યમનસ્કપણે થતું હોય. માટે એ ચૈત્યવન્દન માત્ર કાયક્યિારૂપ અને સૂત્રોચ્ચાર માત્ર વાક્રિયારૂપ બની રહેવાથી અનનુષ્ઠાન છે, અને અનનુષ્ઠાન છે, માટે નિષ્ફળ છે. જેને ફળનું પ્રણિધાન જ નથી, એને તો અર્થ અને આલંબનનો ઉપયોગ જાળવે તો પણ અનુષ્ઠાન જ છે, કારણકે ગતાનુગતિક્તા છે. જેને તીવ્ર પ્રણિધાન હોય એ સ્થાનાદિનો લેશ પણ પ્રયત્ન ન કરે એ સંભવિત નથી. પહેલી-બીજી દષ્ટિ જેવા મન્દ પ્રણિધાનવાળા જીવો ક્યારેક સ્થાનાદિમાં પ્રયત્નતત્પર હોય છે, ક્યારેક નથી હોતા. જ્યારે નથી હોતા ત્યારે એ દષ્ટિની વિદ્યમાનતાના કારણે યોગ્યતારૂપે સફળ હોવા છતાં મુખ્ય ફળપ્રાપ્તિની અપેક્ષાએ નિષ્ફળ કહી શકાય, તેમ છતાં આવા જીવો પણ સૂત્રપ્રદાનને અયોગ્ય નથી, કારણકે ક્યારેક ક્યારેક થતાસ્થાનાદિપ્રયત્નથી જ એ આગળ વધે એવી શક્યતા છે. માત્ર, સ્થાનાદિના લેશ પ્રયત્નની પણ જેઓમાં સંભાવના જણાતી હોય તેવા જીવોમાં પ્રણિધાનાદિનો સર્વથા અભાવ પણ એનાથી જ સૂચિત થઈ જતો હોવાથી તેવા જીવોજ અયોગ્ય છે એ જાણવું, છદ્મસ્થગુરુ સામા જીવમાં પ્રણિધાનાદિ છે કે નહીં એનો નિર્ણય કરી જ શકે એવો નિયમ નથી. જ્યારે સ્થાન અને વર્ણ તો બાહ્ય ક્રિયારૂપ છે, માટે છઘDગોચર છે. માટે અહીં સ્થાનાદિયત્નની વિદ્યમાનતા-અવિદ્યમાનતાના આધારે યોગ્યતા-અયોગ્યતાનું નિરૂપણ છે, એ જાણવું. અથવા તિ પાન્તરે, તબૈત્યવન્દ્રનાનુષ્ઠાન મહામૃષાવાવ, “શાન-મૌનध्यानैरात्मानं व्युत्सृजामि' (ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि) इति प्रतिज्ञया विहितस्य चैत्यवन्दनकायोत्सर्गादे: स्थानादिभङ्गे मृषावादस्य स्फुटत्वात्, 'स्वयं विधि 140 યોગવિંશિક..૧૨] Page #158 -------------------------------------------------------------------------- ________________ विपर्ययप्रवृत्तौ परेषामेतदनुष्ठाने मिथ्यात्वबुद्धिजननद्वारा तस्य लौकिकमृषावादादतिगुरुत्वाच्च। तथा च विपरीतफलं तेषामेतदनुष्ठानं सम्पन्नम्। - વૃત્તિઅર્થ અથવા શબ્દ અન્ય દોષનો સંગ્રહ કરવા માટે છે. (અથવા) તે ચૈત્યવન્દન અનુષ્ઠાન મહામૃષાવાદ છે. કારણકે સ્થાન-મૌન અને ધ્યાનવડે આત્માને વોસિરાવું છું.” એવી પ્રતિજ્ઞાપૂર્વક કરાતાચૈત્યવન્દન-કાઉસ્સગ્ગાદિસ્થાનાદિનો ભંગ થયે મૃષાવાદરૂપ બની જાય છે એ સ્પષ્ટ છે. તથા સ્વયં વિધિથી વિપરીતપણે પ્રવર્તવામાં બીજાને પણ આ અનુષ્ઠાનમાં મિથ્થાબુદ્ધિ જાગે છે, અને તેથી એ રીતે એ લૌકિક મૃષાવાદ કરતાં અતિગુરુ છે. આમ તેઓનું આ અનુષ્ઠાન વિપરીતફળ દેનાર બન્યું. વિવેચનઃ (૧) અથવા... સ્થાનાદિ પ્રયત્નશૂન્યજીવોનું ચૈત્યવન્દન તદ્દહેતુ અનુષ્ઠાનરૂપ પણ બનતું ન હોવાથી પરંપરાએ પણ અભીષ્ટફળસંપાદક બનતું નથી. અને તેથી એ નિષ્ફળ છે, આ રીતે એક દોષ બતાવ્યો. હવે વિપરીતફળરૂપ બીજો દોષ દર્શાવવાનો અથવા’ શબ્દથી પ્રારંભ કરે છે. અથવા તે ચૈત્યવન્દન અનુષ્ઠાન મહામૃષાવાદરૂપ બને છે (આ બીજો દોષ છે.) (૨) સ્થાન... તે ચૈત્યવન્દનને મહામૃષાવાદરૂપે સિદ્ધ કરવાનું છે, અર્થાત્ એમાં બે અંશોની સિદ્ધિ કરવાની છે, મૃષાવાદપણાની (મૃષાવાદ–ની) અને એ મૃષાવાદમાં મહત્ત્વની (અતિગુરુપણાની). એમાં પ્રથમ મૃષાવાદ–ની સિદ્ધિ માટે પાન-મૌન... ઇત્યાદિ હેતુ આપ્યો છે. ચૈત્યવન્દન અનુષ્ઠાનમાં કાઉસ્સગ્ન અન્તર્ગત છે. અને કાઉસ્સગ્નમાં હું સ્થાનવડે-મૌનવડે અને ધ્યાનવડે મારા આત્માને વોસિરાવું છું એવી પ્રતિજ્ઞા કરવાની હોય છે. એટલે આવી સ્થાનાદિ જાળવવા દ્વારા આત્માને વોસિરાવવાની પ્રતિજ્ઞા ક્યબાદ, વિપરીત આભોગ કે બેકાળજીના કારણે સ્થાનાદિ જાળવે નહીં, તો મૃષાવાદલાગવો સ્પષ્ટ જ છે. (એમટૈત્યવન્દન કરવા પૂર્વે ખમાસમણું દઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવન્દન કરું?” આવો આદેશ મગાય છે. ગુરુ કરેહ’ કહીને અનુજ્ઞા આપે છે. જેનો સાધક ઇચ્છ' કહીને જે સ્વીકાર કરે છે તેને ચૈત્યવન્દન કરવાની એક પ્રકારની પ્રતિજ્ઞા રૂપ સમજી શકાય છે. અને ચૈત્યવન્દન એ તો તે તે ચોક્કસ મુદ્રાઓ અને અલિતાકિદોષમુક્ત સૂત્રોચ્ચારાદિમય અનુષ્ઠાન છે. એટલે જો તેને મુદ્રાદિ જાળવવામાં ન આવે તો ચેત્યવન્દન કરું એમ બોલીને પણ ચિત્યવંદનની વિપરીતકલક્તા) 141 Page #159 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક ચૈત્યવન્દન કરવાનું થતું નથી. માટે મૃષાવાદ દોષ સ્પષ્ટ છે.) (૩) સ્વય.સ્થાનાદિ પ્રયત્નશૂન્ય ચૈત્યવન્ડન માત્ર મૃષાવાદ નથી, મહામૃષાવાદ છે... એની (મહત્ત્વની) સિદ્ધિ કરવા માટે સ્વયં... વગેરે જણાવ્યું છે. પોતે જો વિધિથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરે તો બીજાઓને પણ એ જોઈને ચૈત્યવન્દન આ રીતે જ થતું હશે એવી બુદ્ધિ થાય છે. અર્થાત્ ચૈત્યવન્દનનો જે વિધિ નથી, અવિધિ છે એની વિધિ તરીકે બુદ્ધિ થાય છે. આ મિથ્યાત્વબુદ્ધિ છે. આમ પોતાની વિપરીતપ્રવૃત્તિ ચૈત્યવર્જનાત્મક લોકોત્તર વિષય અંગે મિથ્થાબુદ્ધિ પેદા કરે છે, માટે, લૌકિક વિષય અંગે મિથ્યાભ્રાન્તિ ફેલાવનાર ચાલુ મૃષાવાદ કરતાં એ અતિગુરુ છે. બીજી રીતે કહીએ તો, ચૈત્યવન્દનનો ઇચ્છુક જીવ, બીજા જીવો કરતાં કંઇક પણ ઊંચી ભૂમિકાએ પહોચેલો છે એમ કહી શકાય. એટલે ઊંચી ભૂમિકાવાળા જીવને વિપરીતબુદ્ધિ કરાવનાર હોવાથી સ્થાનાદિશૂન્ય ચૈત્યવન્દન એ મહામૃષાવાદ છે. ઉપદેશમાળામાં કહ્યું છે. जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अण्णो। वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो। (૪) તથા ર... ચૈત્યવન્દન તો સદનુષ્ઠાન છે. એ જીવને મોક્ષમાર્ગ પર કંઇકને કંઇક પ્રગતિ કરાવે છે. પણ સ્થાનાદિ પ્રયત્નશૂન્યજીવને એ મહામૃષાવાદરૂપ બનવાથી ઉપરથી મોક્ષમાર્ગ પર પીછેહઠ કરાવનારું બન્યું. આમ આવા જીવોને એ વિપરીતફળવાળું બને છે એ જાણવું. પોતાની જે ક્રિયા બીજાઓને ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનો અંગે તુચ્છ અસત્ બુદ્ધિ કરાવે તે ક્યિા ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનના અનાદર-તિરસ્કાર-અવજ્ઞા સ્વરૂપ છે, માટે એ અશુભકર્મબંધના વિશેષકારણભૂત હોવાથી પોતાને માટે વિપરીત ફલક બને છે. તેમજ પરને પણ વિપરીત બુદ્ધિ કરાવનાર હોવાથી પરની અપેક્ષાએ પણ વિપરીતફલક બને છે. વિપરીફલકત્વ આ રીતે પણ અહીં વિચારી શકાય છે એ જાણવું. - અહીં એ વાત વિશેષ પ્રકારે જાણવી કે શારીરિક પ્રતિકૂળતા વગેરેને કારણે જેઓ સ્થાનાદિ જાળવી શક્તા નથી. તેઓ પણ પ્રતિજ્ઞાત કરતાં ભિન્ન આચરણ તો યોગવિંશિકા..૧૨) Page #160 -------------------------------------------------------------------------- ________________ કરે જ છે, છતાં એ સકારણ હોવાથી અપવાદરૂપ બને છે, દોષરૂપનહીં. તથા ગીતાર્થો અપવાદસેવનકાળેએ આપવાદિક આચરણનેબાળજીવોન્સર્ગિકવિધિરૂપેનમાની લે એ માટે પણ પર્યાપ્તકાળજી લેતા હોય છે. એટલે તેઓનું એ આચરણ મિથ્યાત્વબુદ્ધિજનન કરનારુંનરહેવાથી મહામૃષાવાદસ્વરૂપનથી, દોષનથી. અપવાદસેવનારની પૂરેપૂરી કાળજી હોવા છતાં કોઈક જોનાર જીવ આપવાદિક આચરણને ઔત્સર્ગિક વિધિરૂપે સમજી લે તો એમાં એ જોનાર જીવનો દોષ જાણવો. અપવાદસેવકને એ દોષ લાગતો નથી. કારણકે એણે તો પૂરેપૂરી કાળજી રાખી છે. (જેમકે ડૉકટરની બેકાળજીના કારણે દર્દી ન બચે, તો ડૉક્ટર પર નુકશાનીનો દાવો માંડી શકાય છે, પણ ડૉક્ટરની પૂરી કાળજી હોવા છતાં દર્દની અસાધ્યતા વગેરે કારણે દર્દીન બચે તો ડૉક્ટરને કોઈ સજા થતી નથી...) જેઓ પ્રારંભકાળમાં રહેલા છે તેઓ નવા નવા હોવાથી, વિધિની પરિપૂર્ણ જાણકારી ન હોવાના કારણે ઓછુવતું આચરતા હોય તેઓની પણ આ ન્યૂનતા અજ્ઞાનવશાત્ હોવાથી તેમજ તેઓની પ્રજ્ઞાપનીયતા વિધિ જાણીને તે મુજબ અનુષ્ઠાન કરવું આવા છેવટે અવ્યક્તઅભિપ્રાયને પણ સૂચિત કરતી હોવાથી મહામૃષાવાદ દોષ લાગતો નથી. એમની દરેક વખતે થતી જુદી જુદી રીતની અનભ્યસ્ત ક્લિાઓ પરથી જોનારને પણ લગભગ ખ્યાલ આવી જ જાય છે કે આ નવો નિશાળિયો છે. માટે જોનારાને મિથ્યાત્વબુદ્ધિજનનનું કારણ ન બનવાથી એ મહામૃષાવાદ બનતી નથી. જેઓ પ્રારંભકાળમાં નથી, હવે જુના થઈ ગયા છે, તેવા જીવો પણ પોતાના ઉલ્લાસ મુજબ સ્થાનાદિ જાળવે, પ્રમાદાદિવશાત્ બાકીની થોડી અવિધિ પણ ભેળવે, તો પણ જો અવિધિનો કદાગ્રહ ન હોવાના કારણે પ્રજ્ઞાપનીયતા હોય, વિધિપક્ષપાત હોય, અવિધિનોરંજ હોય તો તેઓને માટે પણ ચૈત્યવન્દનમહામૃષાવાદદોષરૂપ બનતું નથી, કારણકે એના સ્થાનાદિ તો “ઇચ્છાયોગ’ રૂપ બનવાની પૂર્ણ શક્યતા છે. येऽपि स्थानादिशुद्धमप्यैहिककीर्त्यादीच्छयाऽऽमुष्मिकस्वर्लोकादिविभूतीच्छया वैतदनुष्ठानं कुर्वन्ति तेषामपि मोक्षार्थकप्रतिज्ञया विहितमेतत्तद्विपरीतार्थतया क्रियमाणं विषगरानुष्ठानान्तर्भूतत्वेन महामृषावादानुबन्धित्वाद्विपरीतफलमेवेति। વૃત્તિઅર્થઃ વળી, જેઓ સ્થાનાદિની શુદ્ધિવાળા એવા પણ આ અનુષ્ઠાનને ચિત્યવંદનમાં ફળાકાંક્ષા (143) Page #161 -------------------------------------------------------------------------- ________________ ઐહિક કીર્તિ વગેરેની ઇચ્છાથી કે પારલૌકિક સ્વર્ગલોક્ના વૈભવ વગેરેની ઇચ્છાથી કરે છે તેઓનું પણ, મોક્ષાર્થક પ્રતિજ્ઞાપૂર્વક વિહિત એવું આ અનુષ્ઠાન તેનાથી વિપરીત પ્રયોજન માટે કરાઈ રહ્યું હોવાથી વિષ કે ગરમાં અન્તર્ભૂત થતું હોવાના કારણે મહામૃષાવાદનું અનુબન્ધી હોવાથી વિપરીતફલક જ જાણવું. વિવેચન : જેઓ યોગ્ય મુદ્રા વગેરે જાળવે છે, શુદ્ધ પણે સૂત્રોચ્ચાર કરે છે, એમ અર્થ વગેરેનો માનસ ઉપયોગ જાળવે છે એવા જીવોનું ચૈત્યવન્દન સ્થાનાદિશુદ્ધ કહેવાય. આવું સ્થાનાદિશુદ્ધ અનુષ્ઠાન પણ જો કીર્તિ – લબ્ધિ વગેરે રૂપ ઇહલૌકિક ઇચ્છાથી કરાતું હોય કે પારલૌકિક દેવલોકાદિની વિભૂતિની ઇચ્છાથી કરાતું હોય તો એ વિષઅનુષ્ઠાન કે ગરઅનુષ્ઠાનમાં અન્તર્ભૂત થાય છે. ચૈત્યવન્દનસૂત્રમાં ‘નિરુવસગ્ગવત્તિયાએ’ પદ જે આવે છે તેનો, નિરુપસર્ગ = ઉપસર્ગરહિત સ્થાન = મોક્ષ માટે હું આ કાઉસ્સગ્ગ કરું છું... એવો અર્થ છે. એટલે “ચૈત્યવન્દન શા માટે કરવાનું ? તો કે મોક્ષ માટે ...’ આ રીતે મોક્ષાર્થક પ્રતિજ્ઞાથી ચૈત્યવન્દન વિહિત છે એ જણાય છે. અને તેમ છતાં મોક્ષથી વિપરીત એવા ભૌતિક પ્રયોજનથી એ કરાતું હોય તો એમાં મૃષાવાદ સ્પષ્ટ છે જ, વળી લોકોત્તર છે, માટે મહામૃષાવાદરૂપ છે. તેમજ તેનાથી સચ્ચિત્તનું મારણ-મૂર્ચ્છન થઈ જાય છે, એટલે પુનઃ જ્યાં સુધી સચ્ચિત્ત ઊભું ન થાય ત્યાં સુધી સત્ય અનુષ્ઠાન મળવાનું નથી, અર્થાત્ કૃષાની જ પરંપરા ચાલવાની છે. માટે એ મહામૃષાવાદાનુબન્ધી છે. એટલે આ પણ, મોક્ષમાર્ગ પર પ્રગતિના બદલે પીછેહઠ કરાવનાર હોવાથી વિપરીતફળવાળું છે એ જાણવું. विषाद्यनुष्ठानस्वरूपं चेत्थमुदपदर्शितं पतञ्जल्याद्युक्तभेदान् स्वतन्त्रेण संवादयता ग्रन्थकृतैव योगबिन्दौ विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजानुष्ठानमपेक्षादिविधानतः ॥ १५५ ॥ विषं स्थावरजङ्गमभेदभिन्नम्, ततो विषमिव विषं, एवं गर इव गरः, परं गरः कुद्रव्यसंयोगजो विषविशेषः, अननुष्ठानं= અનુષ્ઠાનામાસ, તદ્વેતુ:-અનુષ્ઠાનહેતુ:, અમૃત્તમવ અમૃત, અમરળહેતુત્વાત્ અપેક્ષા (ચા:)= इहपरलोकस्पृहा (या:) आदिशब्दादनाभोगादेश्च यद् विधानं = विशेषः, तस्मात् । વૃત્તિઅર્થ : પતંજલિ વગેરેએ કહેલા વિષ-ગર વગેરે ભેદોનો સ્વસિદ્ધાન્તની સાથે સંવાદ દર્શાવતા ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જ યોગબિન્દુમાં વિષાદિ 144 યોગવિંશિકા...૧૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનોનું આવું સ્વરૂપ દર્શાવ્યું છે. યોગબિન્દુના ૧૫૫મા શ્લોકનો અર્થ : વિષ, ગર, અનુષ્ઠાન, તકેતુ અને છેલ્લું અમૃતઅનુષ્ઠાન.. આમ ગુર્નાદિપૂજાનું અનુષ્ઠાન અપેક્ષાદિના ભેદે પાંચ પ્રકારનું છે. આ શ્લોકની વૃત્તિનો અર્થ-) સ્થાવર અને જંગમ એમ બે ભેદવાળું વિષ જેમતત્કાળમારનારું છે તેમ, સચ્ચિત્તનો તત્કાળનાશ કરનાર અનુષ્ઠાન પણ વિષ જેવું થવાથી વિષ અનુષ્ઠાન કહેવાય છે. કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થતું ચોક્કસ પ્રકારનું વિષ એ “ગર છે. એ કાળાન્તરે મારનાર હોય છે. એમ જે અનુષ્ઠાન કાળાન્તરે સચ્ચિત્તનું નાશક છે તે પણ ગર જેવું થવાથી ‘ગરઅનુષ્ઠાન કહેવાય છે. અનનુષ્ઠાન એટલે અનુષ્ઠાનાભાસ.. બહારથી અનુષ્ઠાન જેવું દેખાય છે, પણ પ્રણિધાનાદિશૂન્ય હોવાથી એ નિષ્ફળ હોય છે. માટે માત્ર અનુષ્ઠાનાભાસ છે, વાસ્તવિક અનુષ્ઠાન નથી, તેથી ‘અનનુષ્ઠાન કહેવાય છે. જે અનુષ્ઠાન, તેનો = અમૃતઅનુષ્ઠાનનો હેતુ બને છે તે તદ્ધતું અનુષ્ઠાન કહેવાય છે. અમૃત જેમ અમરપણાનું કારણ છે, તેમ અમરણનું = મોક્ષનું જે કારણ બને છે તે અનુષ્ઠાન “અમૃત અનુષ્ઠાન કહેવાય છે. (અનુષ્ઠાનના આવા ભેદ પડી જવાનું કારણ ગ્રન્થકારે શ્લોકનાચોથાપાઠમાં જણાવ્યું છે.) ઈહલોક સંબંધી સ્પૃહા અને પરલોકસંબંધી સ્પૃહા એ અપેક્ષા છે. આવી અપેક્ષાનો અને આદિ શબ્દથી અનાભોગાદિનો જે ભેદ, તે ભેદના કારણે અનુષ્ઠાન પણ આમ વિષ વગેરે પાંચ પ્રકારનું થઈ જાય છે. અહીં મક્ષિા ના સ્થાને આવેલાયા: અને પૃદા ના સ્થાને સ્કૂદીયા: પાઠ સંગત લાગે છે. (યોગબિન્દુની વૃત્તિમાં તેવો જ પાઠ છે.) વિવેચનઃ ઈહલોકસ્પૃહા જો ભળેલી હોય તો અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બને છે, પરલોકસ્પૃહા જે ભળેલી હોય તો અનુષ્ઠાન ગરાનુષ્ઠાન બને છે. એમ અનાભોગના કારણે અનનુષ્ઠાન, અનુષ્ઠાનના રાગના કારણે તતઅનુષ્ઠાન અને મોક્ષના રાગથી અમૃતાનુષ્ઠાન થાય છે. હવે યોગબિન્દુના જશ્લોકો દ્વારા વૃત્તિકાર વિષાદિઅનુષ્ઠાનોનું કમશઃ સ્વરૂપ દર્શાવે છે.... विषं लब्ध्याद्यपेक्षात इदं सच्चित्तमारणात्। महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ॥१५६॥लब्ध्यादेः = लब्धिकी-दे: अपेक्षातः = स्पृहातः इदं = अनुष्ठानं विषं, 'सच्चित्तमारणात् परिशुद्धान्त: करणपरिणामવિષાનુકાન) (145) Page #163 -------------------------------------------------------------------------- ________________ विनाशनात्, तथा महतोऽनुष्ठानस्य अल्पार्थनात्-तुच्छलब्ध्यादिप्रार्थनेन 'लघुत्वस्यापादनादिदं विषं ज्ञेयम्। વૃત્તિઅર્થ ? (યોગબિન્દુના ૧૫૬ મા શ્લોકનો અર્થ-) લબ્ધિ વગેરેની અપેક્ષાથી આ = અનુષ્ઠાન વિષ બને છે. સચ્ચિત્તનું મારણ થતું હોવાના કારણે તેમજ મોટા અનુષ્ઠાનના અલ્પફળની યાચના હોવાથી લઘુતાનું આપાઠન થતું હોવાના કારણે આ અનુષ્ઠાન વિષ રૂપ બને છે એ જાણવું (શ્લોકની વૃત્તિનો અર્થ-) લબ્ધિ-કીર્તિ વગેરેની સ્પૃહાથી આ = અનુષ્ઠાન “વિષ બને છે. સચ્ચિત્તનું મારણ થતું હોવાથી અર્થાત્ પરિશુદ્ધ એવા અન્તઃકરણના પરિણામનો વિનાશ થતો હોવાથી તથા મોટા અનુષ્ઠાનનું તુચ્છલબ્ધિવગેરરૂપ નાનું ફળ માગવાના કારણે લઘુતાનું આપાદન થતું હોવાથી આ અનુષ્ઠાન વિષ’ જાણવું. વિવેચનઃ આ લોકમાં લબ્ધિ-કીર્તિ વગેરે પ્રાપ્ત થાય એવી સ્પૃહા એ ઇહલૌકિક સ્પૃહા છે. પણ એ હોવા માત્રથી અનુષ્ઠાન વિષ બની જ જાય એવો કાંઈ નિયમ નથી. કારણકે સૌભાગ્યવગેરે ઇહલૌકિક પદાર્થનીફળાપેક્ષા જો બાધ્યકક્ષાની હોય તો તદ્ધતુઅનુષ્ઠાન પણ થઈ શકે છે. માટે અહીં બે ઉત્તરહેતુઓ દર્શાવ્યા છે. (૧) પ્રથમહેતુ છે સચ્ચિત્તનુંમારણ... “ભૌતિક અપેક્ષાથી મુક્ત અંતઃકરણ એ સચ્ચિત્ત’ એવો અર્થનલેવો, કારણકે તો તો પછી ગરાનુષ્ઠાનમાં પણ અનુષ્ઠાનકાળે જ ભૌતિક અપેક્ષા વિદ્યમાન હોવાથી સચ્ચિત્ત રહી શકે નહીં, તેથી કાળાન્તરે નાશ થવાની વાત ટકી ન શકે. પણ ધર્મકરણબુદ્ધિથી પ્લાવિત અને ધર્મકરણકાળે તે તે અનુષ્ઠાનને ઉચિત શુભભાવથી પ્લાવિત અંતઃકરણ એ સચ્ચિત્ત છે. જો આવા સચ્ચિત્તનું મારણ થાય તો જ અનુષ્ઠાન વિષકે ગર બને એ જાણવું. અલબત્ વિષ કે ગર ખાધા પછી પણ મરણ થાય એ પૂર્વે જ જે યોગ્ય ઉપાય અજમાવવામાં આવે તો મરણ થતું નથી... પણ તેમ છતાં જે ખાધું હતું તે તો ‘વિષ’ કે ‘ગર’ જ કહેવાય છે. એમ પ્રસ્તુતમાં પણ, સચ્ચિત્તનું મારણ થવા પૂર્વે જ યોગ્ય નિમિત્ત મળી જાયનેવારણ થઈ જાય તો સચ્ચિત્તનું મારણ ભલેન થાય, છતાં પૂર્વે જે અનુષ્ઠાન કરેલું તે તો વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાન જ કહેવાય એ જાણવું. ભૌતિક અપેક્ષા હોવા માત્રથી સચ્ચિત્તનું મારણ થઈ જ જાય એવો નિયમ “LSL (146) યોગવિંશિકા. ૧૨) Page #164 -------------------------------------------------------------------------- ________________ નથી. એમ ભૌતિક અપેક્ષાનો વિષય લાખો રૂપિયા વગેરે સ્વરૂપ મોટો હોય કે બસોપાંચસો રૂપિયા જેવો નાનો હોય એના પર પણ સચ્ચિત્તના મારણ કે અમારણનો આધાર નથી. એ આધાર, માત્ર એ ભૌતિક અપેક્ષા બાધ્ય છે કે અબાધ્ય ? એના પર છે. - પચ્ચકખાણ અષ્ટકમાં દ્રવ્ય પચ્ચકખાણ શું સર્વથા નિરર્થક છે ? આવો પ્રશ્ન ઊઠાવી એના જવાબમાં કહ્યું છે કે - ભૌતિક અપેક્ષાથી કરાતું પચ્ચકખાણ દ્રવ્ય પચ્ચકખાણ રૂપ હોવા છતાં જો ‘મારા શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું આ પચ્ચકખાણ છે’એવી સદ્ભક્તિ એમાં ભળેલી હોય તો એનું દ્રવ્યપણું (=ભૌતિક અપેક્ષા વગેરે) બાધ્યમાન હોય છે, અને તેથી એ ભાવ પચ્ચકખાણનું કારણ બનતું હોવાથી નિરર્થક નથી. એટલે એમ કહી શકાય કે ભૌતિક અપેક્ષા જેવી તીવ્ર કે મંદ છે એના કરતાં પણ સદ્ભક્તિ વધારે પ્રબળ હોય તો (=અનુષ્ઠાનમાં થતી ઇષ્ટસાધનત્વની પ્રતીતિ કરતાં જિનોક્તત્વની પ્રતીતિ વધારે મહત્ત્વપૂર્ણ ભાસતી હોય તો) અપેક્ષા એનાથી બાધ્ય હોવાથી બાધ્યફળાપેક્ષા કહેવાય. મુક્તિ અદ્રેષ સહષ્કૃત આવી બાધ્યફળાપેક્ષા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી છે. ને એના કારણે અનુષ્ઠાન તદ્વેતુઅનુષ્ઠાન બને છે, જે ઉપાદેય છે ને જે અમૃતઅનુષ્ઠાનનું કારણ છે. એટલે અમૃતઅનુષ્ઠાનની (ભાવ પચ્ચકખાણવગેરેની) ભૂમિકા જો સર્જાઇ રહી છે તો સચ્ચિત્તનું મારણ માની શકાય નહીં – કહીં શકાય નહીં. આ રીતે અનુષ્ઠાન કરનારને તો સદનુષ્ઠાનનો રાગ વધે છે અને ભૌતિક અપેક્ષા જે હતી તે, આ સદનષ્ઠાનરાગ તથા સમજણ-સત્ત્વ-વૈરાગ્ય પૂર્તિ વગેરે કારણે કંઇક ને કંઇક પણ બાધા પામતી હોવાથી ક્રમરાઃ ઘટતી જાય છે. એટલે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થયા પછી પણ એ કાંઇ અનુષ્ઠાન છોડી દેતો નથી. ઊલટું ઇષ્ટપ્રાપ્તિ થવા પર એના સદ્ભક્તિ – સદનુષ્ઠાન રાગ વધે છે અને તેથી હવે, ભક્તિ વધી હશે અને ભૌતિક અપેક્ષા પૂર્વ કરતાં કંઇક પણ મંદ પડેલી હશે. એટલે એ હવે પુનઃ અનુષ્ઠાન કરશે ત્યારે સદ્દનુષ્ઠાનરાગ-ભક્તિ વગેરે ઓર વધરો અને અપેક્ષા ઓર વધારે બાધા પામશે. એમ કરતાં કરતાં એક ભૂમિકા એવી સર્જાશે કે જ્યારે ભૌતિક અપેક્ષા બિલકુલ બાધિત થઈ ગઈ હરો અને હવે નિરાશંસભાવથી અનુષ્ઠાન થશે જે ભાવઅનુષ્ઠાન છે. ગીતાર્થ ગુરુની ફરજ For Private & Personal'Use Only 147 Page #165 -------------------------------------------------------------------------- ________________ જ એટલે જ સૌભાગ્ય વગેરે ફળની ઇચ્છાથી દેવતાના ઉદ્દેશથી કરાતા રોહિણી તપ વગેરેનેપણ તપપંચારાકમાં હિતકર કહ્યા છે ને એમાં કારણ આ આપ્યું છે કે પહેલાં ભલે કર્મક્ષયનો ઉદ્દેશ નથી... પણ તપના અભ્યાસથી પછી એ કર્મક્ષયના ઉદ્દેશથી તપ કરતો થાય છે. એટલે જ ગીતાર્થગુરુની ફરજ એ છે કે ભલે ને કોઇક જીવ ભૌતિક અપેક્ષા પૂર્વક ધર્મમાં જોડાવાની ગણતરીથી આવ્યો છે, એની ‘જિનોક્ત’ એવી સદ્ભક્તિ વધે, સદનુષ્ઠાનનો રાગ વધે... એ વારંવાર ધર્માનુષ્ઠાન કરવા પ્રેરાય ... (અનુષ્ઠાનનો અભ્યાસ વધારે) એવો એને ઉપદેશ આપવો. આ જ કારણ છે કે જેઓને ધર્મમાં નવા જોડવાના હોય કે જોડાયેલા હોય એને સ્થિર કરવાના હોય એવા જીવોને માત્ર ધર્મનો મહિમા ગાતી જ વાતો કરવામાં આવે છે કે ‘ધર્મ તો જોયો હોય-સાંભળ્યો હોયઅનુમોદ્યો હોય તો પણ સાત પેઢીને તારી દે છે...’ ‘જો તમારે આલોકમાં ને પરલોકમાં સુખ-શાંતિ જોઇતા હોય તો ધર્મ જ કરો... ધર્મથી જ બધું મળે છે...’ ‘જો તમે અર્થ-કામને ઇચ્છો છો તો પણ તમારે ધર્મ જ કરવો જોઇએ... ’વગેરે વગેરે... આમાં ક્યાંય નિરાશંસભાવની કે તપશ્ચર્યા વગેરેરૂપ અનુષ્ઠાન પણ ‘વિષ’ બની શકે છે એવી વાતો કરાતી નથી... કારણકે ‘જિનોક્ત અનુષ્ઠાન પણ વિષ હોય શકે’ આ વાત ‘જિનોક્ત’ એવી સદ્ભક્તિને વધારનાર નહીં, બલ્કે ઘટાડનાર છે. એમ ‘તપ વગેરે સદનુષ્ઠાન પણ વિષ હોય શકે’ આવી વાત સદનુષ્ઠાનનો રાગ ઘટાડનાર છે, વધારનાર નહીં... અને તેથી એ સદનુષ્ઠાનના આચરણને પણ અટકાવનાર હોવાથી સદનુષ્ઠાનના અભ્યાસને પણ ઘટાડનાર છે, વધારનાર નહીં. માટે જ વિષાનુષ્ઠાન વગેરેની વાતો જે યોગગ્રન્થોમાં આવે છે તેના અધિકારી તરીકે સદ્ધર્મ આચારોને અસ્થિમજ્જા જેવા બનાવી ચૂકેલા ફુલયોગી અને પ્રવૃત્તચક્યોગી જીવોને જ કહ્યા છે, તદન્યને નહીં. આ જીવોએ ધર્મશ્રદ્ધાને એવી સ્થિર કરેલી હોય છે કે જેથી, તેઓને આરાયશુદ્ધિવિધિપાલન વગેરે વિશેષ પ્રકારે કરવાની ચાનક લાગે એ માટે અનુષ્ઠાનને નિષ્ફળ કે વિપરીતકલક કહેવામાં આવે તો પણ એ સાંભળીને એમને અનુષ્ઠાનમાં ત્યાજ્યતા ક્યારેય ભાસતી નથી, પણ ભૌતિકઅપેક્ષા-અવિધિ વગેરેમાં જ ત્યાજ્યતા ભાસે છે ને તેથી એ દૂર કરવાની જ તેઓને એમાંથી પ્રેરણા મળે છે. પણ આ ભૂમિકાને નહીં પામેલા જીવો તો આવી વાત સાંભળીને ધર્મને જ ત્યાજ્ય માની બેસે છે. આવું આજે જોવા મળે જ છે ને કે ‘ગમે તેટલી ભૌતિક આવશ્યકતા ઊભી થઈ હોય તો પણ 148 યોગવિંશિકા...૧૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાસે તો ન જ મગાય... એ માટે ભગવદ્ભક્તિ વગેરે તો ન જ કરાય... આવી ભ્રાન્તિ ફેલાયેલી હોવાના કારણે, અચિત્ત્વચિન્તામણી તુલ્ય શ્રી અરિહંત પરમાત્માને પામેલા એવા પણ કેટલાક જૈનો ભૌતિક આવશ્યક્તાઓ ઊભી થઈ હોય તો ભગવાનને છોડીને રાગ-દ્વેષમાં અટવાતા અન્ય દેવ-દેવીની ઉપાસનામાં લાગી જાય છે. આનું એક મહત્ત્વનું કારણ એ છે કે કેટલાક વક્તાઓએ અનધિકારી જીવો સમક્ષ પણ આ બધી વાતો જોરશોરથી કરવા માંડી. નિશ્ચયની વાતો... મોક્ષની વાતો... સોશ્રી ને સુફિયાણી તો લાગે જ... વળી એમાં, વક્તાને “અમે સૂક્ષ્મતત્ત્વ ચિંતન કરનારા... નિશ્ચય-વ્યવહારને ચર્ચનારા... પરિણતિ સુધી પહોંચનારા... ઊંચી વાતો કરનારા...' આવી બધી રીતે અહંકારનું પોષણ થતું હોવાથી અને શ્રોતાને પણ ‘અમે ઊંચી વાતો સાંભળનારા... બીજા બધા તો હજુ એકડિયા ક્લાસમાં છે....’ એ રીતે અહંકારનું પોષણ થતું હોવાથી... તથા, ‘કદાચ તપ-ત્યાગ-ક્રિયા નહીં થાય તો ચાલો... એ તો વ્યવહાર છે. આશય સુધારો-પરિણતિ સુધારો...’ આવી વાતમાં કશું છોડવાનું ન રહેવાથી આવી વાતો ગમે જ. એટલે એનો પ્રચાર ચાલ્યો જેનું ઉપર કહેલું દુષ્પરિણામ આવ્યું. એક વાત ખાસ સમજવા જેવી છે કે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના યોગવિષયક વચનો અંગે પણ ‘અવિપ્લેન તહકારો’વિના વિકલ્પે તત્તિ જ કરવાની હોય. પણ એમાં જ આખું જૈનશાસન આવી ગયું છે એવું માની લેવું એ તો દ્વાદશાંગીના અર્થથી ઉદ્ગાતા શ્રી તીર્થંકર ભગવંતો, સૂત્રરચયિતા શ્રી ગણધરો, ને એમની પરંપરામાં થયેલા પ્રકરણાદિ અનેકવિધ ગ્રન્થોના સર્જક સેંકડો ગીતાર્થ મહાત્માઓ.... એ બધાનો અપલાપ કરવા બરાબર છે. દ્વાદશાંગીનો કે એને અનુસરીને રચાયેલા અન્યગ્રન્થોનો વિરોધ થાય એ રીતે તો કોઇ ગ્રન્થપંક્તિઓનો અર્થ કરી ન જ શકાય. આખા જૈન વાઙયમાં ‘ભૌતિક અપેક્ષા ઊભી થઇ છે ? તો એની સફળતા માટે ધર્મ તો ન જ કરાય... ’આવું એક પણ વાક્ય મળતું નથી... ભૌતિક અપેક્ષાથી ધર્મ કરી રહેલા જીવને ગીતાર્થ મહાત્મા વારી રહ્યા હોય, એને ધર્મ કરતો અટકાવ્યો હોય... આવું એકેય દષ્ટાન્ત મળતું નથી... (હા, ધર્મમાં પાછળથી જોડેલી ભૌતિક અપેક્ષા વારવાનો પ્રયાસ કર્યો હોય એવું દૃષ્ટાન્ત મળશે... જેમકે ચિત્રમુનિએ સંભૂતિમુનિને સ્ત્રીરત્નની ઇચ્છા છોડી દેવા ઘણું સમજાવ્યા... પણ તેઓ એ ઇચ્છા છોડવા તૈયાર ન જ થયા.... ત્યારે પણ અનશન અનુષ્ઠાન ત્યાજ્ય નથી 149 Page #167 -------------------------------------------------------------------------- ________________ છોડી દેવાની સલાહ આપી નથી....) ઉપરથી કોઇ ભૌતિક અપેક્ષાનો ઉપાય પૂછવા આવ્યું હોય ત્યારે ગીતાર્થ મહાત્માએ એ માટે પણ એને ધર્મ જ કરવાનો ઉપદેશ આપ્યો હોય એવા ઢગલાબંધ દૃષ્ટાન્તો મળે છે... તથા ‘જો તમે ધનઋદ્ધિને ઇચ્છો છોતો તમે પ્રભુપૂજા કરો... ’આવા ઢગલાબંધ ઉપદેશવચનો મળે છે... આવા આખા શ્રુતસાગરનો વિરોધ થાય એ રીતે યોગગ્રન્થોના વચનોનું વિવેચન કરવું એ કોઇપણ સુજ્ઞને માન્ય ન જ ઠરે. વળી, શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગગ્રન્થોમાં આ જે સ્થાનાદિપ્રયત્ન શૂન્યજીવનું અનુષ્ઠાન (=અવિધિવાળું અનુષ્ઠાન) નિષ્ફળ કે વિપરીતકલક કહ્યું છે તે પણ તેમજ વિષાનુષ્ઠાન વગેરેનું જે નિરૂપણ કર્યું છે તે પણ શ્રોતાવર્ગ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનને ત્યાજ્ય માનીને છોડી દે એ માટે નહીં, પણ સ્થાનાદિપ્રયત્નશૂન્યતા (અવિધિ) કે ભૌતિકઅપેક્ષા વગેરેને એ ટાળે એ માટે જ. નહીંતર તો અનુષ્ઠાનને ત્યાજ્ય માનીને વર્તમાનમાં છોડી દે... એટલે હવે ભવિષ્યમાં જ્યારે એને ફરીથી ધર્મમાં જોડવાનો પ્રસ્તાવ આવશે ત્યારે, ‘જો તમે ધનઋદ્ધિ ઇચ્છો છો તો તમારે પ્રભુપૂજા કરવી જોઇએ...’ વગેરે રૂપે ઉપદેશ આપવો આવશ્યક બને ય ખરો ! ને એ રીતે એને ભૌતિક અપેક્ષાવાળા ધર્મમાં જોડવાનું થાય. તે પણ એટલા માટે કે નાણપંચમી હાઓમાં કહ્યું છે કે ઘણું ખરું જીવો સનિદાન (સાભિષ્યંગ) વ્રત-નિયમમાંથી અનિદાન (નિરભિષ્યંગ) વ્રત-નિયમમાં આવે છે. એમ પ્રારંભે લગભગ ઇચ્છાયોગ હોય છે જેમાં યથાઉલ્લાસ સ્થાનાદિનું પાલન હોય છે, બાકીના અંશમાં અવિધિ પણ હોય છે. અર્થાત્ પ્રારંભે લગભગ અવિધિવાળો ધર્મ હોવાની શક્યતા હોય છે. એટલે જો એને સાભિષ્યંગ (કે અવિધિયુક્ત) એવા ધર્મમાં પુનઃ જોડવાનો જ છે, તો એવો ધર્મ પૂર્વે જે હતો તે છોડાવ્યો જ શા માટે ? પાપ છોડાવી ધર્મમાં જોડવો ને પછી અપેક્ષા (અવિધિ) છોડાવી નિરપેક્ષ (વિધિપૂર્ણ) ધર્મમાં જોડવો આમ બે પગથિયા સામાન્યથી હોય છે. જે ભૌતિક અપેક્ષાવાળું (=સાભિષ્યંગ) કે કંઇક અવિધિવાળું અનુષ્ઠાન કરે છે એ એક પગથિયું તો ચડી જ ગયો છે. ‘તું હમણાં બીજા પગથિયા પર નથી ચડતો તો જા પહેલું પગથિયું પણ ઉતરી જા’ આવી સલાહ એને કોઇ સુજ્ઞ પુરુષ ન આપે એ સ્પષ્ટ છે. કારણકે નીચે ઉતાર્યા પછી ભવિષ્યમાં જ્યારે બીજે પગથિયે પહોંચાડવાનો છે ત્યારે પુનઃ 150 યોગવિંશિકા.....૧૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પગથિયે તો એને પ્રાયઃ આવવું જ પડવાનું છે. ગીતાર્થ પુરુષને તો એવા જીવ માટે એવો જ અભિપ્રાય રહે કે કદાચ અત્યારે બીજે પગથિયે ભલે ન ચઢી શકે. પ્રથમ પગથિયા પર પહોંચ્યો છે તો એ સ્થિતિ તો જળવાઈ જ રહેવી જોઇએ. એટલે, વિષાનુષ્ઠાનાદિનું નિરૂપણ કે સ્થાનાદિશૂન્ય અનુષ્ઠાન નિષ્ફળ વિપરીતફળવાળું છે... એવું નિરૂપણ અનુષ્ઠાનને ત્યાજ્ય જણાવવા નથી, પણ ભૌતિક અપેક્ષા-અવિધિ વગેરેને ત્યાજ્ય જણાવવા માટે જ છે, એ સ્પષ્ટ છે. એટલે જ આ નિરૂપણો સાંભળી જેમને ધર્મ ત્યાજ્ય ભાસે એ જીવો આ ગ્રન્થોના અધિકારી નથી. આ વાત સર્વત્ર સમજી રાખવા જેવી છે કે સરેરાશ શ્રોતાઓને ત્યાજ્ય ચીજ અત્યાજ્ય ભાસે કે અત્યાજ્ય ચીજ ત્યાજ્ય ભાસે એ રીતે કરાતું નિરૂપણ શ્રી જૈનશાસનની દેશનાપદ્ધતિથી વિરુદ્ધ છે. જેઓને વ્યવહારની ધૂન લાગી ગઈ છે પણ નિશ્ચય તરફ નજર સુધ્ધાં નાખતા નથી એવા જીવોને નિશ્ચય કેળવવા તરફ પણ તેઓ લક્ષ્ય આપે એ માટે નિશ્ચયની મહત્તા જોરશોરથી દર્શાવવામાં આવે... અરે, “નિશ્ચય તરફ લક્ષ્ય પણ ન હોય એનો વ્યવહાર નિષ્ફળ છે...' વગેરે પણ કહેવામાં આવે... એ બધું વ્યવહારની ત્યાજ્યતા જણાવવા નથી હોતું, માત્ર નિશ્ચય પર જોર આપવા માટે હોય છે. નિશ્ચયનું જે વર્ણન વ્યવહારમાં ત્યાજ્યતાની પ્રતીતિ કરાવે એ વસ્તુતઃ નિશ્ચય નથી, પણ નિશ્ચયાભાસ છે. એ જ રીતે કોરા નિશ્ચયની વાતો ક્ય કરનારા સમક્ષ વ્યવહારની જોરદાર પ્રતિષ્ઠા કરવી પડે. પણ એ જો એ રીતે થાય કે જેથી શ્રોતા નિશ્ચયને ત્યાજ્ય માનતો થઈ જાય, તો એ પણ સાચો વ્યવહાર નથી, પણ વ્યવહારાભાસ છે. ચા માટે દૂધ-પાણીની સાથે ચાની પત્તી પણ જોઇએને સાકર પણ જોઇએ. ચાની પત્તી ભેગી ર્યા કરે, પણ ચા બનતી નથી, (કારણકે સાકર હાજર કરી નથી) એટલે ચાની પત્તી ઓછી પડી લાગે છે એમ સમજી ચાની પત્તી વધાર્યા કરે તે યાવત્ ડબ્બાના ડબ્બા ભરાય એટલી ભેગી કરે.. પણ સાકરની એક ચમચી પણ ન લાવે... એ ચા પામી શકવાનો નથી. આવા જીવને સાકરની આવશ્યક્તા પર ભાર આપવા માટે આવું પણ ક્યારેક કહેવામાં આવે કે “જેની પાસે એક ચમચી સાકર પણ નથી એની ડબ્બાઓ ભરેલી ચાની પત્તી પણ નકામી છે, ઉપરથી એકલી પત્તી ભેગી કરવી-જાળવી રાખવી... વગેરેનો પરિશ્રમ આપવા રૂપ નુકશાનકારક છે...' વગેરે સચ્ચિત્તનું મારણ) (151) Page #169 -------------------------------------------------------------------------- ________________ વગેરે. તો આ વાતોચા માટેચાની પત્તીની કશી જરૂર નથી. એફેંકી દેવી જોઇએ.. વગેરે જણાવવા માટે નથી હોતી.. પણ સાકરની આવશ્યક્તા જણાવવા માટે જ હોય છે, કારણકે જેમ સાકર વિના ચા નથી બની શક્તી એમ પત્તી વિના પણ બની શક્તી નથી જ. આવું જ વ્યવહાર અને નિશ્ચય.. ક્યિા અને ભાવ.. અનુષ્ઠાન અને આશય.. અનુષ્ઠાન અને વિધિ.. વગેરે અંગે જાણવું જોઇએ. અસ્તુ.. હવે પ્રસ્તુતમાં આવીએ... જ્યારે ભૌતિક અપેક્ષા કરતાં જિનોક્ત’ એવી સદ્ભક્તિ-સદનુષ્ઠાનરાગવગેરે પ્રબળ હોય છે ત્યારે એ પ્રબળ ભક્તિ વગેરે જ ભૌતિક અપેક્ષાને ક્ષીણ કરતાં રહે છે અને તેથી એ અપેક્ષા બાધ્યફળાપેક્ષા કહેવાય છે. આવી બાધ્યકળાપેક્ષાવાળું અનુષ્ઠાન કરવામાં આવે તો એના પરિણામે સદ્ભક્તિ વગેરે વધે છે અને ભૌતિકઅપેક્ષા ઘસાય છે. અને તેથી સચ્ચિત્તનું મારણ થતું નથી. માટે એ વિષાનુષ્ઠાનરૂપ બનતું નથી, કિન્તુ તદ્દહેતુઅનુષ્ઠાન બને છે. પણ જ્યારે ભૌતિક અપેક્ષા જ અનુષ્ઠાન પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ વગેરે કરતાં પ્રબળ હોય છે ત્યારે શ્રદ્ધા વગેરે, એ પ્રબળ અપેક્ષાને ક્ષીણ કરી શકતા નથી. અને તેથી એવી અપેક્ષાને અબાધ્યફળાપેક્ષા કહેવાય છે. આવી અપેક્ષાવાળા જીવને ભૌતિક ચીજની જ મુખ્યતા હોય છે, અનુષ્ઠાન સાથે વિશેષ લેવા-દેવા હોતી નથી. એટલેઇચ્છિતચીજની પ્રાપ્તિ થઈ જવા પર ‘ગરજ સરીને વૈદરી’ ન્યાયે એ અનુષ્ઠાનને તિલાંજલી આપી દે છે. કર્મોની પ્રબળતા હોય, ને શ્રદ્ધા તો એની નિર્બળ છે જ. એના કારણે ઇચ્છિતચીજની અને પ્રાપ્તિ ન થાય તો પણ એ અનુષ્ઠાનને હે.... આનો તો કોઈ પ્રભાવ જ નથી...' વગેરે અશ્રદ્ધાપૂર્ણ વચનો બોલી તિલાંજલી આપી દે છે. આમાં સચ્ચિત્તનું મારણ છે, ને તેથી આ વિષાનુષ્ઠાન છે. બાધ્યફળાપેક્ષાવાળાજીવને ઇચ્છિત ચીજ કરતાં પણ અનુષ્ઠાનનું જ મહત્ત્વ-આકર્ષણ વધારે હોય છે, એટલે ચીજની પ્રાપ્તિ થાય કે ન થાય... એ અનુષ્ઠાનને છોડતો નથી. માટે સચ્ચિત્તનું મારણ નથી, માટે વિષાનુષ્ઠાન નથી. બીજી રીતે કહીએ તો જેને અનુષ્ઠાન સ્વરૂપતઃ જ ગમી ગયું છે એ જીવ, ઇચ્છિત વસ્તુ મળે કે ન મળે.... અનુષ્ઠાનને છોડવાનો નથી. તેનું અનુષ્ઠાન તતુઅનુષ્ઠાન છે. જેને અનુષ્ઠાનનું આકર્ષણ, ઇચ્છિતવસ્તુના કારણ તરીકે જ છે (અર્થાત્ (152) યોગવિંશિકા.....૧૨) Page #170 -------------------------------------------------------------------------- ________________ સોપાધિક છે), અને અનુષ્ઠાન કરતાં કરતાં પણ એની સ્વરૂપ સુંદરતાનું આકર્ષણ પેદા થતું નથી એ જીવ ઇચ્છિત વસ્તુ મળે કે ન મળે. બન્ને વિકલ્પમાં અનુષ્ઠાનને છોડી જ દેવાનો છે. માટે એવું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન છે. (૨) લઘુત્વનું આપાદન એ અનુષ્ઠાનને વિપાનુષ્ઠાન બનાવનાર બીજો હેતુ છે. નિરાશસભાવે કરાતું અનુષ્ઠાન મોક્ષાત્મક મહાન ફળ આપવામાં સમર્થ હતું. પાછળથી એના બદલામાં ભૌતિક ચીજ માગી લેવામાં આવે તો મહાનું અનુષ્ઠાનની લઘુતા કરી કહેવાય. અને તેથી અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બને છે. આમાં પણ માગવામાં આવતી ભૌતિચીજની ઇચ્છાની પ્રબળતા-અપ્રબળતા પોતાનો ભાગ ભજવે છે એ જાણવું. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે શ્રી યશોવિજયજી ઉપાધ્યાય... બેમાંથી એક પણ ગ્રન્થકારે વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાનની ઓળખ આપ્યા પછી એનું દષ્ટાન્ત આપ્યું નથી. સ્ત્રીરત્ન માગી લેનાર સંભૂતિમુનિના અનુષ્ઠાનનો પણ એ રીતે ઉલ્લેખ ક્યું નથી. વિષાનુષ્ઠાન ને ગરાનુષ્ઠાન તો ત્યાજ્ય છે. અગ્યાર અંગના ધારક એવા પણ શ્રી ચિત્રમુનિએ સંભૂતિમુનિને અનશન છોડવાનું તો જણાવ્યું જ નથી. એટલે સંભૂતિમુનિના અનુષ્ઠાનને પણ ‘ગરાનુષ્ઠાન કહેવું કે કેમ? એ એક પ્રશ્ન થઈ પડે છે. વળી, એમના અનુષ્ઠાનનો જો વિષ-ગરમાં સમાવેશ ન થાય તો કોનો સમાવેશ થાય? તથા શ્રી યોગબિન્દુગ્રન્થમાં એવા કેટલાંય વિધાનો છે જેના પરથી અનેક વિદ્વાનો આવો અભિપ્રાય પણ ધરાવે છે કે - “અનુષ્ઠાનના વિષાનુષ્ઠાન-ગરાનુષ્ઠાન વગેરે ભેદોક્નભેદે છે. અને તેથી વિષ-ગર આ બે અનુષ્કાનો માત્ર અચરમાવર્તવતજીવોને જ હોય... ચરમાવર્તવતજીવોને તો ઘણુંખરું તતુઅનુષ્ઠાન હોય છે, અનાભોગ હોય ત્યારે અનુષ્ઠાન હોય છે, અને કવચિત્ ભાવોલ્લાસ વધતાં અમૃતઅનુષ્ઠાન હોય છે, પણ વિષ કે ગર તો હોતા નથી...' આ અભિપ્રાયાનુસારે પણ સંભૂતિમુનિને ગરાનુષ્ઠાન માની શકાતું નથી.... વળી આ અભિપ્રાયાનુસારે ચરમાવર્તવનિ તો વિષ-ગર સંભવિત નથી. અને અચરમાવર્તવર્તન સચ્ચિત્ત હોય? જો એને સચ્ચિત્ત જ ન હોય તો એનું મારણ પણ શી રીતે સંભવે? ને એન સંભવે તો એને પણ, વિષ-ગર અસંભવિત રહેશે. તો વિષ-ગર કોને હોય? કોના માટે આ નિરૂપણ છે? વગેરે અનેક પ્રશ્નો ઊભા થાય છે. અલબત્ અચરમાવર્તવર્તન પણ શ્રુત સામાયિક (શ્રુતના બળે પ્રાપ્ત થયેલી કષાય ( લધુત્વનું આપાદન (153) Page #171 -------------------------------------------------------------------------- ________________ મંદતા રૂપ સમતા) સંભવિત છે. શ્રુતના બળે એને પણ પુણ્ય-પાપની સુખ-દુઃખના કારણ તરીકે શ્રદ્ધા-જાણકારી મળે છે અને તેથી એ પણ એના ઉપાદાન-વર્જન પરિણામવાળો બને છે. આ બધાને એના સચ્ચિત્ત તરીકે લઇએ તો એનું મારણ પણ શક્ય હોવાથી એને વિષ-ગર સંભવિત બને જ છે એ જાણવું. માટે વિષાનુષ્ઠાન વગેરે ભેદો અંગે બહુશ્રુતોએ પર્યાપ્ત વિચાર કરવો આવશ્યક છે. થોડો વિચાર આગળ કરીશું. ભૌતિક આવશ્યકતા ઊભી થવા પર ‘જિનભક્તે જે નવ થયું તે બીજાથી નિવ થાય રે.... ’વગેરે રૂપ પ્રબળ શ્રદ્ધાથી, તે આવશ્યક્તાના અન્ય ઉપાયો કરતાં પણ પ્રભુભક્તિ વગેરેને પ્રબળ ઉપાય તરીકે જે માને છે ને આચરે છે એ તો જિનભક્તિ વગેરેરૂપ ધર્મની લઘુતા કરતો નથી, પણ ઉપરથી ગૌરવ કરે છે, માટે એ જિનભક્તિ વગેરે વિષાનુષ્ઠાનરૂપ બનતા નથી એ જાણવું. પણ જો પૂર્વે કહ્યું એમ, શ્રદ્ઘા નિર્બળ ને ભૌતિક ચીજની ઇચ્છા પ્રબળ હોય તો અબાધ્યકક્ષાની કળાપેક્ષા થવાથી વિષાનુષ્ઠાન થાય જ એમ લાગે છે. એ ત્યાજ્ય એટલા માટે છે કે એનાથી નથી ફળાપેક્ષા બાધા પામતી કે નથી અનુષ્ઠાન રાગ ઉત્તરોત્તર વધતો... પણ, છદ્મસ્થ ગુરુ સામા જીવની ફળાપેક્ષા ખાધ્ય છે કે અબાધ્ય એનો નિર્ણય ન કરી શકવાથી, ‘ફળાપેક્ષા બાધ્ય હશે’ અને ‘આ રીતે જ એના મોક્ષમાર્ગમાં પ્રવેશ-પ્રગતિ થશે’ એવી આશાથી ક્યારેય કોઇને અટકાવતા નથી. પણ અનુષ્ઠાન કરતો જાય ને સાથે અનુષ્ઠાન પ્રત્યે... એની ઝીણી ઝીણી વિધિ પ્રત્યે કે ભગવાન વગેરે ઉપાસ્ય તત્ત્વ પ્રત્યે અવજ્ઞા-અણગમો-તિરસ્કાર કરતો જાય તો એવા અપ્રજ્ઞાપનીય જીવો તો અનુષ્ઠાન છોડી દે એ પણ એને અવજ્ઞા વગેરે રૂપ વિશેષ મોટા દોષથી બચાવનાર છે. તેથી એને અનુષ્ઠાન છોડી દેવાનું માર્ગદર્શન આપી શકાય છે. પૂજા કરતી વેળા ભેગી ઘોર આશાતનાઓ પણ જાણી જોઇને એવા વિચિત્ર પરિણામવશાત્ કર્યા કરે ...... ને આશાતના છોડવા તૈયાર ન હોય એવો જીવ પૂજા છોડી કે એ પણ ઇચ્છનીય છે. ચાની પત્તી જ સાકરના સંપાદનમાં પ્રતિબન્ધક બનતી હોય તો એવા અવસરે કામચલાઉ ચાની પત્તીનો ત્યાગ પણ કરવો પડે. અલબત્ આ ગ્રન્થના અધિકારી જીવો ફુલયોગી વગેરે છે. એમને પોતાના અનુષ્ઠાનમાં ક્યાંય ભૌતિક અપેક્ષા આવી ન જાય અને આશયશુદ્ધિ વધુ ને વધુ પ્રબળ થયા કરે એ માટે વિષાનુષ્ઠાન વગેરેની પ્રરૂપણા છે. એટલે ભૌતિક અપેક્ષા હોવા છતાં 154 યોગવિંશિકા....૧૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાન તસ્કેતુઅનુષ્ઠાન બની શકે છે જે ઉપાદેય છે, વગેરે વાત કરવાની અહીં જરૂર નથી. તેમ છતાં અહીં એ થોડી ઘણી જે વિચારી છે કે, આ વિવેચનના વચનોને સન્દર્ભહીન રીતે ટાંકીને કોઈ પોતાની કુતર્કપ્રયુક્ત અસત્યવાતોનું સમર્થન ન કરી દે એ માટે વિચારી છે એ જાણવું. दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः। एतद्विहितनीत्यैव कालान्तरनिपातनात्॥१५७।। एतद् = अनुष्ठानं ऐहिकभोगनि:स्पृहस्य स्वर्गभोगस्पृहया गरमाहुः विहितनीत्यैव = 'विषोक्तनीत्यैव, केवलं कालान्तरे= भवान्तररूपे निपातनात् = अनर्थसम्पादनात् । विषं सद्य एव विनाशहेतुः, गरश्च कालान्तरेणेत्येवमुपन्यासः। વૃત્તિઅર્થ: (યોગબિન્દુના ૧૫૭મા શ્લોકનો અર્થ –) દિવ્યભોગની અભિલાષાના કારણે આ = અનુષ્ઠાનને મનીષીઓ પૂર્વોક્ત રીતે જ ગરાનુષ્ઠાન કહે છે, કારણકે કાલાન્તરે નિપાત થાય છે. (એ શ્લોકની વૃત્તિનો અર્થ –) ઐહિકભોગમાં નિઃસ્પૃહજીવનું આ = અનુષ્ઠાન સ્વર્ગભોગની સ્પૃહાના કારણે ગરાનુષ્ઠાન બને છે એમ મનીષીઓ કહે છે. વિષાનુષ્ઠાનમાં જે રીત બતાવીતે રીતે જ અહીં પણ જાણવું, માત્ર ભવાન્તરરૂપ કાળાન્તરમાં અનર્થનું સંપાદન થતું હોવાથી આ અનુષ્ઠાન વિષ ન કહેવાતાં ‘ગર કહેવાય છે. વિષ તૂર્ત જ વિનાશકારણ બને છે, ગર કાળાન્તરે. માટે આ રીતે ઉપન્યાસ છે. વિવેચનઃ (૧) વિકો... સચ્ચિત્તનું મારણ અને લઘુત્વનું આપાદન આ બે કારણો અનુષ્ઠાનને વિષ બનાવે છે એમ કહેલું. અહીં પણ આ બે જ કારણો અનુષ્ઠાનને ગર’ બનાવે છે, એ જાણવું તફાવત એટલો જ છે કે વિષ તત્કાળમારનાર છે, ગર કાળાન્તરે. - આલોક-પરલોક ઉભયની ઇચ્છાથી જો અનુષ્ઠાન થતું હોય તો બેમાંથી જેની ઇચ્છા પ્રબળ હોય-મુખ્ય હોય તેને આધારે અનુષ્ઠાનનો વિષમાં કે ગરમાં સમાવેશ કરવો, આ પ્રમાણે બત્રીશીમાં કહ્યું છે. अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते। सम्प्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम्॥ १५८ ॥ अनाभोगवतः = कुत्रापि ગિર-અનુષ્ઠાન 155 Page #173 -------------------------------------------------------------------------- ________________ फलादावप्रणिहितमनस: एतद् = अनुष्ठानं अननुष्ठानं = अनुष्ठानमेव न भवतीत्यर्थः । सम् इति समन्ततः प्रकर्षेण मुग्धं = सन्निपातोपहतस्येवानध्यवसायापन्नं मनोऽस्य इतिः पादसमाप्तौ। यत एवं ततो' (एतद्) यथोदितं तथैव ।। વૃત્તિઅર્થ (યોગબિન્દુના ૧૫૦મા શ્લોકનો અર્થ ) અનાભોગવાળા જીવનું આ = અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે. એનું મન પ્રમુગ્ધ હોય છે. તેથી આ જેવું કહ્યું એવું જ છે. (આની વૃત્તિનો અર્થ-) અનાભોગવાળા = જેના મનમાં કોઈપણ ફળનું પ્રણિધાન નથી એનું અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે. અર્થાત્ એ અનુષ્ઠાનરૂપ હોતું જ નથી. સમ્ = ચારેબાજુથી પ્ર = પ્રકર્ષથી જેનું મન મુગ્ધ થયું છે, અર્થાત્ જે સંનિપાતથી ઉપહત છે એની જેમ અનધ્યવસાયાપત્ર જેનું મન છે, એનું અનુષ્ઠાન અનનુષ્ઠાન જાણવું. ‘ઇતિ શબ્દસમાપ્તિને જણાવે છે. આવું હોવાથી આજે પ્રમાણે કહ્યું તેવું જ છે. વિવેચનઃ અનુષ્ઠાન દ્વારા શું મેળવવું છે એનું કશું જ પ્રણિધાન ન બાંધ્યું હોય એવો જીવ એ અનાભોગવાળો જીવ. આવા જીવનું અનુષ્ઠાન અનનુષ્ઠાન જ નીવડે છે. આવા જીવનું મન સંપ્રમુગ્ધ હોય છે. એમાં સમ્ = સમન્તતઃ = બધી બાજુથી... પ્ર= પ્રકર્ષણ... મુગ્ધ = સન્નિપાત લાગુ પડેલાજીવનું મન જેમ અનધ્યવસાયાપન્ન હોય છે એમ આવા જીવનું મન પણ ફળાદિના વિચારશૂન્ય હોય છે. પ્રણિધાનની તીવ્રતા પ્રવૃત્તિમાં ચોકસાઈ લાવનારી હોય છે. આને પ્રણિધાન જ નથી, એટલે અનુષ્ઠાનની અન્તર્ગત પેટા પ્રવૃત્તિઓ થાય ન થાય. આઘી પાછી થાય... ઓછી-વત્તી થાય... ક્યારેક આખી પ્રવૃત્તિ જ ન થાય.. આવું બધું સંભવિત છે. માટે એના અનુષ્ઠાનને યથોદિત જે પ્રમાણે અનનુષ્ઠાન કહ્યું. તે પ્રમાણે જ છે. અર્થાત્ એ વસ્તુતઃ ફળશૂન્ય હોવાથી અનનુષ્ઠાન જ છે. માત્ર ગતાનુગતિકતાથી કે શૂન્યમનસ્કપણે કરાતું અનુષ્ઠાન આવું હોય છે. પ્રશ્ન: સદનુષ્ઠાનરાગ હોવા છતાં ક્યારેક, આજીવિકા અંગેની વિષમતા વગેરે કારણે ચિત્તની વ્યગ્રતા હોય તો અનુષ્ઠાનમાં માનસોપયોગ રહેતો નથી. એમ ક્યારેક પ્રમાદના કારણે પણ માનસોપયોગ હોતો નથી. તેમ છતાં, પ્રતિકમણ ક્ય વિના તો કેમ રહેવાય? પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ... સદનુષ્ઠાનરાગપ્રયુક્ત આવી લગનના કારણે પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન કરે તો છે જ.) તો આવા અનુષ્ઠાનને શેમાં (156) યોગવિંશિકા.......૧૨) Page #174 -------------------------------------------------------------------------- ________________ ગણવું ? કારણકે શૂન્યમનસ્કતા એની અનનુષ્ઠાનમાં ગણતરી કરાવે છે, ને સદ્દનુષ્ઠાનરાગ એની તદ્વેતુઅનુષ્ઠાનમાં ગણતરી કરાવે છે. ઉત્તર : એની ગણતરી (ભલે મંદ કક્ષાના) પણ તદ્વેતુ અનુષ્ઠાનમાં કરવી ઉચિત લાગે છે. ઉપયોગશૂન્યતા પણ છેવટે એકપ્રકારની વિધિવિકલતા જ છે. અને વિધિવિકલતા હોવા માત્રથી અનુષ્ઠાનમાંથી તદ્વેતુપણું નીકળી જતું નથી. એટલે અનુષ્ઠાનમાં સદ્દનુષ્ઠાનરાગાભાવપ્રયુક્ત જે માનસોપયોગશૂન્યતા-ગતાનુગતિકતા આવે એ જ અનુષ્ઠાનને ‘અનનુષ્ઠાન’ બનાવનાર છે એમ નિષ્કર્ષ ઉચિત લાગે છે. ફળપ્રણિધાનાભાવ પણ આવા જ અનુષ્ઠાન માટે કહી શકાય. જેમાં સદનુષ્ઠાનરાગ ભળેલો છે એવા અનુષ્ઠાનમાં ક્યારેક સ્વરૂપતઃ (અથવા વ્યક્ત રૂપે) ફળપ્રણિધાન ન હોય તો પણ ફળતઃ (અથવા સંસ્કારરૂપે) ફળપ્રણિધાન તો હોય જ છે એમ માનવું યોગ્ય લાગે છે. (૧) મૂળમાં તદ્ શબ્દ છે, તેમજ યોગબિન્દુની વૃત્તિમાં તત: પછી તવ્ છે, માટે અહીં પણ એ શબ્દ હોવો જોઇએ. एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ॥ १५९ ॥ एतद्रागात् = 'सदनुष्ठानबहुमानात् इदं = आदिधार्मिककालभावि देवपूजाद्यनुष्ठानं सदनुष्ठानभावस्य = तात्त्विकदेवपूजाद्याचारपरिणामस्य 'मुक्त्यद्वेषेण मनाग् मुक्त्यनुसारेण (मुक्त्यनुरागेण) वा शुभभावलेशयोगात् श्रेष्ठः = अवन्ध्यो हेतुरिति योगविदो विदुः = जानते । વૃત્તિઅર્થ : (યોગબિન્દુના ૧૫૯ મા શ્લોકનો અર્થ -) શુભભાવાંશનો યોગ હોવાથી, અનુષ્ઠાનના રાગથી દેવપૂજાદિ અનુષ્ઠાન સદનુષ્ઠાનભાવનો શ્રેષ્ઠ હેતુ છે, એમ યોગના જાણકારો કહે છે. (શ્લોકની વૃત્તિનો અર્થ -) સનુષ્ઠાન પ્રત્યેના બહુમાનના કારણે આ = આદિધાર્મિકકાળભાવી દેવપૂજા વગેરે અનુષ્ઠાન, સદનુષ્ઠાનભાવનો = તાત્ત્વિક દેવપૂજા વગેરે આચાર પરિણામનો શ્રેષ્ઠ = અવંધ્ય હેતુ બને છે એમ યોગના જાણકારો કહે છે, કારણકે આ અનુષ્ઠાનમાં મુક્તિના અદ્વેષ કે મુક્તિના કંઇક અનુરાગના કારણે શુભભાવનો લેશ રહેલો છે. વિવેચન : (૧) સવનુષ્ઠાન... સદનુષ્ઠાન પ્રત્યેનું બહુમાન સોપાધિક ન જોઇએ. તદેતુ અનુષ્ઠાન 157 Page #175 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ જે ભૌતિક વસ્તુ કે અવસ્થા ઇચ્છિત છે તેના કારણ તરીકે જ સદનુષ્ઠાનની રુચિ હોય એ ન ચાલે. ‘આમોક્ષ લાવી આપનાર અનુષ્ઠાન છે. આવી પ્રતીતિના કારણે કે સ્વરૂપતઃ જ, (સદનુકાનનું ગુણશ્રેષ્ઠ એવા પ્રભુના ગુણોનું ઉત્કીર્તન વગેરે રૂપ સુંદર સ્વરૂપ હોવાથી) સદનુષ્ઠાનપ્રત્યે અનુરાગ પ્રગટેએ અહીંસદનુણાનરાગતરીકે અભિપ્રેત (૨) મુક્ષ્યવેગ - મુક્તિઅષ પણ એક બહુ મોટો ગુણ છે. તીવ્રભવાભિમ્બંગ એ પણ મુક્તિષનું જ એક સ્વરૂપ છે. જ્યાં કશું ખાવાપીવાનું નહીં... ઇન્દ્રિયોના કોઇ વિષય નહીં... આવા મોક્ષને કરવાનો શું? એના કરતાં આપણો સંસાર સો દરજે સારો, જ્યાં કંઇક સુખ તો મળે છે..'' આવા બધા વિચારો-વચનો તો વ્યક્તપણે મુક્તિદ્વેષ રૂપ છે જ. અભવ્ય જીવ પણ જિનવચનના બળે રાગ-દ્વેષ એ પાપબંધનોને એના દ્વારા દુર્ગતિનાં કારણ છે એવું જાણે છે ત્યારે એ ઇન્દ્રિયોના વિષયો વગેરેમાં રાગ-દ્વેષ ન થાય એની કાળજીવાળો બને છે. જો કે અંદર યોગ્યતારૂપે તો તીવ્રભવાભિધ્વંગ બેસેલો જ હોય છે, પણ બહારથી રાગ-દ્વેષ મોળા પડેલા હોય છે. તેમજ ઉપર કહ્યા મુજબના વ્યક્ત મુક્તિષને પણ પાપના કારણ તરીકે દેખવાથી એને પણ એ પ્રયત્નપૂર્વક દૂર કરે છે. આ રીતે એ પણ મુક્તિઅદ્દેષ કેળવે છે ને સાથે સાથે નિરતિચાર સંયમ પાળે છે જે એને નવમા ગ્રેવેયક સુધી લઈ જાય છે. છતાં એનું આ સંયમપાલન તહેતુ અનુષ્ઠાન રૂપ પણ બનતું નથી, એનું કારણ એ છે કે એનો આ મુક્તિઅદ્વેષ સદનુષાનરાગનું કારણ બની શકતો નથી. અને તે પણ એટલા માટે કે એણે જે મુક્તિઅદ્વેષ કેળવ્યો છે તે દુર્ગતિવારણના ઉપાયરૂપે પ્રયત્નપૂર્વક કેળવ્યો છે. જીવમાં કર્મબંધની જે અનાદિકાલીન યોગ્યતા છે તે પ્રતિપુલાવર્ત કંઈક ને કંઇક હૃાસ પામતી હોય છે. જીવ જ્યારે ચરમાવર્તમાં પ્રવેશ કરે છે ત્યારે આ હાસ વિશેષ નોંધપાત્ર બને છે. એના પ્રભાવે જીવમાં એક વિશેષ પ્રકારની યોગ્યતા પેદા થાય છે. એના કારણે સદુપદેશ મળવા પર કે સ્વયંચિન્તન કરવા પર સંસાર ઉપાધિરૂપ ભાસે છે, મોક્ષ અવસ્થાનો આંશિક પ્રતીતિપૂર્વક સ્વીકાર થવાથી એનો કંઈક પણ અનુરાગ પ્રગટે છે. કદાચ ઉપદેશાદિ દ્વારા મોક્ષની પિછાણ ન મળી હોય ને તેથી એનો અનુરાગ પ્રગટો ન હોય તો પણ તીવ્રભવાભિધ્વંગ રૂપ મુક્તિદ્વેષ સહજ રીતે (158) યોગવિંશિકા...૧૨) Page #176 -------------------------------------------------------------------------- ________________ એને હોતો નથી. એ જ રીતે વ્યક્તકક્ષાનો કે અવ્યક્ત મુક્તિદ્વેષ પણ એને હોતો નથી. આ, રખે ને મુક્તિષના કારણે મારી દુર્ગતિ થઈ જાય... કે સદ્ગતિ અટકી જાય... આવી કલ્પનાથી પ્રયત્નપૂર્વક દ્વેષને ટાળવાથી થયેલા મુક્તિઅદ્વેષ સ્વરૂપ નથી. પણ વિના ઉપાધિ સહજ પ્રગટેલો મુક્તિ અષ છે. એ સદનુષ્ઠાનરાગને પ્રગટાવવામાં સમર્થ હોય છે. અને તેથી આવા મુક્તિ અપ સદનુષ્ઠાનના રાગનો હેતુ બને છે. અને તેથી અનુષ્ઠાન તસ્કેતુ બને છે. અભવ્યજીવને આવો લાભ નથી મળી શકતો એમાં એક કારણ એ છે કે એનો ક્યારેય ચરમાવર્તમાં પ્રવેશ થતો નથી. અને તેથી કર્મબંધયોગ્યતા વગેરેમાં નોંધપાત્ર હાસથવાનો લાભ એને મળતો નથી. એના કારણે અંદરની યોગ્યતાથી એને મુક્તિઅદ્વેષ પ્રગટતો નથી... એટલે એણે દુર્ગતિવારણના કારણરૂપે મુક્તિઅષનો પ્રયાસ કરવો પડે છે. અંદર યોગ્યતા પ્રગટ્યા વગર માત્ર બાહ્ય પ્રયાસથી કેળવેલો આવો મુક્તિઅદ્દેષ સદનુષ્ઠાન રાગને જન્માવી શકતો નથી, ને તેથી અભવ્યનું અનુષ્ઠાન તદ્ધતુઅનુષ્ઠાન' બનતું નથી. ઉપર ચરમાવર્તવર્તી જીવને જેવા કહ્યા એવા મુક્તિઅષકે ઇષમુક્તિરાગ વિના અસોપાધિક એવો સદનુષ્ઠાનરાગ પ્રગટતો નથી. એટલે જેને અસોપાધિક એવો સઠનુષ્ઠાન રાગ અનુષ્ઠાનમાં ભેળવ્યો છે અને મુક્તિનો અષકે ઇષદ્રાગ હોય જ એ નિશ્ચિત છે. એટલે આ મુક્તિના અષ કે ઇષદ્રાગ સ્વરૂપ શુભભાવનો અંશ એના અનુષ્ઠાનમાં ભળેલો જ હોય છે. માટે એ તતુઅનુષ્ઠાન બને છે. શુભભાવાંશનો યોગ હોવા છતાં વિધિવગેરેનું પરિપૂર્ણપાલન, અત્યન્ત સંવેગવગેરેન હોવાથી આ અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બનતું નથી. તેમ છતાં એ અમૃતઅનુષ્ઠાનનો શ્રેષ્ઠ = અવધ્ય હેતુ તો બને જ છે, એમ યોગના જ્ઞાતાઓ કહે છે. તે માટે જ એ તદ્ધતુ અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાનમાં બાધ્યકક્ષાની ભૌતિક ફળાપેક્ષા, અવિધિ વગેરે ભળે તો એ અમૃતાનુષ્ઠાન ન બનતાં તદ્ધતુઅનુષ્ઠાન બને છે. શ્રીપાળકુંવર જેવા વિશિષ્ટ ભૂમિકા પામેલા જીવોને ક્યારેક વ્યક્ત રૂપે ભૌતિફળાશંસા દેખાતી હોય તો પણ એમનો સંગ ઝળહળતો હોવાના કારણે એમનો મોક્ષાભિલાષ અક્ષત રહ્યો હોય છે. તીવ્રતામાં ભૌતિકફળાપેક્ષા કરતાં મોક્ષાભિલાષા જ ચઢિયાતી હોય છે. વળી, ભૌતિકફળાપેક્ષા કામચલાઉ-પ્રાસંગિક હોય છે, જ્યારે મોક્ષાભિલાષા સતત બેસેલી હોય છે. અને તેથી એમનું અનુષ્ઠાન ( પાંચ અનુષ્ઠાનો) (159) Page #177 -------------------------------------------------------------------------- ________________ (બાહ્યરીતે ભૌતિકફળાશંસા દેખાતી હોવા છતાં) અમૃતાનુષ્ઠાન જ બને છે, તદ્ધતુઅનુષ્ઠાન નહીં, એ જાણવું બત્રીશીમાં ઉપાધ્યાયજી મહારાજે, આલોક-પરલોક ઉભય સંબંધી કળાપેક્ષા હોય તો જેની તીવ્રતા હોય તે મુજબ અનુષ્ઠાનનો વિષ કે ગરમાં સમાવેશ કરવો એમ જણાવ્યું છે. એમ પ્રસ્તુતમાં ભૌતિકફળાભિલાષા અને મોક્ષાભિલાષા અંગે જાણવું. અર્થાત્ ભૌતિફળાભિલાષા તીવ્ર હોય તો તહેતુ અને મોક્ષાભિલાષા તીવ્ર હોય તો અમૃત. એટલે જ તદ્ધતુ અનુષ્ઠાન માટે મુક્તિઅદ્વેષ કે મુક્તિનો ઈષદ્રાગ કહ્યો છે. પણ મુક્તિનો તીવ્ર રાગ (તીવ્ર અભિલાષા ઝળહળતો સંવેગ) નથી કહ્યો. કારણ કે એ જો હોય તો એની જ પ્રબળતા રહેવાથી ભૌતિકઅપેક્ષા હોવા છતાં અનુષ્ઠાન ‘તતું રહેતું નથી, પણ અમૃત બની જાય છે. પણ જેને બાધ્યકક્ષાની એવી પણ ભૌતિકફળાપેક્ષા, મોક્ષાભિલાષાની અપેક્ષાએ પ્રબળ હોય છે એનું અનુષ્ઠાન તદ્ધતુ બને છે એ જાણવું ટૂંકમાં માત્ર મોક્ષાભિલાષા કે નિર્બળભૌતિકફળાભિલાષાથી મિશ્રિત પ્રબળ મોક્ષાભિલાષા - અમૃતાનુષ્ઠાન. બાધ્ય એવી પ્રબળ ભૌતિક અપેક્ષા - તહેતુઅનુષ્ઠાન. અબાધ્ય એવી પારલૌકિકભૌતિક અપેક્ષા - ગરાનુષ્ઠાન. અબાધ્ય એવી ઇહલૌકિક ભૌતિક અપેક્ષા - વિષાનુષ્ઠાન. ફળાદિ અંગે પ્રણિધાન શૂન્યતા - અનનુષ્ઠાન. (વૃત્તિમાં મુત્યુનુસારણ છપાયું છે ત્યાં મુત્યનુરોળ પાઠ ઉચિત લાગે છે.) जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः। संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः॥ १६० ॥ 'जिनोदितमित्येव भावसारं = श्रद्धाप्रधानं अदः = अनुष्ठानं संवेगगर्भ = मोक्षाभिलाषसहितं अत्यन्तं = अतीव अमरणहेतुत्वादमृतसंज्ञमाहुः मुनिपुङ्गवाः = गौतमादिमहामुनयः। વૃત્તિઅર્થ (યોગબિન્દુના ૧૬ ૦મા શ્લોકનો અર્થ ) “અહો ! મારા ભગવાને આ અનુષ્ઠાન કહ્યું છે... આવી જવલંત શ્રદ્ધાની પ્રધાનતાવાળું અને અત્યન્ત સંગગર્ભિત એવા આને (=અનુષ્ઠાનને) મુનિપુંગવો ‘અમૃત કહે છે. (એ શ્લોકની 160 ) ગિવિંશિકા...૧૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિનો અર્થ-) “અહો ! મારા ભગવાને આ અનુષ્ઠાન કહ્યું છે આવી શ્રદ્ધાની પ્રધાનતાવાળું અને અત્યંત = અતીવસંવેગગર્ભિત = મોક્ષાભિલાષાસહિત એવું આ= અનુષ્ઠાન અમરણ એવા મોક્ષનું કારણ હોવાથી ‘અમૃત સંજ્ઞાવાળું બને છે એમ શ્રી ગૌતમ વગેરે મહામુનિઓ કહે છે. વિવેચનઃ (૧) ‘મારા ભગવાને કહ્યું છે. આ જ વાતની મહત્તાને પ્રબળ શ્રદ્ધા છે. એટલે ભગવાને વિવક્ષિત અનુષ્ઠાન જે રીતે કરવાનું કહ્યું હોય એ બધી વિધિનું સૂક્ષ્મતાથી પાલન કરવાનો સ્વારસિક આગ્રહ ઊભો થાય જ. વળી, પીદ્ગલિક સુખોની ક્ષણભંગુરતા, અવિશ્વસનીયતા, દુઃખપ્રતિકારરૂપતા, વિપાકદારૂણતા, પરાધીનતા વગેરેની પ્રતીતિ થયેલી છે ને એની સામે અપીદ્ગલિક સુખની કંઈક પણ અનુભૂતિ સાથે મોક્ષની સુંદરતાની પિછાણ થયેલી છે. એટલે મોક્ષની તીવ્ર ઝંખના પેદા થયેલી છે જે પણ એના ઉપાયભૂત ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનની તીવ્ર રુચિ પેદા કરાવે છે ને એના કારણે પણ એના વેળા-વિધિ વ્યવસ્થિત જાળવવાનો સ્વારસિક આગ્રહ ઊભો થાય છે. એટલે એક બાજુ મોક્ષની તીવ્ર અભિલાષારૂપ અત્યન્ત સંવેગ છે જે દઢ પ્રણિધાન ઊભું કરે છે અને બીજી બાજુ શાસ્ત્રમાં જે પ્રકારે વેળા-વિધિ જાળવવાના કહ્યા હોય એ બધાનું પરિપૂર્ણ પાલન છે. તેથી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન રૂપ બને છે. (૨) આ અનુષ્ઠાન, જ્યાંમરણનથી એવી અમરણઅવસ્થાનું-મોક્ષનું કારણ છે, માટે એને - ‘અમૃત” એવી સંજ્ઞા આપવામાં આવેલી છે, અર્થાત્ એ અમૃતઅનુષ્ઠાન છે એમ શ્રીગૌતમગણધર વગેરે મહામુનિઓ કહે છે. શ્રી અધ્યાત્મસારના ૧૦મા અધિકારના ર૭મા શ્લોકમાં કહ્યું છે કે – શાસ્ત્રાર્થલોચન સમ્યફ પ્રણિધાન ચ કર્મણિ કાલાઘકવિપર્યાસોડમૃતાનુષ્ઠાનલક્ષણમ્ II ર ૭ / શાસ્ત્રાર્થનું સમ્યફ આલોચન હોય, અનુષ્ઠાનમાં દઢ પ્રણિધાન હોય અને કાળ વગેરે અંગોનો વિપર્યાસ ન હોય. આ અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે... અમૃતાનુષ્ઠાનની અધ્યાત્મસારમાં આપેલી આ વ્યાખ્યા ઉત્કૃષ્ટના વર્ણનરૂપ જાણવી. કારણકે શાસ્ત્રાભ્યાસનર્યો હોય એવા સાધકને શાસ્ત્રાર્થનું આલોચનશક્ય (અમૃતાનુષ્ઠાન (161) Page #179 -------------------------------------------------------------------------- ________________ નથી. એમ વિષમ સંયોગોમાં કાલાદિ અંગેનો વિપર્યાસ પણ સંભવિત છે. અને તેમ છતાં, અમૃતાનુષ્ઠાન તો માન્યું જ છે. (હા, લબ્ધિરૂપે તો વિષમસંયોગોમાં પણ અંગવિપર્યાસન જ હોય એ જાણવું) અર્થાત્ વિધિ કરતાં જે અન્યથા પ્રવૃત્તિ હોય છે તે, તેવી ઇચ્છાવાતું કે પ્રમાદાદિવશાતું નથી હોતી પણ પરિસ્થિતિવશાત્ જ હોય છે. જેટલી વિધિ શક્ય હોય એટલો પ્રયત્ન તો અવશ્ય હોય જ છે. એટલે જ આગળ વિરતિધરને અમૃતાનુષ્ઠાનની જે સિદ્ધિ કરી દેખાડી છે તેમાં વિધિપતિનસમવેને ન કહેતાં વિધિ સમ્ભવેન કહ્યું છે. યોગબિન્દુમાં અમૃતાનુષ્ઠાનની જે વ્યાખ્યા આપી છે તે સર્વવ્યાપી છે એ જાણવું. एतेषु त्रयं योगाभासत्वादहितं द्वयं तु सद्योगत्वाद्धितमिति तत्त्वम्। 'यत एवं स्थानादियत्नाभाववतोऽनुष्ठाने महादोषः, तत् = तस्मात् अनुरूपाणामेव = योग्यानामेव પઢિયાસ: ચૈત્યવન્દનસૂત્રપ્રવીનરૂપ: વર્તવ્ય: ૨૨ વૃત્તિઅર્થ: વિષાદિ આ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમના ત્રણ યોગાભાસ હોવાથી અહિત છે. છેલ્લા બે તો સદ્યોગરૂપ હોવાથી હિત છે, આ પ્રમાણે તત્ત્વ જાણવું. આમ સ્થાનાદિયત્નાભાવવાળાને અનુષ્ઠાનમાં મહાદોષ લાગે છે, તેથી યોગ્ય જીવોમાં જ ચૈત્યવન્દનસૂત્રના પ્રદાનરૂપ આનો વિન્યાસ કરવો જોઇએ. વિવેચનઃ વિષ અને ગરમાં વિપરીત પ્રણિધાન હોવાથી અને અનુષ્કાનમાં પ્રણિધાનશૂન્યતા હોવાથી પ્રણિધાન આશય જ ભળેલો નથી. એટલે પ્રવૃત્તિ વગેરે આશયો પણ ન જ હોય એ તો સ્પષ્ટ છે જ. માટે એવા ચૈત્યવન્દનાદિ દ્રવ્યત્યવન્દન બનવાથી તુચ્છ છે. અસાર છે. ને તેથી યોગ નથી, પણ યોગાભાસ છે. અને એ નિષ્ફળ હોવાથી કે વિપરીતફલક હોવાથી અહિત છે. છેલ્લા બેમાં તહેતુઅનુષ્ઠાન પરંપરાએ અને અમૃતઅનુષ્ઠાન સાક્ષાત્ જીવને મોક્ષ સાથે જોડી આપનાર હોવાથી સદ્યોગરૂપ છે, ને તેથી હિત છે, એમ તત્ત્વ જાણવું. (૧) યોગવિંશિકાની બારમી ગાથાની વૃત્તિ ચાલી રહી છે. હવે એના ઉત્તરાર્ધની વ્યાખ્યા આવે છે. એના પૂર્વાર્ધની વ્યાખ્યામાં વ્યાખ્યાકારે પહેલાં સ્થાનાદિયત્નાભાવવાળાને નિષ્ફળતા શી રીતે અને વિપરીતસલક્તા શી રીતે ? એનું વિવેચન કર્યું. પછી વિષાદિઅનુષ્ઠાનમાં વિપરીતકલકતા દર્શાવી. અને સાથે સાથે છેલ્લા બે અનુષ્ઠાનમાં સદ્યોગત્વ દર્શાવ્યું. ગાથાના ઉત્તરાર્ધનો અર્થ આવો છે કે તેથી (162) યોગવિંશિકા.....૧૨) Page #180 -------------------------------------------------------------------------- ________________ યોગ્યજીવોને જ ચૈત્યવન્દનાદિસૂત્રો આપવા જોઈએ. "આની સાથે પૂર્વાર્ધનો સમ્બન્ધ જોડવા વૃત્તિકારે યત વુિં... વગેરે કહ્યું છે. એમાં વૃતિકારે વિષાદિઅનુષ્ઠાનવાળાને મહાદોષ લાગે છે, માટે યોગ્ય જીવોને જ સૂત્ર આપવાં’ આ રીતે ન કહેતાં, “સ્થાનાદિયત્નાભાવવાળાને અનુષ્કાનમાં મહાદોષ લાગે છે, માટે યોગ્ય જીવોને જ સૂત્રો આપવાં આ રીતે વ્યાખ્યા કરી છે. આનું કારણ એ છે કે મૂળકારે તો વિષાદિઅનુષ્ઠાનની કોઇ વાત જ કરી નથી. મૂળકારે તો “અર્થ-આલંબનયોગવાળા હોય એવા જીવોમાંથી નિરપાયયોગવાળાજીવોને ચૈત્યવન્દન વિના વિલંબે અભીષ્ટફળપ્રદ બને છે. સાપાયયોગવાળાજીવોને સવિલંબ અભીષ્ટફળપ્રદ બને છે. અર્થ - આલંબનશૂન્યજીવોમાંથી સ્થાનાદિના પ્રયત્નવાળા જીવોને પરંપરાએ ફળપ્રદ બને છે. અને સ્થાનાદિના પ્રયત્નશુન્ય જીવોને ચૈત્યવન્દન નિષ્ફળ કે વિપરીત ફલક બને છે આ પ્રમાણે જણાવ્યું છે. એટલે તવં વગેરેમાં રહેલાવંના અર્થતરીકે- તે તેજીવોની અપેક્ષાએ ચૈત્યવન્દનની વિના વિલંબે ફળપ્રદતા, સવિલબ ફળપ્રદતા, પરંપરાએ ફળપ્રદતા, નિષ્ફળતા કે વિપરીતફલતા... આ બધી વાતો, વૃત્તિકારે ‘યત અવસ્થાનાવિયત્નમાવવતો... વગેરે જે જણાવ્યું છે તેનાથી અન્યદીપકન્યાયે લઈ લેવી. તેથી સમુદિતાર્થ આવો મળ્યો કે આમ ચૈત્યવન્દન જુદા જુદા જીવોની અપેક્ષાએ વિના વિલંબે ફળપ્રદ બનવાથી લઈ વિપરીતફળક બનવા સુધીની બધી શક્યતાઓ ધરાવે છે. માટે યોગ્ય જીવોને જ એનાં સૂત્રોનું પ્રદાન કરવું પણ વિપરીતફળપ્રાપ્તિસ્વરૂપનકશાનથી બચાવવા અયોગ્યજીવોને આ સૂત્રપ્રદાન ન કરવું. આમ ટૂંકમાં, મૂળકારે સ્થાનાદિયત્ન હોય તો શ્રેયસ્કરને ન હોય તો દોષકર. આટલું જ જણાવ્યું છે, વિષાદિઅનુષ્ઠાનની અપેક્ષાએ કશું જણાવ્યું નથી, માટે વૃત્તિકારે પણ વિષાદિ અનુષ્ઠાનની અપેક્ષાએ સંબંધ ન જોડતાં સ્થાનાદિયત્નની અપેક્ષાએ જ સંબંધ દર્શાવ્યો છે. મૂળકારે સ્થાનાદિયત્નની અપેક્ષાએ વિચારણા કરી તો વિષાદિઅનુષ્ઠાનની અપેક્ષાએ વિચારણા કેમ ન કરી? એ પણ હવે વિચારી લઈએ. જેઓને કોઈ ભૌતિક અપેક્ષા નથી એવા જીવોને તો ચૈત્યવન્દન લાભક્ત જ છે. જેઓને ભૌતિક અપેક્ષા છે એવા જીવો બે પ્રકારના છે. બાધ્યફળાપેક્ષાવાળા અને અબાધ્યફળાપેક્ષાવાળા. એમાંથી બાધ્યફળાપેક્ષાવાળા જીવોને પણ તદ્ધઅનુષ્ઠાન શક્ય હોવાથી લાભ (નિરૂપણ સ્થાનાદિની અપેક્ષાએ (163) Page #181 -------------------------------------------------------------------------- ________________ સંભવિત છે, અબાધ્યફળાપેક્ષાવાળાને વિષ-ગર હોવાથી નુકશાન છે. પણ છદ્મસ્થગુરુ સામા જીવની કળાપેક્ષા બાધ્ય છે કે અબાધ્ય ? એનો નિર્ણય સામાન્ય રીતે કરી શક્તા નથી. એટલે એના આધારે એ સૂત્રપ્રદાનને યોગ્ય છે કે અયોગ્ય ? એ નિર્ણય પણ શક્ય બની શકતો નથી. માટે ગ્રન્થકારે એના આધારે નિરૂપણ કર્યું નથી. માત્ર, જેમ સ્થાનાદિયત્નાભાવવાળાને ચૈત્યવન્દન મહાદોષરૂપ છે, એમ વિષાદિઅનુષ્ઠાનવાળાને પણ એ મહાદોષરૂપ છે આ સામ્ય હોવાથી વૃત્તિકારે સપ્રસંગ વિષાદિઅનુષ્ઠાનની અપેક્ષાએ વિચારણા કરી છે એ જાણવું. ॥ ૧૨।। के एतद्विन्यासानुरूपा इत्याकाङ्गायामाह - અવતરણિકાર્થ : ચૈત્યવન્દન સૂત્રના પ્રદાનરૂપ વિન્યાસને યોગ્ય કોણ છે ? એવી આકાંક્ષાને સંતોષવા ગ્રન્થકાર કહે છે जे देसविरइजुत्ता जम्हा इह वोसिरामि कायंति । सुच्चइ विरईए इमं ता सम्मं चिंतियव्वमिणं ॥ १३॥ —— ગાથાર્થ : જેઓ દેશવિરતિથી યુક્ત છે (તેવા જીવોને સૂત્રપ્રદાન માટે યોગ્ય જાણવા.) (શા માટે ?) કારણકે અહીં (=ચૈત્યવન્દનમાં) ‘કાયાને વોસિરાવું છું’ એ પ્રમાણે સંભળાય છે. (અને એ) વિરતિ હોય તો જ શક્ય છે. માટે આ વાતનું સમ્યક્ ચિન્તન કરવું. जे इत्यादि । ये देशविरतियुक्ताः पञ्चमगुणस्थानपरिणतिमन्तः ते इह अनुरूपा इति शेषः । कुत: ? इत्याह- 'यस्मात् 'इह' चैत्यवन्दनसूत्रे 'व्युत्सृजामि कायम्' इति श्रूयते, इदञ्च विरतौ सत्यां सम्भवति, तदभावे कायव्युत्सर्गासम्भवात्, तस्य गुप्तिरूपविरतिમેવાત્। = વૃત્તિઅર્થ : જેઓ દેશવિરતિયુક્ત છે અર્થાત્ પાંચમા ગુણઠાણાની પરિણતિવાળા છે તેઓ અહીં સૂત્રપ્રદાનને યોગ્ય જાણવા. (આટલો અંશ શેષ જાણવો... અર્થાત્ મૂળમાં નથી, અર્થ પૂર્ણ કરવા અધ્યાહારથી ઉમેરવો.) શા માટે ? *(એટલા માટે કે) અહીં ચૈત્યવન્દન સૂત્રમાં ‘કાયાને વોસિરાવું છું’ એમ સંભળાય છે. આ વાત વિરતિની હાજરીમાં જ સંભવે છે. કારણકે વિરતિના અભાવમાં કાયાનો વ્યુત્સર્ગ અસંભવિત છે. તે પણ એટલા માટેકે તે = કાયાનો વ્યુત્સર્ગ ગુપ્તિરૂપ વિરતિનો 164 યોગવિંશિકા..૧૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર છે. વિવેચન : (૧) પાંચમા ગુણઠાણાની પરિણતિવાળા જીવો જ સૂત્રપ્રદાનને યોગ્ય છે આવું જે કહ્યું એનું કારણ દર્શાવવા માટે આ અધિકાર છે. અહીં ‘પરિણતિ’ શબ્દ વાપર્યો છે એનાથી એ નિશ્ચિત થાય છે કે વ્યવહારથી અણુવ્રતો સ્વીકાર્યા હોય પણ અંદર તદ્દનુરૂપ પરિણતિ-દેશવિરતિપરિણામ-જાગ્યો ન હોય તો એવા જીવો પણ અધિકારી નથી. - ચૈત્યવન્દનસૂત્રમાં તાવ વાય ટાળેળ મોમેળ જ્ઞાળે અપ્પાાં વોસિરામિ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરવાની આવે છે. પ્રતિજ્ઞાનો અધિકારી તે જ છે જે પ્રતિજ્ઞાનું યથાર્થ પાલન કરી શકે. પ્રતિજ્ઞાના પાલનમાં બે અંશો છે. પ્રતિજ્ઞાથી ત્યાજ્ય પ્રવૃત્તિનો આચરણમાં ત્યાગ એ પ્રતિજ્ઞાનું બાહ્ય પાલન છે – વ્યવહારથી પાલન છે. એ ત્યાજ્ય પ્રવૃત્તિની કે એના કારણભૂત પ્રમાદાકિની વૃત્તિ જીવમાં અનાદિકાળથી ઘડાયેલી હોય છે. આ વૃત્તિ ખસે ને એના સ્થાને એ પ્રવૃત્તિના ત્યાગની અને એ ત્યાગના કારણભૂત અપ્રમાદ વગેરેની વૃત્તિ કેળવાય... કેળવાયેલી આ વૃત્તિ એ વિરતિની પરિણતિ છે, એ પ્રતિજ્ઞાનું આંતરિક પાલન છે - નિશ્ચયથી પાલન છે. ક્યારેક કારણવશાત્ આચરણમાં ત્યાજ્ય પ્રવૃત્તિ કરવી પડે તો પણ આંતરિક પરિણતિ અક્ષત હોય તો વિરતિનું પાલન અક્ષત જ કહેવાય છે. જેમકે સાધુને સકારણ નદી ઉતરવામાં ાં પાયં નતેનિન્દ્રા વગેરે જયણારૂપ અપ્રમાદ પણ હોય તો હિંસાની વિરતિ (અને સર્વવિરતિ) અક્ષત રહે છે. એટલે પ્રતિજ્ઞાપાલન માટે મુખ્યતયા પરિણતિ જોવામાં આવે છે. કાયાને વોસિરાવવાની પ્રતિજ્ઞા પણ એક પ્રકારની પ્રતિજ્ઞા તો છે જ. તેથી એનું પાલન વિરતિની = વિરતિપરિણામની વિદ્યમાનતામાં જ સંભવે છે. તે પણ એટલા માટે કે ‘કાયાનો વ્યુત્સર્ગ’ – કાયાને વોસિરાવવી’ એ કાંઇ અહીં કાયા નો સર્વથા ત્યાગ કરી દેવો એવા અર્થમાં નથી. પણ શ્વાસોશ્વાસ વગેરે આગારરૂપ કેટલીક પ્રવૃત્તિઓ છોડીને શેષ સઘળી પ્રવૃત્તિઓ રૂપ કાયવ્યાપારનો ચોક્કસ અવધિ સુધી ત્યાગ કરવા રૂપ છે. આ કાયગુપ્તિ છે. (અન્નત્ય સૂત્ર દ્વારા પ્રતિજ્ઞાત મૌન અને ધ્યાન પણ આ કાયગુપ્તિમાં જ સમાવિષ્ટ થઈ જાય એવો વ્યાપક અર્થ લેવો.) આ પણ એક પ્રકારની વિરતિ જ છે. એટલે વિરતિ પરિણામ જેને પ્રગટ થયો નથી એવા જીવો આવી પ્રતિજ્ઞાના વાસ્તવિક અધિકારી નથી. વિરતિધર અધિકારી 165 Page #183 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનયની માન્યતા આવી છે કે સમ્યત્વી સમ્યત્વ પામે. (મિથ્યાત્વી સમ્યત્વ પામે એ વ્યવહારની માન્યતા છે.) એમ વિરતિધર વિરતિ પામે એ નિશ્ચયની માન્યતા છે. એટલે પહેલાં ભલે અવિરત હોય, ને પ્રતિજ્ઞા કરે... એનું પાલન કરતાં કરતાં વિરતિ પરિણામ પ્રગટ થાય... આવું નિશ્ચયને માન્ય નથી. કારણકે નિશ્ચયનય એમ કહે છે કે એવું કરવામાં, જ્યાં સુધી વિરતિપરિણામ પ્રગટ ન થયો ત્યાં સુધી તો પ્રતિજ્ઞા એ મૃષાવાદ બની રહે. એટલે નિશ્ચયનય એમ કહે છે કે જેમને વિરતિપરિણામ વર્તતો હોય તેઓજ ચૈત્યવન્દનના અધિકારી છે. (વ્યવહારનયતો, પ્રતિજ્ઞાથી વિપરીત આચરણ ન કરે.. પ્રતિજ્ઞાનુકૂલ જ બાહ્ય આચરણ હોય, તો પ્રતિજ્ઞાનો ભંગ માનતો નથી. એટલે જ્યાં સુધી અંદર પરિણામ ન જાગે ત્યાં સુધી પણ પ્રતિજ્ઞા મૃષાવાદરૂપ બનતી નથી. અને તેથી અંદર વિરતિ પરિણામ ન જાગ્યો હોય એવા જીવ પણ વ્યવહારનયે અધિકારી હોવામાં વાંધો નથી.) __ ततः सम्यक् चिन्तितव्यमेतत् यदुत ‘कायं व्युत्सृजामि' इति प्रतिज्ञाऽन्यथानुपपत्त्या देशविरतिपरिणामयुक्ता एव चैत्यवन्दनानुष्ठानेऽधिकारिणः, तेषामेवागमपरतन्त्रतया विधियत्नसम्भवेनामृतानुष्ठानसिद्धेरिति। વૃત્તિઅર્થ તેથી, આ સમ્યવિચારવું કે કાયાને વોસિરાવું છું એવી પ્રતિજ્ઞા અન્યથા અસંગત રહેતી હોવાથી દેશવિરતિપરિણામથી યુક્ત જીવો જ ચૈત્યવન્દનઅનુષ્ઠાનના અધિકારી છે. કારણકે તેઓને જ, આગમને પરતત્ર રહીને વિધિપાલનનો પ્રયત્ન સંભવિત હોવાથી અમૃતઅનુષ્ઠાન સિદ્ધ થઈ શકે છે. વિવેચનઃ વિરતિપરિણામની ગેરહાજરીમાં પ્રતિજ્ઞા અસંગત કેમ રહે છે એ પૂર્વે વિચારી ગયા. બીજું કારણ પણ અહીં વૃત્તિકાર દર્શાવે છે. આગમોક્ત અનુષ્ઠાનનું પરિપૂર્ણ પાલન ત્યારે જ થયું કહેવાય જો આગમોક્ત બધી વિધિઓ જાળવવામાં આવી હોય. સંપૂર્ણ વિધિજાળવણી તોજ શક્ય બને જો એનાં પ્રતિપાદક આગમોક્ત વચનો પર હાડોહાડ શ્રદ્ધા હોય... આ માટે દર્શનમોહનીયનો ક્ષયોપશમ જોઇએ છે. આ અનુષ્ઠાન આ રીતે કરવાથી જ આત્મહિત થાય આવી તીવ્રશ્રદ્ધા ન હોય તો નાનાનાના વિધાનમાં ગરબડ થવાની શક્યતા રહે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ હોય તો શ્રદ્ધા મજબૂત છે, છતાં એને આચરણમાં લાવવા માટે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પણ જોઇએ છે. આ ક્ષયોપશમ દેશવિરતિથી પ્રારંભાય છે. માટે દેશ166) યોગવિંશિકા....૧૩) Page #184 -------------------------------------------------------------------------- ________________ વિરતિધર જ આગમાનુસારે આગમોક્ત વિધાનનો પ્રયત્ન કરી શકે છે, એ પૂર્વના જીવો નહીં. ને જો આગમોક્ત વિધિપાલનનો પ્રયત્ન ન હોય તો તો અમૃતઅનુષ્ઠાન સંભવતું નથી. માટે દેશવિરતિધરને જ અમૃતાનુષ્ઠાન સંપન્ન થઈ શકે છે, અને તેથી તેઓ જ ચૈત્યવન્દનના અધિકારી છે. एतच्च मध्यमाधिकारिग्रहणं तुलादण्डन्यायेनाद्यन्तग्रहणार्थं, तेन परमामृतानुष्ठानपरा: 'सर्वविरतास्तत्त्वत एव। 'तद्धत्वनुष्ठानपरा: (सम्यग्दृष्टयः) अपुनर्बन्धका अपि च व्यवहारदिहाधिकारिणो गृह्यन्ते, कुग्रहविरहसम्पादनेनापुनर्बन्धकानामपि चैत्यवन्दनानुष्ठानस्य फलसम्पादकतायाः पञ्चाशकादिप्रसिद्धत्वादित्यवधेयम्।। વૃત્તિઅર્થ? આ મધ્યમઅધિકારીનું જે ગ્રહણ કર્યું છે તે તુલાદંડન્યાયે આદ્યન્તના ગ્રહણ માટે કર્યું છે. તેથી પરમ અમૃતાનુકાનમાં તત્પર સર્વવિરત જીવો તત્ત્વથી (વાસ્તવિક) જ (અધિકારી છે.) તદ્ધતુઅનુષ્ઠાનમાં તત્પર એવા (સમ્યગુદષ્ટિજીવો) અને અપુનર્બન્ધક જીવો પણ વ્યવહારથી અહીં અધિકારી તરીકે ગૃહીત થાય છે. કારણકે ચૈત્યવન્દન અનુષ્ઠાન કુગ્રહવિરહનું સંપાદન કરી આપવા દ્વારા અપુનર્બન્ધજીવોને પણ ફળસંપાદક બને છે એ વાત પંચાશકાદિમાં પ્રસિદ્ધ છે. આ વાત નોંધનીય છે. વિવેચનઃ (૧) તત્ત્વથી (નિશ્ચયથી) કે વ્યવહારથી... આવો ભેદનપાડીએ તો સર્વવિરત, દેશવિરત, અવિરતસમ્યગ્દષ્ટિ અને અપુનર્બન્ધક.. આટલા જીવો ચૈત્યવન્દન સૂત્રપ્રધાનના અધિકારી છે. આમાંથી છેલ્લા બે વ્યવહારથી અધિકારી છે અને તદ્ધત્વનુષ્ઠાન તત્પર છે. સર્વવિરત તત્ત્વથી (વાસ્તવિક) અધિકારી છે અને પરમામૃતાનુણાનતત્પર છે. દેશવિરત તત્ત્વથી (વાસ્તવિક) અધિકારી છે અને અમૃતાનુષ્ઠાનતત્પર છે. એટલે દેશવિરત જીવો, અધિકારી જીવોમાં મધ્યમ છે. જેમ તુલાને-ત્રાજવાને મધ્યમાંથી પકડવામાં આવે તો એના બન્ને પલ્લાં પણ પકડાઈ જ જાય છે એમ મૂળાકારે અહીં મધ્યમ અધિકારી એવા દેશવિરતનું અધિકારી તરીકે જે ગ્રહણ કર્યું છે તેના દ્વારા આદિમાં રહેલા સર્વવિરતજીવનું તથા અન્ત રહેલા અવિરતસમ્યગ્દષ્ટિ અને અપુનર્બન્ધકનું પણ અધિકારી તરીકે ગ્રહણ થઈ જાય છે એ જાણવું (અલબત્ વૃત્તિમાં સચય: શબ્દ છપાયો નથી. પણ મપુનર્વત્થા પિ ર... એવા પાઠમાં પિત્ત શબ્દો જે છે તે સચય: શબ્દ ત્યાં હોવો જોઇએ, એવું અપુનર્બન્ધકાદિ વ્યવહારથી અધિકારી (167) Page #185 -------------------------------------------------------------------------- ________________ સૂચન કરે છે. લહિયા વગેરેની ભૂલથી રહી ગયો હોય એવું સંભવિત છે. અને તેમ છતાં, જો એ શબ્દ ત્યાં ન હોય તો, અપુનર્બન્ધકના ઉપલક્ષણથી એનું ગ્રહણ કરવું, કારણકે એ જીવો પણ વ્યવહારથી અધિકારી તો છે જ.) (૨) હજુ ચૈત્યવન્દન આવડતું ન હોય એવા જીવોને પણ તથાવિધ ઉપદેશશ્રવણ વગેરે દ્વારા ભાવો ઉલ્લસિત થઈ જાય અને સર્વવિરતિ પરિણામ પેદા થઈ જાય એવું અશક્ય નથી. આવા સર્વવિરતજીવો ચૈત્યવન્દનસૂત્રપ્રધાનના તત્ત્વથી અધિકારી છે. આ સૂત્રપ્રદાન થાય એટલે પ્રથમવારથી જ સંપૂર્ણ વિધિબોધ અને સંપૂર્ણ વિધિપાલન હોય જ એવું માની શકાય નહીં. એટલે વિધિ વિકલતા સંભવિત છે. પણ એટલા માત્રથી ‘એ તદ્ધતુઅનુષ્ઠાન જ હોય, (પરમ) અમૃતાનુષ્ઠાન નહીં એવું કહી શકાય નહીં. કારણકે માત્ર અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનવાળાને ક્ષપકશ્રેણિ જો આવી શકે છે તો અમૃતાનુષ્ઠાન આવી શકવામાં કશો વાંધો નથી. સંપૂર્ણવિધિબોધ એ પણ સંપૂર્ણવિધિપાલનની કારણસામગ્રીમાં સમાવિષ્ટ છે. એટલે એનો અભાવ એ સામગ્રીવિકલતારૂપ બને છે. તેથી વિધિની જે વિકલતા છે તે સામગ્રીની વિકલતાવશાતુ છે, પ્રમાદાદિવશાત્ નથી, માટે એ તદ્દેતુઅનુષ્ઠાન નથી, પણ અમૃતાનુષ્ઠાન જ છે. પણ જો વિધિની વિકલતા પ્રમાદાદિવશાત્ આવે તો એ તતુઅનુષ્ઠાન જ જાણવું. પ્રશ્નઃ વિધિવેકલ્યનો પ્રયોજક પ્રમાદ સર્વવિરતને (છહાગુણઠાણાવાળાને) સંભવે? ઉત્તર : હા, આગળ ૧૬મી ગાથાની વૃત્તિમાં ન જૈવ તતૂરાષ8-સમગુસ્થાન.. વગેરે જે અધિકાર છે એના પરથી એ સંભવે એમ જણાય છે. અને તેથી છઠે ગુણઠાણે (પરમ) અમૃતાનુષ્ઠાન અને તદ્ધતુઅનુષ્ઠાન બન્ને સંભવિત છે એમ માનવું જોઇએ. પણ, સર્વવિરતને અનુષ્ઠાન પણ હોય શકે એ વાત તો સંભવિત લાગતી નથી. કારણકે ક્વચિત્ અપ્રધાન બાબતમાં અનુપયોગ હોય ત્યારે પણ, પ્રણિધાનના પ્રભાવે-છેવટે સંસ્કારરૂપે પણ પ્રધાનફળ મોક્ષનો ઉદ્દેશ બેસેલો જ હોય છે, આ અંગેની પ્રણિધાનશૂન્યતા સંભવતી નથી. [168 યિોગવિંશિકા...૧૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ છ સાતમે ગુણઠાણે રહેલા અને તેથી તત્ત્વથી અધિકારી એવા પણ જીવો દીર્ધકાળ સુધી પરમામૃતાનુષ્ઠાન જ કરતા રહે એવો કોઈ નિયમ નથી (કારણકે તદ્ધતુ પણ સંભવિત છે.) છતાં તેઓમાં પરમામૃતાનુષ્ઠાન સાધવાની તત્પરતા તો હોય જ છે તેમજ એ સાધી શકાય એવી યોગ્યતા છે-સામગ્રી છે. અને એના કારણે એની સંભાવના પણ છે. માટે એ તત્ત્વથી અધિકારી છે જ. એટલે જ અહીં પરમામૃતાનુષ્ઠાનવન્તઃ ન કહેતાં પરમામૃતાનુષીનપ/: કહ્યું હોય એમ લાગે છે. એટલે જ દેશવિરત જીવો માટે પણ.યસમ્ભવેન અમૃતાનુષ્ઠાનસિદ્ધ એમ જણાવ્યું છે. અર્થાત્ આગમપરતન્ત્રતયા વિધિયત્નની સંભાવના બતાવી વિધિયત્નનો નિયમન બતાવ્યો. એટલે અર્થ એ મળે કે જ્યારે એવો વિધિયત્ન થાય ત્યારે અમૃતાનુષ્ઠાન થાય, જ્યારે એવો વિધિયત્ન ન થાય ત્યારે અમૃતાનુષ્ઠાનન થાય, અને છતાં દેશવિરત જીવો અમૃતાનુષ્ઠાનતત્પર તો કહેવાય જ. અને એ તત્પરતાયોગ્યતા વગેરે હોવાથી તત્ત્વથી અધિકારી પણ છે જ. (એટલે ઇચ્છાયોગમાં વર્તતા વિરતિધર પણ તત્ત્વથી અધિકારી નથી, વગેરે કલ્પનાની જરૂર નથી.) વૃત્તિકારે દેશવિરતિધર માટે અમૃતાનુષ્ઠાન કહ્યું અને સર્વવિરતિધર માટે પરમામૃતાનુષ્ઠાન કહ્યું તેનો વિચાર કરીએ. પાંચ ઇન્દ્રિય, છઠું મન અને પજીવનિકાય. એમ બાર પ્રકારની અવિરતિ છે. એમાંથી દેશવિરતજીવને માત્ર ત્રસકાયની પણ આંશિક વિરતિ જ હોય છે. એટલે તેઓને સર્વવિરત જેવી પરિપૂર્ણ કાયવુતિ હોતી નથી. વળી આગમપરતત્રતા પણ દેશવિરત જીવોને ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પૂરતી હોય છે, વેપાર વગેરે અનેક સંસારસંબંધી પ્રવૃત્તિ વખતે આશાપારતત્ર્ય તેઓને હોતું નથી. સર્વવિરત જીવને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આજ્ઞાપારતત્ય હોય છે. માટે સર્વવિરતને જ પરમામૃતાનુષ્ઠાન હોય છે જ્યારે દેશવિરતને અમૃતાનુષ્ઠાન હોય છે. (એટલે જ દેશવિરત કરતાં સર્વવિરતને કર્મ નિર્જરા અસંખ્યગુણ હોય છે, તેમજ દોષહ્રાસ પણ પ્રચુરમાત્રામાં થતો હોય છે. આ જ કારણ છે કે સર્વવિરતિની સ્પર્શનાવાળા વધુમાં વધુ ૭ કે ૮ ભવો જ જોઇએ છે જ્યારે દેશવિરતિની સ્પર્શનાવાળા અસંખ્યભવ પણ શક્ય છે.) (૩) અવિરતસમ્યગ્દષ્ટિ અને અપુનર્બન્ધક જીવોને વિરતિ ન હોવાથી અમૃતાનુષ્ઠાન સંભવિત નથી. છતાં તહેતુઅનુષ્ઠાન તો તેઓને સંભવિત છે જ. માટે અિપુનર્બન્ધકાદિ વ્યવહારથી અધિકારી 169) Page #187 -------------------------------------------------------------------------- ________________ એ બન્નેના વિશેષણ તરીકે ‘તદ્વેત્વનુષ્ઠાનતત્પર’ એમ કહ્યું છે. તેઓને ઘણુંખરું તદ્વૈત્વનુષ્ઠાન જ હોય છે. ક્યારેક અનનુષ્ઠાન સંભવે છે. પણ ગુણસંપન્ન અપુનર્બન્ધકજીવોને વિષ કે ગર અનુષ્ઠાન હોતા નથી. અને, ‘ચરમાવર્તમાં પ્રાયઃ કરીને ચોથું (=તદ્વેતુ) અનુષ્ઠાન જ હોય’ એવા અભિપ્રાય મુજબ તો ગુણસંપન્ન અપુનર્બન્ધક અવસ્થાને ગુમાવી ચૂકેલા અપુનર્જન્ધકને પણ વિષ-ગર સંભવતા નથી, કારણકે એ જીવ ચરમાવર્તમાં તો હોય જ છે. એટલે અવિરત સમ્યગ્દષ્ટિ અને અપુનર્બન્ધક જીવો, તદ્વેતુઅનુષ્ઠાનમાં તત્પર હોવાથી તેમજ એની યોગ્યતા વગેરે હોવાથી તેઓ વ્યવહારથી ચૈત્યવન્દનસૂત્ર પ્રદાનના અધિકારી છે. (૪) અપુનર્જન્યજીવોને ચૈત્યવન્દન અનુષ્ઠાન જો નિષ્ફળ જતું હોય તો તો તેઓને અધિકારી તરીકે ન જણાવત. પણ જણાવ્યા તો છે. માટે જણાય છે કે તેઓનું ચૈત્યવન્દન પણ સફળ છે. તો તેઓને શું ફળ સંભવે છે ? એ હવે વૃત્તિકાર જણાવે છે. (અર્થાત્ તેઓને પણ અહીં અધિકારી શા માટે કહ્યા તે હવે વૃત્તિકાર જણાવે છે.) ચૈત્યવન્દનાનુષ્ઠાન દ્વારા અપુનર્બન્ધજીવોનો ડુગ્રહ દૂર થાય છે, આ વાત પંચારાકજીમાં કહેલી છે. અપુનર્બન્ધકજીવોને પણ મિથ્યાત્વના ઉદયના પ્રભાવે વિધિ વગેરે અંગે ડુગ્રહ સંભવિત છે. છતાં, અપુનર્બન્ધકતા હોવાથી માધ્યસ્થ્ય છે. માટે પ્રજ્ઞાપનીયતા હોય છે. અને તેથી ચૈત્યવન્દન અનુષ્ઠાન દ્વારા ફુગ્રહ દૂર થાય છે. * (અહીં પ્રજ્ઞાપનીયતા હોય છે, તેથી ફુગ્રહનો અર્થ ‘‘ડુ=કુત્સિત=ગલત, ગ્રહ = નિર્ણય... તેથી કુગ્રહ-ગલતનિર્ણય’’ જેવો કરવો. પણ કદાગ્રહ ન કરવો, કારણકે ઠાગ્રહ સાથે પ્રજ્ઞાપનીયતા સંભવિત નથી.) ફુગ્રહદૂર થવાથી સમ્યક્ત્વપ્રાપ્તિ વગેરે ફળ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. એમ અવિરતસમ્યકત્વીને પણ અધિકારી કહ્યા.. એટલે એને પણ ચૈત્યવન્દનનું ફળ શું મળે છે ? એ વિચારી લઇએ... સમ્યક્ત્વી જીવને કુગ્રહ હોતો ★ दिक्खाविहाणमेयं भाविज्जंतं तु ततणीतिए । सइअपुणबंधगाणं कुग्गहविरहं लहुं कुणइ || पंचा. २ / ४४॥ આગમાનુસારે ભાવિત કરાતું આ દીક્ષાનું વિધાન સાંધક અને અપુનર્જન્ધકના ડુગ્રહનો શીઘ્ર વિરહ કરે છે. (અલબત્ પંચાશજીમાં આ વાત ઠીક્ષાવિધાન માટે કરી છે. પણ તે ના ઉપલક્ષણથી એ ચૈત્યવન્દનાદિ માટે પણ જાણી શકાય છે. વળી દીક્ષાવિધાન જો સમૃદ્બન્ધકના ફુગ્રહનો વિરહ કરી શકે છે તો ચૈત્યવન્દનાદિ પણ તેના ફુગ્રહનો વિરહ કરવા રૂપ લાભ કરાવી શકે એવું વિચારતાં લાગે છે. તત્ત્વ केवलिगम्यम्) 170 યોગવિંશિકા.૧૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ નથી. પણ ચૈત્યવન્દન દ્વારા એનું સમ્યત્વ નિર્મળ થાય છે, ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થવા દ્વારા ક્રમશઃ દેશવિરતિ-સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. ને તેથી પછી અમૃતાનુષ્ઠાન દ્વારા મોક્ષ સુધીનું ફળ પામે છે. વિશેષ વિચારણા અહીં દેશવિરતને અમૃતઅનુષ્ઠાન અને સર્વવિરતને પરમ અમૃતઅનુષ્ઠાનની સિદ્ધિ કરી દેખાડી છે. અને એટલે જ આબેને તત્ત્વતઃ (નિશ્ચયથી) ચૈત્યવન્દનના અધિકારી તરીકે કહ્યા છે. અપુનર્બન્ધક જીવોને તકૅઅનુષ્ઠાનમાં તત્પર કહ્યા છે, અને તેથી એમને ચૈત્યવન્દનના વ્યવહારથી અધિકારી કહ્યા છે. અવિરતસમ્યગ્દષ્ટિ જીવો માટે વૃત્તિકારે કશો ઉલ્લેખ નથી. તેમ છતાં, પૂર્વે ત્રીજી ગાથામાં અને તેની વૃત્તિમાં, દેશવિરત અને સર્વવિરત જીવોમાં જ નિશ્ચયનય યોગની વિદ્યમાનતા સ્વીકારે છે, અપુનર્બન્ધક અને અવિરતસમ્યગ્દષ્ટિ જીવોમાં યોગના બીજભૂત એવા સ્થાનાદિને વ્યવહારનય ઉપચારથી યોગ તરીકે સ્વીકારે છે.' વગેરે જે વાત કરી છે એના પરથી, અવિરત સમ્યત્વીનો નંબર અપુનર્બન્ધજીવોની સાથે હોવો કલ્પી શકાય છે. તેમજ પુનર્જન્ધા માપ ૨... માં રહેલો પિ શબ્દ પણ એવી કલ્પનાને પ્રેરે છે. અને તેથી આ વિવેચનમાં અવિરતસમ્પત્નીને પણ અપુનર્બન્ધકની જેમ જ વ્યવહારથી અધિકારી કહ્યા છે તેમજ તતુઅનુષ્ઠાનમાં તત્પર કહ્યા છે. હવે આના પર કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. (૧) શ્રી તીર્થંકરપ્રભુના ચ્યવનકલ્યાણક પ્રસંગે શકેન્દ્ર શસ્તવ દ્વારા જે પ્રભુભક્તિ કરે છે તેને પણ નિશ્ચયથી તો અનધિકારીની વન્દના કહેવી પડશે.. વ્યવહારથી અધિકારી જીવકૃત હોવા છતાં એને અપ્રધાન અને દ્રવ્યરૂપ તો કહેવી જ પડશે. (૨) ઇન્દ્રો-દેવો વગેરે જન્માભિષેક વગેરે જે ભક્તિ કરે છે એ બધી તદ્ધતુઅનુષ્ઠાન કહેવી પડશે. અમૃતાનુષ્ઠાન નહીં કહી શકાય. (૩) “વ્યસૃજ્ઞામિ યમ્... વગેરે કાઉસ્સગ્નની પ્રતિજ્ઞાનું વાસ્તવિક પાલન વિરતિપરિણામની હાજરીમાં જ સંભવિત છે.” વગેરે જે, અવિરતને તત્ત્વતઃ પાલનની અસંભાવનાના કારણ તરીકે દર્શાવ્યું છે તેમાં પણ પ્રશ્ન એ ખડો થાય છે કે મૂળ ગુણની પ્રતિજ્ઞા વિરતિપરિણામ વિનાસંભવતી નથી, એબરાબર... પણ ઉત્તરગુણની પ્રતિજ્ઞા માટે એવો નિયમ ક્યાં છે? અવિરત એવા પણ ચક્રવર્તી વગેરે જીવો અર્હમ ચોથે પણ અમૃતાનુકાન સંભવ (171) 171 Page #189 -------------------------------------------------------------------------- ________________ વગેરેનું પચ્ચકખાણ કરે જ છે ને ! આ પ્રશ્નોનું સમાધાન એવું લાગે છે કે – પ્રસ્તુત ગ્રન્થની પ્રથમ ગાથાની વૃત્તિના અંતે વૃત્તિકારે જે કહ્યું છે કે નિશ્ચયથી તો પરિશુદ્ધ બધો જ ધર્મવ્યાપાર યોગ છે, પણ તાન્ત્રિકોએ કરેલ વિશેષ વ્યવહારને અનુસરીને સ્થાનાદિમાં રહેલો ધર્મવ્યાપાર જ યોગ છે. તથા, ત્રીજી ગાથામાં અને તેની વૃત્તિમાં (દેશઆરાધક અને દેશવિરાધકને ગૌણ કરી–સર્વઆરાધકને જ નજરમાં રાખી) સ્થાનાદિ યોગો અને તેમાં અન્તર્ભાવ પામતા અધ્યાત્મ વગેરે યોગોની વિદ્યમાનતા વિરતિધર જીવોમાં જ કહી..... અપુનર્જન્મજીવો અને અવિરત સમ્યગ્દષ્ટિજીવોમાં તો માત્ર યોગબીજ જ કહ્યું... આ એક વિશેષ પ્રકારની વિવક્ષા જ છે. આ વિવક્ષાને અનુસરીને જ આખા ગ્રન્થમાં આ બધું નિરૂપણ છે. એટલે સ્થાનાદિ માટે દશાન્ત તરીકે આપેલા ચૈત્યવન્દન અનુષ્ઠાનમાં પણ આ વિવક્ષા ચાલુ જ હોવાથી ચૈત્યવન્દનના વાસ્તવિક અધિકારી તરીકે વિરતિધરને જ કહ્યા છે. અને તેથી અવિરતસમ્યક્ત્વી જીવો જ્યારે વાસ્તવિક અધિકારી તરીકે જ વિવક્ષિત નથી તો એમને અમૃતાનુષ્ઠાન પણ શી રીતે કહી શકાય ? માટે અહીં એમને તદ્વેતુઅનુષ્ઠાન કહ્યું છે. બાકી આ વિશેષપ્રકારની વિવક્ષાને બાજુ પર રાખીને વાસ્તવિકતાનો વિચાર કરીએ તો અવિરતસમ્યક્ત્વીજીવોને પણ અમૃતાનુષ્ઠાન સંભવે છે તેમજ પ્રથમગાથાની વૃત્તિના ઉપસંહારમાં કહ્યા મુજબ એ નિશ્ચયથી યોગસ્વરૂપ પણ બને જ છે. એટલે તેને અનુસરીને ઇન્દ્ર પણ શસ્તવના વાસ્તવિક અધિકારી જ છે, સમ્યક્ત્વી દેવો જે જન્માભિષેક વગેરે પ્રભુભક્તિ કરે છે એ અમૃતાનુષ્ઠાન બનવામાં કોઇ બાધક નથી એ જાણવું. તેમજ અવિરતસમ્યક્ત્વી જીવોને ઉત્તરગુણની પ્રતિજ્ઞા અને એનું પાલન બન્ને અસંભવિત નથી, એ પણ જાણવું. ये त्वपुनर्बन्धकादिभावमप्यस्पृशन्तो विधिबहुमानादिरहिता गतानुगतिकतयैव चैत्यवन्दनाद्यनुष्ठानं कुर्वन्ति ते सर्वथाऽयोग्या एवेति व्यवस्थितम्॥ १३॥ વૃત્તિઅર્થ : વળી જેઓ અપુનર્બન્ધકાદિભાવને પણ સ્પર્યા નથી તેવા વિધિબહુમાનાકિરહિત જીવો ગતાનુગતિકતાથી જ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન કરે છે એટલે 172 યોગવિંશિકા...૧૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ તેઓ સર્વથા અયોગ્ય છે એ પ્રમાણે વ્યવસ્થા જાણવી. વિવેચન : અપુનર્બન્ધક અવસ્થા પણ જે પામ્યો નથી. એનો મતલબ આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ જેનું અંશ માત્ર પણ લક્ષ્ય ગયું નથી. સંસાર એ ઉપાધિ છે - આત્માની કદર્થના છે આવું ઊંડે ઊંડે પણ ક્યાંય પ્રતીત થયું નથી... એટલે એ જે કાંઇ પ્રવૃત્તિ કરે એ ભૌતિક અને માત્ર ભૌતિક ઉદ્દેશથી જ હોય છે. તેથી આત્મહિતનું માર્ગદર્શન આપનાર શાસ્ત્રો પ્રત્યે આ જીવોને સ્વારસિક શ્રદ્ધા-આદર-બહુમાન ન હોય એ સ્પષ્ટ છે. તેથી શાસ્ત્રોક્ત વિધિ પ્રત્યે પણ બહુમાનાદિ હોતા નથી. તેમ છતાં તેઓ ક્યારેક શાસ્ત્રોક્ત ચૈત્યવન્દનાદિ વિધાનો કરતાં દેખાય તો એ માત્ર ગતાનુગતિકતાથી જ કરતા હોય એ સ્પષ્ટ છે. માટે એમાં પ્રણિધાનાદિ નથી ભળ્યા હોતા કે નથી એ ભળવાની કોઇ ભૂમિકા હોતી. તેથી આવા જીવો ચૈત્યવન્દનાદિ સૂત્રપ્રદાન માટે સર્વથા અયોગ્ય છે. આમ સર્વવિરત અને દેશવિરત તત્ત્વતઃ યોગ્ય છે, અવિરતસમ્યગ્દષ્ટિ અને અપુનર્જન્ધક વ્યવહારથી યોગ્ય છે, અને એવી ભૂમિકાએ પણ નહીં પહોંચેલા જીવો સર્વથા (=નિશ્ચય અને વ્યવહાર બન્નેથી) અયોગ્ય છે એમ સૂત્રપ્રદાન અંગે વ્યવસ્થા નિશ્ચિત થઇ. પૂર્વે વિચારી ગયા એમ, સામા જીવમાં ભવાભિનન્દીપણાનો નિર્ણય કરાવે એવા ક્ષુદ્રતાદિ વ્યક્ત દોષ કે સૂત્ર-સૂત્રકાર-સૂત્રદાતા વગેરે પ્રત્યે તીવ્ર અરુચિઅવહેલના વગેરે અયોગ્યતા સૂચક દોષ દેખવા મળી જાય તો તો અયોગ્યતાનો નિર્ણય થવાથી યોગ્યતાની સંભાવના કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. પણ જો આવી કોઇ સ્ફુટ અયોગ્યતા ન જણાતી હોય તો ગીતાર્થ ગુરુ યોગ્યતાની સંભાવના કરી સૂત્રપ્રદાનાદિ કરે જ છે. એટલે, આ વાસ્તવિકતાને નજરમાં રાખીને જ બાલ્યવયમાં પણ ચૈત્યવન્દનાદિ સૂત્રો અપાય છે, એ જાણવું. એમ કંઇક ઉંમરવાળા થઇને પછી જેઓને કંઇક ધર્માભિમુખતા થઇ છે – જિજ્ઞાસા જાગી છે એમને માટે પણ નિયમ તો આ જ કે એવી કોઇ અયોગ્યતા ન દેખાતી હોય તો યોગ્યતાની સંભાવના કરી ચૈત્યવન્દનાદિ શીખવાડવામાં આવે છે. “એમને સંસારની નિર્ગુણતાનું સ્વરૂપ બતાવવામાં આવે, તેઓને સંસાર નિર્ગુણ ભાસે, તેઓ પ્રશ્ન કરે કે આ નિર્ગુણસંસારથી તરવાનો ઉપાય શું છે ? ત્યારે તેઓને તેના ઉપાયરૂપે ભગવદ્ભક્તિ કરવાનું કહેવામાં આવે, તેની - અધિકારી વ્યવહારથી જોવાય 173 Page #191 -------------------------------------------------------------------------- ________________ વિધિ બતાવતાં વિધિપૂર્વકનું ચૈત્યવન્દનનું સૂત્ર તથા તેની પ્રજ્ઞા અનુસાર એનો અર્થ આપવામાં આવે. તેવા જીવોને જ વિધિમાં યત્નનો લેશ સંભવે... ’’આવો કોઇ નિયમ હોવો આવશ્યક નથી કે ગીતાર્થ પુરુષોની પ્રવૃત્તિમાં એ જોવા પણ મળતો નથી. જેઓમાં એવી કોઇ અયોગ્યતા નથી તેવા જીવો ક્યારેક તો ભૌતિક અપેક્ષાથી ચૈત્યવન્દનાદિ શરુ કરે તો પણ એ કરતાં કરતાં કર્મક્ષયોપશમ થાય અને ભૌતિક અપેક્ષા છૂટી જાય, ને નિર્ભેળ આત્મહિતના પ્રયોજનથી ચૈત્યવન્દનાદિ પ્રભુભક્તિ કરતાં તેઓ થઇ જાય આવું ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ ખુદને પણ માન્ય છે એ તપપંચાશક- અષ્ટક પ્રકરણ વગેરે પરથી સ્પષ્ટ છે... તેમજ વર્તમાનમાં પણ આવા ઢગલાબંધ કિસ્સાઓ જોવા-જાણવા મળે છે, ત્યારે સંસારની નિર્ગુણતાનો ઉપાય પૂછતાં આવે એવા જ જીવોને યોગ્ય માનવા વગેરે કલ્પનાઓ અનાવશ્યક છે, એ સ્પષ્ટ છે. વળી, પાંચમા કે છઠ્ઠા-સાતમા ગુણઠાણાના પરિણામ સામા જીવને સ્પર્યા છે એનો નિર્ણય છદ્મસ્થ ગુરુ શી રીતે કરી શકે ? તેથી, ‘જીવ ભાવથી તે તે ગુણસ્થાનને સ્પર્શે છે ત્યારે નિશ્ચયથી ચૈત્યવન્દનસૂત્રનો અધિકારી બને છે. તેથી ગુરુ તેને તે સૂત્રનું પ્રદાન કરે છે... ’વગેરે વાતો પણ ઊભી રહી શકતી નથી. અલબત્ એ ગુણસ્થાનને સ્પર્શે ત્યારથી નિશ્ચયથી અધિકારી બને છે એ વાત સાચી. પણ ‘આ નિશ્ચયથી અધિકારી બન્યો છે’ આવું ગુરુ જાણે છે ને તેથી એને સૂત્રનું પ્રદાન કરે છે.’ આ વાત શી રીતે માની શકાય ? વસ્તુતઃ સૂત્રપ્રદાન ખુદ એક વ્યવહાર છે, તેથી એના માટે વ્યવહારથી અધિકારી જોવા આવશ્યક છે. જેઓ નિશ્ચયથી પણ અધિકારી બની ચૂક્યા છે તે તેઓની વિશેષ યોગ્યતા છે, પણ એ જોવી આવશ્યક જ છે એવું નથી. ।। ૧૩।। नन्वविधिनाऽपि चैत्यवन्दनाद्यनुष्ठाने तीर्थप्रवृत्तिरव्यवच्छिन्ना स्यात्, विधेरेवावेषणे तु द्वित्राणामेव विधिपराणां लाभात् क्रमेण तीर्थोच्छेदः स्यादिति तदनुच्छेदायाविध्यनुष्ठानमप्यादरणीयमित्याशङ्कायामाह- અવતરણિકાર્થ : (શંકાકારે નનુ શબ્દ દ્વારા શંકાનું ઉત્થાન કર્યું છે.) શંકા - અવિધિથી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન થતા હો તો પણ તીર્થપ્રવૃત્તિ અવિચ્છિન્ન રહેશે. વિધિને જ શોધવા બેસશો તો બે ત્રણ જ વિધિ તત્પર જીવો મળવાથી ક્રમે કરીને તીર્થોચ્છેદ થઈ જશે. એટલે તીર્થનો ઉચ્છેદ ન થઈ જાય એ માટે અવિધિઅનુષ્ઠાન પણ આદરવું જોઇએ... આવી શંકાને નજરમાં રાખીને ગ્રન્થકાર કહે છે – 174 યોગવિંશિકા...૧૩ - Page #192 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ શંકા - સ્થાનાદિયત્નાભાવવાળા જીવો સ્થાનાદિ ન જાળવે... એટલે કે અવિધિ સેવે. આવા જીવોને ચૈત્યવન્દનના અધિકારી કહ્યા, એટલે તેઓને ચૈત્યવન્દનાદિન આપવાથી તેઓતો ચૈત્યવન્દન કરશે નહીં. અને પંચમકાળના પ્રભાવે વિધિતત્પર ભાવુકો તો મળે તો પણ બે ત્રણ... વળી વધારે પડતા કાળમાં એટલા પણ નહીં મળે. એટલેકમશઃ એવો કાળ આવશે કે જિનોક્ત ક્યિા કરનારા કોઈ હશે જ નહીં... આનો મતલબ કે તીર્થ (શાસન) વિચ્છેદ પામ્યું. એટલે એના બદલે ભલે અવિધિ તો અવિધિ... પણ ચૈત્યવન્દનાદિ કરનારા તો મળે. ને તેથી તીર્થ તો આગળ ચાલે. માટે અવિધિવાળું અનુષ્ઠાન પણ આદરણીય છે. *(અર્થાત્ એવા જીવોને પણ ચૈત્યવન્દનાદિના અધિકારી માની સૂત્રપ્રદાન કરવું જોઇએ.) શંકાકારની આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે – तित्थस्सुच्छेयाइ वि नालंबणमित्थ जंस एमेव। सुत्तकिरियाइ नासो एसो असमंजसविहाणा॥१४॥ तित्थस्स इत्यादि । अत्र-अविध्यनुष्ठाने 'तीर्थोच्छेदाद्यपि नालम्बनं तीर्थानुच्छेदायाविध्यनुष्ठानमपि कर्तव्यमिति नालम्बनीयम्, यद्-यस्मात् एवमेव अविध्यनुष्ठाने कियमाणे एव असमञ्जसविधानात् = विहितान्यथाकरणादशुद्ध पारम्पर्यप्रवृत्त्या * “અહીં વિધિ કેવલ બાહ્ય આચરણાત્મક લેવી નથી. પરંતુ અંતરંગ ભાવથી સંવલિત એવી બાહ્ય આચરણાત્મક વિધિ લેવી છે.. વગેરે વિવેચન અસત્ જાણવું. અંતરંગભાવથી સંવલિત વિધિ હોય એ બેશક ઇચ્છનીય છે જ, પણ અહીં વાત માત્ર બાહ્ય વિધિની છે. કારણકે સૂત્રની વર્ણાનુપૂર્વી-ઉચ્ચારવિધિમુદ્રા વગેરે નિયત હોવાથી એના આદાન-પ્રદાન સંભવિત છે ને એના આધારે તીર્થનો ઉચ્છેદ-કે અનુચ્છેદ થાય છે. અંતરંગભાવમાં આમાંનું કશું જ નિયત હોતું નથી. તે પણ એટલા માટે કે અંતરંગભાવો શબ્દમાં ઉતારી શકાય એવા જ હોય એવો નિયમ નથી. તથા શબ્દોમાં ઉતરે એવા ભાવોમાં પણ એક જ વર્ણાનુપૂર્વીથી દરેકને એવા ભાવો વિકસે એ પણ નિયત નથી. માટે વર્ણાનુપૂર્વી નિયત નથી. એમ મુદ્રા વગેરેના અજાણ જીવને પણ અંતરંગભાવો સંભવિત છે. તેથી મુદ્રા પણ નિયત નથી. આમ અંતરંગભાવોમાં કશું નિયત ન હોવાથી એ અંગેનું માત્ર માર્ગદર્શન સંભવિત હોય છે, આદાન-પ્રદાનનહીં. વળી કોઇક બહારથી શુભભાવોનો માત્ર દેખાવ કરે, અંતરંગ એવા ભાવનહોય, ને સૂત્રોક્ત યિાવ્યવસ્થિત કરે તો તીર્થપ્રવૃત્તિતો અવ્યવચ્છિન્ન રહે જ છે, તીર્થવ્યવચ્છેદ કાંઈ થઈ જતો નથી. અંતરંગ અશુદ્ધભાવ કાંઈ દેખવાની વસ્તુ નથી કે જેથી બીજાઓ તે દેખીને તેવા અશુદ્ધભાવ ચલાવે ને તેથી તીર્થવ્યવચ્છેદ કહેવો પડે. એટલે જ ૧૪ મી ગાથામાં ક્રિયાના અસમંજસપણાથી સૂત્રક્રિયાનાનાશરૂપે જ તીર્થવ્યવચ્છેદ બતાવ્યો છે, અંતરંગભાવના અભાવના કારણે નહીં.) (તીર્થોછેદ આલંબન નથી 175) Page #193 -------------------------------------------------------------------------- ________________ सूत्रक्रियाया विनाश:, स एष तीर्थोच्छेदः । ગાથાર્થ : અહીં, તીર્થનો ઉચ્છેદ વગેરે પણ આલંબન નથી, કારણકે આ રીતે અસમંજસ કરવાથી સૂત્રક્રિયાનો જે નાશ થાય છે એ જ તે = તીર્થોચ્છેદ છે. વૃત્તિઅર્થ : અહીં = અવિધિઅનુષ્ઠાન કરવામાં 'તીર્થોચ્છેદ વગેરે પણ આલંબન નથી. અર્થાત ‘તીર્થનો ઉચ્છેદ ન થઈ જાય એ માટે અવિધિ અનુષ્ઠાન પણ કર્તવ્ય છે’ આવો બચાવ પણ યોગ્ય નથી, કારણ કે આવા બહાના હેઠળ અવિધિ અનુષ્ઠાન કરવામાં જ શાસ્ત્રવિહિત ક્રિયાને અન્યથા કરવારૂપ અસમંજસતાના કારણે અશુદ્ધપરંપરા પ્રવર્ત્તવાથી સૂત્રોક્તયિાનો તો વિનારા જ થઈ જાય છે, અને આ જ તો તીર્થોચ્છેદ છે. વિવેચન : (૧) ‘તીર્થોચ્છેદાદિ’ શબ્દમાં આદિ પદથી પૂર્વપક્ષી એ પણ કહેવા માગે છે કે ભલે અવિધિથી કરે છે, પણ કરે છે તો ચૈત્યવન્દન... એટલે એટલો કાળ એ પાપ ક્રિયાથી બચી ધર્મક્રિયા તો કરશે... તેથી પાપબંધથી બચી પુણ્યબંધ તો એને થશે... માટે પણ અવિધિથી પણ ચૈત્યવન્દન થતું હોય તો કરવું... ‘આદિ’ પદથી મળતા આવા બધા આલંબનોને પણ ગ્રન્થકાર તીર્થોચ્છેદના આલંબનની જેમ અમાન્ય કરે છે, કારણકે સૂત્રોક્ત ક્રિયાની અશુદ્ધ પરંપરા ચલાવવી એ પણ કાંઇ જેવું તેવું દુષ્કૃત નથી. (૨) અવિ શબ્દથી, ન્હાયા એટલું પુણ્ય... ન મામા કરતાં કાણો મામો સારો... આવા બધા ન્યાયે જેટલું કરશે એટલો તો લાભ થશે. આવું કારણ આપીને કોઇ અવિધિ અનુષ્ઠાનને કર્તવ્ય માને તો ગ્રન્થકાર કહે છે કે, આવા કારણે તો અવિધિ અનુષ્ઠાન માન્ય નથી, પણ તીર્થોચ્છેદાદિ કારણે પણ એ માન્ય નથી... અલબત્ આ વાત ઉત્સર્ગના વર્ણનરૂપ છે. વિધિ પ્રત્યેની ઉપેક્ષા કે સૂગના કારણે નહીં, પણ પુષ્ટ આલંબનરૂપ કહી શકાય એવી પરિસ્થિતિવશાત્ શાસ્ત્રોક્ત વિધિ કરતાં જે અન્યથા પ્રવૃત્તિ થાય (કે જે અપવાદ કહેવાય છે) તે અંગે તીર્થોચ્છેદાદિકોષ આપી શકાતા નથી, અને ત્યાં તો ‘ન મામા કરતાં કાણો મામો સારો’ વગેરે ન્યાય લાગુ પડે જ છે. ‘અવિધિથી કરવા કરતાં ન કરવું સારું” આવું બોલવું નહીં, એ પ્રમાણે અન્યત્ર જે નિષેધ કરાયો છે તે આવા અપવાદને નજરમાં રાખીને કરાયો છે. થોડુંક સત્ત્વ-અપ્રમાદ ફોરવવામાં આવે તો વિધિપ્રવૃત્તિ શક્ય હોય એવા કાળને આશ્રીને પ્રસ્તુત ઉત્સર્ગનું 176 યોગવિંશિકા....૧૪ Page #194 -------------------------------------------------------------------------- ________________ વર્ણન જાણવું પણ, જ્યારે વિધિ પ્રવૃત્તિ માટે ખૂબ ખૂબ સત્ત્વ આવશ્યક હોય, ને એવું સત્ત્વતો અત્યન્ત વિરલ એકાદ બે સાધકને જ સંભવિત હોય, વિધિરસિક એવાં પણ સાધકોના મોટા ભાગને એવું સત્ત્વ ફોરવવું શક્ય ન દેખાતું હોય તો, શક્ય સત્ત્વફુરણથી જેટલું વિધિપાલન શક્ય હોય એટલા વિધિપાલન દ્વારા પણ સાધકોની સાધના ચાલુ રહે એ જ્ઞાનીઓને ઇષ્ટ છે. એમાં સૂત્રક્રિયાવિનાશ-તીર્થોચ્છેદકોષ નથી. આ વાતનું સૂચન પણ વૃત્તિકારે ૧૬મી ગાથાની વૃત્તિના અંતભાગે ‘ગીતાર્થાથી નિરપેક્ષ વિધિ અભિમાની જેઓ ઇઠાનીતન વ્યવહારને છોડી દે છે. વિશુદ્ધ વ્યવહાર સ્થાપી શકતા નથી. તેઓ બીજ માત્રનો પણ ઉચ્છેદ કરનારા મહાદોષી બને છે વગેરે દ્વારા કર્યું છે. 'અવિધિથી કરવા કરતાં ન કરવું સારું આવા વચનનો નિષેધ કરવા પાછળ આવા અનુષ્ઠાનો પણ જ્ઞાનીઓની નજરમાં છે, એ જાણવું. (૩) એક જણ અવિધિ અનુષ્ઠાન કરે એટલે એને જોઈને બીજો પણ અવિધિ અનુષ્ઠાન કરે. વળી એને જોઈને ત્રીજો પણ અવિધિ અનુષ્ઠાન કરે.. કમશઃ અવિધિઅનુષ્ઠાનની જ પરંપરા ચાલે. યોગ્ય જીવો પણ એ અવિધિને જ વિધિ માની એરૂપે જ પ્રવૃત્ત થાય. કોઈ એકાદ બે જણ હજુ વિધિ કરનાર હોય તો પણ હવે બધા એ વિધિને જ અવિધિ માની તિલાંજલિ આપી છે. આ રીતે વિધિ અનુષ્ઠાનનો તો લોપ જ થઈ જાય. સૂત્રક્રિયાનો થતો આ વિનાશ જ તો તીર્થોચ્છેદ છે. न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधुसाध्वीश्रावकश्राविकासमुदायः। तथा चाविधिकरणे सूत्रक्रियाविनाशात्परमार्थतस्तीर्थविनाश एव, इति तीर्थोच्छेदालम्बनेनाविधिस्थापने लाभमिच्छतो मूलक्षतिरायातेत्यर्थः ॥ १४ ।। વૃત્તિઅર્થ: તીર્થના નામે પ્રસિદ્ધ થયેલો જનસમુદાય જ કાંઈ તીર્થ નથી, કારણકે આજ્ઞારહિત તેને તો હાડકાંના માળા જેવો કહ્યો છે. કિન્તુ સૂત્રમાં કહેલી યથોચિત ક્રિયાઓથી યુક્ત એવો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય એ જ તીર્થ છે. એટલે અવિધિ કરવામાં સૂત્રક્રિયાનો વિનાશ થતો હોવાથી પરમાર્થથી તીર્થવિનાશ જ છે. તેથી, તીર્થોચ્છેદના ઓથા હેઠળ અવિધિની સ્થાપના કરવામાં લાભની ઇચ્છા કરવા જતાં મૂળની જ હાનિ થવાનો પ્રસંગ આવ્યો. એ પ્રમાણે અર્થ જાણવો. વિવેચનઃ (૧) “જૈન” લેબલ મારી દે એટલા માત્રથી એ ચૂપ કે સમુદાય (શ્રીસંઘ હાડકાંનો માળો?) (177) Page #195 -------------------------------------------------------------------------- ________________ તીર્થ બની જાય એવું ન માની શકાય. આજકાલ આવા ઘણા ગુપ અસ્તિત્વમાં આવતા જાય છે. પણ તેઓને જિનવચનો સાથે કશું સનાન-સૂતક હોતું નથી. ઉપરથી ક્યારેક તો જિનાજ્ઞા પ્રત્યે ભારોભાર સૂગ હોય છે. આવો સમુદાય એ “તીર્થ નથી કે ‘સંઘ નથી. પણ હાડકાંનો માળો છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. જેઓ શાસ્ત્રસાપેક્ષ રહી સૂત્રમાં કહેલી યથોચિત ક્લિાઓ કરે છે તેવા સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાઓનો સમુદાય એ વાસ્તવિક તીર્થ છે. એટલે જેઓને સૂત્ર સાથે કશી લેવા દેવા નથી એવો જનસમુદાય ક્રિયાઓ કરશે તો પણ સ્વચ્છંદપણે વિધિની ઐસી તૈસી કરીને કરશે. તેથી સૂત્રક્રિયાનો વિનાશ થવાથીસૂત્રક્રિયાવિશિષ્ટ સમુદાય પણ નટકવાથી પરમાર્થથી તીર્થનો પણ વિનાશ જ થાય છે, પછી ભલે ક્યિાવિશિષ્ટ સમુદાય ઊભો હોય. આમ તીર્થોચ્છેદ ન થઈ જાય એવો લાભ ઇચ્છીને અવિધિનું વ્યવસ્થાપન કરનારને એ જ તીર્થોચ્છેદ થઈ જવા રૂપ મૂળક્ષતિ તો આવીને ઊભી જ રહી. માટે આવા બહાના હેઠળ પણ અવિધિ અનુષ્ઠાનને કર્તવ્ય માની ન શકાય. અહીં જનસમુદાયને હાડકાંના માળા જેવો કહ્યો એ પ્રસંગે કેટલીક આવશ્યક વાતો વિચારી લઇએ, જેથી શ્રી સંઘને હાડકાંનો માળો કહીને કેટલાક જીવો દુર્લભબોધિ બની રહ્યા છે તે અટકે. શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે – પંëિ સાહિં નવા ૯૪હનમિત્તા મેં પતિ... જીવો પાંચ કારણોએ કુર્લભબોધિપણાંનું કર્મ બાંધે છે. આમાં ચોથું કારણ બતાવનાર સૂત્ર અને તેની વૃત્તિ નીચે મુજબ છે चाउवन्नस्स समणसंघस्स अवन्नं वयमाणे। (वृत्तिः) तथा चत्वारो वर्णाः श्रमणादयो यस्मिन् स तथा, स एव स्वार्थिकाविधानाच्चातुर्वर्णः, तस्य सङ्घस्यावर्णं वदन् यथा, 'कोऽयं सङ्घः? यः समवायबलेन पशुसङ्घ इवामार्ग मार्गीकरोति' न चैतत्साधु, ज्ञानादिगुणसमुदायात्मकत्वात्तस्य, तेन च मार्गस्यैव मार्गीकरणादिति। | (સૂત્રાર્થ ) ચાતુર્વર્ણ શ્રી શ્રમણ સંઘનો અવર્ણવાદ બોલતો (જીવ દુર્લભબોધિપણાનું કર્મ બાંધે છે.) (વૃત્તિઅર્થ :) તથા, શ્રમણ વગેરે ચાર વર્ણ છે જેમાં એ (ચતુર્વર્ણ). એને જ સ્વાર્ષિક અણુ પ્રત્યય લાગવાથી ‘ચાતુર્વર્ણ એવો શબ્દ બન્યો છે. આવા ચાતુર્વર્ણ સંઘની નિંદા કરતો (જીવ દુર્લભબોધિપણું ઉપાર્જે છે. જેમકે, ‘આને સંઘ શું કહેશો ? જે સમુદાયના બળે પશુસંઘની જેમ માર્ગને (178) (યોગવિંશિકા...૧૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ માર્ગ કરે છે... ’ (પણ આવી નિંદા કરવી) એ યોગ્ય નથી. કારણકે સંઘ જ્ઞાનાકિગુણોના સમુદાય સ્વરૂપ છે, અને તેથી એ માર્ગને જ માર્ગરૂપે કરે છે, નહીં કે અમાર્ગને. (માટે એને પશુસંઘ વગેરે જેવો કહેવો એ એની નિંદા છે, દુર્લભબોધિપણાનું કારણ છે.) એ જ રીતે શ્રી દેવસૂરિ વિરચિત જીવાનુશાસનમાં શ્રી સંઘની નિન્દા કરનારને શ્રી સંઘનો પ્રત્યનીક = શત્રુ કહ્યો છે. ત્યાં જણાવ્યું છે કે – ‘“અમારી માન્યતાવાળા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય જ સંઘ છે, એ જ પૂજનીય છે. અમારા કરતાં ભિન્ન માન્યતાવાળા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય કાંઇ સંઘ નથી, કારણકે એમાં સંઘનાં લક્ષણનો અભાવ છે. એ બધા તો શિયાળ-કોલક વગેરે પશુસંઘ જેવા છે, એમના કાંઇ વંદન-બહુમાન વગેરે કરવાના હોય નહીં ’ આવું છદ્મસ્થો કહી રાકે નહીં, કારણકે જ્ઞાનીઓ આંતરિક પરિણામને મુખ્ય કરનારા છે. છદ્મસ્થ ‘“આના પરિણામ સાચા છે, આના ખોટા’ એવો નિર્ણય કરી શકે નહીં. છતાં કોઇ છદ્મસ્થ જો આ રીતે સાધુ વગેરે ચતુર્વિધ સંઘને (માત્ર માન્યતાભેદને કારણે) પશુસંઘ તુલ્ય કહે તો, એ સંઘનો નિંક છે, પ્રત્યનીક છે. શ્રી સ્થાનાંગસૂત્રના અધિકાર પર વિચાર કરીએ તો જણાય છે કે જેઓમાં જ્ઞાનાદિ ગુણો રહ્યા છે, તેવો સમુદાય (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) એ સંઘ છે અને એ સંઘ માર્ગને જ માર્ગરૂપે કરતો હોય છે, અમાર્ગને નહીં. અર્થાત્ એણે જે કર્યું હોય તે માર્ગરૂપ જ હોય છે, અમાર્ગરૂપ નહીં. વળી સંઘે કરેલા જે આચરણને ગ્રન્થકાર માર્ગ તરીકે જ સ્થાપે છે એને નિન્દક સ્વબુદ્ધિથી અમાર્ગરૂપે દેખે છે, અમાર્ગ તરીકે જાહેર કરે છે અને તેથી શ્રીસંઘને પશુસંઘ તરીકે ઓળખાવે છે, જેનો ગ્રન્થકાર નિષેધ કરે છે. એટલે વર્તમાનમાં પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના સમુદાયરૂપ શ્રી સંઘ શાસ્ત્રસાપેક્ષ જે આચરણ કરે છે તે, પોતે પોતાની (કઠાગ્રહગર્ભિત) બુદ્ધિથી શાસ્ત્રપંક્તિઓના જેવા અર્થ કરે છે તેને અનુરૂપ ન હોવા માત્રથી એ આચરણને શાસ્ત્રવિરુદ્ધ કહી - અમાર્ગરૂપ કહી શ્રીસંઘને પશુસંઘ-હાડકાંનો માળો વગેરે ગાળો ભાંડવી એ દુર્લભબોધિપણાનું કારણ છે એ સ્પષ્ટ છે. सूत्रक्रियाविनाशस्यैवाहितावहतां स्पष्टयन्नाह सो एस वंकओ चिय न य सयमयमारियाणमविसेसो । एयंपि भावियव्वं इह तित्थुच्छेयभीरुहिं ॥ १५ ॥ સૂત્રક્રિયાનાશની અહિતાવહતા 179 Page #197 -------------------------------------------------------------------------- ________________ सो एसति । स एष = सूत्रक्रियाविनाश: वक्र एव = तीर्थोच्छेदपर्यवसायितया दुरन्तदुःखफल एव । અવતરણિકાર્થ : સૂત્રક્રિયાવિનાશ કેટલો અહિતાવહ છે તેને સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ : તે આ (=સૂત્રક્રિયાવિનાશ) વર્ક જ છે. સ્વયં મૃત અને (કોઇથી) મારિતમાં અવિશેષ (=સમાનતા) નથી. આ વાતને પણ તીર્થોચ્છેદભીરુઓએ ભાવવી જોઇએ. વૃત્તિઅર્થ : તે આ સૂત્રક્રિયાનો વિનાશ વક્ર જ છે, અર્થાત્ એ તીર્થોચ્છેદમાં પરિણમતો હોવાથી દુરન્ત દુઃખ આપનાર જ છે. જે તીર્થોચ્છેદનું નિમિત્ત બને એનાથી ગાઢ મિથ્યાત્વ બંધાય છે જેના કારણે અપરિમિત સંસારનું ઉપાર્જન થાય છે. માટે એ દુરન્તદુઃખ આપનાર હોય જ એ સ્પષ્ટ છે. 'ननु शुद्धक्रियाया एव पक्षपाते क्रियमाणे शुद्धायास्तस्या अलाभाद् अशुद्धायाश्चानङ्गीकाराद् आनुश्रोतसिक्या वृत्त्याऽक्रियापरिणामस्य स्वत उपनिपातात्तीर्थोच्छेदः स्यादेव, यथाकथञ्चिदनुष्ठानावलम्बने च जैनक्रियाविशिष्टजनसमुदायरूपं तीर्थं न व्यवच्छिद्यते। `न च कर्तुरविधिक्रियया गुरोरुपदेशकस्य कश्चिद्दोषः, अक्रियाकर्तुस्तस्य स्वपरिणामाधीनप्रवृत्तिकत्वात्, केवलं क्रियाप्रवर्तनेन गुरोस्तीर्थव्यवहाररक्षणाद् गुण एव इत्याशङ्कायामाह - વૃત્તિઅર્થ : 'શંકા – શુદ્ઘક્રિયાનો જ પક્ષપાત કરવામાં, શુદ્ધક્રિયાનો લાભ ન હોવાથી અને અશુદ્ધક્રિયાનો અસ્વીકાર હોવાથી, આનુશ્રોતસિકી વૃત્તિથી અક્રિયાપરિણામ જ સ્વતઃ આવી પડવાના કારણે તીર્થોચ્છેદ થશે જ. જ્યારે યથાર્થંચિદ્ (ગમે તે રીતે કરાતા) અનુષ્ઠાનને પણ સ્વીકારવામાં આવે તો જૈનક્રિયાવિશિષ્ટ જનસમુદાયરૂપ તીર્થ વિચ્છેદ પામતું નથી. કર્તાની અવિધિક્રિયાથી ઉપદેશક ગુરુને કોઇ દોષ લાગતો નથી, કારણકે તે અક્રિયાકર્તા સ્વ પરિણામને આધીન પ્રવૃત્તિ કરનારો હોય છે. ગુરુને તો ક્રિયા પ્રવર્તાવવા દ્વારા તીર્થ વ્યવહારની રક્ષા થતી હોવાથી માત્ર લાભ જ છે. 180 વિવેચન : (૧) (શંકા) - શુદ્ધક્રિયા તો ખૂબ દુષ્કર છે. એટલે એ તો કોઇ યોગવિંશિકા ૧૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ કરી શકતું નથી. વળી, સ્થાનાદિને નહીં જાળવવા રૂ૫ અશુદ્ધિવાળી ક્રિયાને નિષ્ફળ વગેરે કહી તમે એનોતો સ્વીકાર કરતા નથી. માનુશ્રોતસિવૃત્તિતાના સુવરણીનતા... સુખશીલતા એ જીવોની આનુશ્રોતસિક વૃતિ છે. ક્રિયા કરવામાં કંઈક ને કંઈક પણ કાયક હોય છે જેને ટાળવા માટે જીવો તત્પર જ હોય છે. એટલે, શુદ્ધ કિયાનો જ આગ્રહ સેવવામાં જીવોને બહાનું મળી જશે કે શુદ્ધ અમે કરી શકતા નથી, અને અશુદ્ધ કરવાની તમેના પાડો છો... તો જાવ.. અમારે તો ક્યાં કશુંય કરવું જ છે. બસ... અમે કશું નહીં કરીએ...' આ રીતે અયિાપરિણામ જ આવી પડશે. અને તેથી જિનોક્તકિયાઓનું નામ-નિશાન પણ નહીં રહે. એના બદલે તમે વિધિનો આગ્રહન રાખો... માત્ર યિા કરવાનો ઉપદેશ આપો... તો જેણે જેમ કિયા કરવી હશે તેમ ભલે કરે.. પણ આ રીતે પણ જિનોક્ત ક્યિા કરનારાઓ તો ઊભા રહેશે. અને જેને નજરમાં રાખીને ‘આ તીર્થ છે” (‘આ સંઘ છે') એવો વ્યવહાર કરી શકાય એવો જૈન (જિનોક્ત) ક્રિયા વિશિષ્ટ જનસમુદાય તો ઊભો રહેશે. પ્રશ્ન: પણ તો પછી અવિધિથી ક્રિયા કરવાથી નિષ્ફળતાકે વિપરીતફલકતા રૂપ દોષ જે લાગશે તેનું શું? (૨) (શંકાકાર દ્વારા અપાતો) ઉત્તર : કર્તા અવિધિ કરે એનાથી ઉપદેશક ગુરુને કોઈ દોષ નથી. આશય એ છે કે ગુરુ કાંઇ સામા જીવને અવિધિ કરવાનું કહેતા નથી. માત્ર, વિધિનો આગ્રહ સેવવામાં સામો જીવ કશું કરશે નહીં, આ સંભાવનાને નજરમાં રાખી ક્રિયાનો ઉપદેશ આપે છે (જેમકે તમારે ચૈત્યવન્દન કરવું જોઇએ.) અને વિધિનું આગ્રહરહિતપણે માર્ગદર્શન આપે છે. (જેમકે ચૈત્યવન્દન આ રીતે કરવું જોઇએ.) આ સાંભળીને શ્રોતા સ્વયં વિચારે છે કે આ બધી વિધિ તો હું પાળી શકું એમ નથી, પણ જેટલું - જેવું મારાથી થાય એટલે એવું કરું. એટલે એ ચેત્યવન્દનાદિ યથાકથંચિત્ જે કરશે તે તો પોતાના જ તેના પરિણામને કારણે કરે છે, નહીં કે ગુરુએ યથાકથંચિત્ કરવાનું કહ્યું હોવાના કારણે. ટૂંકમાં, એ ચૈત્યવન્દનાદિ ક્યિામાં જે પ્રવૃત્ત થાય છે એ ગુરુનો ઉપદેશ મળવાથી... અને એમાં અવિધિ વગેરે જે ભેળવે છે તે પોતાના તેવા પરિણામના કારણે. એટલે ગુરુએ તો તીર્થનો વ્યવહાર ઊભો રહે એવી જ્યિા જ પ્રવર્તાવી હોવાથી, તેઓને માત્ર લાભ જ થાય છે, કોઇ દોષ લાગતો નથી. પૂર્વપક્ષીની આવી શંકાનું સમાધાન આપવા કહે છેમૃત-મારિતમાં ભેદ છે (181) 181 Page #199 -------------------------------------------------------------------------- ________________ न च स्वयं मृतमारितयोरविशेषः, किन्तु विशेष एव, स्वयं मृते स्वदुष्टाशयस्यानिमित्तत्वात् मारिते च मार्यमाणकर्मविपाकसमुपनिपातेऽपि स्वदुष्टाशयस्य निमित्तत्वात्, तद्वदिह स्वयमक्रियाप्रवृत्तं जीवमपेक्ष्य गुरोर्न दूषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेवलिनो वचनम् जह सरणमुवगयाणं जीवाण सिरो निकिंतए जो उ। एवं आयरियो वि हु उस्सुत्तं पण्णवेतो य॥ વૃત્તિ અર્થઃ સ્વયં મૃત અને મારિતમાં અવિશેષ નથી, પણ વિશેષ ( તફાવત) જ છે. (કોઈ) સ્વયં મરી જાય એમાં પોતાનો દુખાશય નિમિત્ત બનતો નથી, જ્યારે કોઈને) મારવામાં આવે તો તો મરનારજીવના કર્મનો વિપાક હોવા છતાં (મારનારનો) પોતાનો દુષ્ટઆશય એમાં નિમિત્ત બન્યો હોય છે. એમ અહીં સ્વયં અક્રિયામાં પ્રવૃત્ત થતા જીવની અપેક્ષાએ ગુરુને કોઇ દોષ લાગતો નથી. પણ ગુરુની અવિધિની પ્રરૂપણાનું આલંબન લઇને શ્રોતા અવિધિમાં પ્રવૃત્ત થાય તો તેનો (ગુરુનો) ઉન્માર્ગ પ્રવર્તાવવાનો પરિણામ હોવાથી અવશ્ય મહાદોષ લાગે જ છે. આ જ વાતને જણાવતું શ્રુતકેવલીનું વચન આવું છે - શરણે આવેલા જીવોના મસ્તકને જે છેદે છે (એ જેવું ક્રૂર-નિર્દય કાર્ય કરી રહ્યો છે, એવું જ) ઉસૂત્રની પ્રરૂપણા કરતાં આચાર્ય પણ કરી રહ્યા છે. વિવેચનઃ હત્યા થવાથી મરે કે એ વિનામરે... મરનારનો તથાવિધકર્મવિપાક તો એમાં ભાગ ભજવે જ છે. તેમ છતાં, હત્યા દ્વારા થતા મૃત્યુમાં હત્યારાનો દુષ્ટઆશય પણ કારણ બન્યો હોય છે જે સ્વયં મરનારના મૃત્યુમાં કારણ તરીકે હોતો નથી. એટલે મૃત અને મારિતમાં આ તફાવત સ્પષ્ટ છે. એમ જીવો પ્રમાદતત્પરતાના કારણે સ્વયં અવિધિમાં પ્રવૃત્ત થાય એમાં ગુરુનો કોઈ અશુભ આશય નિમિત્ત બનતો ન હોવાથી ગુરુને દોષ લાગતો નથી. પણ જીવો અનાદિકાળથી પ્રમાદતત્પર છે આ વાસ્તવિક્તાને જાણવા છતાં, ગુરૂ કિયાના ઉપદેશકાળે (“અવિધિ કરો” એવો સ્પષ્ટ શબ્દોમાં અવિધિનો ઉપદેશ આપતાં ન હોવા છતાં) જો અવિધિનો નિષેધ ન કરે અથવા કશું જ ન કરવું એના કરતાં તો ઓછું વજું પણ કરવું સારું....' વગેરે રૂપે ગર્ભિતરીતે અવિધિનું સમર્થન કરે... તો ગુરુને દોષ લાગે જ છે, કારણકે આવા (182) યોગવિંશિકા....૧૫] Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશશ્રવણથી શ્રોતાની જે અવિધિમાં પ્રવૃત્તિ થાય છે એમાં ગુરુનો આશય નિમિત્ત બને જ છે. આ જ વાતના સમર્થનમાં ગદ ... ગાથા બતાવી છે. શ્રોતા ગુરુના શરણે આવેલો જીવ છે. અવિધિથી અહિત થાય છે એવું જાણવા છતાં ગુરુશ્રોતાને એ વાત જણાવે નહીં... ને એના દ્વારા એને વિધિતત્પર ન બનાવે... ઉપરથી, શ્રોતાના દિલમાં – અવિધિ પણ કરી શકાય એવી પ્રતીતિ ઊભી થાય એ રીતે ઉપદેશ આપે તો શરણાગતના શિરચ્છેદ જેવું જ આ કાર્ય છે. ગોચરીના અવસરે એક મહાત્માએ બીજાને કહ્યું - ચાલો, ગોચરી જઇએ. બીજાએ ના પાડી. કિમ?” “મારે પચ્ચકખાણ છે...' પાછા એ ગોચરી વાપરવા તો આવ્યા જ. પેલા મહાત્મા પૂછે છે કે, કમ તમારે તો પચ્ચકખાણ હતું ને?' એટલે આ મહાત્મા જવાબ આપે છે કે.. કેમ? મારે હિંસાનું પચ્ચકખાણ નથી? એ હિસાબે મેં કહેલું...' હિંસાનું પચ્ચકખાણ હોવા છતાં અહીં મૃષાવાદનો દોષ બતાવ્યો છે, કારણકે શ્રોતાને પચ્ચખાણ તરીકે ઉપવાસના જ પચ્ચકખાણની પ્રતીતિ સંભવિત છે, જે ઉપવાસનું પચ્ચકખાણ વક્તાને છે નહીં. આના પરથી સૂચિત થાય છે કે સરેરાશ શ્રોતાને શું પ્રતીત થવાની સંભાવના છે એના પરથી જ મૃષા-અમૃષાનો નિર્ણય થાય છે, વક્તાનો આડો અવળો અભિપ્રાય અકિંચિકર છે. એટલે પ્રસ્તુતમાં, ગુરુ જાણે છે કે સરેરાશ શ્રોતાને આવા ઉપદેશથી અવિધિમાં જ પ્રવૃત્ત થવાની પ્રેરણા મળશે, તો એ સાક્ષાત્ અવિધિના ઉપદેશરૂપ ન હોવા છતાંફળતઃ અવિધિના ઉપદેશરૂપ જ છે, ને તેથી શરણાગતશિરચ્છેદતુલ્ય દોષ છે જ. न केवलमविधिप्ररूपणे दोषः, किन्त्वविधिप्ररूपणाभोगेऽविधिनिषेधासम्भवात् तदाशंसनानुमोदनापत्तेः फलतस्तत्प्रवर्तकत्वाद् दोष एव। तस्मात् ‘स्वयमेतेऽविधिप्रवृत्ताः, नात्रास्माकं दोषः, वयं हि क्रियामेवोपदिशामो न त्वविधिम्' एतावन्मात्रमपुष्टालम्बनमवलम्ब्य नोदासितव्यं परहितनिरतेन धर्माचार्येण, किन्तु सर्वोद्यमेनाविधिनिषेधेन विधावेव श्रोतारः प्रवर्तनीयाः, एवं हि ते मार्गे प्रवेशिताः, अन्यथा तून्मार्गप्रवेशनेन नाशिताः। વૃત્તિઅર્થ અવિધિની પ્રરૂપણા કરવામાં જ દોષ લાગે એવું નથી, અવિધિની પ્રરૂપણા કરવાનો અભિપ્રાય (માત્ર) હોય તો પણ એ વખતે અવિધિનો નિષેધ (ફળતઃ અવિધિ પ્રરૂપણા (183) Page #201 -------------------------------------------------------------------------- ________________ અસંભવિત બની જવાથી અવિધિની આશંસારૂપ અનુમોદના લાગવાની આપત્તિ આવતી હોવાથી ફળતઃ અવિધિની પ્રવર્તતા આવે જ છે ને તેથી દોષ લાગે જ છે. તેથી આ બધા સ્વયં અવિધિમાં પ્રવર્યા છે, આમાં અમારો કોઈ દોષ નથી. અમે તો ક્રિયાનો જ ઉપદેશ આપીએ છીએ, નહીં કે અવિધિનો...' આવા અપુષ્ટઆલંબનનું અવલંબન કરી પરહિતનિરત ધર્માચાર્ય (અવિધિના નિષેધમાં) ઉદાસીન ન બનવું જોઇએ, પણ સર્વ પ્રયત્નપૂર્વક અવિધિનો નિષેધ કરીને વિધિમાં જ શ્રોતાઓને પ્રવર્તાવવા જોઇએ. આ જ રીતે તેઓનો માર્ગમાં પ્રવેશ થાય છે, અન્યથા તો ઉન્માર્ગમાં પ્રવેશ કરાવવા દ્વારા તેઓનો નાશ જ થાય છે. વિવેચનઃ (૧) વિધિની પ્રધાનતાનદર્શાવનારા જે વચનોથી, સરેરાશ શ્રોતાને અવિધિવાળા અનુષ્ઠાનની પ્રેરણા મળશે એવા ઉપદેશવચનોમાં (સ્વરૂપતઃ અવિધિની ઉપેક્ષાનો અભિપ્રાય રહ્યો હોય તો પણ) ફળતઃ અવિધિની પ્રરૂપણાનો જ અભિપ્રાય રહ્યો છે, એ આગળ આવી ગયું, (પછી ભલે ને ઉપરછલ્લો મારો કાંઈ અવિધિની પ્રરૂપણા કરવાનો અભિપ્રાય નહોતો એવો બચાવ મનમાં હોય.) આવો *અવિધિની પ્રરૂપણા કરવા વગેરેનો અભિપ્રાય હોય એટલે એનો નિષેધ કરવાની તો કોઈ શક્યતા જ રહેતી નથી. એટલે “ન નિષિદ્ધ મનુમતમ્” ન્યાયે ‘ભલે અવિધિ થતી એવી ઇચ્છારૂપ અનુમોદના ભળેલી જ રહે છે. એટલે ‘કરણ-કરાવણ-અનુમોદન... સરખા ફળ નીપજાવે...' ન્યાયે, કરાવણનું ( પ્રવર્તકત્વનું) જે ફળ મળવાનું હતું તે ફળ તો (અનુમોદના દ્વારા) મળી જ જતું હોવાથી ફળતઃ પ્રવર્તકત્વ છે જ. અથવા વિવેચનમાં પૂર્વે આવી ગયું તેમ, આ સાક્ષાત્ અવિધિના ઉપદેશરૂપ ન હોવા છતાં ફળતઃ તેવું છે જ, માટે ફળતઃ પ્રવર્તત્વ છે જ. [આશય એ છે કે તમે અવિધિ કરો આવા ઉપદેશનું ફળ જેમ શ્રોતાઓ અવિધિમાં પ્રવૃત્ત થાય એ છે, અને તેથી એ વચન અવિધિનું પ્રવર્તક કહેવાય છે એમ, સાક્ષાત્ અવિધિના અપ્રદર્શક એવા પણ અધિકૃત ગુરુવચનના ફળરૂપે (પરિણામે) શ્રોતા અવિધિમાં પ્રવર્તવાનો જ છે, માટે એમાં ફળતઃ અવિધિનું પ્રવર્તકત્વ છે.] (૨) આમ અવિધિનો પ્રયત્નપૂર્વક નિષેધનકરવામાં આવે તો ગુરુ દોષપાત્ર બને જ છે, માટે “અવિધિમાં તો આ બધા સ્વયં પ્રવર્તે છે, એમાં અમારો કોઈ દોષ *અન્ય વિવેચનકારે ટીકાર્યમાં વિધિપ્રરૂપણાના આભોગમાં પણ... 'તથા વિવેચનમાં ... અને વિધિની પ્રરૂપણાના ઉપયોગવાળાં હોય તો પણ....'આવો અર્થ શા માટે ક્યું છે તે સમજાય એવું નથી. યોગવિંશિકા.....૧૫ 184 Page #202 -------------------------------------------------------------------------- ________________ નથી. અમે તો ક્રિયાની જ પ્રેરણા કરીએ છીએ, અવિધિની નહીં...' આવો લૂલોપાંગળો બચાવ કરી અવિધિનાનિષેધમાં ઉદાસીનતા સેવવી એ પરહિતતત્પરધર્માચાર્ય માટે યોગ્ય નથી. જેમ, માનવભવ-પ્રભુશાસન પામ્યા પછી પણ યોગ્યજીવો ધર્માનુષ્ઠાનોને આદરે નહીં ને પ્રમાદતત્પર રહેતા હોય તો એની પ્રમાદિતત્પરતાને ખંખેરવામાં ધર્માચાર્ય પોતાનો પૂરો પ્રયત્ન કરે છે, પણ ઉદાસીનતા દાખવતા નથી. કારણકે એવી ઉદાસીનતા દાખવવામાં એમનું પરહિતનિરતત્વ (બીજાનું હિત કરવામાં સદા રત રહેવાપણાનું) સ્વરૂપ જ ઊભું ન રહી શકે, એમ યોગ્ય શ્રોતાઓની અવિધિતત્પરતાને ખંખેરવામાં પણ ધર્માચાર્યે ઉદ્યમશીલ બનવું જ જોઇએ, તો જ એમનું પરહિતનિરતત્વ સ્વરૂપ જળવાઇ રહે. (૩) અહીં સર્વઉદ્યમ તરીકે અનુષ્ઠાનમાં અવિધિ શી શી રીતે પેસે છે? એનાં શું શું નુકશાન થાય? એને શી રીતે ટાળી શકાય? વિધિ શી શી જાળવવાની હોય? એ શી રીતે જાળવી શકાય? એના શું શું લાભ? વગેરેની વારંવાર સમજાવટ વગેરે લેવું. જેથી એના દિલમાં અવિધિની ત્યાજ્યતાનો ને વિધિની જાળવણીનો જડબેસલાક પક્ષપાત ઊભો થઈ જાય. વિધિયુક્ત ક્રિયા એ માર્ગ છે... ને જીવોને આ રીતે જ આ માર્ગમાં પ્રવેશાવી શકાય છે. આમાં જો ઉપેક્ષા સેવી તો અવિધિયુક્ત ક્રિયા કે જે ઉન્માર્ગ છે એમાં જ શ્રોતા પ્રવેશી જાય ને તેથી આત્મહિતથી ક્યાંય ના ક્યાંય દૂર ફેંકાઈ જવારૂપ એનો નાશ થઈ જ જાય. ___ 'एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः, विधिव्यवस्थापनेनैव ह्येकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपटहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति। વૃત્તિઅર્થ: 'તીર્થોચ્છેદભીરુ જીવોએ આ પણ વિચારવું જોઇએ કે વિધિવ્યવસ્થાપનથી જ એક પણ જીવને સમ્યગુ બોધિલાભ થવા પર ચૌદરાજલોકમાં અમારી પડહ વાગવાથી તીર્થોન્નતિ થાય છે. અવિધિની સ્થાપના કરવામાં તો આનાથી ઉલટું થતું હોવાથી તીર્થોચ્છેદ જ છે. વિવેચનઃ (૧) અવિધિવ્યવસ્થાપન કરવામાં તીર્થોચ્છેદપર્યવસાન હોવાથી દુરન્તફળતા છે, ઉપદેશકને શ્રોતાને ઉન્માર્ગમાં પ્રવેશ કરાવવાનો દોષ છે... આ બે વાતો કહી... વળી તીર્થોચ્છેદભીરુ વિદ્વાનોએ (તીર્થોચ્છેદ થઈ જવાના ભયથી વિધિસ્થાપનથી જ તીર્થોત્રતિ ) (185) Page #203 -------------------------------------------------------------------------- ________________ અવિધિને ચલાવી લેવાના અભિપ્રાયવાળા અને અવિધિપૂર્ણ અનુષ્ઠાન કરનારા જીવોની વૃદ્ધિ થવામાં તીર્થોન્નતિ માનનારા વિદ્વાનોએ) આ બે વાતો ઉપરાંત આ પણ વિચારવું જોઇએ કે વિધિની સ્થાપના કરવાથી જ તીર્થોન્નતિ થાય છે, અવિધિની સ્થાપના કરવામાં તો તીર્થોચ્છેદ જ થાય છે. જ (૨) વિધિની સ્થાપના ભારપૂર્વક કરવાથી શ્રોતાનો માર્ગમાં પ્રવેશ થાય છે એ કહ્યું. માર્ગપ્રવેશ થવાથી અપુનર્બન્ધકવગેરે જીવો ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનના પ્રભાવે પ્રગતિ સાધી ક્રમશઃ સમ્યક્ત્વ-દેશવિરતિ... સર્વવિરતિ પામે છે. સમ્યક્ત્વ પામવા પર સર્વજીવોને અભયદાન આપવાની રુચિ અને પક્ષપાત ઊભા થાય છે, તેમજ સર્વવિરતિ પામવા પર સર્વજીવોને અભયદાનની ઘોષણા થાય છે. એટલે કહેવાય છે કે એકપણ જીવને સમ્યગ્ બોધિલાભ થવા પર સંપૂર્ણલોકમાં અમારી પડહ વાગે છે. અવધિજ્ઞાની મહર્ષિ શ્રી ધર્મદાસગણી મહારાજે ઉપદેશમાળામાં કહ્યું છે કે – सयलम्म वि जीवलोए तेण इहं घोसिओ अमाघाओ । इक्कंपि जो दुहत्तं सम्मं बोहेइ जिणवयणे ॥ અર્થ : એક પણ દુઃખાતે જીવને જે જિનવચનોનો સમ્યગ્ બોધ આપે છે તે ઉપદેશકે સકળ જીવલોકમાં અમારી ઘોષણા કરાવી છે. આ જ તો તીર્થોન્નતિ છે, કારણકે તીર્થમાં = શાસનમાં સાધુ-સાધ્વીને અહિંસા મહાવ્રતની રક્ષા માટે બાકીના મહાવ્રતો છે, એમ શ્રાવક-શ્રાવિકાને અહિંસા અણુવ્રત માટે બાકીના અણુવ્રતો છે. અર્થાત્ અહિંસાની પ્રધાનતા છે. એટલે અહિંસામાં વૃદ્ધિ થાય એ જ તીર્થોન્નતિ છે એમ અહીં કહ્યું છે. એની સામે, અવિધિની સ્થાપના કરવામાં યોગ્ય શ્રોતા પણ માર્ગપ્રવેશ પામી શકતો નથી, ઉન્માર્ગપ્રવેશ પામી તીર્થથી ક્યાંય દૂર ફેંકાય જાય છે, તથા ઉપદેશકગુરુને પણ દુરન્તદુઃ ખાત્મક ફળ મળે છે એનો અર્થ તેઓ પણ તીર્થથી દૂર થઈ જાય છે. એટલે તીર્થની હાનિ થઈ જ, જે ક્રમશઃ તીર્થોચ્છેદમાં પરિણમે છે. 'यस्तु श्रोता विधिशास्त्रश्रवणकालेऽपि न संवेगभागी तस्य धर्मश्रावणेऽपि महादोष एव, तथा चोक्तं ग्रन्थकृतैव षोडशके 186 ય: જીવન (જીવવિ) સિદ્ધાન્ત વિષયપિપાસાતિત: પાપ: I प्राप्नोति न संवेगं तदापि यः सोऽचिकित्स्य' इति ॥ યોગવિંશિકા....૧૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ नैवंविधस्य शस्तं मण्डल्युपवेशनप्रदानमपि। कुर्वनेतद् गुरुरपि तदधिकदोषोऽवगन्तव्यः ।।(षोड. १०/१४/१५) मण्डल्युपवेशनं = "सिद्धान्तदानेऽर्थमण्डल्युपवेशनम्। 'तदधिकदोषः = अयोग्यश्रोतुरधिकदोषः, पापकर्तुरपेक्षया तत्कारयितुर्महादोषत्वात्। વૃત્તિઅર્થ: જે શ્રોતા વિધિ જણાવનાર શાસ્ત્રના શ્રવણ વખતે પણ સંવેગવાળો ન થાય = વિધિપાલનના મનોરથ-ઉલ્લાસવાળો ન બને, તેને ધર્મ સંભળાવવામાં પણ મોટો દોષ જ લાગે છે. ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જ ષોડશકજી (૧૦/૧૪-૧૫)માં કહ્યું છે કે – સિદ્ધાન્તને સાંભળતી વખતે પણ વિષયપિપાસાના અતિરેકથી જે પાપી શ્રોતા સંવેગ પામતો નથી તે અચિકિત્સ્ય છે એમ જાણવું. આવાજીવને માંડલીમાં બેસવા દેવો એ પણ યોગ્ય નથી. (એવા જીવને પણ) માંડલીમાં બેસવા દેતા ગુરુ પણ તેના કરતાં અધિક દોષ પાત્ર બને છે એ જાણવું. અહીં માંડલીમાં ઉપવેશન જે કહ્યું તે સિદ્ધાન્ત આપવા માટે અર્થમાંડલીમાં ઉપવેશન સમજવું. શ્રોતાને અયોગ્ય જાણવા છતાં ગુરુજો એને અર્થમાંડલીમાં બેસવા દે તો ગુરુને એ શ્રોતા કરતાં પણ અધિક દોષ લાગે છે, કારણકે પાપ કરનારની અપેક્ષાએ તેની પાસે પાપ કરાવનાર જે હોય તે મહાદોષવાળો છે. વિવેચનઃ (૧) “પ્રયત્નપૂર્વક અવિધિનો નિષેધ કરી વિધિનું વ્યવસ્થાપન કરવું” આવું ગ્રન્થકારે જે જણાવ્યું એના પર કદાચ કોઈ પ્રશ્ન કરે કે “પણ શ્રોતાને વિધિશ્રવણનો કોઇ રસ જ ન હોય – ઉપરથી કંટાળો હોય તો વિધિની સ્થાપના શી રીતે કરવી?” તો આવા પ્રશ્નનો ઉત્તર આપવા હવેનો અધિકાર છે. આ પ્રશ્નનો ઉત્તર આ છે કે આવો શ્રોતા શાસ્ત્રશ્રવણનો અધિકારી જ નથી. માટે એને તો શાસ્ત્ર જ સંભળાવવાનું નથી. પછી વિધિસ્થાપનાનો પ્રશ્ન જ રહેતો નથી. (૨) ષોડશકજીમાં ‘ય જીવનું' આ બે શબ્દોના સ્થાને “વત્ર’ એવા શબ્દો છે, ને એયોગ્ય છે. કારણકે ઉત્તરાર્ધમાંય છે જ તો પૂર્વાર્ધમાં એ બિનજરૂરી છે. પુષ્કરાવર્ત મેઘ વરસવા છતાં જે ભીંજાતો નથી એ મગરોલિયો પત્થર છે, એ અયોગ્ય છે... દિલને શુભભાવોથી-સદનુષ્ઠાનના મનોરથોથી... સંવેગ-વૈરાગ્યથી ભીનું ભીનું કરવા માટે જિનવચનો એ પુષ્પરાવર્તમેઘ સમાન છે... એટલે આ વૃષ્ટિ થવા છતાં જેનું દિલ ભીંજાતું નથી એ જીવ અયોગ્ય છે. અસંવેગીને ધર્મ પણ ન સંભળાવાયો (187 Page #205 -------------------------------------------------------------------------- ________________ (૩) ભવરોગ માટે જિનવચનો ઔષધ સમાન છે. વચનૌષધપ્રયોગને જે યોગ્ય હોય તે ચિકિત્સ્ય. પણ સંવેગ નહીં પામનાર આ જીવ અયોગ્ય છે એ જણાવવા એને અચિકિત્સ્ય કહ્યો છે. (૪) ‘મંડલી ઉપલેશન’ નો વૃત્તિકારે ‘સિદ્ધાન્ત આપવામાં અર્થમાંડલીમાં બેસાડવો’ આવો અર્થ કર્યો છે. આમાં, ‘સૂત્રમાંડલીમાં બેસાડવો’ એવો અર્થ એટલા માટે નથી કર્યો કે ‘‘સૂત્રમાંડલી પૂર્વે તો સૂત્રાત્મક કોઇ જિનવચન શ્રવણ કરાવ્યું નથી... સૂત્રપ્રદાન એ જ તો પ્રથમ પ્રસંગ છે. એટલે એ પ્રદાન કરે... એ વખતે જો શ્રોતા સંવેગવાળો ન બને તો પછી અર્થમાંડલીમાં એને ન બેસાડે... અર્થાત્ એને અર્થપ્રદાન ન કરે.’’ અહીં એ સમજવું કે ગુરુ સૂત્રપ્રદાન કાળે સૂત્રોચ્ચાર એવી રીતે કરતા હોય છે કે અમંદક્ષયોપશમવાળા શ્રોતાને કંઇક ને કંઇક અર્થબોધ એ જ વખતે થતો જાય છે. બહુ મંદ ક્ષયોપરામવાળા શ્રોતાને સૂત્રની સાથે સાથે સામાન્ય અર્થશબ્દાર્થ પણ કહેતા જાય. આનાથી જો એને સંવેગ જાગે તો એ યોગ્ય હોવાથી એને અર્થમાંડલીમાં બેસાડે... અર્થાત્ એને અર્થ = અનુયોગ = ચાલના-પ્રત્યવસ્થાન સુધીના છએ અંગવાળી વ્યાખ્યા આપે... કે પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યાર્થઐકંપર્યાર્થ આપે. એટલે આવો વિશેષ અર્થ આપવાની યોગ્યતા કે અયોગ્યતાનો નિર્ણય સામાન્ય અર્થ બોધ થતો જાય એવા સૂત્રપ્રદાનકાળે શ્રોતા સંવેગવાળો બને છે કે નહીં ? એના પરથી થાય છે. પણ સૂત્રપ્રદાન પૂર્વે તો એ નિર્ણય કરવાની કોઇ પરીક્ષા છે નહીં, માટે સૂત્રમાંડલીમાં બેસાડવા ન બેસાડવાનો પ્રશ્ન રહેતો નથી.* (૫) તવધિોષ:... શ્રોતાનો સંવેગાભાવ-અયોગ્યતા વગેરે જે દોષ છે તેના કરતાં ગુરુનો દોષ મોટો છે. અર્થાત્ (ગુરુમાં સંવેગનો અભાવ અયોગ્યતા વગેરે વધારે પ્રબળ છે આવો અહીં અર્થ નથી, પણ) અયોગ્યશ્રોતાને ધર્મશ્રવણ દ્વારા જે દોષ થાય (હવે ભવિષ્યમાં જે નુકશાન થાય) એના કરતાં એ ધર્મશ્રવણ કરાવનાર * ‘‘સૂત્રપ્રદાનમાત્રથી સંવેગ ઉત્થિત થઈ શકે નહિ. પરંતુ સૂત્રપ્રદાનને અર્થે સંસારની નિર્ગુણતા અને મોક્ષની સારભૂતતા બતાવીને એને જિજ્ઞાસુ બનાવવો પડે, અને જિજ્ઞાસુ જ સંવેગપૂર્વક સૂત્રનું ગ્રહણ કરે છે... વગેરે કલ્પના આવશ્યક નથી. સંસારની નિર્ગુણતા વગેરે બતાવવામાં આવે એનો કોઇ વાંધો નથી. પણ ‘સૂત્રપ્રદાન પૂર્વે એ બતાવવી જ પડે...’ વગેરે ગ્રન્થકારને માન્ય નથી. કેમકે જો એવું અભિપ્રેત હોત તો સંસારની નિર્ગુણતાના પ્રદર્શન વખતે શ્રોતાને સંવેગ જાગે છે કે નહીં એનો નિર્ણય થઈ શકે છે. અને એમાં જ જો નિર્ણય થઈ જાય કે સંવેગ જાગ્યો નથી, તો ગ્રન્થકાર સૂત્રમાંડલી ઉપવેશનનો જ નિષેધ કરી દેત. અર્થમાંડલીના નિષેધ સુધી પહોંચવાની જરૂર જ ન રહેત. 188 યોગવિંશિકા...૧૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુરુને અધિક દોષ થાય છે. (ભવિષ્યમાં મોટું નુકશાન થાય છે). આવો અહીં અર્થ જાણવો. ગુરુને અધિક નુકશાન થવામાં કારણ એ છે કે પાપ કરનારને જે પાપ લાગે એના કરતાં એના કરાવનારને વધારે પાપ લાગે છે. तस्माद्विधिश्रवणरसिकं श्रोतारमुद्दिश्य विधिप्रापणेनैव गुरुस्तीर्थव्यवस्थापको भवति, विधिप्रवृत्त्यैव च तीर्थमव्यवच्छिन्नं भवतीति सिद्धम् ॥ १५ ॥ વૃત્તિઅર્થ : તેથી વિધિશ્રવણરસિકશ્રોતાને ઉદ્દેશીને (વિધિપ્રરૂપણાદ્વારા) એને વિધિની પ્રાપ્તિ કરાવવા દ્વારા જ ગુરુ તીર્થના વ્યવસ્થાપક બને છે. અને વિધિપ્રવૃત્તિથી જ તીર્થ અવ્યવચ્છિન્ન બને છે એ સિદ્ધ થયું. વિવેચન : વિધિશ્રવણના અરસિક શ્રોતાને તો કશું સંભળાવવાનું જ નથી. એટલે ઉપદેશ જો આપવાનો છે તો એ વિધિરસિકશ્રોતાને જ આપવાનો છે. તેથી, એવા જીવને તો વિધિના નિરૂપણ દ્વારા વિધિમાં જોડવો શક્ય જ હોવાના કારણે એની આગળ વિધિપ્રરૂપણ આવશ્યક બને જ. એના દ્વારા જ ગુરુ તીર્થના વ્યવસ્થાપક બને છે. અને શિષ્ય પણ વિધિમાં પ્રવૃત્ત થાય તો ઉત્તરોત્તર વિધિમાર્ગનો વાહક બનવાથી તીર્થ અવિચ્છિન્ન રહે છે, એ સિદ્ધ થયું. ॥ ૧૫।। ननु किमेतावद्गूढार्थगवेषणया ? यद्बहुभिर्जनैः क्रियते तदेव कर्तव्यं, 'महाजनो येन गतः स पन्थाः' इति वचनात् । जीवव्यवहारस्यैवेदानीं बाहुल्येन प्रवृत्तेस्तस्यैवाऽऽ तीर्थकालभावित्वेन तीर्थव्यवस्थापकत्वाद् इत्याशङ्कायामाह અવતરણિકાર્થ : શંકા – આટલા બધા ગૂઢ અર્થ સુધી ઊંડા ઉતરવાની શી જરૂર છે ? જે ઘણાઓ વડે કરાય તે જ કર્તવ્ય છે. (અર્થાત્ ઘણા જે -જેવું કરતા હોય તે જોઇને સ્વયં પણ તે-તેવું કરવું.) કારણકે “જે રાહે મહાજન જાય તે જ માર્ગ છે’એ પ્રમાણે શાસ્ત્રવચન છે. વર્તમાનમાં ઘણીખરી પ્રવૃત્તિ જીતવ્યવહારને અનુસરીને ચાલતી હોવાથી જીતવ્યવહાર જ જ્યાં સુધી તીર્થ છે ત્યાં સુધી ચાલનારો હોવાના કારણે તીર્થનો વ્યવસ્થાપક છે. વિવેચન : (પૂર્વપક્ષીની શંકા ચાલે છે-) મહાજનને અનુસરવું એટલે જ પરંપરાને અનુસરવું... અને પરંપરાને અનુસરવું એ જ તો જીતવ્યવહાર છે. વળી, વર્તમાનમાં લગભગ બધી પ્રવૃત્તિઓ પરંપરાને નજરમાં રાખીને જ થાય છે. એટલે લોકસંજ્ઞા ત્યાજ્ય છે 189 Page #207 -------------------------------------------------------------------------- ________________ મુખ્યતયા જીતવ્યવહારની જ પ્રવૃત્તિ ચાલે છે. શ્રુતવ્યવહારની મુખ્યતા જ્યારે હોય ત્યારે સૂત્રોક્તવિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી જેમ તીર્થપ્રવૃત્તિ કહેવાય છે. તેમ જીતવ્યવહારની મુખ્યતા હોય ત્યારે જીતવ્યવહારથી (=પરંપરાથી) પ્રાપ્ત થયેલ વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી તીર્થપ્રવૃત્તિ કહેવાય છે. એટલે જીતવ્યવહારની મુખ્યતાવાળા આ કાળમાં જ્યાં સુધી તીર્થ રહેશે ત્યાં સુધી જીવ્યવહાર (પરંપરા) જ તીર્થવ્યવસ્થાપક રહેવાનો છે. માટે સૂત્રોક્ત વિધિ અંગે સૂક્ષ્મ ઊંડી ચર્ચાની કશી જરૂર નથી, ઘણા લોકો દ્વારા જેવું આચરણ થતું હોય એવું આચરણ કરે એટલે તીર્થની પ્રવૃતિ અવ્યવચ્છિન્ન... ને એવું ન કરો તો તીર્થનો વ્યવચ્છેદ. પૂર્વપક્ષીની આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે-- मुत्तूण लोगसन्नं उर्दूण य साहुसमयसब्भावं। सम्मं पयट्टियव्वं बुहेण मइनिउणबुद्धीए ॥१६॥ मुत्तूणत्ति। मुक्त्वा (लोकसंज्ञां) = लोक एव प्रमाणं' इत्येवंरूपां शास्त्रनिरपेक्षा मतिं उडूण यत्ति वोदा च साधुसमयसद्भावं = समीचीनसिद्धान्तरहस्यं सम्यग् = विधिनीत्या प्रवर्तितव्यं चैत्यवन्दनादौ बुधेन = पंडितेन अतिनिपुणबुद्ध्या = अतिशयितसूक्ष्मभावानुधाविन्या मत्या। ગાથાર્થ: લોકસંજ્ઞાને છોડીને અને સાધુસમયદ્વાવને અતિનિપુણબુદ્ધિથી ધારણ કરીને બુધપુરુષે સમ્યગૂ પ્રવર્તવું જોઇએ. વૃત્તિઅર્થ: ‘લોક જ પ્રમાણ છે. આવા પ્રકારની શાસ્ત્રનિરપેક્ષ મતિસ્વરૂપ લોકસંજ્ઞાને છોડીને અને સાધુસમયસભાવને = સમુચિત સિદ્ધાન્ત રહસ્યને, અતિનિપુણબુદ્ધિથી = અતિશયિત રીતે સૂક્ષ્મભાવો સુધી પહોંચી શકે એવી મતિથી પામીને પંડિતપુરુષે વિધિની નીતિથી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનમાં પ્રવર્તવું જોઇએ. વિવેચનઃ (૧) પૂર્વપક્ષીએ મેદાનનો ચેન તિ: મ પન્ચા:” આવું જે વચન આપેલું એ તો માન્ય જ છે. પણ એમાં “મહાજન’ શબ્દ જે રહેલો છે એનો અર્થ પૂર્વપક્ષીએ ઘણા લોકો કર્યો જે ખોટો છે. વસ્તુતઃ મહાજનનો અર્થવૃત્તિકાર આગળ બતાવશે કે “મહાજન એ છે જે શાસ્ત્રનીતિથી વર્તે. ઘણા લોકો પણ જો શાસ્ત્રનિરપેક્ષપણે વર્તતા હોયતોમહાજનનથી. અને છતાં તેઓએર્યું તે પ્રમાણ...” (190) યોગવિંશિકા...૧૬] Page #208 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ ‘તેઓ કરે તેમ આપણે પણ કરીશું’ આવી બુદ્ધિ જો ઘડવામાં આવે તો શાસ્ત્રનિરપેક્ષ વર્તનને પ્રમાણ તરીકે સ્વીકારાતું હોવાથી આ બુદ્ધિ શાસ્ત્રનિરપેક્ષ છે. અને તેથી આવી બુદ્ધિ એ લોકસંજ્ઞા છે. આવી શાસ્ત્રનિરપેક્ષમતિ-લોકસંજ્ઞા કેમ ત્યાજ્ય છે એ આગળ દર્શાવશે. જેમ શાસ્ત્રનિરપેક્ષબુદ્ધિ ત્યાજ્ય છે એમ શાસ્ત્રવચનોનો માત્ર શબ્દાર્થ પકડનારી બુદ્ધિ પણ ત્યાજ્ય જ છે, કારણકે એ પણ શાસ્ત્રવચનોનો રહસ્યાર્થ આપતી ન હોવાથી હિત-અહિતનો વિવેક કરવામાં અસમર્થ હોય છે. આવો યથાર્થ વિવેક એ સિદ્ધાન્તનો- શાસ્ત્રવચનોનો સમ્યગ્ રહસ્યાર્થ છે. શાસ્ત્રવચનોના સૂક્ષ્મ અર્થ સુધી અસ્ખલિત રીતે પહોંચનારી બુદ્ધિ એ અતિનિપુણબુદ્ધિ છે. એના દ્વારા ઉક્ત યથાર્થ વિવેકસ્વરૂપ યથાર્થ રહસ્યાર્થ પામી શકાય છે. આ વિવેકને સદા હૃદયમાં ધારી રાખવો જોઇએ જેથી તે તે અવસરે શું કર્તવ્ય છે ને શું અર્તવ્ય એ જણાયા જ કરે. આ વિવેક વિધિને ઉપાદેય ને અવિધિને હેય જણાવે છે. માટે પંડિત પુરુષે પોતાની અતિનિપુણબુદ્ધિ દ્વારા* સાધુસમયસદ્ધાવ ધારી વિધિપૂર્વક ચૈત્યવન્દનાદિમાં પ્રવર્તવું જોઇએ... એ વાત નિશ્ચિત થઈ. साधुसमयसद्भावश्चायम् लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥ १ ॥ ज्ञानसार २३-४॥ स्तोका आर्या अनार्येभ्यः स्तोका जैनाश्च तेष्वपि । सुश्राद्धास्तेष्वपि स्तोकाः स्तोकास्तेष्वपि सत्क्रियाः ॥ २॥ श्रेयोऽर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे च न । સ્તોના હિરત્નવનિ: સ્તોાથ સ્વાત્મશો (સા) થા: ॥ ૩॥ જ્ઞાન.૨૩/૬॥ વૃત્તિઅર્થ : (અતિનિપુણબુદ્ધિથી નિર્ણીત થતો) સાધુ સમયસતાવ આ છે- લોકોનું આલંબન લઇને ઘણાઓ વડે જે કરાયું હોય તેને જ જો કર્તવ્ય તરીકે સ્વીકારવાનું હોય તો મિથ્યાદષ્ટિઓનો ધર્મ ક્યારેય ત્યાજ્ય બને નહીં. (કારણકે મિથ્યાદષ્ટિઓ હંમેશા ઘણા હોય છે. અને તેઓની પ્રવૃત્તિ હંમેશા શાસ્ત્રનિરપેક્ષ હોય છે, તેમજ આત્માનું અહિત કરનાર હોય છે. એટલે લોક કરે તે પ્રમાણ’ નો અર્થ *અતિનિપુણબુદ્ધિ એ મુખ્યતયા સિદ્ધાન્તના સમ્યગ્ રહસ્યને ધારવાનું (એનો નિશ્ચય કરવાનું) સાધન છે, વિધિપ્રવર્તનનું નહીં એ જાણવું. સાધુ સમય સદ્ભાવ 191 Page #209 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રનિરપેક્ષપણે જે થયું હોય તે પ્રમાણ’ એવો થાય જે શાસ્ત્રનિરપેક્ષબુદ્ધિરૂપ છે એ સ્પષ્ટ છે. વળી એ અહિત કરનાર છે, માટે ત્યાજ્ય છે એ પણ સ્પષ્ટ છે જ.) ૧ (આ જ વાતનું આગળ સમર્થન કરે છે. ) અનાર્યો કરતાં આર્યો થોડા હોય છે. તેઓમાં પણ = આર્યોમાં પણ જૈન થોડા હોય છે. તેઓમાં પણ = જૈનોમાં પણ સુશ્રાદ્ધ = સારી શ્રદ્ધાવાળા થોડા હોય છે. અને તેઓમાં પણ = સુશ્રાદ્ધમાં પણ સયિા કરનારાઓ થોડા હોય છે. (એટલે લોકમાં ઘણા તો અસદ્ધિયા જ કરનારા હોવાથી એને અનુસરનારને પણ અસત્આક્રિયાની જ પ્રેરણા મળે. માટે લોકને અનુસરવાની બુદ્ધિ ત્યાજ્ય છે. ) । ૨।। લોકમાં અને લોકોત્તરશાસનમાં શ્રેયના અર્થીઓ ઘણા હોતા નથી. જેમકે લોકમાં રત્નના વેપારી થોડા હોય છે. લોકોત્તરશાસનમાં પોતાના આત્માનું શોધન કરનારા (અથવા સ્વઆત્માના સાધક) થોડા હોય છે. (શ્રેયના અર્થીઓ ઘણા હોત, તો ‘ઘણાએ કર્યું એ પ્રમાણ' એવી બુદ્ધિ ત્યાજ્ય ન બનત. ) १ एकोऽपि शास्त्रनीत्या यो वर्तते स महाजनः । किमज्ञसार्थै: शतमप्यन्धानां नैव पश्यति ॥ ४ ॥ 'यत्संविग्नजनाचीर्णं श्रुतवाक्यैरबाधितम् । तज्जीतं व्यवहाराख्यं पारम्पर्यविशुद्धिमत् ॥ ५ ॥ ३ यदाचीर्णमसंविग्नः श्रुतार्थानवलम्बिभिः । न जीतं व्यवहारस्तदन्धसन्ततिसम्भवम्॥ ६॥ (વૃત્તિઅર્થ :) (ઘણા લોકોનો સમુદાય એ મહાજન... એવી પૂર્વપક્ષીની કલ્પના હતી. એટલે વાસ્તવિક મહાજન કોણ ? એ હવે જણાવે છે. ) એક પણ જે શાસ્ત્રનીતિથી વર્તે છે તે મહાજન છે. અજ્ઞમાણસોના સમુદાયને શું કરવાનો ? આંધળાઓ સો ભેગા થાય તો પણ જોતા જ નથી. જે સંવિગ્ન પુરુષોએ આચરેલું હોય અને શ્રુતવાક્યોથી અબાધિત હોય તે જીત વ્યવહાર છે અને તે પારંપર્યસંપાદિત વિશુદ્ધિવાળો હોય છે. શ્રુતના અર્થનું આલંબન ન લેનારા અસંવિગ્નો વડે જે આચરાયેલું હોય તે અંધસન્તતિજન્ય આચરણ જીતવ્યવહાર નથી. વિવેચન : (૧) સ્વયં ન દેખી શકનારો બીજા દેખતા નરને અનુસરે તો યોગવિંશિકા.૧૬ 192 Page #210 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટસ્થળે પહોંચી શકે છે. હિતાહિતનો સ્વયં નિર્ણયનકરી શકનારો મહાજનને અનુસરે તો હિતપ્રાપ્તિ કરી શકે છે. માટે, હિતપ્રાપ્તિના ઉદ્દેશથી મરીનનો વેન તિ:.. ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. આંધળો બીજા અંધને જ અનુસરે તો કાંઇ ગન્તવ્ય સ્થળે પહોંચી શકે નહીં. એમ હિતાહિતનો નિર્ણય ન કરી શકનારો બીજા પણ એવાને જ અનુસરે તો હિતપ્રાપ્તિ કરી શકે નહીં. તેથી જેને અનુસરવાનું છે તે મહાજન તરીકે એ જ આવી શકે જે હિત-અહિતનો નિર્ણય કરી તદનુસાર વર્તતા હોય. આત્મા અતીન્દ્રિય હોવાથી એનાં હિત અને અહિતનો નિર્ણય શાસ્ત્ર વિના થઈ શકતો નથી. (માટે તો અતીન્દ્રિય પદાર્થમાં શાસ્ત્રને દીપકની ઉપમા આપી છે. પરલોકવિધિમાં શાસ્ત્ર જ પ્રમાણ તરીકે સ્વીકાર્ય હોય છે.) માટે શાસ્ત્રવચનને અનુસરીને વર્તનારો જ પોતાનું હિત કરી શકે છે. ને એને અનુસરનારો અન્ય પણ પોતાનું આત્મહિત કરી શકે છે. તેથી, ‘શાસ્ત્રનીતિથીવર્તનારો જે હોય તે મહાજન કહેવાય એવી અહીં વ્યાખ્યા આપી છે. લોકમાં ઘણાઓ જે પ્રવૃત્તિ કરે છે તે કાંઈ શાસ્ત્રવચનને અનુસરીને કરતા નથી. માટે ઘણા લોકોનો સમુદાય એ મહાજને એવું કહી શકાતું નથી, ને તેથી તેઓ કરે એમ ચૈત્યવન્દનાદિ કરવા એમ પણ કહી શકાતું નથી. સાવધાનઃ એક ચોક્કસ વર્ગ આ શાસ્ત્રવચનનો દુરુપયોગ કરી સ્વશ્રદ્ધાળુ મુધ જીવોને છેતરે છે એવું ઘણાને લાગે છે. જેમ પૂર્વપક્ષીએ ઘણાલોકોનો સમુદાય એ મહાજન, ને તેથી ઘણા કરે તેમ કરવું’ આવી ખોટી વાત પડી છે. એમ આ વર્ગ પણ, ‘એક હોય તે મહાજન, ને ઘણા હોય તે ટોળું. માટે ઘણા કહે તે ખોટું. ને અમે તો એકલા છીએ, માટે મહાજન છીએ, ને માટે અમે કહીએતે સાચું, તેને અનુસરો...' આવી ખોટી વાત પકડી છે. વસ્તુતઃ મહાજનપણું લાવવામાં બહુત્વની જેમ એકત્વ પણ પ્રયોજકનથી જ. શાસ્ત્રનીતિનું અનુસરણ એ જ પ્રયોજક છે. અર્થાતુશાસ્ત્રનીતિને અનુસરનાર એક હોય તો પણ મહાજન છે ને અનેક હોય તો પણ મહાજન છે. એટલે આ ચોક્કસ વર્ગ જે વૃન્દને નજરમાં રાખીને આ બધા તો ઘણા છે, ઘણાઓનું તો ટોળું હોય, બહુમતી મૂર્ખાઓની હોય.. 'વગેરે કહે છે તે વૃન્દમાં સંખ્યાબંધ ગીતાર્થો હોવાથી એ “મહાજન’ હોવામાં કશો જ વાંધો નથી. તથા અજાણ અને જાણકાર બન્નેનો મત સમાન રીતે લેવાનો હોય ત્યારે બહુમતી અજાણ વ્યક્તિઓની હોવાથી ‘બહુમતી મૂર્ખાઓની હોય એમ કહી શકાય. પણ, બધા જ જાણકારો ભેગા થયા હોય ત્યારે તો બહુમતીનો જ નિર્ણય સ્વીકાર્ય બને, કોઇ એકાદનો અભિપ્રાય તો જીતવ્યવહારની વિચારણા) (1939 Page #211 -------------------------------------------------------------------------- ________________ અનાભોગ-સ્વાર્થધતા વગેરેના કારણે ગલત હોવાની જ લગભગ શક્યતા હોય છે. એટલે નવાંગી ગુરુપૂજન અંગે લગભગ બધા ગીતાર્થોનો જો એક અભિપ્રાય છે તો એક વર્ગ એને જે કર્તવ્ય કહે છે તે ખોટું છે એ સ્પષ્ટ છે. આવું જ અન્ય બાબતોમાં પણ જાણવું. અસ્તુ. તમપ્યાનાં નૈવ પુણ્યતિ.. આ ઉત્તરાર્ધમાં પણ સ્થાન શબ્દ પડેલો છે એ જાણવું... સો ( ઘણા) હોય તેને જ જુએ એવો નિયમ નથી, પણ ઘણા આંધળા હોય તે ન જ જુએ એવો નિયમ છે. એમ ઘણા પણ જો શાસ્ત્રચક્ષુ વિનાના હોય તો આત્મહિતની દષ્ટિએ આંધળા જ છે, તે માટે તેઓ કરે એમ કરવું એ રીતે તેઓને અનુસરી શકાય નહીં. સામાન્યથી લોકમાં આવા જ અંધજનો હોય છે. માટે લોકનું આલંબન લઈ શકાય નહીં. એ જ (૨) પૂર્વપક્ષીએ લોકવ્યવહારરૂપ પરંપરાને જીતવ્યવહારરૂપે લઈને અને જીતવ્યવહાર જ તીર્થવ્યવસ્થાપક છે એમ કહીને લોકવ્યવહારને અનુસરવાનું કહેલું. એનું નિરાકરણ કરવા આ યત્સવિ... શ્લોક છે. સંવિગ્ન’ શબ્દના ઉપલક્ષણથી ‘ગીતાર્થ’ પણ લઈ લેવા. એટલે જે સંવિગ્નગીતાર્થો વડે આચરાયેલું હોય તે જીતવ્યવહાર છે. સંવિગ્નગીતાર્થો જે આચરે તે વ્યુતવાક્યોથી અબાધિત જ હોય એ પણ જાણવું (એટલે શ્લોકમાં આ કૃત... વગેરે જે વિશેષણ છે તે સ્વરૂપદર્શક વિશેષણ જાણવું, વ્યાવર્તક નહીં.) કારણકે જો વ્યુતવાક્યોથી બાધિત આચરણ કરે તો તેઓનું સંવિગ્નગીતાર્થપણું ઊભું જ ન રહે. શ્રીધર્મરત્ન પ્રકરણના વૃત્તિકારે “મૃતવાક્યોથી અબાધિત માં શ્રુતવાક્ય તરીકે કયા વાક્ય લેવા? એનું વિવેચન કર્યું છે. જે મૈથુનની જેમ સર્વથા નિષિદ્ધ નથી એ બધું મૃતવાક્યોથી અબાધિત બની શકે છે એ જાણવું. શ્રુતાનુસારી આચરણની જેમ જીતાનુસારી આચરણ પણ આત્માની શુદ્ધિ કરનાર છે. માટે બન્ને આચરણો વિશુદ્ધ છે. એમાંથી શ્રુતવ્યવહારરૂપ આચરણમાં જેમ વ્યુતપ્રયુક્ત વિશુદ્ધિ હોય છે એમ જીતવ્યવહારરૂપ આચરણમાં (ગીતાર્થ સંવિગ્નોની) પરંપરાપ્રયુક્ત વિશુદ્ધિ હોય છે એ જાણવું. આમ, વ્યુતવાક્યોથી અબાધિત-સંવિગ્નગીતાર્થોથી આચરાયેલી પરંપરા હોય તે જીતવ્યવહાર છે, એમ નિશ્ચિત થયું. (194) યોગવિંશિકા...૧૬] Page #212 -------------------------------------------------------------------------- ________________ આના પર થોડી વિચારણા કરીએ - સંવિગ્નગીતાર્થોનું જે આચરણ શ્રુતવાક્યોને અનુસરનારું હોય તે તો શ્રુતવ્યવહાર જ છે. એવા જ આચરણને જણાવવાની વિવક્ષા હોત તો જીતવ્યવહાર’ તરીકે અલગ વ્યવહાર દર્શાવવાની જરૂર જ ન રહેત. પણ એને અલગ-સ્વતન્ત્રવ્યવહાર તરીકે જણાવ્યો તો છે જ. માટે જણાય છે કે જીતવ્યવહાર તરીકે એવા આચરણો અભિપ્રેત છે જેનાં પ્રતિપાદક વચનો શાસ્ત્રોમાં મળતા ન હોય. આ જ કારણ છે કે અહીં, “જીત તરીકે અભિપ્રેત આચરણને મુતવાક્યાનુસારી’ નકહેતાં “મૃતવાક્યોથી અબાધિત’ કહ્યું છે. (એટલે ‘જીત’ તરીકે અભિપ્રેત આચરણ અંગે શાસ્ત્રવચનો મળી શકે નહીં એ સ્પષ્ટ છે, અને છતાં જ્ઞાનીઓએ એને માન્ય ક્યું છે. માટે નિશ્ચિત થાય છે કે “જીત’ તરીકે અભિપ્રેત આચરણ માટે શાસ્ત્રપાઠ હોય શકે નહીં, શાસ્ત્રપાઠ માગી શકાય નહીં, શાસ્ત્રપાઠન મળતો હોવા માત્રના કારણે એનો નિષેધ કરી શકાય નહીં, કે “એ શાસ્ત્રાનુસારી નથી, માટે એવી પરંપરા છોડી દેવી પડે, એવું આચરણ કરનારા વિરાધક છે વગેરે કહી શકાય નહીં.) વળી, ‘મૃતવાક્યથી અબાધિત’ એવું અહીં જે કહ્યું છે તેમાં શ્રુતવાક્ય તરીકે સામાન્યનિષેધક વચનો નથી લેવાના પણ મૈથુનનો સર્વથા નિષેધ કરનાર વચન જેવા સર્વથાનિષેધક વચન લેવાના છે એ વાત શ્રી ધર્મરત્નપ્રકરણમાં કહી છે. એટલે એ પણ જણાય છે કે સામાન્યથી શાસ્ત્રોમાં નિષેધ મળતો હોય એટલા માત્રથી પણ સંવિગ્ન ગીતાર્યોએ આચરેલી આચરણાને ‘વિરાધના રૂપે કહી છોડી શકાય નહીં. (અર્થાત્ એવી આચરણા અંગે, ‘જુઓ આ આ શાસ્ત્રોમાં આનો નિષેધ ર્યો છે, માટે આ આચરણા શાસ્ત્રવિરુદ્ધ છે, એને અપનાવી શકાય નહીં વગેરે કહી શકાય નહીં.) (આ અંગે વિશેષ સ્પષ્ટતા માટે કાત્રિ દ્વાર્કિંશિકા ના મેં કરેલા ભાવાનુવાદના પ્રથમભાગના પૃ. ૭૩ પરની ટીપ્પણ જોવી.) તથા, અત્યારે જીતવ્યવહારરૂપે જે આચરણાઓ મળે છે તેનો પ્રારંભ પૂર્વના સંવિગ્નગીતાર્થ મહાત્માઓએ જ્યારે પણ કર્યો હશે ત્યારે તેઓ પાસે તેવું આચરણ દર્શાવનારા કોઇપણ શાસ્ત્રપાઠ તો હશે નહીં, ઉપરથી ક્યારેક એનો (સામાન્યથી) નિષેધ કરનારા શાસ્ત્રવચનો પણ ઉપલબ્ધ હશે, અને તેમ છતાં તેઓએ દેશ-કાળ વગેરેને નજરમાં રાખીને એવી આચરણા કરીય ખરી, અને તત્કાલીન અન્ય (જીત વ્યવહારો (195) Page #213 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓએ એનો નિષેધ કરી એને અટકાવી’ય નહીં (કેમકે જો અટકાવી હોત તો તો એ ચાલત જ નહીં, અને અત્યારે મળત જ નહીં. ) (એટલે જ શ્રી ધર્મરત્ન પ્રકરણમાં, ‘સ્વમતિવિકલ્પિત દોષોથી એને અન્ય ગીતાર્થો દૂષિત ઠેરવતા નથી’ વગેરે કહ્યું છે.) વળી, એ આચરણા પ્રવર્તાવનાર ગીતાર્થો માટે એ આચરણા પરંપરાપ્રાપ્ત નહોતી, પણ તેઓ જ એને પ્રથમ પ્રવર્તાવનાર હતા, અને તેમ છતાં, એ જીતવ્યવહારરૂપે માન્ય બની જ છે. એ જ રીતે વર્તમાનમાં પણ દેશ-કાળ વગેરે પરિસ્થિતિને અનુસરીને વર્તમાન સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ ભેગા થઇને, જુની જે આચરણાઓમાં પરિવર્તન કરે કે નવી જે આચરણાઓ પ્રવર્તાવે એ પણ ‘જીતવ્યવહાર’રૂપ બની જ શકે છે, એ અંગે એમની પાસે શાસ્ત્રપાઠ માગી ન શકાય. એમ, ક્યાંક એનો સામાન્યથી નિષેધ હોય તો પણ એ શાસ્ત્રવચન દર્શાવીને કે આજ સુધી એના કરતાં અલગ પ્રકારની આચરણાની જે પરંપરા ચાલી હોય તે પરંપરા દર્શાવીને એ આચરણાને ‘વિરાધના’ રૂપ કહી ન શકાય. તે તે દેશ-કાળમાં આચરણીય શું? અને ત્યાજ્ય શું ? એના નિર્ણયમાં વૈતથ્ય લાવનાર રાગ દ્વેષને સંવિગ્નતા ટાળે છે અને અજ્ઞાનને ગીતાર્થતા ટાળે છે. (એકાદ ગીતાર્થનો નિર્ણય અનાભોગાદિવશાત્ વિતથ હોય શકે. માટે અહીં અનેક ગીતાર્થો ભેગા થઇને નિર્ણય લે એ જાણવું.) માટે જ સંવિગ્નગીતાર્થના વચનોને અવિકલ્પે તહત્તિ કરવાનું શાસ્ત્રકારોએ જણાવ્યું છે. તથા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પંચાશકજી (૧૨/૧૭)માં કહ્યું છે કે ‘‘આગમવિપરીત ઉપદેશરૂપ દ્રષિત ધ્રુવિપાકવાળું હોય છે - આવું જાણનાર સંવિગ્નગીતાર્થ અનુપદેશ દેતા નથી. તેથી તેમનાં વચનોનો તહત્તિ કહીને સ્વીકાર ન કરવો એ મિથ્યાત્વ છે. ’’ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સામાચારી પ્રકરણની ૩૩મી ગાથામાં આ પ્રમાણે કહ્યું છે કે ‘‘ગીતાર્થ મહાત્મા જ્ઞાનથી (વાસ્તવિકતાને) જાણે છે અને સંવેગના કારણે (જેવું જાણે છે) તેવું જ કહે છે. તેથી આ બન્ને ગુણથી યુક્ત એવા સંવિગ્નગીતાર્થ મહાત્માના વચનમાં અંતથાકાર અભિનિવેશથી જ હોય છે – અર્થાત્ એમના વચનનો અસ્વીકાર કરવો એ અભિનિવેશ છે. ’’વળી કમ્મપયડી વગેરે ગ્રન્થોમાં જણાવ્યું છે કે ‘ગુરુ પાસેથી એવી સમજણ મળી હોય વગેરે કારણે કોઇ અસત્યવાતની શ્રદ્ધા કરે તો પણ સમ્યકત્વ જળવાઈ રહે છે.’ 196 યોગવિંશિકા...૧૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ આ અધિકારોનો વિચાર કરીએ તો સ્પષ્ટ જણાય છે કે આત્મહિતના જિજ્ઞાસુને ‘ગુરુ તરીકે અભિપ્રેત મહાત્મા સંવિગ્ન (પાપભીરુ) અને ગીતાર્થ (શાસ્ત્રોના જાણકારી છે કે નહીં? આ જ તપાસવાનો અધિકાર છે, એકવાર આ નિર્ણય થઈ જાય, પછી તો તેમના વચનને તહત્તિ કરવામાં જ એનું આત્મહિત રહ્યું છે, એને અતહત્તિ (અસ્વીકાર) કરવામાં તો મિથ્યાત્વ-અભિનિવેશ નામનો મોટો દોષ લાગે છે. [વચનને તત્તિર્યાબાદ - આપ કઈ અપેક્ષાએ આમ કહો છો? એ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરવાની જરૂર અધિકાર છે. હા, એ જાણવા-સમજવાની પોતાની ભૂમિકા તો જોઇએ જ.]. દુનિયામાં પણ આ જ કાયદો જોવા મળે છે. ડૉક્ટર જાણકાર-અનુભવી છે એનો અને એ સ્વાર્થવશ ખોટીસલાહ આપે એવો નથી એનોજ દર્દીએ નિર્ણય કરવાનો હોય છે. એકવાર આ નિર્ણય થઈ જાય પછી ડૉક્ટર જ્યારે માર્ગદર્શન આપતા હોય - દવા પ્રીસ્ક્રાઇબ કરતા હોય ત્યારે ચિકિત્સાશાસ્ત્રનો પાઠ એમને શું કોઈ પૂછે છે? એટલે, અનેકગીતાર્થોએ ભેગા મળીને લીધેલા નિર્ણય અંગે પણ શાસ્ત્રપાઠ માગવાની કે એને વિરાધનારૂપે જાહેર કરવાની વૃત્તિ આત્મઘાતક છે એ સહુએ નોંધી લેવા ભલામણ છે. તે પા (૩) (લોના આલંબને ચાલેલી પરંપરા કેવી હોય તે જણાવે છે-) કૃતાર્થનું અવલંબન ન લેનારા અસંવિગ્નજનોથી જે આચરણ થયું હોય તે અંધપરંપરાજન્ય હોવાથી જીતવ્યવહારરૂપ નથી. જેઓ સંવિગ્ન હોય છે તેઓ જો સ્વયં ગીતાર્થ હોય તો સાક્ષાત્ બૃતાર્થઅવલંબી હોય છે અને સ્વયં અગીતાર્થ હોય તો ગીતાર્થનિશ્રા દ્વારાફળતઃ ભૃતાર્થ અવલંબી હોય છે એ જાણવું. કારણકે વાસ્તવિક સંવેગ પામેલા જીવો અપુનર્બન્ધતા તો પામી જ ચૂકેલા હોય ને તેથી ગીતાર્થનિશ્રાત્યાગરૂપ અનૌચિત્ય તેઓ આચરે નહીં. (અસંવિગ્નજનની પરંપરા એ અંધપરંપરા છે, સંવિગ્નજનની નહીં. એટલે અન્ય લગભગ બધા સમુદાયના ગીતાર્થોની એક સમાન આચરણાને પણ, પોતાની માન્યતાથી ભિન્ન હોવા માત્રના કારણે પરંપરા કે પપડા?” “અંધ પરંપરા’ વગેરે શબ્દો દ્વારા તિરસ્કાર કરનારો પોતાનું ઘોર અહિત કરી રહ્યો છે એ જાણવું) . જા. 'आकल्पव्यवहारार्थं श्रुतं न व्यवहारकम् । મૃતપણ વ્યવહારક છે જ] (197) Page #215 -------------------------------------------------------------------------- ________________ इतिवक्तुर्महत् तन्त्रे प्रायश्चित्तं प्रदर्शितम् ॥ ७॥ 'तस्माच्छुतानुसारेण विध्येकरसिकैर्जनैः। संविग्नजीतमालम्ब्यमित्याज्ञा पारमेश्वरी ॥८॥ વૃત્તિઅર્થ: 'જ્યાં સુધી કલ્પ = કૃતાક્ત આચાર = તીર્થ છે ત્યાં સુધી કૃત એ વ્યવહાર કરનારો નથી આવું બોલનારને તત્રમાં = શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે. [વસ્તુતઃ આશ્લોકનો અર્થ આવો સમજવો. (જીતને વ્યવહાર તરીકે માન્યછ્યું, એટલે કોઈ એમ કહે કે, ‘કલ્પ અને વ્યવહારસૂત્રમાં કહેલા અર્થ સુધીનું મૃત વ્યવહાર કરનારું નથી તો આવું બોલનારને મોટું પ્રાયશ્ચિત્ત આવે એમ શાસ્ત્રમાં દર્શાવ્યું છે. (કારણકે જે આચરણાઓ શ્રુતથી જુદી પડતી હોય એમાં જ જીતવ્યવહાર વ્યવહાર કરનાર છે, જે આચરણાઓ સ્પષ્ટ રીતે મૃતથી જુદી નથી, એમાં તો વ્યુતવ્યવહાર જ વ્યવહાર કરનાર છે. માટે જ કાત્રિશદ્રદ્ધાત્રિશિકાની ત્રીજી માર્ગબત્રીશીના પ્રથમ શ્લોકમાં શાસ્ત્ર અને જીત એ બન્નેને માર્ગ તરીકે કહ્યા છે, માત્ર જીતને નહીં).] માટે શ્રુતાનુસારે વિધિનો એક માત્ર રસ ધરાવનારા જીવોએ સંવિગ્નજીતનું આલંબન કરવું જોઈએ એવી પારમેશ્વરી આશા છે. વિવેચનઃ (૧) પૂર્વપક્ષીએ તીર્થની હયાતિ સુધી જીવ્યવહાર જ વ્યવસ્થાપક છે આવું જે કહેલું એનું નિરાકરણ કરવા આ શ્લોક કહ્યો છે. જેના આધારે કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય થાય એ વ્યવહારક કહેવાય. શ્રુત વ્યવહારક નથી એવું કહેનારને પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે એનો મતલબ જ શ્રુત પણ વ્યવહારક છે જ. દેશકાલાદિને નજરમાં રાખીને જેમાં સંવિગ્નગીતાર્થોએ ફેરફાર કરેલા છે તે આચરણોમાં જીત વ્યવહારક છે, ને પાંચ મહાવ્રત વગેરે જે બાબતોમાં ફેરફાર કરાયો નથી તેમાં શ્રુત વ્યવહારક છે. એમ વિભાગ જાણવો. છા (૨) શ્રુતાનુસાર = શાસ્ત્રવચનોના આલંબને વિધિનો પ્રચંડ રસ પેદા કરવો જોઇએ. આવા રસવાળા જીવોને જ સંવિગ્નજીત (અસંવિગ્ન પરંપરા તો નહીં જ) અવલંબન કરવા યોગ્ય છે. વિધિના રસવગરના જીવો તો જેટલી ઓછી વિધિ કરવી પડે એટલું કષ્ટ ઓછું વગેરે સુખશીલતા-પ્રમાદના કારણે પરંપરા અપનાવવા માગતા હોય છે. માટે તેઓ માટે પરંપરા અવલંબનીય નથી. વિધિરસિક જીવોને તો શ્રોક્ત વિધિ છોડવી હોતી નથી. પણ હીનસંઘયણાદિ પ્રબળ કારણે જ, સંવિગ્નગીતાર્થોએ 1989 યોગવિંશિકા....૧૬] Page #216 -------------------------------------------------------------------------- ________________ આચરેલા માર્ગરૂપ જીતને તેઓ અપનાવે છે. સંવિગ્નગીતાર્થોએ પણ તેવા કારણે જ તો તેવા આચરણને અપનાવ્યું હોય છે. માટે વિધિરસિકજીવો માટે જીતવ્યવહારનું આલંબન હિતકર નીવડે છે. તેથી તેઓ માટે એ અવલખ્યું છે. દ્રા (અતિનિપુણબુદ્ધિથી પ્રાપ્ત થતો આ સાધુસમયસર્ભાવ છે. એને ધ્યાનમાં રાખીને પંડિત પુરુષે સમ્ય પ્રવૃત્તિ કરવી.) 'ननु यद्येवं सर्वादरेण विधिपक्षपातः क्रियते तदा-- अविहिकया वरमकयं असूयवयणं भणति सव्वन्नू।। पायच्छित्तं जम्हा अकए गुरुयं कए लहु॥ इत्यादिवचनानां का गतिः? इति चेत् ? 'नैतानि वचनानि मूलत एवाविधिप्रवृत्तिविधायकानि, किन्तु विधिप्रवृत्तावप्यनाभोगादिनाऽविधिदोषश्छद्मस्थस्य भवतीति तद्भिया न क्रियात्यागो विधेयः । प्रथमाभ्यासे तथाविधज्ञानाभावाद् अन्यदापि वा प्रज्ञापनीयस्याविधिदोषो निरनुबन्ध इति तस्य तादृशानुष्ठानमपि न दोषाय, विधिबहुमानाद् गुर्वाज्ञायोगाच्च तस्य फलतो विधिरूपत्वाद् - इत्येतावन्मात्रप्रतिपादनपराणीति न कश्चिद् दोषः। વૃત્તિઅર્થ શંકા... આ રીતે જો સર્વ આદરથી વિધિનો પક્ષપાત કરો છો તો,- “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું આવું બોલવું એ અસૂત્ર = ઉસૂત્રવચન છે એમ સર્વજ્ઞો કહે છે. કારણકે ન કરવામાં ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે અને (અવિધિથી) કરવામાં લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે. '- આવું જણાવનારાં વચનોનું શું કરશો? સમાધાન -અવિદિયા... વગેરે વચનો મૂળથી અવિધિથી પ્રવૃત્તિ કરવી એવું વિધાન કરનારા નથી, પણ વિધિપૂર્વક કરાતી પ્રવૃત્તિમાં પણ છવાસ્થને અનાભોગાદિથી કંઈક ને કંઇક અવિધિ થઈ જવાનો દોષ લાગે છે. એટલે તે દોષના ભયથી ક્રિયાત્યાગ ન કરી દેવો. કારણકે પ્રથમ અભ્યાસમાં = અનભ્યસ્ત કાળમાં તેવું જ્ઞાન ન હોવાથી અને અન્યતા પણ = અભ્યસ્તકામાં પણ પ્રશાપનીય જીવનો અવિધિદોષ નિરનુબંધ છે. એટલે તેનું તેવું અનુષ્ઠાન પણ દોષકર નીવડતું નથી. વિધિનું બહુમાન હોવાથી અને ગુર્વાશાનો યોગ હોવાથી તે (=અવિધિવાળું અનુષ્ઠાન) ફળતઃ વિધિરૂપ જ નીવડે છે. માત્ર આવું જણાવનારા તે વચનો છે, માટે કોઈ દોષ નથી. વિવેચનઃ (૧) પૂર્વપક્ષઃ અવિધિથી કરવામાં આવે તો લઘુપ્રાયશ્ચિત્ત અવિધિ અંગે વિચારણા (199) Page #217 -------------------------------------------------------------------------- ________________ બતાવ્યું છે. ને ન જ કરવામાં ગુરુપ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. તેથી જણાય છે કે અકરણ કરતાં અવિધિકરણમાં દોષ ઓછો છે. ને તેથી જ ‘અવિધિથી કરવા કરતાં ન કરવું સારું એવું વચન શાસ્ત્રવિરુદ્ધ છે એમ જ્ઞાનીઓ કહે છે. આનો સ્પષ્ટ સૂચિતાર્થ છે કે બધી વિધિઓ જાળવવી શક્ય ન લાગતી હોય તો પણ અનુષ્ઠાન ન કરવા કરતાં તો જેવું થાય એવું પણ કરવું એ જ સારું છે - ન મામા કરતાં કાણો મામો સારો. જ્યારે તમે તો અત્યન્ત ભારપૂર્વક વિધિપક્ષપાત કરો છો. ચૈત્યવન્દનાદિમાં બધી વિધિ તો જાળવવી જ. અવિધિ કરવામાં મૃષાવાદાઢિ મહાદોષ છે. જેનો સૂચિતાર્થ એવો ભાસે છે કે અનુષ્ઠાતાને જો એવું લાગે કે ‘હું કાંઇ બધી વિધિ જાળવી શકું એમ નથી.’ તો એણે અનુષ્ઠાન કરવું જ નહીં, પણ અવિધિથી ન કરવું, કારણ કે અવિધિથી કરવામાં તો મહાદોષ છે. આમ પરસ્પર વિરોધ છે. (૨) ઉત્તરપક્ષ : ‘આપણને કાંઇ બધી જુદી જુદી વિવિધ વિધિ જાળવવાની ઝંઝટ ફાવે નહીં... તમે કહો તો, અમારા મનમાં આવશે એમ કરીએ અને કહો તો ન કરીએ..’ આવા અભિપ્રાયવાળાને ‘ભાઇ ! બધી વિધિ જાળવવાનો તને કંટાળો છે? કાંઇ નહીં, તને ફાવે એ રીતે ચૈત્યવન્દન કરજે, પણ કરજે, છોડતો નહીં...' આ રીતે પ્રથમથી જ અવિધિ ચલાવવાનો અભિપ્રાય અવિજ્ગ્યિા વગેરે વચનોનો નથી. તો ? આ વચનોનો અભિપ્રાય તો એ છે કે, પહેલેથી વિધિપાલનની હોંશ તો છે જ, ને એ રીતે જ પ્રારંભ કર્યો છે. પણ છદ્મસ્થતા છે. તેથી અનાભોગાદિના કારણે કંઇક ને કંઇક અવિધિ થઈ જ જાય છે. એટલે અનુષ્ઠાતાને (કે અન્યને) ‘આ તો અવિધિ થઈ જાય છે... આના કરતાં તો ન કરવું સારું. અવિધિનો દોષ તો ન લાગે...’ આ રીતે અવિધિના દોષના ભયથી એ કરવાનું જ માંડી વાળે... આવું ન થાય એ માટે આ વચનો જણાવે છે કે આ રીતે, અનુષ્ઠાન કરવાનું છોડી દેવું એના કરતાં તો ભલે થોડી અવિધિ થઈ જાય... છતાં કરવાનું તો રાખવું જ. એમાં જ દોષ ઓછો છે. કરવાનું છોડી દેવામાં તો મોટો દોષ છે. ટૂંકમાં, ‘વિધિ જાળવવી પડે એવું કાંઇ નહીં... અવિધિ પણ ચાલે... ફાવે એ રીતે કરવાનું.’ આવા અવિધિના-વિધિની પ્રધાનતાવગરના-જ પ્રણિધાનવાળા અનુષ્ઠાનનું એ વિધાયક નથી, પણ વિધિ પાલન કરતાં કરતાં કાંઇક અવિધિ થઈ જાય તો એટલા માત્રથી અનુષ્ઠાન છોડી ન દેવું... એવું જણાવવા માટે આ વચનો છે. 200 યોગવિંશિકા .૧ ૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૩) ‘“અનાભોગાદિના કારણે થતી અવિધિ વગેરેના ભયથી અનુષ્ઠાન ન છોડવું. એમ તમે કહ્યું. છતાં, એ અવિવિધ થવાના કારણે પૂર્વે જણાવ્યા મુજબ મહામૃષાવાદ વગેરે દોષ તો લાગશે જ ને... ને તો પછી તો એના કરતાં અનુષ્ઠાન જ ન કરવું એ જ શું સારું નહીં ?’’ આવી શંકાના સમાધાન માટે પ્રથમાભ્યાસે વગેરે અધિકાર છે. આરાય એ છે કે પ્રથમાભ્યાસ વગેરે કારણે લાગતો અવિધિ દોષ, પૂર્વે જે મહામૃષાવાદ વગેરે કહ્યા છે. એવો નથી, તથા આ રીતે અવિધિ ભળે તો પણ અવિધિનો અનુબંધ ચાલતો નથી... ને ઉપરથી વિધિના પ્રયત્નપૂર્વક જેમ જેમ અનુષ્ઠાન થતું જાય છે તેમ તેમ દોષ ક્ષીણ થતા જાય છે જે છેવટે લાભમાં જ પરિણમે છે. માટે અનુષ્ઠાન આદર્યા જ કરવું જોઇએ. પણ જેઓ વિધિરસિક નથી, ઉપરથી વિધિની ધરાર ઉપેક્ષાવાળા છે કે ક્યારેક વિધિની ભારે સૂગ ધરાવનારા હોય એવા બધા જીવો માટે અવિધિદોષ મહામૃષાવાદ વગેરે રૂપ છે. તથા સાનુબંધ છે. માટે પૂર્વપરવિરોધ વગેરે કોઇ દોષ રહેતો નથી. હવે પ્રથમાભ્યાસે વગેરે પંક્તિને અનુસરીને વિવેચન : પ્રથમ અભ્યાસકાળે એટલે હજુ ચૈત્યવન્દનાદિ તે તે અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે એવા કાળમાં વિધિનું તથાવિધ જ્ઞાન ન હોવાથી અવિધિ થઈ જાય તો એ ક્ષન્તવ્ય હોય છે. એમ અન્યઠા = અભ્યસ્તદશામાં-વિધિની જાણકારી વગેરે છે ત્યારે પણ અનાભોગાદિના કારણે અવિધિ થઈ જાય તો પણ એ અવિધિકરનાર જો પ્રજ્ઞાપનીય છે (અર્થાત્ એનો અવિધિ દોષ દર્શાવવામાં આવે તો એનો પશ્ચાત્તાપપૂર્વક સ્વીકાર કરનારો છે. ને તેથી પુનઃ અવિધિ ન થાય એવા મનોરથવાળો બને છે... પણ પોતાના અવિધિદોષનો આગ્રહપૂર્વક બચાવ કરનારો નથી. પોતે જે કર્યું છે તે બરાબર જ છે એનું ગમે તે સાચી-ખોટી દલીલબાજી દ્વારા પણ સમર્થન કરનારો નથી... એ પ્રજ્ઞાપનીય હેવાય) તો એનો અવિધિડોષ નિરનુબન્ધ છે. (અર્થાત્ અવિધિની પરંપરા ચલાવનારો નથી...) તેથી તેનું તેવું અવિધિયુક્ત અનુષ્ઠાન પણ (મહામૃષાવાદ વગેરે રૂપ) દોષકારક બનતું નથી, કારણકે વિધિ રસિક એવા તેને વિધિ પ્રત્યે બહુમાન હોવાથી અને ગુર્વાજ્ઞાનો યોગ હોવાથી એનું અનુષ્ઠાન ફળતઃ વિધિયુક્ત અનુષ્ઠાન તુલ્ય જ હોય છે. પચ્ચકખાણ અષ્ટના છેલ્લા શ્લોકમાં જણાવ્યું છે કે ‘આ અનુષ્ઠાન જિનોક્ત 201 ફળતઃ વિધિરૂપતા Page #219 -------------------------------------------------------------------------- ________________ છે’ એવી ભક્તિ અનુષ્ઠાનના દ્રવ્યપણાંને દૂર કરતી રહે છે. અનુષ્ઠાનમાં રહેલી ભૌતિક અપેક્ષા જેમ દ્રવ્યપણું છે એમ અવિધિ પણ દ્રવ્યપણું છે. એટલે અવિધિયુક્તઅનુષ્ઠાનમાં પણ ભળેલી સદ્ભક્તિ એની અવિધિને ક્રમશઃ દૂર કરતી રહે છે એ જણાય છે. વિધિ પ્રત્યેનું બહુમાન, ‘મારા ભગવાને આ વિધિ કહેલી છે’ એવી સદ્ભક્તિનું જ એક રૂપાંતર છે. તેથી વિધિરસિજીવના અનુષ્ઠાનમાં ભળેલી આ સદ્ભક્તિ એની અવિધિને ક્ષીણ કરતી રહે છે અને પરિણામે વિધિયુક્ત અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. માટે એ ફળતઃ વિધિરૂપ છે. તથા ગુર્વાજ્ઞાયોગ હોવાથી પણ અવિધિ હીયમાન હોય છે. પ્રજ્ઞાપનીયને ગુરુ એનો અવિધિદોષ દર્શાવે એટલે એ એનો સ્વીકાર કરી કંઇક ને કંઇક પણ એ દૂર કરવા પ્રયત્ન કરે જ. આમ અવિધિદોષ ઘસાતા ઘસાતા સંપૂર્ણ ક્ષીણ થાય છે. માટે આવું અવિધિવાળું અનુષ્ઠાન પણ ફળતઃ વિધિરૂપ છે. અપ્રજ્ઞાપનીય જીવને ગુરુ વગેરે કોઇક અવિધિ દર્શાવે તો પણ એ એનો સ્વીકાર વગેરે કરવાનો હોતો નથી. માટે એને ગુર્વાજ્ઞાયોગ જ હોતો નથી એમ કહેવાય. તથા એ અવિધિની પકડવાળો છે, માટે એને વિધિબહુમાન હોવું પણ માની શકાય એમ નથી. તેથી એ બહુમાનના પ્રભાવે દોષક્ષીણતા જે થવાની હતી તે પણ એને થતી નથી. માટે એ રીતે પણ એનું અનુષ્ઠાન ફળતઃ વિધિરૂપ બનતું નથી. તેથી ‘એનું અનુષ્ઠાન દોષરૂપ નથી’ એમ કહી ન શકાય. अवोचाम चाध्यात्मसारप्रकरणे अशुद्धापि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयात् । ताम्र रसानुवेधेन स्वर्णत्वमुपगच्छति ।। २-१६ ॥ વૃત્તિઅર્થ : અધ્યાત્મસારપ્રકરણમાં અમે (વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે) કહ્યું છે કે - અશુદ્ધ પણ ક્રિયા શુભ આશયના પ્રભાવે શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. જેમકે રસનો અનુવેધ થવાથી તાંબુ સુવર્ણ બને છે. [શુભઆશય એ સુવર્ણરસ (સુવર્ણ બનાવનાર રસ) તુલ્ય જાણવો. પ્રજ્ઞાપનીયજીવના વિધિબહુમાનાદિ એ શુભ આશય છે એ જાણવું, એ અશુદ્ધિને દૂર કરી શુદ્ધ ક્રિયા લાવી આપે છે.] यस्तु विध्यबहुमानादविधिक्रियामासेवते तत्कर्तुरपेक्षया विधिव्यवस्थापनरसिकस्तदकर्ताऽपि भव्य एव तदुक्तं योगदृष्टिसमुच्चये ग्रन्थकृतैव 202 યોગવિંશિકા...૧૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२९ ॥ વૃત્તિઅર્થ : જે જીવ વિધિપ્રત્યે બહુમાન ન હોવાથી અવિધિવાળી ક્રિયા કરે છે તે (જીવરૂપ) કર્તાની અપેક્ષાએ વિધિવ્યવસ્થાપનનો રસિક એવો ક્રિયાનો અકર્તા પણ સુંદર જ છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં સ્વયં ગ્રન્થકારે જ કહ્યું છે – તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા... આ બન્નેનું અંતર સૂર્ય અને ખજવાના અંતર જેવું (વિશાળ) જાણવું. વિવેચન : ક્રિયામાં સૂત્રોક્તવિધિ કરતાં અન્યથાત્વ (=જુદા પ્રકારનું આચરણ) અનેક રીતે આવે છે (૧) અપવાદપક - સંવિગ્ન ગીતાર્થ, કૃતયોગી (=અનુભવી), પ્રબળ કારણે, વિધિ કરતાં અન્યથા આચરણ જયણાપૂર્વક કરે એ અપવાદ છે. એ પણ માર્ગરૂપ જ હોવાથી, એમાં દોષ લાગતો નથી. કારણ ન હોય ત્યારે ઉત્સર્ગ અને કારણ હોય ત્યારે અપવાદ... આ બન્ને માર્ગરૂપ જ છે, અને માર્ગરૂપ છે માટે આરાધના જ છે, વિરાધના નથી. વિધિમાં પાંચ ટકા અન્યથાત્વ કરવાથી ચાલે એમ હોય તો દસ ટકા અન્યથાત્વ ન કરવું.... દસ ટકા આવશ્યક હોય તો પંદર ટકા ન કરવું... આ બધું જયણા કહેવાય છે. છદ્મસ્થતાવશાત્ આના નિર્ણયમાં ઓછાવત્તાપણાના કારણે જયણામાં ઓછાવત્તાપણું આવે તો.. તથા અવિધિ વગેરે છૂટની સૂગ ઊડી ન જાય એ માટે આપવાદિક આચરણાની આલોચના કરવામાં આવે છે. બાકી સંપૂર્ણ જયણા પાલન હોય તો વિરાધના કરી હોતી નથી. આ કલ્પિકા પ્રતિસેવના કહેવાય છે. (છતાં, આલોચના તો કરવાની જ હોય, એ જાણવું.) (૨) અનાભોગ - સામાન્યથી આખા અનુષ્ઠાન દરમ્યાન યથાયોગ્ય વિધિનો ઉપયોગ હોય ને તેને અનુસરીને જાળવણી હોય... છતાં વચ્ચે ક્યારેક અન્યત્ર ઉપયોગ ચાલી જવાથી વિધિનો ઉપયોગ ન રહે ને કંઇક અન્યથાત્વ આવી જાય તે અનાભોગથી આવેલું અન્યથાત્વ છે. (૩) સહસાત્કાર - વિવક્ષિત અવસરે વિધિનો ઉપયોગ પણ છે જ, છતાં પરિસ્થિતિવશાત્ કે તેવી પરિસ્થિતિમાં અનાદિસંસ્કારવશાત્ કંઇક અન્યથાત્વ આવે વિધિમાં અન્યથાત્વ ૬ પ્રકારે 203 Page #221 -------------------------------------------------------------------------- ________________ જેને વારવાની શક્યતા ન હોય તે સહસાત્કારથી આવેલું અન્યથાત્વ છે. ટૂંકમાં ઉપયોગ હોવા છતાં અચાનક–એકદમ થઈ જતું અન્યથાત્વ એ સહસાત્કારપ્રયુક્ત કહેવાય. કોઇપણ પ્રતિજ્ઞામાં અનાભોગ ને સહસાત્કાર આ બન્ને આગાર હોય જ છે. એટલે આ બેના કારણે જે અન્યથાત્વ આવે તેની આગારરૂપે છૂટ હોય છે, માટે એ પણ દોષકર નીવડતું નથી. છતાં જો કાળજી જતી રહે કે એનો પશ્ચાત્તાપ ન થાય તો એ પ્રમાદ-ઉપેક્ષા-બેઠરકારીનું કારણ બને છે. માટે એમાં પણ પશ્ચાત્તાપ રાખવો અને પાછળથી શક્ય કાળજી રાખવી. (૪) પ્રમાદ - સામાન્યથી વિધિજાળવણીની કાળજી હોય. પણ ક્યારેક વિધિનો ઉપયોગ હોવા છતાં ને વિધિપાલન રશક્ય હોવા છતાં વિષય-કષાય-આળસ વગેરે રૂપ પ્રમાદવશાત્ કંઇક અન્યથાત્વ કરે તે પ્રમાદજન્ય જાણવું. આમાં જેવો ખ્યાલ આવે કે આ પ્રમાદ સેવી રહ્યો છું ને અવિધિ કરી રહ્યો છું... એટલે તરત પ્રમાદથી હઠી વિધિપાલન ચાલુ કરી દે. તથા પ્રમાદવશાત્ જે અવિધિ થઈ એનો પશ્ચાત્તાપપ્રાયશ્ચિત્ત કરે તો જ પ્રમાદ જાણવો. અન્યથા દર્પમાં જાય. પ્રમાદ પણ વધતો રહે તો ક્રમરાઃ દર્પ-આકુટિરૂપ બનવાની સંભાવના રહે. (૫) દર્પ - વિધિપાલનનો માથે ભાર જ ન રાખે... વિધિ પાળી તો પણ શું ને ન પાળી તો પણ શું ? બધું સરખું... મનમાં આવે ત્યારે ને આવે એટલું પાળે. બાકી બધી ગરબડ... આ દર્પજન્ય અન્યથાત્વ છે. આને દર્ષિકા પ્રતિસેવના કહેવાય છે. (૬) આકુષ્ટિ - ઉધો-વિપરીત પરિણામ એ આકુદ્ધિ છે. ‘“તમે વિધિપાલનનો આગ્રહ રાખો છો ? જાવ હું તો ઉધું જ કરવાનો... અવિધિ જ કરવાનો. મને શું થવાનું છે ?’’ આવા બધા વિપરીત પરિણામથી જે અન્યથાત્વ કરે તે આકુટિજન્ય જાણવું. આમાંથી દર્ષ અને આકુદ્ધિ જન્ય અવિધિદોષ સાનુબન્ધ હોય છે. (એ પણ પાછળથી તીવ્ર પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત કરવાથી નિરનુબન્ધ બને છે અને નષ્ટ પણ થઈ શકે છે તે જાણવું. ) જેને વિધિ પ્રત્યે બહુમાન જ નથી એનો અવિધિદોષ ઠર્ષ કે આકુદ્ધિની કક્ષામાં 204 યોગવિંશિકા .૧૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ જાય. તેથી એનો દોષ સાનુબન્ધ છે. વિધિના પક્ષપાતવાળો જીવ તો અવસર આવ્યું વિધિની જ પ્રરૂપણા કરશે ને વિધિની જ મહત્તા ગાશે. પછી ભલે એ ક્યિા કરતો ન પણ હોય. આવો જીવ સૂર્ય સમાન છે, ને એની અપેક્ષાએ વિધિબહુમાન વગેરે રૂપ શુભભાવથી શૂન્યપણે ક્યિા કરનારો ખોસમાન છે. (એ જો વિધિપાલન કરતો હોય તો એની ભાવશૂન્ય ક્રિયા ખજવા જેવા અલ્પ અને વિનાશી પ્રકાશ જેવી જાણવી. પણ જો અવિધિસેવન કરતો હોય તો એની ક્યિા ખજવા જેવી અકિંચિત્કર જાણવી.. અને અવિધિનો સાનુબન્ધદોષ વિશેષ નુકશાનકારક બને છે એ વધારામાં.) એક વાત એ સમજવી કે અહીં અવિધિર્તા કરતાં અને જે સારો કહ્યો છે તે ક્રિયા પ્રત્યે પણ અબહુમાનાદિ ધરાવનાર અને તેથી એનો અકર્તા હોય તેવા અર્તા કરતાં નહીં. વિધિની સૂગના કારણે ક્યા કરવા છતાં વિધિન જાળવનાર અને ક્રિયાની સૂગના કારણે ક્યાજનકરનાર... આ બન્ને તો સરખા જ છે. એમ ક્યિાની જાણકારી જન હોવાના કારણે ક્યા પ્રત્યે સૂગન હોવા છતાં, એસૂગની યોગ્યતા હોય (સંસારરસ તીવ્ર હોય- ગાઢ મિથ્યાત્વના કારણે કદાગ્રહ હોય... ને એના કારણે ક્યિાની જાણકારી મળવા પર એના પ્રત્યે સૂગ થવાની જ શક્યતા હોય.) તેવો અકર્તા પણ અવિધિર્તા કરતાં કાંઈ સારો નથી. માત્ર કિયાનો જાણકાર હોય તો ક્યા પ્રત્યે બહુમાનવાળો હોય અને અજાણ હોય તો પણ (મિથ્યાત્વ મંદ પડ્યું હોવાના કારણે) બહુમાનની યોગ્યતાવાળો હોય એવો અર્તા જ સાનુબન્ધ અવિધિદ્દોષવાળા કરતાં સારો છે એ જાણવું. સાનુબંધ દોષવાળાની કેવી વિચિત્ર પરિસ્થિતિ હોય છે? જે જિનવચનના આધારે ક્રિયા કરવા તત્પર બન્યો છે એ જ જિનવચનના આધારે જણાતી વિધિ પ્રત્યે અનાદરાદિ ધરાવે છે. ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસગણી મહારાજ કહે છે - સાક્ષા, ગુરૂ સેસ.. જો એકાદ બાબત પણ તું શ્રી જિનાજ્ઞાથી નથી કરતો – નથી માનતો તો બાકીનું જે કાંઈ કરે છે, (કે જે કાંઇ માને છે) તે, ‘જિનાજ્ઞા એવી છે, માટે કરે છે – માને છે એવું નથી, પણ તારી બુદ્ધિથી જ કરે છે – માને છે. એટલે, “જિનવચને કહેલી છે. માટે ક્યા કરું છું ” આવો ભાવ ધરાવનારને તો જિનોક્ત વિધિ પ્રત્યે અનાદર આવે જ નહીં. કારણકે જિનાક્તત્વતો ક્રિયાની જેમ વિધિમાં પણ સમાન જ છે. એટલે, જિનોક્ત હોવાના કારણે ક્રિયાની રુચિ જેને છે એને તો વિધિ પ્રત્યે પણ રુચિ હોય જ. તેથી વિધિ પ્રત્યે રુચિના બદલે અનાદર ધરાવનારને ક્રિયા પ્રત્યે જે રુચિ હોય છે, તે વસ્તુતઃ જિનોક્તત્વેન હોતી નથી પણ પોતાની કોઈ તેવી બુદ્ધિ વગેરેના પ્રિસ્તુત નિરૂપણ કોના માટે ?) (205) Page #223 -------------------------------------------------------------------------- ________________ કારણે હોય છે.) માટે એની અવિધિવાળી ક્રિયા, ‘જિનોક્તમ્ એવી સદ્ભક્તિ ન હોવાના કારણે અવિધિદોષને ક્ષીણ કરનારી બનતી નથી. ઉપરથી, ક્યિાકાળે જિનવચનો યાદ આવે – એના દ્વારા પ્રરૂપિત વિધિ યાદ આવે... અને છતાં ધરાર એની ઉપેક્ષા-અનાદર કરે એટલે મિથ્યાત્વગાઢ બનતું જાય દુર્લભબોધિતા સર્જતી જાય... વગેરે મોટું નુકશાન થાય છે. ક્રિયા પ્રત્યે બહુમાન કે બહુમાનની યોગ્યતા ધરાવનાર અલ્તને આવું નુકશાન નથી. માટે એ અવિધિર્તા કરતાં સારો છે. હવે એક બીજી વિચારણા - જે વિધિરસિક નથી, શાસ્ત્રશ્રવણકાળે પણ વિધિ જાળવવાના મનોરથ વગેરે રૂપ સવેગ જેને પેદા થતો નથી એને તો શાસ્ત્રશ્રવણના જ અનધિકારી બતાવ્યા. જેઓ વિધિરસિક છે એવા શ્રોતાને જ વિધિશાસ્ત્રશ્રવણના અધિકારી બતાવ્યા. આવા શ્રોતાઓ કદાચ અવિધિ સેવે તો પણ વિધિ બહુમાનાદિના કારણે તેઓનો અવિધિ દોષ નિરનુબન્ધ હોય છે અને તેથી તેમનું એવું વિધિવિકલ અનુષ્ઠાન પણ દોષ માટે થતું નથી, પણ ઉપરથી ક્રમશઃ અવિધિ આદિને ક્ષીણ કરતાં કરતાં વિધિ અનુષ્ઠાન પમાડવારૂપે લાભકર્તા છે. તો “અવિધિથી અનુષ્ઠાન કરવામાં મહામૃષાવાદાદિ દોષ છે, અવિધિથી અનુષ્ઠાન કરવામાં સૂત્રક્રિયાવિનાશ અને તીથોચ્છેદ થાય છે... વગેરે..''આ બધું નિરૂપણ કોના માટે છે? ટૂંકમાં વિધિના અરસિકને એ સંભળાવવાનું નથી. અને વિધિરસિકને આવા દોષ લાગતા નથી. તો આવા દોષ લાગે આવું સંભળાવવાનું કોને ? આ પ્રશ્નનો મને ભાસતો ઉત્તર - વિધિઅરસિકજીવો તો અનધિકારી હોવાથી એમને જણાવવા માટે આ નિરૂપણ નથી જ. અર્થાત આ વાતો પણ કરવાની તો વિધિરસિક જીવોને જ છે. તેઓનો અવિધિદોષ નિરનુબંધ હોવાથી મહામૃષાવાદ વગેરે રૂપ નથી... છતાં તેઓને આવું જણાવવાની પાછળ, ‘તેઓના દિલના કોઈ ખૂણે પણ અવિધિ પ્રત્યે કૂણી લાગણી ન રહી જાય... ને તેઓને અવિધિને ટાળી વિધિ જાળવણીની ચાનક લાગે... એ માટે સતત પ્રયત્ન થયા કરે..” આવો જ્ઞાનીપુરુષોનો અભિપ્રાય પ્રતીત થાય છે. નહીંતર, ‘તમારો અવિધિદોષ પણ નિરનુબંધ છે... તમારું અવિધિયુક્ત અનુષ્ઠાન પણ ફળતઃ વિધિરૂપ જ છે વગેરે જ વાતો જો તેઓને કરવામાં આવે તો, ન અવિધિનો એટલો ભય પેદા થાય કેન વિધિ જાળવવાની એવી આતુરતા જાગે. 206 યોગવિંશિકા...૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : પણ જો મહામૃષાવાદ વગેરે દોષ લાગતો ન હોય, તો એવો દોષ લાગવાની વાત કરી શકાય? ઉત્તર: દોષ ટાળવાની ચાનક જગાડવાના અભિપ્રાયથી કરી શકાય. જેમકે જે દોષ એવો અક્ષત્તવ્યન હોય કે જેથી એ દોષને સાધુપણાંમાં ન છોડી શકનાર માટે ગૃહસ્થવાસ સારો થઈ જાય, એવા (જેમકે બપોરે બે-અઢી કલાક નિદ્રા) દોષને પણ ટાળવાની ચાનક લાગે એ માટે ગુરુ (નિદ્રાળુ) શિષ્યને ‘અલ્યા! તારે ઉંધ્યા જ કરવું છે તો એના કરતાં તું ઘરે શું ખોટો હતો?’ આવું જરૂર કહી શકે છે. પ્રશ્નઃ ગુરુ ભલે શ્રોતાને ચાનક લાગે એ માટે આવી વાત કરે, પણ શ્રોતાને “અવિધિ કરવાથી મહામૃષાવાદદોષ લાગે... અવિધિસ્તં કરતાં અર્તા સારો છે...' આવું બધું સાંભળીને અનુષ્ઠાન જ છોડી દેવાનું મન થઈ જાય, તો તો એને નુકશાન જ થઈ જાયને? કારણકે ભલે અવિધિવાળું.. પણ અનુષ્ઠાન ચાલુ રાખવામાં આવે તો જ ધીમે ધીમે અવિધિદોષ ક્ષીણ થઈ વિધિયુક્ત અનુષ્ઠાન પામવાની જે શક્યતા હતી તે તો દૂર થઈ ગઈ. ઉત્તર : એટલે જ આવી વાતો જેમાં આવે છે તેવા યોગ વગેરેના ગ્રન્થો ધર્મશ્રવણના અધિકારી એવા પણ બધા જ જીવોને આપવાના (સંભળાવવાના) હોતા નથી. ‘અવિધિ કરવાથી મહામૃષાવાદ દોષ લાગે આવું બધું સાંભળવા છતાં જેને અનુષ્ઠાન છોડવાનું મન ન થાય, પણ અવિધિ છોડવાની જ ઓછેવત્તે અંશે પણ પ્રેરણા મળે એવા જીવોને જ આ વાતો કરવાની હોય છે. કુલયોગીને પ્રવૃત્તચક યોગી જીવો આવા હોય છે. માટે એ જીવોને જ આ ગ્રન્થોના અધિકારી કહ્યા છે. ભવાભિનંદીના ક્ષુદ્રતાકિદોષો વગેરે રૂપ અયોગ્યતા જે શ્રોતામાં પ્રતીત ન થાય એ બધા સામાન્યથી ધર્મશ્રવણના અધિકારી છે. આવા જીવને ધર્મમાં જોડવા માટે, એ પાપયિાઓ છોડતો જાય ને ધર્મક્રિયાઓ કરતો થાય એ માટે, ધર્મક્યિાનો રસ જગાડવાના અભિપ્રાયથી એની આગળધર્મક્યિાના મહિમાનું જ માત્ર વર્ણન કરવામાં આવે છે. એ વખતે અવિધિદોષની કોઈ વાત કરવામાં આવતી નથી. બેશક ધર્મક્રિયા આપતી વખતે વિધિનું વર્ણન તો કરે જ. (ધર્મક્યિા શી રીતે કરવાની? એતો દર્શાવવાનું હોય જ !) પણ, ‘જો આમાં ગરબડ થાય તો લાભના બદલે મોટું નુકશાન થઈ જાય વગેરે એ વખતે એને કહેવામાં આવતું નથી. જીવ અનાદિકાળથી વિષય-કષાયનો પ્રસ્તુત નિરૂપણ કોના માટે ? 207 Page #225 -------------------------------------------------------------------------- ________________ રસિયો છે અને સુખશીલ છે. સામાન્યથી કોઇપણ ધર્મક્યિામાં ઓછેવત્તે અંશે પણ વિષય-કષાયને છોડવાના હોય છે તેમ જ કંઈક ને કંઈક કષ્ટ ઉઠાવવાનું હોય છે. એટલે, જીવ સુખનો અર્થી હોવા છતાં, તથા સુખ ધર્મથી જ મળે છે એ સનાતન સત્ય હોવા છતાં, ધર્મ કરતો નથી. ઉપમિતિભવપ્રપંચાકથામાં આ વાત કરી છે. એટલે મૂળતઃ તો જીવને ધર્મનો રસ છે જ નહીં. એમાં પાછી જો આ વાત કરવામાં આવે કે અવિધિ થશે તો મોટું નુકશાન થશે...' તો તો પછી એને ધર્મની રૂચિ જાગે જ શી રીતે ? એટલે ધર્મક્રિયાનો માત્ર મહિમા ગાવા દ્વારા એના દિલમાં ધર્મક્યિાનું આકર્ષણ જગાડવામાં આવે છે. એ જાગે, એટલે ધીમે ધીમે એ ધર્મક્રિયા કરતો થાય છે. સાથે સાથે વિધિપાલનનો પણ મહિમા એને કહેવામાં આવે છે.... (પણ હજુ અવિધિના નુકશાનો કહેવાતા નથી...) એનાથી એને વિધિપાલનનો પણ રસ જાગે છે. અલબત્ હજુ પ્રથમાભ્યાસ છે... તથા પછી પણ અનાભોગ-પ્રમોદાદિ પડેલા છે... એટલે અવિધિ થયા કરે છે. છતાં, વિધિબહુમાન વગેરેના કારણે એ અવિધિદોષ નિરનુબન્ધ હોય છે અને ક્ષીયમાણ હોય છે. આમ કરતાં કરતાં તે તે ધર્મક્રિયાઓમાં એ જીવ દઢ બને છે. (એટલે કુલયોગીની ભૂમિકા આવી.) હવે એને અવિધિ છોડવાની પણ વિશેષ પ્રકારે ચાનક લાગે એ માટે “અવિધિથી મહામૃષાવાદ દોષ લાગે વગેરે વાતો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ધર્મક્સિાઓ એના જીવનમાં અસ્થિમજ્જા જેવી થઈ ગઈ છે. એટલે આવી વાતો સાંભળીને પણ એને ધર્મક્ષિા છોડવાની પ્રેરણાનથી મળતી પણ અવિધિ છોડવાની જ પ્રેરણા મળે છે. એટલે ધીમે ધીમે એ અવિધિ છોડતો જાય છે ને છેવટે અવિધિમુક્ત-વિધિયુક્ત અનુષ્ઠાન કરતો થાય છે. એટલે આ નિશ્ચિત થયું કે અવિધિદોષની વાતો વિધિરસિક જીવને જ કરવાની છે ને એ વાતો, એ જીવો અનુષ્ઠાન છોડી દે એ માટે નથી, પણ અવિધિ ટાળવાની આતુરતા એમને જાગે એ માટે હોય છે. એટલે જ, શ્રોતાને ક્રિયા જ છોડી દેવાની બુદ્ધિ ન થઈ જાય એની ઉપદેશકે કાળજી રાખવાની હોય છે. આ જ વાત વિષાનુષ્ઠાન વગેરે પ્રરૂપણાને પણ લાગુ પડે છે. જેને તીવ્રભવાભિમ્પંગ છે, જે અપુનર્બન્ધક અવસ્થાને પામેલો નથી. જે અપ્રજ્ઞાપનીય છે... આવા જીવો તો ધર્મશ્રવણના અધિકારી જ નથી. માટે આવા જીવોને તો વિષાનુષ્ઠાન વગેરેની વાત કરવાની હોતી નથી. જે અપુનર્બન્ધક છે – જે પ્રજ્ઞાપનીય છે એવા જીવો (208) યોગવિંશિકા....૧૬ Page #226 -------------------------------------------------------------------------- ________________ જિનવચનના શ્રવણના અધિકારી છે. એમને આ વાત કરી શકાય. પણ આવા જીવોને કદાચ ભૌતિક અપેક્ષા હોય તો પણ એ નિરનુબન્ધદોષ રૂપ છે તેમજ સદનુષ્ઠાનરાગ વગેરેના કારણે ક્ષીયમાણ હોય છે. એટલે તેઓનું અનુષ્ઠાન મુખ્યતયા તકેતુઅનુષ્ઠાન બનતું હોય છે. (ક્વચિત્ અનાભોગવશાત્ અનનુષ્ઠાન બને.. અને અપેક્ષાદિ ખસી જાય ત્યારે અમૃતાનુષ્ઠાન બને..) પણ વિષ-કે ગર અનુષ્ઠાનની સંભાવના (બહુધા) હોતી નથી... તો આ જીવોને પણ વિષ/ગરની વાતો જણાવવાની શી જરૂર? કારણ કે ભૌતિક અપેક્ષાવાળું પણ તેઓનું અનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન બનતું હોવાથી લાભર્તા જ હોય છે. ને તેમ છતાં, ‘ઇહલૌકિક-પારલૌકિક અપેક્ષાથી કરાતું અનુષ્ઠાન વિષગર બને છે એવું એને સંભળાવવામાં આવે અને એ સાંભળીને એને અનુષ્ઠાન છોડી દેવાની જ જો બુદ્ધિ થઈ જાય તો તો ભારે નુકશાન ન થઈ જાયને? એટલે અહીં પણ માનવું પડે છે કે અનુષ્ઠાન છોડાવી દેવા માટે આ વાતો નથી, પણ ભૌતિક અપેક્ષા છોડવાની વધુ ચાનક લાગે એ અભિપ્રાયથી આ વાતો કરવામાં આવે છે. એટલે જ જેને આ વાતો સાંભળીને અનુષ્ઠાન છોડી દેવાની જ ઇચ્છા જાગે તેવા જીવો આ વાતોના શ્રવણના અધિકારી નથી. એટલે જ જેઓને હજુ નવા ધર્મમાં જોડવાના છે કે જેઓ નવા-નવા જોડાયા છે તેઓને અપાતા ઉપદેશમાં માત્ર ધર્મનો મહિમા જ ગાવામાં આવે છે ને ધર્મ (ધર્મક્રિયા) પણ વિષ બની શકે છે એવી વાત તો ક્યાંય કરવામાં આવતી નથી. પછી એ જીવો ધર્મમાં અત્યંત સ્થિર બની જાય (કુલયોગીની ભૂમિકા આવી જાય) એટલે પછી ભૌતિક અપેક્ષા છોડવાની એને ચાનક લાગે એ માટે આ વાત કરવામાં આવે છે. આ ભૂમિકાનો પ્રભાવ હોય છે કે આ વાત સાંભળવા છતાં, ધર્મક્રિયા છોડવાની એને પ્રેરણા નથી મળતી, પણ અપેક્ષાદિ છોડવાની જ બુદ્ધિ આ વાતો સાંભળીને એને થાય છે. આવો ઉપદેશ મળવો એ ગુર્વાજ્ઞાયોગ છે. સદનુષ્ઠાનરાગ-જિનોક્ત એવી સદ્ભક્તિ... તો એને છે જ. વળી એ પ્રજ્ઞાપનીય પણ છે. તેથી પ્રજ્ઞાપનીય જીવને વિધિબહુમાન અને ગુર્વાશાયોગના કારણે અવિધિદોષ જેમ નિરનુબંધ બને છે તથા અવિધિવાળું અનુષ્ઠાન પણ મૃષાવાદાદિરૂપ દોષ માટે નથી બનતું- પણ ફળતઃ વિધિરૂપ બને છે, એમ આ પ્રજ્ઞાપનીય જીવને સદનુણાનરાગ (કજિનોક્ત એવી સદ્ભક્તિ) છે અને ગુર્વાશાયોગ છે તેથી તેનો ભૌતિકઅપેક્ષા દોષ પણ નિરનુબંધ બને છે, તેમજ આ સાભિન્કંગ અનુષ્ઠાન પણ મહામૃષાવાદાનુબન્ધિત્વાદિ દોષ માટે નથી બનતું પણ ફળતઃ વિષાનુષ્ઠાન વગેરે નિરૂપણ કોના માટે ? (209) Page #227 -------------------------------------------------------------------------- ________________ નિરભિન્કંગ અનુષ્ઠાનરૂપ બને છે. જો આવું માનવામાં ન આવે તો ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી પંચાલકજી વગેરેમાં અનેકશઃ સાભિધ્વંગ અનુષ્ઠાન નિરભિમ્બંગાનુષ્ઠાનનું કારણ બને છે એવું જે પ્રતિપાદન કર્યું છે તેની સંગતિ થઈ શકશે નહીં. “અવિધિઅનુષ્ઠાન મહામૃષાવાદદોષ જનક છે... અપેક્ષાવાળું અનુષ્ઠાન મહામૃકવાદાનુબન્ધી છે... ' આ વાતો અવિધિયુક્ત અનુષ્ઠાનને કે અપેક્ષાયુક્ત અનુષ્ઠાનને જ છોડાવી દેવા માટે છે (અર્થાતુ અવિધિ કે અપેક્ષાનછૂટી શકે તો અનુષ્ઠાનને જ છોડી દેવું. આવું જણાવવા માટે છે) એવું જો માનીએ, તો દ્રાવિડપ્રાણાયામ થશે. આ વચનો સાંભળીને માની લ્યો કે અવિધિ-અપેક્ષા તત્કાળ ન છોડી શકનાર કોઈક જીવે અનુષ્ઠાન જ છોડી દીધું... હવે. પાંચ-પચ્ચીસ વર્ષે કે પાંચ-પચ્ચીસ ભવે ફરીથી એને જ્યારે અનુષ્ઠાનમાં જોડવાનો હશે ત્યારે પ્રારંભે એ પાછો અવિધિવાળા અનુષ્ઠાનમાં જ પ્રાયઃ જોડાવાનો છે. કારણકે પ્રથમાભ્યાસકાળે તથાવિધ જ્ઞાન ન હોવાથી અવિધિ થતી રહેતી હોય છે. એટલે અવિધિવાળું અનુષ્ઠાન છોડાવ્યું, ને પાછો એમાં જ એને જોડ્યો... તો પછી પૂર્વે જે અવિધિવાળું અનુષ્ઠાન હતું તે છોડાવ્યું જ શા માટે? આવું જ અપેક્ષાવાળા અનુષ્ઠાનમાં છે, કારણકે પંચાશકજીમાં કહ્યું છે કે તથા પ્રથમતયા જીવ કર્મનિર્જરાના ઉદ્દેશથી પ્રવર્તતો નથી... ને અભ્યાસ થયા બાદ તે રીતે પ્રવર્તે છે. જ્ઞાનપંચમીથામાં પણ કહ્યું છે કે પ્રાયઃ કરીને જીવ સાભિધ્વંગ આરાધનાથી નિરભિમ્પંગ આરાધના પામે છે. એટલે પૂર્વે સાભિધ્વંગ અનુષ્ઠાન કરતો હતો તે છોડાવી દીધું. ને પછી કાળાન્તરે ફરીથી જ્યારે એને ધર્મમાં જોડવાનો ઉપકમાં હશે ત્યારે પુનઃ પ્રાયઃ કરીને સાભિળંગઅનુષ્ઠાનમાં જ જોડવાનો રહેશે. તો પહેલાં જે સાભિધ્વંગ અનુષ્ઠાન કરતો હતો તે છોડાવ્યું જ શા માટે? એટલે નિશ્ચિત થાય છે કે અવિધિદોષની વાતો કે વિષાનુષ્ઠાનાદિની વાતો અનુષ્ઠાન છોડાવી દેવા માટે કરાતી નથી. જે જીવોને (પ્રજ્ઞાપનીય જીવોને) એ વાતો કરવામાં આવે છે તેઓનું અવિધિવાળું કે સાભિધ્વંગ અનુષ્ઠાન વસ્તુતઃ દોષ માટે હોતું નથી. (પણ તતુઅનુષ્ઠાન રૂપ બનતું હોવાથી ઉપાદેય જ હોય છે), તેમ છતાં, તેઓને અવિધિ-અપેક્ષા વગેરે છોડવાની ચાનક લાગે એ માટે જ આ વાતો તેઓને કરવામાં આવે છે. (210) યોગવિંશિક...૧૬) Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નઃ આગળ પૂર્ણાંક ૨૦૬ પર આ પ્રશ્નનો મને ભાસતો ઉત્તર- એવું હેડિંગ મારીને તમે કહ્યું છે કે – 'તેઓના (વિધિરસિકજીવોના) દિલના કોઈ પણ ખૂણે અવિધિ પ્રત્યે કૂણી લાગણીને રહી જાય... ને અવિધિને ટાળી વિધિજાળવણીની ચાનક લાગે... એ માટે સતત પ્રયત્ન થયા કરે..' આવો જ્ઞાની પુરુષોનો અભિપ્રાય પ્રતીત થાય છે. નહીતર, તમારો અવિધિદોષ પણ નિરનુબંધ છે. તમારું અવિધિયુક્ત અનુષ્ઠાન પણ ફળતઃ વિધિરૂપ જ છે' વગેરે જ વાતો જો તેઓને કરવામાં આવે તો, ન અવિધિનો એટલો ભય પેદા થાય કેન વિધિ જાળવવાની એવી આતુરતા જાગે. (તમે આવું જ કહ્યું છે) એ જ વાતને ભૌતિક અપેક્ષા માટે પણ લાગુ પાડવી જોઇએ. એટલે કે “બાધ્યફળાપેક્ષાવાળા પ્રજ્ઞાપનીય જીવને દિલના કોઈ પણ ખૂણે ભૌતિક અપેક્ષા પ્રત્યે કૂણી લાગણીને રહી જાય.. ને અપેક્ષાટાળીને નિરપેક્ષ બનવાની ચાનક લાગે.. એ માટે સતત પ્રયત્ન થયા કરે..” આવો જ્ઞાની પુરુષોનો અભિપ્રાય વિષાનુષ્ઠાન વગેરેની પ્રરૂપણામાં પ્રતીત થાય છે. નહીંતર, ‘તમારો અપેક્ષાદોષ પણ નિનુબંધ છે. તમારું અપેક્ષાવાળું અનુષ્ઠાન પણ ફળતઃ નિરપેક્ષ અનુષ્ઠાન રૂપ જ છે' વગેરે જ વાતો જે તેઓને કરવામાં આવે તો, ન અપેક્ષાનો એટલો ભય પેદા થાય કેન નિરપેક્ષ (નિરભિળંગ) અનુષ્ઠાનની એટલી આતુરતા જાગે... 'આ આવાતોને ભૌતિક અપેક્ષા અંગે પણ લગાવવી જોઇએ ને? અને તો પછી ભૌતિક અપેક્ષાવાળા અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન રૂપે ભંડો વગેરે કહેવાનો જ જોરદાર પ્રચાર કરવો જોઇએ ને.. અને તો પછી તમે આવા પ્રચારનો વિરોધ શા માટે કરો છો? અને ભૌતિક અપેક્ષાનો ભય જેના કારણે એટલો તીવ્રન બને એવું, ભૌતિકઅપેક્ષાવાળું અનુષ્ઠાન પણત,અનુષ્ઠાન બની શકે છે... લાભક્ત છે. આવું નિરૂપણ શા માટે કરો છો? ઉત્તર: તમારી વાત સાચી છે. અવિધિને લાગુ પડતી વાતો અપેક્ષાને પણ લાગુ પડે જ છે. વિધિરસિકજીવનું અવિધિવાળું અનુષ્ઠાન પણ લાભક્ત બને છે [આગળ પણ કહેશે કે ‘ા જા હવિજ જયણા સા સા સે ણિજરા હોઈ જેટલી જેટલી જયણા (વિધિ વગેરે) જાળવે એટલી એટલી એને નિર્જરા થાય છે આ હકીક્તને નજરમાં રાખી ઉપદેશક ગુરુ પણ અવિધિનું સમર્થન થાય એવો ઉપદેશ આપવાનું ચાલુ ન કરી દે કે વિધિપાલનની વાતો ઢીલી ઢીલી કરવા ન માંડે એ માટે અનેક વાતો અહીં ગ્રન્થકારે કહેલી છે. જેમકે અવિધિ વ્યવસ્થાપનમાં ગુરુને પણ દોષ લાગે છે, સ્વયં મૃત અને મારિત બે સરખા નથી... અવિધિની આશંસા-અનુમોદનાના કારણે કુલયોગી અધિકારી છે. 2િ1) Page #229 -------------------------------------------------------------------------- ________________ ફળતઃ અવિધિનું પ્રવર્તકત્વ જ હોવાથી ગુરુને દોષ લાગે જ છે. વિધિવ્યવસ્થાપન દ્વારા એક પણ જીવને સમ્યગુબોધિલાભકરાવવામાં ૧૪ રાજમાં અમારિયડહ વગડાવવાનો લાભ થાય છે, આ જ તીર્થોન્નતિનો લાભ છે. વગેરે વગેરે. આ વાતો ભૌતિક અપેક્ષાને પણ લગભગ સમાન રીતે લાગુ પડે જ છે. અને તેથી ભૌતિક અપેક્ષાનું સમર્થન થાય કે એ ટાળવાની આતુરતા મોળી પડી જાય એવો ઉપદેશ ગીતાર્થ ગુરુએ આપવાનો હોતો નથી. એટલે જ ધાર્મિક જીવોને સામાન્ય રીતે “ભૌતિકઅપેક્ષા હોય તો પણ તતુઅનુષ્ઠાન શક્ય છે ને તેથી ચિંતા કરવા જેવું નથી' વગેરે કહેવાનું હોતું નથી. પણ ઉપરથી વિષ-ગરની વાતો કરી ભૌતિકઅપેક્ષાનો ત્યાગ કરવા માટે તેઓને વધુ ને વધુ ઉલ્લસિત જ કરવાના હોય છે. પણ... આ વાતો કુયોગીની ભૂમિકા પામેલા ધાર્મિક જીવોને જ કરવાની હોય છે. એટલે જે જીવો વિષ-ગર વગેરે વાતોના અધિકારી નથી એવા (હજુ ધર્મમાં એવા સ્થિર નહીં થયેલા) જીવો સમક્ષ પણ જાહેર રીતે આ વાતો થાય, અને એ સાંભળીને, ‘આપણી અપેક્ષા તો છૂટતી નથી, તો ધર્મ જ છોડી દ્યો...” આવી અવળી પ્રતીતિ અનેકને થવા માંડે, તો તેઓની આવી અવળી પ્રતીતિ વારવા માટે ને તેઓ ધર્મ બંધન કરી દે એ માટે વિષ-ગર વગેરે વાતોની અયોગ્ય રજુઆતનો વિરોધ કરવો એ ગીતાર્થોની ફરજ બને છે. અથવા, “ભૌતિક અપેક્ષા છે? પ્રભુભક્તિ તો વિષ કે ગર થાય, એના કરતાં અન્ય દેવોની ભક્તિ કરવી સારી.. પ્રભુ પાસે તો મગાય નહીં... હનુમાનજી પાસે જાઓ...” અથવા “આપણા ધર્મસ્થાનોમાં પણ ક્ષાદિની ઉપાસના કરો... એમાં વિષ-ગર થવાનો તો દોષ નહીં. સંસાર તો ન વધે...” આવી બધી અવળી પ્રતીતિઓ થવા માંડે અને ભાવુકો અન્યના મંદિરોમાં જવા માંડે કે પ્રભુ કરતાં પણ યક્ષાદિની ઉપાસના વધુ કરવા માંડે તો આવી વિપરીત અસર લાવનારી વિષ-ગરાદિની અયોગ્ય રજુઆતનો ગીતાર્થપુરુષોએ વિરોધ કરવો જ પડે. પ્રશ્ન-એ અયોગ્ય રજુઆતનો ભલે વિરોધ કરો.. પણ ભૌતિકઅપેક્ષાવાળું અનુષ્ઠાન પણ લાભકર્તા બને છે એવું ધાર્મિક જીવોને કહેવું ન જ જોઇએ ને? ઉત્તર - તમારી વાત સાચી છે. અને તેથી જ વર્ષોથી પ્રકાશિત થયેલા દિવ્યદર્શનના અંકો, રોજિંદા પ્રવચનો વગેરેમાં માત્ર અપેક્ષા વગેરે છૂટને નિરપેક્ષભાવ ઊભો થાય એવાં જ નિરૂપણો જોવા મળશે. પણ જ્યારે ઉપર કહ્યા મુજબ અયોગ્ય 2િ12) યોગવિંશિકા...૧૬) Page #230 -------------------------------------------------------------------------- ________________ રજુઆત ને એની અવળી અસરો જોવા મળી.. એટલે એનો પ્રતિકાર કરવા ક્યારેક દિવ્યદર્શનમાં ને ક્યારેક પ્રવચનોમાં તદ્વેતુઅનુષ્ઠાનની વાતો પણ આવશ્યક બની. પ્રશ્ન - પણ ભૌતિક અપેક્ષાઓને છોડવાની ચાનકને મોળી પાડનારી હોવાથી આ વાતો ધાર્મિકજીવોને તો કરવાની હોય જ નહીં... ને દિવ્યદર્શનાદિ દ્વારા એ થઈ... એટલે એ તો ખોટું જ થયું ને ? ઉત્તર - અવિધિ છોડવાની ચાનક લાગે એ માટે ધાર્મિકજીવોને અવિધિવાળા અનુષ્ઠાનના દોષ દર્શાવ્યા કરવા જોઇએ એ હકીકતને અનુસરીને પ્રસ્તુતમાં પણ વિષગરની ભયંકરતા દર્શાવ્યા કરવી જોઇએ એ બરાબર છે. યોગવિંશિકા ગ્રન્થ પણ ધાર્મિકજીવો (કુલયોગીઓ) માટે છે. ને તેથી અવિધિયુક્ત અનુષ્ઠાનના મહામૃષાવાદાદિ દોષોનું સબળ પ્રતિપાદન તેમાં છે જ. તેમ છતાં, કોઈ અગીતાર્થ વ્યક્તિ માત્ર એનો શબ્દાર્થ પકડી, અવિધિ છોડી ન શકનાર ધાર્મિકજીવોને ‘એના કરતાં અનુષ્ઠાન જ છોડી દઇએ’ એવી પ્રતીતિ કરાવનાર નિરૂપણ કરવા ન માંડ એટલે ગ્રન્થકારે અવિધિયુક્ત અનુષ્ઠાનની સફળતા પણ દર્શાવી જ છે ને ? નહીંતર ધાર્મિકજીવો અવિધિજ અપેક્ષા વગેરે છોડીને વાસ્તવિક યોગ પામે એ માટે રચાયેલા ગ્રન્થોમાં આવી વાતો શા માટે કરે ? છતાં કરી તો છે જ. એટલે, કોઇ પોતાની શાસ્ત્રરહસ્યઅનભિજ્ઞતાના કારણે કે કુતર્કના જોરે ઉધો અર્થ ન ફેલાવે એ માટે, ધાર્મિકજીવો જ જેને સાંભળવાનાભણવાના છે એવા આ ગ્રન્થમાં અવિધિકૃત અનુષ્ઠાનની સફળતા પણ દર્શાવવામાં આવી છે તેમ એવા જીવોને, વિપરીત અર્થઘટનને અટકાવવા અપેક્ષાકૃત અનુષ્ઠાનની પણ લાભકારકતા દર્શાવવી સપ્રસંગ આવશ્યક બને જ છે, ને એ અયોગ્ય પણ નથી જ. અવિધિ અને અપેક્ષા અંગે ઘણી વાતો સમાન હોવા છતાં થોડો જે મુખ્ય ફરક છે તે આ છે - અર્થ-કામની ઇચ્છા-અપેક્ષા અનાદિકાળથી જીવને રહી છે જ્યારે અવિધિ એવી નથી. પ્રમાદના સંસ્કાર અનાદિકાલીન છે. એટલે, ધર્મમાં જીવ જ્યારથી જોડાય છે ત્યારથી લગભગ અવિધિનો પ્રારંભ થાય છે. (એ પૂર્વે તો ધર્મક્રિયા જ નથી, તો અવિધિ ક્યાંથી હોય શકે !) એટલે ‘જો તમે અર્થ-કામને ઇચ્છો છો તો પણ તમારે ધર્મ જ કરવો જોઇએ....’ વગેરે રીતે અર્થ-કામની ઇચ્છાને આગળ કરીને નવા જીવોને ધર્મમાં જોડી શકાય છે, અર્થ-કામની સંપ્રાપ્તિ રૂપે ધર્મનો મહિમા ગાઈ શકાય છે. આવું બધું અવિધિ માટે સંભવતું નથી. જયણાનુસારી નિર્જરા 213 Page #231 -------------------------------------------------------------------------- ________________ न चैवं तादृशषष्ठ-सप्तमगुणस्थानपरिणतिप्रयोज्यविधिव्यवहाराभावादस्मदादीनामिदानीन्तनमावश्यकाद्याचरणमकर्तव्यमेव प्रसक्तमिति शङ्कनीयं, विकलानुष्ठानानामपि ‘जा जा हविज्ज जयणा सा सा से णिज्जरा होइ' इत्यादिवचनप्रामाण्यात् यत्किञ्चिद्विध्यनुष्ठानस्येच्छायोगसम्पादकतदितरस्यापि बालाद्यनुग्रहसम्पादकत्वेनाकर्तव्यत्वासिद्धेः। વૃત્તિઅર્થ “જો આવું જ હોય તો, તેવી છઠ-સાતમા ગુણઠાણાની પરિણતિથી પ્રયોજ્ય એવો વિધિવ્યવહાર ન હોવાથી આપણું વર્તમાનકાલીન આવશ્યક વગેરે આચરણ તો અકર્તવ્ય જ બની જશે” આવી શંકા ન કરવી, કારણ કે વિકલ અનુકાનવાળા જીવોનું પણ જે કંઇક વિધિની જાળવણીવાળું અનુષ્ઠાન હોય છે તે જે જે (જેટલી-જેટલી) જયણા હોય તે તે (તેટલી-તેટલી) તેને નિર્જરા થાય છે આ વચનના પ્રામાણ્યથી બાલાદિના અનુગ્રહનું સંપાદક હોવાથી અર્તવ્ય તરીકે સિદ્ધ થઈ શકતું નથી. એમ, ઇચ્છાયોગનું સંપાદક એવું તદિતર અનુષ્ઠાન પણ બાલાદિના અનુગ્રહનું સંપાદક હોવાથી અકર્તવ્ય તરીકે સિદ્ધ થઈ શકતું નથી. વિવેચનઃ (૧) એવું = પંડિત પુરુષે અતિનિપુણબુદ્ધિથી સાધુસમયસર્ભાવ જાણીને સમ્યફ પ્રવર્તવું જોઇએ, અસમંજસ વિધાનથી સૂત્રક્રિયાવિનાશ થાય છે જે તીર્થોચ્છેદમાં પરિણમે છે, આવી બધીવાતોથી, પોતાની સંપૂર્ણ સમગ્રતયા (= પોતાના સંપૂર્ણ સામર્થ્યપૂર્વક) વિધિ પાલનનો પ્રયત્ન કરવો જોઇએ. આવું જ જો તત્ત્વ નિશ્ચિત થાય છે, તો... (૨) શંકા - સંપૂર્ણતયા વિધિપાલન માટે સંપૂર્ણતયા આગમપરતન્ત્રતા જોઇએ છે જે વિશેષ પ્રકારની અપ્રમત્તતા વિના સંભવિત નથી. આ હોય તો નિરતિચાર સંયમ પાળી શકાય તેવી છઠ્ઠા-સાતમા ગુણઠાણાની પરિણતિ હોય જ. એટલે કે સંપૂર્ણ વિધિપાલન એવી વિશેષ પ્રકારની (નિરતિચારસંયમ પાલન કરાવે એવી) છક્કા-સાતમાગુણઠાણાની પરિણતિથી પ્રયોજ્ય છે. પણ વર્તમાનમાંતો પ્રમાદબહુલ જીવો છે ને બકુશકુશીલ ચારિત્ર છે. એટલે, છઠું સાતમું ગુણઠાણું હોય તેવા સંયમીઓને પણ એવી વિશિષ્ટ પ્રકારની પરિણતિન હોવાથી ત~યોજ્ય વિધિવ્યવહાર પણ નથી, અને તેથી ઓછી-વત્તી પણ અવિધિ થયા જ કરે છે. એટલે આવશ્યકચિત્યવન્દન વગેરે કોઈ અનુષ્ઠાન પરિપૂર્ણ થતા જ નથી, અવિધિ થયા જ કરે છે. તે 21) યિોગવિંશિકા...૧૬) 214 Page #232 -------------------------------------------------------------------------- ________________ એના કરતાં અનુષ્ઠાન ન કરવું ને એના યથાર્થ વિધિનું જ પ્રકાશન કરવું... એ આ ક્યિાની (ભાવશૂન્યકિયાની) સામે સૂર્ય (તાત્ત્વિકપક્ષપાત) તુલ્ય થવાથી એ જ લાભક્ત કહેવાય. ને તેથી આવશ્યક વગેરે આચરણ અકર્તવ્ય જ બની ગયું. (૩) સમાધાન - ના ના વિજ્ઞ નયUTI Tી સા રે fઝરી હો // શ્રી ધર્મદાસગણિ વિરચિત ઉપદેશમાલાની ૫૨ ૬મી ગાથાનો આ ઉત્તરાર્ધ છે. (એનો પૂર્વાર્ધ આવો છે - સખસ વિ સુદ્ધવાસ સંવિપઉંવાયસી) આ પ્રમાણભૂત વચનથી જણાય છે કે યત્કિંચિત્ વિધ્યનુષ્ઠાન અકર્તવ્ય નથી, કારણકે એમાં જે કાંઈ વિધિપાલનરૂપ જયણા જળવાય છે તે નિર્જરાજનક બનતી હોવાથી નિષ્ફળ કે વિપરીતફલક નથી. વિધિરસિકજીવનો વિધિપાલનનો જે જે પ્રયત્ન હોય તે અહીં ‘જ્યણા તરીકે અભિપ્રેત છે એમ સમજવું. (થોડી ઘણી પણ વિધિ જાળવણી કરે એને તો એટલી એટલી નિર્જરા થતી હોવાથી અનુષ્ઠાન હિતકર છે. પણ જે વિધિરસિકજીવ દરેક અંશમાં કંઇકને કંઇક વિકલતા રાખે છે ને તેથી કોઇ જ અંશમાં વિધિ પાલન નથી. એવા જીવનું પણ અનુષ્ઠાન અકર્તવ્ય નથી એ જણાવવા છાયો 1... ઇત્યાદિ કહ્યું છે.) વિધિરસિકતાના કારણે વિધિ-જાળવવાની નિરુપાધિક ઇચ્છા તો છે જ, છતાં થોડે ઘણે અંશ પણ વિધિ ન જાળવી શકનાર જીવનું અનુષ્ઠાન પણ ઇચ્છાયોગનું સંપાદક બને છે ને એ રીતે બાળ વગેરે જીવોને ઉપકારક નીવડે છે, માટે એ પણ કર્તવ્ય છે, અકર્તવ્ય નથી. પ્રથમાભ્યાસમાં વિધિનો અજાણજીવ એ બાળ. એમ પુનઃ પુનઃ અનુષ્ઠાન કરવા છતાં ક્ષયોપશમની મંદતાના કારણે વિધિનો જાણકાર ન જ બની શકે એવો જીવ પણ બાળ. અભ્યસ્તદશામાં વિધિનો જાણકાર બન્યો હોવા છતાં નિઃસત્ત્વતાપ્રમાદબહુલતા વગેરેના કારણે વિધિ ન પાળનાર જીવોનો આદિ’ શબ્દથી સમાવેશ જાણવો. આ બધા જીવો પણ અનુષ્ઠાન કરનારા જીવો જ લેવાના છે એ તો સ્પષ્ટ જ છે. આવા જીવોનું સર્વથા વિધિવિકલ* એવું પણ અનુષ્ઠાન ઇચ્છાયોગનું સંપાદક * અહીં ત’ પદથી પૂર્ણવિધિવાળાં અનુષ્ઠાનને ગ્રહણ કરવાનું છે... વળી. તે ફૂછયોગસંપન્ન તત્ તર અનુષ્ઠાન યત્કિંચિત્ વિધિ અનુષ્ઠાન છે તે બતાવવા અર્થે વિતવિધિમનુષ્ઠાન' એ રૂપ વિશેષણ છે, પરંતુ તે પૃથભૂત નથી... - વગેરે વિવેચન ગલત જાણવું. કારણકે ત’ શબ્દ સ્વઅવ્યવહિતપૂર્વવર્તીને પરામર્શક હોય છે. એટલે પ્રસ્તુતમાં વિતરસ્થાપિ ની પૂર્વમાં ચિદ્વિધ્યનુકાની હોવાથી તત્ શબ્દ યત્કિંચિદ્વિધિઅનુષ્ઠાનનો જ પરામર્શક છે. ને તેથી તદિતર તરીકે તેનાથી ભિન્ન એવું સર્વથાવિધિશૂન્ય સકળકલ્યાણ સંપાદક્તા (215) Page #233 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે બને છે કે નિરુપાધિક ઇચ્છા છે ને સ્વોલ્લાસાનુસારે કંઇક પણ પ્રયત્ન છે. इच्छायोगवद्भिर्विकलानुष्ठायिभिर्गीतार्थे: सिद्धान्तविधिप्ररूपणे तु निर्भरो विधेयः, तस्यैव तेषां सकलकल्याणसम्पादकत्वात्। उक्तञ्च गच्छाचारप्रकीर्णके जइ वि ण सक्कं काउं सम्मं जिणभासियं अणुट्ठाणं। तो सम्म भासिज्जा जह भणियं खीणरागेहिं॥ ३२॥ ओसन्नो वि विहारे कम्मं सोहेइ सुलभबोही य। चरणकरणं विसुद्ध उवव्हतो परूविंतो॥ ३४॥ इति। વૃત્તિઅર્થઃ ઇચ્છાયોગવાળા વિકલાનુષ્ઠાન કરનારા ગીતાર્યોએ સિદ્ધાન્તવિધિની પ્રરૂપણા કરવામાં નિર્ભર રહેવું જોઇએ. કારણકે તે જ તેઓના સકલકલ્યાણનું સંપાદક છે. શ્રી ગચ્છાચારપ્રકીર્ણકમાં કહ્યું છે કે “શ્રી જિનભાષિત અનુષ્ઠાનને સમ્યફ રીતે કરવું શ ન બને તો પણ ક્ષીણરાગ એવા ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે સમ્યફ કહેવું જોઈએ – નિરૂપણ કરવું જોઈએ. જો વિશુદ્ધ ચરણ-કરણની ઉપબૃહણા કરતો હોય અને પ્રરૂપણા કરતો હોય તો સ્વયં વિહારચર્યામાં સીઠાતો અનુષ્ઠાન જ લઈ શકાય. વળી વિકલાનુષ્ઠાનની જ વાત ચાલી રહી છે ત્યારે તદ્દ શબ્દથી પૂર્ણવિધિવાળા અનુષ્ઠાનની વાતન હોય શકે. તથા, પૂર્ણ વિધિવાળાં અનુષ્ઠાન પણ અકર્તવ્યરૂપે સિદ્ધનથી, એનો સમુચ્ચય તો વિનાનુBીનાનામપિ માં જે પ શબ્દ રહેલો છે તેનાથી થયેલો જ છે. એટલે તદ્વિતરાપ માં જે પિ શબ્દ રહ્યો છે તે કોનો સમુચ્ચય કરશે? માટે સર્વથાવિધિવિકલ અનુષ્ઠાન શિધ્ધિનુષ્ઠાન થી પૃથભૂત છે, ‘તદિર’ શબ્દથી એ ગ્રાહ્ય છે, અને પ શબ્દ શિવિધિવિત અનુષ્ઠાનનો સમુચ્ચય કરે છે એમ માનવું જ યોગ્ય છે. અલબતું એ વિવેચકે બે મપિ શબ્દો અંગે આ પ્રમાણે લખ્યું છે – “અને (તરિતરસ્થાપિ માં રહેલા) પ થી એ કહેવું છે કે સંપૂર્ણ વિધિપૂર્વકનું અનુષ્ઠાન તો અકર્તવ્યરૂપે સિદ્ધ નથી. પરંતુ આવા પ્રકારનું સંપૂર્ણ વિધિથી ઈતર પણ અકર્તવ્યરૂપે સિદ્ધ નથી. અને વિનાનુકાનાનામપિ માં 'ઉ' થી એ ગ્રહણ કરવું છે કે જેઓ અવિકલ અનુષ્ઠાન કરે છે તેઓનું તે કર્તવ્યરૂપે છે જ. પરંતુ વિકલઅનુકાનવાળાઓનું પણ ઈચ્છાયોગ સંપાદક એવું તઈતર અનુષ્ઠાન અકર્તવ્યરૂપે સિદ્ધ નથી.'આમાં બે થી જેનો સમુચ્ચય કરવો છે તે બેમાં શું ભેદ પડ્યો? એ એક પ્રશ્ન બની જાય છે. કારણકે (વિતરપિમાં રહેલા) પ થી સંપૂર્ણ વિધિપૂર્વકનું અનુષ્ઠાન અકર્તવ્યરૂપે સિદ્ધ નથી એ જણાવ્યું.. નેવિકતાનુકનાનામપિ માં થી જેઓ અવિકલ અનુષ્ઠાન કરે છે તેઓનું તેર્તવ્યરૂપે છે જ...” એમ જણાવ્યું તો આ બેમાં શું ભેદ પડ્યો? વસ્તુતઃ વિતી. માં રહેલા પ થી વિધિપૂર્ણ અનુષ્ઠાનનું ગ્રહણ થઈ જ ગયું છે. હવે વિધિવિકલ અનુષ્ઠાન પણ બે પ્રકારના છે. કંઇક અંશે વિધિવિકલ અને સર્વાશે વિધિવિકલ... એમાં કંઇક અંશે વિધિવિકલને ત્નિશિલ્... શબ્દોથી જણાવ્યું છે. એ જ ‘ત શબ્દગ્રાહ્ય છે અને સવાશે વિધિવિકલનેતિતાથી જણાવ્યું અને તેથી વિતસ્થાપિમાં રહેલા શબ્દથીન્જિરિ... અનુષ્ઠાનનો સમુચ્ચય છે. આ વાસ્તવિક અર્થ છે. (216) યોગવિંશિકા...૧૬) Page #234 -------------------------------------------------------------------------- ________________ પણ જીવ કર્મની નિર્જરા કરે છે અને સુલભબોધિ બને છે. વિવેચન : ‘‘પંચમકાળમાં પ્રમાદબહુલજીવોને શાસ્ત્રોક્ત વિધિ અતિદુષ્કર લાગવાથી એ સાંભળવામાત્રથી તેઓ ડરી જાય. . . એના કરતાં એમને પણ સરળ પડે એવો મધ્યમમાર્ગ એમને બતાવવો જોઇએ...’' આવી સંભવિત શંકાના સમાધાન માટે હવેનો અધિકાર છે. એનો આશય એ છે કે, કદાચ વિકલાનુષ્ઠાન હોય તો પણ પોતાને કે શ્રોતાને લાભ કરાવી આપનાર કોઇ હોય તો એ વિધિરસિકતા છે. એટલે, જો ગીતાર્થ સ્વયં શાસ્ત્રોક્ત વિધિનું નિરૂપણ પડતું મૂકી મધ્યમ નિરૂપણ ચાલુ કરે તો પોતાનો વિધિ પ્રત્યેનો પક્ષપાત મોળો પડ્યા વગર રહે નહીં... તેમજ શ્રોતાને પણ યથાર્થ વિધિ જાણવા જ ન મળવાથી એના પ્રત્યે રુચિ ઊભી થાય નહીં. અને તેથી, પછી ઉભયપક્ષે થતું અવિધિઆચરણ મહામૃષાવાદાદિ દોષરૂપ બને જ. માટે ગીતાર્થ પુરુષે, ભલે પોતાનું આચરણ વિકલ હોય, તો પણ શ્રોતાઓ સમક્ષ તો શાસ્ત્રીય વિધિની જ પ્રરૂપણા કરવી જોઇએ. એ જ તેઓને થતી નિર્જરાનું મુખ્ય કારણ બનતું હોવાથી સકલ કલ્યાણની સંપાદક છે. આ જ વાતના સમર્થનમાં શ્રી ગચ્છાચાર પયન્નાની બે સાક્ષીગાથાઓ આપી છે. ઉપદેશમાળાની ‘ના ના વિઘ્ન નયળા સા સા સે નખરા હોફ' આવી જે વાત આવી ગઇ, તેનો પૂર્વાર્ધ પણ આ જ સૂચન કરે છે. એનો પૂર્વાર્ધ આવો છે - હીળસ્ત્ર વિ સુદ્ધપવાસ્ય સંવિપલ્લવાય(। એનો અર્થ - સ્વયં આચરણમાં હીન જીવ પણ જો શુદ્ધ પ્રરૂપક હોય અને સંવિગ્ન સાધુઓ પર પક્ષપાતવાળો હોય તો (એની જે જે જયણા હોય તે તે નિર્જરાફલક બને છે.) આમાં શુદ્ધપ્રરૂપક અને સંવિગ્નપક્ષપાત આ બન્ને હેતુદર્શક વિશેષણો છે. વળી, શુદ્ધવિધિનો તેમજ શુદ્ધિવિધિ પાળનાર સંવિગ્ન સાધુઓનો પક્ષપાત પણ શુદ્ધપ્રરૂપણાથી જ દઢ-દ૰તર બને છે. માટે એના મૂળમાં પણ શુદ્ધ પ્રરૂપણા હોવાથી નિર્જરાના મુખ્ય હેતુ તરીકે શુદ્ધપ્રરૂપણા સિદ્ધ થાય છે... માટે એ સકલકલ્યાણસંપાદક છે. વળી ગચ્છાચારપયન્નામાં જણાવ્યા મુજબ શુદ્ધપ્રરૂપણાના કારણે જીવ સુલભબોધિ બને છે. એટલે ભવાંતરમાં પણ જીવની મોક્ષમાર્ગમાં પ્રગતિ થવા રૂપ કલ્યાણનું સંપાદન પણ શુદ્ધપ્રરૂપણા કરી આપે છે. માટે શાસ્ત્રના રહસ્યના જ્ઞાતા એવા ગીતાર્થે શુદ્ધ પ્રરૂપણા પર ભાર આપવો જોઇએ. 'ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिन इदानीन्तनव्यवहारमुत्सृजन्ति, अन्यं વિધિ અભિમાનીને મહાદોષ 217 Page #235 -------------------------------------------------------------------------- ________________ च विशुद्धं व्यवहारं संपादयितुं न शक्नुवन्ति ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति। `विधिसम्पादकानां विधिव्यवस्थापकानां च दर्शनमपि प्रत्यूहव्यूहविनाशनमिति વયં નામ: ।। ૬૬।। વૃત્તિઅર્થ : ગીતાર્થની આજ્ઞાથી નિરપેક્ષ અને વિધિના અભિમાનવાળા જેઓ વર્તમાનવ્યવહારનો ત્યાગ કરે છે અને બીજો વિશુદ્ધ વ્યવહાર સ્થાપિત કરી શક્તા નથી તેઓ બીજમાત્રનો પણ ઉચ્છેદ કરે છે અને તેથી મહાદોષવાળા બને છે. વિધિના સંપાદક અને વિધિના વ્યવસ્થાપક મહાત્માઓનું દર્શન પણ વિઘ્નોના સમુદાયનું નાશક છે એવું અમે કહીએ છીએ. વિવેચન : (૧) જેઓ સ્વયં ગીતાર્થ નથી, વળી ગીતાર્થની આજ્ઞામાં પણ રહેતા નથી... તેઓ સૂત્રના શબ્દાર્થ માત્રને પકડનારા સૂત્રરુચિ હોય છે. એટલે અવિધિ કરવામાંતો સૂત્રક્રિયાવિનારા દ્વારા તીર્થવિનારા જ છે આટલી વાત પકડીને અવિધિકરણ કરતાં અકરણને સારું માનનારા હોય છે, ને તેથી ‘કરવું તો વિધિપૂર્વક જ કરવું, નહીં કે નહીં કરવું...’ આવું વિધિનું અભિમાન ધરાવનારા હોય છે. વળી, તેઓ પણ પ્રમાદાદિદોષગ્રસ્ત તો હોય જ છે. એટલે પરિપૂર્ણવિધિપાલન શક્ય ન હોવાથી વિશેષ શું જ કરતાં નથી... અને એમ કરીને ચૈત્યવન્દનાદિનો જે વર્તમાન વ્યવહાર છે એને પણ બંધ કરી દે છે. નવો વિશુદ્ધ વ્યવહાર તો તેઓ પ્રવર્તાવી રાકતા નથી. માટે બીજ માત્રનો પણ ઉચ્છેદ કરનારા બને છે. તે આ રીતે – પૂર્વે બતાવી ગયા કે પ્રજ્ઞાપનીય જીવનો અવિધિદોષ નિરનુબન્ધ હોય છે (એટલે અવિધિની પરંપરા ચાલવાનો પ્રશ્ન રહેતો નથી) તથા વિધિબહુમાન અને ગુર્વાજ્ઞાયોગના કારણે એનું અવિધિ અનુષ્ઠાન પણ ફળતઃ વિધિરૂપ છે. એટલે કે ભવિષ્યમાં ફળરૂપે જે વિધિયુક્ત અનુષ્ઠાન મળશે તેનું વર્તમાન અવિધિવાળું અનુષ્ઠાન એ બીજ રૂપ છે. તેથી અવિધિઅનુષ્ઠાનને બંધ કરનારો બીજનો ઉચ્છેદ કરનારો છે, એ સ્પષ્ટ છે. સ્થાનાદિપ્રયત્નપૂર્ણ ચૈત્યવન્દનાદિ (=વિધિયુક્ત અનુષ્ઠાન) એ સદનુષ્ઠાન છે આ વાત આગળ આવવાની છે. સદનુષ્ઠાનની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બીજના ન્યાસથી થાય છે એ વાત પોડાકજીમાં કરેલી છે. જે વિધિઅનુષ્ઠાનપ્રાપક હોય અને કર્મનિર્જરાકારક હોય તે પુણ્યાનુબંધીપુણ્ય જનક પણ હોય જ. એટલે અવિધિઅનુષ્ઠાનનો નિષેધ કરનારો પુણ્યાનુબંધીપુણ્યસ્વરૂપ ખીજનો પણ નિષેધ કરવા રૂપે ઉચ્છેદ કરે છે એ પણ સ્પષ્ટ છે. વળી જા જા વિજ્ર યોગવિંશિકા...૧ ૬ 218 Page #236 -------------------------------------------------------------------------- ________________ જયણા... વગેરેથી જે નિર્જરા બતાવી તે પણ અટકી જાય છે, કારણ કે અનુષ્ઠાન કરે તો કંઈક પણ વિધિપાલનરૂપ જયણા આવેને નિર્જરા થાય. અનુષ્ઠાન જ ન કરે તો આ નિર્જરા નથવાથી આ નિર્જરા પ્રયુક્તકર્મલઘુતાન થાય. અને તેથી કર્મલઘુતાના કારણે જે ભવિષ્યમાં વિધિ અનુષ્ઠાન પ્રાપ્ત થવાનું હતું તે પણ નથાય. માઈદાનીતનવ્યવહારને છોડનારો બીજ માત્રનો પણ ઉચ્છેદક છે. અને બીજનો જ જેણે નાશ કરી નાખ્યો એને ભવાંતરમાં ચૈત્યવન્દનાદિરૂપ ધર્મ દુર્લભ બનવાનો.. અર્થાત્ એ દુર્લભબોધિ બનવાનો. માટે, ‘એ મહાદોષવાળો બને છે એમ અહીં કહ્યું છે. બીજી રીતે કહીએ તો ગીતાથાને સાપેક્ષવર્તમાન અનુષ્ઠાનફળતઃ વિધિરૂપ હોવાથી તથા જયણાને અનુસરીને ઓછેવત્તે અંશે પણ નિર્જરાજનક હોવાથી સત્ છે. પ્રશંસનીય છે. વીનં સરપ્રાંતિ.. ન્યાયે એની પ્રશંસા એ બીજ છે. પણ વિધિના અભિમાનવાળા જીવો, એની પ્રશંસા તો દૂર ઉપરથી. આમાં તો અવિધિ રહેલી છે. આવી રીતે કાંઈ અનુષ્ઠાન થતું હશે? આના કરતાં તો ન કરવું સારું... વગેરે રૂપે એની નિંદા કરે છે ને એ રીતે પૂર્વે સત્વશંસાદિ દ્વારા જે બીજ વાવેલું તેનો ઉચ્છેદ કરી નાખે છે, ને માટે મહાદોષવાળા બને છે. અહીંગીતાર્થજ્ઞાનિરપેક્ષા એવું જે કહ્યું છે તે એ સૂચન કરે છે કે ગીતાર્થઆજ્ઞાને સાપેક્ષ જે ઈદાનીંતન વ્યવહાર હોય એ જ માન્ય છે. એટલે ગીતાર્થ આજ્ઞાને નિરપેક્ષપણે જેઓ મનઘડત રીતે જાત જાતનો વ્યવહાર પ્રવર્તાવે છે તેઓ પણ કાંઇ દોષમુક્ત રહી શકતા નથી એ જાણવું (૨) જેઓ વિધિનું (પરિપૂર્ણ) પાલન કરે છે તેઓ વિધિસંપાદક છે. આવા જીવોને આઠ પ્રભાવકોની જેમ એક પ્રભાવક કહ્યા છે. “જબ નવિ હોવે પ્રભાવક એહવા, તબ વિધિ પૂર્વક અનેક યાત્રા-પૂજાદિક કરણી કરે તે પ્રભાવક છે..” (સમ્યક્ત સડસઠબોલની સક્ઝાય) તેઓનાવિધિયુક્ત અનુષ્ઠાનને જોઈને અનેકને વિધિની પ્રેરણા મળે છે... વળી જેઓ એમની અનુમોદના માત્ર કરે છે એમને પણ બીજ તો પડી જાય છે. આવા વિધિસંપાદક સાધકોનું દર્શન પણ વિનસમૂહનુંનાશક સ્વયં તથાવિધ સત્ત્વન હોવાના કારણે પરિપૂર્ણ વિધિપાલન કરતાં ન હોવા છતાં વિધિરસિક હોવાના કારણે જેઓ વિધિનું સમ્મનિરૂપણ કરે છે, તેઓ પ્રિસ્તુતનું નિગમની 2199 Page #237 -------------------------------------------------------------------------- ________________ વિધિવ્યવસ્થાપક છે. આવા સાધકો પણ અનેકજીવને વિધિપ્રત્યે રુચિ પેદા કરાવી માર્ગે જોડનારા બને છે. માટે તેઓનું દર્શન પણ વિપ્નવૃન્દનાશક છે. એટલે જેઓ સ્વયં વિધિસંપાદક પણ છેને વિધિવ્યવસ્થાપક પણ છે તેઓનું દર્શન તો વિઘ્નસમૂહનાશક હોય જ એ સ્પષ્ટ છે. આ પ્રમાણે અમે (વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ) કહીએ છીએ. |૧૬T अर्थमं प्रसक्तमर्थं संक्षिपन् प्रकृतं निगमयन्नाहकयमित्थ पसंगेणं ठाणाइसु जत्तसंगयाणं तु। हियमेयं विनेयं सदणुट्ठाणत्तणेण तहा ॥१७॥ कयमित्थत्ति । कृतं = पर्याप्तं अत्र प्रसङ्गेन = प्ररूपणीयमध्ये स्मृतार्थविस्तारणेन । અવતરણિતાર્થ હવે આ પ્રસક્ત અર્થનો સંક્ષેપ કરતા અને પ્રસ્તુત અર્થનું નિગમન કરતાં ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ : અહીં પ્રસંગથી સર્યું. સ્થાનાદિમાં યત્નસંગતજીવોને આ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન હિતકર જાણવું તથા સદનુષ્ઠાનરૂપે પણ એને હિતકર જાણવું. વૃત્તિઅર્થ પ્રરૂપણીય વિષયની વચમાં યાદ આવી ગયેલી વાતનો વિસ્તાર (એવી બાબતનું નિરૂપણ) એ પ્રસંગ છે. આવા પ્રસંગથી હવે સર્યું. વિવેચનઃ ચૈત્યવન્દનસૂત્રપ્રધાનને યોગ્ય જીવો કોણ? એની પ્રરૂપણા ચાલતી હતી. માટે એ પ્રરૂપણીય અર્થ કહેવાય, એમાં સ્થાનાદિમાં પ્રયત્નશીલ જીવોને અધિકારી બતાવ્યા. એટલે એના પ્રતિપક્ષ તરીકે સ્થાનાદિના પ્રયત્નશૂન્ય અવિધિ કરનારા જીવો યાદ આવ્યા. તેથી અવિધિ કરનારા જીવોમાંથી કોને દોષ થાય કોને લાભ થાય વગેરે વાતો પ્રસક્તાર્થ કહેવાય. એનું વિસ્તારથી નિરૂપણ કર્યું. હવે એ નિરૂપણને અટકાવી મૂળ વાત પર ગ્રન્થકાર આવવા માગે છે. એ માટે હવેની ૧૭મી ગાથા છે. स्थानादिषु = प्रदर्शितयोगभेदेषु यत्नसंगतानां तु = प्रयत्नवतामेव एतत् = चैत्यवन्दनाद्यनुष्ठानं हितं = मोक्षसाधकं विज्ञेयं, चैत्यवन्दनगोचरस्थानादियोगस्य 20 ગિર્વિશિકા...૧૭) Page #238 -------------------------------------------------------------------------- ________________ मोक्षहेतुत्वे तस्यापि तत्प्रयोजकत्वादिति भावः। વૃત્તિઅર્થઃ યોગના જે સ્થાનાદિ ભેદો દર્શાવ્યા તેમાં પ્રયત્નશીલ જીવોનું જ આ = ચૈત્યવન્દન અનુષ્ઠાન હિતકર = મોક્ષસાધક બને છે એ જાણવું, કારણ કે ચૈત્યવન્દનવિષયક સ્થાનાદિ યોગ જો મોક્ષનું કારણ છે તો તે = ચૈત્યવન્દન પણ તેનું મોક્ષનું પ્રયોજક છે એમ રહસ્ય જાણવું વિવેચનઃ જીવને જે મોક્ષની સાથે જોડી આપે તે યોગ... અને બીજી રીતે કહીએ તો જે યોગ હોય તે જીવને મોક્ષની સાથે જોડી આપે, અર્થાત્ તે મોક્ષસાધક બને છે. પૂર્વે બીજી ગાથામાં સ્થાનાદિ ગત ધર્મવ્યાપારને યોગ કહેલો. એટલે કે આ સ્થાનાદિવ્યાપાર મોક્ષસાધક છે. મોક્ષનું કારણ છે. પણ જો ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન જ કરવામાં ન આવતું હોય તો સ્થાનાદિ વ્યાપાર પણ અસંભવિત રહે છે. એટલે કે ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન સ્થાનાદિ વ્યાપારનું આધારરૂપે કારણ છે. અર્થાત્ એ મોક્ષના કારણનું કારણ છે. કારણનું જે કારણ હોય તે પ્રયોજક કહેવાય છે. માટે ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન મોક્ષનું પ્રયોજક છે. ને તેથી એ પણ હિતકર છે. આમાં, વસ્તુતઃ સ્થાનાદિયોગ એ મોક્ષસાધક છે. એટલે, ચૈત્યવન્દન કરવા છતાં એ સ્થાનાદિ જળવાતા ન હોયતો એચૈત્યવન્દન વગેરે અનુષ્ઠાન મોક્ષના પ્રયોજક પણ બની શક્તા નથી, માટે હિતકર બનતા નથી. પ્રણિધાનાદિ આશયો ભળેલા ન હોય તો તો તુચ્છ દ્રવ્યક્રિયા જ થાય છે એ પ્રારંભે જ આવી ગયું છે. માટે આ સ્થાનાદિવ્યાપારયુક્ત ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પ્રણિધાનાદિ આશયો ભળેલા હોય તો જ મોક્ષસાધક છે – હિતકર છે એ જાણવું સ્થાનાદિ જાળવવાની નિરુપાધિક ઇચ્છા-રુચિ હોય, પણ સત્ત્વહીનતા વગેરે કારણે ચૈત્યવન્દનાદિમાં એની જાળવણી ન હોય તો પણ એ ચૈત્યવન્દન ઇચ્છાયોગ સંપાદક બનીને બાળાદિ જીવોને અનુગ્રાહક બને છે એ આવી ગયું છે. એટલે, સ્થાનાદિનો, એવી ઇચ્છા સ્વરૂપ પ્રયત્ન પણ જેમાં જળવાયો ન હોય એવા ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન શુભક્સિાસ્વરૂપ હોવાથી પુણ્યબંધ જરૂર કરાવે છે. પણ એ પુણ્ય મોક્ષપ્રાપ્તિમાં સામાન્યરીતે સહાયક હોતું નથી. માટે સ્થાનાદિના પ્રયત્નવાળા જ ચૈત્યવન્દનાદિને અહીં હિતકર કહ્યા છે એ જાણવું. નિયભેદે પ્રકારભેદ) 2િ21) 221 Page #239 -------------------------------------------------------------------------- ________________ ' तथा ' इति प्रकारान्तरसमुच्चये । 'सदनुष्ठानत्वेन योगपरिणामकृतपुण्यानुबन्धिपुण्यनिक्षेपाद्विशुद्धचित्तसंस्काररूपया प्रशान्तवाहितया सहितस्य चैत्यवन्दनादेः स्वातन्त्र्येणैव मोक्षहेतुत्वादिति भावः । प्रकारभेदोऽयं नयभेदकृत इति न कश्चिद्दोषः ૫૬૭|| વૃત્તિઅર્થ : `‘તથા’ શબ્દ બીજા પ્રકારનો સમુચ્ચય કરવા માટે છે. યોગપરિણામથી કરાયેલા પુણ્યાનુબન્ધી પુણ્યનો સંચય થવાથી વિશુદ્ધ ચિત્તસંસ્કાર રૂપ પ્રશાન્તવાહિતાથી યુક્ત ચૈત્યવન્દન સદનુષ્ઠાનરૂપ બનતું હોવાના કારણે સ્વતન્ત્રપણે જ મોક્ષનું કારણ (છે, અને આમ મોક્ષનું કારણ બનતું) હોવાથી (હિતકર છે) એમ રહસ્ય જાણવું. નયભેદના કારણે આ પ્રકારભેદ છે, માટે કોઇ દોષ નથી. વિવેચન : (૧) ચૈત્યવન્દન અનુષ્ઠાન શા માટે હિતકર બને છે એનું નિરૂપણ ચાલી રહ્યું છે. એમાં એક વાત એ બતાવી કે એ મોક્ષનું પ્રયોજક છે માટે હિતકર બને છે. હવે બીજી રીતે એની હિતકરતા બતાવવા માટે તથા એવો શબ્દ વાપર્યો છે. (ચૈત્યવન્દન સદનુષ્ઠાન છે. માટે મોક્ષનું સ્વતન્ત્ર કારણ હોવાથી હિતકર છે, આ પ્રકારાન્તર જાણવો. ) (૨) ષોડશક (૧૦-૧)માં ઉચિતક્રમથી પુણ્યાનુબંધી પુણ્યનો નિક્ષેપ કહ્યો છે. તેથી જણાય છે કે પ્રસ્તુતમાં પ્રણિધાનપૂર્વક યથાક્રમ સ્થાનાદિ જાળવવાનો પરિણામ એ યોગપરિણામ છે. આ પરિણામ ત્રૈકાલિક હોય છે. અર્થાત્ ચૈત્યવન્દનાદિકાળે, એની પૂર્વે અને પશ્ચાત્ . ત્રણે કાળમાં યથાયોગ્ય હોય છે. આમાં સ્થાનાદિ જાળવવાનો પરિણામ એ શુભક્રિયાપરિણામસ્વરૂપ હોવાથી પુણ્યજનક છે. વળી એ શુભપ્રણિધાનથી યુક્ત છે, માટે એ પુણ્ય પુણ્યાનુબંધી બને છે. શુભક્રિયાપરિણામથી કર્મપુદ્ગલમાં સંસ્કાર પડે છે (પુણ્યત્વ સર્જાય છે) અને વિશુદ્ધ પ્રણિધાનથી આત્મામાં સંસ્કારો પડે છે. આત્મામાં પડેલા આ સંસ્કારો એ જ વિશુદ્ધ ચિત્તસંસ્કાર છે. એ ક્ષયોપરામરૂપ છે. એટલે એના પ્રભાવે આત્મામાં આ સંસ્કારથી વિપરીત આવેગ રૂપ કોઇ વિક્ષેપ ઊભા થતા નથી, ને તેથી આ આત્માની શાંતપ્રશાંત અવસ્થા હોય છે. આ પ્રશાંતવાહિતા છે, અને એ ઉક્ત વિશુદ્ધચિત્તસંસ્કારરૂપ છે. યોગપરિણામવૈકાલિક હોવાથી આ પ્રાંતવાહિતા અવસ્થિત હોય છે. અને તેથી જે ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન થાય તે પ્રશાંતવાહિતાથી સહિત જ થાય છે. માટે એ યોગવિંશિકા...૧૭ 222 Page #240 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવન્દનાઠિ સદનુષ્ઠાનરૂપ છે. અને એ સડનુષ્ઠાન છે, માટે મોક્ષનું સ્વતંત્ર કારણ છે. અર્થાત્, ‘‘મોક્ષકારણીભૂત સ્થાનાદિના કારણરૂપે જ એ મોક્ષનું કારણ (=પ્રયોજક) છે,’’ એવું નથી, પણ એ સદનુષ્ઠાનાત્મક હોવાથી સ્વતંત્રરૂપે મોક્ષનું કારણ છે. (ચારે પ્રકારના) સદનુષ્ઠાન મોક્ષનું કારણ છે એ પોડાકજીમાં કહ્યું છે. तत्प्रीति - भक्ति - वचनाऽसङ्गोपपदं चतुर्विधं गीतम् । તત્ત્વામિને: પરમપસાધન સર્વમવેતત્ ॥ ૬૦-૨// અર્થ : તે (સનુષ્ઠાન) પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન એમ ચાર પ્રકારે તત્ત્વજ્ઞો વડે કહેવાયું છે. આ બધું પરમપદનું સાધન છે. પહેલાં, ચૈત્યવન્દનાદિમાં સ્થાનાદિકારણતા હોવાથી મોક્ષપ્રયોજકતા છે માટે હિતકરતા છે એમ કહ્યું. અહીં, ચૈત્યવન્દનાદિમાં સદ્દનુષ્ઠાનત્વ હોવાથી મોક્ષકારણતા છે, માટે હિતકરતા છે એમ કહ્યું, માટે આ પ્રકારાન્તર છે. (૩) (ચૈત્યવન્દનને એક વાર મોક્ષનું કારણ ન કહેતાં પ્રયોજક કહેવું... ને બીજીવાર એને મોક્ષનું કારણ કહેવું.... આ તો પરસ્પર વિરુદ્ધ થયું..’ આવી શંકાના સમાધાન માટે પ્રારમેયોય વગેરે અધિકાર છે.) ચૈત્યવન્દનમાં હિતકરતા આમ જુદા જુદા પ્રકારે,જે બતાવી તે નયભેદના કારણે છે, માટે પરસ્પરવિરોધ વગેરે કોઇ દોષ એમાં નથી. નયભેદ એટલે દષ્ટિભેદ... અપેક્ષાભેદ... જુદી જુદી અપેક્ષાએ એની એ વાત અલગ-અલગરૂપે કહી શકાય છે. જેમકે – જ્ઞાન ચારિત્રને પેદા કરે છે (જ્ઞાનસ્ય તેં વિરતિ:) અને છેવટે સર્વસંવરરૂપ ચારિત્ર મોક્ષજનક બને છે. માટે મોક્ષનું કારણ ચારિત્ર છે, જ્ઞાન નથી... જ્ઞાન તો ચારિત્રજનનમાં જ ચરિતાર્થ થઇ જાય છે. પણ એ મોક્ષકારણીભૂત ચારિત્રનું કારણ હોવાથી મોક્ષનું પ્રયોજક છે. આ એક નય છે. જ્યારે બીજો નય તો જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષ: વગેરે સૂત્રને અનુસારે ચારિત્ર (=ક્રિયા) ની જેમ જ્ઞાનને પણ મોક્ષનું કારણ માને જ છે. જેમ આ નયભેદ છે, એમ જ પ્રસ્તુતમાં નયભેદ જાણવો. કારણના કારણને ‘કારણ’ તરીકે ન સ્વીકારતા પ્રયોજક તરીકે સ્વીકારનાર નયના મતે જ્ઞાનની જેમ ચૈત્યવન્દન પણ પ્રયોજક છે, કારણ નથી. અને કારણના કારણને પણ ‘કારણ’ તરીકે સ્વીકારનાર નયના મતે ચૈત્યવન્દન એ મોક્ષનું કારણ છે. આમ જુદા જુદા નિરૂપણમાં અપેક્ષા જુદી જુદી છે. માટે કોઇ દોષ નથી. ચિત્યવંદન સદનુષ્ઠાન છે 223 Page #241 -------------------------------------------------------------------------- ________________ અથવા, ચૈત્યવન્દનને સદનુષ્ઠાન કહ્યું... અને આગળ આ સદનુષ્ઠાનના (ચૈત્યવન્દનાદિના) પ્રીતિ-ભક્તિ વગેરે ચાર પ્રકાર કહેશે. અન્યત્ર ષોડશક વગેરેમાં પણ અનુષ્ઠાનના આ ચાર પ્રકાર કહ્યા છે, પણ જ્ઞાનસારમાં યોગાષ્ટકના સાતમા શ્લોકમાં પ્રતિમવિવોડ: સ્થાનાદ્યપિ ચતુર્વિધ.. એ પ્રમાણે સ્થાનાદિના જ પ્રીતિ-ભક્તિ વગેરે ચાર પ્રકારો કહ્યા છે. એટલે જણાય છે કે ચૈત્યવન્દનાદિ સદનુષ્ઠાન અને સ્થાનાદિનો અભેદ પણ અભિપ્રેત છે. એ વાત પણ સાચી છે. સ્થાન-વર્ણ-અર્થ વગેરેને કાઢી નાખો તો સદનુષ્ઠાનમાં બચે શું? અર્થાત્ સદનુષ્ઠાન સ્થાનાદિમય જ છે. સ્થાનાદિ એના અંશ છેને સદનુષ્ઠાન અંશી છે. ને તેથી અંશ-અંશીનો અભેદ માનનાર નયે બન્નેનો અભેદ છે. માટે સ્થાનાદિ જો મોક્ષહેતુ છે તો તદભિન્ન ચૈત્યવન્દનાદિ સદનુષ્ઠાન પણ મોહેતુ છે જ. એટલે, અંશ-અંશીનો ભેદ માનનાર નયે ચૈત્યવન્દન એ પ્રયોજકને અભેદ માનનાર નયે કારણ.... આમ નયભેદે પ્રકારભેદ હોવાથી કોઈ દોષ નથી. ૧૭ सदनुष्ठानभेदानेव प्ररूपयंश्चरमतद्भेदे चरमयोगभेदमन्तर्भावयन्नाह અવતરણિકાર્યઃ સદનુષ્ઠાનના જ ભેદોની પ્રરૂપણા કરતાં અને સદનુષ્ઠાનના ચરમભેદમાં યોગના ચરમભેદનો અન્તર્ભાવ કરતાં ગ્રન્થકાર કહે છે... વિવેચનઃ ચૈત્યવન્દનને સત્તરમી ગાથામાં સદનુષ્ઠાન તરીકે કહ્યું છે. એટલે ચૈત્યવન્દનાદિ સદનુષ્ઠાનના પ્રીતિઅનુષ્ઠાનવગેરે ચાર પ્રકારોની હવેની ગાથામાં ગ્રન્થકાર પ્રરૂપણા કરે છે. તથા સદનુષ્ઠાનના એ ચાર ભેદોમાંના ચરમભેદમાં (અસંગઅનુષ્ઠાનમાં)* યોગના સ્થાનવગેરે પાંચ ભેદમાંના ચરમ અનાલંબનયોગનો અન્તર્ભાવ થાય છે એ વાત ગ્રન્થકાર હવેની ગાથામાં કરે છે. एयं च पीइभत्तागमाणुगं तह असंगयाजुत्तं । नेयं चउव्विहं खलु एसो चरमो हवइ जोगो॥१८॥ एयं चत्ति । एतच्च = सदनुष्ठानं प्रीतिभक्त्यागमाननुगच्छति तत् प्रीतिभक्त्या*અહીં પણ - ‘વળી તે સહનુષ્ઠાન સ્થાનાદિ વીશ ભેદરૂપ છે, તેમાં ચરમભેદ જે અનાલંબન છે તે અને સાનુકાનમાં જે ચરમભેદ અર્થાત્ અસંગઅનુષ્ઠાન છે તે બન્ને એક જ છે તે બતાવતાં કહે છે - આવું જે અવતરણિતાર્થનું વિવેચન ક્યું છે તે બરાબર લાગતું નથી. કારણકે ગ્રન્થકારે ‘અનાલંબનને યોગના સ્થાનાદિ પાંચ ભેદમાંના ચરમભેદ તરીકે કહ્યો છે, સદનુષ્ઠાનના સ્થાનાદિ વીશ ભેદમાંના ચરમભેદ તરીકે નહીં 2િ24) યોગવિંશિકા...૧૮ 224 Page #242 -------------------------------------------------------------------------- ________________ गमानुगं = प्रीत्यनुष्ठानं भक्त्यनुष्ठानं वचनानुष्ठानञ्चेति त्रिभेदं, तथाऽसङ्गतया युक्तमसङ्गानुष्ठानमित्येवं चतुर्विधं ज्ञेयम् । एतेषां भेदानामिदं स्वरूपम् ગાથાર્થ અને આ (સદનુણાન) પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરનારું તથા અસંગતાથી યુક્ત એમ ચાર પ્રકારે જાણવું. આ (અસંગતાનુષ્ઠાન) એ ચરમયોગ વૃત્તિઅર્થ અને આ = સદનુષ્ઠાન પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરે એવું પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન અને આગમઅનુષ્ઠાન એમ ત્રણ પ્રકારનું છે. તથા અસંગતાથી યુક્ત એવું અસંગાનુષ્ઠાન - આમ (સદનુષ્ઠાન) કુલ ચાર પ્રકારનું જાણવું આ ભેદોનું સ્વરૂપ આ છે. વિવેચનઃ ષોડશકજીમાં, પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ છે ઉપપદ = પૂર્વપદ જેના એવા ચાર પ્રકારો સાનુકાનના છે એ રીતે આનો ઉલ્લેખ છે. (૧) પૂર્વે બીજી ગાથાની વૃત્તિમાં તે વત્વ મેલા: એમ જણાવીને પછી અનાલંબન યોગની વાત જણાવેલી. અહીં પણ જીત્યનુષ્ઠાન મર્ચનુષ્ઠાન વવનાનુષ્ઠાનશેતિ વિમે એમ જણાવીને પછી અસંગાનુષાનને જણાવ્યું છે. એટલે કે અનાલંબનને સ્થાનાદિ ચારથી અલગ પાડી દીધું. એમ અહીં અસંગને પ્રીતિ વગેરેથી ત્રણથી અલગ પાડી દીધું. આવું કરવા પાછળ શું અભિપ્રાય હશે? એ વિચારણીય છે. સ્થાનાદિ ચારમાં રૂપી દ્રવ્યની અપેક્ષા છે, અનાલંબનમાં એ નથી. આ વિલક્ષણતા, તથા પ્રીતિવગેરેમાં આસંગ છે, અનાસંગમાં એનથી. આ વિલક્ષણતા. આવી અત્યન્ત અલગ પડી જતી વિલક્ષણતાનેનજરમાં રાખીને આમછ્યું હોવાની શક્યતા છે. અથવા આ અસંગાનુષ્ઠાન જ અનાલંબનયોગ બને છે એવી જે વાસ્તવિકતા છે એનું સૂચન કરવા આ પ્રમાણે બેને અલગ પાડ્યા હોય એ પણ સંભવિત છે. ___ यत्रानुष्ठाने प्रयत्नातिशयोऽस्ति परमा च प्रीतिरुत्पद्यते शेषत्यागेन च यत्क्रियते तत्प्रीत्यनुष्ठानम् । आह च यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः। ' ષોડશકજીમાં પરમ: એ ગાવા નું વિશેષણ છે, પ્રીતિનું નહીં, માટે પરમઝતિ: એવો સામાસિકશબ્દ માનવાની જરૂર નથી. સદનુષ્ઠાનના ભેદો] 225) Page #243 -------------------------------------------------------------------------- ________________ शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ षोड. १०-३॥ વૃત્તિઅર્થ : જે અનુષ્ઠાનમાં પ્રયત્નાતિશય હોય, પરમ પ્રીતિ ઉત્પન્ન થાય, અને રોષ ત્યાગ પૂર્વક જે કરાય તે પ્રીતિ અનુષ્ઠાન છે. ષોડશકજીમાં કહ્યું છે કે - જેમાં પરમ આદર હોય, કર્તાની હિતનો ઉદય કરનારી પ્રીતિ હોય તથા કર્તા શેષ કાર્યોના ત્યાગ પૂર્વક જે અનુષ્ઠાન કરતો હોય તે પ્રીતિઅનુષ્ઠાન છે. વિવેચન : જેનો આદર હોય તે કાર્ય ચીવટથી થાય જ. એટલે વિશેષ આદર હોય તો તો પૂછવાનું જ શું ? તેથી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પ્રત્યે પરમ આદર ધરાવનારને પ્રયત્નાતિશય આવે જ. માટે, ષોડશજીમાં પરમ આદર જે કહ્યો છે તેને જ અહીં વૃત્તિકારે ‘પ્રયત્નાતિશય’ શબ્દ દ્વારા જણાવ્યો છે એ જાણવું. વળી આ આદર જ અનુષ્ઠાન કરતી વેળા પ્રીતિ-આનંદ-હર્ષ પેદા કરે છે. અનુષ્ઠાન કરતાં કરતાં જેમ વધુ ને વધુ પ્રીતિ અનુભવાય. યાવત્ રોમાંચ ખડા થઈ જાય. તેમ તેમ અનુષ્ઠાતાનું વધુ ને વધુ આત્મહિત થાય છે. એટલે, હિતનો ઉદય છે જેનાથી એવી પ્રીતિ... એ ‘હિતોદયા’ (પ્રીતિ)... એ રીતે પ્રીતિને અહીં હિતોયા કહી છે. વળી અનુષ્ઠાન કરતાં કરતાં અપૂર્વ આહ્લાદ અનુભવાય છે. એટલે એ કરતી વેળા અન્ય કશું કરવાનું મન થાય જ નહીં. કારણકે અધિકૃત પ્રવૃત્તિમાં રસ ન આવે એનું જ મન અન્ય કાર્ય તરફ ખેંચાતું હોય છે. તથા, જેમાં વધારે આનંદ આવે એ કાર્ય કરવાનું સહજ દિલ બન્યું રહે. એટલે વિવક્ષિત અનુષ્ઠાનનો જ પરમ આનંદ હોવાથી અન્યકાર્યનો ત્યાગ કરીને પણ અનુષ્ઠાન જ કરવાનું બને છે. સંસારનો ત્રાસ ને મોક્ષની તાલાવેલી... આ બન્ને જેટલા જોરદાર ને પછી એના ઉપાય તરીકે ચૈત્યવન્દનાદિની જેવી તીવ્રશ્રદ્ધા... એને અનુસરીને ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પ્રત્યે આદર-ગૌરવ પેદા થાય છે. આ આદરને અનુસરીને અનુષ્ઠાન આચરવાનો ચઢિયાતો પ્રયત્ન થાય છે... તેમ જ અનુષ્ઠાન કરતી વેળા પ્રીતિ અનુભવાય છે. ને પ્રીતિના કારણે અન્યકાર્યનો ત્યાગ થાય છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સામાન્યથી કોઇ પણ વર્ણન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે આદર્શનું-શ્રેષ્ઠનું કરવામાં આવતું હોય છે. જેમકે જૈન સાધુ કેવા હોય ? તેનું વર્ણન કરવાનું હોય ત્યારે – બેંતાલીરા દોષ રહિત ભિક્ષા, નિત્ય એકાસણા, ચાઉક્કાલ સ્વાધ્યાય... અત્યંત ક્ષમાશીલ... પરીષહોના વિજેતા... વગેરે જ વર્ણન કરાતું હોય છે. પણ એનો મતલબ એવો નથી હોતો કે આમાં થોડું ઓછું યોગવિંશિકા ૧૮ 226 Page #244 -------------------------------------------------------------------------- ________________ વસ્તું હોય એને સાધુ ન કહેવાય. પ્રસ્તુતમાં પણ આવું જ જાણવું. પ્રીતિઅનુષ્ઠાનોમાં આદર્શભૂત બને એવું અનુષ્ઠાન અહીં વર્ણવવામાં આવ્યું છે. એનો અર્થ એવો ન કરવો કે જેમાં અત્યન્ત ચઢિયાતો પ્રયત્ન ન હોય, કે રોમાંચ ખડા થઈ જવા વગેરે રૂપે તીવ્ર પ્રીતિ અનુભવાતી ન હોય કે હંમેશા રોષના ત્યાગપૂર્વક તે કરાતું હોય એવું પણ ન હોય... તો પ્રીતિઅનુષ્ઠાન ન જ કહેવાય. અનુષ્ઠાન પ્રત્યે આદર જોઇએ આ મૂળરારત છે પછી પ્રારંભિક કક્ષામાં હજુ આદર પણ એટલો પ્રબળ પેઠા ન થયો હોય ત્યારે અનુષ્ઠાન આઠરતી વખતે એવો તીવ્ર પ્રયત્ન ન હોય એવું પણ બને... વળી આદર મંદ છે એટલે અનુષ્ઠાન સેવતી વખતે એવી કોઇ વિશેષ પ્રીતિ ન અનુભવાતી હોય એવું પણ બને (હા ! પણ કંટાળો-અપ્રીતિ તો ન જ જોઇએ...) તથા ક્યારેક રોષકાર્યો છોડીને આ અનુષ્ઠાન કરવાના બદલે આ અનુષ્ઠાન છોડીને શેષકાર્યો થાય... આવું પણ બનતું હોય... અને છતાં, થોડા પણ આદરપૂર્વક છે, માટે એ અનુષ્ઠાન જ્યારે કરે છે ને જેવા પ્રયત્નપૂર્વક ને જેવી પ્રીતિ અનુભવવાપૂર્વક કરે છે ત્યારે તે પ્રીતિઅનુષ્ઠાનરૂપ બને જ છે. પ્રીતિ અનુષ્ઠાનના તરતમતાભેદે અસંખ્યભેદ છે... એમાંના પ્રારંભિકભેદોમાં એનો સમાવેશ થઈ શકે. આવી રીતે પણ એ અનુષ્ઠાન ચાલુ રાખે એનાથી જ ઉત્તરોત્તર પ્રીતિ વધતાં વધતાં છેવટે આદર્શભૂત પ્રીતિઅનુષ્ઠાન પમાય છે. 'एतत्तुल्यमप्यालम्बनीयस्य पूज्यत्वविशेषबुद्ध्या विशुद्धतरव्यापारं भक्त्यનુષ્ઠાનમ્। મહ વ - गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥ षोड. १०-४ ॥ प्रीतित्व भक्तित्वे संतोष्यपूज्यकृत्यकर्तव्यताज्ञानजनितहर्षगतौ जातिविशेषौ, आह च - - अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति। `तुल्यमपि कृत्यमनयोर्ज्ञातं स्यात्प्रीतिभक्तिगतम् ॥ षोड. १० -५ तुल्यमपि कृत्यं भोजनाच्छादनादि ज्ञातमुदाहरणम् । વૃત્તિઅર્થ : 'આને = પ્રીતિઅનુષ્ઠાનને તુલ્ય એવું પણ જે અનુષ્ઠાન આલંબનીય પ્રત્યેની વિશેષ પ્રકારની પૂજ્યતા બુદ્ધિના કારણે વધારે વિશુદ્ધિવાળું હોય તે ભક્તિઅનુષ્ઠાન છે. ષોડશજીમાં કહ્યું છે કે – બુદ્ધિમાન્જીવનું વિશેષપ્રકારના ગૌરવના કારણે, ક્રિયામાં ઇતરને = પ્રીતિઅનુષ્ઠાનને તુલ્ય એવું પણ જે અધિક વિશુદ્ધ 227 ભક્તિ અનુષ્ઠાન Page #245 -------------------------------------------------------------------------- ________________ યોગવાળું અનુષ્ઠાન, તે ભક્તિઅનુષ્ઠાન જાણવું. પ્રીતિત્વ અને ભક્તિત્વ એ સંતોષ્યકૃત્યકર્તવ્યતાજ્ઞાનજનિત હર્ષ અને પૂજ્યકૃત્યકર્તવ્યતાજ્ઞાનજનિત હર્ષમાં રહેલી અલગ-અલગ જાતિઓ છે. ષોડશકજીમાં કહ્યું છે કે – પત્ની અત્યન્ત પ્રિય છે અને એ રીતે માતા અત્યન્ત હિત કરનારી છે. એટલે આ બન્નેનું તુલ્ય કાર્ય પણ પ્રીતિ અને ભક્તિ અંગેનું દષ્ટાન્ત છે. આમાં તુલ્ય પણ કૃત્ય એટલે ભોજન-આચ્છાદાન (=વસ્ત્ર) વગેરે જ્ઞાત = ઉદાહરણ છે. વિવેચનઃ (૧) ભક્તિ અનુષ્ઠાન પણ વિશિષ્ટ પ્રયત્નપૂર્વક, પ્રબળ પ્રીતિની અનુભૂતિપૂર્વક અને શેષત્યાગપૂર્વક થતું હોય છે, આ જ ભક્તિઅનુષ્ઠાનમાં રહેલી પ્રીતિઅનુષ્ઠાનની તુલ્યતા છે. (૨) વિવેક્યુક્ત અધિકઆદર વગેરે ભાવયુક્ત હોવાના કારણેઝીણી ઝીણી વિધિમાં પણ વધુ સૂક્ષ્મ ચોકસાઈ જળવાય એટલે અનુષ્ઠાન વધારે વિશુદ્ધવ્યાપારવાળું કહેવાય. ભક્તિ અનુષ્ઠાન આવું હોય છે. (૩) પત્ની અને માતાના દષ્ટાન્તને બરાબર સમજવું જોઇએ. પત્ની પ્રત્યે પ્રીતિ છે, એમાં આદાન-પ્રદાન ઉભયની અપેક્ષા છે. પતિ પત્નીને ભોજનઆચ્છાદનાદિ બધી વસ્તુઓ પ્રીતિપૂર્વક આપે છે તો સામા પક્ષે પત્ની પણ પતિને પ્રેમ સાથે - સાનુકૂળવ્યવહાર-સુખ આપે છે. માતા પ્રત્યે ભક્તિ છે. એમાં માત્ર એકપક્ષી વ્યવહાર છે. માતાએ જે કરવા યોગ્ય હતો તે જન્મ-સંસ્કરણ વગેરે ઉપકાર કરી જ દીધો છે. હવે કરવાનું માતાના પક્ષે કશું નથી. પુત્રે જ કરવાનું છે... ભોજનઆચ્છાદનાદિ પ્રદાન વગેરે કરવાનું ને સામેથી મેળવવાની કોઈ અપેક્ષા નહીં. ઉપરથી ચામડાના જૂતાં કરીને પહેરાવું તો પણ ઉપકારનો બદલો વળી શકે એમ નથી એવી કૃતજ્ઞતા ઉભરાતી હોવાથી જે કાંઈ પોતે કરે એ ઓછું જ લાગે... ને જે કરે એમાં ખૂબ જ ઉત્સાહ વર્તતો હોય. આ ભક્તિ છે. પરમાત્મા પ્રત્યે પણ પ્રીતિ-ભક્તિ આવા જાણવા. પ્રભુ! હું તારી ઉપાસના કરું – પૂજા – વન્દના કરું.. તું મને ક્ષમાદિ આત્મગુણો આપજે... આવો આદાનપ્રદાનનો વ્યવહાર છે ત્યાં સુધી પ્રીતિ છે. પણ પછી પ્રભુના અદ્ભુત ગુણો ને ઠેઠ નિગોદમાંથી આ ભૂમિકા સુધી પોતાને પહોંચાડવાનો પ્રભુએ કરેલો અનન્ય ઉપકાર સારી પેઠે પિછાણવાથી ભક્તિ ઉલ્લસિત થાય છે. હજુ આત્મહિત મેળવી લેવાની (228) યોગવિંશિકા....૧૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ઝંખના છે, ને એ માટે પ્રભુભક્તિ કરે છે. પણ એ માટે જ પ્રભુભક્તિ કરે છે, એવું નથી. હવે તો, પ્રભુ! તેંતો અપરંપાર ઉપકાર કરી જ દીધો છે... હવે તો હું તને ભજ્યા જ કરું. ભજ્યા જ કરું. ક્યાંય ધરાઉં જ નહીં. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...' આ ભક્તિ છે. આમાં આત્મહિત મેળવવાની અપેક્ષા છે, પણ એના કરતાં કૃતજ્ઞતાનો ભાવ વધારે પ્રબળ હોય છે. આની પણ જ્યારે ઘણી ઊંચી ભૂમિકા આવે છે, ત્યારે ‘ક્ષમાદિ ગુણો માટે તને ભજું.’ ‘મુક્તિ માટે તને ભજું એવી પણ અપેક્ષા રહેતી નથી. માત્ર ભજવાનો જ ભાવ રહે એવી અવસ્થા આવે છે. ભોજન-આચ્છાદન વગેરે જે પત્નીને આપે છે એ જ માતાને આપે છે છતાં પત્નીને પ્રીતિથી આપે છેને માતાને હિતકર (=ઉપકારી) માનીને ભક્તિથી આપે છે. એમ ચૈત્યવન્દનાદિ તો એના એ જ છે, પણ પહેલાં પ્રીતિ હતી, હવે ભક્તિ છે. આમ અંતરંગ પરિણતિમાં ફેરફાર છે. એટલે જ પ્રીતિઅનુષ્ઠાનરૂપે ચૈત્યવન્દન કરતી વેળા જે હર્ષનુભવ હતો એના કરતાં ભક્તિઅનુષ્ઠાનરૂપે ચૈત્યવન્દન કરતી વેળા થતો હર્ષાનુભવ જુદા પ્રકારનો હોય છે. (૪) બન્ને વખતે અનુભવાતો હર્ષ અલગ-અલગ પ્રકારનો છે. અર્થાત્ વિલક્ષણ જાતિવાળો છે. આ સંતોષ્યનું કાર્ય છે આ બુદ્ધિ જે હર્ષ પેદા કરે એના કરતાં આ પૂજ્યનું કાર્ય છે. આ બુદ્ધિ ચોક્કસ વિશેષ પ્રકારનો હર્ષ પેદા કરે જ. માટે, પ્રીતિત્વ અને ભક્તિત્વ એ હર્ષમાં રહેલી વિલક્ષણજાતિઓ છે, એમ અહીં જણાવ્યું છે. ધર્મસંગ્રહની ટીપ્પણમાં, “પ્રીતિત્વ અને ભક્તિત્વ એ ઇચ્છામાં રહેલી વિલક્ષણજાતિઓ છે એમ ઉપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે – એ જાણવું. 'शास्त्रार्थप्रतिसन्धानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिर्वचनानुष्ठानम्। आह चवचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु।। वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ॥ षोड. १०-६॥ વૃત્તિઅર્થ સાધુ શાસ્ત્રાર્થના પ્રતિસંધાનપૂર્વક સર્વત્ર જે ઉચિત પ્રવૃત્તિ કરે તે વચનાનુષ્ઠાન જાણવું ષોડશકજીમાં કહ્યું છે કે – સર્વત્ર ઔચિત્યનો યોગ હોવાથી જે વચનાત્મિક પ્રવૃત્તિ થાય છે એ વચનાનુષ્ઠાન છે. આ નિયમાં ચારિત્રવાનને હોય (વચનાનુષ્ઠાન) (229) 229 Page #247 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ અનુષ્ઠાનવેળા જિનવચનોનું સ્મરણ કરીને તેને અનુસરીને અનુષ્ઠાન કરે, વળી પ્રમાદાદિવશાત્ પણ વિધિપાલનમાં વિકલતા ન આવવા દે.. આ રીતે શાસ્ત્રવચન મુજબ થતું પરિપૂર્ણ અનુષ્ઠાન એ વચનાનુષ્ઠાન છે. (૧) રાગ-દ્વેષગ્રસ્ત અવસ્થામાંથી વીતરાગતાએ પહોંચવું એ સાધના છે. એટલે સાધકની જે પ્રવૃત્તિ રાગ-દ્વેષને મોળા પાડી વીતરાગતા તરફ લઈ જનારી હોય એને જ “ઉચિત પ્રવૃત્તિ’ કહી શકાય છે. ઉત્સર્ગની જેમ ક્યારેક આપવાદિક પ્રવૃત્તિ પણ ઉચિત હોય છે. એમ ક્યારેક તપ તો ક્યારેક ત્યાગ... ક્યારેક સ્વાધ્યાય તો ક્યારેક વૈયાવચ્ચ... આ બધું જ “ઉચિત હોય શકે છે. ક્યારે શું ઉચિત છે એનો નિર્ણય શાસ્ત્રાર્થ વિના શી રીતે થાય? એ નિર્ણય થયા પછી પણ કર્યું અનુષ્ઠાન ક્યા કમેકઇ વિધિએ કરવું એ બધું શાસ્ત્રાર્થવિનાજાણી શકાતું નથી. શાસ્ત્રના અધ્યયનકાળે એ જાણ્યું હોવા છતાં, જો અનુષ્ઠાનકાળે એનું પ્રતિસધાન (=સ્મરણ) કરવામાં ન આવે તો પણ અ, આચરણ થઈ શકતું નથી. સ્મરણ કર્યા પછી પણ જો સત્ત્વ નબળું હોય તો પ્રમાદાદિના કારણે શાસ્ત્રાર્થનિર્દિષ્ટ વિધિ ન પણ જાળવે, અને તેથી અનુષ્ઠાન વચનાનુષ્ઠાન ન થાય. ક્યારેક શાસ્ત્રાર્થનું પ્રતિસધાન કરી એ મુજબ પ્રવૃત્ત થઈ ઉચિત પ્રવૃત્તિ કરે ને ક્યારેક શાસ્ત્રાર્થનું પ્રતિસધાનન કરવાના કારણે કે ક્યારેક એ પ્રતિસધાન કરવા છતાં પ્રમાદાદિવશાત્ તદનુરૂપ પ્રવૃત્તિન કરે. આવું થતું હોય તો શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિકાળે પણ એ અનુષ્ઠાન “વચનાનુણાન’ ન કહેવાય, કારણકે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો જ વચનાનુષ્ઠાન છે. ષોડશજીની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – ક્ષમા-પડિલેહણ વગેરે બધા ધર્મવ્યાપારમાં દેશ-કાળ-પુરુષ-વ્યવહારાદિના ઔચિત્યપૂર્વક આગમાર્થઅનુસ્મરણ વાળી જે પ્રવૃત્તિ થાય છે તે વચનાનુષ્ઠાન છે. તે નિયમાં સાધુને જ હોય છે, કારણકે ભવદુર્ગલંઘનરૂપઠું ગુણઠાણું એને જ પ્રાપ્ત હોવાથી એ જ લોકસંજ્ઞામુક્ત હોય છે. આ નિશ્ચયનયમત જાણવો. વ્યવહારનયેતો જિનવચનને અનુસરીને માર્ગાનુસારી જીવ પણ જે પ્રવૃત્તિ કરે તે દેશથી વચનાનુષ્ઠાનરૂપ બને છે, એ જાણવું. તથા વચનાનુષ્ઠાન ચારિત્રવાનું હોવાનું જણાવ્યું છે. દેશવિરત પણ ચારિત્રવાનું તો છે જ. માટે દેશવિરતને પણ વચનાનુષ્ઠાન હોવામાં તો કોઈ શંકા રાખવી નહીં. શંકા પણ વૃત્તિકારે તો શાસ્ત્રાર્થપ્રતિમાનપૂર્વ સાધો:..' વગેરે જણાવી 230) યિોગવિંશિકા ૧૮) Page #248 -------------------------------------------------------------------------- ________________ સાધુની જ પ્રવૃત્તિને વચનાનુષ્ઠાન તરીકે જણાવી છે ને ? - સમાધાન - દેશવિરતની માત્ર ધર્મપ્રવૃત્તિઓ વચનાનુષ્ઠાનરૂપે સંભવિત છે, સર્વપ્રવૃત્તિઓ નહીં, જ્યારે સાધુની સર્વ પ્રવૃત્તિઓ વચનાનુષ્ઠાનરૂપે સંભવિત છે. માટે સાધુનો ઉલ્લેખ છે. પણ, દેશવિરતની બાદબાકી કરવા એ ઉલ્લેખ છે – એવું નથી, એ જાણવું, જેમ શ્રી યોગશાસ્ત્ર (૪-૮૭)માં શૈયા સામા યમિનામામાં સ્વત્યવૈહિનામ્... એવું જે જણાવ્યું છે, તેમાં યમીઓનો = સાધુઓનો ઉલ્લેખ 'દેશવિરત વગેરે અન્ય જીવોને સકામનિર્જરા હોતી નથી’ એ રીતે દેશવિરત વગેરેની બાદબાકી કરવા માટે નથી, પણ, ‘ઉત્કૃષ્ટ સકામનિર્જરા સંયમીને જ હોય છે' આવી જે વાસ્તવિકતા છે, એના કારણે છે. આ પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજે શ્રી ધર્મપરીક્ષા ગ્રન્થના ૩૭મા શ્લોડની વૃત્તિમાં જે જણાવ્યું છે, તેને અનુસરીને પ્રસ્તુતમાં જાણવું. વળી, ગૃહસ્થને એટલો વિસ્તૃત ને પટુ શાસ્ત્રાર્થબોધ હોતો નથી.. તેમજ જેટલા અંશે શાસ્ત્રાર્થ પ્રતિસન્ધાન હોય એટલા અંશે સર્વત્ર તદનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે જ એવો નિયમ નથી હોતો, કારણકે એ મુખ્યતયા લોકસંજ્ઞાથી મુક્ત નથી હોતો. તેથી લોકસંજ્ઞાવશાત્ અન્યથાત્વ પણ સંભવિત છે. માટે પણ અહીં “સાધુની સર્વત્ર ઉચિતપ્રવૃત્તિ એ વચનાનુષ્ઠાન’ એમ કહ્યું છે. પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પરમ આદર વગેરે હોવા છતાં શાસ્ત્રાર્થનો પટુબોધ, અનુષ્ઠાનકાળે પડુસ્મૃતિ અને સત્ત્વ ફોરવવાપૂર્વક તદનુસાર મન-વચનકાયયોગનું પ્રવર્તન... આ બધું હોતું નથી... માટે વચનાનુષ્ઠાન હોતું નથી... (છતાં વચનાનુષ્ઠાનની પૂર્વભૂમિકા વર્તી રહી હોય છે એ તો જાણવું જ.) व्यवहारकाले वचनप्रतिसन्धाननिरपेक्षं दृढतरसंस्काराच्चन्दनगन्धन्यायेनात्म साद्भूतं जिनकल्पिकादीनां क्रियासेवनमसङ्गानुष्ठानम् । आह च यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ॥ षोड. १०-७ ॥ વૃત્તિઅર્થ : વ્યવહારકાળે વચનપ્રતિસન્માનને નિરપેક્ષપણે થતું દઢતર સંસ્કારના કારણે ચન્દનગન્ધન્યાયે આત્મસાત્ થયેલું જિનકલ્પિકાદિનું ક્રિયાસેવન એ અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે જિનકલ્પિકાદિ સત્પુરુષો વડે અભ્યાસના અતિશયના અસંગ અનુષ્ઠાન 231 Page #249 -------------------------------------------------------------------------- ________________ કારણે આત્મસાત્ થયેલાની જેમ જે ચેષ્ટી થાય છે તે અસંગાનુષ્ઠાન જણવું. આ (આત્મસાત્ જેવી પ્રવૃત્તિ) તેના આવેધથી = વચનના સંસ્કારથી થાય છે. વિવેચનઃ જે અને જેવી પ્રવૃત્તિ વારંવાર સ્વરસથી કરવામાં આવે છે અને તેવી પ્રવૃત્તિ પુનઃ પુનઃ અભ્યાસના કારણે આત્મસાત્ થઈ જતી હોય છે, સહજ બની જતી હોય છે. અર્થાત્ પૂર્વે જે કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડતો હતો તે હવે કરવો પડતો નથી. વચનાનુષ્ઠાનમાં, શાસ્ત્રવચનનું પ્રતિસધાન અને તદનુરૂપ વીર્ય ફોરવવું એ વિશેષ પ્રયત્ન' તરીકે હતું, એવું વારંવાર કરવાથી એના દઢસંસકાર પડી ગયા. એટલે ચંદનમાં ગધ જેમ આત્મસાત્ થયેલી હોય છે એમ અનુષ્ઠાન આત્મસાત્ થઈ જાય છે. તેથી, આવા=અનુષ્ઠાન આત્મસાત્ થયેલું હોય એવા જિનકલ્પિક વગેરેને પુનઃ એ અનુષ્ઠાનના અવસરે શાસ્ત્રવચનનું પ્રતિસધાન કરવાની આવશ્યક્તા હોતી નથી. એટલે એ અનુસધાન વિના પણ ઉચિત પ્રવૃત્તિ જ થાય છે. શાસ્ત્રવચનો આ અનુષ્ઠાન આ રીતે કરવાનું કહે છે માટે હું પણ એ પ્રમાણે કરીશ... આવી લાગણી વિના વચનાનુસારી અનુષ્ઠાન શક્ય નથી હોતું. આ લાગણી પણ એક પ્રકારનો સંગ (આસક્તિ=રાગ) છે. પણ હવે, અનુષ્ઠાન આત્મસાત્ થઈ ગયું છે. એટલે આવા સંગ વિના પણ સહજપણે અનુષ્ઠાન ઉચિત રીતે થયા કરે છે. માટે એને અસંગઅનુષ્ઠાન કહે છે. तदावेधात् = यथाऽऽद्यं चक्रभ्रमणं दण्डव्यापारात्, तदुत्तरश्च तजनितकेवलसंस्कारादेव, तथा भिक्षाटनादिविषयं वचनानुष्ठानं वचनव्यापाराद्, असंगानुष्ठानश्च केवलतज्जनितसंस्कारादिति विशेषः, आह च चक्रभ्रमणं दंडात्तदभावे चैव यत्परं भवति। वचनासंगानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् । षोड. १०-८॥ इति । વૃત્તિઅર્થ તદાવેધાતુ = જેમ પ્રથમ ચકભ્રમણ દંડના વ્યાપારથી થાય છે અને તે પછી થતું ચકભ્રમણ કેવલ તન્નનિત સંસ્કારથી જ થાય છે. તેમ ભિક્ષાટન વગેરે અંગેનું વચનાનુષ્ઠાનવચનના વ્યાપારથી થાય છે. પણ પછી અસંગાનુષ્ઠાન કેવલ તેનાથી (વચનવ્યાપારથી) જનિતસંસ્કારથી જ થાય છે એટલો તફાવત જાણવો. ષોડશકજીમાં કહ્યું છે – જે ચકભ્રમણ દંડથી થાય છે. અને કંડનો અભાવ થયે પછીથી જે ચકભ્રમણ થાય છે. તે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનું જ્ઞાપકકદષ્ટાન્ત જાણવું. 2િ32 યોગવિંશિકા....૧૮) Page #250 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : દંડથી ચાકડો ઘુમાવવા માટે પ્રારંભે દંડના વ્યાપારની આવશ્યકતા હોય છે. આ વ્યાપારથી ચાકડામાં સંસ્કાર ઉત્પન્ન થઈ ગયા બાદ ઠંડના વ્યાપાર વિના પણ એ સંસ્કારવશાત્ ચાકડો ઘુમતો રહે છે. એમ સાધકની ઉચિત પ્રવૃત્તિ માટે પ્રારંભે જિનવચનોનો વ્યાપાર આવશ્યક હોય છે. આશય એ છે કે અનાદિકાળથી પ્રમાદ અને મોહના વ્યાપારથી પ્રવૃત્તિ કરી હોવાથી અત્યાર સુધી એના જ સંસ્કાર હતા. અને તેથી પ્રમાદ-મોહજન્ય પ્રવૃત્તિ જ લસણગન્ધન્યાયે આત્મસાત્ થયેલી. એટલે જીવનો કોઇ વિશેષ પ્રયત્ન ન હોય તો એ મોહજન્ય પ્રવૃત્તિ જ થયા કરતી હતી. સંસારના સ્વરૂપને પિછાણી ચૂકેલો સાધક આ અનાદિની ચાલરૂપ મોહની પ્રવૃત્તિને (અનુચિત પ્રવૃત્તિને) અટકાવવાનો ને ઉચિત પ્રવૃત્તિને અપનાવવાનો એક માત્ર માર્ગ ‘જિનવચનને અનુસરવું’ એ દેખે છે. તેથી ભવવૈરાગ્ય અને મોક્ષાભિલાષ (=સંવેગ) આ બન્નેની પ્રબળતાને અનુસરીને, એ બન્નેને સફળ કરનાર એક માત્ર ઉપાયભૂત જિનવચનો પ્રત્યે પ્રબળ આકર્ષણ પેદા થાય છે. એટલે જ એ ડગલે ને પગલે ‘મારા ભગવાને શું કહ્યું છે ?' એ વિચારતો થાય છે ને તદનુસાર પ્રવૃત્તિ કરતો થાય છે. આ વચનાનુષ્ઠાન છે. અલબત્ અનાદિકાલીન મોહવ્યાપારજન્ય સંસ્કારો પ્રતિબન્ધ કરવા ઊંચા-નીચા થયા કરે છે. પણ વિપરીત પ્રવૃત્તિ કરાવવા રૂપે એ સફળ ન થઈ જાય એ માટે જિનવચનોનું સતત આલંબન લેવું પડે છે. આ માટે જિનવચનો પ્રત્યે ભારોભાર બહુમાન આવશ્યક છે. તેમજ જિનવચનોનો અભ્યાસ, પરાવર્તન, વિમર્શ, અનુપ્રેક્ષા, ભાવન વગેરે અનિવાર્ય હોય છે. તેથી વચનાનુષ્ઠાન, મુખ્યતયા જ્ઞાનસંપન્નને હોય છે, અને તેમના નિશ્રાવર્તીને ગૌણરૂપે હોય છે. જિનવચનોને સતત સ્મરણમાં રાખીને તન્યવ્યાપારરૂપે ઉચિત અનુષ્ઠાનને (વચનાનુષ્ઠાનને) વારંવાર સાધક જે કરતો રહે છે એનાથી બે કાર્યો થાય છે. એક તો અનાદિકાલીન મોહવ્યાપારજન્ય સંસ્કારો ક્ષીણ થવા માંડે છે અને વચનવ્યાપારજન્ય સંસ્કારો ઊભા થવા માંડે છે. પરિણામે એક એવી અવસ્થા આવે છે જે પૂર્વઅવસ્થા કરતાં સાવ વિપરીત હોય છે. પહેલાં એવી અવસ્થા હતી કે મોહનજન્ય પ્રવૃત્તિ કરવા માટે કોઇ (મોહજન્ય તેવી પ્રવૃતિ કરવાનું માર્ગદર્શન આપે એવા) પ્રેરક વચનોને યાદ કરવા પડતા નહોતા... એ વગર જ તેવી અનુચિત પ્રવૃત્તિ સહજ રીતે થયા કરતી હતી, કારણકે એના ગાઢસંસ્કાર હતા. ઉચિત પ્રવૃત્તિ કરવા માટે તો એના પ્રેરક જિનવચનોને યાદ કરવા પડતા હતા, કારણકે એના એવા કોઇ સંસ્કાર નહોતા. સંસ્કારજન્ય અનુષ્ઠાન 233 Page #251 -------------------------------------------------------------------------- ________________ હવે એવી અવસ્થા નિર્માણ થયેલી છે કે કોઈ જ વચનોને સાધક યાદ કરતો નથી. અને છતાં સહજ રીતે ભિક્ષાટનાદિ ઉચિત પ્રવૃત્તિ થયા કરે છે... સંપત્તે મિક્વાણ ગમતો મમુચ્છિો .... વગેરે વચનોને યાદ કરી કરીને, સાધક ભિક્ષાને અયોગ્ય કાળ, સંભ્રાન્ત અને મૂર્છાવાળું ગમન વગેરેથી યુક્ત ભિક્ષાટનાદિ સ્વરૂપ અનુચિત પ્રવૃત્તિને ટાળવાનું અત્યાર સુધી કરતો હતો, ને એ વચનોને યાદ કરી કરીને જ ભિક્ષાકાળેજ ભિક્ષાટન કરવું - અસંભ્રાન્તપણે-મૂચ્છરહિતપણે ભિક્ષાટન કરવું.. વગેરે રૂપ ઉચિત પ્રવૃત્તિ કરતો હતો. એવું વારંવાર કરવાથી એવા સંસ્કાર ઊભા થઈ ગયા કે જેથી હવે, આ વચનોને યાદ નથી કરતો તો પણ સહજ રીતે જ અકાળસંભ્રમ-મૂછવગેરે ટળી જાય છે ને યોગ્યકાળ-અસંભ્રમ-અમૂચ્છવગેરે જળવાયા કરે છે. કારણ સ્પષ્ટ છે – અકાળ વગેરે અનૌચિત્ય લાવનારા સંસ્કારો ઘસાઈ ગયા છે ને યોગ્યકાળવગેરે રૂ૫ ઔચિત્ય લાવનારા સંસ્કારો, અત્યાર સુધીના વચનવ્યાપારથી ઉત્પન્ન થઈ ગયા છે. સાધક જિનવચનોને યાદ કરતો નથી એવું જે અહીં કહ્યું છે તે અનૌચિત્યવર્જન અને ઔચિત્યપાલનમાયાદ કરવાની જરૂર હોતી નથી એ અપેક્ષાએ જાણવું. બાકી ચિત્તને સતત ભાવિત રાખવા માટે અને વિસ્રોતસિકાગમનને ટાળવા માટે શાસ્ત્રવચનોનું પરાવર્તન તેઓને પણ હોય જ છે, એ જાણવું) વચનાનુષ્ઠાનકાળે, જિનવચનો પ્રત્યે બહુમાન (આકર્ષણ-રાગ) હતું. તેમજ અકાળ વગેરે ટાળવાનો અભિપ્રાય અકાળ વગેરે પ્રત્યે કંઇક દ્વેષની છાયાવાળો અને યોગ્ય કાળ વગેરે જાળવવાનો અભિપ્રાય યોગ્યકાળ વગેરે પ્રત્યે કંઇક રાગની પરિણતિવાળો હતો. આ બધું પણ સામાયિની કંઇક મલિનતા કરનાર તો છે જ. શ્રીયોગશતકની ૧૭મી ગાથામાં કહ્યું છે કે - पडिसिद्धेसु अ देसे विहिएसु य ईसिरागभावे वि। सामाइयं असुद्धं सुद्धं समयाए दोसुं पि ॥ १७॥ અર્થ: ‘પ્રતિષિદ્ધ પરષ અને વિહિત પર ઈષ રાગ હોય તો પણ સામાયિક અશુદ્ધ છે. બન્ને પ્રત્યે સમતા આવે ત્યારે સામાયિક શુદ્ધ બને છે.” પણ, પછી તો, મોહજન્ય સંસ્કાર ક્ષીણ થયા હોવાથી અકાળ વગેરે સહજ રીતે ટળ્યા કરે છે, માટે એ પ્રતિષિદ્ધ બાબતો અંગે દ્વેષ હોતો નથી, એમ કાળ વગેરે સહજ રીતે જળવાયા કરે છે, માટે એ વિહિત અંગે રાગ હોતો નથી. એટલે આસંગન [234] યિોગવિંશિકા...૧૮) 234 Page #252 -------------------------------------------------------------------------- ________________ હોવાથી અસંગાનુષ્ઠાન આવે છે ને શુદ્ધ સામાયિક પ્રાપ્ત થાય છે. ચકભ્રમણની દષ્ટાન્તઘટના આ પ્રમાણે છે - વચનાનુષ્ઠાન વચનવ્યાપારજન્ય હોવાથી દંડવ્યાપારજન્ય ચકભ્રમણતુલ્ય છે અને અસંગાનુષ્ઠાન (વચનવ્યાપારવિના માત્ર) સંસ્કારજન્ય હોવાથી દંડરહિત માત્ર સંસ્કારજન્ય ચકભ્રમણ તુલ્ય છે. ધિર્મસંગ્રહનો ત્રીજો શ્લોક આ પ્રમાણે છે- વવનાવિરુદ્ધાદ્યતનુEાન યથોવિતમ્ મૈચારિમાવણિશં તદ્ધતિ જીત્યંત રૂા શ્લોકાર્થઃ અવિરુદ્ધ વચનને અનુસરીને એમાં જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે કરાતું અને મૈત્રી વગેરે ભાવોથી પ્લાવિત એવું જે અનુષ્ઠાન, તે ધર્મ કહેવાય છે. - પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કરેલી આની ટીપ્પણમાં આવો અધિકાર છેनन्वेवं वचनानुष्ठानं धर्मः' इति प्राप्तम्, तथा च प्रीतिभक्त्यसङ्गानुष्ठानेष्वव्याप्तिरिति चेत्? न, वचनव्यवहारक्रियारूपधर्मस्यैवात्र लक्ष्यत्वेनाव्याप्त्यभावादिति । वस्तुत: प्रीतिभक्तित्वे इच्छागतजातिविशेषौ, तद्वज्जन्यत्वेन प्रीतिभक्त्यनुष्ठानयोर्भेदः, वचनानुष्ठानत्वं वचनस्मरणनियतप्रवृत्तिकत्वम्, एतत्रितयभिन्नानुष्ठानत्वं असङ्गानुष्ठानत्वं निर्विकल्पस्वरसवाहिप्रवृत्तिकत्वं वा। इह तु वचनादित्यत्र वेदात्प्रवृत्तिरित्यत्रेव प्रयोज्यत्वार्थिका पञ्चमी। तथा च - वचनप्रयोज्यप्रवृत्तिकत्वं लक्षणमिति न कुत्राप्यव्याप्तिदोषावकाश:, प्रीतिभक्त्यसङ्गानुष्ठानानामपि वचनप्रयोज्यत्वानपायात् । ટીપ્પણાર્થઃ શંકા- અવિરુદ્ધવચનને અનુસરીને થયેલું અનુષ્ઠાન એ ધર્મ છે, આવી જોવ્યાખ્યાબાંધશો તો વચનાનુષ્ઠાન એ ધર્મ' એવો અર્થ મળશે, કારણકે વચનાનુષ્ઠાન જ વચનાનુસારી હોય છે. પ્રીતિવગેરે અનુષ્ઠાનો નહીં. (પણ પ્રીતિ વગેરે અનુષ્ઠાનો પણ ધર્મ તો છે જ, કારણકે સદનુષ્ઠાન તરીકે અને મોક્ષનાં કારણ તરીકે કહેવાયેલાં છે.) તેથી ધર્મના આ લક્ષણની પ્રીતિ, ભક્તિ અને અસંગાનુષ્ઠાનમાં અવ્યાપ્તિ થશે. સમાધાન - ‘વચનને અનુસરીને આ ક્યિા થઈ રહી છેઆવા વચનવ્યવહારવાળી ક્રિયારૂપ (અર્થાત્ વચનાનુષ્ઠાનરૂપ) ધર્મ જ અહીં લક્ષ્ય તરીકે (=વ્યાખ્યય તરીકે) અભિપ્રેત છે. (એટલે પ્રીતિ વગેરે અનુણાનો લક્ષ્ય જ નથી, તો એમાં લક્ષણ ન જાય એ લાભમાં જ છે, અવ્યાપ્તિદોષરૂપ નથી.) પ્રિીત્યાદિ અનુષ્ઠાનો 235) Page #253 -------------------------------------------------------------------------- ________________ વસ્તુતઃ પ્રીતિત્વ અને ભક્તિત્વ એ ઇચ્છામાં રહેલી વિલક્ષણ જાતિઓ છે. પ્રીતિત્વજાતિથી યુક્ત એવી ઇચ્છાથી જે જન્ય હોય તે પ્રીતિઅનુષ્ઠાન છે, ભક્તિત્વજાતિથી યુક્ત એવી ઇચ્છાથી જે જન્ય હોય તે ભક્તિઅનુષ્ઠાન છે. નિયમા વચનસ્મરણપૂર્વક જ જે પ્રવૃત્તિ થાય તે વચનાનુષ્ઠાન છે. આ ત્રણથી ભિન્ન જે અનુષ્ઠાન તે અસંગાનુષ્ઠાન જાણવું. અથવા નિર્વિકલ્પપણે સ્વરસવાહી જે પ્રવૃત્તિ થાય તે અસંગાનુષ્ઠાન જાણવું. (આ કરવાનું, આ નહીં કરવાનું... આ રીતે કરવાનું... આ રીતે નહીં કરવાનું... આવા કોઇ જ વિકલ્પ વિના, સ્વરસવાહીપણે = ચન્દ્રનગન્ધન્યાયે સહજ રીતે જ વિધિપાલન-અવિધિત્યાગ જેમાં થયા કરે એવી અનુષ્ઠાનની પ્રવૃત્તિ એ અસંગાનુષ્ઠાન છે.) વેવાપ્રવૃત્તિ: માં જેમ પંચમી વિભક્તિ ‘પ્રયોજ્યત્વ’ અર્થમાં છે, એમ પ્રસ્તુતમાં વધનાર્ માં જે પંચમી વિભક્તિ છે તે પણ પ્રયોજ્યત્વ અર્થમાં છે. એટલે આવો અર્થ મળશે કે ‘જે અનુષ્ઠાનની પ્રવૃત્તિ વચનપ્રયોજ્ય હોય તે બધું ધર્મ કહેવાય આવું ધર્મનું લક્ષણ છે. અને તેથી કોઈ પણ અનુષ્ઠાનમાં અવ્યાસિદોષ આવવાને અવકાશ નથી, કારણકે પ્રીતિ-ભક્તિ અને અસંગઅનુષ્ઠાનમાં પણ વચનપ્રયોજ્યત્વ તો અબાધિતપણે છે જ. આશય એ છે કે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનવાળાને પણ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનની ઇચ્છા અવિરુદ્ધ વચનથી જ થયેલી હોય છે. પણ આ ઇચ્છા સ્વભૂમિકાવશાત્ થયેલી હોવાથી વેળા-વિધાન વગેરે શાસ્ત્રમાં જે કહ્યા હોય તે બધાની અનુષ્ઠાનમાં જાળવણી થતી નથી, કિન્તુ પોતાની ઇચ્છાને અનુસરીને એની ઓછીવત્તી જાળવણી થાય છે. અર્થાત્ અનુષ્ઠાનસેવનમાં નિયંત્રણ શાસ્ત્રવચનનું નથી, કિન્તુ ઇચ્છાનું છે, અને તે ઇચ્છા વચનજન્ય છે. એટલે વચનથી ઇચ્છા ને ઇચ્છાથી અનુષ્ઠાન થાય છે. માટે આ બન્ને અનુષ્ઠાન પણ વચનપ્રયોજ્ય તો છે જ. અસંગાનુષ્ઠાનમાં પણ નિયત્રણ વચનનું નથી હોતું... પણ સંસ્કારોનું હોય છે. વચનને અનુસરીને પુનઃ પુનઃ અનુષ્ઠાન કરવાથી આત્મામાં સંસ્કાર ઊભા થાય. અને પછી, વચનનું સ્મરણ-અનુસરણ કશું કર્યા વગર આ સંસ્કારવશાત્ સહજ જે અનુષ્ઠાન થયા કરે છે તે અસંગાનુષ્ઠાન છે. માટે, વચન-પુનઃ પુનઃ વચનાનુષ્ઠાન-સંસ્કાર-અસંગાનુષ્ઠાન... આ ક્રમ હોવાથી અસંગાનુષ્ઠાન પણ વચનપ્રયોજ્ય તો છે જ. એટલે આ ત્રણેમાં પણ લક્ષણ જવાથી 236 યોગવિંશિકા...૧૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ અવ્યાસિકોષને કોઇ સ્થાન નથી એ જાણવું. (શાસ્ત્રવચનથી થતી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનની ઇચ્છા બે અંશથી રંગાયેલી હોય છે. નવા-નવા ગુણો-આત્મહિત કમાઇ લેવાની ઇચ્છા અને પ્રભુના પ્રભાવે પ્રાપ્ત થયેલા ગુણો-ઉચ્ચભૂમિકા... વગેરેને નજરમાં રાખવાથી પ્રગટેલી કૃતજ્ઞતા. આમાં નવું નવું આત્મહિતકમાઇ લેવાની ઇચ્છાની પ્રબળતા હોય તો અનુષ્ઠાનની ઇચ્છા એ ‘પ્રીતિ’ કહેવાય છે. અને કૃતજ્ઞતા જો પ્રબળ હોય તો અનુષ્ઠાનની ઇચ્છા એ ‘ભક્તિ’ કહેવાય છે અને તદનુસાર અનુષ્ઠાન પ્રીતિ કે ભક્તિ રૂપ બને છે.) ધર્મસંગ્રહટીપ્પણનો અધિકાર પૂરો.] મૂળની પ્રસ્તુત ૧૮મી ગાયાના ‘વસ્તુ, હ્તો વરમો હવદ્ નોનો’એટલા છેલ્લા અંશની વૃત્તિકાર વૃત્તિ રચે છે. = "खलु' इति निश्चये । एतेष्वनुष्ठानभेदेषु 'एषः एतदः समीपतरवृत्तिवाचकत्वात् समीपाभिहितासङ्गानुष्ठानात्मा चरमो योगः = अनालम्बनयोगो भवति, सङ्गत्यागस्यैवानालम्बनलक्षणत्वादिति भावः ॥ १८ ॥ વૃત્તિઅર્થ : `‘ખલુ’ શબ્દ ‘નિશ્ચય’ અર્થમાં છે. આ અનુષ્ઠાનભેદોમાં આ અસંગાનુષ્ઠાનાત્મક અનુષ્ઠાન ચરમયોગ = અનાલમ્બનયોગ બને છે, કારણકે સંગનો ત્યાગ જ અનાલમ્બનનું સ્વરૂપ છે. આ પ્રમાણે રહસ્ય છે. વિવેચન : (૧) યોગવિંશિકાની ૧૮મી ગાથાના ઉત્તરાર્ધમાં જે ‘ખલુ’ શબ્દ છે તે નિશ્ચયને જણાવે છે. અર્થાત્ ‘સદનુષ્ઠાન પ્રીતિ વગેરે ચાર પ્રકારનું છે’ એ વાત નિશ્ચિતરૂપે જાણવી. - (૨) વધારે નજીક જે રહ્યું હોય તેને સમીપતરવૃત્તિ કહેવાય. તવ્ એવું સર્વનામ આવા સમીપતરવૃત્તિ પદાર્થનું વાચક હોય છે. પ્રસ્તુતમાં ચાર યોગોનો ગાથાના પૂર્વાર્ધમાં જે ઉલ્લેખ કર્યો છે એમાં છેલ્લો ઉલ્લેખ અસંગાનુષ્ઠાનનો છે. તેથી ઉત્તરાર્ધમાં રહેલા : શબ્દને સમીપતરવર્તી અસંગાનુષ્ઠાન હોવાથી એ શબ્દ અસંગાનુષ્ઠાનને જણાવે છે. (૩) અસંગાનુષ્ઠાન સ્થાનાદિ પાંચ યોગમાંના ચરમ અનાલંબનયોગ સ્વરૂપ બને છે. કારણકે અસંગાનુષ્ઠાનમાં સંગનો ત્યાગ છે અને આ સંગનો ત્યાગ એ જ તો અનાલંબનનું સ્વરૂપ છે. અસંગાનુષ્ઠાન=અનાલંબન યોગ 237 Page #255 -------------------------------------------------------------------------- ________________ શંકા- અસંગાનુષ્ઠાન જિનકલ્પિકાદિ મહાત્માઓને હોય છે, માટે દીર્ધકાળ અવસ્થાનવાળું છે. જ્યારે અનાલંબનયોગ તો ક્ષપકશ્રેણિમાં જ હોય છે, માટે અન્તર્મુહૂર્તકાલીન છે. તો અસંગાનુષ્ઠાન એ જ અનાલંબન યોગ છે એવું શી રીતે કહી શકાય? સમાધાન- આનું એકસમાધાનતો આગળ આવશે કે તાત્ત્વિક અનાલંબનયોગ માત્ર પદ્મણિમાં હોવા છતાં અપ્રમત્તમહાત્માઓનું પ્રભુગુણધ્યાન પણ મુખ્યનિરાલંબનનું પ્રાપક વગેરે હોવાના કારણે ઉપચારથી નિરાલંબન છે જ. એટલે એમ કહી શકાય કે અસંગઅનુષ્ઠાન અનાલંબનયોગસ્વરૂપ છે જ, માત્ર એ ક્યાં તો મુખ્ય અનાલંબનરૂપ હોય ને ક્યાં તો ઉપચરિત અનાલંબનયોગ સ્વરૂપ હોય. અથવા મૂળમાં, તે વરમો દવરૂ ગોળો આવી જે પંક્તિ છે એનો આ અસંગાનુષ્ઠાન ચરમ અનાલંબનયોગરૂપ છે' એવો અર્થ ન કરવો, પણ આ અસંગાનુષ્ઠાન ચરમ અનાલંબનયોગ બને છે (અર્થાત્ અસંગાનુષ્ઠાન જ આગળ વધતાં અનાલંબનયોગ સ્વરૂપે બને છે, પ્રીતિવગેરે અનુષ્ઠાન નહીં) આવો અર્થ કરવો. ને ૧૯ો आलम्बनविधयैवानालम्बनस्वरूपमुपदर्शयन्नाह आलंबणं पि एयं रूवमरूवी य इत्थ परमु त्ति। तग्गुणपरिणइरूवो सुहुमो अणालंबणो नाम ॥१९॥ आलंबणं पि त्ति। आलम्बनमपि 'एतत् = प्राकरणिकबुद्धिसंनिहितं अत्र = योगविचारे 'रूपि-समवसरणस्थजिनरूपतत्प्रतिमादिलक्षणम्, च = पुन: अरूपी परम:सिद्धात्मा इत्येवं द्विविधम्। અવતરણિતાર્થ: આલંબનના પ્રકારોના વર્ણન દ્વારા જ અનાલંબનનું સ્વરૂપ દર્શાવતા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ રૂલ્ય = સત્ર = યોગવિચારમાં આ આલંબન પણ બે પ્રકારે કહેવાયું છે. રૂપી અને અરૂપી પરમ પરમાત્મા. તેના ગુણની પરિણતિરૂપ સૂક્ષ્મ અનાલંબન નામનો યોગ છે. અથવા પાઠાન્તરે, તદ્ગણપરિણતિરૂપ સૂક્ષ્મ 2િ38] 238 યોગવિંશિકા...૧૯ Page #256 -------------------------------------------------------------------------- ________________ આલંબનવાળો અનાલંબન નામે યોગ છે. વૃત્તિઅર્થ 'આ = પ્રાકરણિકોની બુદ્ધિમાં રહેલ આ આલંબન પણ અહીં = યોગની વિચારણામાં સમવસરણમાં રહેલા શ્રીજિન સ્વરૂપકે તેમની પ્રતિમાસ્વરૂપ રૂપી અને પરમ = સિદ્ધાત્મા સ્વરૂપ અરૂપી એમ બે પ્રકારે જાણવું. વિવેચનઃ (૧) “અસંગાનુષ્ઠાન એ અનાલંબનયોગ બને છે. એવું પૂર્વની ગાથામાં કહ્યું. એમાં અનાલંબનની વાત આવી એટલે પ્રતિયોગિવિધયા આલંબન' પણ બુદ્ધિમાં ઉપસ્થિત થયેલું છે. અર્થાત્ એ, સ્થાનાદિયોગના પ્રતિપાદક પ્રકરણના જ્ઞાતા (=પ્રાકરણિકો)ની બુદ્ધિમાં ઉપસ્થિત થયેલું કહેવાય. માટે એનો એતત્ એવા સર્વનામથી પણ અહીં ઉલ્લેખ ક્યું છે. (૨) આ આલંબન બે પ્રકારનું છે. રૂપી અને અરૂપી. એમાંથીરૂપી આલંબન એટલેસમવસરણમાં રહેલા શ્રી જિનેશ્વર ભગવાનનું રૂપક, તેમની પ્રતિમા વગેરે સ્વરૂપ જાણવું. “આદિ શબ્દથી અષ્ટપ્રાતિહાર્ય, સમવસરણ, પ્રતિમાનું પરિકર વગેરે પણ રૂપી આલંબન તરીકે જાણવા. (૩) અરૂપી આલંબન તરીકે સિદ્ધાત્મા જાણવા. અહીં વૃત્તિમાં અરૂપી પરમ = સિદ્ધામા આવો પાઠ છે. માટે પરમ શબ્દનો અર્થ દ્રિતીય લઈ શકાતો નથી.** પર એવો શબ્દ હોય તો દ્વિતીય-બીજું એવો અર્થ મળી શકે. પણ અહીં પરમ: એવો શબ્દ છે. પશ્ચિમ એવા શબ્દના પર્યાયવાચી શબ્દ તરીકે પરમ શબ્દ સામાન્યથી વપરાતો નથી. કદાચ એ રીતે વપરાયો હોય તો પણ પરમ: એમ પુલિંગન આવે પણ પરમં એમ નપુંસકલિંગ આવે. કારણકે આલંબનની વાત ચાલે છે જેનો માનંવને એવો વાચક શબ્દ નપુંસકલિંગમાં છે. એ જ કારણથી અહીં ‘શ્રેષ્ઠ અર્થમાં આ પરમ: શબ્દ છે એવું પણ માની શકાતું નથી, કારણ કે તો પણ શ્રેષ્ઠ આલંબન *‘સમવસરણમાં રહેલા શ્રી જિનેશ્વરભગવાનનું રૂપ, તેમની પ્રતિમા વગેરે આવો સીધો અર્થ મળી શકે છે ત્યારે એટલે કે સમોવસરણમાં રહેલા જિનનારૂપને બતાવનાર એવી જિનની પ્રતિમા છે, તેનું જ્યારે આલંબન લેવામાં આવે ત્યારે એ રૂપી આલંબન છે વગેરે ક્લિષ્ટ અર્થ કાઢવાની અને પછી સમવસરણમાં રહેલા જિનના રૂપનું આદિ પદથી ગ્રહણ કરવાની જરૂર નથી. તે જાણવું. **એટલે, પરમ અર્થાત્ દ્રિતીય અરૂપી છે - આવો ગાથાર્થ અને - બીજું અરૂપી અર્થાત્ સિદ્ધાત્મા - એવો ટીકાર્થ.. આ બન્ને ગલત જાણવા. પિરમ = સિદ્ધાત્મા) 239) 239. Page #257 -------------------------------------------------------------------------- ________________ એવો અર્થ લેવાનો હોવાથી પરમં એમ નપુંસકલિંગમાં જોઇએ, પરમ: એમ પુંલિંગમાં નહીં. વસ્તુતઃ પરમ: શબ્દથી, ખીમો મીમસેન જાયે પરમઆત્મા = પરમાત્મા અભિપ્રેત છે. અને તે પણ અરૂપી પરમાત્મા અભિપ્રેત છે. એટલે જ વૃત્તિકારે આપી પરમ: નો સિદ્ધાત્મા એવો અર્થ ર્યો છે. તથા ઉત્તરાર્ધની વ્યાખ્યામાં તી નો રૂપિપરમાત્મન્નક્ષસ્થાનત્ત્વની એવો અર્થ ર્યો છે. આ ગાથાના પૂર્વાર્ધનો અન્વય, “અહીં = યોગવિચારમાં આ આલંબન પણ રૂi = સમવસરણજિનનું રૂપ અને મરૂપી પરમ: = સિદ્ધાત્મા એમ બે પ્રકારે) છે.” આમ છે. એટલે જ, વૃત્તિમાં મંત્ર = યોગવિવારે રૂપિ = સમવ... ઇત્યાદિ અધિકારમાં રૂપ એવો જે શબ્દ છે તેના સ્થાને રૂi એવો શબ્દ હોવો જોઇએ. કારણકે મૂળમાં રહેલા સ્વમ્ શબ્દની વ્યાખ્યા કરવા માટે એ શબ્દ ત્યાં આવેલો છે. तत्र तस्य = अरूपिपरमात्मलक्षणस्यालम्बनस्य ये गुणा: केवलज्ञानादयस्तेषां परिणतिः समापत्तिलक्षणा तया रूप्यत इति तद्गुणपरिणतिरूपः सूक्ष्मोऽतीन्द्रियविषयत्वादनालम्बनो योगः, अरूप्यालम्बनस्येषदालम्बनत्वेन ‘अलवणा यवागू:' इत्यत्रेवात्र नपदप्रवृत्तेरविरोधात्। વૃત્તિઅર્થ તેમાં તેના = અરૂપી પરમાત્મા સ્વરૂપ આલંબનના જે કેવલજ્ઞાન વગેરે ગુણો, તેની સમાપત્તિ સ્વરૂપ જે પરિણતિ એ તદ્દગુણપરિણતિ કહેવાય. આ તગુણપરિણતિરૂપે જે નિરૂપિત થાય છે = જણાય છે તે અતીન્દ્રિયવિષયવાળો હોવાના કારણે સૂક્ષ્મ એવો અનાલમ્બનયોગ છે. અરૂપી આલંબન બહુ જ નજીવું આલંબન હોવાથી “અલવણા યવાગૂ ની જેમ અહીં પણ “નનું પદ વાપરવું અને તેથી આલંબનવાળો હોવા છતાં એને અનાલંબન કહેવો) એમાં કોઈ વિરોધ નથી. વિવેચનઃ (૧) આલંબનના પ્રકારો જણાવીને અનાલંબનયોગનું સ્વરૂપ દર્શાવવા માટે આ ગાથા આવેલી છે. એટલે આ ગાથાના પૂર્વાર્ધમાં આલંબનના બે પ્રકાર જણાવ્યા. હવે ઉત્તરાર્ધમાં અનાલંબનયોગનું સ્વરૂપદર્શાવવાનું છે. આલંબનના પ્રકાર પરથી તે જણાવવાનું છે. એટલે તત્ર = આલંબનના બે પ્રકારોમાં (જે બીજું (240) યિોગવિંશિકા....૧૯ Page #258 -------------------------------------------------------------------------- ________________ આલંબન છે) તેના ગુણો.... વગેરે અર્થ જાણવો. (૨) અરૂપી પરમાત્મા એટલે સિદ્ધાત્મા. એમના ગુણો એટલે કેવલજ્ઞાન વગેરે ગુણો. આ ગુણોની સમાપત્તિસ્વરૂપ પરિણતિથી અનાલંબનયોગ સંપન્ન થયો છે એવો નિર્ણય થાય છે. સાધક, પરમાત્માનું શરીર–પરમાત્માનું રૂપ-પરમાત્માના પ્રાતિહાર્ય... આ બધાનું ધ્યાન ધરતાં ધરતાં આગળ વધે છે એટલે કેવલજ્ઞાનાદિ ગુણોની પણ કલ્પનામાં ચડે છે. એમાં શાસ્ત્રકારા કેવલજ્ઞાનનું જેવું વર્ણન જાણ્યું હોય એને અનુસરીને એનું ચિંતન ચાલે છે. એમાં એકાગ્ર થઈ જાય તો પણ એટલા માત્રથી ‘સમાપત્તિ થતી નથી સમાપ્તિસ્તવેતા... એક્તા પરિણતિ ઊભી થાય ત્યારે સમાપત્તિ થાય છે. જેમ મલિનતાવાળા મણિમાં પ્રતિબિંબ ઉપસતું નથી... એમ વૃત્તિઓથી મલિન આત્મામાં સમાપત્તિ થઈ શકતી નથી. વૃત્તિઓ ક્ષીણ થવાથી નિર્મળ થયેલા અન્તરાત્મામાં જ કેવલજ્ઞાનાદિગુણોની સમાપત્તિસ્વરૂપ પરિણતિ થાય છે. એટલે રાગ-દ્વેષનો ખૂબ જ દ્વાસ કરી ચૂકેલા જિનકલ્પિક વગેરે મહાત્માઓને જ આવી પરિણતિસ્વરૂપ આ અનાલંબનયોગ હોય છે એ જાણવું (૩) આના વિષયભૂત કેવલજ્ઞાનાદિગુણો અતીન્દ્રિય હોવાથી આ યોગને સૂક્ષ્મ કહ્યો છે. સમવસરણસ્થ જિન, તેમની પ્રતિમા... વગેરે, ઇન્દ્રિયના વિષયભૂત હોવાથી સ્પષ્ટવિષયવાળા છે. જ્યારે કેવલજ્ઞાનાદિ તો ઇન્દ્રિયના વિષયભૂત નથી. માટે અનાલંબનયોગને સૂક્ષ્મકહ્યો છે. જેમઇન્દ્રિયના વિષયનબનનારા પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ કહેવાય છે, તેમ.) (૪) હવે, આ પાંચમા યોગને ‘અનાલંબન' શા માટે કહ્યો છે એનું કારણ બતાવે છે – જેમ યવાગૂમાં (જવનું પાણી કે રાબમાં) બહુ જ અલ્પ લવણ નાખ્યું હોય તો, એનો લવણ વિનાની યવાગ રૂપે ઉલ્લેખ થાય છે. (જેમ અત્યન્ત અલ્પધનવાળાને નિર્ધન કહેવાય છે). અર્થાત્ અત્યન્તઅલ્પમાત્રામાં હોય તેનો છે જ નહીં એવું જણાવનાર-અભાવવાચક નથી ઉલ્લેખ કરવો અવિરુદ્ધ છે. તેમ પ્રસ્તુતમાં પણ, ‘અનાલંબન' શબ્દમાં જે ન વપરાયો છે તે વિરુદ્ધ નથી. આશય એ છે કે રૂપી પદાર્થ ધ્યાનનો સ્પષ્ટ વિષય બને છે. એનું આલંબન લઈને ધ્યાન ધરવું સરળ બને છે. એટલે કે ધ્યાન માટે એ પ્રબળ આલંબનભૂત બને છે. પણ અરૂપી પદાર્થ એવા પ્રબળ આલંબનભૂત બનતા નથી. એનું આલંબન લેવા યિોગની અનાલંબનતા) 2િ41 241 Page #259 -------------------------------------------------------------------------- ________________ છતાં જીવ જલ્દીથી ધ્યાનમાં ચઢી શકતો નથી. માટે આલંબન પૂરું પાડવા રૂપે અરૂપી પદાર્થો બહુ મંદ છે. અને તેથી ‘અત્યંત અલ્પ હોય તો અભાવ જ કહેવાય’ એવા ન્યાયે આલંબનશૂન્યતા કહેવાય છે ને માટે આને અનાલંબન (=આલંબન વિનાનો) યોગ કહેવાય છે. 'सुहुमो आलंबणो नामत्ति क्वचित्पाठः, तत्रापि सूक्ष्मालम्बनो नामैष योग:, ततोऽनालम्बन एवेति भाव उन्नेयः । उक्तञ्चात्राधिकारे चतुर्दशषोडशके ग्रन्थकृतैवसालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः ॥ १ ॥ सहालम्बनेन = चक्षुरादिज्ञानविषयेण प्रतिमादिना वर्तत इति सालम्बनः । 'आलम्बनात् = विषयभावापत्तिरूपान्निष्क्रान्तो निरालम्बनः, यो हि छद्मस्थेन ध्यायते, न च स्वरूपेण दृश्यते तद्विषयो निरालम्बन इति यावत् । रेजिनरूपस्य = समवसरणस्थस्य ध्यानं खलु आद्यः = સાતમ્નનો યોઃ । તથૈવ = નિનસ્ય તત્ત્વ - વતનીવપ્રવેશसंघातरूपं केवलज्ञानादिस्वभावं तस्मिन् गच्छतीति तत्तत्त्वगः, 'तुः' एवार्थे अपरः = अनालम्बनः । વૃત્તિઅર્થ : 'યોગવિંશિકાની કોઇક પ્રતમાં ‘સુમો આતંવળો નામ' એવો પ્રસ્તુત ગાથાના ચોથા પાઠ તરીકે પાઠ મળે છે. ત્યાં પણ સૂક્ષ્મઆલંબનવાળો આ યોગ છે. તેથી આ અનાલંબન યોગ જ છે તેમ અર્થ કરવો. યોગના આ અધિકારમાં ચૌદમા ષોડશકમાં ગ્રન્થકારે જ કહ્યું છે કે - મુખ્યયોગ સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારે છે. જિનરૂપનું ધ્યાન એ પ્રથમ અને તેના તત્ત્વમાં પહોંચનારો બીજો યોગ છે. (આ ગાથાની વૃત્તિનો અર્થ –) ચક્ષુવગેરેથી જન્ય જ્ઞાનના વિષયભૂત પ્રતિમા વગેરે ‘આલંબન’ છે. આવા આલંબનની સાથે જે પ્રવર્તે તે સાલંબનયોગ. વિષયભાવને પામવું (=વિષય બનવું) એ આલંબન કહેવાય. આવા આલંબનભૂત વિષયભાવથી નિષ્પ્રાન્ત થઈ ગયેલો = વિષયપણાથી પર થઈ ગયેલો યોગ એ નિરાલંબન. જેનું છદ્મસ્થ જીવ ધ્યાન કરે છે, પણ દર્શન નથી કરી શકતો તેવા વિષયવાળો યોગ એ નિરાલંબનયોગ, એમ અર્થ જાણવો. સમવસરણમાં રહેલા જિનેશ્વરદેવનારૂપનું ધ્યાન એ આદ્ય = સાલંબનયોગ છે. તેના જ = જિનના જ તત્ત્વ સુધી પહોંચનારો યોગ એ તત્તત્ત્વગ, એમાં, કેવલજ્ઞાનાદિસ્વભાવવાળા કેવલજીવપ્રદેશોનો સંઘાત = સમુદાય 242 યોગવિંશિકા...૧૯ Page #260 -------------------------------------------------------------------------- ________________ એ તત્તત્ત્વ જાણવું. ગાથામાં ‘તુ કાર ‘એવી કારના અર્થમાં (=જકારના અર્થમાં) છે. અર્થાત્ આવો તત્તત્ત્વગ યોગ જ અપર = અનાલંબન યોગ છે. વિવેચનઃ (૧) સૂક્ષ્મઆલંબન એટલે ઇષઆલંબન. તેથી અલવણા યવાગૂન્યાયે એ જ અનાલંબનયોગ છે એમ તાત્પર્ય સમજવું. (૨) કેવલજ્ઞાનાદિસ્વભાવવાળા સિદ્ધાત્મા છદ્મસ્થના ધ્યાનનો વિષય બની શકે છે. પણ સ્વરૂપે દર્શનનો વિષય બની શક્તા નથી. એટલે કે એક વસ્તુને જોઈને પછી એના ધ્યાનમાં જેમ ચઢી શકાય એ રીતે સિદ્ધાત્માના ધ્યાનમાં ચઢી શકાતું નથી. માટે એ વિષયભાવાતીત છે. તેથી એ અવિષય છે. માટે અનાલંબન છે. એટલે તેના ધ્યાન સ્વરૂપ યોગ પણ અનાલંબન કહેવાય છે. (૩) જિનપ્રતિમાનું ધ્યાનકે સમવસરણમાં રહેલા પરમાત્માનું અદ્ભુતરૂપપ્રાતિહાર્યવગેરેનું માનસકલ્પનામાં ઉપસ્થિત કરીને કરાતું ધ્યાન.... આ બધું સાલંબન ધ્યાન છે. अत्रारूपितत्त्वस्य स्फुटविषयत्वाभावादनालम्बनत्वमुक्तं, अधिकृतग्रन्थगाथायाञ्च विषयतामात्रेण तस्यालम्बनत्वमनूद्यापि तद्विषययोगस्येषदालम्बनत्वादनालम्बनत्वमेव प्रासाधीति फलतो न कश्चिद्विशेष इति स्मर्तव्यम्। વૃત્તિઅર્થ: અહીં અરૂપીતત્ત્વસ્પષ્ટ વિષયભૂતન હોવાથી એને અનાલંબન કહ્યું છે. અધિકૃતગ્રન્થગાથામાં વિષયતામાત્ર હોવાના કારણે તેને (=અરૂપી તત્ત્વને) આલંબન તરીકે કહીને પણ, તક્રિયક યોગ ઇષદાલંબનવાળો હોવાથી અનાલંબન તરીકે સિદ્ધ કર્યો... એટલે ફળતઃ કોઈ ભેદ નથી એ જાણવું. વિવેચનઃ (૧) અહીં = ષોડશકગ્રન્થના આ અધિકારમાં. અધિકૃતગ્રન્થગાથામાં = યોગવિંશિકાગ્રન્થની ૧૯મી ગાથામાં. આ બન્ને ગ્રન્થોના નિરૂપણમાં ઉપરછલ્લો ફેરફાર દેખાતો હોવા છતાં ફળતઃ કશો ફેરફાર નથી. એ જણાવવા માટે પ્રસ્તુત અધિકાર છે. ષોડશકજીમાં અરૂપી તત્ત્વ વિષયભાવથી પર છે. અર્થાત્ વિષયભૂત જ નથી. એટલે કે અવિષય (=અનાલંબન) છે, ને તેથી તેના સંબંધી યોગ અનાલંબનયોગ છે એમ નિરૂપણ કર્યું છે. યોગવિંશિકામાં સિદ્ધાત્માના કેવલજ્ઞાનાદિગુણોને વિષયરૂપે - આલંબનરૂપે જણાવ્યા છે. પણ એ અત્યંત અલ્પ અરૂપીની બે રીતે અનાલંબનતા 243) Page #261 -------------------------------------------------------------------------- ________________ આલંબન હોવાથી અલ્પતાનો અભાવ તરીકે ઉલ્લેખ કર્યો છે, અને તેથી તદ્વિષયક્યોગને અનાલંબનયોગ કહ્યો છે. આમ ત્યાં પણ અનાલંબનત્વની જ સિદ્ધિ કરી છે. માટે કોઇ ભેદ નથી એ યાદ રાખવું. અનાલંબનયોગમાં અનાલંબનપણાની સંગતિ અલ્પાર્થક નઞ લઇને કરી દેખાડી. અભાવાર્થક નગ્ને લઇને એ કરવી હોય તો નીચે મુજબ થઇ શકે એમ લાગે છે. અસંગાનુષ્ઠાનમાં અયોગ્ય વેળા-વિધિ વગેરે હેયનો પરિહાર અને યોગ્ય વેળા-વિધિ વગેરે ઉપાદેયનું આચરણ કોઇ વિશેષપ્રયત્નથી (હેયવિષયદ્વેષજન્ય કે ઉપાદેયવિષયકરાગજન્ય પ્રયત્નથી) નથી હોતું પણ સ્વાભાવિક જ હોય છે. અને તેથી જ એ જિનવચનવિષયકસંગથી પણ મુક્ત હોય છે. અર્થાત્ અનુષ્ઠાન શરુ થાય, એટલે ‘ભગવાને આ પ્રમાણે કહ્યું છે, માટે આમ કરવાનું ને આમ નહીં કરવાનું આ રીતે જિનવચનોનું આલંબન લેવાતું ન હોવા છતાં, એવો સ્વભાવ ઘડાઈ ગયો હોવાના કારણે, હેય-ઉપાદેયના હાન-ઉપાદાન જિનવચનાનુસાર જ થયા કરે છે. આમ, વિધિવિષયક કે વિધિપ્રતિપાદકવચનવિષયક સંગથી (રાગથી) મુક્ત હોવાના કારણે એ અસંગ અનુષ્ઠાન કહેવાય છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે જિનવચનોની ઉપસ્થિતિ એ સંગ નથી, પણ સ્વાભાવિકપણું છોડી તદનુસાર વર્તવાની વૃત્તિ એ સંગ છે. વચનાનુષ્ઠાનમાં આ હોય છે. અસંગાનુષ્ઠાનમાં એવી વૃત્તિ નથી, પણ સ્વાભાવિક પ્રવૃત્તિ છે. માટે એ અસંગ જ કહેવાય છે, પણ જિનવચનાનુસાર હોવા છતાં વચનઅનુષ્ઠાન નથી કહેવાતું. એમ પ્રસ્તુતમાં જાણવું. - અનાલંબનયોગકાળે કેવલજ્ઞાનાદિગુણોમાં ઉપયોગનું અવસ્થાન (સ્થિરતા) હોવા છતાં એમાં, કેવલજ્ઞાનાદિગુણોને આલંબન તરીકે રાખવાની કોઇ અપેક્ષા હોતી નથી, ‘કેવલજ્ઞાનાદિ અંગે જ ચિંતન કરું – મારા ઉપયોગને સ્થિર રાખું-બીજો કોઇ ઉપયોગ આવવા ન દઉં...' આવી બધી કોઇ અપેક્ષા હોતી નથી, પણ સાહજિક રીતે જ તેવું ચિંતન ચાલે છે – તેવા સ્વભાવના કારણે જ ઉપયોગની એમાં સ્થિરતા રહે છે. એટલે, આ સ્થિર ઉપયોગના, કેવલજ્ઞાનાદિ ગુણો વિષયભૂત હોવા છતાં આલંબન તરીકે અપેક્ષિત ન હોવાના કારણે આલંબનભૂત હોતા નથી, અને તેથી એ અનાલંબન કહેવાય છે. વળી આમાં, વિષયભૂત કેવલજ્ઞાનાદિ ગુણો અંગે કોઇ સંગ – આસક્તિપ્રતિબદ્ધતા નથી, માટે એ અસંગાનુષ્ઠાન પણ છે જ. 244 યોગવિંશિકા...૧૯ www.jainenbrary.org Page #262 -------------------------------------------------------------------------- ________________ શંકા - પ્રતિમાદરૂપી આલંબનવિષયક આલંબનયોગના વારંવાર અભ્યાસથી એ પણ સ્વભાવભૂત બની જાય, અને તેથી પછી, એ રૂપી પ્રતિમાદિની આલંબન તરીકે અપેક્ષા રાખ્યા વિના જ એમાં ઉપયોગની સ્થિરતા થાય. એટલે એને પણ અનાલંબનયોગકહેવો પડશે. અને તો પછી, અનાલંબન યોગરૂપીવિષયક પણ હોય છે એમ માનવું પડશે. સમાધાન- અનાલંબનયોગ તદ્ગણપરિણતિરૂપ હોય છે, એવું જે ગ્રન્થકારે કહ્યું છે એના પરથી આ શંકાને નિર્મળ કરી શકાય છે. આશય એ છે કે જેને આલંબન તરીકે રાખવાની અપેક્ષા કે પ્રયત્ન ન હોવા છતાં, ઉપયોગ એમાં જ સ્થિર થાય આવું એવી બાબતો માટે જ શક્ય છે જેની સાથે એકાકારપરિણતિ શક્ય હોય. આત્માઉપયોગ અરૂપી હોવાથી એની એકાકારપરિણતિ અરૂપી ગુણો સાથે જ થઈ શકે છે, પણ રૂપ વગેરે રૂપીગુણો સાથે નહીં. અને તેથી, રૂપગુણોને તો આલંબન તરીકે રાખ્યા વિના જ એમાં ઉપયોગ સ્થિર બની જાય આવું શક્ય બનતું નથી, અને તેથી એનો અનાલંબનયોગ પ્રવર્તી શક્તો નથી. આલંબનત્વેન અપેક્ષિત ન હોવા છતાં ઉપયોગનું પ્રભુગુણોમાં આવું સહજ સ્થિર અવસ્થાન એ જ, પરમાત્મગુણોની એકાકાર પરિણતિ રૂપે અભિપ્રેત છે અને એ જ તસ્થતઠંજનતા સ્વરૂપ હોવાથી સમાપત્તિ’ શબ્દવાચ્ય છે, એમ લાગે છે. વૃત્તિઓ ક્ષીણ થવાથી નિર્મળ થયેલા અંતરાત્મામાં જ આવી પરિણતિસમાપત્તિ આવે છે એ જાણવું. अयश्चानालम्बनयोगः, शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः। જ્યુકેબ્રિા સામર્થ્યયોગમુત્તમ: // યોા. સમુ.પI તિ કોस्वरूपक्षपकश्रेणिद्वितीयापूर्वकरणभावि क्षायोपशमिकक्षान्त्यादिधर्मसन्न्यासरूपसामर्थ्ययोगतो निस्सङ्गानवरतप्रवृत्ता या परतत्त्वदर्शनेच्छा तल्लक्षणो मन्तव्यः । आह च-सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या। साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ षोड. १५-८॥ વૃત્તિઅર્થ ? અને આ અનાલંબનયોગ યોગદષ્ટિસમુચ્ચયના પાંચમા બ્લોકમાં જેનું સ્વરૂપ કહ્યું છે, જે દ્વિતીય અપૂર્વકરણભાવી છે અને જે ક્ષાયોપથમિક ( સામર્થ્ય યોગ) (245) 245 Page #263 -------------------------------------------------------------------------- ________________ => ક્ષમા વગેરે ધર્મના સંન્યાસરૂપ છે એવા સામર્થ્યયોગથી જે સંગ (=આસક્તિ-રાગ) વિનાની નિરંતર પ્રવર્તેલી પરતત્ત્વદર્શનની ઇચ્છા, તસ્વરૂપ જાણવો. ષોડશજીમાં કહ્યું છે કે – સામર્થ્ય યોગથી થયેલી અને અસંગરશક્તિથી ભરેલી એવી જે તેને પરતત્ત્વને જોવાની ઇચ્છા, તેનું = પરતત્ત્વનું "જ્યાં સુધી અદર્શન હોય ત્યાં સુધી એ ઇચ્છા અનાલમ્બનયોગ કહેવાયેલ છે. (શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં સામર્થ્યયોગનું આવું સ્વરૂપ કહ્યું છે -) જેના ઉપાય શાસ્ત્રમાં સન્દર્શિત છે, જે શક્તિની પ્રબળતાના કારણે વિશેષરૂપે શાસ્ત્રના વિષયથી અતીત છે, તે આ સામર્થ્ય નામનો યોગ ઉત્તમ છે- એટલે કે સર્વયોગોમાં પ્રધાન છે. વિવેચન : (૧) અહીં સામર્થ્યયોગનું ત્રણ રીતે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. (1) એનું પ્રબળશક્તિમત્ત્વ, વર્ણનાતીતત્વ, ઉત્તમયોગત્વ વગેરે સ્વરૂપ યોગદૃષ્ટિસમુચ્ચયના શ્લોક દ્વારા દર્શાવાયું છે. (2) એનું ક્યારે અવસ્થાન હોય છે ? ક્ષપશ્રેણિમાં જે બીજું અપૂર્વકરણ થાય છે ત્યારે સામર્થ્યયોગ અસ્તિત્વમાં આવે છે એ કહીને જણાવ્યું. તથા (3) ક્ષાયોપરામિક એવા ક્ષમાદિ ધર્મોનો ત્યાગ એ સામર્થ્યયોગનું કાર્ય છે. એટલે કાર્યવિધયા આ સામર્થ્યયોગનું સ્વરૂપ દર્શાવ્યું. (૨) શ્રી યોગદષ્ટિસમુચ્ચયના શ્લોકનો રહસ્યાર્થ આ છે – સામાન્યથી શાસ્ત્રો ફળપ્રાપ્તિ પર્યન્ત બધું દિગ્દર્શન કરાવતા હોય છે. એટલે મોક્ષાત્મક ફળ સુધી પહોંચવામાં વચ્ચે આવશ્યક સામર્થ્યયોગનું તથા એના ઉપાયનું શાસ્ત્રમાં દિગ્દર્શન તો મળેજ. માટે શાસ્ત્રસન્દર્શિતોપાયઃ એવું વિશેષણ મૂક્યું છે. શાસ્ત્રથી એનો સામાન્ય રીતે ઉપાય દર્શાવવામાં આવ્યો છે. પણ સામર્થ્યયોગ એટલા પ્રબળ સામર્થ્યવાળો હોય છે કે જેથી એ સામર્થ્ય વિશેષરૂપે શબ્દાતીત હોવાથી સામર્થ્યયોગ પણ શબ્દાતીત હોય છે. એટલે કે એ વિશેષરૂપે શાસ્ત્રાતિકાન્તગોચર છે. સામર્થ્યયોગ અવસ્થ્ય હોવાથી તથા તૂર્ત ફળપ્રાપક હોવાથી અન્યયોગો કરતાં ‘પ્રધાન’ છે. ને તેથી ઉત્તમ છે. (૩) ક્ષાયિકગુણ અને ક્ષાયોપરામિક ગુણ... આ બે સાથે રહી શકે નહીં. તેથી ક્ષાયિક ગુણ પામવા પૂર્વે ક્ષાયોપશમિક ક્ષમા વગેરે ધર્મોનો ત્યાગ આવશ્યક બને છે. એ સામર્થ્યયોગથી થાય છે. વળી આ સામર્થ્યયોગ જ અસંગશસ્ત્યાઢા = નિરભિષ્યંગ એવી અનવરત પ્રવૃત્તિથી જે પરિપૂર્ણા હોય એવી પરતત્ત્વદર્શનની ઇચ્છાને પ્રવર્તાવે છે. 246 યોગવિંશિકા...૧૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ (અહીં સપ્રસંગ વિશેષવાત – ક્રોધ મોહનીયકર્મના ક્ષયો પરામના અસંખ્યભેદ છે, અને તેથી ક્ષાયોપરામિક ક્ષમાના પણ અસંખ્યભેદ છે. ક્ષાયિકગુણોમાં માત્રાની તરતમતાએ આવા ભેદ હોતા નથી. વળી, ક્રોધમોહનીયના ક્ષયોપરામથી પ્રાપ્તગુણ ‘ક્ષમા’ કહેવાય છે. માનમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્તગુણ ‘નમ્રતા’ કહેવાય છે.... આમ ક્ષાયોપામિક ગુણોમાં વ્યવહારભેદ હોય છે, પણ આવો વ્યવહારભેદ ક્ષાયિક ગુણમાં હોતો નથી. ક્રોધમોહનીય-માનમોહનીય વગેરે કર્મોના ક્ષયથી પ્રગટતા ગુણો સ્વરૂપરમણતારૂપ ચારિત્રમાં અભિન્ન થઈ જાય છે, અલગ-અલગ રહેતા નથી. માટે આ દષ્ટિએ ક્ષાયિકક્ષમા-ક્ષાયિકનમ્રતા... વગેરે વ્યવહાર થતો નથી.) પરતત્ત્વદર્શનની આ ઇચ્છા માત્ર લૂખી ઇચ્છા નથી, પણ સક્રિય ઇચ્છા છે. અર્થાત્ પરતત્ત્વદર્શનને અનુકૂળ પ્રવૃત્તિથી યુક્ત ઇચ્છા છે. વળી એ પ્રવૃત્તિ પણ ક્યારેક કરી ક્યારેક નહીં એવું નથી... અનવરત-સતત ચાલે છે. તથા કોઇ પૌદ્ગલિક સંગ તો આ પ્રવૃત્તિનો પ્રેરક નથી, પણ જિનવચનનો સંગ પણ એના પ્રેરક તરીકે નથી... માત્ર ચન્દ્રનગન્ધન્યાયે સહજ રીતે એ પ્રવૃત્તિ અનવરત ચાલુ છે. એટલે એ પ્રવૃત્તિ અસંગા (=નિરભિમ્બંગા) પણ છે. આમ આવી અસંગ-અનવરતપ્રવૃત્ત્તાત્મક અસંગશક્તિથી પરિપૂર્ણ દિદક્ષા એ અનાલંબનયોગ છે એ જાણવું. શંકા - પરતત્ત્વદર્શનને અનુકૂળ પ્રવૃત્તિ છે, તેમજ દિદક્ષા = પરતત્ત્વદર્શનની ઇચ્છા છે. વળી, ઇચ્છા ન હોય ત્યારે તો પ્રવૃત્તિને સહજ માનવી જ પડે, પણ જ્યારે ઇચ્છા હોય ત્યારે તો એને ઇચ્છાજન્ય જ માનવી પડે. કારણકે ઇચ્છા અને પ્રવૃત્તિ વચ્ચે કાર્ય-કારણભાવ છે. તથા ઇચ્છા અને રાગ એ પર્યાયવાચી શબ્દો છે, એટલે કે દિદક્ષા પણ ઇચ્છાસ્વરૂપ હોવાથી રાગાત્મક જ છે. તો પછી આ પ્રવૃત્તિને નિરભિમ્બંગા-સંગરહિત શી રીતે કહી શકાય ? સમાધાન - સામાન્યથી કોઇપણ પ્રવૃત્તિ ઇચ્છાજન્ય હોવા છતાં મોક્ષે મને ૨ સર્વત્ર નિ:સ્પૃહો મુનિસત્તમ... આવી ભૂમિકા પામેલા અપ્રમત્તાદિ જીવોની પ્રવૃત્તિ ઇચ્છાજ હોતી નથી. પણ સામાયિકજન્ય હોય છે એ વાત અધ્યાત્મમતપરીક્ષા ગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે કરી છે. સામાયિકની પણ ઉન્નત ભૂમિકાએ પહોંચેલા જિનકલ્પિકાદિને ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ માટે જિનવચનો યાદ કરવા પડતા નથી... પણ એ ઊંચી ભૂમિકાવાળું સામાયિક જ (તેવી વિશિષ્ટ પરિણતિ જ) જ્યારે જેવી જે પરતત્ત્વદર્શનેચ્છા 247 Page #265 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ ઉચિત હોય તે કરાવ્યા કરે છે, જેમકે કેવલીની વિહાર-દેશનાદિ પ્રવૃત્તિને એમનું યથાખ્યાત ચારિત્ર કરાવે છે તેમના માટે ક્ષપકશ્રેણિની ઉચ્ચભૂમિકાએ થતી સામર્થ્યયોગકાલીન આ અનવરત પ્રવૃત્તિ દિક્ષાજન્ય હોતી નથી, પણ સહજ હોય છે, અને તેથી અસંગા જ છે. [શંકા- મોક્ષે જવેર સર્વત્ર નિ:સ્પૃહો નિત્તમ: (મોક્ષમાં અને સંસારમાં.... સર્વત્ર મુનિસત્તમ રૂહા-ઈચ્છા-રાગ વિનાનો હોય છે.) આ ભૂમિકાવાળાને મોક્ષની પણ ઇચ્છા નથી. તો પરતત્ત્વદર્શનની ઈચ્છા શી રીતે હોય? અને એ હોય તો સર્વત્ર નિસ્પૃહતા શી રીતે કહેવાય? સમાધાન-મોક્ષે મવે... આવાક્યને સ્પૃહા-ઇચ્છા-રાગનો અભાવ જણાવે છે તે પ્રવૃત્તિજનક ઇચ્છા-રાગનો અભાવ જાણવો. રાગમાત્રનો નહીં, કારણકે હજુ વીતરાગતા આવી ન હોવાથી પ્રવૃત્તિજનનમાં અસમર્થ એવો કંઇક રાગ તો માનવો જ પડે છે. દ્વિતીયાપૂર્વકરણભાવી સામર્થ્યયોગકાળે પ્રર્વતતી દિક્ષા પણ આવા જ મંદરાચસ્વરૂપ હોવાથી નિસ્પૃહતાની બાધક નથી. અથવા એ માત્ર ફાનાકાંક્ષારૂપ હોવાથી અભિધ્વગાત્મક નથી એમ માનવું... અથવા... મરવાની અણી પર હોય તો પણ ઇચ્છાદર્શનો અમૂર્વી વગેરે પ્રયોગ થાય છે. અહીં અમૂષનો મરવાની ઇચ્છા એવો અર્થનથી, પણ મરવાની તૈયારી’ એવો અર્થ છે, એમ પ્રસ્તુતમાં પણ ઇચ્છાનો જણાવનાર પ્રત્યય કે ઇચ્છા' એવો શબ્દ રાગાત્મક ઇચ્છાને જણાવનાર નથી, પણ ‘પરતત્ત્વદર્શન થવાની તૈયારી છે. એવા અર્થને જણાવે છે, એવું માનવું જોઇએ. (જેવું ધ્યાનાન્તરિકા ધ્યાનમોચન થશે કે તરત પરતત્ત્વદર્શન થતું હોવાથી એ થવાની તૈયારી તો છે જ.) બહુશ્રુતોને આનો સમ્યફ નિર્ણય કરવા વિનંતી.] (૪) અહીંયોગવિંશિકાની વૃત્તિમાં નિકનવરતપ્રવૃત્તા યા પરતત્વનેચ્છા એમને કહ્યું છે એનો સીધો અર્થ - સંગરહિતપણે નિરંતર પ્રવર્તેલીજે પરતત્ત્વદર્શનની ઇચ્છા.... એવો છે. અર્થાત્ સંગરહિતતા અને નિરંતરપ્રવૃત્તિ આ બન્ને ઇચ્છાના વિશેષણ તરીકે જણાય છે. ષોડશકજીમાં મસશસ્યાક્યા નો અર્થ સંગરહિતની નિરંતરપ્રવૃત્તિથી પરિપૂર્ણા (દિદક્ષા) એમ છે, અર્થાત્ સંગરહિતતા અને નિરંતરતા પ્રવૃત્તિના વિશેષણ છે, છતાં આ બેમાં કશો વિશેષ અર્થભેદ નથી એ જાણવું.. નિજાનવરતપ્રવૃત્તા નો અર્થ નિસ્સ-અનવરતપ્રવૃત્તિવાળી એવો કરવાથી બન્નેના 2િ48) યોગવિંશિકા...૧૯) Page #266 -------------------------------------------------------------------------- ________________ અર્થ સમાન થઈ જાય છે એ જાણવું. અને જ્યારે આવો અર્થ કરીએ ત્યારે, સામર્થ્યયોગ આમાંની નિસંગ-અનવરતપ્રવૃત્તિ કરાવે છે એવો અર્થ જાણવો. (૫) જ્યાં સુધી પરતત્ત્વનું અદર્શન છે ત્યાં સુધી અનાલંબનયોગ જાણવો. પરતત્ત્વનું દર્શન થવા પર દિદક્ષા રહેતી નથી... માટે અનાલંબનયોગ રહેતો નથી. ____तत्र-परतत्त्वे द्रष्टुमिच्छा दिदृक्षा इति=एवंस्वरूपा असङ्गशक्त्या = 'निरभिष्वङ्गाविच्छिन्नप्रवृत्त्या आढ्या = पूर्णा सा = परमात्मदर्शनेच्छा अनालम्बनयोगः, परतत्त्वस्यादर्शनं = अनुपलम्भं यावत्, परमात्मस्वरूपदर्शने तु केवलज्ञानेनानालम्बनयोगो न भवति, तस्य तदालम्बनत्वात्। - વૃત્તિઅર્થ - ત્ર=પરતત્ત્વને જોવાની ઇચ્છા એ દિદક્ષા છે. જે દિક્ષા આવા સ્વરૂપવાળી હોય અર્થાત્ જે નિરભિમ્પંગ અવિચ્છિન્નપ્રવૃત્તિરૂપ અસંગશક્તિથી આચા=પૂર્ણ ભરેલી હોય તેવી પરમાત્માના દર્શનની ઇચ્છા એ અનાલમ્બનયોગ છે. (આ અનાલંબનયોગ) પરતત્ત્વનું જ્યાં સુધી અદર્શન હોય – (=અનુપલંભ હોય) (ત્યાં સુધી હોય છે.) કેવલજ્ઞાનથી પરમાત્માના સ્વરૂપનું દર્શન થયા પછી અનાલમ્બન યોગ હોતો નથી. કારણકે તે (=અનાલંબન યોગ) તદ્દ (પરમાત્મદર્શનરૂપ) આલંબન (વિષય) વાળો છે. વિવેચનઃ ષોડશકની આ ગાથાનો લગભગ અર્થ આગળ આવી ગયો છે. (૧) રાગજન્યપ્રવૃત્તિ સ્વજન્યત્વસમ્બન્ધથી રાગયુક્ત (સાભિધ્વંગ) હોય છે. રાગાજન્ય એવી પ્રસ્તુત પ્રવૃત્તિતો આવા સમ્બન્ધથી રાગયુક્ત ન હોવાથી રાગરહિતા ( નિરભિન્કંગ) છે. વળી, જીવ આ અવસ્થામાં સતત પરમાત્મદર્શન તરફ આગળ વધી રહ્યો છે, વચ્ચે વિશ્રામકે પીછેહઠ હોતી નથી. માટે આ પ્રવૃત્તિ અવિચ્છિન્ના હોય છે. આવી નિરભિમ્બંગ અવિચ્છિન્નપ્રવૃત્તિ જ અહીં શક્તિ તરીકે અભિપ્રેત છે. આવી શક્તિથીયુક્ત દિદક્ષા એ અનાલંબનયોગ છે. (૨) અનાલંબનયોગ પરમાત્મસ્વરૂપદર્શનની ઇચ્છારૂપ છે. તેથી પરમાત્મસ્વરૂપ દર્શન એ આ ઇચ્છાનો વિષય હોવાથી એનું આલંબન કહેવાય છે. જેની ઇચ્છા હોય એ વિષય સમ્પન્ન થઈ જવા પર ઇચ્છા ખસી જાય છે. કેવલજ્ઞાનથી પરમાત્મ સ્વરૂપદર્શન થાય એ જ પ્રસ્તુતમાં ઇચ્છાનો વિષય હોવાથી હવે તષિયક(કતદાલમ્બન = તછે આલંબન જેનું એવી) ઇચ્છારૂપ દિદક્ષાત્મક અનાલમ્બનયોગ રહેતો નથી. [આગળ રૂતીષપાત૫: સાતસ્વન: ઇષપાત દકાન્ત) 2િ49) Page #267 -------------------------------------------------------------------------- ________________ તજ્ઞાનપ્રારા વગેરે જે કહ્યું છે તેનો “અને તેથી ઇષપાતતુલ્યસાલમ્બન=સવિષયક પરમાત્મ-સ્વરૂપદર્શનાત્મક વિષયથીયુક્ત એવો કેવલજ્ઞાનપ્રકાશ જ (હવે) રહે છે.” એવો અર્થ જાણવો.] __अलब्धपरतत्त्वस्तल्लाभाय ध्यानरूपेण प्रवृत्तो ह्यनालम्बनयोगः, स च क्षपकेन धनुर्धरण क्षपकश्रेण्याख्यधनुर्दण्डे लक्ष्यपरतत्त्वाभिमुखं तद्वेधाविसंवादितया व्यापारितो यो बाणस्तत्स्थानीयः, यावत्तस्य न मोचनं तावदनालम्बनयोगव्यापारः, यदा तु ध्यानान्तरिकाख्यं तन्मोचनं तदाऽविसंवादितत्पतनमात्रादेव लक्ष्यवेध इतीषुपातकल्पः सालम्बनः केवलज्ञानप्रकाश एव भवति, न त्वनालम्बनयोगव्यापारः, फलस्य सिद्धत्वादिति નિનિતાર્થ વૃત્તિઅર્થ? જેને પરતત્ત્વ અલબ્ધ છે અને જે પરતત્ત્વના લાભ માટે ધ્યાનરૂપે પ્રવૃત્ત છે તેજ અનાલંબનયોગ છે. (ઇષપાતના દાનથી આવાત સમજાવે છે.) અને તે (=અનાલંબન યોગ) ક્ષપકરૂપી ધનુર્ધર વડે ક્ષપકશ્રેણિનામના ધનુદંડ પર પરતત્ત્વસ્વરૂપ લક્ષ્યને અભિમુખ તેનો વધ કરવામાં અવિસંવાદી રહે એ રીતે વ્યાકૃત કરાયેલું જે બાણ, તસ્વરૂપ છે. જ્યાં સુધી એ બાણ છોડવામાં નથી આવ્યું ત્યાં સુધી અનાલંબનયોગનો વ્યાપાર છે. જેવી ધ્યાનાન્સરિકાનામે બાણને છોડવાની ક્યિા થાય છે તેવો જ તેને અવિસંવાદી એવા તેના પતનમાત્રથી જ લક્ષ્યવેધ થઈ જાય છે, અને ઇષપાતતુલ્ય સાલંબન એવો કેવલજ્ઞાનપ્રકાશ જ (હવે) રહે છે, નહીં કે અનાલંબનયોગનો વ્યાપાર, કારણકે (હવે તેનું) ફળ સિદ્ધ થઈ ગયું છે, આ પ્રમાણે નિશ્ચિત થતો અર્થ જાણવો.... વિવેચનઃ (૧) સામર્થ્યયોગથી પ્રવર્તેલી દિક્ષા પરતત્ત્વદર્શન માટે સતત પ્રવૃત્તિશીલ હોય છે. પરતત્ત્વના અદર્શન સુધી જ અનાલંબનયોગ છે... એટલે અનાલંબનયોગનું મ7%ારતત્વ: એવું વિશેષણ છે. વળી અનાલંબનયોગ પરતત્ત્વની પ્રાપ્તિ માટે જ પ્રવૃત્ત થયેલા ધ્યાનરૂપ છે. એટલે પરતત્ત્વની પ્રાપ્તિમાં જ એ વિશ્રાંત થાય છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે ઇષપાતનું દાન આપવામાં આવ્યું છે. કુશળ ધનુર્ધર લક્ષ્યનો અવશ્ય વેધ થાય એ માટે ધનુષ્ય પર જે રીતે બાણ ચડાવે અને પછી બાણ છોડવામાત્રથી લક્ષ્યવેધ થઈ જાય એ માટે જે કાંઈ વ્યાપાર કરે, એ રીતે ક્ષપક મહાત્મા એ ધનુર્ધર... ક્ષપકશ્રેણિ એ ધનુષ્ય... પરતત્ત્વ એ લક્ષ્ય, એનો પડવા (250) યિોગવિંશિકા...૧૯) Page #268 -------------------------------------------------------------------------- ________________ માત્રથી અવશ્ય વેધ કરે (અર્થાતુ પરતત્ત્વનું દર્શન કરાવે) એ રીતે વ્યાકૃત બાણ એ અનાલંબનયોગ છે. બાણને એવી રીતે યોજવામાં આવ્યું છે કે એને છોડવા માત્રથી લક્ષ્યવેધ થવાનો છે એમ અનાલંબન યોગ એવી રીતે વ્યાપૃત થાય છે કે જેથી એને છોડવા માત્રથી (એ પૂર્ણ થવા માત્રથી) પરતત્ત્વવેધતુલ્ય કેવલજ્ઞાનનો પ્રકાશ થાય છે. શરમોચનતુલ્ય અનાલંબનધ્યાનમોચનને ધ્યાનાન્તરિકા કહે છે. સામર્થ્યયોગથી થયેલી દિદક્ષા એ અનાલંબનયોગ છે. તેથી જણાય છે કે સામર્થ્યયોગ અપૂર્વકરણગુણઠાણે હોવાથી અનાલંબનયોગનો પ્રારંભ પણ અપૂર્વગુણઠાણે છે. વળી કેવલજ્ઞાનનો પ્રકાશ તેરમે ગુણઠાણે થાય છે અને ત્યારે તો અનાલંબનયોગ છે નહીં. એટલે જણાય છે કે બારમા ગુણઠાણાના ચરમસમયે અનાલંબનયોગ પૂર્ણ થાય છે. એનું મોચનકે જે ધ્યાનાન્સરિકા કહેવાય છે તે બારમાના ચરમસમયે કે ચરમભાગે હોય છે તે જાણવું. (વ્યવહારનય એક જ સમયે ક્યા અને કાર્ય નથી માનતો, પણ કાર્યોત્પતિના પૂર્વસમયે કિયા માને છે. એટલે બારમાના ચરમસમયે ઇષપાત તુલ્ય ધ્યાનાન્તરિકા અને તેરમાના પ્રથમસમયે લક્ષ્યવેધતુલ્ય કેવલજ્ઞાન એવો વ્યવહારનયનો મત છે. નિશ્ચયનયે ક્યિાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાથી શરપાત સમયે જ લક્ષ્યવેધ માનવાનો હોય છે. એટલે કે કેવલોત્પત્તિકાળે જ એ ધ્યાનાન્સરિકા માને છે એ જાણવું.) કેવલજ્ઞાનનો પ્રકાશ એ જ અનાલંબનયોગનું ફળ છે, એટલે એ થઈ ગયા બાદ અનાલંબનયોગનો વ્યાપાર હોતો નથી એ જાણવું. आह चतत्राऽप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र। सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ षोड. १५-९।। द्रागस्मात्तदर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम्। તવ સેવનં તત્ જ્ઞાનં યત્તત્પર જોતિ: તે છોડ. ૨૫-૧૦ | तत्र = परतत्त्वे अप्रतिष्ठितः = अलब्धप्रतिष्ठः सर्वोत्तमस्य योगस्यायोगाख्यस्य 'अनुजः = पृष्ठभावी । तद्दर्शनं = परतत्त्वदर्शनं, एतच्च = परतत्त्वदर्शनं केवलं = संपूर्ण 'तत् = प्रसिद्धं यत् तत् केवलज्ञानं परं प्रकृष्टं ज्योतिः। પરતત્ત્વદર્શન = કેવલજ્ઞાન) (251) Page #269 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઅર્થઃ પોશાજીમાં કહ્યું છે કે - વસ્તુતઃ અયં = આ પરમાત્મઠિદક્ષા નામનો યોગ તત્ર = પરતમાં અપ્રતિષ્ઠિત = અલબ્ધપ્રતિષ્ઠ છે, વળી પરતત્ત્વ અંગે જ એ ધ્યાનરૂપે પ્રવૃત્ત છે. તેથી સર્વોત્તમ એવા અયોગનામના યોગની પૂર્વવર્તી એવો આ યોગ અનાલંબનયોગ કહેવાયેલો છે. આ અનાલંબનયોગથી ટ્રાફાશી તદન=પરતત્ત્વનું દર્શને ઇષપાતના દષ્ટાન્તમાત્રને અનુસરીને જાણવું. અને આ પરતત્ત્વદર્શન એ તે પ્રસિદ્ધ કેવલજ્ઞાન છે જે પ્રકૃષ્ટ જ્યોતિ છે. (આ બે શ્લોકના કેટલાક શબ્દોના અર્થ-) તત્ર પરતત્ત્વમાં. અપ્રતિષ્ઠિત અલબ્ધપ્રતિષ્ઠા સર્વોત્તમયોગ એટલે અયોગનામનોયોગ. તેનો અનુજ = પૃષ્ઠભાવી. તદર્શન = પરતત્ત્વદર્શન. એતત્ = પરતત્ત્વદર્શન. કેવલ સંપૂર્ણ ત–પ્રસિદ્ધ તે પ્રસિદ્ધ એવું જ કેવલજ્ઞાન, તે પર=પ્રકૃષ્ટજ્યોતિ છે, આમ અર્થ જાણવો. વિવેચનઃ બધું વિવેચનલગભગ પૂર્વે આવી ગયું છે. બે અર્થોને વિચારીએ. (૧) અહીં અનુજઃ શબ્દનો અર્થ પૃષ્ઠભાવી ર્યો છે, ને એ જ અર્થ પ્રસિદ્ધ છે. (મનું = પશ્ચાત્ જ્ઞાતિ: અનુન: પાછળથી જન્મેલો હોય તે અનુજ... એટલે જ પૃષ્ઠભાવી.) મોટો ભાઈ પ્રથમ જન્મે છે નેનાનોભાઈ પછી જન્મે છે. એટલે ‘અનુજ શબ્દ ‘નાનોભાઈ’ એવા અર્થમાં પ્રચલિત છે. અયોગનામનો સર્વોત્તમ યોગ જો મોટોભાઈ છે, તો અનાલંબનયોગ એનાનાનાભાઈ જેવો જ છે, માટે એ એનો અનુજ= પૃષ્ઠભાવી છે... આવો અભિપ્રાય જાણવો. મોક્ષપ્રાપ્તિ કરાવવામાં અયોગનું ખૂબ સામર્થ્ય છે અને એની અપેક્ષાએ અનાલંબનયોગનું અલ્પ સામર્થ્ય છે. માટે અયોગ એમોટોભાઇ અને અનાલંબન એનાનોભાઇ એવી કલ્પના સંગત દરે છે. તેથી, અયોગને પૃષ્ઠભાવી એટલે ‘અયોગયોગ થયા પછી થનારો યોગ એવો અર્થ કરવો નહીં. પોડશજીની વૃત્તિમાં તો વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે અનુજ: નો અર્થ પ્રાગનન્તરવર્તી કરીને અનાલંબનયોગને અયોગયોગના પૂર્વવર્તી યોગ તરીકે જણાવી જ દીધો છે. ષોડશકજીના ૧૫-૯મા શ્લોકમાં રહેલા સર્વોત્તમનુન: શબ્દનો સર્વોત્તમ: અનુ: યસ્ય સ (બનાસ્તવુન:) આવો બહુવ્રીહિસમાસ કરવાથી પણ અભિપ્રેત અર્થ મળી શકે છે એ જાણવું 2િ52) યોગવિંશિક....૧૯) Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨) ૧૫-૧૦મા શ્લોકના ઉત્તરાર્ધમાં તત્ શબ્દ બે વાર વપરાયો છે, ને થતુ શબ્દ એક જ વાર વપરાયો છે. એટલે એક તત્ શબ્દ તો એમાં જ રહેલાવત્ શબ્દ સાથે સંબંધ ધરાવે છે. પણ બીજા તત્ શબ્દ માટે કોઈ ચત્ શબ્દ વપરાયો નથી. ચત્તવો નિત્યમમસમ્બન્ધઃ ન્યાયે વત્ ના પ્રયોગ વિના તત્ નો પ્રયોગ થઈ શક્તો નથી. કારણકે થતુ થી કોઇનો જ ઉલ્લેખ થયો ન હોય તો તત્ કોનો પરામર્શ કરે? યહૂ થી ઉદ્ધિખિતનો જ તત્ પરામર્શક હોય છે. તેમ છતાં, ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીના મૂળગ્રન્થ કારિકાવલીની પ્રથમ કારિકામાં ત #Mય નમ: એવો યત્ ના પ્રયોગ વિના તત્ નો પ્રયોગ મળે છે. ત્યાં ખુલાસો કરાયો છે કે ઉક્ત નિયમમાં પ્રસિદ્ધ વ્યક્તિ (વસ્તુ) માટે અપવાદ છે. યત્ ના પ્રયોગ વિના પણ તત્ નો પ્રયોગપ્રસિદ્ધને જણાવવા માટે થઈ શકે છે.... જે આવા આવા છે...” આવું કશું કહ્યું ન હોય તો પણ, તે કૃષ્ણને નમસ્કાર થાઓ આવું સાંભળીને શ્રોતાને તે એટલે ક્યા કૃષ્ણને નમસ્કાર કરવાની અહીં વાત છે?” આવો પ્રશ્ન નથી થતો, કારણકે કૃષ્ણ પ્રસિદ્ધ છે. એમ પ્રસ્તુતમાં પ્રકૃષ્ટ જ્યોતિ પ્રસિદ્ધ છે, માટે યત્ ના પ્રયોગ વિના તત્ નો ઉલ્લેખ થયો છે. ને એનું સૂચન કરવા તત્વ નું પ્રસિદ્ધ એવું વિવરણ કર્યું છે એ જાણવું. એટલે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ આવો જાણવો-અને આ=પરતત્ત્વદર્શન તે કેવલજ્ઞાન છે જે તે (પ્રસિદ્ધ) પ્રકૃષ્ટજ્યોતિ સ્વરૂપ છે. [આમાં પ્રસિદ્ધ તરીકે પ્રકૃષ્ટ જ્યોતિ' પ્રાપ્ત થાય છે - કારણકે એનો ઉલ્લેખ કરનાર તત્ ને સંબદ્ધતુનો પ્રયોગ નથી. (જો કેવલજ્ઞાનને જ પ્રસિદ્ધ તરીકે લેવું હોય તો આવો અર્થ કરવો પડે) અને આ = પરતત્ત્વદર્શને તે પ્રકૃષ્ટ જ્યોતિ છે જે તે (પ્રસિદ્ધ) કેવલજ્ઞાન સ્વરૂપ છે. આમાં વાસ્તવિક અભિપ્રેતાર્થનો ગીતાર્થોએ નિર્ણય કરવો.] स्यादत्र कस्यचिदाशङ्का - इषुपातज्ञातात्परतत्त्वदर्शने सति केवलज्ञानोत्तरमनालम्बनयोगप्रवृत्तिर्मा भूत् सालम्बनयोगप्रवृत्तिस्तु विशिष्टतरा काचित्स्यादेव, केवलज्ञानस्य लब्धत्वेऽपि मोक्षस्याद्यापि योजनीयत्वात्। વૃત્તિઅર્થ અહીં કોઈને આશંકા થઈ શકે કે - શંકા- ઇષપાતના દષ્ટાન્તથી પરતત્ત્વદર્શન થઈ જાય એટલે કેવલજ્ઞાન થયા પછી અનાલંબનયોગની પ્રવૃત્તિ ભલે ન હો. સાલંબનયોગની તો કોઇક વધારે વિશિષ્ટ પ્રવૃત્તિ હોવી જ જોઈએ, કારણકે વિલીને સાલંબનયોગનો પણ અભાવ) 2િ53) Page #271 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન મળી ગયું હોવા છતાં મોક્ષ – તો હજુ યોજનીય છે જ. . વિવેચન : પરતત્ત્વદર્શનેચ્છા રૂપ અનાલંબનયોગ પરતત્ત્વદર્શન થયા પછી હોય નહીં, એ તો બરાબર છે. એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ અનાલંબનયોગ ભલે ન હો. પણ હજુ મોક્ષની પ્રાપ્તિ થઈ નથી. એટલે મોક્ષની સાથે જોડી આપે એવો કોઇક યોગ તો જોઇએ જ. ને અનાલંબનયોગ છે નહીં. માટે એ સાલંબનયોગ જ હોવો જોઇએ. વળી, હવે બાધક એવું કોઇ ઘાતીકર્મ વિદ્યમાન નથી, અને સાધક વધારે ઊંચી ભૂમિકાએ (=તેરમે ગુણઠાણે) પહોંચેલો છે, માટે એ સાલંબનયોગ વિશિષ્ટતર હોવો જોઇએ. આવો શંકાકારનો અભિપ્રાય છે. मैवम्, केवलिनः स्वात्मनि मोक्षस्य योजनीयत्वेऽपि ज्ञानाकाङ्क्षाया अविषयतया ध्यानानालम्बनत्वात् क्षपकश्रेणिकालसम्भविविशिष्टतरयोगप्रयत्नाभावाद् आवर्जी करणोत्तरयोगनिरोधप्रयत्नाभावाच्चार्वाक्तनकेवलिव्यापारस्य ध्यानरूपत्वाभावाद्, उक्तान्यतरयोगपरिणतेरेव ध्यानलक्षणत्वात् । आह च महाभाष्यकार: सुदढप्पयत्तवावारणं णिरोहो व विज्जमाणाणं । झाणं करणाण मयं ण उ चित्तणिरोहमित्तागं ॥ वि. आ. भा. ॥ ३०७१॥ વૃત્તિઅર્થ : સમાધાન : શંકાકારે જે શંકા કરી એ બરાબર નથી, કારણકે કેવલીભગવાને મોક્ષને પોતાના આત્મામાં જોડવાનો બાકી હોવા છતાં (૧) જ્ઞાનાકાંક્ષાનો અવિષય હોવાના કારણે ધ્યાનનું આલંબન ન હોવાથી ક્ષપશ્રેણિકાલમાં જે વિશિષ્ટતર યોગપ્રયત્ન હતો તે હવે હોતો નથી. તેમ જ (૨) આવર્જીકરણ પછી યોગનિરોધનો જે પ્રયત્ન હોય છે તે પણ હાલ નથી, માટે કેવલી ભગવાનનો (યોગનિરોધ) પૂર્વનો વ્યાપાર ધ્યાનરૂપ હોતો નથી. તે પણ એટલા માટે કે અહીં કહેલી આ બેમાંની કોઇ યોગપરિણતિ જ ધ્યાનસ્વરૂપ છે. મહાભાષ્યકાર શ્રી જિનભનગણી ક્ષમાશ્રમણે કહ્યું છે - કરણોનો-યોગોનો સુદૃઢપ્રયત્નપૂર્વક વ્યાપાર કે વિદ્યમાન યોગોનો નિરોધ એ ધ્યાન તરીકે માન્ય છે, નહીં કે માત્ર ચિત્તનો નિરોધ. વિવેચન : વીતરાગતા અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ પણ હજુ અઘાતીકર્મો વિદ્યમાન હોવાથી મોક્ષ મેળવવાનો બાકી છે. તેમ છતાં, તેરમા ગુણઠાણાના આવર્જીકરણ પૂર્વના કાળમાં કેવલીને સાલંબન કે અનાલંબન કોઇ ધ્યાન હોતું નથી, 254 યોગવિંશિકા...૧૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ અને તેથી સાલબનયોગ પણ હોતો નથી. આશય એ છે કે ક્ષપકશ્રેણિમાં દ્વિતીય અપૂર્વકરણકાળે-સામર્થ્યયોગ વખતે આસંગ ન હોવા છતાં પરતત્ત્વની દિદક્ષા ( પરતત્ત્વના દર્શનાત્મક જ્ઞાનની આકાંક્ષા) હોય છે અને તેથી એ દર્શનને અનુકૂળ એવો વિશિષ્ટતરયોગ પ્રયત્ન હોય છે. પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ, હજુ જે પ્રાપ્તવ્ય છે તે મોક્ષની પણ આવી દિક્ષા-જ્ઞાનાકાંક્ષા હોતી નથી, કારણકે કેવલજ્ઞાન દ્વારા એનો સાક્ષાત્કાર થઈ જ ગયો છે. એટલે ક્ષપકશ્રેણીમાં પરતત્ત્વ જેમ જ્ઞાનાકાંક્ષાનો વિષય હોવાથી ધ્યાનના ઇષદાલંબનરૂપે પણ આલંબન બનતું હતું તેમ હવે મોક્ષ ઇષદાલંબનરૂપે પણ ધ્યાનનું આલંબન બનતો નથી. તેથી એ ધ્યાનનો અનાલંબન છે. અને તેથી જ, ક્ષપકશ્રેણિ જેવો વિશિષ્ટતર યોગપ્રયત્ન હોતો નથી. પ્રત્યક્ષ થઈ ગયેલી વસ્તુનું ધ્યાન દ્વારા દર્શન કરવાનો પ્રશ્ન જ ન રહેવાથી ધ્યાનરૂપ પ્રયત્ન પણ હોય નહીં જ. (માટે યોગોના સુદઢ પ્રયત્નપૂર્વકના વ્યાપારણ રૂપ ધ્યાન હોતું નથી.) વળી યોગનિરોધનો પ્રયત્ન તો આવરણ પછી હોય છે. એટલે યોગનિરોધાત્મક ધ્યાન પણ આ કાળમાં હોતું નથી. કાય વગેરે યોગની અત્યન્ત નિયત્રિત પરિણતિ કે નિરોધવાળી પરિણતિ. ધ્યાન આ બેમાંથી એક પરિણતિ રૂપ જ હોય છેતેથી કેવલીને આવકરણ પૂર્વે આ બેમાંથી એક પણ પરિણતિ ન હોવાના કારણે ધ્યાન હોતું નથી, અર્થાત્ સાલબનયોગ પણ હોતો નથી. ધ્યાન એ યોગની આ બેમાંથી અન્યતર પરિણતિરૂપ જ છે એ વાત મહાભાષ્યકાર શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં આ રીતે કરી છે – ચંચળતાના કારણે. (શાસ્ત્રોમાં આપેલા માર્ગદર્શનથી જરા પણ) આદું- પાછું ન થાય એવી કાળજીવાળો પ્રયત્ન એ સુદઢપ્રયત્ન મન, વચન અને કાયા એ અહીં કરણો તરીકે અભિપ્રેત છે. આ કારણોનો ઉક્ત સુદઢપ્રયત્નપૂર્વક વ્યાપાર (ટૂંકમાં – મન-વચન-કાયાને અત્યન્ત જિનવચનાનુસાર પ્રવર્તાવવા) એ ધ્યાન છે. એમ, વિદ્યમાનકરણોનો વિરોધ કરવો (યોગનિરોધ) એ પણ ધ્યાન છે. માત્ર ચિત્તનિરોધ એ જ ધ્યાન છે એવું નથી. स्यादेतद्- यदि क्षपकश्रेणिद्वितीयापूर्वकरणभावी सामर्थ्ययोग एवानालम्बनयोगो ग्रन्थकृताऽभिहितः तदा तदप्राप्तिमतामप्रमत्त गुणस्थानानामुपरतसकलविकल्पकल्लोलमालानां चिन्मात्रप्रतिबन्धोपलब्धरत्नत्रयसाम्राज्यानां जिनकल्पिकादीनामपि निरालम्बनध्यानमसङ्गताभिधानं स्यादिति। ધ્યાન સ્વરૂપો 255) Page #273 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઅર્થ: અહીં કોઈને શંકા પડી શકે છે કે – શંકા- ક્ષપદ્મણીના દ્વિતીય અપૂર્વકરણમાં થતો સામર્થ્યયોગ જ જો અનાલંબનયોગ તરીકે ગ્રન્થકારે કહ્યો હોય, તો ક્ષપકશ્રેણિ-સામર્થ્યયોગ નહીં પામેલા, અપ્રમત્તગુણસ્થાનવર્તી, બધા જ વિકલ્પોના કલ્લોલની હારમાળા જેઓની અટકી ગઈ છે એવા અને ચિન્માત્રના પ્રતિબંધથી જેઓ રત્નત્રયના સામ્રાજ્યને ઉપલબ્ધ થયેલા છે એવા જિનકલ્પિક વગેરે મહાત્માઓને નિરાલંબન ધ્યાન હોવું જે કહ્યું છે તે અસંગત બની જશે. વિવેચનઃ અહીંક્ષપકશ્રેણિગત સામર્થ્યયોગ કે જેને જિનકલ્પિકાદિએ પ્રાપ્ત કર્યો નથી, તે સામર્થ્યયોગને જ અનાલંબનયોગ તરીકે કહ્યો છે. પૂર્વે અસંગાનુષ્ઠાન એ જ અનાલંબનયોગ છે, એ તથા ચન્દ્રનગધન્યાયે આત્મસાત્ થયેલ ભિક્ષાટનાદિ રૂપઅસંગાનુષ્ઠાન જિનકલ્પિકાદિને હોય છે એ કહેલું. એટલે આ રીતે જિનકલ્પિકાદિને પણ અનાલંબનયોગ હોવો જે કહ્યો હતો તે અસંગત કરી જશે એવી શંકાકારનો અભિપ્રાય છે. ગ્રન્થકારે ખુદે તો અનાલંબન યોગ જિનકલ્પિકાદિને કહ્યો જ છે એ આદર્શાવ્યું. અર્થાત્ જિનકલ્પિકાદિમાં અનાલંબનયોગની વિદ્યમાનતાને આજ્ઞા ગ્રાહ્ય તો દર્શાવી. વળી એ હેતુગ્રાહ્ય પણ છે એ દર્શાવવા શંકાકારે જિનકલ્પિકાદિના વિવિધ વિશેષણો વાપર્યા છે. (૧) સપ્રમત્તાસ્થાનાનાં પ્રમાદ યોગપ્રયત્નમાં શિથિલતા લાવે... પ્રમાદ નથી, અપ્રમાદ છે, માટે અપેક્ષાએ વિશિષ્ટ યોગપ્રયત્ન પ્રવર્તે જ. એટલે યોગોનું સુદઢપ્રયત્નવ્યાપારણ છે, તો ધ્યાન-યોગ શા માટે નહીં? અહીંગમત્તાસ્થાનાનો એવો જે ઉલ્લેખ છે તેનો વિચાર કરીએ... શાસ્ત્રોમાં પ્રમત્ત અને અપ્રમત્ત આ બે શબ્દોનો ઉલ્લેખ બે રીતે આવે છે. છ ગુણઠાણે રહેલા સંયતો પ્રમત્ત અને સાતમે ગુણઠાણે રહેલા સંયતો અપ્રમત્ત. આવી વિવક્ષાવાળી પ્રમત્ત અને અપ્રમત્ત બન્ને અવસ્થા નિરંતર અન્તર્મુહૂર્તથી વધારે ટકતી નથી. પણ બન્ને અવસ્થાઓનો પરાવૃત્તિ થયા કરવા દ્વારા ભેગો કાળ દેશોન પૂર્વકોડવર્ષ સુધી પણ સંભવે છે. બીજી વિરક્ષા પ્રમાણે શ્રી જિનેશ્વરદેવો, જિનકલ્પિક વગેરે અત્યન્ત ઉઘતવિહારી મહાત્માઓ અપ્રમત્ત કહેવાય છે, અને પ્રમાદબહુલ સંયમ પાળનારા સંયતો પ્રમત્ત કહેવાય છે. આ વિવક્ષા અનુસાર પ્રમત્ત કે અપ્રમત્ત... બન્ને અવસ્થા પરાવૃત્તિ વિના પણ નિરંતર ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોડ સુધી પણ મળી શકે છે. પ્રસ્તુતમાં (256) યોગવિંશિકા....૧૯) Page #274 -------------------------------------------------------------------------- ________________ જેમને અસંગઅનુષ્ઠાન-અનાલંબન યોગ કહેવો છે એવા જિનકલ્પિકાદિનો ‘અપ્રમત્ત' તરીકે ઉલ્લેખ છે. માટે આ ઉલ્લેખ બીજી વિવક્ષાને અનુસરીને છે એમ માનવું આવશ્યક છે. કારણકે પ્રથમ વિવક્ષા પ્રમાણે તો શ્રીજિનેશ્વરદેવો કે અત્યન્ત નિરપવાદપણે સંયમ પાળતાં જિનકલ્પિક વગેરે મહાત્માઓ પણ અન્તર્મુહૂર્તથી અધિક ‘અપ્રમત્ત’ રહી શકતા જ નથી, એમણે પ્રમત્તે આવવું જ પડે છે. અને તો પછી તેઓ છડ઼ે ગુણઠાણે આવે ત્યારે એમને અસંગાનુષ્ઠાન માની નહીં શકાય, કારણકે અસંગાનુષ્ઠાન તો સાતમા ગુણઠાણાની અપ્રમત્તતામાં વિવક્ષવાની વાત છે. - શંકા - આમાં વાંધો શું છે ? સાતમે ગુણઠાણે હોય ત્યારે અસંગાનુષ્ઠાન અને છઠ્ઠે હોય ત્યારે વચનાનુષ્ઠાન. આમ ગુણઠાણાની સાથે અનુષ્ઠાનની પણ પરાવૃત્તિ થયા કરે એમ માનવાનું. સમાધાન - ના, એમ ન માની શકાય, કારણકે વચનાનુષ્ઠાનના પુનઃ પુનઃ અભ્યાસથી દંડજન્યસંસ્કારવત આત્મામાં જે સંસ્કાર ઊભા થાય છે એ સંસ્કારજન્ય અનુષ્ઠાન એ અસંગાનુષ્ઠાન છે. જિનકલ્પિકાદિ મહાત્મા છઠ્ઠે ગુણઠાણે આવી જાય એટલા માત્રથી કાંઇ આ સંસ્કારો ભૂંસાઈ જાય અને તેથી અનુષ્ઠાન સંસ્કારજન્ય ન રહે અને પાછા સાતમે આવે એટલે સંસ્કારો ઊભા થઈ જાય અને તેથી અનુષ્ઠાન સંસ્કારજન્મ થવાથી અસંગાનુષ્ઠાન બની જાય-આવું કાંઇ બની શકે નહીં કે માની શકાય નહીં. વળી સાતમે ગુણઠાણે હોય ત્યારે જે અનુષ્ઠાન સંસ્કારથી ચન્દનગન્ધન્યાયે સ્વાભાવિક રીતે થતું હતું તે જીવ જેવો છઠ્ઠે આવે કે તરત વચનજન્ય થવા માંડે આવું પણ કોઇ રીતે માની શકાય એમ નથી. અર્થાત્ જીવ છઠ્ઠે આવે એટલે અનુષ્ઠાન સંસ્કારજન્ય તો રહી શકે નહીં, વળી ભિક્ષાટનાદિ અનુષ્ઠાન ચાલુ તો રહે જ છે. એટલે માનવું જ પડે કે મહાત્મા જેવા છ ગુણઠાણે આવી જાય કે તરત તેઓ જિનવચનોને યાદ કરીને એને અનુસરવાનું ચાલુ કરી દે. પાછા જેવા સાતમે જાય કે જિનવચનોને અનુસરવાનું બંધ... આવું કોઇ રીતે માની શકાય એમ નથી. માટે પ્રથમવિવક્ષાની અપ્રમત્તતા વિવક્ષિત નથી, પણ બીજી વિવક્ષાની અપ્રમત્તતા અભિપ્રેત છે. એમ માનવું આવશ્યક છે એ સ્પષ્ટ છે. એટલે જ ૧૬ મી ગાથાની વૃત્તિમાં ન ચૈવ તાદૃશાપઇસપ્તમસ્તુળ... વગેરે જે અધિકાર છે તેમાં વિધિના પરિપૂર્ણ પાલનની પ્રયોજક બને એવી પરિણતિ માત્ર સાતમા ગુણઠાણે ન કહેતાં છઠ્ઠા-સાતમા બન્ને ગુણઠાણે કહી જિનકલ્પિકાદિના વિશેષણો 257 Page #275 -------------------------------------------------------------------------- ________________ છે. આનો સીધો અર્થ એ થાય છે કે પરિપૂર્ણ વિધિપાલન માટેની અપ્રમત્તતા છઠ્ઠે પણ સંભવિત છે. વિધિના પરિપૂર્ણપાલનની પ્રયોજક આ પરિણતિ વચનાધીન હોય ત્યાં સુધી છઠ્ઠે-સાતમે બન્ને ગુણઠાણે વચનાનુષ્ઠાન હોય છે ને એ સંસ્કારાધીન બને ત્યારથી આ બન્ને ગુણઠાણે અસંગાનુષ્ઠાન હોય છે એ જાણવું. આ ખ્યાલ સર્વત્ર રાખવા જેવો છે કે અસંગાનુષ્ઠાન વગેરે જેવી જે કોઇ દીર્ઘકાલીન (=અન્તર્મુહૂર્તથી અધિક કાળવાળી) અવસ્થાઓ શાસ્ત્રોમાં જ્યાં ક્યાંય પણ ‘અપ્રમત્ત’ મહાત્માઓને કહી હોય ત્યાં બીજી વિવક્ષાની અપ્રમત્તતાનો જ અભિપ્રાય જાણવો, પણ માત્ર ૭મા ગુણઠાણે કહેવાતી પ્રથમવિવક્ષાવાળી અપ્રમત્તતાનો અભિપ્રાય નહીં, કારણકે, એ અપ્રમત્તતા અલ્પકાલીન હોવાથી અસંગતિ ઊભી થાય છે. માટે અહીં જે અપ્રમત્તનુળસ્થાનાનાં એવો ઉલ્લેખ છે ત્યાં ક્યાં તો પ્રમત્તા પ્રમત્તગુણસ્થાનાનાં પાઠ જોઇએ અથવા અપ્રમત્તગુણઠાણાવાળાનો જે ઉલ્લેખ છે તેના ઉપલક્ષણથી પ્રમત્તગુણઠાણે રહેલા પણ અપ્રમત્ત સાધકોનો સમાવેશ જાણી લેવો. માત્ર, પ્રમાદબહુલ જીવોનો પણ કોઇ સમાવેરાન કરી લે એ માટે એનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો નથી, એમ માનવું. ૩પરત તવિપજ્ઞોત્તમાતાનામ્ - આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવામાં જ મન-વચન-કાયાના યોગોને વ્યાવૃત કરી દીધા હોવાથી કોઇપણ પૌદ્ગલિક વિકલ્પ જેઓને ઊઠતો નથી. અર્થાત્ સકલ વિકલ્પ કલ્લોલની હારમાળાઓ અટકી ગઈ છે. એટલે જ રાગ-દ્વેષના તેવા વિકલ્પો પણ ન હોવાથી અસંગભાવ પણ હોય છે. કે વિન્માત્રપ્રતિનન્ધ્રોપતધરત્નત્રયસામ્રાજ્યાનામ ચિન્માત્ર = જ્ઞાનમાત્રમાં કે જ્ઞાનમયઆત્મામાત્રમાં પ્રતિબન્ધ-લગાવ... હોય છે... કોઇ જ પૌદ્ગલિક વસ્તુ અવસ્થાનું આકર્ષણ રહ્યું હોતું નથી. અને આ જ કારણે વિકલ્પોની માળા બંધ થઈ છે. નિર્વિકલ્પદશા છે... આ ચિન્માત્ર-પ્રતિબન્ધના કારણે આ મહાત્માઓ સભ્યજ્ઞાનદર્શન-ચારિત્રાત્મક ત્રણ રત્નના સામ્રાજ્યને પ્રાપ્ત થયેલા હોય છે. આ અવસ્થામાં આ ત્રણે રત્નો એકરૂપતાને પામેલા હોય છે એ જાણવું. રત્નત્રયનું સામ્રાજ્ય પામેલા છે એવું જણાવવા દ્વારા એ સૂચન કરવામાં આવ્યું છે કે મન-વચન કે કાયાની કોઇ જ અનુચિત પ્રવૃત્તિ હોતી નથી. માત્ર ઉચિત પ્રવૃત્તિ હોય છે. અને તે પણ, પૂર્વે અધ્યાત્મમત પરીક્ષામાં કહેલી વાત જણાવી તે મુજબ સામાયિજન્ય હોય છે, 258 યોગવિંશિકા . .૧૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ રાગજન્ય નહીં. એટલે અપ્રમત્ત મુનિઓને ઉચિત અસંગભાવ પણ વિદ્યમાન છે. આ બધા વિશેષણો, આવા જિનકલ્પિકાદિ મહાત્માઓની અસંગઅનુષ્ઠાનઅનાલંબનયોગને ઉચિત બધી ભૂમિકા છે એ સૂચવવા દ્વારા અનાલંબન યોગની હેતુગ્રાહ્ય વિદ્યમાનતા જે જણાવે છે, તે અસંગત બની જશે - આવો શંકાકારનો અભિપ્રાય છે. તપ્રષિમતાન્... આવું જે જિનકલ્પિકાદિનું વિશેષણ કહ્યું છે તે તેઓને નિરાલંબનધ્યાન હોવાનું કથન અસંગત કેમ બને છે? એનું કારણ દર્શાવે છે. ક્ષપદ્મણિ પ્રાપ્ત નથી થઈ અને તેથી સામર્થ્યયોગ પ્રાપ્ત થયો નથી. તો આ અપ્રાપ્તિવાળા જિનકલ્પિકાદિને સામર્થ્યયોગાત્મક નિરાલંબનધ્યાન હોવું અસંગત કરે જ. मैवं, यद्यपि तत्त्वतः 'परतत्त्वलक्ष्यवेधाभिमुखस्तदविसंवादी सामर्थ्ययोग एव निरालम्बनस्तथापि परतत्त्वलक्ष्यवेधप्रगुणतापरिणतिमात्रादर्वाक्तनं परमात्मगुणध्यानमपि मुख्यनिरालम्बनप्रापकत्वादेकध्येयाकारपरिणतिशक्तियोगाच्च निरालम्बनमेव । अत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रमत्तानां शुक्लध्यानांशो निरालम्बनोऽनुभवसिद्ध एव। વૃત્તિઅર્થ: સમાધાન આવી શંકા કરવી નહીં, કારણ કે.. જો કે પરતત્ત્વનાલફ્ટવેધને અભિમુખ અને તેને (લક્ષ્યવેધને) અવિસંવાદી એવો સામર્થ્યયોગ જ તત્ત્વતઃ નિરાલંબનયોગ છે. તો પણ પરતત્ત્વના લક્ષ્યવેધની પ્રગુણતા પરિણતિમાત્રના કારણે પૂર્વનું પરમાત્મગુણધ્યાન પણ મુખ્યનિરાલબધ્યાનનું પ્રાપક હોવાથી અને એક ધ્યેયાકાર પરિણતિશક્તિનો યોગ હોવાથી નિરાલંબન' જ છે. એટલે જ અવસ્થાત્રિકની ભાવનામાં રૂપાતીત-સિદ્ધગુણોના પ્રણિધાન કાળે અપ્રમત્તજીવોને શુક્લધ્યાનના અંાભૂત નિરાલંબનયોગ અનુભવસિદ્ધ હોય જ છે. વિવેચનઃ સામર્થ્યયોગ એ જ નિરાલંબનયોગ છે એ વાત સાચી જ છે ને છતાં તેની અપ્રાપ્તિવાળા અપ્રમત્ત જિનકલ્પિકાદિને નિરાલંબનયોગ હોવો જે કહ્યો છે તે પણ સંગત છે, કારણકે એ ઉપચારથી કહ્યો છે. આ પ્રમાણે ગ્રન્થકાર શંકાકારની શંકાનું સમાધાન કરે છે. (૧) પરતત્ત્વ એ લક્ષ્ય છે. એનું દર્શન એ વેધ છે. સામર્થ્યયોગ આવેધને ( ઉપચરિત અનાલંબનયોગ 2િ59) 259 Page #277 -------------------------------------------------------------------------- ________________ અભિમુખ હોય છે. વળી એ લક્ષ્યવેધને અવિસંવાદી છે, અર્થાત્ લક્ષ્યવેધ કરીને જ રહે છે, ક્યારેય નિષ્ફળ જતો નથી. માટે સામર્થ્યયોગના અહીં પરતત્ત્વલક્ષ્યવેધાભિમુખ અને તદવિસંવાદી એવા બે વિશેષણ મૂક્યા છે. સામર્થ્યયોગ આવો હોય છે ને માટે એ જ તત્ત્વથી (=નિરુપચરિતપણે) અનાલંબનયોગ છે. અપ્રમત્ત જિનકલ્પિકાદિનું પરમાત્મગુણધ્યાન તુરંતમાં પરતત્ત્વલક્ષ્યવેધ કરનારું ન હોવાથી તેને અભિમુખ પણ હોતું નથી કે એ પરતત્ત્વલક્ષ્યવેધ કરવામાં નિષ્ફળ ન જ જાય એવું અવિસંવાદી જ હોવાનો નિયમ પણ નથી. માટે એ તત્ત્વતઃ અનાલંબનયોગ નથી. (૨) તેમ છતાં, જિનકલ્પિકાઠિ મહાત્માઓ જે પરમાત્મગુણધ્યાન કરે છે તે પરતત્ત્વલક્ષ્યવેધની ભૂમિકા પેદા કરનાર પરિણતિરૂપ હોય છે. અર્થાત્ આ પરમાત્મગુણધ્યાન પરતત્ત્વદર્શનને અનુકૂળ છે - પરતત્ત્વદર્શન તરફ આગળ લઈ જનાર છે, માટે ઉપચારથી એને અનાલંબનયોગ કહેવાય છે. - (૩) જિનકલ્પિકાદિ અપ્રમત્ત મહાત્માના પ્રભુગુણધ્યાનને ઉપચારથી ‘અનાલંબનયોગ’ તરીકે જે કહેવો છે તેમાં બે હેતુ દર્શાવ્યા છે. (1) મુલ્યનિરાલમ્બનપ્રાપāાર્... સામર્થ્યયોગરૂપ જે મુખ્ય (=નિરુપચારિત) નિરાલંબનયોગ છે તેને પ્રાપ્ત કરાવનાર હોવાથી એને નિરાલંબનયોગ કહેલ છે. (2) પધ્યેયાારપરિણતિરાત્તિયોન્ન અનાલંબનયોગ એ, અરૂપીપરમાત્મા સ્વરૂપ આલંબનના કેવલજ્ઞાનાદિગુણોની સમાપત્તિ = એકાકારપરિણતિ સ્વરૂપ છે એમ પૂર્વે કહેલું છે. આત્માનું શુદ્ધસ્વરૂપ = આ કેવલજ્ઞાનાદિગુણો એ નિરાલંબનધ્યાનનું ધ્યેય છે. તેની સાથે એકાકારપરિણતિ એ નિરાલંબનધ્યાન છે. એક સમાન-એજ. અર્થાત્ અનાલંબનયોગમાં જે ધ્યેયાકારની પરિણતિ છે તે જ અલબત જિનકલ્પિકાદિના પ્રભુગુણધ્યાનમાં નથી, છતાં એ પરિણતિની શક્તિ = યોગ્યતા તો એ ધ્યાનમાં છે જ. માટે પણ એને ઉપચારથી અનાલંબનયોગ કહેવાય છે. (૪) આમ, ક્ષપશ્રેણિપૂર્વનું પ્રભુગુણધ્યાન પણ નિરાલંબનયોગ સ્વરૂપ છે. એટલે જ, પિંડસ્થ, પઠસ્થ અને રૂપાતીત (=રૂપસ્થ) આ ત્રણ ભાવનાઓમાંથી ત્રીજી રૂપાતીત અવસ્થાનું પ્રણિધાન કરવામાં આવે છે ત્યારે.... અર્થાત્ સિદ્ધભગવંતોના કેવલજ્ઞાનાદિગુણોનું ધ્યાન ધરવામાં આવે છે ત્યારે શુક્લધ્યાનાંશ હોય છે. આશય એ છે કે અપ્રમત્તમુનિઓ જ્યારે રૂપાતીત એવી સિદ્ધાવસ્થાનું ધ્યાન 260 યોગવિંશિકા... .૧૯ Page #278 -------------------------------------------------------------------------- ________________ ધરવાનો પ્રારંભ કરે છે ત્યારે પ્રારંભિકકાળમાં તો સિદ્ધગુણોનું વર્ણન કરનારા શાસ્ત્રવચનોની આસપાસ તેઓનું ચિંતન ચાલે છે. પછી ધીમે ધીમે વાચક શબ્દો છૂટી જાય... અને વાચ્યાર્થભૂત રૂપાતીત અવસ્થા-કેવલજ્ઞાનાદિ ગુણોનું જ જે ધ્યાન ચાલે છે તે શુક્લધ્યાનના અંશભૂત હોય છે અને એ જ નિરાલંબનયોગ છે. શુક્લધ્યાનના ચાર પાયા છે. એમાંના પ્રથમ એક્ષપકશ્રેણિમાં તથા છેલ્લા બે કેવલી અવસ્થામાં હોય છે. એટલે અપ્રમત્તગુણસ્થાને તો ચારમાંથી એક પણ પાયો હોતો નથી. માટે આ ધ્યાનને શુકલધ્યાનરૂપે કહ્યું નથી. તેમ છતાં, એ શુકલધ્યાનની પરિણતિને અનુરૂપ પરિણતિ ધરાવે છે તેમજ શુક્લધ્યાનમાં પરિણમવાની યોગ્યતા ધરાવે છે માટે એને શુક્લધ્યાનના અંશ રૂપે કહ્યું છે.* संसार्यात्मनोऽपि च व्यवहारनयसिद्धमौपाधिकं रूपमाच्छाद्य शुद्धनिश्चयनयपरिकल्पितसहजात्मगुणविभावने निरालम्बनध्यानं दुरपह्नवमेव, परमात्मतुल्यतयाऽऽत्मज्ञानस्यैव निरालम्बनध्यानांशत्वात्, तस्यैव च मोहनाशकत्वात्, आह च जो जाणइ अरिहते दव्वत्तगुणत्तपज्जयत्तेहिं।। सो जाणइ अप्पाणं मोहो खलु जाइ तस्स लयं ।। प्रवचनसार-१-८०।। "तस्मादूपिद्रव्यविषयं ध्यानं सालम्बनं, अरूपिविषयं च निरालम्बनमिति स्थितम् | . વૃત્તિઅર્થ 'સંસારી જીવનું પણ વ્યવહારનયથી સિદ્ધ જે ઔપાયિક સ્વરૂપ છે તેને ઢાંકીને (=કલ્પનાથી દૂર કરીને) શુદ્ધનિશ્ચયનય પરિકલ્પિત સહજ આત્મગુણોનું વિભાવન કરવામાં આવે ત્યારે નિરાલંબનધ્યાનનો નિષેધ કરી શકાતો નથી, કારણકે પરમાત્માને તુલ્યરૂપે આત્માને જાણવો એ જ (પણ) નિરાલંબનધ્યાનનો અંશ છે, અને એ જ મોહનો નાશક છે. કહ્યું છે કે – જે દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંતને જાણે છે તે આત્માને જાણે છે. અને તેનો મોહ ખરેખર વિલય પામે છે. તેથી રૂપિદ્રવ્યવિષયક ધ્યાન એ સાલંબન ધ્યાન છે અને અરૂપિદ્રવ્યવિષયક ધ્યાન એ *અહીં પિંડસ્થ અને પદસ્થ અવસ્થાઓના ચિંતનવેળા શુક્લધ્યાનનો અંશ પણ ન કહ્યો, એટલે જણાય છે કે એ ધર્મધ્યાનરૂપ જ છે. એટલે એવી તારવણી કરી શકાય કે સ્કૂલરૂપી વિષયક ધ્યાન કે જે વિકલ્પવાળું અને સંગવાળું = પ્રશસ્તરાગવાળું) છે તે ધર્મધ્યાન છે અને અરૂપીવિષયકધ્યાન કે જે નિર્વિકલ્પ અને અસંગ બન્યું છે તે શુક્લધ્યાન છે. તેનો પ્રારંભ અપ્રમત્તદશાથી થાય છે. (પરમાણુ વગેરે સૂક્ષ્મવિષયક નિર્વિકલ્પ અને અસંગ બનેલું ધ્યાન પણ શુક્લધ્યાન છે એ જાણવું.) (અરૂપીવિષયક ધ્યાન અનાલંબન છે) 2િ61) Page #279 -------------------------------------------------------------------------- ________________ નિરાલંબન ધ્યાન છે એમ નિશ્ચિત થયું. વિવેચન : (૧) સ્વરૂપના સ્વરૂપવાનનો પણ નાશ થાય.. એ ન્યાયે દેવ-મનુષ્યાદિપણું, સુરૂપતા-કુરૂપતા-રાગ-દ્વેષ-અજ્ઞાન.. આ બધું જ જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી, એમ નિશ્ચિત થાય છે, કારણકે આ બધાનો નાશ થવા છતાં આત્મદ્રવ્ય તો ઊભું જ રહે છે. તેમ છતાં, હું દેવ... હું મનુષ્ય... હું સુરૂપ... વગેરે વ્યવહાર થાય છે અને તેથી એ બધાનો જીવના સ્વરૂપ તરીકે ઉલ્લેખ થાય છે. એટલે એ વ્યવહારનયસિદ્ધ સ્વરૂપ છે. વળી આ બધું કર્માત્મક ઉપાધિ જન્ય સ્વરૂપ છે. માટે એ પાધિક છે. શુદ્ધનિશ્ચયનય આમાંથી કશાનો આત્માના સ્વરૂપ તરીકે સ્વીકાર કરતોનથી, કારણ કે આ બધું વિનરાવર છે જ્યારે આત્મા અવિનાશી છે. શુદ્ધનિશ્ચયનય તો અનંતકાળ સુધી આત્માની સાથે રહેનાર કેવલજ્ઞાનાદિ સહજ આત્મગુણોને જ આત્માના સ્વરૂપ તરીકે સ્વીકારે છે. સંસારી (છદ્મ0) જીવોમાં આ સ્વરૂપ પ્રકટ ન હોવા છતાં અંદર દબાયેલું તો પળ્યું જ હોય છે, કારણકે એ અનૌપાધિક-સહજ સ્વરૂપ હોવાથી એનો ક્યારેય નાશ થઈ શકે નહીં.) શુદ્ધ નિશ્ચયનય, સંસારીજીવના બાહ્ય વ્યક્તદેવત્વાદિસ્વરૂપને નજરમાં લેતો જ નથી, માત્ર અંદર દબાયેલા આ શુદ્ધ સ્વરૂપને જ જુએ છે. (જેમ એક્સરે બહારનાં વસ્ત્રો, શરીર, ચામડી, ચામડી પરના ડાઘ વગેરેને ઝીલતો નથી. ને સીધો અંદરના હાડકાં વગેરેની રચનાને જ ઝીલે છે એમ.) અપ્રમત્તમુનિઓ જ્યારે આ શુદ્ધનિશ્ચયનયના ચરમાથી સંસારીજીવને જુએ છે, અર્થાત્ એના વ્યવહારનયસિદ્ધ-પાયિક બાહ્યસ્વરૂપને નજરઅંદાજ કરી એના શુદ્ધ આંતરિક સ્વરૂપને જુએ છે ને એના ધ્યાનમાં તલ્લીન બને છે ત્યારે તેઓનું એ ધ્યાન નિરાલંબનધ્યાન (કે એનો અંશ) જ હોય છે. કારણકે આત્માને (=સંસારીજીવને) પરમાત્માને તુલ્ય હોવા રૂપે જોવો આત્મા અને પરમાત્મા (સિદ્ધાત્મા) આ બન્નેનું શુદ્ધસ્વરૂપ એકસરખું જ છે, એટલે આત્માને = શુદ્ધસ્વરૂપે જોવો એ એને પરમાત્મતુલ્યરૂપે જોવા બરાબર જ છે.] એ જ નિરાલંબનધ્યાનના અંશરૂપ છે. ‘પરમાત્મતુલ્યતયા આત્મજ્ઞાન એ જ નિરાલંબનધ્યાનાંશ છે. આવું જ કારવાળું વિધાન એ સૂચન કરે છે કે સંસારીજીવના શુદ્ધસ્વરૂપનું આલંબન હોય કે સિદ્ધગુણોનું આલંબન હોય. પણ એનાધ્યાનકાળે, પોતે પણ આત્મા હોઈ પોતાનું પણ આવું જ સ્વરૂપ છે એવું પ્રતીત થાય તો જ એ નિરાલંબનધ્યાનનો અંરા છે, 2િ62) 262 યોગવિંશિકા....૧૯) Page #280 -------------------------------------------------------------------------- ________________ અન્યથા નહીં... (૨) સંસારીજીવના (અપ્રમત્તમુનિ પોતે પણ સંસારી હોવાથી પોતાના પણ) બાહ્ય ઔપાધિક સ્વરૂપને ગૌણ કરી શુદ્ધસ્વરૂપનું વિભાવન કરતી વેળા નિરાલંબનધ્યાન હોય છે, એવું માનવામાં બીજો હેતુ છે - તવ રમોદના ઋત્વાત્... આશય એ છે કે સંપૂર્ણ મોહનાશ કરી વીતરાગતાની ભેટ ધરનાર સામર્થ્યયોગ જેમ નિરાલંબન ધ્યાનરૂપ છે, અર્થાત્ અનાલંબનયોગથી જ જેમ સંપૂર્ણમોહનાશ છે, એમ, સામર્થ્યયોગની ભૂમિકા સર્જી આપે (=ક્ષપદ્મણિ સુધી પહોંચાડી આપે) એવો વિશિષ્ટ પ્રકારનો મોહનાશ પણ નિરાલંબનધ્યાનથી જ શક્ય છે. એટલે અપ્રમત્તમુનિ પરમાત્માની તુલ્યરૂપે આત્મજ્ઞાન જે કરે છે એ જો વિશેષ પ્રકારે મોહનાશ કરી ક્ષપકશ્રેણિનું સામર્થ્ય પ્રગટાવનાર છે તો એને નિરાલંબનધ્યાન રૂપે કહેવું જ પડે. પ્રશ્ન : પણ પરમાત્મતુલ્યતયા આત્મજ્ઞાન એ મોહનાશક છે ખરું? કે જેથી એને આ રીતે નિરાલંબનધ્યાનરૂપે કહેવું આવશ્યક બને? ઉત્તર: હા, એ મોહનો વિલય કરનાર છે એમ પ્રવચનસારમાં કહ્યું જ છે. ત્યાં કહ્યું છે કે “જે શ્રી અરિતોને દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે જાણે છે તે આત્માને જાણે છે - અર્થાત્ શ્રી અરિહંતનું દ્રવ્યાદિને આથીને જે જ્ઞાન છે એ જ આત્માનું જ્ઞાન છે (અર્થાત્ બન્ને તુલ્ય છે). આ રીતે જ્ઞાન કરનારનો મોહ ખરેખર વિલય પામે છે.” એટલે, શુદ્ધનિશ્ચયનયપરિકલ્પિત સહજ આત્મગુણના વિભાવનકાળે પરમાત્મતુલ્યતયા થતું આત્મજ્ઞાન એ મોહનાશક હોવાથી* નિરાલંબનધ્યાન રૂપ છે એ સિદ્ધ થયું... માટે એ વખતે નિરાલંબન ધ્યાન માનવું જ પડે, એનો નિષેધન થઈ શકે, એ સિદ્ધ થયું. *આમ તચૈવ મોદના વંતુ એ નિરાલંબનધ્યાનની વિદ્યમાનતાનો જ (બીજો) હેતુ છે એ જાણવું, અને તેથી - ત્યાં પ્રશ્ન થાય કે પરમાત્માનું ધ્યાન પણ નિરાલંબનધ્યાન કેમ નહી ? તેથી કહે છે કે- આવી અવતરણિકા કરી તવૈવ વ મનાશઋત્વતિ ને પરમાત્મધ્યાન પણ નિરાલંબનધ્યાનરૂપ નથી, કિન્તુ પરમાત્મતુલ્યતયા આત્મજ્ઞાન એ જ નિરાલંબનધ્યાન છે આવું સિદ્ધ કરવા માટે હેતુ તરીકે વૃત્તિકારે રજૂ કરેલો છે એવું વિવેચન કરવું એ અજ્ઞાનનો વિલાસ જાણવો, કારણ કે તવ ... માં રહેલો હેતુ તરીકે આવેલા પરમાત્મતત્યતયાSSત્મજ્ઞાનચૈવ નિસ્તિત્વનેધ્યાનાશવંતુ આ હેતુનો સમુચ્ચય કરે છે. એટલે પરમાત્મ07તથી... આ હેતુ જો નિરાલંબનધ્યાનની દુરપદ્વવતાનો (વિદ્યમાનતાનો) હેતુ છે તો તચૈવ ૨ મોદનારઋત્વર્િ પણ એ દુરપદ્વવતાનો જ હેતુ બની શકે, અન્યનો નહીં. આત્મજ્ઞાનમાં મોહનાશકતા 2િ633 263 Page #281 -------------------------------------------------------------------------- ________________ [અલબત્ અપુનર્બન્ધકથી લઈને અપ્રમત્તમુનિના સાલંબનધ્યાન સુધીની બધી સાધનાઓ મોહનો કંઇક ને કંઇક અંશે નાશ કરનાર છે જ. પણ પરમાત્મતુલ્યતા આત્મજ્ઞાન (નિરાલંબનધ્યાન) જે પ્રચુર માત્રામાં ને જે શીવ્રતાથી મોહનાશ કરે છે, તે પ્રચુરતાથી ને તે શીઘ્રતાથી નહીં. અહીં પ્રચુરતાથી ને શીઘ્રતાથી થતા મોહનાશનેનજરમાં રાખીને નિરાલંબનધ્યાનને જ મોહનાશક તરીકે કહ્યું છે એ જાણવું] ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે પોતાની ચોવીશીમાં નીચે મુજબ કહ્યું છે તારું ધ્યાન તે સમડીતરૂપ તેહ જ જ્ઞાનને ચારિત્ર તેહ છેજી તેથી રે જાએ સઘળાં પાપ ધ્યાતારે ધ્યેય સ્વરૂપ હોયે પોજી શ્રી શાંતિજિનસ્તવન ગા.૪ ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકું જ્ઞાનીને ફળ દેઈ રે કાયા કષ્ટ વિના ફળ લહીએ મનમાં ધ્યાન જ ધરેઇ રે ! શ્રી અરજિન સ્તવન ગા. ૩ જે ઉપાય બહુવિધની રચના જોગમાયા તે જાણો રે. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે શ્રી અરજિન સ્તવન ગા. ૪ (૪) ૧૯મી ગાથાનો ઉપસંહાર કરવા કહે છે – આમ પ્રભુની મૂર્તિ - પ્રાતિહાર્યો વગેરે પીદ્રવ્યવિષયક ધ્યાન એ સાલંબન યોગ છે અને સિદ્ધાત્માનું કે સંસારીઆત્માનું શુદ્ધ નિશ્ચયનયમાન્ય કેવલજ્ઞાનાદિમય અરૂપીપદાર્થવિષયક ધ્યાન એ નિરાલંબનયોગ છે એ નિશ્ચિત થયું. સાધક આત્મા પ્રતિમાદિવિષયક સાલંબનધ્યાનમાંથી આગળવધતાં વધતાં કેવલજ્ઞાનાદિવિષયક નિરાલંબનધ્યાન સુધી પહોંચે છે એ જાણવું. I ૧૯ / अथ निरालम्बनध्यानस्यैव फलपरम्परामाहएयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव। तत्तो अजोगजोगो कमेण परमं च निव्वाणं॥२०॥ (264) યિોગવિંશિકા ૨) Page #282 -------------------------------------------------------------------------- ________________ અવતરણિતાર્થ (નિરાલંબન ધ્યાન સુધી પહોંચ્યા પછી શું થાય છે? એ જણાવવા) હવે નિરાલંબનધ્યાનની જ ફળપરંપરાને કહે છે – ગાથાર્થઃ આ નિરાલંબનધ્યાન પ્રાપ્ત થયે મોહસાગરનું તરણ, શ્રેણિ, અને કેવલજ્ઞાન થાય છે. પછી અયોગનો યોગ થાય છે અને મે કરીને પરમ નિર્વાણ પ્રાપ્ત થાય છે. एयम्मि त्ति । एतस्मिन् = निरालम्बनध्याने लब्धे मोहसागरस्य = दुरन्तरागादिभावसन्तानसमुद्रस्य तरणं भवति। ततश्च श्रेणिः = क्षपकश्रेणिर्नियूँढा भवति, सा ह्यध्यात्मादियोगप्रकर्षगर्भिताशयविशेषरूपा । एष एव सम्प्रज्ञातः समाधिस्तीर्थान्तरीयैर्गीयते। एतदपि सम्यग् = यथावत् प्रकर्षण = सवितर्कनिश्चयात्मकत्वेनात्मपर्यायाणामर्थानां च द्वि(द्वी)पादीनामिह ज्ञायमानत्वादर्थतो नानुपपन्नम्। વૃત્તિઅર્થ: આ = નિરાલંબનધ્યાન પ્રાપ્ત થયે મોહસાગરનું = દુરંત રાગાદિભાવોની પરંપરા રૂપસમુદ્રનું તરણ થાય છે. પછી શ્રેણિ = ક્ષપકશ્રેણિ નિર્બુદ્રા થાય છે. તે શ્રેણિ અધ્યાત્મ વગેરે યોગના પ્રકર્ષથી ગર્ભિત એક વિશેષ પ્રકારના આશયરૂપ છે. આ જ સંપ્રજ્ઞાત સમાધિ તરીકે અન્યદર્શનકારો વડે કહેવાય છે. એ વાત પણ અસંગત નથી. કારણકે સમ્યગ = યથાવત્ સવિકલ્પ નિશ્ચયાત્મત્વરૂપ પ્રકર્ષથી આત્મપર્યાયો અને ત્રીપ વગેરે અર્થો અહીં જ્ઞાયમાન હોવાથી અર્થથી એ અસંગત નથી. વિવેચનઃ આઠમાં ગુણઠાણાથી સામર્થ્યયોગ અને નિરાલંબનધ્યાન પ્રવર્તે છે. એના દ્વારા મોહનો ક્ષય કરતાં કરતાં દશમા ગુણઠાણાને અંતે મોહનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. એટલે કે દુરંત રાગાદિભાવોની પરંપરારૂપ મોહસમુદ્રને જીવ તરી જાય છે. ત્યાર પછી બારમાં ગુણઠાણાને અંતે ક્ષપકશ્રેણિ નિબૂઢા = વહન કરાઈ ગયેલી થાય છે = સમાપ્ત થાય છે. આ ક્ષપકશ્રેણિ એ પણ ચિત્તની અવસ્થાવિશેષ રૂપ હોવાથી આશયવિશેષરૂપ છે. અને અધ્યાત્મ, ભાવના વગેરે યોગો જે અત્યારસુધી પ્રકર્ષવાળા નહોતા, તે શ્રેણિમાં પ્રકર્ષવાળા બને છે. એટલે ક્ષપકશ્રેણિ અધ્યાત્મવગેરેના પ્રકર્ષથી ગર્ભિત = યુક્ત એક ચોક્કસ પ્રકારના આશયસ્વરૂપ છે એ જાણવું. આ ક્ષપકશ્રેણિ જ અન્યદર્શનકારો વડે ‘સંપ્રજ્ઞાતસમાધિ તરીકે કહેવાય છે. [ નિરાલંબનધ્યાન ફળપરંપરા (265) 265 Page #283 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શનકારો ક્ષપશ્રેણિને ‘સંપ્રજ્ઞાતસમાધિ’ તરીકે જે ઓળખાવે છે તે પણ અસંગત નથી. સં = સમ્યક્ = યથાવત્, પ્ર = પ્રકર્ષ = સવિતર્કનિશ્ચયાત્મકત્વ. ક્ષપશ્રેણિ દરમ્યાન આત્માના પર્યાયો તથા દ્વીપ વગેરે પદાર્થો સમ્યગ્ = યથાવત્ = જેવા છે તેવા વિતર્ક – વિચાર = વિકલ્પવાળા નિશ્ચયાત્મક જ્ઞાનથી જણાય છે. જ્ઞાનમાં રહેલું આ સવિતર્ક નિશ્ચયાત્મત્વ એ એમાં રહેલો પ્રકર્ષ છે. એટલે સં (સમ્યગ્) પ્ર (પ્રકર્ષવાળા જ્ઞાનથી પદાર્થો) જ્ઞાત છે, માટે ક્ષષકશ્રેણિને સંપ્રજ્ઞાતસમાધિ કહેવી એ અર્થથી સંગત છે. આ 'ततश्च केवलमेव = केवलज्ञानमेव भवति । अयञ्चासम्प्रज्ञातः समाधिरिति परैर्गीयते, तत्रापि अर्थतो नानुपपत्तिः, केवलज्ञानेऽशेषवृत्त्यादिनिरोधाल्लब्धात्मस्वभावस्य मानसविज्ञानवैकल्यादसम्प्रज्ञातत्वसिद्धेः । વૃત્તિઅર્થ : 'ત્યારપછી કેવલ = કેવલજ્ઞાન જ થાય છે. એ અસંપ્રજ્ઞાતસમાધિ છે એમ અન્યદર્શનકારો વડે કહેવાય છે. એમાં અર્થથી કોઇ અસંગતિ નથી, ડેવલજ્ઞાન થયે બધી વૃત્તિ વગેરેનો નિરોધ થવાથી લબ્ધઆત્મસ્વભાવવાળા કેવલી ભગવંતોને માનસવિજ્ઞાનની વિકલતા હોવાથી અસંપ્રજ્ઞાતત્વ સિદ્ધ થાય છે. વિવેચન : (૧) ત્યારપછી = શ્રેણિ નિર્મૂઢ થયા પછી કેવલજ્ઞાન થાય છે. (૨) આ કેવલજ્ઞાન ‘અસંપ્રજ્ઞાત’ તરીકે અન્યતીર્થિકો વડે જે કહેવાય છે તેમાં પણ અર્થથી અસંગતિ નથી. કારણકે કેવલજ્ઞાન થયે અરોષ-મતિ-શ્રુતજ્ઞાનાત્મક મનોવિકલ્પરૂપ બધી વૃત્તિઓ અને ‘આદિ’ પદથી એના કારણભૂત મતિજ્ઞાનાવરણાદિકર્મોનો નિરોધ થઈ ગયો હોય છે. (રાગાદિ વૃત્તિઓનો તો પૂર્વે જ નારા થઈ ગયો છે. ) વૃત્તિઓનો નિરોધ થઈ જવાથી આત્માને પોતાનોવૃત્તિરહિત નિર્મળસ્વભાવ (કેવલજ્ઞાનાદિ) પ્રાપ્ત થાય છે. એટલે તેને મનોજન્ય વિકલ્પાત્મક માનસવિજ્ઞાન હોતું નથી. અર્થાત્ સવિતર્કનિશ્ચયાત્મત્વરૂપ પ્રકર્ષ હોતો નથી. માટે એ સંપ્રજ્ઞાત ન હોવાથી ‘અસંપ્રજ્ઞાત’ છે. સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ આ બન્ને અનુપપન્ન નથી એવું જણાવવા ‘અર્થતઃ’ એવું પદ ઉમેરેલું છે. તે એ સૂચવે છે કે રાબ્દથી તો અસંગતિ = ફેરફાર છે, પણ અર્થથી નથી. આપણે ત્યાં પૃથવિતર્કસવિચાર, એકત્વ 266 યોગવિંશિકા...૨૦ Page #284 -------------------------------------------------------------------------- ________________ વિતર્કઅવિચાર, દેવલજ્ઞાન વગેરે શબ્દોનો ઉલ્લેખ છે જ્યારે અન્યદર્શનમાં સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એવા શબ્દો છે. એટલે શબ્દોનો તફાવત તો સ્પષ્ટ છે જ. આગળ, પ વ સમ્પ્રજ્ઞાત:... વગેરેમાં C શબ્દ શ્રેણિનો અને અયં વાસપ્રજ્ઞાત:... વાક્યમાં અયં શબ્દ કેવલજ્ઞાનનો પરામર્શક છે. શ્રેણિ શબ્દ સ્ત્રીલિંગવાળો અને કેવલજ્ઞાન શબ્દ નપુંસકલિંગવાળો હોવા છતાં અહીં પુંલ્લિંગમાં જે ઉલ્લેખ કર્યો છે તે વિધેયને જણાવવા માટે વપરાયેલા સમ્પ્રજ્ઞાત:-અમન્ત્રજ્ઞાત: સમાધિ: શબ્દો પુલિંગમાં છે તેને અનુસરીને જાણવો. અલબત્ વૃત્તિમાં ક્ષપશ્રેણિની વાત કર્યા પછી C વ સમ્પ્રજ્ઞાત... વગેરે કહ્યું છે. તેમજ તતથ વતમેવ=વજ્ઞાનમેવ માતા આટલું કહીને અયગ્રામપ્રજ્ઞાત... વગેરે કહ્યું છે. એટલે અહીં ક્ષપશ્રેણિને જ સંપ્રજ્ઞાતસમાધિ તરીકે તથા કેવલજ્ઞાનને જ અસંપ્રજ્ઞાતસમાધિ તરીકે કહ્યા, ને એ રીતે અર્થ મેળવવા માટે પ અને અય એવો પુલ્ડિંગમાં નિર્દેશ વિધેયલિંગાનુસારે છે એમ આ ખુલાસો કર્યો.... વસ્તુતઃ યોગબિન્દુ ગ્રન્થને અનુસરીને વિચારીએ તો અધ્યાત્માદિ યોગ જ સંપ્રજ્ઞાત સમાધિ છે. ત્યાં જણાવ્યું છે કે સમાધિરેષ વાધ્યાત્માવિર્યોગ: અન્યસ્તીર્થાન્તરીય: સપ્રજ્ઞાત: = સમ્પ્રજ્ઞાતનામામિધીયતે । એટલે પ્રસ્તુતમાં યોગવિંશિકામાં પણ આ રીતે જે પંક્તિઓ છે કે ‘સા હ્યધ્યાત્માવિયો પ્રર્ષમિતાશય-વિશેષરૂપા પ વ સમ્પ્રજ્ઞાત: સમાધિસ્તીર્થાન્તરી ચેયતે। તેના પરથી ‘‘Ç શબ્દ પૂર્વોલિખિત સા (=શ્રેણિ) નો પરામર્શક છે’’ એમ ન માનતાં, ‘એમાં સા ના વિવરણમાં જે અધ્યાત્માવિયોગ રાબ્દ રહેલો છે એનો પરામર્શક છે’ એમ માનવું જોઇએ. એટલે પછી ‘વિધેયલિંગાનુસારે પુલ્લિંગતા છે’ એવું સમાધાન કરવાની પણ આવશ્યકતા ન રહે. શંકા - તો પછી ક્ષપકશ્રેણિ દરમ્યાન થયેલા અધ્યાત્માદિયોગના પ્રકર્ષને કે તે પ્રકર્ષથી ગર્ભિત આાયવિશેષને સમ્પ્રજ્ઞાતસમાધિ કહીએ તો ? સમાધાન - ના, એ પણ બરાબર નથી. કારણકે એનો અર્થ એ થાય કે સમ્પ્રજ્ઞાત સમાધિ ક્ષપશ્રેણિમાં જ હોય છે. પણ એવું નથી. સમ્પ્રજ્ઞાત સમાધિ એ પૂર્વે પણ હોય છે. અર્થાત્ નિશ્ચયનયે પાંચમા ગુણઠાણાથી અને વ્યવહારનયે અસંપ્રજ્ઞાતસમાધિ 267 Page #285 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બન્ધક અવસ્થાથી હોય છે. (પણ એનું પ્રધાન અસ્તિત્વ સર્વવિરતિથી જાણવું. એમ અધ્યાત્માદિ યોગનો પ્રારંભ થવા માત્રથી સમ્પ્રજ્ઞાતસમાધિ આવી જાય એવું પણ નથી, કારણકે સામાન્યથી સમાધિ એ ધ્યાન પછીની ભૂમિકા છે. એટલે અધ્યાત્માદિયોગનો તે તે ભૂમિકાને ઉચિત પ્રકર્ષ એ સમ્પ્રજ્ઞાતસમાધિ તરીકે અભિપ્રેત લાગે છે.) એ વખતે તત્ત્વચિન્તન જે થાય છે એના કારણે આત્મપર્યાયોનું તેમજ દીપાદિ અર્થોનું યથાવત્ (અને અન્યાપેક્ષયા) પ્રકર્ષવાળું જ્ઞાન સ્ફુરતું હોવાથી ‘સમ્પ્રજ્ઞાત’ શબ્દ અસંગત પણ રહેતો નથી જ. બાકી સમ્પ્રજ્ઞાત સમાધિને જો માત્ર ક્ષપકશ્રેણિમાં જ માનવામાં આવે (કે એને માત્ર ક્ષપશ્રેણિરૂપ જ માનવમાં આવે) તો યોગબિન્દુની ૪૨૦ મી ગાથામાં સમ્પ્રજ્ઞાતસમાધિના ફળ તરીકે મોક્ષના કારણભૂત ચરમભવની પ્રાપ્તિ, ક્ષપડશ્રેણિની પ્રાપ્તિ વગેરે જે કહ્યું છે તે અસંગત ઠરી જાય એ સ્પષ્ટ છે. આ જ રીતે કેવલજ્ઞાન એ જ અસમ્પ્રજ્ઞાત સમાધિ છે એવું નથી, પણ કેવલજ્ઞાનકાળભાવી જે (વૃત્તિસંક્ષય) યોગ હોય છે તે જ અસમ્પ્રજ્ઞાત સમાધિ છે. એટલે જ અહીં પણ ‘અય એવો ઉલ્લેખ વિધેયલિંગાનુસારી છે’ એવા સમાધાનની જરૂર નથી. ‘“કેવલજ્ઞાન નહીં, પણ તત્કાલીન યોગ જ અસમ્પ્રજ્ઞાતસમાધિ છે’’ એવું સૂચન યોગબિન્દુની અને પ્રસ્તુત યોગવિંશિકાની વૃત્તિના અયગ્રાસમ્પ્રજ્ઞાત: સમાધિવ્રુિધા-સયોગિવતિ(જાત)માવી અયોનિવૃત્તિ(જ્જત)માવી ૨ વગેરે શબ્દો પરથી થાય જ છે. (બધો અભેદ કરીને કેવલજ્ઞાન જ અસમ્પ્રજ્ઞાતસમાધિ તરીકે કહેવાય તો કોઇ વાંધો નથી, એ પણ જાણવું.) अयञ्चासम्प्रज्ञातः समाधिर्द्विधा-सयोगिकेवलिभावी अयोगिकेवलिभावी च । आद्यो मनोवृत्तीनां विकल्पज्ञानरूपाणामत्यन्तोच्छेदात्सम्पद्यते । अन्त्यश्च परिस्पन्दरूपाणाम्। अयञ्च केवलज्ञानस्य फलभूतः । વૃત્તિઅર્થ : અને આ અસંપ્રજ્ઞાતસમાધિ બે પ્રકારે છે – સયોગીકેવલીભાવી અને અયોગીકેવલીભાવી. આમાંનો પ્રથમ વિકલ્પજ્ઞાનરૂપ મનોવૃત્તિઓના અત્યન્ત ઉચ્છેદથી સંપન્ન થાય છે. અને અન્તિમ અસંપ્રજ્ઞાતસમાધિ પરિશ્ચંદરૂપ વૃત્તિઓના અત્યન્ત ઉચ્છેદથી સંપન્ન થાય છે. આ અંતિમ સમાધિ કેવલજ્ઞાનના ફળભૂત છે. વિવેચન : પ્રથમ અસંપ્રજ્ઞાતસમાધિ તેરમે ગુણઠાણે હોય છે. મતિ યોગવિંશિકા...૨૦ 268 Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનના મનોવિકલ્પો ત્યાં ન હોવાથી, મનોવૃત્તિઓના અત્યંત ઉચ્છેદથી એ થાય છે એમ જણાવ્યું છે. છતાં મનોયોગ વગેરે હોવાથી આત્મપ્રદેશોનું પરિસ્પંદન તો હોય જ છે. યોગનિરોધ કરીને જીવ ચૌદમે ગુણઠાણે જાય ત્યાં આત્મપ્રદેશોનું પરિસ્પંદન પણ હોતું નથી. એટલે કે પરિસ્પન્દવૃત્તિઓનો અત્યન્ત ઉચ્છેદ થયો હોય છે. આ બીજો અસંપ્રજ્ઞાત સમાધિ છે. કેવલજ્ઞાનના ફળ રૂપે જ યોનિરોધ થયો હોવાથી એને કેવલજ્ઞાનના ફળભૂત કહ્યો છે. (શ્રી દશવૈકાલિકસૂત્રના ૪થા અધ્યાયમાં કહ્યું जया लोगमलोगं च जिणो जाणइ केवली । तयाजोगे णिरुंभित्ता सेलेसीं पडिवज्जइ ॥ ) છે ‘તવૈવાદ-તતથ-વલજ્ઞાનતામાનન્તરજી અયોયો:-વૃત્તિનીનવાહા (૫)योगाख्यः समाधिर्भवति। अयञ्च धर्ममेघः इति पातञ्जलैर्गीयते, अमृतात्मा इत्यन्यैः, भवशत्रुः इत्यपरैः, शिवोदयः इत्यन्यैः, सत्त्वानन्दः इत्येकैः परश्च इत्यपरैः । क्रमेण उपदर्शितपारम्पर्येण ततोऽयोगयोगात् परमं = सर्वोत्कृष्टलक्षणं निर्वाणं भवति ॥ २० ॥ વૃત્તિઅર્થ : `આને જ કહે છે – કેવલજ્ઞાનનો લાભ થયા પછી અયોગ નામનો યોગ થાય છે, અર્થાત્ વૃત્તિ અને બીજના દાહથી અયોગનામે સમાધિ થાય છે. આ (અયોગસમાધિ) પાતંજલો વડે ધર્મમેઘ, બીજાઓ વડે અમૃતાત્મા, વળી અન્યો વડે ભવશત્રુ, તથા વળી અન્ય વડે શિવોય, તેમ જ બીજા દર્શનકારો વડે સત્ત્તાનન્દ, તો ઓર અન્યો વડે પરઃ રાબ્દથી ઓળખાય છે. ઉપદર્શિત ક્રમે તે અયોગનામના યોગથી પરમ = સર્વોત્કૃષ્ટ ફળ = નિર્વાણ પ્રાપ્ત થાય છે. વિવેચન : (૧) આને જ = કેવલજ્ઞાનના ફળને જ કહે છે. ડેવલજ્ઞાનનો લાભ થયા પછી પરિસ્પન્દરૂપ વૃત્તિઓ અને તેના બીજભૂત કર્મોદય... આ બન્નેનો દાહ થવાથી અયોગનામની સમાધિ પ્રાપ્ત થાય છે. (વૃત્તિમાં વૃત્તિની નવાજ્ઞાયો વ્ય: પાઠના સ્થાને વૃત્તિની નવાજ્ઞાયોરણ્ય: એવો પાઠ હોવો જોઇએ.) અયોગીઅવસ્થા (શૈલેશી) છે એટલે પરિસ્પન્દ નથી. તેમજ એના કારણભૂત ઔદારિકશરીરનામકર્મ વગેરેનો ઉદય પણ વિચ્છિન્ન થયો છે. માટે ખીજનો પણ દાહ થયો છે. માટે વૃત્તિ અને બીજના દાહથી આ યોગ પ્રાપ્ત થયો છે. મન-વચન-કાયાનો કોઇ જ (સૂક્ષ્મ પણ) યોગ નથી માટે એ ‘અયોગ’ છે. છતાં, એ જીવને મોક્ષ સાથે યોજી આપનાર તો છે જ, માટે ‘યોગ’ છે. એટલે આ અયોગી અવસ્થા 269 Page #287 -------------------------------------------------------------------------- ________________ અયોગનામનો યોગ છે. તેરમે ગુણઠાણે પણ જીવનું વીર્ય આહાર-વિહાર-દેશના વગેરે ચેષ્ટારૂપે પુગલભાવમાં વ્યાપૃત હતું. હવે એ બધું અટકી ગયું છે, અને જીવનું બધું જ વીર્ય આત્મસ્વભાવમાં જ વિશાન્ત થયેલું છે, માટે એ સમાધિ રૂપ છે. યોગ નામનો છેલ્લો આશ્રવ પણ નિરુદ્ધ થઈ ગયો હોવાથી સર્વસંવર અવસ્થા છે જે મોક્ષનું અનંતરકારણ હોવાથી યોગ રૂપ છે. તેથી આ અવસ્થાને અયોગયોગને અયોગસમાધિ કહેવાય છે. (૨) અન્યદર્શનકારો પણ આ અવસ્થાને સાવર્થ ભિન્ન ભિન્ન શબ્દોથી નીચે પ્રમાણે ઓળખે છે ધર્મમેઘ - પતંજલષિના અનુયાયીઓ આ અવસ્થાને ધર્મમેઘ નામે ઓળખે છે. અમૃતાત્મા- અમર અવસ્થાનું કારણ અમૃત કહેવાય છે. આત્માની અમર અવસ્થારૂપ મોક્ષનું કારણ હોવાથી અયોગયોગને અમૃતાત્મા કેટલાક કહે છે. ભવશત્રુ અયોગસમાધિ ભવનો – સંસારનો સંપૂર્ણતયા ઉચ્છેદ કરે છે. માટે એ ભવશત્રુ છે. શિવોદય - શિવ = શ્રેષ્ઠ કોટિનું સુખ. એનો ઉદય કરનારી આ અવસ્થા છે. માટે શિવોદય છે. સત્ત્વાનન્દ- સત્ત્વ = જીવ. એનો સંપૂર્ણ આનંદ એસજ્વાનન્દ. ઘાતકર્મોનો ક્ષય થવાથી ૧૩મગુણઠાણે આત્માના અનુપમ સુખનું વદન હોવા છતાં વેદનીયકર્મનો ક્ષય થવાથી પ્રગટનારું અક્ષયસુખમોક્ષમાં પ્રગટે છે. અને તેનું આ કારણ છે, માટે એ સત્ત્વાનન્દ છે. પર - પર=પ્રકૃષ્ટ... આ આત્માની પ્રકૃષ્ટ અવસ્થા છે, માટે પર છે. (૩) પ્રદર્શિતકમે અનાલંબનયોગ, મોહસાગરતરણ, ક્ષપકશ્રેણિની સમાપ્તિ, કેવલજ્ઞાન અને અયોગયોગ... આ ક્રમે છેલ્લે પરમનિર્વાણ પ્રાપ્ત થાય છે. ૨૦] ___ इति महोपाध्याय श्रीकल्याणविजयगणि शिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यपण्डित श्रीनयविजयगणि चरणकमलचञ्चरीकपण्डित श्रीपद्मविजयगणिसहोदरोपाध्याय श्री जसविजयगणिसमर्थितायां विंशिकाप्रकरणव्याख्यायां योगविंशिकाविवरणं सम्पूर्णम्। 2િ70) યોગવિંશિકા...૨૦) Page #288 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે, મહોપાધ્યાયશ્રી કલ્યાણવિજયગણીના મુખ્ય રિશષ્ય પંડિત શ્રી જીતવિજયગણીના ગુરુબંધુ પંડિત શ્રી નયવિજયગણીના ચરણકમલમાં ભ્રમર સમાન અને પંડિત શ્રી પદ્મવિજયગણીના સહોદર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણીએ કરેલી વિંશિકાપ્રકરણની વ્યાખ્યામાં યોગવિંશિકાનું વિવરણ સંપૂર્ણ થયું. ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચેલા વિંશતિવિંશિકા પ્રકરણમાંની યોગવિંશિકાનું અને એના પર લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કરેલા વિવરણનું, સિદ્ધાન્તમહોદધિ સુવિશાળગચ્છનિર્માતા સ્વ. પૂજ્ય તપાગચ્છીય આચાર્ય શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટાલંકાર અધ્યાત્મરસિક સહજાનંદી સ્વ. પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય ધર્મજિત્ સૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન શ્રી સૂરિમન્ત્રપંચપ્રસ્થાનઆરાધક દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય જયરોખર સૂરીશ્વરજી મ.સા. ના શિષ્યાળુ પંન્યાસ અભયશેખરવિજય ગણીએ ગુરુકૃપાથી કરેલું અને ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય જયઘોષ સૂરીશ્વરજી મ.સાહેબે સંશોધન કરેલું ગુજરાતી વિવેચન સાનંદ સંપૂર્ણ થયું... શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય... (ફા.વ.૧૦. વિ.સં. ૨૦૫૫. સુરત) પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ.સા. નું સંપાદિત-અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય ૧. અધ્યાત્મમત પરીક્ષા ૨. ધર્મપરીક્ષા ૩. ૪. ૫. સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્થંગી, કૂપદષ્ટાંતવિશદીકરણ પ્રકરણ સમ્યક્ત્વષસ્થાનની ચઉપઇ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ભાગ - ૧ ૬-૮. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ – ૧-૨-૩ ૯-૧૦ ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ભાગ -૧-૨ સત્પદાદિ પ્રરૂપણા હારિભદ્રયોગભારતી યોગવિંશિકા ૧૧. ૧૨. ૧૩. 271 Page #289 -------------------------------------------------------------------------- ________________ ye ઝળહળશે od luce સિદ્ધિનાં સોપાન તત્ત્વાવલોકન સમીક્ષા તત્ત્વનિર્ણય ભુવનભાનુન ભુવનભાનુસૂરિ 272 900 વનમેં થી ગુો ામ: જન્મ શતાબ્દી ૧૪. ૧૫. ૧૬. ૧૭-૨૧. નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી વગેરે ૨૨. શતક નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો-ટીપ્પણો ૨૩-૨૫, દાવિધ સામાચારી (ભાગ : ૧-૨-૩) ૨૬ – ૨૭. તિથિ અંગે સત્ય અને સમાધાન (ભાગઃ ૧-૨) સપ્તભંગીવિંશિકા ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩-૩૫. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભાગ ૧-૨-૩ ૩૬. નયવિંશિકા દ્રવ્ય-ગુણ- પર્યાયનો રાસ ભાગ -૧ નિક્ષેપવિંશિકા क्या जिनपूजा करना पाप है ? અનુયોગદ્વાર-સટીપ્પણ ૨૦૦/ યોગવિંશિકા....૨૦ Page #290 -------------------------------------------------------------------------- ________________ કોઇ પણ ગુણ આત્મસિદ્ધ કરવા માટે તેનું (1) દીર્ઘકાળ આસેવના (2) સતત આસેવન અને | (3) વિધિ-આદર-ધગશ જરૂરી છે. અનંતાનંતકાળની બહિર્ભાવની રમતોની આત્મા પર પડેલી ચોળમજીઠરંગી અસરો ભૂંસવાનું આના વિના કેમ બને ? વળી માનવ જીવન એક પ્રયોગશાળા છે. તે અતિ ટૂંકું છે. એમાંની એક પણ ક્ષણ કાર્યસાધક બનાવ્યા વિના કેમ જતી કરાય ? પણ અફસોસ ! જે ભૂલવાનું છે તે જ ઘુંટાય છે ! ખાસ ખ્યાલ રહે કે કાળ, કર્મ અને જગતના સંયોગો વિશ્વાસપાત્ર નથી. જિનવચનનું ખૂબ ખૂબ મંથના કરી જ્ઞાનનો અગ્નિ ધખાવવા જેવો છે જેનાથી અનંત ભવોના કુસંસ્કારો અને અસંખ્ય ભવોનાં કર્મો બળીને ખાખ થઈ જાય. કર્મના ચોપડે પળેપળની રજેરજ, વિચાર, વાણી, વર્તનનો હિસાબા નોંધાયા વિના રહેતો નથી, એ ભૂલવા જેવું નથી. વર્ધમાન તપોનિધિ સ્વ, આચાર્યદેવ શ્રી મતિ જય ભવાનીનગરિ મહારાજા an Education HIRIIIKAR 094406-20075 F