SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આલયવિહારાદિ ધર્મક્રિયાને જોઇને થઇ શકે છે, આંતરિક ભાવો અતીન્દ્રિય હોવાથી એને જોઇને નહીં. અર્થાત્ વ્યવહાર ક્રિયાને-આચારને આધીન છે. વળી, નિશ્ચય(=ભાવ=પરિણામ) પણ બહુધા આચારથી જ ઉત્પન્ન થાય છે, ટકે છે, ને વધે છે. કર્મ વગેરે કારણવશાત્ યોગથી ભ્રષ્ટ થનારને ભવાંતરમાં પુનઃ યોગમાર્ગે ચઢાવનાર જાતિસ્મરણજ્ઞાન ક્રિયાજન્ય સંસ્કારથી ઉત્પન્ન થયું હોય એવું વલ્કલચીરી વગેરે અનેક દૃષ્ટાન્તમાં જોવા મળે છે. આગળ વિનિયોગ આશય જે કહેવાનો છે તેમાં પણ વિનિયોગ બાહ્યદષ્ટિએ આચારનો જ હોય છે. ભાવને તો પછી એ આચાર જ પેદા કરે છે. કારણકે વિનિયોગ પામેલો આ આચાર, વિનિયોક્તાના વિનિયોગ આરાયના પ્રભાવે, ભાવને પેદા કરવામાં અવસ્થ્ય બન્યો હોય છે. ‘કોઇ પણ સંયોગોમાં શરાબ પીવાય જ નહીં.' આવી પરિણતિ એ શરાખત્યાગ અંગેનો નિશ્ચય છે. શરાબ પીવો નહીં એ વ્યવહાર છે. ‘શરાબ ત્યાજ્ય છે.’ એમ કહ્યા કરે ને પાછો શરાબ પીધા કરે એ આરોગ્યની પાયમાલી સર્જવાનો જ છે. એમ ક્રિયા તો બાહ્યભાવ છે-તુચ્છ છે એમ કહી કોરા નિશ્ચયની વાતો કરનારો પાપક્રિયાના પ્રભાવે દુર્ગતિમાં રુલવાનો છે. સામે પક્ષે, શરાબને ત્યાજ્ય માનવાની પરિણતિ કદાચ ન હોવા છતાં શરાબ ન પીનારો આરોગ્ય જાળવી રાખવાનો છે. એમ કદાચ નિશ્ચય ન કેળવાયો હોય, છતાં જે ધર્મક્રિયાઓને પકડી રાખે છે, એને દેવલોક અવશ્ય મળવાનો છે, એ દુર્ગતિમાં નહીં જાય. (અહીં એ સમજવા જેવું છે કે વ્યવહારઆચાર-નિશ્ચયને-પરિણામને ખેંચી લાવવામાં સર્વત્ર કે બહુધા સફળ થાય જ એવી વાસ્તવિકતા ન હોવા છતાં, નિશ્ચય વ્યવહારને ખેંચી લાવ્યા વગર લગભગ રહેતો નથી. એવો કોઇ પ્રતિબન્ધક વિદ્યમાન હોય તો જ એવું બની શકે કે વાસ્તવિક નિશ્ચય હોવા છતાં વ્યવહાર ન હોય. એટલે, એવો કોઇ વિશેષ પ્રતિબન્ધક ન હોવા છતાં જો વ્યવહાર ન આવતો હોય તો સમજવું પડે કે ક્યાં તો નિશ્ચય પ્રગટ્યો જ નથી ને ક્યાં તો એ પ્રગટ્યો હોય તો પણ એટલો દઢ નથી ને લાંબું ટકવાની સંભાવના નથી. સીધી વાત છે. એવું કોઇ વિશેષ કારણ ન હોવા છતાં જો કરતો કશું ન હોય તો ‘આ કર્તવ્ય છે’ એવી બુદ્ધિને આત્મસાત્ થયેલી શી રીતે માની શકાય ? તથા આ પણ સમજવા યોગવિંશિક...૧ 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy