SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જેવું છે કે, વ્યવહાર નિશ્ચયને લાવવામાં સફળ થાય જ એવો નિયમ ન હોવા છતાં, જ્યારે ક્યારે પણ નિશ્ચય આવવાનો હશે ત્યારે એ વ્યવહાર દ્વારા જ આવવાની શક્યતા બહુધા હોય છે, એ વિના નહીં. માટે, ધર્મક્લિાઓને પકડી રાખવી, ને એના દ્વારા ભાવ-પરિણતિઓને ઘડતા રહેવું એ આત્મહિતેચ્છનું કર્તવ્ય છે. અને ક્યારેક શક્તિસંયોગ વગેરેના કારણે બાહ્યક્યિા પકડી ન શકાય ત્યારે પણ ભાવનાધારા કિયા પ્રત્યે ખેંચાણ ઊભું કરવું... જાળવી રાખવું... વધારવું.. એ પણ ભાવપરિણતિરૂપ છે. અને એ કાળાન્તરે ધર્મક્રિયાને ખેંચી લાવે છે, તેમજ વિપુલ કર્મક્ષય પણ કરાવે છે. માટે એવા અવસરે એ જ કર્તવ્ય બની રહે છે.) આ બધા કારણોસર, આયાદિ ક્વિાનિઝ પ્રણિધાનાદિ આયાત્મક ભાવને યોગ’ તરીકેન કહેતાં, તાદશભાવયુક્ત આલયાદિ ક્યિાને યોગ’ તરીકે કહી છે એ જાણવુ.* આલય-વિહારાદિ બધા ધર્મવ્યાપારને યોગ તરીકે એટલા માટે માન્ય કરાય છે કે એમાં યોગનું લક્ષણ ઘટી જાય છે. (૩) હવે, યોજનાદ્યોગ.. વગેરે પંક્તિનો અર્થ વિચારીએ મંડલ વગેરે કેટલાક શબ્દો એવા છે જેના વ્યુત્પત્તિઅર્થને (મહું તાતિ તિ મખ્વતં) અને વાચ્યાર્થને કશું લાગતું વળગતું નથી. ‘ગો વગેરે કેટલાક શબ્દો એવા છે કે (Tચ્છતીતિ ) એનો ગમનકિયા એવો જે વ્યુત્પત્તિઅર્થ છે તે એના વાચ્યાર્થ ગાયમાં સંભવિત છે. તેમ છતાં, અશ્વાદિમાં પણ એ અતિપ્રસક્ત હોવાના કારણે એ ગાયના લક્ષણરૂપ બની શકતો નથી. ‘યોગ શબ્દની ‘મોક્ષની સાથે યોજી આપે તે યોગ’ આવી જો વ્યુત્પત્તિ કરવામાં આવે તો એનો આ વ્યુત્પત્તિઅર્થ એના વાચ્યાર્થ (લક્ષ્યાર્થ) યોગને છોડીને અન્યત્ર ક્યાંય અતિપ્રસક્ત થતો નથી. માટે આ વ્યુત્પત્તિઅર્થને જ લક્ષણ તરીકે કહી શકાય છે. કાત્રિદ્ધાત્રિશિકામાં ઉપાધ્યાયજી મહારાજે (મોક્ષે યોગનાદ્યો:) આવી જ વ્યુત્પત્તિ કરીને વ્યુત્પત્તિઅર્થને જ લક્ષણ તરીકે કહ્યો જ છે. પણ પ્રસ્તુતમાં મોક્ષે શબ્દના સમાવેશ વગર માત્ર યોગનીદ્યો: (જોડી આપે તે યોગ) એટલી જ વ્યુત્પત્તિ કહી છે. એટલે મોક્ષ સિવાય અન્યત્ર *એટલે ‘ક્યિાથી થતો પાંચ પ્રકારનો આશય એ ભાવયોગ છે, ક્રિયા નહીં. કિયા તો માત્ર મન-વચનકાયાના યોગરૂપ છે. આવી ભ્રમણામાં ન પડવું આ વાત ભ્રમણારૂપ એટલા માટે પણ છે કે કિયાથી આશય નથી થતો, પણ આશયપૂર્વક ક્રિયા થાય છે. (કિયાપ્રાધાન્ય) 5) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy