________________
દેવાદિગતિમાં જે પ્રણિધાનાદિશૂન્ય ધર્મવ્યાપાર જીવને જોડી આપે છે તે પણ વ્યુત્પત્તિઅર્થથી યોગ’ બને, જે પ્રસ્તુત લક્ષ્યાર્થ નથી. તેથી વ્યુત્પત્તિઅર્થ અતિપ્રસન્ન થતો હોવાથી સ્વયં લક્ષણ બની શક્તો નથી. માટે એને લક્ષણ તરીકે ન કહેતાં પરિશુદ્ધ ધર્મવ્યાપારમાં રહેલા આત્મવ્યાપારત્વને લક્ષણ તરીકે કહેલ છે. તેમ છતાં, આવું લક્ષણ જ્યાં રહ્યું હોય ત્યાં સર્વત્ર, યોજન કરવારૂપ વ્યુત્પત્તિઅર્થ રહ્યો તો હોયજ છે, બેસેલી ગાયમાંગો શબ્દનો ગમન ક્રિયારૂપ વ્યુત્પત્તિઅર્થ જેમ અવ્યાપ્ત છે તેમ યોગ શબ્દની વ્યુત્પત્તિઅર્થ એના કોઈ લક્ષ્યાર્થમાં અવ્યાપ્ત નથી. માટે, પ્રસ્તુતમાં ઉક્ત આત્મવ્યાપારત્વરૂપ લક્ષણ વ્યુત્પત્તિઅર્થથી અનુગૃહીત છે, એમ કહેવાયું છે.
(.) શો ધર્મવ્યાપાર યોગ:? ત્યાહ - પરિશુદ્ધ = પ્રણિધાનીધાશયविशुद्धिमान्, अनीदृशस्य द्रव्यक्रियारूपत्वेन तुच्छत्वात्। उक्तश्च -
आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः। भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥ (षोडशक ३-१२)
વૃત્તિઅર્થ કેવો ધર્મવ્યાપાર એ યોગ છે? એ જણાવવા પરિશુદ્ધો... વગેરે ઉત્તરાર્ધ છે. પ્રણિધાન વગેરે આશયસ્વરૂપ વિશુદ્ધિવાળો ધર્મવ્યાપાર એ પરિશુદ્ધ ધર્મવ્યાપાર છે. આવો પરિશુદ્ધધર્મવ્યાપાર યોગ છે. જે ધર્મવ્યાપાર આવો પરિશુદ્ધ નથી તે દ્રવ્યકિયાસ્વરૂપ હોવાથી તુચ્છ હોય છે. ત્રીજા ષોડશકના ૧૨ મા શ્લોકમાં કહ્યું છે કે શ્લોકાર્ધ ) આ બધા જ તત્ત્વતઃ આશયભેદો છે એમ જાણવું. આ ભાવ છે. એના વિનાની ચેષ્ટા દ્રવ્યકિયા છે અને તેથી તુચ્છ છે.
વિવેચનઃ અભવ્યાદિ જીવો પણ દીક્ષા લઈ આલય-વિહારાદિ ક્રિયાઓ નિરતિચારપણે પાળે છે... અને છતાં એનો આ ધર્મવ્યાપાર યોગરૂપ તો હોતો નથી, કેમકે એ એને મોક્ષમાર્ગ પર એક કદમ પણ આગળ લઈ જતો નથી. એટલે સર્વ ધર્મવ્યાપારયોગ છે એવા વિધાન વાક્યમાંથી અભવ્યાદિના ધર્મવ્યાપારની બાદબાકી કરવા માટે ધર્મવ્યાપારનું પરિશુદ્ધ એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. અભવ્યાદિનો ધર્મવ્યાપાર પ્રણિધાનાદિ આશયો ન હોવાના કારણે પરિશુદ્ધ હોતો નથી. માટે યોગ નથી.
6િ ]
યોગવિંશિકા....૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org