________________
एते-प्रणिधानादयः सर्वेऽपि कथञ्चित्क्रियारूपत्वेऽपि तदुपलक्ष्या आशयभेदाः। अयञ्चपञ्चप्रकारोऽप्याशयो भावः, अनेन विना चेष्टा कायवाङ्मनोव्यापाररूपा द्रव्यक्रिया तुच्छा=असारा, अभिलषितफलासाधकत्वादित्येतदर्थः।
વૃત્તિઅર્થ: (ષોડશકની ગાથાના વિવેચનનો આ પ્રમાણે અર્થ જાણવો.) આ=પ્રણિધાન વગેરે બધા જ કથંચિત્ ક્યિારૂપ હોવા છતાં, પ્રસ્તુતમાં તે ક્યિાથી ઉપલક્ષિત થતા આશયભેદો જાણવા. આ પ્રણિધાનાદિ પાંચ પ્રકારનો આશય એ ‘ભાવ છે. આવા ભાવ વિનાની મન-વચન-કાયાના વ્યાપારરૂપ ચેષ્ટા દ્રવ્યકિયારૂપ છે, અને તેથી તુચ્છ અસાર હોય છે, કારણ કે એ અભિલષિત ફળની અસાધક હોય
વિવેચનઃ પ્રણિધાન વગેરે બહારથી કંઇક અંશે ક્યારૂપ જણાતા હોવા છતાં વસ્તુતઃ એ આશયના ભેદો પ્રકારો છે. અર્થાત્ એ ચિત્તની જુદી જુદી અવસ્થાસ્વરૂપ છે, જે બાહ્ય ક્યિાથી સૂચિત થતી હોય છે. પાતંજલ યોગસૂત્રમાં ‘ચિત્તવૃત્તિનિરોધો યોઃ” એવું જે યોગલક્ષણ આપ્યું છે એનો ઉપાધ્યાયજી મહારાજે ‘ક્લિષ્ટ્રચિત્તવૃત્તિનો નિરોધ એયોગ એવો પરિષ્કાર કર્યો છે. વિષય-કષાયનું પ્રણિધાન વગેરે ક્લિચિત્તવૃત્તિઓ છે. એને ખસેડીને જીવ શુદ્ધઆત્મસ્વરૂપનું (મોક્ષનું) પ્રણિધાન વગેરે ઊભા કરે એટલે યોગ’ આવે જ. એટલે આ પ્રણિધાન વગેરે ચિત્તની અક્લિષ્ટ વિશિષ્ટ શુભ અવસ્થાઓ છે એ જાણવું. સામાન્યથી પ્રતિબન્ધક ન હોય તો ભાવ, ક્રિયાને પ્રવર્તાવ્યા વિના રહેતો નથી. એટલે આ પ્રણિધાનાદિ આંતરિક ભાવોની સાથે બહાર એને અનુકૂળ ક્લિાઓ પણ પ્રાયઃ ગૂંથાયેલી હોય છે. વળી અતીન્દ્રિય ભાવો કરતાં બાહ્ય ક્યિાનું વર્ણન સુલભ હોય છે. માટે પ્રણિધાનાદિના વર્ણનમાં ક્રિયાનું વર્ણન આવે એ સહજ છે. પણ એટલા માત્રથી એને ક્યારૂપ જ ન માની લેવા જોઇએ. એ કિયાસ્વરૂપ તો કથંચિત્ જ છે, પ્રધાનરૂપેતો એ, તેતે ક્રિયાથી ઉપલક્ષ્ય આંતરિકભાવરૂપ જ છે. એટલે જ પ્રણિધાનથી વિનિયોગ સુધીની જે પ્રગતિ છે એમાં આંતરિક ભાવોના વિકાસની જ મુખ્યતા છે. આ જ કારણ છે કે ક્યારેક સામગ્રીની વિકલતા વગેરે કારણે યિામાં વિકલતા હોય તો પણ વિનિયોગ સુધીના આશયો પ્રગટ થઈ શકે છે ને પ્રકૃeગુણો પણ પ્રાપ્ત થઈ શકે છે. માટે પ્રણિધાનાદિ આશયો મુખ્યતયા ભાવરૂપ છે એ જાણવું
| આશયમહત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org