________________
પાંચ પ્રકારના આશયને અહીં ભાવ તરીકે કહેલ છે. ‘પાંચે પ્રકારના આશયોનો સમુદાય ભાવ છે’ એમ નથી કહ્યું. એટલે ‘એસો પંચ નમુક્કારો સવ્વપાવ સણો માં જેમ એક એકને કરેલો નમસ્કાર પણ સર્વપાપપ્રણાશક છે એમ પ્રસ્તુતમાં જાણવું. અર્થાત્ માત્ર એક પ્રણિધાન આશય જ કેળવાયેલો હોય તો પણ ધર્મવ્યાપાર યોગરૂપ છે જ. છતાં અહીં એટલી વિશેષતા જાણવી કે ઉત્તર ઉત્તરનો આશય પૂર્વપૂર્વનો આશય આવ્યા વગર આવતો ન હોવાથી ‘વિનિયોગ’ આશયવાળાને પૂર્વના ચાર આશયો અવશ્ય હોય જ છે.
આ પ્રણિધાનાદિ આશયાત્મક ભાવવિનાની આલયાદિ ક્રિયા એ દ્રવ્યક્રિયા છે, એ જીવને મોક્ષ તરફ એક કદમ પણ લઈ જનારી ન હોવાથી તલના કોતરાંની જેમ તુચ્છ છે-સાર વિનાની છે. તલના ફોતરાં પશુખાદ્ય વગેરે માટે સફળ હોવા છતાં તેલપ્રાપ્તિની અપેક્ષાએ તુચ્છ જ છે. એમ, દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખવા રૂપ સ્વકાર્ય, પ્રણિધાનાદિશૂન્ય ધર્મક્રિયા પણ કરી શકતી હોવાથી એ અપેક્ષાએ એ સફળ પણ હોય છે. તેમ છતાં, મોક્ષપ્રાપ્તિની અપેક્ષાએ તો એ નિષ્ફળ જ હોય છે, ને તેથી એને તુચ્છ કહી છે. વળી, ‘કોઇ જીવ મરી ન જાય’ વગેરે શુભોપયોગ હોવા છતાં જો પ્રણિધાન વગેરે એક પણ આરાય પ્રગટ થયો ન હોય, તો પૂંજવા-પ્રમાર્જવા વગેરેની ક્રિયા ‘દ્રવ્યક્રિયા’ રૂપ જ બની રહે છે એ જાણવું. કારણકે અહીં ‘ભાવ’ તરીકે આવા શુભોપયોગને પણ નહીં કહેતા પ્રણિધાનાદિને જ કહ્યા છે.
*શ્રી મહાનિશીથસૂત્રમાં ભાવસ્તવને જ પ્રશસ્ત કહેવા દ્વારા દ્રવ્યસ્તવને અપ્રશસ્ત હોવો જે સૂચિત કર્યો છે તે ભાવસ્તવની અપેક્ષાએ જ, પાપક્રિયાઓની અપેક્ષાએ નહીં. એમ કમ્મપયડીમાં દેશોપરામનાને જે અપ્રશસ્તોપશમના કહી છે તે પ્રશસ્તોપામનારૂપ સર્વોપરામનાની અપેક્ષાએ જ, અનુપામનાની અપેક્ષાએ નહીં. વળી આ રીતે, પ્રાસ્તની વાત કરીને એને સાપેક્ષ રીતે જણાતો અપ્રરાસ્ત શબ્દ ‘એ વસ્તુ નુક્શાનકારક છે ને માટે ત્યાજ્ય છે’ એવી પ્રતીતિ નથી કરાવતો, પણ જે પ્રાસ્ત છે તે વધારે ઉપાદેય છે એમ પ્રતીતિ કરાવે છે. એમ પ્રસ્તુતમાં શુભોપયોગવાળી પ્રમાર્જનાદિક્રિયાને તુચ્છદ્રવ્યક્રિયા જે કહેવી છે તે એ મોક્ષસાધક નથી બનતી એ
*भावच्चणमुग्गविहारया य दव्वच्चणं तु जिणपूया ।
पढमा जईण दोन्निवि गिहीण पढमच्चिय पसत्था ॥ महा. ३ / ३६ ॥
8
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૧
www.jainelibrary.org