________________
અપેક્ષાએ જ. બાકી એ પણ શુભોપયોગપૂર્વકની શુભક્યિારૂપ હોવાથી પુણ્યબંધ જરૂર કરાવે છે. અને ભવિતવ્યતા વગેરે જે પાકી ગયા હોય તો એ શુભક્રિયા આ પુણ્ય દ્વારા યોગની સામગ્રી પૂરી પાડવા રૂપે સફળ પણ બની શકે છે. વળી આ શુભક્યિા તથા શુભોપયોગ પ્રણિધાનાદિના બાધક તો નથી જ. પણ ઉપરથી વહેલામોડા જ્યારે પણ આ આશયોકેળવાવાના હશે ત્યારે આ શુભક્યિા અને શુભઉપયોગ જ એમાં સહાયક બનવાની સંભાવના પુષ્કળ છે. એટલે, પ્રણિધાનાદિ આશય ન કેળવાયા હોય તો પણ શુભક્યિાકે શુભઉપયોગ છોડી દેવાની તો કોઈ વાત જ નથી, ઉપરથી એનો અભ્યાસ તો વધારતા જ રહેવાનું છે. માત્ર ઉપર કહ્યા મુજબ, એ મોક્ષનું, નથી શીઘકારણ બનતાં કે નથી નિશ્ચિત કારણ બનતાં. અને તેથી શીધ્રઆત્મહિતના ઇચ્છુડે પ્રણિધાનાદિ આશયો કેળવવા એ અત્યંત આવશ્યક છે એવો અહીં ઉપદેશ જાણવો.
અહીં આશય વિનાની કાય-વાફ-મનોવ્યાપારરૂપ ચેષ્ટાને દ્રવ્યક્યિા કહી છે. અર્થાત આ દ્રવ્યક્યિામાં મનોવ્યાપારનો (મનના પરિણામોનો) પણ સમાવેશ છે. એટલે જણાય છે કે આશય એ મનોવ્યાપારરૂપ પણ નથી. એનાથી ભિન્ન છે.
તો આશય શું છે?
આશય શું છે? એ સમજતાં પહેલાં ચિત્તવૃત્તિઓ શું છે? એ વિચારી લઇએ. મનના ભીતરીરમાં અનાદિકાળથી જે પડ્યું છે તે (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે.જેમકે હિંસા =પ્રમાદ), ક્રોધ, વિષયોની પરવશતા... વગેરે. અનુપયોગદશામાં પણ મન-વચન-કાયાને સહજ રીતે પોતાને અનુકૂળરીતે પ્રવર્તાવવા, ઉપયોગદશામાં વધારે પ્રબળ રીતે પ્રવર્તાવવા... મન-વચન-કાયાનો વિપરીત વ્યાપાર સહજ રીતે તો ન જ થવા દેવો... વિપરીત વ્યાપારની સંભાવના ઊભી થાય ત્યારથી જ ખૂબ સંઘર્ષ કરવો પડે એ રીતે એમાં અટકાયતો ઊભી કરવી. આ બધું (ક્ષિણ) ચિત્તવૃત્તિઓનું કાર્ય છે.
વિશેષ ઉપયોગ ન હોય તો પણ પ્રમાદનો ચાન્સ મળે તો પ્રમાદ સેવાઈ જ જાય ને પ્રમાદનો જ ઉપયોગ હોય ત્યારે તો એ તીવમાત્રામાં સેવાય. એમાં કશો સંઘર્ષ કરવો જ ન પડે... પણ અપ્રમાદનો વિચાર સહજ રીતે ક્યારેય નથી આવતો... અપ્રમાદ હિતકર છે એવું મનમાં સહજ રીતે ક્યારેય નથી બેસતું... જિનવચનના ( આશય એટલે શું ? )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org