________________
જ
બળે એને બેસાડવામાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે... એ રીતે એને મનમાં બેસાડ્યા પછી આચરણમાં ઉતારવામાં પણ સંઘર્ષ કરવો જ પડે છે... એ દરમ્યાન જરા પણ ગફલતમાં રહ્યા તો પાછો પ્રમાદ આવી જ જાય... આવું જ ક્રોધાદિ અંગે છે. ભીતરી મનનો પ્રમાઠાદિ તરફનો આ ઢાળ એ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે.
અહીં મનના ભીતરના સ્તરો... ભીતરીમન... આવા જે શબ્દો પ્રયોજ્યા છે તે લોકપ્રસિદ્ધ વ્યવહારને અનુસારે જાણવા... શાસ્ત્રીયભાષામાં આને ‘સંજ્ઞા’ કહે છે. અને એ, વસ્તુતઃ મનના કોઇ પરિણામસ્વરૂપ નથી, પણ જીવે અનાદિકાળથી જે પ્રવૃત્તિઓ અને વિચારણાઓ વારંવાર કરેલી છે એના કારણે આત્મામાં પડેલા સંસ્કારસ્વરૂપ છે. જેમ લોખંડના સળિયાને દીર્ઘકાળ સુધી ડાબી તરફ વાળી રાખવામાં આવ્યો હોય તો પછી ડાબી તરફ ઝુકતા રહેવાના સંસ્કાર એમાં પેદા થઈ જાય છે, એટલે પછી એને જમણી તરફ વાળવાનો કે સીધો રાખવાનો વિશેષ પ્રયત્ન ન હોય ત્યારે એ ડાબી તરફ જ ઝુકેલો રહે છે. એમ આત્મદ્રવ્ય અનાદિકાળથી પ્રમાદ વગેરે, ક્રોધ વગેરે તરફ ઝુકાવવાળું બનેલું છે... આ ઝુકાવ એ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે. આ આત્મદ્રવ્યના જ પરિણામ સ્વરૂપ છે, મનના નહીં, માટે મન ન હોય એવા અસંજ્ઞીપણાના ભવોમાં પણ આ પરિણામો વિદ્યમાન હોય છે, અર્થાત્ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ વિદ્યમાન હોય છે.
આ ચિત્તવૃત્તિઓને-આ ઝુકાવને જે ખતમ કરી શકે... ખતમ કરવાને જે અનુકૂળ હોય... એવી આ ક્લિચિત્તવૃત્તિઓથી વિપરીત વૃત્તિઓ (અક્લિષ્ટચિત્તવૃત્તિઓ) એ આશય છે. બધા દુઃખોનું મૂળ સંસાર છે. ને સંસારનું મૂળ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે એવું જિનવચન વગેરેના બળે જીવ જાણે છે એટલે આ (લિટ) ચિત્તવૃત્તિઓને નાબુદ કરવાની વિચારણા-ઇચ્છા જાગે છે... મનના ઉપલા સ્તરમાં રહેલી આ વિચારણા-ઇચ્છા એ આશય નથી... પણ એને વારંવાર ઘુંટવાથી... સંકલ્પરૂપ બનાવવાથી એ ભીતરીસ્તરમાં ઉતરે છે... પ્રમાદ તરફના ઝુકાવને કાઢી અપ્રમાદ કેળવવાનો ભીતરીસ્તરમાં રમતો થયેલો આ સંકલ્પ એ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓને ખતમ કરવાને અનુકૂળ એવી પ્રથમ વિપરીત વૃત્તિ છે. એ પ્રથમ આશય છે... એ પ્રણિધાન છે. . એ પણ વસ્તુતઃ આત્મદ્રવ્યના જ એક સંસ્કારરૂપ... એક પરિણામરૂપ છે એ જાણવું. બધા જ આરાયો આત્મપરિણામરૂપ છે. આ પ્રણિધાનને સફળ કરવા
10
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા....૧
www.jainelibrary.org