SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. એમ ભૌતિક અપેક્ષાનો વિષય લાખો રૂપિયા વગેરે સ્વરૂપ મોટો હોય કે બસોપાંચસો રૂપિયા જેવો નાનો હોય એના પર પણ સચ્ચિત્તના મારણ કે અમારણનો આધાર નથી. એ આધાર, માત્ર એ ભૌતિક અપેક્ષા બાધ્ય છે કે અબાધ્ય ? એના પર છે. - પચ્ચકખાણ અષ્ટકમાં દ્રવ્ય પચ્ચકખાણ શું સર્વથા નિરર્થક છે ? આવો પ્રશ્ન ઊઠાવી એના જવાબમાં કહ્યું છે કે - ભૌતિક અપેક્ષાથી કરાતું પચ્ચકખાણ દ્રવ્ય પચ્ચકખાણ રૂપ હોવા છતાં જો ‘મારા શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું આ પચ્ચકખાણ છે’એવી સદ્ભક્તિ એમાં ભળેલી હોય તો એનું દ્રવ્યપણું (=ભૌતિક અપેક્ષા વગેરે) બાધ્યમાન હોય છે, અને તેથી એ ભાવ પચ્ચકખાણનું કારણ બનતું હોવાથી નિરર્થક નથી. એટલે એમ કહી શકાય કે ભૌતિક અપેક્ષા જેવી તીવ્ર કે મંદ છે એના કરતાં પણ સદ્ભક્તિ વધારે પ્રબળ હોય તો (=અનુષ્ઠાનમાં થતી ઇષ્ટસાધનત્વની પ્રતીતિ કરતાં જિનોક્તત્વની પ્રતીતિ વધારે મહત્ત્વપૂર્ણ ભાસતી હોય તો) અપેક્ષા એનાથી બાધ્ય હોવાથી બાધ્યફળાપેક્ષા કહેવાય. મુક્તિ અદ્રેષ સહષ્કૃત આવી બાધ્યફળાપેક્ષા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી છે. ને એના કારણે અનુષ્ઠાન તદ્વેતુઅનુષ્ઠાન બને છે, જે ઉપાદેય છે ને જે અમૃતઅનુષ્ઠાનનું કારણ છે. એટલે અમૃતઅનુષ્ઠાનની (ભાવ પચ્ચકખાણવગેરેની) ભૂમિકા જો સર્જાઇ રહી છે તો સચ્ચિત્તનું મારણ માની શકાય નહીં – કહીં શકાય નહીં. આ રીતે અનુષ્ઠાન કરનારને તો સદનુષ્ઠાનનો રાગ વધે છે અને ભૌતિક અપેક્ષા જે હતી તે, આ સદનષ્ઠાનરાગ તથા સમજણ-સત્ત્વ-વૈરાગ્ય પૂર્તિ વગેરે કારણે કંઇક ને કંઇક પણ બાધા પામતી હોવાથી ક્રમરાઃ ઘટતી જાય છે. એટલે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થયા પછી પણ એ કાંઇ અનુષ્ઠાન છોડી દેતો નથી. ઊલટું ઇષ્ટપ્રાપ્તિ થવા પર એના સદ્ભક્તિ – સદનુષ્ઠાન રાગ વધે છે અને તેથી હવે, ભક્તિ વધી હશે અને ભૌતિક અપેક્ષા પૂર્વ કરતાં કંઇક પણ મંદ પડેલી હશે. એટલે એ હવે પુનઃ અનુષ્ઠાન કરશે ત્યારે સદ્દનુષ્ઠાનરાગ-ભક્તિ વગેરે ઓર વધરો અને અપેક્ષા ઓર વધારે બાધા પામશે. એમ કરતાં કરતાં એક ભૂમિકા એવી સર્જાશે કે જ્યારે ભૌતિક અપેક્ષા બિલકુલ બાધિત થઈ ગઈ હરો અને હવે નિરાશંસભાવથી અનુષ્ઠાન થશે જે ભાવઅનુષ્ઠાન છે. ગીતાર્થ ગુરુની ફરજ Jain Education International For Private & Personal'Use Only 147 www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy