________________
જ
એટલે જ સૌભાગ્ય વગેરે ફળની ઇચ્છાથી દેવતાના ઉદ્દેશથી કરાતા રોહિણી તપ વગેરેનેપણ તપપંચારાકમાં હિતકર કહ્યા છે ને એમાં કારણ આ આપ્યું છે કે પહેલાં ભલે કર્મક્ષયનો ઉદ્દેશ નથી... પણ તપના અભ્યાસથી પછી એ કર્મક્ષયના ઉદ્દેશથી તપ કરતો થાય છે.
એટલે જ ગીતાર્થગુરુની ફરજ એ છે કે ભલે ને કોઇક જીવ ભૌતિક અપેક્ષા પૂર્વક ધર્મમાં જોડાવાની ગણતરીથી આવ્યો છે, એની ‘જિનોક્ત’ એવી સદ્ભક્તિ વધે, સદનુષ્ઠાનનો રાગ વધે... એ વારંવાર ધર્માનુષ્ઠાન કરવા પ્રેરાય ... (અનુષ્ઠાનનો અભ્યાસ વધારે) એવો એને ઉપદેશ આપવો. આ જ કારણ છે કે જેઓને ધર્મમાં નવા જોડવાના હોય કે જોડાયેલા હોય એને સ્થિર કરવાના હોય એવા જીવોને માત્ર ધર્મનો મહિમા ગાતી જ વાતો કરવામાં આવે છે કે ‘ધર્મ તો જોયો હોય-સાંભળ્યો હોયઅનુમોદ્યો હોય તો પણ સાત પેઢીને તારી દે છે...’ ‘જો તમારે આલોકમાં ને પરલોકમાં સુખ-શાંતિ જોઇતા હોય તો ધર્મ જ કરો... ધર્મથી જ બધું મળે છે...’ ‘જો તમે અર્થ-કામને ઇચ્છો છો તો પણ તમારે ધર્મ જ કરવો જોઇએ... ’વગેરે વગેરે... આમાં ક્યાંય નિરાશંસભાવની કે તપશ્ચર્યા વગેરેરૂપ અનુષ્ઠાન પણ ‘વિષ’ બની શકે છે એવી વાતો કરાતી નથી... કારણકે ‘જિનોક્ત અનુષ્ઠાન પણ વિષ હોય શકે’ આ વાત ‘જિનોક્ત’ એવી સદ્ભક્તિને વધારનાર નહીં, બલ્કે ઘટાડનાર છે. એમ ‘તપ વગેરે સદનુષ્ઠાન પણ વિષ હોય શકે’ આવી વાત સદનુષ્ઠાનનો રાગ ઘટાડનાર છે, વધારનાર નહીં... અને તેથી એ સદનુષ્ઠાનના આચરણને પણ અટકાવનાર હોવાથી સદનુષ્ઠાનના અભ્યાસને પણ ઘટાડનાર છે, વધારનાર નહીં. માટે જ વિષાનુષ્ઠાન વગેરેની વાતો જે યોગગ્રન્થોમાં આવે છે તેના અધિકારી તરીકે સદ્ધર્મ આચારોને અસ્થિમજ્જા જેવા બનાવી ચૂકેલા ફુલયોગી અને પ્રવૃત્તચક્યોગી જીવોને જ કહ્યા છે, તદન્યને નહીં. આ જીવોએ ધર્મશ્રદ્ધાને એવી સ્થિર કરેલી હોય છે કે જેથી, તેઓને આરાયશુદ્ધિવિધિપાલન વગેરે વિશેષ પ્રકારે કરવાની ચાનક લાગે એ માટે અનુષ્ઠાનને નિષ્ફળ કે વિપરીતકલક કહેવામાં આવે તો પણ એ સાંભળીને એમને અનુષ્ઠાનમાં ત્યાજ્યતા ક્યારેય ભાસતી નથી, પણ ભૌતિકઅપેક્ષા-અવિધિ વગેરેમાં જ ત્યાજ્યતા ભાસે છે ને તેથી એ દૂર કરવાની જ તેઓને એમાંથી પ્રેરણા મળે છે. પણ આ ભૂમિકાને નહીં પામેલા જીવો તો આવી વાત સાંભળીને ધર્મને જ ત્યાજ્ય માની બેસે છે. આવું આજે જોવા મળે જ છે ને કે ‘ગમે તેટલી ભૌતિક આવશ્યકતા ઊભી થઈ હોય તો પણ
148
યોગવિંશિકા...૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org