________________
विनाशनात्, तथा महतोऽनुष्ठानस्य अल्पार्थनात्-तुच्छलब्ध्यादिप्रार्थनेन 'लघुत्वस्यापादनादिदं विषं ज्ञेयम्।
વૃત્તિઅર્થ ? (યોગબિન્દુના ૧૫૬ મા શ્લોકનો અર્થ-) લબ્ધિ વગેરેની અપેક્ષાથી આ = અનુષ્ઠાન વિષ બને છે. સચ્ચિત્તનું મારણ થતું હોવાના કારણે તેમજ મોટા અનુષ્ઠાનના અલ્પફળની યાચના હોવાથી લઘુતાનું આપાઠન થતું હોવાના કારણે આ અનુષ્ઠાન વિષ રૂપ બને છે એ જાણવું (શ્લોકની વૃત્તિનો અર્થ-) લબ્ધિ-કીર્તિ વગેરેની સ્પૃહાથી આ = અનુષ્ઠાન “વિષ બને છે. સચ્ચિત્તનું મારણ થતું હોવાથી અર્થાત્ પરિશુદ્ધ એવા અન્તઃકરણના પરિણામનો વિનાશ થતો હોવાથી તથા મોટા અનુષ્ઠાનનું તુચ્છલબ્ધિવગેરરૂપ નાનું ફળ માગવાના કારણે લઘુતાનું આપાદન થતું હોવાથી આ અનુષ્ઠાન વિષ’ જાણવું.
વિવેચનઃ આ લોકમાં લબ્ધિ-કીર્તિ વગેરે પ્રાપ્ત થાય એવી સ્પૃહા એ ઇહલૌકિક સ્પૃહા છે. પણ એ હોવા માત્રથી અનુષ્ઠાન વિષ બની જ જાય એવો કાંઈ નિયમ નથી. કારણકે સૌભાગ્યવગેરે ઇહલૌકિક પદાર્થનીફળાપેક્ષા જો બાધ્યકક્ષાની હોય તો તદ્ધતુઅનુષ્ઠાન પણ થઈ શકે છે. માટે અહીં બે ઉત્તરહેતુઓ દર્શાવ્યા છે.
(૧) પ્રથમહેતુ છે સચ્ચિત્તનુંમારણ... “ભૌતિક અપેક્ષાથી મુક્ત અંતઃકરણ એ સચ્ચિત્ત’ એવો અર્થનલેવો, કારણકે તો તો પછી ગરાનુષ્ઠાનમાં પણ અનુષ્ઠાનકાળે જ ભૌતિક અપેક્ષા વિદ્યમાન હોવાથી સચ્ચિત્ત રહી શકે નહીં, તેથી કાળાન્તરે નાશ થવાની વાત ટકી ન શકે. પણ ધર્મકરણબુદ્ધિથી પ્લાવિત અને ધર્મકરણકાળે તે તે અનુષ્ઠાનને ઉચિત શુભભાવથી પ્લાવિત અંતઃકરણ એ સચ્ચિત્ત છે. જો આવા સચ્ચિત્તનું મારણ થાય તો જ અનુષ્ઠાન વિષકે ગર બને એ જાણવું.
અલબત્ વિષ કે ગર ખાધા પછી પણ મરણ થાય એ પૂર્વે જ જે યોગ્ય ઉપાય અજમાવવામાં આવે તો મરણ થતું નથી... પણ તેમ છતાં જે ખાધું હતું તે તો ‘વિષ’ કે ‘ગર’ જ કહેવાય છે. એમ પ્રસ્તુતમાં પણ, સચ્ચિત્તનું મારણ થવા પૂર્વે જ યોગ્ય નિમિત્ત મળી જાયનેવારણ થઈ જાય તો સચ્ચિત્તનું મારણ ભલેન થાય, છતાં પૂર્વે જે અનુષ્ઠાન કરેલું તે તો વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાન જ કહેવાય એ જાણવું.
ભૌતિક અપેક્ષા હોવા માત્રથી સચ્ચિત્તનું મારણ થઈ જ જાય એવો નિયમ
“LSL
(146)
યોગવિંશિકા. ૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org