________________
ક્ષયોપશમ, વીર્યાન્તરાયનો ક્ષયોપશમ... આ બધાની અનેકવિધ તરતમતાવાળી અલગ-અલગ પરિણતિઓના સંવેધથી તે-તે ક્ષયોપરામનું ઘડતર થાય છે એ જાણવું.
આમ, શ્રદ્ધાવગેરેનો યોગ થવાથી અપુનર્બન્ધક વગેરે ભવ્ય જીવોને ઇચ્છા પ્રવૃત્તિ વગેરે રૂપ તે તે કાર્યોનાં કારણભૂત વિવિધ ક્ષયોપશમ પ્રગટે છે ને તેના કારણે ઇચ્છા વગેરે યોગો પ્રાપ્ત થાય છે. એટલે, ઇચ્છયોગ વગેરે તે તે વિશેષ પ્રકારના યોગ પ્રત્યે ઓછી-વત્તી શ્રદ્ધા-પ્રીતિ... વગેરે સ્વરૂપ જુદા જુદા પ્રકારના આશયોથી સૂચિત થતો જુદા-જુદા પ્રકારનો ક્ષયોપશમ એ હેતુ છે એવો પરમાર્થ નિશ્ચિત થયો.
અત વ્ = આમ ઇચ્છા વગેરે યોગ પ્રત્યે મુખ્ય કારણ આ ક્ષયોપરામ જ હોવાથી, જે સાધકને જેટલો ક્ષયોપરામ પ્રગડ્યો હોય તેટલા પ્રમાણમાં ઇચ્છા વગેરે યોગ પ્રાપ્ત થાય છે. ને એના કારણે એની મોક્ષમાર્ગ પર પ્રવૃત્તિ ચાલુ રહે છે. એટલે ક્યારેક કોઇકને (સૂક્ષ્મબોધસંપન્ન ગુરુની નિશ્રા ન મળી હોવાના કારણે) સૂક્ષ્મબોધ ન હોય તો પણ એની માર્ગાનુસારિતા હણાતી નથી એવો સંપ્રદાય છે. અપુનર્જન્ધક જીવને એવો વિશેષ ઉપયોગ-બોધ ન હોય તો પણ, આંતરિક ક્ષયોપશમ જ એવો હોય છે કે જેથી એના દ્વારા એવી અનુચિત પ્રવૃત્તિ ક્યાંય થતી નથી, ને સર્વત્ર સદન્ધન્યાયે પણ ઉચિત પ્રવૃત્તિ જ થાય છે, એવું પ્રસ્તુતમાં જાણવું. શ્રદ્ધા વગેરેથી ઉત્પન્ન થયેલો ક્ષયોપશમ, વિશેષ જાણકારીના અભાવમાં પણ, એવી પ્રવૃત્તિ થવા દેતો નથી જે ઇચ્છાયોગાદિરૂપ માર્ગ પરની ગતિમાં સ્ખલના ઊભી કરે. (પણ સૂક્ષ્મબોધ સંપન્ન ગુરુની નિશ્રા વગેરે કારણે સૂક્ષ્મબોધનું પીઠબળ જો મળે તો ગતિ શીઘ્ર થવાનો વિશેષ લાભ થાય એ જાણવું. આશય એ છે કે જ્ઞાનાવરણીય કર્મના સમાન ક્ષયોપરામવાળા બે વિદ્યાર્થીમાંથી એને વધારે કુશળ શિક્ષક, સારાં પુસ્તકો વગેરે સામગ્રી મળે અને બીજાને એ ન મળે તો પ્રથમ વિદ્યાર્થી ઘણો આગળ વધી જાય છે, બીજો એટલો આગળ વધી શકતો નથી. આમ અવાંતરસામગ્રીની વિવિધતાથી એકના એક ક્ષયોપરામજન્ય કાર્યમાં પણ વૈવિધ્ય આવે છે.) ।। ૭।।
इच्छादीनामेव हेतुभेदमभिधाय कार्यभेदमभिधत्ते
अणुकंपा निव्वेओ संवेगो होइ तह य पसमुत्ति । एएसिं अणुभावा इच्छाईणं जहासंखं ॥ ८ ॥
ઇચ્છા-અનુકંપાદિ કા. કા. ભાવ
Jain Education International
For Private & Personal Use Only
105
www.jainelibrary.org