________________
તેમજ આ ચિત્તધર્મ ધીરતા-ગંભીરતાવાળો હોય છે. દીનતા-ઉત્સુક્તાની રહિતતાના કારણે અને ધીરતા-ગંભીરતાની સહિતતાના કારણે ચિત્તની આવી અવસ્થામાં રાગાદિની આકુલતા હોતી નથી અને તેથી ધૃતિ (વિશિષ્ટ પ્રીતિ-મનનું પ્રણિધાન) કેળવાય છે.
ધારણા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલી અવિસ્મૃતિ વગેરે ભેટવાળી અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ એ ધારણા છે. જાતિમાન મોતીઓની માળા પરોવનારો પરોણીગર ચિત્તવિક્ષેપન હોવાના કારણેયથાક્રમ નાના-મોટામોતી પરોવે છે એમ સ્થાન-ઊર્ણ વગેરે યોગમાં પ્રવર્તેલા સાધકની એવી ચિત્તપરિણતિ કે જે પ્રસ્તુત વસ્તુના ક્રમને પકડીને એ મુજબ જ યોગગુણમાળાને નિષ્પન્ન કરે છે, આવી ચિત્તપરિણતિ એ ધારણા છે.
અનુપ્રેક્ષા તત્ત્વભૂત પદાર્થનું વારંવાર ચિંતન એ અનુપ્રેક્ષા છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલો આ એવો ચિત્તધર્મ છે જે અનુભૂત પદાર્થના અભ્યાસરૂપ છે, પરમસંગજનક છે, પરમસંવેગને દઢ કરનારો છે, ઉત્તરોત્તર અધિક પ્રતીતિવાળો છે અને કેવળજ્ઞાનને સન્મુખ છે.
આ શ્રદ્ધા વગેરેથી મલિનવાસના - સંસ્કાર વગેરે ઘસાતા જાય છે અને એ રીતે એ અપૂર્વકરણનામની મહાસમાધિના બીજરૂપ બને છે, કારણકે શ્રદ્ધા વગેરેની પરિપક્વતા થવાથી અપૂર્વકરણ સિદ્ધ થાય છે.
આમ, જેમ જેમ શ્રદ્ધા વગેરેનો અભ્યાસ થાય તેમ તેમ જીવ અપૂર્વકરણ તરફ આગળ વધે છે - અર્થાત્ મોક્ષમાર્ગ પર પ્રગતિ કરે છે એવું અહીં લલિતવિસ્તરામાં કહ્યું. યોગવિંશિકામાં પણ શ્રદ્ધા વગેરેના કારણે જેટલો જેટલો ક્ષયોપશમ થાય તે મુજબ ઈચ્છાદિયોગ સંપન્ન થતો હોવાના કારણે માર્ગાનુસારિતા હણાતી નથી – અર્થાત્ માર્ગ પર પ્રગતિ ચાલુ રહે છે - એમ જણાવ્યું છે. માટે લલિતવિસ્તરામાં અને યોગવિંશિકામાં કહેલ શ્રદ્ધાદિ પરસ્પર સંલગ્ન છે અને કાયોત્સર્ગ -ચૈત્યવન્દન વગેરેની જેમ બધા અનુષ્ઠાનોમાં યથાસંભવ લાગુ પડનારા છે એ જણાય છે.
તથા શ્રદ્ધાદિથી જન્ય અને ઇચ્છાયોગાદિનો જનક એવો આ ક્ષયોપશમ સંપન્ન થવામાં અનેક ઘટકો ભાગ ભજવે છે. મોહનીયનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણનો
104
યોગવિંશિકા...૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org