SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તરતમતા.. એને દૂર કરવાના ઉપાયોનો નિર્ણય. એ ઉપાયોની અજમાયશ... આ બધા માટે અનુપ્રેક્ષા પણ આવશ્યક છે...ને એ અનુપ્રેક્ષા દરમ્યાન એકાગ્રતાકેળવાય એ ધ્યાન રૂપ બને. માટે એ પણ આવશ્યક છે... આમ શ્રદ્ધા, પ્રીતિ.... વગેરે કારણો છે. ને એનાથી ક્ષયોપશમ પ્રગટે છે જે ઈચ્છાદિ યોગોનું સંપાદન કરી આપે શ્રદ્ધા વગેરેને અનુસરીને ક્ષયોપશમ પ્રગટે છે. અને એક્ષયોપશમને અનુસરીને તરતમતાવાળા ઇચ્છાયોગાદિ સંપન્ન થાય છે... એવું તથા જેને જેટલો ક્ષયોપશમ હોય તેટલા પ્રમાણમાં ઇચ્છાયોગ પ્રવર્તવાથી તેની માર્ગમાં પ્રવૃત્તિ થાય છે અને સૂક્ષ્મબોધન હોય તો પણ માર્ગાનુસારિત હણાતી નથી. આવું અહીં જે કહ્યું છે કે, લલિતવિસ્તરામાં અરિહંતચેઇઆણું સૂત્રના શ્રદ્ધા-મેધા વગેરે પદોની જે વિવેચના છે તેને સંલગ્ન આ શ્રદ્ધા વગેરે છે એવું સૂચન કરે છે. અલબત્ અહીં શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ વગેરે છે. જ્યારે ત્યાં શ્રદ્ધા, મેધા, વૃતિ વગેરે છે. છતાં સંલગ્નતા પ્રતીત થતી હોવાથી ત્યાંની થોડી વાતો વિચારી લઇએ. શ્રદ્ધાઃ મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમ વગેરેથી જન્ય ચિત્તપ્રસાદ ( ચિત્તની નિર્મળતા) સ્વરૂપ પોતાનો અભિલાષ એ શ્રદ્ધા છે. આ ચિત્તપ્રસાદ એ એવો ચિત્તધર્મ છે જે જીવાદિ તત્ત્વભૂત પદાર્થને અનુસરનારો હોય છે, ભ્રાન્તિનો નાશક હોય છે, કર્મ અને ફળના સંબન્ધના અસ્તિત્વ વગેરેમાં વિશ્વાસરૂપ હોય છે તથા ચિત્તની કલુષિતતાને દૂર કરનારો હોય છે. આના કારણે જિનોક્ત માર્ગ સારી રીતે ભાવિત થાય છે. મેધા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જન્મ કુશળ બુદ્ધિપરિણામ એ મેધા છે. આ પણ એક એવો ચિત્તધર્મ છે જે સભ્યશાસ્ત્રોને ઉપાય તરીકે પકડી એમાં પ્રવૃત્તિ કરાવનારો છે ને પાપશાસ્ત્રોની અવગણના કરાવનારો છે. ગુરુવિનયવિધિ પાલન વગેરેથી ઉક્ત ક્ષયોપશમ થવા દ્વારા આ ચિત્તધર્મ પ્રાપ્ત થાય છે. વૃતિઃ મોહનીયકર્મના ક્ષયોપશમ વગેરેથી ઉત્પન્ન થયેલી વિશિષ્ટ પ્રીતિ સ્વરૂપમનનું પ્રણિધાન એ ધૃતિ છે. આ એવો ચિત્તધર્મ છે જેમાં, અચૂક કલ્યાણસાધક વસ્તુની પ્રાપ્તિ થવા પર જેમ દીનતા વગેરે રહેતા નથી તેમચિન્તામણિતુલ્ય જૈનધર્મની પ્રાપ્તિ થવા પર એનો મહિમા જાણવાથી) દીનતા અને ઉત્સુકતા રહ્યા હોતા નથી... (શ્રદ્ધાદિનું સ્વરૂપ (103) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy