________________
અવતરણિકાર્ય : ઇચ્છા વગેરેના કારણભેદને (જુદા જુદા કારણોને) કહીને હવે કાર્યભેદને (જુદા-જુદા કાર્યને) આઠમી ગાથામાં કહે છે
-
ગાથાર્થ : આ ઇચ્છા, પ્રવૃત્તિ વગેરેના અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ (=ઉપશમ) એ યથાસંખ્ય (=ક્રમશઃ) અનુભાવ = કાર્ય છે.
=
અનુપત્તિ । 'અનુમ્મા = દ્રવ્યતો માવતશ્ચ યથાશત્તિ દુ:વિતવ્:વરિહારેછા, निर्वेदः = नैर्गुण्यपरिज्ञानेन भवचारकाद्विरक्तता, संवेगः = मोक्षाभिलाष:, तथा प्रशमश्च क्रोधकण्डूविषयतृष्णोपशमः, इत्येते एतेषां = इच्छादीनां योगानां यथासङ्ख्यं 'अनु पश्चाद्भावा: अनुभावाः = कार्याणि भवन्ति । 'यद्यपि सम्यकत्वस्यैवैते कार्यभूतानि लिङ्गानि प्रवचने प्रसिद्धानि, तथापि योगानुभवसिद्धानां विशिष्टानामेतेषामिहेच्छायोगादिकार्यत्वमभिधीयमानं न विरुध्यत इति द्रष्टव्यम् ।
વૃત્તિઅર્થ : 'અનુકંપા = દ્રવ્યથી અને ભાવથી યથાશક્તિ દુઃખિયાના દુઃખ દૂર કરવાની ઇચ્છા. નિર્વેદ = સંસારની નિર્ગુણતાનું જ્ઞાન થવાથી ભવરૂપ કેદખાનાથી વિરક્તતા. સંવેગ=મોક્ષનો અભિલાષ. તથા પ્રામ-ક્રોધરૂપ ખણજનો અને વિષયતૃષ્ણાનો ઉપશમ. આ અનુકંપા વગેરે આ ઇચ્છા વગેરે યોગના યથાસંખ્ય= ક્રમશઃ અનુભાવો છે. (અનુ=પ્રશ્ચાદ્... અર્થાત્ ઇચ્છા વગેરેની પછી થનારા ભાવો... એટલે કે) કાર્યો છે. જો કે આ અનુકંપા વગેરે સમ્યક્ત્વનાં જ કાર્યભૂત લિંગ તરીકે પ્રવચનમાં પ્રસિદ્ધ છે. તો પણ યોગના અનુભવથી સિદ્ધ એવા વિશિષ્ટ પ્રકારના અનુકંપા વગેરેને અહીં ઇચ્છાયોગ વગેરેના કાર્ય તરીકે કહેવા એ વિરુદ્ધ નથી, એ જાણવું.
=
દૂર
વિવેચન : (૧) દુઃખ દૂર કરવાની ઇચ્છા એ દ્રવ્યઅનુકંપા... ને દોષ કરવાની ઇચ્છા એ ભાવઅનુકંપા જાણવી. ‘સંસાર નિર્ગુણ છે’ આવું પ્રતીત થવાથી પૌદ્ગલિક જાહોજલાલીવાળી અવસ્થાઓથી પણ ઉદ્વેગ થાય એ વાસ્તવિક નિર્વેદ છે. નિર્ગુણ સંસારથી કંટાળો જાગ્યો છે. એનો વિકલ્પ સર્વગુણમય મોક્ષ છે. એ મેળવવાની પ્રબળ ઇચ્છા એ સંવેગ છે. (1) પણજમાં જેમ ખણવાની તલપ હોય છે એમ ક્રોધાદિ કષાયોને પણ વ્યક્ત (=સફળ) કરી દેવાની તલપ હોય છે. તથા (2)ખણવાથી જેમ ખણજ વધતી જાય છે, એમ કષાયોને સફળ કરતા રહેવાથી એ વધતા જાય છે. (3) ખણ્યા પછી બળતરા વધવા પર ખણ્યાનો પાછળથી પશ્ચાત્તાપ થાય છે એમ ક્રોધ કર્યા પછી પશ્ચાત્તાપ થાય છે. (4) એ પશ્ચાત્તાપના કારણે હવે
યોગવિંશિકા....૮
106
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org