SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમત્તગુણઠાણે એવા રાગ-દ્વેષ ન હોવાથી ઇષ્ટત્વ-અનિષ્ટત્વની કલ્પના પણ હોતી નથી. માટે સમતાયોગ અપ્રમત્તજીવોને જ હોય છે. અપ્રમત્તતા સાતમે ગુણઠાણે તથા શ્રેણિમાં આઠમે વગેરે ગુણઠાણે હોય છે. ‘ક્ષપડશ્રેણિમાં સામર્થ્યયોગ જે હોય છે એ તત્ત્વતઃ અનાલંબનયોગ છે, તથા રાગ-દ્વેષજન્ય વિકલ્પો જેમના વિરામ પામ્યા છે એવા જિનકલ્પિક વગેરે અપ્રમત્ત જીવોને પણ અંશતઃ (ઉપચારથી) અનાલંબનયોગ હોય છે. તથા, જે તત્ત્વતઃ અનાલંબનયોગ છે તેની મોહસાગરતરણ, ક્ષેપકશ્રેણિની પૂર્ણાહૂતિ, કેવલજ્ઞાન, અયોગીઅવસ્થા અને નિર્વાણ આ ફળ પરંપરા છે.’ આવું બધું જે નિરૂપણ આ જ ગ્રન્થમાં આગળ આવવાનું છે તેનાથી જણાય છે કે પ્રારંભિક (સાતમે ગુણઠાણે) જે સમતાયોગ હોય છે તેનો ઉપચરિત અનાલંબનયોગમાં અન્તર્ભાવ છે. આગળ વધેલો સમતાયોગ (શ્રેણિમાં જે હોય છે તે) તત્ત્વતઃ અનાલંબન યોગ છે. બીજી રીતે કહીએ તો સહજ સમતા યોગની સાતમી દૃષ્ટિમાં હોય છે ને ત્યાં અનાસંગયોગ હોવો યોગદષ્ટિસમુચ્ચયની ૧૭૫મી ગાથામાં કહ્યો છે. આ અનાસંગયોગ એ જ ચરમ અનાલંબન યોગ છે એમ પ્રસ્તુત યોગવિશિકાની જ ૧૮મી ગાથામાં કહ્યું છે. માટે જણાય છે કે સમતાયોગનો અનાલંબનયોગમાં અન્તર્ભાવ છે. તથા કેવલજ્ઞાન તેમજ યોગનિરોધકાળે જે વૃત્તિસંક્ષય છે તેનું અનાલંબનયોગ એ કારણ છે. એટલે વૃત્તિસંક્ષયાત્મક કાર્યમાં અનાલંબન યોગાત્મક કારણનો ઉપચાર કરીને એને પણ ‘અનાલંબનયોગ’ તરીકે કહી શકાય છે. એટલે આ રીતે એનો અન્તર્ભાવ પણ અનાલંબનયોગમાં થાય છે. આમ અધ્યાત્મયોગ વગેરેનો અન્તર્ભાવ સ્થાનાદિયોગમાં થાય છે. અને અધ્યાત્મયોગ વગેરે તો દેશ-સર્વવિરતને જ હોય છે. માટે સિદ્ધ થાય છે કે સ્થાનાદિયોગ પણ તત્ત્વતઃ દેશ-સર્વ ચારિત્રીને જ હોય છે. ननु यदि देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादिर्योगः, तदा देशविरत्यादिगुणस्थानहीनस्य व्यवहारेण श्राद्धधर्मादौ प्रवर्तमानस्य स्थानादिक्रियायाः सर्वथा नैष्फल्यं स्याद् इत्याशङ्क्याह-इतरस्य = देश- सर्वचारित्रिव्यतिरिक्तस्य स्थानादिकं इत एव = देशसर्वचारित्रं विना योगसम्भवाभावादेव 'बीजमात्रं = योगबीजमात्रं केचिद् = व्यवहारनयप्रधाना इच्छन्ति। ‘मोक्षकारणीभूतचारित्र - `तत्त्वसंवेदनान्तर्भूतत्वेन स्थानादिकं चारित्रिण एव योगः, अपुनर्बन्धक-सम्यग्दृशोस्तु तद्योगबीजम्' इति निश्चयनयाभिमतः पन्थाः । 80 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા....૩ www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy