SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુની જ પ્રવૃત્તિને વચનાનુષ્ઠાન તરીકે જણાવી છે ને ? - સમાધાન - દેશવિરતની માત્ર ધર્મપ્રવૃત્તિઓ વચનાનુષ્ઠાનરૂપે સંભવિત છે, સર્વપ્રવૃત્તિઓ નહીં, જ્યારે સાધુની સર્વ પ્રવૃત્તિઓ વચનાનુષ્ઠાનરૂપે સંભવિત છે. માટે સાધુનો ઉલ્લેખ છે. પણ, દેશવિરતની બાદબાકી કરવા એ ઉલ્લેખ છે – એવું નથી, એ જાણવું, જેમ શ્રી યોગશાસ્ત્ર (૪-૮૭)માં શૈયા સામા યમિનામામાં સ્વત્યવૈહિનામ્... એવું જે જણાવ્યું છે, તેમાં યમીઓનો = સાધુઓનો ઉલ્લેખ 'દેશવિરત વગેરે અન્ય જીવોને સકામનિર્જરા હોતી નથી’ એ રીતે દેશવિરત વગેરેની બાદબાકી કરવા માટે નથી, પણ, ‘ઉત્કૃષ્ટ સકામનિર્જરા સંયમીને જ હોય છે' આવી જે વાસ્તવિકતા છે, એના કારણે છે. આ પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજે શ્રી ધર્મપરીક્ષા ગ્રન્થના ૩૭મા શ્લોડની વૃત્તિમાં જે જણાવ્યું છે, તેને અનુસરીને પ્રસ્તુતમાં જાણવું. વળી, ગૃહસ્થને એટલો વિસ્તૃત ને પટુ શાસ્ત્રાર્થબોધ હોતો નથી.. તેમજ જેટલા અંશે શાસ્ત્રાર્થ પ્રતિસન્ધાન હોય એટલા અંશે સર્વત્ર તદનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે જ એવો નિયમ નથી હોતો, કારણકે એ મુખ્યતયા લોકસંજ્ઞાથી મુક્ત નથી હોતો. તેથી લોકસંજ્ઞાવશાત્ અન્યથાત્વ પણ સંભવિત છે. માટે પણ અહીં “સાધુની સર્વત્ર ઉચિતપ્રવૃત્તિ એ વચનાનુષ્ઠાન’ એમ કહ્યું છે. પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પરમ આદર વગેરે હોવા છતાં શાસ્ત્રાર્થનો પટુબોધ, અનુષ્ઠાનકાળે પડુસ્મૃતિ અને સત્ત્વ ફોરવવાપૂર્વક તદનુસાર મન-વચનકાયયોગનું પ્રવર્તન... આ બધું હોતું નથી... માટે વચનાનુષ્ઠાન હોતું નથી... (છતાં વચનાનુષ્ઠાનની પૂર્વભૂમિકા વર્તી રહી હોય છે એ તો જાણવું જ.) व्यवहारकाले वचनप्रतिसन्धाननिरपेक्षं दृढतरसंस्काराच्चन्दनगन्धन्यायेनात्म साद्भूतं जिनकल्पिकादीनां क्रियासेवनमसङ्गानुष्ठानम् । आह च यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ॥ षोड. १०-७ ॥ વૃત્તિઅર્થ : વ્યવહારકાળે વચનપ્રતિસન્માનને નિરપેક્ષપણે થતું દઢતર સંસ્કારના કારણે ચન્દનગન્ધન્યાયે આત્મસાત્ થયેલું જિનકલ્પિકાદિનું ક્રિયાસેવન એ અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે જિનકલ્પિકાદિ સત્પુરુષો વડે અભ્યાસના અતિશયના અસંગ અનુષ્ઠાન Jain Education International For Private & Personal Use Only 231 www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy