________________
વિવેચનઃ અનુષ્ઠાનવેળા જિનવચનોનું સ્મરણ કરીને તેને અનુસરીને અનુષ્ઠાન કરે, વળી પ્રમાદાદિવશાત્ પણ વિધિપાલનમાં વિકલતા ન આવવા દે.. આ રીતે શાસ્ત્રવચન મુજબ થતું પરિપૂર્ણ અનુષ્ઠાન એ વચનાનુષ્ઠાન છે.
(૧) રાગ-દ્વેષગ્રસ્ત અવસ્થામાંથી વીતરાગતાએ પહોંચવું એ સાધના છે. એટલે સાધકની જે પ્રવૃત્તિ રાગ-દ્વેષને મોળા પાડી વીતરાગતા તરફ લઈ જનારી હોય એને જ “ઉચિત પ્રવૃત્તિ’ કહી શકાય છે. ઉત્સર્ગની જેમ ક્યારેક આપવાદિક પ્રવૃત્તિ પણ ઉચિત હોય છે. એમ ક્યારેક તપ તો ક્યારેક ત્યાગ... ક્યારેક સ્વાધ્યાય તો
ક્યારેક વૈયાવચ્ચ... આ બધું જ “ઉચિત હોય શકે છે. ક્યારે શું ઉચિત છે એનો નિર્ણય શાસ્ત્રાર્થ વિના શી રીતે થાય? એ નિર્ણય થયા પછી પણ કર્યું અનુષ્ઠાન ક્યા કમેકઇ વિધિએ કરવું એ બધું શાસ્ત્રાર્થવિનાજાણી શકાતું નથી. શાસ્ત્રના અધ્યયનકાળે એ જાણ્યું હોવા છતાં, જો અનુષ્ઠાનકાળે એનું પ્રતિસધાન (=સ્મરણ) કરવામાં ન આવે તો પણ અ, આચરણ થઈ શકતું નથી. સ્મરણ કર્યા પછી પણ જો સત્ત્વ નબળું હોય તો પ્રમાદાદિના કારણે શાસ્ત્રાર્થનિર્દિષ્ટ વિધિ ન પણ જાળવે, અને તેથી અનુષ્ઠાન વચનાનુષ્ઠાન ન થાય. ક્યારેક શાસ્ત્રાર્થનું પ્રતિસધાન કરી એ મુજબ પ્રવૃત્ત થઈ ઉચિત પ્રવૃત્તિ કરે ને ક્યારેક શાસ્ત્રાર્થનું પ્રતિસધાનન કરવાના કારણે કે ક્યારેક એ પ્રતિસધાન કરવા છતાં પ્રમાદાદિવશાત્ તદનુરૂપ પ્રવૃત્તિન કરે. આવું થતું હોય તો શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિકાળે પણ એ અનુષ્ઠાન “વચનાનુણાન’ ન કહેવાય, કારણકે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો જ વચનાનુષ્ઠાન છે.
ષોડશજીની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – ક્ષમા-પડિલેહણ વગેરે બધા ધર્મવ્યાપારમાં દેશ-કાળ-પુરુષ-વ્યવહારાદિના ઔચિત્યપૂર્વક આગમાર્થઅનુસ્મરણ વાળી જે પ્રવૃત્તિ થાય છે તે વચનાનુષ્ઠાન છે. તે નિયમાં સાધુને જ હોય છે, કારણકે ભવદુર્ગલંઘનરૂપઠું ગુણઠાણું એને જ પ્રાપ્ત હોવાથી એ જ લોકસંજ્ઞામુક્ત હોય છે. આ નિશ્ચયનયમત જાણવો. વ્યવહારનયેતો જિનવચનને અનુસરીને માર્ગાનુસારી જીવ પણ જે પ્રવૃત્તિ કરે તે દેશથી વચનાનુષ્ઠાનરૂપ બને છે, એ જાણવું.
તથા વચનાનુષ્ઠાન ચારિત્રવાનું હોવાનું જણાવ્યું છે. દેશવિરત પણ ચારિત્રવાનું તો છે જ. માટે દેશવિરતને પણ વચનાનુષ્ઠાન હોવામાં તો કોઈ શંકા રાખવી નહીં.
શંકા પણ વૃત્તિકારે તો શાસ્ત્રાર્થપ્રતિમાનપૂર્વ સાધો:..' વગેરે જણાવી 230)
યિોગવિંશિકા ૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org