________________
કારણે આત્મસાત્ થયેલાની જેમ જે ચેષ્ટી થાય છે તે અસંગાનુષ્ઠાન જણવું. આ (આત્મસાત્ જેવી પ્રવૃત્તિ) તેના આવેધથી = વચનના સંસ્કારથી થાય છે.
વિવેચનઃ જે અને જેવી પ્રવૃત્તિ વારંવાર સ્વરસથી કરવામાં આવે છે અને તેવી પ્રવૃત્તિ પુનઃ પુનઃ અભ્યાસના કારણે આત્મસાત્ થઈ જતી હોય છે, સહજ બની જતી હોય છે. અર્થાત્ પૂર્વે જે કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડતો હતો તે હવે કરવો પડતો નથી. વચનાનુષ્ઠાનમાં, શાસ્ત્રવચનનું પ્રતિસધાન અને તદનુરૂપ વીર્ય ફોરવવું એ વિશેષ પ્રયત્ન' તરીકે હતું, એવું વારંવાર કરવાથી એના દઢસંસકાર પડી ગયા. એટલે ચંદનમાં ગધ જેમ આત્મસાત્ થયેલી હોય છે એમ અનુષ્ઠાન આત્મસાત્ થઈ જાય છે. તેથી, આવા=અનુષ્ઠાન આત્મસાત્ થયેલું હોય એવા જિનકલ્પિક વગેરેને પુનઃ એ અનુષ્ઠાનના અવસરે શાસ્ત્રવચનનું પ્રતિસધાન કરવાની આવશ્યક્તા હોતી નથી. એટલે એ અનુસધાન વિના પણ ઉચિત પ્રવૃત્તિ જ થાય છે. શાસ્ત્રવચનો આ અનુષ્ઠાન આ રીતે કરવાનું કહે છે માટે હું પણ એ પ્રમાણે કરીશ... આવી લાગણી વિના વચનાનુસારી અનુષ્ઠાન શક્ય નથી હોતું. આ લાગણી પણ એક પ્રકારનો સંગ (આસક્તિ=રાગ) છે. પણ હવે, અનુષ્ઠાન આત્મસાત્ થઈ ગયું છે. એટલે આવા સંગ વિના પણ સહજપણે અનુષ્ઠાન ઉચિત રીતે થયા કરે છે. માટે એને અસંગઅનુષ્ઠાન કહે છે.
तदावेधात् = यथाऽऽद्यं चक्रभ्रमणं दण्डव्यापारात्, तदुत्तरश्च तजनितकेवलसंस्कारादेव, तथा भिक्षाटनादिविषयं वचनानुष्ठानं वचनव्यापाराद्, असंगानुष्ठानश्च केवलतज्जनितसंस्कारादिति विशेषः, आह च
चक्रभ्रमणं दंडात्तदभावे चैव यत्परं भवति। वचनासंगानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् । षोड. १०-८॥ इति ।
વૃત્તિઅર્થ તદાવેધાતુ = જેમ પ્રથમ ચકભ્રમણ દંડના વ્યાપારથી થાય છે અને તે પછી થતું ચકભ્રમણ કેવલ તન્નનિત સંસ્કારથી જ થાય છે. તેમ ભિક્ષાટન વગેરે અંગેનું વચનાનુષ્ઠાનવચનના વ્યાપારથી થાય છે. પણ પછી અસંગાનુષ્ઠાન કેવલ તેનાથી (વચનવ્યાપારથી) જનિતસંસ્કારથી જ થાય છે એટલો તફાવત જાણવો. ષોડશકજીમાં કહ્યું છે – જે ચકભ્રમણ દંડથી થાય છે. અને કંડનો અભાવ થયે પછીથી જે ચકભ્રમણ થાય છે. તે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનું જ્ઞાપકકદષ્ટાન્ત જાણવું. 2િ32
યોગવિંશિકા....૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org