________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ (પ્રથમ આવૃત્તિની) પ્રસ્તાવના
વિંશતિવિંશિકપ્રકરણ ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત એક અવ્વલ ગ્રન્થ... વિવિધ વીશ વિષયો પર વીશ-વીશ શ્લોકમાં કરેલું અદ્ભુત નિરૂપણ....
યોગવિંશિકા : વિંશતિવિંશિકા પ્રકરણ ગ્રન્થનું યોગવિષયક એક પ્રકરણ. ‘ગાગરમાં સાગર’ ઉક્તિને સાર્થક કરતું પ્રકરણ. ગાગરમાં છૂપાયેલા સાગરને વ્યક્ત છે મહોપાધ્યાય લઘુહરિભદ્ર શ્રી યશોવિજયજી મહારાજે. તેઓશ્રીએ જો આવી વૃત્તિન રચી હોત તો આ રહસ્યો પ્રકાશમાં આવત કે કેમ? એ શંકાસ્પદ રહે છે.
વિ.સં. ૨૦૫૩ દરમ્યાન સુરતમાં ‘યોગવિંશિકા' ગ્રન્થપર વાચના આપવાનો પ્રસંગ આવ્યો. દેવ-ગુરુકૃપાએ સારું એવું વિવેચન થયું. એટલે અધ્યેતાઓનો તથા અન્યોનો પણ એનું વિવેચન પ્રકાશિત થાય એવો આગ્રહ થયો. અલબત્ આ ગ્રન્થનો એક ભાવાનુવાદ તો જોવામાં આવેલો. ને લખવાનું ચાલુ કર્યા બાદ અન્ય બે વિવેચનો જોવામાં આવ્યા.... છતાં આ વધુ ઉપકારક બનશે એવો ઘણાનો અભિપ્રાય હોવાથી તેમજ પ્રકાશિત થઈ ચૂકેલા આ અન્ય વિવેચનોમાં અનેક ગંભીર ક્ષતિઓ દષ્ટિગોચર થવાથી વિવેચન પ્રકાશિત કરવું
એ જ ઉચિત બન્યું. ગ્રન્થના પ્રારંભે જ પ્રણિધાન વગેરે પાંચ આશયોનું જે નિરૂપણ છે તેનો લોકભોગ્ય થોડો વિસ્તાર ઘણાને ઉપકારક નીવડશે એવી ધારણાથી એટલું વિવેચન વધારે વિસ્તૃત કર્યું અને એનું સ્વતંત્ર પુસ્તક સિદ્ધિનાં સોપાન” નામે પ્રકાશિત કર્યું. એ પુસ્તકમાં ઘણો વિસ્તાર કર્યો હોવાથી પાચ આશયોનું નિરૂપણ આ વિવેચનમાં થોડું ટૂંકાવ્યું છે. વિશેષ જિજ્ઞાસુને એ વિસ્તાર માટે સિદ્ધિનાં સોપન’ પુસ્તક અધ્યયન કરવાની ભલામણ.
VI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org