SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ એ બન્નેના વિશેષણ તરીકે ‘તદ્વેત્વનુષ્ઠાનતત્પર’ એમ કહ્યું છે. તેઓને ઘણુંખરું તદ્વૈત્વનુષ્ઠાન જ હોય છે. ક્યારેક અનનુષ્ઠાન સંભવે છે. પણ ગુણસંપન્ન અપુનર્બન્ધકજીવોને વિષ કે ગર અનુષ્ઠાન હોતા નથી. અને, ‘ચરમાવર્તમાં પ્રાયઃ કરીને ચોથું (=તદ્વેતુ) અનુષ્ઠાન જ હોય’ એવા અભિપ્રાય મુજબ તો ગુણસંપન્ન અપુનર્બન્ધક અવસ્થાને ગુમાવી ચૂકેલા અપુનર્જન્ધકને પણ વિષ-ગર સંભવતા નથી, કારણકે એ જીવ ચરમાવર્તમાં તો હોય જ છે. એટલે અવિરત સમ્યગ્દષ્ટિ અને અપુનર્બન્ધક જીવો, તદ્વેતુઅનુષ્ઠાનમાં તત્પર હોવાથી તેમજ એની યોગ્યતા વગેરે હોવાથી તેઓ વ્યવહારથી ચૈત્યવન્દનસૂત્ર પ્રદાનના અધિકારી છે. (૪) અપુનર્જન્યજીવોને ચૈત્યવન્દન અનુષ્ઠાન જો નિષ્ફળ જતું હોય તો તો તેઓને અધિકારી તરીકે ન જણાવત. પણ જણાવ્યા તો છે. માટે જણાય છે કે તેઓનું ચૈત્યવન્દન પણ સફળ છે. તો તેઓને શું ફળ સંભવે છે ? એ હવે વૃત્તિકાર જણાવે છે. (અર્થાત્ તેઓને પણ અહીં અધિકારી શા માટે કહ્યા તે હવે વૃત્તિકાર જણાવે છે.) ચૈત્યવન્દનાનુષ્ઠાન દ્વારા અપુનર્બન્ધજીવોનો ડુગ્રહ દૂર થાય છે, આ વાત પંચારાકજીમાં કહેલી છે. અપુનર્બન્ધકજીવોને પણ મિથ્યાત્વના ઉદયના પ્રભાવે વિધિ વગેરે અંગે ડુગ્રહ સંભવિત છે. છતાં, અપુનર્બન્ધકતા હોવાથી માધ્યસ્થ્ય છે. માટે પ્રજ્ઞાપનીયતા હોય છે. અને તેથી ચૈત્યવન્દન અનુષ્ઠાન દ્વારા ફુગ્રહ દૂર થાય છે. * (અહીં પ્રજ્ઞાપનીયતા હોય છે, તેથી ફુગ્રહનો અર્થ ‘‘ડુ=કુત્સિત=ગલત, ગ્રહ = નિર્ણય... તેથી કુગ્રહ-ગલતનિર્ણય’’ જેવો કરવો. પણ કદાગ્રહ ન કરવો, કારણકે ઠાગ્રહ સાથે પ્રજ્ઞાપનીયતા સંભવિત નથી.) ફુગ્રહદૂર થવાથી સમ્યક્ત્વપ્રાપ્તિ વગેરે ફળ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. એમ અવિરતસમ્યકત્વીને પણ અધિકારી કહ્યા.. એટલે એને પણ ચૈત્યવન્દનનું ફળ શું મળે છે ? એ વિચારી લઇએ... સમ્યક્ત્વી જીવને કુગ્રહ હોતો ★ दिक्खाविहाणमेयं भाविज्जंतं तु ततणीतिए । सइअपुणबंधगाणं कुग्गहविरहं लहुं कुणइ || पंचा. २ / ४४॥ આગમાનુસારે ભાવિત કરાતું આ દીક્ષાનું વિધાન સાંધક અને અપુનર્જન્ધકના ડુગ્રહનો શીઘ્ર વિરહ કરે છે. (અલબત્ પંચાશજીમાં આ વાત ઠીક્ષાવિધાન માટે કરી છે. પણ તે ના ઉપલક્ષણથી એ ચૈત્યવન્દનાદિ માટે પણ જાણી શકાય છે. વળી દીક્ષાવિધાન જો સમૃદ્બન્ધકના ફુગ્રહનો વિરહ કરી શકે છે તો ચૈત્યવન્દનાદિ પણ તેના ફુગ્રહનો વિરહ કરવા રૂપ લાભ કરાવી શકે એવું વિચારતાં લાગે છે. તત્ત્વ केवलिगम्यम्) 170 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા.૧૩ www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy