________________
નથી. પણ ચૈત્યવન્દન દ્વારા એનું સમ્યત્વ નિર્મળ થાય છે, ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થવા દ્વારા ક્રમશઃ દેશવિરતિ-સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. ને તેથી પછી અમૃતાનુષ્ઠાન દ્વારા મોક્ષ સુધીનું ફળ પામે છે.
વિશેષ વિચારણા અહીં દેશવિરતને અમૃતઅનુષ્ઠાન અને સર્વવિરતને પરમ અમૃતઅનુષ્ઠાનની સિદ્ધિ કરી દેખાડી છે. અને એટલે જ આબેને તત્ત્વતઃ (નિશ્ચયથી) ચૈત્યવન્દનના અધિકારી તરીકે કહ્યા છે. અપુનર્બન્ધક જીવોને તકૅઅનુષ્ઠાનમાં તત્પર કહ્યા છે, અને તેથી એમને ચૈત્યવન્દનના વ્યવહારથી અધિકારી કહ્યા છે. અવિરતસમ્યગ્દષ્ટિ જીવો માટે વૃત્તિકારે કશો ઉલ્લેખ નથી. તેમ છતાં, પૂર્વે ત્રીજી ગાથામાં અને તેની વૃત્તિમાં, દેશવિરત અને સર્વવિરત જીવોમાં જ નિશ્ચયનય યોગની વિદ્યમાનતા સ્વીકારે છે, અપુનર્બન્ધક અને અવિરતસમ્યગ્દષ્ટિ જીવોમાં યોગના બીજભૂત એવા સ્થાનાદિને વ્યવહારનય ઉપચારથી યોગ તરીકે સ્વીકારે છે.' વગેરે જે વાત કરી છે એના પરથી, અવિરત સમ્યત્વીનો નંબર અપુનર્બન્ધજીવોની સાથે હોવો કલ્પી શકાય છે. તેમજ પુનર્જન્ધા માપ ૨... માં રહેલો પિ શબ્દ પણ એવી કલ્પનાને પ્રેરે છે. અને તેથી આ વિવેચનમાં અવિરતસમ્પત્નીને પણ અપુનર્બન્ધકની જેમ જ વ્યવહારથી અધિકારી કહ્યા છે તેમજ તતુઅનુષ્ઠાનમાં તત્પર કહ્યા છે. હવે આના પર કેટલાક પ્રશ્નો ઊભા થાય છે.
(૧) શ્રી તીર્થંકરપ્રભુના ચ્યવનકલ્યાણક પ્રસંગે શકેન્દ્ર શસ્તવ દ્વારા જે પ્રભુભક્તિ કરે છે તેને પણ નિશ્ચયથી તો અનધિકારીની વન્દના કહેવી પડશે.. વ્યવહારથી અધિકારી જીવકૃત હોવા છતાં એને અપ્રધાન અને દ્રવ્યરૂપ તો કહેવી જ પડશે.
(૨) ઇન્દ્રો-દેવો વગેરે જન્માભિષેક વગેરે જે ભક્તિ કરે છે એ બધી તદ્ધતુઅનુષ્ઠાન કહેવી પડશે. અમૃતાનુષ્ઠાન નહીં કહી શકાય.
(૩) “વ્યસૃજ્ઞામિ યમ્... વગેરે કાઉસ્સગ્નની પ્રતિજ્ઞાનું વાસ્તવિક પાલન વિરતિપરિણામની હાજરીમાં જ સંભવિત છે.” વગેરે જે, અવિરતને તત્ત્વતઃ પાલનની અસંભાવનાના કારણ તરીકે દર્શાવ્યું છે તેમાં પણ પ્રશ્ન એ ખડો થાય છે કે મૂળ ગુણની પ્રતિજ્ઞા વિરતિપરિણામ વિનાસંભવતી નથી, એબરાબર... પણ ઉત્તરગુણની પ્રતિજ્ઞા માટે એવો નિયમ ક્યાં છે? અવિરત એવા પણ ચક્રવર્તી વગેરે જીવો અર્હમ ચોથે પણ અમૃતાનુકાન સંભવ
(171)
171
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org