________________
વગેરેનું પચ્ચકખાણ કરે જ છે ને !
આ પ્રશ્નોનું સમાધાન એવું લાગે છે કે –
પ્રસ્તુત ગ્રન્થની પ્રથમ ગાથાની વૃત્તિના અંતે વૃત્તિકારે જે કહ્યું છે કે નિશ્ચયથી તો પરિશુદ્ધ બધો જ ધર્મવ્યાપાર યોગ છે, પણ તાન્ત્રિકોએ કરેલ વિશેષ વ્યવહારને અનુસરીને સ્થાનાદિમાં રહેલો ધર્મવ્યાપાર જ યોગ છે. તથા, ત્રીજી ગાથામાં અને તેની વૃત્તિમાં (દેશઆરાધક અને દેશવિરાધકને ગૌણ કરી–સર્વઆરાધકને જ નજરમાં રાખી) સ્થાનાદિ યોગો અને તેમાં અન્તર્ભાવ પામતા અધ્યાત્મ વગેરે યોગોની વિદ્યમાનતા વિરતિધર જીવોમાં જ કહી..... અપુનર્જન્મજીવો અને અવિરત સમ્યગ્દષ્ટિજીવોમાં તો માત્ર યોગબીજ જ કહ્યું... આ એક વિશેષ પ્રકારની વિવક્ષા જ છે. આ વિવક્ષાને અનુસરીને જ આખા ગ્રન્થમાં આ બધું નિરૂપણ છે. એટલે સ્થાનાદિ માટે દશાન્ત તરીકે આપેલા ચૈત્યવન્દન અનુષ્ઠાનમાં પણ આ વિવક્ષા ચાલુ જ હોવાથી ચૈત્યવન્દનના વાસ્તવિક અધિકારી તરીકે વિરતિધરને જ કહ્યા છે. અને તેથી અવિરતસમ્યક્ત્વી જીવો જ્યારે વાસ્તવિક અધિકારી તરીકે જ વિવક્ષિત નથી તો એમને અમૃતાનુષ્ઠાન પણ શી રીતે કહી શકાય ? માટે અહીં એમને તદ્વેતુઅનુષ્ઠાન કહ્યું છે.
બાકી આ વિશેષપ્રકારની વિવક્ષાને બાજુ પર રાખીને વાસ્તવિકતાનો વિચાર કરીએ તો અવિરતસમ્યક્ત્વીજીવોને પણ અમૃતાનુષ્ઠાન સંભવે છે તેમજ પ્રથમગાથાની વૃત્તિના ઉપસંહારમાં કહ્યા મુજબ એ નિશ્ચયથી યોગસ્વરૂપ પણ બને જ છે. એટલે તેને અનુસરીને ઇન્દ્ર પણ શસ્તવના વાસ્તવિક અધિકારી જ છે, સમ્યક્ત્વી દેવો જે જન્માભિષેક વગેરે પ્રભુભક્તિ કરે છે એ અમૃતાનુષ્ઠાન બનવામાં કોઇ બાધક નથી એ જાણવું. તેમજ અવિરતસમ્યક્ત્વી જીવોને ઉત્તરગુણની પ્રતિજ્ઞા અને એનું પાલન બન્ને અસંભવિત નથી, એ પણ જાણવું.
ये त्वपुनर्बन्धकादिभावमप्यस्पृशन्तो विधिबहुमानादिरहिता गतानुगतिकतयैव चैत्यवन्दनाद्यनुष्ठानं कुर्वन्ति ते सर्वथाऽयोग्या एवेति व्यवस्थितम्॥ १३॥
વૃત્તિઅર્થ : વળી જેઓ અપુનર્બન્ધકાદિભાવને પણ સ્પર્યા નથી તેવા વિધિબહુમાનાકિરહિત જીવો ગતાનુગતિકતાથી જ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન કરે છે એટલે
172
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૧૩
www.jainelibrary.org